Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બાકરથલી
ફા. વદ-૫ ૨૫-૩-૨૦૦૦, શનિવાર
* ભગવાનના ચતુર્વિધ સંઘનો આંકડો સાંભળીને લાગે : આટલો જ આંકડો કેમ ? પણ આ બધા નૈશ્ચયિક [ સ્વ – ગુણઠાણે રહેલા ] સમજવા. વળી, ભગવાનથી પ્રતિબોધિત સમજવા. એમના શિષ્યો દ્વારા પ્રતિબોધિત હોય તે અલગ.
* જ્યાં સુધી ક્ષાયિકભાવ ન મળે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવોની વૃદ્ધિ થવી જોઇએ. અપુનબંધક બન્યા પછી જ એમ થઈ શકે. આની પ્રતીતિ શી ? બાહ્ય કોઈ પદાર્થ વિના જ એને અંદરથી આસ્વાદ આવતો રહે છે.
પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો વાંચતાં લાગે : ૪-૫ કે ૬ ગુણસ્થાનકની વાત છોડો, અપુનબંધક અવસ્થા પણ ઘણી દુર્લભ છે. આપણા વેષ પર નહિ, અંતરંગ પરિણામો પર આપણી સગતિદુર્ગતિ આધારિત છે.
* દીક્ષા લેવી એટલે મોહ સામે ખુલ્લું યુદ્ધ છેડવું ! એમાં જરા ગાફેલ રહ્યા કે ગયા !
* સેવા અને વિનય એવા ગુણો છે જેનાથી વગર મહેનતે સમ્યગુ-દર્શન, સમ્યગૂ જ્ઞાન આદિ મળે છે. સમ્યફ ચારિત્ર સમ્યમ્ જ્ઞાનને આધીન છે. સમ્યગૂ જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુ વિનયને
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૫