Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ સુદ-૧૦
૧૧-૬-૨૦૦૦, રવિવાર
[ચાલુમાંસ પ્રવેશના મંગલદિને વ્યાખ્યાન આદિ કાર્યક્રમ]
* આજે ગિરિરાજની છાયામાં આવવાનું થયું છે. ગિરિરાજની છાયામાં આવવા સતત મન થાય એવું અહીંનું વાતાવરણ છે.
શ્રી આદિનાથજી પૂર્વ નવ્વાણું [માત્ર ૯૯ વાર નહિ] વાર અહીં આવ્યા છે. એ જ બતાવે છે કે તીર્થંકરથી આ ભૂમિનો મહિમા વધારે છે.
* તમે તમારા નામથી અલગ નથી, તો ભગવાન પોતાના નામથી અલગ શી રીતે હોય ? નામ-નામીનો કચિત્ અભેદ છે. ‘નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.’
નામ લો, ‘મહાવીરદેવ' ને મહાવીરદેવ તરત જ હાજર...! * અનંત સિદ્ધો જ્યાં મોક્ષે ગયા, એવી આ પવિત્ર ભૂમિ પર પહેલા ચાતુર્માસ કરેલું. સં. ૨૦૩થી ૨૦૫૬ ! બરાબર ૨૦ વર્ષ
થયા.
ભગવાનની કૃપાદૃષ્ટિ થઈ અને અહીં રહેવાનો અવકાશ મળ્યો. દાદાશ્રી સીમંધર સ્વામીએ સ્વયં આની પ્રશંસા કરી છે. માટે આ તીર્થની યાત્રા કર્યા વિના કોઈ જતા નહિ. અનંતા સિદ્ધ થયા છે માટે આ ગિરિરાજ પવિત્ર છે, એમ નહિ, પણ આ ગિરિરાજ
૩૩૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ