Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માર્ગ જ ન હોત તો સિદ્ધો કોણ બનશે ? માટે જ અરિહંતો વચ્ચે બિરાજમાન છે.
* ધોબીનું કામ એક જ છે : કપડા સાફ કરવાનું. તીર્થંકરોનું કામ એક જ છે : જગતને સાફ કરવાનું. અપવિત્ર જીવોને પવિત્ર બનાવવાનું !
નામ, આકાર, દ્રવ્ય અને ભાવથી ભગવાન સર્વત્ર સર્વદા પવિત્રતાનો સંચાર જગતમાં કરતા રહે છે.
શ્રી હેમચન્દ્રસૂરિજીએ કહ્યું છે : “नामाऽऽकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् ।" * લોગસ્સ [બીજું નામ : નામસ્તવ) થી નામ અરિહંત. અરિહંત ચેઈઆણં” થી સ્થાપના અરિહંત જે અ અઈઆ સિદ્ધા” થી દ્રવ્ય અરિહંત સવનૂર્ણ સવદરિસિણ” થી ભાવ અરિહંતની સ્તુતિ થયેલી છે.
મનગમતી ચીજ સાંભળતાં જ હૃદય નાચવા લાગે છે ને? તેમ પ્રભુનું નામ સાંભળતાં જ હૃદય નાચે છે ? ન નાચતું હોય તો સમજવું ઃ હજુ પ્રભુ ગમ્યા નથી.
પ્રભુ ગમે તેને પ્રભુના નામ-મૂર્તિ વગેરે પણ ગમે જ.
“મારો સાધુ સંસાર છોડી સંયમજીવન જીવે ને પછી કાંઈ ન મેળવે એમ કેમ ચાલે ?' એવી ભગવાનની કરુણા છે.
આથી જ એમણે શાસ્ત્રની રચના કરી છે.
અહીંથી માંડીને મોક્ષ સુધી જેટલા પણ ગુણો જોઈતા હોય તે બધા જ આ શાસનમાંથી મળી શકશે, એવી શાસ્ત્રકારો ગેરંટી આપે
છે.
ભગવાન જગતના નાથ છે તો આપણા નાથ કેમ ન હોય ? નાથ એમને જ કહેવાય, જે અપ્રાપ્ય ભૂમિકા મેળવી આપે ને પ્રાપ્ત ભૂમિકાને વધુ સ્થિર બનાવી આપે.
આ ભગવાન સાથે માતા-પિતા, બંધુ વગેરે કરતાં પણ ગાઢ
કહું કલાપૂરિએ જ ૨૮૩