Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૬ ૨૫-૪-૨૦૦૦, મંગળવાર
* તીર્થની હયાતી રહે ત્યાં સુધી જીવોને પ્રભુનો માર્ગ મળે માટે ગણધરોએ પ્રભુના વચનોને સૂત્ર રૂપે ગુંથ્યા.
આપણી ન્યૂનતા દેખાય તે માટે આ આગમો છે.
આગમ દર્પણ છે. એ દર્પણમાં આપણો આત્મા જોવાનો છે. ને તેની મલિનતા દૂર કરવાની છે.
શરીર તો આત્માનું ઘર છે. આપણે તો જ્ઞાનાદિમય છીએ. દર્પણમાં શરીર દેખાય, પણ આગમમાં જ્ઞાનાદિમય આત્મા દેખાય; જો જોતાં આવડે.
આપણું મૂળ સ્વરૂપ યાદ આવે માટે આ આગમો છે. આત્મા દેખાતો નથી પણ જ્ઞાનાદિ ગુણો તો દેખાય છે ને ? ગુણોને નિર્મળ અને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરશો તો આત્મા નિર્મળ અને પુષ્ટ બનવાનો જ. ગુણ ગુણી વિના ક્યાંય રહેતા નથી.
જ્ઞાનાદિની આરાધના કરવા માટે જ આ સાધુપણાનો બધો જ સમય છે. સાધુપણું અનુકૂળતા ભોગવવા માટે નથી. જ્ઞાનાદિની વૃદ્ધિ માટે છે. અનુકૂળતા જ જોઈતી હોત તો ઘરમાં આનાથી વધુ અનુકૂળતા મળત, પણ આપણે તો જાણી-જોઇને કષ્ટ ઊભું કર્યું છે, જ્ઞાનાદિને પુષ્ટ અને નિર્મળ બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ
૧૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ