Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વર્જિત ગણાવતા.
* “હે છ જવનિકાયના જીવો ! આજથી હું તમને પીડા આપીશ નહિ, અપાવીશ નહિ. પીડાકારકને અનુમોદીશ નહિ.” આવી પ્રતિજ્ઞા સભા વચ્ચે લઇને આપણે સાધુ બન્યા છીએ. હવે જો છ જીવ નિકાય પ્રતિ આપણી દયા ચાલી ગઈ તો આપણી પાસે રહ્યું શું ?
કરુણા તો આપણું ધન છે. એ ગઈ એટલે આપણે નિર્ધન બની ગયા. પૂ. ઉપા. મ.ના ચાબખા સાંભળવા જેવા છે : “નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વસે પ્રવર્તે રે;
ગૃહીયતિ લિંગથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્તે રે.'
* સાધુઓ સ્વયં તીર્થરૂપ છે. તીર્થની જેમ લોકો સાધુઓના દર્શન કરવા આવે છે.
“ધૂનાં વર્શ પુષ્ય, તીર્થમૂતા દિ સાધવઃ '
આવા સાધુઓને નમન કરવાનું મન ક્યારે થાય ? પૂર્વના કોઈ પુણ્ય જાગ્યા હોય તો જ.
* “સોનાણી પરે પરીક્ષા દિસે.”
સોનાને જેમ જેમ તપાવો તેમ તેમ વધુને વધુ ચમકે, સાધુની તમે પરીક્ષા કરો તો વધુને વધુ નિખરે.
આવા સાધુઓ આ કાળમાં ન દેખાય તો દેશ-કાળ પ્રમાણે સાધના કરતાં સાધુઓમાં ગૌતમસ્વામીનું દર્શન કરજો.
* “અપ્રમત્ત જે નિત્ય રહે.”
જે નિત્ય અપ્રમત્ત રહે, અનુકૂળતામાં હરખાય નહિ, પ્રતિકૂળતામાં કરમાય નહિ, એવો આપણો આત્મા જ નૈશ્ચયિક દષ્ટિએ સાધુ છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૧૫૯