Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૮ ૧૧-૪-૨૦૦૦, મંગળવાર.
* જેનું ચિંતન-ધ્યાન અને ભાવન કરીએ, આપણું ચિત્ત તે આકારને ધારણ કરે છે.
'चिन्तास्थिरतापूर्वकः शुभाऽध्यवसायो ध्यानम् ।'
“ધ્યાનવિચાર' નું આ સૂત્ર છે. એમાં ધ્યાનની પરિભાષા વ્યક્ત થયેલી છે.
ધ્યાનની પૂર્વે ચિંતન જોઇએ. જેનું ચિંતન કરીએ તેનું જ ધ્યાન થઈ શકે.
જે ભગવાનના આશ્રયે આપણે આવ્યા, એ ભગવાન આપણને દુર્ગતિમાં મોકલે ? સંભવ જ નથી. પણ આપણે ભગવાન અને ભગવાનના અનુષ્ઠાનોમાં કદી ધ્યાન પરોવતા જ નથી. ધ્યાન પરોવ્યું ન હોય તો સાચા અર્થમાં આશ્રય લીધો છે, એમ કહેવાય જ નહિ.
અરિહંતો કરતાં શ્રેષ્ઠ ધ્યાન બીજું એકેય નથી.
* પંચ પરમેષ્ઠી આદિના કાઉસ્સગ્ગ, ખમાસમણા આદિ કરવાથી આપણું ચિત્ત તેમાં તન્મય બને છે. માટે જ ઓળીમાં આવી વિધિ રાખવામાં આવી છે. - મને તો બચપણથી જ, ૮ વર્ષનો હતો ત્યારથી જ નવપદની
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ફ ૧૧૫