Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
વૈશાખ વદ-૧૧ ૨૯-૫-૨૦૦૦, સોમવાર
* ધર્મ શ્રવણ, ધર્મશ્રદ્ધા, ધર્માચરણ આ બધું માનવભવમાં જ મળી શકે. માટે જ આર્યભૂમિના માનવભવની આટલી પ્રશંસા કરવામાં આવી છે. માનવભવ ધર્મશ્રવણાદિ દ્વારા જ સફળ થઈ શકે. એના સ્થાને બીજું કાંઈ કર્યું તો તે માનવ ભવનો દુરુપયોગ કહેવાય.સોનાની થાળીમાં દારૂ પીવો તે સોનાની થાળીનું અપમાન છે.
ઈન્દ્ર પણ ચાહે છે આવા માનવ–ભવને. એ ભવ આપણને પ્રાપ્ત થયા છે, એ આપણા પુણ્યની પરાકાષ્ઠા છે, એની દુર્લભતા ન સમજાય તે પાપની પરાકાષ્ઠા છે.
* આજે ભગવતીમાં એવો પાઠ મળ્યો, જેથી આનંદ-આનંદ છવાઈ ગયો.
‘ગસુવ્વા’। છેલ્લા ભવમાં ધર્મ સાંભળવા ન મળે તો પણ કેવળજ્ઞાનાદિ પામી શકે. ટીકાકારે લખ્યું ઃ સાંભળ્યા વિના પણ જિન-વચન પર તેને આદર હોય.
:
જો કે પૂર્વભવમાં તો સાંભળેલું હોય, માત્ર આ ભવની વાત છે. આ ભવની અપેક્ષાએ ‘સુવ્વા’ [સાંભળ્યા વિના ધર્મ-પ્રાપ્તિ] કહ્યું.
૩૧૮ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ