Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ખમાસમણા નમસ્કારનું પ્રતીક છે. વિનયપૂર્વક ગ્રહણ કરાયેલી વિદ્યા જ ફળદાયી બની શકે. એ જ યોગોહન દ્વારા શીખવાનું છે.
યોગોદ્વહનની સંપૂર્ણ પ્રક્રિયા આપણા ભાવરોગની દવા છે. ઈન્દ્રિય, કષાય વગેરે પર નિયંત્રણ કરવાની તાલીમ યોગોદ્વહન દ્વારા મળે છે.
* જે પાપની નિંદા-ગર્તા-પ્રતિક્રમણ ન થાય, એ પાપ એટલું બદ્ધમૂલ બની જાય કે આ ભવમાં તો નહિ, ભવાંતરમાં પણ ન જાય. માટે જ જ્ઞાનીઓએ આપણને પાપોથી બચાવવા આલોચના - પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું છે.
જે પાપની આલોચના કરવાનું મન ન થાય તે પાપ નિકાચિત થયેલું સમજવું. નિકાચિત એટલે એવું પાપ કે જે ફળ આપ્યા વિના જાય જ નહિ.
ગુણ જેમ ગુણના અનુબંધવાળા બને તેમ દોષ, દોષના અનુબંધવાળા બને.
મૃત્યુ પહેલા અંદર પડેલા શલ્યો કાઢવા જ પડશે. એ વિના સમાધિ-મૃત્યુ મળે, એવી આશામાં રહેતા નહિ.
આલોચના નહિ થવા દેનાર, ગુરુ પાસે પાપ પ્રગટ નહિ થવા દેનાર અહંકાર છે.
પાપીથી પાપી છું, નીચથી પણ નીચ છું.” એવું સંવેદન દેવ-ગુરુ પાસે કરી શકીએ એવી મનઃસ્થિતિ ન બને ત્યાં સુધી સમજવું ઃ હજુ અંદર અહંકાર બેઠો છે. અહંકાર હોય ત્યાં ધર્મ શી રીતે આવે ?
અહંકારના આઠ અડા છે. એને આપણે મદના આઠ સ્થાનરૂપે ઓળખીએ છીએ.
પૂ. કનકસૂરિજી બહુ જ મધુર અવાજે સક્ઝાય બોલતા : “મદ આઠ મહામુનિ વારીએ...”
સાંભળતાં એટલો આનંદ આવે... આજે પણ એ મધુર ક્ષણોનું સ્મરણ થાય છે ને હૃદય ગદ્ગદ્ બની ઊઠે છે.
કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૩૧૧