Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૧૩
૨-૫-૨૦૦૦, મંગળવાર
* અનંત કરુણાના સાગર, શ્રી વીપ્રભુએ કર્મથી જકડાયેલા જીવોને આ સંસારમાં જરાય સુખ નથી એમ બતાવ્યું છે.
સંસારમાં સુખ શોધવું એટલે રણભૂમિમાં પાણીની શોધ કરવી ! મૃગતૃષ્ણામાં પાણીની શોધ કરવી !
:
હરણ દૂર દૂર જુએ છે : કેટલું પાણી ! હું ત્યાં જઈશ ને મારી તૃષા છીપાવીશ. ખૂબ દોડે પણ પાણી ન મળે. હજુ કદાચ થોડે દૂર હશે – એમ વિચારી દોડે પણ પાણી ન મળે. તેમ વિષયો આપણને
-
ખૂબ દોડાવે છે, પણ સુખ નથી આપતા.
* સંસારનો સ્વભાવ દુઃખમય છે તેમ ધર્મનો સ્વભાવ સુખમય છે. આ જીવોને આનંદ આપવા માટે જ પ્રભુનો અવતાર છે. ‘જગાનંદો’ પ્રભુનું જ વિશેષણ છે. રાગ-દ્વેષ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. આ રાગ-દ્વેષ જ આપણા આત્માને મલિન બનાવે છે. રાગ-દ્વેષ જ આપણા આનંદને રોકે છે.
સમિતિ-ગુપ્તિના પાલન સાથે રાગ-દ્વેષ છોડો તો જ ચારિત્ર શુદ્ધ બને. મલિનતા દૂર કરી આનંદ સુખને પ્રકટ કરવાની કલા પ્રભુ શીખવાડે છે.
* યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં આચાર પાલન કેમ કરવું ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૧