Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પહોંચાડે આ લાવ તે લાવ -આવી ઈન્દ્રિયોની લાલસા સતાવે.
ઈન્દ્રિયજય અને કષાયજય સંકળાયેલા છે. ઈન્દ્રિયોનો જય ન કરો તો કષાયો થવાના ને કષાયો થાય એટલે સંકલ્પ - વિકલ્પ થવાના. તેનું કામ જ એ.છે. માટે અત્યારથી જ સાવધાન થઈ જવા જેવું છે.
આપણી તપાસ આપણે જાતે કરવાની છે. કોઈ ઉત્તમ ચીજનો ૨સ એવો ખરો કે મને એના વગર ન ચાલે ? એવું આત્માને કદી પૂછ્યું છે ? પ્રભુ ભક્તિનો રસ છે ? આગમનો રસ છે ? આટલી કક્ષાએ પહોંચ્યા પછી બીજો હીન રસ રાખીએ તો દુર્ગતિમાં જવું પડે.
* આપણા આત્માને જય અપાવનાર બીજું કોઈ નથી, આપણું જ સત્ત્વ છે.
બીજું કાંઈ યાદ ન ૨હે તો દુષ્કૃતગર્હ આદિ ત્રણ યાદ રાખજો. દરરોજ ત્રણ વખત દુષ્કૃતગહ આદિ કરવા જ. મનની વ્યાકુળતા દૂર ન થાય ત્યાં સુધી આ કરવાનું.
* શરીરના ત્રણ દોષ છે : વાત, પિત્ત અને કફ. આત્માના ત્રણ દોષ છે : રાગ, દ્વેષ અને મોહ. તેનું નિવારણ ત્રણથી થાય ઃ શરણાગતિ, દુષ્કૃતગહ અને સુકૃત-અનુમોદના.
રાગ કરો તો સુકૃતોનો કરો . સુકૃત - અનુમોદના. દ્વેષ કરો તો દોષો પર કરો. દુષ્કૃત ગાઁ.
મોહ કરો તો ભગવાનનો કરો. શરણાગતિ.
હરડે, બહેડા અને આમળાના મિશ્રણથી ત્રિફળારૂપ ઔષધ બને તેમ આ ત્રણના મિશ્રણથી ભાવ-ઔષધ બને છે.
* રાગ કરતાં અપેક્ષાએ દ્વેષ વધુ ખતરનાક છે. કારણ કે દ્વેષ હંમેશા જીવો પર જ થાય છે. જીવ પરનો દ્વેષ અંતતોગત્વા પ્રભુ પરનો દ્વેષ છે.
૨૫૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ