Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વિસરાઈ નથી ગયોને ?
બસમાં ઊભા રહેલા વેપારનું ટેન્શન લઈને ફરતા ગૃહસ્થો દુઃખમાં હોવા છતાં પોતાને દુઃખી માનતા નથી. સામે લાભ દેખાય છે ને ? તેમ જ્ઞાનાદિ માટે આપણે થોડી તકલીફ નહિ ઊઠાવીએ ?
* જે ચારિત્રને સ્વીકારવા ચક્રવર્તી પણ પોતાની છ ખંડની દ્ધિ તણખલાની જેમ ફેંકી દે, એ ચારિત્ર આપણને મળ્યું છે. એની ખુમારી કેવી હોવી જોઈએ ? ચારિત્ર આવું મૂલ્યવાન છે. ત્રણ ભુવનના રાજા ભગવાને મને આપ્યું છે, એમ તમને લાગે છે ?
ઇન્દ્ર સહિત બધા દેવો ચારિત્રધરને વંદે છે, એ ચારિત્રનું શું વર્ણન કરવું ? વિરતિધરને પ્રણામ કર્યા પછી જ ઈન્દ્ર પોતાની સભા શરૂ કરે છે.
ભવ-ભ્રમણના ચક્રને ચીરી નાખનારા ચારિત્રને પામીને આપણે પ્રમાદમાં પડ્યા રહીશું ? ગૃહસ્થોને, જો પૈસા મળતા હોય તો તકલીફો તકલીફરૂપે ન લાગે તો કર્મ-નિર્જરાકારી આ ચારિત્રઅનુષ્ઠાનમાં આપણને તકલીફ લાગશે ?
આ વિશ્વમાં ચારિત્ર સુધી પહોંચનારા કેટલા ? વિશ્વમાં સૌથી થોડા માનવો છે. તેમાંય થોડા આર્યો છે. એમાં પણ થોડા જૈનો છે. એમાંય થોડા સાધુઓ છે. એમાંય થોડા તાત્વિક સાધુઓ છે.
થોડા આર્ય અનાર્ય જનમાં, જૈન આર્યમાં થોડા; તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા...”
– ઉપા. યશોવિજયજી મ. આવી દુર્લભ સાધુતા માટે તકેદારી કેટલી ?
દેવો પણ જે સુખને ન પામી શકે, એવું સુખ આ જ ભવમાં સાધુ મેળવી શકે, આ ઓછી વાત છે ?
પણ એક વાતનો ખ્યાલ છે ? તમારી પાસે જો લાખો-કરોડો રૂપિયા આવી ગયા હોય ને ગુંડાઓને ખબર પડી જાય તો શું કરે ? તમને રસ્તા વગેરેમાં ક્યાંક લૂંટી જ લે. ચારિત્રરૂપી ચિંતામણિ જેવી મૂલ્યવાન ચીજ મળી ગયા પછી મોહરાજા નામનો ગુંડો તમને
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧૮૦