Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કોઈ પાગલ, ઘ૨માં સાપો અને વિંછીઓને ભેગા કરતો રહે ને કહે કે મારા ઘરમાં નિર્ભયતા નથી... તેવાને શું કહેવું ?
આપણે આવા જ છીએ. ક્રોધાદિ દોષરૂપી સાપ-વિષ્ણુઓનો સંગ્રહ કરતા રહીએ છીએ ને વળી પ્રસન્નતા માટે, નિર્ભયતા માટે ઈચ્છા રાખીએ છીએ.
આ શી રીતે બની શકે ?
દુઃખ
દુઃખ આગ છે. તમે કથીર છો કે કંચન ? દુઃખ શિલ્પી છે. તમે માટી છો કે પત્થર ? દુઃખ ધરતી છે. તમે બી છો કે કાંકરા ? દુઃખ કુંભાર છે. તમે રેતી છો કે માટી ?
જો તમે સુવર્ણ છો તો દુઃખની આગથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી.
આગથી કથીર ડરે... કંચનને શાનો ડર ?
તમે જો આરસના પત્થર છો તો દુઃખના શિલ્પીથી ડરવાની કોઈ જરૂર નથી. ટાંકણાથી માટીનું ઢેકું ડરે, આરસને શાનો ડર ?
તમે જો બી છો તો દુઃખની ધરતીમાં પ્રવેશથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે ધરતીમાં પડેલો કાંકરો અંદરને અંદર પડ્યો રહે.... પણ બી તો ઘેઘૂર વૃક્ષ બનીને બહાર આવે !
તમે જો માટી છો તો દુઃખના કુંભારથી ડરવાની કોઈ જરૂર નથી... એ તમારામાંથી નવી-નવી ડીઝાઈનના ઘડા બનાવશે !
કહ્યું, કલાપૂર્ણસૂરિએ
૨૩