Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે. સાડા અઢાર હજાર વર્ષ સુધી હજુ પ્રભાવ રહેશે. | * ભગવાન પાસે આપણે અનન્ય ભાવથી જઈએ અને પ્રાર્થીએ : ભગવન ! આપ જ સર્વસ્વ છો. માતા, પિતા, બંધુ-બધું જ આપ છો. આપના સિવાય કોઇનો આધાર નથી. તો જ ભગવાન તરફથી આપણને પ્રતિભાવ મળે. આપણે અનન્ય ભાવથી કદી ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી.
* તીર્થંકરનું સમ્યકત્વ “વરબોધિ' [ભલે એ ક્ષાયોપથમિક હોય] કહેવાય, ચારિત્ર “વરચારિત્ર” કહેવાય.
* ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં દીક્ષા લીધી ? આના કરતાં ઘરમાં રહ્યો હોત તો !' આવા વિચારો દીક્ષિતોને પણ આવી શકે. આ મોહનું તોફાન છે. આવા તોફાન વખતે ભગવાનને યાદ કરજો. તેઓ કર્ણધાર બનીને આવશે. તમારી જીવન નૈયાને ડૂબવા નહિ દે.
“તપ-જ૫ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે.”
* “ભગવાન હાજર નથી.” એવી આપણી માન્યતા જડમૂળથી કાઢવી પડશે. ભગવાન ભલે અહીં નથી, પણ ભગવાનની શક્તિ તો જગતમાં કામ કરી જ રહી છે. સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ તો અહીં જ છે ને ? સિદ્ધો ભલે ઉપર છે, પણ એમની કૃપા તો અહીં વરસે છે જ. માત્ર તે અનુભવમાં આવવી જોઈએ.
* ભગવાન જગતના સાર્થવાહ છે. સાર્થથી તમે છુટા ન પડો તો મોક્ષ સુધીની જવાબદારી ભગવાનની છે.
* જો અત્યારે તમે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હશો તો ચોક્કસ તમારું મન અરિહંતમય બન્યું હશે.
તમારો ઉપયોગ અરિહંતમય બન્યો, એ જ અરિહંતનું ધ્યાન. એક નય તો ત્યાં સુધી કહે છે : અરિહંતના ઉપયોગમાં રહેતો આત્મા જ સ્વયં અરિહંત છે.
અરિહંત-પદ ધ્યાતો થકો અહીં અભેદ ધ્યાનની વાત છે,
૧૧૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ