Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૧ ૧૯-૪-૨૦૦૦, બુધવાર
* દ્વાદશ - અંગ સક્ઝાય કરે છે.
તીર્થનો ઉદેશ છે : મિથ્યાત્વીઓ મંદ મિથ્યાત્વી બને તેઓ ક્રમશઃ અપુનબંધક, સમ્યત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, કેવળજ્ઞાન, મોક્ષ આદિ પામે. | તીર્થ હંમેશાં જીતમાં છે. મોહ હંમેશા હારમાં છે. છ મહિને ઓછામાં ઓછો એક જીવ મોક્ષમાં અવશ્ય જાય. એક મહિને સર્વવિરતિ, ૧૫ દિવસમાં દેશવિરતિ અને ૭ દિવસમાં સમ્યત્વ પામે જ. આ ક્રમ અનાદિકાળથી ચાલુ છે.
* ઉપાધ્યાય પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં સદા રમમાણ હોય. બારેય અંગ રટી-રટીને કંઠસ્થ હોય.
આપણા જીવનમાં સ્વાધ્યાય કેટલો ?
પ્રમાદ આપણા સમયને ખાઈ રહ્યો છે, તેમ લાગે છે ? મોક્ષ થવાનો છે, એમ જાણનારા તીર્થકર આદિ માટે તપ આદિ જરૂરી તો આપણા માટે કાંઇ જરૂરી નહિ? મોક્ષ એમને એમ મળી જશે?
મોક્ષની ભૂખ લાગી છે ? ભૂખ લાગી હોય તેવો માણસ ભોજનની તપાસ કરે જ. તરસ્યો પાણી માટે તપાસ કરે જ. મોક્ષ માટેના ઉપાયો [જ્ઞાનાદિ માટે આપણે પ્રયત્ન નથી કરતા એનો
૧૪૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ