Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચાલી શકે નહિ. ગૃહસ્થોમાં પણ દયા-દાન આદિ ગુણો આટલા વિકસેલા હોય તો આપણામાં ગુણો કેવા હોવા જોઈએ ?
* ૧૪ પૂર્વો મોઢે હોવા જરૂરી નથી, એક પદના આલંબને પણ અનંતા જીવો સમ્યકત્વ પામ્યા છે. ઉપશમ-વિવેક-સંવર આ ત્રણ શબ્દના શ્રવણથી પેલો ચિલાતીપુત્ર સગતિગામી બનેલો.
* આજે ચેલા-ચેલી વધી રહ્યા છે તેનું કારણ તેની શરત તમે [ગુરુ] માન્ય રાખો છો તે છે. તમે જેટલી દીક્ષા માટે મહેનત કરો છો, એટલી તેને સમ્યક્ત્વ પમાડવા કરો છો ? સમ્યક્ત્વ જ સંસારમાં ખૂબ દુર્લભ છે.
* મધ્યવન - ફર્મ - નિર્નાર્થ પરિવોઢવ્યા: પરિષદ: |
માર્ગથી ભ્રષ્ટ ન થવાય તથા કર્મ નિર્જરા માટે પરિષદો સહન કરવાના છે – એમ તત્ત્વાર્થમાં કહ્યું છે.
આજ સુધી દુઃખો ઘણા સહન કર્યા છે, પણ રડી-રડીને કર્યા છે. હસતા-હસતા કદી સહન નથી કર્યા. જો એમ કર્યું હોત તો કર્મ મૂળથી ઉખડી જાત.
શિષ્ય બનવાની પ્રથમ શરત આ છે : સહનશીલતા.
આના સ્થાને આપણે એને સુખશીલ બનાવીએ તો ? આવા સુખ-શીલોને વૃદ્ધો “ખસઠ” [ખ = ખાવું, સ = સૂવું, ઠ = ઠલ્લે જવું કહેતા.
વેપાર વિના વેપારીને દિવસ નકામો લાગે, તેમ કર્મ-નિર્જરા વગરનો દિવસ સાધુને નકામો લાગે.
ભગવાને બતાવેલા દરેક અનુષ્ઠાનમાં પુણ્ય, સંવર અને નિર્જરા રહેલા જ છે એમ નક્કી માનજો.
* મોહ ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ તોય ધર્મશાસન જયવંતું જ વર્તે છે, વર્તશે. આખરે ધર્મશાસન નફામાં જ છે. દર છ મહિને એક સિદ્ધ, દર મહિને એક સર્વવિરતિ, દર પંદર દિવસે એક દેશવિરતિ, દર સાત દિવસે એક જીવ સમ્યક્ત્વ પામે જ. આ ધર્મશાસનનો વિજય છે.
પ૪ કહ્યું કલાપૂર્ણસૂરિએ