Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રતિબિંબિત ખરા કે નહિ ? ચૈત્યવંદન કરતી વખતે આ ભાવ આવે તો ઉલ્લાસ કેટલો વધી જાય ?
ભગવાનમાં તો આપણે પ્રતિષ્ઠિત છીએ જ. પણ ભગવાન આપણામાં કેટલા અંશે પ્રતિષ્ઠિત છે ? આપણું ચિત્ત જેટલું નિર્મળ તેટલા અંશે ભગવાન આપણા ચિત્તમાં પ્રતિબિંબિત બનશે. ભગવાનને લાવવા હોય તો ચિત્તને નિર્મળ કરતા રહો.
આ વાત મેં તમારી પાસે મૂકી છે. ખોટી હોય તો બતાવજો. તમે ગીતાર્થ છો. મેં આ વાત [વિ.સં. ૨૦૨૮] પૂ. પં.ભદ્રકરવિજયજી પાસે મોકલેલી. પં. ભદ્રંકર વિ. મહારાજે ચન્દ્રશેખરવિજયજી પર મોકલી. તેમણે પં. ભદ્રંકર વિ.મ.ના નામ સાથે પુસ્તકમાં મૂકી.
* “પંચસૂત્ર એટલે સાધનાનો સાર ! ૧૪૪૪ ગ્રંથો એક પંચસૂત્રને સામે રાખીને લખ્યા હોય એમ લાગે છે.” આવું પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. ઘણીવાર કહેતા.
પંચસૂત્રના ત્રણ પદાર્થો [શરણાગતિ, દુષ્કતગ, સુકૃતઅનુમોદના ભાવિત કર્યા વિના કોઈ પણ સાધના સફળ ન જ થાય; ભલે કોઈ નવ પૂર્વનો અભ્યાસ કરી લે.
આ ત્રણ પદાર્થો જ જેિ ભક્તિ વિના ન મળી શકે] દુર્લભ છે. બીજું બધું સુલભ છે.
મળે સોહિલા રાજ્ય દેવાદિ ભોગો, પર દોહિલો એક તુજ ભક્તિયોગો.'
ભક્તિ ભૂલાઈ ગઈ તો બેય ભૂલાઈ ગયો સમજજો. ધ્યેય ભૂલાઈ જતાં આપણે કોઈ આડા-અવળા માર્ગે ચડી જઈશું.
કોઈ પણ શાસ્ત્ર વાંચતાં કે ક્રિયા કરતાં આ ધ્યેયને કદી નહિ ચૂકતા.
* પંચસૂત્રમાં શું લખ્યું છે ? होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा ભગવાન અને ગુરુ સાથે મારો સંયોગ હો !
૩૮૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ