Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાસે જણાય.
* હૃદય સરળ અને સ્વચ્છ બનતાં જ પ્રભુનું ત્યાં પ્રતિબિંબ પડવા લાગે છે. પણ પ્રભુ માટે ફુરસદ કોને છે ?
ભક્તો માટે ટાઈમ ફાળવતા આપણે ભગવાનને જ ભૂલી ગયા !
ભગવાન કોના માટે ? ડોસાઓ માટે ? ખરું ને ? અમે ભગવાનને યાદ કરતા રહીએ.. કારણ કે ૭૬ વર્ષ થયા. આજે ૭૭મું બેઠું !
મારે તો હવે પ્રભુને મેળવવા છે, એમ માનીને ભક્તિ કરતો રહું. તમારે તો નિરાંત છે. ઘણું જીવવાનું છે ને ? પણ, સમજી લો. આયુષ્યનો કોઈ ભરોસો નથી. કોઇપણ ઉંમરમાં જમ ત્રાટકી શકે છે. માટે એક ક્ષણ પણ પ્રભુને ભૂલવા જેવા નથી.
* મનોગુપ્તિના ત્રણ સોપાન. (૧) વિમુવા - વસ્પના - નાતમ્
: સામ સામાયિક કલ્પનાની જાળમાંથી મનને મુક્ત કરવું. મૈત્રીની મધુરતા. समत्वे सुप्रतिष्ठितम्
: સમ સામાયિક મનને સમતામાં પ્રતિષ્ઠિત કરવું. તુલા પરિણામ. आत्मारामं मनस्तज्ज्ञैः
: સમ્મ સામાયિક મનને આત્મામાં લીન કરવું.
તન્મય પરિણામ. मनोगुप्तिरुदाहृता ॥
આવું મન જ આત્મા સાથે મળી શકે, પરમાત્મા સાથે મળી શકે. ત્રણ સોપાન પસાર કર્યા પછી જ નિર્વિકલ્પ દશામાં પ્રભુ મળે.
* સિદ્ધયોગીના લક્ષણો :
શરીર હળવું ફૂલ લાગે, શરીર સંપૂર્ણ શિથિલ થઈ જાય, વગર માલીશે સ્નિગ્ધ લાગે, આંખમાંથી અશ્રુધારા વહે.
* પ્રભુની ચેતના સાથે આપણી ચેતના રંગાઈ જાય, પછી શું બાકી રહે ?
(૨)
૨૪૬ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ