Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સદ્દગતિ થવાની જ છે. વળી, આયુષ્ય પણ પૂરું થવાની તૈયારી જ
ભગવાનની ગતિ સાચે જ અગમ્ય હોય છે. એટલે સમજાયું ને ? મોક્ષમાં વિલંબ આપણા તરફથી થાય છે, ભગવાન તરફથી નહિ.
ભગવાનની આજ્ઞા તમે કેવી શીઘ્રતાથી પાળો છો... તેના પર મોક્ષ-પ્રાપ્તિનો આધાર છે.
ભગવાનની આજ્ઞા શી છે ? ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું તે ભગવાનની આજ્ઞા છે. “આજ્ઞા તુ નિર્મરું વિત્ત, કર્તવ્ય ટિોપમન્ !'
– યોગસાર. કપડાને એકદમ સફેદ બનાવવાની કળા તમને હસ્તગત છે, તેમ મનને એકદમ સફેદ બનાવવાની કળા હસ્તગત કરવી છે ? એ શી રીતે બને ? જ્ઞાન-દર્શનાદિ ગુણોને સદૈવ પોષતા રહો. રાગદ્વેષાદિ ભાવો કાઢતા રહો. આટલું કરશો તો ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ બનતું જ જશે.
જ્ઞાન-સાબુ, દર્શન-પાણી અને ચારિત્ર- ઘસવાની ક્રિયા છે. રાગ-દ્વેષાદિ મેલું પાણી છે, જે સફાઈ કરતાં નીકળી રહ્યું છે.
વસ્ત્રો એકવાર ધોવાયા પછી ફરી મેલાં થાય છે. આપણું મન ફરી મેલું ન બને તે જોવાનું છે. મેલું થઈ જાય તો ફરી સફાઈ કરવાની છે. ગધેડો નાહીને ફરી ધૂળમાં આળોટે તેમ નહિ કરતા.
* જ્ઞાનનું ફળ સમતા છે. સમતાના આધારે સાધના જણાય છે. ચારિત્રનું નામ સામાયિક [સમતા છે.
एतावत्येव तस्याज्ञा, कर्मद्रुमकुठारिका । समस्त-द्वादशांगार्था, सारभूताऽतिदुर्लभा ॥
– યોગસાર સમતાની પ્રતિજ્ઞા લઈને પણ જો આપણે તેને અભરાઈએ ચડાવી દઇએ તો ? વારંવાર વિષમતામાં આળોટતા રહીએ તો ?
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૯૩