Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
વૈશાખ સુદ-૧૨ ૧૫-૫-૨૦૦૦, સોમવાર
[ પૂજયશ્રી ગાઝિયાધાજ પધાર્યા હતા આથી પાલીલાણામાં પાંચ દિવસ વાચતા બંધ હી હતી. ]
* જિનાગમ - જિનમૂર્તિને ભગવતુલ્ય માનીને આરાધના કરીએ તો મહાવિદેહક્ષેત્રના સાધકો જેવા જ આપણે બની શકીએ. મહાવિદેહમાંથી પણ કાંઈ બધા જ મોક્ષે જવાના નથી. ત્યાં પણ ૭મી નરકે જનારા છે, અનંત સંસારમાં ભ્રમણ કરનારા છે. કયા ક્ષેત્રમાં આપણો જન્મ થયો તે એટલું મહત્ત્વનું નથી, જેટલી આપણી સાધના મહત્ત્વની છે.
* ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ વગેરે તમામ સતત ઉપકાર કરી રહ્યા છે.
આપણે કદી વિચારતા નથી : હું કોઈના પર ઉપકાર કરી રહ્યો છું કે નહિ ? ઉપકાર ન કરું તો કાંઈ નહિ, અપકાર તો નથી કરતો ને ? અપકાર કરવાનું ફળ જ આ સંસાર-ભ્રમણ છે. આપણું કામ એક જ રહ્યું છે : થાય તેટલો અપકાર કરવો !
પુદ્ગલો પણ મન, વચન, કાયા, શ્વાસ-વગેરેમાં સતત ઉપકાર કરી જ રહ્યા છે. મનન કરનારું મન (યાદ રહે : મનોવર્ગણા
૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ