Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રભુનો અનુગ્રહ ઊતર્યો ને ગણધરોને આરોગ્ય, બોધિલાભ, સમાધિ આ બધાની પ્રાપ્તિ થઈ.
* સિંહ પોતાના સિંહત્વને જ ન ઓળખે ત્યાં સુધી બકરાને શી રીતે ભગાડી શકે ? સિંહ સ્વયં બકરીની જેમ બેં...મેં...કર્યા કરતો હોય તો બકરીઓ શી રીતે ભાગે ?
આત્મા પોતાનું પરમ આત્મત્વ નહિ ઓળખે ત્યાં સુધી કર્મો નહિ ભાગે.
* હમણા ભગવતીમાં આવ્યું : ઋષભદત્ત અને દેવાનંદાને ભગવાને દીક્ષા આપી. દેવાનંદાને ચંદનબાળાએ દીક્ષા આપી.
દેવાનંદાને શું બે વાર દીક્ષા આપી ? એ પ્રશ્ન થાય. ટીકાકારે ખુલાસો કરતાં લખ્યું : દીક્ષા ભગવાને જ આપી, પણ દેવાનંદાને સોંપ્યા સાધ્વી પ્રમુખ ચંદનાને. કારણ કે કપડા કેવી રીતે પહેરવા ? કે ઓઘો કેવી રીતે બાંધવો ? - એ બધું તો સાધ્વીજીએ જ શીખવાડવું પડે ને ? માટે ચંદનબાળાએ પણ દીક્ષા આપી, એમ લખ્યું. | * દેવગિરિમાં જિનાલય બંધાવવા પેથડશાહે કિમિયો કરેલો. ઓંકારપુરમાં મંત્રી હેમડના નામે ત્રણ વર્ષ સુધી ભોજનશાળા ચલાવી. હેમડને ખબર પડતાં સ્તબ્ધ થઈ ગયો : મારા નામને રોશન કરનાર આ પેથડશા કોણ ? કેટલા સજ્જન ?
પેથડશાને મળીને તેમડ ગદ્ગદ્ બન્યો ને પછી દેવગિરિમાં હેમડની મદદથી પેથડશાએ જિનાલય બંધાવ્યું.
મારે આ પરથી એ કહેવું છે કે – ભોજનશાળા પર નામ છે હેમડનું, પણ આપનાર હતા પેથડશા. અહીં પણ....
આ જૈન પ્રવચનરૂપી ભોજનશાળા છે. ભોજનશાળા પર ભલે મારું નામ લટકતું હોય, પણ આપનાર ભગવાન છે.
જુઓ, ગણિમહારાજ [મુક્તિચન્દ્રવિજયજી] અહીં સૌ સાધુસાધ્વીઓને [૧૯ સાધુઓ અને ૯૫ સાધ્વીજીઓને] mગ કરાવે છે. તેઓ શું પોતાના તરફથી કરાવે છે? નહિ, મહાપુરુષો તરફથી કરાવે છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩૧