Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાસે આવનારો જીવ ઉપશાંત ન બને ?
ન બને તો સમજવું : મારી અહિંસામાં ખામી છે. બીજાની ખામી શા માટે જોવી ? મારી જ ખામી જોઈને સમાધિ શા માટે ન રાખવી ? આ મારો દષ્ટિકોણ છે.
એવો દ્રષ્ટિકોણ પકડવો જેથી આપણી શાંતિ ખોરવાઈ ન જાય.
* પોતાના માટે ક્ષાન્તિ, મૃદુતા, ઋજુતા અને મુક્તિ આ ચારનું આ સેવન કરવું. બીજા જીવો સાથે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું આસેવન કરવું. ક્ષાન્તિ આદિ સ્વસંબંધી છે. મૈત્રી આદિ પર-સંબંધી છે.
* પૂ.પં.ભદ્રંકરવિજયજી મ. ઘણીવાર કહેતા : લો, આ સુવાક્ય ડાયરીમાં લખી લો.
તે વખતે સામાન્ય લાગતા ઘણા સુવાક્યો / શ્લોકો આજે અણમોલ ખજાનો લાગે છે.
એમણે એક શ્લોક આપેલો : ‘‘શોમા નરાળાં, પ્રિય સત્યવાળી...’
આ શ્લોક પર વાંકીમાં નવ દિવસ વ્યાખ્યાન ચાલેલા. ચાર માતાઓ, નવપદો વગેરે ઘણા-ઘણા પદાર્થો તેમાંથી નીકળેલા.
* નાનપણમાં આપણે જે નવકાર, પંચિંદિય, ઈચ્છકાર, લોગસ્સ વગેરે શીખ્યા તે વ્યર્થ નહિ સમજતા. ઘણા ઘણા રહસ્યપૂર્ણ છે આ સૂત્રો.
નવકારમાં આવેલા પંચ પરમેષ્ઠીઓનો જ આ સૂત્રમાં વિસ્તાર છે. લોગસ્સ ‘નમો અરિહંતાણં’ અને ‘નમો સિદ્ધાણં’નો જ વિસ્તાર છે. ‘પંચિંદિય’‘‘નમો આયરિયાણં''નો વિસ્તાર છે.
‘ઈચ્છકાર સુહરાઈ' ‘નમો ઉવજ્ઝાયાણં' અને ‘નમો લોએ સવ્વસાહૂણં’નો વિસ્તાર છે.
* મોહનું કામ છે ઃ જગતના જીવોને અપવિત્ર બનાવવાનું ! ભગવાનનું કામ છે : જગતના જીવોને પવિત્ર બનાવવાનું ! નામાદિ ચારેયથી સર્વ જગતને ભગવાન સતત પવિત્ર બનાવી કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૮૫