Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
S|
|
પાલીતાણા
જેઠ વદ-૨ ૧૯-૬-૨૦૦૦, સોમવાર
* ભગવાનની કૃપાથી જ મુક્તિનો માર્ગ મળી શકે અને ફળી શકે. સતત બોલાતો “દેવ-ગુરુ-પસાય” આ જ તત્ત્વને ઉજ્જાગર કરે છે.
સારું કાર્ય કર્યું ભલે આપણે, પણ કરાવ્યું ભગવાને. સારા કાર્યનું કર્તૃત્વ સ્વ પર ન નાખતાં ભગવાન પર રાખવાથી કર્તુત્વનું અભિમાન નથી આવતું. કોઈ પણ ગુણ કે કળાની પ્રાપ્તિમાં પણ એમ જ માનવું. સર્વ ગુણોના માલિક ભગવાન છે. એમની જાયેઅજાણ્ય થયેલી ભક્તિથી જ કંઈક અંશે આપણામાં ગુણ આવ્યા છે. એ ગુણ મળી ગયા પછી ભગવાનને કઈ રીતે ભૂલી શકાય ?
ગુણો પછી આવે છે, તે પહેલા ગુણાનુરાગ આવે છે, જે ભગવાનની કૃપાથી જ આવી શકે છે. ગુણોનું બહુમાન અંતતોગત્વા સર્વાધિક ગુણી ભગવાનનું જ બહુમાન છે.
બધા જ અનુષ્ઠાનો/ક્રિયાકાંડો તીર્થંકર પ્રત્યે બહુમાન પેદા કરાવવા માટે જ છે. જો એ પેદા ન થતું હોય તો સમજી લો : અનુષ્ઠાનો સફળ નહિ બને.
ગુરુનું આ જ કામ છે : તમને પ્રભુના રાગી બનાવવા. ગુરુ જ ભગવાન સાથે જોડે છે માટે જ “જુ-વહુમા મોવરવો ' એમ કહ્યું.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૦૩