Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ઔદયિક ભાવમાં જીવીએ છીએ. તેમાંથી આપણે ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું છે. અંતે ક્ષાયિકભાવમાં ઠરવાનું
* વિનીત વિનયની સાથે સ્વાધ્યાય પણ કરે. પણ વૃદ્ધાદિની સેવાની ઉપેક્ષા સ્વાધ્યાયના નામે ન કરે.
* પૂ. પંન્યાસજી મ. કહેતા : સાગરજી મ. પાસે બીજા સમુદાયના સાધ્વીજીએ દીક્ષા માટે ઉપધિની માંગણી કરેલી. સાગરજી મહારાજે તરત જ આપેલી. એ કાળમાં પરોપકાર વગેરે ગુણો સ્વાભાવિક હતા.
આપણો જન્મ જ એવા કાળમાં થયો છે કે પરોપકાર બુદ્ધિ ઓછી રહે, એમ માનીને બેસી નથી રહેવાનું, પણ એ ગુણ કેળવવા ખૂબ જ પ્રયત્ન કરવાનો છે.
* સહજમળનું જોર હશે, ત્યાં સુધી કર્મ ઓછા થશે તો પણ ફરી કર્મો વધી જશે. સહજમળ એટલે કર્મ-બંધનની યોગ્યતા ! ઘણા લોકો ધ્યાન-શિબિરમાં જઈને કહે છે : અમારા કર્મો ઓછા થઈ ગયા ! કર્મો ઓછા થાય, પણ સહજમળ ન ઘટે, તો શા કામનું ? ભગવાનની ઉપાસના વિના સહજમળ ન ઘટે.
વિનય ન વધે, ભક્તિ ન પ્રગટે તો સમજવું : સહજમાનો હાસ થયો નથી.
સહજમળનો હ્રાસ તથાભવ્યતાના પરિપાકથી થાય છે. તે ચારની શરણાગતિથી થાય છે. શરણાગતિ એટલે જ ભક્તિ !
સગુણોની ભેટ ભગવાન દ્વારા જ મળે, એ મારા અનુભવથી હું અધિકારપૂર્વક કહી શકું.
ભક્તિ વિના આવેલો વિનય શી રીતે પરખાય ? હું વિનયી છું” આવો ભાવ પણ અહંકારજન્ય છે.
૫૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ