Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧, ૨-૭-૨૦૦૦, રવિવાર
* જે સાધના દ્વારા ભગવાને પૂર્ણ આનંદ પ્રાપ્ત કર્યો તે જ સાધના આપણને બતાવી છે. જે વેપાર દ્વારા પિતાજીએ અઢળક ધન કમાયું હોય તે વેપારની કળા પોતાના સંતાનોને ન બતાવે ? આપણે સૌ ભગવાનના સંતાન છીએ.
ભગવાન તો કહી ગયા છે ? તમને મળેલી સાધના તમે પણ તમારા માટે અનામત નહિ રાખતા, બીજાને આપતા રહેજો. આપતા રહેશો તો પરંપરા ચાલશે.
* કહેવાય છે કે પુષ્પરાવર્તના મેઘથી ૨૧ વર્ષ સુધી ભૂમિ પાક આપ્યા કરે. ભગવાન મહાવીરદેવની વાણીના પ્રભાવથી ૨૧ હજાર વર્ષ સુધી શાસન ચાલ્યા કરવાનું.
* વાદળને જોઈને મોરને સૌથી વધુ આનંદ થાય. સમ્યગ્દષ્ટિને પ્રભુની વાણીની વૃષ્ટિથી આનંદ થાય. આપણું હૃદય જિન-વચનથી આનંદથી નાચી ઊઠે છે ? જેમ જેમ આનંદ વધતો જાય તેમ તેમ આપણી ભૂમિકા ઉચ્ચ ને ઉચ્ચ બનતી જાય, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ આગળ-આગળની ભૂમિકાઓ આવતી જાય.
આમ તો આ આનંદ અપાર્થિવ છે, ભૌતિકતાથી પર છે, છતાં સૌ મનુષ્યો સમજી શકે માટે ભગવાને સાધુના પ્રારંભના એક
૪૬
કહ્યું, કલાપૂર્ણસૂરિએ