Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તો કૂતરા બનવું પડશે. કૂતરા ઇર્ષ્યાનું પ્રતીક છે.
જે અહીં હૃદયથી કૂતરો બને છે તે આગામી જન્મમાં કૂતરો બને છે. કર્મસત્તાની સીધી વાત છે ઃ જે ગમતું હોય તે આપું. તમને ઈર્ષ્યા-ઝગડા ગમે છે, તો એવા જન્મ આપું જ્યાં ઈર્ષ્યા-ઝઘડા સ્વાભાવિક જ હોય.
મળે.
આપણને હંમેશા ગમતું જ મળ્યું છે.
વિષય-કષાયો ગમશે તો વિષય-કષાય મળશે.
વિષય-કષાયોથી રહિત અવસ્થા ગમશે તો તે મળશે. ગમે તે
મોક્ષ નથી મળ્યો કારણ કે એ કદી ગમ્યો નથી.
સંસાર મળતો રહ્યો છે. કારણ કે એ જ ગમતો રહ્યો છે. આવો જન્મ પામીને કૂતરા બનીશું ? ફરીથી આવો અવસર ક્યારે આવશે ?
હમણાં ભગવતી સૂત્રમાં ગાંગેય પ્રકરણ ચાલે છે, જેમાં ભાંગાઓની જાળ છે. એમાંથી જીવો કઈ-કઈ રીતે કેટ-કેટલા ભાંગે નરક વગેરે ગતિમાં જાય તે બતાવ્યું છે. જો આપણે અહીં ઈર્ષ્યાઝગડા કરતા રહીએ તો આ જન્મ ખોઈ બેસીશું, સંસારમાં દીર્ઘકાળ સુધી રખડ્યા કરીશું.
* તમને કયા ગુણની ખામી લાગે છે ? જે ગુણની ખામી તમને લાગે છે, એ ગુણ બીજે તમને ક્યાં દેખાય છે ? જે જગ્યાએ દેખાતો હોય તે જોઈને રાજી થાવ, હૃદયથી નાચી ઊઠો. એ ગુણ તમારામાં આવશે જ.
જે ગુણને જોઈને તમે રાજી થાવ છો, એ ગુણને આવવા માટે તમે તમારા હૃદયના દ્વાર ખુલ્લા મૂકો છો. બીજા શબ્દોમાં કહું તો ગુણોને જોઈને રાજી થવું એટલે તેમને આમંત્રણ-પત્રિકા લખવી. આને જ શાસ્ત્રકારોએ અનુમોદના કહી છે.
અનુમોદના વધતી જશે તેમ તેમ તે ગુણ મજબૂત બનતો જશે. એવો મજબૂત બનશે કે ભવાંતરમાં પણ નહિ જાય.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૯૩