Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મંદિરમાં જઈ ભગવાન સાથે સંપૂર્ણ એકાકાર થઈને જુઓ. આ કાળમાં પણ તમે સમાધિ સુધી પહોંચી શકો.
‘ક્ષેત્ર સુવુદ્ધિ-યીખાનામ્ ।'
ભગવાનનું મંદિર એટલે સત્બુદ્ધિના બીજને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ ઊગવાનું.
નિધાનં ધ્યાન-સમ્પાન્ ।'
જિનાલય ધ્યાનની સંપત્તિનું નિધાન છે.
આનો અનુભવ કરવો હોય તો ઓસીયા-સેવાડી વગેરે ગામોના પ્રાચીન મંદિરોમાં બેસો. તમને ધ્યાનનો અનુભવ થશે. ૨૨૦૦ વર્ષ જૂના એ મંદિરો છે. ઘરમાં કરો ને દેરાસરમાં ધ્યાન કરો. બન્નેમાં ફરક પડવાનો. ક્ષેત્રનો પણ પ્રભાવ હોય છે, તેમ તમને તમારો અનુભવ જ સમજાવશે.
(૧)
(2)
(૩)
(૪)
(૫)
(;)
(૭)
(c)
મનની નવ શક્તિ
ધૈર્ય
તર્ક-વિતર્કમાં નિપુણતા
સ્મરણ
ભ્રાન્તિ
કલ્પના
ક્ષમા
શુભ સંકલ્પ
અશુભ સંકલ્પ
(૯) ચંચળતા
—
મહાભારત શાન્તિપર્વ
૪૫૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ