Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* સં. ૨૦૧૫માં મુનિ પદ્મવિજયજીને કેન્સરની ભયંકર બિમારી. તે વખતે પણ તેમની ફરીયાદ : મારાથી કોઈ આરાધના થઈ શકતી નથી.
પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજે આઉર પચ્ચક્ખાણમાંથી એક ગાથા કાઢીને બતાવી : “૩ાયા મેં હંસા માયા ના?’ મારો આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ છે.
હવે આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરો. શરીર સંબંધી વિચાર છોડી આત્માને લક્ષ બનાવો. ““હું કાંઈ આરાધના કરી શકતો નથી.” એ નિરાશાજનક વાત ભૂલી ઉત્સાહ પ્રગટાવો...”
આપણને ૨૪ કલાકમાંથી આત્મા કેટલીવાર યાદ આવે ? પાંચ મિનિટ પણ આત્મા યાદ આવે ?
“હું કર્તા પર ભાવનો એમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.”
પરભાવનું કર્તુત્વ દૂર કરવાનું છે. શુદ્ધ આત્મ દ્રવ્યનું ચિંતન કરી તેમાં પ્રતિષ્ઠિત થવાનું છે.
“शुद्धात्मद्रव्यमेवाहं शुद्ध ज्ञानं गुणो मम ।'
જો કે આ નિશ્ચયનયની વાતો છે. વ્યવહારનો ક્રિયાકાંડ એ નિશ્ચયનયને જ પોષનારો છે. પણ મુશ્કેલી એ છે કે આપણે નિશ્ચયને સાવ જ ભૂલી ગયા છીએ. એટલે જ સંથારા પોરસીમાં રોજ શુદ્ધ આત્મદ્રવ્યને યાદ કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે :
“gો ને સાસરે ગપ્પા, નાગવંસ સંકુશો ?'
શરીર ક્યારે ઢળી પડે ? ક્યારે જમરાજ ત્રાટકી પડે ? શો ભરોસો છે ?
હમણાં જ (જે. સુદ-૧૩) એક ભાઈ [ભારમલભાઈ] અમને મળીને માંગલિક સાંભળીને ઉપર યાત્રા કરવા ગયા. ૧00-200 પગથીએ ચડ્યા હશે ને ઢળી પડ્યા. પ્રાણપંખેરું ઊડી ગયું.
કોઈ જ તૈયારી નહિ હોય તો આવા સમયે સમાધિ શી રીતે મળશે ?
૩૬૮
કહ્યું, કલાપૂર્ણસૂરિએ