Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પુગલ છે.] ન મળે ત્યાં સુધી મોક્ષ મળે ?
જીવનો પણ પરસ્પર ઉપકાર છે જ. માત્ર એ તરફ આપણી દષ્ટિ જવી જોઈએ.
જડ પુદ્ગલ પણ ઉપકાર કરતા હોય તો આપણે તો ચેતન છીએ.
આપણે ઉપકાર કરીએ તો પણ ગર્વિત નથી થવાનું! ઉપકાર કરીએ તો જ ઋણમુક્ત બની શકીએ. આ સિવાય અનંત ત્રણમાંથી મુક્ત થવાનો અન્ય કોઇ જ માર્ગ નથી.
આ માનવ-જીવનમાં સંયમ જીવન પામીને જ આપણે ત્રણમુક્ત બની શકીએ. કારણ કે આ સંયમ જીવનમાં કોઈ જીવને સતાવવાનો નથી, પીડવાનો નથી. આવું જીવન અહીં જ શક્ય છે.
કોઈ દેવાળીયા માણસને કોર્ટ શું સજા ફરમાવે ? આપણે પણ દેવાળીયા છીએ. કર્મસત્તા એનો બદલો લીધા વિના રહેનાર નથી.
ઋણ મુક્તિની દૃષ્ટિ સતત નજર સમક્ષ રાખીએ તો કદી અહંકાર ન આવે, કૃતજ્ઞતા ન આવે, ઋણથી મસ્તક સતત ઝૂકેલું રહે.
* પરહિત વિના આત્માનું હિત શક્ય જ નથી. પરોપકાર વિના સ્વોપકાર શક્ય નથી. ખરેખર તો પરોપકાર અને સ્વોપકારનો ભેદ આપણી દૃષ્ટિએ છે. જ્ઞાનીની નજરે તો સ્વ-પરનો કોઈ ભેદ જ નથી.
આપણે પ્રભુની પૂજા કરીએ છીએ એટલે પરની પૂજા નથી કરતા, પણ “પરમ”ની પૂજા કરીએ છીએ અને એ “પરમ” આપણામાં જ છૂપાયેલું છે.
એમના જેવા ન બનીએ ત્યાં સુધી પ્રભુની પૂજા કરતા રહેવાનું છે.
“જલ્દીથી સિદ્ધ બનો.” એ જ જ્ઞાનીઓની આજ્ઞા છે. મંદિરમાં રહેલી પ્રતિમા મૂકપણે આ જ સંદેશો સતત આપી રહી છે. આપણે આ સંદેશો સાંભળતા નથી, આ જ તકલીફ છે. જો આ સંદેશો સંભળાય તો પ્રભુના અનંત ગુણો યાદ આવવા લાગે, હૃદય પ્રભુ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૩