Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સંભાળ લે છે. આ માતૃત્વ કેટલું અદ્ભુત છે ?
જે નાના શિશુને એક-બે દિવસ સુધી માતાની હૂંફ નથી મળી તે જીવી શકે ? નાનપણમાં બાળકને માતા તરફ જેવો ભાવ હોય છે, તેવો જ ભાવ ભગવાન પર થાય તો સમજી લેજો : ભક્તિની દુનિયામાં પ્રવેશ થઈ ગયો છે.
આ અનુભવની તમને વાત કહું છું. મને તો ઘણીવાર અનુભવ થાય છે : હું ચાલતો નથી, મને ભગવાન ચલાવી રહ્યા છે. આજનો જ અનુભવ કહું. હું સિદ્ધાચલ પર પડી ગયો. તમને બધાને સમાચાર મળ્યા હશે. ઘણા પૂછવા પણ આવ્યા. પણ બધાને કેટલા જવાબ આપવા ? એટલે આજે વાચનામાં જ બધાને કહી દઉં છું : ““મને કશું થયું નથી. બચાવનાર ભગવાન મારી પાસે છે.”
હું જો ભગવાનની આવી શક્તિ ન સ્વીકારું તો ગુનેગાર ગણાઉં.
મુક્તિ હું નથી મેળવતો, ભગવાન આપી રહ્યા છે. ભક્તને આવો સતત અનુભવ થયા કરે છે.
* ઘણા કહે છે : ઉપાદાન કારણ રૂપ આત્મા જ સાધના કરે છે. ભગવાન શું કરે તેમાં ? ભગવાન માત્ર નિમિત્ત છે. અંદર ભૂખ જોઈએ. ભૂખ ઉપાદાન છે. ભોજન નિમિત્ત છે. ભોજન બિચારું શું કરે ?
- તમારા પેટમાં પચાવવાની જેમ શક્તિ છે તેમ ભોજનમાં પણ પચવાની શક્તિ છે, તેમ તમે માનો છો ? જો એમ ન હોય તો ફોંતરા કે પત્થર ખાઈને પેટ ભરી લો.
આપણામાં તરવાની શક્તિ છે, તેમ અરિહંતમાં તારવાની શક્તિ છે, તેમ માનો છો ? અરિહંત વિના તમે બીજા કોઈના આલંબને તરી શકો ? પત્થર ખાઈને પેટ ભરી શકાય તો પ્રભુ વિના તરી શકાય. પત્થર ખાઈને તો હજુ પણ પેટ કદાચ ભરી શકાય, પણ પ્રભુ વિના તરી ન જ શકાય. આજ સુધી કોઈ તરી શક્યું નથી. * આપણી છ કારક શક્તિઓ સદા કાળથી અનાવૃત છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૧૧