Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભરતના સ્થાને ભોજ-આટલો ફેરફાર કરો.
ધનપાલે ન સ્વીકારતાં રાજાએ તેને [પુસ્તકને ભસ્મીભૂત કર્યું. કવિપુત્રી તિલકમંજરીની યાદ શક્તિથી એ ગ્રન્થ પુનર્જીવિત થયો. પુત્રીના નામ પરથી એ ગ્રન્થનું નામ “તિલક મંજરી' પડ્યું.
અમારા ધ્યાન વિચાર ગ્રન્થનું પણ એવું જ થયેલું. ઉજ્જૈન વખતે સિં. ૨૦૩૮] પ્રેસવાળાએ તેની હસ્તપ્રત ખોઈ નાખી.
મને થયું ઃ હશે, ભગવાનની તેની મરજી હશે. એમાં પણ કંઈક શુભ સંકેત હશે. પુસ્તક જેવું લખાવું જોઈએ તેવું નહિ લખાયું હોય.
અમે ફરીથી લખવું શરૂ કર્યું.
પહેલાથી પણ સુંદર રીતે લખાઈને એ “ધ્યાન વિચાર' ગ્રન્થ પ્રગટ થયો.
પુસ્તક ભલે ઉપાય છે, પણ બધું પુસ્તકના ભરોસે ન રહેવું જોઈએ.
* મોક્ષમાં તો જવું છે, પણ અત્યારે નહિ.
દીક્ષા તો લેવી છે, પણ અત્યારે નહિ.
મોટાભાગના લોકોની માનસિકતા આવી હોય છે. એના આવા વિચારમાં જ આખી જીંદગી પૂરી થઈ જાય છે.
શુભ વિચાર કદી મૂલતવી ન રાખો. અશુભ વિચારોને હંમેશા મૂલતવી રાખો.
* અત્યારે વાચનામાં ચંદાવિય ગ્રન્થ જેિ પીસ્તાલીશ આગમમાંનું એક છે.] ચાલે છે. આ ગ્રન્થમાં મુક્તિ પ્રાપ્તિના શ્રેષ્ઠ ઉપાયો બતાવાયા છે. અત્યારે સમાધિ મરણનો વિષય ચાલે છે.
મૃત્યુ, સમાધિમૃત્યુ ક્યારે બને ? આપણું હૃદય નિઃશલ્ય બને,
૧૮ પાપસ્થાનકોથી મુક્ત બને ત્યારે. અઢારેય પાપો, મોક્ષમાર્ગના સંસર્ગના વિદ્ગભૂત કહેવાયા છે: મુવીમા સમાવિષગાડું '
એ દૂર કર્યા વિના આપણો માર્ગ કદી મુક્તિગામી ન બની શકે. અઢારેય પાપો પ્રાયઃ મોહનીય કર્મ-જન્ય છે. મોહનો ત્યાગ
૪૫૪ & કહ્યું, કલાપૂર્ણસૂરિએ