Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૬ ૧૦-૪-૨૦૦૦, સોમવાર
લાકડીયા નિવાસી વેલજી મલકચંદ કુબડીઆ પરિવાર આયોજિત ચૈત્રી ઓળી. ૪00 આરાધકો, ખીમઈબેન ધર્મશાળા
* તીર્થકર ભગવંતોએ પૂર્વ જન્મમાં આત્માને શાસનથી એવો ભાવિત કરેલો હોય છે, એના કારણે તીર્થંકરના જન્મમાં આવો પ્રભાવ દેખાય છે. બીજા જીવો પણ ભાવિત થાય, પણ તીર્થંકરની કક્ષાએ ન પહોંચી શકે. રત્નો તો બીજા પણ હોય, પણ ચિંતામણિની તોલે ન આવી શકે. ખાણમાં પડેલા ચિંતામણિને સામાન્ય જન ન ઓળખી શકે, પણ ઝવેરી ઓળખી શકે. તે વખતે પણ તેમાં ચિંતામણિપણું રહેલું જ હોય છે. તેમ ભગવાનમાં પણ હંમેશ માટે પરાર્થતા-પરાર્થ વ્યસનિતા રહેલી જ હોય છે :
‘સામેતે પરાર્થવ્યસનિન: '
નિગોદમાંથી બહાર નીકળતાં જ તીર્થંકરનો આત્મા પત્થર બને તો ચિંતામણિ બને, વનસ્પતિ બને તો પુંડરીક કમળ બને, કલ્પવૃક્ષ બને, જ્યાંથી સહજભાવે પરોપકાર થતો જ રહે.
ભગવાનમાં આ લાયકાત સહજપણે હોય. * વ્યાખ્યાનમાંથી આપણે ચિત્તની નિર્મળતા પ્રમાણે જ મેળવી
૧૧૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ