Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઇરિયાવહિયં શું છે? સ્વ દુષ્કૃતની ગહ છે. ““હે જીવ માબાપ ! તમારી કોઈ વિરાધના કરી હોય તો મને ક્ષમા આપો.' ઇરિયાવહિયમાં આવો ભાવ છે.
આપણા અનુષ્ઠાનોમાં ડગલે ને પગલે આ ત્રણ [શરણાગતિદુષ્કૃત-ગર્દી, સુકૃત અનુમોદના] પદાર્થો વણાયેલા જ છે.
બીજે ક્યાંય આપણે આપણી ગુપ્ત પાપભરી વાતો ન કરી શકીએ, કદાચ ગુરુ પાસે પણ ન કરી શકીએ, પણ ભગવાન પાસે તો કરી શકીએ ને ? ભગવાન પાસે દુષ્કૃત-ગહ જરૂર કરજો.
* અહીં શાસ્ત્રકાર સૌ પ્રથમ ચારિત્ર-પાલકની અનુમોદના કરવાનું કહે છે : જેઓ માતા-પિતા આદિ સર્વ સંબંધો છોડીને જિનોપદિષ્ટ ધર્મનું પાલન કરે છે તે ધન્ય છે !
ચારિત્રના યોગો જ એવા છે કે અહીં માત્ર કમાણી જ કમાણી જ છે. વાણિયો કદી ખોટનો ધંધો ન કરે.
જે દિવસે પ્રસન્નતા વધે તે દિવસ કમાણીનો સમજવો. અપ્રસન્નતા, સંકલેશ વધે તે ખોટનો દિવસ સમજવો.
* ગુણ સમૃદ્ધ ચારિત્રવાન આત્મા મરણાન્ત કચ્છમાં પણ ઉદ્વિગ્ન ન થાય, તે મામૂલી રોગમાં ઉદ્વિગ્ન થાય ?
ઈચ્છીએ કે ન ઇચ્છીએ, માંગીએ કે ન માંગીએ, પણ મૃત્યુ કાંઈ અટકવાનું નથી. એક પણ એવી વ્યક્તિ નથી જે મરી નથી. મરણ સુનિશ્ચિત છે. પણ એ મરણ એવી રીતે થાય, સમાધિપૂર્વક અને આરાધનાપૂર્વક થાય કે મરણ પણ મહોત્સવરૂપ બની જાય. મૃત્યુનું મૃત્યુ થઈ જાય. [ગાથા-૧૦૧]
ભીખારીને ચિંતામણિ મળી જાય, તેમ આપણને આ ચારિત્ર મળી ગયું છે, એમ માનજો. પણ આપણને એવું કદી લાગતું નથી.
છ અબજની વર્તમાન વસતિમાં માત્ર દસેક હજાર [બધા જ ફિરકાના મળીને] સાધુ-સાધ્વી છે. વસતિના અનુપાતમાં જોઈએ તો આટામાં લુણ જેટલી પણ આપણી સંખ્યા નથી.
દસેક હજારમાં પણ સાચા સાધુ કેટલા ? યોગસારકારની
૧૮૪ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ.