Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સંપૂર્ણ શરણું સ્વીકાર્યું નથી.
વાનર–શિશુ માને વળગી રહે છે ને મા જ્યાં જાય ત્યાં પહોંચી
જાય છે.
છે.
આ જ્ઞાનીનું પ્રભુને સમર્પણ છે. જ્ઞાની પ્રભુને પકડે છે. માર્જર-શિશુને માર્કારી [બિલાડી] મોઢેથી પકડીને લઈ જાય
આ ભક્તનું પ્રભુને સમર્પણ છે. ભક્તને ભગવાન પકડે છે. પ્રભુને કહી દો :
અન્યથા શરણં નાસ્તિ...!
તારશો તો આપ જ તા૨શો. મારે બીજે ક્યાંય જવું નથી. દેશો તો તુમહિ ભલું, બીજા તો નવિ યાચું રે...'
* ક્યાંક કવિએ આદિનાથ પ્રભુને ઉપાલંભ આપતાં કહ્યું છે : પ્રભુ! આપે આપની માતા, પુત્રો, પૌત્રો વગેરે બધાને મોક્ષ આપ્યો. મને કેમ નહિ ? આ પક્ષપાત નથી ?
ભક્ત ભલે ઉપાલંભની ભાષામાં કહે, પણ કોઇ ભગવાને ક્યાંય ક્યારેય પક્ષપાત કર્યો જ નથી. મરીચિ પૌત્ર હતો, છતાં ક્યાં તાર્યો ? ખરૂં કહું તો આપણને તરવાની ઈચ્છા છે, એના કરતાં કઇ ગણી વધુ ભગવાનને તારવાની ઈચ્છા છે.
ઘડો
*ઘડાભાઈ ! મોઢાની અપેક્ષાએ તમારું પેટ ખૂબ જ મોટું છે. તો ઓપરેશન કેમ કરાવતા નથી ?’
પેટ મોટું છે માટે તો તેમાં કંઇક સમાય છે. જો તેનું ઓપરેશન થયું તો તમે તરસ્યા રહેશો. બધે જ ઓપરેશન કરવાના નથી હોતા, પાગલો !'
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૪૫