Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે : મેં આ બધાને પોતાનો પરિવાર માન્યો છે, તેમ તમારે પણ માનવાનો છે. એનો દેહ બીજો છે, એટલા માત્રથી એને પારકા ન માની શકાય.
આવી શિક્ષા આપનારા અરિહંતોએ બીજાને પણ છે જીવનિકાયના પ્રેમી બનાવ્યા.
* અરિહંત ભગવાન મહાગોપ છે, મહામાહણ છે, નિર્યામક અને સાર્થવાહ છે.
અથવા તો એમને કોની ઉપમા આપવી ? આકાશ કોના જેટલું ? આકાશ જેટલું ! રામ-રાવણનું યુદ્ધ કોના જેવું ? રામરાવણ જેવું ! ભગવાન કોના જેવા ? ભગવાન જેવા !
“ઓમ”માં જેન પ્રવચન
અ” એટલે વિષ્ણુ. વિષ્ણુ “ધ્રૌવ્ય'ના પ્રતીક છે. “ઉ” એટલે ઉમાપતિ-શંકર. શંકર “વ્યય ના પ્રતીક
“મ” એટલે બ્રહ્મા. બ્રહ્મા “ઉત્પાદ'ના પ્રતીક છે. અ + 9 + મ = ઓમ્
કારમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ ત્રિપદી છૂપાયેલી છે અને ત્રિપદીમાં સંપૂર્ણ દ્વાદશાંગી છૂપાયેલી છે. આથી જ કહી શકાય કે કારમાં સંપૂર્ણ જૈન-પ્રવચન બીજરૂપે છૂપાયેલું છે. (अकारो वासुदेवः स्यात्, उकारस्तु महेश्वरः । मकारः प्रजापतिः स्यात्, त्रिदेव ॐ प्रयुज्यते ॥)
૧૧૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ