Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
થઈ જાય છે. ભલે એ ઘાસના તણખાની જેમ જલ્દી ચાલી જાય, પણ છે એ આત્માનું સુખ !
અત્યાર સુધી આપણે બાહ્ય પદાર્થોમાં સુખ માનતા આવ્યા છીએ. મિત્રાદષ્ટિમાં પ્રવેશ થતાં જ આત્માનંદની ઝલક શરૂ થઈ જાય છે.
આત્માનો આનંદ તો અંદર જ પડેલો છે. અંદર આનંદનો નિરવધિ સાગર ઊછળી રહ્યો છે, પણ પ્રદેશ પ્રદેશે લાગેલી અનંત કાર્મણ-વર્ગણાઓએ એ સુખ રોકી રાખ્યું છે.
કેવળજ્ઞાન આપણા સૌની અંદર પડેલું જ છે. જ્ઞાનની તરતમતા દ્વારા આપણને એની પ્રતીતિ પણ થયા કરે છે.
જ્ઞાનાવરણીય કર્મની જરૂર જ એટલે પડી. કારણ કે અંદર અનંત જ્ઞાન બેઠું છે. એ જ્ઞાન પ્રગટ ન થઈ જાય તેની તકેદારી જ્ઞાનાવરણીય કર્મ રાખી રહ્યું છે.
“ભગવન્! આપ પ્રસન્ન થાઓ.. માટે હું તમારે દ્વાર આવ્યો છું. પ્રભુ ! પ્રસન્ન થાઓ.” આમ ભક્ત કહે છે.
ભગવાન કહે છે : ““તું પ્રસન્ન થા, એટલે હું પ્રસન્ન જ છું.”
ન્યાયની ભાષામાં અને અન્યોન્યાશ્રય દોષ કહેવાય.
તું પ્રસન્ન થા તો હું થાઉં !' ઓલો કહે કે પહેલા તે પછી હું. ઘણીવાર જોઈએ છીએ ને ? ઘણા કહેતા હોય છે : “તું દીક્ષા લે પછી હું.” પેલો પણ કહે : “પહેલા તું, પછી હું.”
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : “હે પ્રભુ ! આ અન્યોન્યાશ્રય દોષ આપ જ ટાળો.” “અન્યોન્યાશ્રયે મિખ્યિ પ્રસીદ્ર વન્ મયિ !''
પ્રભુને પ્રસન્ન કરવાની વિનંતી માત્ર હેમચન્દ્રસૂરિજી જ નહિ, ગણધરો પણ કહે છે : “તિસ્થયરી કે પક્ષીયંતુ ''
ઓ ભગવંતો ! મારા પર પ્રસન્ન બનો. ભગવાન કદી એમને એમ પ્રસન્ન નથી બનતા, એમને એમ
કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૨૦૫