Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વણા
ફા. વદ-૪ ૨૪-૩-૨૦૦૦, શુક્રવાર
हंतूण सव्वमाणं सीसो होऊण ताव सिक्खाहि । सीसस्स हुँति सीसा, न हुति सीसा असीसस्स ॥४३।।
- ચંદાવિન્ઝય પયના * સર્વોત્કૃષ્ટ દુર્લભ ચીજો આપણને મળી છે. એનો સદુપયોગ કરીએ તો કામ થઈ જાય. આ જન્મમાં નહિ, તો ૨-૪ કે ૭-૮ ભવમાં કામ થઇ જાય.
* આ ચંદાવિઝય પન્ના ગ્રંથમાં અત્યારે જ સાધનામાં સહાયક બને તેવા સદ્ગુણોને પ્રાપ્ત કરવાની વાત છે.
આપણને વગર મહેનતે આ ચારિત્ર મળી ગયું છે એ વાત ખરી, પણ આ તો દ્રવ્ય ચારિત્ર છે. ભાવ ચારિત્ર તો આત્મગુણો દ્વારા આવે, વિનયાદિથી આવે. સફેદ કપડા, સારો દાંડો, ચમકતો ઓઘો - આવા સાફ-શુદ્ધ વેષથી સાધુપણું મળી જશે, એવું રખે માનતા. અરે ! દ્રવ્યથી ઉત્કૃષ્ટ ક્રિયા હોવા છતાં ભાવચારિત્ર ન હોય એવુંય બને.
* મોક્ષની ઇચ્છા છે – એમ કહેવા છતાં તેની સાધના જ ન કરીએ તો આપણી મોક્ષેચ્છા સાચી ગણાય ખરી ? શત્રુંજય જવાની ઇચ્છા છે – એમ બોલનારો તે તરફ ક્યારેય ડગલું ય ન ભરે તો
૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ