Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચીજ નથી, પુદ્ગલથી જ શરીર, વચન, મન, મકાન, ઘન વગેરે બનેલા છે. એ વાપરી રહ્યા છીએ એનો ભાર કેટલો વધે છે તે વિચાર્યું?
| નાના પણ ઘાની ઉપેક્ષા ન કરાય. સંભવ છે : નાની ફોડકી પણ કેન્સરની ગાંઠ હોઈ શકે. નાનકડો કાંટો પણ જીવલેણ હોઈ શકે. નાનો ઘા પણ ધનુર્ધામાં બદલી શકે.
નાના પણ અગ્નિના કણિયાનો વિશ્વાસ ન કરાય. સંભવ છે : એ આખા મકાનને...અરે, આખા ગામને પણ સળગાવી નાખે.
તેમ નાના પણ કષાયનો ભરોસો ન કરી શકાય. નાનો પણ કષાય અનંત સંસાર ઊભો કરી દે.
* આ કષાયોને જીતવા હોય તો સ્વબળે નહિ જીતી શકાય, ભગવાનનો સહારો લેવો પડશે.
ભગવાન હૃદયમાં આવતાં જ ચિત્તમાં સ્વસ્થતા આવે છે. ચિત્ત અભય બને છે, સ્થિર બને છે.
અભયની પ્રાપ્તિ માત્ર ભગવાનથી જ થાય છે, એમ હરિભદ્રસૂરિજીએ લલિત વિસ્તરામાં સ્પષ્ટ લખ્યું છે.
ચિત્ત સ્થિર કરવાની તમે લાખો પ્રક્રિયા કરો, પણ ભગવાનને પાસે નહિ રાખો તો એ કદી સ્થિર થવાનું નથી, ભગવાન મળતાં જ ચિત્ત સ્થિર થઈ જાય છે. પુંડરીક કમળ મળતાં જ ભમરો સ્થિર થઈ જાય તેમ પ્રભુ – ચરણકમળ મળતાં જ મન સ્થિર થઈ જાય
* વિનયથી વિદ્યા વિદ્યાથી વિવેક વિવેકથી વૈરાગ્ય વૈરાગ્યથી વિરતિ વિરતિથી વીતરાગતા
વીતરાગતાથી વિમુક્તિ. આ ક્રમ છે. પણ શરૂઆત તો વિનયથી જ થશે. આ વાત
૩૬૪ છેકહ્યું, કલાપૂર્ણસૂરિએ