Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સચાણા
ફા. વદ-૧૦ ૩૦-૩-૨૦00, ગુરુવાર
★ जो विणओ तं नाणं जं नाणं सो हु वुच्चइ विणओ । विणएण लहइ नाणं नाणेण विजाणइ विणयं ॥६२।।
* વિનય જ જ્ઞાન છે અને જ્ઞાન જ વિનય છે. બન્ને અભિન્ન છે. અલગ માનવાની જરૂર નથી. કારણ કે વિનયથી જ જ્ઞાન મળે અને જ્ઞાનથી જ વિનય જણાય.
દૂધ અને પાણી હંસ દ્વારા કે ગરમ કરવા દ્વારા હજુ જુદા થઈ શકે, પણ દૂધ અને સાકરને તમે કઈ રીતે અલગ કરી શકશો ? વિનય અને જ્ઞાનનો સંબંધ દૂધ અને સાકર જેવો છે, જેને તમે અલગ કરી શકો નહિ.
* ઘણી વખત એમ થાય : આખો દિવસ વિનય કરતા રહીએ તો ભણવાનું ક્યારે ? અહીં સમાધાન મળે છે : વિનય જ્ઞાનથી અલગ નથી.
જ્ઞાન મેળવવું હોય તો પણ વિનય છોડતા નહિ ને જ્ઞાન મળી ગયું હોય તો પણ વિનય છોડતા નહિ. વિનય છોડશો તો જ્ઞાન ગયું જ સમજે.
* સિદ્ધોને વિનય ખરો ? વિનય તેમના સ્વભાવમાં વણાઈ ગયો. કેવળજ્ઞાન વિનયનું જ ફળ છે. બીજમાંથી વૃક્ષ બની ગયું
કહ્યું કલાપૂર્ણસૂરિએ ક oo