Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધ્યાય = સૂત્રાર્થનું ધ્યાન
ચિંતન કરે તે.
[ ઉપ + આ + ધ્યાય =
ઉપાધ્યાય.] ઉપાધ્યાય.
* ઉપાધ્યાય ભગવંત ‘જગબંધવ - જગભ્રાતા' છે.
-
બંધુ કરતાં ભાઇ વિશેષ છે. સંકટમાં બીજા બધા ખસી જાય, ત્યારે પણ ભાઇ પાસે રહે છે. ઉપાધ્યાય ભગવંત જગતના બંધુ જ નથી, ભાઇ [ભ્રાતા] પણ છે.
સાધુપ
* ગોચરીમાં મનગમતી વસ્તુ મંગાવીએને ? અહીં તો બધા જ ગુણો મનગમતા છે. એકેય ગુણ છોડવા જેવો નથી. હું એ પીરસી રહ્યો છું. તમે એ ગુણ લેશો ને ?
* સાધુ ભગવંતમાં દયા અને દમ જોરદાર હોય. પોતાના નિમિત્તે કોઇપણ જીવને કાંઇ પણ પીડા થાય તો તેમનું હૈયું દ્રવી ઊઠે. આવા હૃદયમાં જ દયા પ્રકટે. દયાનું પાલન અજિતેન્દ્રિય ન કરી શકે, માટે પછીનો ગુણ છે ઃ દમ.
* સાકરનો એક દાણો એવો ન હોય, જેમાં મીઠાશ ન હોય. તેમ એક સાધુ એવો ન હોય, જેમાં સમિતિ - ગુપ્તિ ન હોય. સમિતિગુપ્તિ ન હોય તો સમજવું : આપણે સાધુ નથી. મીઠાશ ન હોય તો સમજવું : આ સાકરનો દાણો નથી, મીઠાનો દાણો હોઇ શકે !
આપણે આવા સાધુ બનવાનું છે. ન બન્યા હોઇએ તો પોતાના આત્માને એ રીતે શીખામણ આપવાની છે.
શુદ્ધ દયાના પાલન માટે તો આપણે સાધુપણું સ્વીકાર્યું છે. એ દયા જ આપણા હૃદયમાં ન હોય તો સાધુપણું ક્યાં રહ્યું ?
દરેક પ્રવૃત્તિ કરતાં વિચારો : હું સમિતિ-ગુપ્તિનું ખંડન નથી કરતો ને ? દયા- ધર્મથી ચુત નથી થતો ને ?
* સમિતિના પાલનમાં કચાશ હોય તો ગુપ્તિનું પાલન સમ્યગ્ ન બની શકે. ઘણા મારી પાસે આવે છે ને કહે છે : મૌનની પ્રતિજ્ઞા આપો.
૧૫૨ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ