Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રત્યે ઝૂકી પડે.
પ્રભુ કેટલા કરુણાસાગર છે ? કેટલા તારવાની બુદ્ધિવાળા છે ? ચંડકૌશિકને ફરી દુર્ભાવ ન આવે માટે ભગવાન મહાવીર તે જ અટવીમાં ૧૫ દિવસ સુધી રહેલા. કેટલી કરુણા ?
* સાકરના ઢગલામાંથી કોઇ પણ દાણો મીઠાશ વિનાનો નથી, તેમ જિનાગમની કોઇપણ પંક્તિ આત્મહિત વિનાની નથી. મીઠાના ઢગલામાંથી કોઈપણ દાણો ચાખો તો તે ખારો જ હશે, લીમડાનું કોઈપણ પાન કડવું જ હશે.
કેટલાક લીમડા જેવા કડવા.
કેટલાક મીઠા જેવા ખારા.
કેટલાક સાકર જેવા મધુર હોય છે.
આપણે કેવા ?
સંસારના વિષયો લીમડા જેવા કડવા છે. ઊંટને કડવો લીમડો પણ મીઠો લાગે, તેમ ભવાભિનંદીને કડવા વિષયો પણ મીઠા લાગે. કષાયો મીઠા જેવા ખારા છે. સંસાર-રાગીને એ પણ મીઠા લાગે છે.
જિન-વચન સાકર જેવું મધુર છે. વિષય-કષાય આપણને ખારા, કડવા ને કઠોર બનાવે છે. જિનવચન આપણને મધુર બનાવે છે.
* બધા દ્રવ્યોથી જીવ જુદો છે. કારણ કે એના લક્ષણો જુદા છે. પણ આપણે જ્ઞાનાદિ લક્ષણો ભૂલી ગયા એટલે જ દુઃખી બની ગયા. શરીરને જ ‘હું' માની બેઠા. એના સુખે સુખી અને એના દુઃખે દુ:ખી બની બેઠા. ફલતઃ જડ તો ન બન્યા, પણ જડ જેવા જરૂર બની ગયા.
સવાસો ગાથાનું સ્તવન વાંચો. પ્રભુની પ્રાર્થનાના માધ્યમથી કેવા પદાર્થો ગોઠવ્યા છે :
‘જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું ?...''
૨૬૪ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ