Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અજ્ઞાનમાંથી પેદા થયેલું છે.
* કર્મની ચુંગાળમાંથી મુક્ત બનવાનો માર્ગ આ છે : મિથ્યાત્વ નહિ, સમ્યક્ત્વ,
અવિરતિ નહિ, વિરતિ, પ્રમાદ નહિ, અપ્રમાદ. કષાય નહિ, અકષાય.
અશુભ યોગો નહિ, શુભ યોગોમાં પ્રવૃત્તિ. આમ કરીશું તો જ કર્મોમાંથી મુક્તિ મળી શકશે, દબાયેલું ઐશ્વર્ય મેળવી શકાશે.
પંચાચારમાં પહેલો જ દર્શનાચાર કે ચારિત્રાચાર નહિ, પણ જ્ઞાનાચાર છે, તે જ્ઞાનની મુખ્યતા કહે છે.
જ્ઞાનાચારના પાલનથી આપણું જ્ઞાન સ્થિર અને સુદઢ રહે.
જ્ઞાનના આઠેય આચાર જીવનમાં વણાયેલા છે ને ? શિક્ષક પાઠ આપે ને વિદ્યાર્થી બીજા દિવસે તે યાદ કરીને સંભળાવે. અહીં તમે પાઠ યાદ કરો છો ?
આઠેય આચારો જ્ઞાનને વધારનારા છે, એ ભૂલશો નહિ.
* સમ્યકત્વ પૂર્વે ત્રણ કરણ કરવા પડે. “કરણ” એટલે સમાધિ. કરણ વખતે આત્મશક્તિ એટલી વધે કે કદી ન તૂટેલી રાગદ્વેષની ગાંઠ ત્યારે તૂટી જાય.
અચરમ યથાપ્રવૃત્તિ કરણ તો અભવ્યને પણ હોય, મહત્ત્વની વાત છે : ચરમ યથાપ્રવૃત્તિકરણની. ચરમ યથાપ્રવૃત્તિકરણની સાબિતી શી ? તેને હવે રાગ-દ્વેષના તીવ્ર ભાવો ન થાય. શરીરમાં આત્મબુદ્ધિ ટળતી જાય.
શરીરમાંથી આત્મબુદ્ધિ હજુ મારી પણ ટળી નથી. હા, એ માટેનો પ્રયત્ન ચાલુ છે. પ્રભુને રોજ પ્રાર્થના કરું છું.
અપવિત્ર, અનિત્ય, અને અશુચિ શરીરમાં પવિત્રતા, નિત્યતા અને શુચિતાની બુદ્ધિ કરવી એ જ અવિદ્યા છે, અવિવેક છે. વિવેક દ્વારા જ આ અવિદ્યા તોડી શકાય.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૦૩