Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નથી લેતું. કદાચ કોઈ પરીક્ષા લે તો આપણે પાસ થઈ જઈએ ખરા?
આત્માનું લક્ષણ ઉપયોગ રાખ્યું, સમતા નહિ. શા માટે ? સમતા સદાકાળ નથી હોતી. એને સાધના દ્વારા પ્રગટાવવી પડે છે. આ સામાયિક સમતા પ્રગટાવવા માટે છે.
* ધન્ય શાસન ! ધન્ય સાધના ! એવો અહોભાવ પણ હૃદયમાંથી ઊઠે તો પણ આપણું કામ થઈ જાય.
આ શાસનની અપભ્રાજના થાય, એવું આપણાથી શી રીતે થઈ શકે ?
અમદાવાદની હાલત જાણો છો ને ? સાધ્વીજીઓને કોઈ પોતાની સોસાયટીમાં રાખવા તૈયાર નથી. ફરીયાદ છે : ગંદવાડ બહુ કરે.
એક તો જગ્યા આપીએ ને ઉપરથી ગંદવાડ સહવો ? આવો વિચાર સ્વાભાવિક રીતે લોકોને આવી જાય.
તમે આ ધર્મશાળાને ગંદી બનાવો તો બીજીવાર ઊતરવા મળે?
સંઘોમાં અમને ઘણીવાર અનુભવ થયો છે : એક વખત સંઘને ઉતરવા સ્કૂલ આપ્યા પછી બીજીવાર આપતા નથી. કારણ આ જ
છે.
આપણે એક ડગલાથી બે ડગલા આગળ જવા તૈયાર નથી. સામાન્ય માનવીય સભ્યતા પણ શીખ્યા નથી તો લોકોત્તર જૈન શાસનની આરાધના શી રીતે કરી શકીશું ? આપણા નિમિત્તે જૈન શાસનની અપભ્રાજના થાય, કોઈને સાધુ-સાધ્વી પ્રત્યે દુર્ગાછા જાગે, એના જેવું બીજું કોઈ પાપ નથી.
* હૃદયમાં સમતા દ્વારા જેટલો મૈત્રીભાવ વિકસિત થયો હોય તેટલી અંતરમાં મધુરતા અનુભવાય છે.
લીમડામાં મીઠાશ ખરી ? લીમડાની ચટણી કોઈ બનાવે તો તમે વાપરો ?
કષાયો આવા કડવા હોય છે, છતાં આપણે કષાયો કરતા રહીએ છીએ, એ કેટલું આશ્ચર્ય છે ?
૨૧૦
કહ્યું કલાપૂર્ણસૂરિએ