Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સમલા
ફા. વદ-૭ ૨૭-૩-૨૦૦૦, સોમવાર
* બધા ગુણો બીજી તરફ ને વિનય એક તરફ રહે તો પણ વિનય ચડી જાય. વિનય એટલે ભક્તિ ! વિનય એટલે નમસ્કાર ! વિનય એટલે વેયાવચ્ચ ! વિનય એટલે ગુણાનુરાગ !
આજ સુધી આપણે વિષયોનો, સાંસારિક પદાર્થોનો વિનય કર્યો જ છે. વેપારીઓ કેટલાનો વિનય કરે છે? ગરજ પડ્યે ગધેડાને પણ બાપ બનાવે ! સેવકના ભવમાં રાજાનો, નોકરના ભાવમાં શેઠનો, સૈનિકના ભવમાં સેનાપતિનો ઘણો વિનય સાચવ્યો છે. પણ લોકોત્તર વિનય કદી મેળવ્યો નથી.
અહીં કહે છે કે - લૌકિકમાં પણ વિનય વિના સફળતા ન મળે તો લોકોત્તર દુનિયામાં તો વિનય વિના સફળતા મળે જ ક્યાંથી ?
વિનો મુદ્દાર' વિનય મોક્ષનું દ્વાર છે. વિનયમાં સર્વ ગુણોનો સંગ્રહ છે.
દેવ-વંદન, ગુરુ-વંદન વગેરેમાં આવતો વંદન શબ્દ વિનયનો જ વાચક છે. “બાયાસ્ત મૂહું વિમો’ વિનય માત્ર આચારનું જ નહિ, મોક્ષનું દ્વાર છે. મોક્ષનું દ્વાર શા માટે ? વિનય સ્વયં મોક્ષરૂપ છે, એમ પણ કહી શકાય. “ઋવિMો મોવો’ એમ શાસ્ત્રમાં કહ્યું
છે.
૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ