Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા.
ચૈત્ર સુદ-૯ ૧૨-૪-૨૦00, બુધવાર
* અતિ દુર્લભ ચારિત્ર-રત્ન આપણને અનાયાસે જ મળી ગયું છે, તો એવો પ્રયત્ન કરીએ, અંદર રહેલો આત્મદેવ પ્રકટ થઈ
જાય.
ભવસાગરમાં ડૂબતા માટે ચારિત્ર જહાજ તુલ્ય છે. જહાજમાંથી કૂદીને દરિયામાં જાતે જ ડૂબી જનારો જહાજને દોષિત ઠરાવી શકે નહિ. ચારિત્ર નહિ પાળીને દુર્ગતિનો ભોગ બનનારો ચારિત્રને દોષિત ઠરાવી શકે નહિ.
* જે સંતોષ આદિનાથના દરબારમાં જવાથી થાય તે અહીં ન થાય, માટે જ આપણે કષ્ટ સહીને પણ ઉપર જઈએ છીએ.
આ “દાદા” આપણી અંદર પણ બિરાજમાન છે. એને મેળવવા ગમે તેટલા કષ્ટ પડે, તો પણ ત્યાં જવાનું છોડવું ન જોઈએ.
ભગવાનને અંતર્યામી કહ્યા છે. [અન્તર્યામી સુણ અલવેસર” એ સ્તવન આપણે બોલીએ જ છીએ.] અન્તર્યામી એટલે શું ? સૌના ઘટમાં, અંતરમાં બિરાજી રહે તે અંતર્યામી કહેવાય.
આ અંતર્યામીને આપણે મળવું છે. નવપદની આરાધના દ્વારા આ જ કરવાનું છે. પ્રશ્ન : અરિહંતને પામવાની પ્રક્રિયા શી ?
૧૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ