Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ સુદ-૧૩ ૧૪-૬-૨૦૦૦, બુધવાર
* અનેક દુઃખો સંસારમાં આપણે ભોગવ્યા. કારણ કે જિનવચન ન મળ્યું.
અત્યારે જિન-વચન તો મળ્યું છે, પણ ફળ્યું છે ખરું ? એ ત્યારે જ ફળે જ્યારે જિન-વચન નિજ-જીવન બની જાય, જિનવચન પ્રમાણે જીવન બની જાય.
જો કે, આ વિષમ કાળમાં આવું જીવન જીવનારા ઘણા જ ઓછા છે. યોગસારકારની ભાષામાં કહીએ તો “દ્વિત્રાઃ” બે-ત્રણ જ.
જેમનો સંસાર લાંબો છે, વિષયાસક્તિ ગાઢ છે, કષાયો પ્રબળ છે, તેવા જીવોને તો આ જિન-વચન ન જ ગમે તે સ્વાભાવિક જ
કષાયાદિ મંદ પડેલા હોય તો જ જિન-વચન ગમે. કષાયો મંદ પડયા છે, એમ શી રીતે જણાય ?
સામી વ્યક્તિના ઉગ્ર કષાયોના હુમલા વખતે પણ આપણે કષાયોને ઊભા ન થવા દઈએ તો જાણવું : મારા કષાયો નબળા થઈ ગયા છે.
સંયમની યાત્રા અને ગિરિરાજની યાત્રા પણ તો જ સફળ બને જે કષાયો માંદા પડે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪૯