Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નાખ્યો એટલે તરત જ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો કહી દેશે : અમે આ ચાલ્યા. અમારો સરદાર મરી ચૂક્યો છે. હવે અમારું મૃત્યુ નિશ્ચિત છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ હટતાં જ ૧૩મા ગુણઠાણે કૈવલ્ય પ્રકાશ ઘટમાં રેલાય છે.
બારમા ગુણઠાણે વીતરાગતા આવી. વીતરાગતા આવતાં જ તેરમા ગુણઠાણે સર્વજ્ઞતા મળે જ.
સાધના વીતરાગતા માટે કરવાની છે, સર્વજ્ઞતા માટે નહિ. સર્વજ્ઞતા તો વીતરાગતા માટેનું ઈનામ છે ! જે આત્મા વીતરાગ બને એના કંઠે સર્વજ્ઞતા, ફૂલની માળા થઈને પડે. | * અભિમાન જાય નહિ ત્યાં સુધી કામ થાય નહિ. મોહની આખી ઈમારત અહંકાર પર ઊભી છે. માટે જ પહેલા નવકાર આપવામાં આવે છે.
નમસ્કાર સૌ પ્રથમ અહંકાર-વૃક્ષના મૂળ પર જ કુઠારાઘાત કરે છે.
અહંકાર નષ્ટ થતો જાય તેમ તેમ વિનય આવતો જાય. વિનય આવતો જાય તેમ તેમ બીજા ગુણો આવતા જાય. કારણ કે વિનય ગુણોનો પ્રવેશ-દ્વાર છે.
અહંકારથી અશુદ્ધિ વધે. વિનયથી શુદ્ધિ વધે.
ગુણી પુરુષો પ્રત્યે વિનય-પ્રમોદ વધે તેમ તેમ તે ગુણો આપણામાં આવતા જાય, ક્લિષ્ટ કર્મો બળીને ભસ્મ થઈ જાય.
માટે જ નમસ્કાર ભાવ ૧૪ પૂર્વોનો સાર ગણાયો છે. એક નમસ્કારભાવ આવી જાય તો બીજા બધા જ ગુણો સ્વયમેવ આવવા માંડે છે.
સેવા, પૂજા, ગુણાનુરાગ, વિનય, વંદન વગેરે નમસ્કારના જ પર્યાયવાચી શબ્દો છે.
યોગોદ્વહન શું છે? નમસ્કાર ભાવની તાલીમ છે. દરેક ઉદ્દેશા પૂર્વે તમારે ખમાસમણા આપવાના જ, તમારે ઝૂકવાનું જ.
૩૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ