Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કષાયો ચિત્તને ચકડોળે ચડાવે છે, ચિત્તને વ્યાકુળ અને વ્યગ્ર બનાવે છે. વ્યાકુળ અને વ્યગ્ર ચિત્તમાં સુખ આવી શકે એમ તમે કલ્પના કરી શકો છો ?
આ ભવમાં પણ સુખી બનવું હોય તો પણ કષાયોને કાત્યે જ છુટકો છે.
* આવું અતિશય દુર્લભ ચારિત્ર મળ્યા પછી પણ જો એની વિરાધના થાય તો તમારી હાલત પેલા માણસ જેવી થાય, જેનું વહાણ તૂટી ગયું છે ને દરિયામાં ડૂબી રહ્યો છે. એ માણસ બીજા કોઈની ભૂલથી નહિ, પોતાની જ ભૂલથી ડૂબી રહ્યો છે. એણે જાતે જ વહાણમાં કાણા કર્યા હતા.
આપણે ચારિત્રના જહાજમાં કાણા નથી કરતા ને ? અતિચાર લગાડવા એટલે ચારિત્રના જહાજમાં કાણા પાડવા. [ગાથા-૧૦૫]
હવે નક્કી કરો : મારે કાણા નથી પાડવા. નિરતિચાર ચારિત્ર પાળવું છે. નિરતિચાર ચારિત્ર પાળનારો ચારિત્રરૂપી જહાજમાં બેસીને આનંદપૂર્વક સંસાર સાગરના પેલા કિનારે પહોંચી જાય છે.
એક ભાઈ ૧૫-૧૬ જણ સાથે પરદેશમાં શોખ ખાતર નાવડીમાં બેઠા ને સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું. નાવ ડૂબવાની તૈયારીમાં. મનમાં થયું ? નકામાં આપણે આવો શોખ કર્યો.
પણ હવે શું થાય ? નવકાર ગણવા શરૂ કર્યા. નવકારના પ્રભાવથી તે જ વખતે બીજી નાવ બચાવવા આવી પહોંચી અને તેઓ બચી ગયા. સામખીયાળીના નરસી જસા સાવલાએ પોતાનો આ અનુભવ અમને કહેલો.
ખેર, આપણી નાવડી તો સલામત છે ને ?
જીવન નૈયા હાલક-ડોલક લાગે ત્યારે પ્રભુને યાદ કરજો. પ્રભુ જ જીવન-નૈયાના ખેવૈયા બની શકે તેમ છે.
પૂ. ઉપા. યશોવિજયજી કહે છે : “તપ-જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથોહાથે, તારે તે છે સાથે રે....'
કઇ કલાપૂર્ણસૂરિએ જ ૧૯૧