Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અહીં સિાધુપણામાં] આવ્યા પછી આ છકાયના જીવોને સંપૂર્ણ અભયદાન આપવાનું છે જીવોના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે.
તમે [પં. વજસેન વિ., ચન્દ્રસેન વિ. વગેરે) અને અમે, આપણે બધા એક જ છીએ. પૂ. દાદાશ્રી મણિવિજયજી મ.માં બધા ભેગા થઈ જઈએ છીએ. તેમ જગતના સર્વ જીવોરૂપે આપણે એક છીએ.
જગતના જીવો પોતાનો પરિવાર લાગે. ત્યારે જ ઋણના ભારથી દૂર થઈ શકાય.
* જીવના એક-બે-ત્રણ એમ અનેક ભેદો છે. એક - ચેતનાની અપેક્ષાએ. બે - સિદ્ધ - સંસારીની અપેક્ષાએ. ત્રણ – ત્રણ વેદની અપેક્ષાએ. ચાર - ચાર ગતિની અપેક્ષાએ. પાંચ - પાંચ ઈન્દ્રિયોની અપેક્ષાએ છે.
આ બધા ભેદો – પ્રભેદો યાવત્ ૫૬૩ ભેદો પણ આપણામાંથી સૌને યાદ હશે, પણ ભેદો જાણીને બેસી નથી જવાનું, પણ સૌ જીવો સાથે અભેદ ભાવ કેળવવાનો છે ભેદો અભેદ શીખવા માટે
* પ્રશ્ન ઃ સભામાં શ્રીમંતને આગળ બેસાડાય, તેમ નવકારમાં અરિહંત શ્રીમંત છે, એમને પહેલા બેસાડ્યા, સિદ્ધ આઠેય કર્મોથી મુક્ત હોવા છતાં બીજા ક્રમે બેસાડ્યા. આ પક્ષપાત નથી ?
ઉત્તર : પક્ષપાત નથી, પણ અરિહંતોમાં પરોપકારની મુખ્યતા છે, માટે. સિદ્ધો આનાથી નારાજ નહિ થાય. [જો કે તેમને નારાજગીનો સવાલ નથી. પણ આ તો આપણી ભાષાની વાત છે.] પ્રત્યુત રાજી જ થશે. કારણ કે સંસારમાંથી કાઢીને જીવોને સિદ્ધિગતિએ મોકલવાનું કામ અરિહંતો સતત કરતા જ રહ્યા છે. અરિહંતો જ ન હોત તો મોક્ષ-માર્ગ કોણ બતાવત ? મોક્ષ
૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ