Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-૧ ૧૭-૬-૨૦૦૦, શનિવાર
* બોકડા કાપનાર “કસાઈ' કહેવાય છે.
કષાયો કરનાર પણ “કષાયી' કહેવાય છે. બન્નેમાં માત્ર નામ સામ્ય જ નહિ, બીજું પણ સામ્ય છે.
કસાઈની જેમ કષાયો કરનાર પણ સ્વ-પરના ભાવ-પ્રાણોની હત્યા કરે છે. એ અપેક્ષાએ કસાઈ કરતાં પણ “કષાયી' ખતરનાક છે.
દ્રવ્યપ્રાણનું મૂલ્ય વધારે કે ભાવપ્રાણનું ?
દ્રવ્યપ્રાણની હત્યા કરનારને કસાઈ કહીએ છીએ. ભાવપ્રાણની હત્યા કરનારને શું કહીશું ?
* ઋષભદેવે વ્યવહાર જગતની [શિલ્પ, રાજ્ય આદિની] વ્યવસ્થા એટલે કરી કે એ દ્વારા સભ્ય બનેલો માનવ ધર્મ માટે યોગ્ય બની શકે.
આ યુગના આવા આદ્ય પ્રવર્તક ભગવાનને પણ કર્મ ન છોડે તો આપણને છોડશે ?
કષાયો કરી - કરીને આપણે કર્મો બાંધી રહ્યા છીએ. પણ આપણને ખબર નથી કે આનો વિપાક કેવો આવશે ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૩૬૧