Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/001137/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત 01 ૯ ૧ ૧ ૬ ૨ 'પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરી www.jainebrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ખા નહિ જ વિવેચન ભાગ-૪ hes ધરમપુર પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર સંચાલિત) ધરમપુર-૩૯૫૦ જીલ્લો વલસા, ગુજરાત ચૈત્ર સુદ ૧૩, મહાવીરવંતી વિ.સં. ૨૦૫૭ ૬-૪-૨૦૦૧ પ્રથમ આવૃત્તિ ઃ પ્રત ૩૦૦૦ પડતર કિંમત ચાર ભાગના રૂ.5/વેચાણ કિંમત ચાર ભાગના રૂ.૩૦૦| મઃ ગુડપ્રીન્ટ મુંબઈ-૪૦૦૧૨ પ્રાપ્તિ સ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર ધરમપુર-૩૯૬૦૫૦ જીલ્લો વલસાડ ગુજરાત ૨. નં. (૦૨૬,૩૩) ૪૨૯૬૯ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર ૧૦-બી, ઈસ્ટ વિંગ, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, -તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૩૪ ટે. નં. (૦૨૨) ૪૯૧૧૩૫૨૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર વિવેચન Page #5 -------------------------------------------------------------------------- ________________ અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવઃ અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો ! જયવંત વર્તો ! ! –શ્રીમદ્ રાજચંદ્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ કારતક સુદ પૂનમ ૧૯૨૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગળ સર્જન આસો વદ ૧ સં. ૧૯૫૨ નડિયાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ? anton६. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ भात्मसिदि. ---- लेस्ट३५ समस्या दिना, परम्यो दु:ख भवंर आपकी तो पहली रुद्‌रे लगत वर्तमान दिसारखा भात्मादिने भर हाजमा, मोक्ष मार्ग बहु खोड लाग्यो भान भगोने के देना बेडलाई ईरानni ji, होश क्रिया - ४९ धर्ध माने मानेर मोनो दुईपर उसके लेश जाही क्रियामा वनिता अंतर भेट १३, झान मार्ग नरदेवता, तेर क्रियान ময कंध मोदर छ छुटना, लाने ac niहि बजे मोएर दर्शमा १९७६ द्वाराराणीने आंतर बैवेत्यादि रुईज तो ले सब भातमज्ञान, तेमळ भयात्म झाखनी, प्राहितां निधान ५ योग विभाग न दित्तमा, भाये न तेनेान भार त्याग दिया, तो लूले जिल्लाक د * * * * * * ******* * * * * * * * * * * * * ****T*E Page #13 -------------------------------------------------------------------------- ________________ * *********************** **** hi nid है मो.५ . i n .. mm . और. ८ ॥ ५. २१११३ १३६, van... ५८ नि०१६ ले त memain . निको हो, m५ ५ ५३1020, २११०४३ १can५. १. ५ १.४३ 11 ned, १० &0G१ , यो G१ वि, हो nichik५. " tattttik************************** २११३८ 6५१५, २71005000३५, २५.५९। 6.12.17410५३५. १२ ※※※※※AAjjjjjjjjjjjjjjjjjjみ※※※※※※※** antant no. ५ ८ (२३५१ २२, प्र.५ ६१ २०६१५३ कोर, Tri २४१. 23 १५. २०६१३ 1010 ते निर ॥२५i , 30 २०५८ १४ शे ५२-५७, ५. ५२ ५.tain nind audion५. १४ noun २१९१३ , २०७४ 4६५०५ . प्र. and ५.५. १५ ******************* ****** Page #14 -------------------------------------------------------------------------- ________________ Sa+s 4 %%%%%%%%%%% %%%%% % % 24k 10 ทา 99, 1 จากเริค ค , รูเเ เu0 x 6.7 3 ทเน€s Ac, โดะ 6 คนจน ตุง 313 246 243.. • จาก33 9:39. นาน 30มเจ, 34 ตุเish ter.1991 33 ตุเจเจ. 14 ติน ทเนๆดน, m n ยุโดเมน รุต 8 9 ตุเกิด, วาน* ข (รูตเ.. • หง11 สิงหา, Cาเต (12 sit หtเติมนิด 3ฟน ๆ ตะหia: 23 太太太太太先水东东东未来来来来来来来来来来来来来来来来来来来来来来来太太 งาน หy s4 , ห% ติเนินเง, ใน 1 เจนฯ, หนุน จ. 23 แฯ หว คนดี, นน ๆ เหt, ละ 1งเจ ต๕one, no ga ( 942 23 S55jjjjjjjjjjjjJjjjjjjjj5******** ทจเฉket + นวน นุ่น รุเจงเR, หเว 43 สิน ทน4เครนต์, วิปริต Re: 27 • (@ด 24 เดเด้, ใตฯ133 เงิน, “ผู้จัด อาห๕ ก. $ งแดิเริ่. 12 ****************** ***** Page #15 -------------------------------------------------------------------------- ________________ . 4%%%% %% %%%%%%%%% %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%% ५. २०१३ni. परिवि ทาง 4 เ ด็ 46 , (คะ เจเจ" 964 24 (น. เดินหi, ๙ - 31 “เดิ คิด ดิน,มาเหt. หค At49. วง (19 3-43ๆ ฯโดา, 2465 50 ทดทๆ พอ กด์ c3 เนศ, 64 6334เค. 24 มาน . คนๆนะ, หเ,4 หi , x 45 3, 2นๆ อย่าง เน เคเSt. Ray 4, 130, เห วิน จาน, “3 ต+หi (8 39 , t at g4 1เi, 9-11 เด gh & <<ดเห%, .” & Sy+ รุy 4 ฤด, 4 ท่าน เวน อาหte3 ๆ หน4โว,ท รุดเกิ 32 ************************************** ด! ?hเกะ, หจก 694, 36, cๆ ทเทเร็ว. เc“ต คนจา 33 มาเทเg (. หtch เจ , 6 14. จอฯ • ก 39 18 scent, ntchแ# ดอน 3 74 ในเde , ม(tab 4 13, 3 เเช3น. พแนเชี. ***************** ********** Page #16 -------------------------------------------------------------------------- ________________ 然来来来来来来来来来来来来来来来来来来来来来来来就 mi alt Stant, cineakneck, hrean.cn.amttiann. 35 on & omni zxx32cm, 1/1 w mentes, an am no . 30 萊长长长长长******************米米米米米米米米米米米 Min vitant, nix tanon mds hauntdt, di muchefset 1. 32 Aut o n of Agg, m at and on. ANS na of kind, nba 2inain. 3C one oli n Page #17 -------------------------------------------------------------------------- ________________ 然来来来来来来来来来来来来来来来来来来来来来来来来 om @ ni nital, an rus 3k, mon to mame and, at a det: **以状状长张米米米米米米米米米米米米米米米米米米米米米米******* onkau Kue maton, make th, ace, Then, anal neaci, nie azg silan. rę to montent that outh Ame ? rub mat, e \. ma on.ro n. 6 at entant, 022. All get, junital ac, ah mete jtut.nl andin. int 3 34 mt = ful.1-30, metaihun, ku. Gammy, All casademin. 1 ****************jjjjjjjjjjjjAAAAAAAAA* mealt=utfunn, much, et Janus, k on one, oh many hua.。 中 42.64位,企ncup, mash mamapuad Mart.cn 6 Shai, no no sel3 fun ka Angli.te mendmin. 2 ¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥ Page #18 -------------------------------------------------------------------------- ________________ ************************** 未来来来来来来来来来来来来来来来来来来来来来来去去去去去去去去去去去去都 १८ • nd , mat a bate, onecheon 01.4 - 1 . 3 11 १५२-५विणे, नो २१६८ orciak, 12 ३५ ५५ ५.cam. m ५८,५. on one, Anana, M ata 10, 2018 ४ ५२५४नि १५ , २- ५८ nhaner, १८ ले 9t, की • nhase. ८५ At Man५५, भा ५९ drin६५५. ७ *********************************升**** Oneinent, neon ht, को १२३, m५२० मे स. १८ winnri स्वत्या , 2 16 , in a n , rint वि०२. ८८ - in hi, onect Minute nik५. ५६४ &001, ५६०५, Momen ५6. nichtartounts min. ***************** * **** Page #19 -------------------------------------------------------------------------- ________________ ને{s{બાય તે ભ દેશ છે, જે ા,રૂરી નશ્ય, ચેવળ ઉત્પત્તિ લે, ોના સ્વપુજન વન? ૬૨ જેના અનુભવમ્ ને ઉત્પન્ન નવું જ્ઞા, જે આ જૂદા વિના, + ૧ Ìમેં જાન્ જે સંભોગો ઉપ યે, તે તે જુાવસે; ઝા નિમ્નસ ૬૪ નદ નોમ મુળ કેવળ ઊપજે મેળે ન મ એવો ફુજાવ ને, ૨ે ૨૦૧૧. કોઈ સંભાળ નહીં, જેને ઉત્તર ખ ૧૧૧ જેને કોઈ, તે નખ કોબી ૧૨૧મ્ભ તા, CF ની કે વ૧ ૨ ૨૬૨ તે, ત્ નિ મામ નિરૂ છે, કદ, દલોત, जालाही ददे मध्येक, इरान भने थाह ૬૩ ૧૬૬ મારે કોઈ વસ્તુ, દુબળહૉમ ૧ ૨, કેતન પામે ૧૨ ો, ડુંhi જાળે ૧ દૈ ૬૭ વાળ સહીશું, જે જાહી હૃદાર, ૧૬૦ તે. ઘેરે નાકે, ૨૩જાવ નિર્દી ૬૯ ૬૮ . ********* Page #20 -------------------------------------------------------------------------- ________________ 米米米米米米米米米米米米米米米 शिष्य उवाय ૧ ફુનો ન કુર્મળ, ૩ અા ૨૧૯ ૧૧૯ ધં, `` બોર્મમાં ૭૧ ñ H; આ ા ારાંશ ને, Ì ×îલ બંધ, ભલા ઈક્વેર, ૧૧ બરાબર ૭૩ માટે માલ ઉપપનો કુર્મ ni Yi ♦ થયું કોઈ નહેરુ જ્યા નહિં જારે જા ૭૩ ૨૧ના નળ ૨૩૩ વમ હૉ ૧ ચેતન કે રહ્યા, રા કહે જે કુર્મ, ઇવાલ ી, રા, જુએ જારી ક थोभ, જેમેન ૬૨૦ ૧૧, તેથી ~ વૈવસ્તારી, તે નાહે જ ૧૯ ૭૬ ફેફ્ળ પહેલ રૂમ ને, ભાસે તને? અસંગ છે. રા થ્રી વ્હા નન્નાને તેમ }ર્જાયો રે,ઈશ્ર્વ૨ ૨′4 ૧૧ ઝેરું જે હવે, રોષપ્રભાવ. વ્ येतन ले किन लानमा, हुती आहे २ दलाव, ૧૪ નવે જાળ, ગુરુ ગળા ૧. - ૭૬ Go ૭૮. Page #21 -------------------------------------------------------------------------- ________________ ********* *************** 火未来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去式去耕 शिष्य १५.५. ५ भEnted, ५४ife ahe सो 110 .. 38, इ.५वा ५. . ३० Sea xed inves २१५५३; orn ni D j - १५. ८० See 04 pिarate or +ต ริเตเนต รมย์, ตอง - (! an... १३९५४५. MEXP१८५१०, ११३५, अ५ ५२५, nece रेभ. ८१ २९ inde. .५ ३५१५; in ymsm vi, marri rut. ८३ भाभा, ले; १८२९. नेले. शाल३५. ८1 ११. २२१९०, ११ १२, Mam५१, ५.१ . र minा २५०11-14 , ren ५.० रा . ८५ ************************************* ************************** Page #22 -------------------------------------------------------------------------- ________________ *************************** २ शिव्य११. - Maint a t, ५६ तो 2 is, लोm nin ५५, ५-fhun १.८७ २.२. लो, २५० nिi, MIMR Aften, Manahi. ८८ 大太太太太大太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太林 Met, oretion ans M६५०१०१, utta 34. ८ रातो mind, ९, र शुलाशni, 6५० ५५... Rasaiant, ammelas भोर, (Ruman ranimun ..१ ************************************* सो १९ mart, न दि५ ६.९; its rini, 24tions. ४२ Maa na tant, २ ६५.५ amra सायमी, 7 और दिवा. 34 Mohi na h i ra, MA BAAP ने, ९. ना मे runs, art; ५.१ nent, . 6५१२० १.११ ४ ************************** Page #23 -------------------------------------------------------------------------- ________________ 然来来来去去去去去去去去去去去去去去去去去去去去去 Galan 15. Ann.La ansfor; ano magent, 66 6th antmil.cs | 1h Kil. 305386a. ty gram sy, mtch.tgamo, ara: asield, Anto his wiln ( in-mit min, marts rects, with num1.ali A15543c.lt *本东来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去就 Fest It hoi , u switch: Airne 6s int, ni-s mean.cc w, nan, SHA 238, shows un, or n . 1 *********/********※※※※※※※※※み、AAAAA* Mient Ann Cocont of man alin, on menTalkhalf in 101 3D min hant, timi jmd, shi meth,tuit a test. 13 syntash ma, so a3 11, @ s anitunt, m36h auth. 103 尖¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥ Page #24 -------------------------------------------------------------------------- ________________ *************************** १५ को.ति, Rak v. प्र Am५०न, ani aide १ १. m ind, wine दि१५, Karnali , rendence.१०४ ५१५९. znd, ५ ॥२, २५६ २an, manif AER. १०५ नि, e, Team fon d, initi. १०० 太太太太太太太太太太太太太太太太多太多东东太太太太太来来来来来来来来去去就 ३५.५-१. 6५२ , mata M५, mt inc५, हरि लिया. १०८ लिस ५, २०१३कोप, तो पासा , २शो५. १० शिr nare 4, ५ १३७१, तर ५६mandari ५६. १० २ - २५.५, Mohamm, १. निormati५३nanam ५६.nananes, 2 मि.mn, 664 dan, Atta. 2 ३५१ २-५.५७, ०५१ सा र ११५ राते, १८ स. 113 ******************************** **** ******************* ****** Page #25 -------------------------------------------------------------------------- ________________ ************************** 火太太太太老太太太太太太来来来来来来来来来来来来来来来来来来去去去去去去去就 hin५९. omani R.. me Makar ॥१६०२१.१.॥ पो , नरjिix. और लोne, amavatar ॥ Mame sta५३४, nine j, mcnik९५३५. १६ ४ -१५१, २०५२ २२५६५ - सिम 25. १२ दि२ का ५५. . ३५ वनि, naam ६une sit, २१८0 minit. १८ nिde. २१६२१३२. 6५१११,anerjanuamn. ( fornina, १२ १३ रा. ११ 100-२-५३५२, १३ ३ , not aman ने, १ ९३५.१२.. { Mishe मनो,दि. ५ ५ ५५ वृक्ष Rimini, मो ५.३१ १५. निnि , ६५ ०.३५, inden. A ५२५११. १२२. A SEX - शु ले ५१, Panorcो , rinorit. 123 ************************************ ************************** Page #26 -------------------------------------------------------------------------- ________________ *** 米米米米米米米米 દો! સ્વરોઠી ૧૪ર, શૈલાશક આધાર, આ વર્ષે રજી કર્યા, શું ગજું ચવા, ગ, તે તો પ્રભુએ રાષ્ટ્રો, વ, ચારોળ 2 સોલી; ટો! ટો!R,૧૨૪ આ દેવી જ્વા, વન્તોત્રં ગીત, ૧૯૨૧, ૬૪ ૨૧ ૬૯ ૨૧ છું, દો ઊ૧. ૧૬ ૧૧નાર, ળ ફી ૧૨૯૨૧૧, ને – ઊભુંબો ૧ર, કુવે અમાર ૬ શ્રી રામી વેળ, સ્વાદે ૧ બા જામ હી ૬૫ ૨૫, ૩ બ ને વચ્છો સ્થિતિ 3 ક ળતા, ઉપસંહાર દર્શન દે શમાને છે, આ દર્ વિ૨તાં વિસ્તા૨, ૨ા ૨ટે ૧ કુ. ૧} ni d ૧૨૬ M ૧૩૭ ૧૮ શાળાં િમ ગળાદે, નેતરે વૈધ 3. ૧૧ મારે, એપલેનાર ખાન, ૧૨૮૦ ૧૯ જે, કુનો મત્સ્ય ઉગા 1 નાખલ, છેડો હેર સ્પા ૧૩૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ 3%83% *3%8396%E ********************* નિમ કા ળ જળા, સન ૧૧ નોર, નિશ્ચમ રોળ લીમ, સન ફરજ ર૧. ૧૩૧ - નિ ૧, આ માં નળ કહે, નો બેલ નટ, બજે રહેલ. ૧૩૨ છ મન એ કલ્પના, તે નહિ ર૬ બેટર, ૧ ની ૨૮, ૧નિ નહી રે. ૧૩૩ ના૨૮ળ રાની છાલ, કનકાળમાં ૧, પરદે કાળ ભવિષ્યમ, માર્ગ જેવા કે, ૧૧૪ રત ૦૧ છે , ને તેમ છે , 18 ના વિનાશ, નિાિ કરમ.૧૭ Guetเก่า ๆ ย ม : * ดอก, ત્રિ , ૨ટે min વિ . ૩૬ કબળ રતાળ ? અને, અંતે છુટકે ન કોટ, જે સમય કહી છે, માત્ર હાજનો કોઇ.૩૦ દમ, વિ, તમને , ૧૧૧, ત્યા, વેરામ, હમ મુમુલ ડેટરિક, આ ૨૧ કે ૨૩ . ૧૩૮ તો જ ય ય નૈ, અપવા , તે કે જ્ઞાન , લકી ફેરવે અંત ૧૩૮ ************************************ જજજજ જજ Page #28 -------------------------------------------------------------------------- ________________ 越来来来来来来来来来来来来来来来来来来来来来秘 ninounten, most +khaham, Aief Amth, ant All Rin....。 *in} ud Man sted , thinani titly, mini Meie.tw Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ગ્રંથપરિચય ખંડ - ૨ : ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના ખંડ પ્રકરણ ૧ ગ્રંથસર્જન પ્રકરણ - ૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર પ્રકરણ - ૧ પ્રકરણ - ર પ્રકરણ ૩ પ્રકરણ ૪ પ્રકરણ - ૫ પ્રકરણ ६ પ્રકરણ પ્રકરણ પ્રકરણ - પ્રકરણ -૧૦ ગ્રંથમાં સમાવિષ્ટ વિષયો દ્વિતીય પદ - ‘આત્મા નિત્ય છે'. ૭ તૃતીય પદ - ‘આત્મા કર્મનો કર્તા છે' ૮ ચતુર્થ પદ - ‘આત્મા કર્મનો ભોક્તા છે' પંચમ પદ - ‘મોક્ષ છે’ ષષ્ઠમ પદ - ‘મોક્ષનો ઉપાય છે શિષ્યબોધબીજપ્રાપ્તિકથન.. ઉપસંહાર... ખંડ - ૩ : ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એક મૂલ્યાંકન પ્રકરણ - ૧ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન પ્રકરણ ૨ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન પ્રકરણ -૧૧ પ્રકરણ -૧૨ - ૪ : પરિશિષ્ટ પરિશિષ્ટ-૧ પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ-૩ ઉપોદ્ઘાત... મતાર્થીલક્ષણ.. આત્માર્થીલક્ષણ.. પપદનામકથન.. પ્રથમ પદ - ‘આત્મા છે’ ષડ્દર્શનપરિચય સંદર્ભગ્રંથસૂચિ વિષયસૂચિ ભાગ-૧ ભાગ-૨ ખંડ-૨ (પ્રકરણ ૪-૮) ભાગ-૩ ખંડ-૨ (પ્રકરણ ૯-૧૧) ભાગ-૪ ખંડ-૧ (પ્રકરણ ૧-૨), ખંડ-૨ (પ્રકરણ ૧-૩) (૨૯) ૧- ૨૩) (ગાથા (ગાથા ૨૪ ૩૩) (ગાથા ૩૪- ૪૨) (ગાથા ૪૩- ૪૪) ૪૫- ૫૮) ૫૯- ૭૦) ખંડ-૨ (પ્રકરણ ૧૨), ખંડ-૩ (પ્રકરણ ૧-૨), ખંડ-૪ (પરિશિષ્ટ ૧-૩) (ગાથા (ગાથા (ગાથા (ગાથા (ગાથા (ગાથા ૯૨-૧૧૮) (ગાથા ૧૧૯-૧૨૭) (ગાથા ૧૨૮-૧૪૨) ૭૧- ૭૮) ૭૯- ૮૬) ૮૭– ૯૧) Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩૦) અનુક્રમણિકા ખંડ ૨ : ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના પ્રકરણ-૧૨ ઉપસંહાર .. ગાથા - ૧૨૮ દર્શન ષટે સમાય છે. = સમાપન ગાથા - ૧૨૯ આત્મભાંતિ સમ રોગ નહિ ગાથા - ૧૩૦ જો ઇચ્છો પરમાર્થ તો . ગાથા - ૧૩૧ નિશ્ચયવાણી સાંભળી ગાથા - ૧૩૨ નય નિશ્ચય એકાંતથી. ગાથા - ૧૩૩ ગચ્છમતની જે કલ્પના ગાથા - ૧૩૪ આગળ જ્ઞાની થઈ ગયા ગાથા - ૧૩૫ સર્વ જીવ છે સિદ્ધ સમ ગાથા - ૧૩૬ ઉપાદાનનું નામ લઈ ગાથા - ૧૩૭ મુખથી જ્ઞાન કથે અને ગાથા - ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા ગાથા - ૧૩૯ મોહભાવ ક્ષય હોય જ્યાં ગાથા - ૧૪૦ સકળ જગત તે એઠવત્ ગાથા - ૧૪૧ સ્થાનક પાંચ વિચારીને ગાથા - ૧૪૨ દેહ છતાં જેની દશા ... ખંડ - ૩ : ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ભૂમિકા પ્રકરણ-૧ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન પ્રકરણ-૨ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન સમાપન..... ખંડ - ૪ : પરિશિષ્ટ પરિશિષ્ટ-૧ ષડ્દર્શનપરિચય HSL...... - એક મૂલ્યાંકન ૧ ૩ ૧૯ ૪૫ ૭૯ ૧૦૫ ૧૩૧ ૧૫૧ ૧૬૯ ૨૦૭ ૨૪૧ ૨૬૧ ૨૮૯ ૩૧૧ ૩૩૫ ૩૫૩ ૩૭૧ ૩૭૦ ૩૭૯ ૪૧૭ ૪૮૭ ૪૯૩ ૪૯૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શન. ચાર્વાક દર્શન (I) પ્રાસ્તાવિક (II) પ્રમાણમીમાંસા (III) તત્ત્વમીમાંસા (IV) આચારમીમાંસા (V) ઉપસંહાર જૈન દર્શન . (I) પ્રાસ્તાવિક (II) પ્રમાણમીમાંસા (III) તત્ત્વમીમાંસા૧ (IV) આચારમીમાંસા (V) ઉપસંહાર બૌદ્ધ દર્શન (I) પ્રાસ્તાવિક (II) પ્રમાણમીમાંસા (III) તત્ત્વમીમાંસા (IV) આચારમીમાંસા (V) ઉપસંહાર ન્યાય દર્શન . (I) પ્રાસ્તાવિક (II) પ્રમાણમીમાંસા (III) તત્ત્વમીમાંસા (IV) આચારમીમાંસા (V) ઉપસંહાર વૈશેષિક દર્શન (I) પ્રાસ્તાવિક (II) પ્રમાણમીમાંસા (III) તત્ત્વમીમાંસા (IV) આચારમીમાંસા (V) ઉપસંહાર (૩૧) ૪૯૯ ૫૦૯ ૫૦૯ ૫૧૧ ૫૧૩ ૫૧૬ ૫૧૮ ૫૨૧ ૫૨૧ ૫૨૮ ૫૩૧ ૫૩૬ ૫૪૨ ૫૪૫ ૫૪૫ ૫૫૨ ૫૫૩ ૫૫૭ ૫૬૪ ૫૬૭ ૫૬૭ ૫૬૯ ૫૭૭ ૫૮૩ ૧૮૫ ૫૮૭ ૫૮૭ ૫૮૯ ૫૯૦ ૧૯૪ ૧૯૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ - ૬૦૧ • • •••••••••••... ૦. 9 (૩૨) સાંખ્ય દર્શન ..... ૫૯૭ (I) પ્રાસ્તાવિક ........ ૫૯૭ (II) પ્રમાણમીમાંસા ......... પ૯૯, (III) તત્ત્વમીમાંસા ........ (IV) આચારમીમાંસા ..................................................૬૧૦ (V) ઉપસંહાર ....... ......... ૬ ૧૨ યોગ દર્શન .............. .............. ૬૧૫ (1) પ્રાસ્તાવિક .......... ........૬૧૫ (II) પ્રમાણમીમાંસા ...... ૬૧૭ (III) તત્ત્વમીમાંસા ....... ૬૧૭ (IV) આચારમીમાંસા ....... (V) ઉપસંહાર ૬૨૪ પૂર્વ મીમાંસા દર્શન...... (I) પ્રાસ્તાવિક ..................... (II) પ્રમાણમીમાંસા ...... (III) તત્ત્વમીમાંસા ....... (IV) આચારમીમાંસા ..... ......... (V) ઉપસંહાર ........... .............................. ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ........... . . . . . . . . . . . . . ૩૯ (I) પ્રાસ્તાવિક ૬૩૯ શ્રી શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ .. .........૬૪૩ શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ ............ .........૬૪૭ શ્રી મધ્વાચાર્યનો વૈતવાદ ................. ......૬૫૧ શ્રી નિબાર્કાચાર્યનો વૈતાદ્વૈતવાદ .......... ૬૫૫ શ્રી વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈતવાદ ........... .............૬૫૮ (II) ઉપસંહાર .... ........ ૬૬૨ સમાપન ....... પરિશિષ્ટ-૨ સંદર્ભગ્રંથસૂચિ ......... ...... ૬૬૭ પરિશિષ્ટ-૩ વિષયસૂચિ ...... ૬૯૧ ૬૨૯ હ ? ૬૩૭ ૬૬૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ પ્રકરણ - ૧૨ ઉપસંહાર Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧ ૨૮ ન પડે માપે છે, સા હ ૧૪ હિ, વિચા૨ કિn ૨૧, ૨૨૫ ૨ટે ૧ કઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૨૮ નિષ્કારણ કરુણાશીલ એવા શ્રીગુરુએ અપૂર્વ ઉપકાર કરી આત્માર્થે ઉપદેશ ભૂમિકા "] આપ્યો, જે સમજાવાથી શિષ્યને આત્માનું ભાન થયું, બોધબીજની પ્રાપ્તિ થઈ. શ્રીગુરુનો તે ઉપકાર વેદાતાં સુશિષ્યને અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થઈ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પરમ વિનયવંત શિષ્યને જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ પ્રગટે છે, જેનો ઉલ્લેખ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન વિભાગની નવ ગાથાઓમાં જોવા મળે છે. તેમાં છ પદની સમજણનો સાર સ્વાનુભવની અભિવ્યક્તિના આકારમાં દર્શાવ્યા પછી મોક્ષમાર્ગ બતાવવારૂપ જે કરુણા શ્રીગુરુએ કરી તે અર્થે અત્યંત ઉલ્લાસપૂર્વક તેમનો ઋણસ્વીકાર ભાવયુક્ત તથા અર્થગંભીર શબ્દોમાં આલેખ્યો છે. તેમાં શ્રીમદે રજૂ કરેલો ગુરુભક્તિનો આદર્શ જોઈ શકાય છે. આત્માનું પરમ હિત કરનાર શ્રીગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ દર્શાવનારી સર્વોત્કૃષ્ટ ગાથાઓની ભેટ આપી, શ્રીમદ્ હવે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ના સમાપન તરફ વળે છે. તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અપૂર્વ ગ્રંથની પૂર્ણાહુતિ ૧પ ગાથાના ભવ્ય ઉપસંહાર દ્વારા કરે છે. આ શાસ્ત્રનાં પ્રત્યેક અંગની જેવી રીતે કોઈ ને કોઈ વિશિષ્ટ લાક્ષણિકતા છે, તેવી રીતે એનો ઉપસંહાર પણ અદ્ભુ ત છે. ઉપ = સમીપ; સંહાર = નાશ, વિધ્વંસ. સમીપ રહીને નાશ કરનાર તે ઉપસંહાર. મુમુક્ષુ જીવના દોષોનો અત્યંત નિકટતાથી, સંપૂર્ણતાથી, નિશ્ચિતપણે છેદ ઉડાડનાર આ ઉપસંહાર એક સ્વતંત્ર શાસ્ત્રની ગરજ સારે એટલી સમૃદ્ધિ સમાવીને બેઠો છે. પુનઃ પુનઃ વિચારવા યોગ્ય, અભ્યાસ કરવા યોગ્ય, ભાવવા યોગ્ય અર્થગંભીર ગાથાઓનો આ ક્રમબદ્ધ પ્રવાહ આત્માર્થીના અંતરમાં અહોભાવ તથા પ્રસન્નતા પ્રગટાવે છે. સત્પરુષનાં એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે - આ કથનની યથાર્થતા અત્રે પ્રત્યક્ષ સમજાય છે. સ્વહિત સાધવા તત્પર એવો વિવેકી જીવ પોતાની વર્તમાન દશા અનુસાર પોતાને શું હિતકારી છે અને શું અહિતકારી છે તેનો નિર્ણય આ ઉપસંહાર દ્વારા કરી શકે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ઉપસંહારની પ્રશસ્તિ કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – આત્મસિદ્ધિ સિદ્ધ કરાવનારા આ આત્મસિદ્ધિ પ્રાસાદનું આવું ભવ્ય નિર્માણ કરી, આ દિવ્ય આત્મસિદ્ધિપ્રાસાદના શિખરે જાણે અમૃતસંકૃત સુવર્ણકળશ ચડાવતા હોય આ જગદ્ગુરુ પંચદશ ગાથાનો ભવ્ય ઉપસંહાર કરે છે; મેરુ સમા ઉન્નત Page #39 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આત્મસિદ્ધિશાસ્ત્ર મંદિરના શિખરે, જાણે સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી જગતના ચોકમાં દિવ્ય પ્રકાશ પાથરતી રત્નદીપિકાઓ પ્રગટાવતા હોય એમ પૂર્ણ તત્ત્વકળાપૂર્ણ રાજચંદ્ર આ પૂર્ણકળામય પંચદશ ગાથાથી આ શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ કરે છે.’૧ ગાથા ૪૨માં શ્રીમદે કહ્યું હતું કે મોક્ષમાર્ગ સમજાય તે હેતુથી આત્માનાં છ પદને ગુરુશિષ્યસંવાદ દ્વારા અહીં કહું છું. વળી, ગાથા ૪૪માં કહ્યું હતું કે ષડ્દર્શનની પ્રયોજનભૂત તત્ત્વચર્ચા આ ષટ્પદમાં સમાવેશ પામી જાય છે. તદનુસાર શ્રીમદે ગુરુશિષ્યસંવાદ દ્વારા ષડ્દર્શનવ્યાપક ષપદનો ઉપદેશ આપ્યો. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં શ્રીમદ્ લખે છે ६ ગાથા અર્થ - ‘દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.' (૧૨૮) છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૮) નિજપદનું અજ્ઞાન નિવારી, સભ્યજ્ઞાન મેળવવા માટે અનેક તત્ત્વચિંતકોએ ભાવાર્થ ભિન્ન ભિન્ન દેશ-કાળમાં જે જે ઉપાયો પ્રયોજ્યા, તેમાંથી મુખ્યત્વે છ દર્શન અસ્તિત્વમાં આવ્યાં - જૈન, બૌદ્ધ, સાંખ્ય-યોગ, નૈયાયિક-વૈશેષિક, મીમાંસા અને ચાર્વાક. આત્મતત્ત્વ અંગે આ છ દર્શન દ્વારા થયેલ સર્વ વિચારણા આત્માનાં છ પદમાં સમાઈ જાય છે. સ્યાદ્વાદનો આશ્રય લઈ આ છ પદની વિસ્તારથી વિચારણા કરવામાં આવે તો આત્માના સ્વરૂપ વિષે કોઈ પણ પ્રકારની શંકા રહે નહીં. છ પદમાં નિઃશંકતા થવી તે જ સમકિત છે, કારણ કે તેથી વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય છે, શ્રદ્ધાય છે. શ્રીમદે‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આ છ પદની સમજણ આપી છે. અન્ય દર્શનકાર જ્યાં એકાંત પક્ષ પકડીને અટકી પડ્યા છે અને તેના પરિણામે તેમના પ્રતિપાદિત કરેલા ન્યાયમાં જે જે દોષ આવે છે, તે તે દોષ શ્રીમદે કુશળતાથી શિષ્યની આશંકારૂપે રજૂ કર્યા છે અને પછી શ્રીગુરુ દ્વારા તેનું યથાર્થ સમાધાન કર્યું છે. સર્વદર્શનો અપેક્ષાએ ખરાં છે એમ બતાવી, અનેકાંતશૈલીથી તત્ત્વનું નિરૂપણ કર્યું છે. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪૯૫ ૨ *ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહિ.' (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૪૨) 3- ‘પ્રસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.' (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૪૪) Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮ આ જગતમાં ભિન્ન ભિન્ન દર્શનો પ્રવર્તે છે. કોઈ પણ દર્શન આ છ પદ વિશેષાર્થ | સિવાય અન્ય પદ ઉપર અભિપ્રાય બાંધી શક્યું નથી, કારણ કે આ છે પદમાં જ સર્વ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે; તેથી સર્વ દર્શન પણ છે પદમાં જ સમાઈ જાય છે. જૈન દર્શન આ છ પદનું યથાર્થ નિરૂપણ કરે છે. વસ્તુના યથાર્થ સ્વરૂપના અજાણપણાના કારણે અન્ય દર્શનકારો વસ્તુના એકાદ ધર્મને ગ્રહણ કરી, એકાંત પક્ષ પકડી બેઠા છે. તેમની માન્યતા એકાંતિક છે, જ્યારે જૈન દર્શન અનેકાંતવાદી હોવાથી વસ્તુના સર્વ અંશને - ધર્મને અહણ કરે છે અને તેથી તે અન્ય સર્વ દર્શનોને પોતામાં સમાવી લે છે. જગતનાં બધાં દર્શનો પવિત્ર જૈન દર્શનમાં સમાઈ જાય છે. જૈન દર્શન દ્વારા પ્રરૂપિત છ પદનો વિસ્તારથી વિચાર કરતાં અન્ય દર્શનોએ સ્વીકારેલી માન્યતા કઈ અપેક્ષાએ સાચી છે તથા તે એકાંતિક માન્યતામાં ક્યાં અપૂર્ણતા છે તે સમજાય છે, તેમજ આત્મસ્વરૂપનો નિઃશંક નિર્ધાર થાય છે. વસ્તુને અમુક અપેક્ષાએ - કોઈ એક દષ્ટિબિંદુથી જોવી તેનું નામ નય છે. નયનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. જુદા જુદા દર્શનકારોએ જે દર્શનો પ્રયુક્ત કર્યા છે, તે જુદા જુદા નયની અપેક્ષાએ જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી પ્રયુક્ત કર્યા છે. તે તે નાની અપેક્ષાએ તે બરાબર હોય છે અને એટલે જ સમ્યગ્દષ્ટિ પુરુષો ‘ચાતું' પદનો ઉપયોગ કરી, તે અપેક્ષા લક્ષમાં રાખી મધ્યસ્થ રહે છે; પણ મિથ્યાદષ્ટિ પુરુષો કોઈ એક નયનો જ એકાંત આગ્રહ રાખે છે અને તેથી તે નય મટી નયાભાસ બની જાય છે. મિથ્યાદષ્ટિ પુરુષો અને સમ્યગ્દષ્ટિ પુરુષોની સમજ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે – ગ્રહી એકેક અંશ જિમ અંધલ કહઈ કુંજર એ પૂરોજી, તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણઈ જાણે અંશ અધૂરોજી | લોયન જેહનાં બિહું વિકસ્વર તે પૂરો ગજ દેખઈજી, સમકિતદષ્ટિ તિમ સકલ નય સમ્મત વસ્તુ વિશેષઈજી II અંશ ગ્રહી નયકુંજર ઊડ્યા, વસ્તુ તવ તરુ ભાંજઈજી, સ્યાદ્વાદ અંકુશથી તેહનઈ આણઈ ધીર મુલાઈજી | તેહ નિરંકુશ હોઈ મતવાલા ચાલા કરઈ અનેકોજી, અંકુશથી દરબારિ છાજઈ ગાજઈ ધરીઅ વિવેકોજી | એક હાથી પાસે છે અંધ પુરુષોને લાવી મૂક્યા હોય અને બધાના હાથ હાથીના એક એક અંગ સ્પશી શકે એમ ગોઠવી દીધા હોય; અને પછી પૂછવામાં આવે કે હાથી કેવો છે?' તો એક એક અંગને સ્પર્શનાર તે અંધ જનોમાંથી દરેક ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ જસ્થાન ચઉપઇ”, ગાથા ૧૧૭,૧૧૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંધ હાથીને જુદા જુદા પ્રમાણવાળો કહે છે. જેણે દાંત પકડ્યા હતા તે કહે છે કે હાથી મૂળા જેવો છે. જેણે સૂઢ પકડી હતી તે કહે છે કે હાથી દંડ જેવો છે. જેણે કાન પકડ્યા હતા તે કહે છે કે હાથી સૂપડા જેવો છે. જેણે પગ પકડ્યા હતા તે કહે છે કે હાથી કોઠી જેવો છે. આમ, હાથી મૂળા, દંડ વગેરે બધાનાં પ્રમાણો (માપ)ના સરવાળાના માપવાળો હોવા છતાં તેને તેવો ન માનતાં, અંધ જનો જેમ તેને એક એક અંગ જેવો જ માને છે; તેમ વસ્તુ નિત્ય-અનિયત્વ વગેરે બધા ધર્મોથી યુક્ત હોવા છતાં એકાંત મતવાદીઓ તેને તે રીતે ન માનતાં એક એક અંશવાળી, એક એક ધર્મવાળી જ માને છે અને તેને જ સંપૂર્ણ સત્ય માને છે, તેથી તેમની માન્યતા મિથ્યા કરે છે. જેમ દષ્ટિસંપન્ન વ્યક્તિ તો દાંત, સૂંઢ, પગ વગેરે બધાં અવયવો તેમજ આકાર-રૂપ સહિત સંપૂર્ણ હાથીને જુએ છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવ સકલનયસમ્મત વસ્તુને બધા અંશોથી યુક્ત જુએ છે. સમ્યગ્દષ્ટિ અંશગ્રાહી નયકુંજરને સ્યાદ્વાદરૂપ અંકુશ વડે વશ કરે છે. જેમ નિરંકુશ ગાંડો હાથી તોડફોડ કરે છે, તેમ સ્યાદ્વાદરૂપ અંકુશવિહોણો નય (નયાભાસ) નિરપેક્ષ બનીને, યથાર્થ શ્રદ્ધાનના અભાવે મિથ્યા મત બની જાય છે. જેમ અંકુશમાં રહેલો હાથી દરબારમાં શોભે છે, પટ્ટહસ્તી બને છે, ગાજે છે; તેમ નય પણ સ્યાદ્વાદરૂપ અંકુશ વડે વિવેક શીખી જિનશાસનરૂપ રાજદ્વારે છાજે છે, ગાજે છે. પ્રસિદ્ધ એવા બૌદ્ધાદિ દર્શનો પ્રમાણરૂપ નથી, પણ તે એક અંશગ્રાહી નયરૂપ છે એમ જણાવતાં ‘અધ્યાત્મસાર'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે બૌદ્ધમત ઋજુસૂત્ર નયનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયો છે, કારણ કે બૌદ્ધો ઉત્પન્ન થયેલી (વર્તમાન) વસ્તુને જ માને છે. સાંખ્યોનો મત સંગ્રહ નયના પક્ષનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયેલો છે, કારણ કે સાંખ્યો આત્માને અકર્તા જ માને છે. ન્યાય અને વૈશેષિક એ બન્ને મત નૈગમ નયના પક્ષનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયા છે, કારણ કે તેઓ સામાન્યને અને વિશેષને ભિન્ન ભિન્ન માને છે. શબ્દબ્રહ્મને માનનારા એટલે કે વેદવચન જ બહ્મ છે અને તે જ ધર્મનું પ્રતિપાદન કરે છે એમ માનનારા જૈમિનીઓ (મીમાંસકો) શબ્દ નયના પક્ષનો આશ્રય કરવાથી પ્રવર્તેલા છે, કારણ કે તેઓ જાતિ અને વિભક્તિ સહિત શબ્દને તુલ્ય એવી વસ્તુ માને છે. વેદાંતીઓનો એટલે કે અદ્વૈતના પ્રતિપાદન કરનારાઓનો, માત્ર જ્ઞાનકાંડને જ અંગીકાર કરનારાઓનો મત સંગ્રહ નયના પક્ષનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયો છે, કારણ કે તેઓ ઉત્પત્તિ અને નાશરહિત માત્ર સ્થિતિના જ સ્વભાવવાળી વસ્તુને માને છે. આ સર્વની દષ્ટિ - દર્શન એક એક નયનો આશ્રય કરનારી છે, પણ જિનની દૃષ્ટિ, વસ્તુ જોવાની જિનની બુદ્ધિ સમગ્ર નય વડે ગ્રંથિત છે, અર્થાત્ જિન દર્શન પ્રમાણરૂપ દર્શન છે; માટે જિન દર્શન વિષે અત્યંત સારપણું એટલે સર્વ મતોમાં અત્યંત શ્રેષ્ઠપણું સાક્ષાત્ - Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮ પ્રત્યક્ષ જ દેખાય છે. જેમ છૂટાં રત્નો ‘માળા' કહેવાતાં નથી, તે “માળા' ની પર્યાય પામેલાં હોતાં નથી. જો તે દોરાથી ગૂંથાયેલાં, પરોવાયેલાં હોય તો માળા પર્યાયથી ઓળખાય છે. તેમ જૈન દર્શન સિવાયનાં દરેક દર્શન એકાંત મતવાળાં હોવાથી સાચાં નથી. સ્યાદ્વાદરૂપી સૂત્ર - દોરાથી ગૂંથાય છે ત્યારે એ જ દર્શનો સમ્યક બને છે. સ્યાદ્વાદથી તે દર્શનોમાં રહેલો એકાંત અભિનિવેશ ટળે છે. જેમ ફૂલો તો હાજર જ છે, પણ માળીએ તેને દોરામાં પરોવવામાત્રનો જ વ્યાપાર કરવાનો હોય છે, તેમ જીવે અન્ય અન્ય સિદ્ધ દર્શનોને વિષે માત્ર સ્યાદ્વાદનું યોજન કરવાનો જ વ્યાપાર કરવાનો હોય છે અને એટલામાત્રથી એ આખા જગત(સર્વ દર્શનો)ને જીતી લે છે. સ્યાદ્વાદરૂપ દોરાથી ગૂંથાયેલા સઘળા નય પ્રમાણ બને છે. જૈન દર્શન ચાર્વાદ દ્વારા અન્ય દર્શનો પોતપોતાના નયની અપેક્ષાએ સાચાં છે એમ સમન્વય કરે છે. જૈન દર્શન યાદ્વાદના કારણે સર્વ દર્શનોમાં વ્યાપે છે. જૈન દર્શન સર્વ દર્શનોમાં વ્યાપક છે, પરંતુ અન્ય દર્શનો સ્યાદ્વાદને સ્વીકારતાં નહીં હોવાથી અને વસ્તુના અમુક અંશને જ એકાંતે ગ્રહણ કરતાં હોવાથી વસ્તુના સર્વ અંશને અહણ કરનાર જૈન દર્શનમાં વ્યાપી શકતાં નથી. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી પોતાની ‘સ્યાદ્વાદ મંજરી' નામની ટીકામાં ફરમાવે છે કે જેમ સમુદ્ર અનેકનદીસ્વરૂપ હોવા છતાં પણ જુદી જુદી નદીઓમાં તેની ઉપલબ્ધિ થતી નથી, તેમ ભગવતું શાસન સર્વદર્શનસ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન દર્શનોમાં તે જોઈ શકાતું નથી. તેવી રીતે વક્તા અને વચનનો અભેદ માનીને આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ કહ્યું છે કે ‘હે નાથ, જેમ સર્વ નદીઓ એકઠી થઈને સમુદ્રમાં મળે છે, તેમ સર્વ દષ્ટિઓનો - સર્વ દર્શનોનો સમાવેશ આપવામાં થાય છે; પરંતુ જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્રની ઉપલબ્ધિ થતી નથી, તેમ જુદાં જુદાં દર્શનોમાં આપ જોઈ શકાતા નથી.' ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૨૦૨ 'बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात् सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुफिता जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुवीक्ष्यते ।।' ૨- જુઓ : આંચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાવાદ મંજરી' , શ્લોક ૩૦ની ટીકા. 'समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात् । तथा च वक्तृवचनयोरेक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादा 'उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः । ન ૨ તાસું મવાનું પ્રદૃશ્યતે પ્રવિમવતી સરિસ્લેિવોઘ: I'' Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વથા નિરાગ્રહી, પરમ ઉદાર એવી સર્વસમન્વયકારી અનેકાંતદૃષ્ટિને ઉપદેશતાં જિન ભગવાનનો ઉપદેશ ત્રણે કાળમાં પરમોત્તમ છે, કારણ કે તેમાં સર્વ મત-દર્શન હળીમળીને, પોતપોતાને સંભાળીને રહે છે. એકાંતદૃષ્ટિયુક્ત અન્ય દર્શનો બીજાં દર્શનોનો અપલાપ કરે છે, જ્યારે જૈન દર્શન અનેકાંતિક હોવાથી તે બીજાં દર્શનોના અભિપ્રાયો કોઈક અપેક્ષાએ માન્ય રાખે છે. અન્ય દર્શનોને માન્ય તત્ત્વોનો સ્વીકાર કરવાનું સામર્થ્ય જૈન દર્શનની સ્યાદ્વાદશૈલી ધરાવે છે, તેથી સમ્યગ્દષ્ટિ પુરુષો બધાં દર્શનોને જૈનદર્શનરૂપ પુરુષનાં એક એક અંગરૂપ માની છએ દર્શનોને સમ્યગ્દષ્ટિપૂર્વક આરાધે છે. શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે કે ૧૦ ‘જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદે રે. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે. લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વ વિચાર સુધારસધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે? જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે.૧ કલ્પવૃક્ષ સમા જિન દર્શનના બે પગને સ્થાને સાંખ્ય દર્શન અને યોગ દર્શન છે; બૌદ્ધ અને મીમાંસક એ બે તેના બળવાન હાથ છે; લોકાયતિક(ચાર્વાક)મત તેની કુક્ષિને સ્થાને છે; જૈન દર્શન બાહ્યાવ્યંતર પ્રકા૨ે તેના મસ્તકને સ્થાને ઉત્તમ અંગરૂપે શોભે છે. પ્રથમ ‘સ્યાત્’પદરૂપ ન્યાસ અક્ષર મૂકીને, ષડ્દર્શનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. શ્રી જિનેશ્વર ભગવાનના આરાધક છએ દર્શનોને સમ્યપણે આરાધે છે. જગતનાં બધાં દર્શનો સ્યાદ્વાદમુદ્રાથી ઓપિત એવા આ એક પવિત્ર, નિર્દોષ, વીતરાગદર્શનમાં સમાઈ જાય છે. સર્વજ્ઞોએ પ્રરૂપેલું વીતરાગદર્શન એ સર્વ અપેક્ષાએ પરિપૂર્ણ છે, જગહિતસ્વી છે. તે ત્રિકાળ અબાધિત સત્યરૂપ છે. વીતરાગદર્શન સત્યનો ભંડાર, વસ્તુસ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરનાર દર્શન છે. તે સર્વ પદાર્થોનાં સ્વરૂપનું પ્રકાશક છે. જેણે આ સંસારસાગર તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તેણે આ વીતરાગદર્શનરૂપ કલ્પવૃક્ષનું સેવન કરવું જોઈએ. વીતરાગદર્શનની પરમ યથાર્થતા અંગે દેઢ આત્મનિશ્ચયથી શ્રીમદ્ કહે છે - ૧- શ્રી આનંદધનજીરચિત, શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન, કડી ૨-૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮ ‘બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થકરદેવ છે.” અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાષ્ટિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.' ‘જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે; તેમ જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જૈનના અક્કેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી.' - શ્રીમદ્ એક અસાધારણ કોટિના પરીક્ષાપ્રધાન પુરુષ હતા. તેઓ ન્યાયના કાંટે તત્ત્વનો તોલ કરી, સદ્ભવસ્તુનો સ્વીકાર કરનાર મધ્યસ્થ પુરુષ હતા. તેઓ માત્ર તર્કની દષ્ટિએ પરીક્ષાપ્રધાન હતા એમ નહીં પણ અનુભવની દૃષ્ટિએ પણ પરીક્ષાપ્રધાન હતા. તેમણે તત્ત્વને આત્માનુભવની કસોટીએ ચઢાવ્યું હતું. આજ્ઞાપ્રધાન કરતાં પરીક્ષાપ્રધાનની શ્રદ્ધા અનેકગણી બળવાન હોય છે અને તેમાં પણ આત્માનુભવથી પરીક્ષા કરનારની શ્રદ્ધા તો અનંતગણી બળવાન હોય છે. આમ, મતદષ્ટિથી નહીં પણ તત્ત્વદષ્ટિથી પ્રદર્શનની મધ્યસ્થ ભાવે મીમાંસા કરતાં શ્રીમન્ને વીતરાગદર્શનની પ્રમાણતા સિદ્ધ થઈ અને તે તેમણે હર્ષોલ્લાસપૂર્વક ઉદ્દઘોષી છે. શ્રીમદ્ જિન દર્શનના પરમ શ્રદ્ધાળુ હોવા છતાં નિરાગ્રહી હતા. શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ઉપરના ૧૯૪૬ના અસાડ માસના એક પત્રમાં શ્રીમદ્ લખે છે કે – ‘જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૪ (પત્રાંક-૩૨૨) ૨- એજન, પૃ.૪૬૩ (પત્રાંક-પ૯૭) ૩- એજન, પૃ.૧૨૫ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૯૫) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.' આ અવતરણ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ વીતરાગધર્મના અખંડ નિશ્ચયવંત હોવા છતાં આગ્રહી તો ન જ હતા. આગ્રહ અને શ્રદ્ધામાં ઘણો તફાવત છે. નિરાગ્રહભાવના કારણે જીવને જ્યાં પણ સત્ય હોય, તે ગ્રહણ કરવામાં સંકોચ થતો નથી. કોઈ પણ જાતના પૂર્વગ્રહો, કદાહો વગરનું ખુલ્લું મન અન્યત્ર રહેલ સત્યની, સત્યાંશની સ્વીકૃતિ માટે હંમેશાં તૈયાર હોય છે. શ્રીમન્ના દિવ્ય આત્મામાં તો સર્વ પ્રદેશે નિરાગ્રહી એવી સર્વસમન્વયકારી અનેકાંતદષ્ટિનું જ અમૃત ભર્યું હતું. સર્વથા નિરાગ્રહીપણે, પૂર્ણ પરમ સત્યાગ્રહી મધ્યસ્થ દૃષ્ટિથી પ્રદર્શનની તુલનાત્મક મીમાંસા કરતાં તેઓશ્રીએ વીતરાગદર્શનની પરમ પ્રમાણતાનો સ્વીકાર કર્યો છે. જૈન દર્શનની સંપૂર્ણતા તથા યથાર્થતા અને અન્ય દર્શનોની અપૂર્ણતા તથા એકાંતિકપણું બતાવતી વખતે તેમનામાં અલ્પ પણ કષાયભાવ કે પક્ષપાતપણું હતું જ નહીં. તેમને અન્ય દર્શનના પ્રવર્તકો પ્રતિ કોઈ વૈરબુદ્ધિ ન હતી. તેમણે તો કેવળ વસ્તુસ્થિતિનું યથાર્થ નિરૂપણ કર્યું છે. વસ્તુસ્થિતિને વિપરીત માનવાથી જીવો બહુ દુઃખી થશે એમ કરુણા આવવાથી શ્રીમદે જગતના બધા જીવો વસ્તુસ્વરૂપને સમજે અને દુ:ખથી છૂટીને સુખ પામે એવા હેતુથી સત્ય પ્રગટ કર્યું છે. પોતાને અનુભવસિદ્ધપણે જે તત્ત્વનિશ્ચય થયો હતો તે નિરાહી શ્રીમદે અન્ય જીવોને તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન થાય એવી નિષ્કારણ કરુણાબુદ્ધિ વડે પ્રગટ કર્યો છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે – જે કષાયપૂર્વક નિંદા કરીએ વા અન્યને દુ:ખ ઉપજાવીએ તો અમે પાપી જ છીએ, પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિ વડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દેટ થાય, અને તેથી તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવ વડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું-ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૧૮ (પત્રાંક-૧૨૦) ૨- શ્રીમદુની પડુદર્શનતત્ત્વમીમાંસા પ્રત્યે દૃષ્ટિપાત કરતાં તેમની અનન્ય પરમ મધ્યસ્થ નિષ્પક્ષપાત દષ્ટિ સ્પષ્ટપણે તરી આવે છે અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની નીચેની સુવિખ્યાત પંક્તિઓનું સ્મરણ થાય છે – 'पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । यक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।' અર્થ – વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું હોય તેનું સર્વથા ગ્રહણ કરવા યોગ્ય છે. – આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, લોકતત્ત્વ નિર્ણય', શ્લોક ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૨૮ ૧૩ તો તેમાં અમે શું કરીએ ? એ પ્રમાણે જો પાપીઓના ભયથી ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય?’૧ - યથાર્થપણે તત્ત્વનું શ્રદ્ધાન થાય અને મોક્ષમાર્ગ સમ્યકુપણે સમજાય એવા પવિત્ર હેતુથી શ્રીમદે શંકા-સમાધાન દ્વારા પપદનું કથન કર્યું છે. વાદવિવાદના સ્થળોએ એવી સૂક્ષ્મ કાળજી રાખી છે કે કોઈ પણ મતની અવમાનના ન થાય અને જે અભિપ્રાયો પ્રતિપાદન કરવામાં પોતે આત્મશ્રેય માન્યું છે તે અભિપ્રાયો સરળતાપૂર્વક જણાવાય. શ્રીમદે કોઈ પણ ધર્મ કે દર્શનનું નામ દર્શાવ્યા વિના જિનપ્રણીત અનેકાંત દર્શન અનુસાર સમ્યગ્દર્શનના નિવાસભૂત એવાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છે પદનો ઉપદેશ કર્યો છે. મિથ્યાત્વનાં છ સ્થાનકો આ પ્રમાણે છે - (૧) નાસ્તિકવાદ (૨) અનિત્યવાદ (૩) અકર્તુવાદ (૪) અભોક્કુવાદ (૫) મોક્ષાભાવવાદ અને (૬) અનુપાયવાદ. જે ગુણવાન જીવો આ છ સ્થાનકોને ત્યજે છે તેઓ સમ્યકત્વ પામે છે. તે સ્થાનોની પરીક્ષા કરતાં ‘જીવ નથી' વગેરે સ્થાનો મિથ્યા જણાવાથી તેની શ્રદ્ધા છૂટી જાય છે અને “જીવ છે' વગેરે જે યથાર્થ નિશ્ચયાત્મક બોધ થાય છે, તે જ સમ્યક્ત્વ છે. શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવોની શ્રદ્ધા કરતાં જીવના મતિજ્ઞાન માટે સમ્યકત્વ શબ્દનો પ્રયોગ યોગ્ય બને છે. આમ, જસ્થાનવિષયક જ્ઞાન યથાર્થ થવાથી જીવ સમ્યકત્વવંત થાય છે. આ છ પદ તો વીતરાગદર્શનનો સાર છે અને તેમાં નિઃસંદેહપણું થવું - તેની દેઢ શ્રદ્ધા થવી તે સમકિત છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે - ‘છયે પદની શંકા અને તેના સમાધાન વિસ્તારથી વિચારવાની જરૂર છે જેથી છ દર્શન અપેક્ષાએ જેમ છે તેમ સમજાય અને છ પદમાં ક્યાંય શંકા ન રહે. છ પદની નિઃશંકતા થાય તે જ સમકિત છે. વસ્તુનું સત્ય સ્વરૂપ જેમ છે તેમ સમજવું અને શ્રદ્ધવું તે જ સમકિત છે; વિચાર કરે તો નિઃશંકપણે સમજાય.’ આ છ પદની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગ્દર્શન છે અને આત્માનો અનુભવ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી તત્ત્વ વિષે સંશય હોય ત્યાં સુધી આત્માનુભવ થઈ શકે નહીં. આત્માનો અનુભવ કરવો હોય તો પ્રથમ તત્ત્વ સંબંધી નિઃશંકપણું પ્રાપ્ત થવું જોઈએ. સમ્યગ્દર્શન અથવા આત્મસિદ્ધિરૂપ પરમાર્થપ્રયોજનને લક્ષમાં લઈ ષડ્રદર્શન જેમાં સમાઈ જાય છે એવા ષપદનો વિસ્તારથી વિચાર કરવાનું શ્રીમદ્ કહે છે કે જેથી તેમાં સંશયરહિતપણું પ્રાપ્ત થાય. સમ્યકત્વના આઠ ગુણમાંનો પહેલો ગુણ નિઃશંકતા છે, તે અહીં દર્શાવ્યો છે. ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૫, પૃ.૧૩૫ ૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૧૦૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે છ પદની ઊંડી વિચારણા કરી નિઃશંક નિર્ણય કરવો જોઈએ. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે છ પદની યથાર્થ પ્રતીતિ કરવી જોઈએ. સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. તેની ઉપલબ્ધિ માટે છ પદના પ્રયોજનભૂત વિષયનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. જીવ રુચિપૂર્વક આત્માનાં છ પદના નિર્ણયનો અભ્યાસ કરે તો તેને આત્માનો અનુભવ થયા વિના રહે નહીં, પણ જો આત્માના નિર્ણયમાં ભૂલ રહી ગઈ હોય તો અનુભવ થાય નહીં. આત્માની શ્રદ્ધા વગર અંતરમાં આત્મવેદનની રમઝટ જામતી નથી. જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થવાય? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. વિચારપૂર્વક છ પદનો બરાબર નિર્ણય કરવો જોઈએ. છ પદને ઉત્સાહથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, તે માટે સતત પ્રયાસ કરવો જોઈએ, કારણ કે સ્વરૂપ પ્રાપ્તિનો આ જ માર્ગ છે. મોક્ષાર્થીએ છ પદના યથાર્થ સ્વરૂપની સમજણ ગુરુગમે પ્રાપ્ત કરવી જોઈએ. મુમુક્ષુતાનો સદ્ભાવ હોય તો સદ્ગુરુના મહામંગલકારી પ્રત્યક્ષ સત્સમાગમમાં છ પદનો નિર્ણય થતાં સ્વાનુભવ થાય છે. છ પદનો નિર્ણય એ જ્ઞાનદશાનું પ્રથમ પગથિયું છે. છ પદનો નિર્ણય કરવો એ જ મુદ્દાની વાત છે. આત્મા જે સ્વરૂપે છે તે જ સ્વરૂપનું સાચું જ્ઞાન અને શ્રદ્ધા કરવાં જરૂરી છે. વસ્તુનું સ્વરૂપ જેવું વીતરાગપ્રભુએ કહ્યું છે એવું જાણવા-માનવા યોગ્ય છે. વસ્તુનું જ સ્વરૂપ છે તે ત્રણે કાળમાં આદુંપાછું ન થાય. કોઈ સમજે કે ન સમજે, સત્ય તો સદા સત્યરૂપ જ રહે છે. જીવે પોતાના હિત માટે તેની સમજણ કરવાની છે. આત્મસ્વરૂપના પરિજ્ઞાન વગર સંસારનો અભાવ સંભવતો નથી. સસ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટતી નથી, મોક્ષ પ્રાપ્ત થતો નથી. આત્મસ્વરૂપના સાચા જ્ઞાન વિના કલ્યાણ નથી. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ વ્રતાદિ કરે તો આત્માની સાચી શુદ્ધિ થતી નથી. જો વૃતાદિ આત્માની સમજણ - પૂર્વક કરવામાં ન આવે, સ્વરૂપના આશ્રયે કરવામાં ન આવે તો તે ક્રિયાઓ બહિર્લક્ષી હોવાથી ત્રિકાળી સ્વભાવ પ્રત્યે વળી શકાતું નથી. છ પદના યથાર્થ જ્ઞાનની સંપ્રાપ્તિ વિના કેવળ બાહ્ય ક્રિયા, વતાદિ વગેરે કરવાથી મોક્ષમાર્ગ ખૂલતો નથી. તત્ત્વજ્ઞાન વિના આચરણ કાર્યકારી થતાં નથી. બાહ્ય ક્રિયા, તપ, વ્રત વગેરે ત્યારે જ સાર્થક થાય જ્યારે તે છ પદ સંબંધીના યથાર્થ જ્ઞાન સહિત આત્મલક્ષે કરવામાં આવે. છ પદની પ્રયોજનભૂત સમજનો અભાવ હોય ત્યાં પ્રગતિ થાય જ કઈ રીતે? સાધનામાં ઊંડાણ આવે જ કઈ રીતે? યથાર્થ નિર્ણય વગર સાધના કરવામાં આવે તો સાધના છીછરી જ રહેવા પામે છે અને સાધ્ય દૂર જ રહે છે. આત્મસ્વરૂપના પ્રબળ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગાથા-૧૨૮ નિશ્ચયથી સાધનામાં ઊંડાણ આવે છે. આત્મસ્વરૂપનો નિર્ણય કરવાની નિષ્ઠા ન હોય તો ગમે તેટલાં વ્રત-તપાદિ કરવામાં આવે પણ સાધનામાં ઊંડાણ આવતું નથી, આત્મસ્વરૂપ પ્રગટતું નથી. જીવ વ્રતાદિ કરીને અનંત વાર સ્વર્ગે ગયો, પણ આત્માને ઓળખ્યો ન હોવાથી કલ્યાણ થયું નહીં. આત્માની સમજણ વિના તેને પરમ આનંદનું કારણ એવી આત્માની પ્રસિદ્ધિ ન થઈ, પણ રાગની જ પ્રસિદ્ધિ થઈ. તેણે વ્રતાદિ કર્યા પણ તેને અંતરમાં આત્માનો મહિમા આવ્યો નહીં. “અહો! આ તો મારા આત્માની કોઈ અપૂર્વ વાત છે, અનંત શક્તિસંપન્ન મારા આત્માની આ વાત છે' એમ જીવ ઉલ્લાસપૂર્વક પોતાના આત્માની વાતનું શ્રવણ કરી આત્માનો યથાર્થ નિર્ણય કરે તો અનંત કાળથી અપ્રસિદ્ધ રહેલો એવો આત્મા જરૂર પ્રસિદ્ધ થાય. કેવળ બાહ્ય ક્રિયાઓ કરવાથી આત્મપ્રસિદ્ધિ થતી નથી, અજ્ઞાની જીવ આત્માની યથાર્થ શ્રદ્ધા કરતો નથી અને કેવળ બાહ્ય સાધનોને જ ધર્મ માની તેમાં અટકી જાય છે, અંતર્મુખ થતો નથી. તે રૂઢિગતપણે, આત્મજાગૃતિના અભાવપૂર્વક એ ક્રિયાઓમાં પરોવાઈ જાય છે, સંતોષાઈ જાય છે અને તેથી તેને ધર્મ થતો નથી. તેની પૂજા, તપ, ત્યાગ, વ્રત, દાન, યાત્રા આદિ આત્માના લક્ષ વિનાની પ્રવૃત્તિઓ, ઊંધા અભિપ્રાયના સદ્ભાવમાં નિષ્ફળ જાય છે. યથાર્થ પ્રકારે નિર્ણય ન કર્યો હોવાથી અનાદિ વિપરીત અભિપ્રાય યથાવત્ રહે છે અને સર્વ ક્રિયાઓ નિરર્થક જાય છે. વસ્તુસ્થિતિ એવી છે કે અભિપ્રાયમાં જરાક પણ વિપર્યા હોય તો સમ્યકત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે, તેથી પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયસ્કર છે. પ્રથમ અભિપ્રાયની ભૂલ ટાળવી ઘટે છે. જીવનો અભિપ્રાય મિથ્યા છે, ખોટો છે. તેણે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું માન્યું નથી. દરેક જીવ પોતાની અભિપ્રાયની ભૂલના કારણે જ અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. તે પોતે પોતાની ભૂલ સુધારીને અનંત પરિભ્રમણનો નાશ કરી શકે છે અને તેથી જ જીવે અભિપ્રાયની ભૂલ સુધારવી ઘટે છે, પોતાની વિપરીત માન્યતાઓ સુધારવી ઘટે છે. જીવે અનાદિ કાળથી ચાલી આવેલી પોતાની મિથ્યા માન્યતાઓને બદલવાની છે. મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. એને પ્રથમ ગાળવાનું છે. જો એમ કરવામાં ન આવે તો વિપરીત સમજણના કારણે મહા અનર્થ થાય છે. માટે જીવે યથાર્થ નિર્ણય દ્વારા મિથ્યાત્વનો નાશ કરવો ઘટે છે. જે જીવ સમ્યક્ નિર્ણય અર્થે છ પદનો અભ્યાસ કરે છે, તે જીવનો મિથ્યાત્વભાવ ક્ષણે ક્ષણે મંદ પડતો જાય છે. છ પદની સમજણ વડે પોતાની અનાદિની અભિપ્રાયની ભૂલ ટળતાં જીવનું કલ્યાણ થાય છે. સત્ય માર્ગ પ્રાપ્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કરવાની તીવ્ર લગની લાગતાં મિથ્યા માન્યતા બદલાય છે અને રુચિપૂર્વક સત્ય સમજણ કરતાં સત્ય વીતરાગી ધર્મની પ્રાપ્તિ થાય છે. આ જીવે છે પદની યથાર્થ સમજણના અભાવે અનંત કાળ સુધી દુ:ખ અનુભવ્યું છે અને જો એ દુ:ખનો અંત લાવવો હોય તો સર્વ પ્રથમ આ જ કાર્ય કરવાનું છે. આત્માનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સમજવા યોગ્ય છે. આ જ આત્મકલ્યાણનો ઉપાય છે. આત્મહિતનો આ જ સરળ અને સાચો ઉપાય છે. જ્ઞાનમાં પોતાના સ્વરૂપની કિંમત આવ્યા વગર ગમે તેટલા ઉપાય કરવામાં આવે તો પણ તે સાર્થક થતા નથી, તેથી સાચી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો જોઈએ. તત્ત્વનો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જો નિર્ણય લેવાનો પુરુષાર્થ કરે તો મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ થાય. જીવ વ્યાપાર આદિ સંસારની પ્રવૃત્તિઓમાં વીર્ય વાપરે છે, પણ આત્માને સમજવામાં વીર્ય લગાવતો નથી. તેને આત્માનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનશક્તિ પ્રગટેલી જ છે, પણ તેને આત્માની દરકાર ન હોવાથી તે આત્માના નિર્ણયમાં ઉપયોગ જોડતો નથી અને વિષય-કષાયમાં જ ઉપયોગ લગાવે છે. જીવે સંસારનાં કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થવું જોઈએ. હૃદયમાંથી સંસારનો રસ ઘટાડી આત્મવિચાર તરફ ઝુકાવ થવો જોઈએ કે ‘મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું છે. દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે. દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે.' જીવે મિથ્યા ભાવોનું સેવન કરી કરીને, અનંત જન્મ ધારણ કરી અનંત કાળ ગુમાવ્યો. હવે તો સાવધાન થઈને છ પદની નિઃશંક સમજણ દ્વારા આત્માનું હિત કરવું જોઈએ, નહીં તો તેને પ્રાપ્ત થયેલ રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. આત્મા કેવો છે તેની સમજણ જીવે અનંત કાળમાં ક્યારે પણ કરી નથી. પૂર્વે આત્માની વાત સાંભળી છે, પણ અંતરમાં તેની રુચિ કરી નથી, તેનો નિર્ણય કર્યો નથી. જો તેનો નિર્ણય કરે તો મુક્તિ થયા વિના રહે નહીં, માટે આ મનુષ્યપણામાં એ જ કરવા જેવું છે. આ અવસર ચૂકવા જેવો નથી. આવો મનુષ્ય અવતાર મળ્યો છે અને જો રુચિપૂર્વક છ પદની સમજણ નહીં કરે તો ક્યારે સમજશે? છ પદની સમજણ કરશે તો આ પરમ દુર્લભ યોગ સફળ થશે. જે જીવ છે પદનો નિઃશંક નિર્ણય કરે છે તેના પરિણામની દિશા, જે પર તરફ હતી તે બદલાઈને સ્વસમ્મુખ થાય છે. છ પદની પ્રતીતિના બળ વડે પર્યાયમાં રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે આત્મસ્વરૂપનો નિર્ણય કર્યો, તેની પર્યાયમાં રાગ-દ્વેષ લાંબો કાળ ટકી શકે એવી લાયકાત રહે જ નહીં એવું સમ્યક્ નિર્ણયનું બળ છે. આત્મસ્વરૂપનો નિશ્ચય સવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે, પરંતુ જેનો નિશ્ચય Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮ ૧૭ થયો છે તે તત્ત્વ વિકલ્પરહિત હોવાથી, અર્થાત્ તેનું સ્વરૂપ નિર્વિકલ્પ હોવાથી, નિર્ણય કરનારની નિર્વિકલ્પતાનો કાળ પાકી જાય છે. તે હવે વિકલ્પમાં અટકતો નથી. નિર્વિકલ્પ સ્વરૂપની પ્રતીતિના જોરે તે સર્વ વિકલ્પોને વમી નાખે છે અને તેનો નિર્વિકલ્પ સ્વભાવની શક્તિવાળો પુરુષાર્થ આત્મામાં તદાકાર થઈ જવાય તેવી ઉગ્રતા ધારણ કરે છે, તેથી આત્માનાં છ સ્થાનકની સમજણ કરવી અત્યંત આવશ્યક છે. છ પદની વિસ્તારથી વિચારણા કરવામાં આવે તો આત્માના સ્વરૂપ વિષે કોઈ સંશય રહે નહીં. માટે શ્રીમદ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એ મૂળ વિષયને પ્રતિપાદિત કર્યો છે. આ નાનકડી કૃતિમાં શ્રીમદે આત્માની સિદ્ધિ અર્થે આવશ્યક એવું સર્વ રહસ્ય પૂર્ણપણે સમાવી દીધું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘દર્શન પટે સમાય છે, લોક છ દ્રવ્ય જેમ; છે કાયમાં જીવ જગતના, સર્વ ગણાય તેમ. પદર્શન પણ એ રીતે, આ ષટું સ્થાનક માંહી; સમાય છે સમજણ વડે, મહાભાગ્યને સુખદાય. વિશાળ બુદ્ધિ યોગથી, સદ્ગુરુ ભક્તિ સહિત; વિચારતાં વિસ્તારથી, પ્રગટે તત્ત્વ ખચીત. સમ્યક્ દષ્ટિ પ્રકાશથી, વધે આત્મબળ ત્યાંહી; પછી કદી કોઈ જાતિનો, સંશય રહે ન કાંઈ.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૦૯-૫૧૨) Page #51 -------------------------------------------------------------------------- ________________ Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા — ૧૨૯ શાળાાં રીમ માટે, નૈધ્યુર્ં વૈદ્ય તેલ, પડે આ ૧૧ ૨ ૫ નારે, ઓપાર ખાન Page #53 -------------------------------------------------------------------------- ________________ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૨૯ ભૂમિકા અર્થ ગાથા ૧૨૮માં શ્રીમદે કહ્યું કે આત્માનાં છે પદમાં છએ દર્શનો સમાઈ જાય છે, તેથી આ છ પદ સર્વ તત્ત્વજ્ઞાનના સારરૂપ છે. આ છ પદ ઉપર વિસ્તારથી વિચાર કરતાં આત્માના સ્વરૂપ વિષે કંઈ પણ શંકા રહેતી નથી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાતાં આત્મભાવનું પ્રગટવું થાય છે અને તેથી સમ્યગ્દર્શનનો ઉદય થાય છે. હવે પ્રસ્તુત ગાથામાં સમ્યકત્વથી વિપરીત એવો મિથ્યાત્વભાવરૂપ રોગ અને તેનો ઉપચાર શ્રીમદ્ પોતાની અદ્ભુત વચનશૈલી દ્વારા દર્શાવે છે. વૈદ્યનું રૂપક યોજી શ્રીમદ્ કહે છે – આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; | ગાથા ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” (૧૨૯) આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્દગુરુ * જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. (૧૨૯) A આત્મભ્રાંતિ એટલે કે મિથ્યાત્વ એ જીવનો સૌથી મોટો રોગ છે. આત્મભાવાર્થ a] ભાંતિ એટલે પોતાના સ્વરૂપ વિષેનો ભમ. પોતાનું સ્વરૂપ ભૂલી પરમાં આત્મબુદ્ધિ કરવી એ આત્મભ્રાંતિ. એના જેવો અન્ય કોઈ મહારોગ નથી. આ રોગ જ સર્વ પ્રકારના દુઃખનું મૂળ છે અને અનાદિ કાળથી જીવ આ રોગથી પીડાય છે. આત્મભ્રાંતિના કારણે જ જીવને સંસારમાં જન્મ-મરણ કરવાં પડે છે. જો કે આત્મભાંતિરૂપ રોગ ભયંકર હોવા છતાં પણ યથાર્થ ઉપાય કરવાથી એ રોગ નિર્મૂળ થઈ શકે છે. જેમ શરીરની વ્યાધિના ઉપચાર માટે નિપુણ વૈદ્યની જરૂર છે, તેમ આ આત્મવ્યાધિના ઉપચાર માટે સદગુરુરૂપ સુજાણ વૈદ્યની જરૂર છે. જીવ જો બિનઅનુભવી અસગુરુનો આશ્રય લે તો આ મિથ્યાત્વરૂપી મહાભયંકર વ્યાધિ વકરે છે, તેથી યથાર્થ નિદાન કરી મિથ્યાત્વરૂપી વ્યાધિ મટાડે અને આત્મનીરોગિતા બક્ષે એવા સદ્ગુરુરૂપ વૈદ્યની શોધ કરવી જોઈએ. આત્મભાંતિરૂપ મહારોગને સંગુરુ સારી રીતે જાણે છે, તેમજ તેનો ઇલાજ પણ તેઓ સારી રીતે જાણે છે, કેમ કે એ વ્યાધિ પૂર્વે તેમને પોતાને પણ હતો અને સદ્ગુરુરૂપી વૈદ્યના આશ્રયે ઇલાજ કરીને જ પોતે સાજા થયા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન હતા. અનુભવપૂર્ણ સુજાણ સદ્ગુરુ જ આ મહારોગમાંથી જીવોને મુક્ત કરી શકે છે. રોગના ઇલાજમાં પરેજી અને દવા બન્નેની આવશ્યકતા રહે છે. પથ્યનું સેવન કરવાથી રોગ વધતો અટકે છે અને ઔષધ લેવાથી રોગ નિર્મૂળ થાય છે. વ્યાધિનું ભાન થાય અને એ વ્યાધિ દૂર કરી શકે એવા વૈદ્ય પણ મળે, તે છતાં પણ રોગી જો પથ્ય સેવે નહીં તો એ વ્યાધિ વધતો અટકતો નથી. તેથી આત્મભ્રાંતિરૂપ રોગ જેણે મટાડવો હોય તેણે પથ્યનું સેવન કરવું જરૂરી છે. એ પથ્ય છે ગુરુઆજ્ઞા. શ્રીગુરુએ સમ્મત કરેલું સર્વ પૂર્ણ રીતે સમ્મત કરવું અને તેમણે જેનો નિષેધ કર્યો છે એનો નિષેધ કરી, તેમના જણાવ્યા પ્રમાણે આચરણ કરવું એ પરેજી છે, તેથી કહ્યું છે કે સદ્ગુરુની આજ્ઞા અનુસાર ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી. એ પથ્યનું પાલન કરતાં આત્મભ્રાંતિરૂપ રોગ પહેલાં તો આગળ વધતો અટકે છે, પછી મંદ પડતો જાય છે અને ઔષધસેવનથી એનો નાશ થાય છે. એ રોગના ઔષધ તરીકે અહીં શ્રીમદે વિચાર અને ધ્યાન દર્શાવ્યાં છે, અર્થાત્ સ્વરૂપનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કહ્યાં છે. જે જીવ શ્રીગુરુ પાસે આત્મસ્વરૂપનું શ્રવણ કરી, મનન અને નિદિધ્યાસન (વિચાર અને ધ્યાન) કરે છે, તેનો આત્મબ્રાંતિરૂપ રોગ ટળે છે. આમ, શ્રીમદે રોગચિકિત્સાના રૂપક દ્વારા આત્મરોગ ટાળવા માટેનો ઉપાય સંક્ષેપમાં જણાવ્યો છે. સંસારી જીવો અનાદિ કાળથી રખડે છે અને ક્ષણે ક્ષણે ભાવમરણ કરી વિશેષાર્થ દુઃખી થાય છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુ:ખની બાહુલ્યતા છે. કોઈને એક વાતનું દુઃખ તો કોઈને બીજી વાતનું દુઃખ, પણ દુઃખનો અનુભવ પ્રાણીમાત્રને છે. સર્વ જીવોને તે દુ:ખ મટે એવી ઇચ્છા વ્યક્તપણે કે અવ્યક્તપણે રહે છે. દુ:ખ કોઈને ગમતું નથી. દુઃખ ન ગમતું હોવા છતાં, દુઃખ દૂર કરવાના પ્રયત્ન પણ કરતો હોવા છતાં દુઃખનું કારણ ટાળતો ન હોવાથી જીવ દુઃખી જ રહે છે. અપ્રિય એવા જે દુ:ખનો અનુભવ સર્વ જીવને કરવો પડે છે, તે દુ:ખ સકારણ છે. દુઃખનું તે કારણ ટળી શકે એમ છે. કારણ ટાળી દુઃખથી મુક્ત થઈ શકાય છે. દુઃખ એ જીવનો સ્વભાવ નથી અને તેથી તેનાથી મુક્ત થઈ શકાય છે. જીવ દુ:ખને ટાળવાનો ઉપાય તો કરે છે, પરંતુ દુઃખનું મૂળ કારણ જાણ્યું ન હોવાથી દુઃખ ટાળવાના તેના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે છે. દુઃખનું મૂળ કારણ જાણવામાં ન આવે તો દુઃખનો ક્ષય થઈ શકતો નથી. જેમ કોઈ મનુષ્ય કોઈક રોગથી અત્યંત દુઃખી છે, તેનાથી એ દુઃખ સહન થતું નથી, દુ:ખથી તેને છૂટવું પણ છે; પરંતુ દુઃખના મૂળ કારણને તે જાણતો નથી અને તેથી તેમાંથી મુક્ત થવાના સાચા ઉપાયથી પણ તે અજાણ રહે છે. તે પોતાને સમજાય તેવા ઉપાય કર્યા કરે છે, પણ તેનાથી દુઃખ દૂર થઈ શકતું નથી અને પરવશતાએ Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૨૩ તરફડી તરફડીને એ દુ:ખોને તે ફરી ફરી સહન કરતો રહે છે. કોઈ નિપુણ વૈદ્ય જ્યારે રોગનું નિદાન કરે, રોગજન્ય અવસ્થાની, તેનાં કારણોની તથા પૂર્વે તેમાંથી મુક્ત થવા તેણે કરેલા ઉપાયોની નિરર્થકતા સમજાવે ત્યારે તે રોગીને પોતાના રોગની સમજ પડે છે તથા એનો યથાર્થ ઇલાજ કરાવવાની રુચિ પ્રગટે છે. તે ઇલાજ કરાવી દુઃખથી મુક્ત થાય છે. તેમ આત્મભાંતિરૂપ રોગથી પીડિત સંસારી જીવ અનંત દુ:ખોની પરંપરામાંથી મુક્ત થવા માટે જાતજાતના ઉપાય અજમાવે છે, પરંતુ દુઃખ પ્રાપ્ત થવાનું મૂળ કારણ શું છે અને એ શાથી મટી શકે એ યથાર્થપણે સમજતો ન હોવાથી, તેમજ દુઃખ મટાડવા સંબંધી તેના પ્રયત્નો અયથાર્થ હોવાથી તેનું દુ:ખ મટી શકતું નથી. જીવને મહાભાગ્યોદયે સુજાણ સદ્ગુ૨ વૈદ્ય મળે છે ત્યારે તેઓ આત્મભાંતિરૂ૫ રોગનું નિદાન કરે છે. તેનાં લક્ષણો તથા એ આત્મબ્રાંતિરૂપ રોગજન્ય અવસ્થા આદિની તેને સમજણ આપે છે. તે જીવને પોતાના અનાદિ રોગની સમજ પડે છે તથા એનો ઇલાજ કરાવવાની રુચિ જાગે છે. સગુરુકૃપાથી તે દુઃખમુક્તિના સાચા ઉપાયમાં પ્રવૃત્ત થાય છે અને યથાર્થ આરાધના વડે દુ:ખનું મૂળ કારણ એવી આત્મશ્રાંતિ ટળતાં સર્વ દ:ખનો અભાવ થાય છે, સર્વ સુખનું શાશ્વત ધામ એવું શુદ્ધ આત્મપદ પમાય છે. સાંસારિક દુઃખરૂપી દરદમાંથી મુક્ત થવા માટે સદ્ગુરુરૂપી વૈદ્યના આશ્રયે રોગનું નિદાન અને તેનો ઇલાજ થવાં જોઈએ. આત્મબ્રાંતિરૂપ રોગની અમોઘ ચિકિત્સા શ્રીમદે આ ગાથામાં પ્રકાશી છે. તે એક સરળ દૃષ્ટાંત વડે સમજીએ – આધ્યાત્મિક ક્ષેત્રે દરદ વૈદક ક્ષેત્રે પેટનો દુઃખાવો કબજિયાત સંસારપરિભ્રમણ, સંસારદુઃખ આત્મભ્રાંતિ રોગ ચિકિત્સક - વૈદ્ય સદ્ગુ , પથ્ય મગનું પાણી પીવું, મીઠાઈ-ભજીયાં વગેરે ન ખાવાં. ગુરુઆજ્ઞા ૪ ઔષધ હરડે વિચાર અને ધ્યાન | ફળ મળશુદ્ધિ દ્વારા આરોગ્યની પ્રાપ્તિ | મિથ્યાત્વના રેચ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ (૧) રોગ - આત્મભ્રાંતિ આત્મભાંતિ એ જીવનો મૂળ રોગ છે. હું કોણ છું' એનું ભાન ન હોવું એ જ મૂળ રોગ છે. સ્વની બહાર રહેવું એ જ મૂળ રોગ છે, અસ્વાથ્ય છે. પોતાની Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન બહાર હોવું અને બહાર જ ભટકવું એના કરતાં મોટું દરદ બીજું કોઈ નથી. જેઓ પરથી ભિન્ન પોતાને જાણે છે, તેઓ જ પોતામાં સ્થિત થાય છે અને તેઓ જ સ્વસ્થ છે. અનાદિ કાળથી આજ પર્યંત અજ્ઞાની જીવને પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યનું ભાન થયું નથી. તેને જન્મોજન્મથી ભ્રાંતિ છે, વિપરીત માન્યતા છે કે ‘હું શરીર છું'. પોતે શરીર છે એવી ગાઢ માન્યતા તેને થઈ છે અને તેથી તે આત્મત્ક્રાંતિરૂપ રોગથી પિડાય છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે, જ્યારે શરીર જડત્વ લક્ષણથી લક્ષિત છે. શરીરમાં ક્ષણે ક્ષણે અનંતા પરમાણુઓ જોડાય છે અને છૂટાં પડે છે, પણ એકક્ષેત્રાવાહે રહેલા પુદ્ગલપિંડથી ચૈતન્યપિંડ તદ્દન જુદો હોવાથી આત્મામાં કાંઈ વધ-ઘટ થતી નથી. આત્મા અને શરીરની ભિન્નતાનું ભાન ન હોવાથી અજ્ઞાની જીવ શરીરની અવસ્થાઓને જ પોતાની અવસ્થા માને છે. તે દેહને પોતાથી ભિન્ન નથી માનતો, તે દેહને પોતાપણે માને છે. જીવને જેમાં પોતાપણું લાગે છે, તેમાં જ તેને રુચિ થાય છે. અજ્ઞાની પોતાના સ્વભાવને ઓળખતો નથી, આત્મામાં પોતાપણું સ્થાપતો નથી અને દેહાદ પરપદાર્થોમાં પોતાપણું સ્થાપે છે, તેથી તેને એની જ રુચિ રહ્યા કરે છે. અજ્ઞાનદશામાં પોતાપણું દેહાદિ પદાર્થોમાં સ્થાપેલું હોય છે અને તેથી તેની રુચિ, તેનું વીર્ય આદિ તે દિશામાં વહે છે. પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં પોતાપણું સ્થાપિત કર્યું ન હોવાથી આત્મા પ્રત્યે વીર્ય ઉલ્લસતું નથી. જીવ દેહાદિ પદાર્થોમાં પોતાપણું સ્થાપે અને આત્મામાં પોતાપણું ન સ્થાપે તો તેથી કંઈ દેહાદિ પદાર્થ પોતાના નથી થઈ જતા અને આત્મા પરાયો નથી થઈ જતો. જીવ અનાદિ કાળથી દેહાદિ પરપદાર્થોને પોતાના માને છે અને નિજ આત્માને પોતાનો નથી માનતો, પણ ન તો દેહાદિ પદાર્થ પોતાના થયા છે કે ન તો આત્મા પરાયો થયો છે. દેહાદિ નિકટ અને પરિચિત લાગવાથી તેને પોતાના માનવામાં આવે તોપણ તે પોતાના નથી બનતા અને આત્મા દૂર અને અપરિચિત લાગવાથી તેને પરાયો માનવામાં આવે તોપણ તે પરાયો નથી બનતો. જે પોતાના છે તેને પરાયા માનવાથી તે પરાયા નથી થઈ જતા અને જે પરાયા છે તેને પોતાના માનવાથી તે પોતાના નથી થઈ જતા, કેમ કે જે પોતાના છે તે ત્રિકાળ પોતાના જ છે અને જે પરાયા છે તે ત્રિકાળ પરાયા જ છે. જે પોતાના નથી તેને માટે જીવ ગમે તેટલો રાગ કરે, છતાં રાગ કરવાથી તે પોતાના નથી થઈ જતા. જે પોતાના છે તેને માટે જીવ ગમે તેટલો દ્વેષ કરે, છતાં દ્વેષ કરવાથી તે પરાયા નથી થઈ જતા. રાગનો ભ્રાંતિજન્ય સંબંધ સ્વપરના વાસ્તવિક સંબંધને કોઈ પણ રીતે પ્રભાવિત કરી શકતો નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ શરીરમાં જ અહંબુદ્ધિ હોવાથી શરીરનો નાશ થવાનો વખત આવે ત્યારે તેનું મન શરીરને પકડી રાખવા માંગે છે, જાણે તેનો સહારો છીનવાઈ જતો ન હોય! જેને વર્ષોથી તે હું સમજતો હતો તે શરીરને છોડવાનો વખત આવે ત્યારે તેને અત્યંત પીડા થાય છે, ભયંકર બેચેની થાય છે, કારણ કે જે શરીરને તે છોડવા નથી માંગતો, તે શરીર હવે છૂટી રહ્યું છે. મૃત્યુ સમયે પોતાનું માનેલું સર્વસ્વ છોડવાનો પ્રસંગ ઉદ્ભવતો હોવાથી તેને તે વખતે અત્યંત માનસિક તાણ ઊભી થાય છે. આ તાણના કારણે મૂચ્છ પેદા થાય છે તથા એ બેહોશીમાં જ દેહ છૂટી જાય છે અને તેથી પછીના ભવમાં મળેલા દેહમાં તેને તે પ્રમાણે જ અહંબુદ્ધિ થાય છે. આત્મબ્રાંતિના કારણે જીવ જેમ દેહને પોતાનો માને છે, તેમ તે રાગાદિ વિકારી ભાવોને પણ પોતાનું સ્વરૂપ માને છે. પોતે દેહદેવળમાં બિરાજમાન, દેહથી ભિન, શુદ્ધ, અમલ, અવિકારી, અખંડ, આનંદનો રસકંદ, જ્ઞાનનો ઘનપિંડ, ધ્યાનનું ધ્યેય, જ્ઞાનનું ય, શ્રદ્ધાનું શ્રદ્ધેય ચૈતન્યસ્વરૂપ આત્મા હોવા છતાં તે પોતાને અશુદ્ધ માને છે. તેની વર્તમાન પર્યાયમાં વિકાર છે, તથાપિ તેનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, અમલ છે; પરંતુ ત્રિકાળ અમલ સ્વરૂપને ન જોતાં તેની દષ્ટિ એક સમયની પર્યાય ઉપર જાય છે. વર્તમાન પર્યાય જેવો અને જેટલો હું છું' એવો વિપરીત નિર્ણય તે પોતા વિષે કરે છે. તે પોતાને અપૂર્ણ, અશુદ્ધ, સામર્થ્યહીન, વર્તમાન પર્યાયરૂપ માનીને પ્રવર્તે છે. આત્મા અમલ - શદ્ધ હોવા છતાં અજ્ઞાની તેને મલિન - અશુદ્ધ માને છે, પણ આમ માનવાથી આત્મવસ્તુ મલિન નથી થઈ જતી. તે તો અમલ જ રહે છે. માત્ર તેની માન્યતા જ મલિન છે. મૂળ વસ્તુ તો જેવી છે તેવી જ છે - શુદ્ધ. તેમાં કોઈ ગરબડ નથી થતી. જીવની માત્ર માન્યતા બગડી છે, આત્મવસ્તુમાં કોઈ બગાડ થયો નથી. તે અશુદ્ધિનો પ્રવેશ અનાદિ-અનંત અખંડ ચૈતન્યતત્ત્વમાં થયો નથી. અનાદિ કાળથી આજ સુધી જીવની માન્યતા બગડી હોવા છતાં પણ આત્મા તો શુદ્ધ ચેતનારૂપે આજે પણ વિદ્યમાન છે, કારણ કે ધ્રુવ આત્મવસ્તુમાં બગડવાનો સ્વભાવ છે જ નહીં. બગડવું કે સુધરવું એ માત્ર માન્યતામાં થાય છે, આત્મવસ્તુમાં આજ સુધી કંઈ જ બગડ્યું નથી અને બગડી શકશે પણ નહીં. માન્યતામાં શુદ્ધિ પ્રગટાવવાનો પ્રયાસ થાય કે ન થાય, આત્મવસ્તુમાં કદાપિ કંઈ બગડતું નથી. જે પણ ભૂલ કે બગાડ છે તે વસ્તુમાં નથી, માત્ર માન્યતામાં જ છે. જીવે આત્મસ્વભાવને શુદ્ધ કરવાનો પુરુષાર્થ નથી કરવાનો, માત્ર માન્યતા શુદ્ધ કરવાની છે, કારણ કે આત્મસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ જ છે. આત્મા તો સદા દેહથી ભિન, રાગથી ભિન્ન, શુદ્ધ ચેતનારૂપ જ છે. આત્મા ક્યારે પણ દેહરૂપે કે રાગરૂપે Page #59 -------------------------------------------------------------------------- ________________ “શ્ર""આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થયો જ નથી. માત્ર તે રૂપે હોવાનો ભ્રમ જીવને થયો છે. આ ભમને તોડવાનો છે. માત્ર આ વિપરીત માન્યતાને તોડવાનું કાર્ય કરવાનું છે. માન્યતા સુધારતાં આત્માનું હિત નીપજે છે અને અદ્ભુત પરિણામ આવે છે. ઊંધી માન્યતાથી બચવું તે જ સાચું આત્મકલ્યાણ છે. જગતના મોટા ભાગના જીવોને આત્મકલ્યાણની દરકાર જ નથી હોતી. ઊંધી માન્યતાથી બચવા માટે તો વિરલ જીવો જ પ્રયત્ન કરે છે. મૂઢ અજ્ઞાની જીવને ઊંધી માન્યતાથી બચવાનો પ્રયત્ન કરવાનું પણ સૂઝતું નથી. તેને સાચી શ્રદ્ધાનો પ્રયત્ન કરવાની કોઈ પરવા હોતી નથી. તે પ્રત્યેક ક્ષણે ઊંધી માન્યતામાં જ રાચે છે. ઊંધી માન્યતાના કારણે પર્યાયમાં ક્ષણે ક્ષણે આત્માની અનંત શક્તિનો અપ્રાગટ્યરૂપ ઘાત થાય છે. પોતાના આત્માની સાચી ઓળખાણના અભાવે દરેક સમયે આત્માની અનંત શક્તિ હણાય છે. આમ, આત્મભ્રાંતિના કારણે ભયંકર નુકસાન થાય છે. જીવની ઊંધી માન્યતાના કારણે તેનામાં પ્રતિક્ષણ રાગાત્મક અને ટ્રેષાત્મક પરિણામ નીપજે છે. શરીરમાં એકતા હોવાથી શરીરને અનુકૂળ હોય તેવી સામગ્રીમાં તે રાગ કરે છે અને પ્રતિકૂળ હોય તેવી સામગ્રીમાં તે દ્વેષ કરે છે. અનુકૂળ સંયોગમાં જ સુખ માનીને તે સંતુષ્ટ થઈ જાય છે, રાગમાં લયલીન થઈ જાય છે; અને જ્યાં તેનો વિયોગ થાય છે - પ્રતિકૂળતા આવે છે ત્યાં તે સંતાપ કરે છે, શોકાતુર થઈ જાય છે. કોઈ પણ સંયોગ - સ્ત્રી, પુત્ર, ધન આદિ આત્માને ઉપકારી નથી. તે આત્મીય વસ્તુ નથી, છતાં અજ્ઞાનના કારણે અજ્ઞાની જીવ તેને આત્મીય માનીને ઉપકારી માને છે. બાહ્ય સંયોગોથી જ પોતાને સુખી-દુઃખી માનીને, તેમાં જ રાગ-દ્વેષ કરીને તે દુઃખી થાય છે. શરીરની શાતા ઉપર જ લક્ષ હોવાથી તે ઇન્દ્રિયવિષયોમાં અટકે છે અને પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે. આત્મભાંતિ એ આત્મરોગ છે અને એ જ ભવભ્રમણનાં દુઃખનું મૂળ છે. પરિભમણનું મૂળ કારણ ભાંતિ છે, મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે, દષ્ટિમાં રહેલું વિપર્યાસપણું છે. બાંતિના કારણે જીવને અનિત્યમાં નિત્યબુદ્ધિ, પરમાં સુખબુદ્ધિ, દેહ તથા રાગમાં અહંબુદ્ધિ થાય છે. જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને તે કર્મભનિત અવસ્થાઓ અને ભાવોને – મનુષ્યાદિ પર્યાય તથા ક્રોધાદિ વિભાવોને પોતાનું સ્વરૂપ માને છે અને તેમાં જ મોહિત થાય છે, તેથી તે સંસારનાં ભયાનક દુઃખો ભોગવે છે. રસ્સીમાં સાપ દેખાય, છીપમાં રૂપું જણાય, કાચના મંદિરમાં શ્વાનને બીજો શ્વાન દેખાય, કૂવામાં જોતાં સિંહને બીજો સિંહ દેખાય તે સર્વ દૃષ્ટિનું વિપર્યાસપણું છે; એ પ્રમાણે અનાત્મમાં આત્મબુદ્ધિરૂપ ભ્રાંતિ તે જીવની વિપરીત દૃષ્ટિ છે. આત્મભ્રાંતિના કારણે જીવ અનંત કાળથી, અનંત ભવથી અપાર દુ:ખ ભોગવી રહ્યો છે અને જો તે આત્મબ્રાંતિને નિવૃત્ત Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ન કરે તો ભવિષ્યમાં પણ અનંત દુઃખ ભોગવવું પડશે. આત્મબ્રાંતિના ગર્ભમાં અનંત નરક અને નિગોદની અસીમ ક્લેશપરંપરા રહેલી છે. જીવને આવો આત્મભ્રાંતિરૂપ મહાવ્યાધિ લાગુ પડ્યો છે. આ આત્મભ્રાંતિરૂપ રોગ અનાદિ કાળથી પ્રવાહપણે ચાલ્યો આવતો હોવાથી આ રોગની અસર ખૂબ જ ઊંડી અને બળવત્તર છે, છતાં પણ યોગ્ય ચિકિત્સા દ્વારા એ નિવૃત્ત થઈ શકે છે. રોગ ત્રણ પ્રકારના હોય છે – ૧) સુસાધ્ય – સહજ રીતે મટી જાય. ૨) કષ્ટસાધ્ય અથવા દુ:સાધ્ય – મટતા ખૂબ તકલીફ થાય, ઘણી મહેનતે મટે. ૩) અસાધ્ય – મટે જ નહીં. આત્મભાાંતિરૂ૫ રોગ કષ્ટસાધ્ય છે, પણ અસાધ્ય નથી. આ રોગને જીવ સહેલાઈથી સમજી શકતો નથી, તેથી તેનાથી ઉત્પન્ન થતાં દુ:ખોના પ્રતિકાર માટે જીવ જે પણ ઉપાયો કરે છે, તે સર્વ નિષ્ફળ નીવડે છે. તે રોગ મટતો તો નથી, પરંતુ ક્યારેક વકરે પણ છે. આત્મજાંતિરૂપ આત્મરોગની નિવૃત્તિ અર્થે સાચા ચિકિત્સક - નિપુણ, નિષ્ણાત સદ્દગુરુરૂપી વૈદ્યની આવશ્યકતા રહે છે. (૨) વૈદ્ય - સદ્દગુરુ શારીરિક રોગ જેમ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે અને મટે છે, તેમ આત્મભ્રાંતિરૂપ રોગ પણ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે અને મટી જાય છે. શારીરિક રોગની નિવૃત્તિ અર્થે જેમ કુશળ વૈદ્યને શોધવામાં આવે છે, તેમ આત્મભાંતિરૂપ રોગની નિવૃત્તિ અર્થે સદ્ગુરુરૂપી વૈદ્યનો આશ્રય કરવો ઘટે છે. વ્યવહારમાં જેમ નિષ્ણાત વૈદ્ય પાસે જવામાં આવે છે, તેમ અધ્યાત્મવિશ્વમાં સુજાણ સદ્ગુરુના શરણે જવું આવશ્યક છે. શ્રીમદ્ કહે છે - જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.' જે વાતની પોતાને ખબર ન હોય તે વાત તેના જાણકાર પાસેથી જાણવી જોઈએ. આ ન્યાય અનુસાર જીવે આત્મબ્રાંતિરૂપ રોગ નિર્મૂળ કરવાનો ઉપાય સુજાણ એવા સદગુરુરૂપી વૈદ્ય પાસેથી જાણવા યોગ્ય છે. જીવ આત્મભ્રાંતિરૂપી રોગથી મુક્તિની વિધિ જાણતો નથી. તે એનાં ગૂઢ રહસ્યોથી અજાણ છે. સદ્ગુરુ એ વિધિમાં માહિર ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૭૧ (વ્યાખ્યાનમાર-૨, ૧૦-૮) Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. તેમણે આપેલ માર્ગદર્શનથી આત્મભાંતિરૂપી રોગ અત્યંત સરળતાથી અને સહજતાથી નિર્મૂળ થાય છે, માટે જીવે રોગમુક્તિની યથાર્થ વિધિની ઓળખાણ ગુરુગને પ્રાપ્ત કરવી જોઈએ. સદ્ગુરુ વિના જીવને આત્મભ્રાંતિનો નાશ કરનાર સદ્ધર્મનો જોગ થતો નથી, પરંતુ કેટલાક જીવો સદ્ગુરુની આવશ્યકતાનો સ્વીકાર નથી કરતા. તેઓ આત્મભાંતિરૂપી રોગના નિષ્ણાત વૈદ્ય એવા સદ્ગુરુ પાસે ઇલાજ કરાવવા નથી જતા. તેઓ નિજમતિકલ્પનાએ શાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ સદ્ગુરુના આશ્રય વિના નિજમતિકલ્પનાએ કરેલા શાસ્ત્રાભ્યાસથી તેમના મિથ્યાત્વ ઉપર ઘા તો નથી પડતો, પણ ક્યારેક તો એને પોષણ મળે છે અને તે વધુ પ્રગાઢ બને છે. આમ, સઘળું શાસ્ત્રાધ્યયન વૃથા જાય છે. નિજમતિકલ્પનાએ શાસ્ત્રાધ્યયન કરતાં શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થાય છે. લૌકિક અભિનિવેશ તો પહેલેથી હતો જ, તેમાં વળી શાસ્ત્રીય અભિનિવેશ ઉમેરાય છે. તેઓ શાસ્ત્રોના મનફાવતા અર્થ કરે છે અને પોતાની ઇન્દ્રિયલોલુપતા, પ્રમાદાદિને પોષવા શાસ્ત્રની આડ લે છે. તેઓ શાસ્ત્રનો ઉપયોગ પોતાનો સ્વાર્થ, પોતાની સગવડ પૂરી કરવા કરે છે, તેથી તેમની બુદ્ધિ વિકૃત બની જાય છે અને તેમની દૃષ્ટિ ઉપર પડળ પર પડળ ચડતાં જાય છે અને તેઓ સતુથી વિશેષ ને વિશેષ દૂર થતા જાય છે. આમ, નિજમતિકલ્પનાએ શાસ્ત્રાધ્યયન થાય તો તેનું પરિણામ ઘણું વરવું આવે છે. તેનાથી આત્મભાંતિરૂપ રોગ નિવૃત્ત તો થતો નથી, બક્કે ઊલટું જ પરિણામ નીપજે છે. જેમ કોઈ રોગી ગંભીર રોગથી મુક્ત થવા પોતાની મતિકલ્પનાએ વૈદક શાસ્ત્રો વાંચીને ઉપાયો કરે તો તેનો રોગ મટવાને બદલે વધી જવો સંભવે છે, પણ જો તે રોગી કોઈ કુશળ વૈદ્ય પાસે જાય તો અલ્પ પ્રયાસે અને અલ્પ સમયમાં તે રોગમુક્ત થઈ શકે છે. તેવી જ રીતે આત્મબ્રાંતિરૂપ રોગથી દૂર થવા માટે જો કોઈ પોતાની મતિકલ્પનાથી ધર્મશાસ્ત્રો વાંચીને ઉપાયો અજમાવે તો તે રોગથી મુક્ત થતો નથી અને આત્મબ્રાંતિરૂપ રોગ ઘટવાને બદલે વધી જાય છે. જો તે કોઈ અનુભવી સદ્ગુરુ પાસે જાય તો અલ્પ પ્રયાસે અને અલ્પ સમયમાં તે રોગમુક્ત થાય છે. આત્મભાંતિરૂપ રોગનું કારણ અને તેનો યથાર્થ ઉપાય અનુભવી સદ્ગુરુરૂપ વૈદ્ય જાણે છે, માટે તેમનો આશ્રય લઈ, તેઓ બતાવે તે ઉપાય કરવાથી આ રોગ મટે છે. શરીરના રોગ દૂર કરનાર વૈદ્ય તો અન્ય જીવો ઉપર પ્રયોગો કરી, તેમજ તત્સંબંધી ગ્રંથોનો અભ્યાસ કરીને નિષ્ણાત ચિકિત્સક બન્યા હોય છે; જ્યારે અધ્યાત્મક્ષેત્રે સદ્દગુરુરૂપ સુજાણ વૈદ્ય તો સ્વાનુભવથી નિષ્ણાત બન્યા હોય છે. તેઓ પોતે મિથ્યાત્વરૂપ રોગથી પીડિત દર્દી હતા, ઔષધસેવન કરી તેઓ રોગથી મુક્ત થયા અને હવે નીરોગી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અવસ્થાનો આનંદ માણે છે. સ્વયં અનુભવથી દર્દનું સ્વરૂપ, ચિહ્ન, કારણ, પરિણામ તથા ચિકિત્સા જાણતા હોવાથી તેમના માર્ગદર્શનમાં કોઈ ખામી રહેતી નથી. સદ્ગુરુએ બતાવેલો ઉપાય રામબાણ જેવો અમોઘ હોય છે. જેમ રામનું બાણ અમોઘ, અચૂક અને અફર હોય છે; તેમ સ્વાનુભૂતિપરિણત ગુરુનાં વચનો પણ રામબાણ જેવાં સચોટ હોય છે. સદ્ગુરુનાં વચનોને યથાર્થપણે ગ્રહણ કરવાથી અચૂક આત્મપ્રાપ્તિ થાય છે. રામબાણ જેવાં લક્ષસાધ્ય અમોઘ, અચૂક, અફર, સફળ ગુરુવચનોથી આત્મા સમજાય છે, મિથ્યાત્વ તૂટી જાય છે અને અતીન્દ્રિય આનંદમય સ્વભાવપરિણતિ પ્રગટ થાય છે. આત્માનુભવી સદ્ગુરુના માર્ગદર્શનનું અનુસરણ કરવાથી આત્મત્ક્રાંતિરૂપ રોગથી મુક્ત થવાય છે. પરંતુ જેઓ આત્મ-અનુભવી નથી એવા અસદ્ગુરુ ઊંટવૈદ્યનો આશ્રય કરવાથી રોગમુક્ત થવાતું તો નથી, પરંતુ રોગવૃદ્ધિની સંભાવના રહે છે. આમ, આ ગાથામાં પ્રયોજેલો ‘સુજાણ' શબ્દ ખૂબ અર્થગંભીર છે. ગાથા-૧૨૯ 1 સદ્ગુરુરૂપી વૈદ્ય શિષ્યની પાત્રતા અનુસાર તેને ઔષધ આપે છે. જેમ હીનાધિક ઔષધ આપવામાં વૈદ્યને કોઈ રાગ-દ્વેષનું કારણ નથી, તે બાળકોને અલ્પ માત્રામાં અને પુખ્ત વ્યક્તિને વધુ માત્રામાં ઔષધ આપે છે; તે પ્રમાણે સદ્ગુરુ શિષ્યોની શક્તિની હીનાધિકતાને લક્ષમાં રાખીને ઔષધરૂપે હીનાધિક સાધન આપે છે, તેમાં સદ્ગુરુને કોઈ પ્રકારે પક્ષપાત હોતો નથી. તેઓ શિષ્યની યોગ્યતા, શક્તિ ઇત્યાદિ અનુસાર તેને સત્સાધન કરવાનું કહે છે. કેટલાક લોકોનો એવો આગ્રહ હોય છે કે સદ્ગુરુનું કરવું અને કહેવું સરખું જ હોવું જોઈએ. તેઓ માને છે કે વ્યક્તિત્વ અને વક્તવ્ય જેના સમાન હોય તે જ સદ્ગુરુ બની શકે. પરંતુ ‘સદ્ગુરુનું વ્યક્તિત્વ અને વક્તવ્ય હંમેશાં એકસરખાં જ હોવાં જોઈએ તે વિધાન ખોટું છે. આ વાતમાં ઘણી વિસંગતિઓ છે. ઉદા. તરીકે વૈદ્ય મધુપ્રમેહ(diabetes)ના દરદીને ગળપણ વાપરવાની ના પાડે છે. હવે જો વૈદ્યને મીઠાઈ ખાતાં જુએ તો શું તે દરદી એવી દલીલ કરે ખરો કે ‘તમે પોતે તો મીઠાઈ ખાઓ છો અને મને શા માટે ના પાડો છો? કહો છો જુદું અને કરો છો જુદું!' ના, તેને ખબર છે કે વૈદ્ય બીમાર નથી, હું બીમાર છું. તેમની કરણી અને કહેણી જુદાં પડે તેમાં કશું અયોગ્ય નથી.' તેવી જ રીતે સદ્ગુરુના પણ વક્તવ્ય અને વ્યક્તિત્વ અસમાન હોય તેમાં કશું અયોગ્ય નથી. સદ્ગુરુ જે ભૂમિકા ઉપર છે તેનાથી જીવ ઘણો દૂર છે. સદ્ગુરુ નિરંતર સ્વરૂપની ખુમારીમાં છે, સહજ સમાધિમાં સ્થિત છે. બીમાર જીવને ઔષધ વાપરવાની આવશ્યકતા છે. જીવ આત્માંતિરૂપ રોગના કારણે બીમાર છે, તેથી તેને જે સારવારની જરૂર હોય તે અનુસાર સદ્ગુરુ સત્સાધનરૂપ ઔષધ આપે છે, પણ તે ઔષધની જરૂર સદ્ગુરુને નથી હોતી. તેઓ તો આત્મસમાધિમાં સ્થિત, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન સ્વરૂપસ્થ જ છે. સદ્ગુરુનાં વચનોમાં જીવની ચિકિત્સા સમાયેલી હોય છે. જીવની ભૂમિકા, રુચિ, સંજોગો વગેરે અનેક કારણસર સદ્ગુરુનું વક્તવ્ય બદલાતું રહે છે અને તેથી સદ્ગુરુનું વ્યક્તિત્વ અને વક્તવ્ય બન્ને એકસરખાં જોવા મળતાં નથી. જો આચરણ-ઉચ્ચારણને સમાન કરવામાં આવે તો કાં ગુરુ, કાં શિષ્ય - બેમાંથી એકને ચોક્કસ હાનિ પહોંચે. જો કોઈ વૈદ્ય નક્કી કરે કે ‘હું જે ખાઉં છું તેની જ સલાહ મારા બધા દરદીઓને આપું', તો દરદી હેરાન થાય અને જો એમ ધારે કે દરદીને આપેલી દવા હું પણ લઉં', તો તે પોતે હેરાન થાય! તેમ સદ્ગુરુ જે ભૂમિકામાં છે તે અનુસાર ઉપદેશ આપે તો સામેવાળાને સૂઝ ન પડે અને તેઓ શિષ્યને જે કહે તે પ્રમાણે પોતે કરે તો તેમની દશાને નુકસાન થાય. આ રીતે વૈઘની દવા જેમ બીમાર જીવના લાભાર્થે હોય છે, તેમ સદ્ગુરુનું વક્તવ્ય અજ્ઞાની જીવના ઉદ્ધાર માટે હોય છે. સદ્ગુરુરૂપી વૈદ્ય અનંત કરુણાથી જીવને તેના ભ્રમની માદકતા અનેક પ્રકારે સમજાવે છે. અસીમ કૃપાસિંધુ સદ્ગુરુ જીવને આત્મભાંતિથી થતા અકલ્પ્ય નુકસાનમાંથી ઉગારે છે. સદ્ગુરુ અસીમ કૃપા કરી મિથ્યાત્વરૂપી શસ્ત્રની તીક્ષ્ણ ધારથી થતા આત્મઘાતથી જીવને બચાવે છે. સ્વરૂપવિભ્રાંતિના કાળ એવા સદ્ગુરુ જીવનું મિથ્યાત્વ તોડાવી તેનું ભવચક્ર છેદે છે. સદ્ગુરુની નિશ્રામાં મિથ્યાત્વના નાશનું કાર્ય કોઈ અનેરી સરળતાથી, જાણે વિના પ્રયાસે સંપન્ન થાય છે. આમ, તત્ત્વલોચનના દાતા સદ્ગુરુ એ મોક્ષપ્રાપ્તિનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. સદ્ગુરુ ક્ષુદ્રતામાં જીવતા જીવને બહુ પ્રેમથી પ્રેરણા કરી જાગૃત કરે છે. તેઓ જીવના સુષુપ્ત ઉપાદાનને જાગૃત કરે છે અને સ્વપરાક્રમની દિશા ચીંધી તેના ઉપર પરમ ઉપકાર કરે છે. સદ્ગુરુના અમાપ અનુગ્રહથી પોતાનાં આગ્રહ, અભિમાન, ઇચ્છા, આકર્ષણ આદિ સર્વનો અંત લાવી, અનંત અવ્યાબાધ સુખના માર્ગે ચાલવાનો અપૂર્વ નિશ્ચય જીવને બંધાય છે, આત્મકલ્યાણનો દઢ મનોરથ ઉદ્ભવે છે. સદ્ગુરુ તેનામાં આત્મપ્રાપ્તિ માટે એવી ઝૂરણા જગાવે છે કે તે આત્મપ્રાપ્તિ કરવાના પ્રયત્નમાં જ લાગેલો રહે છે. તેને બીજું કંઈ સૂઝતું જ નથી. સદ્ગુરુની અલૌકિક દેશનાના બળે જીવની વૃત્તિ સ્થિર થાય છે. તેમના વચનયોગથી જીવને પોતાની સર્વ મૂંઝવણોનો ઉકેલ મળી જાય છે. સદ્ગુરુની કોમળતા, પ્રેમાળતા, શાંતતા, પ્રસન્નતા, નિઃસ્પૃહતા આદિ અનંત ગુણોને ઝળકાવતી અલૌકિક મુદ્રા તેને અપૂર્વ સ્વભાવ તરફ આગળ ને આગળ ધપાવે છે. સદ્ગુરુના દર્શનથી તેનું હૃદય કોમળ થઈ જાય છે, શાંતિ અનુભવે છે. સદ્ગુરુને નમવું તેને આનંદદાયક લાગે છે. સદ્ગુરુના નિરાળા જીવન તેમજ તેમની આત્મદશાના અવલોકનથી તે પ્રસન્નતા Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ અનુભવે છે. સદ્ગુરુના સાન્નિધ્યમાં તેનો બધો થાક ઊતરી જાય છે. સદ્ગુરુના વિશેષ તથા નિરંતર સંગમાં રહેવાથી ઉપશમ, ભક્તિ, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય છે અને સાત્ત્વિક સુખ-શાંતિનો અનુભવ થાય છે. આ અનુભવ જો કે તાત્ત્વિક સુખ-શાંતિનો અનુભવ નથી; પરંતુ જેમ સમુદ્ર હજી દેખાતો ન હોય છતાં પણ ત્યાંથી આવતી પવનની શીતળ લહેરીઓનો સ્પર્શ ખાતરી આપે છે કે સમુદ્ર હવે ક્યાંક નજીકમાં છે, જરૂર ત્યાં પહોંચાશે જ; એ રીતે સાત્ત્વિક આનંદની લહેરીઓ નિર્મળ આત્માનંદની શ્રદ્ધા જગાડે છે, તાત્ત્વિક આનંદની પ્રાપ્તિની હોંશ તીવ્ર કરે છે. સાત્ત્વિકતામાં અટક્યા વિના, સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર યથાર્થ આરાધના કરનારને તાત્ત્વિક અનુભૂતિ અવશ્ય થાય છે. સદ્ગુરુરૂપી વૈદ્યનો આવો અદ્ભુત મહિમા છે. (૩) પથ્ય આજ્ઞા ૩૧ કુશળ ચિકિત્સક પાસે રોગનું નિદાન કરાવ્યા પછી તેણે બતાવેલો ઇલાજ કરવાથી રોગમુક્ત થવાય છે. રોગની ચિકિત્સામાં બે વસ્તુ મહત્ત્વની છે ઔષધ અને પથ્ય (ચરી). જો પથ્યના પાલન સાથે ઔષધનું સેવન કરવામાં આવે તો અચૂક ફાયદો થાય છે, નહીં તો કોઈક વાર અનર્થકારક પરિણામ આવવાનો પણ સંભવ રહે છે. ચરી નહીં પાળવાથી ઔષધની અસર થતી નથી અને ક્યારેક તો ઔષધ વિપરીતપણે પરિણમે છે. તેવી જ રીતે ગુરુઆજ્ઞારૂપ પથ્યના પાલન સાથે જો સત્સાધનરૂપ ઔષધનું સેવન કરવામાં આવે તો તે અચૂક ગુણકારી થાય છે, નહીં તો આત્માર્થની હાનિ થવારૂપ અનર્થકારક વિપરિણામ આવે છે. ઔષધ આરોગ્યનું કારણ હોવા છતાં પણ પથ્યનું પાલન આવશ્યક છે. પથ્યપાલન વિના આરોગ્યની સિદ્ધિ થતી નથી. ઉદાહરણ તરીકે મળશુદ્ધિ કરવાના આશયથી જો હરડે ગ્રહણ કરે, પણ મગના પાણી પીવારૂપ તથા તળેલા પદાર્થો, મીઠાઈ વગેરે ભારે વાનગીઓ ન ખાવારૂપ પથ્યનું પાલન ન કરે, તેને હરડે ગ્રહણ કરવા છતાં મળશુદ્ધિના કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. જેમ પથ્યના પાલનપૂર્વક જો ઔષધનું ગ્રહણ થાય તો જ કાર્યસિદ્ધિ થાય, તેમ આજ્ઞા-આરાધનરૂપ પથ્યના પાલન-પૂર્વક શ્રીગુરુએ બતાવેલ સત્સાધનરૂપ ઔષધનું ગ્રહણ થાય તો જ ભ્રાંતિરૂપ રોગ મટે એમ પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ કહે છે. પથ્યનું પાલન અંતઃકરણના ભાવ વિના શક્ય નથી. રોગમુક્તિ માટેનો ભાવ જેટલો ઉગ્ર, તેટલું પથ્યનું પાલન કડક. જેટલું પથ્યપાલન કડક, તેટલી ઔષધની અસર ઝડપી. રોગ નિર્મૂળ થાય એમ જે જીવ અંતઃકરણથી ઇચ્છે છે તે કુશળ વૈદ્યનું શરણ લે છે અને પોતાનું ડહાપણ ડહોળ્યા વિના વૈદ્યની સૂચના પ્રમાણે ઔષધસેવન કરે છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જેના પરિણામે તે રોગમુક્ત થાય છે; તેમ આત્મત્ક્રાંતિરૂપ રોગથી મુક્ત થવા માટે ઇચ્છુક એવો આત્માર્થી જીવ સદ્ગુરુરૂપ સુજાણ વૈદ્યનું શરણ લે છે અને સ્વચ્છંદ છોડી, શ્રીગુરુની આજ્ઞા અનુસાર સત્સાધનરૂપ ઔષધનું સેવન કરે છે, જેના પરિણામે તે ભ્રાંતિરૂપ રોગથી મુક્ત થાય છે. જીવે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું ઘટે છે. પોતાનું સઘળું અર્પણ કરીને સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવામાં ઘણા સામર્થ્યની જરૂર પડે છે. અનંત કાળના પુષ્ટ થયેલા માનાદિ અસત્સંસ્કારોના કારણે જીવ સદ્ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરી શકતો નથી. સદ્ગુરુની આજ્ઞાને ગ્રહણ કરવામાં તેને અભિમાન આદિ દોષો આડા આવે છે. તે સદ્ગુરુની આજ્ઞા સાથે સમ્મત થતો નથી. તે સદ્ગુરુના આદેશ પ્રમાણે વર્તી શકતો નથી. તેમાં તેને પરતંત્રતા લાગે છે. તે સદ્ગુરુ પ્રમાણે વર્તવા નથી ઇચ્છતો, પણ પોતાને જેમ ફાવે તેમ વર્તવા ઇચ્છે છે. તેની મનોવૃત્તિને આજ્ઞા બંધનરૂપ લાગે છે. સદ્ગુરુની આજ્ઞા મળતાં ‘તત્તિ' કહી, તેનું આરાધન કરવા તેનું મન તૈયાર થતું નથી. તેને આજ્ઞા પ્રત્યે રુચિ કે મહિમા જાગતાં નથી. સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે જેને બહુમાન પ્રગટતું નથી, તેને આત્મા સમજાતો નથી. સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે બહુમાન, સદ્ગુરુના બોધનું શ્રવણ તથા મનન આ બધા શુભ ભાવ છે અને છતાં જેનામાં તે ન હોય તે જીવ સ્વચ્છંદી છે. કાં સર્વથા રાગ જ ન હોય, અર્થાત્ વીતરાગદશા પ્રગટી ગઈ હોય તો આવા શુભ ભાવ ન આવે અને કાં તો જીવ સ્વચ્છંદી હોય તો તેને સદ્ગુરુ પ્રત્યે બહુમાન-અર્પણતા જાગે નહીં. નીચલી ભૂમિકામાં પાત્ર જીવને તો સદ્ગુરુ પ્રત્યે આવા ભાવ અવશ્ય હોય જ છે. જેને સત્નો પ્રેમ હોય, તેને સદ્ગુરુ પ્રત્યે, સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે પ્રેમ આવ્યા વગર રહેતો નથી, કારણ કે સદ્ગુરુ તે મૂર્તિમાન સત્ છે. તે સદ્ગુરુની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કરે છે. તે સદ્ગુરુની આજ્ઞાને અમલમાં મૂકે છે. સદ્ગુરુ જે કહે છે તેમાં જ પોતાનું કલ્યાણ છે એવા વિશ્વાસપૂર્વક તે સદ્ગુરુએ બતાવેલ પથ ઉપર ડગ ભરે છે. શ્રીમદ્ પ્રકાશે છે ‘જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. - જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં..... જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.’૧ સદ્ગુરુની આજ્ઞાના આરાધનમાં અપરંપાર કલ્યાણ છે. સદ્ગુરુએ પોતાનામાંથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૬ (ઉપદેશછાયા-૫) Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૩૩ સંસારને તિલાંજલિ આપી દીધી હોવાથી તેમના જીવનમાં આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ રહ્યો હોતો નથી, તેથી સ્વાભાવિક છે કે તેમની આજ્ઞા જીવને આત્માર્થમાં જ પ્રેરે છે. સદ્ગુરુની આજ્ઞાના ધોરી પંથે ચાલતાં જીવ આત્મસ્વરૂપની વધુ ને વધુ નિકટ આવે છે. સદ્દગુરુની આજ્ઞાના સબળ માધ્યમ દ્વારા જીવને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. સદ્ગુરુની આજ્ઞા જીવને ભવસમુદ્રમાં તણાઈ જતાં અટકાવે છે, સંસારદાવાનળમાં બળી જતાં બચાવે છે. પરપદાર્થને જોઈને તે પ્રાપ્ત કરવાની ઇચ્છામાં પરપદાર્થો પાછળ દોડતી જીવની પરિણતિને આજ્ઞારૂપી અંકુશ રોકે છે અને જીવને વ્યાકુળતાથી ઉગારે છે. પરિણતિ જો આજ્ઞામાં રહે તો જીવનું કદાપિ અહિત થતું નથી. જીવ જો એકનિષ્ઠાએ આજ્ઞારાધન કરે તો તે કર્મોદય સામે સુરક્ષિત રહે છે, પરંતુ પરિણતિ આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો અંતરમાં પોતાના અસત્સંસ્કારોનો તથા બાહ્યમાં કર્મોદયનો શિકાર બની તે જીવ અનંત સંસારની વિટંબણામાં પડે છે. આત્માર્થી જીવ સદ્ગુરુની આવશ્યકતા અને મહત્તા સમજે છે. તે જાણે છે કે સદ્ગુરુની આજ્ઞાના પાલન વિના મોક્ષ નથી મળતો. ‘સદ્ગુરુની આજ્ઞાભક્તિ નિરંતર, અચળપણે, અખંડપણે રહો' એવી જ તેની અભિલાષા હોય છે. પોતાનું સર્વસ્વ અર્પણ કરી દઈ, પોતાની સંપૂર્ણ શક્તિથી તે સગુરુની આજ્ઞાભક્તિનું આરાધન કરવા ઇચ્છે છે. તે પોતાનું સમસ્ત જીવન સદ્ગુરુના ચરણે સોંપી, સ્વચ્છંદ અને પ્રમાદરહિત તેમની આજ્ઞા ઉપાસવાની ભાવના ભાવે છે. માતા બાળકને લખતાં શીખવાડતી હોય ત્યારે માતા બાળકના હાથમાં પેન્સિલ પકડાવે છે અને પછી એનો નાનકડો હાથ પોતાના અનુભવી હાથમાં લે છે. તે અક્ષરો લખતી જાય છે અને બાળક એ શીખતું જાય છે. બાળક પોતાનો હાથ માતાના હાથમાં આવવા દે છે. પછી માતાને ચલાવવા દે છે. વચ્ચે એ પૂછતું નથી કે આમ ઉપર કેમ લાવે છે અને આમ નીચે કેમ લાવે છે અને આમ ગોળ ગોળ કેમ ફેરવે છે. એ કાંઈ જ પૂછતું નથી. માતા કરાવે તેમ એ કરે છે. એ પોતાના હાથને અક્કડ નથી બનાવતું, નથી એ જોર કરતું કે નથી આગ્રહ કરતું. જો કે એને કશું સમજાતું નથી, અક્ષરો એનાથી ઉકેલાતા પણ નથી; તોપણ માતા હાથ ચલાવે તેમ ચલાવવા દે છે અને છેલ્લે ‘પોતાનું' એ લખાણ પૂરું થાય ત્યારે એ ખુશ થઈને મારી સામે જુએ છે. તેવી જ રીતે આત્માથી શિષ્ય પણ ભાવના કરે છે કે પ્રભુ, મારો હાથ આપના હાથમાં લો અને એ લઈને આપ લખતા રહો. એની વચ્ચે હું મારું ડહાપણ ચલાવીશ નહીં, સ્વછંદ આચરીશ નહીં, આગ્રહ કરીશ નહીં. એ લખાણ મને ન સમજાય, એનું રહસ્ય મારાથી ન ઉકેલાય તોપણ વાંધો નથી. આપ જે લખાવો છો એ સાચું જ છે એવી શ્રદ્ધા રાખી આપ લખાવો એમ લખતો રહીશ અને એને સમજવાનો પ્રયત્ન કરીશ.' Page #67 -------------------------------------------------------------------------- ________________ ३४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાંતિરોગથી છૂટવા ઇચ્છતો આત્માર્થી જીવ સદ્દગુરુની આજ્ઞાની દઢ પકડ કરે છે. તે સગુરુની આજ્ઞાનું સર્વ પ્રકારે આરાધના કરવાનો દઢ સંકલ્પ કરે છે. આવો અડગ સંકલ્પ કરનાર જ ઔષધનો અધિકારી બને છે, અર્થાત્ સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો જેનો દઢ નિશ્ચય છે અને તે નિશ્ચયને જે આરાધે છે તેને જ ઔષધસેવન આત્મોપકારી નીવડે છે. (૪) ઔષધ - વિચાર ધ્યાન વૈદ્ય ગમે તેટલો પ્રવીણ હોય અને તેના પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય તોપણ માત્ર વૈદ્યને મળવાથી રોગી રોગથી મુક્ત થઈ શકતો નથી. વૈદ્ય આપેલી દવા પીવાથી જ રોગમુક્તિ સંભવે છે. તેમ સદ્ગુરુ શ્રેષ્ઠ હોય અને તેઓશ્રી પ્રત્યે પ્રેમ હોય, પણ તેટલામાત્રથી આત્મબ્રાંતિરૂપી રોગથી મુક્તિ થઈ જતી નથી. આત્મભાંતિથી મુક્ત થવાનો ઉપાય છે તેમણે આપેલ ઔષધને ગ્રહણ કરવું. તેમણે આપેલા ઔષધને આત્માના પ્રદેશ પ્રદેશમાં આત્મસાત્ કરવાથી જ આત્માનો અનાદિનો આત્મજાંતિરૂપી રોગ ટળે છે. ગુરુએ આપેલ અલૌકિક ઔષધિનું સેવન કરતાં આત્મભાંતિરૂપ વ્યાધિ ટળે છે અને જીવને સમ્યકત્વરૂપ તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. જીવ સદ્ગુરુરૂપી વૈદ્યના આશ્રયે જઈ, તેમની આજ્ઞામાં રહેવારૂપ પથ્ય પાળી, વિચાર અને ધ્યાનરૂપ ઔષધનું સેવન કરે તો નિઃસંદેહ તેના આત્મભ્રાંતિરૂપી રોગની નિવૃત્તિ થાય છે અને તેને સ્વરૂપમય દશારૂપી સ્વાથ્યની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ કહે છે - અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.’ પ્રસ્તુત ગાથામાં શ્રીમદે મિથ્યાત્વરૂપ રોગ મટાડવા માટે વિચાર અને ધ્યાન ઔષધરૂપ કહ્યાં છે. આ બન્ને સાધનોનાં સેવનથી અનાદિથી ચાલી આવતી આત્મભ્રાંતિ ટળી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં, આ જ સાધનો જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી મોક્ષરૂપી મહાલાભ પ્રદાન કરે છે. “વિચાર” અને “ધ્યાન' એ બન્ને મહત્ત્વનાં સાધનો હોવાથી તે વિશેષ વિચારણા માંગે છે. માટે પ્રથમ વિચાર' અને “ધ્યાન' વચ્ચેના ભેદને સમજી, પછી તેના પ્રયોગાત્મક અભ્યાસ વિષે વિચારીશું. વિચાર અને ધ્યાન અંતરજ્યોતિનાં રૂપો છે. ચિત્તની ચંચળ અવસ્થા તે વિચાર છે અને ચિત્તની સ્થિર અવસ્થા તે ધ્યાન છે. વિચાર વખતે ચિત્ત ચંચળ હોય છે. જ્યારે ચિત્તની ચંચળતા ઘટે છે, વિકારો શાંત થાય છે અને એકાગ્રતા વધે છે ત્યારે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૭૨૪ (ઉપદેશછાયા-૧૧) Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૩૫ ચિત્ત સ્થિર થાય છે. આવી એકલયતા આવે છે ત્યારે ધ્યાન સિદ્ધ થાય છે. આ પ્રમાણે વિચાર અને ધ્યાન એ બન્ને એક જ ચિત્તની બે અવસ્થા છે. ચિત્તની અનેક પ્રકારની અવસ્થાઓ હોય છે. ચિત્તમાં પ્રતિક્ષણ ઊઠતા વિચારો, પોતાની ઇચ્છાથી કરાતા ભિન્ન ભિન્ન વિષયો વિષેના વિચારો, એક જ વિષય ઉપર એકાગ્રતાથી થતા વિચારો, વિચારો ઉપર બળપૂર્વક થતું નિયંત્રણ, વિચારો ઉપર સહજસાધ્ય પ્રભુત્વ, ચિત્તની સવિકલ્પદશા, નિર્વિકલ્પદશા ઇત્યાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વર્ગીકરણ કરી, તે માટે ભિન્ન ભિન્ન પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે. ચિત્તની શક્તિ એટલી સૂક્ષ્મ, સંકુલ અને સતત પ્રવાહવાળી છે કે એને અમુક ચોક્કસ પ્રકારના ચોકઠા(watertight compartment)માં ગોઠવવાનું બહુ અઘરું છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ક્યારે અને કેવી રીતે સરી પડાય છે એ પકડવું અઘરું છે. કેટલીક અવસ્થાઓ એટલી નજીક નજીકની હોય છે, એટલી મળતી આવે છે કે તેને તદ્દન ભિન્ન પાડી શકાતી નથી. આ અવસ્થાઓને કોઈક એક નામ આપે છે તો કોઈક બીજું નામ આપે છે. એમ છતાં એકંદરે જે મુખ્ય મુખ્ય અને રૂઢ થયેલાં નામવાળી અવસ્થાઓ છે તે વિષે પૂર્વાચાર્યોએ ઘણો સારો પ્રકાશ પાડ્યો છે આલંબન સહિત અસ્થિર ચિત્તવૃત્તિપ્રવાહ તે ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના. આલંબન સહિત સ્થિર ચિત્તવૃત્તિપ્રવાહ તે ધ્યાન. આલંબન રહિત સ્થિર ચિત્તવૃત્તિપ્રવાહ તે સમાધિ. (૧) ચિંતન ચિંતનમાં વિષયોની કોઈ સીમા હોતી નથી. વિચારધારા મુક્ત ભાવથી વહે છે. વિકલ્પો થયા કરે છે અને નવા નવા વિષયોના વિચારોથી ચિત્ત ઉભરાયા કરે છે. (૨) અનુપ્રેક્ષા અનુપ્રેક્ષામાં એક જ વિષય ઉપરના અનેક વિચારો છે. આમાં નિશ્ચિત કરેલા એક વિષય ઉપર જ વિચારવામાં આવે છે. તેમાં વિષય બદલાતો નથી, માત્ર વિકલ્પ બદલાતા રહે છે. દા.ત. અનિત્ય અનુપ્રેક્ષા કરતી વખતે પદાર્થના અનિત્ય સ્વભાવ વિષે જ વિચારો કરવામાં આવે છે. વિચારો બદલાય છે, પણ પદાર્થના અનિત્ય સ્વભાવનો વિષય બદલાતો નથી. (૩) ભાવના ભાવનામાં એક જ વિષયના એક જ વિકલ્પનું પુનરાવર્તન થાય છે. અનુપ્રેક્ષામાં એક વિકલ્પ બીજી વાર રટવામાં આવતો નથી, જ્યારે ભાવનામાં એકનો એક વિકલ્પ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફરી ફરી રટવામાં આવે છે. દા.ત. ‘આત્મા અને શરીર ભિન્ન છે', આ પ્રકારનો વિકલ્પ તે અન્યત્વ અનુપ્રેક્ષા છે. આ વિકલ્પ અનેક વાર રટવામાં આવે ત્યારે તે ભાવના બની જાય છે. તેથી ભાવના એટલે એક જ વિચારનું પુનરાવર્તન, એક જ વિચારનો વારંવાર અભ્યાસ. એક જ વિચારનો જ્યારે વારંવાર અભ્યાસ થાય છે ત્યારે જૂના સંસ્કારનો નાશ થાય છે અને નવા સંસ્કારનું નિર્માણ થાય છે.' (૪) ધ્યાન ચિંતન કરતાં અનુપ્રેક્ષામાં અને અનુપ્રેક્ષા કરતાં ભાવનામાં ચંચળતા ઓછી છે. જેમ જેમ આત્મવિચારના ઘોલન વડે ચૈતન્યરસ ઘૂંટાય છે, તેમ તેમ પર સંબંધીના વિચારો છૂટતા જાય છે અને માત્ર સ્વ સંબંધીના સૂક્ષ્મ વિકલ્પો રહે છે. આ અવસ્થાને ધ્યાન કહે છે. અહીં આત્મા અંગેના વિકલ્પોથી પણ જુદા રહીને તેને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઉપયોગ જ્ઞાનાનંદસ્વરૂપ એવા નિજતત્ત્વસમ્મુખ થાય છે અને તેને ત્યાં જ એકાગ્ર કરવાનો અભ્યાસ થાય છે. હજુ અહીં સ્વસંવેદન પ્રગટ્યું નથી, પણ ઉપયોગની સૂક્ષ્મતા અને પરિણામની શાંતતા અત્યંત વેદાય છે. (૫) સમાધિ | ચિત્તવૃત્તિ સહજ રીતે ધ્યેય તરફ પ્રવાહિત રહે ત્યારે ધ્યાન લાગ્યું કહેવાય. આ અવસ્થામાં ધ્યેય સિવાયના બધા વિચારો ચિત્તમાંથી હટી ગયા હોય છે અને માત્ર ધ્યેય જ ચિત્તમાં રમી રહ્યું હોય છે, કિંતુ હજુ ધ્યેય અને ધ્યાતાનો ભેદ રહે છે. એ પછીની અવસ્થામાં ધ્યાતા-ધ્યેય, જ્ઞાતા-શેય, દ્રષ્ટા-દશ્ય વચ્ચેનો ભેદ પણ શમી જાય છે, જેને સમાધિ કહે છે. તેમાં ધ્યેય સંબંધી સૂક્ષ્મ વિચારને પણ ઓળંગી જઈને વિચાર વગર, કેવળ સ્વરૂપનું - સત્તામાત્રનું સ્વસંવેદન રહે છે. ધ્યાતા-ધ્યેયના ભેદ વગરની આ ૧- એક જ વિચારને - ભાવને વારંવાર રટવામાં આવે છે, તેથી જૂનું ધોવાઈ જાય છે અને નવું નિર્માણ થાય છે, નવીન દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. ભાવનાના આ લાભને લક્ષમાં રાખીને જ જપની સાધના કરવામાં આવે છે. મંત્રના શબ્દના અર્થથી ભાવિત થઈ જવું તે જપ છે. મંત્ર એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત દશા મેળવવા માટેનું ભાવનાત્મક ગૂંથન હોય છે. આત્મવિશુદ્ધિ અર્થે આવા સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે, જેને મંત્રજાપ કર્યો એમ કહેવાય છે. પરંતુ માત્ર શબ્દની રટના તે જપ નથી. તેના અર્થની રટના તે જપ છે. જે શબ્દોની રટના કરવામાં આવે તેના અર્થમાં તન્મય થઈ જવું તે જપ. શબ્દના અર્થથી પોતાને ભાવિત કરવું, પ્રભાવિત કરવું, તેમાં તન્મય થઈ જવું તે જપ છે. શબ્દનું ઉચ્ચારણ કરતાં તેનો વાચ્યાર્થ - ભાવ હાજર થવો જોઈએ. જેમ કે અહંત શબ્દનું ઉચ્ચારણ કરતાં અહંત ભગવાનના ગુણોનું તાદશ રૂપ મનમાં પ્રત્યક્ષ થવું જોઈએ. શબ્દ એકલો ન રટાતાં તેનો વાચ્યાર્થ પણ રટાવો જોઈએ. વાચ્ય-વાચકનો સંબંધ ધ્રુવ, અવિચ્છિન્ન, અખંડ રહેવો જોઈએ. આવા લક્ષણના અભાવમાં કરેલા મંત્રજાપ સામોફોનની રેકર્ડ જેવા બની રહે છે. તેનાથી મોક્ષમાર્ગનું પ્રયોજન સધાતું નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૩૭ અવસ્થામાં આત્મા પોતાના સ્વરૂપમાં જ એકરસ રહે છે. તેને અન્ય કોઈ રસ હોતો નથી. બધા પ્રકારના વિકલ્પો અટકી જાય છે અને મન શાંત થઈ જાય છે. ચૈતન્યઉપયોગ અંતરમાં પોતાના ઉત્પત્તિસ્થાન સુધી પહોંચીને તેમાં એવો તન્મય થઈ જાય છે કે અદ્વૈતના મહા આનંદમાં કોઈ દૈત જણાતું નથી. પરમાત્માનો આ વિલાસ છે, સ્વરૂપની સિદ્ધિ છે, નિર્વિકલ્પ આનંદસમાધિ છે. ઉપર્યુક્ત વિવેચનનો સાર આ પ્રમાણે છે – ૧) ચિંતન = અનેક વિષય, અનેક વિકલ્પ. ૨) અનુપ્રેક્ષા = એક વિષય, અનેક વિકલ્પ. ૩) ભાવના = એક વિય, એક જ પ્રકારના વિકલ્પનું પુનરાવર્તન. ૪) ધ્યાન = એક વિષય, એક વિકલ્પ, પુનરાવર્તનનો અભાવ. સ્થૂળ વિચારનો અભાવ અને સૂક્ષ્મ વિચારની ઉપસ્થિતિ. વિકલ્પોથી છૂટા રહેવાનો અભ્યાસ. ઉપયોગની ધ્યેય તરફ સન્મુખતા. ૫) સમાધિ = નિર્વિકલ્પતા. પ્રથમ ત્રણ અવસ્થા - ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના એ “વિચાર”માં સમાવિષ્ટ છે. “વિચાર”માં સ્વ-પર, સ્વભાવ-વિભાવ આદિ સર્વના વિચાર કરીને ભેદજ્ઞાનની દઢતા કરવાની છે; જ્યારે સ્વતત્ત્વને જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન તે “ધ્યાન' છે. વિચારનું ફળ ધ્યાન છે અને ધ્યાન વડે પાંચમી સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્વિકલ્પ સ્વાનુભવ પ્રાપ્ત થાય છે.' વિચાર અને ધ્યાન વચ્ચેના ભેદની વિચારણા કર્યા પછી હવે તેને પ્રયોગાત્મક રીતે સમજીએ – સદ્ગુરુના આત્મવિષયક ઉપદેશને અત્યંત પ્રેમ, શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક સાંભળવો તથા તેમની આજ્ઞાએ સતુશાસ્ત્રનું વાંચન કરવું. શ્રવણ-વાંચન કરેલા બોધ ઉપર વિચારણા-મનન કરી તે જ્ઞાનને સુદઢ બનાવવું, અર્થાત્ દઢ તત્ત્વનિર્ણય કરવો. ૧- ધ્યાનાભ્યાસની સિદ્ધિથી સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. તેમાં નિર્વિકલ્પ અનુભવ વર્તતો હોય છે. યોગની પરિભાષામાં ધ્યાન અને સમાધિ એ બે ભિન્ન ભિન્ન અવસ્થા છે, પરંતુ વ્યવહારમાં કેટલીક વાર ધ્યાન અને સમાધિ એક જ અર્થમાં વપરાય છે. ધ્યાનને સમાધિના અર્થમાં પણ પ્રયોજવામાં આવે છે. ધ્યાનને સવિકલ્પ ધ્યાન તથા સમાધિને નિર્વિકલ્પ ધ્યાન કહેવામાં આવે છે. પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્રને ધ્યાન દ્વારા સવિકલ્પ ધ્યાન અભિપ્રેત છે, કારણ કે તેમણે ધ્યાનનો સમાવેશ ઔષધમાં કર્યો છે, ઔષધના ફળરૂપે પ્રાપ્ત થતા સ્વાથ્ય માટે નહીં, અર્થાત્ ધ્યાનના ફળરૂપે પ્રાપ્ત થતી નિર્વિકલ્પ સ્વરૂપસમાધિરૂપ સ્વાથ્ય માટે નહીં. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યથાર્થ નિર્ણય કર્યા પછી તેની નિરંતર ભાવના કરવી. વૃત્તિને આત્માની સન્મુખ કરવી. અંતર્મુખ અભ્યાસ દ્વારા વૃત્તિને નિજતત્ત્વ તરફ વાળવાનો પ્રયત્ન કરવો તે ધ્યાન - નિદિધ્યાસન છે. જે જીવ આ રીતે સદ્ગુરુના બોધસ્વરૂપ વચનામૃતનું મનન-નિદિધ્યાસન (વિચાર અને ધ્યાન) કરે છે, તેનો આત્મભાંતિરૂપ રોગ ટળે છે. જે જીવના અંતરમાં આત્માર્થીપણું પ્રગટે છે, તે જીવ સદ્ગુરુ પાસે આત્મસ્વરૂપનું શ્રવણ કરી, વારંવાર તેની વિચારણા કરી આત્મસ્વરૂપનો નિર્ણય કરે છે; અને પછી અભ્યાસ દ્વારા પરિણામને વારંવાર તેમાં જોડીને, અંતર્મુખ ઉપયોગ વડે અનુભવ સહિત તેનું સાચું દર્શન કરે છે. જ્ઞાનાનંદસ્વરૂપી આત્માનો અગાધ મહિમા સગુરુ પાસેથી જાણી, વારંવાર વિચાર કરવાથી પદાર્થનો નિર્ણય થાય છે અને પછી ઉપાદેય એવા જ્ઞાનાનંદસ્વરૂપ તરફ વળતાં આત્મજ્ઞાન પ્રગટી, આત્મબ્રાંતિરૂપ રોગની નિવૃત્તિ થાય છે. આ રીતે વિચાર (તત્ત્વનિર્ણય) અને ધ્યાન (અંતર્મુખતાનો અભ્યાસ) આત્મજાંતિરૂપ રોગને મટાડવા માટે સમર્થ ઔષધ છે. પોતે દેહથી અને રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવી પરમાત્મા છે એવી પોતાના આત્માની પ્રભુતા મુમુક્ષુ જીવ જ્યારે સદ્ગુરુના શ્રીમુખે સાંભળે છે ત્યારે તેને પોતાના આત્માનો અત્યંત મહિમા જાગે છે. પોતાના આત્માની પ્રભુતાનું ભાન થતાં તેને ખૂબ અહોભાવ થાય છે અને તેમાં જ સ્થિર થઈ દુઃખથી મુક્ત થવાનો નિર્ણય કરે છે. અત્યાર સુધી તે તેના આત્મસ્વરૂપની પ્રભુતા જાણી શક્યો ન હતો તેનો તેને ખેદ થાય છે અને ‘આ ભવભ્રમણથી છૂટીને મારે હવે તો સદાને માટે આત્મામાં જ સ્થિર થવું છે, આત્માના શાંત-નિર્વિકલ્પ રસનું જ પાન કરવું છે' એવો તે નિશ્ચય કરે છે. તે નિર્ધાર કરે છે કે “આત્મકલ્યાણને માટે મળેલા આ ઉત્તમ અવસરને કોઈ પણ સંજોગોમાં ખોવો નથી. આ મહામોંઘો મનુષ્યભવ મળ્યો છે તો હું આત્માનું કામ કરી લઉં. આ મનુષ્યભવમાં સ્વકાર્ય સાધી લઉં. ત્રિકાળી નિજ શુદ્ધાત્માના આશ્રયથી મારી શુદ્ધતા પ્રગટાવું. આ મનુષ્યદેહે આત્મભાંતિથી છૂટી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એ જ એક કરવા યોગ્ય કાર્ય છે.' મુમુક્ષુ જીવ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રથમ તત્ત્વનો નિર્ણય કરે છે. સર્વજ્ઞા ભગવાને દિવ્ય વાણી વડે જે ઉપદેશ્ય છે, તે સદ્ગુરુ પાસેથી શ્રવણ કરીને તે મુમુક્ષુ તત્ત્વનો નિર્ણય અને નિશ્ચય કરે છે. સદ્દગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ બોધ ઉપર વિચાર કરી તત્ત્વનિર્ણય તથા તત્ત્વપ્રતીતિ કરે છે. સદ્ગુરુના બોધ અનુસાર તે જડ અને ચેતન એ બે તદ્દન વિપરીત સ્વભાવવાળાં દ્રવ્યોની ભિન્નતાની વિચારણા કરે છે. તે આત્માની પરથી ભિન્નતાનો નિર્ણય કરવા અર્થે પરપદાર્થના સ્વરૂપનું ચિંતન કરે છે. પરપદાર્થનું ચિંતન બે પ્રકારે થાય છે. એક રાગ-દ્વેષની લાગણી સહિત થાય છે તો બીજું, Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૩૯ પરપદાર્થથી આત્માનો સ્વભાવ જુદો છે એમ નિશ્ચય કરવા માટે થાય છે. પરપદાર્થનું એક ચિંતન તેના પ્રત્યેના આકર્ષણના કારણે થાય છે અને બીજું ચિંતન પરપદા સ્વરૂપનો વિચાર કરી, તેનાથી પાછા હટવા માટે થાય છે. મુમુક્ષુ જીવ જડ-ચેતનની ભિન્નતાનો અને સ્વતંત્રતાનો નિર્ણય કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવા વસ્તુસ્વભાવનો તે સ્વીકાર કરે છે. તે વિચારે છે કે હું જ્ઞાનસ્વભાવી છું, માત્ર જાણનાર છું. શેયમાં કશે પણ રાગ-દ્વેષ કરીને અટકવાનો મારો જ્ઞાનસ્વભાવ નથી. પરમાં થતાં પરિવર્તનોનો હું માત્ર જાણનાર છું. મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરી શકતો નથી. જ્ઞાન સાથે મારા સ્વભાવમાં શાંતિ, આનંદ વગેરે પણ છે. ચૈતન્યસ્વભાવી આત્મા અનંત શાંતિ અને અખંડ આનંદથી ભરપૂર છે. આત્મામાં સુખ, શાંતિ, શીતળતા ભર્યા છે. તે છતાં હું દુઃખી છું તેનું કારણ માત્ર એટલું છે કે મેં પોતાને જાણ્યો નથી અને પરમાં અહ-મમ બુદ્ધિ કરી બેઠો છું. દુઃખનિવારણ તો આત્મસ્વરૂપનું અનુસંધાન કરી, તેમાં લીન થવાથી થઈ શકે છે.' - સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનપ્રકાશમાં તે જ્યારે જાત અને જગતનું વાસ્તવિક દર્શન કરે છે ત્યારે તેને સમજાય છે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ તેને સુખી કે દુઃખી કરી શકતાં નથી. સ્વરૂપમાં સ્થિર થવું તે સુખનું કારણ છે અને સ્વરૂપથી દૂર જવું તે દુઃખનું કારણ છે. મિથ્યા દષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે કોઈક વસ્તુ ઈષ્ટ અને કોઈક વસ્તુ અનિષ્ટ લાગે છે, પણ સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ બોધને લક્ષમાં રાખીને જોવામાં આવે છે ત્યારે સ્પષ્ટ સમજાય છે કે કોઈ પણ વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણું છે જ નહીં. વસ્તુમાં જે ઇષ્ટતા કે અનિષ્ટતા દેખાય છે તે તો જીવનો દૃષ્ટિદોષ છે. વસ્તુ તો વસ્તુરૂપ છે. સારું-ખરાબ વસ્તુમાં નથી, પણ તેવી કલ્પના જીવ પોતે કરે છે. જીવ વસ્તુને પોતાની ઇચ્છા મુજબ બદલી શકતો નથી, પણ પોતાના વિકારને ચોક્કસ મટાડી શકે છે; અને એમ કરતાં દુઃખ મટે છે અને સુખની પ્રાપ્તિ થાય છે. જેમ વસ્તુ માટે છે, તેમ વ્યક્તિ માટે પણ છે. મિથ્યા દૃષ્ટિથી જીવ એમ માને છે કે કોઈક વ્યક્તિ તેને સુખી કરે છે અને કોઈક વ્યક્તિ તેને દુઃખી કરે છે. પરંતુ આત્માર્થીને દ્રવ્યોની સ્વતંત્રતા સમજાતાં પોતાનાં સુખ-દુઃખ માટે તે બીજાને જવાબદાર ગણતો નથી. પહેલાં તે એમ માનતો હતો કે તે બીજાના કારણે સુખી-દુઃખી થાય છે, પણ હવે સમજાય છે કે સુખી-દુઃખી થવામાં પોતે જ જવાબદાર છે. કોઈ વ્યક્તિ તેને સુખી-દુઃખી કરતી નથી. સુખ કષાયના અભાવથી થાય છે અને દુઃખ કષાયની ઊપજથી થાય છે, તેથી સુખી થવાનો એકમાત્ર ઉપાય તો કષાયનો અભાવ કરવો તે જ છે. વસ્તુ અને વ્યક્તિ જેમ સુખ-દુઃખનું કારણ નથી, તેમ કોઈ પરિસ્થિતિ પણ સુખ-દુઃખનું કારણ નથી. દ્રવ્યોની સ્વતંત્રતાનું ભાન થતાં સમજાય છે કે પરિસ્થિતિ કંઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરતી નથી, કરાવતી નથી, પણ જીવ પોતે જ પરનું અવલંબન લઈ સુખી-દુઃખી થાય છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવું તે શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય નથી એમ હવે તેને સમજાય છે. ઇન્દ્રિયોથી જે જણાય છે તે સર્વ પૌગલિક છે, પર છે અને તેમાં થતા પરિવર્તનથી જીવને કંઈ પણ લાભ કે નુકસાન થતું નથી, કારણ કે બન્ને દ્રવ્ય સ્વતંત્ર છે - આવો નિર્ણય થયો હોવાથી પરમાં થતાં પરિવર્તનોના માત્ર દ્રષ્ટા થઈને રહેવાનું તે ઉચિત સમજે છે. વસ્તુસ્વતંત્રતાનો નિર્ણય થતાં તે પોતાનાં તથા અન્યનાં કાર્યોમાં અન્યોન્ય આરોપ કરતો નથી અને તેને યથાર્થરૂપે જોવાનો અભ્યાસ કરે છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિથી પોતે ભિન્ન જ્ઞાયકસ્વભાવી ચૈતન્યદ્રવ્ય છે એવું સ્મરણ સતત રાખવું તેને કર્તવ્યરૂપ લાગે છે. સદ્ગુરુના બોધનો વારંવાર વિચાર કરવાથી મુમુક્ષુ જીવને સ્વતત્ત્વની ઓળખાણ થાય છે કે જેમ સાચા ચમકદાર હીરાનું મૂલ્ય ગમે ત્યાં અને ગમે તે સંજોગોમાં એકસરખું જ રહે છે, તેમ ચૈતન્યહીરો ગમે તે શરીર વચ્ચે, ગમે તે સંયોગો વચ્ચે હોય તો પણ તેના ચૈતન્યદ્રવ્યનું મૂલ્ય એકસરખું જ છે. અનાદિ કાળથી નિજ શુદ્ધ આત્માને જાણ્યા વિના અનંત દુઃખ ભોગવ્યાં, પરંતુ અનંત શક્તિસંપન ચૈતન્યસ્વભાવ જેવો છે તેવો જ રહ્યો છે. તે ક્યારે પણ અન્યથા થતો નથી, તેમજ તે પરભાવથી લપાતો નથી. તે કદી વિભાવરૂપ થતો જ નથી, કારણ કે રાગાદિ વિભાવભાવોનો આત્મસ્વભાવમાં પ્રવેશ થતો નથી. તેને પોતાના ચૈતન્યસ્વભાવ અને રાગની ભિન્નતાનું ભાન થાય છે. તે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ અને પોતાની વિકારી અવસ્થાનું ભેદજ્ઞાન કરે છે કે ‘મારો આત્મા પૂર્ણ શુદ્ધ છે. રાગાદિ વિકારી ભાવ મારા સ્વભાવમાં નથી. જો આ રાગાદિ ભાવને આત્મભાવ માનવામાં આવે તો એને ત્રણે કાળ આત્માથી જુદા કરી શકાય નહીં; પણ એને આત્માથી અલગ કરી શકાય છે, તેથી એ આત્મભાવ નથી. મારી વર્તમાન પર્યાયમાં રાગાદિ ભાવ છે, તોપણ એ આત્માના સ્વભાવભાવ નથી; વિભાવભાવ છે, વિકાર છે. વિકાર આત્મવસ્તુમાં જ ઉત્પન્ન થતા હોવા છતાં તે આત્મવસ્તુ કદાપિ નથી. જેમ ફોડલાં દેહમાં જ ઉત્પન્ન થાય છે, પણ તે દેહ નથી, દેહનાં અંગોમાં તેની ગણના કરવામાં આવતી નથી, તે તો માત્ર દેહની તત્કાલીન વિકૃતિ છે; તેમ રાગાદિ ક્ષણિક ભાવો મારો સ્વભાવ નથી. હું રાગાદિ વિકારી ભાવરૂપ નથી. વિકાર તો આવે છે અને જાય છે, હું તે વિકારથી સર્વથા ભિન્ન છું. ગઈ કાલે ક્રોધ હતો અને હું હતો. આજે ક્રોધ નથી પણ હું છું. ક્રોધ નથી ત્યારે પણ હું તો છું. જ. ક્રોધ તો ચાલ્યો ગયો અને હું તો હજી વિદ્યમાન છું. તેથી સિદ્ધ થાય છે કે વિકારી ભાવ અને હું બન્ને પરસ્પરથી ભિન્ન છીએ. જે ગયા તે હું નથી અને જે આવવાના છે તે પણ હું નથી. હું તો તે છે કે જે જતો-આવતો નથી. આવવાજવાવાળા તો મહેમાન હોય છે, ઘરવાળા નહીં. હું મહેમાન નથી, ઘરવાળો છું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૪૧ રાગાદિ પરિણામ આવવા-જવાવાળાં છે, તેથી તે મહેમાન છે. હું તો ત્રિકાળ ટકનારો ભગવાન આત્મા છું.' આ રીતે મુમુક્ષુને આત્મા સંબંધી વિચારધારા ઊપડે છે. પોતાના જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં આવ્યો હોવાથી તેને સ્વભાવ સંબંધીના વિચારોની શૃંખલા સતત ચાલે છે. પરનો રસ તૂટે અને ચૈતન્યનો રસ ઘૂંટાય એવી વિચારણા વર્તી રહી હોય છે. તેની પર પ્રત્યેની દોડ બંધ થઈ જાય છે. સુખ-શાંતિ-સલામતી શોધવા માટે તેની દૃષ્ટિ બહાર જતી નથી. બહારનું આકર્ષણ વિલીન થઈ જાય છે. તેને પોતાના શુદ્ધ અસ્તિત્વનું નિરંતર સ્મરણ રહે છે. આ વિચારની ભૂમિકા છે, પરંતુ વિચારથી આંતરિક ઉપલબ્ધિ થઈ શકતી નથી. વિચારમાં મનની દોડ છે અને તેથી વિચારની સાથે જીવ સમગ્રરૂપે વિશ્રામમાં નહીં ઊતરી શકે. આત્માનુભવ એટલે તો પૂર્ણ વિશ્રામ પૂર્ણપણે શાંત થવું, વિરામ પામવું. જ્યાં વિચાર હોય ત્યાં વિશ્રામપૂર્ણ સ્થિતિ સંભવતી નથી, તેથી નિર્વિચાર સ્થિતિ ઉપલબ્ધ કરવાની છે. આ કહેવાનો આશય એમ નથી કે વિચાર જ ન કરો. જીવે પ્રારંભમાં વિચાર તો કરવા જ પડશે. કેવળ વિચાર કરવાથી જ આત્મા ઉપલબ્ધ નહીં કરી શકાય એ યથાર્થ રીતે સમજાવા છતાં પણ વિચાર કરવા પડશે. આરંભમાં વિચાર કરવા જરૂરી બનશે. તેને છોડી નહીં શકાય, કારણ કે તેના વડે વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાનો છે. વિચારની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે, પરંતુ ત્યાં અટકવાનું નથી, પણ તેમાંથી પસાર થઈને તેની પાર જવાનું છે. વિચારનું અતિક્રમણ કરવાનું છે. આમ, વિચાર કરવાનો છે, પરંતુ પૂરી રીતે એ જાણીને કરવાનો છે કે માત્ર વિચાર કરવાથી કંઈ થવાનું નથી. વિચાર દ્વારા તત્ત્વનિર્ણય કરી, ઉપયોગની અંતર્મુખતા દ્વારા વિચારનું પણ અતિક્રમણ કરી લક્ષ્યપ્રાપ્તિ કરવાની છે. આ જ સ્વસંવેદનની ઉપલબ્ધિનો સન્માર્ગ છે. જીવ જો આ પૃષ્ઠભૂમિને લક્ષમાં રાખીને પ્રયત્ન કરે તો તે વિચારનું અતિક્રમણ કરવામાં સમર્થ થઈ જાય છે. આત્માર્થી જીવ વિચારના અતિક્રમણ અર્થે તેનો જ્ઞાતા રહે છે. તે વિચારોને જ્ઞાતાભાવે જુએ છે. તે અંતરમાં આગળ વધીને ઉપયોગને જ્ઞાયકતત્ત્વસન્મુખ કરે છે. તેનો ઉપયોગ આત્મા તરફ ઝૂકે છે. તેના પરિણામના પ્રવાહની દિશા સ્વભાવસન્મુખ વહે છે. તેની પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય છે. જેમ જેમ સ્વરૂપસન્મુખતા વધતી જાય છે, તેમ તેમ આત્મા સંબંધીનું ચિંતન પણ છૂટતું જાય છે. જેનો ઉપયોગ અંતર્મુખ થયો છે તે સાધકની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે. તે કોઈ જુદી જ અવસ્થામાં પહોંચી જાય છે. તેને એક વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ થાય છે, જેને ધ્યાન કહે છે. ધ્યાનની આ અવસ્થામાં મન એટલું શાંત હોય છે, જેટલું તે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પ્રગાઢ નિદ્રા દરમ્યાન શાંત રહતું હોય છે અને સાથે જ એટલું સજાગ હોય છે, જેટલું તે ગતિશીલ અવસ્થા વખતે હોય છે. ધ્યાનમાં બન્ને ગુણ એકસાથે મોજૂદ રહે છે. સંસારમાં તો વ્યક્તિ જાગૃત દેખાય તેનામાં ભારોભાર ચિંતા પણ હોઈ શકે છે અને જે શાંત દેખાય તેનામાં મૂઢતા પણ હોઈ શકે છે, પરંતુ જેણે ચિત્તને સાધ્યું છે એવા સાધકના ચિત્તમાં જાગૃતિની ચિંતા અને શાંતતાની મૂઢતા ઉદ્ભવતાં નથી. તે શાંત હોવા છતાં અત્યંત જાગૃત હોય છે અને જાગૃત હોવા છતાં એટલી જ શાંતિ અનુભવે છે. તે પ્રગાઢ નિદ્રા સમાન શાંત અવસ્થામાં હોય છે, એ ફરક સાથે કે તે વખતે તે સજાગ પણ હોય છે. સુષુપ્તિ અને ધ્યાનમાં અંતર માત્ર એટલું જ છે કે સુષુપ્તિમાં જીવ સજાગ નથી હોતો અને ધ્યાનમાં તે સજાગ હોય છે. પરંતુ બન્નેમાં એક સમાન ગુણ છે અને તે છે પ્રગાઢ મૌન. સાધક ધ્યાન અવસ્થામાં સંપૂર્ણ સજાગ રહે છે અને સાથે જ નિદ્રા સમયે હોય તેવા મૌનમાં પણ રહે છે. આવો સાધક ચૈતન્યમાં ઊંડો ઊતરતો જાય છે. તે વધુ ને વધુ અંતર્મુખ થતો જાય છે. આમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી અવ્યક્તપણે લક્ષમાં લીધેલ જ્ઞાનસ્વભાવની પ્રસિદ્ધિ માટે સુપાત્ર જીવ ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાન-ઉપયોગ(મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન)ને આત્મસન્મુખ કરે છે. તે મતિજ્ઞાનને અતીન્દ્રિય અને શ્રુતજ્ઞાનને નિર્વિકલ્પ કરવાનો પ્રયત્ન કરે છે. પંચેન્દ્રિયના વિષયોમાં જોડાઈ રહેલ મતિજ્ઞાનને નિવૃત્ત કરી પાછું ખેંચતાં તે જ્ઞાન અતીન્દ્રિય બને છે; અને જ્યારે ૫૨ અને સ્વ સંબંધી સર્વ વિકલ્પો વિરામ પામે છે ત્યારે શ્રુતજ્ઞાન નિર્વિકલ્પ બને છે. મતિજ્ઞાન જ્યારે અતીન્દ્રિય બને છે અને શ્રુતજ્ઞાન નિર્વિકલ્પ થાય છે ત્યારે જ્ઞાનને સ્વને જાણવાનો અવકાશ મળે છે અને ત્યારે સ્વસંવેદન ઘટિત થાય છે. ઇન્દ્રિયો અને મનની સહાયથી ક્યારે પણ સ્વાનુભવ નથી થતો સ્વસંવેદન નથી થતું. ઉપયોગ આત્મસન્મુખ થતાં અતીન્દ્રિય નિર્વિકલ્પ અનુભૂતિમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. આ પ્રકારે વિચારબળ વડે તત્ત્વનિર્ણય વખતે આત્માને અવ્યક્તપણે લક્ષમાં લેવામાં આવે છે, જે ઉપયોગ અંતર્મુખ થતાં વ્યક્તપણે જણાય છે, અર્થાત્ પ્રગટરૂપ અનુભવાય છે. નિજપુરુષાર્થની પ્રચંડ તાકાત વડે એક ક્ષણ એવી આવે છે કે તે જિજ્ઞાસુ જીવની ચેતનામાં અપૂર્વ વિશુદ્ધતાનાં અતિ સૂક્ષ્મ પરિણામોની ધારા ઉલ્લસતાં, તેની જ્ઞાનપરિણતિ અંતર્મુખ થઈને અજ્ઞાન-અંધકારને ભેદતી, દર્શનમોહને તોડતી, નિર્વિકલ્પ અતીન્દ્રિય સ્વસંવેદન વડે આનંદઘન શાંતિના સમુદ્ર એવા પોતાના આત્માને પ્રત્યક્ષ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર’, ગાથા ૧૪૪ 'सम्मद्दंसणणाणं एसो लहदिति णवरि सव्वणयपक्खरहिदो વૈવસં । भणिदो નો સૌ સમયસારો ।।' Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૯ ૪૩ કરી લે છે; પોતાના જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ભાસે છે, જ્ઞાન સહિતના અનંત ગુણો નિર્મળરૂપે પરિણમે છે અને વીતરાગી ચૈતન્યરસનો સ્વાદ તે માણે છે. તે સ્વરૂપનો અતીન્દ્રિય આનંદ ભોગવે છે. તે વખતે આત્મામાં આનંદની ધારા વહે છે. તેના સર્વ પ્રદેશ આનંદરસમાં તરબોળ થઈ જાય છે. અપૂર્વ પ્રસન્નતાથી તેના રોમે રોમ પુલકિત થઈ જાય છે. તે અવસર ધન્ય છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ થતાં જીવની આત્મભ્રાંતિ નિર્મુળ થઈ જાય છે. તેમના અંતરમાંથી તમામ ઊંધી માન્યતાઓ નષ્ટ થઈ જાય છે. બધી વિપરીત સમજણ લુપ્ત થઈ જાય છે. અંદર કોઈ પણ ભાંતિ શેષ નથી રહેતી. સ્વાત્મા સાથેનું તાદાભ્ય સધાય છે અને પરનું તાદાભ્ય તૂટી જાય છે. શુદ્ધ ચૈતન્યજ્યોતિમાં “હું” નું સ્થાપન થાય છે અને કર્મકૃત વ્યક્તિત્વમાં સ્થાપેલું હુંપણું ઊખડી જાય છે. હું શરીરમાં હોવા છતાં શરીરથી સર્વથા ભિન્ન છું' એવો અનુભવ થયો હોવાથી ચેતના શરીરથી જુદી પડી જાય છે. પરથી ભિન્ન અને સ્વમાં એકત્વરૂપ એવા જ્ઞાયકજીવનનું મંડાણ થાય છે. તેમના પ્રત્યેક સંબંધોમાંથી આસક્તિ વિદાય લે છે. બધા સંબંધોમાં તેઓ માત્ર ઉપરછલ્લું જ જોડાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની ભાળ મળી ગઈ હોવાથી બાહ્ય સંબંધો તેમને માટે નાટક બની જાય છે. જે પામ્યા પછી બીજું કંઈ પામવાનું બાકી નથી રહેતું એવો શુદ્ધાત્મા પ્રાપ્ત કરી લીધો હોવાથી તેમને અન્ય પાસેથી કોઈ અપેક્ષા રહેતી નથી. તેમના જીવનમાં પવિત્રતા ઝળહળે છે. પરિણમન નિર્મળ થઈ જાય છે. સમ્યગ્દર્શન તેમના અનંત જન્મ-મરણનો નાશ કરે છે. તેમનો અમર્યાદિત સંસાર મર્યાદિત થઈ જાય છે. તેઓ અલ્પ કાળે મોક્ષ પામી સાદિ-અનંત કાળ પર્યત અનંત સમાધિસુખના સ્વામી થાય છે. આમ, જીવે અનાદિથી આજ સુધી ઘણું જાણ્યું હતું પણ જાણનારને જાણ્યો ન હતો. તે ઘણું ચાલ્યો હતો પણ લક્ષ તરફ ગતિ થઈ ન હતી. નિજ અનંત નિધાનના ભાન વિના અનંત ભ્રાંતિયુક્ત નિદ્રામાં તે પડ્યો હતો. તેના મહાભાગ્ય સદ્ગુરુનાં તેજસ્વી બોધકિરણોએ તેને જગાડ્યો. સગુરુએ તેને આત્મભાંતિ દૂર કરવાનો માર્ગ સુસ્પષ્ટપણે સમજાવ્યો. સદ્ગુરુની આજ્ઞા અનુસાર તેણે સુવિચારણા પ્રગટાવી, વિચારની વ્યર્થતા પારખી, અંતર્મુખ ઉપયોગ દ્વારા વિચારનું અતિક્રમણ કરી મહા આનંદમય સ્વાનુભવદશા પ્રગટાવી અને મિથ્યાત્વને પરિહર્યું. સદ્ગુરુની આજ્ઞારૂપ પથ્યના પાલનપૂર્વક વિચાર-ધ્યાનનો ઔષધપ્રયોગ કરવાથી તે આત્મભાંતિરૂપ રોગથી રહિત થઈ સમ્યકત્વરૂપ આરોગ્યથી સંપન્ન બન્યો. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – આમ યથાયોગ્યપણે ઔષધપ્રયોગથી રોગ નિર્મૂળ થતાં રોગી જેમ નીરોગી બને છે, સાજોતાજો - હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તેમ યથાયોગ્યપણે સમ્યક્ રત્નત્રયીરૂપ ઔષધપ્રયોગથી ભવરોગ નિર્મૂળ થતાં જીવ નીરોગી - ભાવ આરોગ્યસંપન્ન બને છે, સાજોતાજો-નિરામય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ - નિમગ્ન સહજાત્મસ્વરૂપ સ્થિતિમાં પરમ ‘સ્વસ્થ' અવસ્થા અનુભવે છે, ઇત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય સરખાપણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે.’૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, જે સૌ રોગનું બીજ; વિવિધ અનંતી વેદના, જીવે સહી ઘણી જ. તેની ચિકિત્સા જાણતાં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; નિષ્કારણ કરુણાનિધિ, નિઃસ્પૃહ સદ્ગુણ ખાણ. એ સમ કોઈ ન જગતમાં, રોગનું મૂળ હણનાર; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ધન્ય જે પાલનહાર. વચનામૃત સદ્ગુરુ તણાં, ટાળે રોગ અજ્ઞાન; ધન્ય તેહ જે સેવતાં, ઔષધ વિચાર ધ્યાન.'૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૫૦૪-૫૦૫ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૧૩-૫૧૬) = Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૩૦ ต 29) ทม. 9xx, ๓๕ เกิทเกาเหวง 6 แดเนี้ ทเอเช้ Page #79 -------------------------------------------------------------------------- ________________ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨૯માં શ્રીમદે કહ્યું કે આત્મતત્ત્વનું ભાન ન હોવું એના સમાન ભૂમિકા બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા કોઈ નિપુણ વૈદ્ય નથી, ગુરુ-આજ્ઞા પાળવા સમાન બીજું કોઈ પથ્ય નથી અને વિચાર તથા ધ્યાન જેવું કોઈ ઔષધ નથી. જીવ એવા કયા ગંભીર દોષો સેવે છે કે જેના કારણે તે આત્માંતિરૂપ રોગ મટાડવા અસમર્થ નીવડે છે, તે બતાવવા શ્રીમદે ઉપસંહાર વિભાગમાં અનેક અર્થગંભીર ગાથાઓની રચના કરી છે કે જેથી સુપાત્ર જીવ તેના ઉપર વિચાર કરી, પોતાના દોષ ટાળવામાં પ્રયત્નશીલ બની શકે. ઉપસંહારમાં આપેલી હિતશિક્ષાઓના ક્રમમાં આવતી આ પ્રથમ શિક્ષામાં સત્ય પુરુષાર્થ ઉપાડવાની પ્રેરણા કરતાં શ્રીમદ્ પ્રકાશે છે ગાથા ગાથા - ૧૩૦ અર્થ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.' (૧૩૦) જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. (૧૩૦) ભ્રાંતિથી ભૂલેલા પુરુષાર્થહીન જીવોને શ્રીમદ્ પ્રેરણાત્મક વચનોથી ઉપદેશે ભાવાર્થ છે કે જો જીવ પરમ અર્થને, અર્થાત્ મોક્ષને પામવા ઇચ્છતો હોય તો તેણે સાચો પુરુષાર્થ કરવો જોઈએ. ‘કરો' શબ્દ પ્રયોજીને શ્રીમદ્ એ વાતની સ્પષ્ટતા કરે છે કે પરમાર્થપ્રાપ્તિનો પુરુષાર્થ જીવે સ્વયં કરવાનો હોય છે. આત્મામાં અનંત શક્તિ પડી છે અને જીવ જ્યારે ધારે ત્યારે તે પોતાને બંધનમાંથી છોડાવવા સમર્થ છે. આત્માએ પોતે જ જાગૃત થઈ પોતાનું કલ્યાણ પોતાના દ્વારા, પોતાથી જ કરવાનું છે. આ કાર્યમાં અન્યનો પુરુષાર્થ કામ નહીં લાગે તથા અન્ય કોઈ પણ તેની સિદ્ધપર્યાય પ્રગટાવી નહીં શકે. સદ્ગુરુ પાસેથી પ્રેરણા-માર્ગદર્શન અવશ્ય પ્રાપ્ત કરવાનાં છે, પણ પુરુષાર્થ તો જીવે જાતે જ કરવો પડે છે. પુરુષાર્થ તો માત્ર પોતાને આધીન છે. જીવ પુરુષાર્થ કરે તો જ તેનું કલ્યાણ થાય. જેને આત્મકલ્યાણ કરવાની બળવાન ભાવના હોય તેણે જ્ઞાની પાસેથી આત્મતત્ત્વ જાણી, તેની સ્વાધીનતાનો નિર્ણય કરી, તેનો અગાધ મહિમા લાવી, અભ્યાસ વડે વારંવાર તેમાં પરિણામને જોડી, ઉપયોગને અંતર્મુખ રાખવા-ટકાવવા પ્રયત્ન કરવો Page #81 -------------------------------------------------------------------------- ________________ ४८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જોઈએ. વૃત્તિને આત્મસન્મુખ રાખવાના નિરંતર અભ્યાસથી ચૈતન્યરસ પરાકાષ્ઠાએ પહોંચે છે અને ત્યારે ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને, ઇન્દ્રિયાતીત એવા આંતર સ્વભાવમાં અભેદ થાય છે. ચૈતન્યસત્તામાં ઉપયોગ સ્થિર થતાં નિર્વિકલ્પ, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. જે જીવને પરમાર્થની સાચી ઇચ્છા થઈ નથી તે જીવ ભવસ્થિતિ, પંચમ કાળે મોક્ષનો અભાવ, તીર્થંકરનો વિરહ, જ્ઞાની પુરુષની દુર્લભતા, કર્મનું જોર ઇત્યાદિ કારણો આગળ ધરી આત્માર્થને ગૌણ કરે છે; અર્થાતુ ખોટાં બહાનાં કાઢી, પુરુષાર્થહીન બનીને પોતાનું કલ્યાણ અટકાવે છે, આત્મલાભને છેદે છે. “જો પરમાર્થને પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો સ્વના પુરુષાર્થમાં શીઘ્રતાથી લાગો, કોઈ પણ બહાનું કાઢી પરમાર્થને ગુમાવો નહીં' - એવું પરમ પુરુષાર્થપ્રેરક ઉદ્ધોધન શ્રીમદ્ આ ગાથામાં કરે છે. - જીવને જો સંસાર અસાર લાગતો હોય, આત્માને વળગેલો વિભાવરોગ વિશેષાર્થ) વરાણાયા તજવો હોય, આત્મકલ્યાણની ઇચ્છા હોય તો તે જીવે સાચો પુરુષાર્થ કરવો ઘટે છે એમ શ્રીમદે ગાથાની પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે. પ્રશ્ન થાય કે સત્ય પુરુષાર્થ એટલે શું? પુરુષ + અર્થ = પુરુષાર્થ. ‘પુરુષ' એટલે આત્મા અને ‘અર્થ' એટલે પ્રયોજન. આત્માનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેવા પ્રકારના ઉદ્યમને પુરુષાર્થ કહેવાય. જે મહેનતના ફળસ્વરૂપે આત્માને દુ:ખ પ્રાપ્ત થાય તેવી મહેનત એ અસપુરુષાર્થ છે અને જે મહેનતના ફળસ્વરૂપે આત્માને સુખ પ્રાપ્ત થાય તેવી મહેનત એ સપુરુષાર્થ છે. પરમાર્થ સાધવાની જેને ઇચ્છા હોય તેણે સદ્ગુરુના આશ્રયે જવારૂપ, તેમનાં વચનોને અંગીકાર કરવારૂપ, તે ઉપર અનન્ય પ્રેમથી ચિતવન કરવારૂપ અને તેમની આજ્ઞાએ રહેવારૂપ સત્ય પુરુષાર્થ કરવો જરૂરી છે. સગુરુના બોધ દ્વારા પોતાના ચૈતન્યસ્વભાવનો નિર્ણય કરી, ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાનપ્રકાશ બહાર ભટકે છે તેને અંદર ખેંચી, અર્થાતુ પોતાની આત્મશક્તિને શરીર, ઇન્દ્રિય, વિકલ્પોથી હટાવીને જ્ઞાનના અખંડ પિંડસન્મુખ કરી, તેની સાથે અભેદ - એકત્વ સ્થાપવારૂપ સત્ય પુરુષાર્થ કરવો આવશ્યક છે. આત્મસન્મુખતાનો અભ્યાસ કરવાથી જીવ જગતની પાર ચાલ્યો જાય છે, મનના સ્તરથી ઉપર ઊઠે છે અને સ્વની ઝલક મેળવે છે. અંતર તરફ ડગ ભરતાં જીવ પોતાના અસ્તિત્વના કેન્દ્ર ઉપર પહોંચી જાય છે અને સ્વરૂપની અનુભૂતિ કરે છે. - સત્ય પુરુષાર્થનો સંબંધ આત્મજાગૃતિ સાથે છે. કેન્દ્ર પ્રત્યે - પોતાના અસ્તિત્વ પ્રત્યે સભાન થવું, હોશપૂર્ણ રહેવું એ જ ધાર્મિકતાનો પાયો છે. જીવે કદી કેન્દ્રની સભાનતા કેળવી નથી અને તે પરિઘ ઉપર જ રઝળતો રહ્યો છે. કેન્દ્રની જાગૃતિ વગરનું આવું અસ્તિત્વ એ અનુપસ્થિત અસ્તિત્વ છે. જેમ પોતાના ઘરમાં બધું જ હોય Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૪૯ પણ પોતે જ ન હોય, તેમ જ્ઞાનમાં બધું છે પણ પોતાના અસ્તિત્વની જ અનુપસ્થિતિ છે. જગતનું બધું જાણ્યું હોય પણ જો જાતને ન જાણી હોય તો બધું જાણેલું મિથ્યા છે. અનુપસ્થિત અસ્તિત્વ એ જ અધર્મ છે અને પોતાની ઉપસ્થિતિથી, પોતાના હોવાના પ્રકાશથી છલોછલ ભરાઈ જવું એ જ ધર્મ છે. જીવે પોતાના અસ્તિત્વને પોતાના જ્ઞાનમાં ઉપસ્થિત કરવું જોઈએ. નિરંતર પોતાના અસ્તિત્વના બોધની જાગૃતિ રાખવી જોઈએ. કંઈ પણ કરતાં - સ્પર્શતાં, સ્વાદ લેતાં, સુંઘતાં, જોતાં કે સાંભળતાં અસ્તિત્વનો બોધ ટકવો જોઈએ. જીવને પોતાનો જ બોધ નથી, એક ક્ષણ પણ જાગૃતિપૂર્વક પોતાનું સ્મરણ રહેતું નથી; તેથી નિષ્ઠાપૂર્વક આત્મસ્મરણના પ્રયોગમાં મંડ્યા રહેવું જોઈએ. સતત પોતાના શુદ્ધાત્માનું સ્મરણ કરવું જોઈએ. પોતાની ત્રિકાળી શુદ્ધતા પ્રત્યે સજાગ થવું જોઈએ. આત્મસ્વભાવમાં સર્વત્ર ફેલાયેલી શુદ્ધતા પ્રત્યે સજાગ રહેવું જોઈએ. જીવે સગુરુના બોધના બળ વડે પોતાના અભ્યાસમાં એવી સઘનતા લાવવી જોઈએ કે કોઈ પણ કામ એવું ન થાય, કોઈ પણ વાત એવી ન બને, કોઈ પણ વિચારણા એવી ન જાગે કે જેમાં ભીતર રહેલી શુદ્ધ ચેતનાનું વિસ્મરણ થઈ જાય. કોઈ પણ ઘટના વખતે એ સભાનતા જાળવી રાખવી જોઈએ કે ‘હું આ ઘટનાની જાણનાર છું. હું ત્રિકાળી, શુદ્ધસ્વરૂપી આત્મા છું અને આ ઘટનાનો કેવળ જ્ઞાયક છું.' જો તે આવી સભાનતા રાખશે તો તે કોઈ પણ ઘટનામાં બેહોશ નહીં થાય. જીવ જો ઘટના વખતે સભાન રહે તો જ્ઞાયકભાવ રહે છે અને જો બેહોશ રહે તો રાગાદિ ભાવ થાય છે. જો ઘરમાં માલિક જાગતો રહે તો ચોર પ્રવેશ કરી શકતો નથી. માલિકની નિદ્રા અવસ્થામાં જ ચોર ઘરમાં પ્રવેશી શકે છે. રાગાદિ ભાવ અટકાવવા માટે જીવે હોશપૂર્વક જીવવું જોઈએ, સભાનતાપૂર્વક જીવવું જોઈએ, અપ્રમાદી રહેવું જોઈએ. આમ કરતાં જીવને એવો અનુભવ થાય છે કે જીવનમાં જે કાંઈ ખોટું થઈ રહ્યું હતું, તે પોતે સભાન ન હતો માટે જ થઈ રહ્યું હતું. જો તે સમગ્રપણે સજાગ થઈ જાય તો મુક્તિ હાથવેંતમાં છે. મુક્તિ અર્થે જીવે આત્મજાગૃતિ કેળવવાનો અથાક અભ્યાસ કરવો ઘટે છે. આમ, ચિત્તને આત્મામાં એકાગ્ર કરીને રાગ-દ્વેષનો નિરોધ કરવો તે સત્ય પુરુષાર્થ છે. કર્મના ઉદય અનુસાર બાહ્ય પરિસ્થિતિઓમાં પરિવર્તન આવ્યા જ કરે છે. ઇન્દ્રિયો અને મન દ્વારા તેને જાણવાનું કામ પણ થયા જ કરે છે. તેવા પ્રસંગે ‘પરમાં થતા પરિવર્તનથી આત્માને કંઈ પણ લાભ-નુકસાન નથી, કારણ કે જડથી ચેતન સર્વ પ્રકારે ભિન્ન છે' - આવા ભાનપૂર્વક ચિત્તને આત્મામાં સ્થિર કરી, સંકલ્પ-વિકલ્પમાં જતું રોકવું તે સત્ય પુરુષાર્થ છે. આવી રીતે કર્મના ઉદયમાં જો જીવ ઇષ્ટ-અનિષ્ટની Page #83 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કલ્પના ન કરે તો મોક્ષસ્વભાવ પ્રગટે છે. ગમે તેવા પ્રારબ્ધોદયમાં આત્મજાગૃતિ રાખી, તેમાં તન્મય ન થતાં જો તે તેનો સાક્ષી રહે તો શુભાશુભ ભાવ છેડાતાં મોક્ષસ્વભાવ પ્રગટે છે. જે ઘટનાના પ્રતિકાર દ્વારા સંસારવૃદ્ધિ થતી હતી, તે જ ઘટના પ્રત્યે રાગદ્વેષવિરહિતતા પ્રગટતાં સંસાર ક્ષય થાય છે. સહજાત્મસ્વરૂપી આત્મતત્ત્વનું ભાન સતત ટકાવવું અને પ્રારબ્ધોદયે જે વસ્તુવ્યક્તિ-પરિસ્થિતિનો સંગ-પ્રસંગ થાય તે પ્રત્યે વીતરાગભાવે રહેવું - આ સત્ય પુરુષાર્થ પરમાર્થને ઇચ્છતા જીવે કરવાનો છે. આવો સત્ય પુરુષાર્થ જીવ કરતો નથી, કારણ કે તેનામાં હજી પરમાર્થ પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા જ પ્રગટી નથી. તેને મુક્તિની સાચી ઇચ્છા જ પ્રગટી નથી. સંસારમાં કોઈ દુઃખ આવે ત્યારે દુઃખગર્ભિત વૈરાગ્યના કારણે સંસારથી છૂટવાનું તેને મન થઈ જાય છે, પણ તે કંઈ મુક્તિની યથાર્થ ઇચ્છા નથી. જીવને જગતમાં જરા દુ:ખ પડે, સંસારમાં થોડી પ્રતિકૂળતા સતાવે તો તેને વૈરાગ્ય ઊછળી આવે છે કે આ બધું નકામું છે, આમાંથી તો હવે મારે છૂટવું જ છે; અને ફરી મનગમતા સંયોગો મળે એટલે છૂટવાની વાત ભુલાઈ જાય છે. આ કંઈ મુક્તિની સાચી ઇચ્છા કહેવાય નહીં. જીવનમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, હર પળે મુક્તિની ઝંખના રહેતી હોય તો જ જીવની ઇચ્છા સાચી ગણાય, તેનામાં મુમુક્ષતા પ્રગટી કહેવાય. અનંત કાળમાં અનંત વાર ધર્મક્રિયાઓ કરવા છતાં જીવને પરમાર્થની સાચી ઇચ્છાના અભાવે સફળતા મળી નથી. પરમાર્થની સાચી ઇચ્છા વિના ભવચક્ર મોક્ષચક્રમાં પરિવર્તિત થતું નથી, તેથી પરમાર્થની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ પરમાર્થની પ્રબળ ઇચ્છા પ્રગટાવવી આવશ્યક છે. સંસારની રુચિ છોડી આત્માની રુચિ ઉત્પન કરવી ઘટે છે. અનાદિની પરપદાર્થની રુચિને પલટાવ્યા વિના બહિર્મુખ પ્રવર્તતો ઉપયોગ અંતર્મુખ થતો નથી. આત્મકલ્યાણની ઇચ્છા વિના ઉપયોગ અંતર્મુખ થતો નથી. પરમાર્થ પ્રાપ્તિની અનન્ય ઇચ્છા જ ઉપયોગને અંતર્મુખ કરી આત્માનુભવ કરાવે છે. જેવી ઇચ્છા તેવું કાર્ય થાય છે. જે કામ કરવાની જીવને અંદરથી જરૂર જણાય છે તે કામ તે કરે છે. “આ કરવું જ છે' એમ નક્કી થાય તો જીવ કાર્ય કરવા તત્પર થાય છે. ઇચ્છા બળવાન હોય તો તે જરૂર ઉપાય કરે. કામ કરવાની દઢ ઇચ્છા હોય તો આ કામ મારાથી થશે કે નહીં થાય? એવા પ્રશ્નને અવકાશ રહેતો નથી. કામ ગમે તેટલું અઘરું હોય પણ જો પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો તે અવશ્ય થાય છે. તીવ્ર તાલાવેલી હોય તો બધું જ શક્ય બને છે. સાચી રુચિ હોય તો કાર્ય અવશ્ય થાય છે. વીર્ય રુચિને અનુસરે છે, તેથી જ્યાં રુચિ હોય ત્યાં વીર્યની ફુરણા થાય છે અને વીર્યની પ્રબળતા વડે કાર્ય સધાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૫૧ જ્યાં જીવની રુચિ હોય છે ત્યાં તેની બધી શક્તિઓ કેન્દ્રિત થાય છે. જ્યાં તેની રુચિ હોય છે તે દિશામાં જ તેની સંપૂર્ણ શક્તિઓ કામ કરતી હોય છે. જો તેને આત્માની રુચિ હોય તો તેની સંપૂર્ણ શક્તિઓ આત્મા તરફ જ સક્રિય થાય છે અને જો તેની રુચિ વિષય-કષાયમાં હોય તો તેની સંપૂર્ણ શક્તિઓ વિષય-કષાય તરફ જ સક્રિય થાય છે. જો જીવને મોક્ષ ગમે તો સંસારી પ્રસંગો અને પ્રકારો પડતા મુકાય, સંસારી ભાવો પડતા મુકાય; અને જો સંસાર ગમે તો મોક્ષનો પુરુષાર્થ પડતો મુકાય. - અજ્ઞાની જીવને વિપરીત રુચિ હોવાથી તેનું વીર્ય પણ વિપરીત દિશામાં વહે છે. તેની શક્તિ લક્ષ્મી, અધિકાર, પરિવારમાં ગૂંચવાયેલી રહે છે. તે લક્ષ્મી, અધિકાર, પરિવારની વૃદ્ધિમાં પોતાની વૃદ્ધિ માને છે અને તેની હાનિમાં પોતાની હાનિ માને છે. લક્ષ્મી, અધિકાર, પરિવારમાં સુખ-શાંતિ-સલામતી હોવાની તેની માન્યતા છે, તેથી આત્માની બધી જ શક્તિ અને પ્રાપ્ત કરવામાં, સાચવવામાં અને વધારવામાં જ વપરાય છે. તે આ વાત સમજવા તૈયાર થતો નથી કે લક્ષ્મી આદિ બધું અનિત્ય છે, સંયોગી છે અને આત્માને લેશમાત્ર પણ સુખ આપી શકે એમ નથી. જ્ઞાની પુરુષો તેને ધનાદિ પાછળ દોડવાના કારણે થતા પરિભ્રમણનાં દુઃખનો બોધ આપે તોપણ તે તેવાં કાર્યોથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. તેઓ પરિભ્રમણના સ્વરૂપનું હૃદયદ્રાવક વર્ણન કરે તોપણ તે સાંસારિક કાર્યોથી છૂટો થતો નથી. વિભાવથી થતી વેદના સાંભળીને પણ તે સંસારના દાવાનળથી વિમુખ થતો નથી. જ્ઞાની પુરુષો નિષ્કારણ કરુણાથી અજ્ઞાનીના ભવરોગનું નિદાન કરે છે, એનું કારણ તથા ફળ સમજાવવા અથાગ મહેનત ઉઠાવે છે અને છતાં મોહાંધ દૃષ્ટિ, બધિર કર્ણો અને અવિવેકી ચિત્તવાળા અજ્ઞાનીને સંસાર અશાતામય લાગતો જ નથી. અનેક અશાંતિ સાથે તેના મનમાં એક એવી “શાંતિ માટેની ધરપત હોય છે કે “આ તીવ્ર વેદના, અશાતા અને વ્યાકુળતા થોડો પ્રયત્ન કરતાં દૂર થશે અને સંસારમાં હું સુખેથી રહી શકીશ.' તેને વિભાવ રોગરૂપ ભાસતો જ નથી. તેને એ દુઃખરૂપ લાગતો ન હોવાથી તે ઔષધનું સેવન નથી કરતો. કોઈ ગમે તેટલી સારી દવા બતાવે પણ તેને રોગ જણાતો ન હોવાથી તે દવા વાપરતો જ નથી. તેથી પ્રથમ આવશ્યકતા છે દુઃખ ઊભું કરવાની. જો અંતરમાં એમ ભાસે કે “આ વિભાવથી હવે હું થાકી ગયો છું, મારે સ્વભાવમાં જવું જ છે' તો જરૂર કાર્ય સંપન્ન થાય છે. જીવને વિભાવની રુચિ હોવાથી, આત્માની રુચિ થતી નથી અને તેથી આત્માની વાત પણ સાંભળવી ગમતી નથી. આત્માની અરુચિ હોવાથી તેને આત્માની ચર્ચામાં થાક લાગે છે, કંટાળો આવે છે, અણગમો થાય છે. પોતાના કર્મકૃત વ્યક્તિત્વની પ્રશંસા સાંભળવામાં તે જરા પણ થાકતો નથી, પરંતુ આત્માની ચર્ચા ચાલી રહી હોય Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો થાક લાગે છે. તેને પોતાની પ્રશંસા ગમે છે, પણ ભગવાન આત્માની પ્રશંસા નથી ગમતી. તેને પોતે કરેલાં કાર્યોની યશોગાન સાંભળવામાં મજા આવે છે, પણ ભગવાન આત્માનાં યશોગાનમાં મજા આવતી નથી. પચાસ લાખ રૂપિયાનું જોખમ લઈને રાતના સમયે જો ટ્રેનમાં મુસાફરી કરતો હોય તો તેને ઝોકાં કે ઊંઘ આવતાં નથી અને દિવસે આત્માની વાત સાંભળતાં ઝોકાં આવે છે; તેથી એમ ફલિત થાય કે તેને આત્મા વહાલો નથી, પણ ધન વહાલું છે. આથી વિપરીત, જેને આત્માની જ રુચિ હોય છે તેને માત્ર આત્માની જ વાત ગમે છે. આત્મામાં રુચિનું સ્થાપન થયું હોવાથી આત્માની ચર્ચા-વિચારણામાં એકલતા આવે છે. આત્મા અનંત ગુણનિધાનનો સ્વામી છે એવું આત્માનું મહિમાગાન થાય ત્યારે તેને અંતરમાં લાગે છે કે તે આત્મા હું પોતે જ છું.' આત્માની વાતમાં મારી વાત ચાલે છે' એવો ઉમંગ અને પ્રસન્નતાનો ભાવ આપોઆપ વહેવા લાગે છે અને તે તેમાં એકાગ્ર થઈ જાય છે. આત્મા આનંદનો કંદ છે એવી વાત સાંભળતાં તેને આનંદની ધારા ફૂટે છે. આત્મા આનંદનો રસકંદ, જ્ઞાનનો ઘનપિંડ, શાંતિનો સાગર, અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. આવા આત્માના મહિમાથી તેનું ચિત્ત અભિભૂત થઈ જાય છે. આત્માના સંપૂર્ણ વૈભવની વાત સાંભળતાં તેની ચિત્તવૃત્તિઓ એવી ઉલ્લસિત થઈ જાય છે - જેવી ધનના પ્રેમીની વૃત્તિ જગતનો કોઈ નિધિ મળવાથી ઉલ્લસિત થઈ ઊઠે છે. ભગવાન આત્મા’ શબ્દ સાંભળતાં જ તે રોમાંચિત થઈ ઊઠે છે. ભગવાન આત્માનું નામ સાંભળતાં જ તે ગદ્ગદ થઈ જાય છે. ભગવાન આત્માનું નામ સાંભળીને તેનું હૃદય આંદોલિત થઈ જાય છે. પરમાર્થની અનન્ય ઇચ્છા જેને પ્રગટી છે તેવા મુમુક્ષુને સદ્ગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળતાં જ અપૂર્વ ભાવ જાગે છે કે “અહો! આવું મારું સ્વરૂપ છે! આવો મહાન શાંતિ, આનંદ, પ્રભુતા આદિથી ભરેલો ચૈતન્યખજાનો મારા પોતામાં જ ભર્યો છે.' સ્વરૂપની વાત સાંભળીને તેને અતિશય રોમાંચ થાય છે. તેને આત્માનો અપૂર્વ મહિમા ભાસે છે અને આવું આત્મસ્વરૂપ બતાવનાર સદ્ગુરુનો તે અપાર ઉપકાર માને છે. તેને આત્માની એવી ધૂન લાગે છે કે “મારું આવું આત્મસ્વરૂપ કોઈ પણ પ્રકારે હું અનુભવી લઉં. એ સિવાય મને બીજે કશે પણ ચેન પડશે નહીં કે શાંતિ મળશે નહીં. અત્યાર સુધી હું પોતે પોતાને ભૂલીને ભટક્યો છું, પણ હવે પોતાને અનુભવી લઉં.' તે આત્માનુભૂતિને એવો ઝંખતો થઈ જાય છે કે જેમ ખેડૂત વરસાદને ઝંખે અને બાળક પોતાની માને! સદ્ગુરુનો ઉપદેશ ઝીલતાં ઝીલતાં તેના વિચાર-વિવેક વધતા જાય છે. તેને ખ્યાલ આવતો જાય છે કે આત્માનુભૂતિ માટે તેણે અંતરમાં શું કરવાનું છે. માર્ગ જેમ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૫૩ જેમ વધુ ને વધુ સ્પષ્ટ થતો જાય છે, તેમ તેમ તેનો ઉત્સાહ પણ વધતો જાય છે. તેને પંથ અજાણ્યો લાગતો નથી. અનાદિથી અપરિચિત એવું આત્મસ્વરૂપ હવે તેને પરિચિત લાગવા માંડે છે અને તેનો વિશેષ પરિચય કરવાનું તેને વારંવાર મન થાય છે. દેહાદિથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપી નિજ આત્માને લક્ષમાં લઈને તે પોતાનાં પરિણામને આત્મસન્મુખ વાળવા પ્રયત્ન કરે છે. તેની રહેણીકરણી તથા વિચારધારા હવે સતત આત્મા તરફ જ પ્રવાહિત થવા માંડે છે. તેને આત્મા સિવાય બીજે બધે નીરસતા લાગે છે. તેને ફક્ત આત્મસન્મુખ થવાનું જ ગમે છે. દરેક પ્રવૃત્તિ કરતાં તેને સતત આત્મજાગૃતિ રહે છે. તે આત્મામાં ઊંડો ઊતરતો જાય છે. એક ક્ષણ એવી આવે છે કે જ્યારે તેનો આત્મા કષાયોથી છૂટીને ચૈતન્યના પરમ ગંભીર શાંત રસમાં ઠરી જાય છે. આ કાર્ય કાંઈ નાનુંસૂનું નથી. તે માટે પુષ્કળ પુરુષાર્થની જરૂર છે. તે પુરુષાર્થ પ્રગટાવવા માટે પ્રથમ જીવે આ કાર્યની રુચિ પેદા કરવી ઘટે છે. તે માટે તેણે આત્માની રુચિ એટલી પ્રચંડ બનાવવી ઘટે કે સંસારની રુચિનું નામોનિશાન ન રહે. તેણે આત્માનુભવની ઇચ્છાને એટલી પ્રબળ બનાવવી ઘટે કે સંસારની અભિલાષાઓ સર્વથા ભૂંસાઈ જાય. આત્મજ્ઞાનની ઇચ્છાને જ દેઢ બનાવતાં, આત્મજ્ઞાનની જ ભાવના ભાવતાં, તમામ આત્મશક્તિ ત્યાં જોડાઈ તદ્રુપ પરિણમન લાવે છે. આમ, પરમાર્થની તીવ્ર ઇચ્છા હોવી એ સપુરુષાર્થ પ્રગટાવવા માટેની એક અનિવાર્ય શરત છે. તેવી ઇચ્છા વિના પુરુષાર્થ ઊપડતો નથી. પરમાર્થની અદમ્ય ઇચ્છા હોય તો જ જીવ ખરી દાઝ રાખીને પુરુષાર્થ કરે છે. જ્યાં પરમાર્થની ઇચ્છાનો અભાવ છે ત્યાં મન ચાલાકી કરે છે. મન ગભરાય છે કે “જો જીવ સાધના કરશે તો મારા શાસનનો અંત નક્કી છે. મારે વિદાય લેવી જ પડશે. આજ સુધી મારી ઇચ્છા અને જીદ પોષાતાં હતાં. હવે જો જીવ પરમાર્થપ્રાપ્તિનો ઉપાય કરશે તો એ મારી સામે પડશે અને મારાં બધાં નખરાં બંધ થઈ જશે.' તેથી મન જાતજાતનાં કારણ બતાવે છે. પોતાનું કાર્ય કરવું જ નથી, તેથી તે જુદાં જુદાં બહાનાં બનાવી આત્માર્થને છેદે છે. પરમાર્થપ્રાપ્તિ માટે તીવ્ર પુરુષાર્થ કરવાને બદલે તે અનેક બહાનાં કાઢી, પુરુષાર્થહીન બની આત્માર્થને છેદે છે. તેમાંનાં કેટલાંક બહાનાંઓ જોઈએ - (૧) ભવસ્થિતિનું બહાનું કેટલાક જીવો ભવસ્થિતિ પરિપાક'ના સિદ્ધાંતનું અવળું અર્થઘટન કરી પુરુષાર્થનો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન નિષેધ કરે છે. તેઓ કહે છે કે ભવસ્થિતિ પાકશે ત્યારે એની મેળે મોક્ષ થશે, તે માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. મોક્ષ તો ભવસ્થિતિને આધીન છે. મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે. પુરુષાર્થની કોઈ આવશ્યકતા નથી. કાળસ્થિતિ પાકશે, ભવની મુદત પૂરી થશે ત્યારે મોક્ષ પ્રાપ્ત થશે, માટે તેની રાહ જોવી. તે માટે પુરુષાર્થ કરવો નિરર્થક છે. જીવ આવું ખોટું અવલંબન પકડી, પુરુષાર્થહીન બની આત્માર્થને છેદે છે. જ્ઞાની પુરુષોએ ભવસ્થિતિપરિપાક વગેરે કહ્યાં છે તેનો આવો ઊલટો અર્થ કરવા યોગ્ય નથી, કારણ કે જ્ઞાનીની વાણી કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહીં, બલ્ક પુરુષાર્થની જાગૃતિ જ પ્રેરે. જ્ઞાનીનું કોઈ પણ કથન પ્રમાદનું પોષક તથા પુરુષાર્થનું ઘાતક હોતું નથી. તેમનાં સર્વ કથનોનું તાત્પર્ય પુરુષાર્થની જાગૃતિ જ હોય છે. જ્ઞાનીનો ઉપદેશ સદા જીવને પુરુષાર્થ કરવા માટે જ ઉત્સાહિત કરે છે. ભવસ્થિતિ આદિની જે વાતો જ્ઞાનીઓએ કરી છે તેનો આશય જીવ સમજતો નથી અને તેથી પુરુષાર્થહીન બને છે. ભવસ્થિતિની વાત જીવને ધીરજ ધરી પુરુષાર્થ કરવા માટે કરી છે, પુરુષાર્થહીન થવા માટે નહીં. કાળલબ્ધિ વગેરે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ કાળપરિપાક વિના થતી નથી. આ સનાતન નિયમ હોવાથી, તથારૂપ કાળલબ્ધિ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી નિરાશ થયા વિના ધીરજપૂર્વક પ્રયત્ન કરતા રહેવું જોઈએ. દરેક કાર્ય તેના સ્વકાળે જ થાય છે, માટે જીવે ઉતાવળ કર્યા વિના, નિરાશ થયા વિના પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. શ્રી આનંદઘનજી મહારાજ શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે – કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ'૧ સાધક જીવો માટે નિરાશા નહીં પણ આશાનો અમર સંદેશો આ પંક્તિમાં શ્રી આનંદઘનજી મહારાજે આપ્યો છે. પ્રભુનો માર્ગ પામવામાં રહેલી મુશ્કેલીઓથી મૂંઝાયા વિના, ‘કાળ પાકશે અને પ્રભુપંથના દર્શન થશે', એ આશાના અવલંબને સાધક નિજસાધનામાં લીન રહે છે. પરંતુ કેવળ કાળ પાકવાની આશા રાખીને મોક્ષના લક્ષપૂર્વકની પ્રવૃત્તિ છોડી દેવી એ તો બીજ વાવ્યા વગર ફળની આશા રાખવા જેવી વૃથા ચેષ્ટા છે. પુરુષાર્થ કર્યા વગર ક્યારે પણ ભવસ્થિતિ પાકતી નથી. જેમ કાચા ગૂમડાને પકવવામાં ન આવે તો તે મટે નહીં. કાચા ગૂમડાને પકવવા માટે ઘઉંની પોટીસ લગાડવામાં આવે છે, જેથી ગૂમડું પાકી જાય. ગૂમડું પાકતાં જ તે જલદી મટી જાય છે. તેમ ભવસ્થિતિરૂપ ગૂમડાને પકવવા માટે પુરુષાર્થની જરૂર છે. ભવસ્થિતિ કંઈ ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન, કડી ૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૫૫ એની જાતે પાકી જતી નથી. તેને પકવવા માટે પ્રયત્નની આવશ્યકતા રહે છે. જીવને પોતાની તથાભવ્યતા કેવી છે તેની ખબર નથી, પણ તે ભવ્યતાનો પરિપાક કરવાનો પુરુષાર્થ તેના હાથમાં છે. ભવસ્થિતિની જીવને ખબર નથી પણ તેનો પરિપાક જેનાથી થાય તે પુરુષાર્થ જીવને આધીન છે. જીવ જો પોતાની ભવ્યતા - યોગ્યતા પકવવાનો પુરુષાર્થ કરે તો એની મુદ્દત પાકશે. મગમાં સીઝવાની યોગ્યતા છે, પણ તે ચૂલે ચઢાવીએ તો સીઝે, પોતાની જાતે તે કોઈ કાળે સીઝે નહીં, તેમ આત્માની ભવ્યતા પકવવાનો પ્રયાસ કરવામાં આવે તો પાકે, એની જાતે યોગ્યતા પાકે નહીં. ભવસ્થિતિને - કાળલબ્ધિને પકવનાર પુરુષાર્થ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે - કાળલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે, લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે.” ઉપાધ્યાયશ્રી પ્રભુને કહે છે કે કાળલબ્ધિ સંબંધી મને કાંઈ ચિંતા નથી, કેમ કે ભાવલબ્ધિ (મોક્ષગમનને યોગ્ય આત્મશક્તિ) આપના હાથમાં છે. કાળલબ્ધિનો પરિપાક આપની ભક્તિને આધીન છે. જે હાથીના બચ્ચામાં ચાલવા જેટલી શક્તિ હોતી નથી, તે જ હાથીનું બચ્ચું જ્યારે મોટા હાથીની સમીપમાં હોય છે ત્યારે તેના અંગમાં અત્યંત ઉત્સાહ અને પગમાં બળ આવે છે. તેમ સપુરુષનું શરણું સ્વીકારતાં જીવનું પામરપણું છૂટતું જાય છે અને પ્રભુતા પ્રગટતી જાય છે, કારણ ભક્તિનો મહિમા એવો અચિંત્ય છે કે તે કાળલબ્ધિને પકવી શકે છે. જેને પરમાર્થની ઇચ્છા હોય તેણે કાળલબ્ધિ જે રીતે પાકે, ભવસ્થિતિપરિપાક જે રીતે થાય તેવો પુરુષાર્થ કરવો જોઈએ, કારણ કે સર્વ કારણો પુરુષાર્થને આધીન છે. પુરુષાર્થ વગર તેનો પરિપાક થતો નથી. પુરુષાર્થરહિત જીવને કાળલબ્ધિ - ભવસ્થિતિ પરિપક્વ થતાં નથી, માટે જીવે પુરુષાર્થ કરવા યોગ્ય છે. શ્રીમદ્ કહે છે – ‘શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ક્યારે? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે. પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. ૧- દરેક ભવ્ય જીવમાં ભવ્યતા - મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તે એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યતા. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન, કડી ૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનંતા ચોથા આરા મળે, પણ પોતે જે પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબનો લઈ માર્ગ આડાં વિપ્નો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી.' જૈન સિદ્ધાંત અનુસાર કોઈ પણ કાર્ય સિદ્ધ થવા માટે પાંચ સમવાય કારણો બતાવવામાં આવ્યાં છે - કાળ, સ્વભાવ, ભવિતવ્યતા (નિયતિ), કર્મ (પૂર્વકૃત) અને ઉદ્યમ (પુરુષાર્થ). પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં આ પાંચ કારણો નિયમથી હોય છે. જ્યારે જ્યારે પણ કાર્ય સંપન્ન થાય છે, ત્યારે આ પાંચ કારણ નિશ્ચિતપણે મળે છે. પાંચે સમવાય કારણના સંમિલનથી જ કાર્યસિદ્ધિ સાંપડે છે. પાંચમાંથી એક પણ કારણ હાજર ન હોય તો કાર્ય થતું નથી. કોઈ પણ એક કારણ ખૂટતું હોય તો કાર્ય સંપન્ન થતું નથી. કોઈ પણ કાર્યમાં આ પાંચમાંથી કોઈ પણ કારણનો સદંતર અભાવ હોય એવું ક્યારે પણ બને નહીં. પાંચે સમવાય કારણોનો સમન્વય થાય ત્યારે જ કાર્ય બને છે. આ પાંચ સમવાય કારણોને સંક્ષેપમાં વિચારીએ – (૧) કાળ – જે કાળમાં કાર્ય બને તે કાળલબ્ધિ. કાર્યની ઉત્પત્તિનો સમય પાકવો જોઈએ. જેમ કે અમુક કલાક ગયા પછી જ દૂધનું દહીં થાય, ઉનાળો બેસે ત્યારે જ આંબો પાકે, યુવાનીમાં કેશ કાળા હોય અને ઘડપણમાં સફેદ થાય વગેરે. શીત, ઉષ્ણતા, વર્ષા, ગ્રહણ, સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત આદિ સર્વમાં કાળ એ એક કારણ છે. (૨) સ્વભાવ – દ્રવ્યની સ્વશક્તિ તે સ્વભાવ. વસ્તુમાં થતું કાર્ય તેના સ્વભાવને અનુરૂપ હોય છે. વસ્તુનો સ્વભાવ જેવો હોય છે તે પ્રમાણે કાર્ય થાય છે. જેમ કે લીંબડો વાવે તો આંબા ન ઊગે, સ્ત્રીને મૂછ ન આવે, અગ્નિની જ્વાલા ઊંચી જ જાય, સૂંઠથી વાયુ ઉપશમે, હરડેથી રેચ લાગે, ગુલાબ સુગંધ આપે, શેરડી મીઠી લાગે વગેરે. વસ્તુ પાકવામાં સ્વકાળ ઉપરાંત તે પ્રકારે ઉત્પન્ન થવાનો સ્વભાવ પણ હોવો જરૂરી છે. (૩) ભવિતવ્યતા (નિયતિ) - જે ફરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવશ્યભાવિ છે, તે ભવિતવ્યતા છે. કેવળી ભગવંતે જે પ્રસંગને જે પ્રમાણે પોતાના જ્ઞાનમાં જોયો હોય, તે જ પ્રમાણે તે પ્રસંગ બનવાનું નિશ્ચિત હોવું તેને ભવિતવ્યતા કહે છે. કાળ અને સ્વભાવ અનુકૂળ હોવા છતાં ભાવિભાવ હોય તેમ બને છે. માત્ર કાળ અને સ્વભાવની અનુકૂળતાથી કામ બની આવતું નથી. જેમ કે કાળબળે ઉનાળો બેસતાં આંબા ઉપર મોર આવે છે અને કેરી બનવાનો મોરનો સ્વભાવ હોવાથી તેમાંથી કેરી થઈ શકે છે, પણ તેમાંના કેટલાક મોર ખરી જાય છે અને ભાવિભાવ હોય તેની કેરી થાય છે. કાળ અને સ્વભાવ અનુરૂપ હોવા છતાં બધા મોરની કેરી થતી નથી. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૪ (ઉપદેશછાયા-૧૧) Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ નિયતિવશ અણધાર્યું મળી જાય છે, ધારેલું દૂર હટી જાય છે. (૪) કર્મ (પૂર્વકૃત) ભૂતકાળના પુરુષાર્થનું વર્તમાન ફળ તે કર્મ. પૂર્વે કરેલા પુરુષાર્થના વર્તમાન ફ્ળને કર્મ કહેવામાં આવે છે. કાર્યનિર્માણમાં તેને અનુકૂળ એવાં કર્મ જરૂરી છે. કાળ, સ્વભાવ અને ભવિતવ્યતા જેટલી જ અગત્યતા કર્મની પણ છે. કર્મના કારણે કેટલાક અર્ધમૂર્ખ માણસો કરોડો રૂપિયાના સ્વામી જોવામાં આવે છે અને ચતુર માણસો નિર્ધન જોવામાં આવે છે. રાય-૨કપણું, સાજા-માંદાપણું, કીર્તિઅપકીર્તિપણું કર્મ ઉપર આધાર રાખે છે. ૫૭ (૫) ઉદ્યમ (પુરુષાર્થ) મન-વચન-કાયાના યોગ વડે ઇષ્ટપ્રાપ્તિ માટે કરાયેલો જે પરિશ્રમ તે ઉદ્યમ (પુરુષાર્થ) છે. કર્મને ઉત્પન્ન કરનાર પણ જીવનો પૂર્વનો પુરુષાર્થ જ છે. વસ્તુતઃ વિચારતાં કર્મ પુત્ર છે અને ઉદ્યમ પિતા છે. ઉદ્યમના અભાવમાં અન્ય અંગો કાર્ય ઉપજાવી શકતાં નથી. અનાજનો પાકવાનો સમય થઈ ગયો હોય, એવો તેનો સ્વભાવ હોય, તેમ થવું બનવા યોગ્ય હોય અને તેવું કર્મ પણ હોય, છતાં ચૂલા ઉપર મૂક્યા વગર અનાજ રંધાઈ જતું નથી. પીલવાના પુરુષાર્થ વિના તલમાંથી તેલ નીકળતું નથી. વૃક્ષ ઉપર ચઢવાના ઉદ્યમ વિના વેલડી વિકાસ પામતી નથી. સૂતેલા સિંહના મુખમાં હરણિયાં આવીને પડતાં નથી, તે માટે સિંહે જાતે ઉદ્યમ કરવો પડે છે. ઉદ્યમના અભાવમાં કાર્ય અસંભવિત હોવાથી ઉદ્યમ કાર્યવ્યવસ્થાનું એક આવશ્યક અંગ છે. ઉપર્યુક્ત પાંચ સમવાય કારણને સરળતાથી સમજવા માટે સ્ત્રીના માતૃત્વનું ઉદાહરણ આપવામાં આવે છે. માતા બની શકવાનો ધર્મ સ્ત્રીમાં છે, પુરુષમાં નથી. સ્ત્રીનો માતા બની શકવાનો ધર્મ તે સ્વભાવ. સ્ત્રી અમુક નિશ્ચિત સમયે જ માતા બની શકે છે. સ્ત્રી યૌવનમાં ઋતુવંતી થયા પછી જ, ગર્ભ રહ્યા પછી જ અને ગર્ભકાળ પૂર્ણ થાય ત્યારે જ માતા બની શકે છે. આમ, અહીં માતૃત્વપ્રાપ્તિમાં કાળ પણ એનો ભાગ ભજવે છે. માતૃત્વપ્રાપ્તિનું તથાપ્રકારનું કર્મ બાંધ્યું હોય અને તે કર્મ ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે. એ બતાવે છે કે કર્મ માતા બનવામાં કારણભૂત છે. પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. માતૃત્વપ્રાપ્તિમાં આ ફાળો ઉઘમનો છે. ઉપરોક્ત ચારે કારણો પ્રાપ્ત હોવા છતાં પણ જો તથાપ્રકારની ભવિતવ્યતા ન હોય તો સ્ત્રી માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ તેમાં ભાગ ભજવે છે. આમ, સ્ત્રીને માતૃત્વપ્રાપ્તિ થાય તે માટે આ પાંચ કારણો ભાગ ભજવે છે તે સર્વમાન્ય વાત છે. તે જ પ્રમાણે કોઈ પણ કાર્ય વિષે આ પાંચે કારણો ભાગ ભજવે છે. જીવના મોક્ષરૂપી કાર્યના પાંચ સમવાય કારણોનું વર્ણન કરતાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન લખે છે – ‘નિયતિવશે હલુ કરમો થઈને, નિગોદ થકી નીકલિયો; પુણ્ય મનુજ ભવાદિક પામી, સદ્ગુરુને જઈ મલિયો રે પ્રાણી. ભવસ્થિતિનો પરિપાક થયો તવ, પંડિત વીર્ય ઉલ્લસિયો; ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસીઓ રે પ્રાણી. અહીં જણાવ્યા પ્રમાણે અનાદિથી નિગોદમાં પડેલો જીવ ‘ભવિતવ્યતાના યોગે હળુકમ થાય છે અને નિગોદની બહાર નીકળી બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ યોનિઓમાંથી પસાર થતો થતો આગળ વધે છે અને પછી પુણ્ય ‘કર્મ નો ઉદય થતાં મનુષ્યજન્મનો યોગ થાય છે અને મહત્પષ્યના ઉદયથી સગુરુનો યોગ પામે છે. ‘ભવસ્થિતિ' પરિપાક થતાં તેનું આત્મવીર્ય ઉલ્લસિત થાય છે અને તે ‘ઉદ્યમ' કરવા પ્રેરાય છે. જીવમાં રહેલ “સ્વભાવ'રૂપ ભવ્યત્વના કારણે તે મોક્ષ પામે છે. આમ, નિગોદથી શરૂ કરીને મોક્ષ સુધીની યાત્રામાં જીવ પાંચે સમવાયના યોગ વડે લક્ષ્યને પ્રાપ્ત કરે છે. દરેક કાર્યમાં આ રીતે પાંચ સમવાય સંગઠિત થાય છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે કાર્યની સંપન્નતામાં પાંચ કારણ નિશ્ચિતરૂપે હોય છે. કાર્યમાં પાંચ કારણોનું હોવું તે વસ્તુની સ્વતંત્ર કાર્યવ્યવસ્થા છે. કાર્યવ્યવસ્થા એ પાંચ સમવાયનું એક અખંડ માળખું છે. કાર્યવ્યવસ્થામાં પાંચ સમવાય આવશ્યક અને અંગભૂત છે. કોઈ પણ એક અંગ ન હોય તો કાર્ય થવું સંભવિત નથી. વસ્તુની કાર્યવ્યવસ્થામાં કોઈ પણ અંગની ઉપેક્ષા થઈ શકે એમ નથી. જીવે આ પાંચે આંગની મૈત્રીરૂપ કાર્યવ્યવસ્થાની સમજણ કરવી જોઈએ. કાર્યવ્યવસ્થાનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ. જીવે પાંચે સમવાયોનો યથાર્થ સ્વરૂપે સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાનમાં એ સર્વનું રહણ કરવું જોઈએ. પોતાના પક્ષપાતને વશ થઈ વસ્તુસ્વરૂપનો, સિદ્ધાંતનો નિરાદર ના કરવો જોઈએ. પાંચ સમવાયમાંથી કોઈ એકને સ્વીકારી, અન્યનો નિષેધ ન કરવો જોઈએ. કોઈ એક કારણથી જ કાર્ય થાય છે એમ સમજવાનું નથી. કોઈ એક કારણને કાર્યવ્યવસ્થાનું પૂર્ણ રૂપ માની લેવાનું નથી, પણ તેને કેવળ એક અંગ સમજવાનું છે. કાર્યોત્પત્તિમાં અન્ય કારણોનો પણ સ્વીકાર કરવાનો છે. યથાર્થ પ્રતીતિ કરવાની છે કે કેવળ એક કારણથી જ કાર્ય સિદ્ધ થતું નથી. તેમાં બીજાં કારણોની પણ આવશ્યકતા રહે છે. કાર્યોત્પત્તિમાં પાંચ કારણોના સમવાયને સમ્યકુ ઘોષિત કરતાં આચાર્યશ્રી ૧- ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીરચિત, શ્રી વીરજિનનું ‘પાંચ સમવાય કારણનું સ્તવન', ઢાળ ૬, કડી ૬,૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૫૯ સિદ્ધસેન દિવાકરજી ‘સન્મતિતર્ક પ્રકરણ’માં લખે છે કે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકથી કાર્યોત્પત્તિ માનવી તે એકાંત છે, મિથ્યાત્વ છે અને એના સમવાયથી કાર્યોત્પત્તિ માનવી તે અનેકાંત છે, સમ્યક્ત્વ છે.૧ કોઈ એક કારણથી જ કાર્ય સંપાદન નથી થતું એ નિયમ છે. કોઈ એક જ કારણથી કાર્યની સંપન્નતા કહેવી તે એકાંત કથન છે. કોઈ પણ એક કારણથી જ કાર્ય થાય છે. એમ માનવું તે મિથ્યા માન્યતા છે. અન્ય સમવાય વિના, માત્ર એક જ સમવાયથી કાર્યની ઉત્પત્તિ થાય છે એવી મિથ્યા માન્યતાવાળાને એકાંત મિથ્યાષ્ટિ કહેવાય છે. જે કોઈ એક જ સમવાયથી કાર્યની ઉત્પત્તિ માને છે તે મિથ્યાષ્ટિ છે; અને જે કાર્યની ઉત્પત્તિમાં પાંચે સમવાયનો સ્વીકાર કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પાંચ સમવાય કારણનાં પાંચ સ્તવન બનાવ્યાં છે. છઠ્ઠા સ્તવનમાં એ પાંચે કારણનો સમન્વય કર્યો છે. પાંચે કારણોનો સમન્વય કરી, અનેકાંતવાદને ભારે સમર્થન આપતાં છઠ્ઠા સ્તવનમાં તેઓ લખે છે એ પાંચે નયવાદ કરતાં, શ્રી જિન ચરણે આવે; અમિય સરસ જિનવાણી સુણીને, આનંદ અંગ ન માવે રે; પ્રાણી! સમકિત મતિ મન આણો, નય એકાંત મ તાણો રે; પ્રાણી! તે મિથ્યામતિ જાણો રે પ્રાણી. એ પાંચે સમુદાય મિલ્યા વિણ, કોઈ અંગુલિ યોગે કર તણી પરે, જે બૂઝે તે આગ્રહ આણી કોઈ એકને, એહમાં દીજે વડાઈ; પણ સેના મળી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈ રે પ્રાણી.' ૧- જુઓ : આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૫૩ ‘હાથે सहाव णियई पुव्वकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेवा (व) समासओ होंति सम्मतं ।। ' સરખાવો : (૧) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ’, ગાથા ૧૬૪ ‘વાછો सहाव-नियति-पुव्वकयं पुरसकारगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं । । ' (૨) પંડિત શ્રી બનારસીદાસજીકૃત, સમયસારનાટક' સર્વવિશુદ્ધિદ્વાર, દોહા ૪૨ 'पद सुभाउ पूरब उदे, निहचे उद्यम काल । पक्षपात मिथ्यातपथ, सरबंगी शिव વાહ !' ૨- ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીરચિત, શ્રી વીરંજનનું પાંચ સમવાય કારણનું સ્તવન', ઢાળ ૬, કડી ૧-૩ કાજ ન સીઝે; રીઝે રે પ્રાણી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ६० શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રમાણે પાંચ સમવાય કારણો મળવાથી કાર્ય ઉત્પન્ન થાય છે. પરસ્પરની અપેક્ષાવાળા પાંચ સમવાય કારણોના સમન્વયથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સર્વ કાર્યો કાળાદિ પાંચ સમવાય કારણોથી ઉત્પન્ન થવાવાળાં છે. કુંભ, મેઘ, પ્રાસાદ આદિ સર્વ કાર્યોની ઉત્પત્તિમાં આ કાળાદિ કારણસમૂહ હેતુરૂપ બને છે. સમકિતરૂપી કાર્યમાં જે સમયે સમકિતની પર્યાય થવાની હતી તે જ સમયે તે પ્રગટ થઈ, તેથી તેમાં કાળ આવ્યો; સમકિતની પર્યાય નિજસ્વભાવના અવલંબને થઈ, તેથી તેમાં સ્વભાવ આવ્યો; જે પર્યાય સમકિતની પર્યાય થવાની હતી, તે જ પર્યાય સમકિતની પર્યાય થઈ એ ભવિતવ્યતા આવી; સમકિતની પર્યાયના કાળે કર્મના ઉપશમાદિ થયા, તેથી તેમાં પૂર્વકૃત આવ્યું અને સમકિતની પર્યાય પુરુષાર્થ વડે જ પ્રગટ થઈ, તેથી તેમાં પુરુષાર્થ આવ્યો. આમ, કાળાદિ પાંચ સમવાય કારણોથી દરેક કાર્યની ઉત્પત્તિ થાય છે. વિશ્વના પ્રત્યેક દ્રવ્યમાં કોઈ ને કોઈ કાર્ય પ્રતિસમય થતું જ રહે છે, તેમાં આ કાળાદિ કારણ જરૂર હાજર હોય છે. કોઈક જ વખત કાળાદિ સમૂહ હેતુરૂપ બને છે તેમ નહીં, દરેક વખતે, દરેક કાર્યમાં તે હેતુભૂત બને છે. પ્રશ્ન થાય કે કાર્યની ઉત્પત્તિમાં કાળલબ્ધિ આદિ પાંચ સમવાય કારણોની કારણતા સ્વીકારી હોવા છતાં શાસ્ત્રકારોએ પુરુષાર્થનું જ પ્રધાનપણું કેમ બતાવ્યું છે? તેનું સમાધાન આ પ્રમાણે થઈ શકે – મોક્ષનો ઉપાય બને છે ત્યાં પાંચ કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ પાંચ કારણો નથી મળતાં. પૂર્વોક્ત કારણો કહ્યાં તેમાં કાળલબ્ધિ અથવા ભવિતવ્યતા જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે તે બે કોઈ વસ્તુભૂત પદાર્થ નથી. તેનું કોઈ સ્વતંત્ર રૂપ છે જ નહીં. જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્યતા. કાળલબ્ધિ એ એવા સમયનું નામ છે કે જ્યારે જે કાર્ય થવાનું છે તે સિદ્ધ થાય છે અને ભવિતવ્યતા એ કાર્ય છે કે જે તે કાળમાં સિદ્ધ થાય છે. હવે રહ્યાં સ્વભાવ અને પૂર્વકૃત. સ્વભાવ તો છે જ. તેની પ્રાપ્તિ માટે કંઈ કરવાનું રહેતું નથી. સ્વભાવ તો એક કાલાતીત તથ્ય છે. જે કર્મના ઉપદમાદિ છે તે તો પુદ્ગલની શક્તિ છે. તેનો કર્તા-હર્તા આત્મા નથી. જે પુરુષાર્થ કરવામાં આવે છે તેનો કર્તા-હર્તા આત્મા છે, માટે આત્માને પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રથમ ચાર અંગમાં જીવે કંઈ કરવાનું નથી અને શેષ પાંચમું અંગ પુરુષાર્થ તે જીવે કરવાનો છે, માટે તેનો ઉપદેશ આપવામાં આવે છે. કાર્યની સંપન્નતામાં પાંચ સમવાયોની સમગ્રતાનો સ્વીકાર કરવા છતાં પણ જીવે કરવા યોગ્ય તો એકમાત્ર પુરુષાર્થ જ છે, તેથી જીવે મોક્ષ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જોઈએ એવો બોધ આપવામાં આવે છે. આમ, પાંચ સમવાયની સમગ્રતાથી કાર્યની સંપન્નતા થાય છે, પરંતુ એ પાંચમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૬૧ જીવ તો બુદ્ધિપૂર્વક એકમાત્ર પુરુષાર્થ જ કરી શકે છે, બાકીના ચાર સમવાયના સંબંધમાં જીવ કંઈ કરી શકતો નથી. તે સર્વ તો પુરુષાર્થ થતાં પોતાની જાતે સ્વયં આવી મળે છે અને ત્યારે કાર્યની સંપન્નતા થાય છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે – એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકનાં હોય, તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે, ત્યારે કાર્યસિદ્ધિ થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વકકારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રને અર્થી વિવાહાદિકનો તો ઉદ્યમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા અબુદ્ધિપૂર્વક મોહકર્મનો ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા મોહકર્મનો ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય.' પાંચે સમવાયમાં પુરુષાર્થ જ મુખ્ય છે. આખો મોક્ષમાર્ગ પુરુષાર્થને આધીન છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યલિંગી મુનિ મોક્ષ અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો ર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે એમ શા માટે કહ્યું? તેનો ઉત્તર એ છે કે જીવ અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે તો કેવી રીતે ફળસિદ્ધિ થાય! આત્મલક્ષ વિના જીવ તપશ્ચરણાદિમાં પ્રવર્તે અને મોક્ષ ઇચ્છે તો તે કેવી રીતે પ્રાપ્ત થાય? ગમે તે પુરુષાર્થ નહીં, પણ સત્ય પુરુષાર્થ કરવાનો છે. આત્માને ઓળખી, તેમાં પ્રવર્તન કરવું તે સત્ય પુરુષાર્થ છે. કેવળ બાહ્ય ક્રિયાઓ કરવી તે સત્ય પુરુષાર્થ નથી. જગત જેને પુરુષાર્થ સમજે છે, તેનાથી મોક્ષમાર્ગ સંબંધી પુરુષાર્થની વ્યાખ્યા ભિન્ન છે. સ્વદ્રવ્યનો આશ્રય કરવો એનું નામ પુરુષાર્થ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવી સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું એ પુરુષાર્થ છે. નિજ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું અવલંબન એ પુરુષાર્થ છે. દૃષ્ટિનું સ્વભાવ તરફ ઢળવું તે મોક્ષમાર્ગને પુરુષાર્થ છે. ઉપયોગને પરથી ખસેડી આત્મસન્મુખ કરવો એ મોક્ષપ્રાપ્તિનો યથાર્થ ઉદ્યમ છે. જો જીવ પોતાના ઉપયોગને સ્વભાવસમ્મુખ કરે તો અવશ્ય તેનું કલ્યાણ થાય છે. પરંતુ જો તે સ્વભાવસમ્મુખતાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદમાં કાળ ગુમાવે, વિષયકષાયમાં જ પ્રવર્તે તો આત્મશુદ્ધિ થતી નથી. સત્ય પુરુષાર્થ વિના તેનું સંસારપરિભ્રમણ છેડાતું નથી. માટે જીવે સત્ય પુરુષાર્થ ઉપાડવો. સત્ય પુરુષાર્થ કરવો તે જ જીવનું કર્તવ્ય છે. ભવસ્થિતિ આદિનું જૂઠું અવલંબન લઈને આત્માના હિતને છેદવા યોગ્ય ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ. ૧૯૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. શ્રીમદ્ કહે છે – ‘ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે. જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી.’ ‘તરવાના કામી હોય તે ભાવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય.' (૨) ક્રમબદ્ધ પર્યાયનું બહાનું વળી, કેટલાક જીવો ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું અવળું અર્થઘટન કરી પુરુષાર્થનો નિષેધ કરે છે. કેવળજ્ઞાનીએ તેમના જ્ઞાનમાં જોયું હશે તેમ થશે એવું બહાનું આપી તેઓ પ્રમાદ પોષે છે. કેવળજ્ઞાનનો વિષય વિશ્વનાં સમસ્ત દ્રવ્યો અને તેમની સમસ્ત પર્યાયો છે. કેવળજ્ઞાની વિશ્વના સર્વ દ્રવ્યોનાં ત્રિકાળ પરિણમનને યુગપતું જાણે છે. જે કાર્ય ભૂતકાળમાં બન્યું છે, જે વર્તમાનમાં બની રહ્યું છે તથા જે ભવિષ્યમાં બનવાનું છે તે તેઓ એકીસાથે જાણે છે. જે કાંઈ થઈ ગયું છે, જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થવાનું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો તે બધું વર્તમાનવતું સ્પષ્ટ ઝળકે છે. તેમાં ફેરફાર થવાની સંભાવના નથી. જેનું જે પરિણમન - જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર થવાનું છે એમ તેઓ જાણે છે, તેને ઇન્દ્ર તો શું સ્વયં જિનેન્દ્ર પણ બદલી શકતા નથી. પુરુષાર્થહીન જીવ કહે છે કે ‘સર્વજ્ઞ ભગવાને જોયું છે તેના કરતાં વહેલી મારી મુક્તિ થવાની નથી. તેમના જ્ઞાનમાં તેમણે જેટલું ભવભ્રમણ દીઠું છે તેટલું ભવભ્રમણ થયા વિના મોક્ષ નહીં થાય. તેમણે મારા મોક્ષનો જે સમય જોયો હશે તે સમય આવશે ત્યારે જ મને મોક્ષની પ્રાપ્તિ થશે. તેમણે પોતાના જ્ઞાનમાં જાણ્યું છે ત્યારે જ મારી મુક્તિ થવાની હોય તો અત્યારે મારે પુરુષાર્થ શા માટે કરવો? ભગવાને જાણ્યું છે તેવું જ મારું પરિણમન થશે તો પુરુષાર્થ કરવાનો અવકાશ જ ક્યાં રહે છે? સર્વજ્ઞના જ્ઞાન અનુસાર સર્વ પરિણમન નિશ્ચિત છે, ક્રમબદ્ધ થઈ જ રહ્યા છે, તેથી પુરુષાર્થ કરવાની કોઈ આવશ્યકતા જ નથી.' પુરુષાર્થની આવશ્યકતાનું ખંડન કરવા જીવ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આગળ કરે છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આ પ્રમાણે છે - જેવી રીતે નાટકમાં દ્રશ્ય ક્રમશઃ આવે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૪ (ઉપદેશછાયા-૧૧) ૨- એજન, પૃ.૭૨૦ (ઉપદેશછાયા-૧૦) Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૬૩ છે, એકસાથે નહીં; તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયો ક્રમશઃ જ થાય છે, એકસાથે નહીં. નાટકમાં એ પણ નિશ્ચિત હોય છે કે કયા દશ્ય પછી કયું દૃશ્ય આવશે; તેવી જ રીતે પર્યાયોમાં પણ એ નિશ્ચિત હોય છે કે કઈ પર્યાય પછી કઈ પર્યાય આવશે. જેના પછી જે દશ્ય આવવાનું નિશ્ચિત હોય છે, તેના પછી તે જ દશ્ય આવે છે, અન્ય નહીં; તેવી જ રીતે જેના પછી જે પર્યાય (કાર્ય) થવાની હોય છે તે જ થાય છે, અન્ય નહીં. આનું જ નામ ‘ક્રમબદ્ધ પર્યાય' છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત કહે છે કે જે દ્રવ્યની, જે પર્યાય, જે કાળે, જે નિમિત્તે, જે પુરુષાર્થપૂર્વક, જેવી થવાની છે; તે દ્રવ્યની, તે પર્યાય, તે જ કાળે, તે જ નિમિત્તે, તે જ પુરુષાર્થપૂર્વક, તેવી જ થાય છે; અન્યથા નહીં. ક્રમબદ્ધ પર્યાયનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમનવ્યવસ્થા ક્રમનિયમિત છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિતરૂપે થઈ રહ્યું છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાયો નિયમિત ક્રમમાં થાય છે. પર્યાયો એક પછી એક પોતાના ક્રમ અનુસાર થયા કરે છે. જે સમયે જે પર્યાય નિયત હોય, તે પર્યાય તે જ કાળે ક્રમસર થાય છે. મોતીની માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના સ્થાનમાં છે, તેમ દ્રવ્યની પર્યાયમાળામાં પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળસ્થાનમાં છે. જેમ મોતીની માળામાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે, આગળ-પાછળ નથી; તેમ પ્રત્યેક દ્રવ્યમાં જે પર્યાયનો જે કાળ હોય છે, ત્યારે જ તે પર્યાય પ્રગટ થાય છે, આગળ-પાછળ નહીં. દરેક પર્યાય સમયે થવાની છે, તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય જ છે, આઘી-પાછી કે આડી-અવળી થતી નથી. જે જ્યારે થવાનું હોય ત્યારે જ થાય છે, અન્ય કાળમાં નથી બનતું. જેને પરમાર્થની ઇચ્છા નથી એવો જીવ આ સિદ્ધાંતને આગળ કરી કહે જે જ્યારે થવાનું ત્યારે તે અવશ્ય થાય જ છે નથી જ થતું, તેથી પુરુષાર્થ કરવાનો રહેતો નથી. અને જે નથી થવાનું તે કદાપિ પણ જે બનવાનું છે તેને રોકવા મહાન પ્રયાસ કરવામાં આવે તોપણ તે અવશ્ય બને છે, તેમજ જે નથી બનવાનું તેને માટે હજાર ઉપાય કરવામાં આવે તોપણ તે નથી જ બનતું, તેથી પુરુષાર્થ કરવાની કોઈ આવશ્યકતા નથી. સર્વ કાર્ય પોતપોતાના સમયે સ્વતંત્રતાપૂર્વક પોતપોતાની યોગ્યતાથી થયા જ કરે છે, તેથી પુરુષાર્થની કોઈ આવશ્યકતા નથી રહેતી. દ્રવ્યાનુયોગના મહાન ગંભીર સિદ્ધાંતનો આશય સમજ્યા વિના જીવ આવી રીતે પુરુષાર્થહીન થઈ આત્માર્થને છેદે છે. તે શાસ્ત્રીય કથનોનું વિપરીત અર્થઘટન કરી સ્વચ્છંદી બને છે. તે પુરુષાર્થને ઉડાડી મિથ્યાત્વનું પોષણ કરે છે. સર્વજ્ઞ ભગવાનનું કોઈ પણ વચન હોય, એનું તાત્પર્ય તો જ્ઞાયકસ્વભાવનું અવલંબન લેવા માટેના પુરુષાર્થનું Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ હોય, તેમાં કશે પણ પુરુષાર્થની ઉપેક્ષા ન હોય. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું તાત્પર્ય પણ જ્ઞાયકભાવની પુષ્ટિ છે. તે કંઈ પુરુષાર્થના નિષેધ માટે નથી. જે જીવને ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે, તે જીવ જ્ઞાતા-દ્રષ્ટા થાય છે. કેવળજ્ઞાની ભગવંતે જેમ જામ્યું છે તેમ જ થવાનું છે' એ સિદ્ધાંત હૃદયમાં બેસતાં જીવ જ્ઞાતાપણાનો પુરુષાર્થ કરે છે. સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ પર્યાયના યથાર્થ નિર્ણયથી જીવ પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની સન્મુખ થાય છે. સર્વજ્ઞતાના અને ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી જીવને સમજાય છે કે “જગતનાં પરિણમનમાં હું કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી'; અને તેથી તેનો ઉપયોગ જગતથી ખસીને સહેજે આત્મસન્મુખ થાય છે. સર્વજ્ઞ દીઠું છે એમ જ, જે કાળે જે પર્યાય થવાની હોય તે, તે કાળે જ થાય છે, આઘી-પાછી નહીં, એવું નક્કી થતાં તે અંતર્મુખ થાય છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં તે વર્તમાનવત્ જણાઈ રહી છે એવો સ્વીકાર થતાં વ્યર્થ વિકલ્પો ઊઠતા નથી, કર્તુત્વનો અહંકાર ગળી જાય છે, સહજ જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પુરુષાર્થ જાગૃત થાય છે. તેનું કર્તબુદ્ધિનું મિથ્યાભિમાન ઓગળી જાય છે અને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. વસ્તુનું પરિણમન નિશ્ચિત છે અને તેમ તે નિરંતર પરિણમે છે, માટે તેમાં કર્તાપણાની બુદ્ધિ કરવી વ્યર્થ છે - આવા વિચારથી તે કર્તાપણાના વિકલ્પો શમાવે છે. કોઈ દ્રવ્યને ફેરવવાની બુદ્ધિ જ્યાં રહેતી નથી, ત્યાં જ્ઞાન સ્વભાવમાં ઠરે છે અને તે જીવની અલ્પ કાળમાં મુક્તિ થાય છે. | સર્વજ્ઞતા તથા ક્રમબદ્ધ પર્યાયનાં કથનોનો આશય જીવની પરની કર્તા બુદ્ધિ તોડવાનો છે. તે કથનોનો ઉદ્દેશ પરકર્તુત્વનો નિષેધ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-હર્તા-ધર્તા નથી એ માન્યતા જૈન દર્શનનો મૂળ આધાર છે. અનાદિથી અજ્ઞાની જીવ હું આ કરી શકું છું, મેં આ કર્યું ત્યારે જ થયું' એવા પરની કર્તુત્વબુદ્ધિના અહંકારથી પિડાય છે. અનાદિ કાળથી તે જગતના પરિણમનને પોતાની ઇચ્છાનુસાર કરવાની ચેષ્ટા કરી વ્યાકુળ થાય છે. તે પરમાં ફેરફાર કરવાના વિકલ્પમાં જ ગૂંચવાયેલો રહે છે. જેવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે કે તેની કર્તા બુદ્ધિ તૂટી પડે છે. સદ્દગુરુના ઉપદેશથી ક્રમબદ્ધ પર્યાયનું રહસ્ય યથાર્થપણે નિશ્ચિત થતાં ‘હું કરું છું' એવી કર્તુત્વભાવના છૂટી જાય છે અને જ્ઞાતાપણાનો પુરુષાર્થ જાગૃત થાય છે. કોઈ પ્રકારનો ફેરફાર સંભવ નથી એવી પ્રતીતિ થતાં દષ્ટિ સ્વભાવ તરફ ઢળી જાય છે. પરંતુ જો તે જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ ન કરતો હોય તો તે ભલે ક્રમબદ્ધ પર્યાયની વાતો કરે, પણ તેનો નિર્ણય સાચો નથી. જેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી હોય તેને ક્રમબદ્ધ પર્યાયની વાત બરાબર સમજાઈ નથી. પરમાં ઇચ્છાનુકૂળ ફેરફાર કરવાનો બોજો જેના Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ગાથા-૧૩૦ ઉપર રહ્યા કરતો હોય તેને વસ્તુસ્વરૂપનો યથાર્થ સ્વીકાર નથી. જેની કર્તબુદ્ધિ દૂર થાય અને જેને અંતર્દષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયથી કર્તાપણું છૂટી જ્ઞાતાપણું પ્રગટ થાય એ જ સવળો પુરુષાર્થ છે. દષ્ટિને સ્વભાવ તરફ વાળવામાં જ મોક્ષમાર્ગનો અનંત પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં આત્મોન્મુખી અનંત પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવાથી પુરુષાર્થ ઊડી જાય છે એવો ભય અજ્ઞાનીને લાગે છે, કારણ કે તે હજુ પુરુષાર્થનું સાચું સ્વરૂપ જ જાણતો નથી. વાસ્તવમાં ક્રમબદ્ધ પર્યાયને માનવાથી સપુરુષાર્થનો આરંભ થાય છે, કારણ કે સંપૂર્ણ જગતનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી પર ઉપર દષ્ટિ રહેતી નથી. કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી રહેતો અને દૃષ્ટિ સ્વભાવસમ્મુખ થઈ જાય છે. આ જ સમ્યક્ પુરુષાર્થ છે. જ્યાં સુધી ફેરફાર કરવાની દૃષ્ટિ થશે ત્યાં સુધી ઊંધો અને વ્યર્થ પુરુષાર્થ થતો રહેશે અને જ્યારે ફેરફાર કરવાની દૃષ્ટિ નષ્ટ થઈને સહજ સ્વભાવ તરફ દૃષ્ટિ થશે ત્યારે સમ્યક્ પુરુષાર્થ શરૂ થશે. પરમાં ફેરફાર કરવાની ચેષ્ટા એ પુરુષાર્થ નથી, જીવની મિથ્યા માન્યતાના કારણે આવો અવળો પુરુષાર્થ થાય છે. જે જીવ જ્ઞાનસ્વભાવસમ્મુખ થતો નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા કરતો નથી અને થવાનું હશે તે થશે એમ કહીને પુરુષાર્થનો નિષેધ કરે તો તે જીવ સ્વચ્છંદી છે. ક્રમબદ્ધ પર્યાય એ કાંઈ મિથ્યાત્વ પોષવા માટેની વાત નથી. એ તો મિથ્યાત્વ મટાડવા માટેની વાત છે. જીવ જો ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને યથાર્થપણે સમજે તો જ્ઞાનસ્વભાવની સન્મુખતા દ્વારા તેનું મિથ્યાત્વ નાશ પામે છે. (૩) કાળનું બહાનું વળી, કેટલાક જીવો કહે છે કે પંચમ કાળમાં મોક્ષનો અભાવ કહ્યો છે, માટે પુરુષાર્થનું ફળ મળે એમ નથી, તેથી અત્યારે મોક્ષની મહેનત કરવાનો અર્થ નથી. કાળ દુષમ છે, સાક્ષાત્ તીર્થકર ભગવંતનો વિરહ વર્તે છે, જ્ઞાનીપુરુષને ઓળખવા મુશ્કેલ છે, તેથી પુરુષાર્થ થતો નથી; હીણો કાળ ચાલે છે, એટલે કંઈ કરવાની સૂઝ પડતી નથી; પરંતુ આ સર્વ માત્ર બહાનાં છે. પ્રમાદને પોષવાવાળા વિકૃત ભાવો છે. આ બહાનાંની પાછળ પરમાર્થની ઇચ્છાનો અભાવ છે. પોતાને પરમાર્થની રુચિ નથી, આત્મહિતનું કામ કરવું નથી, તેથી પોતાની નિષ્ક્રિયતાનો આરોપ કાળ ઉપર લગાવે છે. આવાં પુરુષાર્થહીનતાપ્રેરક વચનોથી સાવચેત રહેવા શ્રીમદ્ કહે છે કે – અજ્ઞાનીઓ આજ “કેવળજ્ઞાન નથી', “મોક્ષ નથી” એવી હીનપુરુષાર્થની Page #99 -------------------------------------------------------------------------- ________________ ६६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં.” જ્ઞાનીની વાણી હંમેશાં પુરુષાર્થપ્રેરક જ હોય છે. જ્ઞાનીઓએ કાળનું દુષમપણું દર્શાવ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે દર્શાવ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે દર્શાવ્યું છે. પરમાર્થપ્રાપ્તિમાં અંતરાયભૂત કારણોને લીધે તેમણે કાળનું દુષમપણું કહ્યું છે, પરંતુ જીવને પુરુષાર્થહીન કરવા માટે નહીં પણ પુરુષાર્થ જાગૃત કરવા અર્થે તેમ કહ્યું છે. કાળને દુષમ કહ્યો છે તે આત્માર્થમાં નિષ્ક્રિય થવા માટે નહીં પણ વિશેષ સક્રિય થવા માટે કહ્યો છે, કારણ કે અનુકૂળ કાળમાં જો ઓછી જાગૃતિ હોય તો કદાચ ઓછી હાનિ થાય, પણ આવા પ્રતિકૂળ કાળમાં તો વિશેષ જાગૃતિ રાખવી યોગ્ય છે. જેમ કઠિન કાળ હોય તો અર્થોપાર્જન અર્થે વધારે પ્રયત્ન કરવો પડે. વિશેષ પ્રયત્ન ન કરવામાં આવે તો ભૂખે મરવું પડે; તેમ આ કઠિન દુષમ કાળમાં પરમાર્થપ્રાપ્તિ અર્થે વિશેષ આત્મપુરુષાર્થ ખુરાવવો જોઈએ, નહીં તો સંસારમાં દુઃખ ભોગવવું પડે. તેથી શ્રીમદ્ ભલામણ કરે છે કે આ કાળમાં મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાતો કરવી નહીં તથા સાંભળવી પણ નહીં. આ કાળે, આ ક્ષેત્રે સાક્ષાત્ મોક્ષ થતો નથી તોપણ એક જ ભવ બાકી રહે ત્યાં સુધીનો પુરુષાર્થ તો જીવ અવશ્ય કરી શકે છે. આ કાળમાં આ ક્ષેત્રે માત્ર એક ભવ જ બાકી રહે એવું એકાવતારીપણું પ્રાપ્ત થઈ શકે એટલી સાધના તો જરૂર કરી શકાય એમ છે. શાસ્ત્રમાં આ કાળમાં એકાવતારીપણાનો નિષેધ નથી. ૨ એકાવતારીપણાનો જૈન શાસ્ત્રોમાં સર્વત્ર સ્વીકાર છે, તેમજ આ કાળમાં અપ્રમત્ત મુનિદશા પ્રાપ્ત થઈ શકે છે એમ જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદિત થયેલું છે. સાતમા ગુણસ્થાન સુધીની દશા હજી પણ સાડા અઢાર હજાર વર્ષ સુધી આ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન રહેશે. આમ છતાં અજ્ઞાની જીવો કાળનો દોષ કાઢે તો ત્યાં જીવનો પોતાનો જ દોષ છે એમ જ્ઞાનીઓ કહે છે. શાસ્ત્રકારોએ પંચમ કાળને દગ્ધ અકાળ કહ્યો છે, પરંતુ તે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષાએ અકાળ કહ્યો છે, સમ્યગ્દર્શન માટે કાંઈ અકાળ નથી. સમ્યગ્દર્શન તો આ પંચમ કાળમાં પણ થઈ શકે છે. સમ્યગ્દર્શન માટે તો અત્યારે પણ સુકાળ છે, ઉત્તમ અવસર છે; માટે કાળનું બહાનું કાઢીને સમ્યગ્દર્શનના પુરુષાર્થમાં પ્રમાદી થવા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૩ (ઉપદેશછાયા-૬) ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી રચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૫૭ની ટીકા ૩- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, નિયમસાર', ગાથા ૧૫૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ યોગ્ય નથી. સમ્યકત્વાદિ ધર્મ અવશ્ય કરવા યોગ્ય છે. આમ, આ કાળમાં મોક્ષમાર્ગ કંઈ બંધ નથી થઈ ગયો. આ કાળમાં પણ મોક્ષમાર્ગ તો ખુલ્લો જ છે. મોક્ષની આરાધના તો કરી જ શકાય છે. આ દુષમ કાળમાં પણ મુમુક્ષુ જીવ પુરુષાર્થ કરે તો મોક્ષ માટેની સાધના થઈ શકે એમ છે. જીવ જો સાધના કરે તો આત્મવિશુદ્ધિ થયા વિના રહે નહીં. જીવે કરેલો પુરુષાર્થ વ્યર્થ જતો નથી, માટે તેણે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. જે અવસર મળ્યો છે તેનો પૂરો સદુપયોગ કરવો જોઈએ. પ્રમાદ છોડી ઉત્સાહી વલણ અપનાવવું જોઈએ. આત્માર્થમાં નિષ્ક્રિય ન બનતાં સક્રિય બનવું જોઈએ. દુષમ કાળથી ક્ષોભ ન પામતાં મોક્ષમાર્ગનો પરમ પુરુષાર્થ આત્મવીર્ય ગોપવ્યા વિના કરવો જોઈએ. શ્રીમદ્ લખે છે – | ‘પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાંખી છે; પણ જો આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, ઝળહળતો અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી, જીવને પુરુષાર્થ કરવો નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પોતાનો વાંક સમજવો. સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે.” (૪) કર્મનું બહાનું વળી, કેટલાક જીવો કર્મનું બહાનું આપે છે. તેઓ કર્મને આગળ ધરે છે અને કર્મની સત્તા આગળ પોતાને પાંગળા માને છે. તેઓ કહે છે કે કર્મનો ઉદય આત્મામાં વિકાર ઉત્પન્ન કરાવે છે. જેવો કર્મનો ઉદય હોય છે તે પ્રમાણે આત્મામાં વિકાર થાય છે, માટે જ્યારે કર્મ રસ્તો આપશે ત્યારે વિકાર દૂર થશે. કર્મના ઉદય અનુસાર આત્માના ભાવ થાય છે, તેથી જ્યારે કર્મનો ઉદય અનુકૂળ થશે ત્યારે જ હું પુરુષાર્થ કરી શકીશ. અત્યારે કર્મનું ઘણું જોર છે, તેથી હું પુરુષાર્થ કરી શકતો નથી.' કર્મના ઉદય આગળ પોતાની અસમર્થતા માનવી, પોતાના વિકારનું કારણ કર્મને માનવું એ માન્યતાની વિપરીતતા છે. જીવ પોતાનાં પરિણામ કરવામાં સંપૂર્ણપણે સ્વાધીન છે. તેનું પરિણમન સ્વતંત્ર છે. જીવ અને કર્મ બને તદ્દન જુદાં જુદાં દ્રવ્યો છે, પોતપોતામાં સ્વતંત્ર છે અને અનાદિ-અનંત ટકીને પોતે જ પોતાની હાલત બદલાવે છે. દરેક દ્રવ્યની પર્યાય તે દ્રવ્ય પોતે જ કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૯ (ઉપદેશછાયા-૧૦) Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી શકે નહીં. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અસ્તિરૂપે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે નાસિરૂપે છે. કર્મ પોતે પોતાનાં સ્વદ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે અતિરૂપે છે અને આત્માનાં દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે નાસ્તિરૂપે છે. આત્મા અને કર્મ નિજદ્રવ્યમાં નિજરસથી વર્તે છે. તે દ્રવ્યાંતરરૂપે અન્ય દ્રવ્યમાં સંક્રમણ પામતાં નથી. કર્મનો ઉદય આત્મદ્રવ્યમાં સંક્રમણ પામતો ન હોવાથી તે આત્માને પરિણાવી શકતો નથી. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી કર્મનું પરિણમન આત્મામાં વિકાર કરાવતું નથી. આત્મામાં વિકાર ઉપજાવી શકે એવું સામર્થ્ય કર્મમાં નથી. કર્મને એ અધિકાર જ નથી કે તે આત્માને વિકાર કરાવી શકે. વિકાર કરવો એ પોતાને આધીન છે. જીવ પોતે સ્વતંત્રપણે કર્મના ઉદયને આધીન થઈ વિકાર કરે છે. તેની પોતાની ભૂલના કારણે જ વિકાર થાય છે, કર્મના કારણે નહીં. ‘આ પ્રકારના કર્મના ઉદયમાં જીવ આવા ભાવ કરે છે' ઇત્યાદિ કથનો શાસ્ત્રમાં આવે છે, તેનું તાત્પર્ય એમ નથી કે કર્મ જીવને વિકાર કરાવે છે. તે તો નિમિત્તની મુખ્યતાથી કરેલાં કથનો છે. જીવ જ્યારે સ્વતંત્રપણે વિકારી ભાવ ઉત્પન્ન કરે છે તે સમયે નિમિત્તરૂપ દ્રવ્ય કર્યું હતું તેનું જ્ઞાન કરાવવા અને જીવની વિકારી ભાવરૂપ પર્યાયની જાતિ તથા તરતમતાનું જ્ઞાન કરાવવા માટે કર્મની પ્રધાનતાથી એવાં કથન કરવામાં આવે છે; નહીં કે જીવ કર્મને આધીન છે એવું સિદ્ધ કરવા. પરંતુ અજ્ઞાની જીવ પોતાની વિપરીત માન્યતા દૃઢ કરવા માટે શાસ્ત્રો વાંચીને પણ વિપરીત અર્થ કાઢે છે. પોતાની સ્વતંત્રતા સ્વીકારવાને બદલે તે પોતાને કર્મને આધીન માને છે. તે માને છે કે કર્મના ઉદયના કારણે પોતામાં વિકાર થાય છે, પોતાને બંધન થાય છે. જો કર્મનો ઉદય જ્યારે જ્યારે આવે, ત્યારે ત્યારે આત્માએ વિકાર કરવો જ પડતો હોય તો આત્મા તો ક્યારે પણ નિર્વિકારી ન થઈ શકે. જો કર્મના ઉદયથી બંધ થતો જ હોય તો સર્વ સંસારી જીવોને કર્મનો ઉદય નિરંતર રહેતો હોવાથી સદાકાળ બંધ થયા જ કરે. જો એમ હોય તો પછી તો કોઈ પણ આત્મા કદી પણ કર્મથી આત્યંતિક છૂટો પડીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકે જ નહીં. કર્મના ઉદયથી વિકાર થાય અને વિકારથી કર્મનો બંધ થાય, વળી પાછા તેના ઉદયથી વિકાર થાય - એ જ પ્રમાણે પરંપરા ચાલ્યા કરે તો જીવનો મોક્ષ થાય જ નહીં. પરંતુ એમ છે જ નહીં. કર્મના ઉદયમાં જીવે અવશ્ય વિકાર કરવો જોઈએ એવો કોઈ નિયમ નથી. જીવ પોતાની ભૂલના કારણે ઉદયને વશ થઈને વિકાર કરે છે. પોતાના દોષે જ તેને બંધન છે. જીવ જો વિકાર ન કરે તો કદી પણ વિકાર ન થાય. જો દોષ કર્મના કારણે થતો હોય તો કર્મ ટળે ત્યારે દોષ ટળે અને જીવના હાથમાં કાંઈ રહે નહીં. પરંતુ વસ્તુસ્વરૂપ એમ નથી. જીવ પોતે સ્વતંત્ર રીતે દોષ કરે Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૬૯ છે અને તે પોતે તે દોષને ટાળી શકે છે. ભૂલ કરવામાં જીવ સ્વતંત્ર છે અને ટાળવામાં પણ સ્વતંત્ર છે. સવળું કરવામાં તેમજ ઊંધું કરવામાં જીવ સ્વતંત્ર છે. પોતાના આત્માનું ભલું અથવા બુરું કરવાવાળો જીવ પોતે જ છે. તેને હાનિ અથવા લાભ પહોંચાડનાર સ્વયં જીવ જ છે. પોતાનો સુધાર કે બગાડ, પોતાનું હિત કે અહિત જીવ સ્વયં જ કરી શકે છે, અન્ય કોઈ નહીં. કર્મના ઉદયમાં જીવ જાગૃતિ ન રાખે તો તે રાગાદિ વિકારી ભાવરૂપે પરિણમે છે અને તેના આત્માનું અહિત થાય છે, પણ જો તે આત્મજાગૃતિ રાખે તો તે કર્મના ઉદયને વશ થતો નથી અને આત્મહિત થાય છે. પુરુષાર્થ ફોરવીને જો તે સ્વરૂપજાગૃતિ રાખે તો મોક્ષમાર્ગે આગળ વધે છે. ઉપયોગને સ્વરૂપ પ્રત્યે લઈ જવાનો પુરુષાર્થ કરતાં મોક્ષનો ઉપાય સધાય છે, માટે જીવે સ્વરૂપજાગૃતિનો પુરુષાર્થ કરવો જોઈએ. આ પુરુષાર્થ જીવ અવશ્ય કરી શકે છે અને તેમાં કોઈ કર્મ બાધા કરી શકતું નથી. કર્મ જીવને પુરુષાર્થ કરતાં અટકાવે છે એ વાત ત્રણે કાળમાં સાચી નથી. જો જીવ પુરુષાર્થ ન કરે તો અવશ્ય જીવનો જ દોષ છે, કર્મનો નહીં; પરંતુ જેને પરમાર્થની ઇચ્છા નથી એવો જીવ આત્માનો આશ્રય તો કરતો નથી અને કર્મને દોષ આપે છે. પોતે પુરુષાર્થ કરવા સમર્થ હોવા છતાં તે પુરુષાર્થ કરતો નથી અને વાંક કાઢે છે કર્મના ઉદયનો. ધર્મ કરવા ધારે તો તે કરી શકે તેમ છે, પરંતુ પોતે પુરુષાર્થ કરતો નથી અને દર્શાવે છે કે કર્મના સ્વામિત્વના કારણે પોતે પુરુષાર્થ ઉપાડી નથી શકતો. તે કહે છે કે ‘કર્મનો ઉદય એવો છે કે ધર્મકાર્ય કરવાની ઇચ્છા ખૂબ હોવા છતાં ધર્મ થઈ શકતો નથી. કર્મ મને ધર્મ કરવા દેતાં નથી.' કર્મ તેને ધર્મ કરવા દેતાં નથી, પરંતુ વ્યાપાર કરવા દે છે, સાંસારિક કાર્યો કરવા દે છે! ધન કમાવવામાં તેને કર્મ આડું આવતું નથી, તેમાં તો તે ઘણો પુરુષાર્થ કરે છે; પરંતુ ધર્મ કરવામાં તેને કર્મ આડું આવે છે, તેથી તે તેમાં પુરુષાર્થ નથી કરી શકતો! જીવનાં પરિણામોની કેવી વિચિત્રતા છે! આ જ સાબિત કરે છે કે તેને ધર્મમાં ખરેખર રુચિ નથી. તે સાંસારિક કાર્યોમાં પોતાનો ઉપયોગ જોડે છે, પણ ધર્મમાં જોડતો નથી. સંસારનાં કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન દેખાય તોપણ ત્યાં જીવ પુરુષાર્થ કર્યા કરે છે અને પરમ હિતરૂપ, પ્રયોજનભૂત એવા મોક્ષ માટે પુરુષાર્થ નથી કરતો. આ જ બતાવે છે કે તેને મોક્ષપુરુષાર્થ હિતરૂપ લાગ્યો નથી. જીવને મોક્ષની સાચી અભિલાષા નથી, તેને વિષય-કષાયાદિ ભાવમાં જ રહેવું છે અને સાથે મુમુક્ષુતાનો ઢોંગ કરવો છે. તેને સ્વચ્છંદે પ્રવર્તવું છે અને ધાર્મિક પણ કહેવડાવવું છે. જો તે પોતાની અરુચિનો, સંસારલોલુપતાનો સ્વીકાર કરી લે તો તે અધાર્મિકમાં ખપે, તેથી તે આવી યુક્તિઓ કરે છે. તે પોતાની ભૂલને ઢાંકવા માટે તર્ક Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શોધે છે. તે ભૂલનું ઉપરાણું લઈ, તર્કથી સિદ્ધ કરી આપે છે કે પોતે નિર્દોષ છે, દોષ તો કર્મનો છે. અપરાધ સ્વયં કરે છે, પરંતુ તેની જવાબદારી તે કર્મ ઉપર આરોપી, કર્મને તેનું કારણ બનાવી, પોતાને નિરપરાધી સિદ્ધ કરવાની જીવને અનાદિથી આદત પડી ગઈ છે. પોતાની ભૂલનું કારણ શોધવા માટે જેની નજર કર્મ ઉપર જાય છે તે મહાજૂઠ આચરે છે. પોતાની ભૂલની જવાબદારી કર્મ ઉપર નાખવી એ તો મહા અનીતિ છે. જીવ કર્મને જ દોષ આપ્યા કરે તે અનાચાર છે. જે આવો અનાચાર આચરે છે તે જીવ સુધરી શકતો નથી. કર્મ ઉપર દોષારોપણ કરવાથી સુધરવાનો માર્ગ જ બંધ થઈ જાય છે. માટે જીવે પોતાની દૃષ્ટિ કર્મ ઉપરથી હટાવી પોતાની ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. ભૂલનું ઉપરાણું ન લેવું જોઈએ. તેને છુપાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ભૂલનો સ્વીકાર સાહસિક સાધકપણું માંગે છે. સ્વીકારવું કે ‘ભૂલ કાંઈ કર્મની નથી, પરંતુ મારી છે. કર્મ મને ભૂલ કરાવી શકતું નથી. આ મારી જ ભૂલ છે અને મારે એ સુધારવી જોઈએ.” “મારી નબળાઈ છે' એમ જીવ માને તો તે છૂટી શકે છે. ખામી જો સ્વયંમાં જણાય છે તો રૂપાંતરણ અર્થે પ્રયાસ થાય છે. જે કર્મની ભૂલ હોવાનું માનતો નથી અને સ્વયંની ભૂલ જોવાનું શરૂ કરે છે, તેનામાં પોતાની ચેતનાને બદલવાની તૈયારી જાગે છે, તેની અંતર્યાત્રા શરૂ થાય છે અને તેની ભૂલ નષ્ટ થઈ જાય છે. માટે ભૂલનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો જોઈએ. ક્રોધાદિ વિકારી ભાવોનો જવાબદાર કર્મને માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે આત્મા ક્રોધાદિ ભાવોને ઘટાડી શકે નહીં, વધારી શકે નહીં કે તેનો અભાવ કરી શકે નહીં. બધું કર્મ ઉપર નિર્ભર રહેશે. આમ માનવાથી કરવાથી તો ક્રોધાદિ ભાવોનો ક્ષય કરવાનો શાસ્ત્ર-ઉપદેશ પણ અયથાર્થ ઠરશે, પણ જિનવાણીનું અયથાર્થ હોવું તો અસંભવ છે. આથી સિદ્ધ થાય છે કે કર્મ જીવને વિકાર કરાવતું નથી, પુરુષાર્થ કરવામાં રોકતું નથી; જીવ પુરુષાર્થ કરવામાં સ્વાધીન છે, સ્વતંત્ર છે. આત્મા અનંત વીર્યનો ધણી છે, બેહદ અખૂટ સામર્થ્યનો ધારક છે. તે જ્યારે પોતાનું વીર્ય ફોરવે, પોતાની અચિંત્ય અનંત શક્તિ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે, ત્યારે જડ કર્મની તાકાત નથી કે તેને રોકી શકે. અનંત કાળનાં અનંતાનંત કર્મનો માત્ર બે ઘડીમાં પોતે પોતાના પુરુષાર્થ દ્વારા ક્ષય કરી શકે એવી જેનામાં સહજ શક્તિ ભરી છે એવા આત્માને રોકવા કોણ સમર્થ છે? શ્રીમદ્ કહે છે – અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. ..... અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૭૧ કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે!” પરમાર્થની ઇચ્છા નથી એવા જીવને, કર્મોનો બે ઘડીમાં ક્ષય કરી શકવામાં સમર્થ એવા પોતાના બળવાન આત્માની શક્તિમાં શ્રદ્ધા નથી, પણ કર્મના બળવાનપણાની શ્રદ્ધા છે. આવી વિપરીત માન્યતાના કારણે જીવ પુરુષાર્થહીન થાય છે, પરંતુ પરમાર્થની ઇચ્છાવાળા મુમુક્ષુ જીવને સદ્ગુરુ દ્વારા અનંત વીર્યવાન આત્મસ્વરૂપનો નિર્ણય થયો હોય છે અને તે નિષ્ઠાપૂર્વક સત્ય પુરુષાર્થ કરતો રહે છે. આત્માની સ્વાધીનતા અને અનંત શક્તિનો નિશ્ચય થયો હોવાથી તેની દષ્ટિ કર્મ ઉપર નથી હોતી. તે સ્વાત્માભિમુખ રહેવાનો, પોતાના શુદ્ધાત્મસ્વરૂપના અનુસંધાનના પ્રયત્નમાં લાગેલો રહે છે. તે પુરુષાર્થના બળથી કર્મના બંધન તોડવાના અને આત્માની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવાના કાર્યમાં તલ્લીન રહે છે. (૫) પરિસ્થિતિનું બહાનું વળી, કેટલાક જીવો પોતાને પ્રાપ્ત થયેલ પરિસ્થિતિમાં પુરુષાર્થ થઈ શકે એમ નથી એવું બહાનું આપે છે. પોતાને મળેલા સંજોગોમાં સાધના કરી શકાય એમ નથી એવું તેઓ બતાવે છે. કોઈ કહે છે કે “તીવ્ર પ્રતિકૂળતા છે, તેથી હું ધર્મ કરી નથી શકતો; અનુકૂળતા થઈ જાય તો હું ધર્મ કરીશ.' તો વળી કોઈ કહે છે કે આ અનુકૂળતામાં મોહવશ ખેંચાઈ જવાય છે. થોડી પ્રતિકૂળતા હોય તો ધર્મ કરવાનું મન થાય અને પુરુષાર્થ ઊપડે.' જીવ બહાનાં શોધવામાં અત્યંત કુશળ હોવાથી પ્રત્યેક અવસરે સંજોગોનો વાંક કાઢતો ફરે છે. આત્માના સામર્થ્યની કોઈ મર્યાદા છે જ નહીં. જીવ ગમે તે સંયોગોમાં પુરુષાર્થ કરી શકે છે. બાહ્યમાં ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગ હોય તો પણ જીવ પુરુષાર્થ કરી શકે છે. નરકની પ્રતિકૂળતા સામે મનુષ્યપણાની પ્રતિકૂળતા તો કોઈ ગણતરીમાં છે જ નહીં. નારકી જીવને અત્યંત પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. નરકમાં દુઃખના એવા સંયોગો છે કે જેનું વર્ણન સાંભળતાં અરેરાટી થઈ જાય છે. અનેક પ્રકારની પુણ્યાઈ વચ્ચે વસતા રાજાના યુવાન કુંવરનું માખણના પિંડ જેવું સુંવાળું-કોમળ શરીર હોય અને તેને લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં જીવતો ઉપાડીને ફેંકવામાં આવે તો તેમાં સળગતાં તેને જેટલું દુઃખ થાય તેના કરતાં પણ અનેકગણું દુઃખ નરકમાં જીવને વેદવું પડે છે. ત્યાં નરકભૂમિની મહાભયાનક વેદના હોય છે, તેમજ પરમાધમી દેવો પણ ભયંકર વેદના પહોંચાડે છે. તે ઉપરાંત સમસ્ત જીવન ભૂખ-તરસમાં વ્યતીત થાય છે. આવી ભયંકર વેદનાના પ્રસંગમાં પણ સાધક જીવ સમ્યગ્દર્શન પ્રગટાવી શકે છે. એ જ રીતે સ્વર્ગના ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૭ (ઉપદેશછાયા-૫) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવને બાહ્ય અનુકૂળ સંયોગો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અનેક રિદ્ધિ-સિદ્ધિલબ્ધિઓ તથા અઢળક બહુમૂલ્ય બાહ્ય સંપત્તિ આદિનો યોગ હોવા છતાં સાધક જીવ તે સર્વમાંથી ઉપયોગને પાછો ખેંચી શકે છે. “સુંદર શરીર અને સાનુકૂળ સંયોગો એ પરની રચના છે, એમાં કશું મારું નથી' એવી જાગૃતિપૂર્વક તે સ્વરૂપમાં દૃષ્ટિ સ્થાપી શકે છે. સ્વર્ગના અત્યંત અનુકૂળ સંયોગમાં પણ સમ્યગ્દર્શન પ્રગટાવી શકે છે. એવા કોઈ સંયોગ નથી કે જેમાં સાધના ન થઈ શકે, ધર્મ ન થઈ શકે. અંધારું ગમે તેટલું ગાઢ હોય, પણ તે પ્રકાશને પ્રગટવામાં બાધારૂપ ન બની શકે; તે જ પ્રમાણે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જે સાધના કરવામાં અટકાવે, કારણ કે સાધકરૂપ કે બાધકરૂપ થવાનો ગુણ પરિસ્થિતિમાં છે જ નહીં. પરિસ્થિતિ અંતર્મુખ થવામાં અંતરાય કરી શકતી નથી. જીવ જ જો પોતાને રોકવા ઇચ્છે તો તે વાત જુદી છે. પરિસ્થિતિ કાંઈ તેને રોકતી નથી, રોકી શકતી પણ નથી. અંદર ન જવામાં જીવની અરુચિ અને પ્રમાદ જ કારણભૂત છે. પરિસ્થિતિ ઉપર કશું જ નિર્ભર નથી. જીવ પરિસ્થિતિને કઈ રીતે લે છે તેના ઉપર જ બધું નિર્ભર છે. કોઈ રસ્તા ઉપર પડેલા પથ્થરોને પણ પગથિયાં બનાવે છે, જ્યારે પરિસ્થિતિને ખોટી રીતે મૂલવી કોઈ પગથિયાને પણ પથ્થર ગણી - રસ્તાની આડ ગણી તેનો વાંક કાઢે છે! તેથી જીવની દૃષ્ટિ ઉપર જ બધું નિર્ભર છે. જીવનો પરિસ્થિતિ તરફનો દૃષ્ટિકોણ જ જવાબદાર છે. પરિસ્થિતિ તરફનો અભિગમ વિપરીત હોય તો જીવની વૃત્તિ વિષમ બને છે અને તેને સાધના કરવી અશક્ય લાગે છે. તે અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્નેમાં સાધના નથી કરતો, જ્યારે સાધકનો સંયોગો પ્રત્યેનો અભિગમ યથાર્થ હોવાથી તે અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્નેમાં સાધના કરે છે. તે અનુકૂળતામાં લીન થઈને કે પ્રતિકૂળતામાં દીન થઈને આરાધનાથી ડગતો નથી. તે દરેક પરિસ્થિતિમાં પોતાની આરાધના ચાલુ રાખે છે. આમ, પરિસ્થિતિની અનુકૂળતા-પ્રતિકૂળતા આત્મધ્યાનને રોકતી નથી. ચિદાનંદમૂર્તિ, નિર્દોષ, નિર્લેપ ચૈતન્યગોળો અંતરમાં બિરાજમાન છે. તેમાં એકાગ્રતા કરવી તે હિતકર છે, બાકી બધા ભાવ અહિતકર છે. બહારની કોઈ પરિસ્થિતિ હિતરૂપ કે અહિતરૂપ નથી. સર્વ પરસંયોગો જોય છે, માટે જીવે તેમાં ઠીક-અઠીકપણાનો ભાવ આરોપવાનું છોડી દેવું જોઈએ. સંયોગોની ફરિયાદ ન કરવી જોઈએ, પરંતુ યથાર્થ સાધના કરવી જોઈએ. ફરિયાદી વલણ ન રાખતાં દરેક પરિસ્થિતિમાં સાધનામય જ રહેવું જોઈએ. પરિસ્થિતિનો વાંક ન કાઢતાં અંતર્મુખતાના પ્રયત્ન કરવા જોઈએ, નહીં તો ક્લેશિત ભાવમાં રહેવાનું થાય છે. પરિસ્થિતિઓમાં ઉલઝાવાનું નથી પણ અંતરમાં ચાલ્યા જવાનું છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩) ૭૩ (૬) વ્યક્તિનું બહાનું વળી, કેટલાક જીવો અન્ય વ્યક્તિઓના કારણે પોતે પુરુષાર્થ નથી કરી શકતા એવું બહાનું આપે છે. સ્ત્રી, પુત્રાદિ પુરુષાર્થ કરવામાં આડા આવે છે, બંધન કરે છે એવું તેઓ કહે છે. વાસ્તવમાં પરિવાર આદિ કંઈ તેમને બંધનકર્તા નથી. એ બંધન તેમણે સ્વયં ઉત્પન્ન કર્યું છે. તેઓ સ્વયં પોતે ઇષ્ટ માનેલી સ્ત્રી આદિની સેવાકાળજીમાં તત્પર રહે છે. જો તેઓ તેમની સેવા ન કરે, તેમની પાછળ દોડધામ ન કરે તો કોઈમાં એવી શક્તિ નથી કે તેમને સ્ત્રી આદિનો સેવક બનાવે. પોતે જ પોતાની ભૂલથી તેમનો ગુલામ બને છે. જીવ પોતે જ સ્ત્રી આદિના પ્રભાવમાં આવે છે. તે સ્વતંત્રપણે અન્ય વ્યક્તિ પ્રત્યે કામાદિ ભાવ સેવે છે. આમ છતાં જ્યારે કામાદિ વૃત્તિ ઊઠે છે ત્યારે તેનું આરોપણ તે નિમિત્તરૂપ બનેલી અન્ય વ્યક્તિ ઉપર જ કરે છે. તે પોતાની વાસનાનું આરોપણ સ્ત્રી ઉપર કરે છે. સ્ત્રીએ કંઈ તેની વાસનાને જન્મ આપ્યો નથી અને તેના મોક્ષને પણ બાનમાં પકડી રાખ્યો નથી, છતાં તે સ્ત્રીને મોક્ષની પ્રાપ્તિમાં આડખીલીરૂપ - અંતરાયરૂપ ગણે છે. તે સમજતો નથી કે સ્ત્રીમાં રહેલી સુખબુદ્ધિના કારણે પોતાને વાસના ઉત્પન્ન થાય છે, તેમાં સ્ત્રીનો કોઈ દોષ નથી. જીવનું મન એટલું રુણ છે કે તે પોતાના દોષનું કારણ બીજા ઉપર આરોપિત કરે છે. જ્યારે પણ તેને ક્રોધનો ભાવ થાય છે ત્યારે તેનું કારણ અન્ય ઉપર આરોપિત કરી દે છે. ક્રોધ થાય ત્યારે તે અન્ય વ્યક્તિને દોષ આપતાં એમ કહે છે કે તેણે મને ક્રોધ કરાવ્યો.' તે કહે છે કે “જો તે આમ ન બોલ્યો હોત તો મને ક્રોધ ન આવત', ‘જો તે એવું ન કરત તો હું ગુસ્સે ન થાત.' ક્રોધનો ભાવ જ્યારે જીવને પ્રગટે ત્યારે સામે જે નિમિત્ત હોય, તે નિમિત્ત ઉપર જીવ ક્રોધનું કર્તુત્વ આરોપી દે છે. જો કોઈ પ્રત્યે તેને ક્રોધ થાય છે તો તે ક્રોધના અનુભવમાં સ્વયંની જવાબદારી ભૂલી બેસે છે અને સામેવાળી વ્યક્તિ જ તેના લક્ષમાં રહે છે. તે પોતાના આંતરિક કેન્દ્રને ભૂલી જાય છે અને અન્યને પોતાનું કેન્દ્ર બનાવી દે છે. અનાદિથી આજ પર્યત જીવની યાત્રા બહિર્મુખ જ રહી છે અને તેથી તેનો ઉપયોગ બહાર જ દોડે છે. તેની દૃષ્ટિ ઊલટી છે. તે માને છે કે પોતાના દોષ માટે સદા બીજો માણસ જ જવાબદાર છે. હકીકતમાં બીજો માણસ બિલકુલ જવાબદાર નથી. જીવના દોષ માટે બીજું કોઈ જવાબદાર નથી, જીવ પોતે જ જવાબદાર છે. જીવની અંદર જે પડ્યું છે તેને બહાર આવવાનો મોકો જ બીજી વ્યક્તિ આપે છે. જો જીવમાં ધૃણા હશે તો ધૃણા બહાર આવશે અને પ્રેમ હશે તો પ્રેમ બહાર આવશે. અન્ય તો માત્ર નિમિત્ત છે. તે કંઈ જવાબદાર પરિબળ નથી. તે તો જીવની ખામી Page #107 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બહાર લાવવાનું નિમિત્તમાત્ર છે. જીવ જે સ્થિતિમાં છે, તેનો જવાબદાર તે પોતે જ છે. દોષ કરવા માટે બીજું કોઈ તેને ફરજ પાડી શકતું નથી. કોઈ તેના ઉપર બળજબરી કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તે પોતે જ દોષને માટે જવાબદાર છે અને જ્યાં સુધી તે આ જવાબદારી પોતા ઉપર નથી લેતો, ત્યાં સુધી તે બદલાઈ શકતો નથી. માટે સ્વીકારવું કે ‘દોષ મારા જ કારણે થાય છે, મારા દોષનું નિર્માણ હું જ સ્વતંત્રતાપૂર્વક કરું છું.' જો આ વાત દૃઢપણે ચેતનાના ઊંડાણમાં ઊતરી જાય તો જીવ દોષક્ષયના માર્ગે આગળ વધી શકે છે. (૭) માર્ગની કઠિનતાનું બહાનું વળી, કેટલાક જીવો પુરુષાર્થ ન કરવા માટે મોક્ષમાર્ગની કઠિનતાનું બહાનું આપે છે. તેઓ કહે છે કે “આટલી કઠણ વાત મારાથી સંભવિત નથી, માટે હું પુરુષાર્થ નહીં કરી શકું.' તે પુરુષાર્થને કઠિન બતાવી પુરુષાર્થ કરતો નથી. આ તેની ચાલાકી છે. પુરુષાર્થ કઠણ છે એમ બતાવવું એ તેની પુરુષાર્થથી બચવાની ચાલ છે. પુરુષાર્થ કરવો ન પડે તે માટે એ આવું બહાનું કાઢે છે. સતુ સરળ છે, સર્વત્ર છે, સુગમ છે; અને છતાં જીવ તેને કઠિન કહે છે. તે સરળ ચીજને પણ જટિલ બનાવી દે છે. મોક્ષમાર્ગ અત્યંત સરળ છે, પરંતુ તેનું ચિત્ત સરળ નથી, માટે તે તેને કઠિન બનાવી દે છે. વક્ર બુદ્ધિના કારણે સરળ મોક્ષમાર્ગને પણ જીવ દુષ્કર બનાવી દે છે. ધર્મ સરળ છે, સહજ છે અને છતાં મનનાં જાતજાતનાં નખરાંઓ વડે તે તેને દુઃસાધ્ય બનાવી મૂકે છે. તેને પોતાના સ્વરૂપનો મહિમા નથી, પરિભ્રમણનો ભય નથી, તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને કઠિન માને છે. તેને શુભાશુભ ભાવોનો ઉત્સાહ આવે છે, પણ સ્વભાવનો અનુભવ કરવો કઠિન માનતો હોવાથી તેમાં તેને ઉત્સાહ આવતો નથી. તે પરની વાત, પરમાં ફેરફાર કરવાની ચેષ્ટા હોંશથી કરે છે, પણ સ્વભાવની વાતમાં - સ્વાભાવિક પરિણમનના પુરુષાર્થમાં તેને હોંશ આવતી નથી. કેવી વિચિત્રતા છે કે સ્વાધીન કાર્યને જીવ અઘરું માને છે અને સર્વથા પરાધીન એવા પરમાં ફેરફાર કરવાના અશક્ય કાર્યને જીવ સહેલું માને છે. પરપદાર્થોના પરિણમનમાં હસ્તક્ષેપ જે સર્વથા અસંભવ છે, તેને જીવ સરળ માને છે અને સહજ સ્વાધીન નિજાત્મસ્વરૂપને પોતાનું માનવું-જાણવું તેને તે કઠિન માને છે. પરપદાર્થોનું પરિણમન પોતાના હાથમાં છે જ નહીં અને છતાં તેના કર્તુત્વને તે સરળ માની લે છે અને સહજ સરળ એવા પોતાના આત્માના અનુભવને મહાકઠિન માની લે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ ૭૫ આત્માનો અનુભવ કરવાનું કાર્ય મુશ્કેલ માનવું એ જીવની અરુચિનું ઘાતક છે. પરમાર્થની અરુચિના કારણે જીવ તે કાર્યને દુર્ગમ માને છે. પરમાર્થની રૂચિ હોય તો પુરુષાર્થ સરળ લાગે છે અને ન હોય તો કઠિન લાગે છે. પરમાં રુચિ રહે ત્યાં સુધી અઘરું મનાય છે અને સ્વની રુચિ થતાં સહેલું મનાય છે. રુચિ ન હોવાથી જીવ ચાલાકીઓ કરે છે. પરમાર્થની રુચિ જાગતાં જ તે કોઈ બહાનાં કાઢતો નથી. જેને પરમાર્થની ઇચ્છા જાગે છે તે જીવને પુરુષાર્થ ઉપાડવો કઠિન લાગતો નથી. આ અનાદિકાલીન મિથ્યાત્વને કેવી રીતે તોડી શકીશ? ભગવાન આત્માનો અનુભવ કેવી રીતે કરી શકીશ?' ઇત્યાદિ પામરતાના વિચારો, કાયરતાના વિકલ્પો તેને આવતા નથી. ‘આ કાર્ય સરળ છે અને મારે તે કરવું જ છે' એવો તેનો નિર્ણય હોય છે. તે આત્માના અચિંત્ય સામર્થ્યનો ભરોસો લાવી પોતાની પરિણતિમાં બળ પ્રગટાવે છે. તે આત્માનો મહિમા લાવી ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે. તેનો ઉપયોગ પરમાંથી હટી સ્વમાં ઢળવા લાગે છે અને કોઈ ધન્ય પળે તે પોતાના આત્માનો અનુભવ કરી લે છે. જ્યાં પરમાર્થની આવી પ્રબળ ઇચ્છા હોય ત્યાં આત્માનો અનુભવ થાય છે. આત્માનો અનુભવ કઠિન નથી, તે અવશ્ય કરી શકાય છે. જો તિર્યંચના દેહમાં રહેલ જીવ આત્માનો અનુભવ કરી શકે છે, તો મનુષ્યદેહમાં રહેલ જીવ કેમ આત્માનો અનુભવ ન કરી શકે? જ્યારે પૂછવાળા પશુ કરી શકે છે તો શું મૂંછવાળા મનુષ્ય તે ન કરી શકે? જરૂર કરી શકે. તે માટે અંતરની લગની જોઈએ, નિષ્ઠા જોઈએ. તીવ્ર રુચિ હોય ત્યાં કંઈ જ અસંભવિત નથી. (૮) સમયના અભાવનું બહાનું વળી, કેટલાક જીવો સમયનું બહાનું દર્શાવે છે. સપુરુષાર્થ કરવા માટે પોતાને સમય મળતો નથી એવું બહાનું તે કાઢે છે. પુરુષાર્થથી બચવા તે કહે છે કે “સાધના કરવા માટે મારી પાસે સમય ક્યાં છે? સાધનાની વાત એ સારી વાત છે, સાચી વાત છે, કરવા જેવી છે, કરવી પણ છે; પણ અત્યારે હું તે માટે સમય આપી શકું એમ નથી.' “મારે કેટલાં બધાં કામ કરવાનાં પડ્યાં છે. સાધના માટે સમય કાઢવો તો અશક્ય છે.' ‘ભવિષ્યમાં જ્યારે સમય હશે ત્યારે સાધના કરીશ. નિવૃત્ત થઈશ ત્યારે જરૂર કરીશ, પણ હાલ તો ફરજો બજાવવાની છે, માટે હું ખૂબ દિલગીરીપૂર્વક સાધના મોકૂફ રાખું છું.’ ‘સાધનાની ઉપયોગિતા હું બરાબર સમજી ગયો છું અને આગળ ઉપર હું સૌથી પહેલું કામ આ જ કરીશ.' અત્યારે હું મારી બહોળી સાંસારિક જવાબદારીઓના કારણે સાધના કરી શકું એમ નથી, પણ મોક્ષની મને તીવ્ર ઉત્કંઠા છે.' આવા જીવને છૂટવાની સાચી અભિલાષા જાગી નથી, સાધનાની સાચી રુચિ થઈ નથી, પણ તે એવું બતાવે છે કે “મને રુચિ તો બહુ છે, પણ સમય નથી.' શું એ Page #109 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સાચું છે કે તેની પાસે સમય નથી? શું ખરેખર તેની પાસે સમય નથી? તેની પાસે સમય તો છે, પણ રુચિ નથી. તે કહે છે કે “મારી પાસે સમય રહેતો નથી', પરંતુ તે કેટલાં બધાં અનાવશ્યક કામોમાં લાગેલો રહે છે. અનાવશ્યક કામો માટે તેને પૂરતો સમય મળી રહે છે. તે બિનજરૂરી કામો કરે છે, દુનિયાની આડીઅવળી વાતો કરે છે, પરંતુ પોતાના ઉદ્ધારની વિચારણા કરતો નથી. દેશના ઉદ્ધારની યોજનાઓ બનાવવામાં સમય વાપરે છે અને કહે છે કે પોતાની સાધના માટે સમય નથી. તે પોતાના સમયને હોટલ, સિનેમા, ટી.વી., છાપાં, પાનાં રમવા આદિમાં વેડફી નાખે છે અને પછી બૂમરાણ મચાવે છે કે સમય ક્યાં છે? જીવની પાસે સમય તો છે - રોજના ચોવીસ કલાક! અને એ સમયની વહેંચણી પણ તેના જ હાથમાં છે. એ ચોવીસ કલાકમાંથી કેટલા કલાક કયા કાર્યમાં ગાળવા એ તેની મરજીની વાત છે. તેની મરજી તેનાં પોતાનાં વિશિષ્ટ ધોરણો પ્રમાણે સમયની વહેંચણી કરતી જાય છે. કામમાં, આરામમાં, મનોરંજનમાં, ગપ્પાંમાં, નિંદામાં - પોતાની ઇચ્છા પ્રમાણે, રુચિ હોય તે પ્રમાણે જીવ સમય ફાળવે છે અને બાકીના કામ માટે, જેમાં રુચિ નથી તે માટે સમય નથી' એમ કહે છે. સમય નથી' - એમ કહીને પોતે સાધના કરી શકશે નહીં એમ દિલગીરી બતાવે છે. તે દયામણો થઈને કહે છે કે ‘વિધિ તો ખૂબ સરસ છે, કરવા યોગ્ય છે અને મારે કરવી પણ છે, પરંતુ સમય નથી. બીજાં કેટલાં કામ પડ્યાં છે, તે પતાવવાં પડે એમ છે.' આનો અર્થ એ જ થાય છે કે તેને સાધના મહત્ત્વપૂર્ણ લાગી જ નથી. તેને સાધના કરવા કરતાં ધન આદિ એકઠાં કરવાં વધુ મહત્ત્વપૂર્ણ લાગે છે. તેને લાગે છે કે રૂપિયા વિના કઈ રીતે ચાલે? પહેલાં રૂપિયા પછી સાધના. સાધક તો એનું નામ કે જેને ધન કરતાં ધર્મ વધારે મહત્ત્વપૂર્ણ લાગે, પત્ની-પુત્ર કરતાં પરમાત્મા વધારે મહિમાવંત લાગે, પદ-પ્રતિષ્ઠા કરતાં પરમાત્માનો અનુગ્રહ વધારે મૂલ્યવંત લાગે. જીવને સાધનાની જરૂરિયાત જ લાગી નથી. તે સાધનાને ટાળે છે, કારણ કે તેને લાગે છે કે સાધના જીવિત રહેવા માટે જરૂરી નથી. રોટલા વિના મરી જવાય, ધન વિના ન જિવાય; પાયાની જરૂરિયાતો માટે એ જરૂરી છે. સાધના સ્થગિત કરી શકાય, કારણ કે જીવિત રહેવા સાથે એનો કોઈ સંબંધ નથી. એના વિના પણ જીવિત રહી શકાય છે, તેથી તે પોતાનો પુરુષાર્થ સ્વ પાછળ લગાડવાને બદલે પર પાછળ લગાડે છે. સાધકને તો સાધનામય જીવન જ યથાર્થ જીવન લાગે છે, તેથી તેનું વીર્ય સંસારનાં કાર્યોને બદલે સાધનામાં જ ઉલ્લસે છે. આવાં અનેક મિથ્યા બહાનાંઓ આપી પુરુષાર્થહીન થઈ જીવ આત્માર્થ ચૂકે છે. તે ભવસ્થિતિ, ક્રમબદ્ધ પર્યાય, કાળ, કર્મ, પરિસ્થિતિ, વ્યક્તિ, માર્ગની કઠિનતા, Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦ સમયનો અભાવ આદિ બહાનાં કાઢી સત્ય પુરુષાર્થ કરતો નથી અને આત્માર્થને છેદે છે. શાસ્ત્રનાં કથનનો મર્મ સમજતો નથી અને તેથી પુરુષાર્થહીન થાય છે. જીવને પુરુષાર્થ કરવો નથી અને છતાં પોતાને ધર્મમાં રુચિ છે એવું દેખાડવું છે, તેથી તે આવાં કુતર્કો કરતો રહે છે. કુતર્કોની આડમાં પોતાની ધર્મની અરુચિ તથા પ્રમાદ છપાવે છે. તે કારણો એવાં બતાવે છે કે જેથી પોતાના દોષો ઢાંકાઈ જાય. તે પોતાનું કલ્પિત વ્યક્તિત્વ ઊભું કરી પોતાની અંદર રહેલી પશુતાને ઢાંકે છે. પોતાનું વરવું રૂપ અન્ય જાણે નહીં અને પોતે ઇચ્છે છે તેવી છાપ લોકો પોતા માટે બાંધે તે દિશામાં તેના સઘળા પ્રયત્ન વળે છે અને પછી પોતાના અવળા પ્રયત્નોથી ઊભી થયેલી છાપને જ એ પોતાનું સ્વરૂપ સમજે છે. તે બીજા પાસે કેવો દેખાય છે તેના ઉપરથી જ પોતાનું માપ કાઢે છે. અન્યને તે ધાર્મિક દેખાતો હોવાથી તે પોતાને ધાર્મિક સમજવા લાગે છે. પોતાને ધર્મની રુચિ છે એવો ડોળ કરી બીજાને તેવું ઠસાવતાં તે પોતે પણ એવું માનવા લાગે છે કે “મને તો ધર્મની ખૂબ રુચિ છે, પણ આ કર્મ આદિના કારણે હું ધર્મ નથી કરી શકતો.' તેને પોતાની પશુતાનું વિસ્મરણ થઈ જાય છે. પોતાની જાતને અન્યની દૃષ્ટિથી અને તે પણ પડળયુક્ત દૃષ્ટિથી જોવી એ નરી આત્મવંચના જ છે. જીવ દોષોને ઢાંકી ઢાંકીને પોતાની જાતને જ છેતરે છે. આવી આત્મવંચનાથી જીવને પારાવાર નુકસાન થાય છે. જ્યાં સુધી તે આત્મવંચના છોડતો નથી ત્યાં સુધી તેનું કલ્યાણ શક્ય નથી, માટે જીવે પડળયુક્ત પ્રતિબિંબને ન જોતાં જાતનું સીધું દર્શન કરવું જોઈએ. પોતાની અરુચિ, પ્રમાદાદિ છુપાવવાં ખોટાં બહાનાં ન કાઢતાં પોતાના દોષોનો સ્વીકાર કરવો જોઈએ. મિથ્યા વિકલ્પો કે તર્કોમાં ન અટકતાં પરમાર્થની ઇચ્છા પ્રગટાવી સદ્ગુરુની આજ્ઞા અનુસાર સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. જો જીવ પરમાર્થને ઇચ્છતો હોય તો તેણે સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. પ્રત્યેક પળને આત્માર્થે ગાળી તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. જીવનનો સદુપયોગ કરી લેવો જોઈએ. નિજસ્વભાવને ઓળખીને પોતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાના સ્વભાવના સામર્થ્યને ઓળખવામાં ઉદ્યમી થવું જોઈએ. અનંત મહિમાવાન ભગવાન આત્માના મહિમાથી પરિચિત થવું જોઈએ. તેનો અચિંત્ય મહિમા સદ્ગુરુ પાસેથી સમજી વારંવાર તેનો લક્ષ કરવો જોઈએ. એ અભ્યાસમાં દક્ષ થવાથી ભગવાન આત્માની શ્રદ્ધા થાય છે, ભગવાન આત્માનું જ્ઞાન થાય છે, ભગવાન આત્મામાં લીનતા થાય છે, નિજાનંદની પ્રાપ્તિ થાય છે. આમ, આ ગાથામાં ભવસ્થિતિ આદિ બહાનાં છોડી આત્મપુરુષાર્થ જાગૃત કરવાની શ્રીમદ્ પ્રેરણા આપે છે. શ્રીમદ્ આ ગાથામાં પુરુષાર્થપ્રેરક પ્રબળ વાણીમાં કહે છે કે ભવસ્થિતિ આદિનું બહાનું લઈ, ખોટાં આલંબન ગ્રહણ કરી લેશ પણ પ્રમાદ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સેવવા યોગ્ય નથી. મિથ્યા અવલંબન રહીને આત્માર્થ ચૂકી જવો યોગ્ય નથી. અજ્ઞાની જીવ ભવસ્થિતિ વગેરેની વાતો સાંભળીને ગળિયા બળદ જેવો થઈ સંસારમાં બેસી રહે છે. પુરુષાર્થરૂપી ટાંગાને થંભાવી દે છે. તે કર્મ વગેરેની આધીનતાની ઢીલી વાતો કરીને પુરુષાર્થની અવગણના કરે છે. જો જીવ પુરુષાર્થ કરે તો તેનાં અનંત કાળનાં કર્મને પણ એક જ ભવમાં, એક જ અંતર્મુહૂર્તમાં ખપાવવાનું સામર્થ્ય આત્મામાં છે, માત્ર આત્મા જાગવો જોઈએ. ડૉ. ભગવાનદાસ મહેતા આ ગાથા વિષે લખે છે – “આ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડ્યો છે. ભાવસ્થિતિ આદિ ખોટાં ન્હાનાં છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહનો ‘હુંકાર કર્મ-શૃંગાલને નસાડવા માટે બસ છે! માત્ર આત્મા ઊઠવો જોઈએ. આ શાસ્ત્રકાર શ્રીમદે વચનામૃતમાં વીરગર્જના કરી છે તેમ “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ' ઉત્તિોત્તિ નાગ્રત | મોહનિદ્રામાંથી જાગેલો આત્મા વિવેકખ્યાતિ વડે પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી વિભાવરૂપ અધર્મને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મોક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય' એ જ અત્રે પ્રસ્તુત સૂત્રમાં શાસ્ત્રકારે પ્રકામ્યું છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘જો ઇચ્છો પરમાર્થ તો, સદ્ગુરુ યોગે શુદ્ધ; આશયથી આત્માર્થનો, લાભ ઇચ્છી અવિરુદ્ધ. પ્રમત્તભાવ હઠાવીને, કરો સત્ય પુરુષાર્થ; વધતી જિજ્ઞાસા વડે, પામો નિજ તત્ત્વાર્થ. હશે થવાનું તે થશે, તથા ભવ્ય પરિપાક; ભવસ્થિતિ આદિ નામ લઈ, ચઢો નહીં ભવચાક. મંદપણું પરિણામનું, કરી અનાદર સ્વાર્થ; સત્ય સુખ બેદરકારથી, છેદો નહિ આત્માર્થ.'૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૦૬-૫૦૭ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' , ગાથા ૫૧૭-૫૨૦) Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૩૧ ੧ ੧ on ੧ ੨੧ mn, ko ni , ੬੨ , 3 ੨੧ ੨ . Page #113 -------------------------------------------------------------------------- ________________ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૧ - ગાથા ૧૩૦માં શ્રીમદે કહ્યું કે જે જીવ પરમાર્થને ઇચ્છતો હોય તેણે સત્ય ભૂમિકા 1 પુરુષાર્થ કરવો જોઈએ અને ભવસ્થિતિ આદિ ખોટાં અવલંબન લઈને આત્મલાભ ગુમાવવો ન જોઈએ. પાંચ સમવાય કારણોમાંથી માત્ર એકને એકાંતે સ્વીકારી, અન્ય કારણોનો નિષેધ કરતાં આત્મકલ્યાણથી વંચિત રહેવાય છે એમ બતાવી શ્રીમદે હીનપુરુષાર્થી જીવોને સચોટ માર્ગદર્શન આપ્યું છે. હવે ગાથા ૧૩૧ થી ૧૩૪માં જીવનો એકાંત માન્યતાનો દોષ બતાવતાં કહે છે કે એકાંત વ્યવહાર કે એકાંત નિશ્ચય કાર્યકારી નથી, પણ બન્નેનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ જ મોક્ષમાર્ગે ઉપકારી નીવડે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં જ શ્રીમદે એકાંત ક્રિયા અને એકાંત જ્ઞાનને માનનાર ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાનીનો ઉલ્લેખ કરી, એ બને ભૂલેલા છે - “મમાં છે, મોક્ષમાર્ગથી દૂર છે એમ બતાવ્યું હતું. ક્રિયાજડ જીવ વ્યવહારનો કદાગ્રહ કરી નિશ્ચયનો દુર્લક્ષ કરે છે તથા શુષ્કજ્ઞાની નિશ્ચયને જ વળગી રહી વ્યવહારનો નિષેધ કરે છે અને બને પોતે મોક્ષમાર્ગને આરાધે છે એમ માને છે. અનેકાંતદષ્ટિએ જોઈએ તો આ બને એકાંતપક્ષવાદી કેવળ સ્વચ્છેદે વર્તે છે અને તેથી બને ખોટા છે. આવા ક્રિયાજડ અને શુષ્કશાની જીવોનું વર્તમાન કાળમાં બાહુલ્ય જોવામાં આવતાં શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં કહ્યું હતું કે આ બન્ને પ્રકારના જીવો પોતાને મોક્ષમાર્ગમાં માને છે, તેથી “કરુણા ઊપજે જોઈને મતાર્થીના વિભાગમાં પણ શ્રીમદે આ બન્ને પ્રકારના જીવોની માન્યતા અને પ્રવર્તના વિષે સૂક્ષ્મતાથી વિસ્તાર કર્યો હતો, જે આ વિષયની ગંભીરતા સૂચવે છે. પ્રસ્તુત ગાથામાં એકાંત નિશ્ચયવાદી, અર્થાત્ જેઓ નિશ્ચયને એકાંતે ગ્રહણ કરી મોક્ષમાર્ગથી વિમુખ છે, તેવા જીવોને મોક્ષમાર્ગસન્મુખ થવાનો બોધ કર્યો છે. શ્રીમદે અગાઉ શુષ્કજ્ઞાનીનું સ્વરૂપ દર્શાવતાં તેમની માન્યતા અને પ્રવર્તનામાં રહેલા દોષો બતાવ્યા હતા. હવે તે દોષોને ટાળવાનો ઉપાય દર્શાવતાં કહે છે – “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; ગાથા | નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' (૧૩૧) ૧- “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરણા ઊપજે જોઈ.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૩) Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અર્થ આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૧) વ્યવહાર અને નિશ્ચયની યથાર્થ સમજણના અભાવે એકાંત પક્ષને પકડી ભાવાર્થ જીવ માર્ગભ્રષ્ટ થાય છે અને ગંતવ્ય સ્થાનથી વધુ ને વધુ દૂર થતો જાય છે, માટે મોક્ષમાર્ગે ચાલતા જીવે માર્ગ માટે પૂરેપૂરી ચોકસાઈ રાખવી જોઈએ તથા દિશાચૂક ન થાય તે માટે અત્યંત જાગૃતિ રાખવી જોઈએ. નિશ્ચય અને વ્યવહારનો સુંદર સુમેળ સાધનારી આ ગાથામાં શ્રીમદ્ જણાવે છે કે ‘આત્મા અબંધ છે, શુદ્ધ છે' એવું નિશ્ચયનયનું કથન કરનારી વાણી સાંભળીને, પરમાર્થને સાધનારાં એવાં વ્યવહાર સાધન છોડવાં ન જોઈએ. શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખીને સાધન કરવાથી સાધ્ય સધાય છે. ૮૨ શુષ્કજ્ઞાનીઓ (એકાંત નિશ્ચયવાદીઓ) નિશ્ચયને કેવળ શબ્દમાં પકડે છે, તેથી તેઓ નિશ્ચયની વાતો કરે છે, પણ તેના હાર્દને પામી શકતા નથી અને યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનો પરમાર્થસાધનામાં ઉપકારી હોવા છતાં પણ તેનો નિષેધ કરે છે અને મોહભાવમાં પ્રવર્તે છે. તેઓ વિવેકહીન થઈને સ્વચ્છંદપોષણ, આચારહીનતા કે કોરા બુદ્ધિવિલાસ તરફ વળી જઈ વ્યવહારની ઉપેક્ષા કરે છે અને તેથી શુદ્ધ સ્વભાવ પ્રગટાવવાના સત્ય પુરુષાર્થથી વંચિત થઈ ભવભ્રમણ વધારે છે. તેઓ પોતાને અસંગ, અબંધ, શુદ્ધ માને છે. જો કે આ વાત નિશ્ચયનયથી સત્ય છે, પરંતુ તેમની વર્તમાન દશા અશુદ્ધ છે, બંધવાળી છે એ વાત પણ વ્યવહારનયથી તેટલી જ સત્ય છે. તે અશુદ્ધતા ટાળવા અર્થે નિશ્ચયના લક્ષપૂર્વક સત્સંગ, ભક્તિ, વ્રત, તપ વગેરે સત્તાધન અવશ્ય આદરવાં જોઈએ. જ્યાં જવાનું હોય તે ગામનું લક્ષ રાખીને જેમ તે દિશામાં ગાડી ચલાવાય છે, તેમ નિશ્ચયદૃષ્ટિ લક્ષમાં રાખીને, સત્સાધનનો ઉપયોગ કરી સાધ્ય સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે નિશ્ચય અને વ્યવહારના સમન્વયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તત્ત્વગંભીર ગાથાનો આશય સમજવા અર્થે નિશ્ચયનું સ્વરૂપ, વિશેષાર્થ વ્યવહારનું સ્વરૂપ અને નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. વસ્તુ યથાર્થપણે જેમ હોય તેમ જાણવી-કહેવી તે નિશ્ચય. પરની અપેક્ષા વગર જેમ છે તેમ યથાર્થપણે જાણવું-કહેવું તે નિશ્ચય. ત્રણે કાળમાં જે ન ફરે એવો નિશ્ચિત સિદ્ધાંત તે નિશ્ચય. જેમ બે ને બે ચાર થાય, તે ગમે તે દેશમાં કે ગમે તે કાળમાં ફરે નહીં; તેમ ચેતન અને જડ ત્રણે કાળમાં ભિન્ન વસ્તુ છે, ચેતન તે ચેતન છે અને જડ તે જડ છે, ચેતન મટીને જડ થાય નહીં અને જડ મટીને ચેતન થાય નહીં એ નિશ્ચિત સિદ્ધાંત ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે કાળમાં ફરે નહીં. આત્મા શુદ્ધ, દર્શન Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ ૮૩ જ્ઞાનમય, સદા અરૂપી છે, પરમાણુમાત્ર પણ તેનું નથી, દેહાદિ સર્વ પરદ્રવ્ય અને રાગાદિ સર્વ પરભાવથી ભિન્ન એવું આત્માનું સહજ સ્વરૂપ છે એ નિશ્ચય સિદ્ધાંત છે. વિકારથી રહિત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે તે નિશ્ચયનય બતાવે છે, જેથી જીવમાં સ્વરૂપજાગૃતિ આવે અને સ્વરૂપની ઓળખાણ થતાં તેની પ્રાપ્તિ માટે સાચી ભાવના ઉદિત થાય. શાસ્ત્રમાં શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરાવવા માટે નિશ્ચયની વાત આવે છે. નિશ્ચયથી આત્મા અબદ્ધ છે, અસ્પૃષ્ટ છે, નિર્મળ છે, જ્ઞાનમાત્ર છે. સંસારાવસ્થામાં કર્મ સહિતની અવસ્થા દેખાય છે, પણ તે કર્મરૂપ તેવો થઈ ગયો નથી. આત્મામાં કર્મની ઉપાધિ પેસી ગઈ નથી. પરદ્રવ્યનો માત્ર સંયોગ થયો છે, પણ આત્માનો નિર્મળ સ્વભાવ તો જેમ છે તેમ ત્રણે કાળ રહે છે. જેમ સોનામાં પિત્તળાદિ ધાતુઓનો સંયોગ થયો હોય તોપણ સોનું તેનું સોનાપણું નથી છોડતું, તે તો સોનું જ રહે છે; તેમ અનેક સંયોગો વચ્ચે રહેલો ભગવાન આત્મા સંયોગરૂપ નથી થઈ જતો; અસંયોગી જ રહે છે; અશુદ્ધ નથી થઈ જતો, શુદ્ધ જ રહે છે. જડના સંયોગમાં રહેલો ભગવાન આત્મા જડ નથી થઈ જતો, પરંતુ સર્વજ્ઞસ્વભાવી જ રહે છે. જેમ સોનું અને પિત્તળ એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ સોનું પિત્તળ થઈ જતું નથી, તેમ આત્મા અને પુદ્ગલ એકક્ષેત્રાવગાહે રહેવા છતાં સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા જડ થઈ જતો નથી. ભગવાન આત્મા તો સર્વ કાળ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ છે. વર્તમાનમાં આત્માની દશા ભલે મલિન હોય, પણ સ્વભાવદષ્ટિથી જોતાં તેમાં મલિનતાનો પ્રવેશ થયો જ નથી. તે તો શુદ્ધ જ છે. રાગ-દ્વેષાદિ વિકારો વખતે પણ આત્મસ્વભાવ વિકારરૂપ નથી થઈ જતો, પણ શુદ્ધ જ રહે છે. બરફની શિલા ઉપર કોઈ લાલ રંગ નાખી દે તો તે બરફ પીગળવાથી શિલામાંથી વહેવાવાળું જળ લાલ થઈ જાય છે, પણ શિલા કંઈ લાલ નથી થઈ જતી, તે તો તે વખતે પણ સફેદ જ રહે છે. બરફની સપાટી ઉપર લાલ રંગ છે, તેથી તેમાંથી નીકળતું જળ લાલ હોય છે, ઉપરથી જે લાલ રંગ પડ્યો છે તે જળ સાથે વહે છે, પરંતુ અંદરની શિલા ત્યારે પણ સફેદ જ રહે છે. શિલા ઉપર રંગ પડવાથી એમ દેખાય છે કે શિલા લાલ થઈ ગઈ, પણ શિલામાં તો રંગનો પ્રવેશ સુધ્ધાં નથી થયો, તે તો અમલ સ્વરૂપે જ છે. તેમાં વિકાર માત્ર પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે, સ્વભાવમાં તો તેનો પ્રવેશ પણ થતો નથી. પર્યાયમાં ઉત્પન્ન થવાવાળો વિકાર ત્રિકાળી ધ્રુવને તો સ્પર્શી પણ નથી શકતો. મલિન ક્ષણિક પર્યાયથી અમલ અખંડ અવિનાશી સ્વભાવને લેશ પણ હાનિ પહોંચતી નથી. આવા સ્વભાવના ભાન વડે, અવસ્થામાં પેસી ગયેલી અશુદ્ધિ ટાળી શકાય છે. અશુદ્ધ અવસ્થા એ મારો સ્વભાવ નથી' એવું શ્રદ્ધાન કરી જીવ પ્રયત્ન કરે તો અશુદ્ધ દશા ટાળી શકાય છે. હું પરથી જુદો છું. મારામાં પરદ્રવ્યનો-પરભાવનો પ્રવેશ નથી' Page #117 -------------------------------------------------------------------------- ________________ ८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવી શ્રદ્ધા વડે જ્ઞાનસ્વભાવમાં સ્થિર થાય તો વિકારી અવસ્થા ટળી શકે છે. જેમ દૂધ અને પાણી ભેગાં થઈ ગયાં હોય તો અગ્નિ વિના જુદાં થઈ શકે નહીં, અગ્નિનો પ્રયોગ થતાં પાણી બળી જાય છે અને શુદ્ધ દૂધ પ્રાપ્ત થાય છે; તેમ ભેદજ્ઞાનરૂપી અગ્નિ વડે ઔપાધિક ભાવ ટળતાં સ્વાભાવિક ભાવમાં પરિણમન થાય છે. અંતરમાં બિરાજમાન ત્રિકાળી ધ્રુવ પરમાત્માના આશ્રયથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે તો નિર્મળ જ હોય છે. આમ, આત્મા સ્વભાવે શુદ્ધ છે, બુદ્ધ છે અને તેની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે. તે સ્વભાવે નિરંજન, નિરાકાર છે અને તેની અવસ્થા કર્મસંગે મલિન છે. અવસ્થાને શુદ્ધ કરવા, તેમાં રહેલી મલિનતા દૂર કરવા માટે સદ્વ્યવહારનું અવલંબન લેવું જરૂરી છે. આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે સદ્વ્યવહાર, અર્થાત્ સદ્ગુરુ, સત્સંગ, સતુશાસ્ત્ર આદિ સત્સાધન કરવાં જરૂરી છે. આ સાધનો વડે જેમ જેમ આરાધના થતી જાય છે, તેમ તેમ પર્યાય શુદ્ધ થતી જાય છે. જીવ જો નિયમિતપણે સત્સાધનમાં પ્રવૃત્ત થાય તો તેની દૃષ્ટિ નિર્મળ થાય છે, પરિણતિ સુધરે છે. વ્રત, તપ, સંયમ આદિથી વિકારનો ઘટાડો થાય છે. જીવે આત્મહિતકારી એવા સત્સાધનનું અવલંબન અવશ્ય રહણ કરવા યોગ્ય છે. જ્યાં સુધી અખંડપણે આત્મસ્વરૂપમાં સ્થિરતા ન થાય, અર્થાત્ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સાધનરૂપ વ્યવહારની આવશ્યકતા છે. પ્રજ્ઞાવંત તત્ત્વદર્શી જ્ઞાનીપુરુષ શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનરૂપ પર્વત ઉપર જ્યારે ચઢવા માંડે છે ત્યારે વ્યવહારનું અવલંબન લઈને ચઢે છે. પરંતુ જ્યારે શુદ્ધ આત્માના ધ્યાનરૂપ પર્વતના ઉચ્ચતમ શિખર ઉપર ચઢીને ત્યાં નિશ્ચલપણે સ્થિર થાય છે ત્યારે વ્યવહારનું અવલંબન છૂટી જાય છે. વળી, જ્યારે શુદ્ધ ચિતૂપના નિશ્ચલ પ્લાનરૂપ પર્વતથી ઊતરવાનું થાય છે, અર્થાત્ જ્યારે ધ્યાન છૂટી જાય છે ત્યારે તેઓ સ્વાધ્યાય આદિ સદ્વ્યવહારનું અવલંબન લે છે. જો તેઓ સવ્યવહારનું અવલંબન ન લે તો પતિત થવાનો પ્રસંગ આવે છે. સંપૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત યોગારૂઢ પરમ મહર્ષિઓને સવ્યવહારની અપેક્ષા રહેતી નથી, પરંતુ પરમ શુદ્ધ દશા થયા પૂર્વે જો કોઈ વ્યવહારનું અવલંબન છોડી દે તો તેની પ્રગતિ અટકી જાય છે, એટલું જ નહીં પણ તે માર્ગભ્રષ્ટ થાય છે, તેનું પતન થાય છે. શુદ્ધ સોનું ચોવીસ કૅરેટ હોય છે. જ્યાં સુધી તેમાં ચૂરિ આદિ કાલિમા અલ્પ માત્રામાં પણ હોય છે, ત્યાં સુધી તે ચોવીસ કેરેટ સોનું ગણાય નહીં, અર્થાત્ તે અશુદ્ધ સોનું જ છે. સોનાને તાપ આપતાં જ્યારે તે છેલ્લા તાપથી ઊતરે છે ત્યારે તે ચોવીસ કેરેટ શુદ્ધ સોનું હોય છે. જેને ચોવીસ કૅરેટ સોનાનું જ્ઞાન અને શ્રદ્ધા હોય તેમજ તાપ આપતાં તેને ચોવીસ કૅરેટ શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ જાય તો, ત્યારપછી તેને તાપનું પ્રયોજન રહેતું નથી, પરંતુ જેને ચોવીસ કૅરેટ શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ ૮૫ થઈ તેને, પ્રાપ્ત થયેલ સોનું શુદ્ધ ન થાય ત્યાં સુધી તાપ પ્રયોજનવાન છે. એવી રીતે આત્માની અવસ્થામાં જ્યાં સુધી રાગ-દ્વેષની કાલિમા છે ત્યાં સુધી અશુદ્ધ કહેવાય છે અને સદ્વ્યવહાર કરતાં કરતાં રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આત્મા શુદ્ધ કહેવાય છે. જે જીવોને સર્વ પદ્રવ્ય-પરભાવથી ભિન્ન, એક જ્ઞાયકમાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણની પૂર્ણ પ્રાપ્તિ થઈ તેમને સર્વ્યવહાર કાંઈ પ્રયોજનવાન નથી; પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સર્વ્યવહાર પ્રયોજનવાન છે. પૂર્ણ શુદ્ધતારૂપ પરમાત્મદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે પર્યાયમાં શુદ્ધિ વધારવા અને અશુદ્ધિ ઘટાડવા સત્સંગતિ, ભક્તિ ઇત્યાદિ સદ્વ્યવહારમાં પ્રવર્તવું પ્રયોજનવાન છે. જીવો શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પામી શક્યા તેમણે જ્ઞાનીપુરુષના ધર્મોપદેશનું શ્રવણ, સત્યમાગમ, દેવદર્શન, પૂજા ઇત્યાદિ સર્વ્યવહારમાં પ્રવૃત્ત થવું અનિવાર્ય છે. પૂર્ણ શુદ્ધ થતાં સુધી, અર્થાત્ બારમા ગુણસ્થાનના અંત સુધી વીતરાગશ્રુત તેમજ સદ્ગુરુની આજ્ઞાનું અવલંબન શ્રી તીર્થંકરે બોધેલું છે. આના ઉપરથી ફલિત થાય છે કે સાધક અવસ્થામાં વ્યવહારનું અવલંબન અત્યંત આવશ્યક છે. અખંડ આત્માનુભવ થયા વિના સર્વ્યવહાર છોડવાં યોગ્ય નથી. ૧ આત્મકલ્યાણની અભિલાષાવાળો સત્સાધક કાર્ય થયા પહેલાં કારણોને છોડતો નથી, પરંતુ તેને પરમ આદરથી આરાધે છે. તે જાણે છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ ગુરુમુખે કે શાસ્ત્રો વડે જાણી, તે પ્રમાણે બોલવામાત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી, તે અર્થે સત્સાધનની આવશ્યકતા રહે છે. કાગળ ઉપર ‘આગ' શબ્દ લખીને ગમે તેટલી કાપલીઓ રૂની મોટી ગાંસડી ઉપર નાખવામાં આવે તોપણ આગ લાગશે નહીં, તે માટે તો આગનો તણખો જોઈએ; ‘પાણી' વાંચવાથી કે બોલવાથી તૃષા છીપતી નથી, તેના માટે તો જળને પીવું પડે; તેમ માત્ર આત્મા સંબંધી શબ્દો બોલવાથી નહીં પણ સત્સાધન દ્વારા આત્માભિમુખ બનવાથી કાર્યસિદ્ધિ થાય છે. જીવને અનાદિ કાળથી વળગેલો ભવરોગ સત્સાધન વડે નાબૂદ થાય ત્યારે જ નીરોગી થવાય છે અને સિદ્ધદશા પ્રાપ્ત થાય છે; માટે આત્માર્થી જીવ સ્વભાવની વાત સાંભળી નિશ્ચયવાણી સાંભળી, સ્વરૂપનો લક્ષ કરી, સત્સાધન દ્વારા રાગાદિ ભાવ તોડવાનો પુરુષાર્થ કરે છે. સત્સાધનનું અવલંબન લેવાનું તે કદાપિ ચૂકતો નથી. સત્સાધનના આશ્રયે રહી, કલ્યાણની શ્રેણી તરફ તે અડગતાથી, વિશ્વાસપૂર્વક ડગ ભરતો રહે છે. જે આત્માર્થી છે તે નિશ્ચયવાણી સાંભળી, શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરી, સત્સાધન ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૭, શ્લોક ૧ 'न यामि शुद्धचिद्रूपे लयं यावदहं दृढं । न मुंचामि क्षणं तावद् व्यवहारावलंबनं । । ' - Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન દ્વારા અશુદ્ધતા ટાળવા પુરુષાર્થ થાય છે; પરંતુ જે મતાર્થ છે શુષ્કજ્ઞાની છે, તે નિશ્ચયવાણીને એકાંતે ગ્રહણ કરી વ્યવહારની ઉપેક્ષા કરે છે. તે શુદ્ધ નિશ્ચયનયની કોરી વાતો કરી તપ-ત્યાગાદિ વ્યવહારથી વિમુખ રહે છે. તે આત્મા તો અસંગ છે. તેને સંગવાળો માનવો તે ભૂલ છે. જેમ આકાશ નિર્લેપ છે તેમ આત્મા નિર્લેપ છે. તેને કર્મ લાગતાં નથી. તે અબંધ છે, અસંગ છે.' ઇત્યાદિ કથનો બોલ્યા કરે છે અને સત્સાધનોનું આરાધન કરતો નથી. તે નિશ્ચયવાક્યો મુખથી બોલે છે પણ મોહભાવમાં પ્રવર્તે છે અને સત્સાધનોને ઉત્થાપે છે. આવા નિશ્ચયવાદીઓ મોક્ષમાર્ગે ગમન કરી શકતા નથી. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે કે ‘જેને સાચો પુરુષાર્થ કરવો નથી પણ માત્ર નિશ્ચયના કથનને ધારી રાખવું છે તેનું કલ્યાણ થતું નથી, માટે પ્રથમ હું જ શુદ્ધ છું એ લક્ષે વૈરાગ્ય સહિત કષાયનો ઘટાડો કરવો. દેહની આસક્તિ ઘટાડીને સત્શાસ્ત્રનું વાંચન, શ્રવણ, મનન અને સત્તમાગમ કરવો. ..... જે સિદ્ધ સમાન આત્મા છે, એમ કથનમાત્ર માને છે પણ એ જાતનો પુરુષાર્થ કરતો નથી તેને વીતરાગની ભક્તિમાં પ્રેમ આવતો નથી. દાન, પ્રભાવના આદિમાં આરંભનો દોષ લાગે એમ જે કહે છે તે સાધકભાવ ઓળખી શકતો નથી. તેને દેહાધ્યાસ વર્તે છે, તેથી તેને આત્માની પ્રતીતિ નથી. સત્ સ્વરૂપની જેને ઓળખ છે તેને સત્ સાધનનો નિષેધ હોય નહિ, પણ બહુમાન હોય. ગૃહસ્થ ધર્માત્મા હોય તે દેવ-ગુરુવંદન, પૂજા, ભક્તિ વગેરે સાચા અભિપ્રાય સહિત મહિમા લાવી કરે છે, પણ જે જીવો નિશ્ચયાભાસી છે તેને સત્ સાધનની રુચિ નહિ થાય. દેવ-ગુરુ કાંઈ આપી દે તેમ નથી; તે તો પર છે; એ બધાં સાધનો બાળજીવો માટે છે; આપણે તેનું પ્રયોજન નથી, એમ સત્તમાગમ, ગુરુભક્તિ આદિ સાચા સાધનની ઉપેક્ષા કરવાથી પુરુષાર્થહીન અને પ્રમાદી થઈ ઘણા જીવો સ્વચ્છંદે પાપમાં પ્રવર્તે છે, માટે તેમ ન થવું જોઈએ.’૧ - વર્તમાન કાળના જીવો મોટે ભાગે વક્ર અને જડ હોવાથી, નિશ્ચયનયના કેટલાંક કથનોનું એકાંતે ગ્રહણ કરી પોતાની ભોગરસિકતાને પોષે છે. તેઓ શાસ્ત્રનો મર્મ પોતાની મતિકલ્પનાએ સમજી, નિર્ધારી, શુભ વ્યવહારનો ત્યાગ કરી, અશુદ્ધ ભાવમાં અનુરક્ત રહે છે. તેઓ શાસ્ત્રસિદ્ધાંતો અને દૃષ્ટાંતોનો અર્થ પોતાની રીતે કરી, વિપરીત માર્ગે પ્રવર્તે છે. એમાં પણ જો સમાજમાં તેઓ “ધર્મગુરુ'ની પ્રતિષ્ઠા પામ્યા હોય તો વિપરીત પ્રરૂપણા કરી અનેક જીવોને સદ્વ્યવહારથી વિમુખ કરે છે. એકાંત નિશ્ચયવાદીઓ એટલી હદ સુધીની ધૃષ્ટતા કરે છે કે ધર્મગ્રંથોની સાક્ષી આપીને તેઓ પોતાની વાતનું સમર્થન કરે છે અને તેથી જડ, ભોળા, ભદ્રિક જીવો ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ એકાંતવાદમાં ફસાઈ જાય છે. ઉન્માર્ગે ચાલતા આવા ભદ્રિક જીવો પોતે મોક્ષમાર્ગે છે એમ માની સંતોષ અનુભવે છે. એક ઉદાહરણ વડે આ વાતને સમજીએ. ‘સવાસો ગાથાના સ્તવન માં એક સ્થળે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે – “કષ્ટ કરો સંજમ ધરો, ગાલો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખનો છેહ. અર્થ – કેશલોચાદિ કષ્ટ ક્રિયાઓ કરો, ઉગ્ર સંયમ ચારિત્ર ક્રિયા ધારણ કરો, પોતાનું શરીર તપસ્યા કરી ગાળી નાખો, પણ જ્ઞાનદશા વિના જીવનાં દુઃખનો છેડો, દુઃખનો નાશ નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના આ વચનનો ખોટી રીતે આધાર લઈને એકાંત નિશ્ચયવાદી જીવ જોરશોરથી પ્રરૂપણા કરે છે કે દુઃખનો અંત લાવવા માટે તપ, ત્યાગ, સંયમાદિની કશી જરૂર નથી. આત્માના કલ્યાણ માટે આત્માને ઓળખવો જોઈએ, સ્વરૂપની વિચારણામાં રહેવું જોઈએ. તે ધર્મગ્રંથોનાં કથનોની આવી રીતે સાક્ષી આપી, પોતાની વાતને લોકો સામે રજૂ કરે છે. આવા જીવને મોટી સંખ્યામાં અનુયાયી વર્ગ પણ મળી જાય છે, કેમ કે એકાંત નિશ્ચયનયવાદનું અવલંબન લેવાથી તપ-ત્યાગાદિ કષ્ટભરી ક્રિયાઓને તિલાંજલિ દઈને પણ ધર્મી તરીકે ગણાવાનું મોટું પ્રલોભક તત્ત્વ પડેલું છે. સાવ અજ્ઞાની અને જડ લોકો એકાંત નિશ્ચયવાદીની એ વાત માની લે છે અને સદ્વ્યવહારનો લોપ કરે છે અને પોતાને ધર્મ માને છે. તેમને ક્યાંથી ખબર હોય કે એ વાક્ય તો માત્ર બાહ્ય વ્યવહારમાં રમમાણ રહેતા હોય તેવા જીવોને નિશ્ચયનો લક્ષ કરાવવા માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉચ્ચાર્યું છે, સદ્વ્યવહારના નિષેધ માટે નહીં. જ્યાં વ્યવહાર જ એકલો જોવા મળે ત્યાં આવાં કથનો કહીને જ્ઞાની ભગવંતો નિશ્ચયનો લક્ષ જાગૃત કરાવે છે, કેમ કે એકલા વ્યવહારથી કલ્યાણ નથી. તે કથનોમાં વ્યવહારની ઉપેક્ષા કરવાનો આશય જરા પણ હોતો નથી. આમ, જે વાક્ય બાહ્ય વ્યવહાર તરફ એકાંતે ઢળી પડેલા જીવોની સમતુલા જાળવવાની અપેક્ષાએ રજૂ કરવામાં આવ્યું હોય, તે વાક્યને કોઈ પણ પ્રકારનો શુભ વ્યવહાર ન પાળતા જીવોની સામે રજૂ કરી, તેમને ઉન્માર્ગે લઈ જવાથી તેમનું ભવભ્રમણ ઘટવાને બદલે વધી જાય છે. જ્ઞાનીનાં વચનોમાંથી માત્ર મનફાવતું વચન સંદર્ભ વિના ઊંચકવું અને તેની અપેક્ષા સમજ્યા કે સમજાવ્યા વગર, ધર્મ સાંભળવા આવેલા મુગ્ધ જીવો સામે રજૂ કરવું તે જિનમતના નયને એકાંતથી દૂષિત કરવા બરાબર છે. જિનમત તો નિશ્ચયવ્યવહાર ઉભય સંમિલિત મત છે. નિશ્ચય અને વ્યવહાર તો જિનમતના સત્યના ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ ८८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સિક્કાની બે બાજુઓ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યવહારનય મિથ્યા છે અને વ્યવહારનયની દૃષ્ટિએ નિશ્ચયનય મિથ્યા છે, પરંતુ આ બન્ને નય પ્રમાણનો - સત્યનો માત્ર એક એક અંશ છે, પૂર્ણ સત્ય નહીં. જે જીવ એકાંતે નિશ્ચયનયની વાતો કરી સવ્યવહારની ઉપેક્ષા કરે છે, તે જીવ નિશ્ચય-વ્યવહારની સમતુલામાં માનનાર એવા જિનમતના નામે ઉન્માર્ગે પ્રવર્તન કરે છે અને કરાવે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યવહારનય ભલે મિથ્યા હોય પણ તે સર્વથા મિથ્યા નથી. નિશ્ચય-વ્યવહારની સમતુલા જાળવવામાં ન આવે અને માત્ર નિશ્ચયનયનો આગ્રહ કરવામાં આવે તો નિશ્ચયનય એકાંતના કારણે દૂષિત બની જતાં દુર્નય બની જાય છે. જિનદર્શન તો સુનયોના સમૂહરૂપ પ્રમાણદર્શન છે, નહીં કે દુર્નયોના સમૂહરૂપ અપ્રામાણિક દર્શન. એની વાત સારી અને સાચી હોવા છતાં જ્યાં એની વાતમાં કાર જોડવામાં આવે છે ત્યાં એ દુર્નય બની જાય છે. બીજા નય પ્રત્યેનો ધિક્કારભાવ વ્યક્ત થતો હોવાથી એ મિથ્યા કરે છે, અર્થાતુ નિશ્ચયનયની વાતો જો વ્યવહારનયના મંતવ્યો પ્રત્યેના ધિક્કારમાં પરિણમાવી દેવામાં આવે તો જિનશાસ્ત્રોની જ એ વાતો ઉસૂત્ર વચનો બની જાય છે. એ પ્રરૂપણા ઉત્સુત્ર પ્રરૂપણા કહેવાય છે. એ વાતો જિનશાસનની રહેતી જ નથી. જેમ ગુલાબના ફૂલની માળા કાદવમાં પડે તો તે ગળામાં ધારણ કરવા યોગ્ય રહેતી નથી, તેમ એકાંતથી દૂષિત નય આત્માનું કલ્યાણ કરવા યોગ્ય રહેતો નથી. એકાંતને પંચ પ્રકારના મિથ્યાત્વમાંનો એક પ્રકાર ગણવામાં આવે છે.' માટે જિનમતની નિશ્ચય અને વ્યવહારની વાતોમાંથી - સત્યના સિક્કાની બે બાજુઓમાંથી - એક જ માન્ય કરવી અને બીજીને સાવ વખોડી નાંખવી તે યોગ્ય નથી. એકાંત નિશ્ચયવાદી જીવ આગળ ઉપર જણાવેલ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના કથનને લઈને એકાંત માન્યતાનું સમર્થન કરે છે, પણ તે જ મહાપુરુષે અન્ય સ્થળે કહ્યું નિશ્ચયદષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર.૨ અર્થ - જે નિશ્ચયનયને હૃદયમાં ધરીને, એટલે કે નિશ્ચયનયના મર્મને સત્ય સ્વરૂપે સમજીને વ્યવહાર પાળે, તે પુણ્યવંત પ્રાણી ભવસમુદ્રનો પાર પામશે. વળી, અન્ય સ્થળે પણ તેમણે સ્પષ્ટ કથન કર્યું છે કે જેમ જેમ આત્મા અંતરંગ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘બારસ અણુવેખા’ ગાથા ૪૮ “ વિનવવરિયસંસયમUOTTwifમરિ દવે પંઘ ” ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૫૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ ૮૯ રીતે સંયમી બનતો જાય, તેમ તેમ બહિરંગ રીતે તે પોતાના શરીર સાથે જ વધુ ને વધુ જંગ ખેલતો જાય છે.' આ વિધાન તો ઘોર તપ-ત્યાગનું સચોટ સમર્થન કરે છે. તેથી સિદ્ધ થાય છે કે મોક્ષમાર્ગે જેમ એકલો વ્યવહાર ન ચાલે, તેમ એકલો નિશ્ચય પણ ન ચાલે. નિશ્ચયના લક્ષ સાથે જીવ ભૂમિકાનુસાર વ્યવહારનું પાલન કરે તો તે સ્વરૂપમાં પ્રસ્થાપિત થાય. શાસ્ત્રોમાં બન્ને પ્રકારનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જૈન દર્શનમાં નિશ્ચયનયની મુખ્યતાથી પ્રતિપાદિત થયેલા અને વ્યવહારનયની મુખ્યતાથી પ્રતિપાદિત થયેલા, એમ બન્ને પ્રકારના ગ્રંથો છે. નિશ્ચયનયપ્રધાન ધર્મગ્રંથોમાં આત્મસ્વરૂપની - ત્રિકાળ અખંડ પૂર્ણ નિજતત્ત્વની જાગૃતિનો બોધ ચૂંટાયેલો હોય છે. આત્માના શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વરૂપનું વર્ણન નિશ્ચયેષ્ટિના ગ્રંથોમાં જોવા મળે છે. તેમાં નિશ્ચયનયની પુષ્ટિ અર્થે વ્યવહારનયના મંતવ્યોનો ઉપહાસ કરેલો પણ જોવા મળે છે, પણ તેટલામાત્રથી જો કોઈ ‘જિનશાસનને વ્યવહારનય માન્ય જ નથી' એવું પ્રતિપાદન કરે તો એ તેનું ભયંકર દુ:સાહસ કહેવાય. જિનાગમોમાં બીજાં એવાં અઢળક સ્થાનો છે કે જ્યાં વ્યવહારનયનું સમર્થન જોરશોરથી કરવામાં આવ્યું જ છે. જિનાગમમાં શ્રાવક-મુનિના આચારાદિનું વર્ણન કરવામાં આવ્યું જ છે. શાસ્ત્રમાં જ્યાં જે ઉપદેશ આપ્યો છે, તેને યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખવામાં આવે તો આત્મહિત થાય; પરંતુ જો તેને યથાર્થપણે સમજવામાં ન આવે અને કોઈ નયને એકાંતે ગ્રહણ કરવામાં આવે તો ખૂબ નુકસાન થાય છે. નિશ્ચયનય એ પ્રમાણનો અંશમાત્ર હોવા છતાં, નિશ્ચયનયનાં વચનોને એકાંતે પકડવામાં આવે અને વ્યવહારનયનાં મંતવ્યોનો નિષેધ કરવામાં આવે તો જિનમતથી વિરુદ્ધ માન્યતા, પ્રવર્તના અને પ્રરૂપણા થાય છે. આ તથ્યને સમજવું અત્યંત આવશ્યક હોવાથી એકાંત નિશ્ચયવાદીની કેટલીક માન્યતા અને જિનમત દ્વારા તેનું સમાધાન અહીં સંક્ષેપમાં જોઈએ - (૧) ક્રિયાની નિરર્થકતા બતાવવા માટે એકાંત નિશ્ચયવાદીઓ એવી દલીલ કરે છે કે જીવે ભવભ્રમણ કરતાં અનંતા ઓઘા લીધા અને અનંતી મુહપત્તિઓ પડિલેહી. જો એ બધાં ઓઘા અને મુહપત્તિઓનો ઢગલો કરવામાં આવે તો મેરુપર્વત જેવડો મોટો ઢગ થાય. અનંતી વાર સાધુ થયો, અનંતી વાર આચાર્યપદ ઉપર પણ આરૂઢ થયો, સાધુવેષની ધર્મક્રિયાઓના કારણે અનંતી વાર નવમા સૈવેયકમાં દૈવી સુખો ભોગવી આવ્યો; પરંતુ તેનો મોક્ષ થયો નહીં. પ્રતિક્રમણાદિ ક્રિયાઓ તો તેણે અનંતી વાર ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘દ્વાત્રિશત કાત્રિશિકા', દ્વાર ૨૮, શ્લોક ૧૭ 'शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ।।' Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી છતાં પણ તેનો નિસ્તાર થયો નહીં, માટે ધર્મક્રિયાઓ આત્માના અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટાવવામાં લેશમાત્ર સહાયક નથી. જો ધર્મક્રિયાઓ મોક્ષપ્રાપ્તિમાં સહાયક થતી હોય તો અભવ્ય જીવો પણ એ ક્રિયાઓ અનંતી વાર કરે છે, છતાં તેમને મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી? પ્રતિક્રમણાદિ નહીં કરનાર મરુદેવી માતા આદિ એકમાત્ર આત્માની શુદ્ધ વિચારણાથી તરી ગયા છે અને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવ સુધી ધર્મક્રિયા કરનારા અભવ્ય જીવો હજી પણ સંસારમાં આથડી રહ્યા છે. આનો ફલિતાર્થ એ છે કે ધર્મક્રિયાના અભાવમાં જીવો મુક્તિ પામ્યા છે અને ધર્મક્રિયા કરવા છતાં હજુ સુધી અનંતા જીવો મોક્ષે ગયા નથી. એથી નિશ્ચિત થાય છે કે ધર્મક્રિયા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં લેશમાત્ર પણ કારણ નથી. જેમ તંતુ(તાંતણા)ના અભાવમાં ઘટ બને છે અને તંતુના સદ્ભાવમાં પણ ઘટ બની શકતો નથી, તેથી ઘટ માટે તંતુ કારણ નથી; તેમ ધર્મક્રિયાના અભાવમાં આત્મસિદ્ધિ થાય તથા ધર્મક્રિયાના સદ્ભાવમાં આત્મસિદ્ધિ ન થાય તો ધર્મક્રિયાને મુક્તિનું કારણ કહેવાય નહીં. આજ સુધી જે જે આત્માઓ મોક્ષે ગયા, વર્તમાનમાં જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જશે; તે સર્વમાંથી એક પણ એવો આત્મા નથી કે જેણે પોતાના શુદ્ધ સ્વરૂપની વિચારણા ન કરી હોય. મોક્ષે જનાર દરેક જીવે આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણાથી જ મુક્તિ પ્રાપ્ત કરી છે, વર્તમાનમાં પણ તેમ જ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ શુદ્ધાત્માની વિચારણાથી જ પ્રાપ્ત કરશે. એથી સિદ્ધ થાય છે કે ધર્મક્રિયાઓ મુક્તિનો માર્ગ નથી, પણ આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા એ જ મુક્તિનો માર્ગ છે. આ દલીલનું સમાધાન આ પ્રમાણે છે - જૈન દર્શનમાં ભાવધર્મની પ્રાપ્તિ બહુ જ દુર્લભ બતાવી છે. અનંત કાળથી આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં આથડી રહ્યો છે, તેનું કારણ છે ભાવધર્મની પ્રાપ્તિનો અભાવ. આ ભાવધર્મ સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ આદિ સ્વરૂપ છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વ આદિ પરિણામસ્વરૂપ છે, પ્રવૃત્તિસ્વરૂપ નથી. જેઓ જિનપૂજા, ગુરુવંદન, વ્રત, પચ્ચકખાણ આદિ કરણી કરી પોતાને સમ્યકત્વી, દેશવિરતિધર કે સર્વવિરતિધર માને છે, તેમની માન્યતા ખોટી છે; કારણ કે જિનપૂજાદિ કરણી સ્વયં સમ્યકત્વાદિ સ્વરૂપ નથી, પરંતુ સમ્યકત્વાદિને લાવનારી કે ટકાવનારી કરણી છે. ભાવધર્મને પામવા માટે કે પામેલા હોય તો તે ટકાવી રાખવા માટે ધર્માનુષ્ઠાનોની આવશ્યકતા રહે છે. એકાંત નિશ્ચયવાદી કહે છે કે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિરૂપ ધર્મ પામવા માટે માત્ર આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા જ કરવી જોઈએ. ધર્મક્રિયાઓ કરવાની કંઈ આવશ્યકતા છે જ નહીં. તેમનું માનવું છે કે ક્રિયા કર્યા વિના ભાવની પ્રાપ્તિ સંભવે Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ ૯૧ છે, તેથી તેઓ ક્રિયાનો નિષેધ કરે છે; પણ જિનમતમાં ક્રિયાની આવશ્યકતાનો અસંદિગ્ધ સ્વીકાર કરવામાં આવ્યો છે. જૈન દર્શનમાં ધર્મક્રિયાના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ પાડ્યા છે. તેમાં દ્રવ્યક્રિયાને ભાવક્રિયામાં કારણભૂત ગણવામાં આવે છે. આનો અર્થ એમ નથી કે જેટલી દ્રવ્યક્રિયાઓ હોય તે બધી ભાવક્રિયામાં કારણભૂત હોય જ. સ્વરૂપના લક્ષે, જિનાજ્ઞા અનુસાર થતી દ્રવ્યક્રિયા જ ભાવક્રિયામાં કારણભૂત બને છે. આવી દ્રવ્યક્રિયાઓને શાસ્ત્રોમાં પ્રધાનભૂત દ્રવ્યક્રિયા કહી છે. જ્યાં સ્વરૂપનું લક્ષ ન હોય, મોક્ષની ઇચ્છા ન હોય તેવી દ્રવ્યક્રિયા ભાવક્રિયામાં કારણભૂત બની શકતી નથી. ઐહિક સુખના પ્રલોભનથી, નરકાદિના ભયથી, લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ થતી આવી દ્રવ્યક્રિયાઓને અપ્રધાનભૂત દ્રવ્યક્રિયા કહેવાય છે. અચરમાવર્ત કાળમાં પ્રવર્તમાન જીવને જિનેશ્વરદેવ પ્રત્યે સાચું બહુમાન આવતું નથી અને તે જીવને સંસારની અભિલાષા પણ તીવ્ર હોય છે, તેથી અચરમાવર્ત કાળમાં થતી દ્રવ્યક્રિયા ભાવક્રિયામાં કારણભૂત બનતી નથી. અચરમાવર્ત કાળમાં રહેલા જીવને સંસારનું સુખ જ સદા પ્રિય હોય છે. ઐહિક સુખ વિનાના મોક્ષની વાત પણ તેને સાંભળવી ગમતી નથી. ધર્મક્રિયાઓ કરવાથી સંસારનાં સુખો પ્રાપ્ત થાય છે અને પરલોકમાં સ્વર્ગાદિ સુખોનો વૈભવ પ્રાપ્ત થાય છે એવી વાત સાંભળીને તે ધર્મક્રિયાઓ કરવા તૈયાર થઈ જાય છે. આવો જીવ સાધુપણાનું કષ્ટ પણ વેઠી લેવા સજ્જ થાય છે. દુઃખથી છૂટવાના અને સાંસારિક સુખને પામવાના લક્ષથી કરાયેલી આવી સાધુક્રિયાઓ મોક્ષપદની પ્રાપ્તિ કરાવતી નથી. સ્વરૂપના લક્ષ વિનાની એ અનંતી શુભ ક્રિયાઓ દેવ ગતિના સુખનો અનુભવ કરાવીને પણ સંસારમાં જ રખડાવે છે. સ્વરૂપ પામવાની તીવ્ર ઝંખના સહિત ધર્મક્રિયા થાય તો જ તે ભાવધર્મનું કારણ બને છે. તેથી એમ ફલિત થાય છે કે માત્ર બાહ્ય ક્રિયાથી તરાય નહિ, તરવા માટે મોક્ષનું - શુદ્ધ સ્વરૂપનું લક્ષ હોવું આવશ્યક છે. દ્રવ્યક્રિયા એ બહિરંગ ધર્મ છે અને તેની સફળતા અંતરંગ આશય ઉપર અવલંબે છે. જો અંતરંગ લક્ષ મોક્ષપ્રાપ્તિનું ન હોય તો માત્ર બહિરંગ ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં. ભવચક્રમાં આ જીવે અનંત વાર ક્રિયાઓ કરી છતાં તે તર્યો નહીં. તેનો અર્થ એમ નથી કરવાનો કે ક્રિયા નિરર્થક છે. સાચા લક્ષ્ય વિના કરેલી ક્રિયાનું મોક્ષાર્થે નિષ્ફળપણું છે એમ સમજવાનું છે. સારી વસ્તુનો પણ જો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો તેનાથી લાભ થતો નથી અને કેટલીક વાર લાભ થવાને બદલે નુકસાન થાય છે, પણ તેથી કંઈ એમ નથી કહેવાતું કે સારી વસ્તુ દ્વારા નુકસાન થયું છે. જેમ કે ઘી શરીરને લાભકારી છે - પુષ્ટિ આપે છે, પણ એને સો વાર ફીણીને જો ખાવામાં આવે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તો જીવ મરી જાય; તેથી કંઈ ઘીથી મરણ થાય છે એમ કહેવાતું નથી. ઘી ખાનારે સમજવું જોઈએ કે સો વાર ફીણેલું ઘી ઝેર બની જાય છે અને એ રીતે ઝેર બનેલું તે ઘી પ્રાણઘાતક બને છે, માટે ઘી ઝેર ન બની જાય એની કાળજી રાખવી જોઈએ. એ જ રીતે ધર્મક્રિયાઓ અમૃત સમાન જ છે, પરંતુ સંસારલક્ષે આચરેલ ધર્મક્રિયાઓ ઝેરરૂપ - વિષાનુષ્ઠાનરૂપ બને છે અને તેવી ક્રિયાઓથી આત્માનો વિસ્તાર થતો નથી. મૂઠથી પકડવાની તલવારને જો કોઈ ધારવાળી જગ્યાએથી પકડે તો તીક્ષ્ણ ધારથી તેના આંગળા કપાય, પણ તેમાં તલવારનો દોષ નથી, પકડનારનો દોષ છે; તેમ સંસારની અભિલાષાથી કરાયેલી ધર્મક્રિયાઓથી મોક્ષપ્રાપ્તિ ન થાય તેમાં દોષ ધર્મક્રિયાનો નથી, પરંતુ તેનો અવળો ઉપયોગ કરનાર વ્યક્તિનો છે. અભવ્ય જીવો અનંત ધર્મક્રિયાઓ કરીને પણ મોક્ષ પામતા નથી, તેથી ધર્મક્રિયાઓ નિરર્થક છે એમ કહેવું ખોટું છે; પરંતુ સંસારભાવે થયેલી ધર્મક્રિયાઓથી મોક્ષપ્રાપ્તિ નથી એમ કહેવું યોગ્ય છે. ક્રિયાઓ જિનાજ્ઞા અનુસાર સ્વરૂપલક્ષે થાય તો તે અવશ્ય મોક્ષફળ આપે છે. અભવ્ય જીવને સ્વરૂપનું લક્ષ ક્યારે પણ બંધાતું નથી, તેથી લક્ષ વગરની તેની ક્રિયા નિષ્ફળ નીવડે છે. દૂધપાકના લક્ષ વિના જો કંદોઈ દૂધ હલાવ્યા કરે તો માવો બની જાય, તેમ મોક્ષના લક્ષ વિના જો જીવ અનેક ધર્મક્રિયાઓ કરે તો દેવલોકરૂપ માવો પ્રાપ્ત થાય છે, પણ મોક્ષરૂપ દૂધપાક પ્રાપ્ત થતો નથી. જો કંદોઈ એમ કહે કે દૂધપાકના લક્ષના અભાવે દૂધપાક પ્રાપ્ત થયો નહીં, તેથી હવે માત્ર દૂધપાકનો લક્ષ રાખીશ અને હલાવવાની ક્રિયા નહીં કરું; તો શું દૂધપાક બનશે? દૂધપાકનું માત્ર લક્ષ કરવાથી તો કદી દૂધપાક પણ નહીં બને અને માવો પણ નહીં થાય! પૂર્વે દૂધપાકનું લક્ષ રાખ્યા વિના ફક્ત દૂધ હલાવવાથી માવો થઈ ગયો હતો. માત્ર એ ખૂટતું લક્ષ જ ઉમેરી દેવું જોઈએ, જેથી દૂધપાક પ્રાપ્ત થાય. એમાં દૂધ હલાવવાની ક્રિયાનો નિષેધ કરવો અનુચિત છે. એકાંત નિશ્ચયવાદીને તપ-ત્યાગ પ્રત્યે અભાવ હોવાથી બે-ચાર શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો ટાંકીને પોતાને ન ગમતી ક્રિયાઓની, તપ-ત્યાગની પ્રવૃત્તિઓને નિરર્થક બતાવે છે. જો કે શાસ્ત્રોમાં મરુદેવી માતા આદિનાં દૃષ્ટાંતો અપવાદરૂપે જણાવ્યાં છે, પરંતુ એનું અવલંબન લઈ ધર્મક્રિયાઓનું ખંડન કરનાર જીવની સમજણ મિથ્યા છે. કોઈ માણસને ઉકરડામાંથી મોતી મળી જાય, તેથી એમ નિયમ ન બાંધી શકાય કે મોતી જોઈતું હોય તેણે ઉકરડો ફેંદવો જોઈએ; તેમ કોઈ જીવ ઉત્સર્ગમાર્ગને બદલે અપવાદમાર્ગે મોક્ષ પામ્યો હોય તો તેનું અવલંબન લઈને કે તેને નિયમ ગણીને કોઈ રાજમાર્ગ છોડી કેડીમાર્ગે ચાલે અને તેનામાં તેવી યોગ્યતા ન હોય તો તે તેના ગંતવ્ય સ્થાને પહોંચી શકે નહીં. વળી, જેઓ અપવાદમાર્ગ મોક્ષ પામ્યા હોય છે, તેમનો લક્ષ તો ઉત્સર્ગ Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ ૯૩ માર્ગનો જ હોય છે અને તેથી જ તેમનો માર્ગ ઉન્માર્ગ ન બનતાં મોક્ષમાર્ગ બને છે. ચક્રવતી ભરત, રાજર્ષિ પૃથ્વીચંદ્ર, શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર વગેરેને ગૃહત્યાગ વિના જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું એ વાત સંપૂર્ણ રીતે શાસ્ત્રીય છે, છતાં એવું તો કદાચિત્ અને કોઈકને જ બને. આખી અવસર્પિણીમાં એવાં ઉદાહરણ કેટલાં? એટલે એ માર્ગ રાજમાર્ગ ન ગણાય. વળી, ઉપરોક્ત દૃષ્ટાંતોમાં કોઈને પણ તપ-ત્યાગની ભાવનાનો અભાવ ન હતો, તેઓ સર્વ ગૃહવાસના ભોગવિલાસથી પીડા અનુભવતા હતા અને સર્વસંગપરિત્યાગની ભાવનાવાળા હતા. અનંતા આત્માઓ બાહ્યાભ્યતર સંગત્યાગરૂપ વિરતિના રાજમાર્ગેથી પસાર થઈને મોક્ષપદ પામ્યા છે, જ્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જૂજ આત્માઓ બાહ્ય સંગ ત્યાગ્યા વિના, રાગભાવને ટાળીને મુક્તિપદ પામ્યા છે; અને અનંતાનંત આત્માઓ ધર્મશ્રવણ કરીને પણ બાહ્ય સંગ ન ત્યાગવાના કારણે રાગભાવ ટાળી ન શક્યા અને તેથી તેઓ સંસારમાં રખડે છે. કેવળી ભગવંતોની નજર સામે આ પરિસ્થિતિ હોવાથી તેમણે મુક્તિના માર્ગ તરીકે બાહ્યાભંતર સંગત્યાગરૂપ વિરતિમાર્ગને - પ્રતિજ્ઞાપૂર્વક કરેલા સાવદ્ય વ્યાપારના ત્યાગને રાજમાર્ગ કહ્યો છે. રાજર્ષિ પ્રસન્નચંદ્ર સાધુવેષ છતાં સાતમી નરકના દળિયાં લીધાં, તે રાજર્ષિને બીજી જ પળે કેવળજ્ઞાન શાથી થયું એ વાત પ્રત્યે લક્ષ આપવાની જરૂર છે. માથેથી મુગટ ઉપાડવા માટે મસ્તકે હાથ ફેરવ્યો અને તે જ વખતે કેશલોચવાળા માથાનો સ્પર્શ થયો, પશ્ચાત્તાપ થયો, શુક્લધ્યાનની શ્રેણીએ ચડ્યા અને કેવળજ્ઞાન પ્રગટ્યું. રાજાના વેષમાં હોત તો લોચ કરેલું માથું ન હોત અને તેથી તેમને સાચો લક્ષ પણ ન આવત અને કેવળજ્ઞાન પણ પ્રગટ ન થાત. આમ, બાહ્ય ત્યાગ ભાવશુદ્ધિમાં સહાયક નીવડે છે, તેથી બાહ્ય ત્યાગ આવશ્યક છે. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં કેટલાક ભાગરુચિ જીવડાઓ એમ કહે છે કે ‘બાહ્ય સંગ ટાગ્યા વિના પણ ભરત વગેરે મુક્તિપદ પામ્યા છે, માટે મહાવ્રતપ્રતિજ્ઞારૂપ સર્વવિરતિ કે અણુવ્રતપ્રતિજ્ઞારૂપ દેશવિરતિની શી જરૂર છે? સંસારમાં રહીને પણ જો રાગનો નાશ થઈ શકે છે તો તેમ જ કેમ ન કરવું?' આવા અભિપ્રાયો અંતરમાં પડેલી ભોગીલાલસાના કારણે જ ઉચ્ચારવામાં આવે છે. અનેક બાહ્ય સંગીઓમાંથી બે-પાંચને મુક્તિ મળી, બાકીના બધા ડૂબી ગયા, છતાં એ બે-પાંચનો - એ ભવ્યાત્માઓનો દાખલો લઈને, પાત્રતા વિનાના અનેક જીવો ડૂબી ગયા અને અનેક ડૂબે છે એ તરફ લક્ષ ન આપતાં, સંસારમાં રહીને તરવાની વાતો તેઓ કરે છે! ભલે અનેક જીવો ઝેર ખાઈને મર્યા, પણ બે-પાંચ તો બચ્યા છે - એમ ખોટી રીતે દાખલો લઈને કોઈ ઝેર ખાવા તૈયાર થાય છે? તેથી આત્માર્થી જીવે તો દૃઢ નિશ્ચય કરવો કે સ્વરૂપલક્ષે Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધર્મક્રિયાઓ કરવી તપ, ત્યાગ, સંયમાદિ સ્વરૂપલક્ષે કરવાં એ જિનાજ્ઞા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે ૯૪ - ‘ચરિત ભણિ બહુલોકમાંજી, ભરતાદિકનાં જેહ; લોપે શુભ વ્યવહારનેજી, બોધિ હણે નિજ તેહ. બહુ દલ દીસે જીવનાંજી, વ્યવહારે શિવયોગ; છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ.૧ (૨) એકાંત નિશ્ચયવાદીઓ એવી દલીલ પણ કરે છે કે શુભ ક્રિયાઓ શુભ ભાવની જનેતા છે અને શુભ ભાવ હેય છે, એટલે શુભ ક્રિયાઓ પણ હેય છે. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણાદિ શુભ ક્રિયાઓથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે અને એ શુભ ભાવ આત્મગુણોને પ્રગટ કરવામાં લેશમાત્ર પણ સહાયક નથી, તેનાથી આત્માની વિભાવદશા લેશમાત્ર પણ ટળી શકતી નથી. તે માત્ર બંધનું જ કારણ બને છે. શુભ ભાવના કારણે પુણ્યબંધ થાય છે અને તે પુણ્યબંધ જીવને સંસારમાં રઝળાવે છે. પુણ્યબંધ પણ પાપબંધની માફક હેય છે, માટે પુણ્યબંધમાં કારણભૂત એવી દાનાદિ સઘળી ક્રિયાઓ છોડવા યોગ્ય છે. જે ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તે આત્મહિતકારી કેવી રીતે હોઈ શકે? જપ, તપ, શીલ, સંયમ, પૂજા, ભક્તિ, સેવા આદિ સર્વ ધાર્મિક ક્રિયાઓ તજવા યોગ્ય છે. આત્માના ત્રણ ભાવ છે. શુદ્ધ ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ. પહેલો ભાવ ઉપાદેય છે અને પછીના બે ભાવ હેય છે. પહેલો ભાવ એ આત્માની સ્વાભાવિક સ્થિતિ છે અને બાકીના બે ભાવ આત્માની વૈભાવિક સ્થિતિ છે. પિતા, પુત્ર, પરિવાર આદિ ઉપરનો રાગ તે અશુભ રાગ છે અને દેવ, ગુરુ ઉપરનો રાગ તેમજ મહાવ્રત આદિ ધર્મ ઉપરનો રાગ તે શુભ રાગ છે. અશુભ રાગ જેમ આત્માને નુકસાન કરનાર છે, તેમ શુભ રાગ પણ આત્મા માટે ઝેરસ્વરૂપ છે. જેમ અશુભ રાગ આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવામાં લેશમાત્ર પણ સહાયક નથી, તેમ શુભ રાગ પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવામાં લેશમાત્ર પણ સહાયક નથી. ભોગાદિ ક્રિયાથી થતા અશુભ ભાવથી જેમ કોઈ આત્મલાભ નથી થતો, તેમ દેવપૂજા આદિથી થતા શુભ ભાવથી પણ કોઈ આત્મલાભ નથી થતો. જેઓ એમ માને છે કે દેવ, ગુરુ અને ધર્મ ઉપરનો રાગ એ આત્માના અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવામાં કારણભૂત છે તેઓ મહામિથ્યાત્વી છે અને આત્માના સચ્ચિદાનંદસ્વરૂપની અવગણના કરનારા છે. જેઓ આત્મપ્રાપ્તિ અર્થે શુભ રાગમાં જોડાવા દેવ-ગુરુનું અવલંબન લે છે, તેઓ ભૂલ કરે છે; કારણ કે દેવ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સવાસો ગાથાનું સ્તવન', ઢાળ પ, કડી ૬૧,૬૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૩૧ ૯૫ ગુરુ પ્રત્યેના શુભ રાગથી આત્માનું સ્વરૂપ પ્રગટે એવું માનવું એ જ ભયંકર મિથ્યાત્વ છે, માટે દેવપૂજા આદિ શુભ ક્રિયાઓ કરવા યોગ્ય નથી એમ તેમનું કહેવું છે. આ દલીલનો ઉત્તર આ પ્રમાણે છે - જિનપૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણાદિ પુણ્યબંધનાં કારણ છે એ વાત નિઃસંદેહ છે. પૂજા, ઉપવાસ, વ્રતાદિ જે શુભ ક્રિયા છે તેનાથી શુભ પરિણામ ઉત્પન્ન થાય છે અને પુણ્યકર્મ નીપજે છે. શુભાશુભ વિકારરહિત જે શુદ્ધ પરિણામ છે, તેનાથી જ સંવર-નિર્જરા થાય છે. શુભ ક્રિયાઓ પુણ્યબંધનું કારણ હોવા છતાં પણ એ ક્રિયાઓ આત્માની વિભાવદશાને ટાળવામાં સહાયક નથી એમ કહેવું યોગ્ય નથી. મનુષ્યદેહનો યોગ, દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ વગેરે વિભાવદશાને ટાળવામાં સહાયક છે અને તે યોગ ધર્મક્રિયાથી ઉપાર્જન થયેલાં પુણ્યના કારણે મળે છે. જ્ઞાનીઓએ માત્ર પુણ્યબંધના હેતુએ થતી ધર્મક્રિયાને સંસારવર્ધક ગણી છે; જ્યારે આત્મલક્ષે થતી ધર્મક્રિયાઓથી જે શુભ ભાવ થાય છે, તેનાથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય સંસારવર્ધક નથી થતું, પરંતુ તે વિભાવદશા ટાળવામાં સહાયક થાય છે. સ્વરૂપના લક્ષે જિનાજ્ઞા અનુસાર થતી ધર્મક્રિયાઓથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય એરંડિયા જેવું છે. પેટમાં ખૂબ મળ બાઝી ગયો હોય તે કાઢવા માટે એરંડિયું પીવામાં આવે છે. જો કોઈ એમ સલાહ આપે કે પેટમાં આટલો કચરો તો ભર્યો છે. એમાં નવો ક્યાં નાંખો છો? તો જેમ સલાહ આપનારો તે માણસ મૂર્ખ ઠરે છે, તેમ પુણ્યાનુબંધી પુણ્યને સર્વથા હેય કહેવું તે અયથાર્થ છે. પેટના તમામ કચરાને કાઢવાનું સામર્થ્ય એરંડિયામાં છે અને એ એરંડિયાને કાઢવા માટે નવા કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી, તે તો સ્વયમેવ નીકળી જાય છે. મળ નીકળી ગયા પછી જેમ એરંડિયું આપોઆપ નીકળી જાય છે, તેમ સ્વરૂપના લક્ષે થતી ધર્મક્રિયાઓથી ઉત્પન્ન થતું પુણ્ય, પાપના નાશમાં સહાયક થાય છે અને જ્યારે પાપ સર્વાંશે ક્ષય પામે છે ત્યારે પુણ્ય પણ પલાયન થઈ જાય છે. અલબત્ત, માત્ર પુણ્યબંધનો જ લક્ષ હોવો, પુણ્યથી જ કૃતકૃત્યતા માનવી એ અવશ્ય મિથ્યાત્વ છે. પુણ્યબંધના લક્ષે થતી ધર્મક્રિયાઓ તે વિષક્રિયા છે અને પાપાનુબંધી પુણ્યનું કારણ થતું હોવાથી તે હેય છે. સ્વરૂપલક્ષે થતી ધર્મક્રિયાઓથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય વિભાવદશા ટાળવામાં સહાયક થાય છે. તેથી જ શાસ્ત્રોમાં ઠેર ઠેર પુણ્યબંધની ઇચ્છાનો નાશ કરવાનું કહ્યું છે, કશે પણ પાપકર્મના નાશની જેમ પુણ્યને નાશ કરવાનું કહ્યું નથી. યદ્યપિ જૈન દર્શનમાં પુણ્ય અને પાપ ઉભયના ક્ષયથી મુક્તિની પ્રાપ્તિ છે એમ કહ્યું છે, તથાપિ એ ખ્યાલમાં રાખવું ખૂબ જ અગત્યનું છે કે કાર્યના સિદ્ધિકાળમાં જે વસ્તુ હેય ગણાય છે, તે વસ્તુ કાર્યના સાધકકાળમાં નિયમો હેય જ હોય એવું એકાંતે નથી. જેમ કોઈ માણસને કાંટો વાગ્યો હોય ત્યારે તેને કાઢવા માટે સોયની આવશ્યકતા Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન રહે છે. જો કે જેમ કાંટો હેય છે, તેમ કાંટો નીકળી ગયા પછી સોય પણ હેય જ છે. એ જ રીતે શ્રદ્ધાનામાં તો એમ જ રાખવું કે પુણ્ય પણ હેય જ છે. પાપરૂપી કાંટો જ્યાં સુધી આત્મામાં ભોંકાયેલો છે ત્યાં સુધી પુણ્યરૂપી સોયની જરૂર પડે છે, તેથી શુભ ક્રિયાઓ શુભ ભાવનું કારણ હોવાથી કર્મબંધનું કારણ છે એમ કહી તેનો સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. શુભ ક્રિયાઓ અશુભ ભાવની નિવૃત્તિ અને શુદ્ધ ભાવની પ્રાપ્તિમાં સહાયક હોવાથી તેનો નિષેધ કરવા યોગ્ય નથી. શુદ્ધોપયોગમાં સ્થિત નથી થવાતું ત્યાં સુધી સ્વરૂપમાં અવિચળ સ્થિરતાનું લક્ષ રાખી શુભ ક્રિયાઓ કરવાની છે. ક્રિયાઓને ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય છે – ૧) અશુભ આસવને આશ્રિત એવી ભોગાભિલાષા સહિત તથા ભોગાદિમાં રમણતારૂપ અશુભ ક્રિયા. ૨) શુભ આસવની અંતર્ગત ભોગાભિલાષા સહિત શુભ ક્રિયા. ૩) શુભ આસવની અંતર્ગત ભોગાભિલાષાથી નિરપેક્ષ કેવળ સ્વરૂપશાંતિની અભિલાષા સહિતની શુભ ક્રિયા. ૪) સાક્ષાત્ શાંતિના વેદન સહિત સ્વરૂપતન્મયતારૂપ શુદ્ધ ક્રિયા. પહેલી ક્રિયાને અશુભ કે પાપ કહેવામાં આવે છે. બીજી ક્રિયાને પાપાનુબંધી પુણ્યરૂપ શુભ ક્રિયા કહેવામાં આવે છે. ત્રીજી ક્રિયાને પુણ્યાનુબંધી પુણ્યરૂપ શુભ ક્રિયા કહેવામાં આવે છે. ચોથી ક્રિયા શુદ્ધ છે. આ ચાર ક્રિયાઓમાંથી મોક્ષમાર્ગની દૃષ્ટિએ કઈ ક્રિયા હિતાવહ છે તેનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. પ્રથમની પાપક્રિયા તીવ્ર અશાંતિરૂપ છે. ત્યાં ભોગાભિલાષાની સાથે ભોગવવાની વ્યગ્રતાનું સ્પષ્ટ વેદન હોય છે. તે સર્વથા હેય છે. બીજી ક્રિયામાં ભોગાભિલાષા સંબંધી રાગ-દ્વેષાદિ છે, તેથી તે પણ હેય છે. ત્રીજી ક્રિયામાં ભોગાભિલાષાનો તેમજ ભોગની વ્યગ્રતાનો અભાવ છે. તે ક્રિયા મોક્ષાભિલાષા સહિત થતી હોવાથી અને આત્મપ્રાપ્તિમાં સહાયક થતી હોવાથી કથંચિતું ઉપાદેય છે. જો કે તે પુણ્યબંધનું કારણ હોવાથી કથંચિત્ હેય પણ છે. ચોથી ક્રિયામાં સર્વથા શાંતિ છે. તે પૂર્ણ શાંતિરૂપ હોવાથી પૂર્ણપણે ઉપાદેય છે. તે કોઈ પણ પ્રકારે આસવરૂપ નથી, પણ સંવર-નિર્જરારૂપ છે, તેથી તે સર્વથા ઉપાદેય છે. જ્યાં સુધી આ ક્રિયા નથી થતી, અર્થાત્ શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી ત્રીજા પ્રકારની ક્રિયા, અર્થાત્ સ્વરૂપલક્ષે શુભ ક્રિયાઓ કરવી પ્રયોજનભૂત છે અહીં એક વાત સ્પષ્ટ છે કે અશુભ ભાવ તીવ્ર કષાય છે અને શુભ ભાવ મંદ કષાય છે, તેથી તે બને હેય છે. શુભ ભાવને પણ કષાયની કક્ષામાં જ મૂકવામાં આવે છે. ભલે તે રાગને પ્રશસ્ત' વિશેષણ લગાડવામાં આવે તો પણ તે કષાયની કક્ષામાં જ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ આવે છે. પિત્તળને પ્રશસ્ત વિશેષણ લગાડીને તેને ‘પ્રશસ્ત પિત્તળ’ એમ કહેવામાં આવે તેથી કાંઈ તે સુવર્ણની જાતમાં તો ન જ આવે. તેમ શુભ ભાવના રાગને પ્રશસ્ત વિશેષણ લગાડવામાં આવે તો તેથી કાંઈ તે અકષાયી શુદ્ધ ભાવની જાતમાં નથી આવી જતો. શુભ ભાવ પણ કષાય જ છે અને તેથી તે હેય જ છે. જો શુભ ભાવને ઉપાદેય માનવામાં આવે તો કષાય કરવાનું જ શ્રદ્ધાન રહે, માટે શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અશુભ ભાવ ટાળી શુભ ભાવનો પુરુષાર્થ કરવો જોઈએ અને શ્રદ્ધાનમાં તો શુભ ભાવને હેય જ માનવો જોઈએ. શુભ ભાવથી પણ આગળ વધીને કષાય વગરનો શુદ્ધ ચૈતન્યભાવ પ્રગટ કરવો જોઈએ. 6) કોઈ જીવ અશુભ ભાવ છોડીને શુભ ભાવ કરે તો જ્ઞાનીપુરુષો તેને તેમ કરવાની ના નથી કહેતા. અશુભ ટાળીને શુભમાં અટકી રહેવાની, તેમાં જ સંતોષાઈ જવાની તેઓ ના કહે છે. કેટલાક જીવો અશુભ ભાવને હેય જાણે છે અને શુભ ભાવને ઉપાદેય માની તેમાં અટકી રહે છે; પરંતુ એનાથી આત્મકલ્યાણ નથી થતું, ધર્મ નથી થતો. તે દેવ ગતિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ નથી. તેથી મોક્ષમાર્ગે પ્રયાણ કરવા માટે જીવે અશુભને ટાળી શુભમાં અટકવું ન જોઈએ, પરંતુ શુભને પણ ટાળી શુદ્ધ ભાવ પ્રગટાવવો જોઈએ. સાધક અવસ્થાની પ્રથમ ભૂમિકામાં શુદ્ધ સ્વરૂપના લક્ષે આરંભાતી ધર્મક્રિયાઓથી અશુભ ભાવ ટળે છે અને તે જીવ શુભ ભાવમાં આવે છે. મોક્ષમાર્ગની સાચી સમજણ હોવાથી તે શુભ ભાવમાં કૃતકૃત્યતા માનતો નથી, પણ શુદ્ધ ભાવમાં સ્થિર થવાના પુરુષાર્થમાં જ લાગેલો રહે છે. તેને કક્ષાનુસાર શુભ ભાવ થાય જ છે. સાધકદશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી, પણ તેમાં તે સંતોષાઈ જતો નથી અને આગળ વધી શુદ્ધ ભાવ પ્રગટાવે છે. સાધકને શ્રદ્ધાનમાં શુભ અને અશુભ બન્ને ભાવ હેય હોય છે અને માત્ર શુદ્ધ ભાવ જ ઉપાદેય હોય છે, છતાં પણ તે શુભ ભાવમાં કારણભૂત એવી ધર્મક્રિયાઓનો ક્યારે પણ નિષેધ કરતો નથી. તે જાણે છે કે જો શુભ ભાવના કારણરૂપ ધર્મક્રિયાઓ નહીં કરું તો શુદ્ધ ભાવ તો પ્રાપ્ત નહીં થાય, કિંતુ શુભ ભાવ પણ પ્રાપ્ત નહીં થાય; કેવળ અશુભ ભાવમાં જ રમમાણ રહેવાશે. શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ નથી એવો જીવ જો શુભોપયોગરૂપ વ્યવહાર છોડી દે અને અશુભોપયોગમાં જ સ્વચ્છંદે પ્રવર્તે, તો તે નરક-નિગોદાદિ ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુભ ક્રિયાઓનો નિષેધ ન કરવો જોઈએ. શુદ્ધોપયોગની પ્રાપ્તિ માટે શુભ ક્રિયાઓનું યથાયોગ્ય સેવન કરવું જરૂરી છે. મોક્ષમાર્ગની સાધના માટે વ્રત, શીલ, સંયમ, દયા, જપ, તપ, પૂજન આદિનું અવલંબન Page #131 -------------------------------------------------------------------------- ________________ ८८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવશ્યક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – અવર કહે પૂજાદિક ઠામે, પુણ્યબંધ છે શુભ પરિણામે; ધર્મ ઈહાં કોઈ નવિ દીસે, જિમ વ્રતપરિણામે ચિત હીંચે. નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણો.૧ આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘પ્રવચનસાર' ગ્રંથમાં સંયમના મૂળ ગુણોનું પ્રતિપાદન કરતાં કહે છે કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનો નિરોધ, કેશનો લોચ, છ આવશ્યક, દિગંબર અવસ્થા, સ્નાન રહિત રહેવું, ભૂમિ ઉપર શયન કરવું, દાંત સાફ નહીં કરવા, ઊભા ઊભા ભોજન કરવું અને એક વાર ભોજન કરવું; શ્રમણોના આ ૨૮ મૂળ ગુણો વીતરાગદેવે કહેલા છે. આ ગુણોમાં પ્રમાદી બનનાર મુનિના સંયમનો છેદ કરવો અને પુનઃ તેને સંયમમાં સ્થાપન કરવો. ૨ ‘પ્રવચનસાર'ની ઉપરોક્ત ગાથાની ટીકામાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ફરમાવે છે કે યદ્યપિ આત્મા શુદ્ધ નિર્વિકલ્પ એવા સામાયિકનો અર્થી હોય, છતાં એ સામાયિક જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઉપર બતાવેલા સવિકલ્પ સામાયિકના ગુણો તેણે બરાબર પાળવા જરૂરી છે. એ ગુણોમાંથી એક પણ ગુણ જો ન પાળે તો તે સાધુપણામાંથી ભ્રષ્ટ થાય છે અને તેને પુનઃ ચારિત્રમાં સ્થાપન કરવામાં આવે છે. વળી, એ જ ગ્રંથમાં બીજા સ્થળે આચાર્યશ્રી કુંદકુંદદેવ ફરમાવે છે કે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા સાધુએ એક વાર ઊણોદરી, પ્રાસુક અને નિર્દોષ આહાર કરવો. તે આહાર પણ દિવસે, રસમૃદ્ધિ વગરનો અને મધુ-માંસાદિ અભક્ષ્ય પદાર્થો વિનાનો હોવો જોઈએ. ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૦, કડી ૧૦૫-૧૦૭ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૨૦૮, ૨૦૯ 'वदसमिदिदियरोधो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ।। एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिंपण्णात्ता । तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ।।' ૩- જુઓ : એજન, ગાથા ૨૨૯ 'एक्कं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खेण दिवा ण रसावेक्खं ण मधुमंस ।।' Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ આચાર્યશ્રી કુંદકુંદદેવે “સમયસાર' ગ્રંથમાં શુદ્ધ નયની અપેક્ષાએ દેહ અને આત્માને ભિન સમજાવ્યા છે, પરંતુ તેઓ જ ‘પ્રવચનસાર'માં મુનિપણામાં સંયમ આચરણની કેટલી જરૂરિયાત છે તે પણ સમજાવે છે. અદતપોવન કે એકભક્ત જેવી ક્રિયાઓને શુભ ભાવની કે દેહની ક્રિયા તરીકે જણાવી અનાવરણીય કહેતા નથી. તેઓ બાહ્ય આચારના કડક પાલન ઉપર પણ ઘણો ભાર મૂકે છે. આચાર્યશ્રી જો લખવા ધારત તો લખી શકત કે મુનિએ એક વાર નિર્દોષ, પ્રાસુક એષણીય વાપરવું એવો કોઈ નિયમ જરૂરી નથી, કેમ કે દેહ અને આત્મા એ આત્યંતિક ભિન્ન વસ્તુ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે દેહના ગુણો છે, જ્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય વગેરે આત્માના ગુણો છે. ખાવું એ દેહનો ધર્મ છે. અણાહારીપણું એ આત્માનો ધર્મ છે. શરીરના ધર્મો જ્યારે આત્માના ધર્મો નથી થતા અને આત્માના ધર્મો શરીરના ધર્મો નથી થતા, તો પછી એક વાર જ ખાવું એવો આગ્રહ શા માટે? દેહ અનેક વાર ખાય એમાં આત્માનો અણાહારી ધર્મ જરા પણ નાશ પામતો નથી. જડ જડની ક્રિયા કરે છે, ચેતન તો અલિપ્ત છે. દેહ આત્માથી પર છે, દેહ કોઈ પણ ક્રિયા કરતો હોય તેમાં આત્મા એ ક્રિયા પોતાની માને જ શા માટે? ખાવાની ક્રિયા તો મુનિનો દેહ કરે છે, આત્મા નથી કરતો; પછી મુનિનો આત્મા ખાવાની ક્રિયાને પોતાની માને જ શા માટે? આવું કાંઈ નહીં લખતાં મુનિ માટે બાહ્ય આચારનો ભાર મૂક્યો છે અને એક પણ આચારમાં જો પ્રમાદ કરે તો ચારિત્રથી ભ્રષ્ટ થાય છે એમ બતાવ્યું છે. એ જ સૂચવે છે કે સ્વરૂપલક્ષે બાહ્ય આચાર, ક્રિયા વગેરે કરવી તે જ્ઞાનીઓને સમ્મત છે. અધિક આહારથી કે રસવાળો આહાર લેવાથી વિકાર ઉત્પન્ન થાય છે અને તેથી કામાદિ વાસનાઓ જન્મે છે. જેના પરિણામે આત્માનું ક્રમે કરીને પતન થાય છે. ચિત્તવૃત્તિ ચૈતન્યમાં સ્થિર ન થતાં વિષયોમાં દોડવા લાગે છે. માટે શુભ ક્રિયાઓ કરવી આવશ્યક છે. આચાર્યશ્રી કુંદકુંદદેવનાં તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં ઉપરોક્ત કથનોથી સ્પષ્ટ થાય છે કે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પાળવો એ આત્માર્થીનું કર્તવ્ય છે. એકાંત નિશ્ચયવાદીનું માનવું એમ છે કે શુભ ક્રિયાથી પુણ્યબંધ થાય છે, જે સંસારમાં જીવને રઝળાવે છે. તેમને એટલું જ પૂછવું રહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી એમ જ જો તે માનતો હોય તો તે કઈ રીતે કહી શકે કે ધર્મક્રિયા પુણ્ય બંધાવે છે અને પુણ્ય જીવને સંસારમાં રઝળાવે છે. શું જડ એવું પુણ્ય ચેતન એવા આત્માને રઝળાવી શકે? જડ એવું આકાશ જેમ આત્માથી આત્યંતિક અને એકાંતિક ભિન્ન હોવાથી ચેતનદ્રવ્યને રઝળાવી શકતું નથી, તેવી રીતે પુણ્ય પણ ચેતનદ્રવ્યથી ભિન્ન હોવાથી તેને કઈ રીતે રઝળાવી શકે? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૩) એકાંત નિશ્ચયવાદી એવી દલીલ પણ કરે છે કે ભાવ જ જીવોના બંધ-મોક્ષનું કારણ છે તો પછી શરીર દ્વારા થતી બાહ્ય ક્રિયાઓની શી આવશ્યકતા છે? ભાવ શુદ્ધ રાખવાનો જ પ્રયત્ન કરવો, બાહ્ય ક્રિયાઓની આવશ્યકતા નથી. ભાવ શુદ્ધ રાખવાનો જ ઉદ્યમ કરવો જોઈએ, ક્રિયાઓ કરવાથી કોઈ લાભ નથી. તેમના મત પ્રમાણે ખાવાપીવામાં ભક્ષ્યાભર્યાનો વિવેક કે ધર્મક્રિયાઓની કંઈ જરૂર નથી. માત્ર ભાવ શુદ્ધ રાખવાની જરૂર છે. આ દલીલનો ઉત્તર આ પ્રમાણે છે - ભાવ બંધ-મોક્ષનું કારણ હોવાથી ભાવશુદ્ધિને મોક્ષનું અમોઘ કારણ માનવામાં વિરોધ છે જ નહીં. પરંતુ ભાવશુદ્ધિ કાંઈ એકાએક પ્રાપ્ત થઈ જતી નથી. અનાદિ કાળના વિપરીત અભ્યાસના કારણે જે અશુભ સંસ્કારો અંકિત થયેલા છે તે આપોઆપ અને સહેલાઈથી નિર્મૂળ થતા નથી. તેને નિર્મૂળ કરવાનો અભ્યાસ અત્યંત જરૂરી છે. તે માટે મનને શુભ ક્રિયામાં જોડવું ઘટે છે. મનને શુભ ક્રિયામાં જોડવાથી બે કાર્ય થાય છે - અશુભ ભાવમાંથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ. અશુભ સંસ્કારોનું પોષણ ન થાય અને શુભ સંસ્કારોનું રોપણ થાય તે માટે શુભ ક્રિયા ખૂબ ઉપકારી નીવડે છે. વારંવાર અશુભ નિમિત્તોથી દૂર રહેવાનો તથા શુભ નિમિત્તોમાં રહેવાનો અભ્યાસ કરવાથી ભાવશુદ્ધિ થાય છે, માટે શુભક્રિયાત્મક વ્યવહાર અત્યંત આવશ્યક છે. હોમિયોપથીના ડૉક્ટર દર્દના ઇલાજ માટે મીઠી સાકરની ગોળી જેવી દવા આપે છે. હોમિયોપથીમાં દવાઓ એટલે જુદા જુદા પ્રકારનાં ટિચરો. તે ટિંક્યરો દર્દીને સીધાં આપી શકાય નહીં. એટલા માટે તેને ઝીલનાર કોઈ માધ્યમની જરૂર પડે છે. એ માધ્યમ તે જ સાકરની ગોળી. સાકરની ગોળી ટિચરને ઝીલે છે. અહીં મૂલ્ય તો ટિકુચરનું જ છે. સાકરની ગોળી તો માત્ર એક માધ્યમ છે, પણ એના વિના મૂલ્યવાન ટિંકચર ગ્રહણ થઈ શકે તેમ નથી. એ દૃષ્ટિએ સાકરની ગોળીનું પણ મૂલ્ય જરા પણ ઓછું નથી. આમ, મુખ્યતાની દષ્ટિએ ટિંકચર મૂલ્યવાન છે, જ્યારે માધ્યમની દષ્ટિએ સાકર મૂલ્યવાન છે. તેવી રીતે મુખ્યતાની દષ્ટિએ ભાવશુદ્ધિ મૂલ્યવાન છે, જ્યારે માધ્યમની દૃષ્ટિએ શુભ ક્રિયાઓ મૂલ્યવાન છે. ભાવશુદ્ધિની જ પ્રધાનતા છે, પરંતુ તે અર્થે શુભ ક્રિયાઓ આવશ્યક છે. જ્ઞાનીઓ પરિણામોની શુદ્ધિ માટે શુભ ક્રિયાઓનો ઉપદેશ કરે છે. નિશ્ચયના લક્ષપૂર્વક શુભ ક્રિયાઓનો અભ્યાસ કરતાં પરિણામો સુધરે છે. નિશ્ચયષ્ટિપૂર્વકનો સવ્યવહાર સેવતાં, ક્રમે કરીને ભાવશુદ્ધિ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી જ્ઞાનીઓ પરિણામોની શુદ્ધિ માટે શુભ ક્રિયાઓનો ઉપદેશ કરે છે. શુભ ક્રિયાની આવશ્યકતા હોવા છતાં એકાંત નિશ્ચયવાદી જીવ તેનું ખંડન કરવા આવી અનેક દલીલો કરે છે. તેઓ વ્યવહારનયના વિચારોની પૂર્તિ કર્યા વિના, નિશ્ચયને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ એકાંતે અપનાવી સત્સાધન છોડી દે છે. પરિણામે નિશ્ચય માત્ર વાતોમાં જ રહી જાય છે અને તેમનો હૃદયપલટો થતો નથી. નિશ્ચયનય માત્ર તેમની વાણીનો વિલાસ બની જતો હોવાથી તેમને જ્ઞાનદશા પ્રાપ્ત થતી નથી અને બીજી બાજુ તેમણે સાધનદશા પણ અંગીકાર કરી ન હોવાથી પાપાસવના બાહુલ્ય સહિત તેઓ ભવસમુદ્રમાં ડૂબે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે ગાથા-૧૩૧ ‘એમ નિશ્ચય નય સાંભલીજી, બોલે એક અજાણ; “આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચખાણ ?”, કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; નવિ જાણે તે ઉપજેજી, કારણ વિણ નવિ કાજ. નિશ્ચયનય અવલંબતાજી, નવિ જાણે તસ મર્મ; છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ ’૧ આત્મા અબંધ-અસંગ છે એવી નિશ્ચયપ્રધાન વાણી સાંભળીને જો કોઈ જીવ સર્વ્યવહારને નિરર્થક સમજી ત્યજી દે તો તે મિથ્યાત્વી છે, મતાર્થી છે, શુષ્કજ્ઞાની છે. જે જીવ નિશ્ચયવાણી સાંભળીને સત્સાધનને તજી મોહાવેશમાં વર્તે છે તે જીવ માર્ગ ચૂકે છે. માટે જીવે પ્રથમ મોક્ષમાર્ગના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. નિશ્ચય તથા વ્યવહાર એમ બન્ને નયથી વિચારણા કરી મોક્ષમાર્ગનું યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. મોક્ષમાર્ગનું યથાર્થ શ્રદ્ધાન મોક્ષમાર્ગની યથાર્થ આરાધના માટે અત્યંત આવશ્યક છે. મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારના સુંદર સમન્વયરૂપ છે. સસ્વરૂપના જિજ્ઞાસુને સ્વપ્ને પણ સત્સાધનનો નિષેધ ન હોય. વળી, જેમ સત્સાધન નથી છોડવાનાં, તેમ નિશ્ચયને પણ નથી છોડવાનો, કારણ કે લક્ષ વગરનાં સાધન નિષ્ફળ નીવડે છે. જેને સ્વભાવના સામર્થ્યનો ભરોસો નથી, સદ્ગુરુના વચનબળે અંતર્મુખ થવાનો પ્રયાસ જેણે આદર્યો નથી, તેની સર્વ ક્રિયાઓ મોક્ષાર્થે નિષ્ફળ નીવડે છે. સ્વરૂપના લક્ષ વિના તેનું કોઈ વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે યથાર્થ થતાં નથી. નિશ્ચયને લક્ષમાં રાખ્યા વિના બાહ્ય ક્રિયા કરતો મૂઢ અજ્ઞાની જીવ મોક્ષમાર્ગ સાધી શકતો નથી. તે મૂઢ અજ્ઞાની જીવ બાહ્ય ક્રિયાઓ કરવાના કારણે પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્લક્ષના અભાવના કારણે તે મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ રહે છે. જે જીવ માત્ર બાહ્ય ક્રિયાથી ધર્મ થાય છે એમ સ્વીકારે છે, પરંતુ પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવને નથી સ્વીકારતો, તે તરફ પોતાનું વલણ નથી ફેરવતો તે વ્યવહા૨ાભાસી છે, ક્રિયાજડ છે. ક્રિયાજડ જીવ મોક્ષમાર્ગના મર્મને જાણતો નથી અને ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૫૨-૫૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ક્રિયાકાંડો યાંત્રિકપણે કર્યા કરે છે. તે ઉપવાસાદિ ક્રિયામાં અટકી જાય છે. વ્રતાદિમાં આ ખપે અને આ ન ખપે આદિ બાહ્ય વિધિનિષેધના આરહોને તે વળગી રહે છે અને તેમાં જ ધર્મ છે એમ માની લે છે. તે વિધિ-નિષેધના આગ્રહોમાં રચ્યોપચ્યો રહે છે પણ આત્મસન્મુખ થતો નથી. ધર્મના નામે પણ તે બહિર્મુખ રહે છે, અંતર્મુખ થતો નથી. તે ક્રિયાઓ કરીને પણ માત્ર પરિઘ ઉપર જ ઘૂમ્યા કરે છે, કેન્દ્ર તરફ જતો નથી. તે ભોજનમાં, કપડાંમાં, શરીરમાં ગૂંચવાયેલો રહે છે, પણ તેને આત્માને ઓળખવાની આવશ્યકતા જ લાગતી નથી. બાહ્ય ક્રિયાઓ કરીને પોતે ધર્મ કરી રહ્યો છે એવી ભ્રાંતિમાં તે જીવે છે. તે અન્યને પણ બાહ્ય ક્રિયા ઉપરથી જ મૂલવે છે. જે ખૂબ દાન કરે, ખૂબ ઉપવાસ કરે તેને તે મોટો ધાર્મિક ગણે છે. કેવળ બાહ્ય ક્રિયા એ જ તેને માટે ધાર્મિકતાનો માપદંડ હોય છે. કેવળ બાહ્ય ક્રિયાથી ધર્મ માનનારો આવો ક્રિયાજડ જીવ નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ જિનમતની બહાર છે. સ્વભાવની જાગૃતિ વિના તેનાં કર્મ ક્ષય થતાં નથી. જીવ સ્વભાવની રુચિ કરે તો તેનું વીર્ય સ્વભાવ તરફ ઢળે, પરંતુ ક્રિયાજડને સ્વભાવની રુચિ ન હોવાથી તેનું વલણ સ્વભાવસમ્મુખ થતું નથી અને તેથી મિથ્યાત્વ ટળતું નથી. તેને ત્રિકાળી જ્ઞાનસ્વભાવ રુચતો ન હોવાથી સમ્યગ્દર્શન થતું નથી. સ્વભાવની ઓળખાણ ન હોવાથી તેને રાગની રુચિ છૂટતી નથી અને આત્મપ્રાપ્તિ થતી નથી. નિશ્ચયની અપૂર્વ વાત તે સમજ્યો ન હોવાથી તેનું કાર્ય સધાતું નથી. જીવે નિશ્ચયને લક્ષમાં રાખ્યા વગર અનંત વાર બાહ્ય ક્રિયાઓ કરી છે, પરંતુ એકલી બાહ્ય ક્રિયાથી કદી કાર્યસિદ્ધિ થતી નથી. જીવ ગમે તેટલા પ્રયત્નો કરે - ગમે તેટલાં અનુષ્ઠાનો કરે, પણ જો નિશ્ચયનો લક્ષ ન હોય તો એ મિથ્યા દોડાદોડીથી કાંઈ સાર વળતો નથી. સ્વરૂપના લક્ષ વિના જે પણ પ્રયત્ન થાય છે, તેના ફળરૂપે ક્યારે પણ સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી; માટે જીવે પોતાના સ્વરૂપ પ્રત્યે બોધપૂર્ણ થવું જોઈએ. તેણે આત્માનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. અભ્યાસ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ ઓળખાણ કરવી જોઈએ. પરિઘથી કેન્દ્ર તરફ ગતિ કરવી જોઈએ. સ્વરૂપ પ્રત્યે સજાગ રહી, ધર્મક્રિયાઓ કરવામાં આવે તો જીવ મિથ્યાષ્ટિ રહે નહીં. ‘હું જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છું' એ લક્ષમાં રાખી ધર્મપ્રવૃત્તિ કરવામાં આવે તો અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આમ, જીવે નિશ્ચયનું મૂલ્ય સમજવા યોગ્ય છે. સ્વરૂપલક્ષના અભાવમાં કોઈ પણ ધાર્મિક ક્રિયા ધર્મમાં ગણના પામતી નથી. લક્ષપૂર્વક ક્રિયા કરવામાં આવે છે ત્યારે જ તે ધર્મની સંજ્ઞા પામે છે. તેથી માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં અટકી રહેવા યોગ્ય નથી, પરંતુ તેમાં સ્વરૂપનું લક્ષ જોડી આગળ વધવા યોગ્ય છે. ધર્મક્રિયા એ માત્ર સાધન છે, સાધ્ય નથી; સાધ્ય તો સ્વરૂપમાં પ્રસ્થાપિત થવું, ઉપયોગને શાંત-નિર્વિકલ્પ કરવો એ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૧ ૧૦૩ છે. સાધ્યની જાગૃતિપૂર્વક ધર્મક્રિયાઓ કરવામાં આવે ત્યારે જ સાચી દિશામાં સાધના થાય છે, ક્રમશઃ શાંતિના માર્ગે આગળ વધાય છે અને અંતે પરમ શાંતિરૂપ થવાય છે. નિશ્ચય-વ્યવહારના સમન્વયપૂર્વક સાધના કરતાં મોક્ષમાર્ગે સરળતાથી આગળ વધી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. નિશ્ચય-વ્યવહારનો સમન્વય જ સંસારથી પાર ઉતારે છે. નિશ્ચય અને વ્યવહાર અને સાથે હોય તો જ કલ્યાણકારી છે. આમ, શ્રીમદે એક જ ગાથામાં શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ બન્નેને માર્ગદર્શન આપી યથાર્થ મોક્ષમાર્ગે વાળ્યા છે. એક જ ગાથામાં તેમણે સર્વજ્ઞના હૃદયનો મર્મ પ્રકાશ્યો છે, બધાં શાસ્ત્રોનો સાર આપી દીધો છે. એક જ ગાથામાં તેમણે નિશ્ચય અને વ્યવહાર બન્નેનું મહત્ત્વ સચોટપણે સમજાવી દીધું છે. નિશ્ચયનયથી દરેક આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન છે. તે સ્વરૂપને સાધ્યરૂપે - ધ્યેયરૂપે એક લક્ષે નિર્ધારીને વર્તમાન અશુદ્ધ દશા ટાળવામાં ઉપયોગી એવા સવ્યવહારમાં જે જીવ પ્રવર્તે છે, તેને જ સંપૂર્ણ શુદ્ધ આત્મદશા પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયથી આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે લક્ષમાં રાખી, તેની સન્મુખ દૃષ્ટિ કરી, સત્સાધનો દ્વારા તેને પ્રાપ્ત કરવા જે પુરુષાર્થી થાય છે, તેને પ્રગટ કરવા જે પ્રયત્નશીલ થાય છે, તેને જ તેની પ્રાપ્તિ થાય છે. આમ, એક જ ગાથામાં શ્રીમદે મોક્ષમાર્ગનું રહસ્ય સરળ અને સચોટપણે સમજાવી મુમુક્ષુ જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘નિશ્ચયવાણી સાંભળી, બેસી ઠંડે પેટ; આળસથી એદી બની, બળ ત્યજવું નહીં ઠેઠ. સાધ્ય શુદ્ધ છે એ સુણી, સાધન તજવા નો ય; સાધ્ય સિદ્ધ કરવા ભણી, વિચારી ઊંડું જોય. સિદ્ધ બુદ્ધ પરમાત્મા, સત્તા એહ સમાન; નિશ્ચય રાખી લક્ષમાં, ખોવું કદી ન ભાન. અને શુદ્ધના લક્ષથી, શુદ્ધ દેવ ગુરુ જોય; સમ્યક્ ધર્મ સેવા તણાં, સાધન કરવાં સોય.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પર૧-૫૨૪) Page #137 -------------------------------------------------------------------------- ________________ Page #138 -------------------------------------------------------------------------- ________________ નન એ કુંવ, માં ની કુ≥ળ, માંવવવહા૨ ૧૯, બંને સ રહેલ ગાથા - ૧૩૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૩૨ ગાથા ૧૩૧માં શ્રીમદે કહ્યું કે નિશ્ચયનાં કથનો સાંભળીને સાધન તજવાં [22] ન જોઈએ, પણ નિશ્ચયને લક્ષમાં રાખી, યથાયોગ્ય સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપે પ્રાપ્ત કરવું જોઈએ. આમ, શ્રીમદે નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું. - આત્માર્થી જીવ નિશ્ચય અને વ્યવહાર બન્નેનું યથાયોગ્ય મહત્ત્વ સમજીને, તે બન્નેની સમતુલા જાળવીને ઉત્તરોત્તર આત્મવિકાસ સાધે છે. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે મોક્ષમાર્ગના પથિકો એ બન્નેની સમતુલા જાળવી શકતા નથી અને તેથી તેઓ નિશ્ચય કે વ્યવહારમાંથી કોઈ એકના પક્ષકાર બની જાય છે, જેના પરિણામે તેઓ મુક્તિપથ ઉપર પ્રગતિ કરી શકતા નથી. એકાંગી ધર્મારાધનથી કાર્યસિદ્ધિ થતી નથી, એ વાતને દઢ કરવા અર્થે શ્રીમદ્ આ ગાથામાં કહે છે - નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; (ગાથા) એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.' (૧૩૨) અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. (૧૩૨) નિશ્ચય-વ્યવહારની સંધિનું મહત્ત્વ સ્પષ્ટપણે દર્શાવવા શ્રીમદ્ કહે છે કે ‘શ્રી ભાવાર્થ આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચયનય કે વ્યવહારનયનું એકાંતે કથન કરવામાં આવ્યું નથી. આ ગ્રંથમાં બન્ને નય સાપેક્ષપણે જ્યાં જેમ ઘટે તેમ પ્રયોજ્યા છે. એકલું ત્રિકાળી સ્વરૂપ બતાવનારું જ્ઞાનપડખું આમાં કહ્યું નથી, તેમજ એકલું વર્તમાન પર્યાય બતાવનારું જ્ઞાનનું પડખું પણ કહ્યું નથી; પરંતુ નિશ્ચય અને વ્યવહાર બન્નેને જેમ છે તેમ કહેલ છે. જ્યાં જ્યાં, જેવા જેવા પ્રકારે ઘટતું હોય; ત્યાં ત્યાં, તેવા તેવા પ્રકારે તેનું અવિરોધપણે નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માર્થી જીવે બને નયથી આત્માનું સ્વરૂપ સમજી શુદ્ધાત્માનો પુરુષાર્થ આદરવા યોગ્ય છે, કારણ કે એ બન્નેમાંથી કોઈ પણ નયને એકાંતે ગ્રહણ કરવાથી જીવ માર્ગભષ્ટ થઈ જાય છે. અનેકાંત સિદ્ધાંતનો આધારસ્તંભ જ એ છે કે વ્યવહાર અને નિશ્ચય બનેને પોતપોતાનાં સ્થાને સમાન ઉપકારક માનવામાં આવે. નય એ પ્રમાણનો અંશ છે, તેથી વ્યવહાર અને નિશ્ચય એ બન્ને પ્રમાણના અંશરૂપ છે. બન્ને પોતપોતાના સ્થાનમાં અર્થ) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંપૂર્ણ રીતે બળવાન હોવા છતાં માત્ર સત્યનો અંશ છે, પૂર્ણ સત્ય નહીં; તેથી બને નયના વિચારોની પૂર્તિ કર્યા વિના વસ્તુના પૂર્ણ સ્વરૂપને સમજી શકાતું નથી. જેમ રેલ્વેના બને પાટા કોઈ દિવસ એકબીજાને મળવાના નથી, છતાં ગાડી તો એ બન્ને પાટાના આધાર ઉપર જ ચાલે છે; તેવી રીતે સાધનાની ગાડી પણ વ્યવહાર (પરમાર્થભૂત સવ્યવહાર) અને નિશ્ચયના પાટા ઉપર ચાલે છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે, બુદ્ધ છે, અસંગ છે, જ્ઞાયકસ્વભાવી છે - આ નિશ્ચયનો વિષય છે અને તેવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સ્વાધ્યાય, ભક્તિ, જપ, તપાદિ સાધનો છે તે વ્યવહાર છે. આમ, બને નય પોતપોતાનાં સ્થાને રહી ઉપકારી બને છે, માટે કોઈ એક પક્ષનો મિથ્યા આગ્રહ સેવવો નહીં એમ આ ગાથાનો ફલિતાર્થ છે. અનાદિકાલીન મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન આત્માનુભૂતિ વિના સંભવિત વિશેષાર્થ *] નથી અને આત્માનુભૂતિ આત્મસ્વરૂપના જ્ઞાન વિના સંભવિત નથી. જેને નયજ્ઞાન ન હોય તેને આત્મસ્વરૂપનું પરિજ્ઞાન થઈ શકતું નથી, તેથી મિથ્યાત્વના છેદન માટે નયનું સ્વરૂપ સમજવું માત્ર આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે. નયનાં સ્વરૂપને ઊંડાણથી જાણવાની આવશ્યકતા અસંદિગ્ધ છે. નયની પ્રયોગવિધિમાં જેમણે કુશળતા પ્રાપ્ત કરી છે એવા સગુરુના શરણમાં નયનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. જે વ્યક્તિ નયનું સ્વરૂપ સમજે છે, તેની વસ્તુસ્વરૂપ સંબંધી મિથ્યા કલ્પનાઓ દૂર થાય છે અને દષ્ટિ સમ્યક્ થાય છે; પરંતુ જે વ્યક્તિ નયદષ્ટિથી વિહીન છે, તેને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન થઈ શકતું નથી અને વસ્તુનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણ્યું ન હોવાથી સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. તેથી જ પવિત્ર જિનાગમોમાં નયની ચર્ચા કરવામાં આવી છે. ભિન્ન ભિન્ન નય દ્વારા આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજાતાં આત્માનું સમ્યક અવલોકન થાય છે. નય આત્માનું સ્વરૂપ બતાવી ત્રિકાળી ધ્રુવસામાન્યનો આશ્રય કરાવે છે. નયને જાણવાનું આ જ પ્રયોજન છે. નયના અધ્યયનનું મૂળ પ્રયોજન નિજ પરમ ભાવને જાણીને, માનીને તેમાં જ જામવું-રમવું છે. એ પરમ ભાવ જ એકમાત્ર પરમ શેય છે, પરમ શ્રદ્ધેય છે, પરમ ધ્યેય છે. એ પરમ ભાવના આશ્રયથી જ સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો નયને જાણવાનું પ્રયોજન ચૂકી જવાય તો અનર્થ થાય છે. નયચક્ર અત્યંત તીક્ષ્ણ ધારવાળું છે. જો તેનો બરાબર પ્રયોગ કરતાં ન આવડે તો લાભને બદલે હાનિ થાય છે. જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે છે. તે ઇન્દ્રજાળ જેવી ગૂંચવણીમાં પડી જાય છે. નાનું પ્રયોજન સમજાવતાં શ્રીમદ્ કહે છે – સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧૦૯ તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. પુરુષના આશ્રયે જાળ ટળે.૧ એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.” આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજાવું જોઈએ અને અનંતધર્માત્મક એવા આત્મસ્વરૂપની યથાર્થ સમજણ નય દ્વારા જ થઈ શકે છે. નય અનેકાંતસ્વરૂપ આત્મવસ્તુના અનેક ધર્મોને બતાવે છે, તેથી અનેકાંતદષ્ટિના પ્રકાશમાં નયનું સ્વરૂપ સમજીએ કે જેથી આ ગાથાનો મર્મ યથાર્થપણે ગ્રહણ થાય. જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. વસ્તુસ્વરૂપના પ્રતિપાદનમાં અનેકાંતવાદ એ જૈન દર્શનની મૌલિક વિશેષતા છે. અનેકાંતવાદ એ જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત છે. આ સિદ્ધાંત ખૂબ ગૂઢ અને ગંભીર છે. અનેકાંતવાદનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મ અને પ્રદેશોમાં સમાનપણે માન્ય થયેલો છે, અર્થાત્ જૈન તત્ત્વવિચાર હોય કે આચારવ્યવહાર હોય, એ બન્નેમાં અનેકાંતદષ્ટિ રહેલી હોય છે. આત્મતત્ત્વનું નિરૂપણ હોય કે મોક્ષમાર્ગનું પ્રતિપાદન હોય, અનેકાંતદષ્ટિનું અવલંબન લીધા વિના ચાલી શકતું નથી. જૈનો જેની ભવ્યતા, ઉદારતા, સત્યતા તથા સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે અને તે સંબંધી માન્યતાને ગૌરવની વસ્તુ લેખતા આવ્યા છે, એવા સર્વજ્ઞપ્રતિપાદિત અનેકાંતવાદનો સંક્ષેપમાં વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ અનેકાંતાત્મક છે. અનેકાંત સ્વભાવવાળી હોવાથી સર્વ વસ્તુઓ અનેકાંતાત્મક છે. અનેકાંત શબ્દ ‘અનેક’ અને ‘અંત' એ બે શબ્દોની સંધિથી બન્યો છે. “અનેક' નો અર્થ થાય છે - એકથી અધિક. એકથી અધિક બે પણ થઈ શકે છે અને અનંત પણ. “અંત’નો અર્થ થાય છે ધર્મ અથવા ગુણ. દરેક વસ્તુમાં અનંત ગુણ વિદ્યમાન છે, તેથી જ્યાં ‘અનેક' નો અર્થ અનંત લેવામાં આવે ત્યાં ‘અંત'નો અર્થ ગુણ થાય. આ વ્યાખ્યાને અનુસરીને અનેકાંતનો અર્થ એમ થાય કે અનંતગુણાત્મક વસ્તુ જ અનેકાંત છે. જેમાં અનંત અંત, એટલે કે અનંત ગુણ હોય તે અનેકાંત છે. પરંતુ જ્યાં “અનેક'નો અર્થ બે લેવામાં આવે ત્યાં “અંત'નો અર્થ ધર્મ થાય છે. ત્યારે અનેકાંતનો અર્થ થાય - પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા બે ધર્મોનું એક જ વસ્તુમાં હોવું. વસ્તુમાં અસ્તિ-નાસ્તિ, તત્-અતર્, અભેદ-ભેદ, દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મો એકીસાથે રહેલા છે તેનું નામ અનેકાંત છે. જે સતુ છે, તે જ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૫ (ઉપદેશછાયા-૧૧) ૨- એજન, પૃ.૭૫૦ (વ્યાખ્યાનમાર-૧, ૧૨૩) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અસત્ છે; જે નિત્ય છે, તે જ અનિત્ય છે; જે એક છે, તે જ અનેક છે. એ પ્રમાણે એક જ વસ્તુમાં વસ્તુત્વને ઉપજાવનાર પરસ્પર વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશિત થવું એ અનેકાંત છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મો અપેક્ષાભેદથી અવિરોધ હોઈ શકે છે એમ બતાવનાર સિદ્ધાંત. કોઈ પણ વસ્તુના સ્વરૂપની પૂર્ણતા કોઈ એક ધર્મથી નથી થતી, પરંતુ અનેક ધર્મોથી થાય છે. વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે, તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ધર્મો પણ રહેલા છે. અપેક્ષાભેદથી તેમાં અવિરોધ છે એમ અનેકાંતવાદ સિદ્ધ કરી આપે છે. કોઈ પણ વસ્તુ અંગે જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો તેમાં અનેક ધર્મો (ગુણો) રહેલા છે એમ જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ધર્મો પણ જણાશે જેમ કે (૧) નિર્બળતા અને સબળતા એ બન્ને પરસ્પર વિરોધી હોવા છતાં એક જ જીવમાં રહેલા હોય છે. (૨) એક જ વ્યક્તિ હોંશિયાર પણ હોય છે અને મૂર્ખ પણ હોય છે. (૩) એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકસાનકારક પણ હોય છે. આમ, પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો રહેલા હોય છે. દરેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનેક ધર્મયુગલોનો પિંડ છે. આ સાંભળીને કોઈને સ્વાભાવિકપણે શંકા થાય કે પ્રકાશ અને અંધકાર એક સ્થળે એકીસાથે કઈ રીતે હોઈ શકે? આ શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ અનેકાંતવાદનો સિદ્ધાંત સમજાવ્યો છે. અનેકાંતવાદ કહે છે કે એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે પરસ્પર વિરોધી ભાસે છે તે ધર્મો વિરોધી છે જ નહીં. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં એકસાથે રહી શકે જ નહીં. પરસ્પર વિરોધી દેખાતા ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. ઉપર્યુક્ત ઉદાહરણો વડે આ વાત સમજીએ (૧) હાથી બળવાન છે કે નિર્બળ? એ પ્રશ્નના ઉત્તરમાં તરત કહેવામાં આવશે કે હાથી બળવાન છે, અર્થાત્ હાથીમાં બળ ધર્મ છે. તે છતાં જમીન ઉપર બળવાન જણાતો હાથી જળમાં નિર્બળ બની જાય છે. પાણીમાં ગયેલા હાથીને જો મગર પકડી લે તો હાથીમાં રહેલ નિર્બળતારૂપ ધર્મ પ્રગટ થઈ જાય છે. આમ, હાથીમાં બન્ને ધર્મો રહેલા છે, જમીનની અપેક્ષાએ બળવાન અને જળની અપેક્ષાએ નિર્બળ. (૨) સંસ્કૃત ભાષાના વિદ્વાનને જ્યારે ખેતીવિષયક પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેણે Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧૧૧ માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત ભાષાની અપેક્ષાએ તે જ્ઞાની છે, તો ખેતીવિષયક જ્ઞાનની અપેક્ષાએ તે અજ્ઞાની છે. (૩) દૂધ અમૃત પણ છે અને ઝેર પણ છે. દુર્બળ દર્દીની અપેક્ષાએ દૂધ અમૃત છે, જ્યારે સંગ્રહણીના દર્દીની અપેક્ષાએ દૂધ ઝેર છે. આમ, એક જ વસ્તુમાં વિરોધી દેખાતા ધર્મો જુદી જુદી અપેક્ષાએ રહે છે. એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જુદાં જુદાં સ્વરૂપોનું દર્શન થાય છે, જેમાં વસ્તુનાં અનેક વિરોધી સ્વરૂપોનાં દર્શન પણ થાય છે. અપેક્ષા બદલાતાં દર્શન બદલાય તેમાં કોઈ વિસંવાદ નથી. અપેક્ષા ન બદલાય અને દર્શન બદલાય તો જરૂર તે વિસંવાદ છે. સઘળો વ્યવહાર અપેક્ષાથી ચાલે છે. વસ્તુમાં રહેલાં અનેક ધર્મોમાંથી જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને વ્યવહાર કરવામાં આવે છે. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, બહાદુરપણું, સૌમ્યપણું વગેરે અનેક ગુણો હોવા છતાં જ્યારે જે ગુણનું પ્રયોજન હોય ત્યારે તેને આગળ કરીને વ્યવહાર કરવામાં આવે છે. એ વ્યક્તિ જ્યારે શાળામાં હોય ત્યારે તેના વિદ્યાર્થીપણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહેવામાં આવે છે. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેને બહાદુર કહેવામાં આવે છે. જ્યારે તેની મુખાકૃતિ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતી સૌમ્યતાને આગળ કરીને તેને સૌમ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે એક જ વ્યક્તિમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં પ્રસંગ અનુસાર તે તે ગુણને આગળ કરવામાં આવે છે. વસ્તુના અનેકાંતસ્વરૂપને સમજાવવાવાળી સાપેક્ષ કથનપદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. અનેકાંતમયી વસ્તુના વિભિન્ન ધર્મોનું કથન કરવાવાળી પદ્ધતિને સ્યાદ્વાદ કહેવામાં આવે છે. વસ્તુના અનંત ધર્મોને સ્વીકારનાર મત તે અનેકાંત અને તેનું કથન કરવાની જે પદ્ધતિ તે સ્યાદ્વાદ. અનેકાંતને રજૂ કરનાર શૈલી તે સ્યાદ્વાદશૈલી છે. અનેકાંતની પ્રરૂપણા સ્યાદ્વાદથી જ થાય છે. જેમ કેવળજ્ઞાનને પ્રગટ કરનાર શ્રુતજ્ઞાન છે, તેમ અનેકાંતને પ્રગટ કરનાર સ્યાદ્વાદ છે. અનેકાંત એ જ્ઞાનસ્વરૂપ છે, જ્યારે સ્વાવાદ એ જ્ઞાનસ્વરૂપ હોવાની સાથે કથનપદ્ધતિ છે. સ્યાદ્વાદ એ સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપનું યથાર્થ કથન કરવાવાળી સર્વજ્ઞ ભગવાને બતાવેલી નિબંધ પદ્ધતિ છે. ચાત્' એટલે “કથંચિત્' અને ‘વાદ' એટલે “કહેવું'. અનંતધર્માત્મક વસ્તુનું ‘ચાત્' શબ્દથી કથન કરવું તે સ્યાદ્વાદ છે. અનેકાંતને પ્રકાશિત કરવા ‘સ્યાતું' શબ્દનો પ્રયોગ કરાય છે. ‘સ્યાત્' શબ્દ વડે, અર્થાત્ “અપેક્ષા' શબ્દ વડે જ્યારે વસ્તુના અનંત ધર્મોમાંના કોઈ એક વિવક્ષિત ધર્મને પ્રગટ કરવામાં આવે છે ત્યારે તે જ સમયે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવિવક્ષિત ધર્મો ગૌણ હોય છે, તેનો અભાવ હોતો નથી. આ સ્યાદ્વાદશૈલી છે. જગતમાં કોઈ પણ તત્ત્વ - જડ કે ચૈતન્ય - અનંતધર્માત્મક છે. તેને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવું, તેનો સ્વીકાર કરવો અને તેનું કથન કરવું એ સ્યાદ્વાદશૈલી છે. ‘ચાતુ' શબ્દનો અર્થ સંદેહ કે સંભવિતતા થતો નથી. સંદેહ કે સંભવિતતામાં અનિશ્ચિતતા છે, પરંતુ ‘સ્યાત્' શબ્દ તો એક નિશ્ચિત સ્થિતિને વ્યક્ત કરે છે કે અમુક અપેક્ષાએ તે વસ્તુ આમ જ છે. નિરપેક્ષ વાક્યમાં પણ હોય, પરંતુ અપેક્ષા લગાડતાં જ સાપેક્ષ વાક્યમાં કાર આવી જાય છે. અપેક્ષા લગાડ્યા પછી એમ કહે કે “કાકાની અપેક્ષાએ ભત્રીજો પણ છે અને ભાણેજ પણ છે' તો તે મિથ્યા ઠરશે. કાકાની અપેક્ષાએ તે ભત્રીજો જ છે અને મામાની અપેક્ષાએ તે ભાણેજ જ છે. અપેક્ષા ન લગાડી હોય ત્યાં સુધી એમ કહી શકાય કે તે ભત્રીજો પણ છે અને ભાણેજ પણ છે', પરંતુ અપેક્ષા લગાડતાં નિશ્ચિતતાસૂચક કાર આવી જાય છે. વચન નિરપેક્ષ હોય ત્યાં સુધી ‘પણ' બોલવું પડે અને વચન સાપેક્ષ બન્યા પછી ‘જ' બોલવું પડે. સ્યાદ્દવાદ એટલે વસ્તુનાં વિવિધ સ્વરૂપોનું દર્શન. વસ્તુનું અંશે દર્શન તે આંશિક દર્શન છે. વસ્તુના તમામ અંશોનું દર્શન તે સંપૂર્ણ દર્શન છે. વસ્તુના આંશિક દર્શનને અનુલક્ષીને વસ્તુને તે સ્વરૂપે કહેવી તે આંશિક સત્ય કહેવાય છે. વસ્તુના પૂર્ણ દર્શનને અનુલક્ષીને વસ્તુને પૂર્ણ સ્વરૂપે કહેવી તે પૂર્ણ સત્ય કહેવાય છે. આંશિક સત્યને નયવાક્ય કહે છે અને પૂર્ણ સત્યને પ્રમાણવાક્ય કહે છે. બીજાં આંશિક સત્યોને ધિક્કારવાપૂર્વકના આંશિક સત્યને દુર્નયવાક્ય કહેવાય છે. નય વસ્તુના એક ધર્મને ગ્રહણ કરે છે, પરંતુ તે સુનય ત્યારે જ કહેવાય જ્યારે તે સાપેક્ષ હોય. જો નય નિરપેક્ષ હોય, અન્ય નયનો કે ધર્મનો નિષેધ કરતો હોય તો તે દુર્નય બની જાય છે. સાપેક્ષ નય દ્વારા ગૃહીત એકાંતોનો સમૂહ તે અનેકાંત છે અને અનેકાંતનો પ્રતિપાદક તે સ્યાદ્વાદ છે. નયવાદ વિશ્લેષણાત્મક છે, અર્થાત્ દરેક નય વસ્તુના એક અંશને જ રહણ કરે છે; જ્યારે સ્યાદ્વાદ સંકલનાત્મક છે, કારણ કે વસ્તુના અનંત ધર્મોનું કથન તે ‘સ્યાસ્પદથી કરે છે. પ્રમાણ સર્વ નાયરૂપ છે, કારણ કે નયવાક્યોમાં ‘ચાત્' શબ્દ લગાવીને બોલવું તે પ્રમાણ છે. આ વાતને એક દષ્ટાંત વડે સમજીએ. નીચે ત્રણ પ્રકારનાં વાક્યો આપ્યાં છે – (૧) દાન જ ધર્મ છે. (૨) દાન ધર્મ છે જ. (૩) દાન પણ ધર્મ છે. (૧) દુર્નયવાક્ય - ‘દાન જ ધર્મ છે' તે વાક્ય દુર્નય છે. આ વાક્યથી વક્તા દાનને ધર્મ તરીકે ગણાવે છે એટલું જ નહીં, ધર્મનાં બીજાં અંગોનો નિષેધ કરે છે. શીલ, Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧૧૩ તપ, ભાવ વગેરે ધર્મનાં બીજાં અંગોની અહીં ‘જ’કાર દ્વારા અવગણના સૂચિત થાય છે. દાનને જ અહીં ધર્મ તરીકે સ્વીકારી અન્ય પ્રકારના ધર્મો પ્રત્યે અસ્વીકારનો ભાવ વ્યક્ત કર્યો છે. (૨) સુનયવાક્ય ‘દાન ધર્મ છે જ' તે વાક્ય સુનય છે. આ વાક્યથી વક્તા દાનને ધર્મ તરીકે ગણાવે છે, પરંતુ ત્યાં શીલ, તપ, ભાવ વગે૨ે અન્ય ધર્મોનો નિષેધ કરવામાં આવ્યો નથી. અહીં દાન ધર્મનું એક અંગ છે તે સ્વીકારવામાં આવ્યું છે. દાન ઉપર વધુ ઝોક ચોક્કસ છે, પરંતુ અન્ય અંગો શીલ, તપ અને ભાવ વગેરે પ્રત્યે તિરસ્કાર નથી. બીજાં અંગોની અહીં અવગણના કરવામાં આવી નથી. અહીં તો વક્તાને એટલું જ કહેવું છે કે દાન એ ધર્મનું અંગ છે જ. પહેલા વાક્યમાં ફક્ત દાન જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ જ નથી એવું જે અભિપ્રેત છે, તે અહીં નથી. દુર્નયવાક્યમાં પોતાની વાતની રજૂઆતમાં બીજાની અવગણના (નિષેધ) અભિપ્રેત છે, જ્યારે સુનયવાક્યમાં પોતાની વાતના મંડનમાં બીજાની માત્ર ગૌણતા છે; અર્થાત્ દાન ધર્મ છે જ', તેની સાથે શીલ, તપ, ભાવ વગેરે ધર્મ હોય એવું અભિપ્રેત છે. આવું વાક્ય સુનયવાક્ય અથવા નયવાક્ય કહેવાય છે. નયવાક્યને અસરકારક બનાવવા માટે ક્યારેક ‘જ’કારનો પ્રયોગ થાય છે. શાસ્ત્રોમાં કેટલીક વાર જે સ્થાને જે નયને પુષ્ટ કરવો હોય તે નયને જ મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ તેટલામાત્રથી તે નયની વાત જ સાચી છે, બીજા નયની વાત ખોટી છે એમ કદી ન કહી શકાય. જ્યારે શાસ્ત્રમાં દાન ધર્મનું વર્ણન ચાલતું હોય છે ત્યારે દાન ધર્મ છે, દાન વિના મોક્ષ સંભવે નહીં વગેરે વગેરે વાતો ભારપૂર્વક રજૂ કરવામાં આવે છે. જો અપેક્ષા સમજ્યા વિના તેને એકાંતે પકડવામાં આવે તો એકાંત મિથ્યાત્વનો દોષ લાગે છે. જ્યારે કૃપણને સમજાવવો હોય ત્યારે દાન ધર્મ ઉપર ભાર મૂકવામાં આવે છે, પરંતુ તેથી શીલ વગેરે ધર્મો પ્રત્યે તિરસ્કારની ભાવના એમાં અભિપ્રેત હોતી નથી. (૩) પ્રમાણવાક્ય ‘દાન પણ ધર્મ છે' તે પ્રમાણવાક્ય છે. આ છે સંપૂર્ણ સ્યાદ્વાદ વચન. જુદી જુદી અપેક્ષાએ શીલ, તપ વગેરે બીજા ધર્મોનો સ્વીકાર આ વાક્યના ‘પણ' શબ્દથી થાય છે. ‘દાન પણ ધર્મ છે' એમ કહેવામાં ભલે શીલ, તપ કે ભાવ વિષે ન બોલાયેલું હોય, પણ એમ કહી શકાય ખરું કે ‘શીલ પણ ધર્મ છે', ‘તપ પણ ધર્મ છે', ‘ભાવ પણ ધર્મ છે'. આ બધાનું કથન અહીં ન થયું હોવા છતાં શ્રોતાને એવી અસર ચોક્કસ થાય છે કે માત્ર દાન જ ધર્મ છે એવું નથી, તે સિવાય ધર્મનાં બીજાં અંગો પણ છે. તે ઉપરાંત દાન ધર્મ છે તે વાતની નિશ્ચિતતા પણ આવી જાય છે. આ વચન ધર્મના સંપૂર્ણ સ્વરૂપનું દર્શક બની જાય છે, તેથી તે સ્યાદ્વાદ છે. - Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ટૂંકમાં, જેમાં બીજાં સ્વરૂપોનો ‘જ’કારના પ્રયોગથી અસ્વીકાર સૂચિત થાય છે તેને દુર્નય કહેવાય છે. જ્યાં બીજાં સ્વરૂપોનો સ્વીકાર પણ નથી અને અવગણના પણ નથી, માત્ર ગૌણતા છે તેને સુનય કહેવાય છે અને જ્યાં બીજાં તમામ સ્વરૂપોનો ‘પણ’ શબ્દના પ્રયોગથી સ્વીકાર સૂચિત થાય છે તેને પ્રમાણવાક્ય કહેવાય છે. આ જ વાત અનેકાંતની પરિભાષામાં સમજવી હોય તો તે આ પ્રમાણે છે અનેકાંત (અનેક ધર્મ) એકાંત (એક ધર્મ) ૧૧૪ મિથ્યા (પ્રમાણાભાસ) સમ્યક્ (પ્રમાણ) (૧) સમ્યક્ અનેકાંત અને મિથ્યા અનેકાંત વસ્તુમાં રહેલા અનેક ધર્મોનું નિરૂપણ કરવામાં જે તત્પર છે તે સમ્યક્ અનેકાંત છે. એક વસ્તુમાં રહેલ પરસ્પર વિરોધી શક્તિઓ પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક્ અનેકાંત છે. સમ્યક્ અનેકાંતથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે, તેનાથી વિપરીત વસ્તુસ્વરૂપની કલ્પના કરવી, તેમાં જે સ્વભાવ ન હોય તેની કલ્પના કરવી તે મિથ્યા અનેકાંત છે. સમ્યક્ અનેકાંત તે પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત તે પ્રમાણાભાસ છે. દૃષ્ટાંત (૧) આત્મામાં નિત્ય-અનિત્ય, શુદ્ધ-અશુદ્ધ વગેરે ધર્મયુગલ દર્શાવાય છે. તે યુગલનો પ્રત્યેક ધર્મ આત્મામાં વિદ્યમાન હોય છે, તેથી તેનો સ્યાદ્વાદ થઈ શકે છે; પરંતુ કોઈ પણ યુગલનો કોઈ એક ધર્મ આત્મામાં ન હોય તો તે યુગલનો સ્યાદ્વાદ મિથ્યા છે. જેમ કે આત્મા ચેતન પણ છે અને જડ પણ છે.' આ પ્રકારનો સ્યાદ્વાદ મિથ્યા છે, કારણ કે યુગલના બન્ને ધર્મો આત્મામાં વિદ્યમાન હોય તો જ તેનો સ્યાદ્વાદ થઈ શકે. ‘આત્મા ચેતન પણ છે અને જડ પણ છે.' આત્મામાં ચૈતન્યધર્મ સ્યાદ્વાદ થઈ જ શકે નહીં. તેને આ પરંતુ જડ નથી.' એમ અસ્તિ-નાસ્તિરૂપે તો છે, પણ જડત્વધર્મ નથી, તેથી તેનો રીતે ઘટાવી શકાય કે ‘આત્મા ચેતન તો છે, ઘટાવી શકાય. સમ્યક્ (નય) મિથ્યા (નયાભાસ) દૃષ્ટાંત (૨) ‘આ વ્યક્તિ કાકા પણ છે અને મામા પણ છે', તે સમ્યક્ અનેકાંત છે. એ જ વ્યક્તિ માટે એમ કહેવું કે આ કાકા પણ છે અને કાકી પણ છે' તે મિથ્યા અનેકાંત છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧, સૂત્ર ૬-૭ 'अनेकान्तोऽपि द्विविधः - सम्यगनेकान्तो मिथ्यानेकान्त इति । ' Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨. ૧૧૫ (૨) સમ્યક એકાંત અને મિથ્યા એકાંત પદાર્થનું જ સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલા તે પદાર્થની એક અપેક્ષાને - પડખાને વિષય કરનાર નય તે સમ્યક્ એકાંત છે. કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલ અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. વસ્તુનો એક ધર્મ મુખ્ય કરી બીજાને ગૌણ કરવો તે સમ્યક એકાંત છે અને એક ધર્મને મુખ્ય કરી બીજાનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. “આ સાચું છે જ' - આ વાક્યમાં માત્ર કહેવાયેલ ધર્મની મહત્તા દર્શાવવાનો હેતુ છે, અન્યનો નિષેધ નથી, તેથી તે સમ્યફ એકાંત છે; જ્યારે “આ જ સાચું છે' - આ વાક્યમાં સત્યનો નિષેધ હોવાથી તે મિથ્યા એકાંત બને છે. સમ્યક્ એકાંત તે નય અથવા સુનય છે અને મિથ્યા એકાંત તે નયાભાસ અથવા દુર્નય છે. દૃષ્ટાંત (૧) – ‘સમ્યજ્ઞાનથી મોક્ષ છે જ એમ જાણવું તે સમ્યક એકાંત છે, કેમ કે સમ્યજ્ઞાનપૂર્વકની ક્રિયાથી જ મોક્ષ છે એમ ગર્ભિતપણે આવી જાય છે. “સમ્યજ્ઞાનથી જ મોક્ષ છે' એમ જાણવું તે મિથ્યા એકાંત છે, કેમ કે ત્યાં ક્રિયાનો નિષેધ હોવાથી તે મિથ્યા વચન છે. “સમ્યજ્ઞાનથી મોક્ષ છે જ' - આ વાક્યમાં માત્ર કહેવાયેલ ધર્મની મહત્તા દર્શાવવાનો હેતુ છે, ક્રિયાનો નિષેધ નથી, તેથી તે સમ્યક એકાંત છે; જ્યારે સમ્યજ્ઞાનથી જ મોક્ષ છે' - આ વાક્યમાં ક્રિયાનો નિષેધ હોવાથી તે મિથ્યા એકાંત બને છે. દૃષ્ટાંત (૨) – એક વ્યક્તિ માટે ભત્રીજો કહે છે કે “આ કાકો છે જ.' આ સમ્ય એકાંત છે, કારણ કે મામા વગેરે બીજાં સત્યોની અહીં અવગણના કરવામાં નથી આવી. ગર્ભિતપણે તેનો સ્વીકાર છે, ભલે પ્રગટપણે એક જ ધર્મનો સ્વીકાર કર્યો છે. અન્ય ધર્મનો નિષેધ ન હોવાથી તે આંશિક સત્ય છે, માટે તે સમ્યક એકાંત છે. જો ભત્રીજો કહે છે કે ‘આ કાકા જ છે' તો આ મિથ્યા એકાંત છે, કારણ કે ભત્રીજો તે વ્યક્તિને પોતાના કાકા ગણાવે છે એટલું જ નહીં, પણ તેનાં ‘મામા' વગેરે તમામ સ્વરૂપોનો નિષેધ કરે છે. સમ્યક એકાંત તે નય કહેવાય છે અને સમ્યક અનેકાંત તે પ્રમાણ કહેવાય છે. પ્રમાણ અને નય એ બન્ને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તે જ્ઞાન. કોઈ પણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય બન્ને દ્વારા થાય છે. આથી પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણ અને નય બને વડે વસ્તુનો યથાર્થ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧, સૂત્ર ૬-૭ ‘ાન્તો ત્રિવિધ- સભ્યશાન્તો મિથ્યવાન્ત તિ |’ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બોધ થાય છે. ૧ પ્રમાણ અને નય બને અનંતધર્માત્મક વસ્તુને જાણનાર જ્ઞાન જ છે, પરંતુ તેમાં મુખ્ય ભેદ એ છે કે પ્રમાણ વસ્તુના અનંત ધર્મોને જાણે છે અને નય વસ્તુના એક પડખાને જાણે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને ગ્રહણ કરે છે, જાણે છે; જ્યારે નય વસ્તુના એક દેશને ગ્રહણ કરે છે, જાણે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જાણવાવાળું જ્ઞાન તે નય છે. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા અનંત ધર્મના સમુદાયરૂપ વસ્તુના એક અંગનું જ્ઞાન મુખ્યતાથી કરે તે નય છે. અનંતધર્માત્મક વસ્તુના કોઈ પણ એક ધર્મને મુખ્ય કરી જાણે તેને નય કહે છે. પ્રમાણનો વિષય અનંત ધર્મના સમુહરૂપ વસ્તુના બધા ધર્મો અથવા પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. અનંતધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને અથવા પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા ધર્મયુગલોમાંથી કોઈ એક ધર્મને નય પોતાનો વિષય બનાવે છે. જેમ કે આત્મા દ્રવ્યદૃષ્ટિથી નિત્ય, ધ્રુવ, અચલ છે અને પર્યાયદૃષ્ટિથી ક્ષણિક અનિત્ય છે. આત્મામાં એક પડખું નિત્ય છે અને બીજું પડખું અનિત્ય છે. જેનાથી આત્માના નિત્યઅનિત્ય ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જેનાથી આત્માના નિત્ય કે અનિત્ય કોઈ પણ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ થાય તે નય. દ્રવ્ય-પર્યાયાત્મક આત્મા નિત્ય છે કે અનિત્ય છે એ બાબતમાં “આત્મા નિત્યાનિત્ય છે' આ વાક્ય પ્રમાણવાક્ય છે અને ‘આત્મા નિત્ય છે' અથવા આત્મા અનિત્ય છે' આ વાક્ય નયવાક્ય છે. “આત્મા નિત્યાનિત્ય છે એ વાક્યથી નિત્યત્વ અને અનિયત્વ ધર્મની દૃષ્ટિએ આત્માનો પૂર્ણ બોધ થાય છે. “આત્મા નિત્ય છે' એ વાક્યથી આત્માનો નિત્યરૂપે બોધ થાય છે, જ્યારે આત્મા અનિત્ય પણ છે એ બોધ થતો નથી. એ જ પ્રમાણે આત્મા અનિત્ય છે' એ વાક્યથી આત્માનો અનિત્યરૂપે બોધ થાય છે, પરંતુ આત્મા નિત્ય પણ છે એ બોધ થતો નથી. પ્રમાણ કોઈ પણ બાબતનો પૂર્ણ બોધ કરાવે છે, જ્યારે નય આંશિક બોધ કરાવે છે. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, જ્યારે નયથી આંશિક બોધ થાય છે, તેથી નય પ્રમાણનો અંશ છે. નય એ પ્રમાણનો એક ભાગ છે. નય અને પ્રમાણ વચ્ચે અંગગીભાવ છે. પ્રમાણ અંગી છે, નય તેનાં અંગો છે; અર્થાત્ નય પ્રમાણનો અંશ છે.” નય પ્રમાણનો અંશ હોવાથી તેને પ્રમાણરૂપ સ્વીકારી શકાય નહીં. તો પ્રશ્ન થાય કે નય જો પ્રમાણરૂપ ન હોય તો તે મિથ્યા ઠરે અને જિનાગમમાં મિથ્યા જ્ઞાનને કોઈ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૬ ‘પ્રમાણનવૈરધામ: ’ ૨- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આલાપપદ્ધતિ', શ્લોક ૯ પ્રમાણેન વસ્તુસંગૃહીતાર્થઝાશો નય: I' Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સ્થાન નથી. તેનું સમાધાન કરતાં જ્ઞાનીઓ કહે છે કે જેમ સમુદ્રના પાણીનું એક બિંદુ સમુદ્ર ન કહેવાય તેમજ અસમુદ્ર પણ ન કહેવાય. તેના માટે એટલું જ કહેવાય કે તે સમુદ્રનો એક અંશ છે. જો સમુદ્રના એક બિંદુને સમુદ્ર માનવામાં આવે તો એ બિંદુ સિવાયનો સમુદ્રનો શેષ ભાગ અસમુદ્ર બની જાય અથવા જો સમુદ્રના દરેક બિંદુને એક એક સમુદ્ર ગણવામાં આવે તો એક જ સમુદ્રમાં અસંખ્ય સમુદ્રનો વ્યવહાર થવા લાગે. હકીકતમાં એવો વ્યવહાર સંભવે નહીં. તેના માટે કેવળ એટલું જ કહી શકાય કે બિંદુ સમુદ્રનો અંશ છે. તે જ રીતે નય તે પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી; પરંતુ પ્રમાણનો એક અંશ છે, તેથી આંશિક સત્ય છે. જેમ પ્રમાણ શુદ્ધ જ્ઞાન છે, તેમ નય પણ શુદ્ધ જ્ઞાન છે. ફરક એટલો જ કે પ્રમાણનું શુદ્ધ જ્ઞાન પૂર્ણ વસ્તુને સ્પર્શે છે અને નયનું શુદ્ધ જ્ઞાન વસ્તુના અંશને સ્પર્શે છે. નયની પ્રવૃત્તિ પ્રમાણ દ્વારા જાણવામાં આવેલ પદાર્થના એક અંશમાં થાય છે. મર્યાદાનું તારતમ્ય છતાં એ બન્ને શુદ્ધ જ્ઞાન જ છે. જૈન દર્શનમાં પ્રમાણ અને નય બન્નેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નય પ્રમાણથી અભિન્ન છે, પ્રમાણનો એકદેશ છે તથા તેની પ્રામાણિકતામાં કોઈ સંદેહની સંભાવના નથી. વસ્તુસ્વરૂપના પ્રતિપાદનમાં એ પ્રામાણિક છે. જૈન દર્શનની આ અનુપમ કથનશૈલીની ઉપેક્ષા કરવી ઉચિત નથી. ગાથા-૧૩૨ પ્રમાણદૃષ્ટિ વસ્તુના પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરે છે અને નયદૃષ્ટિ વસ્તુના જુદા જુદા ધર્મને ખંડરૂપે ગ્રહણ કરે છે. તો પ્રશ્ન એ થાય કે જો નય પ્રમાણનો અંશ જ હોય તો તેની ભિન્ન પ્રરૂપણા શા માટે? પ્રરૂપણા શું એક જ પ્રકારે ન થઈ શકે? તેનું સમાધાન આ પ્રમાણે છે પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. કેવળજ્ઞાનમાં એ અનંત ધર્મો યુગપત્ જણાય છે. સમગ્ર વિશ્વના સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થોનું, તેના સર્વ ભાવ અર્થાત્ સર્વ ગુણ-પર્યાય સહિતનું સમયમાત્રમાં થતું જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળી ભગવંતો એકસાથે અનંત ધર્મોને જાણી શકે છે, તેમ છતાં તેનું કથન કરવું હોય તો તે ક્રમશઃ જ સંભવિત બને છે. તેમને વસ્તુના અનંત ધર્મોનું જ્ઞાન એકીસાથે થતું હોવા છતાં તેને પ્રગટ કરવાની સામગ્રી(વાણી)ની મર્યાદાના કારણે તેનું કથન ક્રમશઃ જ બની શકે છે. એ બધાનું કથન એકીસાથે સંભવિત નથી, કારણ કે શબ્દોની શક્તિ સીમિત છે, એ એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. દ્રવ્યદૃષ્ટિથી વસ્તુ જે સમયે નિત્ય છે, પર્યાયદૃષ્ટિથી તે જ સમયે અનિત્ય પણ છે, પરંતુ વાણીથી જ્યારે નિત્યતાનું કથન કરવામાં આવે ત્યારે અનિત્યતાનું કથન સંભવિત નથી, તેથી નયની પ્રરૂપણા આવશ્યક છે. કેવળી ભગવંતો દરેક વસ્તુનાં સર્વ પડખાંઓનું એકીસાથે જ્ઞાન કરી શકે છે, પરંતુ તેનું કથન એકીસાથે નથી કરી શકતાં; જ્યારે છદ્મસ્થ જીવને તે સર્વ પડખાંઓનું Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન નિરૂપણ તો શું, જ્ઞાન પણ એકસાથે નથી થઈ શકતું. છદ્મસ્થ એક સમયમાં બધું જાણી શકતા નથી. ચિત્રકાર દ્વારા ચિત્રિત થતા ચિત્ર અને અરીસા દ્વારા પ્રતિબિંબિત થતા ચિત્રમાં જેવો ફરક છે તેવો ફરક ક્રમિક દર્શન, અર્થાત્ છાદ્મસ્થિક દર્શન અને અક્રમિક દર્શન, અર્થાત્ કેવળદર્શનમાં છે. ક્રમિક છે તે એક પછી એક છે (by and by), જ્યારે અક્રમ છે તે સમુચ્ચય છે (all at one time). છદ્મસ્થનું જ્ઞાન એકસાથે અનંત ધર્મોને જાણી શકતું જ નથી, કારણ કે તેનું જ્ઞાન મર્યાદિત છે. તેને વસ્તુસ્વરૂપનું જ્ઞાન ક્રમશઃ જ થાય છે. જેમ કોઈ માણસને હાથીનું વજન કરવું હોય, પરંતુ તેની પાસે ત્રાજવું નાનું હોય તથા વજનનું કાટલું એક જ હોય અને તે પણ માત્ર ૧૦ કિલોગ્રામનું, તો તે આ સંજોગોમાં કઈ રીતે હાથીનું વજન કરી શકશે? હાથીને નદીકિનારે લઈ જઈ એક હોડીમાં ચઢાવી દેવામાં આવે, હોડી પાણીમાં કેટલી ડૂબી એનું નિશાન કરી લેવામાં આવે, હાથીને બહાર કાઢી તે હોડીને નાના પથ્થરોથી ભરવામાં આવે કે જેથી તે નિશાન સુધી હોડી ડૂબે અને પછી તે પથ્થરોને કાઢી પ્રાપ્ત સાધનોથી જોખવામાં આવે તો હાથીનું વજન જાણી શકાય. જો મોટો યાંત્રિક કાંટો હોય તો હાથીનું વજન એકસાથે થઈ જાય. તેવી રીતે કેવળીનું જ્ઞાન બધું એકસાથે ગ્રહણ કરે છે, જ્યારે છદ્મસ્થને ક્રમશઃ વસ્તુનું જ્ઞાન થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુવિષયક વિચાર છદ્મસ્થને ઉત્પન્ન થાય છે ત્યારે તે વિષયમાં અંશે અંશે વિચાર ઉત્પન્ન થાય છે અને અંતે તે સમગ્રતામાં પરિણમે છે. પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુના વિષયમાં જે અંશે અંશે સ્પર્શતી માનસિક વિચારપ્રક્રિયા થાય છે તે નય છે, શબ્દમાં ઉતારવામાં આવતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય છે. આમ, વિચારની ઉત્પત્તિનો ક્રમ અને તેનાથી થતો વ્યવહાર તે બન્ને દૃષ્ટિએ પ્રમાણની પ્રરૂપણાથી નયની પ્રરૂપણા ભિન્નપણે કરવી અનિવાર્ય બને છે. વસ્તુ અનંતધર્માત્મક હોવા છતાં પ્રત્યેક સમયે અનંત ધર્મોની વિવક્ષા હોતી નથી. જીવની રુચિ, પ્રવૃત્તિ આદિ પ્રસંગવશાત્ કોઈ એક ધર્મને જ તે મુખ્ય કરે છે. કોઈ વાર વસ્તુના સામાન્ય સ્વરૂપને તે ગ્રહણ કરે છે તો કોઈ વાર વસ્તુના વિશેષ સ્વરૂપ તરફ તેની દૃષ્ટિ જાય છે. માટે જ જ્ઞાતાના અભિપ્રાયને પણ નય કહે છે. અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય કે સિદ્ધાંત એ સર્વ નય કહી શકાય.૧ વસ્તુ અનંતધર્માત્મક હોવાથી તે ખૂબ જટિલ છે. તેને જાણી શકાય છે, પણ વાણીમાં મૂકવી કઠિન છે, તેથી તેના એક એક ધર્મનું ક્રમપૂર્વક નિરૂપણ થાય છે. કયો ધર્મ પહેલો કહેવો અને કયો ધર્મ પછી કહેવો એવો કોઈ નિયમ નથી. વસ્તુના ૧- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આલાપપદ્ધતિ', શ્લોક ૯ ‘શ્રુતવિવો વા, જ્ઞાતુરભિપ્રાયો વા નયઃ ।' Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા--૧૩૨ ૧૧૯ કયા ધર્મને વિષય બનાવવો એ વક્તાના અભિપ્રાય ઉપર નિર્ભર છે. વક્તા પોતાના અભિપ્રાય અનુસાર જ્યારે એક ધર્મનું કથન કરે છે ત્યારે કથનમાં એ ધર્મ મુખ્ય અને બીજા ધર્મ ગૌણ રહે છે. અનંત ધર્મોમાંથી જ્યારે જે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે ત્યારે કથનમાં એ ધર્મ મુખ્ય અને બાકી બધા ધર્મ ગૌણ હોય છે. આ અપેક્ષાએ વક્તાના અભિપ્રાયને પણ નય કહેવાય છે.' મુખ્ય ધર્મને વિવક્ષિત ધર્મ અને ગૌણ ધર્મને અવિવક્ષિત ધર્મ કહે છે. નયના કથનમાં અવિવક્ષિત ધર્મોની ગૌણતા જ અપેક્ષિત છે, નિષેધ નહીં. નય ગૌણ ધર્મનું નિરાકરણ નથી કરતો, માત્ર એના સંબંધમાં મૌન રહે છે. એના સંબંધમાં ત્યારે કંઈ કહેવામાં નથી આવતું. જો નિષેધ થાય તો તે નયને બદલે નયાભાસ બની જાય છે. આ મુખ્યતા અને ગૌણતા વસ્તુમાં વિદ્યમાન ધર્મોની અપેક્ષાએ નથી, પણ વક્તાની ઇચ્છાનુસાર હોય છે. વિપક્ષા-અવિવક્ષા વાણીના ભેદ છે, વસ્તુના નહીં. વસ્તુમાં તો સર્વ ધર્મ પ્રતિસમય વિદ્યમાન છે. તેમાં બધા ધર્મો એકીસાથે વિદ્યમાન રહે છે. તે ધર્મો તે વસ્તુમાં એકીસાથે અનાદિ કાળથી વિદ્યમાન છે અને અનંત કાળ સુધી રહેશે. વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મોને પણ ધારણ કરવાની શક્તિ છે, માટે ધર્મોમાં મુખ્યગૌણનો કોઈ પ્રશ્ન જ નથી. તેને એકસાથે કહેવાનું સામર્થ્ય વાણીમાં નહીં હોવાના કારણે વાણીમાં વિવફા-અવિવક્ષા, મુખ્ય-ગૌણના ભેદ પડે છે. કથનમાં એક ધર્મ મુખ્ય હોય છે અને બીજા ધર્મ ગૌણ હોય છે. નય વસ્તુના એક ધર્મને પ્રગટ કરે છે, કારણ કે તે સમયે તે જ ધર્મની વિવેક્ષા રહે છે, બાકીના ધર્મોની નહીં. પરસ્પર વિરોધી ધર્મોને યુગપતું ગ્રહણ કરવાવાળું જ્ઞાન તે પ્રમાણ છે અને તેને મુખ્ય-ગૌણ ભાવથી ગ્રહણ કરવાવાળું જ્ઞાન તે નય છે. જિનાગમોમાં વિભિન્ન સ્થાનો ઉપર વિભિન્ન અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નયના ભેદ-પ્રભેદોનું વર્ગીકરણ કર્યું છે. કોઈ સ્થળે બે નયની ચર્ચા મળે છે, તો કોઈ સ્થળે સાત નયનો ઉલ્લેખ કર્યો છે, તો વળી કોઈ સ્થળે તેના અસંખ્યાતા ભેદ બતાવ્યા છે. ‘સન્મતિતક પ્રકરણ' માં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી કહે છે કે જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે. જેટલા વચનવિકલ્પ છે તેટલા જ નયના ભેદ છે. ‘સર્વાર્થસિદ્ધિ'માં ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી', શ્લોક ૨૮ની ટીકા 'अनन्तधर्मत्वात् वस्तुनः तदेकधर्मपर्यवसितानां वस्तुरभिप्रायाणां च नयत्वात्।' ૨- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૨૬૪ 'णाणाधम्मजुदं पि य एयं धम्म पि वुच्चदे अत्थं । तस्सेयविवक्खादो पत्थि विवक्खा हु सेसाणं ।।' ૩- જુઓ - આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૪૭ 'जावइया वयणवहा तावइया चेव होति णयवाया ।' Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે નય અનંત છે, કારણ પ્રત્યેક વસ્તુની શક્તિઓ અનંત છે, તેથી પ્રત્યેક શક્તિની અપેક્ષાએ નય અનંત વિકલ્પરૂપ થઈ જાય છે.૧ ‘ધવલા’માં આચાર્યશ્રી વીરસેનજીએ બતાવ્યું છે કે અવાન્તર ભેદોથી નય અસંખ્યાત પ્રકારના સમજવા.૨‘પ્રવચનસાર'ના પરિશિષ્ટમાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે ૪૭ નય બતાવ્યા છે. જ્યારે ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ સાત નય બતાવ્યા છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એ સાત નય છે.૪ ‘દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર'માં શ્રી માઈલ્લધવલજી તેના બે ભેદ બતાવતાં કહે છે કે સર્વ નયમાં નિશ્ચય અને વ્યવહાર એમ મૂળ બે નય છે. સર્વ નયના મૂળભૂત નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદ મનાય છે. દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એ બે નિશ્ચય-વ્યવહારના હેતુ છે. નિશ્ચયનય દ્રવ્યાશ્રિત છે અને વ્યવહારનય પર્યાયાશ્રિત છે.પ નયચક્રના વિષયભૂત અનંતધર્માત્મક વસ્તુનો વિસ્તાર તો બહુ જ છે, પણ બધા નયમાં મુખ્ય નય છે, નિશ્ચયનય અને વ્યવહારનય. વસ્તુનું સ્વરૂપ સમજાવવાના આ બે મુખ્ય પ્રકાર છે. વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવી તે નિશ્ચયનય. આ નય પરની અપેક્ષા વગર વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે. વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પ૨વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે તેમ કહેવું તે વ્યવહારનય. આ નય પરની અપેક્ષાએ એકને બદલે બીજું કહે છે, જેમ કે પાણીનો ઘડો કે ઘીની બરણી. વાસ્તવમાં ઘડો તો પાણીનો નહીં પણ માટીનો છે, પણ તેમાં પાણી ભર્યું છે, તેથી તેને પાણીનો ઘડો કહેવામાં આવે છે. માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરવામાં આવે તે નિશ્ચયનય તથા પાણીના સંયોગથી ઉપચારથી તેને પાણીનો ઘડો કહેવામાં આવે વ્યવહારનય છે. તેવી જ રીતે બરણી કાચની છે, પણ તેમાં ઘી છે, તેથી તેને ઘીની બરણી કહી. તેને ઘીની બરણી કહેવી તે વ્યવહાર છે. પરવસ્તુને ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ’, અધ્યાય ૧, સૂત્ર ૩૩ની ટીકા ' द्रव्यस्यानन्तशक्तेः प्रतिशक्ति विभिद्यमाना बहुविकल्पा जायन्ते । ' ૨- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ‘ધવલા', પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૧, પૃ.૯૨ ‘ગવાન્તરમેવેન પુનરસંધ્યેયાઃ ।' ૩- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર'નું આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકાનું પરિશિષ્ટ ૪- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૩૩ ‘नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवंभूता नयाः ।’ ૫- જુઓ : શ્રી માઈલ્લધવલજીકૃત, ‘દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર', ગાથા ૧૮૨ 'णिच्छयववहारणया मूलिमभेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेउं पज्जयदव्वत्थियं મુળદ ।।' Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ મેળવીને વસ્તુનું નિરૂપણ તે વ્યવહારનય. જુદા જુદા શાસ્ત્રકારોએ નિશ્ચયનય તથા વ્યવહારનય સંબંધી જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. નિશ્ચય એટલે યથાર્થ, સત્યાર્થ. નિશ્ચયનય ભૂતાર્થ છે, કેમ કે તે વસ્તુસ્વરૂપનું સાચું નિરૂપણ કરે છે. વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર, સત્ય નિરૂપણ કરનાર નિશ્ચયનય છે. વસ્તુની યથાવત્ પ્રરૂપણા કરે તેનું નામ નિશ્ચયનય છે. નિશ્ચયનય વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું નિરૂપણ કરે છે. કોઈ પણ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરે તે નિશ્ચયનય છે. જે દ્રવ્યની જે પરિણતિ હોય તે પરિણતિને તે દ્રવ્યની જ કહેવી તે નિશ્ચયનય છે. નિશ્ચયનય જે દ્રવ્યની જે ભાવપરિણિત હોય તેને તે જ દ્રવ્યની કહે છે. નિશ્ચયનય વસ્તુનું ખરેખર જે સ્વરૂપ છે તેનું નિરૂપણ કરે છે અને કોઈને કોઈમાં ભેળવતો નથી. જે સ્વદ્રવ્ય-પરદ્રવ્યનું અથવા તેના ભાવોનું અથવા કારણકાર્યાદિનું જેમ છે તેમ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તે નિશ્ચયનય છે. અભેદ અને અનુપચાર રૂપથી વસ્તુનો નિશ્ચય કરવો તે નિશ્ચયનય છે. નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે. તેની દૃષ્ટિ અસંયોગી તત્ત્વ પર હોય છે. તે પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર કથન કરે છે. તેનું કથન સ્વાશ્રિત હોય છે. પોતાના ગુણધર્મોથી થતી ઓળખાણ તે નિશ્ચયનય છે. નિશ્ચયનય વડે જે નિરૂપણ થયું હોય તેને સાચું સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવા યોગ્ય છે. તેને સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. જ્યાં નિશ્ચયનયનું કથન હોય, ત્યાં સત્યાર્થ એમ જ છે' એમ જાણવા યોગ્ય છે. તેનું કાર્ય પરથી ભિન્નત્વ અને નિજમાં અભિન્નત્વ સ્થાપિત કરવાનું છે. ૧૨૧ - વ્યવહાર એટલે ઉપચાર, વ્યવહાર અભૂતાર્થ છે, કેમ કે તે સત્ય સ્વરૂપનું નિરૂપણ કરતો નથી. વ્યવહારનયનું લક્ષ વસ્તુના સત્યસ્વરૂપનું દર્શન કરવાને બદલે નિમિત્તોની અપેક્ષાએ તેનું દર્શન કરવાનું છે, અર્થાત્ તે વસ્તુના વ્યાવહારિક સ્વરૂપનું દર્શન કરે છે. વ્યવહારનય સત્ય સ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ (ઉપચારથી) અન્યથા નિરૂપે છે. ઉપચરિત નિરૂપણને વ્યવહારનય કહે છે. દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવરૂપે નિરૂપણ કરે તે વ્યવહારનય છે. એક દ્રવ્યની પરિણતિને અન્ય દ્રવ્યની પ્રરૂપે તે વ્યવહારનય છે. વ્યવહારનય નિમિત્તાદિની અપેક્ષા લઈને એક દ્રવ્યના ભાવ અથવા પરિણતિને અન્ય દ્રવ્યની કહે છે. તે અનેક દ્રવ્યના અનેક ભાવો-કારણકાર્યાદિને મેળવીને કથન કરે છે. સ્વદ્રવ્ય-પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણકાર્યાદિને અથવા કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે તે વ્યવહારનય છે. વ્યવહારનયથી નિમિત્તાદિની અપેક્ષાએ એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તાદિ કહેવામાં આવે છે. વસ્તુમાં ભેદ પાડીને અથવા બીજામાં મિલાવટ કરીને જે નિરૂપણ કરવામાં આવે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપચારથી જે નિરૂપણ કરવામાં આવે તે વ્યવહારનય છે. ભેદ અને ઉપચારથી વસ્તુનો વ્યવહાર કરવો તે વ્યવહારનય છે. તેનો વિષય ભેદરૂપે હોવાથી તે અનેક પ્રકારે છે. તે અનેક પ્રકારના ભેદ કરીને વસ્તુને સમજાવે છે. તેનો વિષય સંયોગી કથન કરે છે. તેનું કથન પરાશ્રિત હોય છે. પરાશ્રિત ઓળખાણ તે વ્યવહારનય છે. વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને ઉપચરિત, અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું યોગ્ય છે. જ્યાં વ્યવહારનયથી કથન હોય, તેને ‘ખરેખર એમ નથી પણ નિમિત્તાદિ પરસંયોગનું જ્ઞાન કરાવવા આ કથન કર્યું છે' એમ માનવા યોગ્ય છે. વ્યવહારને ઉપચારમાત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરવો યોગ્ય છે. પણ નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યાર્થ માની વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે અકાર્યકારી થાય છે. વ્યવહારનય અસત્યાર્થ છે, પરંતુ તે સર્વથા અસત્યાર્થ નથી. ઘડામાં પાણી છે પણ દૂધ નથી એમ વ્યવહારનય બતાવે છે. એ અપેક્ષાએ તે સત્ય છે. વ્યવહારનયનો જિનવાણીમાં સ્વીકાર છે, કારણ કે તે પરસંયોગને જેમ છે તેમ બતાવે છે. વ્યવહારનય પરસંયોગની અપેક્ષાએ સત્ય છે, પરંતુ તેનું આરોપણ ‘સ્વ'ની ઓળખાણ માટે થાય ત્યાં તેને અસત્યાર્થ કહ્યો છે. આમ, વ્યવહારનયનો સ્વીકાર પણ છે અને નિષેધ પણ છે. તેનું કાર્ય નિજમાં ભેદ અને પરથી અભેદ કરીને સમજાવવાનું છે. તેનું કાર્ય અભેદ વસ્તુને ભેદ કરીને સમજાવવાનું, સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અને તેના નિમિત્તે થતા સંયોગી ભાવોનું જ્ઞાન કરાવવાનું છે. નિશ્ચયનય અને વ્યવહારનયનાં સ્વરૂપનો સાર આ પ્રમાણે છે – નિશ્ચય વ્યવહાર છ 8 0 0 0 0 ^ ૨ જ યથાર્થ સત્યાર્થ ભૂતાર્થ ખરેખરું સ્વરૂપ સાચું નિરૂપણ પોતાના ભાવને પોતાનો કહેવો અભેદ સ્વદ્રવ્યાશ્રિત સ્વલક્ષી ભાવ સ્વાભાવિક ભાવ ધ્રુવ ભાવ ત્રિકાળ ટકે એવો ભાવ અયથાર્થ અસત્યાર્થ અભૂતાર્થ કથનમાત્ર સ્વરૂપ ઉપચરિત નિરૂપણ બીજાના ભાવને પોતાનો કહેવો ભેદ સંયોગાશ્રિત પરલક્ષી ભાવ નિમિત્તાધીન ભાવ ઉત્પન્ન ધ્વસીભાવ ક્ષણમાત્ર ટકે એવો ભાવ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧૨૩ નિશ્ચયનય અને વ્યવહારનય વચ્ચે આવો ભેદ છે. છ દ્રવ્યો, તેના ગુણો અને તેની પર્યાયોનાં સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખત નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે છે, તો કોઈ વખત વ્યવહારનયને મુખ્ય કરીને નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે છે. જીવ પોતે વિચાર કરે છે ત્યારે તેમાં પણ કોઈ વખત નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખત વ્યવહારનયની મુખ્યતા હોય છે. પ્રયોજનાનુસાર મુખ્યતા-ગૌણતા કરવામાં આવે છે. સંસારી આત્માને સમજવા માટે બને નયની જરૂર પડે છે. નિશ્ચયનયથી આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. વ્યવહારનયથી શરીરાદિ પદ્રવ્યોની સાપેક્ષતા વડે નર, નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કરી “મનુષ્ય છે', નારકી છે', પૃથ્વીકાય છે' ઇત્યાદિ પ્રકારે આત્માની ઓળખાણ થાય છે. કોઈ આત્મા મનુષ્યદેહમાં હોય તેને નિશ્ચયનય શુદ્ધ આત્મા કહે છે અને વ્યવહારનય તે તિર્યંચના દેહમાં નથી, પણ મનુષ્યના દેહમાં છે એનું ભાન કરાવવા તેને મનુષ્ય કહે છે. “આ આત્મા સાથે મનુષ્ય શરીરનો સંયોગ છે, માટે તે મનુષ્ય છે અને તિર્યંચ નથી' એમ વ્યવહારનય કથન કરે છે. વ્યવહારનય દેહ અને આત્મામાં એકત્વ સ્થાપિત કરે છે, જ્યારે નિશ્ચયનય એનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તે એમ કહે છે કે જીવ અને દેહ કદાપિ એક ન થઈ શકે. વ્યવહારનય દેહાદિના સંયોગમાં રહેલ આત્માને અશુદ્ધાત્મા કહે છે, જ્યારે નિશ્ચયનય તે સંયોગમાં રહેલા આત્માને શુદ્ધરૂપે ઓળખે છે. સુવર્ણ અને માટીના દૃષ્ટાંતે આ વાત સ્પષ્ટપણે સમજાશે. અન્યદ્રવ્ય(માટી મિશ્રિત સુવર્ણને ‘અશુદ્ધ સુવર્ણ' કહેવું તે વ્યવહારદષ્ટિ છે. તે માટીમિશ્રિત સુવર્ણમાં રહેલા શુદ્ધ સુવર્ણને ઓળખવું તે નિશ્ચયદષ્ટિ છે. તેવી જ રીતે અન્ય દ્રવ્ય - શરીરાદિના યોગે ચિકૂપને ‘અશુદ્ધાત્મા' કહેવો તે વ્યવહારદષ્ટિ છે. તે સંયોગમાં રહેલા શુદ્ધ આત્મદ્રવ્યને શુદ્ધરૂપે ઓળખવું તે નિશ્ચયષ્ટિ છે. સોનું વર્ષો પર્યત માટીમાં પડી રહે છતાં તેના ગુણધર્મો બદલાઈ જતા નથી. તે તો નિર્લેપ જ રહે છે. તેના સ્વભાવમાં માટીના કારણે કોઈ હાનિ થતી નથી, માટે જ માટીનો સંયોગ હોવા છતાં પણ તેનું મૂલ્ય બિલકુલ ઘટવા પામતું નથી. તેવી જ રીતે અનાદિથી દેહાદિનો સંયોગ હોવા છતાં આત્માના અલિપ્ત સ્વભાવમાં તે ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૭, શ્લોક ૧૦,૧૧ 'अशुद्धं कथ्यते स्वर्णमन्यद्रव्येण मिश्रितं । व्यवहारं समाश्रित्य शुद्धं निश्चयतो यथा ।। युक्तं तथाऽन्यद्रव्येणाशुद्धं चिद्रूपमुच्यते । व्यवहारनयात् शुद्धं निश्चयात् पुनरेव तत् ।।' Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અંશે પણ પ્રવેશ પામતા નથી, આત્માની ગુણસમૃદ્ધિમાં કોઈ પરિવર્તન થતું નથી, કોઈ હાનિ થતી નથી. દેહાદિ સંયોગોને આત્માના નિર્મળ સ્વભાવમાં ન ખતવાય. કોઈની વસ્તુ થોડા સમય માટે ઉછીની લાવવામાં આવે તો તેને ઘરની મૂડીમાં ન ખતવાય, તેમ આત્મા ત્રિકાળી શુદ્ધ પૂર્ણ આનંદધન છે, આત્માથી પર એવાં મન, વાણી, દેહને તેમાં ન ખતવાય. નિશ્ચયનય આત્માના મૂળ સ્વભાવને જુએ છે, જણાવે છે; જ્યારે વ્યવહારનય વર્તમાન અવસ્થાને જુએ છે, જણાવે છે. નિશ્ચયનય ત્રિકાળી શુદ્ધ સ્વભાવને જાણે છે અને વ્યવહારનય વર્તમાન પર્યાયને, રાગાદિને જાણે છે. આત્માને પર્યાયથી ભિન્ન એક અભેદ શુદ્ધાત્મસ્વભાવરૂપે જાણવો એ નિશ્ચય છે અને આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો, તેની પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા જાણવી એ વ્યવહાર છે. ત્રિકાળ ટકતો સામાન્ય એકરૂપ આત્મસ્વભાવ અને વર્તમાન અવસ્થા એમ બન્ને મળીને આખી આત્મવસ્તુ છે એમ ખ્યાલમાં લેવું તે પ્રમાણ છે. કોઈ ૭૦ વર્ષના પુરુષને આગલે દિવસે તાવ આવ્યો હોય અને બીજા દિવસે મટી જાય, તે પુરુષને વર્તમાન રોગીનીરોગી અવસ્થાના ભેદપણે ન જોતાં એકરૂપ ૭૦ વર્ષનો છે એમ જોવું તે નિશ્ચયદૃષ્ટિ છે, તે નિશ્ચય તરફનું લક્ષ ગૌણ કરી વર્તમાન રોગી-નીરોગી અવસ્થા જોવી તે વ્યવહારષ્ટિ છે અને તે બે અપેક્ષાના ભેદ ન પાડતાં, પુરુષને સમગ્રપણે જાણવો તે પ્રમાણ છે. તેમ આત્મામાં ત્રિકાળ ટકનાર જ્ઞાયક એકરૂપ ભાવને જોવો તે નિશ્ચયનય છે, અખંડ પડખાનું લક્ષ ગૌણ કરી વર્તમાન અવસ્થાને જોવી તે વ્યવહારનય છે અને ત્રિકાળી અખંડ આત્મા અને વર્તમાન ક્ષણિક અવસ્થા તે બન્ને પડખાંનું એકસાથે અખંડ વસ્તુપણે જ્ઞાન કરવું તે પ્રમાણ છે. ત્રિકાળી ધ્રુવ આત્મસ્વભાવ અમલ છે, તેમાં મલિનતા છે જ નહીં. આત્મસ્વભાવમાં નિર્મળતા કે પવિત્રતા કરવાની નથી, તે તો અત્યંત અમલ અને પૂર્ણ પવિત્ર જ છે. આત્મસ્વભાવ પર્યાયથી ભિન્ન અનાદિ-અનંત ત્રિકાળ શુદ્ધ છે. જે પણ મલિનતા છે તે પર્યાયમાં છે. કર્મના નિમિત્તે પર્યાયમાં શુભાશુભ ભાવરૂપ વિકાર ઉત્પન્ન થતા હોવાથી આત્મા પર્યાયથી અશુદ્ધ છે. વર્તમાન અવસ્થા અશુદ્ધ હોવાથી આત્મા પર્યાયમાં બંધદા ભોગવે છે. પરાશ્રયના કારણે ક્ષણિક વિકારી અવસ્થા છે, પરાશ્રય છૂટી જતાં વિકાર નાશ પામે છે. નિશ્ચયનય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવનું પ્રતિપાદન કરે છે અને વ્યવહારનય વર્તમાન અશુદ્ધ અવસ્થાનું પ્રતિપાદન કરે છે. નિશ્ચયનય બતાવે છે કે આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને વ્યવહારનય બતાવે છે કે આત્મા વર્તમાન દશાએ અશુદ્ધ છે. નિશ્ચયદૃષ્ટિએ જોતાં આત્માના ત્રિકાળી ધ્રુવ પડખા પ્રત્યે લક્ષ જાય છે, આત્માના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થાય છે અને વ્યવહારષ્ટિએ જોતાં આત્માની ક્ષણિક Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧૨૫ પર્યાય પ્રત્યે લક્ષ જાય છે, આત્માની અશુદ્ધ અવસ્થાનો સ્વીકાર થાય છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે અને વર્તમાન અવસ્થાએ અશુદ્ધ છે એમ બને પડખાં જાણ્યા-સ્વીકાર્યા પછી જ સ્વભાવની પ્રાપ્તિનો અને અશુદ્ધતાની નિવૃત્તિનો પુરુષાર્થ થઈ શકે છે. બન્ને પડખાં જાણીને શુદ્ધ સ્વભાવ તરફ દૃષ્ટિ કરતાં, તેની સન્મુખ થતાં તેની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે પર્યાયમાં જે અશુદ્ધતા છે તે દૂર થાય છે. બને નયને જાણવાનું આ જ પ્રયોજન છે. નિશ્ચયનયથી આત્માનો મૂળ સ્વભાવ જાણી, વ્યવહારનયથી આત્મામાં જણાતી અશુદ્ધતા ટાળવી જોઈએ. આમ, બને નય પ્રયોજનભૂત છે, જાણવા લાયક છે. અહીં કોઈને શંકા થાય કે નિશ્ચયનય અને વ્યવહારનય સમકક્ષ નથી, પણ પ્રતિપક્ષ છે. તે બન્નેનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. તે બન્નેની વિષયવસ્તુ અને કથનશૈલીમાં માત્ર ભેદ જ નથી, પરંતુ વિરોધ પણ દેખાઈ આવે છે. જે બે વસ્તુઓને વ્યવહારનય એક બતાવે છે, નિશ્ચયનય અનુસાર એ કદી પણ એક થઈ શકે નહીં. નિશ્ચયનય જે વિષયવસ્તુને અભેદ અખંડ કહે છે, વ્યવહારનય તેમાં ભેદ બતાવે છે. નિશ્ચયનય પૂર્ણાનંદ સ્વરૂપ એક અખંડ આત્મસ્વભાવને વિષય બનાવે છે અને વ્યવહારનય વર્તમાન પર્યાય, રાગ આદિ ભેદને વિષય બનાવે છે. આમ, નિશ્ચયનય અને વ્યવહારનય તો એકબીજાના વિરોધી સાબિત થાય છે, તો પછી તે બે વચ્ચે મૈત્રી કઈ રીતે હોઈ શકે? બન્ને એકસાથે કઈ રીતે રહી શકે? આ પ્રશ્નનું સમાધાન એક સરળ દૃષ્ટાંત વડે થઈ શકે છે. શતરંજના બે ખેલાડીઓ અપેક્ષાએ મિત્ર પણ છે અને અપેક્ષાએ વિરોધી પણ છે. બે વસ્તુ અપેક્ષાએ પૂરક અને અપેક્ષાએ પ્રતિદંતી પણ હોઈ શકે તેનું આ એક સુંદર દૃષ્ટાંત છે. એકબીજા વિના રમત રમી શકાય નહીં, માટે એકબીજાના પૂરક છે અને પ્રતિકી વિના રમત કોની સાથે રમાય? અર્થાત્ શતરંજના ખેલમાં પ્રતિકંઠી જ પૂરક પણ બને છે. જે પ્રતિતંકી હોય તે વિરોધી હોય છે, કારણ કે વિરોધી જ પ્રતિવંતી બની શકે છે. પૂરક હોવાથી તે મિત્ર છે, કારણ કે મિત્રો જ રમત રમતા હોય છે. શત્રુ સાથે કોણ રમવા જાય? આ રીતે શતરંજના બે ખેલાડીઓ પરસ્પર મિત્ર પણ છે અને વિરોધી પણ છે. એ જ પ્રમાણે જિનાગમોમાં વ્યવહારનય તથા નિશ્ચયનય પોતપોતાના વિષય પ્રતિ અત્યંત પ્રામાણિક રહે છે. વિષયગત વિરોધને કારણે પરસ્પર વિરોધી પણ છે અને બન્ને પ્રમાણજ્ઞાનના જ અંશો હોવાથી સાથી પણ છે. પ્રમાણજ્ઞાનમાં બન્ને નયનો સદ્ભાવ એકીસાથે હોય છે. નિશ્ચયનય અને વ્યવહારનય બને એક એક નય છે. તે કાંઈ પ્રમાણ નથી, તે બન્ને પ્રમાણના અંશો છે. તે બન્ને નય પોતપોતાના વિચારને વળગી રહે છે. પ્રત્યેક Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નયની દૃષ્ટિ પોતાની વાતને મજબૂત રીતે રજૂ કરવા પ્રત્યે જ કેન્દ્રિત થતી હોય છે. પોતાની વાતને જોરદાર રીતે રજૂ કરવા જતાં તે બીજા નયના વિચારનું ખંડન કરવા માટે પ્રેરાય એમ પણ બને, પરંતુ એ ખંડન પરકીય નયના ખંડન માટેનું નથી હોતું, પણ સ્વમતના મંડન પૂરતું હોય છે. નિશ્ચયનય સ્વમતની પુષ્ટિ માટે - સ્વમતનું ખંડન કરવા વ્યવહારનયનું ખંડન પણ કરે છે અને વ્યવહારનય સ્વમતની પુષ્ટિ માટે - સ્વમતનું ખંડન કરવા નિશ્ચયનયનું ખંડન પણ કરે છે, પણ તેટલામાત્રથી એમ ન સમજી લેવું કે બન્ને નય એકબીજાને ધિક્કારી રહ્યા છે. ધિક્કારમાં પરિણમતું ખંડન તો ખંડન માટેનું જ ખંડન હોય છે, જ્યારે સ્વમંડનમાં પરિણમતું ખંડન એ મંડન માટેનું ખંડન હોય છે. આવી સ્થિતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી જ તે નય છે, આંશિક સત્ય છે, પ્રમાણને પ્રાપ્ત કરવાનું સાધન છે. જ્યારે કોઈ નય પરકીય નયનું ખંડન કરવા જતાં ધિક્કારની ભાવનામાં જ એ ખંડનને પરિણાવવાની ગંભીર ભૂલ કરી બેસે છે ત્યારે તે નય, નય મટી જઈને દુર્નય બની જાય છે, અસત્ય બની જાય છે. એના દ્વારા પૂર્ણ સત્ય - પ્રમાણની સન્મુખ થઈ શકાતું નથી. જો જીવ જિનમતનું એટલે કે વીતરાગ અભિપ્રાયનું પ્રવર્તન કરવા ઇચ્છતો હોય તો તેણે વ્યવહાર અને નિશ્ચય એ બને નયમાંથી એકને પણ ન છોડવો જોઈએ, કેમ કે વ્યવહારનય વગર તીર્થનો - વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વનો - વસ્તુનો નાશ થઈ જશે. વ્યવહાર નહીં હોય તો તીર્થનો લોપ થઈ જશે અને નિશ્ચય નહીં હોય તો તત્ત્વનો લોપ થઈ જશે. વ્યવહાર કે નિશ્ચય બેમાંથી એકને પણ છોડવાથી એકાંત પક્ષરૂપ મિથ્યાષ્ટિપણાનો પ્રસંગે ઉપસ્થિત થશે. બન્ને નય પ્રયોજનવાન છે, તેથી કોઈનો પણ નિષેધ કરવા યોગ્ય નથી. જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયને અવિરોધથી જાણે છે, તેઓ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણવાવાળા અને શાશ્વત સુખને ભોગવવાવાળા બને છે. જે આ પ્રમાણે બને નય પોતપોતાના સ્થાને ઉપકારી છે. બન્ને નય પોતપોતાના સ્થાને કાર્યકારી છે. આમ, નિશ્ચય અને વ્યવહારની અદ્ભુત સંધિ છે. માટે જ આ પાવનકારી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચયનય અને વ્યવહારનયને સાથે રાખીને કથન કર્યું છે. તેમાં ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર’ ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ ખ્યાતિ', ગાથા ૧૨ની ટીકામાં અવતરણ કરેલી ગાથા 'जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह । एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च ।।' ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૮ 'व्यवहारनिश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः । प्राप्नोति देशनायाः स एव फलमविकलं शिष्यः ।।' Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧ ૨૭ એકાંત નિશ્ચયનય કે એકાંત વ્યવહારનય કહ્યો નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે પ્રમાણે કહ્યું છે. ગાથા ૧૦૧માં કહ્યું કે “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત', ગાથા ૧૧૭માં કહ્યું કે “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજ્યોતિ, સુખધામ'. આમ જે કહ્યું છે તે શુદ્ધ નિશ્ચયનયનું કથન છે. વળી, આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે એ આદિ જે કહ્યું તે વ્યવહારનયનું કથન છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ’ ..... વગેરે નિશ્ચયનયથી કહ્યું હતું તે એકાંતે સમજવાનું નથી. “છૂટે દેહાધ્યાસ તો....' એમાં “તો' મૂક્યો છે તે વ્યવહારની અપેક્ષા સૂચવે છે. આત્મા કર્તા છે, ભોક્તા છે એમ કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે. તે પણ એકાંતે કહ્યું નથી, નિશ્ચયના લક્ષપૂર્વક કહ્યું છે. સ્યાદ્વાદ પદ્ધતિ અનુસાર નિશ્ચય અને વ્યવહાર બન્નેને સાથે રાખીને આત્મસિદ્ધિમાં ઉપદેશ કર્યો છે. નિશ્ચયનયની વાત કહેતી વખતે વ્યવહાર ગૌણપણે લક્ષમાં હોય અને વ્યવહારનયની વાત કરતી વખતે નિશ્ચય ગૌણપણે લક્ષમાં હોય એમ સ્યાદ્વાદથી કહ્યું છે. જ્યાં જેમ ઘટે તેમ કહ્યું છે તેથી વાંચનારે પણ તે સમ્યક પ્રકારે સમજીને લક્ષમાં લેવું.” નિશ્ચય-વ્યવહારનો પરસ્પર સાપેક્ષ સંબંધ છે. તેથી તે બન્નેનો સ્વીકાર કરી સમન્વય સાધવામાં જ આત્મકલ્યાણ છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે, બુદ્ધ છે, અસંગ છે. આ નિશ્ચયનયનો વિષય છે. વર્તમાન અવસ્થાએ આત્મા અશુદ્ધ છે, ભાવકર્મ-દ્રવ્યકર્મનોકર્મના સંગયુક્ત મલિન છે. આ વ્યવહારનયનો વિષય છે. પોતાનો શુદ્ધ સ્વભાવ તે નિશ્ચયનયનો વિષય છે અને પોતાની પર્યાયમાં જે અશુદ્ધતા અને અલ્પતા છે તે વ્યવહારનયનો વિષય છે. આથી એમ ન સમજવું કે આત્મામાં આ બે નય છે, પરંતુ આનો અર્થ એમ છે કે આત્મસ્વરૂપનું પ્રતિપાદન બે પ્રકારે થાય છે - નિશ્ચયનયથી અને વ્યવહારનયથી. નિશ્ચયનય અને વ્યવહારનય બને દ્વારા નિર્દિષ્ટ આત્મસ્વરૂપ જીવ જો સમજે નહીં તો તે મોક્ષમાર્ગે આગળ વધી શકતો નથી. જો જીવ એકલા શુદ્ધ સ્વભાવને જ પકડે અને અશુદ્ધ અવસ્થાનો નિષેધ કરે તો તેને શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની જરૂર જ નથી લાગતી અને તે શુદ્ધતાના મિથ્યા ભ્રમમાં રાચ્યા કરે છે, માટે પર્યાયનું જ્ઞાન પણ આવશ્યક છે. જીવની અંદર એક પણ વૃત્તિ એવી ન હોવી જોઈએ જેનાથી તે અજાણ્યો હોય. પોતાની મલિનતાનું ભાન થાય તો તેની નિવૃત્તિનો પુરુષાર્થ ઊપડે છે. જીવને પોતાની મલિન અવસ્થાનું ભાન હોય પણ પોતાના શુદ્ધ સ્વભાવની ઓળખ ન હોય ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ. ૧૧૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો તે પર્યાયમાં જ અટકી જાય છે, તે યથાર્થ પુરુષાર્થ નથી કરી શકતો. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી. શુદ્ધ સ્વભાવના આશ્રયે કલ્યાણ થાય છે. શુદ્ધ સ્વભાવના લક્ષે અશુદ્ધતા ટળે છે, માટે અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં મારો સ્વભાવ શુદ્ધ છે એવો નિર્ણય કરવો આવશ્યક છે. ત્રિકાળી શુદ્ધ સત્તા અને ક્ષણિક વૃત્તિઓ બનેનું જ્ઞાન હશે તો જ કાર્ય થઈ શકશે. બેમાંથી કોઈ એક હોય અને બીજું ન હોય તો કાર્ય કદાપિ થશે નહીં. ત્રિકાળી સત્તાની સભાનતા અને વૃત્તિઓનું દર્શન અને આવશ્યક છે. જીવ જો પોતાના બધા અંતઃકક્ષોથી પરિચિત થશે - પોતાની ત્રિકાળી સત્તા પ્રત્યે પણ સભાન અને પોતાના કર્મભાવો પ્રત્યે પણ જાગૃત - તો તે પરિચય તેને ખૂબ જ આત્મોપકારી નીવડશે. ત્રિકાળી નિર્વિકાર સત્તા અને ક્ષણિક વિકારનું યથાર્થ જ્ઞાન હશે ત્યાં દોષો ટકી નહીં શકે. ત્રિકાળી સત્તાથી વિમુખ જવાથી મલિન વૃત્તિઓ ઉત્પન્ન થઈ છે, તો ત્રિકાળી સત્તાની સન્મુખ થવાથી તેનો ક્ષય થશે. જીવને પોતાના શુદ્ધ, બુદ્ધ, આનંદમય સ્વરૂપની ઓળખાણ થતાં સ્વાધીનતાની ખુમારી પ્રગટે છે. તેને સ્વયંનાં સુખ, શાંતિ, શીતળતાની પ્રતીતિ થાય છે. પર્યાયના અવલોકનથી તેને સમજાય છે કે સ્વરૂપનું વિસ્મરણ કરી પરદ્રવ્ય અને પરભાવમાં ઉપયોગ દોડાવ્યો તો કેટલાં દુઃખ, અશાંતિ, વ્યાકુળતા સર્જાયાં. આવી રીતે નિશ્ચયનય તથા વ્યવહારનય દ્વારા આત્માનું જ્ઞાન કરી શુદ્ધ આનંદઘન સ્વભાવની પ્રાપ્તિ અર્થે અને વર્તમાન અવસ્થામાં રહેલી અશુદ્ધિ ટાળવા અર્થે નિશ્ચયનયનિર્દિષ્ટ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને લક્ષમાં રાખી સસાધનરૂપ સદ્વ્યવહારની આરાધના કર્તવ્ય છે. નિશ્ચયનયે બતાવેલ આત્મસ્વરૂપને અંતરમાં ધારણ કરીને તે સ્વરૂપના સંપૂર્ણ આવિર્ભાવ અર્થે સવ્યવહારનું સેવન કરવા યોગ્ય છે. જપ-તપાદિ સત્સાધનોનો આશ્રય કરી સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. મોક્ષમાર્ગની આવી સમ્યક્ વ્યવસ્થા છે. નિશ્ચયદષ્ટિપૂર્વક જે જે સત્સાધનો ઉપાસવાનો આદેશ કરવામાં આવ્યો છે, તે પરમાર્થપ્રેરક વ્યવહારને જે જીવ અનુસરે છે તે મોક્ષને પામે છે. નિશ્ચયના લક્ષપૂર્વકનો વ્યવહાર જ મુક્તિસાધક છે. અસ–વૃત્તિથી નિવૃત્ત થવાના લક્ષ્ય વિનાની માત્ર શુદ્ધ સ્વરૂપની, અર્થાત્ નિશ્ચયની વાતો મુક્તિ અપાવી શકતી નથી; તેમજ નિજાત્મસ્વરૂપના લક્ષ્ય વિનાનો એકલો શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહાર પણ મુક્તિમાર્ગમાં વિફળ રહે છે; તેથી મુક્તિમાર્ગે પ્રગતિ કરવી હોય તો નિશ્ચય અને વ્યવહાર બન્નેની આવશ્યકતા ઘટે છે. મુક્તિમાર્ગે પ્રગતિ કરવા અર્થે દિશા અને વેગ બને જરૂરી છે. વ્યવહારની ગતિને નિશ્ચય દિશા આપે છે. જીવ ખૂબ ગતિ કરે, પણ જો દિશા અવળી હોય તો તેનું પ્રયોજન સધાતું નથી. વળી, જીવને Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ ૧૨૯ સાચી દિશા સાંપડે, પણ જો તે પુરુષાર્થ ન આદરે તોપણ પ્રયોજન સિદ્ધ થતું નથી. જો તે ગતિ કરે જ નહીં તો તે ક્યારે પણ ગંતવ્ય સ્થાને પહોંચતો નથી. પણ જો દિશા સાચી હોય અને ચાલમાં વેગ હોય તો જીવ શીઘ્રતાથી ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. મહાસાગરની સફર ખેડતાં નાવિકને દિશા નક્કી કરવામાં હોકાયંત્ર મદદ કરે છે, તેમ ભવસમુદ્રને પાર કરવા સાધનારૂપી નાવમાં બેઠેલાને સ્વરૂપની દિશા ચીંધીને નિશ્ચય તેને આડે માર્ગે ફંટાઈ જતા ઉગારી લે છે. જેમ હલેસાં મારનાર હલેસાં મારીને હોડીને ગતિ આપે છે, તેમ નિશ્ચયે ચીંધેલ દિશામાં જો મુમુક્ષુ વ્યવહારરૂપી હલેસાં મારીને ગતિ કરતો રહે તો તે ભવસાગરને પાર કરી જાય છે. માર્ગ ઉપર ગતિ કરવા માટે જેમ જમણા અને ડાબા પગ બનેનું મહત્ત્વ છે, તેમ મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્નેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જેમ ડાબા કે જમણા બન્નેમાંથી કોઈ પ્રત્યે પક્ષપાત રાખ્યા વિના માર્ગ ઉપર એક પગ બરાબર ટેકવીને બીજા પગને ઊંચો કરી આગળ મૂકવામાં આવે છે, તેમ મુક્તિમાર્ગમાં નિશ્ચયનો આધાર લઈને વ્યવહાર દ્વારા નિજસ્વરૂપઘર તરફ ગતિ કરી શકાય છે. નિશ્ચય સાધકને તેના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની સાચી ઓળખાણ કરાવે છે અને વ્યવહાર તે જ્ઞાયકસ્વરૂપની પ્રાપ્તિમાં મદદ કરે છે. આમ, નિશ્ચય અને વ્યવહાર અને પરસ્પર સહાયરૂપ હોવાથી કોઈ પણ એક પક્ષનો મિથ્યા આગ્રહ સેવ્યા વિના તે બન્નેનો સમન્વય કરવો ઘટે છે. જ્ઞાન કે ક્રિયામાંથી કોઈ એકના જ પક્ષકાર બની જવાથી સાધનાનો રથ મુક્તિપથ ઉપર પ્રગતિ કરતો નથી. આત્માર્થી જીવ કોઈ એકનો પક્ષકાર ન બનતાં નિશ્ચયનયનિર્દિષ્ટ શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખી વ્યવહારનયનિર્દિષ્ટ મલિન અવસ્થા ટાળવા સત્સાધનની આરાધનામાં તત્પર રહે છે. તે નિશ્ચયનય અને વ્યવહારનયની સમતુલા બરાબર જાળવી રાખે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ (નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામીના સ્તવન'માં ફરમાવે છે - મેં મતિમોહે એકજ નિશ્ચય નય આદર્યો રે, કે એકજ વ્યવહાર; ભૂલા રે ભૂલા રે, તુજ કરુણાયે ઓલખ્યા રે. શિબિકા વાહક પુરુષ તણી પરે તે કહ્યા રે, નિશ્ચય ને વ્યવહાર; મિલિયા રે મિલિયા રે, ઉપગારી નવિ જૂજૂઆરે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧, સૂત્ર ૧-૪૯ 'हतं ज्ञानं क्रियाहीनं हता चाज्ञानिना क्रिया ।' 'संयोगमेवेह वदन्ति तज्ज्ञा न ोकचक्रेण रथः प्रयाति ।' Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બહુલા પણ રતન કહ્યાં, જે એકલાં રે, માલા ન કહાય; માલા રે માલા રે, એક સૂત્રે તે સાંકલ્યા રે. તિમ એકાકી નય સઘલા મિથ્યામતિ રે, મિલિયા સમકિતરૂપ; કહીએ રે કહીએ રે, લહીએ સમ્મતિ સમ્મતિ રે. દોય પંખ વિણ પંખી, જિમ રથ વિણ દોય ચક્ર; ન ચલે રે ન ચલે રે, તિમ શાસન નય બિહું વિના રે. આમ, શ્રીમદે નિશ્ચય અને વ્યવહાર જેમ છે તેમ યથાસ્થાને સમજવા અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ ગાથામાં ઉપદેશ કર્યો છે. અનેકાંત સિદ્ધાંતનો આધારસ્તંભ જ એ છે કે વ્યવહાર અને નિશ્ચય બને પોતપોતાના સ્થાને સરખી રીતે ઉપકારક છે, તેથી જીવે કોઈ એક પક્ષનો મિથ્યા આગ્રહ સેવવો નહીં. એક જ ગાથામાં બન્ને નયની સાર્થકતા બતાવી અને સાથે સાથે કોઈ પણ પક્ષનો એકાંત આગ્રહ છોડવા માટે ઉપદેશ પણ કર્યો, તે શ્રીમદ્ભી અદ્ભુત શક્તિનો ખ્યાલ આપે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘નય નિશ્ચય એકાંતથી, એ જિન વચન વિરુદ્ધ, અનેકાંત સ્યાદ્વાદ છે, શ્રી જિન પ્રવચન શુદ્ધ. એ લક્ષે એકાંતથી, આમાં નથી કહેલ, વચન સર્વ સાપેક્ષ છે, અવિસંવાદ વસેલ. ક્રિયા જડત્વ જ ઇષ્ટ છે, મોહની રસ ભરેલ, એકાંતે વ્યવહાર નહિ, વચન વડે આવેલ. માટે જ્યાં જ્યાં જે ઘટે, તે તે ઉચિત ગણેલ, આત્મસિદ્ધિ આ શાસ્ત્રમાં, બન્ને સાથે રહેલ.૨ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, ‘નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન', ઢાળ ૧, કડી ૩-૭ (ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ-૧, પૃ.૨૦૬-૨૦૧૭) ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પર ૫-૫૨૮) Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૩ છ મનન એ ફળ, તે નહિ રહે છે, જળ નહીં વિ૨નું, લિનિશ્ચયની રે. Page #165 -------------------------------------------------------------------------- ________________ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૩ 'અર્થ, ગાથા ૧૩૨માં શ્રીમદે કહ્યું કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એકાંતે નિશ્ચયનય ભૂમિકા 1 કે એકાંતે વ્યવહારનય કહ્યો નથી. બને નય જ્યાં જેમ ઘટે તેમ પ્રયોજ્યા છે. આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં કશે પણ એકાંતે નિશ્ચયનયની વાત કે એકાંતે વ્યવહારનયની વાત છે એમ ન સમજવું. સાચા વ્યવહાર અને સાચા નિશ્ચયની સંધિરૂપ મોક્ષમાર્ગ છે એમ બતાવી, શ્રીમદ્ હવે જેના વ્યવહાર અને નિશ્ચય ખોટા છે તેનું સ્વરૂપ બતાવે છે, જે સમજવાથી પોતામાં તેવો કોઈ દોષ હોય તો તે ટાળી દોષમુક્ત થઈ શકાય. વ્યવહારાભાસ તથા નિશ્ચયાભાસનો પરિચય કરાવતાં શ્રીમદ્ કહે છે – ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ગાથા ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર.” (૧૩૩) ગચ્છ મતની કલ્પના છે તે સદવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં 1 કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સવ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩) તે વ્યવહાર અને નિશ્ચય પોતપોતાનાં સ્થાને સમાન ઉપકારક છે એમ દર્શાવી, ભાવાય તેથી વિપરીત એવા વ્યવહારાભાસ અને નિશ્ચયાભાસનું વર્ણન કરતાં શ્રીમદ્ કહે છે કે ધર્મના નામે જે અહંભાવ, મમત્વભાવ, હઠાગ્રહાદિ થઈ જાય છે તે સર્વ ગચ્છ-મતની કલ્પના છે અને તેનાથી કદાપિ આત્માનું અંશે પણ હિત થતું નથી, માટે તેને સદ્વ્યવહાર ન ગણી શકાય; તો બીજી બાજુ જ્યાં સ્વરૂપનું ભાન ન હોય, દેહાધ્યાસ વર્તતો હોય, વિષયની તીવ્ર આસક્તિ હોય, કષાયની પ્રબળતા હોય, અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય અને નિશ્ચયને માત્ર કથનમાં રહી સ્વચ્છેદે પ્રવર્તન થતું હોય. તે નિશ્ચય પણ સારભૂત નથી. આ ગચ્છ સાચો અને આ ગચ્છ ખોટો, આ મત સાચો અને આ મત ખોટો, આ ક્રિયા સાચી અને આ ક્રિયા ખોટી ઇત્યાદિ જે કલ્પના કરવામાં આવે છે તે સમ્યફ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યવહાર નથી, પરંતુ મોહનો પરાભવ કરાવનારો જે વ્યવહાર તે સમ્યક્ વ્યવહાર છે. તેવી જ રીતે આત્મસ્વરૂપના ભાન વિનાનો નિશ્ચય પણ બોલવા પૂરતો જ છે, શુષ્ક છે. મોક્ષમાર્ગમાં તે કાર્યકારી થઈ શકતો નથી, અર્થાત્ તેનાથી આત્મકલ્યાણ થતું નથી; માટે તેની સાથે ત્યાગ-વૈરાગ્ય, સત્સંગ-ભક્તિ આદિનો આશ્રય પણ કરવો જોઈએ. શમ, સંવેગાદિ ગુણો પ્રાપ્ત કરી, શ્રીગુરુના બોધના આધારે તીવ્ર રુચિથી અંતરમાં આત્મભાવના ઘોળતા રહેવું એ મોક્ષમાર્ગની યથાર્થ આરાધના છે. આમ, આ ગાથાની પ્રથમ પંક્તિમાં અસવ્યવહારનું સ્વરૂપ બતાવી, બીજી પંક્તિમાં સારભૂત નહીં એવા નિશ્ચયનું સ્વરૂપ બતાવી, નિશ્ચયદૃષ્ટિપૂર્વકનો સર્વ્યવહાર તે મોક્ષમાર્ગ છે એ તથ્યનું દઢીકરણ કર્યું છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના યથાર્થ આરાધના શક્ય નથી, તેથી વિશેષાર્થ જ્ઞાની ભગવંતો ધર્મના સ્વરૂપની સમ્યક્ સમજને અગ્રિમ મહત્તા આપે છે. જીવે ધર્મના પ્રાગટ્ય માટે ધર્મ શું છે એ સમજવું અત્યંત જરૂરી છે. ધર્મને જાણવા માટે જે ધર્મ નથી તે જાણવું પણ એટલું જ જરૂરી છે. જીવે જેને ધર્મ સમજી ગ્રહણ કર્યો હોય તે યથાર્થ ધર્મ ન હોય તો તે ગ્રહણ થયેલ કહેવાતો ધર્મ જીવને મોહનિદ્રામાંથી જગાડવાને બદલે વધુ ગાઢ નિદ્રામાં તાણી જાય છે, અર્થાત્ મોહભાવમાં વૃદ્ધિ કરે છે; માટે મોહનિદ્રામાંથી જાગવા માટે, જે જાગવા નથી દેતું અને જગાડવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે તેને સમજવું પણ એટલું જ જરૂરી છે. જે ખરેખર ધર્મ નથી, પણ લોકો જેને ધર્મ કહે છે તેની યથાર્થ વિચારણા કરવી આવશ્યક છે. પ્રવર્તમાન યુગમાં મોટાભાગના જીવો ધર્મ-અધર્મના સ્વરૂપની વિચારણા કર્યા વિના બાહ્ય ક્રિયાઓ કે કો૨ો શાસ્ત્રાભ્યાસ કરી, પોતે ધર્મ કરી રહ્યા છે એવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ પુષ્કળ તપ-ત્યાગ કરે છે, ખૂબ શાસ્ત્રાભ્યાસ કરે છે, છતાં તેમનામાં શાંતિ, સ્થિરતા, સ્વસ્થતા, સમતા, તૃષ્ણામુક્તિ આદિ ઉમદા સદ્ગુણો જે ધર્મનું અવિનાભાવી ફળ છે તે દેખાતાં નથી. જો જીવ ભાંગ પીએ, પરંતુ ગળાની નીચે ઉતાર્યા વિના તે ભાંગ મોંમાંથી પાછી બહાર કાઢી નાખે તો ભાંગ પીવા છતાં ભાંગ અંદર ગઈ ન હોવાથી તેને નશો ચડતો નથી; પ્રમાણે જીવ જપ-તપાદિ ક્રિયાઓ કરે છે, શાસ્ત્રાભ્યાસ કરે છે, પણ તે મોક્ષમાર્ગ વિષેની સાચી સમજણ અંતરમાં ઉતારતો નહીં હોવાથી તેને તે ધર્મપ્રવૃત્તિઓનું યથાર્થ ફળ મળતું નથી. મોક્ષમાર્ગ વિષેની સમજણ સવળી હોય તો પરિણમન થાય. પરંતુ મુક્તિમાર્ગની વ્યવસ્થા અત્યંત સ્પષ્ટ અને સરળ હોવા છતાં વર્તમાનમાં લોકો મૂળમાર્ગને પ્રાયઃ વીસરી ગયા છે. શ્રીમદ્ કહે છે તેમ ‘મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા - - Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.’૧ મૂળમાર્ગનું વિસ્મરણ થવાથી અને બાહ્ય કુટારો વધી ગયો હોવાથી જડ અને વક્ર જીવો નિશ્ચય-વ્યવહારનો યથાયોગ્ય સમન્વય સાધી શકતા નથી. કેટલાક જીવો નિશ્ચયને છોડી કેવળ વ્યવહારને જ વળગી રહે છે અને વ્યવહારરૂપ સાધનને જ સાધ્ય માને છે. તે જીવો વ્યવહારના વર્તુળમાં જ ભમ્યા કરે છે અને નિશ્ચયરૂપ સાધ્યને સાધી શકતા નથી. આવા જીવો વ્યવહારાભાસી કહેવાય છે. જેઓ વ્યવહારને છોડી દઈ કેવળ નિશ્ચયને જ અહે છે, તે જીવો પણ સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધી શકતા નથી. આવા જીવો નિશ્ચયાભાસી કહેવાય છે. વ્યવહારાભાસનું અને નિશ્ચયાભાસનું સ્વરૂપ હવે વિસ્તારથી જોઈએ ગાથા-૧૩૩ (૧) વ્યવહારાભાસનું સ્વરૂપ આ ભરત ક્ષેત્રે અત્યારે પંચમ કાળ વર્તે છે. તીર્થંકર પ્રભુનો વિરહ છે, જ્ઞાની ધર્માત્માઓનો પણ જોઈએ તેવો યોગ થતો નથી. માન, પૂજા, પરિગ્રહાદિ ઇચ્છતા અજ્ઞાની ગુરુઓનો ઠેર ઠેર યોગ થાય છે કે જેઓ જીવોને અંત૨ તરફ વાળવાને બદલે તેમની બહિર્મુખતાને વધુ પુષ્ટ કરે છે. અસદ્ગુરુઓ અનેક પ્રકારે જીવોને અવળે રસ્તે ચડાવી દે છે, જેથી ગચ્છ અને મતના અનેક ભેદો ઊભા થયા છે. શ્રીમદ્ કહે છે કે ‘જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે.'૨ ‘જ્યારે જ્ઞાનીપુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચોક્કસ કરે છે.’૩ જૈન ધર્મમાં અત્યારે ગચ્છ-મતના અનેક ભેદો જોવા મળે છે. જૈન ધર્મમાં ઘણા સંપ્રદાયો પ્રવર્તે છે અને વળી તે સંપ્રદાયોમાં અનેક વાડા પણ છે. ઉપકરણ, બાહ્ય ક્રિયાદિના આધારે જૈનધર્મનુયાયીઓમાં અનેક ગચ્છો ઊભા થયા છે. મુહપત્તિ, વેષ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૯ (પત્રાંક-૭૦૯) ૨- એજન, પૃ.૭૦૮ (ઉપદેશછાયા-૮) ૩- એજન, પૃ.૭૧૧ (ઉપદેશછાયા-૯) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આદિના આધારે ગચ્છભેદ પડ્યા છે. દરેકને પોતપોતાની માન્યતાનો આગ્રહ વર્તે છે. દાખલા તરીકે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતાવાળો શ્રાવક સામાયિક કરશે તો મુખે મુહપત્તિ બાંધશે, મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાવાળો શ્રાવક સામાયિક કરશે તો હાથમાં મુહપત્તિ રાખશે અને દિગંબર પરંપરાવાળો શ્રાવક સામાયિક કરશે તો મુહપત્તિ રાખશે જ નહીં! ત્રણે પોતાને જ સાચા માને છે અને બીજાને ખોટા જ માને છે. સ્થાનકવાસી કહે છે કે ઉઘાડે મુખે સામાયિક કરે તો તેમાં પાપ લાગે. મૂર્તિપૂજક કહે છે કે સામાયિકમાં મુહપત્તિનું પડિલેહણ તો અવશ્ય કરવું જ જોઈએ, જો ન થાય તો સામાયિક ખોટું. દિગંબર કહે કે મુહપત્તિ તો પરિગ્રહ છે, તેની જરૂર નથી. આમ, એક જ બાબતમાં જુદા જુદા મંતવ્યોનો આગ્રહ થવાથી વાડાબંધી થાય છે. - જીવ બાલ્યકાળથી જાણ્યે-અજાણ્યે મતાંધતાના સંસ્કારોનો સંચય કરે છે. તે કુટુંબ, સમાજ, ધર્મસ્થાન આદિના આજુબાજુના વાતાવરણમાંથી મતાંધતા મેળવે અને કેળવે છે. વંશપરંપરા અને અન્ય સંસર્ગથી તેની બુદ્ધિમાં મતાંધતા પ્રવેશે છે. તે એમ માનતો થઈ જાય છે કે મારો ગચ્છ-મત એ જ સાચો અને સર્વશ્રેષ્ઠ, બાકીના ગચ્છ-મત ખોટા કે ઊતરતા; મારા ઉપાસ્ય દેવ એ જ આદર્શ અને બીજાના દૂષિત કે તદ્દન સાધારણ; મને પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સાહિત્ય એ જ પૂર્ણ તથા પ્રથમ પંક્તિનું અને બીજાઓનું અપૂર્ણ કે પોતાના સાહિત્યમાંથી ચોરેલું, ઉધાર લીધેલું; મારા ગચ્છના ગુરુઓ એ જ ખરા ત્યાગી તથા મારા ગચ્છના વિદ્વાનો જ પ્રમાણભૂત અને બીજાઓના ગુરુઓ ઢોંગી તથા વિદ્વાનો અપ્રમાણભૂત. મતાંધતાના કારણે જીવની વિવેકશક્તિ ખીલતી નથી. તેની કર્તવ્ય-અકર્તવ્યનો ભેદ કરનારી બુદ્ધિ પાંગળી થઈ જાય છે. તે આગ્રહને ઉપયોગી અને ઉપાદેય માને છે. તે માને છે કે ગચ્છ-મતનો આગ્રહ તો અત્યંત આવશ્યક છે. આગ્રહ રાખવામાં આવે તો પોતાના ગચ્છ-મતનો ફેલાવો થાય. આગ્રહથી જ બીજા લોકોને પોતાના ગચ્છ-મત તરફ આકર્ષી શકાય, પોતાના ગચ્છ-મત સર્વશ્રેષ્ઠ છે એવું તેમનાં મનમાં ઠસાવી શકાય. તે પોતાને સત્યનો આગ્રહી માને છે અને પોતાના આગ્રહો માટે ક્લેશ પણ કરે છે. તે ભૂલી જાય છે કે પોતાની અને અન્યની શાંતિને જાળવવાનું મહત્ત્વનું કાર્ય તે ચૂકી ગયો માને છે કે આગ્રહો કરીને તે પોતાની ધર્મદઢતા ધાર્મિકતા બતાવે છે, પણ છે. વાસ્તવમાં તો તે બતાવે છે ધર્મ વિષેનું પોતાનું અજ્ઞાન પોતાની અધાર્મિકતા. તે સમજે છે કે આગ્રહ દ્વારા ધર્મની દૃઢતા સિદ્ધ થાય છે, પણ હકીકતમાં તે ધર્મથી દૂર થતો જાય છે. તે ગચ્છ-મતના આગ્રહમાં જ મોક્ષમાર્ગ કલ્પી લે છે અને મૂળમાર્ગથી દૂર થતો જાય છે. ગચ્છાહીના મન ઉપર ગચ્છનો મમત એવો સજ્જડ ચોંટી જાય છે કે અન્ય - Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૩૭ ગચ્છના અનુયાયીઓને શુદ્ધ ગુણ પ્રગટી શકે એમ પણ તેને લાગતું નથી. તે અન્ય ગચ્છના અનુયાયીઓની નિંદા કરે છે. તે તેઓ ઉપર જાતજાતના આરોપો મૂકે છે. અન્ય ગચ્છવાળાની નિંદા દ્વારા તે પોતાના ગચ્છની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માંગે છે. તે અન્ય ગચ્છવાળાઓની ત્રુટિઓ જોઈ, શોધી કે ઉપજાવી કાઢી તે ખામીઓની હર્ષ સહિત ઘોષણા કરે છે. તેની વાત કદાચ સાચી પણ હોય, તોપણ તેનો ભાવ તો ખોટો જ છે. સામેવાળાનો દોષ કે દુર્ગુણ હોય કે ન હોય, પણ એ વાતની ઘોષણા તો થઈ જ જાય છે કે તેના મનમાં વૈષનું સામાન્ય વર્તે છે. તેનું વલણ ઝેરમય છે. સામેવાળાના દુર્ગુણની નિંદા કરનાર નિષ્ણાત એક વાત તો સિદ્ધ કરે જ છે કે તેના પોતાનામાં અવગુણ છે. જે અન્યનું સારું જોઈ-બોલી શકતો નથી, તેમના ગુણોને સ્વીકારી શકતો નથી, તેમને માન આપી શકતો નથી; તે જીવનું વલણ એમ જ જાહેર કરે છે કે તે ધર્મને સમજ્યો જ નથી. જે જીવ ધર્મ સન્મુખ થયો હોય, જેના જીવનમાં શાંતિ હોય એ અન્ય ગચ્છ-મતવાળાઓના પણ સાચા ગુણ જોઈ શકે છે, તેમની કદર કરી શકે છે, તેમના વિષે સારું બોલી શકે છે. ધાર્મિક જીવની વૃત્તિ ઉદાર હોય છે, જ્યારે આગ્રહી જીવની વૃત્તિ સંકુચિત હોય છે. મતાંધતાના કારણે જીવ ધર્મઝનૂની બની જાય છે અને તેના ચિત્તની અશુદ્ધિ વધતી જાય છે. તેથી આ ગાથામાં એ જ ઉપદેશ કર્યો છે કે ગચ્છ-મતની કોઈ કલ્પનામાં રોકાઈ જવા જેવું નથી, કારણ કે વેષ, મુહપત્તિ આદિ કોઈ પણ પ્રકારના આગ્રહમાં આત્મકલ્યાણ નથી. આ ગાથામાં શ્રીમદ ગચ્છ-મતના ભેદોની કલ્પના તે સવ્યવહાર નથી એમ ઘણી મૃદુ ભાષામાં જણાવ્યું છે, પરંતુ શ્રી આનંદઘનજી મહારાજે તો ગચ્છના ભેદમાં આગ્રહ ધરાવનારાઓ પ્રત્યે બહુ કડક શબ્દોમાં લખ્યું છે કે – ‘ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે." આ કાળના કદાગ્રહી સાધુઓ વાડાના ભેદમાં આસક્ત થઈ ગયા છે. સાધકનો લક્ષ તો જડ અને ચેતનનું ભેદજ્ઞાન કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો હોવો જોઈએ, પણ તે લક્ષને વિસારી ઉદરભરણાદિ માટે તેઓ ગચ્છના વાડા બાંધી બેસી ગયા છે. તેઓ ધર્મના નામે અનેક પ્રકારના કષાયો કરે છે, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ કષાયપરિણતિમાં એટલા ઊતરી જાય છે કે તેઓ નિષ્પક્ષ રહી શકતા નથી. તેમણે ધર્મને એક પ્રકારનો સંસાર બનાવી દીધો છે. ગચ્છાગ્રહી સાધુઓ અન્ય જીવોને પોતાના ગચ્છમાં ઘસડી જવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના અનુયાયીઓની મોટી સંખ્યા દેખાડવા માટે લોકોને ખેંચીને પોતાના ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી અનંતનાથ ભગવાનનું સ્તવન, કડી ૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતમાં લઈ જાય છે, ક્લેશો કરાવે છે; પરંતુ તેમને આત્માની વાત સમજાવતા નથી. તેઓ લોકોને મોક્ષમાર્ગ તરીકે ક્રિયાકાંડો સાધનો પકડાવી દે છે, પણ તે કરવાનો હેતુ કે સાધ્ય સમજાવતા નથી. વસ્તુસ્વરૂપ સમજાવ્યા વિના તેઓ અનુષ્ઠાનો કરાવે છે. ઘણાખરા પ્રસંગોમાં ઉપર ઉપરની ટાપટીપ, ધૂમધામ વગેરે જોવામાં આવે છે; પણ ‘આત્મા વિભાવમાં જતો કેમ અટકે?' ‘સનાતન આત્મધર્મ શું છે?’ તેની વિચારણા અને તદનુસાર વર્તના જોવામાં આવતાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધન વડે શુદ્ધાત્માની સિદ્ધિ કરવી, શુદ્ધાત્માને પ્રગટ કરવો એ જ ભગવાનનો સનાતન આત્મધર્મ છે. એક, અખંડ અને અભેદ એવો સનાતન આત્મધર્મ જો કોઈ હોય તો તે છે શ્રી જિને પ્રરૂપેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આત્મામાં અભેદતા પરિણત કરવી. આ તાત્ત્વિક માર્ગનો વિચાર કરતાં બધા ગચ્છ મતના આગ્રહો એકસપાટે પત્તાના મહેલની જેમ પડી જાય છે. ગચ્છ-મતના આચાદિ શુદ્ધ આત્મધર્મની ગવેષણામાં ટકી શકતા નથી. શુદ્ધ આત્મધર્મ અને ગચ્છ-મતની સંકુચિતતામાં ખૂબ મોટો ભેદ છે. ધર્મમાં અંતર્દર્શન હોય છે, એટલે કે તે આત્માની અંદરથી ઊગે છે અને આત્મામાં જ ડોકિયું કરાવે છે, આત્મા તરફ જ જીવને વાળે છે; જ્યારે ગચ્છ-મતની કલ્પનામાં બહિર્દર્શન હોય છે, એટલે કે તે બહારના વાતાવરણમાંથી અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને જીવને બહારની બાજુ જ રોકી રાખે છે. તે પહેરવેશ, કપડાંનો રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો તથા ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. ધાર્મિક જીવ બીજા સાથેનો પોતાનો ભેદ ભૂલી અભેદતા તરફ ઝૂકે છે, જ્યારે ગચ્છ-મતની કલ્પનાયુક્ત જીવ પોતાની અસલ અભેદતા ભૂલી ભેદ તરફ વધારે ને વધારે ઝૂકતો જાય છે. ધર્મ જીવને રાત-દિવસ પોષાતા ભેદસંસ્કારોમાંથી અભેદ તરફ ધકેલે છે અને ગચ્છ-મતની કલ્પના એ પોષાતા ભેદમાં વધારે ને વધારે ઉમેરો કરે છે અને ક્યારેક અભેદની તક આવે તો તેમાં તેને સંતાપ કરાવે છે. તેને પોતાનું અને પારકું એ બે શબ્દ ડગલે ને પગલે યાદ કરાવે છે. પંડિત સુખલાલજી લખે છે ‘ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીનો દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી જેવો જ નહિ, પણ લોકોના ગોળામાં, ખાસ કરીને હિંદુઓના ગોળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણી જેવો છે. એને કોઈ સ્થાન ઊંચું કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજો સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૩૯ હિંદુઓના ગોળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાનો જ સ્વાદ અને પોતાનું જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણાંતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે.’૧ અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે પંથ ખરાબ નથી, પરંતુ તેનો આગ્રહ ખરાબ છે. જો શુદ્ધ ધર્મ સધાતો હોય તો ગમે તે પંથનું અનુસરણ થતું હોય, તે યથાર્થ માર્ગે જ છે. જો પંથની અંદર ધર્મમય જીવન હોય તો જીવનું કલ્યાણ થવાનું જ, કારણ કે એમાં પ્રકૃતિભેદના કારણે હજારો ભિન્નતાઓ હોવા છતાં ક્લેશ નહીં હોય, પ્રેમ હશે; અભિમાન નહીં હોય, નમ્રતા હશે; શત્રુભાવ નહીં હોય, મિત્રતા હશે; ઉકળાટ નહીં હોય, ખમવાપણું હશે. ગચ્છ-મત હતા, છે અને રહેશે; તેમાં સુધારવા જેવું કે કરવા જેવું કંઈ હોય તો તે એટલું જ છે આગ્રહના કારણે તેમાંથી વિખૂટો પડેલો ધર્મનો પ્રાણ ફરી તેમાં પૂરવો. ગચ્છ-મતમાં ધર્મનો પ્રાણ ફૂંકવા માટેની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી જોઈશે. સત્યાગ્રહી દષ્ટિનું લક્ષણ એ છે કે દરેકની બધી બાજુઓ જોવાની અને તેમાં જે પણ સત્ય દેખાય, તે બધાનો સમન્વય કરવાની વૃત્તિ હોવી જોઈએ. જે જીવમાં સત્યાગ્રહી દષ્ટિ હોય છે તેનામાં પોતે જે માનતો અને કરતો હોય તેની યથાર્થ સમજ હોય છે. પોતાની માન્યતા બીજાને સમજાવતાં તેને જરા પણ આવેશ કે ગુસ્સો નથી આવતા અને સમજાવતી વખતે પણ એ માન્યતાની ખૂબીઓની સાથે જો કોઈ ખામી હોય તો એની પણ તે વગર સંકોચે કબૂલાત કરે છે. જેમ પોતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ હોય છે, તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોય છે. આવું દૃષ્ટિ-ઉદારતાનું તત્ત્વ હોય તો કોઈ એક સંપ્રદાયને સ્વીકાર્યા છતાં જીવમાં સાંપ્રદાયિકતા નથી આવતી. સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયનું અવિચારી બંધન, મોહ. કોઈ એક સંપ્રદાયનો સ્વીકાર કરવામાત્રથી જીવ સાંપ્રદાયિક નથી બની જતો. સાંપ્રદાયિકતા તો સંકુચિત અને એકપક્ષીય અંધષ્ટિમાંથી ઉદ્ભવે છે. કોઈ પણ સંપ્રદાયની ધૂંસરી સ્વીકારી તેના મોહમાં અંધ થઈ જવાથી સાંપ્રદાયિકતા ઊપજે છે. પ્રામાણિક માર્ગ દૃષ્ટિની ઉદારતાનો છે, કારણ કે એમાં સંપ્રદાયનો સ્વીકાર કરવા છતાં મિથ્યા અસ્મિતાનું તત્ત્વ નથી હોતું, એકાંતિક વલણ નથી હોતું. સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવનો ઘાત છે, જ્યારે દૃષ્ટિની ઉદારતામાં સમભાવ સચવાય છે. દૃષ્ટિરાગ, મતમોહ જીવને સત્યની નજીક આવતાં અટકાવે છે, જ્યારે દૃષ્ટિની ઉદારતામાં સત્યની સમીપ લઈ જવાનો ગુણ છે. ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ધર્મ અને પંથ વ્યાખ્યાન, પૃ.૩૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સાંપ્રદાયિકતા અને દૃષ્ટિની ઉદારતાને સ્પષ્ટપણે સમજવા એક ઉદાહરણ જોઈએ. ચિકિત્સા માટે ઍલોપથિ કે બીજી કોઈ પદ્ધતિ સ્વીકાર્યા પછી તેમાં એટલા બધા બંધાઈ જવું કે ગમે તે વ્યક્તિ માટે અને ગમે તેવા દેશ-કાળમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે જ પદ્ધતિની ઉપયોગિતા સ્વીકારવી અને બીજી તમામ પદ્ધતિઓ વિષે દ્વેષવૃત્તિ દાખવવી એ દૃષ્ટિની સંકુચિતતા છે. તેથી ઊલટું કોઈ પણ એક પદ્ધતિનો સવિશેષ આશ્રય લીધા પછી પણ ઇતર પદ્ધતિઓના વાસ્તવિક ઉપયોગી અંશો તે તે પદ્ધતિની દૃષ્ટિએ માન્ય રાખવા એ દૃષ્ટિની ઉદારતા છે. ૧૪૦ જો જીવમાં દૃષ્ટિની ઉદારતા ખીલી ન હોય અને તે સાંપ્રદાયિકતાના બંધનમાં જકડાયેલો હોય તો, જ્યારે જ્યારે એકતાના પ્રસંગો આવે છે ત્યારે ત્યારે તેને વ્યામોહ આડો આવે છે. ધર્મને નામે ઉદ્ભવેલું અને પોષાયેલું માનસિક સંકુચિતપણું, મિથ્યા અભિમાન, મતાગ્રહ જીવોને એક થતાં અને મળતાં અટકાવે છે. કોઈ નજીવી બાબત જતી કરવાની હોય ત્યાં ગચ્છ-મતના ઝેરીલા અને સાંકડા સંસ્કારો આવીને તેમ કરતાં રોકે છે. ગચ્છ-મતના મોટા મનાતા ધર્મગુરુઓ જો કદાઞહી કે મતાગ્રહી હોય તો તેઓ એકબીજાને મળવા તૈયાર થતા નથી, તેઓ બીજા સાથે એકરૂપ થઈ નથી શકતા; જ્યારે આગ્રહરહિત માણસો સહેલાઈથી એકબીજાને મળે છે. એકતાનો અને લોકકલ્યાણનો દાવો કરનાર ગચ્છ-મતના ધર્મગુરુઓ એકબીજાથી જુદા રહે છે. આ રીતે ગચ્છ-મતની કલ્પના સત્ય અને એકતાની આડે આવે છે. જીવ પોતે જ પોતાના ગચ્છમતના આગ્રહરૂપ શસ્ત્રથી સત્ય અને એકતાનો ઘાત કરે છે. ગચ્છ-મતના આગ્રહ વડે તે ધર્મનો દ્રોહ કરે છે. ગચ્છ-મતનો આગ્રહી જીવ પોતાને ધર્મપ્રચારક માનતો હોવા છતાં હંમેશાં ધર્મનો જ ઘાત કરે છે. આમ, ગચ્છ-મતના આગ્રહમાં ધર્મ નથી. ધર્મના નામે થતા અહંભાવ, મમત્વભાવ તથા ગચ્છ-મતની કલ્પના હિતકર નથી, તે સર્વ્યવહાર નથી. આ ગાથાની પ્રથમ પંક્તિ એ વિચાર કરવા પ્રેરે છે કે નિશ્ચયની દિશામાં ગતિ જે વ્યવહારના આધારે કરવાની છે, તે વ્યવહાર કેવો હોવો જોઈએ? આ વિષે સાધકના ચિત્તમાં સ્પષ્ટતા હોવી અત્યંત જરૂરી છે. શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું એ સાધકનું ધ્યેય છે. આ ધ્યેયને સિદ્ધ કરવામાં જે જે અનુષ્ઠાન, ક્રિયાકાંડ કે સાધનાપદ્ધતિ સહાયકારી નીવડે છે તે બધાં મોક્ષમાર્ગના વ્યવહારમાં ગણના પામે છે. સર્વ્યવહારમાં માત્ર અમુક મતપંથનિર્દિષ્ટ ક્રિયાકલાપ જ ગણના પામે છે એવું નથી. ભલે ભિન્ન ભિન્ન મતપંથોના બાહ્ય ક્રિયાકાંડનું માળખું જુદું હોય, પણ જો તેના વડે શુદ્ધ સ્વરૂપની જાગૃતિ સધાતી હોય તો તે વ્યવહાર મુક્તિસાધક છે. ‘અધ્યાત્મસાર’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે બાહ્ય લિંગ-વેષ-અનુષ્ઠાન ભલે જુદાં હોય, એટલું Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૪૧ જ નહીં સમૂળગા મત-પંથ પણ ભલે જુદા હોય, પણ જેમનો આંતરિક ભાવ વિશુદ્ધ હોય, રાગ-દ્વેષ અને મોહથી રહિત હોય, તે સૌ મોક્ષના અધિકારી છે. કદાગ્રહ મૂકીને આ તથ્યને શાણા માણસે વિચારવું ઘટે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમુક પદ્ધતિથી ધર્મારાધના કરવાથી જ સાધ્યપ્રાપ્તિ થાય છે એવું નથી. ભાવવિશુદ્ધિનો પ્રકર્ષ થતાં ગૃહસ્થ અવસ્થામાં કે અન્ય લિંગમાં પણ કૈવલ્ય અને મુક્તિની વાત જૈન દર્શન માન્ય રાખે છે, તેથી કોઈ નિશ્ચિત ક્રિયા અમુક નિશ્ચિત દિવસે થાય તો જ મુક્તિ મળે એવો આગ્રહ રાખવો યોગ્ય નથી. એ આગ્રહમાં વ્યક્તિના ધર્મપ્રેમને બદલે તેનું અજ્ઞાન, મતાંધતા અને દૃષ્ટિરાગ જ દેખાઈ આવે છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી લખે છે કે – ‘સાંવત્સરિક પ્રતિક્રમણની આપણી આરાધનામાં મહત્ત્વની વસ્તુ છે. પશ્ચાત્તાપ, ક્ષમા, સમતા અને ઉપશમરૂપે વ્યક્ત થતી ચિત્તશુદ્ધિ, નહિ કે દિવસ. જેમણે આપણી જેમ કટાસણું પાથરીને “પડિકમણું' (અર્થાત્ પ્રતિક્રમણનું અનુષ્ઠાન) કદી કર્યું નથી હોતું તે - અન્ય લિંગમાં રહેલ આત્માઓ - પણ મુક્ત થાય છે, તો શું એક દિવસ મોડું વહેલું પ્રતિક્રમણ કરનારનો મોક્ષ અટકી જવાનો? .... તિથિના આગ્રહને વળગી રહેવામાં આપણે ભગવાનની આજ્ઞાને નહિ પણ વાસ્તવમાં આપણા અહં-મમને જ વળગી રહ્યા છીએ. દિવસના આગ્રહ કરતાં ઉપશમભાવના પ્રાકટ્ય, પુષ્ટિ અને વૃદ્ધિના આગ્રહમાં જ ભગવાનની આજ્ઞાની આરાધના છે. બાહ્ય અનુષ્ઠાન જુદાં હોય, જુદે દિવસે કે જુદી રીતે થતાં હોય કે પ્રમાણમાં અલ્પ હોય તો આંતરશુદ્ધિ થઈ જ ન શકે, એ વાત જૈન દર્શનને માન્ય નથી. મહત્ત્વ આંતર વિશુદ્ધિનું અને તેને સહાયક અનુષ્ઠાનો તથા જીવનચર્યાનું છે, તે વિનાના બાહ્ય ક્રિયાકલાપની પૂર્ણતાનું નહિ.૨ બાળ અને અજ્ઞાની જીવો તિથિઓના વાંધા કાઢી, જુદા પડી, ‘હું સાચો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે. તેઓ નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. આવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. તિથિ, ચાંલ્લા આદિના આગ્રહો એ કાંઈ મોક્ષે જવાનો રસ્તો નથી. જે કોઈ શાસ્ત્રો આવા મહાગ્રહોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરાવતા હોય તે શાસ્ત્રો મિથ્યા છે. શ્રીમદે તો એટલે સુધી ચેતવ્યા છે કે કોઈ ગચ્છ-મતનું સમર્થન કરતું પુસ્તક પણ હાથમાં ન લેવું, નહીં તો જીવને આગ્રહ વળગી જાય. શ્રીમદ્ કહે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૮૮ “મારાત્તતો મોક્ષો fમન૮િપ ઘુવઃ | कदाग्रहं विमुच्येतद्भावनीयं मनस्विना ।।' ૨- મુનિશ્રી અમરેન્દ્રવિજયજી, ‘સાધનાનું હૃદય', પૃ.૨૬-૨૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે કે – ‘ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું, દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતદષ્ટિનાં પુસ્તકો છે.’૧ જીવે ગચ્છ-મત-સંપ્રદાયની કલ્પનાને ત્યજવી જોઈએ. ગચ્છ-મતાગ્રહીઓના પ્રચારથી દોરવાઈ જઈ, તેણે પોતે સ્વીકારેલા ક્રિયાકાંડથી ભિન્ન ક્રિયાકાંડને અનુસરનારા મુમુક્ષુઓ પ્રત્યે દ્વેષ, ધૃણા કે માત્સર્યપૂર્ણ વલણમાં કદી ફસાવું ન જોઈએ. તેણે કોઈ ક્રિયાકાંડ, અનુષ્ઠાનનો આગ્રહ ન રાખવો જોઈએ. સવ્યવહારનું સ્વરૂપ યથાર્થપણે સમજવું જોઈએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી સિમંધર ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે કે – અવર ઈસ્યો નય સાંભલી, એક ગ્રહે વ્યવહારો રે; મર્મ દ્વિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે. તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે; જીવીએ તુજ અવલંબને, તું સાહિબ ચિરંજીવો રે. કદાગ્રહી અજ્ઞાની જીવ અનેક ભેદોથી ભરપૂર એવા વ્યવહારનયના રહસ્યને સમજતો નથી. તે કાર્યના લક્ષને ભૂલીને લક્ષશૂન્ય પ્રવૃત્તિઓને જ સદ્વ્યવહાર માને છે. તે અવિવેક અને અજ્ઞાનતાપૂર્વક આદરેલી બાહ્ય પ્રવૃત્તિઓને જ સદ્વ્યવહાર માની બેસે છે. તે શુદ્ધ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહારના રહસ્યને જાણ્યા વિના, સ્વરૂપલક્ષરહિતપણે બાહ્ય પ્રવૃત્તિમાં જ કદાગ્રહપૂર્વક વર્તે છે. આવો જીવ પરમાર્થમાર્ગને સમજી કે પામી શકતો નથી. આવા કદાહી જીવને, હે સીમંધર પ્રભુ! તારા સિવાય બીજું કોઈ સન્માર્ગ સમજાવી શકે તેમ નથી, કારણ કે અજ્ઞાનરૂપી ગાઢ અંધકારથી મોહાંધ બનેલા પ્રાણીઓ માટે તું જ સન્માર્ગદર્શક ધર્મદીપક છે. હે પ્રભુ! તારી દયાના અવલંબનથી જ ભવ્યાત્માઓ સન્માર્ગને શોધીને, સમજીને તથા મેળવીને સમ્યજ્ઞાનરૂપી તાત્વિક જીવન જીવી રહ્યા છે. તેથી હે સન્માર્ગદર્શક સાહેબ! તું આ વિશ્વમાં દીર્ઘ કાળ સુધી જીવિત રહે, અર્થાત્ તારી દયાનો આશ્રય અમને દીર્ઘ કાળ સુધી પ્રાપ્ત થાઓ. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ પણ લખે છે કે – ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૫-૭૨૬ (ઉપદેશછાયા-૧૧). ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૬, કડી ૬૪,૬૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૪૩ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ; આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે." જીવો ગચ્છ અને કદાહને સાચવવા ખૂબ મહેનત કરે છે. પોતાના ગચ્છને માનનારા ઘટી ન જાય તથા મુહપત્તિ, રજોહરણ ઇત્યાદિ નાની નાની વસ્તુઓના કદાગ્રહ છૂટી ન જાય તે માટે ઉપદેશ આપવા જેવી અનેક આદિ પ્રવૃત્તિઓમાં પ્રવર્તન કરી રહ્યા છે. સર્વજ્ઞ પ્રભુનાં શાસ્ત્રો પોતપોતાની કલ્પનાએ ઘટાવી, ગચ્છ-કદાગ્રહ આદિ સાચવવામાં જાણે પોતે વીતરાગનો ધર્મ પ્રવર્તાવી રહ્યા છે એમ તેઓ માને છે; પરંતુ રાગ-દ્વેષરૂપ કષાયનો ક્ષય એ જ વીતરાગનો સાચો ધર્મ છે - આ શુદ્ધ ઉપયોગરૂપ ધર્મ તેમના લક્ષમાં પણ નથી. કષાયો મોળા પડ્યા હોય, મુક્ત થવા સિવાય અન્ય કોઈ અભિલાષા ન હોય, સંસાર પ્રત્યે ખેદ વર્તતો હોય અને અંતરમાં સ્વપદયાના નિર્મળ ભાવો પ્રકાશતા હોય - આવી અંતરંગ દશા તે સદ્વ્યવહાર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ૩૮માં આત્માર્થીની જે દશા કહી તે દશા અથવા ગાથા ૧૦૮માં જિજ્ઞાસુનાં જે લક્ષણ કહ્યાં તે સદ્વ્યવહાર છે.? આત્માર્થી જીવને - જિજ્ઞાસુ જીવને આત્મકલ્યાણની તીવ્ર પ્યાસ હોય છે. તેને આત્મશાંતિ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જાગી હોય છે. તે આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી આનંદ પ્રગટ કરવા માંગે છે. તેને એવો આનંદ જોઈએ છે કે જે સ્વાધીન હોય, જેના માટે પરનું અવલંબન ન લેવું પડે. તેને સતુને સમજવાની, સ્વભાવને સમજવાની યથાર્થ ભાવના હોય છે. તેને પરની રુચિ મંદ પડી હોય છે અને સ્વભાવની રુચિ થઈ હોય છે. શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવા માટે આવી પાત્રતા આવશ્યક છે. આવી ભૂમિકા વિના જીવ સિદ્ધિ નથી મેળવી શકતો. આવી દશા તે સદ્વ્યવહાર છે. આવી દશા લાવવામાં નિમિત્તરૂપ જે જે સત્સાધનો છે તે સર્વ સવ્યવહાર છે અથવા પરમાર્થમૂળહેતુ વ્યવહાર છે. આ પ્રમાણે પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં ગચ્છ-મતની કલ્પનાઓ તે ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી ચંદ્રાનન ભગવાનનું સ્તવન, કડી ૬ સરખાવો : સંતકવિ અખાજી, ‘અખાની કાવ્યકૃતિ', ખંડ ૧, શિક્ષા અંગ, છપ્પા ૩ ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે ખાધી ખતા; એકનું થાણું બીજો હણે, અન્યથી આપને અદકો ગણે; અખા એ અંધારો કૂવો, ઝગડો ભાંગી કો નવ મૂવો.' ૨- “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૩૮) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.' (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧૦૮) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અસવ્યવહાર છે અને તે જીવને પડવાનાં સ્થાનક છે એમ કહી, તેનો નિષેધ કરી, સવ્યવહારનો આશ્રય કરવા ઉપદેશ કર્યો છે. હવે ગાથાની દ્વિતીય પંક્તિમાં જે નિશ્ચય સારભૂત નથી તેનું વર્ણન કર્યું છે, અર્થાત્ નિશ્ચયાભાસી જીવને તેના દોષ બતાવી, શ્રીમદ્ કરુણાભાવે યથાર્થ મોક્ષમાર્ગ સમજાવે છે. (૨) નિશ્ચયાભાસનું સ્વરૂપ પોતાના નિજસ્વરૂપનું ભાન હોય તે યથાર્થ રીતે નિશ્ચય છે અને જે નિશ્ચયમાં નિજસ્વરૂપનું ભાન ન હોય તે કોઈ પણ પ્રકારે સારભૂત નથી, અર્થાત્ ફળદાયી નથી. પોતાના સ્વરૂપનું ભાન નથી, શુદ્ધાત્મા પ્રત્યે જાગૃતિ નથી, અનુભવમાં આત્મા દેહાદિથી સ્પષ્ટ જુદો - અસંગ ભાસ્યો નથી અને તેવો લક્ષ પણ નથી, દેહાધ્યાસ વર્તે છે, મોહદશામાં લીનતા છે, ત્યાગ-વૈરાગ્ય-સંયમાદિ સાધનમાં પ્રવર્તન નથી - આવી દશા વર્તતી હોય ત્યારે ભલે નિશ્ચયનયનાં વાક્યો બોલાતાં હોય, પરંતુ તે કાર્યકારી થતાં નથી. ભેદજ્ઞાનની જાગૃતિ હોય નહીં, ભેદજ્ઞાનની જાગૃતિ રહે તેવા પ્રયત્ન પણ હોય નહીં અને જો કથનમાત્ર હું શુદ્ધ છું, અસંગ છું એમ પોકારવામાં આવે તો તે નિશ્ચય ફળીભૂત થતો નથી. તે નિશ્ચય નહીં પણ નિશ્ચયાભાસ છે. નિશ્ચયાભાસી જીવ નિશ્ચયનયપ્રધાન વાક્યોને શબ્દોમાં રહે છે, પણ તે વાક્યોના આશયનો આશ્રય નથી કરતો. તે અર્થને નથી પકડતો, માત્ર શબ્દોને પકડે છે. તેની ભાષામાં નિશ્ચય વાક્યો આવે છે, પણ તે વાક્યો દ્વારા જે અભિપ્રેત છે તે ભાવ તે ગ્રહણ નથી કરતો. તેની ભાષા બદલાય છે, પણ ભાવમાં પરિવર્તન આવતું નથી. પૂર્વે પોતાનાં સુખ-દુઃખનું કર્તુત્વ પરમાં આરોપતો હતો અને તદનુરૂપ વાણી-વ્યવહાર પણ ચાલતો હતો. નિશ્ચય વાક્યોના પરિચયથી તેનાં વાણી-વ્યવહાર બદલાઈ જાય છે. તે હવે પરને કર્તા નથી કહેતો. તે પર માટે 'કર્તા'ને બદલે નિમિત્ત માત્ર બોલે છે, પણ અંતરંગ શ્રદ્ધામાં પોતાનાં સુખ-દુઃખની લગામ તો હજુ પરના હાથમાં જ રાખે છે. તેના શ્રદ્ધાનમાં તો પર પોતાને લાભ-નુકસાન કરી શકે અને પરનું પોતે કરી શકે એમ જ રહે છે. તત્ત્વશ્રવણ-વાંચનનો રંગ ભાષા ઉપર ચડે છે, પણ શ્રદ્ધા ઉપર ચડતો ન હોવાથી પરના કર્તા-ભોક્તાપણાની શ્રદ્ધા યથાવત્ રહે છે. તે પોતાના વિપરીત અભિપ્રાયોને છોડતો નહીં હોવાથી તેને યથાર્થ તત્ત્વનિર્ણય થતો નથી. તે શરીરને પોતાનું માને છે, “શરીર તે હું છું એમ માને છે. શરીરથી ભિન્નતાનું યથાર્થ ભાન થયું ન હોવાથી તે દેહની શાતાનાં કારણોમાં પ્રીતિપૂર્વક રમણતા કરે છે. નિશ્ચયાભાસી જીવનું સ્વરૂપ બતાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે – ‘જેને પરમહિત કરવું હોય તેણે ખૂબ સત્સમાગમ અને વૈરાગ્ય વધારવો. પણ જ્ઞાન-વૈરાગ્યનાં જેને કાંઈ ઠેકાણાં નથી, વિષય-કષાયમાં આસક્તિ છે, દેહાધ્યાસ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૪૫ વર્તે છે, અને સત્સમાગમ આદિ સાધન પામ્યા વિના કથનમાત્ર નિશ્ચય પોકાર્યા કરે કે “આત્મા શુદ્ધ છે' તે નિશ્ચયાભાસી છે. જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ-ક્લેશ દેખાય, શરીરની સગવડતાની ઘણી મમતા હોય, એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર-દેહાદિમાં સુખબુદ્ધિ હોવાથી સિદ્ધાંતબોધ અને અધ્યાત્મશાસ્ત્ર સારભૂત થતાં નથી. તેવા જીવ આત્મા સર્વથી જુદો છે, જડ મન-ઇન્દ્રિયથી જુદો છે, એમ વાતો કરે, પણ જ્યાં શરીરને કંઈ અગવડતા જણાય ત્યાં આલસવિલસ થાય છે, મૂંઝાઈ જાય છે. પણ ભાઈ રે! તું કહેતો હતો ને કે હું પરથી - દેહથી જુદો છું? શાસ્ત્રજ્ઞાનની ઓથ લઈને જેણે દેહાદિની મમતા ઘટાડી નથી, આત્મામાં અંતરંગ દેહભાવ, મમતા વર્તે છે અને કહે કે - અમને સમ્યગ્દર્શન છે, તે માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે, પોતાના આત્માનો ઘાત કરે છે, તેને નિશ્ચયનું ભાન નથી. ..... કોઈ શાસ્ત્રના શબ્દો ગોખી રાખે કે - આત્મા આવો છે વગેરે મનમાં ધારી રાખે અને માને કે હું જ્ઞાની છું પણ તેથી કાંઈ પરમાર્થે જ્ઞાનીપણું આવતું નથી. ગ્રામોફોનની રેકર્ડ પણ આત્માની વાતો બોલી જાય તેમ આ પણ બોલી જાય, તેથી ચેતનને ગુણ શું?’ નિશ્ચયાભાસી જીવ માત્ર શબ્દોથી જાણે છે કે હું જ્ઞાનસ્વરૂપ છું, પરંતુ તે પોતાને પરદ્રવ્યથી ભિન્ન, કેવળ ચૈતન્યસ્વરૂપે લક્ષમાં લેતો નથી. તે સ્વ-પરને જાણવા છતાં પોતાના સ્વભાવ તરફ ઢળતો નથી. તેનું વલણ પર તરફ જ રહે છે. સ્વભાવ તરફ તેનું વલણ થતું નથી. તે ક્ષયોપશમભાવે માત્ર ધારણાથી ખ્યાલ કરે છે, પરંતુ યથાર્થપણે રુચિથી સમજતો નથી. જો યથાર્થપણે રુચિથી સ્વભાવની વાત સમજે તો સમ્યગ્દર્શન થાય. સ્વભાવની વાત સાંભળતાં તેનો મહિમા લાવીને, ‘અહો! આવું મારું સ્વરૂપ છે' એમ સ્વભાવનો ઉલ્લાસ આવવો જોઈએ. વીર્ય પરથી ખસેડીને સ્વભાવમાં વાળવું જોઈએ. નિશ્ચય વાક્યોને મોઢે કરી આત્મવસ્તુને માત્ર જ્ઞાનરૂપે ખ્યાલમાં લેવાથી જીવને સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્ય તે તરફ ઢળે તો કામ થાય છે. જ્ઞાન અને વીર્ય બનેને સ્વભાવમાં વાળવાં જોઈએ. વીર્યને સ્વભાવ તરફ વાળવામાં ન આવે તો જ્ઞાનમાં તે તથ્યનો ખ્યાલ હોવા છતાં તે તથ્ય કાર્યકારી થતું નથી. શાસ્ત્રાદિ વડે આત્મસ્વરૂપને જાણી લેવામાં આવે, પણ તેનો આશ્રય લેવામાં ન આવે તો જાણવાથી કોઈ લાભ થતો નથી. આત્મતત્ત્વનો આશ્રય કરવાથી, તેની સન્મુખ થવાથી જ દુઃખનો અભાવ થાય છે. “આત્મા' શબ્દથી પોતાને આત્મારૂપ શ્રદ્ધવામાં આવે, આત્મા તરફ પોતાનું વલણ થાય તો જ સુખપ્રાપ્તિ થાય છે. આત્મા વિષે જાણી તે તરફ દષ્ટિ જતાં ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૧૨-૪૧૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ૧૪૬ સમ્યગ્દર્શન પ્રગટે છે. યથાર્થ જ્ઞાન એ જ છે તદનુરૂપ પરિણમન થાય. પરંતુ સાંપ્રત સમાજમાં જ્ઞાનાભ્યાસ પુષ્કળ થતો હોવા છતાં, નિશ્ચયની ચર્ચા-વિચારણા થતી હોવા છતાં લગભગ તે અભ્યાસાદિ સત્ય સ્વરૂપે પરિણમતાં નથી અને મિથ્યાત્વ તેમજ કષાયનું મંદત્વ થતું નથી. જીવ ભાડાનું જ્ઞાન લઈને સંતોષાઈ જાય છે અને ચિત્તમાં પરિવર્તન કરવાનો, સ્વનું રૂપાંતરણ કરવાનો તે કોઈ પ્રયાસ કરતો નથી. તે માત્ર બાહ્ય જ્ઞાનને એકઠું કરતો રહે છે અને એ જ્ઞાનને જ સમ્યજ્ઞાન સમજીને જીવે છે, સંતોષાઈ જાય છે; પણ તે વડે તેના જીવનમાં સુખ, શાંતિ, સલામતી, નિર્ભયતા, પવિત્રતા આવી શકતાં નથી. - વિવેચન શુષ્કજ્ઞાની જીવ અન્યનું જ્ઞાન ભેગું કરે છે. તે નિશ્ચય વાક્યો શીખી લે છે અને તેને વાણીમાં ઉતારી લે છે. તે બોલવા લાગે છે કે આત્મા તો સુખનું ધામ છે, આનંદનો પિંડ છે; પણ આ તો માત્ર ઉછીની માહિતી છે, ઉધાર જ્ઞાન છે. તે પોતાની ગહન થતી અંતર્દ્રષ્ટિ દ્વારા એ નિષ્કર્ષ ઉપર નથી પહોંચ્યો કે આત્મા સુખમય છે. જો તે પોતાની આંતરિક ખોજ દ્વારા એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યો હોય કે આત્મા સુખમય છે તો તો બાહ્યમાંથી સુખ મેળવવાની તેની દોડ અટકી જાય; પરંતુ નિશ્ચયાભાસી જીવ વાતો તો સ્વરૂપની કરે છે અને બાહ્યમાંથી સુખ મેળવવા માટે વેગપૂર્વક દોડતો રહે છે. તેના અંતરમાં તો એમ જ છે કે પરમાં સુખ છે. માત્ર બહારથી ઉધાર બોધના કારણે તે એમ બોલે છે કે આત્મામાં સુખ છે; માટે જીવે ચકાસવું જોઈએ કે પોતે જે બોલે છે એ નિજબોધ છે કે પરનો ઉધાર લીધેલો બોધ છે? જીવમાં ક્રાંતિની સંભાવના ત્યારે જ છે કે જ્યારે એ નિજબોધ હોય. બીજા કહે છે કે આત્મા સુખમય છે, એટલામાત્રથી પોતે પણ કહેવા લાગે તો પરમાંથી સુખ મેળવવાની ચેષ્ટા વિરામ નહીં પામે. જીવને પોતાને પણ એમ ભાસવું જોઈએ. નિજબોધ હોય તો તે ઉદયપ્રસંગોમાં મદદે આવે છે અને પરિણામે પરમાંથી સુખ લેવાની ચેષ્ટા વિરામ પામતી જાય છે. શાસ્ત્રનો બોધ જ્યારે અંતરમાં સુસ્થિત થઈ પોતાનો બોધ બને છે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. કોરા ઉધાર જ્ઞાનથી જીવનના સત્યને ક્યારે પણ નથી મેળવી શકાતું. જીવનના સત્યને તો એ જ જાણે છે કે જે નિજજ્ઞાનથી યુક્ત છે, પણ નિશ્ચયાભાસી જીવ તો ઉછીનું લીધેલું જ્ઞાન સ્મૃતિમાં ભરી લે છે અને માને છે કે ‘હું આત્મા-પરમાત્મા વિષે ઘણું જાણું છું.' તે આત્મા વિષે જાણવાનો, જીવનનાં બધાં સત્યોને જાણવાનો દાવો કરે છે, પણ તેને સ્વસંવેદનની ઉપલબ્ધિ થઈ હોતી નથી. તે આત્મા વિષે જાણે છે પણ આત્માને નથી જાણતો. તેના આવા જ્ઞાનનું મૂલ્ય શું? આત્માને જાણવાના પ્રયત્ન એ જ - Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૪૭ ધર્મનું યથાર્થ આચરણ છે. સ્વને જાણવું એ જ ધર્મ છે. સ્વનો અનુભવ કરવો એ જ ધર્મ છે. સતત આત્મજાગૃતિપૂર્વક જીવવું એ જ ધર્મ છે. પરંતુ નિશ્ચયાભાસી જીવ ધર્મના નામે જાણે છે કેવળ શાસ્ત્ર, ધર્મના નામે જાણે છે માત્ર શબ્દ. જે શબ્દને સત્ય સમજે છે તેનામાં અને જે શબ્દકોષના ઘોડાને સાચો ઘોડો માની લે છે તેનામાં કોઈ જ ફરક નથી. શબ્દકોષના ઘોડા ઉપર કોઈ સવારી કરી શકે? શું કોઈ એવો બુદ્ધિમાન હોઈ શકે કે જે શબ્દકોષના ઘોડા ઉપર સવારી કરવા ઇચ્છે? ના. નાનું બાળક પણ શબ્દકોષના ઘોડા ઉપર સવારી કરવાની ઇચ્છા નહીં કરે, પણ નિશ્ચયાભાસી જીવ શબ્દકોષના ‘ભગવાન આત્માને જાણીને તેમાં જ કૃતકૃત્યતા માની લે છે. તે શબ્દકોષને સત્ય માની લે છે, તેથી તેને આત્માનો અનુભવ તો નથી થતો, પણ અનુભવ માટેની ઝૂરણા પણ નથી જાગતી. તેને સાચા ઘોડા ઉપર સવારી કરવાની, ભગવાન આત્માના આનંદસ્વરૂપમાં સ્થિર થવાની અભીપ્સા જ જાગતી નથી. જીવને ભલે શાસ્ત્રનું બધું જ્ઞાન હોય, પરંતુ આત્માનુભવ વિના, આત્મભાન વિના તેના માટે શાસ્ત્રનું જાણપણું માત્ર મનના ભારરૂપ છે. જીવ આત્મલક્ષ વિના અગિયાર અંગ ભણી જાય તો પણ તેનાથી તેને કિંચિત્માત્ર પણ આત્મકલ્યાણની પ્રાપ્તિ થતી નથી. જો માત્ર શાસ્ત્રના જાણપણામાં રોકાય, પરંતુ શાસ્ત્ર તરફના વિકલ્પોથી પાર એવા ચૈતન્ય આત્મસ્વભાવ તરફ વળે નહીં તો તેને ધર્મ થતો નથી, તેનું જ્ઞાન સમ્ય થતું નથી. નિશ્ચયાભાસી જીવને ભલે આત્મા વિષે બૌદ્ધિક જાણકારી હોય, આધ્યાત્મિક શાસ્ત્રોના શ્લોક તેની જીભના ટેરવે રમતા હોય; પણ તેને સ્વરૂપનું ભાન નહીં હોવાથી, તેની આવી કોઈ કળાથી સંસારનો અંત આવતો નથી. અલ્પ કાળમાં જીવન પૂરું થતાં તે સંસારસમુદ્રમાં ડૂબી જાય છે અને તેનું બધું જ જાણપણું વ્યર્થ થઈ જાય છે. જ્ઞાનીઓને ભલે યાદશક્તિ બહુ ન હોય, શાસ્ત્રવચનો મોઢે આવડતાં ન હોય, પરંતુ આત્માનુભવની મૂળભૂત કળા તેઓ બરાબર જાણે છે અને એ જ સદ્વિદ્યા વડે તેઓ અલ્પ કાળમાં સંસારસમુદ્રનો પાર પામી જાય છે. અહીં શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો નિષેધ નથી, પરંતુ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન દર્શાવવાનો હેતુ છે. જીવ શાસ્ત્રોનો અભ્યાસ કરે, તેના આશયને બરાબર સમજે તો તે ચાર ગતિનાં અનંત દુઃખોનો નાશ કરી નિર્વાણને પામી શકે. આત્મસ્વરૂપને જાણો, તેની જ રુચિ-પ્રતીતિ-શ્રદ્ધા કરો, તેનો જ મહિમા પ્રગટાવો એ શાસ્ત્રનું પ્રયોજન છે. સર્વ પદાર્થોની યથાર્થ સમજણ કરી, દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, સમ્યક્ પુરુષાર્થ વડે ચૈતન્યસ્વભાવી આત્માનો આશ્રય કરવો એ શાસ્ત્રોનો આશય છે. આત્માનો અનુભવ કરવો એ જ સમસ્ત જિનવાણીનો ઉદ્દેશ છે. દ્વાદશાંગરૂપ જિનવાણીમાં જે પણ ઉપદેશ આપવામાં આવ્યો છે, તેનો સાર એકમાત્ર આત્માનુભૂતિ છે. આત્માનુભવ વિના ‘હું Sા છે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુદ્ધ, બુદ્ધ, અસંગ, અબંધ આત્મા છું' એવી વાતો માત્ર પોપટપાઠ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – અવયવ સવિ સુંદર હોય દેહેં, નાકે દીસેં ચાઠો; ગ્રંથ જ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક કિસ્યો શ્રુતપાઠો રે." નિશ્ચયાભાસી જીવ ત્રિકાળી સ્વરૂપની વાતો કર્યા કરે છે, પણ વર્તમાન પર્યાયમાં પોતાને થતા વિકારનો તે સ્વીકાર પણ નથી કરતો. તે પોતાની વિષયલાલસા આદિનો સ્વીકાર નથી કરતો. તે પોતાના દોષો નથી જોતો. તે પોતાની ભૂલોનાં ઉપરાણાં લઈ તેનું રક્ષણ કરે છે. ગમે તે ભોગે પણ તે પોતાના દોષોનું રક્ષણ કરે છે. વિષયલાલસા આદિ પોષવા છતાં પોતાને નિર્દોષ, પવિત્ર ગણાવવામાં તેની શક્તિ વપરાય છે. આવી રીતે તે દોષોને પોષણ આપતો હોવાથી દોષો ખસતા જ નથી, પણ ઘર કરી જાય છે. ભૂલોનાં ઉપરાણાં લેવાનું બંધ કરે તો ભૂલ જાય. ભૂલોનો એકરાર કરે તો ભૂલોને મળતું રક્ષણ અટકે અને પછી દોષોને વિદાય લેવી જ પડે. તે પોતાની રુચિને - વૃત્તિને પકડે, પોતાની દરેક નિર્બળતાનો - દોષનો સ્વીકાર કરે કે “આ મારી જ ખામી છે, હું જ એને નિર્મૂળ કરવા માટે પ્રયત્ન નથી કરતો', તો તે દર્શનમોહની પુષ્ટિમાંથી અને તેનાથી થતા નુકસાનમાંથી બચી શકે; પરંતુ જીવ ભૂલોનું રક્ષણ કરે છે, તેનો બચાવ કરે છે અને તે દ્વારા દર્શનમોહને પુષ્ટ કરી પોતાના આત્માનું અહિત કરે છે. નિશ્ચયાભાસી જીવ પર્યાયની શુદ્ધિ ઉપર જરા પણ લક્ષ નથી આપતો. તે ‘આત્મા શુદ્ધ છે' એવું બોલે છે, પણ તે શુદ્ધતાના વદન માટે જરા પણ પ્રયત્ન નથી કરતો. ‘અપરિણામી, ધ્રુવ, કૂટસ્થ જ્ઞાયકસ્વભાવનો સ્વીકાર કરવો તે જ કર્તવ્યરૂપ છે' એમ કહી તે પર્યાયને ગણકારતો નથી. એ વાત સત્ય છે કે અપરિણામી, ત્રિકાળી તત્ત્વ જ મુખ્ય છે, કારણ કે તેના ઉપર નજર થતાં સમ્યગ્દર્શન થાય છે અને પરમ આનંદનો અનુભવ થાય છે. પર્યાયના આશ્રયે જીવ દુઃખી થાય છે, તેથી તેને ગૌણ કરીને ત્રિકાળી સ્વભાવને મુખ્ય કહ્યો છે. ત્રિકાળી ધ્રુવ તત્ત્વનું લક્ષ કરાવવા માટે પર્યાયને ગૌણ કહી છે. લક્ષ ધુવ તત્ત્વ ઉપર રાખવાનું છે, પર્યાય તરફ નથી રાખવાનું, માટે પર્યાયને ગૌણ કરવાનું કહ્યું છે. આમ, લક્ષની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરવાનું કહ્યું છે, પરંતુ ધ્રુવ સ્વભાવનો અનુભવ પર્યાયમાં જ થાય છે. આત્માની પર્યાયમાં આનંદ અને વીતરાગતાનું વદન થાય છે. અપરિણામીનો નિર્ણય કરનાર, તેની સન્મુખ થનાર પર્યાય છે. પલટાતી પર્યાય જ નહીં બદલાતા એવા ત્રિકાળી’નો નિર્ણય કરે છે. ‘સ્વભાવ કૂટસ્થ, ધ્રુવ, અપરિણામી છે એવો નિર્ણય પર્યાય કરે છે. પર્યાય ત્રિકાળી વીતરાગતાનો નિર્ણય કરે છે અને તેથી પર્યાયમાં વીતરાગતા આવે છે. આ રીતે લક્ષની ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૭. Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૩ ૧૪૯ અપેક્ષાએ ભલે પર્યાય ગૌણ છે, પણ ત્રિકાળી સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપસન્મુખતા, સ્વરૂપાનુભવ, આનંદનું વેદન પર્યાયમાં થતાં હોવાથી પર્યાયનું પણ મહત્ત્વ છે. તેથી કેવળ શુદ્ધ સ્વભાવની વાતો કરવાથી કાંઈ વળતું નથી, પર્યાયમાં તદનુરૂપ પરિણમન થાય એવા પ્રયત્ન કરવા ઘટે છે. પોતાને અસંગ અને અબંધ કહેવાથી નહીં પણ પર્યાયમાં પોતાને અસંગ અને અબંધ કરવાથી નિશ્ચય સચવાય છે. જેમ કોઈ વાસણમાં સરસ વાનગી હોય, પરંતુ તે વાનગીના રસની ખબર એ વાસણને હોતી નથી; તેવી રીતે નિશ્ચયાભાસી જીવ અસંગ અને અબંધ આત્માની વાતો કરતો હોય છે, પરંતુ તેને તેવો અનુભવ થયો ન હોવાથી જ્ઞાનીની નજરે તે કમનસીબ છે. આ તથ્યને શ્રી ચિદાનંદજી મહારાજ એક પદમાં જણાવતાં કહે છે કે – રસ ભાજનમેં રહત દર્વી નિત, નહિ તસ રસ પહિચાન; તિમ શ્રુતપાઠી પંડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે. લીં અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયો નહીં.' આત્માની માત્ર વાતો કરવી અને સસાધનોનું ઉત્થાપન કરવું તે નિશ્ચય નથી, પણ નિશ્ચયાભાસ છે. બધી ક્રિયાઓને અસાર કહીને તેને ઉડાડવી એનું નામ સનિશ્ચય નહીં પણ શુષ્કજ્ઞાન છે. આત્માની કેવળ વાતો કરનારું અને વ્યવહારની અવગણના કરનારું શુષ્કજ્ઞાન મુક્તિસાધક બની શકતું નથી. વ્યવહારનો નિષેધ કરનારું શુષ્કજ્ઞાન જીવનાં પ્રમાદ અને અભિમાનને પોષે છે અને તેને સાધનાશૂન્ય બનાવી દે છે. જ્ઞાનદશા જેને પ્રાપ્ત થઈ નથી અને સાધનદશા જે સેવતો નથી એવો જીવ નિશ્ચયની વાતો કરે તો પણ તે વાતો ફળદાયી કે કલ્યાણકારી થતી નથી. આમ, ચિત્તમાં ત્યાગવૈરાગ્ય ન હોય અને મુખમાં નિશ્ચયપ્રધાન વચનો હોય તેવા જીવને મોક્ષમાર્ગે ચઢાવવા પ્રસ્તુત ગાથાની આ બીજી પંક્તિ અત્યંત ઉપયોગી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની એક એક ગાથા બહુ ગહન છે. એક એક ગાથામાં અગાધ અર્થ સમાયો છે. આ ગાથામાં શ્રીમદે નિશ્ચય તથા વ્યવહાર બન્નેની ઉપયોગિતા બતાવી છે. કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર એવા પોતાના જ્ઞાયક સ્વરૂપના ભાનપૂર્વક જો વ્યવહારમાર્ગનું અનુસરણ થાય તો તે મુક્તિ અપાવે છે એમ નિર્દેશ કરી, શ્રીમદે નિશ્ચય અને વ્યવહાર બન્નેની ઉપયોગિતા સમજાવી છે. મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે રહે છે. મોક્ષમાર્ગે નિશ્ચયનું જ્ઞાન અને વ્યવહારનું અનુસરણ બને જરૂરી છે. વ્યવહાર કરતા રહી નિશ્ચયનું લક્ષ ન રાખવામાં આવે તોપણ ભૂલ છે અને નિશ્ચય જાણી વ્યવહારને છોડી દેવામાં આવે તોપણ ભૂલ છે. શ્રીમદે નિશ્ચયની ઉપેક્ષા ૧- શ્રી ચિદાનંદજીરચિત, પદ ૪૨, કડી ૨ (‘સર્જન સન્મિત્ર', પૃ.૭૭૫) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરનાર વ્યવહારાભાસી જીવોને તથા વ્યવહારની ઉપેક્ષા કરનાર નિશ્ચયાભાસી જીવોને સાવધાન કર્યા છે. તેમણે આ ગાથામાં ગર્ભિતપણે વ્યવહારાભાસીનું ક્રિયાજડત્વ ટળે તે અર્થે નિશ્ચયનું અને નિશ્ચયાભાસીનું શુષ્કજ્ઞાન સમ્યક્ રીતે પરિણમે તે અર્થે વ્યવહારનું પ્રતિપાદન કર્યું છે. તેમણે બન્ને પ્રકારના મતાગ્રહીની મોક્ષમાર્ગરૂપી મશાલમાં ખૂટતો અંશ ઉમેરી આપ્યો છે. અગ્નિ વગરનો દાંડો લઈને ફરનારને નિશ્ચયને વિસારી ક્રિયાનો આગ્રહ સેવનારને સ્વરૂપલક્ષની અનિવાર્યતા બોધી છે તથા દાંડો છોડીને અગ્નિને ગ્રહણ કરવા માંગતા અને તેથી દાઝનારાઓને ક્રિયાને અવગણી સીધું જ્ઞાન અહી લેવા ઇચ્છનાર અને પરિણામે શુષ્કજ્ઞાનમાં સરી પડનારાઓને પરમાર્થમૂળહેતુ વ્યવહારરૂપી દાંડાની અગત્યતા સમજાવી છે. મોક્ષમાર્ગે ચાલતા સાધકને પડવાનાં બધાં જ સ્થાનોનું દર્શન કરાવી, તેનો માર્ગ તેમણે સરળ અને સુગમ કરી આપ્યો છે. મોક્ષપ્રાપક વ્યવહાર અને મોક્ષપ્રાપક નિશ્ચય, બન્નેનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે શ્રીમદે અસદ્વ્યવહારનું અને સારભૂત નહીં તેવા નિશ્ચયનું સ્વરૂપ બતાવી મોક્ષાર્થી પ્રત્યે અત્યંત અત્યંત ઉપકાર કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે - ‘ગચ્છમતની જે કલ્પના, નિજ મતિ કલ્પિત જેહ; અંધપરંપર ચાલિયો, જેથી નહીં ભવ છેહ. અગીતાર્થે જે આચર્યો, તે નહિ સર્વ્યવહાર; પોષે માન મોટાઈને, કુળાચાર, સંસાર. જેમ અનુભવ દેહનો, આત્માનો નહીં તેમ; ભાન નહીં નિજરૂપનું, તે સાચું હોય કેમ. વૈરાગ્યાદિ સાધનો, સેવે નહીં લગાર; હું પરમાત્મ સ્વરૂપ છું, તે નિશ્ચય નહિ સાર.' *** ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૨૯-૫૩૨) Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૩૪ સરળ ના ઝાલા, કાનમાં દમ, ૧ ફળ ન વિષમ, મર્ગ જેદ વદે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૪ ગાથા અર્થ ગાથા ૧૩૩માં શ્રીમદે કહ્યું કે ગચ્છ અને મતની પકડ તે સાચો વ્યવહાર ભૂમિકા નથી અને પોતાના સ્વરૂપના ભાર વિનાનો નિશ્ચય સારભૂત થતો નથી. નિશ્ચય-વ્યવહારની સંધિમાં જ યથાર્થ મોક્ષમાર્ગ છે. નિશ્ચય કે વ્યવહાર એ બન્નેમાંથી કોઈ પણ એકનો આગ્રહ રાખવા યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી જીવ શુષ્કજ્ઞાની અથવા ક્રિયાજડ થઈ જાય છે અને તેનું કલ્યાણ થતું નથી. નિશ્ચયદષ્ટિપૂર્વકનો વ્યવહાર એ જ યથાર્થ મોક્ષમાર્ગ છે અને ત્રણે કાળમાં એ જ એક મોક્ષમાર્ગ છે. આ પરમાર્થમાર્ગનું આરાધન કરતાં અનંતા જીવો મોક્ષ પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે એમ પ્રકાશતાં શ્રીમદ્ લખે છે – “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય.' (૧૩૪) - ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. (૧૩૪) દેહાદિથી પર એવા પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની ભાવના જ્યાં સુધી બાલા] ચિત્તમાં વસી ન હોય ત્યાં સુધી જીવની ધર્મપ્રવૃત્તિમાં પણ અહંકારમમકારને અવકાશ રહે છે. એવી ધર્મપ્રવૃત્તિથી સંસારનો વિસ્તાર થતો નથી. પોતાના કર્મકૃત વ્યક્તિત્વ ઉપર રહેતી નજરને હટાવી જો સાધક તેને પોતા તરફ, અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ વાળે તો જ તે આત્માનો અંતરવૈભવ પામી શકે છે. પોતા તરફ વળ્યા વિના માત્ર ક્રિયાની ઘરેડમાં ઘૂમ્યા કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, તેમજ ભેદજ્ઞાનની જાગૃતિ તથા તે જાગૃતિમાં સહાયક એવા સત્સાધનનું સેવન કર્યા વિના માત્ર નિશ્ચયનાં વાક્યોનો પોપટપાઠ કરે તોપણ કાર્યસિદ્ધિ થતી નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ લક્ષમાં રાખી, તેને પ્રાપ્ત કરવા માટે જે જે સત્સાધનો કહ્યાં છે તેનું સેવન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. આમ, નિશ્ચય-વ્યવહાર બન્નેના યથાર્થ સમન્વયપૂર્વક મોક્ષમાર્ગની સાધના કરીને જ ભૂતકાળમાં અનંતા જીવો જ્ઞાની થયા છે, વર્તમાન કાળમાં પણ થાય છે અને ભવિષ્ય કાળમાં પણ થશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - વર્તમાન દુષમ કાળમાં આ ભરત ક્ષેત્રમાં તીર્થંકર પ્રભુના વિરહના કારણે તથા જ્ઞાનીપુરુષોનો યોગ પણ નહીંવત્ હોવાથી પરમ ઉપકારક સત્ય ધર્મમાં આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. કોઈ માત્ર નિશ્ચયને જ વળગી રહ્યા છે તો કોઈ માત્ર વ્યવહારને. નિશ્ચય કે વ્યવહાર બન્નેમાંથી એકનો પક્ષ લેનાર મૂઢ મિથ્યામતિ, મતભેદની કડવાશ વડે સરળ મોક્ષમાર્ગને અગમ્ય બનાવી પોતાના સંસારને ચિરાયુ બક્ષે છે. તેઓ સમજતા નથી કે મોક્ષમાર્ગ તો નિશ્ચય અને વ્યવહારના સમન્વયવાળો છે. ત્રણે કાળમાં નિશ્ચયદષ્ટિપૂર્વકનો વ્યવહાર એ જ એક મોક્ષમાર્ગ છે. સર્વ કાળના જ્ઞાનીઓનો એ જ ઉપદેશ છે, તેમાં કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. જ્ઞાનીઓ જીવના દોષ અનુસાર ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે. વ્યવહારમાં દ્રવ્ય-દેશ-કાળાદિના કારણે ભેદ જોવામાં આવે છે, છતાં તે સર્વ એક જ ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પરમાર્થે કોઈ ભેદ નથી. - આ પરમાર્થગંભીર ગાથામાં શ્રીમદ્ પ્રકાશે છે કે ભૂતકાળમાં જે જ્ઞાનીવિશેષાર્થ થ) પુરુષો થઈ ગયા છે, વર્તમાન કાળમાં જે જ્ઞાની પુરુષો વિદ્યમાન છે અને ભવિષ્ય કાળમાં જે જ્ઞાની પુરુષો થશે, તે સર્વ જ્ઞાનીપુરુષો એક જ પરમાર્થમાર્ગે ચાલીને જ્ઞાની થયા છે, થાય છે અને થશે. ત્રણે કાળમાં મોક્ષનો પંથ એક જ છે, તેમાં ભેદ નથી હોતો. ત્રણે કાળમાં પરથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ પરમાર્થમાગે છે. સર્વ જ્ઞાનીઓએ સમ્મત કરેલો આ પરમાર્થમાર્ગ પરમ પ્રમાણભૂત છે. દેશ-કાળાદિના કારણે વ્યવહારમાં ભેદ હોવા છતાં, તે વ્યવહાર એક જ ફળ આપનાર હોવાથી - મોક્ષપદ આપનાર હોવાથી તેમાં પરમાર્થે કોઈ ભેદ નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – આમ જ્યાં અનંતા જ્ઞાની પુરુષોની સાક્ષી છે એવા આ માર્ગની પ્રમાણતા માટે પૂછવું શું? પરમાર્થને અર્થે - મોક્ષને અર્થે પરમ પ્રમાણ્ય આ પરમાર્થ માર્ગ છે. અને આમ પરમાર્થ વ્યવહારસાપેક્ષ અને વ્યવહાર પરમાર્થસાપેક્ષ હોય એવો નિશ્ચયવ્યવહારના સમન્વયવાળો અવિરોધ પરમાર્થમાર્ગ - મોક્ષમાર્ગ અમે અનંતા જ્ઞાની પુરુષોની સંમતિથી નિરૂપિત કર્યો છે – સમ્યક્ પ્રતિપાદિત કર્યો છે.' પરમાર્થમાર્ગમાં કોઈ ભેદ નથી. વ્યવહારમાં જે ભેદ દેખાય છે તે દેશ-કાળાદિ કારણથી છે. તે છતાં મોક્ષપ્રાપ્તિ એ જ એક પ્રયોજન હોવાથી ભિન્ન ભિન્ન જણાતો વ્યવહાર પણ અભિન્ન જ છે. બાહ્ય વ્યવહાર ભિન્ન ભિન્ન હોવા છતાં પ્રયોજન જો એક હોય તો તે અભિન્ન જ ગણાય. વિચારવાન જીવ માર્ગની આ અભેદતા સમજે છે, પરંતુ મૂઢ અજ્ઞાની જીવો માર્ગની અભેદતા સમજ્યા વિના મતભેદ ઊભા કરે છે. તેઓ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૨૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ગાથા-૧૩૪ પરમાર્થ સમજ્યા વિના ગચ્છ, મત, સંપ્રદાય, વાડા, વેષ ઇત્યાદિના આગ્રહ કરે છે. તેમણે ધર્મને આંતરિક ક્રાંતિને બદલે સાંપ્રદાયિક મતાગ્રહ બનાવી દીધો છે. તેઓ ધર્મના નામે ઝઘડા કરે છે અને અસદાગ્રહથી સહાઈ મૂળમાર્ગ ચૂકી જાય છે. ઝાડનું મૂળ એક જ હોય પણ પાંદડાં અનેક હોય. મૂળને પકડવાથી આખું ઝાડ હાથમાં આવે, પરંતુ ડાળીઓ કે પાંદડાં પકડવામાં આવે તો આખું ઝાડ હાથમાં આવતું નથી. તેમ મોક્ષમાર્ગનું મૂળ જે પકડે છે તેના હાથમાં આખો માર્ગ આવે છે. જે માત્ર બાહ્યસાધનરૂપ ડાળીઓ-પાંદડાં પકડે છે તેના હાથમાં માર્ગ આવતો નથી અને તે મતાગ્રહ, કદાગ્રહમાં ફસાઈ જાય છે. જો માત્ર બાહ્ય ક્રિયાઓને કે કોરા શાસ્ત્રવાંચનને ધર્મ સમજી લેવામાં આવે તો તેવા ભ્રમથી આગ્રહ પેદા થાય છે અને તે જીવ સર્વથા આમ જ છે' એવા મતાગ્રહ, હઠાગ્રહ સેવવા લાગે છે. કેવળ પોતાના સંપ્રદાયની ક્રિયાઓને મોક્ષમાર્ગ માનવાથી જીવ મોક્ષમાર્ગની રૂડી આરાધનાથી વંચિત રહી જાય છે. જ્ઞાની ભગવંતો નિષ્કારણ કરુણાથી જીવના આગ્રહો મટાડે છે. તેઓ મતભેદ-કદાગ્રહ ઘટાડી સમ્યક્ માર્ગ બોધે છે. મૂળમાર્ગનો ઉદ્ધાર એ શ્રીમનું મુખ્ય જીવનકાર્ય હતું. માર્ગપ્રભાવનાની તેમની ભાવનામાં કેન્દ્રસ્થાને વીતરાગનો મૂળમાર્ગ જ હતો. તેમણે ક્યારે પણ સાંપ્રદાયિક માર્ગની વાત કરી નથી. તેમનાં સર્વ ઉપદેશવચનો વીતરાગના મૂળમાર્ગની આસપાસ કેન્દ્રિત થયેલાં છે. વીતરાગનો મૂળમાર્ગ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અવિરુદ્ધ એકતા. જિનના આ રત્નત્રયીમય મૂળમાર્ગની અનુપમ આરાધના સ્વજીવનમાં કરનાર શ્રીમદે, મૂળમાર્ગનું સંક્ષેપમાં પણ સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશતું વિ.સં. ૧૯૫૨ના આસો સુદ ૧ના દિવસે આણંદ મુકામે લખેલ ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' એ કાવ્યમાં અપૂર્વ ભાવથી દિવ્ય ગાન કર્યું છે. પવિત્ર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચનાના પંદર દિવસ પહેલાં રચેલ આ દિવ્ય કાવ્યમાં જિનેશ્વરના દિવ્ય ધ્વનિનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ શ્રીમદ્ પ્રકાશે છે કે ‘જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ; જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ.'૧ આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણ, જે વિપરીતપણે પ્રવર્તી રહ્યા છે, તેને આત્માના હિતાર્થે આત્મામાં વાળવા તે જ જિનનો મૂળમાર્ગ છે એમ જ્ઞાનીઓએ કહ્યું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૩ (આંક-૭૧૫, કડી ૩,૪) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. દેશ-કાળાદિને અનુસરીને વેષ, વ્રત વગેરેમાં ભેદ પડે છે, પરંતુ આત્માના જ્ઞાનાદિ ગુણોની નિર્મળતા થવાથી મોક્ષ થાય છે એ વાતમાં કોઈ ભેદ નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતા એ જ પરમાર્થથી મોક્ષમાર્ગ છે, એમાં કોઈ ભેદ નથી; અને તેથી જેઓ વસ્ત્ર-વ્રત વગેરેનો આગ્રહ કરે છે, તેઓ મૂળમાર્ગથી વિમુખ રહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી એ જ જિનનો માર્ગ છે. જ્ઞાનીઓએ મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો યથાર્થ માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને જ કહ્યો છે. સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન એવી સ્વપરપ્રકાશક શુદ્ધ ચૈતન્યસત્તાની યથાર્થ શ્રદ્ધા, તેનો યથાર્થ બોધ અને તેમાં સ્થિરતા એ જ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી શુદ્ધ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપસ્થિરતાની પ્રાપ્તિ થાય છે. ૧ આત્મા સ્વભાવે પરમાત્મા હોવા છતાં તે પોતાનું પરમાત્મસ્વરૂપ ભૂલી બેઠો છે અને તેથી તેની પર્યાયમાં હજુ પામરતા છે. આ પર્યાયગત પામરતાને સમાપ્ત કરવાનો અને સ્વભાવગત પ્રભુતાને પર્યાયમાં પ્રગટ કરવાનો એકમાત્ર ઉપાય છે રત્નત્રયરૂપ ધર્મ, સ્વભાવગત પ્રભુતાનો બોધ, તેની સ્વીકૃતિ અને તેમાં જ રમણતા તે જ રત્નત્રયરૂપ ધર્મ છે. સ્વભાવગત પ્રભુતાની ઓળખાણ, તેની શ્રદ્ધા તથા સ્વભાવસન્મુખ થઈને સ્વભાવમાં સ્થિરતા તે રત્નત્રયરૂપ ધર્મનું સમ્યક સ્વરૂપ છે. પર્યાયની પામરતાનું ચિંતન એ પર્યાયની પામરતા નાશ કરવાનો ઉપાય નથી, પણ સ્વભાવના સામર્થ્યનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન એ યથાર્થ ઉપાય છે. આ રત્નત્રયથી પૂર્ણપરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. આચાર્યશ્રી શુભચંદ્રજી લખે છે કે જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત રત્નત્રયને સમ્યક્ પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે. જિનનો રત્નત્રયરૂપ મૂળમાર્ગ કેવળ આત્મપરિણામરૂપ હોવાથી આધ્યાત્મિક માર્ગ છે, અંતરંગ માર્ગ છે. મોક્ષમાર્ગ અંતરમાં છે, બહારમાં નથી. શરીરની ક્રિયામાં આત્માની મુક્તિનો માર્ગ નથી. પરમાત્મદશા બહારથી નથી આવતી, પણ આત્મામાંથી જ પ્રગટે છે અને તેનો આધાર આત્મા જ છે. જ્ઞાનાનંદદશા પ્રાપ્ત કરવાનું સાધન ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૪, શ્લોક ૧૪ 'दर्शनं निश्चयः पुंसि बोधस्तरोध इष्यते । स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः ।।' ૨- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૧૮, શ્લોક ૨૩ 'ये याता यान्ति यास्यन्ति यमिनः पदमव्ययम । समाराध्यैव ते नूनं रत्नत्रयमखण्डितम् ।।' Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ ૧૫૭ આત્મા જ છે. આત્મા પોતે જ અંતર્મુખદૃષ્ટિથી સાધન થઈને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરે છે. જે જીવ બહારમાં કે રાગમાં સાધન માને છે, તે જીવ ધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે સમજ્યો જ નથી. શરીરની ક્રિયાને પોતાની માનવી, તેમાં ધર્મ માનવો તથા રાગને પોતાનું સ્વરૂપ માનવું, તેનાથી ધર્મ માનવો તેમાં મિથ્યાત્વનો મોટો દોષ લાગે છે. તેનાથી સંસારપરિભ્રમણ થાય છે. દેહાદિથી ભિન્ન એવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ કરવી તે નિર્દોષ કાર્ય છે અને તે જ મોક્ષનું કારણ છે. સત્સમાગમે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ કરીને તેનું ધ્યાન કરવું તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કાર્ય છે. ચિદાનંદસ્વરૂપ એવા આત્માનું સંવેદન કરવાને જ ભગવાન નિર્દોષ કાર્ય કહે છે. જીવ વિપરીત સમજણપૂર્વક જે કાંઈ કરે તે બધું સદોષ છે. જીવે પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ કરવા યોગ્ય છે, એકરૂપ શુદ્ધ ચૈતન્યને ગ્રહણ કરવા યોગ્ય છે. જે જીવને સ્વરૂપપ્રાપ્તિની જિજ્ઞાસા જાગે છે, રુચિ થાય છે, લગની લાગે છે તે આત્મતત્ત્વનો નિર્ણય કરવા સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. તે જીવ આત્માના સ્વરૂપની ઓળખાણ કરવામાં પોતાના વીર્યને જોડે છે. તે શરીરાદિ અને રાગાદિથી ભિન્ન આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે. તે શરીરાદિ પરપદાર્થો, જ્ઞાનાવરણીયાદિ કર્મો અને રાગાદિ ઉપાધિભાવોને આત્માથી ભિન્ન જાણે છે. તે નિજસ્વરૂપને પરદ્રવ્ય-પરભાવથી ભિન્ન, અવિનાશી, શાશ્વત, જ્ઞાતા-દ્રષ્ટા જાણે છે. શરીરાદિ અજીવ, રાગાદિ વિભાવભાવ, જ્ઞાનાનંદમય સ્વભાવભાવ એ ત્રણેનું સ્વરૂપ જુદું જુદું છે; તેમાં જ્ઞાનાનંદમય સ્વભાવભાવને તે નિજરૂપ જાણે છે અને બાકી સર્વને નિજરૂપથી બહાર જાણે છે. સાધક જીવ ભેદજ્ઞાન દ્વારા આત્માનો મહિમા વધારે છે. આત્મા જ્ઞાયક ભગવાન છે. આત્મા અનંત અનંત ગુણોથી સંપન્ન છે. તેને માથે પરના કર્તુત્વના કે રાગના બોજા ન શોભે. પર અને રાગની ભેળસેળ વગરનો શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પોતે પોતામાં શોભે છે. ચૈતન્યસૂર્યના પ્રકાશમાં પરપદાર્થ કે રાગ ટકી શકતા નથી. રજનો કણ હોય કે રાગનો કણ, તે ચૈતન્યસ્વરૂપ થઈ શકતા નથી અને ચૈતન્યસ્વભાવ પણ રજકણરૂપ કે રાગરૂપ થઈ શકતો નથી. ચેતન ક્યારે પણ જડ ન થાય અને સ્વભાવ ક્યારે પણ વિભાવ ન થાય. સ્વલક્ષણ વડે તેની અત્યંત ભિન્નતા છે. આવી વિચારણા દ્વારા સાધક જીવ ભેદજ્ઞાન વડે મોક્ષસુખને સાધે છે. તે ભેદજ્ઞાનમાં મગ્ન રહે છે, લીન રહે છે. ભેદજ્ઞાનમાં પોતાને નિશ્ચલપણે સ્થાપનાર સાધક જીવ અવશ્ય મોક્ષને પામે છે. શરીરાદિ અને રાગાદિથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેનું જ્ઞાન કરનાર જીવ મુક્ત થયા વિના રહેતો નથી. યથાર્થ ભેદજ્ઞાનનું ફળ મોક્ષ છે. પૂર્વે જે કોઈ જ્ઞાની થઈ ગયા, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વર્તમાનમાં છે અને ભવિષ્ય કાળમાં થશે એ બધા ભેદજ્ઞાનના બળ વડે જ થયા છે, થાય છે અને થશે. ૧ ચિદાનંદસ્વભાવનો નિર્ણય કર્યા વગર જીવે અનંત વાર જન્મ-મરણ કર્યા છે. સ્વરૂપને ભૂલીને, અનેક પ્રકારનાં પુણ્ય-પાપથી સંસારમાં અનંત કાળથી જન્મ-મરણ કરી રહ્યો છે. અંતરમાં અમૂર્તિક, જ્ઞાનઘન, અનંત અક્ષય ગુણોથી યુક્ત સાક્ષાત્ ચૈતન્યદેવ સદેવ બિરાજમાન છે, પણ અનાદિથી જીવે તેનો મહિમા કે પ્રતીતિ કરી નથી. તેણે એક વાર પણ ચૈતન્યનું લક્ષ કર્યું નથી. દેહાદિથી ભિન્ન પોતાનું ચૈતન્યસ્વરૂપ કેવું છે એ તેણે કદી જાણ્યું નથી. હું કોણ છું' એ તે જાણતો નથી. આત્મા જ્ઞાનસ્વભાવી છે, પણ તેણે જ્ઞાન વડે સ્વયને જાણવાનો પ્રયત્ન પૂર્વે ક્યારે પણ કર્યો નથી. ‘હું ચિદાનંદ આત્મા છું' એવું સ્વયનું જ્ઞાન જીવે પૂર્વે ક્યારે પણ કર્યું નથી. બધાને જાણનારો હું પોતે જ્ઞાનસ્વરૂપ છું' એમ પોતે પોતાનું જ્ઞાન કર્યું નથી. તે સ્વજોયને ચૂકીને પરશેયને જ જાણવામાં અટકે છે અને સંસારમાં રખડે છે. પોતાનું જ્ઞાન સ્વપરપ્રકાશક છે, છતાં પોતે પોતાને જાણતો નથી અને તેથી જ સંસારમાં આથડે છે. આત્મા અનાદિ-અનંત પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપી તત્ત્વ છે. પોતે જ્ઞાનસ્વભાવી છે અને પોતે પોતાનું શેય પણ છે. પરયોને જાણતી વખતે તે પરશેયો કાંઈ તેના જ્ઞાનમાં આવી જતાં નથી. તીખાશને જાણતાં જ્ઞાન તીખું થઈ જતું નથી, અગ્નિને જાણતાં જ્ઞાન ઉષ્ણ થઈ જતું નથી, અફીણને જાણતાં જ્ઞાન કડવું થઈ જતું નથી, તેમજ રાગને જાણતાં જ્ઞાન રાગરૂપ થઈ જતું નથી. જ્ઞાન તો રાગથી જુદું જ છે, છતાં પણ આવા જ્ઞાનતત્ત્વની જીવે ક્યારે પણ ઓળખાણ કરી નથી. એક વાર પણ જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને જીવ જો શુદ્ધાત્માને ય બનાવે તો અલ્પ કાળમાં તે મુક્ત થઈ જાય. જે જ્ઞાન પરને જાણવામાં અટકે છે, તે જ્ઞાનને અંતરમાં વાળીને જે જીવ સ્વયને જાણે તેને સંસારપરિભ્રમણ રહેતું નથી. આત્માને ય બનાવવો તે જ જ્ઞાનની અપૂર્વ કળા છે. હું જ્ઞાન છું' એમ લક્ષમાં લઈ જેણે જ્ઞાનતત્ત્વને પ્રાપ્ત કર્યું, તેણે બધું પ્રાપ્ત કરી લીધું. જો જીવ ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરે, તીવ્ર રુચિ અને સમ્યક્ સમજણ સહિત અંદર જવાના પ્રયત્ન કરે, જાણનાર ઉપર સમ્યકપણે જોર આપતો જાય તો જ્ઞાનની પર્યાય જ્ઞાયકને પ્રસિદ્ધ કરે. ત્યાં બીજું બધું શૂન્ય થઈ જાય અને જાણનારો જ જણાય. જ્યારે ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૧૩૧ 'भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।' Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ ૧૫૯ સાધક જ્ઞાનના અખંડ પિંડની સન્મુખ થાય છે, તેની સાથે અભેદતા - એકત્વ સ્થાપે છે ત્યારે તે પોતાની સત્તાનું, પોતાના અસ્તિત્વનું વેદન કરે છે. આ જ છે સ્વાનુભવ - આત્માનુભવ. આ જ છે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન. જે પોતાના પરમાત્મસ્વભાવને સ્વાનુભવ વડે ગ્રહણ કરે છે તે જિનવાણીના બાર અંગનો સાર ગ્રહણ કરી લે છે, કેમ કે જિનવાણીમાં ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો છે તે આત્માના શુદ્ધ સ્વભાવના ગ્રહણ માટે જ આપ્યો છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્યાં પ્રત્યક્ષ સ્વસંવેદનમાં આવી ગયો ત્યાં તેને જિનવાણીનું કોઈ રહસ્ય જાણવાનું બાકી રહેતું નથી. સ્વાનુભવમાં તેણે આત્મસ્વભાવનો તાગ લઈ લીધો હોવાથી તે જ ખરો પંડિત છે - અંતરાત્મા છે. તે જીવ અલ્પ કાળમાં ભવનો નાશ કરીને પરમાત્મદશા પ્રગટાવે છે. અસીમમહિમાવંત જ્ઞાયકપિંડ ભગવાન આત્માનો અનુભવ કરતાં, સમ્યગ્દર્શન પ્રગટાવતાં આત્માની શક્તિઓનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. અભેદ આત્માનો અનુભવ થતાં આત્માની અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે, પ્રગટે છે, વ્યક્ત થાય છે. તે શક્તિઓની શુદ્ધતા એકલા દ્રવ્ય-ગુણમાં જ નથી રહેતી, પણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં પ્રસરી જાય છે. ચૈતન્યસિંહની શ્રદ્ધારૂપી સિંહગર્જના સામે સંયોગ, કર્મ, રાગદ્વેષ, સંકલ્પ-વિકલ્પરૂપી હરણિયાં ઊભાં રહી શકતાં નથી. ચૈતન્યસિંહ વિજેતા થઈને પોતાની શુદ્ધ આનંદમય પર્યાયમાં ઝૂલતો ઝૂલતો પરમાત્મપદને પામીને મોશે પહોંચી જાય છે. ચૈતન્યસિંહ શૌર્યથી, વીરતાથી સિદ્ધદશા પ્રગટાવે છે. ત્રિકાળી, અભેદ, શુદ્ધ જ્ઞાયકદ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાથી વિભાવભાવોનો અભાવ થતો જાય છે અને પર્યાયમાં સિદ્ધદશા પ્રગટે છે. માટે સિદ્ધદશા પ્રાપ્ત કરવી હોય તો સૌ પ્રથમ જ્ઞાયકતત્ત્વની ઓળખાણ કરવી જોઈએ. સદ્ગુરુની કૃપામય ઉપસ્થિતિમાં, તેમના ઉત્કૃષ્ટ બોધબળથી જ્ઞાયકતત્ત્વની જે પકડ થાય, જ્ઞાયકતાના જે ભણકારા વાગે, તેનો દોર પકડી લેવો જોઈએ. દરેક પ્રસંગે એ દોરાની સંભાળ રાખવી જોઈએ અને જીવનના પ્રસંગરૂપી મણકા એ દોરામાં પરોવતા જવું જોઈએ. જ્યાં સુધી જ્ઞાયકસ્વરૂપની આવી જાગૃતિ નથી આવતી, ત્યાં સુધી જીવને હું' નું વિસ્મરણ થતું નથી. હું'ની પકડ હોવાથી તેને અમુક વસ્તુ ગમી જાય છે અને અમુકનો તે વિરોધ કરે છે. તે શાંત સ્વીકાર નથી કરી શકતો. પરિણામે ફરિયાદ, ક્લેશ આદિ ભાવ ઊઠતા રહે છે, સુખ-દુ:ખ પરમાંથી આવે છે એવો મિથ્યા બોધ પુષ્ટ થતો જાય છે અને તેના કષાય તીવથી તીવ્રતર બનતા જાય છે. કષાય હોય ત્યાં ક્લેશ, અશાંતિ, દુ:ખ હોય જ છે. આમ, સ્વરૂપની જાગૃતિ વિના જીવ સુખ-શાંતિ પામતો નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જીવ સુખ-શાંતિ જેટલો બહારથી લેવા જાય છે, તેનો ઉપયોગ એટલો વધુ બહાર ફંગોળાય છે. પોતાના અસ્તિત્વથી બહાર જતાં જ સ્વસીમાનું ઉલ્લંઘન થાય છે. પોતે જે છે તેનાથી ભિન્ન એવા વિજાતીય તત્ત્વો સાથે સંબંધિત થવાથી દુ:ખ ઉત્પન્ન થાય છે. જે પોતાથી ભિન્ન જ છે, તેને પોતાનું બનાવવા માટે જીવ ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ તે તેનું થઈ શકતું નથી. જે સંભવિત નથી, તે કરવાની ચેષ્ટા અસફળતામાં જ પરિણમે છે. પરને પોતીકું બનાવવાનો ભાવ જ દુઃખ પેદા કરે છે. પરને પોતીકું બનાવવા જીવ ગમે તેટલી મહેનત કરે તોપણ તેની બધી શક્તિ, આયુષ્ય આદિનો અપવ્યય જ થાય છે. આ દુ:ખ જીવનું અધર્મ સાથે જોડાઈ જવાનું જ પરિણામ છે. ૧૬૦ સ્વસીમાનું ઉલ્લંઘન કરી અન્ય સાથે સંબંધ જોડવાની ચેષ્ટા તે અધર્મ છે. સ્વયંને છોડીને બીજાને મેળવવાનો પ્રયાસ કરવો તે અધર્મ છે. અન્ય પ્રત્યે સુખની આકાંક્ષા સહિતની દૃષ્ટિ રાખવી તે અધર્મ છે. પર તરફ દોડતી ચેતનધારા તે અધર્મ છે. જીવની આ દોડ અટકી જાય અને સ્વભાવ તરફ વળે, સ્વયંમાં સ્થિર થાય તે ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ સુધી પહોંચવાની વિધિ. જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે, ભટકી ગયો છે; માટે તે તરફ પાછા વળવાની વિધિ ધર્મ છે. ધર્મનો અર્થ છે સ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી, સ્વભાવમાં રહેવું. જે પોતે છે એની સભાનતામાં ક્ષણે ક્ષણે રહેવું. જીવનમાં જેટલો પણ આનંદ મળવાની સંભાવના છે તે આ ધર્મના દ્વારથી પ્રવેશ કરે છે. જીવનમાં જે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે તે આ ધર્મના આકાશમાં ઉડાણ કરવાથી પ્રાપ્ત થાય છે. જીવનમાં જે શુદ્ધિ પ્રગટે છે તે આ ધર્મના મૂળમાંથી પોષણ પ્રાપ્ત થતાં શક્ય બને છે. ઉપયોગને સ્વભાવ તરફ દોરવારૂપ વીતરાગનો ધર્મ પ્રાણીમાત્ર માટે હિતકારી છે, ઉપકારી છે, મંગલમય છે. રાગનો આશ્રય છોડીને શુદ્ધાત્માનો આશ્રય કરતાં નિજકલ્યાણ થાય છે. પોતાના ધ્રુવ સ્વભાવનો આશ્રય લેતાં ચૈતન્યવિલાસ પ્રગટે છે. પોતામાં શુદ્ધ પર્યાય પ્રગટ કરવા, વિકારી પર્યાય ટાળવા માટે એકમાત્ર સ્વભાવ જ આશ્રયભૂત છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રય વિના નિજપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યાં શુદ્ધાત્માનો આશ્રય નથી ત્યાં ધર્મ નથી. પરના આશ્રયે કદી ધર્મ થતો નથી. તેના આશ્રયે તો રાગ-દ્વેષ થાય છે. સ્વસત્તાના આશ્રયથી જ ધર્મ સધાય છે. અંતરમાં ચૈતન્યનું જેટલું અવલંબન હોય એટલો જ સાધકભાવ હોય. એવા સ્વાશ્રયભાવની એક કણિકા પણ જેનામાં જાગૃત નથી થઈ, તે પરાશ્રયભાવના કેટલા પણ પહાડ ખોદી કાઢે તોપણ તેના હાથમાં કંઈ નથી આવતું. ત્રણે કાળમાં ધર્મ તો આત્માના અવલંબને જ થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ ૧૬૧ આમ, આત્માનું અવલંબન લેવું એ જ સર્વત્ર મોક્ષમાર્ગનું લક્ષણ છે. ધર્મની - મોક્ષમાર્ગની વ્યાખ્યાઓ જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે, પરંતુ મોક્ષમાર્ગ કાંઈ જુદા નથી. મોક્ષમાર્ગ એક જ છે, કેવળ મોક્ષમાર્ગનું નિરૂપણ જુદા જુદા પ્રકારે થાય છે. જે જીવે મોક્ષમાર્ગને યથાર્થ ઓળખ્યો નથી, તેનો નિર્ધાર કર્યો નથી, તે જીવ જુદા જુદા પ્રકારના મોક્ષમાર્ગ માને છે અને તેમાંથી અમુક પ્રકાર જ સાચો છે એવો આગ્રહ કરે છે. જુદા જુદા પ્રકારના મોક્ષમાર્ગના નિરૂપણના આશયને તે સમજી શકતો નથી. તે આ વાતના મર્મને પકડી શકતો નથી અને તેને સ્થૂળપણે પકડી લે છે, પરંતુ આ તેની મિથ્યા બુદ્ધિ છે. નિરૂપણની અપેક્ષાએ મોક્ષમાર્ગ જુદા જુદા પ્રકારે કહેવામાં આવે છે, પણ મોક્ષમાર્ગ જુદા જુદા માનવા એ તો મિથ્યા સમજણ છે. માર્ગ અને કાંતિક હોવાથી તેની પ્રરૂપણા ઘણી રીતે થઈ શકે છે. દેશ-કાળ અનુસાર અનેક રીતે માર્ગ કહેવામાં આવે છે, પરંતુ તેમાં મુખ્ય બોધ એ જ છે કે પરનું અવલંબન છોડી આત્માનું અવલંબન લેવું. આ માટે સત્સાધનોનું સેવન આવશ્યક છે. જપ, તપ આદિ બાહ્ય સાધનો જગતથી વિમુખ થવામાં અને સત્ની સન્મુખ થવામાં ઉપકારી નીવડે છે. નિશ્ચયના લક્ષપૂર્વક સદ્વ્યવહારમાં પ્રવૃત્તિ કરવાથી આત્મભાવનું પોષણ થાય છે અને રાગાદિ મંદ થવા માંડે છે. આત્મકલ્યાણ કરવા માટે કટિબદ્ધ થનાર સાધક અવશ્ય નિશ્ચય-વ્યવહારનો સુમેળ સાધે છે અને પરિણતિને આત્મસન્મુખ કરતો જાય છે. આ જ મોક્ષમાર્ગની સાધના છે, આરાધના છે, ઉપાસના છે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ માર્ગે પ્રયાણ કરીને જ થયા છે, થાય છે અને થશે એમ સર્વ જ્ઞાનીઓનો પરમ નિશ્ચય છે. શ્રીમદ્ લખે છે – ‘સર્વ પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.'' ત્રણે કાળમાં જ્ઞાની પુરુષોએ પ્રણીત કરેલો આ શાશ્વત અને સનાતન માર્ગ છે. ચતુર્થ કાળમાં બીજો માર્ગ હતો, હવે પંચમ કાળમાં બીજો છે અને છઠ્ઠા કાળમાં બીજો હશે એમ નથી. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક અખંડ ત્રિકાળ અબાધિત મોક્ષમાર્ગ છે એમ નિશ્ચલ સિદ્ધાંત છે. ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક અને અભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિને આશ્રયીને બાહ્ય વાત આદિમાં ભેદ પડે છે, પણ પરમાર્થમાર્ગ તો ત્રણે કાળમાં અભેદ જ રહે છે. પોતાની તાત્ત્વિક સત્તામાં ઠરવાનો પુરુષાર્થ તે જ ત્રિકાળી પરમાર્થમાર્ગ છે એમ યથાર્થપણે સમજી, જીવ વ્રત-તપ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૦૨ (પત્રાંક-૮૭) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ક્રિયાકાંડના બાહ્ય ભેદોને વીંધીને તેમાં રહેલી અભિન્નતા સમજી શકે એ જ આ ગાથાનો પવિત્ર ઉદ્દેશ છે. અહીં સહજપણે વિચાર થાય કે જો પરમાર્થમાર્ગ અભિન્ન છે તો વ્યવહારમાર્ગમાં ભેદ કેમ છે? આ સંશયનું સમાધાન કરતાં જ્ઞાનીઓ જણાવે છે કે જીવે બાહ્યમાં કયાં સત્સાધનોનું સેવન કરવું જરૂરી છે તે તેની બાહ્ય તથા આંતર પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. જુદા જુદા દેશ-કાળ-સંયોગો અનુસાર તેની સાધનાનું બાહ્ય કલેવર જુદું પડે છે. વળી, તે આત્મવિકાસની કઈ ભૂમિકામાં છે તે અનુસાર સત્સાધનોનું માળખું ઘડાય છે. આમ, વ્યવહારમાં જે ભેદ જોવામાં આવે છે તે દેશ, કાળ, સંયોગો તથા જીવની પાત્રતાની ભિન્નતાના કારણે છે. જ્ઞાની પુરુષો દરેક જીવને તેની ભૂમિકા તથા બાહ્ય પરિસ્થિતિ અનુસાર જુદાં જુદાં સત્સાધન સૂચવે છે, જુદું જુદું માર્ગદર્શન આપે છે. તેઓ પાત્રવિશેષને લક્ષમાં લઈ, કોઈ પણ પ્રકારે શિષ્યને માર્ગમાં સ્થિર કરવો એ જ એકાંત હિતહેતુપૂર્વક માર્ગદર્શન આપતા હોવાથી તેમણે આપેલાં માર્ગદર્શનમાં ભેદ પડે છે. જ્ઞાની પુરુષરૂપી શિલ્પી, પથ્થરની જેવી જરૂરિયાત હોય તે રીતે ટાંકણાં પાડે છે. કોઈ પથ્થરને પૂર્વથી, કોઈને પશ્ચિમથી, કોઈને ઉપરથી તો કોઈને નીચેથી તોડવો પડે. કોને કયો દોષ કેટલો નડે છે અને તે દોષ ક્યારે, કઈ રીતે કઢાવવાનો છે તેની પૂરી જાણ જ્ઞાની પુરુષોને હોય છે. તેઓ જીવના દોષ જાણે છે અને તે તે દોષની નિવૃત્તિ અર્થે ભિન્ન ભિન્ન સમયે, ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે. જો કોઈને નિશ્ચયનો આગ્રહ હોય તો જ્ઞાની તેને વ્યવહારનો ઉપદેશ આપે અને જો કોઈને વ્યવહારનો આગ્રહ બંધાયો હોય તો તેને નિશ્ચય સમજાવે. કોઈ જીવ નિશ્ચયાભાસી થઈ, સ્વચ્છેદે પ્રવર્તતો હોય તો જ્ઞાની તેને ભક્તિ-સત્સમાગમાદિનો ઉપદેશ આપે, ત્યાગ-વૈરાગ્યાદિની જરૂરિયાત છે એમ જણાવે. કોઈ જીવ વ્યવહારાભાસી થઈ, કેવળ બાહ્ય ક્રિયા કરીને ધર્મ માનતો હોય તો તેને ક્રિયાનો આગ્રહ છોડાવી સ્વરૂપ સમજવાનો ઉપદેશ આપે. તેને સમજાવે કે વૃત્તિને સ્વસમ્મુખ કરવા યોગ્ય છે. માત્ર સગુરુ આદિ નિમિત્ત ઉપર વજન આપી વ્યવહારમાં અટકનાર જીવને કહે કે કોઈના આશીર્વાદમાત્રથી તારું કલ્યાણ નહીં થાય. તારું કલ્યાણ તારી પાસે છે. બીજા પાસે ગીરવી મૂક્યું નથી કે કોઈ તને આપી દે.' આમ, નિમિત્તના આલંબને જો કોઈ ઉપાદાન તરફ વળતો ન હોય તો તેનો આગ્રહ છોડાવવા જે માર્ગદર્શન આપે, તેના કરતાં તદ્દન અલગ પ્રકારનું માર્ગદર્શન, જો કોઈ ઉપાદાનની વાત કરી શુભ નિમિત્તનો અનાદર કરતો હોય તો તેને આપે. અહીં એટલું ખાસ સમજવાની જરૂર છે કે વસ્તુસ્વરૂપ જ્ઞાનીના લક્ષ બહાર હોય નહીં, પરંતુ પાત્રવિશેષને અનુલક્ષીને તેઓ તેના Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ દોષો દૂર થાય અને આત્મગુણ પ્રગટે એવો બોધ કરે છે.૧ કોઈને પરભવની શ્રદ્ધા કરાવવી હોય તો દ્રવ્ય(નિત્ય)દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે અને કોઈને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવો હોય તો પર્યાય(અનિત્ય)દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે. દેશ-કાળાદિ જોતાં જો નિત્યતાની દેશના ઉપકારી લાગે તો તેઓ દ્રવ્યાસ્તિક નયનો પ્રધાનપણે ઉપદેશ કરે છે અને જો અનિત્યતાની દેશના ઉપયોગી લાગે તો પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કરે છે. તે તે અપેક્ષાવિશેષને આશ્રયીને તેઓ તેવી તેવી ઉપદેશપદ્ધતિ અંગીકાર કરે છે, કારણ કે ગમે તેમ કરી જીવને નિજસ્વરૂપનો લક્ષ કરાવવો, તેની આત્મત્ક્રાંતિ દૂર કરવી એ જ એક તેમનો મુખ્ય ઉદ્દેશ હોય છે. જુદા જુદા જીવોને ધર્મનું બીજારોપણ જે રીતે થાય એ રીતે તેઓ જુદા જુદા નયથી દેશના આપે છે. સ્થૂળ બુદ્ધિથી વિચારતાં ભેદ લાગે છે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતાં એ દેશના એક પરમાર્થ તરફ જ દોરતી હોવાથી અભિન્ન લાગે છે.૨ ૧૬૩ સર્વ જ્ઞાનીઓનો આશય તો જીવને પરમાર્થમાર્ગ તરફ લાવવાનો જ હોય છે. સર્વનું કહેવું એ જ છે કે મોક્ષમાર્ગ ત્રણે કાળમાં એક જ છે, બે નથી. જે માર્ગે ભગવાન ઋષભદેવ તર્યા છે અને એ જ માર્ગે ભગવાન મહાવીરદેવ તર્યા છે અને એ જ માર્ગે સર્વ મોક્ષગામી જીવ તરશે. શ્રીમદ્ લખે છે કે ‘મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્રગમે ક્રિયાઓ અને સહસ્રગમે ઉપદેશો એ એક જ માર્ગ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૩૪ 'चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः । । ' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, 'આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય', દૃષ્ટિ ૪, કડી ૧૯,૨૦ ‘પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણોજી, ભેદ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન્ન.' લહે જગદીન. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીદ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્દ્યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ નિગ્રંથ જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. આત્મા - - મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.'૧ - આ કાળમાં ગચ્છ-મતના જે ભેદો પડી ગયા છે, નિશ્ચય કે વ્યવહારને માનનારાઓ વચ્ચે જે ભેદ પડી ગયા છે, તેનો નિવેડો જ્ઞાનીપુરુષ જ લાવી શકે એમ છે. જેણે માર્ગ પામવો હોય તેણે પ્રથમ જ્ઞાનીપુરુષને શોધી, તેમના આલંબને માર્ગનો નિર્ધાર કરી, તે સન્માર્ગને આરાધી પોતાનું કલ્યાણ કરવું જોઈએ. જ્ઞાની ધર્માત્માની છત્રછાયામાં રહીને, તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપ રાખીને, સર્વ પ્રકારે ઉદ્યમ કરી માર્ગની આરાધના કરવી જોઈએ. તેમના પ્રત્યે વિનય, બહુમાન, નમ્રતા, ભક્તિ, સર્વાર્પણબુદ્ધિ કરવાં જોઈએ. પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું સાધનામાં ખૂબ મહત્ત્વ છે. સ્વભાવની પ્રાપ્તિ સત્પુરુષના આશ્રયે જ્ઞાયકનું લક્ષ કરવાથી થાય છે. આ તથ્યમાં કદી પણ કોઈ ભેદ હોઈ શકતો જ નથી. સ્વભાવની પ્રાપ્તિ કરવી કંઈ અઘરું કાર્ય નથી. સ્વભાવની પ્રાપ્તિ તો ખીચડી બનાવવા કરતાં પણ સરળ છે. ખીચડી બનાવવા માટે લાકડાં શોધવાં પડે, દાળ-ચોખા ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૮૨ (પત્રાંક-૫૪) Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ ૧૬૫ શોધવાં પડે, તપેલી શોધવી પડે, પાણી શોધવું પડે અને ત્યારપછી દાળ-ચોખા રાંધવાં પડે ત્યારે ખીચડી થાય. ખીચડી બનાવવી એ પરાધીન કાર્ય છે, જ્યારે સ્વભાવની પ્રાપ્તિ તો ખીચડી બનાવવા કરતાં પણ સહેલું કાર્ય છે, કારણ કે એ સ્વાધીન કાર્ય છે. શ્રદ્ધાનમાંથી વિપરીતતા કાઢી નાખતાં સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય છે. કોઈને પ્રશ્ન થાય કે કોઈક કોઈક સ્થળે સ્વભાવની પ્રાપ્તિનું કાર્ય સુલભ બતાવવામાં આવે છે, પણ કોઈક કોઈક સ્થળે તેને મહાદુર્લભ બતાવવામાં આવે છે. તો આ બન્નેમાં સત્ય વાત કઈ છે? આનો ઉત્તર એ છે કે આ બે કથન પરસ્પર વિરોધી નથી પણ એકબીજાને પૂરક છે. બન્ને કથનો સત્ય છે. સ્વભાવની પ્રાપ્તિ સ્વાધીન હોવાથી સુલભ છે અને અનાદિ કાળથી અનુપલબ્ધ હોવાથી દુર્લભ પણ છે. જે જીવ આત્મોન્મુખી પુરુષાર્થ આદરે તેને માટે મહાસુલભ છે, પરંતુ જે જીવ જાગૃત નથી થયો, તેના માટે તે મહાદુર્લભ છે. જ્યાં સુધી સંજ્ઞી પંચેન્દ્રિયદશાની ઉપલબ્ધિ ન થઈ હોય ત્યાં સુધી સ્વભાવની પ્રાપ્તિ સંભવિત નથી. મનુષ્યપર્યાય પ્રાપ્ત થાય તો પણ અનભ્યાસના કારણે પણ તે દુર્લભ છે, પરંતુ જો જીવ અંતર્મુખી પુરુષાર્થ ઉપાડે તો અલ્પ સમયમાં પ્રાપ્ત થાય એવું હોવાથી સુલભ છે. જિનાગમોનું પ્રયોજન તો જીવની દષ્ટિને જગત ઉપરથી હટાવી જ્ઞાનાનંદસ્વભાવી આત્મા ઉપર લગાડવાની છે, તેને રત્નત્રયની પ્રાપ્તિ કરાવી અનંત સુખનો સ્વામી બનાવવો છે. આ પ્રયોજનની સિદ્ધિ અર્થે સ્વભાવપ્રાપ્તિની દુર્લભતા અને સુલભતા એમ બન્ને પ્રકારનાં કથન કરવામાં આવે છે. સ્વભાવપ્રાપ્તિની દુર્લભતા બતાવીને તેની પ્રાપ્તિ માટે જીવને જાગૃત કરવામાં આવે છે અને સ્વભાવપ્રાપ્તિની સુલભતા બતાવીને તેની પ્રાપ્તિ અંગેના અનુત્સાહનો નાશ કરવામાં આવે છે. સ્વભાવસ્થિરતા આજ સુધી પ્રાપ્ત થયેલ ન હોવાથી તેને દુર્લભ બતાવીને તેના પ્રતિ અનુરક્તિ કરાવવામાં આવે છે. જો જીવ સ્વભાવસ્થિરતાને અત્યંત કઠિન માનીને પુરુષાર્થહીન થવા લાગે તો તેના ઉત્સાહને જાગૃત રાખવા માટે સ્વભાવ સ્થિરતાની સુલભતાનું જ્ઞાન કરાવવામાં આવે છે. એક તરફ જીવને ઉપલબ્ધ મનુષ્યદેહ આદિ સંયોગોની દુર્લભતાનું ભાન કરાવવામાં આવે છે અને તેની સાર્થકતા માટે અતિ દુર્લભ એવા રત્નત્રયને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવે છે; પરંતુ જો દુર્લભતાની વાતથી જીવનું ચિત્ત શિથિલ થવા લાગે તો સ્વાધીનતાની અપેક્ષાએ રત્નત્રયની સુલભતા બતાવીને તેને પ્રાપ્ત કરવાના પુરુષાર્થને જાગૃત કરાવવામાં આવે છે, તે અંગેના ઉત્સાહને વધારવામાં આવે છે. આમ, બન્ને પ્રકારનાં કથનો ઉપયોગી છે. સ્વભાવપ્રાપ્તિની દુર્લભતા અને સુલભતાનાં કથન એક જ ઉદેશનાં પૂરક છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવે ધર્મ પ્રાપ્ત કરવાના અવસરની દુર્લભતા સમજી, પોતાના આત્માને જાણવાનું સ્વાધીન કાર્ય ત્વરાથી કરી, પોતાને પ્રાપ્ત મનુષ્યભવનો સદુપયોગ કરી લેવો જોઈએ. રત્નત્રયની પ્રાપ્તિનો અવસર ખૂબ દુર્લભ છે. એક નિગોદશરીરમાં સિદ્ધોથી અનંતગણા જીવ હોય છે. સોયની અણી ઉપર એકસાથે અસંખ્ય નિગોદશરીર રહે છે. આવા સ્થાવર જીવોથી સંપૂર્ણ લોક ભરેલો છે. જેમ સમુદ્રમાં રેતીનો એક કણ પડી ગયો હોય તો તે પ્રાપ્ત થવો દુર્લભ છે, તેમ સ્થાવર જીવોથી ભરેલા આ ભવસાગરમાં ત્રસપર્યાયનું મળવું અત્યંત દુર્લભ છે. ત્રસપર્યાયમાં પણ વિકલત્રય(બે, ત્રણ કે ચાર ઇન્દ્રિયોના ધારક)ની બહુલતા છે. તેમાં વળી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું તેથી પણ દુર્લભ છે. પંચેન્દ્રિય પર્યાયમાં પણ પશુ-પક્ષીની બહુલતા છે. તેમાં મનુષ્યપર્યાયને પ્રાપ્ત કરવી વધુ દુર્લભ છે. કદાચિતું તેની પ્રાપ્તિ થઈ તોપણ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ, ઇન્દ્રિયોની પૂર્ણતા, સ્વસ્થ શરીર, વીતરાગધર્મ, આત્મજ્ઞાની ગુરુની પ્રાપ્તિ થવી અત્યંત અત્યંત દુર્લભ છે. આવો ઉત્તમ અવસર મળ્યા પછી પણ રત્નત્રયની પ્રાપ્તિ કરવી તો અતિ અતિ દુર્લભ છે. જીવ રત્નત્રયની પ્રાપ્તિનો પુરુષાર્થ ન કરે અને તેનું મનુષ્યજીવન વિષય-કષાયના સેવનમાં જ ચાલ્યું જાય તો તે ફરી વાર મળવું અત્યંત કઠિન છે. એક વાર મનુષ્યપણું મળી ગયા પછી પાછું બીજી વાર મળવું એટલું જ કઠિન છે કે જેટલું એક થાંભલાનો ભૂકો કરી, તેને પર્વતના શિખર ઉપરથી ઉડાડી દેવામાં આવે અને પછી તે ભૂકો પાછો ભેગો કરવામાં આવે. ત્રસપર્યાયની દુર્લભતાથી લઈને રત્નત્રયની દુર્લભતા સુધીની અનેક દુર્લભતાઓમાં જીવે મનુષ્યપર્યાય સુધીનો અતિ કઠિન રસ્તો પાર કરી લીધો હોય, મનુષ્યપર્યાય મળ્યા પછી પણ તેને આર્ય દેશ, ઉત્તમ કુળ, વીતરાગધર્મ અને આત્મજ્ઞાની ગુરુનો સમાગમયોગ પ્રાપ્ત થઈ ગયો હોય; તોપણ આ સર્વ ઉપલબ્ધિઓ સાર્થક ત્યારે જ થાય જો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપલબ્ધિ કરે. આ મહાદુર્લભ માનવભવને પ્રાપ્ત કરીને પણ જીવ જો રત્નત્રયની પ્રાપ્તિ ન કરે તો મનુષ્યભવ પ્રાપ્ત ન થવા બરાબર છે. અતિ કઠિનતાથી પ્રાપ્ત થવા યોગ્ય ધર્મ-ગુરુને પ્રાપ્ત કર્યા પછી, વિષયસુખમાં રંજાયમાન થવું તે ભસ્મ માટે ચંદનને બાળવા સમાન નિષ્ફળ છે. જીવ જો વિષય-કષાયમાં સમય ગાળે અને સ્વફ્લેયને ન જાણે તો તેનો મનુષ્યભવ વ્યર્થ ચાલ્યો જાય છે. આવો ઉત્તમ અવસર મળવા છતાં જો તે આત્માના નિર્ણય અને તેના અનુભવનો પુરુષાર્થ ન કરે તો તેના માથે અનંત સંસારનો બોજો છે. જ્ઞાની ભગવંતો જીવને ચેતવે છે કે “અત્યંત કઠિનતાથી પ્રાપ્ત થયેલ અવસરને શું આમ જ વ્યતીત કરી નાખવો છે? જ્યાં સુધી વિચારરહિત અસંજ્ઞીની પર્યાયોમાં હતો ત્યાં સુધી તો બુદ્ધિપૂર્વકના પુરુષાર્થનો કોઈ અવસર જ ન હતો, તોપણ સહજ અકામ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ ૧૬૭ નિર્જરાથી તેં આ અવસ્થા પ્રાપ્ત કરી છે. હવે તો સર્વ પ્રકારે અનુકૂળતા અને વિચારશક્તિ પણ પ્રાપ્ત થઈ છે, તો તારે સર્વ ઉદ્યમ વડે મહાદુર્લભ એવા રત્નત્રયની પ્રાપ્તિમાં જોડાઈ જવું જોઈએ.' જીવને આ દુર્લભ અવસરમાં મહાદુર્લભ એવા રત્નત્રયરૂપ એક અભેદ ત્રિકાળી મોક્ષમાર્ગની સાધના જ કર્તવ્યરૂપ છે. જો કે જીવ દૃઢ સંકલ્પ કરે તો તેના માટે રત્નત્રયની પ્રાપ્તિ દુર્લભ નથી, સુલભ જ છે. પુરુષાર્થી જીવ માટે સુલભ શું અને દુર્લભ શું? તે તો પ્રબળ પુરુષાર્થમાં પોતાને જોડી દે છે. મોક્ષની ખરેખરી તીવ્ર ઇચ્છા જેને જાગી હોય તે સુલભતા-દુર્લભતાને ગણકારતો નથી. તે જ્ઞાનીઓના માર્ગે પ્રયાણ કરીને મોક્ષ પામે જ છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘આગળ જ્ઞાની થઈ ગયા, લહી સદ્ગુરુ સુપસાય; આત્મભાવ વિનય વડે, સેવી સદ્ગુરુ પાય. વર્તમાનમાં એ જ વિધિએ ચાલતાં, હોય; ટળે અજ્ઞાન અનાદિનું, સ્વસ્વરૂપને જોય. એક માર્ગ ઉપર કહ્યો, થશે આરાધક જેહ; થાશે કાળ ભવિષ્યમાં, જ્ઞાન મણિ ગુણ ગેહ. ભિન્ન ભિન્ન સાધન બધાં, મૂળ માર્ગ જે હોય; મળે એકમાં સર્વને, માર્ગભેદ નહિ કોય.'' ૧ *** ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૩૩-૫૩૬) Page #201 -------------------------------------------------------------------------- ________________ Page #202 -------------------------------------------------------------------------- ________________ પ સર્વજીવ છે ~ ૧૭, જે સમજે જે ૧, વર્ષ તા, વિન્નિ કુરમાં ગાથા ૧૩૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩૪માં શ્રીમદે કહ્યું કે ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, ભૂમિકા વર્તમાન કાળમાં જે છે અને ભવિષ્યકાળમાં જે થશે, તેમને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા પરમાર્થસાધકરૂપ જે યોગ્ય વ્યવહાર છે, તેમાં દેશ-કાળાદિના કારણે ભેદ હોય, છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પરમાર્થે ભેદ નથી. ગાથા ૧૩૧ થી ૧૩૪માં શ્રીમદે પરમાર્થમાર્ગ નિશ્ચય-વ્યવહારની સંધિવાળો છે એમ બતાવી, નિશ્ચયના એકાંત આગ્રહીને તથા વ્યવહારના એકાંત આગ્રહીને તેમના દોષો બતાવી, એકાંતિક માન્યતામાં જરા પણ કલ્યાણ નથી એવો સદુપદેશ કર્યો. હવે ગાથા ૧૩૫-૧૩૬માં શ્રીમદ્ દર્શાવે છે કે મોક્ષમાર્ગ ઉપાદાન અને નિમિત્તની સંધિવાળો છે, અર્થાત્ બન્નેમાંથી એકને પણ એકાંતે ગ્રહણ કરવામાં આવે તો કલ્યાણ નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બન્ને કારણોની આવશ્યકતા છે. કોઈ પણ એક કારણથી કાર્યની સિદ્ધિ થવી સંભવતી નથી. તેથી બન્નેમાંથી એકનો પણ એકાંતે આગ્રહ રાખવો તે પવિત્ર જિનમતથી વિરૂદ્ધ છે એમ બતાવી, તે માર્ગમાં રહેલાં પતનનાં સ્થાનકો દર્શાવી, તે અંગે ચેતવણી આપતી પરમાર્થગંભીર ઉપાદાન-નિમિત્ત સંબંધી બે ગાથાઓ શ્રીમદે શાસ્ત્રનો ઉપસંહાર કરતી વખતે પરમ કારુણ્યભાવથી પ્રેરિત થઈને આપી છે. ગાથા - ૧૩૫ - પ્રસ્તુત ગાથામાં ઉપાદાનનાં સામર્થ્યનું તથા આત્મસિદ્ધિમાં સહાયક થઈ શકે એવાં નિમિત્તોનું વર્ણન કરતાં શ્રીમદ્ કહે છે ગાથા ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ અર્થ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. (૧૩૫) માંય.' (૧૩૫) સંસારના સર્વ જીવો શક્તિ અપેક્ષાએ સિદ્ધ પરમાત્મા સમાન છે. સિદ્ધ ભાવાર્થ પરમાત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટરૂપે છે, જ્યારે સર્વ જીવમાં તે સર્વ ગુણો શક્તિરૂપે તો છે જ, પણ અપ્રગટ છે. જે જીવ પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરી, તેમાં જ રમણતા કરવાનો પુરુષાર્થ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરે છે, તે પોતાની દશામાં સિદ્ધત્વને પ્રગટ કરે છે. જેને પોતાના સ્વભાવનો નિર્ણય થાય છે, ‘સ્વરૂપસત્તાએ હું સિદ્ધ છું એવો નિશ્ચય થાય છે; તેના વીર્યનો વેગ તે તરફ વળે છે, સત્ય પુરુષાર્થની દિશા ખૂલે છે અને તે સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. આ સિદ્ધસ્વરૂપે પ્રગટ કરવાના કાર્યમાં શ્રી સદ્ગુરુની આજ્ઞા અને વીતરાગદશાનું ચિંતવન જીવને સહાયક નીવડે છે, તેથી આ બન્ને અવલંબન સત્ય પુરુષાર્થ કરવામાં પ્રબળ નિમિત્તકારણ છે. સ્વચ્છેદ તથા પ્રમાદના ત્યાગપૂર્વક શ્રી સદ્ગુરુની આજ્ઞાના આરાધનથી તેમજ અંતરંગ ભાવોલ્લાસપૂર્વક જિનદશાનો વિચાર કરવાથી આત્માનો મહિમા જાગે છે અને મોક્ષરૂપી કાર્ય ત્વરાથી અને સુગમતાથી થાય છે. આમ, આ ગાથાની પ્રથમ પંક્તિમાં જીવના ઉપાદાનનું સામર્થ્ય દર્શાવી, તે અનંત શક્તિ કઈ રીતે પ્રગટ થઈ શકે તે બતાવ્યું છે તથા ગાથાની બીજી પંક્તિમાં અપ્રગટ શક્તિને પ્રગટ કરવારૂપ કાર્યમાં અનુકૂળ એવાં બે પ્રબળ નિમિત્તકારણો બતાવી, તેનું અવલંબન લેવાની પ્રેરણા આપી છે. - મુક્તિના માર્ગમાં જે મહત્ત્વપૂર્ણ વિષયોનું સમ્યક્ પરિજ્ઞાન અત્યંત આવશ્યક વિશેષાર્થ) ૧] છે, એમાં ‘ઉપાદાન-નિમિત્ત' એ એક એવો મહત્ત્વપૂર્ણ વિષય છે કે જેના યથાર્થ જ્ઞાન વગર સમ્યક પુરુષાર્થ સ્કુરાયમાન થતો નથી. ઉપાદાન-નિમિત્ત સંબંધી સમજણના અભાવમાં કાં તો નિમિત્તોને કર્તા માની લેવામાં આવે છે અને કાં તો નિમિત્તોનો અસ્વીકાર કરવામાં આવે છે. નિમિત્તોને કર્તા માનવામાં આવે તો શ્રદ્ધા મિથ્યા છે અને નિમિત્તોને માનવામાં જ ન આવે તો જ્ઞાન મિથ્યા છે. તેથી સમ્યક પુરુષાર્થ અર્થે ઉપાદાન અને નિમિત્તનાં સ્વરૂપથી સુપરિચિત થવું અગત્યનું છે. પ્રશ્ન થાય કે આત્માદિત તો સ્વભાવની સન્મુખ થવામાં છે, તો પછી ઉપાદાનનિમિત્તની સમજણની શું જરૂર છે? ઉપાદાન-નિમિત્તને ન સમજીએ તો શું હાનિ છે? તેનો ઉત્તર એ છે કે જ્યાં સુધી આત્મા એમ માને છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ભલું બૂરું કરી શકે છે, ત્યાં સુધી તે પરોન્મુખ જ રહે છે. આ પરોન્મુખતાનો અંત કરવા એ વાતનો પાકો નિર્ણય હોવો જોઈએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું હિત-અહિત કરી શકે નહીં. આ નિર્ણય ઉપાદાન-નિમિત્તની સમજણ દ્વારા થાય છે. પરાશ્રયબુદ્ધિ છોડવા માટે ઉપાદાન-નિમિત્તનું જ્ઞાન પ્રયોજનભૂત છે. ઉપાદાન-નિમિત્તનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના, પરાવલંબનના અનાદિ અભ્યાસથી યુક્ત દૃષ્ટિ અને વૃત્તિ સમાપ્ત નથી થતી, સ્વાવલંબનનો ભાવ જાગૃત નથી થતો. તેના જ્ઞાન વિના જિનાગમોમાં પ્રતિપાદિત સ્વતંત્ર વસ્તુવ્યવસ્થા તથા કારણ-કાર્યનો સિદ્ધાંત સમ્યકપણે સમજવો સંભવિત નથી. તેથી ઉપાદાન-નિમિત્તનું જ્ઞાન મોક્ષમાર્ગમાં પરમ આવશ્યક, ઉપયોગી અને લાભદાયી છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૭૩ કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવામાં આવે છે. વિશ્વમાં કોઈ પણ કાર્ય કારણપૂર્વક જ થાય છે. જે જે કાર્યનું જે જે કારણ હોય છે, તે તે કારણ મળે ત્યારે, સમગ્ર સામગ્રીનો સંયોગ થાય ત્યારે તે તે કાર્ય સિદ્ધ થાય છે એવો અફર નિયમ છે. કારણ મળે ત્યારે જ કાર્ય નીપજે અને કારણ વિના કાર્ય થઈ શકે નહીં એ વાત નિર્વિવાદ છે. કાર્યની આ ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં હોય છે, અર્થાત્ કારણ બે પ્રકારનાં છે (૧) ઉપાદાનકારણ અને (૨) નિમિત્તકારણ, (૧) ઉપાદાનકારણ જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમે છે તે ઉપાદાનકારણ છે. જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપ પરિણમે તે ઉપાદાનકારણ છે. જે કાર્યની પૂર્વક્ષણોમાં હાજર હોય, જેના વગર કાર્ય થાય નહીં તથા જેના નાશથી કાર્યનો અવશ્ય નાશ થાય તેને ઉપાદાનકારણ કહે છે. ઉપાદાનકારણ એકમાત્ર દ્રવ્ય પોતે જ હોય છે. દા.ત. ઘટરૂપી કાર્યમાં ઉપાદાનકારણ માટી છે. આમ, વસ્તુનો સ્વભાવ, વસ્તુની શક્તિ તે ઉપાદાન છે. દ્રવ્યમાં અંતર્ગર્ભિત રહેલી તેની પર્યાયરૂપ પરિણમનશક્તિ તે ઉપાદાન છે. (૨) નિમિત્તકારણ જે કારણ ઉપાદાનકારણથી ભિન્ન છે અને જેના મળ્યા વિના કાર્ય થાય નહીં, તેમજ જે પોતે કાર્યરૂપ હોય નહીં તે નિમિત્તકારણ છે. જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં જેના ઉપર કર્તાપણાનો આરોપ આવી શકે તે નિમિત્તકારણ છે. જે દ્રવ્ય પોતે કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થાય તે નિમિત્તકારણ છે. જે કાર્યની પૂર્વક્ષણોમાં હાજર હોય, જેની હાજરી વગર કાર્ય થાય નહીં તથા કાર્ય સમાપ્ત થયા પછી જેની વિદ્યમાનતા ન હોય તોપણ કાર્ય અખંડિત રહે તેને નિમિત્તકારણ કહે છે. નિમિત્તકારણો એક કરતાં વધારે હોઈ શકે છે. દા.ત. ઘટરૂપી કાર્યમાં દંડ, ચક્ર, કુંભાર આદિ અનેક નિમિત્તકારણો છે. દંડ, ચક્ર વગેરે નિમિત્ત ન મળે તો માટી પોતાની જાતે ઘડારૂપે પરિણમતી નથી. જો માત્ર માટીથી જ ઘડો બનતો હોય તો જગતમાં ઘણી જગ્યાએ માટી પડી છે, છતાં પણ તેના ઘડા બની જતા નથી. કાર્ય થાય તે સમયે અનેક પદાર્થો ઉપસ્થિત હોય છે, પરંતુ તે સઘળા નિમિત્ત બની શકતા નથી. ઉપસ્થિત પદાર્થોમાં કાર્યની ઉત્પત્તિમાં જે પદાર્થ અનુકૂળ હોય તેને જ નિમિત્ત કહેવાય છે. ઘડો બનવાના કાર્યસમયે ત્યાં કાતર ઉપસ્થિત હોય તોપણ તે ઘડો બનવામાં અનુકૂળ ન હોવાથી તે નિમિત્તકારણ નથી. આમ, હાજર, અનુકૂળ પરદ્રવ્ય તે નિમિત્ત છે. નિમિત્ત એટલે એવા પરદ્રવ્યનો સંયોગ કે જેની ઉપસ્થિતિમાં દ્રવ્ય પોતાની અંતર્ગર્ભિત પરિણમનશક્તિથી પોતાની પર્યાયરૂપ પરિણમિત થાય છે. આ મીમાંસા આત્મામાં ઘટાવીએ તો સિદ્ધપણું તે કાર્ય છે. આત્માની સહજ શક્તિ એ ઉપાદાન છે. જીવમાં રહેલી રાગ-દ્વેષરૂપ વિભાવભાવમાં પરિણમવાની શક્તિ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથા જ્ઞાતા-દ્રષ્ટારૂપ વીતરાગભાવમાં પરિણમવાની શક્તિ તે જીવનું ઉપાદાન છે, અર્થાત્ વિભાવરૂપે પરિણમવાની શક્તિ તથા સ્વભાવરૂપે પરિણમવાની શક્તિ તે જીવનું ઉપાદાન છે. અનુકૂળ હાજર પરદ્રવ્ય તે નિમિત્ત છે. જે પરપદાર્થના અવલંબને આત્મા રાગ-દ્વેષરૂપ પરિણમે અથવા વીતરાગસ્વભાવરૂપ પરિણમે તે પરપદાર્થ નિમિત્ત છે. તેથી એમ ફલિત થાય છે કે હાજર નિમિત્ત શુભ અને અશુભ એમ બે પ્રકારે હોઈ શકે છે. સત્પુરુષ, સત્સંગ, સત્શાસ્ત્ર વગેરે શુભ નિમિત્તો છે. એવાં શુભ નિમિત્તોનું ઉલ્લાસપૂર્ણ ભાવથી સેવન કરવામાં આવે તો જીવનું પરિણમન શુભ થાય છે અને પરંપરાએ જીવ શુદ્ધતાને પામે છે. આથી વિપરીત, અસદ્ગુરુ-અસત્સંગ આદિ અશુભ નિમિત્તો છે. એવાં અશુભ નિમિત્તોનું અવલંબન લેવાથી જીવનું પરિણમન અશુભ થાય છે અને તેથી જીવનું સંસારપરિભ્રમણ ચાલુ રહે છે. આ કારણથી જ્ઞાનીપુરુષો ઉપદેશે છે કે આત્માર્થા જીવે શુભ-અશુભ નિમિત્તોનો વિવેક કરી, અશુભ નિમિત્તો સર્વથા ત્યાગવાં જોઈએ અને શુભ નિમિત્ત કે જેના આશ્રયથી તેની સાધકદશા પુષ્ટ થાય, તેનું વિધિપૂર્વક સેવન કરવું જોઈએ. એક જ કાર્યને ઉપાદાનકારણની અપેક્ષાએ ઉપાદેય કહેવાય છે અને નિમિત્તકારણની અપેક્ષાથી નૈમિત્તિક કહેવામાં આવે છે. જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે તેને ઉપાદાનકારણ અને જે કાર્ય નિષ્પન્ન થાય તેને ઉપાદેય કહેવામાં આવે છે તથા જ્યારે ઉપાદાન કાર્યરૂપે પરિણમે છે ત્યારે જે પદ્રવ્ય એને અનુકૂળ થાય છે, તે પરદ્રવ્ય નિમિત્તકારણ છે. નિમિત્તકારણની અપેક્ષાથી જો કથન કરવામાં આવે તો તે જ કાર્ય (ઉપાદેય)ને નૈમિત્તિક કહેવામાં આવે છે. કયા નિમિત્તકારણનો કાર્ય સાથે સંબંધ છે એ બતાવવા માટે તે કાર્યને નૈમિત્તિક કહેવાય છે. દા.ત. જે ઘડારૂપ કાર્ય, માટીરૂપ ઉપાદાનકારણનું ઉપાદેય કાર્ય કહેવાય; તે જ ઘડારૂપ કાર્ય, કુંભારરૂપ નિમિત્તકારણનું નૈમિત્તિક કાર્ય પણ કહેવાય. તાત્પર્ય એ છે કે માટી અને ઘડા વચ્ચે ઉપાદાનઉપાદેય સંબંધ છે તથા કુંભાર અને ઘડા વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જો આ જ વાતને સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં ઘટાવવામાં આવે તો આત્મદ્રવ્ય અથવા તેનો શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એવી જ રીતે સદ્ગુરુનો ઉપદેશ તથા દર્શનમોહનીય કર્મનો અભાવ એ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. આત્મદ્રવ્ય અથવા શ્રદ્ધા ગુણ અને સમ્યગ્દર્શન વચ્ચે ઉપાદાન-ઉપાદેય સંબંધ છે, જ્યારે સદ્ગુરુના ઉપદેશ તથા દર્શનમોહનીય કર્મના અભાવ અને સમ્યગ્દર્શન વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. - કાર્યનું નિયામક કારણ કયું છે એ નક્કી કરવા ઉપાદાન તથા નિમિત્તને એના ભેદ-પ્રભેદો સહિત સારી રીતે સમજવાં જોઈએ. તે આ પ્રમાણે છે Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન નિમિત્ત (૧) ત્રિકાળી ઉપાદાન (૨) ક્ષણિક ઉપાદાન (૧) અંતરંગ (૨) બહિરંગ (i) અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય (ii) તત્સમયની યોગ્યતાનો ઉત્પાદ ત્રિકાળી ઉપાદાન એ ઉપાદાનનો પ્રથમ પ્રકાર છે. જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં કાર્યરૂપે પરિણમે એ દ્રવ્ય અથવા ગુણને એ કાર્યનું ત્રિકાળી ઉપાદાનકારણ કહે છે. જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે, તે ત્રિકાળી ઉપાદાનકારણ કહેવાય છે. પદાર્થની નિજ સહજ શક્તિ મૂળ સ્વભાવ એ ધ્રુવ ત્રિકાળી ઉપાદાનકારણ છે. ક્ષણિક ઉપાદાન બે પ્રકારનું છે - ગાથા-૧૩૫ કારણ ૧) અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય દ્રવ્ય અને ગુણમાં પર્યાયનો પ્રવાહક્રમ અનાદિ-અનંત છે. અનાદિ કાળથી ચાલ્યા આવતા આ પ્રવાહક્રમમાં જે અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય હોય છે તે ક્ષણિક ઉપાદાનકારણ છે. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયને પણ ઉપાદાન કહે છે, કારણ કે તેનો અભાવ થયા પછી જ કાર્ય ઉત્પન્ન થાય છે. તે અભાવરૂપ, વ્યયરૂપ કારણ છે અને તે કાલસૂચક પણ છે. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય એ ક્ષણિક ઉપાદાનકારણ છે અને અનંતરઉત્તરક્ષણવર્તી પર્યાય એ કાર્ય છે. તેથી એમ પણ કહેવામાં આવે છે કે અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયથી યુક્ત દ્રવ્ય એ કારણ છે અને અનંતરઉત્તરક્ષણવર્તા પર્યાયથી યુક્ત દ્રવ્ય એ કાર્ય છે. ૧૭૫ ૨) તત્સમયની યોગ્યતા વર્તમાન પર્યાય કે જેમાં કાર્ય થાય છે તે તત્સમયની યોગ્યતા છે. તે સમયની પર્યાય તે તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાનકારણ છે, અર્થાત્ કાર્યોત્પત્તિના સમયની પર્યાયગત યોગ્યતા એ ક્ષણિક ઉપાદાનકારણ છે. તે જ સમયની પર્યાયની તે જ સમય હોવારૂપ યોગ્યતા ક્ષણિક ઉપાદાનકારણ છે અને તે પર્યાય એ કાર્ય છે. આ પર્યાય યોગ્યતાની અપેક્ષાએ કારણ તથા તે જ પર્યાય પરિણમનની અપેક્ષાએ કાર્ય કહેવાય છે. તત્સમય કાર્યરૂપ પરિણમનની યોગ્યતા એ કારણ અને પરિણમન એ કાર્ય છે. ઉદાહરણ તરીકે સમ્યગ્દર્શનરૂપ કાર્યનાં ઉપાદાનકારણ આ પ્રકારે છે (૧) ત્રિકાળી ઉપાદાન - જીવદ્રવ્ય કે શ્રદ્ધા ગુણ. (૨) અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય (૩) તત્સમયની યોગ્યતાનો ઉત્પાદ ― મિથ્યાદર્શનનો વ્યય. સમ્યગ્દર્શન પ્રગટ થવાની યોગ્યતાનો ઉત્પાદ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ધારો કે ૧૦ નંબરની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટે છે એ જીવદ્રવ્ય કે શ્રદ્ધા ગુણનું કાર્ય છે, તે તેની પૂર્વેની ૯ નંબરની પર્યાય કે જે મિથ્યાદર્શનયુક્ત હતી, તેનો અભાવ કરીને પ્રગટ થઈ છે. આ ૯ અને ૧૦ નંબરની બન્ને પર્યાયો ભિન્ન છે, સ્વતંત્ર છે, તેમાં કાળભેદ છે; પરંતુ ૯ નંબરની મિથ્યાત્વપર્યાયનો વ્યય તથા ૧૦ નંબરની સમકિતપર્યાયનો ઉત્પાદ એ બન્ને સમકાળે થાય છે. તેમાં કારણભેદ કે વસ્તુભેદ નથી. વસ્તુતઃ એ બે છે જ નહીં, એક જ છે. ૯ નંબરની પર્યાયનો વ્યય તથા ૧૦ નંબરની પર્યાયનો ઉત્પાદ એ બન્ને એક જ સિક્કાની બે બાજુ છે. ૧૭૬ - = ક્ષણિક ઉપાદાનકારણને સમર્થ ઉપાદાનકારણ કહેવાય છે, કેમ કે તેના વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી અને તેના હોવાથી કાર્યની ઉત્પત્તિ થાય જ છે. ત્રિકાળી ઉપાદાનકારણ તો સદા વિદ્યમાન જ છે. તેને જો સમર્થ કારણ માનવામાં આવે તો વિવક્ષિત કાર્ય(ઉપરોક્ત સંદર્ભમાં સમ્યગ્દર્શન)ની સદા ઉત્પત્તિ થતી રહે, પણ તેવું તો ક્યારે પણ થતું નથી; તેથી અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય તેમજ એ સમયે એ પર્યાયની ઉત્પન્ન થવાની યોગ્યતા જ સમર્થ ઉપાદાનકારણ છે. ઉપાદાનકારણ સ્વયં કાર્યરૂપે પરિણમે છે, જ્યારે નિમિત્તકા૨ણ સ્વયં કાર્યરૂપે પરિણમતું નથી; પરંતુ જ્યારે કાર્ય થતું હોય ત્યારે નિમિત્તની ઉપસ્થિતિ અવશ્ય હોય છે. કાર્યને અનુકૂળ અને અનુરૂપ એવું પદ્રવ્યરૂપ નિમિત્તકારણ ત્યાં હાજર હોય જ છે. નિમિત્તકારણના અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકાર છે.૧ સમ્યગ્દર્શનરૂપ કાર્યના સંદર્ભમાં જોઈએ તો સમ્યગ્દર્શનરૂપી કાર્યનું અંતરંગ નિમિત્ત છે દર્શનમોહનીય કર્મનો અભાવ અને બહિરંગ નિમિત્ત છે સદ્ગુરુનો ઉપદેશ. રાગાદિ વિભાવરૂપ કાર્યનું અંતરંગ નિમિત્ત મોહનીય કર્મનો ઉદય છે અને બહિરંગ નિમિત્ત સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, શત્રુ, મિત્ર આદિ પરપદાર્થો છે. પદાર્થોના જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ અંતરંગ નિમિત્ત છે અને ઇન્દ્રિયો, પ્રકાશ આદિ બહિરંગ નિમિત્ત છે. કર્મબંધનમાં આત્માના રાગાદિ ભાવ અંતરંગ નિમિત્ત છે અને મન-વચન-કાયાનો વ્યાપાર બહિરંગ નિમિત્ત છે. નિમિત્ત અંતરંગ હોય કે બહિરંગ, કાર્યની ઉત્પત્તિમાં કોઈ પણ નિમિત્ત કર્તા બની શકતું નથી. તે કાર્ય વખતે ઉપસ્થિત તો રહે છે, પણ કાર્યનો કર્તા થતું નથી. ૧- નિમિત્તને પ્રેરક અને ઉદાસીન એવા બે ભેદમાં પણ વિભાજિત કરવામાં આવે છે. નિમિત્ત ગમનક્રિયાવાળા અને ઇચ્છાવાળા છે કે નહીં તે સમજાવવા માટે આ ભેદ પાડવામાં આવે છે. ઇચ્છાશક્તિવાળા જીવ અને ગમનક્રિયાવાળા જીવ તથા પુદ્ગલ એ બન્ને પ્રેરક નિમિત્ત છે. નિષ્ક્રિય ધર્મ, અધર્મ, આકાશ, કાળ તથા ઇચ્છા અને રાગથી રહિત પરપદાર્થ એ સર્વ ઉદાસીન નિમિત્ત છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૭૭ જો નિમિત્ત કર્તા બને તો દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નાશ થઈ જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, અન્યથા દ્રવ્યસ્વતંત્રતા - દ્રવ્યનું સ્વરૂપ નષ્ટ થઈ જાય. દરેક દ્રવ્ય પોતામાં જ રહેલું છે. અનાદિ-અનંત એવાં ભિન્ન ભિન્ન દ્રવ્યો પોતાની મર્યાદામાં પરિણમે છે. કોઈ દ્રવ્ય અન્ય દ્વારા પરિણમતું નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કર્તા નથી. અન્યનું કોઈ કદી કર્તા થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. દરેક દ્રવ્યનું કાર્ય સ્વતંત્રપણે થાય છે. કોઈ કોઈને આધીન નથી. અહીં પ્રશ્ન થાય કે જો નિમિત્ત ઉપાદાનમાં કંઈ ન કરતું હોય તો અનુકૂળ નિમિત્તની ઉપસ્થિતિમાં જે પરિણમન જોવા મળે છે, તેવું પરિણમન અનુકૂળ નિમિત્તની અનુપસ્થિતિમાં શા માટે જોવા મળતું નથી? નિમિત્તની ઉપસ્થિતિમાં જ શા માટે જીવના ભાવ બગડે-સુધરે છે? તેનો ઉત્તર એ છે કે કાર્ય નિમિત્તની હાજરીમાં જ થઈ શકે છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત હોય ત્યારે જ ઉપાદાન કાર્ય કરી શકે છે, તે છતાં નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. પરદ્રવ્ય કાંઈ જબરદસ્તથી જીવના ભાવ બગાડી-સુધારી શકતું નથી. ભાવ બગડે કે સુધરે ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત ત્યાં અવશ્ય હાજર હોય છે. તેનું અવલંબન લઈ જીવ સ્વતંત્રપણે પોતાના ભાવ બગાડેસુધારે છે. જો નિમિત્તથી જ ભાવ બગડતા-સુધરતા હોય તો વેશ્યાને જોવાથી બધાને વિકાર થવો જોઈએ તથા મુનિરાજનાં દર્શનથી સર્વને વૈરાગ્ય જાગવો જોઈએ, પણ એવું તો જોવા મળતું નથી. તેથી ફલિત થાય છે કે પરદ્રવ્ય કંઈ કરતું નથી, પરંતુ જીવ જ્યારે તેનું અવલંબન લે છે ત્યારે તે પરદ્રવ્ય નિમિત્તની સંજ્ઞા પામે છે. નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરતું ન હોવા છતાં નિમિત્ત વિના કાર્ય સંપન્ન થતું નથી. જેમ સૂર્યકાંત મણિ સૂર્ય વિના અગ્નિરૂપ પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્તરૂપે ઉપસ્થિત હોય છે; તેમ આત્મા પરદ્રવ્ય વિના રાગાદિરૂપ પરિણમતો નથી, તેના રાગાદિરૂપ પરિણમનમાં પરદ્રવ્યનો સંગ નિમિત્તરૂપે ઉપસ્થિત હોય જ છે. આત્મા નિમિત્તકારણના અભાવમાં ક્યારે પણ પોતાની જાતે રાગદ્વેષરૂપે પરિણમતો નથી. તે રાગરૂપે પરિણમે છે ત્યારે પરદ્રવ્ય નિયમથી નિમિત્ત હોય જ છે. આવો બનેનો પરસ્પર સ્વતંત્ર સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પરદ્રવ્યના સાનિધ્યમાં જ આત્મા વિભાવરૂપે પરિણમન કરે છે એ વાત સ્પષ્ટ છે, તો બીજી બાજુ એ પણ એટલું જ સત્ય છે કે આત્માનું વિભાવરૂપ પરિણમન પરદ્રવ્યને આધીન નથી. પરદ્રવ્ય તો તેમાં નિમિત્તમાત્ર જ છે. તે આત્માને રાગાદિરૂપ પરિણમાવતું નથી. પુદ્ગલકર્મ, ઇન્દ્રિયોના ભોગ, ધન, મકાન, ઘરના માણસો ઇત્યાદિ જીવને રાગ-દ્વેષ કરાવતા નથી. કોઈ પણ પરદ્રવ્ય આત્માને રાગ-દ્વેષ ઉત્પન્ન કરાવતું નથી, કરાવી શકતું નથી. આત્મા પોતે જ મિથ્યાત્વરૂપી મોહમયી મદિરાનું પાન કરીને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગ-દ્વેષ કરે છે. ગાળ સાંભળીને કોઈને ક્રોધ આવે છે, કોઈને નથી આવતો; અથવા એક જ વ્યક્તિને ગાળ સાંભળીને ક્યારેક ક્રોધ આવે છે અને ક્યારેક નથી પણ આવતો; ક્યારેક ઓછો આવે છે અને ક્યારેક વધારે આવે છે. આથી એમ સિદ્ધ થાય છે કે ગાળ ક્રોધ ઉત્પન્ન કરાવવા માટે સમર્થ નથી. જેમની દૃષ્ટિ નિમિત્તાધીન છે, તેમને બધાં કાર્ય નિમિત્તના કારણે જ થતાં દેખાય છે. તત્ત્વથી અજાણ લોકો એમ માને છે કે પુદ્ગલકર્મના ઉદયથી જીવમાં રાગ-દ્વેષરૂપ વિભાવપરિણમન થાય છે. કર્મ જેમ જેમ બળ કરે છે, તેમ તેમ જીવને અધિક ને અધિક રાગ-દ્વેષ થાય છે. કર્મનો જેટલો તીવ્ર ઉદય હોય છે, તેટલી તીવ્રતાથી જીવને રાગ-દ્વેષ થાય છે. પરંતુ વસ્તુસ્થિતિ આમ નથી. વસ્તુતઃ કર્મના ઉદયથી જીવની અવસ્થા વિકારી થતી નથી, પણ કર્મના ઉદય વખતે આત્મા સ્વયં જ સ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિકારરૂપ પરિણમન કરે છે. કર્મ જીવને વિકાર નથી કરાવતાં, પણ તે પોતે જ પોતાના સ્વભાવને ભૂલીને વિકાર કરે છે. પવનચક્કી ઉપર બેઠેલો પોપટ આકાશમાં ઊડવાનું ભૂલી જઈ સળિયાને જોરથી પકડી રાખે છે. તે સ્વયં જ બંધનગ્રસ્ત બને છે અને ચક્કીની સાથે ગોળ ગોળ ફરે છે. તે ઇચ્છે તો ઊડી શકે છે, પરંતુ તે નથી ઊડતો અને દુઃખી દુઃખી થઈ જાય છે. આ તેની જ ભૂલ છે, કારણ કે તેને સળિયાએ પોતાને આધીન કર્યો નથી, તે સ્વયં જ તેને આધીન થઈ ગયો છે. તે જ પ્રકારે કર્મ જીવને પરાધીન નથી કરતાં, જીવ જ પોતાની સૂધબૂધ ખોઈને કર્મને વશ થઈ જાય છે. કોઈ પ્રશ્ન કરે કે જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી શાસ્ત્રોમાં કર્મને બળવાન બતાવનારાં અને કર્તુત્વપોષક કથન શા માટે કરવામાં આવ્યાં છે? તે કથનોની શી અપેક્ષા છે? આ પ્રશ્નનું સમાધાન એમ છે કે જિનવાણીમાં ઉપચારથી કર્મને જીવના વિકારના કર્તા કહેવામાં આવ્યાં છે. તેને કાર્યના કર્તા કહેવું તે માત્ર ઔપચારિકતા છે. કર્મ ઉપર કર્તાપણાનો માત્ર આરોપ છે. તે વિકારમાં અનુકૂળ થતાં હોવાથી કર્મના ઉદય ઉપર એ આરોપ કરવામાં આવે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે. નિમિત્તને મુખ્ય કરીને એમ કહેવામાં આવે છે કે આત્મા કર્મના કારણે રાગાદિરૂપ પરિણમે છે, પરંતુ જિનવાણીના કથનના મર્મથી અનભિજ્ઞ એવા લોકોને નિમિત્ત જ વાસ્તવિક કર્તા પ્રતિભાસિત થાય છે. નિમિત્તને માત્ર વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે. ઉપાદાનમાં થયેલા કાર્યને અનુકૂળ સંયોગો કેવા હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તોનું વર્ણન કરવામાં આવે છે, કાર્યમાં તેનું કર્તુત્વ સિદ્ધ કરવા માટે નહીં. કર્મ અને જીવના વિકારનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા અર્થે કર્મનું વર્ણન કરવામાં આવે છે. પૌગલિક કર્મનો ઉદય હોય ત્યારે જીવ જો સમ્યક્ પુરુષાર્થ ન કરે તો Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૭૯ પોતાની જ અસાવધાનીના કારણે તે વિકારી ભાવરૂપે પરિણમે એવો જીવ અને કર્મ વચ્ચે સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તે બન્ને વચ્ચે કર્તા-કર્મસંબંધ નથી. જીવે પોતે કરેલા રાગાદિ વિકારી ભાવોનું કર્તૃત્વ કર્મ ઉપર સ્થાપી તે જીવ કાંઈ દોષમુક્ત નથી થઈ શકતો. જગતમાં અધિકાંશ જીવો નિમિત્તાધીન દૃષ્ટિવાળા છે. નિમિત્તાધીન દૃષ્ટિવાળા જીવોની વૃત્તિ સ્વદોષદર્શન તરફ ન જતાં, સદૈવ પરમાં દોષારોપણ કરવાની જ હોય છે. કાર્ય-કારણના યથાર્થ જ્ઞાનનો અભાવ, નિમિત્તકા૨ણોની કાર્યમાં અનુકૂળતા, નિમિત્તોની અનિવાર્ય ઉપસ્થિતિ, નિમિત્ત-નૈમિત્તિક સંબંધોની ઘનિષ્ઠતા, કૃતજ્ઞતા જણાવતી વાણીપ્રવૃત્તિ આદિ કારણોથી અજ્ઞાની જીવને નિમિત્તોમાં કર્તાપણાનો ભ્રમ થાય છે. નિમિત્તને કર્તા માનવાથી તેના પ્રતિ રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. નિમિત્તોમાં કર્તાપણાનો ભ્રમ મટાડવા માટે જીવે નિમિત્તોના અકર્તૃત્વનો સિદ્ધાંત યથાર્થપણે સમજવો જોઈએ અને તેમાં શ્રદ્ધાવાન થવું જોઈએ. વસ્તુસ્વરૂપનું અધ્યયન-મનન-ચિંતન કરવું આવશ્યક છે. આમ કરવાથી જીવને સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનાં સુખ-દુઃખનું, લાભ-હાનિનું કર્તા નથી. આમ, પરદ્રવ્યરૂપ નિમિત્ત સ્વદ્રવ્યરૂપ ઉપાદાનના પરિણમનરૂપ કાર્યમાં અકર્તા છે. તે ઉપાદાનનું કોઈ કાર્ય કરતું નથી. બન્ને દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે. બન્ને વચ્ચે પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ સંબંધને કર્તા-કર્મરૂપે માનવો યોગ્ય નથી. નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિમાત્રથી એને કર્તા માની શકાય નહીં. આના ઉપરથી એમ નક્કી થાય છે કે કાર્યનું નિયામક કારણ ન તો ત્રિકાળી ઉપાદાન છે, ન તો નિમિત્ત છે. નિશ્ચયથી કાર્ય પ્રતિ સાધકતમ કારણ તો તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન જ છે. વસ્તુતઃ તો પર્યાયની તત્સમયની યોગ્યતા જ કાર્યનું નિયામક અને સમર્થ કારણ છે. વિશ્વમાં પ્રત્યેક કાર્ય તે સમયની પર્યાયની યોગ્યતાથી ક્ષણિક ઉપાદાનકારણથી થાય છે. દ્રવ્યમાં જ્યારે જે કાર્ય થાય છે તે તત્સમયની યોગ્યતાથી થાય છે. તે જ વાસ્તવિક કારણ છે. બાહ્ય સામગ્રી તો કાર્યમાં નિમિત્તમાત્ર છે. તાત્પર્ય એ છે કે ઉપાદાનમાં કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા પ્રાપ્ત થતાં તે કાર્યરૂપ પરિણમે છે અને બાહ્ય સામગ્રી તેમાં એ સમયે નિમિત્ત બને છે. આમ, ત્રિકાળી ઉપાદાનકારણ, અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા અને નિમિત્તકારણ આ ચાર કારણ પ્રત્યેક કાર્યમાં એકસાથે એક જ સમયે નિયમથી હોય છે. ઘડાના દષ્ટાંતમાં આ ચાર કારણો ઘટાવતાં જણાય છે કે ઘડો એ કાર્ય છે. પ્રથમ તે માટીરૂપે હતો. માટી પલાળી એટલે માટીનો પિંડ થયો. એ પિંડને ચાકડા પર ચડાવ્યો. પ્રથમ ઘડાનું તળિયું થયું, એટલે કે છત્રક અવસ્થા થઈ, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પછી સ્થાસ અવસ્થા થઈ, પછી કોશ અવસ્થા થઈ. માટી પહોળી થઈ અને તેનું પહોળું પેટ થયું, પછી કાંઠલો થયો અને અંતે ઘડો તૈયાર થયો. આ તમામ અવસ્થાઓમાં માટી વિદ્યમાન છે. માટીથી માંડીને ઘડો થયો ત્યાં સુધીમાં ઘણી અવસ્થાઓ થઈ ગઈ, પણ માટી તો બધી અવસ્થાઓ વખતે ધ્રુવ રહી. પર્યાયો બદલાતી ગઈ, તેનાં નવાં નવાં રૂપ થતાં ગયાં; પરંતુ આ બધી પર્યાયો નાશવાન હતી, જ્યારે માટીની હાજરીનો ત્યાં ત્રિકાળ સંભાવ વર્તતો હતો, તેથી માટી એ ધ્રુવ ઉપાદાન છે. માટી ઘટાકારને પ્રાપ્ત થઈ ત્યાં સુધી વચ્ચે ઘણી પર્યાયો થઈ. દરેક વખતે પૂર્વપર્યાયનો અભાવ થતો ગયો, નવી પર્યાય ઉત્પન્ન થતી ગઈ અને છેવટે ઘડો બન્યો. પૂર્વપર્યાય ત્યાં હતી, એટલે તે વ્યયરૂપ ક્ષણિક ઉપાદાન છે. ઘડો બન્યો તે તેની તે સમયની યોગ્યતાથી, ક્ષણિક ઉત્પાદરૂપ ઉપાદાનકારણથી બન્યો છે. કુંભાર, ચાકડો, ખીલડો, દંડો, પાણી, સૂર્યતાપ, નિંભાડો (ભઠ્ઠી) આદિ બધાં નિમિત્તકારણ છે. આ ચાર કારણો સમજવા અન્ય એક ઉદાહરણ જોઈએ - એક વ્યક્તિને તેના પુત્ર ઉપર ક્રોધ આવે છે, કારણ કે તે તેની ઇચ્છાવિરુદ્ધ વર્તે છે. આમાં -- કાર્ય – ક્રોધનું થવું. ધ્રુવ ઉપાદાનકારણ – ક્રોધી વ્યક્તિનો આત્મા કે ચારિત્ર ગુણ. ક્રોધરૂપ કાર્યની ઉત્પત્તિ આત્મદ્રવ્ય કે ચારિત્ર ગુણમાં જ થાય છે, અન્યત્ર થતી નથી. આ ધ્રુવ ઉપાદાનકારણ સ્વભાવનું નિયામક છે, પરંતુ ક્રોધરૂપ કાર્યના કાળનું નિયામક નથી; અન્યથા ક્રોધરૂપ કાર્ય સતત થતું રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય કે જે સંભવતું નથી. આત્મા સતત રહેવા છતાં ક્રોધ સતત થતો જોવા મળતો નથી. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય – ક્રોધરૂપ કાર્યની ઉત્પત્તિ પૂર્વની પર્યાયનો વ્યય. ક્રોધરૂપ કાર્યની ઉત્પત્તિ પુરુષાર્થપૂર્વક જ થાય છે. પૂર્વપર્યાયના અભાવરૂપ કારણ વિધિનું નિયામક છે. જ્યારે પણ કાર્ય થશે ત્યારે આ વિધિપૂર્વક જ થશે. અનંતરપૂર્વેક્ષણવર્તી પર્યાયનો વ્યય તે કાર્યનું ક્ષણિક ઉપાદાનકારણ છે. તત્સમયની યોગ્યતા - પર્યાયની ક્રોધરૂપે પરિણમવાની તત્સમયની યોગ્યતા. તે ક્રોધરૂપ કાર્યનું સમર્થ કારણ છે, કારણ કે તે કાળનું નિયામક છે. જે કાળનું નિયામક હોય તે કાર્યનું સમર્થ કારણ છે. તત્સમયની યોગ્યતા તે કાર્યનું ક્ષણિક ઉપાદાનકારણ છે. બાહ્ય નિમિત્તકારણ – ક્રોધ થવામાં પુત્રનું પ્રતિકૂળ આચરણ બાહ્ય નિમિત્તકારણ છે. પુત્રના વિરુદ્ધ આચરણનું અવલંબન લઈને તે વ્યક્તિ ક્રોધિત થાય છે. પરંતુ આ કારણ ક્રોધરૂપ કાર્યનું નિયામક કારણ નથી, કેમ કે આ નિમિત્તથી તેને સદેવ ક્રોધ નથી આવતો તથા આ નિમિત્તથી કોઈને ક્રોધ આવે છે અને કોઈને નથી પણ આવતો. કાનદારણ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૮૧ અંતરંગ નિમિત્તકારણ વ્યક્તિના ક્રોધચારિત્રમોહનીય કર્મનો ઉદય અંતરંગ નિમિત્તકારણ છે. આ કારણ પણ સમર્થ કારણ નથી, કેમ કે ઉદયને ક્રોધનું સમર્થકારણ માનવામાં આવે તો કર્મના ઉદયથી ક્રોધ અને ક્રોધથી કર્મબંધ થયા કરવાથી પરસ્પરાશ્રયદોષ ઉત્પન્ન થશે અને જીવ ક્યારે પણ ક્રોધરહિત થઈ શકશે નહીં; પરંતુ જીવ તો અવશ્ય ક્રોધરહિત થઈ શકે છે. આ પ્રમાણે ઉપાદાન અને નિમિત્તની સંધિથી દરેક કાર્ય થાય છે. કાર્ય-કારણની યથાર્થ વ્યવસ્થા સમજવા ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ યથાર્થપણે જાણવું અત્યંત જરૂરી છે. જીવ ઉપાદાન-નિમિત્તનું સાચું સ્વરૂપ સમજ્યો ન હોવાથી આત્મકલ્યાણરૂપ કાર્ય કરવા માટે તે પરપદાર્થ તરફ જુએ છે. પરપદાર્થના સંયોગની આકાંક્ષાના કારણે તે પોતા તરફ જોતો જ નથી. તેનો પુરુષાર્થ બહાર જ વહે છે. આત્માના કલ્યાણનું કાર્ય તો સ્વયંની પાત્રતાથી, સ્વયંના પુરુષાર્થથી, સ્વયંમાં જ થાય છે. આત્મકલ્યાણનું કાર્ય કરવા જીવ પોતે જ જવાબદાર છે. સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રનું અવલંબન તેમાં ઉપકારી નીવડે છે, પણ તેઓ ઉપાદાનમાં કંઈ કરતા નથી. જીવ સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રનું અવલંબન લઈ જાતે પુરુષાર્થ કરે તો તેનું આત્મહિત થાય. ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજ્યા પછી હવે પ્રસ્તુત ગાથા તરફ વળીએ ‘સર્વ જીવ છે સિદ્ધ સમ' લોકના અગ્ર ભાગે બિરાજમાન સિદ્ધ ભગવંતો આત્માના પૂર્ણશુદ્ધ પદને પામ્યા છે. તેમની સ્થિતિ પરમપદમાં થઈ છે. જે શક્તિઓ ચાર ગતિમાં રખડાવતી હતી, તે સર્વ શક્તિ પોતામાં શમાવી સિદ્ધ ભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ સામર્થ્યના સ્વામી બન્યા છે. તેઓ અનંત ચતુષ્ટયની વિભૂતિથી યુક્ત છે, પરમ ઐશ્વર્યના ધરનાર છે. તેઓ ઇન્દ્રાદિને પણ પ્રાપ્ત ન હોય એવા કેવળજ્ઞાનાદિ ઐશ્વર્ય સહિત છે. જેનાથી ચઢિયાતું કોઈ નથી એવા ઐશ્વર્યના ધરનાર છે. તેઓ પ્રાપ્ત કરેલા અનંતચતુષ્ટયથી કદી ચુત થતા નથી. તેમના જે અનંત ગુણો પ્રગટ થયા છે, તે ગુણો અનંત કાળ સુધી તેમ જ રહેવાના હોવાથી તેમનું પદ અવ્યય છે. સિદ્ધ ભગવાને પોતાના કેવળજ્ઞાનાદિ પ્રયોજનને સાધી લીધું છે. જેનો કદી નાશ થવાનો નથી તથા જ્ઞાનને કોઈ મર્યાદા નથી એવા કેવળજ્ઞાનના તેઓ સ્વામી છે. તેઓ સમસ્ત વિશ્વને જાણે છે. એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકને જાણે છે. તેઓ આત્માને આત્મારૂપે જાણે છે પદાર્થોનો સાચો બોધ હોય છે. કાંઈ પુણ્ય-પાપના ફળરૂપે કોઈ અને પરને પરરૂપે જાણે છે. તેમને સમસ્ત સિદ્ધ ભગવાનને સર્વ જીવોનું જ્ઞાન છે, પણ તેઓ જીવને સ્વર્ગમાં કે નરકમાં મોકલતા નથી. તેમના Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કેવળજ્ઞાનરૂપ ચોપડામાં બધી નોંધ છે, પણ તેમને કોઈનું કર્તાપણું કે કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નથી. તેમને તો પરમજ્ઞાનાનંદરૂપ પરિપૂર્ણ શુદ્ધ દશા વર્તે છે. પરિપૂર્ણ જ્ઞાનાનંદ તેમને ખીલી ગયાં છે. તેમને આત્માના પરિપૂર્ણ આનંદમાં કોઈ વિઘ્ન નથી, જ્ઞાનમાં કોઈ આવરણ નથી. તેઓ પોતાના અતીન્દ્રિય આનંદના ભોગવટામાં લીન છે. સિદ્ધાત્માને જડ શરીરનો સંયોગ હોતો નથી. તેમને અનાદિનો શરીરનો સંયોગ ટળી ગયો છે. તેમને શરીર, કર્મ કે રાગાદિ - કોઈ વિકાર સાથે સંબંધ રહ્યો નથી. તેઓ માત્ર આત્મસ્વરૂપે રહેલા હોય છે. તેઓ પરદ્રવ્ય અને પરભાવોથી રહિત એવા સ્વસ્વરૂપમાં અખંડપણે રમણતા કરે છે. તેઓ શરીરાદિથી રહિત અસંગ સ્વરૂપે મોક્ષમાં બિરાજે છે. સિદ્ધ પરમાત્માએ સર્વ મેલનો નાશ કર્યો છે. તેમને પુણ્ય-પાપના મલિન ભાવો, આઠ કર્મનાં રજકણ, દેહ આદિ મળ પૂર્ણપણે છૂટી ગયા છે. તેમના મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ આદિ અંતરંગ મળ દૂર થયા છે તથા કર્મ, દેહ આદિ બાહ્ય મળ ટળ્યા છે, તેથી તેઓ સર્વમળરહિત - નિર્મળ છે. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અશુદ્ધતા સર્વથા ક્ષય થઈ હોવાથી તેઓ પરમ વિશુદ્ધ છે. સિદ્ધ ભગવંતને વીતરાગી પરમ શાંત ધારા પરિણમી ગઈ છે. કષાયનો કોઈ કોલાહલ તેમનામાં રહ્યો નથી. અકષાયપણે વીતરાગી શાંત રસની પૂર્ણ ધારા તેમનામાં વહે છે. તેમને અપૂર્વ શાંત રસ વેદાય છે. જેના કરતાં બીજી કોઈ ઉત્તમ દશા નથી એવી પરમ દશાને તેઓ પામ્યા છે. સંસારી સર્વ જીવોથી તેઓ ઉત્કૃષ્ટ છે. ચૌદ રાજલોકમાં રહેલા જીવો સંસારી અને સિદ્ધ એમ બે પ્રકારમાં વિભક્ત થયેલા છે. અવસ્થાભેદે આ બે પ્રકાર પડે છે, પરંતુ શક્તિરૂપ સ્વભાવથી તો બધા આત્મા સરખા છે. તેઓ સ્વરૂપસત્તાથી સમાન છે, અર્થાત્ સર્વ જીવો શક્તિની અપેક્ષાએ સિદ્ધ ભગવંત સમાન છે. સિદ્ધ જીવોને શુદ્ધાત્મસ્વરૂપ કર્મકલંકના નાશથી પ્રગટ થયું છે, આવિર્ભાવ પામ્યું છે, વ્યક્ત થયું છે, જ્યારે સંસારી જીવોનું શુદ્ધાત્મસ્વરૂપ કર્મકલંકથી અવરાયેલું છે. ૧ ૧- જુઓ : (૧) આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૨૬ 'जेहउ णिम्मलु णाणमउ सिद्धिहिँ णिवसइ देउ । तेहउ णिवसइ बंभु परु देहहँ म करि भेउ ।।' (૨) ગણિશ્રી દેવચંદ્રજીકૃત, ‘અધ્યાત્મગીતા', કડી ૨૨ આતમ સર્વ સમાન નિધાન મહાસુખકંદ; સિદ્ધ તણા સાધર્મી સત્તાયે ગુણવૃદ.” Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૮૩ પર્યાયદૃષ્ટિથી ભલે સિદ્ધ પરમાત્મા અને સંસારી જીવમાં ફરક હોય, પણ વસ્તુદષ્ટિએ નિરંજન પરમાત્મામાં અને દેહવાસી જીવમાં કોઈ ફરક નથી. શરીરને ન જોતાં ચૈતન્યસ્વભાવને જ જોવામાં આવે તો વિદેહી ભગવાન કે દેહવાસી જીવ બને વચ્ચે કોઈ ફરક નથી. દેહ વગરના સિદ્ધ પરમાત્મા અને દેહમાં રહેલો આત્મા - તે બન્ને વચ્ચે નિશ્ચયથી કોઈ ભેદ નથી. સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે, તેવા જ સ્વરૂપવાળો દેવ દેહમાં વસે છે; સિદ્ધ પરમાત્મા અને દેહવાસી દેવમાં પરમાર્થદષ્ટિએ કોઈ ભેદ નથી. પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપે પૂર્ણ આત્મા તે વિદેહી સિદ્ધ પરમાત્મા છે અને તેવો જ પરમાત્મા દેહના સંયોગમાં પણ વિદ્યમાન છે. સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ જીવના ગર્ભમાં પણ પડ્યું છે. જીવ વસ્તુરૂપે વીતરાગી બિંબ છે. આત્મા પોતે જિનદેવ છે. સિદ્ધશિલામાં બિરાજમાન ભગવાન વ્યવહાર જિન છે, જ્યારે તેનો પોતાનો આત્મા નિશ્ચયથી વીતરાગી બિબ પરમેશ્વરદેવ જિન છે. આત્માનો સિદ્ધ સમાન સ્વભાવ સદા વિદ્યમાન છે. તેનો કાંઈ અભાવ નથી થઈ ગયો, પણ અજ્ઞાનીને તે પ્રતીત થતો નથી. તેને તો પોતામાં અશુદ્ધતા અને અપૂર્ણતા જ દેખાય છે, પરંતુ આત્માની પ્રભુતા કદી અશુદ્ધ થઈ જ નથી. આત્મસ્વભાવ અમલ છે. અનાદિ કાળથી અત્યાર સુધી પર્યાય ગમે તેટલી મલિન થઈ હોય, પરંતુ દ્રવ્યની પ્રભુતાને તોડવા તે બિલકુલ સમર્થ નથી. દ્રવ્યની પ્રભુતા તો અખંડપણે એવી ને એવી રહી છે. આત્મસ્વભાવ બાધારહિત છે, કર્માદિ તેને બાધા ઉપજાવતાં નથી. આત્મા શુદ્ધ ચૈતન્યમયે અખંડ વસ્તુ છે. તેને છોડીને મિથ્યાષ્ટિ જીવ શરીર, શરીરની ક્રિયા, શુભાશુભ ભાવ એ બધાં મારાં છે' એમ માને છે. બહિરાત્મા ‘હું મનુષ્ય’, ‘પાંચ ઇન્દ્રિયવાળો', ‘ક્રોધી' એમ ઉદયભાવરૂપે પોતાને માને છે. બહિરાત્મબુદ્ધિથી હું દેહ છું, રાગી છું' એમ માની દુઃખી થાય છે. દેહાદિને પોતારૂપ માની તે સંસારમાં ભમ્યા કરે છે. આત્માની ઓળખાણ ન હોવાથી તે શરીરાદિને નિજરૂપ માને છે, તેની પર તરફની બુદ્ધિ છૂટતી નથી. જે સિદ્ધ ભગવાનને યથાર્થપણે ઓળખે છે. તે જ પોતાના આત્માના સ્વરૂપને યથાર્થ ઓળખી શકે છે. તેમને જાણતાં પોતાનું યથાર્થ સ્વરૂપ જણાય છે અને શરીરાદિ પરરૂપે જણાય છે. જીવને સમજાય છે કે જે સિદ્ધ ભગવાનમાં હોય તે સ્વ અને જે તેમનામાં ન હોય તે પર. જે સિદ્ધ ભગવાનમાં નથી તે મારા સ્વરૂપમાં પણ નથી.” નર-નારકાદિ દેહ આત્માના સ્વરૂપથી ભિન્ન છે, કેમ કે તે સિદ્ધ ભગવંતોમાં નથી. રાગાદિ વિકાર તે જીવની જ પર્યાય હોવા છતાં, સિદ્ધ ભગવાનના આત્મામાં તે નથી હોતો, તેથી તે પણ પરભાવ છે. તે ભાવો જીવની પર્યાયમાં થતા હોવાથી તેને Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યવહારથી ‘સ્વતત્ત્વ' કહેવાય છે, પણ તે આત્માનો સ્વભાવ નથી. મન-વચન-કાયાની સર્વ ક્રિયાઓથી તથા કષાયાદિ ભાવોથી આત્મા તદ્દન ભિન્ન છે. આત્મા દેહરૂપ નથી, રાગાદિરૂપ પણ નથી. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. ચાર ગતિનાં શરીર કે તે સંબંધી ઉદયભાવો તે આત્માનું સ્વરૂપ નથી. શરીર તો તેનું નથી જ, તેમજ રાગભાવ પણ તેનો નથી અને અપૂર્ણ જ્ઞાન પણ તેનું સ્વરૂપ નથી. એકલો પૂર્ણ જ્ઞાનસ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે. આત્મા જાણવારૂપ સ્વભાવવાળો છે. સંપૂર્ણ જ્ઞાનનો ધણી છે. પૂર્ણ નિરાવરણ જ્ઞાનનો પિંડ છે. ભગવાન આત્મા ત્રિકાળ કેવળજ્ઞાનના સ્વભાવવાળો છે. વિચારથી પણ જેનો પાર ન પમાય એવો તે ગંભીર મહિમાવંત જ્ઞાનસ્વરૂપ છે. જે જ્ઞાન પરમાંથી આવતું નથી એવા સ્વતઃ જ્ઞાનનો પૂંજ છે. આત્મા જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. તેનામાં અંધકારનું નામોનિશાન નથી. આત્માનું તેજ અમાપ છે. તે નિર્મળ તેજથી પ્રકાશમાન છે. અનંત જ્ઞાનનો ધણી ભગવાન આત્મા સૂર્ય સમાન છે. આત્મા સૂર્ય સમાન પ્રકાશવાન અને પ્રતાપવાન છે. જેમ પ્રકાશ અને પ્રતાપ દ્વારા સૂર્યનું અસ્તિત્વ પ્રસિદ્ધ થાય છે, તેમ આત્મપ્રભુ જ્ઞાનપ્રકાશથી ઝળકી રહ્યો છે. ભગવાન આત્મા પરમ નિર્મળ ચૈતન્યપ્રકાશથી ચમકી રહ્યો છે. ચૈતન્યના નૂરથી આત્મા ચમકી રહ્યો છે. પોતાની પ્રભુતાથી ભરેલું, અનાદિ-અનંત આત્મતત્ત્વ સ્વતંત્રપણે પોતાના અખંડ પ્રતાપથી શોભે છે. વળી, તેના પ્રતાપથી જગત પણ શોભે છે. જો ચૈતન્યસૂર્યનું અસ્તિત્વ ન હોય તો તેની કોઈ શોભા છે જ નહીં. બહારના સૂર્ય કરતાં ચૈતન્યસૂર્યની વિશેષતા એ છે કે સૂર્ય તો ઘણા જ ઓછા, મર્યાદિત વિસ્તારને પ્રકાશે છે, તે કાંઈ સમસ્ત લોકાલોકને પ્રકાશી શકતો નથી; જ્યારે ચૈતન્યસૂર્ય તો અનંત ચૈતન્યકિરણો વડે સમસ્ત લોકાલોકને એકસાથે પ્રકાશવાની તાકાત ધરાવે છે. સૂર્ય તો આતાપવાળો છે, પણ ચૈતન્યસૂર્ય તો પરમ શાંત છે. સૂર્ય ઉકળાટ આપે છે, જ્યારે ચૈતન્યસૂર્ય પરમ આનંદ આપે છે. સૂર્યની સામે જોનારને સૂર્ય ક્લેશ આપે છે, જ્યારે ચૈતન્યસૂર્ય તેની સન્મુખ થનારને મહા આનંદ આપે છે. આત્મામાં અનંત આનંદ છે. આત્મા પૂર્ણ આનંદરૂપ છે, નિત્યાનંદસ્વરૂપ છે. આત્મા ત્રિકાળી શુદ્ધ આનંદનો દરિયો છે, સર્વ દુઃખથી રહિત છે. સ્વરૂપમાં દુઃખ નથી. ત્રિકાળી સ્વભાવે તો કદી પણ દુઃખને ગ્રહણ કર્યું નથી. આત્મસ્વભાવ પૂર્ણપણે નિર્મળાનંદથી ભરેલો છે. તે પરમાનંદથી ઠસોઠસ ભરેલો છે. આત્મામાં અતીન્દ્રિય આનંદ ઠાંસોઠાંસ ભરેલો છે. આત્મા આનંદના મીઠા રસથી ભરેલો છે. તે મહા આનંદના રસથી તરબોળ છે. આત્મામાં એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં અતીન્દ્રિય આનંદનો રસ ન હોય. આત્મા આનંદરસનો અખંડ પિંડ છે. તે આનંદામૃતથી ઘડાયેલી Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ મૂર્તિ છે. વસ્તુદૃષ્ટિથી જોતાં આત્મા પરમાનંદમય, પરમ વીર્યવાન, જ્ઞાતા-દ્રષ્ટા, વીતરાગ, શુદ્ધ, નિર્મળ, અતિપવિત્ર છે. જીવની દશામાં ભલે અલ્પ જ્ઞાન હોય, પણ તે સર્વજ્ઞસ્વભાવી છે; દશામાં ભલે અલ્પ દર્શન હોય, પણ સર્વદર્શિત્વસ્વભાવ અંતરમાં છે; પર્યાયમાં ભલે અલ્પ વીર્ય હોય, પણ આત્મા અનંત વીર્યનું ધામ છે; પર્યાયમાં રાગદ્વેષની વિપરીતતા હોવા છતાં આત્મા વીતરાગી આનંદનો કંદ છે. આત્મા ચૈતન્યાદિ અનંત ગુણોનો સમૂહ છે. આત્મા અનંત ગુણરત્નથી મંડિત છે. આત્મા અનંત ગુણોનું નિધાન છે. આત્મા ત્રિકાળી ધ્રુવ ગુણોની ખાણ છે. સ્વના અનંત ગુણોને અનંત કાળ સુધી ભોગવતો રહે તોપણ અનંત કાળ પર્યંત ખૂટે નહીં એવું તેનું સામર્થ્ય છે. જેટલા ગુણો સિદ્ધ ભગવાનમાં છે તે બધા જ ગુણો આત્મામાં છે. સિદ્ધ ભગવાનમાં તે પૂર્ણપણે વિકસિત થઈ ચૂક્યા છે, જ્યારે સંસારી જીવમાં તે અનંતા ગુણો સદા શક્તિરૂપે તો બિરાજમાન છે જ. ૧૮૫ ભગવાન આત્માના અસંખ્ય શુદ્ધ પ્રદેશોમાં આ અનંત ગુણ બિરાજે છે. આત્માનું અસંખ્યપ્રદેશી નિર્મળ અરૂપી દળ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોને ધારણ કરે છે. આત્માના જેટલા ધર્મો છે તે બધામાં લક્ષણભેદ હોવા છતાં પ્રદેશભેદ નથી. આત્માના દરેકે દરેક પ્રદેશે અનંત શક્તિઓ રહેલી છે. આત્માના અસંખ્યાત પ્રદેશો છે અને પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો રહ્યા છે, તેથી બધા ગુણોનું ક્ષેત્ર એક જ છે. જે એક ગુણનું ક્ષેત્ર છે તે જ અન્ય સઘળા ગુણોનું ક્ષેત્ર છે. જે જ્ઞાનનું ક્ષેત્ર છે તે દર્શનનું પણ ક્ષેત્ર છે, વીર્યનું પણ ક્ષેત્ર છે, આનંદનું પણ ક્ષેત્ર છે. જે પ્રદેશમાં જ્ઞાન છે તે પ્રદેશમાં દર્શન, વીર્ય, આનંદ, અસ્તિત્વ, વિભુત્વ વગેરે અનંત ગુણો પણ રહેલા છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી કોઈ એકાદ પ્રદેશ એકાદ ગુણથી પણ શૂન્ય હોય એવું કદી બનતું નથી. આ આત્મપ્રદેશો અખંડ છે. આત્મામાં કોઈ ખંડ કે ભેદ પાડી શકાતા નથી. આત્માનું છેદન થઈ શકતું નથી. તેના કોઈ પ્રદેશ કે ગુણ છૂટા પડતા નથી. આત્મા પાષાણ સમાન મજબૂત છે. એક કણી પણ ન ખરે એવા ચીકણા પાષાણ જેવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી અનંત ગુણનો પિંડ છે. તેમાંથી એક પણ પ્રદેશ કે એક પણ ગુણ ખરતા નથી. જ્ઞાનાદિ અનંત શક્તિમાંથી એક પણ શક્તિ કદી ઓછી થતી નથી. જેમ પથ્થર બીજી વસ્તુને રહેવા માટે સ્થાન ન આપે, તેમ આત્મા શરીરાદિને પોતામાં સ્થાન આપતો નથી. અનંત ગુણોથી યુક્ત એવો આત્મા રાગ-કર્મશરીરાદિને સ્થાન આપતો નથી. મગસેલિયા પથ્થરને પાણી અડતું નથી, તેમ ભગવાન આત્માને રાગ અડતો નથી. રાગરૂપ પાણી આત્મામાં પ્રવેશી શકતું નથી. કષાય આદિ ભાવો શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી બહાર છે. પરભાવો જ્ઞાનાનંદી ત્રિકાળી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશી શકતા નથી. જ્ઞાનમૂર્તિ પ્રભુથી ભિન્ન જે પણ પદાર્થ છે તે સર્વ આત્માથી બહાર રહે છે. જીવના ચૈતન્યસ્વભાવમાં જો રાગનો પણ પ્રવેશ ન હોય તો જડ શરીરાદિનો પ્રવેશ તો ક્યાંથી થઈ શકે? કોઈ પરદ્રવ્ય જીવના સ્વરૂપમાં પ્રવેશી શકતું નથી અને જીવ તેનામાં પ્રવેશી શકતો નથી. આત્મામાં પરનો અભાવ છે અને પરમાં આત્માનો અભાવ છે. આત્મા તે પદાર્થોરૂપે થઈ શકતો નથી અને પરપદાર્થો આત્મારૂપે થઈ શકતા નથી. પરદ્રવ્યનો સંયોગ થવાથી આત્મા તે રૂપે થતો નથી અને આત્મામાં જે પદાર્થો આવી શકતા નથી તે પદાર્થો આત્મારૂપે થઈ શકતા નથી. અનેક પ્રકારનાં શરીરના સંયોગો મળવા છતાં પણ આત્મા તે રૂપે થઈ જતો નથી અને દેહાદિ - જે બાહ્ય છે, તે આત્મારૂપ થઈ શકતા નથી. જીવ જો દેહાદિને આત્મા માને તોપણ કાંઈ તે પદાર્થો આત્મા થઈ જતા નથી. પરને નિજરૂપ માનવા છતાં અનંત કાળમાં ક્યારે પણ કોઈ પરદ્રવ્ય પોતારૂપ થયું નથી, થઈ શકે એમ પણ નથી. જે જુદું છે, તે જુદું જ રહે છે. જેમ આકાશ બીજા પદાર્થથી શૂન્ય છે, તેમ આત્મા પણ પરપદાર્થથી શૂન્ય છે. પોતે પોતામાં એકલો રહેલો છે. તેના સ્વભાવમાં કોઈ પરપદાર્થનો પ્રવેશ નથી. દેહ પણ તેનાથી ભિન્ન છે અને કર્મ પણ તેનાથી ભિન્ન છે. જેમ આકાશનો કોઈ પણ પદાર્થ સાથે સંબંધ દેખાય છતાં તેને કોઈ સાથે સંબંધ નથી, તેમ ભગવાને આત્માને પરપદાર્થ સાથે સંબંધ દેખાતો હોવા છતાં તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. દેહ, વાણી, મન, માતા, પિતા, કુટુંબ, ઘર આદિના સંયોગો સાથે તે દેખાય છતાં તે એ બધા સંયોગોથી તદ્દન નિરાળો છે. જેમ આકાશને પરદ્રવ્યો અડતાં નથી, તેમ ચૈતન્યપરમાત્મા જ્યાં હોય ત્યાં, નરકનાં દુઃખમાં હોય કે સ્વર્ગનાં સુખમાં, શરીરના તીવ્ર રોગમાં હોય કે તંદુરસ્ત નીરોગી શરીરમાં કોઈ સંયોગ તેને અડતા નથી. જેમ આકાશની સત્તા અલગ છે અને આકાશમાં રહેલા પદાર્થોની સત્તા અલગ છે, તેમ આત્માની સત્તા અલગ છે અને ધન, કુટુંબ આદિ પરપદાર્થોની સત્તા અલગ છે. તૈજસ અને કાર્મણ શરીરની સત્તા પણ આત્માની સત્તાથી જુદી છે. અનંત સિદ્ધો અને અનંત સંસારી જીવો સત્તાએ સમાન છે તેની પોતાની સત્તા અને બાકીના સર્વે જીવોની સત્તા નિરાળી નિરાળી છે. તેના પોતાના ગુણ સર્વના ગુણથી નિરાળા છે. તેનું પોતાનું પરિણમન તેમનાથી નિરાળું છે. આત્મા સંયોગો સાથે કદી એકમેક થતો નથી. તે અનાદિ કાળથી એકાકી રહ્યો છે અને અનંત કાળ એકાકી જ રહેવાનો છે. જેમ આકાશ સદા નિર્લેપ છે, તેમ આત્મા ત્રણે કાળ અસંગ છે, નિર્લેપ છે. ગમે તે દ્રવ્ય આકાશમાં હોય, પણ તેના રંગે આકાશ રંગાતું નથી, તેમ આત્મા પરદ્રવ્યથી રંગાતો નથી. આકાશમાં અનંત પદાર્થો અવકાશ પામીને રહેલા છે છતાં Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૮૭ આકાશ તે બધાથી અલિપ્ત, પોતે પોતામાં જ સ્થિત છે; તેમ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં શેયપણે અનંત પદાર્થો પ્રતિભાસે છે, છતાં આત્મા તે બધાથી અલિપ્ત, પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ રહેલો છે. આકાશ સદા આકાશપણે જ રહે છે, તેમ જ્ઞાયક સદા જ્ઞાયકપણે જ રહે છે, કેવળ જાણનાર જ રહે છે. આકાશ શુદ્ધ છે, તેમ આત્મા પણ પોતાના સ્વરૂપથી શુદ્ધ છે. તે શુદ્ધ, અરૂપી, જ્ઞાનરૂપ છે. આનંદઘન એવું આત્મપદ નિર્દોષ છે. તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય છે. જેને કોઈ ઉપમા નથી એવું અનુપમ છે. પોતાના આત્મા સિવાય બીજું કાંઈ ઉત્તમ નથી, મહાન નથી, પૂજ્ય નથી, પરમ ધામ નથી, અભિરામ નથી. જગતમાં સારરૂપ એક આત્મા જ છે. પૈસા, કીર્તિ વગેરે અસાર છે, માત્ર આત્મા જ સારરૂપ છે. રમવા માટે લાયક એવું એકમાત્ર પોતાનું પદ છે. પોતાનું પદ જ ઉપાદેય છે. દેવાધિદેવપણું ચૈતન્યપદમાં છે. તે પોતે પરમેશ્વરરૂપ છે. આત્મા અતીન્દ્રિય પ્રભુ છે. જેવી તાકાત સિદ્ધ ભગવાનમાં છે, તેવી જ તાકાત દરેક આત્મામાં છે. શક્તિની અપેક્ષાએ જિનપદ તથા નિજપદમાં એકતા છે, પરંતુ તે બન્નેમાં ફરક પણ છે. તલમાં રહેલું તેલ અને બાટલીમાં રહેલું તેલ, એ બન્નેમાં ફરક છે. તલમાં તેલ શક્તિરૂપે છે અને પ્રયોગ વડે તેને પ્રગટ કરી શકાય છે, જ્યારે બાટલીમાં રહેલું તેલ પ્રગટ છે. સિદ્ધ પરમાત્મા બાટલીમાં રહેલા તેલની જેમ પ્રગટ છે, અર્થાત્ તેમની સત્તાગત શુદ્ધતા પ્રગટ થઈ ચૂકી છે; પરંતુ સંસારી જીવ સ્વભાવે - શક્તિએ શુદ્ધ, જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદમય, અમૂર્તિક, સ્વતંત્ર હોવા છતાં વર્તમાન અવસ્થાએ ક્રોધાદિ ભાવરૂપે પરિણમતો હોવાથી અશુદ્ધ છે. શુભાશુભ કર્મના ઉદય આદિ વિકારના નિમિત્તો મળવાથી અને સ્વરૂપજાગૃતિના અભાવે કર્મના ઉદયમાં ઉપયોગની સંધિ થઈ જવાથી જીવ રાગાદિરૂપે પરિણમે છે. ચેતના પોતાની આદિમ શુદ્ધતામાં - પોતાના અનાદિ શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિત ના હોવાથી તે શાંત રહેવાને બદલે ઉત્તેજિત થઈ જાય છે, રાગાદિ ભાવોમાં સરી પડે છે અને તેથી જીવને કર્મબંધન થાય છે. શુદ્ધ સ્વરૂપના વિસ્મરણના કારણે જીવને કર્મકૃત વ્યક્તિત્વની જ મુખ્યતા ભાસે છે. તેનો ચિત્તવૃત્તિપ્રવાહ કર્મકૃત વ્યક્તિત્વમાં જ અટકેલો રહે છે અને પરિણામે તે રાગાદિ અશુદ્ધતાથી ગ્રસ્ત રહે છે. આત્માની આ અશુદ્ધ અવસ્થા જે રીતે દૂર થાય અને તેનું સ્વભાવથી જે શુદ્ધપણું છે તે જે રીતે પ્રગટ થાય તે મોક્ષમાર્ગ છે. શુદ્ધતા પ્રગટ કરવાનો માર્ગ શ્રીમદે પ્રસ્તુત ગાથાની પહેલી પંક્તિના બીજા ચરણમાં જણાવ્યો છે. ગાથાની પહેલી પંક્તિના પ્રથમ ચરણમાં જીવનું સિદ્ધ સમાન સ્વરૂપ બતાવ્યા પછી તેની ગર્ભિત અનંત શક્તિ કઈ રીતે પ્રગટ થઈ શકે તે બીજા ચરણમાં બતાવે છે – Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - “જે સમજે તે થાય.” શ્રીમદે પ્રથમ ચરણમાં કહ્યું કે સર્વ જીવ સિદ્ધસમ “છે' અને બીજા ચરણમાં કહ્યું કે જે સમજે તે “થાય'. અહીં નિશ્ચય અને વ્યવહાર અને નયને ગ્રહણ કરી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તેને દર્શાવી નિરૂપણ કર્યું છે; તેથી એક પણ નય દુભાતો નથી. જ્ઞાની પુરુષોની સનાતન શૈલીને અનુસરતી શ્રીમની કથનશૈલી કેટલી અદ્ભુત છે તે અહીં સ્પષ્ટપણે જણાઈ આવે છે. સર્વ જીવો સિદ્ધ સમાન છે' એમ કહ્યું એટલે સિદ્ધ થશે ત્યારે સિદ્ધ સમાન થશે એમ નહીં, પરંતુ સર્વ જીવો વર્તમાનમાં પણ સિદ્ધ સમાન પૂર્ણ, શુદ્ધ, નિત્ય, ધૃવસ્વભાવી છે એમ કહ્યું છે. વસ્તુની અવસ્થા બદલાવા છતાં જે કદી ન બદલાય અને કાયમ રહે તેને સ્વભાવ કહે છે, અર્થાત્ ત્રણે કાળે જે સદા વિદ્યમાન હોય તેને સ્વભાવ કહે છે. જીવ સ્વભાવે સિદ્ધ સમાન શુદ્ધ છે, તેથી વર્તમાનમાં પણ તેનો સ્વભાવ શુદ્ધ જ છે. જે આ તથ્ય સમજે છે, જે પોતાના સ્વરૂપ પ્રત્યે દષ્ટિ કરે છે, તેની અવસ્થા પણ શુદ્ધ થાય છે. આત્મદ્રવ્ય તો સિદ્ધ સમાન છે, પણ પર્યાયથી તે ત્યારે જ સિદ્ધ થાય છે, જ્યારે સિદ્ધ સમાન પોતાના સ્વરૂપનો સ્વીકાર થાય છે. હું સિદ્ધ સમાન શુદ્ધ આત્મા છું' એવી યથાર્થ સમજણ જેને પ્રાપ્ત થાય છે તે જીવ કર્મોનો ક્ષય કરતાં કરતાં ક્રમે કરીને દશામાં પણ સિદ્ધ થાય છે. અહીં શ્રીમદે સરળ ભાષામાં સત્ય પુરુષાર્થની ચાવી બતાવી છે. શ્રીમદે સૂત્રાત્મક શૈલીથી ટૂંકા વચનમાં સિદ્ધ થવાની પ્રક્રિયા બતાવી છે. આઠ કર્મોનો અભાવ કરીને સિદ્ધદશા કઈ રીતે પ્રગટ કરી શકાય તેની વાત કરી છે. તેમણે દર્શાવ્યું છે કે સિદ્ધદશાની પ્રાપ્તિનો ઉપાય સિદ્ધ જેવા આત્માની સમજણ કરવી એ છે. સિદ્ધ ભગવાન જેવા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ મારા આત્મામાં ભરેલાં છે' એમ પોતાના સિદ્ધ સમાન આત્માની સમજણ કરવી તે સિદ્ધ થવાનો માર્ગ છે. જે પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને સમજે છે તે સિદ્ધ થાય છે. સમજણ થાય તો સિદ્ધપણું પ્રગટ એમ પ્રસ્તુત ગાથામાં શ્રીમદે બતાવ્યું છે. શક્તિરૂપે તો સર્વ આત્મામાં પ્રભુતા છે, પણ તેની સમજણ કરી પર્યાયમાં તે પ્રભુતાને વ્યક્ત કરવાની છે. પર્યાયમાં જે કચાશ છે તે ટાળીને સિદ્ધ ભગવાન જેવી પ્રભુતા પ્રાપ્ત કરવા માટે આત્મસ્વભાવનો નિર્ણય કરવાનો છે. આત્માની ઓળખાણ કરી, તેમાં એકાગ્ર થતાં આત્મા પ્રભુરૂપે પરિણમે છે. ‘મારું આત્મપદ સિદ્ધ સમાન છે. સ્વભાવ અપેક્ષાએ મારામાં અને સિદ્ધ પરમાત્મામાં કાંઈ તફાવત નથી. તેમણે આત્માની સમજણ વડે સિદ્ધદશા પ્રગટ કરી છે. મારે તે પ્રગટ કરવાની બાકી છે' એમ પોતાના સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને સિદ્ધસ્વરૂપે ચિંતવતાં, અંતરના શક્તિરૂપ પરમાત્મ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૮૯ સ્વરૂપને ધ્યેય બનાવી તેમાં ઉપયોગ એકાકાર કરતાં જીવ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. સ્વરૂપની લગની લાગે, તેમાં ઉપયોગ જામે, એકાગ્ર થાય તો રાગાદિ અટકી જાય છે અને જડ કર્મ પણ ટળી જાય છે. આત્મા રાગ વગરનો થઈ જાય છે, કર્મ ક્ષય થઈ જાય છે અને આત્મા પરમાત્મા થાય છે. સ્વભાવમાં શક્તિરૂપે રહેલું પરમાત્મપણું પર્યાયમાં પ્રગટે છે. આત્મામાં શક્તિરૂપે રહેલા ગુણોનું ભાન કરીને, પોતાના ત્રિકાળી આત્માની સન્મુખ થઈને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. શક્તિ અપેક્ષાએ જીવ પરમાત્મા સમાન પૂર્ણ છે, એમ પોતાની શક્તિનો જ્યાં સુધી જીવ વિશ્વાસ ન કરે ત્યાં સુધી પરમાત્મપણું પર્યાયમાં પ્રગટ થતું નથી. બહિર્મુખ જીવને વિશ્વાસ બેસતો નથી કે પોતે પરમાત્મસ્વરૂપ છે. કર્મકૃત વ્યક્તિત્વની જાળ એટલા લાંબા સમયથી પાથરેલી છે કે તેનાથી મનાતું નથી કે પોતે સિદ્ધ સમાન છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, પરંતુ જ્યારે તે એને ભૂલી ગયો હોય છે ત્યારે પણ સ્વરૂપ તો અહર્નિશ પોતાની પરમ સંપૂર્ણતામાં મોજૂદ જ રહે છે. તેથી માત્ર પોતે પરમાત્મા છે એ તથ્યનું ભાન કરવાનું છે. આવશ્યકતા છે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાની. જ્ઞાનાનંદસ્વરૂપની સ્મૃતિનો અભ્યાસ પાડવાનો છે. પોતાના સનાતન, શાશ્વત, ત્રિકાળી, ધ્રુવ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાની છે. અનાદિનો અવળો અભ્યાસ તોડવાનો છે. તે માટે અંતર્મુખદશાનો અપૂર્વ પુરુષાર્થ જોઈશે. દેહમાં રહેલી આત્મબુદ્ધિ છોડી દઈ, જ્ઞાનપૂર્વક અંતર્મુખ થવું એ જ મુક્તિનો ઉપાય છે. ૧ ‘શરીરાદિ મારાં છે' એ આત્મભ્રાંતિ છે. તે આત્માના ભાન દ્વારા ટળી શકે છે. તે અર્થે જીવે હું ગોરો છું, સ્થૂળ છું, કૃશ છું' એ રીતે કાયા સાથે તાદાભ્ય તોડીને ‘એકમાત્ર જ્ઞાન જ મારી કાયા છે' એ તથ્યથી ભાવિત થવું જોઈએ. કર્મકૃત અવસ્થાઓ સાથેનું તાદાભ્ય તોડીને એ સઘળાં પરિવર્તનોને જોનાર ઉપર લક્ષને કેન્દ્રિત કરવું જોઈએ. માત્ર શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં જ પોતાનું તાદાત્મ સ્થાપવું જોઈએ. દેહ અને મનથી, એટલે કે દેહની પર્યાયો અને મનની પર્યાયોથી જે પોતાને ભિન્ન જોઈ શકે છે, તે પોતાના કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. તે જોઈ શકે છે કે દેહ અને મનનાં બધાં પરિવર્તનો વચ્ચે પણ પોતે એક અખંડ સત્તારૂપ અચળ જ રહે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મોપનિષદ્', જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૫ 'तेनाऽऽत्मदर्शनाऽऽकाङ्क्षी, ज्ञानेनाऽन्तर्मुखो भवेत् । द्रष्टु दृगाऽऽत्मता मुक्ति-दृश्यैकात्म्यं भवभ्रमः ।।' ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૭૦ 'गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम ।।' Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે અને બાહ્ય સર્વ પરિવર્તનોથી પોતાને કશી જ અસર થતી નથી. આ દષ્ટિ ખૂલવાથી રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના, સમભાવમાં રહી, સંકલ્પ-વિકલ્પની પકડમાંથી તે મુક્ત બની જાય છે. પોતાની તાત્ત્વિક સત્તા દેહાદિથી પર છે એમ સમજાતાં, શરીર, વિષયો વગેરેમાંથી રાગ-દ્વેષ છૂટતા જાય છે. જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે, તેટલા અંશે આત્મા સ્થિરતા અને શાંતિનો અનુભવ કરે છે.* જેમ સિદ્ધ ભગવાનને મન-વચન-કાયા છૂટી ગયાં છે અને જ્ઞાન તેમજ આનંદ રહ્યાં છે, તેમ મારાં મન-વચન-કાયા છૂટી શકે છે. મારામાં જ્ઞાન અને આનંદ ભરેલાં છે. હું પરનો જાણનાર-જોનાર છું. હું કોઈનો કરનાર-હરનાર નથી. દરેક પદાર્થનું રૂપાંતરણ પોતપોતાના કારણે થઈ રહ્યું છે, તેનો હું માત્ર જાણનાર છું' એમ અંતરની રુચિપૂર્વક પોતાના જ્ઞાયકસ્વરૂપનું ઘોલન ચાલુ રાખવામાં આવે તો પરમાં જામેલાં એકત્વ-મમત્વનાં વાદળ અવશ્ય વિઘટિત થાય છે, રાગનો તંતુ જરૂર તૂટે છે. સમ્યક દિશામાં કરવામાં આવેલો સમ્યક્ પુરુષાર્થ નિષ્ફળ નથી જતો. હું અખંડ, જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છું; મન-વાણી-કાયા હું નથી; મન-વાણી-કાયાથી થતાં કાર્યો મારાં નથી' એવા નિર્ણયપૂર્વક મન-વાણી-કાયાની ક્રિયાને શાંત ભાવે માત્ર જોયા કરવાથી સિદ્ધપણું પ્રગટે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરૂપ રે. કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ-વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે.” મોક્ષાર્થી જીવ નક્કી કરે છે કે હું પણ સિદ્ધની જાતનો છું, સિદ્ધોની પંક્તિમાં બેસું તેવો મારો સ્વભાવ છે.' તે પોતાના સિદ્ધ સમાન સ્વભાવને પોતાના ધ્યેયરૂપ રાખીને સ્વ-પરનું ભેદજ્ઞાન કરે છે. ‘ઇન્દ્રિયો કે શરીરાદિ મારાથી પર છે, વિકાર પણ મારા સ્વરૂપથી પર છે, જડથી ભિન્ન અને વિકારથી ભિન્ન મારું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ સ્વ છે' એમ તે સ્વ-પરનું ભેદજ્ઞાન કરે છે. એક અખંડ શુદ્ધ જ્ઞાયક આત્મવસ્તુ હું છું, તે જ મારું સર્વસ્વ છે, બીજું બધું જ મારાથી બહાર છે' એમ પરથી પોતાની ભિન્નતાનું તે ચિંતન કરે છે. ‘શરીર, કર્મ કે કર્મની ઉપાધિથી થયેલા વિભાવભાવો - બધાથી રહિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તે જ હું છું' એમ તે પોતાના શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરે ૧- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિજીકૃત, ‘ઉપમિતિ ભવપ્રપંચા કથા', પ્રસ્તાવ ૭, શ્લોક ૨૦૩ 'ततो विविक्तमात्मानं, सदानन्दं प्रपश्यतः । नास्य संजायते द्वेषो, दुःखे नापि सुखे स्पृहा ।।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘અમૃતવેલની સઝાય', કડી ૨૪, ૨૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૯૧ છે. બહારના સંયોગોમાં તો કશે પણ આત્માને ઠરવાનું સ્થાન નથી, પરંતુ પોતાના રાગ-દ્વેષ-મોહભાવમાં પણ કશે ઠરવાનું સ્થાન નથી; માત્ર જ્ઞાનસ્વરૂપી આત્મામાં જ પોતાને ઠરવાનું સ્થાન છે' એમ જાણી તે સ્વભાવમાં જ મગ્ન થવાનો, આત્મિક આનંદ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરે છે. જેમ જેમ તે સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધારતો જાય છે, તેમ તેમ દરેક નાની-મોટી ક્રિયામાં સ્વરૂપજાગૃતિ રહેવા લાગે છે. પહેલાં પ્રસંગે પ્રસંગે રહે છે, પછી કાર્યું કાર્ય ટકે છે અને અંતે ક્ષણે ક્ષણે! ધીમે ધીમે જાગૃતિ સ્વાભાવિક રહેવા લાગે છે. જીવ કંઈ પણ કરતો હોય, અંતરમાં અહોરાત્રિ એક જ નાદ વાગતો રહે છે કે હું સિદ્ધસ્વરૂપી આત્મા છું', તે સ્વરૂપખુમારીમાં રહેતો હોવાથી ભોજન વગેરે ક્રિયાઓ એક જુદા જ વલણપૂર્વક થાય છે. ભોજન વગેરે ક્રિયા કરતી વખતે સ્વરૂપની સ્મૃતિ રહેતી હોવાથી તે ક્રિયાની ગુણવત્તા જ બદલાઈ જાય છે. સ્વરૂપની સ્મૃતિના કારણે મનોવલણ બદલાઈ જાય છે અને મનોવલણ પલટાતાં પુદ્ગલ પ્રત્યેના ભાવમાં જબરદસ્ત ઓટ આવે છે. જેમ ભાવતું ભોજન કરેલા કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમે જે ભોજન કર્યું હતું તેમાં તો માખી પડી હતી.' આ સાંભળતાં જ તેની મનોવૃત્તિ બદલાઈ જાય છે અને ભાવમાં જબરદસ્ત પલટો આવે છે. માખી પડી હોય કે ન પણ પડી હોય, પણ એ સાંભળતાં મનોદશા તો બદલાઈ જ જાય છે અને જે ભોજન રસપૂર્વક કર્યું હતું, તે ભોજનને જ શરીરની બહાર ફેંકી દેવાની ઇચ્છા થાય છે, વમન કરવાની ઇચ્છા થાય છે. ભોજન તેનું તે જ, પણ મનોવૃત્તિ બદલાઈ જાય છે, તેથી ભાવ પણ બદલાઈ જાય છે. એ જ રીતે સાંસારિક ક્રિયા એની એ જ રહેતી હોવા છતાં અભિગમ બદલાતાં જીવની ભાવદશા બદલાઈ જાય છે. હું ત્રિકાળી શુદ્ધસ્વરૂપી ચિદાનંદપરમાત્મા છું' એવી યથાર્થ માન્યતા થતાં જીવનું સમગ્ર પરિણમન બદલાઈ જાય છે. આત્માની અનંત શક્તિઓની ઓળખાણ થતાં, અંતરમાં સચ્ચિદાનંદ ભગવાન આત્મા પ્રકાશમાન છે તેવી સમજણ થતાં, તેનો મહિમા આવતાં પરનો મહિમા છૂટી જાય છે. જીવ પરથી ઉદાસીન થાય છે. આત્માના ગુણોના ચિંતનમાં ઉપયોગ તલ્લીન થતાં બાહ્ય વસ્તુને ગ્રહણ કરવાની, તેની રક્ષા કરવાની, ‘તેનાથી મને સુખ મળશે’ એવી ભાવનાની નિવૃત્તિ થાય છે. નિજજ્ઞાયકની બોધપૂર્ણતા વધારતાં જતાં તેના પ્રત્યેનો રસ ક્રમશ: વધતો જાય છે અને ત્યારે પરયમાંથી રસ ખેંચવાની જરૂર નથી પડતી, પણ રસ ત્યાંથી આપોઆપ છૂટી જઈ નિજજ્ઞાયકમાં જોડાઈ જાય છે. કોઈ ધન્ય પળે જ્ઞાયક, જ્ઞાન અને શેય એક થઈ જાય છે. જીવ પરવસ્તુની મમતાથી ખસે છે અને સ્વરૂપમાં વસે છે, અંતરમાં ઠરે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસ્વભાવની વાત લક્ષમાં લઈ, તેનો પક્ષ કરીને, વારંવાર અભ્યાસ વડે તેમાં દક્ષ થવાથી, સિદ્ધસ્વરૂપી આત્મા અનુભવ વડે પ્રત્યક્ષ થાય છે. અભેદ આત્મા તરફ વળતાં સ્વભાવનો અનુભવ થાય છે. બાહ્ય સમસ્ત દુષ્ટ જગતથી પોતાની સર્વથા પ્રકારે ભિન્નતાનો જીવને અનુભવ થાય છે. અનંત ગુણના પિંડ એવા અભેદ આત્મા ઉપર દૃષ્ટિ પડતાં પરિણતિ સ્વરૂપમાં ઢળી જાય છે અને નિર્વિકલ્પદશા સંપ્રાપ્ત થાય છે. શુદ્ધ એકાકાર ચૈતન્યસ્વભાવી વસ્તુમાં વર્તમાન પર્યાય એકાગ્ર થતાં, તેનું ઉગ અવલંબન લેતાં નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય છે અને અનંત ગુણની નિર્મળતા ઉલ્લસે છે, મુક્તિની લહેરનો સ્પર્શ અનુભવાય છે. જીવ મિથ્યાત્વને છોડે છે અને સમકિતને ગ્રહણ કરે છે. પહેલાં પર અને પર્યાયમાં એકતા કરી હતી, પરંતુ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું ભાન થતાં દ્રવ્યદળ સાથે એકતા થાય છે અને પર્યાયમાં વિશુદ્ધતા પ્રગટવાનું કાર્ય પ્રારંભ થઈ જાય છે. જીવ આગળ વધીને વિરતિ ગ્રહણ કરે છે, મુનિદશા પ્રાપ્ત કરે છે. સ્વરૂપમાં લીનતા વધતાં, કષાયનો જય કરી વીતરાગ બને છે અને અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞ બની ભવના અંતે સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. આ રીતે જ કાર્યની સિદ્ધિ થાય છે, અન્યથા નહીં. આજ પર્યત જેઓ સિદ્ધ થયા છે તેઓ સર્વ પોતાના આત્માના સામર્થ્યથી થયા છે. સર્વ આત્મામાં આ સામર્થ્ય છે અને જે જીવ અંતરદષ્ટિના બળ વડે તે સામર્થ્યનો ઉઘાડ કરે છે, તે સિદ્ધ થાય છે. જે જીવ આત્મસ્વરૂપને જાણે છે, તે તરફ લક્ષ કરે છે, તેને શુદ્ધ આત્મા અવશ્ય પ્રાપ્ત થાય છે એમ જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે. જ્યાં સુધી જીવ આત્માની સમજણ કરતો નથી ત્યાં સુધી તે અનંત દુઃખ ભોગવે છે. તે આત્માની સમજણ ન કરે ત્યાં સુધી ચતુર્ગતિનાં દુઃખો ભોગવે છે. તે દુઃખોથી તેનો છૂટકારો થતો નથી. નિજસ્વરૂપ સમજ્યા વિના જીવ વિભાવપણે પરિણમે છે અને અનંત દુઃખ પામે છે. ‘સિદ્ધ ભગવાન જેવો મારો આત્મા છે' એમ જાણીને સુખસ્વરૂપી આત્માની સન્મુખ થવું તે જ દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે. પરંતુ અજ્ઞાની જીવને પોતાના આનંદકંદ આત્માની કિંમત નથી. જેમ ભરવાડને ચિંતામણિ રત્નની કિંમત ન હોવાથી તે ગાયના ગળે બાંધે, તેમ અજ્ઞાની જીવને પોતાના આનંદકંદ આત્માની કિંમત નથી હોતી, રુચિ નથી હોતી; તેથી તે વિષયસુખ ભોગવવામાં અમૂલ્ય અવસર વેડફી નાખે છે. અંતરના સ્વભાવની કિંમત - રુચિ આવ્યા વગર જીવ તેની પ્રાપ્તિનો પ્રયત્ન કરતો નથી. અજ્ઞાનીને સ્વરૂપની રુચિ ન હોવાથી તેને સ્વરૂપની સમજણ કઠિન અને દુઃખરૂપ લાગે છે, તેને તેનો કંટાળો વર્તે છે. પરંતુ સ્વરૂપની સમજણ કઠિન નથી. સિદ્ધ જેવું પોતાનું સ્વરૂપ જે જીવ સમજવા માંગે તે અવશ્ય તે સ્વરૂપ સમજી શકે છે. પોતાનું સ્વરૂપ જે પ્રાપ્ત કરવા માંગે તે અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. માટે ભવ્ય જીવોએ Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૯૩ તે અર્થે રુચિવાન થવું જોઈએ. જેવું સિદ્ધ ભગવંતનું આત્મસ્વરૂપ છે, તેવું જ પોતાનું આત્મસ્વરૂપ છે એમ જો જીવ સમજે તો સહજમાં મોક્ષ થાય છે. શ્રીમદ્ લખે છે કે – એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ચોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શબુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.’ શ્રીમદ્ સ્પષ્ટપણે જણાવે છે કે માત્ર નિજસ્વરૂપને સમજવાનું કાર્ય જ કરવાનું છે, સર્વ જપ, તપાદિ સાધન માત્ર નિજસ્વરૂપની સમજણ થાય તે અર્થે જ કરવાનાં છે. ગમે તે ક્રિયા, જપ, તપ, શાસ્ત્રવાંચન, ધ્યાનાદિ દ્વારા આ એક જ કાર્ય કરવાનું છે. જીવે અનેક વાર અનેક ક્રિયાઓ કરી છે, પણ આત્માની સમજણ કરી નથી; પોતાના શુદ્ધ, પૂર્ણ, સિદ્ધ સમાન સ્વરૂપને સ્વીકાર્યું નથી અને તેથી જ તેનું કલ્યાણ થયું નથી. ધર્મનું સ્વરૂપ યથાર્થપણે સમજાયું ન હોવાના કારણે જીવ સત્સાધનો કરવા છતાં આત્મહિત સાધી શક્યો નથી. મુખ્ય સાધના છે સ્વરૂપજાગૃતિની, જે અંતરમાં કરવાની છે. બાહ્ય સાધના કરવાની જરૂર છે, પણ સાધનામાં તેનું સ્થાન ગૌણ છે. ધર્મના બહિરંગ સ્વરૂપનો કે વિધિ-નિષેધના નિયમોનો અત્રે વિરોધ નથી. વિધિ-નિષેધો સારાં છે, લાભકારી પણ છે, તેથી પાલન કરવા યોગ્ય છે; પરંતુ તે યથાર્થ લક્ષ સહિત કરવાનાં છે. સાધનોમાં અટકી ન રહેતાં, તેમાંથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા ગ્રહણ કરવાની છે. મુખ્યતા તો સ્વરૂપજાગૃતિની જ છે. સર્વ ધર્મના, સર્વ દેશ-કાળના જ્ઞાનીઓ એ વાતમાં સહમત છે કે સાધનાનું અંતિમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૬ (પત્રાંક-પ૩૭) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લક્ષ્ય કર્મકૃત વ્યક્તિત્વનું વિલોપન છે. જ્યાં સુધી કર્મકૃત વ્યક્તિત્વમાં હુંપણું રહે છે ત્યાં સુધી ભક્તિ, સ્વાધ્યાય, તપ, ધ્યાનાદિ ગમે તે કરવા છતાં પણ તેની સાધના સફળતાને વરી શકતી નથી. જ્યાં સુધી પોતાની ત્રિકાળી સત્તાનું ભાન ન થાય, તેમાં હુંપણું ન સ્થપાય ત્યાં સુધી તેની સાધના નિષ્ફળ રહે છે. કર્મકૃત વ્યક્તિત્વમાં રહેલું હુંપણું મટી જતાં, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં હુંપણું થતાં મુક્તિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. ‘સિદ્ધ ભગવાન જેવું મારું સ્વરૂપ છે એમ જાણતાં-માનતાં સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન થાય છે અને સ્વરૂપમાં રમણતા થતાં સમ્યકુચારિત્ર પ્રગટ થાય છે. વિભમાદિથી રહિત સ્વરૂપની ઓળખાણ એટલે સમ્યજ્ઞાન, સ્વરૂપની યથાર્થ નિઃશંક પ્રતીતિ એટલે સમ્યગ્દર્શન અને સ્વરૂપમાં લીનતા એટલે સમ્મચારિત્ર. આ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર તે જ મોક્ષનો ઉપાય છે. દેહાદિથી ભિન્ન, ઉપયોગી, અવિનાશી એવા આત્માનું ભાન થવું, તેની શુદ્ધ પ્રતીતિ થવી અને સમસ્ત પરદ્રવ્યોથી અને પરભાવોથી ભિન્ન અરૂપી, સ્વાધીન એવા નિજાત્માના ભાનમાં રહેવું, ટકવું, સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે; એ જ આત્માનું સિદ્ધપણું પ્રગટ કરવાનો ઉપાય છે. જીવ જ્યારે નિજસ્વરૂપને ઓળખે છે, શ્રદ્ધે છે, તેમાં સ્થિર થાય છે ત્યારે જીવ પોતાની સિદ્ધપર્યાય પ્રગટાવે છે, મુક્ત થાય છે. આત્માનાં જ્ઞાન, શ્રદ્ધા અને લીનતારૂપ રત્નત્રય વડે આત્મા બંધનથી છૂટીને મોક્ષપદ પ્રાપ્ત કરે છે. આમ, સ્વરૂપની સમજણ એ મૂળ કાર્ય છે. આત્મા પોતે, પોતાથી, પોતાને જાણે તો તે સિદ્ધ થાય. આ કાર્યમાં નિમિત્તકારણરૂપે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા છે. આ બે કારણોનો નિર્દેશ શ્રીમદે આ ગાથાની બીજી પંક્તિમાં કર્યો છે. શ્રીમદે ગાથાની બીજી પંક્તિમાં ધર્મ સાધવામાં ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાના આરાધન ઉપર તથા જિનદશાનો લક્ષ કરવા ઉપર ભાર મૂક્યો છે. ગાથાની પ્રથમ પંક્તિ અને બીજી પંક્તિનું અનુસંધાન બતાવતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે કે – “શ્રીમજી, જીવોમાં સિદ્ધત્વ છે તેમ નિર્દેશ કરીને, ભવ્ય જીવોને સંબોધીને કહે છે કે સમજે, શ્રદ્ધા આણો અને પછી આચરો. અર્થાત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રની આરાધના કરો તો જરૂર સિદ્ધિ પામી શકો, પણ તે માટે બે શરત મૂકી. પામવાનું તારે જ. પુરુષાર્થ પણ તારો જ. ઉપાદાન પણ તારું જ. તે છતાં એ બધાની પાછળ જે Power છે તે નિમિત્તોનો છે અને આવા સુંદર કાર્યો માટેનાં નિમિત્તો પણ એવા જ ઊંચા, એવા જ આદર્શ! એને જો અપનાવી લો તો પછી સિદ્ધિ દૂર નહીં હોય. તારો સ્વચ્છેદ અને પ્રતિબંધ આ બે તોડી એક તો સદ્ગુરુની આજ્ઞાએ વર્યો જા અને બીજું જિનદશાનું યથાર્થ ભાન કરી, જિનદશા પ્રગટાવી લે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ બસ, પછી સિદ્ધત્વ પ્રગટી ચૂક્યું જ સમજ.'૧ સ્વરૂપની વિસ્મૃતિ એ સર્વ વિક્ષેપનું કારણ છે. સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન થાય તો રાગાત્મક-દ્વેષાત્મક સંસ્કારોની જડ ઉખેડી શકાય છે. મનને વારંવાર સ્વરૂપ પ્રત્યે જાગૃત કરતાં અને જાગૃત રાખતાં દશામાં રહેલી અશુદ્ધતા દૂર થાય છે અને સ્વભાવમાં રહેલી શુદ્ધતા પ્રગટે છે, તેથી સ્વરૂપાનુસંધાન એ જ એક કરવા યોગ્ય કાર્ય છે. સર્વ ધાર્મિક ક્રિયાઓનું પ્રયોજન પણ એ જ છે. સ્વરૂપાનુસંધાન કરવામાં ઉત્તમ નિમિત્ત છે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા. જીવ જો સ્વચ્છંદ અને પ્રમાદ છોડી સદ્ગુરુની આજ્ઞાએ વર્તે અને સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનું સતત લક્ષ રાખે તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે અને સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિરતા સધાતાં સિદ્ધદશાને પ્રાપ્ત કરી શકે. ઉપાદાનનું સામર્થ્ય તથા તેને પ્રગટ કરવાની પ્રક્રિયા સમજ્યા પછી હવે સિદ્ધત્વરૂપ કાર્યનાં બે નિમિત્તોને વિચારીએ ૧૯૫ ‘સદ્ગુરુ આજ્ઞા' સિદ્ધત્વની પ્રાપ્તિ માટે સદૈવ-સદ્ગુરુ-સદ્ધર્મ એ ઉત્તમ સાધન છે. દિવસના ભાગમાં સૂર્યનો પ્રકાશ બધાને પ્રાપ્ત થાય છે. રાત્રે જ્યારે સૂર્યનો પ્રકાશ ન હોય ત્યારે દીપકના પ્રકાશથી પ્રયોજન પાર પડે છે. તેમ તીર્થંકર ભગવંતોની જ્યારે ઉપસ્થિતિ ન હોય ત્યારે સદ્ગુરુ મોક્ષમાર્ગના પ્રકાશક તરીકે ઉપયોગી થાય છે. વર્તમાન દુખમ કાળમાં સાક્ષાત્ વીતરાગ તીર્થંકર ભગવંતનો વિરહ હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુ જ સર્વથી મહાન ઉપકારી છે. સદ્ગુરુ સદેવનું સ્વરૂપ સમજાવે છે તથા સદ્ધર્મનું રહસ્ય બતાવે છે, માટે સદૈવ અને સદ્ધર્મને સદ્ગુરુ તત્ત્વમાં સમાવીને સદ્ગુરુનું પરમ માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. સદ્ગુરુનું કાર્ય, તેમની પ્રેરણા, તેમનો બોધ, તેમનું કૌશલ્ય અજોડ હોય છે. પોતાની વિશિષ્ટ કુનેહથી તેઓ શિષ્યને પ્રગતિના પંથે આગળ ધપાવતા જાય છે. સદ્ગુરુના પરમ સમર્થ અવલંબન વડે જીવ આત્મસિદ્ધિરૂપ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. જીવનું હિત શામાં છે એ સદ્ગુરુ સારી રીતે જાણે છે અને આજ્ઞા દ્વારા તેઓ તેને જીવ સુધી પહોંચાડે છે. આજ્ઞાના યથાર્થ આરાધનથી જીવ પોતાનું અનંતુ હિત સાધે છે. સદ્ગુરુનો ભેટો થતાં, તેમની આજ્ઞાનું એકચિત્તે આરાધન કરતાં પરનું સમસ્ત કર્તૃત્વ વિલીન થઈ જ્ઞાતૃત્વમાં પદાર્પણ થાય છે. સદ્ગુરુની આજ્ઞાને એકનિષ્ઠાએ ઉપાસતાં જીવ પરમપદને પામે છે. શ્રીમદ્ લખે છે ‘સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૩, પૃ.૮૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :- ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) શ્રીમદે આગમ તથા અનુભવ પ્રમાણ આપી આજ્ઞાનું માહાભ્ય ઠેકાણે ઠેકાણે ગાયું છે અને નિરપદની પ્રાપ્તિ માટે આજ્ઞાધીન પ્રવર્તન કરવાની આત્માર્થીને ભલામણ કરી છે. નિષ્ઠાવાન થઈ સદ્ગુરુની એક પણ આજ્ઞા પાળવામાં આવે તો આખું જીવન બદલાઈ જાય છે. આ વાત એક ઉદાહરણ વડે સ્પષ્ટ થશે. એક વ્યક્તિને તેના એક ખાસ મિત્રે એક અત્યંત કલાત્મક અને સુંદર ફૂલદાની ભેટ તરીકે મોકલી, પરંતુ સાથે એવી આગ્રહભરી વિનંતી પણ કરી કે તેને પૂર્વાભિમુખ જ રાખવી, કારણ કે તેનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું હતું કે તે પૂર્વોન્મુખ રહીને જ સર્વાધિક સુંદર દેખાય. તે વ્યક્તિએ તેના મિત્રની લાગણીનો આદર કર્યો અને હોકાયંત્રથી દિશા જોઈને તે ફૂલદાની તેણે એક ટેબલ ઉપર પૂર્વ-પશ્ચિમ દિશામાં ગોઠવી, પરંતુ તે ઓરડાની બીજી બધી વસ્તુઓ સાથે આ નવી ગોઠવણ જચી નહીં, તેથી તેણે ઓરડામાં રહેલી બીજી વસ્તુઓની દિશા વગેરે પણ બદલી નાખી. તે ફૂલદાની પૂર્વોન્મુખ રહે, પૂર્વનાં કિરણોથી શોભે તે અર્થે તેણે ઘણી બધી વસ્તુઓ બદલવી પડી. આ પ્રમાણે આખો ઓરડો પુનઃ આયોજિત થઈ ગયો. તે ઓરડાની શોભા રહે તે માટે ધીમે ધીમે આખું મકાન પણ બદલાતું ગયું અને એ ત્યાં સુધી કે મકાનની બહારનો બગીચો પણ આ પરિવર્તનમાંથી મુક્ત રહેવા ન પામ્યો. તેવી જ રીતે સદ્દગુરુની એક આજ્ઞા પણ જો ભાવપૂર્વક સમ્યક્ રીતે આરાધવામાં આવે તો સમગ્ર જીવન બદલાઈ જાય છે. જીવનની દિશા પણ બદલાય અને દશા પણ બદલાય. આજ્ઞા બે પ્રકારની હોય છે - ઉપદેશરૂપ અને આદેશરૂપ. જ્યારે સદ્ગુરુને વાણીયોગ વર્તતો હોય છે ત્યારે બોધદાન થતાં જિજ્ઞાસુ જીવને ઉપદેશરૂપ આજ્ઞા પ્રાપ્ત થાય છે. ઉપકારી સદ્દગુરુએ જે બોધ આપ્યો હોય, તત્ત્વની જે સમજણ આપી હોય તે સુશિષ્ય ગ્રહણ-ધારણ કરે છે, તેમજ તે અનુસાર પ્રવર્તનમાં તે લાગી જાય છે. વળી, કોઈક ધન્ય પળે સુશિષ્યને સદ્ગુરુ આદેશરૂપ આજ્ઞા આપે છે. સદ્ગુરુ શિષ્યનાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૬૦ (પત્રાંક-૧૯૪) Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૯૭ દોષ, ભૂમિકા, રુચિ, પ્રકૃતિ, સંજોગો, કર્મોદય આદિ જોઈને તેને આજ્ઞા આપે છે. તેઓ શિષ્યના રોગનું નિદાન કર્યા પછી જ તેને સારવાર સૂચવે છે, તેથી તેને યથાર્થ રીતે અનુસરવામાં આવે તો જીવ અવશ્ય રોગમુક્ત થાય છે. આદેશરૂપ આજ્ઞા માત્ર તે ભોક્તા જીવ માટે જ હોય છે. એક જીવ માટેનું માર્ગદર્શન અન્ય જીવોને લાગુ ન પડી શકે. જે વસ્તુ એક જીવ માટે લાભનું કારણ હોય, તે અન્યને તથારૂપ ભૂમિકાના અભાવે નુકસાનનું કારણ પણ થઈ શકે. સગુરુ પાસેથી શિષ્યને જે આદેશાત્મક આજ્ઞા મળે છે એ માત્ર તેના જ ઉદ્ધાર માટે હોય છે. તે આજ્ઞા ત્રણે યોગના એકત્વથી આરાધતાં જીવ પોતાનો આત્મવિકાસ ત્વરાથી સાધી શકે છે અને સ્વરૂપમાં સ્થિત થાય છે. સદ્ગુરુની આજ્ઞા વિના ત્રણે કાળમાં કલ્યાણ થાય જ નહીં - એ જે સમજે છે, સ્વીકારે છે, તદનુસાર જીવન જીવે છે તે પોતામાં સમાઈ જાય છે. સદ્ગુરુની આજ્ઞાની આવશ્યકતા તથા મહત્તા બતાવતાં શ્રીમદ્ લખે છે કે -- જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. .... જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” સ્વચ્છેદરૂપી મહાદોષનું સેવન કરી જીવ અનાદિ કાળથી રખડ્યો છે. હું જાણું છું, હું સમજું છું' એવા પ્રકારના અભિમાનથી જીવે પોતાની ઇચ્છા પ્રમાણે પ્રવર્તન કરી, પોતાનું ખૂબ અહિત કર્યું છે. હું જાણું છું ના ભાવના કારણે તેને જ્ઞાનીની ઓળખાણ થતી નથી, તેમના પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગતો નથી, તે જીવ જ્ઞાની પ્રત્યે સમર્પણભાવે ઢળતો નથી અને પરિણામે તેની મોક્ષયાત્રા શરૂ થતી નથી. તે અનેક ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૧-૪૧૨ (પત્રાંક-૫૧૧) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધર્મક્રિયાઓનું સેવન કરે છે, પરંતુ તે નિજમતિકલ્પનાએ થતું હોવાથી તે કદી પણ મોક્ષમાર્ગ પામી શકતો નથી. આજ્ઞા વગર કરેલી અનેકવિધ ધાર્મિક ક્રિયાઓથી દોષ મટતો નથી. જીવ પોતાની જાતે સાધન નક્કી કરીને એમ વિચારે કે આમાં શું આજ્ઞા લેવી?' અથવા તો આમાં જ્ઞાની તો હા જ પાડેને!' તો તે સાધનથી જીવનું કલ્યાણ ન થાય. દવા ગમે તેટલી ગુણકારી હોય, પણ અનુભવી ડૉક્ટરની હા વિના એ નુકસાનકારક પણ બની શકે; તેવી જ રીતે જે ધર્મક્રિયા જ્ઞાનીની આજ્ઞાએ કલ્યાણનું - મુક્તિનું કારણ બને, તે જ ધર્મક્રિયા સ્વમતિકલ્પનાએ અકલ્યાણનું - બંધનનું કારણ પણ બની શકે. જીવ જો પોતાની મતિકલ્પનાએ ધર્મક્રિયાઓ કરવા લાગે તો લાભને બદલે નુકસાન થવાનો સંભવ વધુ રહે છે. સગુરુની આજ્ઞા વિના કરેલા શાસ્ત્રાભ્યાસથી પણ યથાર્થ લાભ થતો નથી. શાસ્ત્રનાં કથનો અનેક અપેક્ષાએ હોય છે. તેનાં ગૂઢ રહસ્ય, આશય, પ્રયોજન, હેતુ ગુરુગમ વિના સ્પષ્ટપણે સમજાવાં અતિ કઠિન છે. સતુશાસ્ત્રમાં રહેલાં અકળ, સૂક્ષ્મ રહસ્યો પ્રત્યક્ષ સગુરુ પાસે સુગમતાથી સમજી શકાય છે. અનાદિનો દૃષ્ટિવિપર્યાસ શાસ્ત્રના મર્મ સુધી પહોંચવામાં બાધક નીવડે છે. પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ પાસેથી શાસ્ત્ર સમજવાની દૃષ્ટિ મેળવીને શાસ્ત્રનું અધ્યયન થાય તો તે શાસ્ત્ર સાચા અર્થમાં ઉપકારી થાય છે. શ્રીગુરુએ આપેલ દૃષ્ટિથી, તેમના પ્રત્યેની અત્યંત ભક્તિથી, ઇન્દ્રિયનિગ્રહપૂર્વક શાસ્ત્રાભ્યાસ થાય તો જ તેનું સાર્થકપણું છે, અર્થાત્ તો જ તે આત્મજ્ઞાનનો હેતુ થાય છે; તેથી પ્રત્યક્ષ સદ્દગુરુની આજ્ઞાનુસાર ધર્મપ્રવૃત્તિ કરવા યોગ્ય છે. સ્વમતિથી ક્યારે પણ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. આમ, સ્વચ્છેદે ક્રિયા કરવાથી જડક્રિયાપ્રધાનપણું અને મતિકલ્પનાએ શાસ્ત્રાભ્યાસ કરવાથી શુષ્કજ્ઞાનીપણું આવી જાય છે. આ બન્ને પ્રકાર સ્વચ્છંદના છે. સદ્ગુરુના આશ્રયે પ્રવર્તવાથી સ્વચ્છેદ ટળે છે. સદ્ગુરુ જીવના સ્વચ્છંદને ઓળખે છે અને તેઓ તેના કલ્યાણ અર્થે તદનુસાર આજ્ઞા કરી તેનો તે દોષ કઢાવે છે. જો કોઈ જીવને વ્યવહારનો એકાંત આગ્રહ થયો હોય, માત્ર બાહ્ય ક્રિયામાં તેણે મોક્ષમાર્ગ કપ્યો હોય અને આત્માનું લક્ષ તે ચૂકી જતો હોય તો તેને આત્માના શુદ્ધ સ્વભાવનું ભાન કરાવી, ચૈતન્યસ્વરૂપની દઢ શ્રદ્ધા કરાવી તેનો વ્યવહારાભાસ છોડાવે છે. વળી, કોઈ જીવને નિશ્ચયનો એકાંત આગ્રહ થયો હોય, જ્ઞાનની માત્ર વાત કરતો હોય, અંતરમાં કષાયભાવે વર્તતો હોય, તેને ત્યાગ-વૈરાગ્યની ઉપયોગિતા સમજાવી તેનો વિદ્યાભ્યાસ છોડાવે છે. આમ, સર્વ જીવોને સ્વચ્છંદ ટાળવામાં ઉપકારી એવી સદ્ગુરુની આજ્ઞા પરમાર્થકાર્યમાં નિમિત્તકારણ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૧૯૯ જ્ઞાનીની આજ્ઞાથી અવશ્ય કલ્યાણ થશે એવી પ્રતીતિ થાય અને જીવ નિશ્ચય કરે કે મારે જ્ઞાનીની આજ્ઞાએ જ વર્તવું છે, તેમણે કહેલું સર્વ સમ્મત કરવું છે' તો જ તે મોક્ષમાર્ગે પ્રગતિ કરી શકે છે. જ્ઞાની પાસેથી જે બોધ શ્રવણ કરે, તેમાંથી પોતાને જચે તેટલું માને અને બીજી વાત ન માને તો તે જીવે જ્ઞાનીનું કહેલું સર્વ સમ્મત કર્યું નથી, પણ તેણે પોતાનો સ્વચ્છંદ જ પોષ્યો છે. જ્ઞાનીએ માન્ય કરેલું સર્વ માન્ય કરવામાં જો જીવ કશે પણ પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદ પોષે તો તેણે જ્ઞાનીને યથાર્થપણે ઓળખ્યા જ નથી. સદ્ગુરુને જે સમ્યક્ લાગે તે પોતાને પણ સમ્યક્ લાગે તો જ તે યથાર્થ અનુયાયીપણું છે. પોતાની ઇચ્છા પણ રાખવી હોય અને ગુરુની ઇચ્છા પણ પાળવી હોય, એ કંઈ સાચું શિષ્યપણું નથી. જ્યારે પોતાની ઇચ્છા સાથે સદ્ગુરુની આજ્ઞા મળતી આવે ત્યારે આજ્ઞાપાલન અત્યંત ઉત્સાહથી ત્વરાથી થાય, પણ જ્યારે તેમની આજ્ઞા પોતાની ઇચ્છાથી જુદી પડે ત્યારે વિલંબ, નારાજગી, બહાનાબાજી આવી જાય એ કંઈ યથાર્થ શરણાગતિ નથી. સદ્ગુરુના શરણનો યથાર્થપણે સ્વીકાર કર્યો ત્યારે જ કહેવાય જ્યારે પોતાની ઇચ્છાઓનો, આગ્રહોનો ત્યાગ થાય. - પોતાના સર્વ મિથ્યાગ્રહોને ત્યજી, પોતે કંઈ જાણતો નથી એમ પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરે તથા સ્વચ્છંદ અને પ્રમાદથી રહિત થઈ, સદ્ગુરુની આજ્ઞાનું એકનિષ્ઠાએ આરાધન કરતાં જીવનું કલ્યાણ નિશ્ચિત છે. જેને પોતાના અજ્ઞાનનું ભાન ન હોય, તેને સદ્ગુરુની આજ્ઞાનું માહાત્મ્ય સમજાતું નથી. જે પોતાના અજ્ઞાનનો સ્વીકાર ન કરી શકે, તે આજ્ઞારાધનમાં એકનિષ્ઠ ન રહી શકે. પરંતુ જીવ એ માનવા તૈયાર નથી થતો કે તે કંઈ નથી જાણતો. ‘હું કાંઈ નથી જાણતો' એમ દૃઢપણે સ્વીકારીને જ્યારે તે સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થાય છે, તેમના ચીંધેલા માર્ગે આગળ વધે છે ત્યારે કાર્ય થાય છે. સાચો અનુયાયી મેં જે માન્યું એ જ સાચું' એવો આગ્રહ રાખી, પોતાની માન્યતાને યેનકેનપ્રકારે વળગી નથી રહેતો. તે પોતાનો આગ્રહ છોડી સદ્ગુરુની આજ્ઞાનું અનુસરણ કરે છે. તે તો સદ્ગુરુને આધીન વર્તવામાં જ આનંદ અનુભવતો હોય છે. તે સદ્ગુરુને આધીન રહેવામાં બંધન નથી અનુભવતો. પોતાના દોષો વિલય કરવાના શુદ્ધ હેતુથી જે ખપી જીવ સદ્ગુરુનો સંગ સેવે છે, તે તો સદ્ગુરુની આજ્ઞામાં સ્વહિતની સિદ્ધિ જોતો હોવાથી પ્રસન્ન ચિત્તે આજ્ઞાનું આરાધન કરે છે. દરેક આજ્ઞામાં પોતાનો વિકાસ જ છે એમ દૃઢપણે સમજાયું હોવાથી તે આજ્ઞાની આરાધના હર્ષોલ્લાસ સહિત કરે છે. આવા જીવની પ્રગતિ ત્વરાથી થાય છે. પોતાનો એક એક દોષ કેટલી ત્વરાથી ઘટી-ટળી રહ્યા છે એ જોઈ તે પ્રસન્ન રહે છે. તેના જીવનનું એક એક પ્રકરણ, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એક એક પ્રસંગ, એક એક કાર્ય, એક એક ક્ષણ અને એક એક શ્વાસ સદ્ગુરુની આજ્ઞાનુસાર વ્યતીત થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાપૂર્વક આજ્ઞાનું આરાધન કરતાં તે સાધનામાર્ગે હરણફાળ ભરતો જાય છે. જેમ જેમ જીવ સદ્ગુરુનાં અમૃત વચનોનું શ્રવણ કરે છે, પવિત્ર સમાગમમાં આવે છે, આનંદપ્રદ પરિચયનો લાભ લે છે; તેમ તેમ તેનો પ્રેમ વિકસે છે, શ્રદ્ધા દઢ થાય છે અને પ્રેમમૂર્તિની સ્મૃતિ વિશેષપણે અને વિના પ્રયત્ન સહજ રીતે રહ્યા કરે છે. જેમ જેમ સદ્ગુરુ પ્રત્યે જીવનાં પ્રેમ અને શ્રદ્ધા વધતાં જાય છે, તેમ તેમ સમર્પણભાવ વર્ધમાન થતો જાય છે અને આજ્ઞામાં એકતાન થવાથી તેની જાગૃતિ વધતી જાય છે. બાહ્ય પ્રસંગો, પદાર્થો, પરિચયોમાં તેને રસ પડતો નથી. જગતની મોહિની ઘટતી જાય છે અને તેમાં નીરસતા લાગે છે. ઇન્દ્રિયવિલાસમાંથી તેનું મન ઊઠતું જાય છે અને ચિત્ત અંતર્મુખ થતું જાય છે. જેમ જેમ વિષય-કષાય મંદ પડે છે, વિકલ્પો શાંત થતા જાય છે; તેમ તેમ આત્મસન્મુખતા વધતી જાય છે. સદ્ગુરુની આજ્ઞાભક્તિના પ્રભાવથી પ્રેમસમાધિ (સદ્ગુરુના સુખરૂપ સ્મરણથી સહજપણે ઉત્પન્ન થતી સ્થિરતા) અને પ્રેમસમાધિના બળથી આત્મસમાધિની પ્રાપ્તિનો ઉત્તમ લાભ મળે છે. સદ્ગુરુના અવલંબને જીવ આત્માવલંબી થતો જાય છે. આમ, પુષ્ટ નિમિત્તરૂપ સદ્ગુરુની આજ્ઞા જીવને સ્વરૂપારોહણ કરવાનો સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. જિનદશા' સિદ્ધસ્વરૂપ પ્રગટાવવાના સ્વકાર્યમાં બીજું ઉત્તમ નિમિત્ત છે જિનદશા. જિનદશા એટલે વીતરાગદશા. અહીં ‘જિન' શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નહીં પણ તેના તાત્વિક અર્થમાં વપરાયેલ છે. રાગાદિ અંતરશત્રુઓને જીતી જે પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે એવા શુદ્ધ દશાવાન આત્મા તે જિન. પ્રસ્તુત ગાથામાં શ્રીમનું કહેવું છે કે સદ્ગુરુની આજ્ઞા અનુસાર પ્રવર્તન કરવું જોઈએ અને સદ્ગુરુએ ઉપદેશેલી જિતેન્દ્રિય દશા વિચારવી જોઈએ. આ બન્ને સિદ્ધપર્યાય પ્રગટાવવામાં ઉત્તમ નિમિત્તકારણો છે. નિજ શુદ્ધતા પ્રગટાવવા અર્થે જિનેશ્વર ભગવાનની પૂર્ણ શુદ્ધ દશા ઉત્તમ નિમિત્ત છે. તેનો અર્થ એમ થતો નથી કે જિનેશ્વર ભગવાનની શુદ્ધતા જીવમાં આવે છે. વિશ્વવ્યવસ્થા જ એવી છે કે એક જીવની શુદ્ધતા અન્ય જીવમાં કદી પ્રવેશ કરી શકતી નથી. દરેકની શુદ્ધતા સ્વયંના પુરુષાર્થથી જ ઉત્પન્ન થાય છે. વસ્તુની આવી સ્વતંત્રતા છે. જિનદશાનું અવલંબન લેવાનો હેતુ તો એ છે કે જીવને નિજ શુદ્ધતાનો પરિચય થાય. તેને નિજ શુદ્ધતા પ્રગટાવવાની પ્રેરણા મળે. કોઈ લક્ષ્યને આંબવું હોય તો તેનો સહેલો રસ્તો એ છે કે જેણે એ લક્ષ્યને Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૨૦૧ સિદ્ધ કર્યું હોય એવી વ્યક્તિને આદર્શ બનાવી, એનું અનુકરણ અને અનુસરણ કરવામાં આવે. અનુકરણ અને અનુસરણ આદર્શ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખવાની ફરજ પાડે છે, કારણ કે જેનું અનુકરણ અને અનુસરણ કરવું હોય તેને નજર સામે રાખ્યા વગર અનુકરણ અને અનુસરણ થઈ શકતું નથી. કુશળ શિલ્પી જેમ આદર્શને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી પોતાની કલાકૃતિ ઘડે છે, તેમ સાધક પણ આદર્શરૂપ પ્રભુને નિરંતર દૃષ્ટિ સન્મુખ રાખી નિજાત્મસ્વરૂપની પૂર્ણ કલાકૃતિ ઘડે છે. આ આત્મા અનાદિ કાળથી પરનો પરિચયી હોવાથી પોતાને પરરૂપ જ માને છે. તેને સ્વરૂપસ્થિત પ્રભુનાં દર્શનથી વિસ્મૃત થયેલા નિજસ્વરૂપનું ભાન થાય છે. જિનસ્વરૂપના ચિંતનથી પોતાના સ્વરૂપની જીવને ઓળખાણ થાય છે. પોતાના સ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છા તેનામાં જાગે છે. આવી તીવ્ર ઇચ્છાના કારણે તે પરપરિણતિમાં ઉદાસીન બની આત્મપરિણતિ તરફ વળે છે. તેથી જ આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે સર્વ સિદ્ધ ભગવંતોને, સિદ્ધત્વથી સાધ્ય એવા દરેક આત્માને પ્રતિજીંદસ્થાનીય તરીકે - આદર્શ તરીકે બિરદાવ્યા છે.' જિનદશા કેવી હોય તે સદ્ગુરુ દ્વારા સમજાતાં જીવને જિન ભગવાન પ્રત્યે અત્યંત મહિમા, બહુમાન, ભક્તિ જાગે છે. જિનદશા ઉપર વિચાર કરવાથી, તેનું અંતરંગ ભાવપૂર્વક ચિંતવન કરવાથી, હું આ જિન ભગવાન જેવો જ અનંતગુણસંપન્ન આત્મા છું' એમ જિન સમાન પોતાની સ્વરૂપ સત્તાને જીવ ઓળખે છે અને તે જિનદશાનો અધિકારી બને છે. આ રીતે ભગવાન પ્રત્યે દૃષ્ટિ કરવાથી ભક્ત થવાય છે અને ભગવાન જેના પ્રત્યે દષ્ટિ કરે છે, તેના પ્રત્યે દષ્ટિ કરવાથી ભગવાન થવાય છે; અર્થાત્ ભગવાન પ્રત્યે દૃષ્ટિ કરવાથી ભક્તિ જાગે છે, ભક્તપણે પ્રગટે છે અને ભગવાન જેના પ્રત્યે અખંડ દષ્ટિ રાખે છે તે પ્રત્યે, એટલે કે શુદ્ધાત્મા પ્રત્યે દૃષ્ટિ કરતાં ભગવાન થવાય છે, શુભ ટળી શુદ્ધતા પ્રગટે છે. આમ, જિનનું સ્વરૂપ વિચારતાં જીવ સ્વસ્વરૂપનું અનુસંધાન કરી તેને પ્રાપ્ત કરે છે. તેથી જ અનંતા જ્ઞાનીઓએ કહ્યું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ ખ્યાતિ', મૂળ ગાથા ૧ની ટીકા __ 'भगवतः सर्वसिद्धान सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छन्दस्थानीयान् ।' સરખાવો : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, વિહરમાન જિન સ્તવન', શ્રી નમિપ્રભ ભગવાનનું સ્તવન, કડી ૭,૮ જિનસમ જિનસમ સત્તા લખી હોજી, તસુ પ્રાગભાવની ઈહ; અંતર અંતર આતમતા લહી હોજી, પર પરિણતિ નિરીહ. પ્રતિઈદે પ્રતિઇદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.' Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે કે સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે છે તે સિદ્ધદશા પામે છે. પ્રસ્તુત ગાથામાં “જિનદશા"નો અર્થ માત્ર જિનેશ્વરની દશા' એટલો જ થતો નથી, પરંતુ સર્વ સત્પરુષોની જિતેન્દ્રિયદશા અથવા વીતરાગદશા એવો અર્થ થાય છે. પૂર્ણ વીતરાગદશા તેરમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાનકે જ્યાં આત્માનો અનુભવ થાય છે ત્યાં વીતરાગદશા શરૂ થાય છે. શ્રી યશોવિજયજી મહારાજે સમ્યગ્દષ્ટિ જીવને “અંશે હોય ઇહાં અવિનાશી' કહીને સંબોધ્યા છે. પૂર્ણ વીતરાગ પરમાત્મા નિત્ય નિર્વિકલ્પ દશામાં હોય છે. શ્રી સદ્ગુરુ વારંવાર નિર્વિકલ્પ દશામાં પ્રવૃત્ત થવાનું સામર્થ્ય ધરાવે છે. તેઓ વારંવાર સ્વરૂપમાં ડૂબકી લગાવી શકે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નાશ પામ્યાં હોવાથી તેમને આંશિક વીતરાગદશા પ્રગટી હોય છે. સુશિષ્ય આ દશા પ્રત્યક્ષ નિહાળતો હોવાથી શ્રી સદ્ગુરુનું અવલંબન તેને વિશેષ ઉપકારી થાય છે. સ્વરૂપમાં સ્થિર થવા માટે આત્માર્થીએ પોતાની કર્મકૃત અવસ્થાઓ સાથેનું - ક્ષણિક પર્યાયો સાથેનું તાદાભ્ય તોડીને એ સઘળાં પરિવર્તનોને સાક્ષીભાવે જોવાનું સામર્થ્ય ખીલવવાનું હોય છે. ‘પલટાતી દશ્યપર્યાયો નહીં પણ પરિવર્તનશીલ એવી એ પર્યાયધારાને જોનાર અંદષ્ટ સ્થિર તત્ત્વ એ જ હું છું' આ તથ્યને દઢ કરવાનો અભ્યાસ કર્તવ્ય છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપ એવા પોતાના શાશ્વત અસ્તિત્વ સાથે તાદાત્મ સ્થાપવાનો અભ્યાસ કરવાનો હોય છે. સીધું જ નિરાકારનું અનુસંધાન કરવા કરતાં સાકારના અવલંબને નિરાકાર સાથે સંબંધ સ્થાપવો જીવને વધુ સરળ પડે એ સ્વાભાવિક છે. સદ્ગુરુમાં શુદ્ધ ચૈતન્ય સમજી શકાય એ રીતે વ્યક્ત હોય છે. ચેતનાને દશ્યમાં એકાકાર થતી રોકીને, તત્ક્ષણ અંતર્મુખ બનીને, તેને જ્ઞાયકમાં સ્થાપિત કરવાની પ્રક્રિયાની ક્ષમતા જેઓ ન ધરાવતા હોય; તેઓ સદ્ગુરુમાં વ્યક્ત થયેલા વીતરાગસ્વરૂપનાં સ્મરણ-ચિંતન વડે સાધનામાર્ગે ત્વરાથી આગળ વધી શકે છે. સદ્ગુરુને દેહાદિ પરદ્રવ્ય અને રાગ-દ્વેષાદિ પરભાવમાંથી અહત્વ-મમત્વ ટળી ગયું છે. તેમણે નિજ નિર્મળ, ચિતૂપ આત્મિક દ્રવ્યને જ પોતાનું માન્યું છે - નિર્ધાર્યું છે; તેમજ અનંત જ્ઞાન, દર્શન, સુખાદિ ગુણોને જ પોતાના માન્યા છે; વૃત્તિ આત્મામાં જ તલ્લીન કરી, તેના અનુભવથી ઉત્પન્ન થતા અપૂર્વ આનંદને પ્રાપ્ત કર્યો છે. આવી પ્રગટ આનંદની મૂર્તિરૂપ સદ્ગુરુને ચિત્તમાં ધારણ કરવાથી, તેમને પ્રગટેલા અપૂર્વ આત્મિક ગુણો જીવના હૃદયમાં સ્થાન પામે છે. સગુરુનું સ્મરણ, ચિંતવન, ભક્તિ, ગુણગ્રામ, સદ્ગુરુમાં જ વૃત્તિની તલ્લીનતા એ સર્વ શુદ્ધાત્મામાં જ તલ્લીનતા પામવાનું કારણ બને છે, કારણ કે સગુરુ શુદ્ધ આત્મા જ છે. સદ્દગુરુને પોતાના હૃદયમંદિરમાં બિરાજમાન કરનાર, તેમનું ધ્યાન કરનાર, આરાધન કરનાર મહાભાગ્ય મુમુક્ષુ પરિણામે Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૨૦૩ અદ્ભુત અરૂપી નિરંજન પદ - સિદ્ધદશાને પામે છે; માટે સદ્ગુરુનું સ્મરણ, ભજન, આરાધન કરવામાં આત્માર્થીએ સદા ઉલ્લસિત વીર્ય પ્રવર્તાવવું યોગ્ય છે. જ્યારે કોઈ નાના બાળકને ચંદ્ર દેખાડવો હોય છે ત્યારે એને કહેવામાં આવે છે કે ચંદ્ર તરફ જો. પરંતુ એ જાણતો નથી કે ચંદ્ર કઈ દિશામાં છે, તો એ ક્યાં જુએ? તેથી એને કહેવામાં આવે છે કે આકાશ તરફ જો. પરંતુ આકાશ તો બહુ વિશાળ છે, ચારે બાજુ છે; એ ક્યાં જુએ? ત્યારે ચંદ્ર કઈ તરફ છે તે બતાવવા માટે આંગળીથી ઇશારો કરવામાં આવે છે. બાળક જો આંગળી ન જુએ તો ચંદ્ર કઈ તરફ છે તે જાણી શકે નહીં, તેથી સર્વપ્રથમ આંગળી જોવી આવશ્યક છે, છતાં પ્રયોજનભૂત તો ચંદ્ર છે. આંગળી તો ચંદ્રને દેખાડવા માટે ચીંધવામાં આવી છે, તેથી આંગળી જોઈને, તેનો ઇશારો સમજીને જો તે ચંદ્ર તરફ જુએ તો તે ચંદ્રને જોઈ શકે. આંગળી જોઈને ચંદ્ર તરફ દૃષ્ટિ માંડે તો ચંદ્ર દેખાય. જેમ બાળક બધેથી દૃષ્ટિ હટાવી આંગળી તરફ જુએ તો જ ચંદ્રની દિશા પકડાય છે, તેમ જીવ સમસ્ત જગતમાંથી ઉપયોગ ખેંચી એક સદ્ગુરુમાં, તેમની અનુપમ દશામાં લગાવે તો જ તેને ભગવાન આત્માની દિશાનું - તેના સ્વરૂપનું ભાન થાય છે. જેમ આંગળી જોઈ, તેનો આધાર લઈ, તેના દ્વારા ઈગિત ચંદ્ર ઉપર જ્યારે લક્ષ માંડવામાં આવે છે ત્યારે ચંદ્રનાં દર્શન થાય છે; તેમ સદ્ગુરુનો યોગ પામી, તેમના શ્રીચરણોના આશ્રયે, તેમની દશા દ્વારા સમજાયેલ આત્મસ્વરૂપનો જ્યારે લક્ષ કરવામાં આવે છે ત્યારે સ્વરૂપની અનુભૂતિ થાય છે. સિદ્ધત્વરૂપ કાર્ય સાધવું હોય તો જીવની દૃષ્ટિ સદગુરુની અંતરંગ દશા પ્રત્યે હોવી જોઈએ. તેમના વર્તનના આશય પ્રત્યે નજર હોવી જોઈએ. આ આશય પકડનાર જ સદ્ગુરુને યથાર્થપણે સમજી શકે છે. જો બાહ્ય ચર્મચક્ષુથી દેખાતી આચરણા ઉપર જ નજર રાખવામાં આવે તો જીવને વાસ્તવિક લાભ થતો નથી. બુદ્ધિ જો જ્ઞાનીની બાહ્ય આચરણા સંબંધીના કદાહો અને પૂર્વગ્રહોને લઈને દખલ કર્યા કરે તો સદ્ગુરુના અંતઃકરણ તરફ દષ્ટિ જતી નથી અને તેમની આત્મદશાનો અનેરો લાભ મળતો નથી. બહિર્દષ્ટિ જીવ જ્ઞાનીની બાહ્ય આચરણા વિષે નક્કી કરી લે છે કે “જ્ઞાની આ પ્રમાણે વર્તે અને આ પ્રમાણે ન વર્તે.' પોતાની મર્યાદિત, અપૂર્ણ અને અશુદ્ધ બુદ્ધિ વડે તે જ્ઞાનીના માપદંડ નક્કી કરે છે. અમુક અમુક પરિસ્થિતિમાં જ્ઞાનીપુરુષની વર્તણુક આવી જ હોય' એવો નિયમ જડપણે બાંધી લેવાના કારણે અનેક સમસ્યા ઊભી થાય છે, ક્યારેક તો મોટું નુકસાન થવાની સંભાવના રહે છે; તેથી જ્ઞાની માટે કોઈ વ્યાખ્યા ન બાંધવી જોઈએ. જ્ઞાનીની બાહ્ય આચરણા કોઈ પૂર્વનિર્ધારિત નિયમાવલી અનુસાર નથી હોતી. તેમની બાહ્ય આચરણા તો તેમના પૂર્વકર્મના ઉદય અનુસાર થતી હોય છે. યંત્રપૂતળીની જેમ પૂર્વપ્રારબ્ધના સૂત્રસંચારથી તેમની સર્વ પ્રવૃત્તિ ચાલે છે. તેમનું Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આચરણ હર પળે ચૈતન્યની જાગૃતિપૂર્વક હોય છે. પળે પળે બોધપૂર્ણ રહી કર્મની નિર્જરા કરવી એ તેમનો ધર્મ છે. તેમની પ્રત્યેક ચર્યા પાછળ સમતા, નિઃસ્પૃહતા, નિષ્કારણ કરુણા જ હોય છે. જ્ઞાનીના આવા અંતરંગ ગુણો તરફ નજર હોવી જોઈએ. તેમના વર્તનનો આશય પકડી, તેમાંથી બોધ ગ્રહણ કરી, જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય, ત્યાં ત્યાં તે તે આચરણ કરવું જોઈએ. સદ્ગુરુના અંતઃકરણ તરફ દૃષ્ટિ કરતાં શિષ્યને સમજાય છે કે સદ્ગુરુ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તેમની સમસ્ત ચિત્તવૃત્તિઓ અંતર્મુખ છે. શરીરમાં વસવા છતાં તેમને શરીર સાથે કોઈ સંબંધ નથી. તેઓ દેહ છતાં વિદેહી બની ગયા છે. શરીર પ્રત્યે અહં-મમપણું નષ્ટ થઈ ગયું હોવાથી તેઓ તેનાથી પર છે. શત્રુ-મિત્રાદિ પ્રત્યે તેમને સમદર્શિતા વર્તે છે. તેમને વખાણ મીઠાં નથી લાગતાં, નિંદા કડવી નથી લાગતી. તેઓ સદા અલિપ્ત રહે છે. તેઓ શાતા-અશાતાથી જરા પણ વિચલિત થતા નથી. તેઓ રાગ-દ્વેષરહિત રહીને પૂર્વે બાંધેલાં કર્મના ઉદયને જ્ઞાતાભાવે જાણ્યા કરે છે. શાતા હોય કે અશાતા, તેઓ તો પોતાની આત્મમસ્તીમાં જ રહે છે. સદ્ગુરુની આવી વીતરાગદશાનું લક્ષ કરી, શિષ્ય શાતા-અશાતાના પ્રસંગોમાં પોતાને ઉત્પન્ન થતા ગર્વ ગ્લાનિ, હર્ષ-શોક, ગમા-અણગમા આદિ દોષોની નિવૃત્તિ અર્થે પ્રયાસ કરે છે. સદ્ગુરુના ગુણોનું ચિંતન કરી તે દરેક પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરવાનો પ્રયત્ન કરે છે. અનુકૂળતા વખતે પણ સદ્ગુરુ કેવા મનોવિજયી, શાંત, ગંભીર રહે છે તેનો વિચાર કરી, શિષ્ય શાંત ભાવને અવગાહે છે. પુણ્યના ઉદયમાં તેઓ કેવી આશ્ચર્યકારક ઉદાસીન દશામાં સ્થિત રહે છે, સમપરિણામ રાખે છે, ગર્વ કે ગારવ તેમની પાસે આવી શકતા નથી - તેનો લક્ષ કરી, તેમાંથી બોધ લઈ, બળ મેળવી, શિષ્ય શાતાના પ્રસંગોમાં સમપરિણામે રહેવાનું શક્ય બનાવે છે. જેમ શાતાના ઉદય વખતે, તેમ અશાતાના ઉદય વખતે પણ સમપરિણામે રહેવાનું શક્ય બનાવે છે. દૈહિક વેદના, વિયોગ, સ્વજનાદિના મરણ આદિ પ્રસંગો વખતે અકથ્ય ખેદ ઉત્પન્ન થાય છે. તે પ્રસંગોમાં ચિત્ત સ્થિર રહેવું અત્યંત કઠિન છે, આત્માને સ્વસ્થ રાખવો અત્યંત વિકટ છે; તેથી તેવા પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય ત્યારે સ્વસ્થતાપૂર્વક - વૈર્યપૂર્વક તેને વેદવાની શક્તિ મેળવવા માટે શિષ્ય ગુરુની વીતરાગદશાનું મનન કરે છે, જેથી આત્મવીર્ય પ્રગટે અને નિજગુણોનો અંશે અંશે ઉઘાડ થતો જાય. પ્રતિકૂળતા વખતે સદ્ગુરુના વલણનું સ્મરણ કરી તે વિષમ પ્રસંગોમાં ટકી રહેવાનું બળ મેળવે છે. જ્યારે સદ્ગુરુ સ્વરૂપ રમણતામાં મગ્ન થાય છે ત્યારે સુશિષ્ય સદ્ગુરુની સાક્ષાત્ વીતરાગમુદ્રા નીરખીને તે દશાની અદ્ભુતતા અને અપૂર્વતાના સલૂચિંતનમાં પડી જાય છે. તેને સદ્ગુરુની સ્વરૂપસ્થિતદશા નજરે જોઈ અત્યંત પ્રમોદ થાય છે. તે દશા પ્રત્યે Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ ૨૦૫ તેની પ્રીતિ વધતાં, હું પણ આવી આશ્ચર્યયુક્ત દશાનો અધિકારી ક્યારે થઈશ?' એવી ભાવના ભાવે છે અને આ ભાવના બળવાન થતાં, “મારે એવી દશા પ્રાપ્ત કરવી જ છે અને હું કરીને જ રહીશ' એવી ખુમારી સહિત ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે અને સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. સદ્ગુરુની વીતરાગદશાનું અવલંબન તેને આત્મસ્વભાવ પ્રગટાવવામાં અત્યંત સહાયકારી બને છે. આમ, સદ્ગુરુની વીતરાગદશા તથા અરિહંત ભગવાનની પૂર્ણ વીતરાગદશા, જીવની સિદ્ધપર્યાય પ્રગટાવવામાં ઉત્તમ નિમિત્તકારણ છે. આ પ્રમાણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રસ્તુત ગાથામાં શ્રીમદે ધર્મ-આરાધનની સંપૂર્ણ વિધિ બતાવી છે. શ્રીમદે સર્વ જીવોનાં કલ્યાણ અર્થે આ અપૂર્વ ગાથામાં ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ મોક્ષમાર્ગ દર્શિત કરી પરમ ઉપકાર કર્યો છે. આ ગાથામાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગીનો અર્ક છે. આમાં ઊડું તત્ત્વરહસ્ય તથા અર્થગાંભીર્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ અનુપમ ગાથા ગંભીર આશયવાળી અને સુવિચારવાનને જ્ઞાનલબ્ધિ પ્રગટાવે એવા સામર્થ્યથી ભરપૂર છે. નિર્દોષ જિનાગમોના નવનીતરૂપ આ ગાથાને શાંત ચિત્તે વાંચવાથી, વિચારવાથી, તેના ઉપર ગંભીરતાપૂર્વક વારંવાર અનુપ્રેક્ષા કરવાથી તેમાં રહેલાં અનેક રહસ્ય પ્રગટ થાય છે. પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે એમ આ ગાથાના અભ્યાસ પછી વિચારકને ભાસ્યા વિના રહેતું નથી. મુમુક્ષુને પરમ બાંધવરૂપ, પરમ રક્ષકરૂપ તથા પરમપદને આપે એવી આ કલ્યાણપ્રદ ગાથા શ્રીમની પ્રજ્ઞા તથા અલૌકિક પ્રતિભાનું દર્શન કરાવે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, અનંત ચતુષ્ટયેવંત; માત્ર કર્મથી આવર્યો, પણ સત્તાએ મહંત. યથાર્થ સદ્ગુરુ મહેરથી, જે સમજે તે થાય; શક્તિ સર્વની વ્યક્તતા, સાદિ અનંત સુખદાય. ઉપાદાન નિજ આત્મ છે, શુદ્ધ દ્રવ્ય પરિણામ; સદ્દગુરુ આજ્ઞા, જિનદશા, વિચાર એ ગુણધામ. પંચાચાર વિશુદ્ધતા, ક્ષમાદિ દશ વિધ જોય; સમ્યકજ્ઞાન આરાધતાં, નિમિત્ત કારણ માંય.' ૧ 1- રાજપૂત ભી અંબાલાલભાઈ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૩૭-૫૪૦) Page #239 -------------------------------------------------------------------------- ________________ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૬ Surfเก่ง เห * , * โดๆ, 4. เd (446, เi (6 หiในจ. Page #241 -------------------------------------------------------------------------- ________________ Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૬ -- ગાથા ૧૩૫માં શ્રીમદે કહ્યું કે સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ જાન'] એ તથ્ય જે સમજે તેને જ એ દશા પ્રગટ થાય છે. એ દશા પ્રગટ થવા ભૂમિકા માટે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા એ બે નિમિત્તકારણ છે. હવે આ ગાથામાં જેઓ ઉપાદાનની માત્ર વાતો કરે છે અને નિમિત્તોનો અપલાપ કરે છે એવા એકાંત નિશ્ચયવાદી જીવોની શું દશા થાય છે તે બતાવતાં શ્રીમદ્ કહે છે – “ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; | ગાથા પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” (૧૩૬) - સદ્દગુરુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં અર્થ જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગૃત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો, શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. (૧૩૬) - નિશ્ચયનયને એકાંતે ગ્રહણ કરનારા જીવને ચેતવતાં શ્રીમદ્ કહે છે કે કાર્ય ભાવાર્થ -1 માત્ર ઉપાદાનથી જ થાય છે અને નિમિત્તની કોઈ જ આવશ્યકતા નથી એવી માન્યતાને વશ થઈને જે જીવ સદ્ગુરુનું તથા સત્સાધનનું અવલંબન છોડી દે છે, તેનો ભાંતિરોગ ટળી શકતો નથી. જે જીવ ઉપાદાનની વાતો કરે છે, પણ મુમુક્ષુપણું પ્રગટાવવાનો પ્રયત્ન કરતો નથી, તે જીવ શુષ્કજ્ઞાનના બોજા નીચે દબાઈ જાય છે. માર્ગપ્રાપ્તિમાં સાક્ષાત્ સનિમિત્તરૂપ એવા સગુરુ, તેમની ભક્તિ, તેમની આજ્ઞાનું આરાધન ઇત્યાદિ તજવાના કારણે; સ્વરૂપે સિદ્ધ સમાન હોવા છતાં તે જીવ સિદ્ધત્વને પામી શકતો નથી. તે સ્વરૂપાનંદનો ભોગવટો કરી શકતો નથી અને હું શુદ્ધ છું' એવું માત્ર બોલ્યા કરે છે, અર્થાત્ હજી તે જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનદશા છોડી દઈને પોતાનું અમર્યાદિત અહિત કરે છે. શાસ્ત્રોમાં ઉપાદાનના મહિમાની જે વાત આવે છે તે સાચાં નિમિત્તને તજવા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અર્થે કહેવામાં આવી નથી, પણ ઉપાદાન અજાગૃત રાખવાથી સાચાં નિમિત્ત મળવા છતાં કલ્યાણ થાય નહીં તેનું ભાન કરાવવા અર્થે કહી છે. જ્યારે સાચાં નિમિત્તનો યોગ થાય ત્યારે તેનું અવલંબન રહીને ઉપાદાનની સન્મુખ થવું જોઈએ અને પુરુષાર્થરહિત ન રહેવું જોઈએ એવો શાસ્ત્રકારે કહેલા કથનનો પરમાર્થ છે. ઉપાદાનનું માત્ર નામ લઈને નિમિત્તોને છોડી દે, સત્સાધન કરે નહીં તો કાર્ય થાય નહીં. આ તથ્યને નહીં સમજનારા જીવો સિદ્ધત્વને પામી શકતા નથી અને ભ્રાંતિમાં જ રહે છે, અર્થાત્ તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી અને તેથી તેઓ સંસારમાં રખડે છે. નિશ્ચયનયને એકાંતે ગ્રહીને કોઈ જીવ મોક્ષમાર્ગની યથાર્થ આરાધનાથી વંચિત ન રહે તે માટે આ ગાથા માર્ગદર્શક હોવાથી અત્યંત ઉપકારી છે. આત્મકલ્યાણરૂપી કાર્યની સિદ્ધિ માટે આત્માર્થી જીવ આત્મપરિણામની શુદ્ધિ વિશેષાર્થ 1 અને આત્મપુરુષાર્થની વૃદ્ધિ કરતો રહે છે. આત્માર્થી જીવ સ્વલક્ષી પુરુષાર્થ કરતો હોવા છતાં પણ તેને વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનો ઉપકારી નિમિત્તપણે સ્વીકાર તથા તેમનો મહિમા આદિ અવશ્ય હોય છે. તે ભક્તિ, સત્સંગ આદિનું ઉલ્લાસપૂર્વક આરાધન કરતો હોય છે. સરાગ સ્થિતિમાં તેને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે પ્રશસ્ત ભાવ થયા વિના રહેતો નથી. ઉપાદાનની ઓળખાણની પ્રક્રિયામાં, તેને બતાવનારાં નિમિત્તોનું જ્ઞાન અને બહુમાન આવ્યા વગર રહેતું નથી. ‘પ્રત્યક્ષ યોગ વિના દેશનાલબ્ધિની પ્રાપ્તિ થતી નથી અને તે વિના આત્મપ્રાપ્તિ થતી નથી' - આ સિદ્ધાંતને સાધક જીવ યથાર્થપણે સમજે છે, તેથી કુગુરુ આદિનો ત્યાગ કરી, સદ્ગુરુ આદિ નિમિત્તોનો સ્વીકાર કરે છે અને તેમનું અવલંબન લઈને પોતાના ઉપાદાનની સન્મુખ થાય છે. કાર્ય પોતાથી જ થાય છે તથા કાર્યમાં શુભ નિમિત્તોનું અવલંબન આવશ્યક છે' - આ બને તથ્યને તે બરાબર સમજતો હોવાથી સદ્દગુરુ આદિ પ્રત્યે તેને પરમ ભક્તિના ભાવ હોય છે અને સાથે સાથે ઉપાદાનનિમિત્તનું સંતુલન ગુમાવ્યા વિના તે સ્વલક્ષી પુરુષાર્થ વડે ઉદ્યમવંત રહે છે. નિમિત્ત અને ઉપાદાનનું સંતુલન બરાબર જાળવી, સદ્ગુરુના આશ્રયે, તેમના માર્ગદર્શન અનુસાર પુરુષાર્થ કરતાં કરતાં તે મોક્ષમાર્ગે આગળ વધે છે. આત્મપુરુષાર્થ જાગૃત રાખવા માટે શાસ્ત્રમાં અનેક ઠેકાણે શુભ નિમિત્તનું અવલંબન ગ્રહણ કરવાની ભલામણ કરી છે. બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય પર્યત શ્રુતજ્ઞાનનું - સદ્ગુરુ તથા જિન ભગવાનનું અવલંબન જરૂરી છે એમ નિરૂપણ કર્યું છે. શુભ નિમિત્તના આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ વધારતાં વધારતાં જીવે આગળ વધવું જોઈએ એવો જિનેશ્વરનો અભિપ્રાય છે. જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો નિમિત્ત-ઉપાદાનની સંધિવાળો માર્ગ અત્યંત સ્પષ્ટ Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૧૧ હોવા છતાં એકાંત નિશ્ચયવાદી જીવ ઉપાદાનકારણને જ કારણ તરીકે એકાંતે પકડે છે, નિમિત્તનું કોઈ પ્રયોજન જ નથી એમ માની શુભ નિમિત્તોને તજે છે. શાસ્ત્રોનો મર્મ પોતાની મતિકલ્પનાએ સમજી-નિર્ધારી, શાસ્ત્રની અપેક્ષા સમજ્યા વગર નિશ્ચયનયનાં કથનો ગોખીને તે એમ માને-મનાવે છે કે “આત્મા પોતે જ પોતાનો ગુરુ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી કોઈ અન્ય વ્યક્તિને ગુરુ બનાવવાની આવશ્યકતા નથી', આત્મકલ્યાણ જીવે જાતે કરવાનું છે, તેથી ગુરુની કાંઈ જરૂર નથી', કેવળજ્ઞાન આત્મામાં છે, તેમાંથી જ બધું પ્રગટ થશે' વગેરે. આવી અનેક માન્યતાઓથી ગ્રસિત થઈ તે સદ્ગુરુની આજ્ઞા આદિ શુભ નિમિત્તોનું અવલંબન છોડી દે છે અને સ્વચ્છેદે ચઢી જઈ મોહદશામાં બૂડે છે. શાસ્ત્રમાં કોઈક અપેક્ષાએ એવી વાત આવે છે કે જીવે અનેક વાર તીર્થંકર પ્રભુની વાણી શ્રવણ કરી, અનેક વાર તેને જ્ઞાની પુરુષનો યોગ થયો, છતાં તેનું કલ્યાણ થયું નહીં. આવી વાત કોઈ એકાંતે ગ્રહણ કરી એમ માને કે ગુરુ આદિ નિમિત્તોની જરૂર નથી, તો તે કેવળ અયથાર્થ છે, સ્વછંદપૂર્ણ અભિપ્રાય છે. શાસ્ત્રોનો પરમાર્થ સમજ્યા વિના જે જીવ ઉપાદાનની વાતો કરે છે અને નિમિત્તનો નિષેધ કરે છે તેને સિદ્ધપર્યાય પ્રગટતી નથી. ઉપાદાનનું નામ લઈ, એટલે કે ઉપાદાનની મહત્તા દર્શાવનારાં વાક્યોને માત્ર ધારી રાખી જે મતાથી જીવ શુભ નિમિત્તોને તજે છે તેની મિથ્યાત્વદશા ટળતી નથી. ઉપદેશબોધ પરિણમ્યા પહેલાં જો જીવ સૈદ્ધાંતિક જ્ઞાન મેળવે તો તે અવળું પરિણમે છે. શાસ્ત્રો વાંચીને જીવ “આત્મા, આત્મા' કરે, પણ સદ્ગુરુ દ્વારા તેનું રહસ્ય પામ્યો ન હોવાથી યથાર્થ આરાધનના અભાવે તે સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતો નથી અને ભ્રાંતિમાં જ રહે છે. એવા જીવોને ચેતવણી આપતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે – તેહ કહે “ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબધે શું કીજે રે? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીકે રે”. નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુકુલવાસો રે; કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનય ખાસો રે. નિત્યે ગુરુકુલ વાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે; તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું રાખ્યું રે. દશવૈકાલિક ગુરુશુશ્રુષા, તસ નિંદા ફલ દાખ્યા રે; આવંતિમાં દ્વહસમ સગુરુ, મુનિકુલ મચ્છસમ ભાખ્યા રે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ગુરુદૃષ્ટિ અનુસારે રહેતાં, લહે પ્રવાદ પ્રવાદે રે; એ પણ અર્થ તિહાં મન ધરિયે, બહુગુણ સુગુરુ પ્રસાદે રે.૧ - પ્રબળ નિમિત્તના અવલંબન વિના સીધેસીધું સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ દુષ્કર છે. જેમને આત્મસ્વરૂપ પ્રગટ્યું એવા જ્ઞાનીપુરુષના અવલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. નિમિત્તના આલંબન વિનાનું અધ્યાત્મસ્વરૂપચિંતવન તો ઉત્તમ અધિકારી જીવો માટે છે. તેવી દશા આવ્યા પહેલાં અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, અધ્યાત્મસ્વરૂપચિંતનની માત્ર વાતો કરવામાં અનેક પતનસ્થાનો રહેલાં છે. તેનાથી જીવને વ્યામોહ ઊપજે છે. પોતાની ઉત્તમ આત્મદશા થઈ ન હોવા છતાં પોતાની તેવી દશા છે એવી ભ્રાંતિ ઊપજે છે. ભક્તિરસની આર્દ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે. તેનામાં શુષ્કજ્ઞાનીપણું ઊપજે છે, સ્વચ્છંદાચારીપણું ઉત્પન્ન થાય છે અથવા જ્ઞાનના અજીર્ણરૂપ - અપરિણમનરૂપ ઉન્મત પ્રલાપ થાય છે. તેનામાં કૃત્રિમતા, દાંભિકતા આદિ દોષો ઊપજે છે. આમ, અનેક પ્રકારના દોષો નિજમતિથી કરેલા અધ્યાત્મચિંતનમાં સંભવે છે, પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કોઈ પણ દોષની સંભાવના રહેતી નથી અને સરળતાથી અધ્યાત્મગુણશ્રેણીએ આરોહણ થતું જાય છે. આ વાતને શ્રીમા શબ્દોમાં જોઈએ ‘સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણમોહ ગુણસ્થાનપર્યંત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે.'૨ જિનાગમમાં જ્યાં જ્યાં વસ્તુના સ્વરૂપનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં વસ્તુને સદા સ્વતંત્ર બતાવવામાં આવી છે. જગતમાં રજકણથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જડ-ચેતન પદાર્થોને સ્વતંત્ર બતાવવામાં આવ્યા છે. આ વિશ્વમાં પ્રત્યેક દ્રવ્ય સ્વાવલંબી છે. સ્વતંત્રતા એ પ્રત્યેક પદાર્થનો સ્વભાવ છે. સ્વતંત્રતા એ તેનું સહજ સ્વરૂપ છે. આ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ પ, કડી ૮૦-૮૪ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૨ (આંક-૭૫૩) Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૧૩ જગતમાં એક પદાર્થ બીજા પદાર્થનું કશું કરી શકે એમ નથી. કોઈ પણ વસ્તુ પોતાથી ભિન્ન એવી બીજી કોઈ પણ વસ્તુમાં કંઈ પણ કરી શકતી નથી. દરેક વસ્તુ સતું હોવા સાથે સતત પરિણમનશીલ પણ છે. દરેક વસ્તુ ગુણપર્યાયવાન છે. દરેક દ્રવ્યનાં, સ્વયંનાં પોતપોતાનાં ગુણો, ગુણવત્તા, શક્તિઓ, યોગ્યતાઓ હોય છે તથા તે દ્રવ્યો પોતપોતાનાં ગુણ-શક્તિઓમાં નિરંતર પલટાતાં જ રહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણોમાં પરિપૂર્ણ છે. બીજા કોઈના પણ હસ્તક્ષેપ વગર, તે પ્રત્યેક સમયે પોતાના ગુણોની પૂર્વ અવસ્થા છોડીને, નવીન નવીન અવસ્થાઓને નિરંતર કરતાં કરતાં અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન રહ્યું છે અને અનંત કાળ સુધી એવી રીતે વિદ્યમાન રહેશે. એવો કોઈ પણ સમય નથી આવતો કે કોઈ પણ દ્રવ્ય પોતાનો આ ક્રમ છોડી દે, અર્થાત્ એક સમય માટે પણ તેનું પરિવર્તન અટકી જાય. જો આમ થાય તો દ્રવ્યનો સ્વભાવ નષ્ટ થઈ જાય, પરંતુ આમ બનવું ક્યારે પણ સંભવતું નથી. દ્રવ્યના સ્વભાવનો ક્યારે પણ નાશ ન થઈ શકે. કોઈ પણ દ્રવ્યના પરિવર્તનમાં અન્ય દ્રવ્યોના હસ્તક્ષેપની કોઈ અપેક્ષા નથી. દરેક દ્રવ્ય પોતાની પર્યાયનો સ્વામી હોવાથી, દરેક દ્રવ્યની પોતાની પર્યાય, દરેક સમયે તે દ્રવ્યને જ આધીન છે. તેની કોઈ પણ પર્યાય બીજા કોઈ દ્રવ્યને આધીન નથી. જ્યાં જીવને પરાધીન કહેવામાં આવે છે ત્યાં તેનો અર્થ એમ નથી કે પરદ્રવ્ય તેને આધીન કરે છે, પણ ત્યાં એમ કહેવાનો આશય છે કે જીવ પોતે પરદ્રવ્યને આધીન થાય છે. જીવ પરને આધીન થાય છે અને તે પણ સ્વતંત્રપણે થાય છે. જીવ સ્વતંત્રપણે સ્વયં જ નિમિત્તાધીન થઈ પરિણમન કરે છે, કોઈ પરદ્રવ્ય તેને પરાધીન કરતું નથી. પરદ્રવ્યો કે તેની કોઈ પર્યાય જીવને કદી પણ આશ્રય આપી શકે નહીં, તેને હેરાન કરી શકે નહીં, તેને સુખી-દુઃખી કરી શકે નહીં. પરદ્રવ્યનું પરિણમન કોઈ પણ જીવને સુખી-દુઃખી કરી શકે એ માન્યતા જૂઠી છે. તેનામાં જીવને સુખ-દુઃખ આપવાની છે જ નહીં. પરદ્રવ્યનું પરિણમન એ બાહ્ય ઘટના છે. બાહ્ય ઘટના હોવાથી જીવની સાથે તેનો કોઈ સંબંધ નથી. બીજાની ક્રિયા સાથે જીવને કોઈ સંબંધ નથી. સુખી-દુઃખી થવું એ તેની પોતાની જ પસંદગી છે. જીવ પોતાના જ કારણે સુખી-દુઃખી થાય છે. જીવનાં અજ્ઞાન, મમત્વ તેમજ ઊંધી માન્યતાના કારણે તેને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. સંયોગી પદાર્થો પ્રત્યે જેટલો મોહ કરે તેટલો તે સુખી-દુઃખી થાય. સંયોગી પદાર્થોની દષ્ટિ છોડીને અસંયોગી જ્ઞાનસ્વરૂપ આત્મા ઉપર દૃષ્ટિ કરે અને તેમાં એકાગ્રતા કરે તો સુખ-દુઃખ ન થાય. જીવ અંતરના ભાન વડે જાગૃત રહે અને મોહ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ન કરે તો તેને સુખ-દુ:ખ ન થાય, તેથી પરદ્રવ્યના કારણે સુખ-દુ:ખ નથી, પરપદાર્થ પ્રત્યેનો મોહ જ સુખ-દુઃખનું કારણ છે. જો ૫૨૫દાર્થમાં સુખ કે દુઃખ આપવાની ક્ષમતા હોય તો સર્વ જીવોને એકસરખું સુખ કે દુઃખ કેમ થતું નથી? જો સુખ-દુઃખ પરપદાર્થજન્ય હોય તો સર્વને સમાન સુખ કે દુ:ખ થવું જોઈએ, પણ એમ નથી થતું. જેને જેટલો મોહ હોય, તેને તેટલું સુખ કે દુઃખ થાય છે. આમ, કોઈ પણ દ્રવ્ય કે તેની કોઈ પણ પર્યાય અન્ય દ્રવ્યને પરાધીન કે પરતંત્ર બનાવતાં નથી, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શકે નહીં એવી વસ્તુસ્થિતિ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી, સાધક જીવ શાતા-અશાતા, લાભ-અલાભ, માન-અપમાન આદિ પ્રસંગમાં ‘પરમાં થતાં પરિવર્તનથી આત્માને કંઈ લાભ-નુકસાન નથી, જડ અને ચેતન બન્ને દ્રવ્ય સાવ સ્વતંત્ર છે' એવા ભાનપૂર્વક શાંત સ્વીકાર કરી મોક્ષમાર્ગે આગળ વધે છે. તે ચિત્તને સંકલ્પ-વિકલ્પમાં જતું રોકી, ઉપયોગને સ્વમાં વાળી પોતાનો આત્મવિકાસ વેગવાન બનાવે છે. તે જાગૃતિપૂર્વક પરથી પોતાની ભિન્નતાનું ભાન દેઢ કરી, ચિત્તને સંકલ્પ-વિકલ્પથી ઉત્તરોત્તર અધિકાધિક મુક્ત કરતો જઈ સ્વમાં ઠરતો જાય છે. સાધક જીવ પહેલાં બહારમાં ફેરફાર કરી સુખ-શાંતિ મેળવવા ઇચ્છતો હતો, પરંતુ જ્ઞાની ભગવંતોના બોધ દ્વારા તેને સમજાય છે કે “મારાં સુખ-શાંતિને બાહ્ય પરિવર્તન સાથે કોઈ સંબંધ નથી', તેથી તે બાહ્ય સંયોગોનો શાંત સ્વીકાર કરે છે. હવે તે બહારમાં કંઈ પણ પરિવર્તન ઇચ્છતો નથી. તે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે છે અને અન્યથા કરવાની આકાંક્ષા ઊઠવા પણ દેતો નથી. તેને કોઈ પણ સંયોગ પ્રત્યે અસ્વીકારનો ભાવ નથી જાગતો. જે બને છે તે યોગ્ય જ બને છે એમ સ્વીકારી, તેના પ્રત્યે ફરિયાદનો કોઈ પણ ભાવ લાવતો નથી. સાધક જીવને આવું શાંત સ્વીકારનું વલણ હોય છે. શાંત સ્વીકારના અભાવમાં પ્રતિકૂળતા વખતે ફરિયાદ ઊઠે છે અને બહારમાં કંઈક પરિવર્તન કરવાની વૃત્તિ રહ્યા કરે છે. એક જાતની તણાવગ્રસ્ત સ્થિતિ રહે છે. ઉપયોગ ઉત્તેજિત થઈ બહાર ભમે છે અને કંઈક કરવું છે એવા કર્તુત્વભાવમાં તે રહે છે. જો શાંત સ્વીકાર થાય તો ફરિયાદ ઊઠવાનો અવકાશ રહેતો નથી, પરિવર્તનની વૃત્તિ જાગતી નથી; અને પરિણામે કંઈ પણ કરવાનું રહેતું નથી, માત્ર જાણવાનું જ રહે છે. કર્તા-ભોક્તાપણાના વિકલ્પો વિરામ પામે છે અને જીવ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં પ્રવેશ કરે છે. શાંત સ્વીકારના અભ્યાસથી જીવ જ્ઞાયકભાવમાં રહે છે. આ રીતે ‘પરદ્રવ્યથી પોતાને કંઈ લાભ કે હાનિ નથી' આદિ સિદ્ધાંતોનો પ્રયોગ રોજિંદા જીવનવ્યવહારમાં શાંત સ્વીકારના અભ્યાસ અર્થે કરવો જોઈએ. પ્રાપ્ત પરિસ્થિતિમાં Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૧૫ આવાં કથનોના આધારે શાંત સ્વીકાર કરી; સુખ-દુઃખ, માન-અપમાન વગેરે દ્વન્દ્રોની અસરથી જીવ પોતાના ચિત્તને જેટલા અંશે મુક્ત રાખી શકે તેટલા અંશે નિશ્ચયનયનાં કથનો તેના અંતઃકરણમાં સ્થાન પામ્યાં ગણાય. પરંતુ વિવેકશૂન્ય જીવ નિશ્ચયનયનાં આવાં કથનોનાં અવલંબન લઈને રાગ-દ્વેષનો ક્ષય કરવાને બદલે, એના આધારે જાણ્યેઅજાણે પોતાના પ્રમાદ અને ભોગોપભોગનો બચાવ કે પોષણ કરતો રહે છે. નિશ્ચયનયનાં કથનોની અપેક્ષા સમજ્યા વિના નિશ્ચયનયનાં કથનોની અધૂરી સમજના કારણે તે માત્ર શબ્દોને પકડી રાખી જીવનમાં સંયમ કે નિયંત્રણની ઉપેક્ષા કરતો થઈ જાય છે. નિશ્ચયનયનાં વચનોથી ભ્રમિત થઈ, જીવનમાં સંયમને કે તેના માટેના પ્રયત્નોને અનાવશ્યક ગણી, તે સાચા સાધનામાર્ગથી દૂર થતો જાય છે. દ્રવ્યસ્વતંત્રતાના સિદ્ધાંતની યથાર્થ અને ગહન સમજણ વિના જીવ આ રીતે મોક્ષમાર્ગથી ચુત થઈ જાય છે, તેથી તે સિદ્ધાંતને તેના ગહન મર્મ સાથે સમજવો જરૂરી છે. જિનાગમમાં આત્માને સ્વાધીન કહ્યો છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી એમ દર્શાવ્યું છે તે દ્રવ્યસ્વભાવની ઓળખાણ કરાવવા માટે છે; પણ ઉપકારી નિમિત્તોનો નિષેધ કરવાનું તો કોઈ સત્શાસ્ત્રમાં કહ્યું નથી. જે જિનવાણીમાં એમ કહ્યું છે કે નિમિત્ત ઉપાદાનમાં કંઈ નથી કરતું, ઉપાદાનના કાર્યમાં નિમિત્ત સર્વથા અકર્તા છે; તે જ જિનવાણીમાં એમ પણ કહ્યું જ છે કે નિમિત્ત વિના ઉપાદાનમાં કાર્ય થતું નથી. કાર્ય સંપન્ન થતી વખતે અનુકૂળ નિમિત્ત હાજર હોય જ છે. જેમ કે દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય વિના સમ્યગ્દર્શન નથી થતું; યથાયોગ્ય નિમિત્ત વિના કોઈ પણ વસ્તુનું પરિવર્તન થવું સંભવતું નથી. નિમિત્તવિહીન કોઈ પણ કાર્ય વિશ્વમાં કશે પણ જોવા મળતું નથી. યોગ્ય નિમિત્તના સંયોગમાં જ દરેક વસ્તુ પરિવર્તિત થાય છે. આવું જોવા છતાં નિમિત્તને ટાળવાનો, તેનો અસ્વીકાર કરવાનો પ્રયત્ન તે મિથ્યા આગ્રહ છે; તેથી નિમિત્તનો નિષેધ કરવાને બદલે તેનો યથાયોગ્ય સ્વીકાર કરવા યોગ્ય છે. નિમિત્તના સ્વીકારથી દ્રવ્યસ્વતંત્રતાનો સિદ્ધાંત ખંડિત થતો નથી, કેમ કે નિમિત્તની હાજરી આવશ્યક છે, પણ કાર્ય તો ઉપાદાન જ કરે છે, નિમિત્ત કંઈ તેના ઉપર જબરદસ્તી કરતું નથી. ‘જડ અને ચેતન બને તદ્દન સ્વતંત્ર દ્રવ્ય છે', પણ આના ઉપરથી એમ સમજવું નહીં કે ચેતનદ્રવ્ય જડને સહાયક ન બને અને જડદ્રવ્ય ચેતનને સહાયક ન બને. “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એ વાત સત્ય છે, પણ એનો અર્થ એમ નથી થતો કે તે બન્ને એકબીજાને મદદરૂપ ન બની શકે; તેનો અર્થ છે - એક દ્રવ્યમાં રહેલાં ગુણ-પર્યાયો પલટાઈને બીજા દ્રવ્યમાં જતાં નથી અને બીજા દ્રવ્યમાં રહેલાં ગુણપર્યાયો પલટાઈને પહેલા દ્રવ્યમાં આવી જતાં નથી. જડ પોતાના ગુણોને આત્માના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ગુણો બનાવી શકતું નથી અને આત્મા પોતાના ગુણોને જડના ગુણો બનાવી શકતો નથી. જડ પુદ્ગલોમાં સ્પર્શ-રસ-ગંધ-રૂપ આદિ ગુણો છે, જ્યારે જીવમાં જ્ઞાન-દર્શનચારિત્ર આદિ ગુણો છે. જડ પુદ્ગલો પોતાનામાં રહેલાં સ્પર્શ, રસ, ગંધ, રૂપને આત્માના ગુણો કરી શકતું નથી અને આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોને જડના ગુણો બનાવી શકતો નથી. આત્મા સાથે કર્મ કે અન્ય પુદ્ગલનો સંયોગ થતાં જડ અને ચેતનનું કોઈ નવા જ દ્રવ્યમાં રૂપાંતર થઈ જતું નથી. ન આત્મપ્રદેશો તેના જ્ઞાન-આનંદાદિ ગુણો ખોઈ બેસે છે કે ન પુદ્ગલપરમાણુઓ સ્પર્શરસ-ગંધ-રૂપથી વિહીન બની જાય છે. જડ અને ચેતન બન્ને દ્રવ્ય પરસ્પર પોતાનાં ગુણ-પર્યાયની અદલાબદલી કરતાં નથી, તે છતાં એકબીજાના સહાયક જરૂર થઈ શકે છે. વ્યવહારની ભૂમિકાએ ‘એ બન્નેના સંયોગનું કંઈ પરિણામ નથી' એમ માનવું એ મોટી ભૂલ છે, ભ્રાંતિ છે. રોજિંદા જીવનમાં એવાં અસંખ્ય દષ્ટાંતો જોવા મળે છે કે જ્યાં બે દ્રવ્યના સંયોગનું પરિણામ સ્વીકારીને વ્યવહાર કરાય છે. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થશે. પાણીમાં સાકર નાખતાં તે થોડી વારમાં ઓગળી જાય છે. તે પછી સાકરનું જુદું અસ્તિત્વ વર્તાતું નથી, પણ પાણી ગળ્યું લાગે છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે સાકર પાણીમાં ઓગળીને અદૃશ્ય થઈ જાય છે અને પાણી ગળ્યું થાય છે, ત્યારે પણ સાકરના અણુઓ અને પાણીના અણુઓ તો જેવા છે તેવા જ રહે છે, ભિન્ન જ રહે છે; અર્થાત્ એ બન્નેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તેનું કોઈ નવા સંયોગી દ્રવ્ય(સંયોજન compound)માં રૂપાંતરણ થતું નથી. નિશ્ચયનયની પરિભાષામાં આ વાત કરવામાં આવે તો એમ કહેવાય કે પાણી અને સાકર બન્ને સ્વતંત્ર પદાર્થ છે. બન્ને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. પાણી ઉપર સાકરની કોઈ અસર થતી નથી કે ન સાકર ઉપર પાણીની કોઈ અસર થાય છે. પાણીમાં સાકર નાખો કે મીઠું નાખો, પાણી તો એ બન્નેથી અસ્પૃષ્ટ જ રહે છે. પાણીમાં સાકર ભળે કે મીઠું ભળે, રાસાયણિક દૃષ્ટિએ પાણી તો એ બન્નેથી અસ્પૃષ્ટ જ રહે છે. આ વાત સાચી હોવા છતાં રોજિંદા વ્યવહારમાં દરિયાનું પાણી સહજ ભાવે કોણ પીશે? એ જ રીતે ઠંડું પાણી, ઊકળતું પાણી, વરાળ અને બરફ એ ભેદોનો પણ વ્યવહારમાં સ્વીકાર થાય છે, પણ રસાયણશાસ્ત્રીની દૃષ્ટિએ એ ચારમાં કશો ફરક નથી. રસાયણશાસ્ત્રીને મન એ ચારે H2O - પાણી છે. દરેકે દરેકના અણુમાં હાઈડ્રોજનનાં બે પરમાણુ અને ઑક્સિજનનું એક પરમાણુ છે, તેથી તાત્ત્વિક દૃષ્ટિએ એ બધાં ‘પાણી’ જ છે. તે છતાં વ્યવહારમાં પાણી, વરાળ અને બરફનો ભેદ લક્ષમાં રાખી, તેના ઉપયોગમાં વિવેક વાપરવો પડે છે. રેલ્વેએંજિન દોડાવવા માટે વરાળ જ Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૧૭ જોઈશે અને આઇસક્રીમ બનાવવા માટે બરફની જ જરૂર પડશે. વસ્તુના નિશ્ચિત સ્વરૂપની જેમ વસ્તુનું વ્યવહારુ સ્વરૂપ પણ છે. શાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ બને નયથી બતાવવામાં આવ્યું છે. જો કોઈ જીવ એક નયને એકાંતે વળગી પડે તો તેને મિથ્યાત્વનો દોષ લાગે છે. શુદ્ધ નિશ્ચયનય વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે, જ્યારે વ્યવહારનય વસ્તુનું વ્યવહારુ સ્વરૂપ જુએ છે. નિશ્ચયદષ્ટિ એ વસ્તુનું વાસ્તવ સ્વરૂપદર્શન છે, જ્યારે વ્યવહારદષ્ટિ એ વસ્તુનું પરદ્રવ્યના સંયોગની અપેક્ષાએ કરેલું દર્શન છે. જેમ કે નિશ્ચયદૃષ્ટિથી આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અસંગ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે; તો વ્યવહારદૃષ્ટિથી સંસારી આત્મા અશુદ્ધ, અબુદ્ધ, કર્મથી બદ્ધ, શરીરાદિથી યુક્ત છે. નિશ્ચયનય વસ્તુના યથાર્થ સ્વરૂપનું દર્શન કરતું હોવાથી અભેદભર્શન છે. જેમ કે કમરહિત દૃષ્ટિએ જીવમાત્ર સમાન છે. વ્યવહારનય પરદ્રવ્યના સંયોગ સહિતનું દર્શન કરતું હોવાથી ભેદદન છે. જેમ કે કર્મયુક્ત અવસ્થાની દૃષ્ટિએ સર્વ જીવ અસમાન છે. બન્ને દૃષ્ટિ સાચી પણ છે અને ખોટી પણ છે. પોતપોતાના સ્થાને અને પોતપોતાની અપેક્ષાએ તે સાચી છે, પણ અન્યના સ્થાને કે અન્યની અપેક્ષાએ નહીં. નિશ્ચયદૃષ્ટિથી વ્યાવહારિક સ્વરૂપ મિથ્યા છે. વ્યવહારદષ્ટિથી નિશ્ચયસ્વરૂપ મિથ્યા છે. નિશ્ચયની દષ્ટિએ વ્યવહાર અસત્ય છે, તો વ્યવહારની દૃષ્ટિએ નિશ્ચય પણ એટલો જ અસત્ય છે. નિશ્ચયનયની દષ્ટિએ જીવની અસમાનતાનો વિચાર સત્ય નથી અને વ્યવહારદષ્ટિએ જીવની સમાનતાનો વિચાર સત્ય નથી. સ્યાદ્વાર દર્શન તો બન્ને વિચારનું સમન્વયસાધક દર્શન છે. બન્ને વિચારધારાને જિનશાસ્ત્રોમાં રજૂ કરીને એનો સમન્વય કરવામાં આવેલો છે. સ્યાદ્વાદને બને નય માન્ય છે. તે બન્નેનું મૂલ્ય જાણે છે. તે જેમ વસ્તુના નિશ્ચિત સ્વરૂપને સાચું માને છે, તેમ વસ્તુના વ્યવહારુ સ્વરૂપને પણ તે એટલું જ સાચું માને છે. - જો ગુરુ અને શિષ્યની દશામાં અંતર જોવામાં આવે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ભેદ સ્વીકારવામાં આવે, ડૉક્ટર અને દર્દી વચ્ચેનો તફાવત સ્વીકારવામાં આવે, પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદ પાડવામાં આવે, માતા અને પત્ની તરફના વ્યવહારમાં ભેદ રાખવામાં આવે તો ત્યાં વ્યવહારનયનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો નિશ્ચયને સર્વથા સત્ય સ્વરૂપ કહેવામાં આવે અને વ્યવહારને સર્વથા અસત્ય કહેવામાં આવે તો ભયાનક અવ્યવસ્થા ઊભી થાય. જો બધા જીવ સમાન જ છે એ નિશ્ચયદષ્ટિનું સત્ય જ માત્ર સત્ય હોય, પુરુષ-સ્ત્રીનો ભેદ જો અસત્ય જ હોય તો બહ્મચર્યની નવ વાડનું કથન જ્ઞાનીઓએ શા માટે કર્યું? ગુરુ-શિષ્યનો ભેદ જો અસત્ય હોય તો વિનય, ભક્તિ આદિને સાધનામાં શા માટે મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે? જો બધું જ પુદ્ગલ હોય તો લીમડો કડવો શા માટે લાગે છે અને સાકર મીઠી શા માટે લાગે છે? બીમાર Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યક્તિને વૈદ્ય અમુક જ ઔષધ શા માટે આપે છે? દૂધમાં ઘી તત્ત્વનો સ્વીકાર હોવા છતાં રોટલી ઉપર શા માટે કોઈ દૂધ ચોપડતું નથી? જગતના વ્યવહારમાં જે બનતું જોવા મળે તેને વ્યવહારનય સ્વીકારે છે, તેથી એના મત અનુસાર તો આત્મા ઉપર પરવસ્તુની અસર થાય છે. આત્મા અમૂર્ત હોવા છતાં તેના ઉપર મૂર્તિની અસર અનુભવાય છે તો પછી તેનો અસ્વીકાર કેમ થઈ શકે? નીચેનાં કેટલાંક ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ સમજાશે - ૧) દારૂ આદિ જડ પદાર્થો માણસને ગાંડોતુર બનાવે છે. ૨) હાલતા-ચાલતા માણસને જડ એવું ક્લોરોફોર્મ સૂંઘાડવાથી તે નિશ્ચષ્ટ બને છે અને તે પછી ડૉક્ટરો એના શરીરના કોઈ ભાગને ચીરે તોપણ એને તે વખતે વેદના થતી નથી. આ રીતે ક્લોરોફોર્મ ચૈતન્યને ઘણા અંશે તિરોહિત કરી શકે છે. ૩) જો સારી આંખવાળો અને નરસી આંખવાળો ચશ્મા પહેરે તો અનુક્રમે પદાર્થના સ્પષ્ટ પ્રતિભાસમાં એકને જડ એવા ચશ્મા પ્રતિબંધક બને છે, અસ્પષ્ટ પ્રતિભાસ કરાવે છે; જ્યારે બીજાને સ્પષ્ટ પ્રતિભાસમાં ઉત્તેજક બની, અધિકતર સ્પષ્ટ પ્રતિભાસ કરાવે છે. આ રીતે જડ એવા ચશ્મા પદાર્થના સ્પષ્ટ પ્રતિભાસમાં ઉપઘાતક બને છે અથવા તો અનુગ્રહ કરે છે. ૪) સંસારી જીવો કર્મની પરતંત્રતા અનુભવે છે. આત્માના અમર્યાદ અને અખંડ જ્ઞાનસુખસામર્થ્યનો અનુભવ તેમને થતો નથી. આત્મા અનંત જ્ઞાનનો સ્વામી હોવા છતાં, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેનો જ્ઞાન ગુણ સીમિત રહે છે. જડ એવાં જ્ઞાનાવરણીય કર્મો જ્ઞાન ગુણને ઢાંકે છે. ૫) તેરમા ગુણસ્થાનકે રહેલ વીતરાગપરમાત્માને પણ આયુષ્ય કર્મનો અંત ન આવે ત્યાં સુધી કાયામાં રહેવું પડે છે. કેવળી થતાંની સાથે જ મુક્તપણે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થવાને બદલે તે વીતરાગી પરમાત્માને પણ દેહપ્રમાણ અવગાહનામાં જ અને તે પણ જ્યાં દેહ હોય તેટલા જ આકાશપ્રદેશોમાં વસવું પડે છે. ઉપર્યુક્ત સર્વ દષ્ટાંતો એ વાતને સિદ્ધ કરે છે કે વ્યવહારની ભૂમિકાએ આત્મા ઉપર પરની અસર છે. અમૂર્ત આત્મા ઉપર મૂર્ત પદાર્થની થતી અસરોને વ્યવહારનય સ્વીકારે છે. જડ અને ચેતનનો દૂધ અને પાણીની જેમ એકરૂપ થઈ જવા સુધીનો સંબંધ વ્યવહારસિદ્ધ છે, માટે એ સંબંધને વ્યવહારનય સ્વીકારે જ છે. વળી, જડચેતનના સંબંધથી ચેતન ઉપર જડની અસરો પણ થતી જોવા-અનુભવવા મળે છે અને તે અસરોને વ્યવહારનય સ્વીકારે પણ છે. જડ-ચેતનનો સંયોગ અને એના કારણે જડની આત્મા ઉપર થતી અસરો વ્યવહારસિદ્ધ છે, માટે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૧૯ હા, એ વાત ચોક્કસ કે આત્મા કદી જડ બની જતો નથી, તેમ જડતત્ત્વ કદી આત્મા બની જતું નથી. તેવી જ રીતે એકબીજાના ગુણોનો ક્યારે પણ એકબીજામાં સંક્રમ થતો નથી. થાય જ્યાં સુધી જીવમાં સ્વમાં પૂર્ણપણે ઠરવાનું સામર્થ્ય પ્રગટ્યું નથી, ત્યાં સુધી તેના ઉપર પરદ્રવ્યની અસર થાય છે. જ્યારે પૂર્ણપણે આત્મા નિજસ્વરૂપમાં સ્થિત થાય છે ત્યારે તેના ઉપર પરદ્રવ્યની કાંઈ પણ અસર થતી નથી. શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયા પછી તેના ઉપર પરદ્રવ્યની અસર રહેતી નથી. તે સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી પરદ્રવ્ય આત્માના વિકાસમાં સહાયક તેમજ વિકાસરૂંધનમાં પણ સહાયક થાય છે. જેમ કે ઘરના ક્લેશ, અજંપા અને વિકલ્પોથી ભરેલાં વાતાવરણ કરતાં મંદિરનું દિવ્ય, શાંત, પવિત્ર વાતાવરણ શાંતિની સાધનામાં વિશિષ્ટ રીતે સહાયક નીવડે છે એ અનુભવસિદ્ધ તથ્ય છે. આ રીતે નિમિત્ત મદદરૂપ બને છે. નિમિત્ત પ્રગતિ કરવામાં કે પીછેહઠ કરવામાં સહાય કરે છે એ વ્યવહા૨કથન છે. વાસ્તવમાં જીવ સ્વતંત્રપણે તેને આધીન થઈ તે પ્રમાણે પરિણમે છે. નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારથી એમ કહેવાય છે કે નિમિત્તે આ કર્યું છે. જીવે એ સમજવું ઘટે કે પરની, અર્થાત્ નિમિત્તોની કોઈ અસર આત્મા ઉપર થતી નથી એ નિશ્ચયનયના કથનને આગળ કરી, વ્યવહારનયથી પણ પરની આત્મા ઉ૫૨ કોઈ અસર નથી એમ માની લઈ, જીવનમાં યમ-નિયમ-સંયમની ઉપેક્ષા કરવી અથવા શુભાશુભ નિમિત્તો વચ્ચે પસંદગી કરવાનું માંડી વાળવું એ આત્મવિકાસનો માર્ગ નથી. નિશ્ચયનયથી આત્મા અને ૫ વચ્ચે ભલે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય, પણ વ્યવહારની ભૂમિકાએ આત્મા ઉ૫૨ પરદ્રવ્યની અસર થાય છે અને તેથી વ્યવહારની ભૂમિકાએ નિમિત્તોની પસંદગી કરવાની જરૂર રહે જ છે. - જ્યાં સુધી મનોજ્ઞ-અમનોજ્ઞ નિમિત્તોથી જીવના ચિત્તમાં ગમા-અણગમાના, હર્ષશોકના ભાવો ઊઠતા હોય અને જ્યાં સુધી તે પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ અર્થે ઉપલબ્ધ સામગ્રીમાં પસંદગીનું ધોરણ અપનાવતો હોય, ત્યાં સુધી આત્મવિકાસ અર્થે પણ પ્રાપ્ત નિમિત્તોમાં તેણે પસંદગીનું ધોરણ અપનાવવું જોઈએ. ભોજન કરતી વખતે પોતાની રુચિ મુજબનાં બાહ્ય વાતાવરણ, સ્થળ, વાનગીઓ વગેરેની પસંદગી જ્યાં સુધી જીવ કરતો હોય, ત્યાં સુધી તે પરિનિમિત્તોની પોતાને કંઈ અસર થતી નથી' એ વાત તે કેવી રીતે કરી શકે? પરથી પોતાને કંઈ લાભ-હાનિ નથી' એ ભાવ જો તેના અંતઃકરણમાં દૃઢ થયો હોય તો આવી પસંદગીનો પ્રશ્ન જ રહેતો નથી. ખરેખર તો તે બહારથી નિશ્ચયનયના વિષયભૂત ઉપાદાનની વાત કરે છે, પણ તેને અંતરમાં સંસારની જ રુચિ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવની રુચિ જ જીવને તે કાર્યની પ્રેરણા આપે છે. ધનોપાર્જનની રુચિ હોય તો જીવ તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. તે ધનોપાર્જનમાં સહાયક નિમિત્તોને મેળવવાનો પ્રયત્ન કરે છે અને તેનાં બાધક નિમિત્તોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. વિષયભોગની રુચિ હોય તો પ્રાપ્ત ધનનો ઉપયોગ કરી અનુકૂળ વિષયસામગ્રીનો સંગ્રહ કરે છે અને તે ભોગના આધારભૂત શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના તેના પુરુષાર્થ ઉપરથી તેની અંતરંગ રુચિનો પરિચય મળે છે. હવે જો તેની રુચિ બદલાય અને તેનો પુરુષાર્થ શાંતિની પ્રાપ્તિ તરફ વળે, તો તે માટે શાંતિની પ્રાપ્તિને અનુકૂળ એવાં નિમિત્તોનું ગ્રહણ કરે છે તથા પ્રતિકૂળ નિમિત્તોનો ત્યાગ કરે છે. જેમ ધનોપાર્જનની રુચિ હોય ત્યારે તો તે તદનુસાર નિમિત્તોનું ગ્રહણ-ત્યાગ કરે છે, તેમ શાંતિની રુચિ જાગૃત થતાં તે ધર્મસાધનામાં સહાયક નિમિત્તોનું ગ્રહણ કરે તથા તેમાં બાધક નિમિત્તોનો ત્યાગ ન કરે તે કેવી રીતે શક્ય બને? ધર્મની સાચી રુચિ જાગી હોય તો જીવ તે દિશામાં અવશ્ય પુરુષાર્થ કરે છે. તે શક્તિ અનુસાર મન-વચન-કાયાને ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રવૃત્ત કરે છે. જીવ ધનોપાર્જનની દિશામાં નિમિત્તોનું ગ્રહણ-ત્યાગ કરતો રહે અને ધર્મની દિશામાં ઉપાદાનની વાતો કરી, નિમિત્તોની પસંદગી ન કરે તો તેને ધર્મની રુચિ છે જ નહીં એમ સિદ્ધ થાય છે. એ તો તેની પોતાની ચાલાકી છે. તે મનની અવળચંડાઈને ધાર્મિક શબ્દોના વાઘા પહેરાવે છે. જો તે સાંસારિક કાર્યોથી મુક્ત થઈ ધાર્મિક કાર્યોમાં યથાશક્તિ પ્રયત્ન કરે તો તેને ધર્મની સાચી રુચિ છે એમ કહી શકાય. સ્વરૂપલક્ષે નિમિત્તોની પસંદગી કરવાથી વિકલ્પોની નિવૃત્તિ થતી જાય છે. આ પુરુષાર્થના ફળ સ્વરૂપે લૌકિક દિશા તરફની તીવ્ર ધારા ધીરે ધીરે વિરામ પામતી જાય છે અને શાંતિદિશાગામી ધારા ધીરે ધીરે ઉદ્દીપ્ત થતી જાય છે. જીવ નિશ્ચિતપણે મોક્ષને પાત્ર થાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સુધી બાહ્ય નિમિત્ત અનુસાર પોતાનું ચિત્ત ગમા-અણગમાના ઝૂલે ચડતું હોય, ત્યાં સુધી સાધકે આત્મવિકાસ અર્થે સાધક-બાધક નિમિત્તો વચ્ચે પસંદગી કરવી શ્રેયસ્કર છે. નિમિત્તોની વિવેકપૂર્વક પસંદગી કરવામાં તેનું હિત સમાયેલું છે. નિમિત્તાધીન જીવે ધર્મભાવનાને પ્રેરક એવા સંયોગ, સ્થાનાદિનું સેવન કરવું જોઈએ અને રાગ-દ્વેષનાં પ્રેરક નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. એ ભૂમિકાએ જીવે સ્વરૂપાભિમુખ રહેવા માટે જેનાથી પોતાને સહાય મળતી હોય એવાં નિમિત્તોનો સંગ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જેનાથી રાગ-દ્વેષ, વાસના-વિકાર, વિષય-કષાય આદિ જાગૃત થતાં હોય તેવાં નિમિત્તોથી અળગા રહેવા સજાગ રહેવું જોઈએ, નહીંતર નિશ્ચયનાં વચનોનું અવલંબન તેને આત્મવંચનાના વમળમાં ગોથાં ખવડાવશે. શાસ્ત્રોમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૨૧ પણ કહ્યું છે કે સાધુએ ભીંત ઉપર અંકિત થયેલા નારીના ચિત્ર તરફ નજર પણ નાખવી નહીં. જો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનના માલિક બનેલા સર્વવિરતિધર સાધુને જડ એવું ચિત્ર વિચલિત કરી શકે એમ હોય તો તેનાથી નીચેના ગુણસ્થાનોમાં નિમિત્તના સંયોગની પસંદગી વખતે કેટલી બધી જાગૃતિ અભિપ્રેત છે! આ ઉપરથી નિમિત્તોની પસંદગીમાં સાધકે કેવી ચીવટ રાખવી જોઈએ તે સમજાય તેવું છે. ઉપરની ચર્ચામાં જેમ જડ અને ચેતન દ્રવ્યની સ્વતંત્રતા બાબત વ્યવહાર અને નિશ્ચયનયથી વિવરણ કર્યું, તે પ્રમાણે બે ચેતનદ્રવ્યોની સ્વતંત્રતા માટે પણ એ પ્રમાણે જ સમજવાનું છે. ઉપાદાન એ સ્વદ્રવ્ય છે અને નિમિત્ત એ પરદ્રવ્ય છે. સાધક એ સ્વદ્રવ્ય છે અને જિનેશ્વર ભગવાન કે સદ્ગુરુ એ પરદ્રવ્ય છે. જિનેશ્વર ભગવાનને સદ્ગુરુને ‘પરદ્રવ્ય’ના વિભાગમાં મૂકતાં જીવને ધક્કો લાગે છે. તેનાથી એ વાતનો સ્વીકાર થઈ શકતો નથી. દેવ-ગુરુને પરદ્રવ્ય’કહેતાં જાણે તેમનું અપમાન કરતા હોઈએ એવું લાગે છે. પરંતુ જ્ઞાનીપુરુષો સમજાવે છે કે ‘પર' એ કંઈ અપશબ્દ નથી. એ તો માત્ર વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરે છે. જેમ માતાને પરસ્ત્રી ગણવા છતાં તેના પ્રત્યેનો પ્રેમ, વિનય, આદર ઓછા નથી થતા; તેમ દેવ-ગુરુને પ૨ ગણતાં તેમના પ્રત્યેનો વિનય, પૂજ્યભાવાદિ પણ ઘટવા નહીં પામે. દેવ-ગુરુની ગણના પરદ્રવ્યમાં થતી હોવાથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એ નિશ્ચયનયના કથનના આધારે દેવ-ગુરુ પણ જીવનું કાંઈ કરી શકતા નથી. આ વાત સત્ય છે, પરંતુ તેની અપેક્ષા સમજ્યા વિના, તેની અધૂરી સમજના કારણે જીવ વિપરીત નિર્ધાર કરી, દેવ-ગુરુનું અવલંબન તજી, સ્વચ્છંદે પ્રવર્તી ભવભ્રમણ વધારે છે. જેને પરમાત્મા કે સદ્ગુરુ માટે ભક્તિ નથી, તેને શુદ્ધાત્મા પ્રત્યે પ્રેમ નથી આવતો, સાધના અંગે નિષ્ઠા નથી આવતી. તેના જીવનમાં સર્વત્ર ખાલીપો જ હોય છે. આ સ્થિતિમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય એ છે કે સ્વચ્છંદ ત્યજી, દેવ-ગુરુની આવશ્યકતા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. - પુષ્ટનિમિત્તરૂપ પ્રભુનું અવલંબન આત્માને સ્વરૂપારોહણ કરવાનો સુગમ ઉપાય છે. જેમ દીવાની ઉપાસના કરતાં વાટ દીવો બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા બને છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે. તેથી જ શ્રીમદ્ લખે છે ‘જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે; જેથી પોતાની સ્વરૂપદશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.” - સદ્ગુરુનું અવલંબન આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો અદ્ભુત મહિમા જ્ઞાનીઓએ અસંદિગ્ધ શબ્દોમાં દર્શાવ્યો છે. વિદ્યમાન સદ્ગુરુની પ્રાપ્તિ અને તેમની આજ્ઞાનું અવિચળ આરાધન એ જ સર્વ શાસ્ત્રનો સાર છે, સર્વ સંતનાં હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. સદ્ગુરુની આજ્ઞાથી જ સર્વ સાધન સફળ થાય છે. નિજમતિકલ્પનાએ ધર્મનો મર્મ નથી સમજાતો. પ્રત્યક્ષ સદ્ગુરુથી જ એ સમજાય છે. સદ્દગુરુનાં દર્શન, વંદન, સ્મરણ, ધ્યાન આદિ બહુમાનપૂર્વક કરવા તત્પર થનાર સાધક શુદ્ધાત્મસ્વરૂપને સાધવા સફળ બને છે. સદ્ગુરુના સત્સંગના સેવનથી જીવ આત્મસ્વરૂપમાં તન્મયતા સાધવા સમર્થ બને છે. ચિત્તવૃત્તિનું ચૈતન્યસત્તામાં જોડાણ તે નિશ્ચય સત્સંગ. તે માટે ચૈતન્યસત્તાનું સ્વરૂપ બતાવનાર, આત્માનો મહિમા સમજાવનાર, આત્માનુભવની પ્રેરણા આપનાર, આત્માનુભવી પુરુષોનો સમાગમ કરવો તે વ્યવહાર સત્સંગ છે. જેમ બરફના સંગથી પાણી શીતળ થાય છે, તેમ સદ્ગુરુના સંગથી શિષ્ય શાંત થતો જાય છે. સદ્દગુરુના સંગથી સ્વરૂપરુચિની ઉત્પત્તિ-વૃદ્ધિ થાય છે. નિશ્ચય સત્સંગના લક્ષે વ્યવહાર સત્સંગ કરવો જોઈએ, અર્થાત્ શુદ્ધાત્માના લક્ષે શુદ્ધાત્માના અનુભવી એવા સદ્ગુરુનો સમાગમ કરવો જોઈએ. શુદ્ધાત્માને પામવાનું નજીકમાં નજીકનું સ્થળ સદ્દગુરુ છે. શુદ્ધાત્મા સુધી પહોંચવાનું સૌથી નજીકનું દ્વાર સદ્ગુરુ જ છે. સદ્ગુરુ દ્વારા જીવ આત્મબોધ પામે છે. સદ્ગુરુના યોગમાં જીવ સજાગ થાય છે અને આ સજાગતા દ્વારા જીવનો મોક્ષમાર્ગ ખૂલતો જાય છે. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રત્યેનું તેનું વલણ બદલાય છે. તે અન્ય સંસારી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૦-૫૭૧ (આંક-૭૫૩) Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૨૩ જીવોથી જુદા જ પ્રકારે જીવવા લાગે છે. તેનામાં ગહન શાંતિ, મૌન અને આનંદની ઘટના ઘટિત થાય છે. સદ્ગુરુ જીવ ઉપર આવો મહદ્ ઉપકાર કરતા હોવા છતાં તેઓ ક્યારે પણ પરાધીનતાને પ્રોત્સાહન નથી આપતા. એક ઉદાહરણ વડે આ વાત સ્પષ્ટ થશે. એક યુવાન મોટરબાઇકના ગંભીર અકસ્માતમાં જમણો હાથ ગુમાવી બેઠો. તેને લગાતાર સિગારેટ પીવાની આદત હતી, તેથી હૉસ્પિટલમાં જ તેને ધૂમ્રપાન કરવાની તીવ્ર તલપ જાગી. તેણે ડાબા હાથે સિગારેટ મોંમાં મૂકી, પણ દીવાસળી સળગાવવા તો બે હાથની જરૂર પડે! દુ:ખી થઈ, લાચાર નજરે તેણે મદદ માટે નર્સ સામે જોયું. તેને મદદરૂપ થવા માટે કોઈ પણ વ્યક્તિ દીવાસળી સળગાવી સિગારેટ ઉપર ધરત, યુવાન ખુશ થઈ જાત, પણ તે પરાધીન રહેત. પરંતુ આ નર્સ વિચક્ષણ હતી. એણે સાચી મદદ કરવી હતી, તેથી એણે પોતાનો જમણો હાથ પાછળ રાખી, માત્ર ડાબા હાથની અલગ અલગ આંગળીઓનો જુદી જુદી રીતે ઉપયોગ કરી દીવાસળી સળગાવી. આમ કર્યા પછી તે બહાર ચાલી ગઈ. ન સિગારેટ સળગાવી આપી, ને તેના પ્રતિભાવ નીરખવા ઊભી રહી. માત્ર ગર્ભિતપણે સમજાવી દીધું કે ‘એક હાથ ગયો તો શું થયું? હજી તારામાં ઘણી શક્તિ છે જ. તારા બીજા હાથને કામે લગાડ અને તારું પ્રયોજન સાધ.' જીવ પણ સદ્ગુરુ પાસે પોતાની લાચારી દેખાડી મદદ માટે યાચના કરતો હોય છે. કરુણાવંત સદ્ગુરુ શિષ્યને સાચી મદદ કરે છે. તેમણે શિષ્યને પરતંત્ર કે ગુલામ બનાવવો નથી. તેઓ લંગડાની લાકડી બનવા નથી ઇચ્છતા. એમ કરવાથી શિષ્યના પગમાં ક્યારે પણ બળ નહીં પ્રગટે. તે કાયમનો લંગડો જ રહેશે. તે હંમેશાં લાકડીનો ટેકો લઈને જ ચાલશે. સદ્ગુરુ તો ઇચ્છે છે કે શિષ્ય તેની પોતાની દૃષ્ટિ સ્વ તરફ વાળે. તેઓ શિષ્યને સ્વાવલંબી બનાવવા ઇચ્છતા હોય છે અને તેથી તેમના પ્રયાસ પણ એ જ પ્રકારના હોય છે. કલ્પિત પરિણતિથી વિરમવું જીવને બહુ કઠિન લાગે છે, પરંતુ સદ્ગુરુના આશ્રયથી તેમ સહેજે થઈ શકે છે. સંસારગત વહાલપ, અવિદ્યાજન્ય ભાંતિનો વિલય કરવા માટે સદ્ગુરુ બોધ આપે છે; શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તેની સમજણ આપે છે. સદ્દગુરુની ઉપસ્થિતિ, સદ્ગુરુની શક્તિ, સદ્ગુરુની કૃપા જીવને આગળ વધવા માટે ઉત્સાહ પ્રેરે છે. તેમની પ્રાપ્તિ થતાં શ્રદ્ધા બંધાય છે, હિંમત આવે છે, પુરુષાર્થમાં વેગ આવે છે. તેઓ જીવને સત્યના સાક્ષાત્કાર માટે પ્રેરણા આપે છે, આત્મવિશ્વાસ જગાડે છે, પુરુષાર્થનું બળ વધારે છે, માર્ગમાં પડતાં બચાવે છે; અને એ રીતે આખી યાત્રા સરળ બનાવે છે. સદ્ગુરુ જીવને ધ્યેય બંધાવે છે, હિંમત આપે છે, પ્રોત્સાહન આપે છે, ઉત્સાહિત Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરે છે અને સફળતા અપાવે છે. તેઓ સંસારની અંધારી વાટ છોડાવી, મોક્ષનો માર્ગ પકડાવે છે. તેમનો આશ્રય ગ્રહણ થતાં અધ્યાત્મયાત્રાની શરૂઆત થાય છે. સદ્ગુરુની આજ્ઞાનુસાર સાધનાના પથ ઉપર આરૂઢ થતાં જીવ અનાદિની પરિઘયાત્રા છોડી કેન્દ્ર તરફની યાત્રા આરંભે છે. સદ્દગુરુના આદેશ અનુસાર પૂર્ણપણે વર્તવાની તૈયારીવાળો જીવ જેવો છે તેવો રહી શકતો નથી, તેનામાં ક્રાંતિ થાય જ છે. - સદ્દગુરુનો યોગ થાય એટલે જીવનમાં ક્રાંતિ આવે જ. જેમના સંગમાં રહીને જીવ પોતામાં ક્રાંતિ કરી શકે તે સદ્ગુરુ. સદ્ગુરુ એક એવું વાતાવરણ ઊભું કરે છે કે જેમાં રહીને જીવ પોતે જ પોતામાં ક્રાંતિ સર્જે છે. કોઈ કુશળ મૃદંગવાદક સુંદર રીતે પોતાનું મૃદંગ વગાડતો હોય ત્યારે જોર જોરથી પડતી તેની થાપટો એવું તાલબદ્ધ વાતાવરણ ઊભું કરે છે કે જેને મૃદંગ વગાડતાં આવડતું ન હોય તે પણ તેમાં સહેજે જોડાઈ જાય છે. તેમ સદ્ગુરુની ભાવમય મુદ્રા અને સ્વરૂપમય દશા નિહાળતાં જીવ પણ તે ભાવમાં આરૂઢ થઈ જાય છે. ઍલાર્મ ઘડિયાળને જાગૃતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, કારણ કે જાગરણ એ તો આંતરિક ઘટના છે. ઍલાર્મ ઘડિયાળ સ્વયં કોઈનો હાથ પકડીને ઉઠાડવા આવતું નથી, પણ એ પોતાના અવાજથી વાતાવરણને એવું ઉત્તેજિત કરે છે કે જાગી જવાય છે. જેને જાગવું હોય તેના ઉપર એનો પ્રભાવ કાર્યકારી નીવડે છે. ઘડિયાળની જેમ સદ્ગુરુ પણ જીવને પ્રેરણા આપી આત્મજાગૃતિના પંથે આગળ ધપાવે છે. સદ્ગુરુ પણ એક એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે કે જેથી આત્મક્રાંતિની ઘટના તેનામાં ત્વરાથી ઘટે છે. પોતાનાં દિવ્યાતિદિવ્ય વચનામૃત, મુદ્રા અને સત્સમાગમથી સદ્ગુરુ એવું સ્પંદનયુક્ત અને જીવંત વાતાવરણ ઊભું કરે છે કે સુધરવું એ જીવની અદમ્ય પ્યાસ બની જાય છે, આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ જ તેની નિયતિ બની જાય છે. સદ્ગુરુના સંગમાં જે અદ્ભુત અનુભવ થાય છે તેમાં કારણ તો જીવ સ્વયં જ છે. એ દશા જીવ પોતે જ ઉત્પન્ન કરે છે. એ કાર્ય જીવ પોતે જ કરે છે. જીવના અંતરના નિર્મળ ભાવ જાગૃત કરવા માટે તેમની વિદ્યમાનતા માત્ર ઉદ્દીપક(catalyst)નું કામ કરે છે. સદ્ગુરુ કંઈ જ કરતા નથી, પણ તેમની વિદ્યમાનતાનું અવલંબન લેવાથી જીવની ભાવદશામાં પરિવર્તન આવે છે. કાર્ય તેમની વિદ્યમાનતામાં થાય છે, પણ જે થાય છે તે પોતા વડે, પોતાથી, પોતામાં જ થાય છે. સદ્ગુરુ કોઈની ભીતર કંઈ કરતા નથી, પરંતુ તેમના સાનિધ્યમાં રહેવાથી જીવ સ્વયં અંતરમાં ક્રાંતિ સર્જવા સમર્થ બની જાય છે. અસદ્ગુરુ કહે છે કે “મારી શક્તિથી તારામાં આ થયું.' પરંતુ સદ્ગુરુ કહે છે કે અન્યની શક્તિનો સવાલ જ નથી. તેં તારામાં થવા દીધું તેથી થયું છે. અમે તો કાંઈ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૨૫ જ નથી કર્યું. તેં થવા દીધું છે, તેથી આ ઘટિત થયું છે. અત્યાર સુધી તેં થવા દીધું ન હતું, તેથી તું અટકી રહ્યો હતો. હવે તેં થવા દીધું છે, તેથી તારામાં નિર્મળ ભાવો પ્રગટ્યા છે.' જો જીવ આ તથ્ય સમજે તો તે શરણાગતિના નામે શિથિલતા નહીં પોષે, પણ પુરુષાર્થ ઉપાડી નિજકાર્ય કરવામાં તત્પર બનશે. તેથી દૃઢતાપૂર્વક એ નિર્ણય કરવો અત્યંત આવશ્યક છે કે સદ્ગુરુ વિના નિજકાર્ય શક્ય નથી, પણ નિજકાર્યનો કર્તા જીવ પોતે જ છે. નિજકાર્યની સિદ્ધિ અર્થે સદ્ગુરુનો આશ્રય મેળવવો જરૂરી છે, પણ કર્તાપણાનો સંબંધ જીવની પોતાની સાથે છે. નિજપરિણામોની જવાબદારી જીવની પોતાની છે. જગતમાં સદ્ગુરુનું શરણ જ સત્ય છે એમ કહેવામાં આવે છે. તેનું તાત્પર્ય એવું કદાપિ થતું નથી કે તેઓ જીવની ઇચ્છાનુસાર વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિનું પરિણમન કરી દેશે. સંયોગોનું પરિણમન તો જેવું થવાનું છે તેવું જ થવાનું છે. તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન, કોઈ પણ દ્વારા સંભવિત નથી, સદ્ગુરુ દ્વારા પણ નહીં. અજ્ઞાનતાના કારણે જીવ એમ વિચારે છે કે ‘જો હું ખૂબ પ્રાર્થના કરીશ, ખૂબ સ્તુતિ કરીશ તો સદ્ગુરુ કંઈક ચમત્કાર કરશે.' પરંતુ નિયમથી વિપરીત કાંઈ થતું નથી. સદ્ગુરુ તો તે છે કે જેઓ કારણ-કાર્યના નિયમની સમજ આપે, નહીં કે તેમાં કોઈ હસ્તક્ષેપ કરે. પ્રાપ્ત સંયોગોમાં પરિવર્તન લાવવા સંબંધીના સંકલ્પ-વિકલ્પથી આકુળવ્યાકુળ થયેલ જીવ જો સદ્ગુરુનો આશ્રય લે તેમની દશા, દેશના, આજ્ઞાની વિચારણા કરે તો તે આકુળતા-વ્યાકુળતામાંથી અવશ્ય મુક્ત થઈ શકે છે. જીવ સદ્ગુરુના બોધનું અનુસંધાન કરે તો ગમે તેવી વિકટ સમસ્યાકાળે પણ તે આર્ત્ત-રૌદ્રધ્યાનમાંથી બચી જાય છે. સદ્ગુરુના શરણનો આ જ અર્થ છે. - પોતાનું કાર્ય જીવે પોતે જ કરવાનું છે. આત્મજાગરણ એ એક એવી પ્રક્રિયા છે કે જે જીવે જાતે જ કરવી પડે છે. સદ્ગુરુ શુદ્ધાત્મા તરફ ઇશારો કરે છે. તેમનો ઇશારો સમજી ચાલવાનું તો પોતે જ છે. સદ્ગુરુનો યોગ હોય, પણ જો પુરુષાર્થ ન હોય તો સદ્ગુરુની ઉપસ્થિતિ છતાં તેને કોઈ જ લાભ નથી થતો; તેથી સાચા ગુરુ મળવા જેટલું અગત્યનું છે, તેટલો જ અગત્યનો છે પોતાનો પુરુષાર્થ. આ વાત બરાબર સમજી લેવી. એનો પાકો નિર્ણય કરવો. સદ્ગુરુના સાન્નિધ્યમાં રહીને કાર્ય જાતે જ કરવાનું છે. સદ્ગુરુની ઉપસ્થિતિમાં તે કાર્ય ખૂબ સહેલાઈથી થઈ જાય એ વાત સાચી છે, પણ કરવું તો જાતે જ પડશે. આ તો વીતરાગવિજ્ઞાન છે. સદ્ગુરુ શિષ્યનું કંઈ કરી શકે નહીં, પણ સદ્ગુરુની ઉપસ્થિતિમાં શિષ્ય પોતાનામાં ઘણું કામ કરી શકે. સદ્ગુરુનો સમાગમ થતાં જ જીવનું મુક્તિનું કાર્ય શરૂ થઈ જાય છે. તેમનું પડખું સેવતાં આધ્યાત્મિક ઉડાણની શરૂઆત થાય છે. આ વાત એક દૃષ્ટાંત Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દ્વારા સમજીએ. એક પક્ષી આકાશમાં ઊડી રહ્યું છે. તેનું બચ્ચું માળામાં બેસીને તેને જોયા કરે છે. માને ઊડતી જોઈને એને ખૂબ આનંદ થાય છે. માની શક્તિ પ્રત્યે એને અત્યંત અહોભાવ છે અને માની સિદ્ધિઓ માટે ગર્વ પણ! ગગનમાં વિહરતી માનાં જાતજાતનાં ઉડાણ જોવાનું એને ખૂબ ગમે છે, પણ જન્મથી સંકોચશીલ અને ડરપોક હોવાથી હું પણ આ રીતે ઊડું' એવી ઇચ્છા કે હિંમત બચ્ચાને થતી નથી. સદ્દગુરુ ચિદાકાશમાં ઊડી રહ્યા છે. તેમની સ્વભાવમય ઉત્કૃષ્ટ દશાનો ખ્યાલ શિષ્યને આવે છે. પરમગુરુની સહજાત્મસ્વરૂપમાં થતી કેલીને જોઈ શિષ્યને ખૂબ આનંદ થાય છે. સદ્ગુરુના અપાર સામર્થ્ય પ્રત્યે તેને ખૂબ અહોભાવ છે અને તેમની સિદ્ધિઓ માટે ગર્વ પણ! ચૈતન્યગગનમાં વિહરતા સદ્ગુરુની વિવિધ આત્મચેષ્ટાઓ પકડવાનું તેને ખૂબ ગમે છે, પણ અનાદિથી પોતાને હીન, અશક્ત, પામર માનતો હોવાથી હું પણ આ દશા પ્રાપ્ત કરું' એવી અભિલાષા, સાહસવૃત્તિ કે પ્રયોગાત્મક પુરુષાર્થ શિષ્યમાં જાગતાં નથી. એક દિવસ મા બચ્ચાને પોતાની સાથે આવવાનું કહે છે, ઊડવાનું કહે છે. બચ્ચું ગભરાઈ જાય છે, કહે છે કે “ના, ના, આ તો તમે જ કરી શકો. હું કઈ રીતે ઊડું? હું તો હજી નાનું છું. મારી પાંખોમાં કે મારા પગમાં તાકાત જ ક્યાં છે? તમને ઊંચે જોઉં છું અને ખુશ થાઉં છું. એમાં જ હું તો રાજી છું.' સદ્ગુરુ પણ શિષ્યને મોક્ષમાર્ગ ઉપર પોતાની સાથે ફાળ ભરવાનું કહે છે, ચિદાકાશમાં ઊંચે ઊડવાનું આમંત્રણ આપે છે. શિષ્ય વિષુબ્ધ થઈ કહે છે કે “ના, ના, આ તો આપનું જ સામર્થ્ય. હું તો અબુધ અને અજ્ઞાની, અશક્ત અને પામર. મારું કોઈ ગજું નહીં. હું કઈ રીતે આપના પેગડામાં પગ નાખું? નથી મારામાં આવડત, નથી મારામાં બળ. હું તો તમારી ભક્તિ કરી કૃતાર્થતા અનુભવું છું.' મા બચ્ચાને કહે છે કે માળામાં તો ફર. એટલું તો તું કરી શકેને!' બચ્યું પહેલાં એક જ જગાએ બેસી રહેતું હતું, એ ધીરે ધીરે માળામાં ફરવા લાગ્યું. એને ખૂબ સારું લાગ્યું. પછી મા એને માળાની આજુબાજુ ફરવાનું કહે છે. પોતે સાથે રહી હિંમત આપે છે. પછી થોડાં વૃક્ષો સુધી ફરવાનું કહે છે. સધિયારો આપે છે કે હું છુંને તારી સાથે કંઈ પણ થાય તો હું પકડી લઈશ.” મા સાથે આવે છે, યુક્તિઓ શીખવે છે, વખાણ કરતી જાય છે અને એ રીતે એનો ઉત્સાહ વધારતાં વધારતાં એક દિવસ ખુલ્લા આકાશમાં ઊડવાનું કહે છે - ‘જા ઊડ અને આકાશનો સાક્ષાત્કાર કર.” સદ્ગુરુ શિષ્યને ક્રમશઃ તૈયાર કરતા જાય છે, મોક્ષમાર્ગ ઉપર આગળ ધપાવતા જાય છે. ભક્તિ, સત્સંગાદિથી એની પાત્રતા વધારતા જાય છે. માર્ગનાં ભયસ્થાન અને પતનસ્થાનક બતાવે છે, રહસ્યો સમજાવે છે. આત્માનો મહિમા જગાડે છે. તેને પ્રેરણા Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૨૭ આપે છે, હિંમત આપે છે - “કંઈ પણ થાય તો હું છું તારી સાથે.' પ્રગતિ થતાં શિષ્યની પ્રશંસા કરે છે અને એ રીતે એનો ઉત્સાહ વધારતાં વધારતાં એક દિવસ તેને આજ્ઞા આપે છે કે “રૂપીમાં બહુ ફર્યો, હવે અરૂપીમાં ઊડ. જા, તારા શુદ્ધાત્મસ્વરૂપમાં ઠરી જા. ચિદાકાશનો સાક્ષાત્કાર કર.' બચ્ચાએ આકાશનો સાક્ષાત્કાર કર્યો. કઈ રીતે? માએ ધીમે ધીમે રૂપાંતરણ કરાવ્યું તેથી. મા ઉપરની બચ્ચાની શ્રદ્ધાને માએ આત્મશ્રદ્ધામાં ફેરવી તેથી બચ્યું ઊડી શક્યું. શિષ્ય જ્ઞાયકદેવનો સાક્ષાત્કાર કર્યો. કઈ રીતે? સદ્ગુરુદેવે તેનામાં રૂપાંતરણ કરાવ્યું તેથી. સગુરુ ઉપરનું શ્રદ્ધાન આત્મશ્રદ્ધાનમાં રૂપાંતરિત થાય અને અરૂપી એવા ચૈિતન્યનો સાક્ષાત્કાર કરવાની ક્ષમતા આવે, ઉપયોગ સૂક્ષ્મ અને અંતર્મુખ બનતો જઈ સ્વમાં ઠરી જાય એવા ઉત્કૃષ્ટ માર્ગનું સગુરુએ દાન આપ્યું તેથી શિષ્ય સ્વ-સ્થ થઈ શક્યો. સદ્ગુરુ તે જ કે જેઓ ક્યારેક કહે કે મારો હાથ કેમ પકડતો નથી?' તો ક્યારેક કહે કે “છોડ મારો હાથ!' જીવે તીવ્ર આસક્તિથી સંસાર પકડેલો હોય ત્યારે તેઓ હાથ આપે અને એ હાથ એટલો મોહક, પ્રેમાળ, સમૃદ્ધ હોય કે જીવ સંસાર છોડવા તૈયાર થઈ જાય. જેવો સંસાર છૂટે કે તેઓ કહે કે “ક્યાં સુધી વળગ્યા રહેવું છે? તને અમારો નશો થઈ ગયો અને નશો તો હંમેશાં બેહોશી લાવે છે. જેમ નશો વધશે તેમ તું મૂચ્છિત થતો જશે. તારી શક્તિ નિર્બળતામાં પલટાતી જશે. લાભનો અવસર હાનિકારક બની જશે. તેથી તને જે આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તેની આરાધનામાં તત્પર રહે.' આમ, ક્યારેક સદ્ગુરુ પાસે આવે તો ક્યારેક દૂર જાય છે. પાસે આવે છે જેથી સંસાર દૂર જાય અને પછી તેઓ દૂર જતા રહે કે જેથી આત્માની નિકટતા સધાય. - સદ્ગુરુ વિન નથી, કડી છે; દીવાલ નથી, દ્વાર છે. અંતમાં તો હાર પણ હટી જાય છે, માત્ર એકલું આકાશ જ રહી જાય છે. જો કોઈ દ્વાર ઉપર રાગ કરીને દ્વારનો જ આગ્રહ રાખે તો તેણે દ્વારનું દીવાલમાં રૂપાંતર કર્યું કહેવાય. સદ્ગુરુના બોધથી જીવ અંતરમાં ન વળે અને ગુરુના રાગમાં અટકી જાય તો તે ગુરુને દ્વાર ન બનાવતાં દીવાલ બનાવે છે અને તેથી તે બહાર નીકળવાને બદલે પોતાનું માથું જ ફોડે છે. માટે ધ્યાન રાખવું જોઈએ કે ગુરુને દ્વાર બનાવવાને બદલે દીવાલ બનાવી દેવામાં ન આવે. જીવ સ્વરૂપસન્મુખ થાય એમાં જ સદ્ગુરુની પ્રસન્નતા હોવા છતાં કેટલાક જીવ ઉપાદાનલક્ષી સાધના કરતા નથી, પણ નિમિત્તલક્ષી જ રહે છે. તેઓ સદ્ગુરુ પ્રત્યે પ્રમોદ તો વ્યક્ત કરે છે, પણ તેમને પ્રયોગ કરવાની ઇચ્છા થતી નથી. તેઓ પ્રીતિ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પૂર્વક અભ્યાસમાં જોડાતા નથી અને તેથી તેમનું કાર્ય સધાતું નથી. જીવ જો પ્રમોદ કરી, પ્રીતિથી પ્રયોગમાં જોડાય તો જ આત્મપ્રાપ્તિ થાય છે. પ્રમોદથી આગળ વધી તે સ્વરૂપ પ્રત્યે જાગૃત થાય, મળેલ બોધને અમલમાં મૂકીને અંતર્મુખ થાય તો જ કામ થાય છે. એક પ્રવાસી હિમાલયના મનોરમ્ય પ્રદેશમાં ફરવા ગયો હતો. ત્યાંની પર્વતમાળાનું અદ્ભુત કુદરતી સૌંદર્ય જોઈને એ આફરીન થઈ ગયો. એનું પોતાનું ગામ તો દૂર રણપ્રદેશમાં હતું. ત્યાં એ પાછો ફર્યો ત્યારે પોતે જોયેલાં મનોહર દશ્યોનું વર્ણન કરવા લાગ્યો. હિમ, શિખરો, નદીઓ, વૃક્ષો, ઇત્યાદિની વાતો કરતાં એ થાકતો ન હતો અને લોકો પણ એ સાંભળતાં થાકતા ન હતા. ગામના લોકોએ એને વિનંતી કરી, ‘અમારે પણ ત્યાં જવું છે. કેવી રીતે જઈએ તે સમજાવો.' પ્રવાસીએ એમને માટે એક સરસ નકશો દોરી આપ્યો. લોકો ખુશ થઈ ગયા. એક એક કરીને નકશો હાથમાં લેવા લાગ્યા અને અહોભાવથી કલાકો સુધી નિહાળતા રહ્યા. નકશો સાચવવા માટે લોકોએ તેને સુંદર કારીગરીવાળી ફ્રેમમાં મઢાવી દીધો. તેને રાખવા માટે પછી એક ભવ્ય મંદિર ચણાવ્યું. સારા મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરાવી અને ત્યારથી લોકો નકશાનું દૂરથી દર્શન કરે છે, આરતી ઉતારે છે, પૂજા કરે છે; પણ હિમાલયના પ્રદેશમાં કોઈ જતું નથી. તેઓ હિમાલયના દર્શન કરનારનાં દર્શન તો કરે છે, પણ એમનામાંથી હિમાલય જવાની પ્રેરણા લેતા નથી. હિમાલયનો નકશો જુએ છે, પણ હિમાલય ઉપર ચડતા નથી. સદ્ગુરુનાં વચનો એ આત્મામાં જવાનો નકશો છે, ત્યાં જવા માટેની માર્ગદર્શિકા છે. લોકો તેને જુએ છે, પણ તે માર્ગદર્શિકા બતાવે છે ત્યાં જતા નથી. લોકો સદ્ગુરુનાં વચનોને પૂજે છે, વાંચે છે, ગાય છે, પાઠ કરે છે; પણ એનો અમલ કરી આત્મપ્રાપ્તિ કરતા નથી. સદ્ગુરુનાં દર્શન કરી સંતોષ માની લે છે, પણ આત્મપ્રભુને ભેટવાનું મન કરતા નથી. જેમ ભોજન સુંઘવાથી પેટ ન ભરાય, સિક્કાઓનો રણકો સાંભળવાથી ખિસું ન ભરાય; તેમ સગુરુનાં દર્શન કરવામાત્રથી કાર્ય નથી સરતું. જેમ માત્ર નકશો જોવાથી કાર્ય થતું નથી, એ તો ઈષ્ટ સ્થાને પહોંચવા માટે આગળ વધવા માટેનો માર્ગ સૂચવે છે; તેમ માત્ર દર્શન-પાઠ-ચર્ચા કરી લેવાથી કાર્ય નથી થતું, પણ અબુધ જીવો એ સ્થૂળ દર્શન આદિમાં જ અટકી જાય છે અને તેથી સાચાં દર્શન ચૂકી જાય છે. હિમાલયના નકશાનું દર્શન ત્યારે સફળ ગણાય કે જ્યારે તેમાંથી પ્રેરણા લઈ હિમાલય જવાની તૈયારી કરવામાં આવે. પરંતુ જો નકશાનું દર્શન કરી ખુશ થયા કરે અને કંઈ જ ન કરે તો તેનું દર્શન નકામું છે. પહેલાં રણ જોતો હતો, હવે હિમાલયનો નકશો જુએ છે. તેવી જ રીતે જીવને પહેલાં સ્ત્રી-પુત્રાદિનાં દશ્ય ગમતાં Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૨૯ હતાં, હવે સદ્ગુરુનાં દૃશ્ય ગમે છે. તેણે જ્ઞાનને તો બહારનું બહાર જ રાખ્યું, જ્ઞાનની દિશા ન બદલી. સદ્ગુરુનાં દર્શનથી એવી પ્રેરણા લેવી જોઈએ કે જેના બળે ઉપયોગ અંતર્મુખ થઈ જાય, જ્ઞાનની દિશા બદલાઈ જાય, અંતરમાં ઊતરાય. આમ થાય તો એ દર્શન પરમાર્થે કામનું છે, નહીં તો તે માત્ર એક શુભ પ્રવૃત્તિ થઈ. દૃષ્ટિ દૃશ્યમાંથી ખસી દ્રષ્ટા તરફ વળે તો જ પરમાર્થષ્ટિએ કાર્ય થયું ગણાય. સદ્ગુરુના દુર્લભ યોગમાં અંદર ઝૂકવાનું કાર્ય ત્વરાથી ઉપાડવું જોઈએ. તેમની ઉપસ્થિતિમાં અંતરમાં વળી જવું જોઈએ. સદ્ગુરુની પાસે આવી પોતાની ભીતર ઝૂકવું જોઈએ, સ્વરૂપની પકડ કરવી જોઈએ. ઉપયોગને અંતરમાં વાળી ત્યાં જ ઠરી જવું જોઈએ. આમ કરવામાં સદ્ગુરુની ઉપેક્ષા નથી થતી પણ તેમની સાચી ભક્તિ થાય છે, સાચું આજ્ઞાપાલન થાય છે. દૃષ્ટિ પરથી હટાવી સ્વમાં સ્થિર કરવાની સદ્ગુરુની આજ્ઞા છે. નિમિત્તાધીન દષ્ટિ છોડી ત્રિકાળી ઉપાદાનમાં દૃષ્ટિને જોડવી જોઈએ. આમ કરવામાં જ તેમની સાચી ભક્તિ રહી છે. એક પ્રસિદ્ધ દૃષ્ટાંતથી આ વાત સમજીએ. ગુરુ દ્રોણે સો કૌરવ તથા પાંચ પાંડવ રાજકુમારોને ધનુર્વિદ્યા શીખવી હતી. વિદ્યાદાનનું ફળ જોવા તેમણે એક કસોટી યોજી. દૂરના એક ઝાડ ઉપર માટીનું પક્ષી મૂકી તેની આંખની કીકી વીંધવાનું રાજકુમારોને કહેવામાં આવ્યું. એક પછી એક રાજકુમાર આવવા માંડ્યા. ધનુષ ઉપર બાણ ચઢાવે, એટલે ગુરુ દ્રોણ તે દરેકને અટકાવીને પૂછતા કે વત્સ, તને શું દેખાય છે?' કોઈએ કહ્યું કે ચારે તરફનું બધું દેખાય છે, તો કોઈએ કહ્યું કે નિકટ ઊભેલા ભાઈઓ દેખાય છે. કોઈને ગુરુના ચરણ, કોઈને ગુરુની મુદ્રા, કોઈને ઝાડ, કોઈને ડાળી, તો કોઈને પક્ષી દેખાતાં હતાં. આમ, અલગ અલગ જવાબ ગુરુ દ્રોણને મળતા ગયા અને ગુરુ તે દરેકને એમ ને એમ પાછા મોકલતા ગયા. અંતે અર્જુન આવ્યો. તેણે ઉત્તર આપ્યો કે મને માત્ર પક્ષીની કીકી દેખાય છે. તેને બાણ ચલાવવાની રજા મળી. તેણે કીકી વીંધી અને કસોટીમાં ઉત્તીર્ણ થયો. દ્રોણાચાર્ય દુર્યોધન આદિના પણ ગુરુ હતા, છતાં તેમને ખ્યાતિ અર્જુનના ગુરુ તરીકે મળી, કારણ કે અર્જુને તેમણે બતાવેલા લક્ષ્ય તરફ દૃષ્ટિ કરી હતી. ગુરુએ બતાવેલ માર્ગ ઉપર ચાલીને એ લક્ષ્યની પ્રાપ્તિ કરવી કે જે લક્ષ્યની પ્રાપ્તિનો ગુરુએ નિર્દેશ કર્યો હોય. તે તરફ પુરુષાર્થને વાળવામાં જ સદ્ગુરુનું સાચું સન્માન છે, એમાં તેમની રંચમાત્ર પણ ઉપેક્ષા થતી નથી. જીવે સદ્ગુરુના ઉપદેશ દ્વારા વિકલ્પાત્મક ક્ષયોપશમશાનમાં શુદ્ધાત્માનો તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ. વારંવાર તેમનું પડખું સેવી, ઉપયોગને બધાં નિમિત્તોથી હટાવી, ઉપયોગને ધ્રુવ ઉપાદાનની સન્મુખ કરવાનો નિરંતર નિયમિત અભ્યાસ કરવો જોઈએ; તો કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પો છૂટી જશે અને શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. શુદ્ધાત્મામાં સ્થિર થવાના પ્રયત્ન તે જ સાચી ભક્તિ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, સદ્ગુરુ કશું જ નહીં કરતા હોવા છતાં જીવ ઉપર અનંત ઉપકાર કરે છે. સ્વરૂપ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિનું કારણ આત્મા પોતે છે, પણ સદ્ગુરુ એના પુષ્ટ નિમિત્ત છે. જવાબદાર કારણ તો ઉપાદાન છે, નિમિત્ત નથી; પરંતુ નિમિત્ત સહાયક અવશ્ય બને છે. જીવ તો સદૈવ વિદ્યમાન છે, તેનું ઉપાદાન પણ સર્વદા વિદ્યમાન છે, પરંતુ સદ્દગુરુરૂપી નિમિત્ત વિના તેને શાંતિનો, આનંદનો, અંતર્મુખતાનો અનુભવ થતો નથી. તેથી સ્વની ઉપલબ્ધિ માટે વિદ્યમાન સ્વાનુભવી મહાત્માની આવશ્યકતા સમજી શકાય એવી છે. અનંતું હિત સાધવાની આ યાત્રામાં સદ્ગુરુની પ્રાપ્તિ અત્યંત આવશ્યક છે. ઉપાદાન-નિમિત્તનું સાચું સ્વરૂપ સમજાતાં સદ્દગુરુનું સ્વરૂપ, તેમની ભક્તિનું સ્વરૂપ અને તે ભક્તિના ફળનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. યથાર્થ સમજણથી યથાર્થ પુરુષાર્થ ઊપડે છે. ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, અર્થાત્ નિમિત્ત ઉપાદાનનું કાંઈ કરી શકે નહીં' અને 'નિમિત્ત વિના ઉપાદાન નિર્બળ છે' આ બને તથ્યને સમજવા માટે એક સચોટ દષ્ટાંત છે. એક વખત એક સાધુ એક ખાલી ટાંકા પાસે બેઠા હતા. તેમાં પડેલું જીવડું બહાર નીકળવા મથામણ કરી રહ્યું હતું. ટાંકાની સીધી દીવાલ ઉપર એ થોડું ચઢતું કે પાછું નીચે ગબડી પડતું. સાધુએ જોયું કે નીચે પડ્યા પછી એ જીવડું ફરી ઉપર ચડવા પ્રયત્ન કરે છે, પણ થોડું ઊંચે ગયા પછી એ પાછું નીચે પડી જાય છે. ઘણી વાર આ ક્રમ ચાલતો રહ્યો. એની આ મથામણ જોઈને સાધુને એની દયા આવી. સાધુએ ઊઠીને એક લાકડી લીધી અને એને ટાંકામાં દીવાલને ટેકે ત્રાંસી મૂકી દીધી. જરા વારમાં પેલું જીવડું લાકડી ઉપર થઈને સડસડાટ ટાંકાની બહાર આવી ગયું. એ એના પુરુષાર્થ વડે બહાર નીકળ્યું કે સાધુએ મૂકેલી લાકડીના સહારે? જો સાધુએ લાકડી ન મૂકી હોત તો? અને લાકડી મૂક્યા પછી જીવડાએ એનો સહારો ન લીધો હોત તો? ટાંકામાંથી એ બહાર નીકળી શક્યું એમાં ઉપાદાન અને નિમિત્તની સંધિ સ્પષ્ટ જણાય છે. નિમિત્તે જીવડાને બહાર કાઢવા માટે કોઈ પુરુષાર્થ કર્યો ન હતો, પુરુષાર્થ તો એ જીવડાનો જ હતો; છતાં પણ નિમિત્ત વિના તે બહાર નીકળી પણ શક્યું ન હોત. આમ વિરુદ્ધ લાગતાં બે તથ્યોનો આ દષ્ટાંત અવિરુદ્ધ નિર્ણય આપે છે. એક પણ પક્ષનો અનાદર તે મિથ્યા નિર્ણયનું કારણ છે. શ્રી મનોહરલાલજી વર્ણજી ઉપાદાન-નિમિત્તના અવિરુદ્ધ નિર્ણય બાબત લખે છે – ‘નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરતું નથી. આ સ્વરૂપ (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ)ની અપેક્ષાએ નિર્ણય છે. નિમિત્ત સાનિધ્ય વિના ઉપાદાનમાં વિકાર પરિણમન થઈ શકતું નથી. આ વિષમકાર્યની વિધિની અપેક્ષાએ નિર્ણય છે. બન્ને નિર્ણય અવિરુદ્ધ નિર્ણય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ નિમિત્ત નિમિત્તમાં ઉપસ્થિત છે. ઉપાદાન પોતામાં પરિણમે છે. આ વસ્તુ સ્વાતંત્ર્યનો નિર્ણય છે. જ્યારે નિમિત્ત સાનિધ્ય હોય છે ત્યારે ઉપાદાનમાં તદનુકુળ સ્વપરિણતિ પ્રતિફલિત થાય છે. આ નિમિત્ત નૈમિત્તિક યોગનો નિર્ણય છે. વસ્તુસ્વાતંત્ર્ય અને નિમિત્ત નૈમિત્તિક યોગ બન્નેય એકસાથે હોય છે. બન્ને નિર્ણય અવિરુદ્ધ નિર્ણય છે. ગાથા-૧૩૬ નિમિત્તનું સાનિધ્ય ન હોતાં નૈમિત્તિકનું પરિણમન થતું નથી આ તથ્ય છે તેમ ઉપાદાનની યોગ્યતા ન હોવાથી તેવું પરિણમન થતું નથી તે પણ તથ્ય છે. બન્ને અવિરુદ્ધ નિર્ણય છે. અનુકૂળ ક્રિયા સમવેત નિમિત્તના સાનિધ્યમાં જ યોગ્ય ઉપાદાન વિકારરૂપ પરિણત બને છે એટલે કે વિકાર નિમિત્ત સાનિધ્યનું પ્રતિફલન છે. આ એક તથ્ય છે. વળી નિમિત્ત સાનિધ્યમાં જ ઉપાદાન પોતાની પરિણતિમાં વિકારરૂપ પરિણમે છે, નિમિત્તની પરિણતિથી આ વિકારરૂપ નથી પરિણમતું એટલે કે વિકાર ઉપાદાનનો જ આ પ્રકારનો પ્રભાવ છે. આ પણ તથ્ય છે. બન્ને અવિરુદ્ધ નિર્ણય છે.'૧ કોઈ પણ એક કારણથી કાર્યની સિદ્ધિ થવી કદાપિ સંભવતી નથી. કાર્યમાત્રમાં એકલું ઉપાદાનકારણ જેમ કાર્યસાધક નથી, તેમ એકલું નિમિત્તકારણ પણ કાર્યસાધક નથી. જૈનશાસનના વ્યવહાર-નિશ્ચયરૂપ ઉભય નય જુદા જુદા કારણની મુખ્યતા ઉપર ભાર મૂકે છે. નિશ્ચયનય ઉપાદાનકારણની મુખ્યતા બતાવે છે, જ્યારે વ્યવહારનય નિમિત્તકારણની મુખ્યતા બતાવે છે. જો એકમાત્ર ઉપાદાનને જ કારણ તરીકે ઓળખાવી, નિમિત્તની કારણતાને ઉડાડવામાં આવે તો નિશ્ચયનય નિશ્ચયાભાસ બને છે; અને જો માત્ર નિમિત્તને જ કારણ માની, ઉપાદાનને કારણ તરીકે ઉડાડવામાં આવે તો વ્યવહારનય વ્યવહારાભાસ બને છે. જેમ માણસને ચાલવું હોય તો બન્ને પગ જોઈએ, તેમ કોઈ પણ કાર્ય માટે ઉપાદાનકારણ તથા નિમિત્તકારણની સંધિ આવશ્યક છે. બીજાં કાર્યોની જેમ મુક્તિરૂપી કાર્યમાં પણ ઉપાદાન અને નિમિત્ત એ બન્ને કારણોની સંધિ અવશ્ય હોય છે. વસ્તુસ્થિતિ અત્યંત સ્પષ્ટ હોવા છતાં એકાંત નિશ્ચયવાદી ઉપાદાનને જ કાર્યનું કારણ માને છે અને નિમિત્તની કારણતા સ્વીકારતો નથી. તે કાર્યમાં માત્ર ઉપાદાનની જ કારણતા સ્વીકારી નિમિત્તનો નિષેધ કરે છે. તેને પોતાના મતની સાચવણીનો રસ હોય છે, તેથી તે પોતાના મતને સાચો ઠેરવવા આગ્રહ કરે છે. આગ્રહના કારણે તેને સત્યમાં રસ રહેતો નથી. આગ્રહના કારણે તેના ચિંતનની દિશા વિપરીત હોય છે અને ૧- શ્રી મનોહરલાલજી વર્ષી, ‘સહજાનંદ'કૃત, ‘અવિરુદ્ધ નિર્ણય' (અનુવાદક બ. કપિલભાઈ તલકચંદ કોટડિયા) પૃ.૨,૩,૪,૬, નોંધ ૫,૬,૧૩,૧૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેથી તે સત્યને જોઈ શકતો નથી, જોવા માંગતો નથી. પોતાની વાત સિદ્ધ કરવા તે વિવિધ દલીલો કરે છે. એકાંત નિશ્ચયવાદીઓ પોતાના મતના સમર્થનમાં જે દલીલો રજૂ કરે છે તેમાંની કેટલીક દલીલો તેના સમાધાન સાથે નીચે પ્રમાણે છે – દલીલ - ૧ - જે કાર્યસિદ્ધિ થાય છે તે પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ થાય છે. તેમાં નિમિત્તની કોઈ આવશ્યકતા નથી. જેમ કે – (i) લંગડો ચાલે છે તે પોતાની યોગ્યતાથી ચાલે છે. જો લાકડીના કારણે ચલાતું હોય તો મડદાં પણ લાકડીથી ચાલવાં જોઈએ, પરંતુ મડદાંમાં ચાલવાની યોગ્યતા નથી, તેથી તે ચાલતાં નથી. (ii) બાળક લખતાં શીખે છે તે લખવાની પોતાની શક્તિથી શીખે છે. જો શિક્ષકના કારણે જ લખતાં શીખી શકાતું હોય તો શિક્ષકના શીખવવાથી પાડાને પણ એકડો આવડવો જોઈએ. સમાધાન - ૧ કાર્યસિદ્ધિ માટે ઉપાદાનની આવશ્યકતા તો છે જ, પણ સાથે યોગ્ય નિમિત્તની પણ આવશ્યકતા છે. જેમ કે – (i) લંગડામાં ચાલવાની યોગ્યતા છે, તેથી લાકડીનો સહારો મળવાથી તે ચાલી શકે છે. લંગડો લાકડી વગર ચાલી ન શકે, માટે લાકડીરૂપ નિમિત્તની પણ આવશ્યકતા છે. (ii) બાળક પોતાની શક્તિથી લખતાં શીખે છે, પણ શિક્ષક ન હોય તો લખતાં કેવી રીતે શીખે? શિક્ષક હોય તો લખતાં આવડે, માટે શિક્ષકરૂપ નિમિત્તની પણ આવશ્યકતા છે. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૨ જો સૂર્ય, ચંદ્ર, મણિ, દીપકથી દેખાતું હોય તો અંધ પાસે તે બધું મૂકતાં અંધ દેખતો થવો જોઈએ; પણ સૂર્ય વગેરે બધું હોવા છતાં આંધળાને દેખાતું નથી. તેનામાં જોવાની શક્તિ નથી, તેથી તે જોઈ શકતો નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વગેરે આત્માના ગુણો કોઈ સંયોગથી પ્રગટતા નથી, પણ આત્મસ્વભાવના આશ્રયે જ ૧- દલીલમાં એકાંત નિશ્ચયવાદીની, અર્થાત્ જેઓ માત્ર ઉપાદાનની જ કારણતા સ્વીકારે છે, તેમની માન્યતા દર્શાવી છે. સમાધાનમાં જિનમત દર્શાવ્યો છે, જે ઉપાદાન-નિમિત્તની સંધિને સ્વીકારે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૩૩ તે પ્રગટે છે. જ્યાં આત્મા સ્વયં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શનાદિ રૂપે પરિણમે છે, ત્યાં તેને કોઈ નિમિત્ત રોકનાર કે મદદગાર નથી, માટે નિમિત્તની કાંઈ જ જરૂર નથી. સમાધાન - ૨ જોવા માટે જેમ આંખની જરૂર છે, તેમ પ્રકાશરૂપ નિમિત્તની પણ જરૂર છે. સૂર્ય, ચંદ્ર, મણિ, દીપક આદિના પ્રકાશનું નિમિત્ત હોય તો જ આંખ જોઈ શકે છે. ઉપાદાન જ જો જોવાનું કામ કરતું હોય તો અંધારામાં કેમ જોઈ શકાતું નથી? તે વખતે જોવાની શક્તિ કેમ કામ કરતી નથી? માટે પ્રકાશરૂપી નિમિત્ત વિના જોઈ શકાય નહીં. તેમ સમ્યગ્દર્શનાદિ આત્મસ્વભાવના આશ્રયે પ્રગટે છે, પણ તેને પ્રગટવા માટે યોગ્ય નિમિત્તની આવશ્યકતા રહે છે, તેથી નિમિત્તનો નિષેધ કરવો યોગ્ય નથી. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૩ નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી, પરંતુ ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે. નિમિત્ત ઉત્કૃષ્ટ હોય છતાં ઉપાદાન સુલટાય નહીં તો કાર્ય થાય નહીં. અનંતી વાર મનુષ્યદેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી શરીર, ભગવાનની - સદ્ગુરુની સાક્ષાત્ હાજરી વગેરે નિમિત્ત મળ્યાં છતાં ઉપાદાન પોતે સુલટાયું નહીં, તેથી મોક્ષપ્રાપ્તિ થઈ નહીં. સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રરૂપ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યાં પણ જીવ (ઉપાદાન) પોતે પલટાયો નહીં, તેથી જ તે સંસારમાં ભટકે છે. અનંતી વાર પૂજાપાઠ, દીક્ષા વગેરે ધાર્મિક પ્રવૃત્તિ કરી, પણ સ્વરૂપ ન સમજ્યો તેથી ધર્મ ન થયો. જો દેવ-ગુરુ કલ્યાણ કરતા હોત તો જીવ સાક્ષાત્ ત્રિલોકીનાથ પાસે અનંતી વાર ગયો છતાં કેમ કલ્યાણ થયું નહીં? પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની પરમાત્મદશા પોતે જ પોતામાંથી પ્રગટ કરી શકે છે, તેમાં કોઈ નિમિત્ત મદદરૂપ થઈ શકતું નથી. સમાધાન - ૩ કલ્યાણ થવા માટે ઉપાદાનની જાગૃતિની આવશ્યકતા તો છે જ, પરંતુ તે સાથે ઉત્તમ નિમિત્તોની પણ આવશ્યકતા છે. જો ઉપાદાનની જાગૃતિથી જ મુક્તિ થતી હોય તો ઉપાદાન તો બધા જીવોમાં છે, તો પછી તેમની મુક્તિને રોકનાર કોણ છે? કેમ સર્વ જીવ મુક્ત થતા નથી? બધા જીવોમાં અનંત શક્તિઓ પડી છે, પણ તે શક્તિ પ્રગટ થવા અર્થે મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી શરીર, જિનેશ્વર ભગવાન, સદ્ગુરુ આદિ નિમિત્તોના યોગની આવશ્યકતા છે. ઉપાદાન પલટાયા વિના સુદેવાદિ નિમિત્તોનો યોગ થયો છતાં કલ્યાણ ન થયું, પણ તેથી કાંઈ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ઉત્કૃષ્ટ નિમિત્તોની જરૂર નથી એમ કહી શકાય નહીં. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રથી ભવપાર થવાતું નથી. ભવપાર થવા માટે સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની આવશ્યકતા છે જ. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ ૪ જો ઉપાદાન જાગૃત થાય તો ધર્મ થાય. જો જીવ પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહીં. આંખથી જો ધર્મ થતો હોય તો મોટી આંખવાળા પાડા પાસે શાસ્ત્ર મૂકવાથી તેને પણ ધર્મ થવો જોઈએ. સારાં નિમિત્ત હોવા છતાં તે કેમ નથી સમજતો? આંખ-કાન સારાં હોય છતાં અજ્ઞાનભાવે તીવ્ર રાગ-દ્વેષ કરી જીવ સાતમી નરકે જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થા રોકે છે અથવા એકબીજાને મદદ કરે છે એ વાત અસત્ય છે. આંખ-કાનથી જીવને સાચી સમજણ થતી નથી. જો કાન વગેરેથી સમજણ થતી હોય તો જેને જેને તે નિમિત્તો મળે તે બધાને સમજણ થવી જોઈએ, પરંતુ એમ થતું નથી; માટે મોક્ષ-સંસાર, જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુ:ખ એ બધું ઉપાદાનથી જ થાય છે. પરથી કોઈ પણ પ્રકારે લાભ-નુકસાન થતાં નથી. સમાધાન - દલીલ ૫ ૪ જીવને જ્ઞાનશક્તિથી ધર્મ થાય છે એ વાત બરાબર છે, પણ તે જ્ઞાનશક્તિનો ઉપયોગ ક૨વા માટે ઇન્દ્રિયરૂપ નિમિત્તની આવશ્યકતા છે. આંખોથી ભગવાનનાં દર્શન શાસ્ત્રવાંચન થઈ શકે, કાનથી ઉપદેશ સાંભળી શકાય. આંખ હોવા છતાં પાડો શાસ્ત્રનું જ્ઞાન લઈ શકતો નથી, પણ તેથી કાંઈ નિમિત્તનો નિષેધ ન કરી શકાય; કારણ કે એકેન્દ્રિય જીવને ઉપાદાન છે તો પછી તે શાસ્ત્રનું જ્ઞાન શા માટે પામી શકતો નથી? તેને ઇન્દ્રિય વગેરે સામગ્રી મળી નથી, માટે શાસ્ત્રજ્ઞાન પામતો નથી. આ રીતે ઇન્દ્રિયાદિ સામગ્રીનો યોગ તેનો સદુપયોગ અને ઉપાદાનની જાગૃતિ બન્ને હોય તો જીવ મુક્ત થાય. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. - - દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ મહાવ્રત, એ બધાં નિમિત્તોના લક્ષે તો જીવને રાગ થાય છે, વિકલ્પ થાય છે. જ્યારે જીવ એ બધાં નિમિત્તોનું લક્ષ છોડીને, તત્સંબંધી વિકલ્પો છોડીને પોતાના અખંડ આનંદસ્વરૂપી આત્માની ભાવના કરીને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક અંતરમાં સ્થિરતા કરે છે ત્યારે જ તે મુક્તિ પામે છે. માટે નિમિત્તોનું અવલંબન લેવા યોગ્ય નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૩૫ સમાધાન - ૫ ઉપાદાનને લક્ષે મુક્તિ પ્રગટે છે એ વાત સત્ય છે, પણ ઉપાદાનલક્ષી થવા માટે પણ શુભ નિમિત્તોની આવશ્યકતા રહે જ છે. જો જીવને સગુરુ આદિ પ્રત્યે વિનય, બહુમાન વગેરે શુભ ભાવ ન હોય તો તેને સ્વરૂપલક્ષ થતો નથી. એક માણસે ટિકિટો ચોંટાડેલું પાર્સલ પોસ્ટઑફિસના કર્મચારીને બહારગામ મોકલવા માટે આપ્યું. કર્મચારીએ વજન કરી કહ્યું કે પાર્સલનું વજન વધારે છે, તેથી આટલી ટિકિટ પર્યાપ્ત નથી, વધુ લગાડો. તે માણસ કર્મચારીને એમ કહેતો નથી કે પાર્સલ આમ પણ વજનદાર છે, તેથી ટિકિટ જ કાઢી નાંખવી જોઈએ, એના બદલે તમે વળી વધુ ટિકિટ લગાડવાની વાત કરો છો! તેને એટલી સમજ છે કે ટિકિટનું વજન ગણતરીમાં લેવાનું જ ન હોય. પાર્સલ મોકલવું હોય તો જરૂરી ટિકિટ ચોંટાડવી જ જોઈએ, નહીં તો પાર્સલ તેના યથાર્થ સ્થાને પહોંચશે જ નહીં. તેમ જીવનું ઉપયોગરૂપી પાર્સલ આમ પણ અશુભ ભાવોના કારણે વજનદાર જ છે. જો તે સદ્ગુરુની ભક્તિરૂપ ટિકિટો લગાડવાનો નિષેધ કરે તો એ પાર્સલ યથાર્થ સ્થાને - સ્વસ્વરૂપમાં પહોંચી શકશે જ નહીં. જ્યાં સુધી જીવની પૂર્ણ નિર્મળ પવિત્ર દશા ન પ્રગટે ત્યાં સુધી શુભ નિમિત્તોનું અવલંબન છોડવા યોગ્ય નથી. કાર્ય પૂર્ણ થયા પછી અવલંબનની આવશ્યકતા રહેતી ન હોવાથી તે તો સહેજે છૂટી જાય છે. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૬ હિંસાદિમાં જેનો ઉપયોગ હોય તે જ નરકમાં જાય છે. ભાવમુનિ કદાપિ નરકમાં જતા નથી. કોઈ વાર તેમના પગ નીચે કોઈ જીવ આવી જવાથી કદાચ તે જીવ મરી જાય તોપણ ભાવ મુનિ કદી નરકમાં જતા નથી, કેમ કે તેમને હિંસક પરિણામ હોતાં નથી. જીવને પરજીવની હિંસા સાથે અશુભ ભાવ હોય તો જ તે નરકે જાય છે, કાંઈ હિંસાની ક્રિયા થવામાત્રથી નરકે જવું પડતું નથી. માટે નિમિત્ત જીવનાં પુણ્ય-પાપમાં કાંઈ કરતું નથી. સમાધાન - ૬, અશુભ પરિણામ દ્વારા હિંસાદિ પાપ થાય છે, પણ તે હિંસાદિ પાપ માટે નિમિત્તની આવશ્યકતા પણ રહે છે. હિંસાદિ પાંચ પાપ માટે નિમિત્તની પણ જરૂર છે. હિંસામાં પરજીવનું નિમિત્ત, અસત્યમાં ભાષાનું નિમિત્ત, ચોરીમાં વસ્તુનું નિમિત્ત, અબ્રહ્મચર્યમાં શરીરનું નિમિત્ત, પરિગ્રહમાં દ્રવ્યનું નિમિત્ત; એ બધામાં નિમિત્તોની જરૂર પડે છે. નિમિત્ત વિના પાપ થઈ શકતું નથી. ભાવમુનિને હિંસાનાં પરિણામ ન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોવાથી તેમને નરકમાં જવું પડે એવું પાપ થતું નથી, પણ કાયાથી જે હિંસા થાય છે; તેટલા પ્રમાણમાં કર્મબંધ તેમને અવશ્ય થાય છે. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૭ વિકાર ભલે આત્માના સ્વભાવમાંથી આવતો નથી, પરંતુ વિકારની ઉત્પત્તિ તો આત્માની જ અવસ્થામાં થાય છે. જીવ જ્યારે સ્વરૂપને ભૂલે છે ત્યારે તે પોતે જ વિકાર કરે છે, કોઈ પરદ્રવ્ય તેને વિકાર કરાવતું નથી. આત્મા નિમિત્તના કારણે વિકાર કરે છે તે વાત બરાબર નથી. સામે નિમિત્ત એકનું એક હોવા છતાં ઉપાદાનને કારણે પરિણામમાં ફરક પડે છે. ઉદાહરણ તરીકે - એક વેશ્યા રસ્તા વચ્ચે મરેલી પડી હતી. તેના મૃતદેહને જોઈને સાધુ, ચોર, કામીપુરુષ અને કૂતરાને જુદા જુદા ભાવ આવ્યા. સાધુને એવો વિચાર આવ્યો કે “અહો! આવો મનુષ્ય અવતાર પામીને પણ આત્માની સમજણ કર્યા વગર આ બીચારી મરી ગઈ' , ચોરને એવો વિચાર આવ્યો કે “જો અહીં કોઈ ન હોત તો એના શરીર ઉપરના બધા દાગીના હું કાઢી લેત', કામીપુરુષને એવો વિચાર આવ્યો કે “જો આ જીવતી હોત તો એની સાથે ભોગ ભોગવત' અને કૂતરાને થયું કે “જો અહીંથી બધા ચાલ્યા જાય તો મને આના શરીરનું માંસ ખાવા મળે'. પરિસ્થિતિ એક જ હતી, પરંતુ મનઃસ્થિતિ જુદી જુદી હતી. નિમિત્તે એક પ્રકારનું હોવા છતાં દરેકના ઉપાદાનની સ્વતંત્રતાના કારણે વિચારમાં કેટલો બધો ફરક પડ્યો! જો નિમિત્ત વિકાર કરાવતું હોત તો બધાને એકસરખા ભાવ થાત. તેથી એમ સિદ્ધ થાય છે કે ઉપાદાનની સ્વાધીનતાથી જ કાર્ય થાય છે. જીવ જેવા ભાવ કરવા ઇચ્છે તેવા ભાવ તે કરી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તે શુભ, અશુભ કે શુદ્ધ ભાવ કરી શકે છે. સમાધાન - ૭ નિમિત્ત જીવને વિકાર કરાવતું નથી, જીવ વિકાર કરવામાં સ્વતંત્ર છે તે વાત બરાબર છે; પણ જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ નિમિત્તરૂપે અવશ્ય હાજર હોય છે. આત્મામાં જે વિકારી ભાવ થાય છે તે શું નિમિત્ત વગર જ થાય છે? જો નિમિત્ત વગર એકલા આત્માથી જ વિકાર થતો હોય તો તે આત્માનો સ્વભાવ થઈ જાય અને તેથી સિદ્ધ ભગવંતને પણ વિકાર થવો જોઈએ; પણ વિકાર આત્માનો સ્વભાવ નથી અને તેથી નિમિત્તને આધીન થઈ જીવ વિકાર કરે છે. આત્મા વિકાર કરે છે તે પરના લક્ષે કરે છે કે આત્માના લક્ષે? આત્માના લક્ષે વિકાર થવાની આત્મામાં લાયકાત જ નથી, માટે વિકાર થવામાં પણ નિમિત્ત તો જરૂરી જ છે. જો કે એક જ નિમિત્તથી Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૩૭ ઉપાદાનાનુસાર જુદી જુદી વ્યક્તિને જુદા જુદા ભાવ થાય છે, પણ જે જે ભાવ થાય છે તે તો નિમિત્તના અવલંબને જ થાય છે. ઉપરોક્ત દષ્ટાંતમાં મૃત વેશ્યાને જોઈ સાધુને કરુણાના, ચોરને ચોરીના, કામી પુરુષને વાસનાના, કૂતરાને ખાવાના ભાવ થયા; પણ તેમાં દાગીના, સ્ત્રીની કાયા આદિ નિમિત્ત હતાં, તેથી તેવા ભાવ થયા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સાથે નિમિત્ત હોય તો જ વિકાર થાય છે, વિકારાદિ કાર્ય માટે નિમિત્તની આવશ્યકતા રહે છે. આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. | ઉપાદાન તૈયાર હોય, નિમિત્ત પણ હાજર હોય અને ઉપાદાન નિમિત્તના આશ્રયે જાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. ઉપાદાન જ્યારે નિમિત્તના આશ્રયે જાય છે ત્યારે જ નિમિત્તમાં કારણતા પ્રગટે છે અને તેથી તે નિમિત્તકારણ કહેવાય છે તથા જ્યારે નિમિત્તકારણના આશ્રયે ઉપાદાનમાં કારણતા પ્રગટે છે ત્યારે ઉપાદાનકારણ પોતે કાર્યરૂપ પરિણમે છે. કર્તાપણાનો સંબંધ ઉપાદાન સાથે છે, નિમિત્ત સાથે નથી; માટે કાર્યસિદ્ધિ અર્થે નિમિત્તનો આશ્રય લેવાની જવાબદારી ઉપાદાનના માથે જ છે. નિમિત્ત પોતે ઉપાદાનને શોધવા અને આશ્રય આપવા નહીં જાય, માટે ઉપાદાને પોતે જ નિમિત્તને શોધી, તેના આશ્રયે જઈ, પોતામાં કારણતા પ્રગટાવી કાર્યરૂપે થવાનું રહે છે. કર્તા પોતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્તે અને પુષ્ટ નિમિત્તકારણનો વિધિપૂર્વક આશ્રય કરી. ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવે તો કાર્યસિદ્ધ થાય છે. આમ, નિમિત્ત અને ઉપાદાનના સહકાર અને સહયોગથી જ કાર્ય નીપજે છે. તેથી જ ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે – ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ; ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.૧ પોતપોતાનાં સિદ્ધતારૂપ કાર્ય માટે સર્વ આત્માઓમાં જરૂરી ઉપાદાન વિદ્યમાન છે અને એ ઉપાદાનને પ્રગટ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પુષ્ટ અવલંબન છે. આત્મામાં ઉપાદાન તો અનાદિ કાળથી રહેલું જ છે, પણ ઉપાદાનકારણતાનું પ્રગટીકરણ પ્રભુની સેવાના નિમિત્તથી જ થાય છે. પરમાત્માના યોગથી જીવને મોક્ષની રુચિ ઉત્પન્ન થાય છે. પ્રભુની પ્રભુતાનું સ્વરૂપ જાણવાથી ભવ્ય જીવને તેવી પ્રભુતા પ્રગટાવવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. પ્રભુનાં દર્શનથી જીવને આત્માની મહાન શક્તિઓનું ભાન થાય છે, વિષયસુખની ભ્રાંતિ નષ્ટ થાય છે અને અવ્યાબાધ, સ્વાભાવિક સુખની પ્રાપ્તિની ઇચ્છા થાય છે. જ્યાં સુધી જીવ વિષયસુખનો અભિલાષી હોય છે, ત્યાં સુધી એ વિષયસુખને જ સાધ્ય માની, તેના સાધનરૂપ એવાં સ્ત્રી, ધન, આદિ પ્રાપ્ત કરવા ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન, કડી ૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન માટે સતત પુરુષાર્થ કરતો રહે છે; પણ જ્યારે તેને પ્રભુનાં દર્શનથી અવ્યાબાધ સુખની અભિલાષા જાગૃત થાય છે ત્યારે તે જીવ અવ્યાબાધ સુખને જ પોતાનું સાધ્ય માની, તેના સાધનરૂપ એવાં દેવ-ગુરુ-શાસ્ત્રની ઉપાસનામાં સતત પુરુષાર્થશીલ રહે છે અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. - આનું તાત્પર્ય એ છે કે ઉપાદાનમાં કારણતા (નિયમા કાર્ય કરવાની શક્તિ) નિમિત્તના યોગે જ પ્રગટે છે. ઉપાદાન અનાદિ-અનંત હોવા છતાં તેની કારણતા સાદિ-સાંત છે. શ્રી અરિહંત પરમાત્મા આદિના આલંબનથી જ્યારે આત્માના વિકાસનો માર્ગ ખુલ્લો થાય છે ત્યારે ઉપાદાનકારણતા પ્રગટે છે અને સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. જ્યાં સુધી સાધક પૂર્ણપણે સ્વભાવમાં સ્થિર થતો નથી, ત્યાં સુધી તેને ઉપકારી નિમિત્તોનું અવલંબન અત્યંત આવશ્યક છે. જેમ જેમ શુભ નિમિત્તના આશ્રયે તે સ્વભાવમાં સ્થિર થતો જાય છે, તેમ તેમ તત્સંબંધી વિકલ્પો પણ છૂટતા જાય છે. જીવ ઉપાદાનસ્વભાવને ઓળખીને જો તેમાં સ્થિર થઈ જાય તો તેને નિમિત્તના વિકલ્પો રહેતા નથી. શુભ નિમિત્તો દ્વારા ઉપાદાનનું લક્ષ કરતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થતાં નિમિત્તના વિકલ્પો છૂટી જાય છે અને જીવ સિદ્ધત્વને પામે છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે ‘જેમ જેમ નિરાલંબી સ્વભાવની અંદર સ્થિરતા વીતરાગદશા વધતી જાય, તેમ તેમ નિમિત્તનું અવલંબન, જિનઆજ્ઞાના વિકલ્પ પણ છૂટી જાય છે. પ્રથમ જે શુભ વિકલ્પ પુરુષાર્થ સાથે હતો તે વિકલ્પ જ્યાં તૂટ્યો ત્યાં નિમિત્તનું જ્ઞાન રહી જાય છે, અને અપ્રમત્તસંયમભાવમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય એકાકારરૂપ શુદ્ધતામાં લીન થઈ જાય છે. એવી દશા જ્યાં લગી નથી ત્યાં લગી સદ્ગુરુનો વિનય, જિનઆજ્ઞાનો વિચાર વગેરે શુભ વિકલ્પ રહે છે, પણ જ્યાં એ નિમિત્તનો આદર નથી ત્યાં નિજગુણની અશાતના વર્તે છે.’૧ ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૨૧-૪૨૨ શ્રી કાનજીસ્વામી વિશેષમાં જણાવે છે કે આ ગાથામાં ઉપાદાનનું નામ' લઈને નિમિત્તનો જે નકાર કરે છે એવા જીવની વાત છે, પરંતુ જેઓ ઉપાદાનના ‘ભાવ’ને સમજીને નિમિત્તનું લક્ષ છોડે છે તેઓ સિદ્ધસ્વરૂપને પામે છે. શ્રી કાનજીસ્વામી આ અપેક્ષાએ આ ગાથામાં શબ્દાન્તર કરી નીચે પ્રમાણે કહે છે - ‘જેટલે અંશે શુદ્ધભાવ ઊઘડ્યો તેટલે અંશે નિમિત્તનું અવલંબન છૂટી જાય છે. ત્યાં નીચેનો સિદ્ધાંત લાગુ પડે છે - ઉપાદાનનો ભાવ લઈ, એ જે તજે નિમિત્ત; પામે તે સિદ્ધત્વને, ન રહે સંસારમાં સ્થિત.' – ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૨૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૬ ૨૩૯ એ સાચું છે કે જ્ઞાનોપલબ્ધિ માટે સ્વરૂપલક્ષ કરવાની અને નિમિત્તનું લક્ષ છોડવાની જરૂર છે, પરંતુ આ કથન કઈ ભૂમિકાને અનુલક્ષીને છે એ પણ સ્પષ્ટપણે સમજવું જરૂરી છે. સાધનાના દરેક સ્તર ઉપર નિમિત્તની મહત્તા અને મર્યાદાના માપદંડ બદલાતા રહે છે. સાધનાપથ ઉપર અવશ્ય એક એવી જગ્યા આવે છે કે જ્યાં નિમિત્તનું લક્ષ પણ અવરોધક બની જાય છે. એક એવી ક્ષણ આવે છે કે જ્યારે નિમિત્તનું લક્ષ પણ છોડી દેવું પડે છે. પરંતુ તે સ્થાન અને તે ક્ષણ આવે ત્યાં સુધી નિમિત્તનું અવલંબન હોવું એટલું જ જરૂરી છે. જે નિમિત્તનું અવલંબન લીધા વિના નિમિત્તનું લક્ષ છોડવાની વાત કરે છે તે પુરુષાર્થી નથી, પ્રમાદી છે. છોડવા માટે પહેલાં પોતાની પાસે તે હોવું પણ જો ઈએને! જે પોતાની પાસે નથી તેને કેવી રીતે છોડી શકાય? ધનવાન વ્યક્તિ જ ધન છોડી શકે છે, ગરીબ નહીં. નિમિત્તનું સેવન જ ન કરતો હોય તે કેવી રીતે કહી શકે કે નિમિત્તનું લક્ષ છોડવાનું છે! જે જીવ નિમિત્તનું સેવન કરે તે જ તેના વિકલ્પોનો ત્યાગ કરી શકે. નિમિત્તનું લક્ષ છોડવાનો વિચાર સાચો છે, પણ જો તેને બરાબર સમજવામાં ન આવે તો માઠાં પરિણામ આવે છે. જે જીવ જાણતો નથી કે નિમિત્તનું સ્વરૂપ શું છે, નિમિત્તની જરૂર કઈ ભૂમિકાએ કેટલી છે, તેને માટે નિમિત્તનું લક્ષ છોડવાની વાત હાનિકારક સિદ્ધ થઈ શકે છે; કારણ કે તે તો આ વાતને પકડીને નિમિત્તનો નિષેધ કરવા લાગે છે. આવો મૂઢ જીવ નિમિત્તનું અવલંબન છોડી દે છે અને પોતાનું અસંતું અહિત કરે છે. નિમિત્તકારણ અને ઉપાદાનકારણના યોગે જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એ બે કારણોમાંથી કોઈ એક કારણનો પણ અપલાપ કરનાર જીવ વસ્તુતઃ જાણ્યે-અજાણ્ય વીતરાગમાર્ગની વિરાધના કરે છે. આત્માર્થી જીવને નિમિત્તનું માહાત્મ સમજાય છે, તેથી તે તેની શોધ કરી, તેને પરમ ઉપકારી માની તેનું સેવન કરે છે. યથાર્થ સમજણપૂર્વક શુભ નિમિત્તોનું સેવન કરવાથી જીવ સ્વરૂપમાં લીન થાય છે અને તેને આત્મપ્રાપ્તિ થાય છે. સરુઆજ્ઞા તથા જિનદશારૂપ ઉત્તમ નિમિત્તાનું સ્વરૂપલક્ષે સેવન કરવાથી અવશ્ય કલ્યાણ જ છે, એમાં કોઈ સંદેહ નથી. તેથી પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ એમ કહે છે કે સાચાં નિમિત્ત મેળવી, તે નિમિત્તનું અવલંબન રહી ઉપાદાન-સન્મુખ થવું; પરંતુ ઉપાદાનનું માત્ર નામ લઈને, સાચાં નિમિત્તોનો ત્યાગ કરી પુરુષાર્થરહિત ન થવું. સાચાં નિમિત્તોનો ત્યાગ કરવાથી આત્મભ્રાંતિરૂપ મહારોગ મટતો નથી અને જ્યાં સુધી રોગ વિદ્યમાન હોય ત્યાં સુધી સિદ્ધત્વની પ્રાપ્તિ આકાશકુસુમવત્ છે. ઉપાદાનને જાણ્યા વિના, સ્વચ્છંદી થઈ પ્રવર્તતા જીવને ધર્મ તો નથી જ પ્રગટતો, ઊલટું તે શુભ ભાવમાં પણ ન રહેતાં અશુભ ભાવમાં પ્રવર્તે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે આ ગાથા એકાંત નિશ્ચયવાદી જીવોને ચેતવવા માટે લખી છે કે જેઓ ઉપાદાનની કારણતાનો જ સ્વીકાર કરે છે અને નિમિત્તની કારણતા નહીં સ્વીકારી, સદ્વ્યવહારનો ઉચ્છેદ કરી, નિશ્ચયનયને દુર્નયસ્વરૂપ બનાવી, જાણે-અજાણ્યે સ્વચ્છંદના ભોગ થઈ જાય છે. આ હીન, દુષમ, પંચમ કાળમાં કેટલા બધા જીવો મતિકલ્પના, શાસ્ત્રીય અભિનિવેશમાં સપડાઈ ગયેલા છે. તેમને સગુરુ આદિ શુભ નિમિત્તોની આવશ્યકતા નથી લાગતી, તેમની પ્રાપ્તિનો ઉત્સાહ નથી. આ વિષમ દુર્ભાગ્યમાંથી બચાવી લેવા માટે જ શ્રીમદે સદ્દગુરુ આદિ ઉપકારી નિમિત્તોનો મહિમા ગાયો છે. ઉપાદાન અને નિમિત્તની તત્ત્વવિચારણા અત્યંત ગહન છે. શાસ્ત્રકારો દ્વારા કોઈ એક અપેક્ષાથી થયેલી મીમાંસાને વાંચીને કોઈ એક બાજુ ઢળી પડવાનો અને પુરુષાર્થહીન બની જવાનો સંભવ રહે છે. તેથી શ્રીમદે આ બે ગાથા(૧૩૫-૧૩૬)માં ઉપાદાન અને નિમિત્ત એ બન્નેનો સમન્વય સંક્ષેપમાં તેમજ સરળ ભાષામાં માર્મિક રીતે દર્શાવીને મોક્ષમાર્ગના પથિક આત્માઓને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ઉપાદાનનું નામ લઈ, બોલે ધરી અહંકાર; કોઈ કોઈનું કરતું નથી, પર તે પર નહીં સાર. સુદેવ સુગુરુ ધર્મ છે, એ જે તજે નિમિત્ત; આશ્રય વિણ તે બાપડા, ભવમાં ભમે ખચીત. જેથી વિષય કષાયનો, છોડી ન શકે રાગ; પામે નહિ સિદ્ધત્વને, છૂટે ન મિથ્યા ડાઘ. ભવ જંજાળ વધારતો, અંતર મોહ સહિત; શુદ્ધ નિમિત્ત ભજે નહીં, રહે ભ્રાંતિમાં સ્થિત....૧ ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૪૧-૫૪૪) Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૭ બળ તાળ કે કે, ૧૨ જુન મોહ, જે કામ મeળ છે, માત્ર ને કહે. Page #275 -------------------------------------------------------------------------- ________________ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩૬માં શ્રીમદે કહ્યું કે જે જીવો ઉપાદાનની વાત આગળ કરીને ભૂમિકા શુભ નિમિત્તોને તજે છે, તે જીવો સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ રખડ્યા કરે છે. ગાથા ગાથા આમ, એકાંતે ઉપાદાનકારણને ગ્રહણ કરનાર એકાંત નિશ્ચયવાદી અથવા શુષ્કજ્ઞાનીની કેવી દશા થાય છે તે જણાવી, હવે શુષ્કજ્ઞાનીનું અપરાધીપણું સચોટપણે દર્શાવતાં શ્રીમદ્ કહે છે ૧૩૭ ‘મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.' (૧૩૭) અર્થ મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. (૧૩૭) ભાવાર્થ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયો નથી અને સ્થિર થવામાં સહાયક એવાં શુભ નિમિત્તો પ્રત્યે જેને આદરભાવ નથી એવો શુષ્કાની જ્ઞાનની વાતો તો પુષ્કળ કરે છે, પણ તેનું અંતર વીતરાગી ભાવોથી અણસ્પશ્યું હોય છે. શાસ્ત્રાભ્યાસના કારણે તે બોલતાં તો શીખી જાય છે, પણ તેનો અંતરંગ અભિપ્રાય હજી બદલાયો હોતો નથી અને તેથી સંસારમાં જ સુખબુદ્ધિ આધારબુદ્ધિ રહ્યા કરે છે. આત્મામાં ચર્યા કર્યા વિના તે આત્માની ચર્ચા કરે છે, પણ અંતરસ્પર્શ વિનાની જ્ઞાનની આવી વાતો કરવાથી કોઈ પણ પ્રકારે આત્માનું કલ્યાણ થતું નથી. શુષ્કજ્ઞાની જ્ઞાનીનાં કહેલ પરમાર્થસ્વરૂપ વાક્યો મુખથી બોલે છે, પણ તેનામાં હજી મોહની પ્રબળતા જેવી ને તેવી જ રહી હોવાથી તે પામર જીવ આત્મકલ્યાણ કરવાને બદલે જ્ઞાનીનો દ્રોહ કરે છે. અંતરમાં પડેલી માન-પૂજાદિની કામનાના કારણે પોતાને જ્ઞાનીમાં ખપાવવાની ઇચ્છાને તે રોકી શકતો નથી અને અનેક પ્રકારની અધમ વૃત્તિ-પ્રવૃત્તિમાં રત રહે છે. તે સાચા જ્ઞાનીને ઓળખી શકતો નથી. કદાપિ કોઈ જ્ઞાનીનો સમાગમ થાય તો તેમના પ્રત્યે વિનય-ભક્તિ કરી શકતો નથી, તેમના પ્રત્યે ઈર્ષ્યાબુદ્ધિ રહે છે, તેમની સાથે પોતાની સરખામણીનાં પરિણામ રહે છે, તેમનાં વચન અને વર્તનમાં દોષ શોધવાની બુદ્ધિ રહે છે. આમ, અનેક પ્રકારે દોષની પરંપરા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ઉદ્ભવતાં તે જ્ઞાનીની આશાતના કરે છે. સ્વયં અપરાધી થઈ અનંત જ્ઞાનીનો દ્રોહ કરે છે અને પોતાનું અનંતું અહિત કરી બેસે છે. સત્ય આજ સુધી કહી શકાયું નથી. સત્ય કોઈ ઉપાયે કહી શકાતું નથી. વિશેષાર્થ જે સત્ય છે, જે સાર્થક છે તેને માત્ર અનુભવી શકાય છે, તેને બતાવવાનો તેને શબ્દમાં કહેવા-સમજાવવાનો કોઈ પણ ઉપાય છે જ નહીં. સત્ય કોઈ રીતે શબ્દોમાં અભિવ્યક્ત થઈ શકતું નથી. સત્ય એક અનુભવ છે અને તે અનુભવ ઉપલબ્ધ થાય છે ત્યારે જીવના ચિત્તમાંથી બધા જ શબ્દો સરી પડ્યા હોય છે. જ્યારે જીવ નિઃશબ્દ થાય છે ત્યારે જ તેને સત્યનો સાક્ષાત્કાર થાય છે. નિઃશબ્દમાં જે જણાયું હોય તેને શબ્દમાં કહેવાનો કોઈ પણ ઉપાય કેવી રીતે સંભવે? જ્ઞાનોપયોગ જ્યારે અંતર્મુખ થઈ અતીન્દ્રિય અને નિર્વિકલ્પ બને છે ત્યારે જ એ સ્વરૂપની પકડ કરે છે. હવે જ્યાં વિકલ્પ જ નથી, વિચાર જ નથી, ત્યાં વાણી કઈ રીતે એ વિષયને પકડી શકે? જેમ આકાશને બાંધવાનો કોઈ ઉપાય નથી, તેમ સત્ય પણ આકાશની જેમ અમર્યાદિત અને અનંત છે. જેમ આકાશને ગાંઠડીમાં બાંધી શકાતું નથી, તેમ સત્યને શબ્દોમાં બાંધી શકાતું નથી. ભાષા મનુષ્યનિર્મિત છે, તેના નિયમો મનુષ્યનિર્મિત છે; તો તેની શક્તિ મનુષ્યની સીમિત બુદ્ધિથી વધારે ઊંચી કેવી રીતે હોઈ શકે? સત્ય બુદ્ધિથી પણ પર છે, તો તે ભાષામાં કઈ રીતે આવી શકે? સીધી લાકડીને પાણીમાં નાખવામાં આવે તો તે વાંકી દેખાય છે. ગમે તેટલી કુશળતાપૂર્વક નાખવામાં આવે તોપણ તે વાંકી જ દેખાય છે. પાણીનું માધ્યમ જ એવું છે કે જેથી લાકડી વાંકી દેખાય છે. લાકડી વાંકી થતી નથી પણ વાંકી દેખાય છે. તેમ ભાષાનું માધ્યમ જ એવું છે કે તે સત્યને જેમ છે તેમ પ્રગટ નથી કરી શકતું. શબ્દમાં આવીને સત્ય પૂર્ણ નથી રહેતું, અધૂરું રહે છે. સત્યનો અનુભવ શબ્દો દ્વારા યથાર્થપણે બતાવી શકાતો નથી; પરંતુ જીવની બધી સમજ માત્ર શબ્દો દ્વારા થાય છે, તેથી જ્ઞાનીઓ શબ્દો મારફત સત્ય તરફ ઇશારો કરે છે. સત્યને શબ્દોમાં પૂર્ણપણે કહી શકાતું નથી, પરંતુ તેની અનુભૂતિની ઝંખના જગાડવા જ્ઞાનીઓ શબ્દો દ્વારા સત્ય તરફ ઇશારો કરે છે. આ વાત એક ઉદાહરણ વડે સ્પષ્ટ થશે. એક મહાકવિ સમુદ્રતટે ફરવા ગયા હતા. પ્રભાતનો સુંદર સમય હતો. આકાશમાંથી સૂરજનાં સોનેરી કિરણો વરસી રહ્યાં હતાં. ખૂબ શાંતિ હતી. શીતળ હવા હતી. આહ્લાદક વાતાવરણ હતું. તેઓ મુગ્ધ બની નાચવા લાગ્યા. ત્યાં તેમને પોતાની પ્રેમિકા કે જે દૂરના ગામમાં બીમાર હતી, તે યાદ આવી. તેમને થયું, ‘જો અહીં મારી પ્રેમિકા હોત તો આ બધાં નયનરમ્ય દૃશ્યોનો આનંદ તે પણ માણી શકત, આ સૌંદર્યનું રસપાન તે પણ કરી શકત. પરંતુ તે તો બહુ દૂર છે. તેને આ અનુભવ કેવી Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૪૫ રીતે પહોંચાડું?' તેઓ દોડતા બજારમાં ગયા. એક કિંમતી પેટી ખરીદી લાવ્યા. પેટીમાં સૂરજની રોશની, ઠંડી મધુર હવા, સાગરના નાચતા આલાદક વાતાવરણને ભરી, પેટીને ચારે બાજુથી એવી મજબૂત બંધ કરી કે જેથી અંદર જે ભરેલું છે તે બહાર નીકળી ન જાય. તાળું મારી તે પેટી પોતાની પ્રેમિકાને મોકલી અને સાથે એક પત્ર લખીને મોકલ્યો કે “મને સમુદ્રતટ ઉપર એક અત્યંત અદ્દભુત અનુભવ થયો અને મને એવા ભાવ જાગ્યા કે તું પણ એમાં ભાગીદાર થાય, તેથી આ પેટીમાં તને એ અનુભવ મોકલી રહ્યો છું. તું જરૂર ખુશ થશે.’ પેટી અને પત્ર તેમની પ્રેમિકાને પહોંચ્યાં. તેણે પહેલાં પત્ર વાંચ્યો. અત્યંત ખુશ થઈ તેણે તાળું ખોલ્યું, પરંતુ પેટીની અંદર તો કંઈ હતું નહીં! ન સૂરજનાં કિરણો હતાં, ન સાગરની હવા, ન આલાદક વાતાવરણ. પેટી બિલકુલ ખાલી હતી. તેની મૂંઝવણનો પાર ન રહ્યો. જેઓ સત્યરૂપી સાગરના કિનારે પહોંચે છે, જેઓ સત્યનો અનુભવ કરે છે, તેમના પ્રાણમાં જગતના સર્વ જીવો માટે કરુણા ઊમટે છે. તેમને થાય છે કે પોતે જે જાણ્યે-અનુભવ્યું છે તે જગતના જીવો સુધી પહોંચે અને તેથી તેઓ તેને શબ્દોની પેટીમાં ભરી, જગતના દુ:ખી જીવોને આપે છે. પોતે જે અનુભવ્યું તેને શબ્દમાં ભરવાનો તેઓ પ્રયત્ન કરે છે. જ્ઞાની પુરુષો જાણે છે કે સત્ય શબ્દમાં આવી નહીં શકે, છતાં તેઓ શાસ્ત્રો રચે છે. આ ઉપરથી સર્વ જીવો પ્રત્યેની તેમની કરુણા પ્રગટ થાય છે. તેઓ પોતાનો અનુભવ જીવોમાં વહેંચી, તે અનુભવમાં જીવોને ભાગીદાર બનાવવા ઇચ્છે છે; પરંતુ જીવ પાસે જ્યારે શાસ્ત્રરૂપી પેટી આવે છે ત્યારે તેમાં માત્ર શબ્દો આવે છે. અનુભવ તો કિનારે જ રહી જાય છે. શાસ્ત્રો દુઃખી જીવો પાસે પહોંચી જાય છે, પણ ચૈતન્યની અનુભૂતિ તેમના સુધી પહોંચતી નથી. તે મહાકવિની પ્રેમિકાએ ખાલી પેટી જોઈને વિચાર્યું કે મારા પ્રિયતમે ચોક્કસ તેમાં કંઈક ભરીને મોકલ્યું છે. તે શું હશે? આ પેટી જેની પાસેથી આવી, જ્યાંથી આવી ત્યાં અવશ્ય કંઈક અદ્ભુત વસ્તુ છે. એ પેટીમાં આવી શકે એમ નથી, પણ તે દ્વારા મને અદ્ભુત પ્રેરણા મળે છે કે તું સમુદ્રતટ ઉપર જલદી આવ, નહીંતર આ અપૂર્વ અનુભૂતિના આસ્વાદથી તું વંચિત રહી જશે.' વારંવાર એનો જ વિચાર કરવાથી તે ઉત્સાહિત થઈ ગઈ અને તેણે એમાંથી પ્રેરણા ઝીલીને, બધું પડતું મૂકીને પ્રયાણ કર્યું. યાત્રા કરી સાગરકિનારે પહોંચી અને પેટીમાં જે આવી શક્યું ન હતું તેની અનુભૂતિ પામી તે ધન્ય થઈ ગઈ. આ રીતે આત્માર્થી જીવને પણ સમજાય છે કે ‘સત્ય કેવળ અનુભવગમ્ય છે અને તે શબ્દોથી પાર છે. ધર્મગ્રંથોમાં જ્ઞાનીની કરુણા, જ્ઞાનીની દયા, જ્ઞાનીનો પ્રેમ પ્રગટ થયો છે અને તે દ્વારા તેઓ પોતાના અનુભવમાં મને ભાગીદાર બનાવવા ઇચ્છે છે.' Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવું ભાન થતાં તેને માટે ધર્મગ્રંથ માત્ર ધર્મગ્રંથ નથી રહેતો, પરંતુ કોઈ દૂરના સાગરકિનારે પહોંચવા માટેની પ્રેરણા બની જાય છે. એ તેનામાં એવી ઉત્કંઠા જગાડે છે, તેના પ્રાણોમાં એવી જિજ્ઞાસા ભરી દે છે કે “જેમણે આ મોકલ્યું છે, જ્યાંથી પણ મોકલ્યું છે ત્યાં જરૂર કોઈ એવો અદ્ભુત અનુભવ છે કે જેનાથી હું વંચિત છું.' શાસ્ત્ર જીવની અંદર સત્યની અનુભૂતિની જિજ્ઞાસા પ્રગટાવે છે. એ જિજ્ઞાસાના કારણે સંસારનો રસ ઊડી જાય છે અને રહે છે માત્ર અનુભૂતિની અદમ્ય અભીપ્સા. શાસ્ત્ર જીવને પરમ સત્યની પ્રાપ્તિ માટે ઉત્સાહિત કરી દે છે અને જીવ પુરુષાર્થ વડે આત્માનુભૂતિ કરી ધન્ય થાય છે. શાસ્ત્રો એ જ્ઞાનીઓની અનુભવવાણી છે. જેમણે આત્મામાં રમણતા કરી છે, જેમણે પોતાના અંતરના સાગરમાં ડૂબકી લગાવી શીતળતાનો અનુભવ કર્યો છે તેમનાં આ અનુભવવચનો છે. એ શીતળતાનો અનુભવ બધાને થાય એવી ભાવનાથી તેમણે એ અનુભવને શબ્દોમાં મૂકવા પ્રયત્ન કર્યો છે. માત્ર તે શબ્દો વાંચવાથી એ અનુભવ જીવનો અનુભવ નથી બનતો. જીવ ગમે તેટલું જાણે, પરંતુ ડૂબકી લગાવનારની એ વાતોથી તેને શીતળતાનો અનુભવ થતો નથી, તે માટે તો સ્વયં ડૂબકી લગાવવી પડે છે. જો જીવ તે શબ્દો ગોખવા માત્રથી એમ માની લે કે મને પણ તે સમજાઈ ગયું છે', તો પછી તેને સાગરમાં ડૂબકી મારવાની આવશ્યકતા જ નથી લાગતી. જો જીવ શાસ્ત્રને જ સત્ય માની લે તો સત્ય તરફની તેની યાત્રા કદી પણ શરૂ થતી નથી. શાસ્ત્રનું અધ્યયન તો જ ઉપયોગી થઈ શકે છે, જો સાથે એ ખ્યાલમાં રહે કે શાસ્ત્રમાં આપેલું સાગરનું વર્ણન સાગર નથી, પ્રકાશનું વર્ણન પ્રકાશ નથી, શાસ્ત્રમાં પ્રતિપાદિત થયેલો આત્મા આત્મા નથી. ‘જ્ઞાનીના શબ્દો તો તેમના અનુભવની માત્ર છાયા છે. આ શબ્દના આધારે મારે આત્માની સાધના કરવાની છે' - આટલું જો યાદ રહે તો સાગરમાં ડૂબકી મારવાનું શક્ય બને. જો આ સમજ ન હોય તો જીવ માટે શાસ્ત્ર જ સાગર બની જાય છે, શાસ્ત્ર જ સત્ય બની જાય છે અને પરિણામે તે શાસ્ત્રમાં જ અટકી જાય છે અને તેને સત્ય પ્રાપ્ત થતું નથી. શબ્દ તો જડ છે. તે કંઈ આત્મા નથી. શબ્દ ઇશારો છે. તે ઇશારાને સમજીને જીવે તે ઇશારાની દિશામાં ગતિ કરવી જોઈએ. તે ઇશારો જીવને ઉત્કૃષ્ટ ધ્યેય પ્રત્યે દોરી જાય છે. શાસ્ત્રો જીવને વિચારહીનતામાંથી બહાર કાઢી સર્વોત્કૃષ્ટ લક્ષ્યની પ્રેરણા કરે છે, પરંતુ જીવ જો શબ્દોમાં જ લોભાઈ જાય તો અનર્થ થાય છે. જો જીવ સ્વની પ્રાપ્તિ કર્યા વિના શાસ્ત્રો દ્વારા એવો આભાસ ઉત્પન્ન કરી લે કે મેં આત્માને જાણ્યો છે' તો અનર્થ થાય છે. તે ક્યારે પણ આત્માનુભવ કરી શકતો નથી. જેમ પૂના જતો પ્રવાસી જો પૂનાના અંતરદર્શક પથ્થર(milestone)ને પકડીને Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૪૭ ત્યાં જ બેસી રહે તો તે કદાપિ પૂના પહોંચી શકતો નથી, તેમ શાસ્ત્રનો અભ્યાસી જો શબ્દો જ વાંચે અને સ્વનો અભ્યાસ ન કરે તો તે નિજધરે પહોંચી શકતો નથી. શબ્દ જ સત્ય છે એવી માન્યતાના કારણે તેનો વિકાસ રૂંધાઈ જાય છે. સમ્યક્ સાધના વડે સ્વની ઉપલબ્ધિ કરવાને બદલે તે શાસ્ત્રોનો આગ્રહ બાંધી બેસે છે અને તેથી તેને શાસ્ત્રીય અભિનિવેશ થઈ જાય છે. કેવળ શાસ્ત્રોને વાંચવાથી આત્માનો અનુભવ થતો નથી, તે અર્થે આત્મચિકિત્સા કરવી આવશ્યક છે. જો કોઈ અંધ વ્યક્તિને પ્રકાશને જાણવાની ઇચ્છા થાય તો તે માત્ર પ્રકાશના સિદ્ધાંતોનો અભ્યાસ કરે, તેનું તત્ત્વજ્ઞાન માથે લઈને ફરે તો શું તેને પ્રકાશનું જ્ઞાન થઈ શકશે? ના. પ્રકાશને જાણવાના ચક્ષુહીન વ્યક્તિના આ બધા જ પ્રયત્નો વ્યર્થ છે. તે અંધ વ્યક્તિ જો પ્રકાશ અંગે માત્ર વિચારો કર્યા કરે તો તેનાં સમય, શક્તિ અને શ્રમ વ્યર્થ જાય છે. તેણે પ્રકાશનું જ્ઞાન મેળવવા પોતાના અંધાપાનો ઇલાજ કરવો જોઈએ. પ્રકાશના જ્ઞાન માટે આંખોનો ઇલાજ જરૂરી છે. અંધાપો એ સમસ્યા છે અને આંખોના ઇલાજથી તે સમસ્યા ઊકલી જશે. આંખો મળતાં પ્રકાશનું જ્ઞાન થશે. આંખોની ખોટ પ્રકાશ વિષેના વિચારમાત્રથી નહીં પુરાય. અંધાપાનો ઇલાજ કરવાને બદલે પ્રકાશના સિદ્ધાંતો મોઢે કરવાથી કંઈ નહીં વળે. પ્રકાશનું જ્ઞાન અને પ્રકાશ સંબંધીનું જ્ઞાન આ બે તદ્દન ભિન્ન વાતો છે. જેમ પ્રકાશની બાબતમાં છે, તેમ આત્માની બાબતમાં પણ છે. તેને જોવા માટે આંખો જોઈશે. ધર્મ એટલે અંતઃચક્ષુની ચિકિત્સા, ધર્મ એવી આંખોની ચિકિત્સા છે કે જે આંખો સર્વને ઉપલબ્ધ તો છે જ, પણ બંધ છે. કેવળ શાસ્ત્રોને વાંચવાથી નહીં પણ અંતર્દષ્ટિથી આત્માનું જ્ઞાન થાય છે અને તે અંતર્દ્રષ્ટિ ચિત્તના પરિવર્તનથી પ્રાપ્ત થાય છે. સિદ્ધાંતોનું અધ્યયન કરવું, તેને મુખપાઠ કરવા, ચર્ચા કરવી ઇત્યાદિ અયોગ્ય નથી; પરંતુ તેટલામાત્રથી ધર્મ નથી. માત્ર સિદ્ધાંતોને ગોખવા તે ધર્મ નથી, પણ શાસ્ત્રનો અભ્યાસ કરી, તેના ઉપદેશ અનુસાર પોતાના ભાવમાં પરિવર્તન લાવવાથી ધર્મ સધાય છે. કોરા શાસ્ત્રાભ્યાસથી નહીં પણ ભાવપરિવર્તનથી આત્મા પ્રાપ્ત થાય છે. માત્ર શાસ્ત્રની સ્મૃતિથી સ્વયંનું જ્ઞાન થઈ શકે નહીં. સ્વની દિશામાં આગળ વધવા માટે તો સ્વપરિવર્તનની કિંમત ચૂકવવી પડે છે. સ્વમાં પ્રવેશવાથી જ સત્યની ઉપલબ્ધિ થાય છે, અધ્યાત્મની અનુભૂતિ થાય છે. સત્યની પ્રાપ્તિ માટે સ્વનું અધ્યયન કરવું એ જ એક ઉપાય છે. સ્વયંનું અધ્યયન તે સ્વાધ્યાય છે. જો કે સામાન્યતઃ સ્વાધ્યાય શબ્દનો અર્થ ‘શાસ્ત્રનું અધ્યયન' એમ ક૨વામાં આવે છે, પરંતુ તે અર્થ અપૂર્ણ છે. જો શાસ્ત્રોનું અધ્યયન એ જ સ્વાધ્યાય હોત તો એ શબ્દમાં ‘સ્વ' જોડવાની કંઈ જરૂર રહેતી નથી. સ્વની પકડ વગર કરેલ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન શાસ્ત્રોનું અધ્યયન એ શાસ્ત્રાભ્યાસ છે, સ્વાધ્યાય નહીં. વ્યવહારથી ભલે તેને સ્વાધ્યાય કહેવામાં આવે, પરંતુ વાસ્તવમાં તે સ્વાધ્યાય નથી. શાસ્ત્રોનું પઠન તો સરળ છે. કોઈ પણ ભણેલો માણસ શાસ્ત્રાભ્યાસ કરી શકે છે. સ્વાધ્યાય કરવા માટે તો સાધકપણું જોઈએ. પોતાના ભાવોનું અધ્યયન, પોતાના સ્વરૂપ પ્રત્યે બોધપૂર્ણ રહેવું એ સ્વાધ્યાય છે. પ્રવચનો સાંભળવાથી કે શાસ્ત્રોનું પઠન કરવામાત્રથી જ્ઞાયકતત્ત્વનો અનુભવ થતો નથી. આત્મજ્યોતિના સંબંધમાં જે સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તેને કંઠસ્થ કરવા માત્રથી આત્મજ્યોતિને અનુભવવા સમર્થ બની શકાતું નથી. ધર્મ વિષેનું જ્ઞાન શાસ્ત્રમાંથી ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે ધર્મ ઉપલબ્ધ થાય છે સ્વયંના અંતરમાં પ્રવેશ કરવાથી. વાસ્તવિક ધર્મનો સંબંધ સત્યના સિદ્ધાંત સાથે નથી. સત્યની સાધના સાથે છે. આત્માર્થી જીવ સત્યની સાધનાના માર્ગે ચાલી સત્યને જાણે છે, અનુભવે છે; જ્યારે બહિર્દષ્ટિ જીવ સત્ય અંગેના માત્ર વિચારો કરે છે. જગતમાં બન્ને પ્રકારના જીવો જોવા મળે છે. જો એમ કહેવામાં આવે કે પ્રેમ એક જાણવા જેવો પદાર્થ છે; તો તે સાંભળીને કોઈ જઈને પ્રેમની દુનિયામાં કૂદી પડે છે, તો કોઈ પુસ્તકાલયમાં જાય છે અને પ્રેમ વિષેનાં જેટલાં પુસ્તકો હોય તેને વાંચવા બેસી જાય છે. આ બન્ને માટે કહેવાશે તો એમ જ કે તેઓ પ્રેમની ખોજમાં ગયા છે, પરંતુ બન્નેમાં આકાશ-પાતાળનો ફરક છે. બે કાર્ય જુદાં જ થાય છે. એક ‘હું ને વિસર્જિત કરીને આવે છે, બીજો “'ને તગડો બનાવીને આવે છે! જે પ્રેમમાં પડે છે તે એના પ્રિય પાત્રની મહત્તામાં અહંને વિલીન કરી નાખે છે અને જે પ્રેમને પુસ્તકોમાં શોધવા જાય છે તે અહંકારથી પુષ્ટ થાય છે. તે પ્રેમ ઉપર વ્યાખ્યાન આપી શકે, બીજાને પ્રેમનો મહિમા સમજાવી શકે, પણ પ્રેમ શું છે તે પોતે જાણતો પણ હોતો નથી. આ ઉપરથી એમ સમજવાનું નથી કે શાસ્ત્રનો અભ્યાસ નિરર્થક છે. શાસ્ત્રના અભ્યાસની આવશ્યકતા તો છે જ, પરંતુ સત્શાસ્ત્રનું પ્રયોજન હોવા છતાં, તેની મહત્તા હોવા છતાં તેની મર્યાદા પણ છે. તે મર્યાદા પણ જાણવી જરૂરી જ છે. શાસ્ત્ર શું કરી શકે અને શું ન કરી શકે - આ બન્ને પડખાંને યથાતથ્ય જાણવાની-સમજવાની જરૂર છે. શાસ્ત્રોને છોડવાના પણ નથી અને શાસ્ત્રમાં અટકવાનું પણ નથી. જીવે શાસ્ત્રાભ્યાસ કરવા પાછળનું પ્રયોજન યથાર્થપણે સમજી શાસ્ત્રોનું વાંચનમનન કરવા યોગ્ય છે. શાસ્ત્રોમાં આત્માનો મહિમા ગાવામાં આવે છે. જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જે પ્રકારે થઈ શકે તે પ્રકારે યુક્તિ, દૃષ્ટાંતાદિ વડે શાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવે છે. જીવોને સ્વપરભેદજ્ઞાન થાય તે પ્રકારે જીવ-અજીવનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે, પરંતુ જ્યાં સત્પાત્રતાનો અભાવ હોય ત્યાં સતુશાસ્ત્રોનો અભ્યાસ પરલક્ષી Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૪૯ જ્ઞાનની પ્રવૃત્તિરૂપ બની જાય છે. અપાત્ર જીવને નિશ્ચયસિદ્ધાંતોના વાંચનથી શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે. શાસ્ત્રોમાં બોધ બે પ્રકારના હોય છે એક ઉપદેશબોધ અને બીજો સિદ્ધાંતબોધ. ઉપદેશબોધમાં વૈરાગ્યાદિ ઊપજે, પાત્રતા કેળવાય એવી શિક્ષા હોય છે; જ્યારે આત્માનાં અસ્તિત્વાદિ અંગેનો, પરિપૂર્ણ જ્ઞાનથી નિર્ણીત થયેલ અફર તત્ત્વવિષયક બોધ તે સિદ્ધાંતબોધ છે. સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધના પરિણમનથી થાય છે. જો જીવ ઉપદેશબોધનું આરાધન કરી વિષય-કષાય ઘટાડે તો જ તેને સિદ્ધાંતબોધનો અભ્યાસ લાભદાયી નીવડે છે, પરંતુ જો જીવ ઉપદેશજ્ઞાનને પરિણમાવી પાત્રતા કેળવે નહીં અને સિદ્ધાંતબોધનો અભ્યાસ કરે તો તેનો વિપર્યાસ ટળતો નથી. તેનામાં શુષ્ક-જ્ઞાનીપણું ઉત્પન્ન થાય છે. શુષ્કજ્ઞાની જીવ મુખથી જ્ઞાનની વાતો કર્યા કરે છે, ‘હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્યઘન છું, પરમાત્મા છું, બ્રહ્મસ્વરૂપ છું' વગેરે ગોખી રાખેલા શબ્દો બોલ્યા કરે છે. જો કે જ્ઞાનની વાતો કરવી એ કંઈ ભૂલ નથી. જ્ઞાનીઓ પણ જ્ઞાનની વાતો કરે છે. અંતરમાં તથારૂપ પરિણમન તથારૂપ પરિણમનના પ્રયત્નો હોય તો જ્ઞાનની વાત કરવામાં કશું ખોટું નથી, પરંતુ તથારૂપ પરિણમન કે તેવા પ્રયત્ન વિના જ્ઞાનની માત્ર વાતો કર્યા કરવાથી જીવને હાનિ થાય છે. શુષ્કજ્ઞાની તથારૂપ વર્તન વિના વાચામાં જ્ઞાન કથે છે. તે જ્ઞાનની વાતો કરે છે, પરંતુ તેની વાણી અને તેનું વર્તન એકરૂપ હોતાં નથી. જેની કથની અને કરણીમાં એકતા નથી, પણ ભિન્નતા છે એવો શુષ્કજ્ઞાની મુખથી તો આત્માના શુદ્ધ સ્વરૂપની વાતો કરતો હોય છે કે ‘હું શુદ્ધ આત્મા છું. મારો આત્મા સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે, અખૂટ સામર્થ્યનો ધણી છે, પૂર્ણ જ્ઞાનથી ભરપૂર છે'; પણ તેના અંતરમાં વિકારો સિવાય કશું જ હોતું નથી. સર્વ જીવ સિદ્ધ સમાન છે' એમ તે બોલતો હોય છે, પણ પોતાને બધાથી ઊંચો માનતો હોય છે; પોતે આત્માની ખૂબ નિકટ છે એમ બોલતો હોય છે અને તેનો સઘળો પુરુષાર્થ તો પોતાનાથી દૂર જવાનો થતો હોય છે; પોતે પરિપૂર્ણ છે સહજાનંદથી સભર છે એમ બોલતો હોય છે અને વિષયાદિની પ્રવૃત્તિ ઓછી કરતો નથી. તે વિષયસુખ, દેહની શાતા આદિનો અભિલાષી હોય છે. આ વિષે શ્રીમદ્ એક રમુજી દૃષ્ટાંત આપે છે ‘એક સંન્યાસી હશે તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ‘ટાઢ ઘણી છે, અને નહાવું પડશે.' આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે ‘મૈં તો જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો, અને તેને શિખામણ મળે Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમ રસ્તો લીધો. શિષ્ય “જમવા પધારો' એવા માનસહિત બોલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માંગ્યું; એટલે તરત શિષ્ય કહ્યું : “મહારાજ, જળ જ્ઞાનગંગામાંથી પી લો.” જ્યારે શિષ્ય આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે “મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.” શુષ્કજ્ઞાની જીવ “આત્મા શુદ્ધ છે, અસંગ છે, બંધન અને મુક્તિથી પર છે, જ્ઞાનમય છે, સુખસ્વરૂપ છે, આનંદનો પિંડ છે' એવા નિશ્ચયપ્રધાન કથનો બોલે છે અને અંતરમાં તો તેને એમ છે કે પરવસ્તુમાં સુખ છે. તેને ભોગની પ્રવૃત્તિ અને પરિણામમાં મીઠાશ લાગે છે. જો આત્મા સુખસ્વરૂપ ભાસ્યો હોય તો પરમાં સુખબુદ્ધિ રહે નહીં. તે બન્ને સાથે રહી શકે નહીં. જેમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં એકસાથે ગતિ નથી થઈ શકતી, પ્રકાશ અને અંધકારની પ્રાપ્તિ એકસાથે નથી થતી; તેમ પરમાં સુખની કલ્પના હોય તો તેને હજી આત્મા સુખરૂપ લાગ્યો જ નથી. સાધકને તો મારો આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો ખજાનો છે, શાશ્વત સુખનો સ્વામી, સ્વાધીન આનંદનો અધિષ્ઠાતા છે. ત્રિકાળી જ્ઞાયક એવો હું ભગવાન આત્મા મારા પોતામાં જ પરિપૂર્ણ છું' એવું યથાર્થપણે લાગ્યું હોવાથી તેને સુખની પ્રાપ્તિ માટે જગતની કોઈ ચીજની આવશ્યકતા નથી લાગતી. તે યથાર્થપણે જાણે છે કે બહારથી કદી સુખ મળી શકતું જ નથી. તે સુખની શોધ માટે અંતર તરફ વળે છે. શુષ્કજ્ઞાની પરિસ્થિતિઓમાં થતા ફેરફારોનો સ્વીકાર કરી શકતો નથી. તે નિર્લેપ રહી શકતો નથી. પ્રતિકૂળતા આવે ત્યારે તેનાં પરિણામ બગડે છે. પ્રતિકૂળતાથી તે અકળાઈ જાય છે. સાધક તો યથાર્થ માન્યતાના આધારે, શૂરાતનપૂર્વક પ્રતિકૂળતાઓનો સામનો કરે છે; અર્થાત્ તેનો શાંત સ્વીકાર કરી, ઉપયોગને અપ્રભાવિત રાખે છે. સદ્ગુરુના બોધબળે પોતાના પૂર્ણ, શુદ્ધ આત્માની ખુમારીથી તે સર્વ પ્રતિકૂળતાઓને સરળતાથી પાર કરતો જાય છે. હું ત્રિકાળી સત્ છું' એમ શુષ્કજ્ઞાની કહે છે, પરંતુ તેને મૃત્યુનો ડર ઓછો થયો હોતો નથી. તે મૃત્યુ સમયે ડરી જાય છે, અશાંત થઈ જાય છે. સાચો સાધક મરણ આવે ત્યારે પણ પરિણામને વિકૃત થવા દેતો નથી. તે મરણની અત્યંત તીવ વેદનાને પણ સમભાવપૂર્વક સહન કરે છે. તે જાણે છે કે વેદના આવતા કોપ કરવાથી, ભયભીત થવાથી, વિષાદ-શોક કરવાથી, રડવાથી, દુઃખી થવાથી, સંક્લેશપરિણામ કરવાથી કાંઈ તે વેદના મટી જતી નથી કે ઘટી જતી નથી. સંક્લેશપરિણામ કરવાથી કોઈ લાભ થતો નથી, ઊલટું તે સંક્લેશપરિણામરૂપ આર્તધ્યાન તો કર્મબંધનું કારણ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૪ (ઉપદેશછાયા-૬) Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૫૧ થાય છે. આમ સમજીને સાધક શાંત ભાવમાં રહે છે. તે પોતાના ત્રિકાળી અસ્તિત્વનું અવલંબન લે છે. શુષ્કજ્ઞાની જીવ પરમાર્થસ્વરૂપ બોધવચનો તો બોલે છે, પણ તેના અંતરમાં મોહદશા તો જેવી ને તેવી જ હોય છે. તેવા જીવોને શ્રીમદે અત્રે ‘પામર' કહ્યા છે. આ પામર શુષ્કજ્ઞાની જીવો અંદર કાંઈક અને બહાર કાંઈક હોય છે. તેઓ અંદરથી અને બહારથી જુદા હોય છે. તેઓ સુંદર બનાવટી મહોરું પહેરે છે. અંદરની કુરૂપતા છુપાવી, તેઓ અત્યંત કુશળતાથી સ્વયંની સચ્ચાઈને અન્યથી છુપાવે છે, પરંતુ કુરૂપતાને ઢાંકવાથી ક્યારે પણ સાચું સૌંદર્ય પ્રાપ્ત થતું નથી. તેવો ઢાંકપિછોડો આત્મઘાતી નીવડે છે. જે ઘા સંતાડવામાં આવે છે, તે સંતાડવાથી મટતા નથી, ઊલટા ઘાતક બને છે. જે કુરૂપતાને ઢાંકવામાં આવે છે તે નષ્ટ નથી થતી, બલ્કે વધતી જાય છે. જે દોષ છુપાવવામાં આવે છે તે ટળતા તો નથી, બલ્કે વધતા જાય છે. આવી ચેષ્ટા તો ઉપરથી સુગંધી પદાર્થો છાંટી અંદરની દુર્ગંધ ઢાંકવા બરાબર છે. સુગંધી પદાર્થો છાંટવાના નહીં પણ દુર્ગંધી પદાર્થો દૂર કરવાના પક્ષમાં જ્ઞાનીઓ છે. કુરૂપતાને જડમૂળથી નાશ કરીને સૌંદર્યને જાગૃત કરવાના પક્ષમાં તેઓ છે. તેમ ન થાય તો બધું નકામું છે. સઘળો શાસ્ત્રાભ્યાસ રેતી પીલીને તેલ કાઢવાના પ્રયાસની જેમ વ્યર્થ છે. દંભમાંથી બહાર નીકળ્યા વિના ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે, તે દ્વારા માત્ર આત્મા સંબંધી બોલી શકાશે, આત્મહિતથી તો દૂર જ રહેવાશે. તેથી જે ઢાંકેલું છે તેને ઉઘાડવાનું જ્ઞાનીપુરુષો કહે છે. તે ગમે તેટલું ખરાબ હોય, પણ તેને ઢાંકવાની ચેષ્ટા ન કરતાં તેને યથાર્થ રીતે ઓળખવા યોગ્ય છે. પોતાની કુરૂપતાને ઓળખવાનું સામર્થ્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માણસ પોતાના આત્મિક સૌંદર્યને ખીલવી શકતો નથી. જે માણસ પોતાની કુરૂપતાને જોઈ શકે છે, તે પોતાને સુંદર પણ બનાવી શકે છે. સુંદરતા ખીલવવા માટે કુરૂપતાનો બોધ થવો આવશ્યક છે. જેમ શારીરિક સ્વાસ્થ્ય માટે રોગને એની સોએ સો ટકા સચ્ચાઈમાં પકડવો પડે છે; તેમ આત્મિક સ્વાસ્થ્ય માટે આંતરિક રોગોને પૂરેપૂરા જાણવા, સમજવા પડે છે. રોગને ઢાંકવાનું રોગના હિતમાં હોય છે, રોગીના હિતમાં નહીં. ઉપચાર માટે સાચું નિદાન અત્યંત જરૂરી છે. નિદાન વિના ઉપચાર થઈ શકતો નથી. જીવ પોતે જેવો છે તેવો પોતાને યથાર્થપણે જાણી લે તો એનું રૂપાંતરણ થઈ શકે છે. સ્વનિરીક્ષણ એ પરિવર્તનશૃંખલાની પહેલી કડી છે. આત્મક્રાંતિનું પહેલું પગથિયું પોતાની જાતને સાચા સ્વરૂપમાં સમજવામાં અને સ્વીકારવામાં છે. પરંતુ જો જીવ દોષો છુપાવી અસત્યનો ઉપયોગ કરે તો તેને સત્ય હાથ લાગી શકતું નથી. સત્યનું ભવન માત્ર સત્યના પાયા ઉપર જ ઊભું રહી શકે છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અસત્યથી સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. પોતે પહેરેલાં મહોરાંઓ ઉતાર્યા વગર નથી થઈ શકતી સ્વયંની શુદ્ધિ કે નથી થઈ શકતો સ્વયંનો આવિષ્કાર. સત્યની શોધ માટે પ્રથમ પોતાના વાસ્તવિક ચહેરાને ઓળખવો ઘટે છે. સત્યના રસ્તે જવું હોય તો પોતાના દોષો વિષે જાગૃતિ લાવવી ઘટે છે. પોતાના દોષોને ઓળખવા જોઈએ, તેની નિંદા કરવી જોઈએ. આવી ચિત્તદશા પ્રગટે તો જ આત્મલક્ષ બંધાય છે. તેથી પ્રથમ પર તરફથી ઉપયોગ હટાવી તેને નિજપર્યાય ઉપર કેન્દ્રિત કરવો જોઈએ. પર્યાયમાં રહેલી અશુદ્ધિઓને પકડવી જોઈએ. જ્યાં સુધી જીવ દોષોથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સુધી જ દોષો વિકાસ પામે છે. જ્યારે જીવ તેને જોવા-ઓળખવા-સ્વીકારવા તૈયાર થાય છે, ત્યારે તે વિલીન થવા લાગે છે. ' - સ્વયંમાં વિરાજતા રાવણને જાણવો પડશે, સ્વીકારવો પડશે. દોષોને ઓળખવા પડશે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ શુષ્કજ્ઞાની જીવ પોતાના દોષો સામે આંખ બંધ કરી લે છે. તે પોતાની જાતને પણ ખબર પડવા દેતો નથી કે તેનામાં દોષ છે. બનાવટી મહોરાં ઓઢી લેવાના કારણે પોતે સ્વયં કેવો છે તેનો બોધ પણ તેને થતો નથી. ચિત્તશુદ્ધિ કરવાને બદલે તે મહોરાં પહેરી આત્મવંચનામાં સરી પડે છે. આ પંચના જેમ જેમ દૃઢ થતી જાય છે, તેમ તેમ આત્મા તેના ભાર નીચે વધુ વધુ દબાતો જ જાય છે. આત્માને દબાવવા અને ડુબાડવા માટે આત્મવંચના જેવી અન્ય કોઈ પ્રબળ વિધિ નથી. પોતાના અહંને સંતોષવા માટે પોતે કેટલું નુકસાન ભોગવે છે તે મોહમૂઢ શુષ્કજ્ઞાની જીવ સમજતો નથી. પોતાના અહંને પોષવા જે ગુણ પોતાના વિષે નથી, તે ગુણ પોતાને વિષે છે એમ તે બતાવે છે. તે પોતાની દરિદ્રતા છુપાવે છે અને જે નથી તે હોવાનો ડોળ કરે છે. જેમ કોઈ ભિખારી બાદશાહનાં વસ્ત્રો ચોરીને પહેરી લે, તેવું તે કરે છે; અને એવો ડોળ કરવા જતાં તેનું ભિખારીપણું વિશેષ જણાઈ આવે છે. તેની ચેષ્ટા દયાજનક સ્થિતિને જન્મ આપે છે. શુષ્કજ્ઞાનીને જગતમાં માન જોઈતું હોય છે. તેને દુન્યવી કીર્તિ-પ્રતિષ્ઠાનું ખૂબ મહત્ત્વ હોય છે. તે લોકોના માપદંડ અનુસાર પોતાની જાતને માપે છે. તે દુનિયાના દર્પણમાં, લોકનજરમાં પોતાનું જે પ્રતિબિંબ પડે છે, તે અનુસાર તે પોતાને મૂલવે છે અને તદનુસાર વર્તન કરે છે. એ પ્રતિબિંબ સારું હોય તો તેને જાળવી રાખવાનોવધારવાનો અને સારું ન હોય તો તેને બદલવાનો સંઘર્ષ કરતો રહે છે. તેમાં નિષ્ફળતા મળે તો દુ:ખી થાય છે. કોઈ પોતાની નોંધ ન લે તો ગમે તે ઉપાયે પોતાનું મહત્ત્વ દર્શાવવા તે તૈયાર થઈ જાય છે. શુષ્કજ્ઞાની માનાદિની પૂર્તિ કરીને સુખી થવા ઇચ્છે છે, પરંતુ જ્યાં સાચાં સુખ Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૫૩ શાંતિ છે ત્યાં તે મીટ માંડતો નથી. તેને માનનો ખપ છે, માનની પુષ્ટિની વાસના છે. જો બે મીઠાં વચન બોલી એને માન આપવામાં આવે તો ફૂલીને ફાળકો થઈ જાય છે. અપમાનને તો તે સહન જ નથી કરી શકતો. કોઈ તેને જરાક ઠેસ પહોંચાડે તો તે આકુળ-વ્યાકુળ થઈ જાય છે. કોઈ તેની પ્રશંસા કરે તો તે ખીલી ઊઠે છે, ગગદ થઈ જાય છે અને કોઈ તેનું અપમાન કરે તો તે ક્રોધિત થઈ જાય છે. જેમ કોઈનું શારીરિક સ્વાથ્ય નબળું હોય તો તે ઠંડી અને ગરમ - બન્ને પ્રકારની હવાથી પરેશાન થાય છે, ઠંડી હવાથી તેને શરદી થઈ જાય છે અને ગરમ હવામાં તેને લૂ લાગી જાય છે; તેમ જેનું આત્મિક સ્વાથ્ય નબળું હોય છે તેને પ્રશંસાની ઠંડી હવા લાગવાથી માનની શરદી લાગી જાય છે અને નિંદાની ગરમ હવા લાગવાથી ક્રોધની લૂ લાગી જાય છે. જેમ વીજળીની ચાંપ દબાવવામાં આવે એટલે પંખો ચાલુ થઈ જાય છે, તેમ કોઈ પ્રશંસા કરે એટલે તેને માન ઊપજે છે અને નિંદા કરે તો ક્રોધ આવે છે. તે પોતાનો માલિક નથી. તે માનાદિનો ગુલામ છે. શુષ્કજ્ઞાની આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી માનાર્થે પ્રવૃત્તિ કરતો હોય છે. તે સર્વ પ્રવૃત્તિ માન માટે જ કરે છે. તે જે પણ કરે છે એ બીજાને દેખાડવા માટે - સારું લગાડવા માટે કરે છે. તે માન મેળવવા માટે હવાતિયાં મારે છે. માનની આગળ તેને ભલભલી ચીજો ગૌણ લાગે છે. તે માનની પાછળ આંધળી દોટ મૂકી જીવનનો હાસ કરતો જાય છે. આ વ્યર્થ પ્રયત્નોમાં તે જીવન વ્યતીત કરી નાખે છે. અહંકારની આડમાં વિવેક મૂરઝાઈ જાય છે અને અશાંતિનો અભિશાપ ટળતો નથી. - શુષ્કજ્ઞાનીને પોતાના શાસ્ત્રાભ્યાસનો અહંકાર હોય છે. તેને ધારણાજ્ઞાનનું અભિમાન હોય છે. તેને હું સમજું છું' એવો પોતાને વિષે અભિપ્રાય હોય છે. આ જ્ઞાનના અહંકારની શિલાઓ તેના મનને દબાવે છે. જો તે શિલાઓ હટે તો તેનું મન હળવું થાય. હળવું થયેલું મન ઊર્ધ્વગામી બને છે. શુષ્કજ્ઞાની અહંકારના કારણે ઊર્ધ્વગામી બની શકતો નથી. શાસ્ત્રજ્ઞાનરૂપ વિદ્વત્તાનું અભિમાન કરતો હોવાથી તેને શાસ્ત્રજ્ઞાન લાભદાયી નથી નીવડતું, ઊલટું નુકસાનકારક થાય છે. જેમ મંદ પાચનશક્તિવાળાને પૌષ્ટિક અન્નનું પાચન થતું નથી, પણ ઊલટું અજીર્ણ થાય છે; તેમ અનધિકારી જીવને આગમરૂપ અન્ન પચતું નથી. હું સરસ વ્યાખ્યાનો કરી લોકોને મંત્રમુગ્ધ કરી શકું છું' એવા પ્રકારના વિકલ્પોમાં પ્રસ્ત રહેતો હોવાથી તેને શાસ્ત્રનો અપચો થાય છે. ખંડનમંડન વગેરે પ્રવૃત્તિમાં પડી તે શાસ્ત્રનો શસ્ત્ર તરીકે દુરુપયોગ કરે છે. ગ્રંથ તેને ગ્રંથિરૂપે પરિણમે છે શાસ્ત્રજ્ઞાનરૂપ વિદ્વત્તા તેમજ પુણ્યયોગના કારણે સમાજમાં મળતા આદર-સત્કારમાં શુષ્કજ્ઞાની ફસાઈ જાય છે અને તેને વધુ ને વધુ માન મેળવવાની ઇચ્છા રહ્યા કરે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શાસ્ત્રનું જાણપણું તથા વ્યાખ્યાનની કુશળતા પોતામાં હોવાથી, તેની વિશેષતા દર્શાવીને મોટાઈ બતાવવાની ઇચ્છા રહ્યા કરે છે, મોટાઈ-મહત્તાની કલ્પના વર્ષા કરે છે. તેને પોતાને જ્ઞાની કહેવરાવવાની ઇચ્છા વર્તે છે. તે પોતાને જ્ઞાની માનવા-મનાવવાની કુચેષ્ટા કરે છે. આ સંદર્ભમાં શ્રીમદે આ શાસ્ત્રની ગાથા ૯ ઉપર કરેલું વિવેચન પુનઃ ઉલ્લેખનીય છે. તેમાં શ્રીમદ્ લખે છે કે - ..... જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પોતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી.'૧ શુષ્કજ્ઞાની પોતે શાની ન હોવા છતાં જ્ઞાનની વાતો કરવામાં કુશળ હોવાથી પોતાની જાતને જ્ઞાનીમાં ખપાવનાર અને પોતાનાં માન-પૂજાદિની કામના પોષનાર તે પામર જીવ સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. તે સાચા જ્ઞાનીપુરુષને ઓળખી શકતો નથી, તેમના પ્રત્યે અહોભાવ કેળવી શકતો નથી. તેમના પ્રત્યે જેટલું વિનયાન્વિત થવું જોઈએ તેટલું તે થતો નથી. તે જ્ઞાનીપુરુષની આદર-ભક્તિ કરતો નથી. તેમના પ્રત્યે તેને સમર્પણભાવ જાગતો નથી. તેમની આજ્ઞાને સર્વાર્પણભાવે ઉપાસવામાં તેને પોતાનો સ્વચ્છંદ આડો આવે છે. જ્યાં સુધી સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનો પ્રત્યે અચળ પ્રેમ આવતો નથી. તે વચનો પ્રત્યે જેવો થવો જોઈએ તેવો ઉચ્ચ ભાવ જાગતો નથી. જ્ઞાનીનાં વચનો તેના અંતઃકરણને સ્પર્શતાં નથી. જ્ઞાની જે સન્માર્ગ બતાવે છે, તેની અંતરમાં સૂઝ પડતી નથી. સ્વચ્છંદરૂપી મહાદોષના કારણે તે જ્ઞાનીનાં વચનોમાં શંકા કરવા લાગી જાય છે અને જ્ઞાનીનાં વચનો પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો સાથે મેળ ખાતાં નથી એવું શોધવાનો પ્રયાસ કરનારી પોતાની દોષશોધક બુદ્ધિને તે પરીક્ષાબુદ્ધિમાં ખતવે છે. ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૯ (ગાથા ૯ ઉ૫૨ શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૫૫ જ્ઞાનીનાં કથન પ્રત્યે અશ્રદ્ધા અને તેમાંથી ભૂલ શોધવાની વૃત્તિ સેવી તે અભક્તિ કરે છે. તે જ્ઞાની પુરુષના ઔદયિક ભાવને અનુલક્ષીને થતાં તેમનાં આચરણમાં દોષ શોધવા મથે છે. તે જ્ઞાનીને ખોટા ઠરાવવાના પ્રયાસો કરે છે. તેને જ્ઞાની માટે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. શુષ્કજ્ઞાની જીવ જ્ઞાનીપુરુષના સમાગમ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે. તે જ્ઞાની પાસે નથી જતો, કારણ કે તેમાં તેના અહંકારને ચોટ લાગે છે. તે શાસ્ત્રોમાં રસ લે છે, કારણ કે શાસ્ત્ર દ્વારા અહંકારને ચોટ નથી લાગતી. શાસ્ત્ર અહંકારનું કંઈ પણ બગાડી શકતાં નથી. શાસ્ત્ર જીવના અહંકારને હાનિ પહોંચાડી શકતાં નથી. જીવમાં ભારોભાર સ્વછંદ હોય તોપણ શાસ્ત્ર કંઈ કરી શકતાં નથી. શાસ્ત્રનો આશય ફેરવી નાખવામાં આવે, મનગમતા અર્થો કાઢવામાં આવે તો પણ શાસ્ત્ર જીવને કંઈ કરી કે કહી શકતાં નથી. જીવ વિપરીત અર્થઘટન કરે તો શાસ્ત્ર કંઈ તેને ટોકતાં નથી. જીવ શાસ્ત્રથી પોતાની જાતને બચાવીને નીકળી શકે છે. આ સર્વ એટલા માટે શક્ય છે કે શાસ્ત્ર અજીવ છે, પરંતુ જ્ઞાનીપુરુષ તો જીવંત છે. તેમની સાથે આ શક્ય નથી. જ્ઞાની પુરુષ સાથે આવો વ્યવહાર નથી કરી શકાતો. જીવના અહંકારે ત્યાં નમવું પડે છે. શુષ્કજ્ઞાની કહે છે કે ‘ઝૂકવામાં મને ક્યાં વાંધો છે? શાસ્ત્ર પાસે તો હું નમું જ છુંને?' પરંતુ શાસ્ત્રને નમવા છતાં માલિક તો તે જ રહે છે. શાસ્ત્રનું અવલંબન લેવામાં સગવડ છે. તેમાં જીવ તેનો માલિક હોય છે. જ્યારે જીવંત સંત પાસે જતાં પોતાનું માલિકીપણું છોડવું પડે છે. શુષ્કજ્ઞાનીના અહંકારને એ ગમતું નથી. જીવંત સંત એક ધગધગતી આગ છે. તેમની પાસે જવાનો અર્થ છે અહંકારનું બળવું. જેનામાં પોતાના અહંકારને જલાવી દેવાની હિંમત હોય છે તે તો જ્ઞાની પુરુષ પાસે પહોંચી જ જાય છે, પરંતુ જેને ભસ્મ થવું નથી - જે પોતાનો અહં છોડવા તૈયાર નથી અને જે પોતે જ્ઞાની ન હોય છતાં પોતાને જ્ઞાની કહેવડાવવું છે તે જ્ઞાનીપુરુષ પાસે જતો નથી. તે શાસ્ત્ર પ્રત્યે ખૂબ પ્રેમ, આદર અને ભક્તિ બતાવે છે, પરંતુ અહંકારને બચાવવા માટે સદ્ગુરુનું અવલંબન ન લેવારૂપ ભયંકર દોષને સેવી તે પોતાનું અપરિમિત અહિત કરે છે, - શુષ્કજ્ઞાનીને પોતાની મહત્તા અને અધિકતાનાં પરિણામ રહેતાં હોવાથી જ્ઞાનીપુરુષની મહાનતાનો તે સ્વીકાર કરી શકતો નથી. તેની વૃત્તિ ઊંટ જેવી હોય છે. ઊંટને થાય કે હું જગતમાં સૌથી ઊંચો.' તેનો આ અહંકાર રણમાં જ પોષાઈ શકે અને તેથી તેને રણપ્રદેશ જ ગમે. રણમાં જ્યાં જુએ, જે જુએ તે બધું તેનાથી નીચું જ હોય. પણ જો તે પર્વત પાસે જાય તો તેનો અહં તૂટે. પોતાથી ઊંચું પણ કાંઈક હોઈ શકે એ સ્વીકારવા તે તૈયાર થતો નથી અને તેથી તે રણપ્રદેશ છોડી પર્વતવાળી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જગ્યાએ જતો નથી. તેવી જ રીતે શુષ્કજ્ઞાનીને જ્ઞાનીની મહાનતા સહન નથી થતી. પોતાની મહાનતા પુરવાર કરવા અને જ્ઞાની પુરુષનું ખરાબ દેખાડવા તે હલકી ચેષ્ટાઓ કરે છે. તે તેમના પ્રત્યે દ્વેષ, અસૂયા ઇત્યાદિ સેવે છે. તે તેમની નિંદા કરે છે. જ્ઞાની પુરુષનો અવર્ણવાદ કરવામાં તે અનંત જ્ઞાનીઓનો અનાદર કરે છે. શુષ્કજ્ઞાનીને જ્ઞાની પુરુષની ઈર્ષ્યા આવે છે. તેમની પાસે કેટલા વધારે અનુયાયીઓ છે, તેમની કેટલી કીર્તિ-પ્રતિષ્ઠા છે એનો તે વિચાર કર્યા કરે છે અને ઈર્ષામાં બળ્યા કરે છે. પોતાની પાસે તેમનાથી ઓછું છે એના વિચારથી તે દુઃખી થાય છે. તે અનુયાયીઓની સંખ્યામાં, માન-સન્માનમાં જ્ઞાનીપુરુષથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરે છે. લોકો જ્ઞાની પુરુષનું સાંભળવા ન જાય પણ પોતાને સાંભળવા આવે એવા પ્રયત્નો તે કરે છે. તે જ્ઞાની પુરુષ સાથે અનુયાયીઓ આદિની વ્યર્થ હરીફાઈમાં પડે છે. તે જ્ઞાનીથી પણ ઊંચો દેખાવા પ્રયાસ કરે છે. આવું વલણ અતિશય હાનિકારક છે. તે પામર જીવ અનંત સંસાર વધારે છે. તે પોતાનું મહા અનર્થ આચરે છે. મહા અપરાધી થઈને તે અનંતા જ્ઞાનીઓનો દ્રોહ કરે છે. જેને સાચી મુમુક્ષુદશા વર્તે છે તે સ્વપ્નમાં પણ કોઈનો દ્રોહ કરતો નથી. મુમુક્ષુ જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે, પણ તે અહંકારાદિમાં ફસાતો નથી. ‘મારું આત્મસ્વરૂપ કઈ રીતે પ્રગટે?' એવા ઉલ્લાસપૂર્વક તે શાસ્ત્રાભ્યાસ કરે છે. આત્મપ્રાપ્તિ માટે તેના પ્રાણ આતુર હોય છે. તેને કેવળ મોક્ષાભિલાષા વર્તે છે. ક્યારે મુક્ત થાઉં?' એવી જ ભાવના રહે છે. સ્વરૂપલક્ષે, જિનાજ્ઞા આધીન થઈ, તે સ્વના પુરુષાર્થમાં વર્તે છે. પણ જેનામાં મુમુક્ષુતા પ્રગટી નથી અને જ્ઞાનની વાતો બોલવી ગમે છે; તે પ્રમાણે આચરણ કરવું નથી અને પોતાના અહંભાવ-મમત્વભાવને પોષવા છે - તે મહાપાપી પ્રાણી છે, જિનશાસનનો વેરી છે. શાસ્ત્રજ્ઞાન જેને પરિણત થયું ન હોય તેવો સાધુ જેટલા પ્રમાણમાં ઘણું ભણ્યો હોય, ઘણા લોકોને માનવા યોગ્ય બન્યો હોય અને ઘણા શિષ્યોથી યુક્ત બન્યો હોય; તેટલા પ્રમાણમાં તે સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતની અવળી પ્રરૂપણા કરનારો હોવાથી જિનશાસનનો શત્રુ છે. શાસ્ત્ર શું કહે છે તે તરફ તેનું જરા પણ લક્ષ્ય હોતું નથી. આત્મહિતની દૃષ્ટિએ તેને કર્તવ્ય-અકર્તવ્યનું લક્ષ હોતું નથી. પૂર્વપુણ્યના યોગે જે શક્તિ, ક્ષયોપશમ અને સામગ્રી પ્રાપ્ત થઈ હોય, તેમાં તે મગ્ન બની જાય છે અને પોતાના કર્તવ્યઅકર્તવ્યને ભૂલી જાય છે. માન-સન્માન અને અનુકૂળતાનો તે અર્થી હોય છે અને એ માટે જે કરવું પડે તે કરવા તે તૈયાર થઈ જાય છે. પરિણામે તે શિથિલાચારી બને છે અને અસાર પ્રરૂપણા દ્વારા અનેક જીવોને ઉન્માર્ગે લઈ જાય છે. જગતની દૃષ્ટિએ જ્ઞાની બનેલો હોવા છતાં પણ વાસ્તવમાં તે અજ્ઞાની જ છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ગોથા-૧૩૭ ૨૫૭ જગતનો મોટો ભાગ માત્ર બાહ્ય દૃષ્ટિથી જોનારો હોય છે. તેઓ ભૂલવિદ્વત્તા, વાકપટુતા, બાહ્યાડંબર, પુણ્યપ્રકર્ષ વગેરે જોઈને આકર્ષાઈ જાય છે. આવી બાહ્ય સમૃદ્ધિના માલિક એવા પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા આત્માને માનનારો, પૂજનારો, સેવનારો ઘણો વર્ગ મળી જાય છે. ખ્યાતિ, યશ, પ્રતિષ્ઠા તેને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. આ બધું જેમ જેમ પ્રાપ્ત થતું જાય છે, તેમ તેમ પરિણતજ્ઞાનના અભાવથી તેનો અહંકાર દિન-પ્રતિદિન વધતો જાય છે. તે બાહ્ય પ્રવૃત્તિઓમાં એટલો બધો રચ્યોપચ્યો રહે છે કે જેના પરિણામે તેનો શાસ્ત્રપરિચય પણ ઘટતો જાય છે. શાસ્ત્રપરિચય ઘટવાના કારણે તેની પ્રરૂપણા પણ અસાર બનતી જાય છે. ભદ્રિક વર્ગ તેની ખ્યાતિથી અંજાઈ જઈ, તેના દ્વારા કરાયેલી મિથ્યા પ્રરૂપણાને પણ સમ્યક્ પ્રરૂપણા માને છે. તેની વિદ્વત્તાની ખ્યાતિના કારણે તેની પાસે આવેલા અનેક જીવો તેની મિથ્યા પ્રરૂપણાના કારણે યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. આમ, આરાધકોને મહાહાનિ કરવા દ્વારા તે જિનશાસનનો મહાશત્રુ બને છે. આ જ વાતને વધારે સ્પષ્ટ કરતાં ‘ઉપમિતિ ભવ પ્રપંચા કથા' નામક મહાકથાગ્રંથના રચયિતા શ્રી સિદ્ધર્ષિગણિ, ‘ઉપદેશમાળા' ગ્રંથની “હેયોપાદેયા' નામની વૃત્તિમાં જણાવે છે કે જેમ જેમ ઘણું ભણ્યો હોય, ઘણા શ્રાવકોને માન્ય હોય, ઘણા શિષ્યોથી યુક્ત હોય; તેમ તેમ મોહના ઉદયથી ઋયાદિમાં ગૃદ્ધિ કરતો એવો તે શાસનનો શત્રુ થાય છે, કારણ કે તે શાસ્ત્રોક્ત કથનથી વિપરીત આચરણ કરવાવાળો છે. આવા જીવને શાસ્ત્રનો પરમાર્થ શું છે એનું જ્ઞાન હોતું નથી. જેને શાસ્ત્રના પરમાર્થનું જ્ઞાન હોય તે કદી પણ ઋદ્ધિગારવ, રસગારવ, કે શાતાગારવમાં આસક્ત બનતો નથી." જ્ઞાન માત્ર વાણીમાં નહીં, સમગ્ર જીવનમાં પરિણત થવું જોઈએ. ક્ષમા, પ્રેમ, કરુણા, અહિંસા, અદ્વેષ, આર્જવ, નમ્રતા, નિર્દભતા, નિરીહતા વગેરે સગુણો સાચા જ્ઞાનની સાથે પડછાયાની જેમ આવે જ છે. આનાથી ઊલટું જીવન વહેણ તો હૃદયમાં પ્રવર્તતા અજ્ઞાનના સામ્રાજ્યનું પ્રતીક છે. જો જ્ઞાન વડે જગતના પ્રાણીસમૂહ પ્રત્યે આત્મતુલ્ય વર્તાય અને જડ જગત પ્રત્યે વિરક્તભાવનું ધારણ-પોષણ થાય, પરમાત્મા સાથે પોતાનું અનુસંધાન વધે, દેહાત્મબુદ્ધિ મોળી પડે તો તે શાસ્ત્રજ્ઞાન સફળ છે. ૧- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિકૃત, ઉપદેશમાળા' ગ્રંથની હેયોપાદેયા વૃત્તિ, શ્લોક ૩૨૩ ___ 'यथा यथा बहुश्रुतः श्रमणमात्रेण, सम्मतश्च तथाविधलोकस्य, शिष्यगणसंपरिवृतश्च बहुमूढपरिवारश्च, मूढानां तथाविधपरिग्रहणात् , अविनिश्चितश्चाज्ञाततत्वश्च समये सिद्धांते, ज्ञाततत्वस्य ऋद्धिरससातगौरवेषु प्रतिबंधाभावात् ।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૧૪ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરિવરિઓ; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરીઓ રે.” WWW.jainelibrary.org Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદ્ કહે છે – ‘જ્ઞાન તો છે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.' જે જ્ઞાન જીવનમાં પ્રતિબિંબિત થતું નથી તે યથાર્થ જ્ઞાન નથી, કેવળ કહેવા માત્ર જ્ઞાન છે. “શરીર જુદું છે અને હું જુદો છું. માત્ર એટલું કહેવાથી ભેદજ્ઞાન થતું નથી. સદ્દગુરુના ઉપદેશ પ્રમાણે શરીર અને પોતાના આત્મસ્વરૂપમાં દ્રવ્યસ્વતંત્રતાનો યથાર્થ નિશ્ચય હોય અને તેનો પ્રયોગાત્મક અભ્યાસ થતો હોય તો ભેદજ્ઞાન ઘટિત થાય છે. આત્મસ્વરૂપની ચર્ચા સાથે અધ્યાત્મરસની તથારૂપ પરિણતિ થાય તો જ નિજકાર્યની સિદ્ધિ થાય છે. અધ્યાત્મની માત્ર વાતો કરવાથી, ચર્ચા કરવાથી કાંઈ અર્થ સરતો નથી. શાસ્ત્રની ઉધાર લીધેલી વાતોનાં રટણથી, ‘હું શુદ્ધ છું, પૂર્ણ છું, નિત્ય છું, ધ્રુવ છું' એમ બોલવા માત્રથી જીવનું કલ્યાણ થઈ જતું નથી. આત્મકલ્યાણના અર્થે તો તેણે અભ્યાસ દ્વારા શુદ્ધતાનો અનુભવ કરવો ઘટે છે, શાંતિ તત્ત્વનું વેદન કરવું ઘટે છે. જીવે વિદ્વત્તાથી સંતોષાઈ ન જતાં પરિણમનનો પ્રયત્ન કરવો ઘટે છે કે જેથી સંસારસમુદ્રથી પાર થવાય. શ્રીમદે જીવને આત્મલાભ થાય તે અર્થે ઉત્તમ બોધદાન કરી તેને દોષો પ્રત્યે જાગૃત કર્યો છે. શ્રીમદે જે ઉપદેશ કર્યો છે તેના ઉપર જે કોઈ જીવ વિચાર કરશે, આત્મનિરીક્ષણ કરશે, પોતાનો દોષ ઓળખશે, સ્વીકારશે, ઉગ પુરુષાર્થ વડે નિર્મૂળ કરવાના પ્રયત્નો કરશે; તેના જીવનમાં ક્રાંતિ થશે. જીવ શાસ્ત્રજ્ઞાનને આચરણમાં ઉતારવાનો પુરુષાર્થ કરશે, શાસ્ત્રવાંચન દ્વારા આત્માની સમજણ કેળવશે, આત્માનો મહિમા વધારશે તો આત્મામાં લીન થશે. પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માનો આશ્રય એ જ સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. હજારો, લાખો સત્શાસ્ત્રોનાં કથનો એકમાત્ર ચૈતન્યસ્વરૂપ આત્મા તરફ જ ઇશારો છે. શાસ્ત્રરૂપી સમુદ્રનું મંથન કરીને માત્ર એક ચૈતન્યરત્ન જ મેળવી લેવાનું છે. જો જીવ શુષ્ક પંડિતાઈમાં જ ગૂંચાઈ રહે તો તેનો કોઈ પત્તો નહીં ખાય. મુખથી નિશ્ચયનયપ્રધાન વાક્યો બોલનારો, અંતરમાં મોહથી સભર એવો પામર જીવ જ્ઞાનીનો દ્રોહ કરી ભવાટવીમાં રઝળે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – વ્યાસપીઠ પરથી મોટાં મોટાં વ્યાખ્યાનો કરનારા જગતમાં કંઈક પડ્યા છે! ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૭ (ઉપદેશછાયા-૧૨). ૨- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૮, શ્લોક ૫ 'किं मोदसे पण्डितनाममात्रात, शास्त्रेष्वधीती जनरज्जकेषु । तत्किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद् येन भवाब्धिपातः ।।' Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭ ૨૫૯ અરે! પોતાના આત્મસ્વરૂપની પણ અંત:પ્રતીતિ નહીં છતાં મોક્ષ સુધીની નિષ્ફળ વાતો કરનારાનો જગતમાં કાંઈ તોટો નથી. પણ લૌકિક માન લેવા ખાતર કે અન્ય હેતુએ તથારૂપ અંત:પ્રતીતિ વિના - ભાવસ્પર્શ વિના તેવી ખાલી મુખથી વાતો કરવી તે તો માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે.' એ જ આ સૂત્રમાં ભગવાન શાસ્ત્રકારે પ્રકાશ્ય છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે – મુખથી જ્ઞાન કથે અને, મનમાં વિષય કષાય; રચ્યો પચ્યો દુષ્કર્મમાં, તે અજ્ઞાન ગણાય. બાહ્યજ્ઞાન આડંબરી, અંતર છૂટ્યો ન મોહ; કપટરૂપ સાક્ષાત એ, લેશ ન લાજે તોય. ઘણું વાંચી સંભળાવીને, શિષ્ય ઘણા કરનાર; તે પામર પ્રાણી કરે, શાસન વેર અપાર, વાર્તા જ્ઞાનની બોલીને, વૃદ્ધિ કરે મતિ મોહ; મૂર્ખ શિરોમણિ તે કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” ૨ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૪૮ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૪૫-૫૪૮) Page #293 -------------------------------------------------------------------------- ________________ Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૮ હોય, વિ, તેમજ મા, ૧૧, ત્યાગ, વેર, ઈમ મુમુલ અટક, જે ૨૧ રેજો. Page #295 -------------------------------------------------------------------------- ________________ Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૮ ગાથા અર્થ - ગાથા ૧૩૭માં શ્રીમદે કહ્યું કે જે જીવ મુખથી નિશ્ચયનયપ્રધાન વચનો ભૂમિકા '2" કહે છે, પરંતુ અંતરથી જેનો મોહ છૂટ્યો નથી અને માનાદિ કામના વર્તતી હોવાથી પોતાને મોટો જ્ઞાની કહેવરાવે છે, તે પામર પ્રાણી જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. અંતરમાં મોહની પ્રબળતા વર્તતી હોવા છતાં જે જીવ જ્ઞાનની મોટી મોટી વાતો કરે છે, તે જીવ જ્ઞાની તો નથી; પરંતુ તેને સાચો મુમુક્ષુ કહેવો પણ યોગ્ય નથી. મુમુક્ષુ જીવ કયાં લક્ષણોથી વિભૂષિત હોય, અર્થાત્ મુમુક્ષુમાં કયા ગુણ પ્રગટ્યા હોય છે તે સ્પષ્ટ કરતાં શ્રીમદ્ પ્રકાશે છે – ‘દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.' (૧૩૮) - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગૃત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (૧૩૮). ભાવાર્થી = જે જીવને અંતરમાં મોક્ષ સિવાય કોઈ પણ બીજી અભિલાષા ન હોય તે J જીવ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. જે જીવ સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાય અને મોક્ષને વિષે જ યત્ન કરવામાં સંલગ્ન હોય, તે જીવમાં મુમુક્ષુતા પ્રગટી ગણાય. જે જીવને મોક્ષની અદમ્ય ઇચ્છા જાગી હોય, તે જીવ પોતાના સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રવૃત્ત હોય છે. સતુની પ્રાપ્તિ અર્થે સત્સમાગમ, ચિંતન, નિદિધ્યાસન આદિ કરતાં તેનામાં સદ્દગુણોનું ગ્રહણ થવા લાગે છે. તેનામાં દયા (પોતાને અને પરને દુઃખથી છોડાવવાની ભાવના), શાંતિ (કષાયોનું ઉપશાંતપણું, મંદપણું, મોળાપણું), સમતા (સુખમાં કે દુ:ખમાં સર્વત્ર સમભાવ, રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણામ), ક્ષમા (ક્રોધના નિમિત્તો મળવા છતાં ઉત્તેજિત ન થવું), સત્ય (વસ્તુ જેવી છે તેવી જાણવી અને તે પ્રમાણે કહેવી), ત્યાગ (પરવસ્તુમાં તાદાભ્યપણું ન કરવું), વૈરાગ્ય (સંસાર, ભોગ, દેહ સંબંધી રાગનું ખરી પડવું) અવશ્ય પ્રગટે છે. દયાદિ ગુણો ન હોય ત્યાં મુમુક્ષુપણું ન હોઈ શકે. શુષ્કજ્ઞાનીની કથની અને કરણીની વાત કર્યા પછી શ્રીમદે સાચી મુમુક્ષુદશા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દર્શાવી છે તે સપ્રયોજન છે. દયાદિ ગુણો પ્રગટ્યા ન હોય તો તે જીવમાં મુમુક્ષુપણું હોય નહીં અને જે જીવમાં મુમુક્ષુપણું પણ ન હોય તે જીવમાં મુમુક્ષુપણાથી પણ આગળની ભૂમિકા જ્ઞાનીદશા તો કઈ રીતે સંભવે? આ તથ્ય સમજાવવા માટે મુમુક્ષુની ભૂમિકામાં પ્રગટવા જરૂરી એવા સાત ગુણો આ ગાથામાં બતાવ્યા છે. જે સાચો મુમુક્ષુ હોય તેના આત્મામાં આ દયાદિ સાત ગુણો અવશ્ય હોય છે. આ ગુણો વિના સાચું મુમુક્ષુપણું હોઈ શકતું જ નથી. અત્યંત સરળ ભાષામાં મુમુક્ષુનાં લક્ષણો બતાવતી આ ગાથા આત્મદશા માપવા માટે થર્મોમીટર સમાન છે. તે સાધકને પથદર્શન કરાવતી હોવાથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જીવનનું સત્ય માત્ર બહારના આચરણથી કદી પણ પ્રાપ્ત થતું નથી. વિશેષાર્થ માત્ર બહારના આચરણથી કોઈ આધ્યાત્મિક લાભ થતો નથી. માત્ર બાહ્યમાં ફેરફાર કરવાથી નહીં પણ કેન્દ્ર તરફ વળવાના શ્રમથી સત્યની પ્રાપ્તિ થાય છે. અસ્તિત્વના બહારના ઘેરાવામાં અટકી જવાથી સત્યને પામી નથી શકાતું. તે અર્થે અસ્તિત્વના કેન્દ્ર તરફ જવા માટેનો પ્રયત્ન કરવો જરૂરી છે. આંતરિક ચેતનાના કેન્દ્રને ઓળખવાનું છે. એ કેન્દ્ર સ્વયંમાં જ છુપાયેલું છે. અંતર્મુખ દૃષ્ટિ રાખીને સ્વયંમાં શોધવાથી જ એ મળે છે. ધર્મ એ બહારનું પરિવર્તન નથી પણ આંતરિક ક્રાંતિ છે. ધર્મ એટલે પરમ જાગરણ, આમૂલ રૂપાંતરણ, આંતરિક ક્રાંતિ. ધર્મ એટલે પોતાનો વિકાસ એ વિકાસ કે જે બહારની કોઈ પણ ગણતરી ઉપર આધાર રાખતો નથી, પણ જે અંતરમાં જ થાય છે. ધર્મ કોઈ બાહ્ય ક્રિયા નથી. જ્ઞાનનો સંગ્રહ એ પણ ધર્મ નથી. આના ઉપરથી એમ સમજવાનું નથી કે ધર્મારાધના અંતર્ગત ક્રિયાની કે જ્ઞાનની જે બાહ્ય આરાધના કરવામાં આવે છે તેનો અત્રે નિષેધ છે. એ સર્વનું ધર્મારાધનમાં અવશ્ય સ્થાન છે, પણ જો તેમાં જ સંતોષાઈ જવાય, તેને જ ઇતિશ્રી માની લેવાય તો યથાર્થ ધર્મ સધાતો નથી. સ્વરૂપની જાગૃતિ સધાય તો જ યથાર્થ ધર્મ ઘટિત થાય છે. આત્મામાં સ્થાપિત થવું એ ધર્મ છે. આત્મામાં સ્થાપિત થવા અર્થે ચિત્તશુદ્ધિ થવી આવશ્યક છે. અંતરના સત્યનું ઉદ્ઘાટન ચિત્તશુદ્ધિ હોય તો જ શક્ય બને છે. આત્માનો સાક્ષાત્કાર ચિત્તશુદ્ધિ વિના શક્ય જ નથી. ચિત્તની નિર્મળતા વિના, પાત્રતા કેળવ્યા વિના આત્માનુભૂતિ થવી, આત્માનાં સુખ-શાંતિ મળવાં અસંભવિત છે. દયાદિ ગુણોના ગ્રહણથી ચિત્ત નિર્મળ થાય છે, પાત્રતા સુદૃઢ થાય છે. પ્રસ્તુત ગાથામાં શ્રીમદે પાત્રતાને સુદૃઢ કરનારાં દયાદિ લક્ષણો દર્શાવ્યાં છે. શ્રીમદે ગાથા ૩૮માં આત્માર્થીનાં લક્ષણો બતાવ્યાં હતાં તથા ગાથા ૧૦૮માં - Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૬૫ જિજ્ઞાસુનાં લક્ષણો બતાવ્યાં હતાં. ૧ શ્રીમદે જે વાત આત્માર્થીનાં તથા જિજ્ઞાસુનાં લક્ષણોમાં બતાવી, તે જ વાત દઢ થવા અર્થે પુનઃ બીજા શબ્દોમાં મુમુક્ષુનાં લક્ષણો તરીકે ઉપસંહારની પ્રસ્તુત ગાથામાં કરી છે. મુમુક્ષુના ચિદાકાશમાં સપ્તર્ષિ તારામંડળની જેમ સદા ચમકતાં એવાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય - એ સાત લક્ષણોની હવે ક્રમથી વિચારણા કરીએ – (૧) “દયા” દયા એટલે જીવ દુઃખથી છૂટે એવી લાગણી. સંસારના પરિભ્રમણથી પોતાને છોડાવવાની ભાવના તે સ્વદયા અને બીજા જીવ દુઃખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા. પોતાના આત્માને પરિભ્રમણથી મુક્ત કરાવવાનો, વિભાવથી બચાવવાનો વિચાર એ સ્વદયા છે. જ્યારે જીવના લક્ષમાં આવે છે કે પોતે દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિસ્વરૂપ, અનંત જ્ઞાન અને અખંડ આનંદથી ભરપૂર શુદ્ધ ચિતૂપ આત્મા છે; તે છતાં અનાદિ કાળથી સ્વસ્વરૂપના અજ્ઞાન અને અજાગૃતિના કારણે પરમાં ઉપયોગને જોડી, રાગાદિ ભાવો વડે તે દુઃખી થયો છે; ત્યારે તેને વિચાર આવે છે કે સ્વાત્માને દુ:ખનાં કારણોથી કઈ રીતે બચાવવો? આવા વિચારથી સ્વદયાનું પ્રગટવું થાય છે. મુમુક્ષુ જીવ વિચારે છે કે ‘આ આત્માએ અનાદિ કાળથી પોતાના સ્વરૂપને યથાર્થ જાણ્યું ન હોવાથી, રાગ-દ્વેષાદિ ભાવોને વશ થઈને ચારે ગતિમાં અનંત વાર જન્મ-મરણ કરી, તેણે અનંત પ્રકારનાં દુઃખો સહન કર્યા છે, અનેક પ્રકારની પીડાઓ અને વેદનાઓ સહી છે. હે જીવ! હવે બહુ થયું!' એમ તે પોતે પોતાના આત્માની દયા ખાય છે. ‘આ જન્મ-મરણ કઈ રીતે ટળે? દુ:ખની નિવૃત્તિ કઈ રીતે થાય?' એવી તેને વિચારણા જાગે છે. તેને પરિભ્રમણનો ભય લાગ્યો હોય છે, તેથી તે હંમેશાં જાગૃત રહે છે. જેને પરિભ્રમણનો ભય ન હોય તે જાગૃત રહી શકે નહીં. મુમુક્ષુ જીવ હંમેશાં જાગૃતિ સહિત જીવે છે. તેને અંતરમાં સ્વદયા વર્તતી હોવાથી તે આત્મગુણના રક્ષણ અર્થે સદા જાગૃત જ રહે છે. આત્મા પીડાય તેવાં પરિણામો અને કાર્યો ન થાય તે માટે તે જાગૃતિ રાખે છે. હિંસાદિ પરિણામ તથા કાર્યો આત્માને મલિન કરી પીડા આપનારાં હોવાથી ૧- “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્માર્થ નિવાસ.' ('શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૩૮) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧૦૮) Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હિંસાદિના ત્યાગમાં તે પ્રવર્તે છે. બીજા જીવોમાં પોતાતુલ્ય આત્મા વિલસી રહ્યો છે એવા ભાનપૂર્વકની આત્મીયતા, વાત્સલ્ય, પ્રેમ એ તેની અહિંસાનો મૂળ સોત હોય છે. પ્રેમ હોવાથી પ્રેમપાત્રને લેશમાત્ર દુઃખ ન થાય એ રીતની કાળજી સ્વાભાવિકપણે રહે છે. એની સાથે સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતાપૂર્વકનો વ્યવહાર સહજ હોય છે. બીજા જીવનાં હિત-સુખ અર્થે જાતે થોડી અગવડ કે કષ્ટ વેઠી લેવાની વૃત્તિપૂર્વકનો જીવનવ્યવહાર તે આવા પ્રેમની સહજ ફલશ્રુતિ હોય છે. મુમુક્ષુ જીવનો પ્રેમ માત્ર કૌટુંબિક વ્યક્તિઓ કે મિત્રો પૂરતો સીમિત નથી હોતો, પણ સકલ વિશ્વમાં વ્યાપ્ત હોય છે. તેનું હૃદય એટલું વિશાળ હોય છે કે તેને સકળ વિશ્વ એક કુટુંબ જેવું લાગે છે. તેને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ હોય છે. તેનામાં કઠોરતા નથી હોતી. તેનું હૃદય કોમળ અને ઉદાર હોય છે. તે સદા પરોપકારમાં તત્પર હોય છે. તે પ્રેમપૂર્વક અન્યને મદદ કરે છે અને તેમની સેવા કરે છે. આમ, પોતાના આત્માને બંધનમાંથી મુક્ત કરવાનો જેને નિર્ણય થયો છે એવા મુમુક્ષુ જીવમાં કારુણ્યવૃત્તિ વિકસેલી હોય છે અને ‘દુઃખ જેમ મને પ્રિય નથી તેમ અન્યને પણ પ્રિય ન હોય' એમ વિચારી તે બીજાને દુ:ખ આપતાં અટકે છે. કોઈ પણ જીવને તે શારીરિક કે માનસિક પીડા તો આપતો જ નથી અને કોઈ પણ દુઃખી જીવનું દુઃખ દૂર કરવા સદા તત્પર રહે છે. તે વિભાવદશાથી હટીને સ્વભાવ તરફ જેમ વધુ ને વધુ વળતો જાય છે, તેમ તેમ બીજાને પીડાકારક થાય એવાં તેનાં વૃત્તિ-પ્રવૃત્તિ, વિચાર-વાણી રહેતાં નથી, ઊલટાં બીજાને સુખરૂપ થાય એવાં બનતાં જાય છે. આ રીતે જ્યાં સ્વદયા હોય છે ત્યાં પરદયા પણ વિદ્યમાન હોય છે. અન્ય જીવો પ્રત્યે અનુકંપાના ભાવ સહજરૂપે જાગે છે. અનુકંપાના ભાવ વિના જીવમાં ધાર્મિકતા પ્રગટતી નથી. અન્ય પ્રત્યેની અનુકંપા વિના, લાગણીશૂન્ય હૈયે વૈરાગ્ય કે અધ્યાત્મની કોરી વાતો કરવામાં ધાર્મિકતા સમાઈ જતી નથી. ધર્મપ્રાપ્તિ અર્થે પાત્રતા કેળવવા શાસ્ત્રકારોએ જે ઉપાયો બતાવ્યા છે તેનું પરિશીલન કરતાં એ તથ્ય સ્પષ્ટ તરી આવે છે કે ધર્મનો પ્રારંભ બીજાનાં સુખ-દુઃખ પ્રત્યેની સભાનતામાં છે. અન્યનાં સુખ-દુઃખનો વિચાર કરવામાં ધર્મનો પ્રારંભ થાય છે. બીજાનું શું થાય છે એ ન જોતાં કેવળ પોતાનાં સુખ-દુ:ખને જ મહત્ત્વ આપવું એ ધર્મ નથી. ‘સ્વ'નો વિચાર, અર્થાત્ સ્વદેહ અને તેને સંબંધિત અન્ય બાબતોના વિચારો જીવ અનાદિ કાળથી કરતો આવ્યો છે અને એ જ સર્વ પાપનું બીજ છે. સર્વ પાપો સ્વાર્થમાંથી જ જન્મે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં જાળાં સ્વાર્થના આ બિંદુની આસપાસ જ ગૂંથાતાં રહે છે, તેથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિને નિર્મૂળ કરવા માટે સ્વાર્થવૃત્તિને જાકારો આપવો આવશ્યક થઈ પડે છે. મુમુક્ષુ જીવના હૃદયમાં પ્રગટતી Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૬૭ દયાની ભાવના તેને સ્વાર્થની પકડમાંથી મુક્ત કરી, પ્રેમની અખંડ અનુભૂતિસ્વરૂપ પૂર્ણ અહિંસાના રાજમાર્ગે લઈ જઈ, આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓનો સ્પર્શ કરાવે છે. દયાના ઉત્તમ ભાવની પ્રાપ્તિ તથા અભિવૃદ્ધિમાં જીવનું પારમાર્થિક હિત સમાયેલું છે. દયા એ આત્મકલ્યાણ માટેનું આવશ્યક અંગ છે. જીવ જ્યારે ચરમાવર્તમાં આવે છે અને જ્યારે તેનો ભાવમળ ક્ષીણ થાય છે, અર્થાત્ તે જ્યારે ધર્મપ્રાપ્તિ માટે યોગ્ય બને છે ત્યારની તેની સ્થિતિનું વર્ણન કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે તેવા જીવને દુ:ખીમાત્ર પ્રત્યે અત્યંત દયા હોય છે, ગુણવાન પ્રત્યે અદ્વેષ હોય છે અને તે સર્વત્ર ઔચિત્યપૂર્વકનું વર્તન કરે છે. તેમનાં આ વચન ઉપરથી ધર્મપ્રાપ્તિ માટે જરૂરી સદ્દગુણોની મૂડીનો ખ્યાલ આવે છે. એમાં એ હકીકત દીવા જેવી સ્પષ્ટ જણાઈ આવે છે કે દુઃખી જીવની દયા આવ્યા વિના ધર્મપ્રાપ્તિ માટેની યોગ્યતા પણ આવતી નથી, અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા માટે આ ગુણસંપત્તિ હોવી જરૂરી છે. પરમપદની પ્રાપ્તિના માર્ગ ઉપર ડગ ભરવા માટે દયાનો સબળ આધાર આવશ્યક છે. ધર્મનું મૂળ દયા છે અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ પણ નથી એ વાત સમજાવતાં શ્રીમદ્ લખે છે કે – ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.” આ પદમાં શ્રીમદ્ સમજાવે છે કે દયાધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. જ્યાં દયા હોય છે ત્યાં તેની પાછળ અન્ય ગુણો પણ આવે જ છે; પરંતુ જેમ સૂર્ય વિના એક પણ કિરણ હોય નહીં અને તેથી અંધકાર છવાયેલો હોય છે, તેમ દયા વિના સત્ય, શીલ આદિ કોઈ પણ ગુણ જીવમાં હોઈ શકતા નથી - ટકી શકતા નથી. સત્ય-શીલ સર્વ દયાથી શોભે છે. સઘળાં શાસ્ત્રોમાં એ જ સિદ્ધાંત પ્રતિપાદિત થયો છે કે ધર્મનું મૂળ દયા ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૩૨ ‘દુ:હિતેષ સયાત્યન્ત મહેષો ગુણવત્ન ર | ગોવિત્યાન્સેવન શૈવ સર્વત્રવાવિશેષતઃ !” ૨- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૨, કડી ૧-૩) Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન છે. જ્યાં દયાપાલનનું લક્ષ નથી હોતું ત્યાં પાપની જ પરિણતિ અને પ્રવૃત્તિ હોય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુમુક્ષુની ભૂમિકામાં પ્રગટેલા ગુણોમાં દયાને શા માટે અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. આમ, મુમુક્ષુ જીવના અંતરમાં દયાનો ભાવ સદા જાગૃત હોય છે. (૨) ‘શાંતિ’ શાંતિ એટલે બધા વિભાવપરિણામથી થાકવું, નિવૃત્ત થયું. વિભાવથી હટી સ્વભાવમાં આવવું તે જ શાંત થવું છે. કષાયભાવમાંથી ખસી અકષાયભાવમાં આવવું તે શાંતિ છે. કષાયોની ઉગ્રતા જ વિષમતા ઉત્પન્ન કરે છે. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે, તેમ તેમ શાંતિ પ્રગટે છે. જ્યાં રાગાદિ હોય છે ત્યાં અશાંતિ હોય છે. જેટલે અંશે રાગાદિ ભાવો રોકાય છે, તેટલે અંશે શાંતિનો અનુભવ થાય છે. મુમુક્ષુ જીવને રાગાદિ ભાવો પીડાકારી લાગે છે અને તેથી તે તીવ્ર રાગ-દ્વેષથી યુક્ત થઈને કોઈ પણ પ્રવૃત્તિ કરતો નથી, જેના ફળસ્વરૂપે તે શાંતિનો અનુભવ કરે છે. કર્મના ઉદયમાં જોડાઈ જવાથી જીવ વ્યાકુળ બની જાય છે અને તે જ અશાંતિ છે. જીવ તે વખતે તત્ત્વબોધનો વિચાર કરે તો તે શાંત થાય. મુમુક્ષુ જીવને અંતરમાં આત્મદાઝ પ્રગટી હોય છે, તેથી તેણે આ શાંતિનો માર્ગ લીધો હોય છે. તેને આત્મકલ્યાણની ઝંખના જાગી હોવાથી તેણે આ શાંતિપથ ગ્રહણ કર્યો હોય છે. તેને પોતાના ઉદયની સભાનતા હોય છે, જાગૃતિ હોય છે; તેથી તે ઉદયના અનિષ્ટ પ્રભાવથી બચેલો રહે છે. કર્મનો વિપાક આવે ત્યારે મુમુક્ષુ અવલોકતો રહે છે કે અત્યારે મને કયા કર્મનો કેવા પ્રકારનો ઉદય ચાલી રહ્યો છે, ઘાતી કર્મનો કેવો ઉદય છે, અઘાતી કર્મનો કેવો ઉદય છે, અંતરંગ વિપાક કેવો છે, બહિરંગ વિપાક કેવો છે' ઇત્યાદિ. જેમ કે લોભ મોહનીય, ભય મોહનીય, અશાતા વેદનીય કે અપયશ નામ કર્મનો વિપાક શરૂ થાય કે તરત તેને તે રૂપે જાણી લે છે અને સજાગ થઈ જાય છે. તે વિચારે છે કે “મારી જ ભૂલના કારણે, મારાં જ અજ્ઞાન-પ્રમાદાદિના કારણે પૂર્વે કર્મોનું ઉપાર્જન કર્યું હતું, કર્મો આવીને મારા આત્મપ્રદેશો ઉપર ચીટકી ગયાં હતાં, તો તેનું પરિણામ તો જરૂર આવશે જ. જે દોષ પૂર્વે ક્યારેક મેં જ સેવ્યો હતો, તેનું ફળ અત્યારે મને મળી રહ્યું છે' એમ ‘અત્યારે’નું ફળ જોતાં ‘ક્યારેક’ની સ્મૃતિ થતી હોવાથી મુમુક્ષુ તેવી કરણીના પુનરાવર્તનથી બચી જાય છે. મુમુક્ષુ પોતાના કર્તવ્યનો વિચાર કરે છે કે ‘વર્તમાન કર્મોદયની હાનિકારક Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૬૯ અસરથી બચવા માટે શું કરવું જોઈએ? સદ્ગુરુ આ પ્રકારના વિપાકમાં કેવી રીતે વર્તે?' તે સદ્દગુરુના બોધને તથા તે દ્વારા પ્રાપ્ત થયેલ સમજને જાગૃત કરી, તદનુસાર વર્તી કર્મના વિપાકને નિષ્ફળ બનાવે છે. તે સગુરુનાં વચનોથી, સદ્ગુરુએ જે સાધન આપ્યું હોય તેના વડે ચિત્તને શાંત કરે છે. સદ્ગુરુનાં વચનોમાં, સગુરુની આજ્ઞામાં ચિત્તને જોડવાથી તેનું ચિત્ત સ્થિર થાય છે, વિક્ષેપ મટે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. મુમુક્ષુને સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાની હોંશ હોય છે. જેમ જેમ તે આજ્ઞાનું આરાધન કરે છે, તેમ તેમ તેના કષાયો મંદ પડે છે અને તેના ફળસ્વરૂપે તેને શાંતિનો અનુભવ થાય છે. કષાયની ઉપશાંતતાથી ચિત્ત શાંત થાય છે. સંસારનાં કોઈ પણ પ્રસંગે, કોઈ પણ સ્થળે, કોઈ પણ પૌદ્ગલિક સુખમાં ન મળી હોય તેવી શાંતિ કષાયની ઉપશાંતતાથી પ્રાપ્ત થાય છે. શાંતપણું ભજવાથી ચિત્તની નિર્મળતા વધે છે અને આર્ત-રૌદ્રધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પની મંદતા થવાથી સ્વરૂપાનુસંધાન સરળતાથી થાય છે. જ્યાં સંકલ્પ-વિકલ્પનો કોલાહલ હોય - ઘોંઘાટ હોય, ત્યાં પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકાતું નથી. જ્યારે જીવની અવસ્થા અત્યંત શાંત, મૌન, સચેત હોય ત્યારે જ પોતાના સ્વરૂપનો બોધ તેનામાં જાગે છે. પોતાનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે જો ચેતના સ્થળ વિષયોથી ઘેરાયેલી હોય તો તે સ્વરૂપ અંગે જીવ બોધપૂર્ણ થઈ શકતો નથી. પોતાનું સ્વરૂપ બહુ જ શાંત છે અને જીવ જો કોલાહલથી ભરાયેલો હોય તો તે અંતરના મંદ ધ્વનિને સાંભળી કે પકડી શકતો નથી. જે જીવ વિષય-કષાયના વિકલ્પોના ઘોંઘાટમાં રહેતો હોય તે જીવ એ મંદ ધ્વનિને સાંભળી શકતો નથી, તે એ ધ્વનિ સાંભળવાનું ચૂકી જાય છે. જે જીવ શાંત, મૌન, સચેત, સજાગ, સાવધાન હોય છે તે જ પોતાના સ્વરૂપનો સંદેશો સાંભળી શકે છે. વિકલ્પોના કોલાહલથી મુક્ત થવાથી જ એ નાદને સાંભળી શકાય છે. પોતાના સ્વરૂપની પ્રતીતિ થવા માટે તેણે પ્રથમ બધી જગ્યાએથી અનુપસ્થિત થવું પડે છે. સ્વયંનો અનુભવ કરવો હોય તો ઉપયોગને બીજે બધેથી અનુપસ્થિત કરવો પડે છે. સ્વનું દર્શન કરવા સ્વયંની બહારની બધી ચીજો સાથે સંબંધ તોડવો ઘટે છે. સ્વયંના સાક્ષાત્કાર માટે સંકલ્પ-વિકલ્પની પકડમાંથી મુક્ત થઈ શાંત થવું પડે છે. જ્યારે જીવની સંકલ્પ-વિકલ્પની લહેરો શમી જાય છે ત્યારે જ તે નિજઘરે પહોંચી શકે છે. જીવે અનાદિ કાળથી શાંતિના વાસ્તવિક સ્વરૂપને જાણ્યું જ નથી. શાંતિ એ તો આત્માનો મૂળભૂત ગુણ છે. શાંતિ એ જીવનું નિજસ્વરૂપ જ છે, છતાં તે શાતાયોગને - શુભ યોગને શાંતિ માની મૂળમાર્ગથી દૂર રહે છે. જીવ શાંતસ્વરૂપી આત્માને જાણતો નથી, તેથી શાતા વેદનીયમાં, પુણ્યોદયમાં, બહારની અનુકૂળતામાં શાંતિ માને છે અને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ત્યાં જ શાંતિની શોધ કરે છે. જીવ પરવસ્તુઓમાં સુખબુદ્ધિ સેવે છે અને તે સર્વની પ્રાપ્તિ માટે દિવસ-રાત મથ્યા કરે છે. જે પદાર્થ પરમાર્થે પોતાના નથી, તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખ-દુઃખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. ઈષ્ટની અપ્રાપ્તિ થતાં કે અનિષ્ટની પ્રાપ્તિ થતાં તેની શાંતિ હણાઈ જાય છે. જેમ જેમ આ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે, તેમ તેમ જીવને વિશેષ ને વિશેષ શાંતિ પ્રાપ્ત થતી જાય છે, તેનું શાંત સ્વરૂપ પ્રગટ થતું જાય છે. સદ્ગુરુના આશ્રયે તેમનાં વચનોનું આરાધન કરવાથી આત્મસ્વરૂપનો યથાર્થ મહિમા આવતાં જીવને પરમાં રહેલું મારાપણું ઘટે છે અને પરમાં રહેલી સુખબુદ્ધિ પણ ઘટે છે. આ સુખબુદ્ધિ ઘટતાં આત્માનું ચા-વિચળપણું ટળી સ્થિરતા અને શાંતિ આવે છે. સદ્દગુરુના વચનયોગે જીવે દેઢ નિશ્ચય કરવો જોઈએ કે “મારી શાંતિ અને તે શાંતિનો ઉપાય ઇન્દ્રિયવિષયોમાં નથી, પણ અંતરમાં - મારા અતીન્દ્રિય સ્વરૂપમાં જ છે.' આવો નિર્ણય કરી તે સ્વભાવનો આશ્રય કરે તો પછી આખી દુનિયા ડૂબી જાય કે બહ્માંડ આખું ખળભળી ઊઠે, તેની શાંતિને બાધા પહોંચાડવા કોઈ સમર્થ નીવડતું નથી. ગમે તેવા બાહ્ય સંયોગો હોય, તેના લક્ષમાં આત્મશાંતિ હોવાથી તે વિચલિત થતો નથી. શ્રીમદ્ લખે છે – આત્મશાંતિ જે જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.” જગતથી ભિન્ન પોતાના અસ્તિત્વને જાણીને, પોતાની શાંતિનું પરિણમન પોતાના અંતરના સાધનને આધીન છે એવું ભાન કરીને જે જીવ અંતરમાં ઠરે છે, તે જીવ પરમ શાંત રસ પ્રગટ કરીને સર્વ દુઃખોથી મુક્ત થાય છે. જેમ ઊકળતું પાણી ખદબદતું હોય તો તે જરા પણ શાંત ન રહે, તેમ આ સંસારમાં ઘોર દુઃખોથી જીવ નિરંતર બળી રહ્યો છે, તેને જરા પણ શાંતિ નથી. આ સંસારદુઃખનો જેને અંતરમાં ત્રાસ લાગે અને કોઈ પણ પ્રકારે તેનાથી છૂટીને શાંતિ મેળવવા જે ચાહે છે, તે જીવ જ શાંતિનો ઉપાય શોધે છે. આત્માની શાંતિ માટે ગરજવાન થયેલો જીવ જ પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે, અંતરસ્વભાવ તરફ વળે છે અને બાહ્ય સંયોગોથી નિરપેક્ષ એવી આત્મશાંતિને પ્રાપ્ત કરે છે. આત્મપ્રાપ્તિ એ જ જેના જીવનનું એકમાત્ર ધ્યેય છે એવા મુમુક્ષુ જીવને દઢ નિશ્ચય હોય છે કે “ભવભ્રમણનું, સર્વ દુઃખનું, સર્વ અશાંતિનું મૂળ કારણ અજ્ઞાન છે; તેથી તેને ટાળવાનો પુરુષાર્થ મારે કરવો ઘટે છે.' અશાંતિનું કોઈ પણ કારણ તે પોષવા ઇચ્છતો નથી. તે પોતાના મહાન ધ્યેયની અને તદર્થે આવશ્યક પુરુષાર્થની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૮ (પત્રાંક-૯૪૯) Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૭૧ ગંભીરતા સમજે છે. તે નિરંતર જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અંતરતપાસ કરે છે કે “મારો અભિપ્રાય કેટલો સવળો થયો? મારો વિભાવરસ કેટલો મોળો પડ્યો?' આવું જાગૃતિવાળું જ્ઞાન વિભાવરસને આગળ વધવા દેતું નથી. જેમ જેમ વિભાવરસ મંદ થતો જાય છે, તેમ તેમ અદ્દભુત શાંતિનો અનુભવ થતો જાય છે અને શાંત ભાવનું સાતત્ય જળવાય છે. આમ, મુમુક્ષુ જીવના અંતરમાં શાંતતાનો નિર્મળ ભાવ સદા જાગૃત રહે છે. (૩) “સમતા' સમતા એટલે રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણતિ. સુખ-દુ:ખ, સંયોગ-વિયોગ, માનઅપમાન વગેરે કંકોથી ક્ષુબ્ધ થયા વિના મધ્યસ્થ ભાવે રહેવું તે સમતા છે. અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં શુભાશુભ વૃત્તિઓનો ખળભળાટ ન થવો તે સમતા છે. જે જેવું છે તેનો પ્રતિક્રિયારહિત સ્વીકાર તે સમતા છે. જે કંઈ બની રહ્યું છે તે માટે શાંત સ્વીકારનાં પરિણામ રહેવાં તે સમતા છે. જો જીવ જગતનો માત્ર જ્ઞાયક જ રહે તો તેને કોઈ પણ પ્રકારે કર્મબંધ થતો નથી. સમત્વભાવપૂર્વક વર્તવાથી તે મુક્ત થતો જાય છે. સમતા એ જ મુક્તિનો ઉપાય છે. “અધ્યાત્મસાર'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે મુક્તિનો એકમાત્ર ઉપાય સમતા છે, બાકીનો સમગ્ર ક્રિયાકલાપ સમતાની સિદ્ધિ અર્થે જ છે.' ‘જગતમાં સઘળું મારી ઇચ્છા અનુસાર થાય' એવો આગ્રહ એ અધર્મ છે. અજ્ઞાની જવ મનમાં નિતનવી ઊઠતી ઇચ્છાઓ પ્રમાણે જગતને ચલાવવા - અનુકૂળ કરવા માંગે છે. પોતાની મરજી પ્રમાણે પરિસ્થિતિ રહે એમ તે ચાહે છે, પરંતુ તેમ બનવું ક્યારે પણ શક્ય નથી અને તેથી તે સંઘર્ષ કરે છે. તેની ધારણાને ધક્કો પહોંચતાં તેના અહંને ઠેસ લાગે છે અને તે ક્લેશિત થાય છે. તેને બદલે જીવ જો પ્રત્યેક પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે તો તેના જીવનમાં સંઘર્ષ કે ક્લેશ રહેતા નથી. | ગમે તેવી પરિસ્થિતિ હોય, જીવ આગળ બે રસ્તા ખૂલે છે - એક છે સંતાપનો અને બીજો છે સમતાનો. કયા રસ્તે જવું તે માટે તે સ્વતંત્ર છે. તેની આ ‘સ્વતંત્રતા'નો ઉપયોગ કરી તે કાં તો પ્રાપ્ત પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરે છે, કાં તેનો શાંત સ્વીકાર કરે છે. જો તે સંઘર્ષ કરે તો તેનું જીવન દુઃખ, પીડા, આકુળતામય હોય છે અને જો તે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ પરિસ્થિતિનો શાંતપણે સ્વીકાર કરવા માટે કરે તો તેનું જીવન સુખ, આનંદ, અનાકુળતામય હોય છે. જો જીવને પરદ્રવ્યનાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૩, શ્લોક ૫૪ 'उपायः समतैवैका मुक्तेरन्यः क्रियाभरः । तत्तत्पुरुषभेदेन तस्या एव प्रसिद्धये ।।' Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરિણમન પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ રહ્યા કરે, અનુકૂળતા-પ્રતિકૂળતાના વિકલ્પો આવ્યા કરે, સમસ્યા-સમાધાનના ખ્યાલો પજવ્યા કરે તો તેની સફળતાની કોઈ સંભાવના નથી; પરંતુ જો તે વસ્તુના પરિણમનનો શાંત સ્વીકાર કરે, તેના પ્રત્યે ફરિયાદ કે ફેરફારની વૃત્તિ ન સેવે, માત્ર જ્ઞાનના ઝેય તરીકે તેને માને તો તે અવશ્ય સફળ થાય છે. જે જીવન સમતામય છે, તે જ યથાર્થ જીવન છે. સુખ અને દુઃખ બન્નેનો એકસરખો સમાનપણે શાંત સ્વીકાર થવો જોઈએ. શ્રીમદ્ લખે છે – ‘પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે." વર્તમાન પરિસ્થિતિનો સ્વસ્થતાપૂર્વક સ્વીકાર કરવો એ જ મુમુક્ષુનું લક્ષ હોય છે. પરિસ્થિતિને બદલવાની મથામણ કર્યા વિના દરેક પરિસ્થિતિને સમત્વભાવે વેદી લેવાનું તેનું લક્ષ હોય છે. તે સુખની પાછળ દોડતો નથી અને દુ:ખથી દૂર ભાગતો નથી. તેને અનુકૂળતામાં રાગની અને પ્રતિકૂળતામાં વૈષની મંદતા થયેલી હોય છે. જગતની વિવિધ પરિસ્થિતિઓ અને પરિવર્તનોમાં તે તીવ્ર રાગ-દ્વેષના વમળમાં અટવાતો નથી. ધર્મધ્યાનને પ્રવાહિત કરી દે એવી મધ્યસ્થ પરિણતિ તેને પ્રગટી હોય છે મુમુક્ષુનો પુરુષાર્થ દરેક પરિસ્થિતિમાં શુદ્ધાત્માના સ્મરણપૂર્વક વીતરાગસ્વભાવે રહેવાનો હોય છે. તે જાણે છે કે મારો સ્વભાવ તો જ્ઞાન છે, જાણવું માત્ર છે. પરમાં કંઈ કરવું કે પરને જાણતી વખતે રાગ-દ્વેષ કરવા એ મારો સ્વભાવ નથી. અનુકૂળ સંયોગોમાં પ્રસન્ન અને પ્રતિકૂળ સંયોગોમાં અપ્રસન્ન થવું તે મારો સ્વભાવ નથી. દરેક પરિસ્થિતિમાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, પ્રત્યેક શેયને પ્રતિક્રિયારહિતપણે જાણવું એ જ મારો સ્વભાવ છે.” આ બોધ તેના ચિત્તમાં સ્થિર થયો હોવાથી તે માત્ર જ્ઞાયક જ રહે છે. પોતાનો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા છે એવી સમજણના આધારે તે જે પણ પરિસ્થિતિ આવે તેમાં માત્ર જ્ઞાયકભાવે રહે છે. તે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા અનુકૂળ સંયોગોમાં અને પાપોદયથી પ્રાપ્ત થયેલા પ્રતિકૂળ સંયોગોમાં કોઈ પ્રતિક્રિયા કરતો નથી. જે કંઈ બને છે એમાં તેને ફેરફાર કરવાના વિકલ્પ થતા નથી, હસ્તક્ષેપ કરવાની વૃત્તિ થતી નથી. પરનાં પરિણમનમાં પરિવર્તન કરવા અંગેની કોઈ વૃત્તિ તેને જાગતી નથી. તે પરનાં પરિવર્તનોથી અપ્રભાવિત રહે છે. બાહ્ય સંયોગોની પ્રાપ્તિ-અપ્રાપ્તિથી તેને હર્ષ-શોકનાં પરિણામ થતાં નથી. મોક્ષમાર્ગે પ્રગતિ કરતા મુમુક્ષુનું ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ, સ્થિર, પ્રતિક્રિયારહિત થતું જાય છે. શાંત સ્વીકારના ભાવ સાથે તે જીવનની દરેક પળ પસાર કરવાની સતત જાગૃતિ રાખે છે. બદલાતી પરિસ્થિતિ સાથે ચિત્તમાં મોહ-ક્ષોભ ઉત્પન્ન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨૦ (પત્રાંક-૩૩૭) Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૭૩ ન થાય તે માટે મુમુક્ષુ સતત જાગૃત રહે છે. બાહ્ય સંયોગોમાં પોતાના અવિકારી, શુદ્ધ, શાશ્વત સ્વરૂપના સ્મરણપૂર્વક સમતાભાવ જાળવવા તે પ્રયત્નશીલ હોય છે. આમ, મુમુક્ષુના અંતરમાં સમતાભાવ સદા જાગૃત રહે છે. (૪) ‘ક્ષમા' ક્રોધનું નિમિત્ત મળવા છતાં પણ ઉત્તેજિત ન થવું, કોઈ પ્રતિક્રિયા ન કરવી તેને ક્ષમા કહે છે. ક્રોધનું નિમિત્ત હોય તોપણ સ્વભાવમાં જ સ્થિર રહેવું તે ક્ષમા. ક્ષમા એ આત્માનો ગુણ છે. બીજા તરફથી અગવડ, ઉપદ્રવ આદિ નિમિત્ત મળતાં, આત્મા ક્ષમાસ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે, ત્યારે તેના એ વિભાવપરિણમનને ક્રોધ કહેવામાં આવે છે. ક્રોધ આત્માનો વિભાવ છે અને તે ક્ષમાના અભાવસ્વરૂપે પ્રગટ થાય છે. તેથી સત્ય તો એ છે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, પરંતુ કહેવામાં તો એમ જ આવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. એનું કારણ એ છે કે અનાદિથી આ આત્મા કદી પણ ક્ષમાસ્વભાવરૂપ પરિણમ્યો નથી, ક્રોધરૂપ જ પરિણમ્યો છે અને જ્યારે પણ તે ક્ષમાસ્વભાવરૂપ પરિણમે છે ત્યારે ક્રોધનો અભાવ થઈ જાય છે. તેથી ક્રોધના અભાવપૂર્વક ક્ષમારૂપ પરિણમન જોઈને કથન કરવામાં આવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. મુમુક્ષુ જીવ જાણે છે કે સુખ તો શાંતિ, સમતા, ક્ષમામાં છે. તે ક્રોધાગ્નિમાં બળવા નથી માંગતો. જગતમાં અગ્નિ બે પ્રકારના છે બાહ્ય અને આંતરિક. બહારનો અગ્નિ બીજાને બાળે છે, અંદરનો અગ્નિ પોતાને બાળે છે. એકથી સંસારી ડરે છે, બીજાથી મુમુક્ષુ ડરે છે. મુમુક્ષુને એ સભાનતા હોય છે કે ‘મારે બળવું નથી', તેથી તે ક્રોધાગ્નિને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થવા દેતો નથી. ક્ષમાનું વર્ણન કરતાં કવિવર શ્રી ઘાનતરાયજીએ કહ્યું છે 'गाली सुन मन खेद न आनो, गुनको औगुन कहै अयानो . कहि है अयानो वस्तु छीनै, बांध मार बहुविधि करें; धरतें निकारैं तन विदारै, बैर जो न तहां धरें. १ ઉપરોક્ત કડીમાં એમ કહેવામાં આવ્યું છે કે નિમિત્તોની પ્રતિકૂળતામાં પણ જે ઉત્તેજિત ન થાય તે જ ક્ષમાનો ધારક છે. જે ગાળ સાંભળી થપ્પડ મારે તે કાયાની વિકૃત્તિવાળો છે, જે ગાળ સાંભળી ગાળ આપે તે વચનની વિકૃત્તિવાળો છે, જે ગાળ સાંભળી મનમાં ખેદ લાવે મનની વિકૃત્તિવાળો છે; પરંતુ ગાળ સાંભળી મનમાં પણ ખેદ ન લાવે તે ક્ષમાધારી છે. આમ, કવિવર કહે છે કે ગાળ સાંભળી જેના મનમાં ૧- કવિવર શ્રી ઘાનતરાયજી, ‘દશલક્ષણ-પૂજા', અંગપૂજા, કડી ૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ ખેદ ન આવે, પોતામાં રહેલ ગુણને કોઈ અવગુણરૂપે વર્ણવે તોપણ ઉત્તેજિત ન થાય, કોઈ ખોટી રીતે પોતાની વસ્તુ પડાવે, પોતાને બાંધીને અનેક પ્રકારની પીડા આપે કે ઘરમાંથી બહાર કાઢી મૂકે છતાં પણ જેના મનમાં ખળભળાટ ઉત્પન્ન ન થાય અથવા ઉત્પન્ન થયેલ ખળભળાટને આત્મવિચારથી શાંત કરી દે તે જીવ જ ક્ષમાનો ધારક છે. - અજ્ઞાનના કારણે જ્યાં સુધી જીવને પરપદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતા રહે છે ત્યાં સુધી ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહે છે, પરંતુ જ્યારે તત્ત્વાભ્યાસના બળ વડે પરપદાર્થોમાંથી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દૂર થાય છે ત્યારે ક્રોધાદિની ઉત્પત્તિ થતી નથી. પોતાને થતાં સુખ-દુઃખના કારણરૂપ અન્યને માનવા એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. ‘મારાં સુખ-દુઃખનો કર્તા હું પોતે જ છું', આ પરમ સત્યથી અપરિચિત હોવાના કારણે અજ્ઞાની પોતાનાં સુખ-દુઃખના કર્તા તરીકે અન્યને માની, ક્રોધાદિ કર્યા કરે છે અને દુઃખી થાય છે. કોઈ પરવસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ અને સુખી-દુઃખી કરી શકતી નથી' એ બોધ દૃઢ થતાં ક્ષમાદિ કેળવાય છે. જો જીવ સુખ-દુ:ખનાં કારણને પોતાનામાં જ જુએ, વિકારનાં કારણને પોતામાં જ શોધે અને તેનો જવાબદાર પોતાને જ માને તો તેને ક્રોધાદિ ઉત્પન્ન થતા નથી. જીવને પરસંયોગો પોતાને દુઃખ આપનાર લાગે છે, પરંતુ એ તો માત્ર નિમિત્ત છે. મૂળ ભૂલ તો જીવની પોતાની જ છે. જીવને તેના પૂર્વકર્મનું ફળ મળે છે તેમાં અન્ય તો માત્ર નિમિત્ત છે. જે કંઈ બને છે તે પૂર્વકર્માનુસાર જ બને છે. જીવને પોતાનું જ કરેલું મળે છે, પોતાનું જ વાવેલું ફળે છે, અન્ય તો માત્ર નિમિત્ત છે. નિમિત્તનો કોઈ દોષ નથી. જવાબદારી સંપૂર્ણપણે જીવની પોતાની જ છે, તેથી પોતાની ભૂલને પકડવી, નિમિત્તને દોષ આપવો નહીં. જ્યારે પણ ક્રોધ આવે કે તરત પોતાની ભૂલ પ્રત્યે ધ્યાન ખેંચાવું જોઈએ. નિમિત્ત પ્રત્યે ક્ષમાભાવ રહેવો જોઈએ. આ જગતમાં જીવનો કોઈ શત્રુ નથી. શત્રુતા જીવની અંદર પડી છે. તેનો આરોપ તે નિમિત્ત ઉપર કરે છે. શત્રુ અંતરમાં છે, બહાર નથી. શત્રુ બિરાજી રહ્યો છે જીવના અંતરમાં, પણ તેને દેખાય છે બહાર. સ્વયંની દૃષ્ટિમાં જ શત્રુ છુપાયો છે. તેનો નાશ કરવામાં આવે તો દુનિયામાં રહેલા પોતાના તમામ ‘શત્રુઓ' નાશ પામે છે. સમસ્ત જગતને નિર્દોષ જોવાનો અભ્યાસ કરતાં ક્રોધ ટળે છે. ક્રોધાદિના જે સંસ્કાર આત્મામાં પડ્યા છે તે નિમિત્ત મળતાં બહાર આવે છે, પરંતુ સમ્યક વિચારણા કરતાં તે નાશ પામે છે અને ક્ષમાસ્વભાવ પ્રગટ થાય છે. આ પ્રકારે ક્રોધ ઊપજે, બીજાનું ખરાબ કરવાનું મન થાય, વેર વાળવાની ઇચ્છા ઉત્પન થાય ત્યારે સમ્યક્ બોધ દ્વારા ક્રોધનું શમન કરવું તે ક્ષમા છે. ક્રોધનું કારણ Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૭૫ પોતામાં શોધવાને બદલે ક્રોધનું જો માત્ર દમન થાય તો તે યથાર્થ ક્ષમા નથી. જે ક્ષણિક ઘટના હતી તે અવચેતન મનમાં ઊતરતાં અભિપ્રાયમાં સ્થાયી થઈ જાય છે. ક્રોધને દબાવવામાં આવે તો દરેક સમયે ક્રોધિત રહેવાય છે. જો સમ્યક્ બોધ દ્વારા ક્રોધનું શમન ન કરવામાં આવે અને માત્ર ઉપર ઉપરથી દમન કરી ક્ષમા રાખવામાં આવે તો એ યથાર્થ ક્ષમા નથી. આક્રોશ ઉત્પન્ન કરે એવાં બાહ્ય નિમિત્તોનો સંયોગ થવા છતાં સમ્યક બોધના કારણે ઉત્તેજિત ન થવું તે જ યથાર્થ ક્ષમા છે. ક્ષમા એ ધર્મનું ઉત્તમ અંગ છે અને વીર પુરુષોનું ભૂષણ છે. શ્રીમદ્ લખે છે – ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે." ક્ષમાનો આવો ઉત્તમ મહિમા જાણતો હોવાથી મુમુક્ષુ જીવ, કોઈ તેને અગવડ આપે ત્યારે એને દુઃખ આપનાર ન ગણતાં એના પ્રત્યે ક્ષમાભાવથી જુએ છે. તેને યથાર્થ તત્ત્વનિર્ણય થયો હોવાથી ખ્યાલ રહે છે કે ‘પર મારું કાંઈ બગાડી શકતું નથી, માત્ર હું જ મારું બગાડી શકું છું. પર મારું કાંઈ પણ કરી શકે એવી કોઈ વ્યવસ્થા આ વિશ્વમાં છે જ નહીં. બીજો કોઈ મને ગાળ આપી શકે, પણ મને દુઃખી કરવાની સત્તા તેનામાં નથી. જો તેની ગાળની પ્રતિક્રિયારૂપે હું મારામાં ક્રોધ ઉત્પન્ન થવા દઉં તો એ મારી અજાગૃતિ છે, મારી ભૂલ છે.' મુમુક્ષુ જીવ એવી દૃષ્ટિ કેળવે છે કે આ જે અગવડ આવી તે મારા જ કર્મના ઉદયથી આવી છે. સામેની વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. મારા કર્મનો ઉદય છે અને સામો માણસ નિમિત્ત માત્ર છે. તેનો કોઈ દોષ નથી.' મુમુક્ષુ જીવ સામેવાળાને નિર્દોષ જ જુએ છે. તે તેને ગુનેગાર માનતો નથી, તેની ભૂલ જોતો નથી. તેને સામેવાળા પ્રત્યે વેરભાવ નહીં પણ સહિષ્ણુતા જાગે છે. મુમુક્ષુ તેને કઠોરતાથી નથી જોતો, પણ તેના પ્રત્યે સૌમ્ય બને છે. તેના પ્રત્યે સમજણભર્યો ઉદાર અભિગમ અપનાવે છે. તેને ત્વરાથી માફ કરી દે છે. પોતાને અગવડ કરનાર પ્રત્યે પણ પ્રેમપૂર્ણ, ક્ષમાશીલ બને છે. તેનું અંતર ક્ષમા, વાત્સલ્યનાં પરિણામોથી ભીંજાયેલું હોય છે. ક્રોધાદિ વિકાર પ્રત્યે મુમુક્ષુ સદા જાગૃત રહી ક્ષમા ગુણને ધારણ કરે છે. તે સાચી સમજણના આધારે ક્રોધના ઉદયને શમાવે છે. તે દૃષ્ટિ પર તરફથી ખસેડી સ્વ તરફ વાળે છે. બીજાએ કરેલા અપરાધને શાંત ભાવે ખમી લે એવો તે પૃથ્વી સમો ક્ષમાશીલ હોય છે, અર્થાત્ પૃથ્વીને ગમે તે કરવામાં આવે તો પણ તે સર્વ સહી લે એવી ક્ષમાશીલ છે, તેમ મુમુક્ષુ પણ ક્ષમાશીલ હોય છે. લોકોત્તર ક્ષમાનું સ્વરૂપ ન સમજાતાં આ જીવે અનંત વાર લૌકિક ભાવે ક્ષમા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૪ (આંક-૮, ૩) Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ધારણ કરી અને તેને જ ધર્મારાધન માન્યું છે; પરંતુ નરકાદિ ભયથી, લાચારીથી કે અન્ય કોઈ લૌકિક હેતુથી રખાતી ક્ષમા તે તાત્ત્વિક ક્ષમા નથી. સ્વરૂપની સમજણપૂર્વકની ક્ષમા તે જ તાત્ત્વિક ક્ષમા છે. સાચી ક્ષમા તો તે જીવની જ કહેવાય કે જે જીવ સામી વ્યક્તિને મારી હટાવવાની તાકાત હોવા છતાં પણ, ‘ક્ષમા એ તો મારો સહજ સ્વભાવ છે, હું તેને છોડીને તેનાથી વિરુદ્ધ, એટલે કે ક્ષમા ગુણને ઘાત કરનાર એવા ક્રોધભાવને શા માટે આદરું?' એમ વિચારીને તે ક્ષમા ધારણ કરે છે. ક્રોધ ઉત્પન્ન થવાનું નિમિત્ત મળતાં ‘આ મારી સાધનાની પરીક્ષાનો અવસર છે તેથી મારે જાગૃત રહેવું જોઈએ', હું મુમુક્ષુ થઈને પણ જો જગતના જીવોની જેમ દુર્વચનાદિથી પ્રત્યુત્તર આપું તો હું પણ તેમના જેવો જ કરું, મારા મુમુક્ષપણાની શી વિશેષતા રહે?' ઇત્યાદિ યથાર્થ વિચારસરણીને અનુસરીને મુમુક્ષુ જીવ લોકોત્તર ક્ષમા ધારણ કરે છે. આમ, મુમુક્ષુના હૃદયમાં ક્ષમાભાવના સદા જાગૃત રહે છે. (૫) “સત્ય” જે સાચું હોય તે સત્ય. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું જાણી તે પ્રમાણે કહેવું તે સત્ય કથન છે. વસ્તુ જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે તેને જાણવાવાળું જ્ઞાન સત્ય છે, માનવાવાળી શ્રદ્ધા સત્ય છે, કહેનારી વાણી સત્ય છે અને તદનુકૂળ પરિણમન કરવાવાળું આચરણ સત્ય છે. અધ્યાત્મસાધનાનું ધ્યેય આત્મશુદ્ધિ છે. આત્મશુદ્ધિનો ઉપાય આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનનો ઉપાય આત્મવિચારણા છે. આત્મવિચારણાના અભ્યાસ માટે અનાત્મવિચારણા છોડવી જોઈએ. જ્યાં સુધી અનાત્મસ્વરૂપ જગતના જડ પદાર્થોને સત્યસ્વરૂપે માનવામાં આવે ત્યાં સુધી વિચારની ધારા આત્મા તરફ વળવી વિકટ છે. દુનિયાના સર્વ પદાર્થો વિનાશી - ક્ષણભંગુર હોવાથી આત્મકલ્યાણની દૃષ્ટિએ અસત્ય છે અને એક શુદ્ધ આત્મા જ વાસ્તવિક સત્ય છે' એમ જે જાણે-માને અને સ્વાત્માને ભજે તે મુમુક્ષુને આત્મશુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપાસવા યોગ્ય એવી સર્વસ્તુ માત્ર એક આત્મા જ છે. તે સહુના લક્ષ વિના, તેના આદર વિના, જે કાંઈ બોલાય છે તે પરમાર્થથી અસત્ય વચન જ છે. પરમાર્થસત્યને સમજાવતાં શ્રીમદ્ કહે છે કે - પરમાર્થસત્ય' એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ..... બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. ..... એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. .... દષ્ટાંત : જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ અને ચેલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.” અનાદિથી જીવ પરમાર્થસત્ય બોલ્યો નથી, તેથી પ્રારંભિક ભૂમિકામાં તે બોલવું વિકટ લાગે છે, પરંતુ અભ્યાસની નિરંતરતાથી પરમાર્થસત્ય અવશ્ય બોલી શકાય છે. સતત અભ્યાસ કરવાથી પરમાર્થસત્ય બોલવાનું શક્ય થઈ શકે છે અને સમ્યગ્દર્શન થતાં પરમાર્થસત્ય સહજ બોલાય છે. સમ્યગ્દર્શન પછી યથાર્થપણે પરમાર્થસત્ય બોલવાનું થાય છે, પરંતુ વ્યવહાર સત્ય આવ્યા વિના સમ્યગ્દર્શન થતું નથી; અર્થાત્ વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થસત્ય બોલાવું શક્ય જ નથી. વ્યવહાર સત્યને સમજાવતાં શ્રીમદ્ કહે છે કે – જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય. દષ્ટાંત : જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય.૨ જે વસ્તુ, જે સમયે, જેવી રીતે, જે સંજોગોમાં હોય; તે વસ્તુ, તે સમયે, તેવી રીતે, તે સંજોગોમાં જેમ હતી તેમ કહેવું તે વ્યવહાર સત્ય છે. જેમ કે “ઈ.સ. ૧૯૪૭ના વર્ષની પંદરમી ઑગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી, ‘મારી વાર્ષિક આવક રૂપિયા પંચ્યાસી હજારની છે’, ‘મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે' ઇત્યાદિ. આ અને આવી તમામ હકીકતો વ્યવહાર સત્યમાં સમાવેશ પામે છે. વ્યવહાર સત્યનું પાલન આત્માને લાભનું તેમજ સુખનું કારણ છે, કેમ કે અસત્ય બોલવામાં તેમજ તે ઉઘાડું પડી ન જાય તે માટે જીવે ઘણા વિકલ્પો કરવા પડે છે અને તેથી તે અશાંત, દુઃખી થાય છે. અસત્ય પ્રગટ ન થઈ જાય તે માટે ઘણી યોજનાઓ કરવી પડે છે. અસત્યને છુપાવવા, તેને સત્યનો અંચળો ઓઢાડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. અસત્ય બોલનાર હંમેશાં એમાં જ ગૂંચવાયેલો રહે છે. તે હંમેશાં ભયભીત રહે છે. અસત્ય બોલનાર વ્યક્તિ હંમેશાં સશંક રહે છે અને અસત્ય ખુલ્લું પડી જવાનો ભય તેને નિરંતર સતાવ્યા કરે છે. અસત્ય ખુલ્લું પડી જતાં પોતાની હાલત અત્યંત બૂરી થશે અને પોતે મહાભયંકર આપત્તિમાં આવી પડશે એવો ભય તેને નિરંતર સતાવતો રહે છે. આપત્તિ તો અસત્ય ખુલ્લું થયા પછી આવે છે, પરંતુ આપત્તિની આશંકાથી તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૫-૬૭૬ (ઉપદેશનોંધ-૩૪) ૨- એજન, પૃ.૬૭૬ (ઉપદેશનોંધ-૩૪) Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન હંમેશાં જ ભયભીત રહે છે. ધન, શક્તિ આદિમાં પોતાથી વિશેષ બળવાળાઓની સાથે કરેલો કપટવ્યવહાર પ્રગટ થઈ જવાનો તેને ભારે ડર હોય છે. મુમુક્ષુ જીવને અસત્યનું બહુમાન હોતું નથી. તેને સત્યની રુચિ, મહિમા, આદર હોય છે. જેને અંતરમાં સતુનો આદર છે, જેને પૂર્ણ, પવિત્ર, અકષાયી આત્મા પ્રાપ્ત કરવો છે એવા મુમુક્ષુ જીવના અંતરમાં વ્યવહાર સત્ય માટે આદર હોય જ એ સ્વાભાવિક છે. સત્યવ્રત શ્રુત અને યમનું સ્થાન છે, વિદ્યા અને વિનયનું ભૂષણ છે અને સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્ર ઉત્પન્ન કરવાનું કારણ છે. વાણીની સત્યતા અને વાણીના સંયમને જીવનમાં ઉતારવા માટે જ્ઞાનીઓએ સત્યને ચાર સ્થાનોમાં બાંધ્યું છે - સત્ય અણુવત, સત્ય મહાવત, ભાષા સમિતિ અને વચનગુપ્તિ. સ્થળ જૂઠું ન બોલવું તે સત્ય અણુવ્રત છે. સૂક્ષ્મ પણ જૂઠું ન બોલવું તે સત્ય મહાવ્રત છે. સત્ય પણ કઠોર, અપ્રિય ન બોલતાં હિત, મિત અને પ્રિય બોલવું એ ભાષાસમિતિ છે અને બોલવું જ નહીં એ વચનગુપ્તિ છે. તાત્પર્ય કે જો બોલ્યા વિના ચાલે તો બોલવું જ નહીં, જો બોલવું જ પડે તો હિત, મિત તથા પ્રિય અને સંપૂર્ણ સત્ય વચન બોલવું. જો સૂક્ષ્મ અસત્યથી બચી શકાય એમ ન હોય તો સ્થૂળ અસત્ય તો કદી ન બોલવું. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ હોય તેવા જ પ્રકારે કહેવાની જાગૃતિ મુમુક્ષુને રહે છે. | મુમુક્ષુ જીવ વસ્તુ જેવી છે તેવી જાણે છે અને તે પ્રમાણે કહે છે. તે સત્ય બોલવા માટે સત્ય જાણે છે. સત્ય બોલવા માટે સત્ય જાણવું અત્યંત જરૂરી છે. સત્ય જાણ્યા વિના સત્ય બોલી કઈ રીતે શકાય? સત્ય માટે જ્ઞાન અને વાણીને વસ્તુસ્વરૂપને અનુકૂળ ઢાળવાં જરૂરી છે. વસ્તુ જ્ઞાન અને વાણીને અનુરૂપ બનાવી શકાતી નથી અને બનાવવાની આવશ્યકતા પણ નથી. આવશ્યકતા છે વસ્તુસ્વરૂપને અનુરૂપ જ્ઞાન અને વાણી બનાવવાની. જ્યારે જ્ઞાન અને વાણી વસ્તુસ્વરૂપને અનુરૂપ થાય છે ત્યારે તે સત્ય હોય છે. વસ્તુ, જ્ઞાન અને વાણી આ ત્રણનો સુમેળ હોય તો જ જ્ઞાન પણ સત્ય છે, વાણી પણ સત્ય છે; વસ્તુ તો પહેલેથી સત્ય છે જ. પરંતુ જ્યારે વસ્તુ, જ્ઞાન અને વાણીનો સુમેળ ન હોય; અર્થાત્ મોઢેથી તો બોલે ‘પટ’ અને સંકેત કરે ‘ઘટ' તરફ તો વાણી અસત્ય બની જાય છે. વળી, સામે તો હોય ‘ઘટ' અને જીવ એને જાણે “પટ' તો જ્ઞાન પણ અસત્ય બની જાય છે. મુમુક્ષુ જીવ વસ્તુને યથાર્થપણે જાણે છે અને તદનુરૂપ કથન કરે છે. તે સત્ય વિચારી, સમજી સત્ય બોલે છે. સત્યપરાયણ મુમુક્ષુ જીવ જેવું મનમાં હોય તેવું જ વાણી દ્વારા કહે છે તથા ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૯, શ્લોક ૨૭ 'व्रतश्रुतयमस्थानं विद्याविनयभूषणम् । चरणज्ञानयोर्बीजं सत्यसंज्ञं व्रतं मतम् ।।' Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૭૯ જેવું બોલે છે તેવું જ કરે છે. જેવું મનમાં, તેવું વચનમાં, તેવું આચરણમાં એમ નિર્દભપણે - નિષ્કપટપણે વર્તે છે. મનમાં જુદું, વચનમાં જુદું અને કરવું કાંઈ જુદું એ કપટ છે, વક્રતા છે, કુટિલતા છે. મુમુક્ષુને મન-વચન-કાયાની વિરૂપતા નથી હોતી, ત્રણેની એકતા હોય છે. મુમુક્ષુ પોતા જીવન સંબંધિત સર્વ પ્રસંગોમાં, સર્વ કાર્યોમાં સત્યનું અનુસરણ કરે છે. તે સત્યપ્રિય હોવાથી ન્યાય-નીતિપૂર્વક જીવે છે. લોકોત્તર માર્ગે સફળ થવા માટે - આત્મશાંતિ અર્થે તે ન્યાય-નીતિપૂર્વક જીવે છે. કોઈ વ્યાવહારિક તકલીફ પડે, ધનની ખેંચ વર્તાય ત્યારે અન્યને અન્યાય કે અનીતિથી ધનલાભ થતો જુએ તોપણ તે દઢ રહે છે, ન્યાય-નીતિથી તે ડગી જતો નથી. તે સર્વત્ર ઔચિત્ય જાળવી સદા સદાચાર પાળે છે. આમ, મુમુક્ષુના અંતરમાં સત્ય ગુણ સદેવ જાગૃત રહે છે. (૬) “ત્યાગ' પરવસ્તુમાં તાદાભ્યઅધ્યાસ નિવૃત્ત થવો તેને ત્યાગ કહે છે. સાંસારિક ભાવો ઊપજવામાં નિમિત્તરૂપ વાતોનો, વસ્તુઓનો, વ્યક્તિઓનો સંગ છોડી દેવો તે ત્યાગધર્મની આરાધના છે. ત્યાગ એટલે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાં તણાવું નહીં. આત્માથી ભિન્ન એવા પરપદાર્થોને “આ સર્વ મારાથી પર છે' એમ જાણીને, તે પ્રત્યેના રાગથી નિવર્તવું તે ત્યાગ છે. “આ કંઈ જ મારું નથી' એવો આકિંચન્યભાવ તે ત્યાગ છે. માત્ર વસ્તુને છોડવી તે ખરો ત્યાગ નથી, વસ્તુ પ્રત્યેના મોહને છોડવો તે ખરો ત્યાગ છે. માત્ર બહારની વસ્તુઓ છોડવી એ ખરો ત્યાગ નથી. ખરેખર તો અજ્ઞાનનો અને રાગાદિ ભાવોનો ત્યાગ કરવાનો છે. ‘શરીરાદિ જગતના પદાર્થો મારા છે' એવી માન્યતાને છોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર વગેરે વિકારી ભાવો મારા મૂળ સ્વભાવથી વિપરીત છે, અપવિત્ર છે, દુ:ખ અને આકુળતા ઉપજાવનારા છે અને કર્મબંધનનું કારણ હોવાથી ભવિષ્યમાં પણ દુ:ખ આપનારા છે' એમ જાણી તેવા રાગાદિ ભાવોનો ત્યાગ કરવાનો છે. જેમ આ અજ્ઞાનાદિ ભાવોનો ત્યાગ આત્મય માટે જરૂરી છે, તેમ જેના સંગમાં, જેના પરિચયમાં રહેવાથી આવા ભાવો ઊપજવા સંભવે છે, પોષણ થવા કે વૃદ્ધિ થવા સંભવે છે, તેવા પ્રસંગો અને પદાર્થોનો પણ ત્યાગ કરવો ઘટે છે. શ્રીમદે લખ્યું છે કે – તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઉપકારી માનવી યોગ્ય છે.૧ ત્યાગના બે પ્રકાર છે - એક બાહ્ય ત્યાગ અને બીજો અત્યંતર ત્યાગ. તેમાં અત્યંતર ત્યાગની મહત્તા છે, કારણ કે એ જ બંધનિવૃત્તિ અને મોક્ષપ્રાપ્તિનું કારણ છે. જેને દેહાદિમાં અહં-મમબુદ્ધિરૂપ મિથ્યાત્વ દૂર થયું છે અને રાગાદિની મંદતા થઈ છે, અર્થાત અત્યંતર ત્યાગ થયો છે તેને બાહ્ય સંયોગનો ત્યાગ સહેજે થાય છે. તેમ છે બાહ્ય ત્યાગ અત્યંતર ત્યાગને સહાયકારી હોવાથી મુમુક્ષુ જીવે બાહ્ય પ્રસંગની નિવૃત્તિ કરવી જરૂરી છે. બાહ્ય પ્રસંગ એટલે આરંભ-પરિગ્રહ. જીવ આરંભ-પરિગ્રહનું અદ્ભુત્વ કરે તો અસ...સંગનું બળ ઘટે અને સત્સંગ કરવાનો અવકાશ રહે. સત્સંગ કરવાથી આત્મવિચાર થવાનો અવકાશ રહે. આ વાત મુમુક્ષુના લક્ષમાં જાગૃતિપૂર્વક રહેલી હોય છે, તેથી તે આરંભ-પરિગ્રહના ત્યાગમાં પ્રવર્તે છે. શ્રીમદ્ લખે છે – જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.’ આત્મા પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ થયેલા મુમુક્ષુને આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવારૂપ ત્યાગબુદ્ધિ હોય છે. પોતાની ચિત્તવૃત્તિને મોક્ષમાર્ગમાં સ્થિર કરવા માટે ગૃહસ્થ સાધક ધન, સુવર્ણ, ચાંદી, વસ્ત્ર, આભૂષણ વગેરે અચિત પરિગ્રહની તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, દાસ, દાસી, ઘોડા, હાથી, ગાય આદિ સચિત પરિગ્રહની મર્યાદા બાંધે છે અને મર્યાદાથી અધિક વસ્તુઓનો તે ત્યાગ કરે છે, નવી વસ્તુનો સ્વીકાર કરતો નથી. આત્મા સિવાયની બીજી કોઈ પણ વસ્તુનો સંગ સાધનામાં બાધા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે એમ જાણતો હોવાથી તે પરવસ્તુઓથી નિવર્તે છે. આ કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, તેથી ત્વરિત ગતિએ નિરાબાધ આત્મસ્થિરતાની સિદ્ધિ થવા માટે, આત્મલક્ષે અને ગુરુની આજ્ઞાએ પરપરિચયથી નિવર્તી, સપુરુષાર્થ કરવો યોગ્ય છે. આત્મસ્થિરતાનો સાચો અભિલાષી મુમુક્ષુ ત્વરાથી પરપરિચયથી નિવૃત્તિ લે છે; સ્ત્રી, પુત્ર, બંગલા, ઝવેરાત આદિ જગતના સમસ્ત પદાર્થોનો પરિચય ઘટાડી આત્મસાધન કરે છે. શ્રીમદ્ લખે છે કે – અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫ર (પત્રાંક-૫૬૯) ૨- એજન, પૃ.૪૯૧ (પત્રાંક-૬૬૫) Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા--૧૩૮ ૨૮૧ દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી.” મુમુક્ષુ જીવનો ત્યાગ સમજણપૂર્વકનો હોય છે. તે યથાર્થ સમજણ કરીને પરવસ્તુઓને છોડે છે. પરંતુ કેટલાક બહિર્દષ્ટિ જીવો સમજણ કર્યા વિના માત્ર વસ્તુઓ છોડી દે છે. તેમને સમજવામાં રસ નથી હોતો, માત્ર વસ્તુઓને છોડવાનો રસ હોય છે. તેઓ બાહ્યમાં પરદ્રવ્યનો ત્યાગ કરે છે, પરંતુ તેમને અંતરમાં રહેલા સંસારના મૂળ કારણરૂપ એવા મિથ્યાત્વરૂપ મહાપાપનો ત્યાગ કરવાનો લક્ષ હોતો નથી. સમજણ વિનાના ત્યાગથી કાર્યસિદ્ધિ થતી નથી, તેથી પ્રથમ તો ત્યાગનો અર્થ બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વસ્તુઓને છોડવાની ઉતાવળ કરતાં પહેલાં સમજવાનું લક્ષ રાખવું જરૂરી છે. જો જીવ ત્યાગને યથાર્થપણે સમજી લે તો તેનું ફળ રૂપાંતરણ છે. સમજણ વિના ક્રાંતિ સંભવતી નથી. સમજણ વિના જીવ પોતાની સમસ્યાઓ વધારી દે છે, તે પોતાનાં દુઃખમાં વધારો કરે છે. બહિર્દષ્ટિ જીવ પોતાની સમજણ સવળી કરતો નથી, સંસારને ચિત્તમાંથી દૂર કરવાના પ્રયત્નો કરતો નથી અને માત્ર જ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિનું અનુકરણ કરી બાહ્ય ત્યાગ કરે છે અને તેથી તેને ત્યાગ દુઃખરૂપ - કષ્ટરૂપ લાગે છે. તે માત્ર જ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિઓનું અનુકરણ કરી સંતોષાઈ જાય છે. જેમ કે કોઈ વ્યક્તિ દારૂડિયાને જોઈને તેનું અનુકરણ કરવા લાગે છે. તેને ડોલતો જોઈને - તે કઈ રીતે ચાલે છે, કઈ રીતે લથડિયાં ખાય છે તે જોઈને તેનું અનુકરણ કરવા લાગે છે; પણ તેના નશાને નથી જોતો, તેથી પોતાની કુદરતી ચાલ ભૂલી એ દારૂડિયાની ચાલ શીખી જાય છે, પણ મૂળમાં દારૂ પીવાનું ચૂકી ગયો હોવાથી તેને નશો નથી ચડતો. માત્ર દારૂડિયાનો અભિનય થાય છે. તેમ જ્ઞાની ભગવંતોનું માત્ર બાહ્ય અનુકરણ કરવામાં આવે તો પરવસ્તુઓનો ત્યાગ થાય છે, પણ આત્મમસ્તીનાં રસકૂપ નથી સાંપડતાં. ધાર્મિકતા તો પ્રગટતી નથી, પણ આવે છે માત્ર ધાર્મિકતાનો અભિનય. જીવને હજી પરની પકડ છે, બાહ્યમાંથી સુખ મેળવવાની આશા છે, છતાં પણ જ્ઞાનીઓનું અનુકરણ કરવા તે ત્યાગ કરે છે, તેથી તે અહંકાર આદિમાં જ રચ્યોપચ્યો રહે છે. તેની પરની પકડ છૂટતી તો નથી, ઊલટું તે પકડ વધુ મજબૂત થઈ જાય છે. આત્માની પકડ વિના, યથાર્થ સમજણ વિના તે પરવસ્તુઓ છોડે છે, પણ અંતરમાં તો તેની પકડ અનેકગણી વધે છે. જગતની પકડ સહિતની દ્રવ્યનિવૃત્તિ નહીં પણ સમજણપૂર્વકની - જાગૃતિ સહિતની દ્રવ્યનિવૃત્તિ જ જીવને ધર્મ તરફ દોરી જાય છે. ભાવનિવૃત્તિના લક્ષપૂર્વક અભ્યાસ ન થાય તો ધર્મ દૂરનો દૂર જ રહી જાય છે. શાંતિપથનો યાત્રી એવો મુમુક્ષુ જીવ વિકારી ભાવોથી મુક્ત થવા અર્થે ઉપાધિમાંથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૧-૪૨૨ (પત્રાંક-પ૨૫) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન નિવૃત્તિ લે છે. તે પરને પરરૂપ જાણીને તેનો ત્યાગ કરે છે. તે પરવસ્તુને પરવસ્તુ તરીકે સ્વીકારી અને સ્વવસ્તુને સ્વવસ્તુ તરીકે સ્વીકારી, સ્વને પ્રાપ્ત કરવા પરનો ત્યાગ કરે છે. “જાણવા-જોવાના સ્વભાવવાળા મારા આત્મા સિવાય આ જગતમાં નિશ્ચયથી જોતાં મારું કાંઈ જ નથી' એવું જ્ઞાન જાગૃત હોવાથી તેને પરવસ્તુ પ્રત્યેની મમતા ઓછી થતી જાય છે. લક્ષ સહિતના, જાગૃતિપૂર્વકના બાહ્ય ત્યાગના કારણે તેના ચિત્તમાંથી પણ તે વસ્તુનો ત્યાગ થાય છે. આમ, મુમુક્ષુના અંતરમાં ત્યાગ ગુણ સદૈવ જાગૃત હોય છે. (૭) “વૈરાગ્ય' ગૃહ-કુટુંબાદિ વિષે અનાસક્તિ થવી તે વૈરાગ્ય. ભાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં રાગની માત્રા જેટલી ઓછી તેટલો સાધકના જીવનમાં વૈરાગ્ય પ્રગટ્યો કહેવાય. વૈરાગ્ય એટલે કોઈ ઉચ્ચ ધ્યેય તરફ પ્રગટેલી પ્રીતિના ફળસ્વરૂપે અનિત્ય પદાર્થોમાં અનાસક્તિ થવી. વૈરાગ્ય એટલે પૌદ્ગલિક વસ્તુ પ્રત્યેના રાગનો ઘટાડો - રાગની મંદતા. આત્માનો અચિંત્ય મહિમા પ્રગટવાથી અને સંસાર, દેહ તથા ભોગની અનિત્યતા, અસારતા, અશરણતા ભાસવાથી સંસાર, દેહ તથા ભોગ પ્રત્યેના રાગનો ઘટાડો થાય - રાગની મંદતા થાય તે વૈરાગ્ય. સંસાર, દેહ તથા ભોગોમાં વિરક્ત ભાવ તે વૈરાગ્ય છે. સાચું સુખ આત્મામાં છે, પરંતુ અજ્ઞાની જીવને સુખ બાહ્ય પદાર્થોમાં પ્રતીત થાય છે. તે અંતરમાં વળતો નથી અને સુખને બહાર જ શોધે છે. આ બાહ્ય વિષયસુખ વસ્તુતઃ દુઃખ જ છે. વિષયસુખ મૂળપણે દુઃખ જ છે, તેથી જીવ પરપદાર્થમાં જ્યાં પણ સુખની કલ્પના કરે છે, ત્યાંથી તેને દુઃખ જ મળે છે. જે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાંથી તે સુખ, શાંતિ અને સલામતી મેળવવાના પ્રયત્ન કરે છે, તેમાંથી તેને દુ:ખ જ મળે છે. જેમ કંદોઈને ત્યાં ઊકળતા તેલના કડાયામાં ઉપરથી પડેલો સર્પ ઘણો ખરો તો બળી જાય છે અને બળતરાથી બચવા માટે તે પાછો ચૂલામાં ઘૂસી જતાં પૂરેપૂરો બળી જાય છે; તેમ અજ્ઞાની જીવ પુણ્ય-પાપમાં તો બળી જ રહ્યો છે અને તેમાં પણ વિષયસુખની લાલસા કરી, જેનાથી વિશેષ બળાય એવા વિષયમાં સુખ માની તેમાં ઝંપલાવે છે, પરંતુ સુખને બદલે તેને વિશેષ દુઃખ જ મળે છે. ભોગમાં જે આસક્ત હોય તે કદી ચિત્તશાંતિ મેળવી શકતો નથી. ભોગ સંબંધી ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, દ્રવ્યસંગ્રહ', ગાથા ૩૫ની ટીકા સંસારમોનેસુ વિરત્તમારો ય વૈરાં !” Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૮૩ વિચારથી તેનું ચિત્ત સદા ક્ષુબ્ધ જ રહે છે. ભોગ સંબંધી વિચારો ચાર પ્રકારના હોય છે - ભોગપદાર્થ સંબંધી વિચાર, ભોગપદાર્થની પ્રાપ્તિ સંબંધી વિચાર, ભોગ ભોગવવા સંબંધી વિચાર અને ભોગ કાયમ રહે તે સંબંધી વિચાર. ભોગવૃત્તિ મોળી પડે નહીં ત્યાં સુધી જીવ આર્ત્ત-રૌદ્રધ્યાનની ચુંગલમાંથી છૂટી શકતો નથી. પ્રત્યેક ભોગપ્રવૃત્તિ અથવા ભોગનો વિચાર ચિત્તમાં વિષયલાલસાના સંસ્કાર મૂકતો જાય છે, જેના પરિણામે જીવને ભોગમાં પ્રવૃત્ત થવાની ફરી ફરી ઇચ્છા જાગે છે. મનમાં ઊઠેલી એક પણ ઇચ્છા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મન અશાંત રહે છે અને વિક્ષેપનો અનુભવ કરે છે. અનિયંત્રિત ભોગેચ્છાને સંતોષવા જરૂરી સાધનસામગ્રી મેળવતાં, સાચવતાં અને ભોગવતાં ચિત્તમાં ચિંતા, સંક્લેશ અને અજંપાનાં જાળાં બંધાય છે અને એ નિમિત્તે બીજા જીવો સાથે સંઘર્ષના પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. અજ્ઞાની જીવોની ભોગેચ્છા અપાર હોય છે. કોઈ ધન ઇચ્છે છે, કોઈ યશ ઇચ્છે છે, કોઈ પદ-પ્રતિષ્ઠા ઇચ્છે છે ઇત્યાદિ. બધા સંસારની ચીજોની ઇચ્છા કરતા રહે છે અને આ પ્રકારની ઇચ્છાઓથી માત્ર નિરાશા જ હાથ લાગે છે. ઇચ્છાના કારણે નિરાશા અજ્ઞાની જીવની નિયતિ બની જાય છે. ઇચ્છા સાથે દુઃખ અવશ્ય આવે જ છે. કામના પૂરી થાય કે ન થાય તેને ક્યારે પણ સુખ મળતું નથી, હંમેશાં દુ:ખ જ મળે છે. જો ઇચ્છા પૂરી નથી થતી તો તો સ્પષ્ટ જ છે કે જીવ દુઃખી થાય છે, પરંતુ જો પુણ્યયોગે ઇચ્છા પૂરી થાય તોપણ તે દુઃખી જ રહે છે, કારણ કે તે વખતે ઇચ્છા તો પૂરી થઈ જાય છે પણ સુખની આશા પૂરી થતી નથી. ધારો કે કોઈ વ્યક્તિને કરોડ રૂપિયા કમાવવા છે. જો તે કમાઈ ન શકે તો તે દુ:ખી થાય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ તે તો કરોડ રૂપિયા કમાઈ લે તોપણ દુઃખી જ રહે છે, કારણ કે તેને રૂપિયાની ચલણી નોટો દ્વારા સુખ મેળવવાની આશા હતી અને રૂપિયામાં સુખ આપવાની શક્તિ ન હોવાથી, ઇચ્છેલી કમાણી થઈ હોવા છતાં તેને તે દ્વારા સુખ મળતું નથી. રૂપિયાની ઇચ્છા પૂરી થાય છે પણ સુખની આશા ફળતી નથી, તેથી તે દુઃખીનો દુઃખી જ રહે છે. આમ, જીવ અસફળ થાય તો દુ:ખી થાય છે અને સફળ થાય તોપણ દુ:ખી થાય છે. ઇચ્છા સઘળાં દુઃખ અને સંતાપનું કારણ છે. જીવ વધારે ને વધારે ઇચ્છા કરે તોપણ તેને બીજું કંઈ જ મળતું નથી, સિવાય કે દુઃખ અને નિરાશા, જીવ ફરી ફરી ઇચ્છા કરે છે અને તેને ફરી ફરી દુ:ખ જ હાથ લાગે છે, નિરાશા જ હાથ લાગે છે. જીવ પોતાના ભૂતકાળના અનુભવોમાંથી પાઠ શીખતો નથી. ભૂતકાળમાં તેને અનુભવ થયો છે કે સ્ત્રી-પુત્રાદિની પ્રાપ્તિમાં સુખ નથી, લક્ષ્મીની વૃદ્ધિ થવા છતાં સંતોષ થતો નથી, એ સર્વ દ્વારા માત્ર પળોજણ જ વધી છે; છતાં તેને હજી આશા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહે છે કે જે ભૂતકાળમાં બન્યું નથી તે ભવિષ્ય કાળમાં બનશે, અર્થાત્ પરમાંથી સુખની પ્રાપ્તિ ક્યારેક તો સંભવશે. જુગારી ઘણું બધું હારી ચૂક્યો હોવા છતાં તેને આશા રહે છે કે ‘એક દાવ હજી ખેલી લઉં, એ જીતીશ તો ખોયેલું બધું પાછું મેળવી શકીશ.' અજ્ઞાની જીવ પણ જુગારીની જેમ વર્તે છે. નિરંતર એ જ આશામાં જીવે છે કે ભૂતકાળમાં તો મળ્યું નથી પણ હજી તક છે. કદાચ આ ધંધામાં મળી જાય, આ મિત્રમાં મળી જાય, આ વસ્તુમાં મળી જાય..... અજ્ઞાની જીવ પોતાના અભિપ્રાયની સુધારણા કરતો નથી અને તેથી પરમાંથી સુખ મેળવવાની તેની આકાંક્ષા જીવંત રહે છે. જીવને થાય છે કે આશાની પૂર્તિ હાથવગી જ છે, પરંતુ એવું ક્યારે પણ બનતું નથી. સમુદ્રતટ ઉપર ઊભો રહીને નાવિક જુએ છે કે ક્ષિતિજ માંડ દસ માઈલ દૂર છે અને ક્ષિતિજને આંબવા વહાણમાં નીકળી પડે છે, પણ દસ માઈલ ગયા પછી પણ ક્ષિતિજનું અંતર પૂર્વવત્ જ રહે છે. તે કદાપિ ક્ષિતિજને પામી શકતો નથી. તેવી રીતે જીવને થાય છે કે આશાની ક્ષિતિજ નિકટ જ છે, હમણાં જ ત્યાં પહોંચી જઈશ અને સુખ પ્રાપ્ત કરી લઈશ; પરંતુ તેને ક્યારે પણ સુખની પ્રાપ્તિ થતી નથી, તેને કશેથી પણ તૃપ્તિ મળતી નથી. અનુભવી જ્ઞાની મહાત્માઓ કહે છે કે પ૨પદાર્થોમાંથી સુખ મળવું શક્ય જ નથી. પ૨પદાર્થની કામનાની નિવૃત્તિ જ શક્ય છે અને તેની નિવૃત્તિથી જ સુખની પ્રાપ્તિ થાય છે. જ્યાં કામના છે ત્યાં દુઃખ છે અને દુઃખથી મુક્ત થવું હોય તો કામનાનો ત્યાગ એ જ એક ઉપાય છે. કામનાથી દુઃખ નિર્મિત થાય છે અને જો જીવ કામના ન કરે તો પછી તેને કોઈ દુ:ખ રહેતું નથી. એટલા માટે કામનાને છોડવાની છે, કામનાનો છેદ ઉડાડવાનો છે અને તો જ અધ્યાત્મ નીપજે છે. આત્મજ્ઞાનના અર્થીએ કામનાનો અંત લાવવા સતત જાગૃત રહેવું જોઈએ. શ્રીમદ્ લખે છે કે - ‘કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.’૧ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય આવશ્યક છે. વૈરાગ્યની દૃઢતા થવાથી ચિત્તની નિર્મળતા તથા વિચારબળની વૃદ્ધિ થાય છે અને તેથી તત્ત્વવિચારનો સુર્દઢ અભ્યાસ થઈ શકે છે. તત્ત્વવિચારથી ચિત્ત સ્થિર થતાં આત્માનુભવ થાય છે. વૈરાગ્ય એ સમસ્ત અધ્યાત્મજીવનની ધરી સમાન છે, તેથી વિષયોમાંથી સુખબુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬) Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૮૫ જ્યાં સુધી સંસારમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી દેહ, સ્ત્રી, પુત્ર, ધન, ગૃહ આદિના ભોગમાં રસ પડે છે. જ્ઞાનીનાં વચનોનો વિચાર કરીને પરમાંથી સુખબુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. જ્ઞાનીપુરુષના બોધ દ્વારા મુમુક્ષુ જીવને સમજાયું હોય છે કે જે ઔષધિ રોગને દૂર કરી શકે નહીં તે ખરેખર ઔષધિ નથી, જે ધન આપત્તિનો નાશ કરી શકે નહીં તે ખરેખર ધન નથી, તેવી જ રીતે જે સુખ તૃષ્ણાનો નાશ કરી શકે નહીં તે ખરેખર સુખ નથી. સાચું સુખ તો પોતાના સ્વરૂપમાં છે. ભોગોમાં જે સુખ ભાસે છે તે તો માત્ર ભાંતિ છે એમ મુમુક્ષુ જીવના લક્ષમાં આવ્યું હોવાથી ભોગોમાંથી તેનો રસ ઘટતો જાય છે અને વિષયથી વિરક્ત થયેલું તેનું ચિત્ત સ્વરૂપાનુસંધાનના અભ્યાસ માટે સમર્થ બને છે. ત્યાગ-વૈરાગ્યાદિ ગુણો તેના અંતરમાં પ્રગટ્યા હોવાથી અને પુરુષાર્થ દ્વારા નિરંતર તે ગુણોની વૃદ્ધિ થતી હોવાથી તે આત્માને ઓળખવા, પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. શ્રીમદ્ લખે છે – ‘ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃતા થઈ જાય છે.' મુમુક્ષુ જીવને સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ થઈ હોય છે અને વિષયસુખની રુચિનો ઘટાડો થયો હોય છે. તેને આત્માના અતીન્દ્રિય સુખ માટે પરમ આદર હોય છે, ઇન્દ્રિય તરફના વલણમાંથી આદરબુદ્ધિ ટળી ગઈ હોય છે. તેને બહારની બધી ચીજો વ્યર્થ લાગે છે. ધન, પ્રતિષ્ઠા, કામસુખ બધું વ્યર્થ લાગે છે. આમ, મુમુક્ષુ. જીવના અંતરમાં વૈરાગ્ય સદા જાગૃત રહે છે. પ્રસ્તુત ગાથામાં કહ્યા તે સાત ગુણો મુમુક્ષુ જીવના અંતરમાં ન્યૂનાધિક અંશે સદા વિદ્યમાન હોય જ છે. મોક્ષના અભિલાષી એવા મુમુક્ષુ જીવના અંતરમાં દયાદિ સાત ગુણો સતત જાગૃત રહે છે. આ સાત ગુણો મુમુક્ષુતાનો માપદંડ છે. મુમુક્ષુ જીવ આ દયાદિ ગુણોની વર્ધમાનતા માટે સત્સાધનમાં જોડાયેલો રહે છે; તેથી દયા, શાંતિ, સમતા આદિ ગુણો તેનામાં શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વધતા જ રહે છે. શ્રીમદે આ સાત ગુણો માટે કહ્યું કે “હોય મુમુક્ષ ઘટ વિષે', અર્થાત્ આ ગુણો મુમુક્ષુના ઘટમાં સદા જાગૃત હોય છે. મુમુક્ષુના ઘટમાં વ્યાપેલા આ ગુણોનું રટણ, પોષણ, વ્યાપન થતું હોય છે. દયાદિ ગુણો ચંદનગંધન્યાયે મુમુક્ષુના સ્વભાવરૂપ બની ગયેલ હોય છે. ચંદનને કાપો કે બાળો તોપણ સુગંધ જ આપે છે, તેમ દયાદિ ગુણો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૮૫ (પત્રાંક-૬૪૩) Page #319 -------------------------------------------------------------------------- ________________ ાય છે. ૨૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મુમુક્ષુનો સ્વભાવ બની ગયા હોય છે. અનુકૂળ પ્રસંગ હોય કે પ્રતિકૂળ પ્રસંગ, આ ગુણો સદા વિદ્યમાન હોય છે. ચંદનની સુગંધ સર્વત્ર પ્રસરી જઈ સુવાસિત કરે છે, તેમ આ ગુણો મુમુક્ષુના ઘટમાં - અંતરમાં - આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરે છે. તેના સંપર્કમાં આવેલાનું જીવન પણ તેની શીલસુગંધથી સુવાસિત થાય છે. જેને મોક્ષની સાચી અભિલાષા હોય છે તેના ઘટમાં આ ગુણોની પ્રભા વ્યાપી જાય છે. તેનું અંતર દયાદિ ગુણો વડે રંગાયેલું હોય છે. વસ્ત્ર ફાટે તોપણ તેના તાણાવાણામાં બેસી ગયેલો રંગ ફીટે નહીં, તેમ દેહ પડવા છતાં - દેહનો નાશ થવા છતાં સ્વભાવરૂપ બનેલા દયાદિ ગુણો નાશ પામતા નથી. શ્રીમદે વાપરેલો “ઘટ' શબ્દ કેટલો યોગ્ય છે તે આ ઉપરથી સમજી શકાય છે. આ મુમુક્ષુ અવસ્થાથી જ જીવમાં વાસ્તવિક ધર્મ અંકુરિત થાય છે. જેમ યુવાન, રૂપવાન અને પૈસેટકે સુખી માણસ જ નિર્વિઘ્ન ભોગસુખ માણી શકે છે; તેમ પ્રબળ ક્રોધાદિથી રહિત અને ઉદાત્ત આશયવાળી વ્યક્તિ જ યથાર્થ ધર્માનુષ્ઠાન કરી શકે છે. જેમ વૃદ્ધ, કુરૂપ અને દરિદ્ર વ્યક્તિ ભોગની ચેષ્ટા કરે તો પણ તે બેચેન રહે છે, દુઃખી જ હોય છે; તેમ દયાદિ ગુણસંપત્તિ વિના કરવામાં આવતાં ધર્માનુષ્ઠાન સંક્લેશમુક્ત ન હોવાથી મોક્ષસુખદાયક બની શકતાં નથી. એ બને, અર્થાત્ સંપત્તિ આદિથી રહિત વ્યક્તિનું ભોગસુખ અને દયાદિ ગુણવિહીન વ્યક્તિનું ધર્માનુષ્ઠાન ઝાંઝવાનાં નીરની જેમ તેના મનનાં માનેલાં છે, વાસ્તવિક નથી.' જેનામાં દયાદિ ગુણોનો ઉદય નથી થયો એ આત્મા, શેરડીના ખેતરના શેઢે ઊગેલા લીમડાની જેમ, ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ મોક્ષસાધક માધુર્યને બદલે સંસારવૃદ્ધિકારક કટુતાનો જ સંચય કરતો રહે છે. દયાદિ ગુણો પ્રગટ્યા ન હોય તે જીવ ગમે તેટલી ધાર્મિક ક્રિયા કરે તો પણ તેને પરમાર્થે કશો લાભ થતો નથી. દયાદિ ગુણો પ્રગટ્યા હોય તો સર્વ ધર્મક્રિયાઓ સાર્થક થાય છે અને એ ગુણો ન હોય તો ગમે તેવી અને ૧- જુઓ : (૧) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘કાત્રિશત કાત્રિશિકા', ધાર ૧૪, શ્લોક ૭, 'शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः । धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ।। अङ्गाभावे तथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ।।' (૨) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગબિન્દુ', શ્લોક ૧૮૯ 'मिथ्या विकल्परुपं तु, द्वयोर्द्धयमपि स्थितं । खबुद्धिविकल्पनाशिल्पि-निर्मितं न तु तत्त्वतः ।।' Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૮ ૨૮૭ ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવામાં આવે, તે સર્વ પરમાર્થે નિષ્ફળ જાય છે. આના ઉપરથી સહેજે સમજી શકાય છે કે ધર્મ માટે અંતરમાં દયાદિ ગુણોની વિદ્યમાનતા કેટલી આવશ્યક છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ ધર્મપ્રાપ્તિ માટેની - આત્મપ્રાપ્તિ માટેની મૂળ લાયકાત છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – પરમ ભાવિતાત્મા શ્રીમદ્ભો મુમુક્ષુજનને ઉપદેશ સાચું મુમુક્ષપણું - સાચું આત્માર્થીપણું પ્રગટાવવા માટે છે, - કથનમાત્ર કે નામમાત્ર મુમુક્ષુપણું - આત્માર્થીપણું નહીં. જીવમાં જો ખરેખરું ભાવ-મુમુક્ષપણું આવ્યું હોય તો તેનું સંસારબળ નિરંતર ઘટતું જ જાય ને જીવ મોક્ષમાર્ગે આગળ વધતો જ હોય.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘દયા, શાંતિ, સમતા, ક્ષમા, શ્રી જિન ભાષિત સાર; શ્રદ્ધા દુર્લભ આદરી, તત્ત્વો તણો નિર્ધાર. વીતરાગ આશય ભર્યા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; સાચા જાણી ભાવથી, સાથે સાધી લાગ. ઐહિક સુખ વાંછે નહિ, મોક્ષ ભાવના એક; હોય મુમુક્ષુ ઘટ વિષે, ચિત્ત સત્ય એ ટેક. લોક પ્રવાહે નવિ વહે, વીતરાગ પર રાગ; વિષય વિરક્ત મુમુક્ષુમાં, એહ સદાય સુજાગ્ય.' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૫૫ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૪૯-૫૫૨) . Page #321 -------------------------------------------------------------------------- ________________ Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૯ કોઈ ના લય છેબં, અકા કરી , તે કે સન દ૨, બી ફરિયે જળ Page #323 -------------------------------------------------------------------------- ________________ Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩૯ - ગાથા ૧૩૮માં શ્રીમદે કહ્યું કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ ભૂમિકા 5] અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુ આત્મામાં સદા જાગૃત હોય છે. આમ, સાત બોલ દ્વારા મુમુક્ષુનાં ઉત્તમ લક્ષણો બતાવી, સાધનદશા કેવી હોય તેનું શ્રીમદે દર્શન કરાવ્યું. હવે ગાથા ૧૩૯ તથા ૧૪૦માં જ્ઞાની ધર્માત્માનાં ઉત્તમ લક્ષણો બતાવી, જ્ઞાનદશા કેવી હોય તેનું સ્પષ્ટ દર્શન કરાવી, જ્ઞાનીપણા વિના પોતાને જ્ઞાની માનનારની ભાંતિ તેઓ દૂર કરે છે. આ બન્ને ગાથાઓનું રહસ્ય લક્ષમાં આવતાં સાચા જ્ઞાની અને વાચા જ્ઞાની વચ્ચેનો ભેદ અત્યંત સ્પષ્ટપણે સમજાય છે. પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ કહે છે – “મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; ગાથા | તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.” (૧૩૯) મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ * હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. (૧૩૯) - દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ દર્શનમોહનો અને રાગાદિમાં વર્તવારૂપ ભાવાર્થ ] ચારિત્રમોહનો ક્ષય કરી, પૂર્ણ વીતરાગદશા જેમણે પ્રાપ્ત કરી છે અથવા બન્ને પ્રકારના મોહને જેમણે વિશેષ પ્રમાણમાં ક્ષીણ કર્યો છે તેમને જ્ઞાની કહેવા યોગ્ય છે. સ્વરૂપની ભાંતિરૂપ દર્શનમોહ જેમનો વ્યતીત થયો છે અને રાગાદિ ભાવો જેમના અત્યંત ક્ષીણ અથવા ક્ષય થયા છે એવી ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધીની દશા તે જ્ઞાનીદશા છે, કારણ કે તેમાં ક્રમે ક્રમે વીતરાગતાની વૃદ્ધિ થતાં પૂર્ણ વીતરાગતાનું પ્રાગટ્ય થાય છે. આમ, જેમનો મોહ નિર્મૂળ થયો છે અથવા તો અત્યંત શાંત થયો છે અને આત્માનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, તેમાં જ સ્થિર રહેવા પામ્યો છે તે જ્ઞાનીદશા છે. તે સિવાય જેણે અનેક શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય, પણ હજી જેનો મોહ ક્ષય કે શાંત ન પડ્યો હોય, નિશદિન ઉપયોગ આત્મામાં જ રહેવા પામ્યો ન હોય અને જેણે પોતામાં જ્ઞાનીપણું માની લીધું હોય તે બ્રાંતદશા છે. મોહ ક્ષય કે પ્રશાંત થયા વિના કદાપિ જ્ઞાનીદશા કહેવાય નહીં. શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિદશા જેમને Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રાપ્ત થઈ છે એ જ સાચા જ્ઞાની છે, બાકી જેણે મોહ ત્યજ્યો નથી અને પોતાનામાં જ્ઞાનદશા માની લીધી છે તેને ભાત જ કહેવાય. આવો જીવ અજ્ઞાની અને મોહાંધ સમજવો એવો આ ગાથાનો ભાવ છે. - જ્ઞાની શ્વાસોચ્છવાસમાં જેટલી કર્મનિર્જરા કરે છે, તેટલી નિર્જરા અજ્ઞાની વિશેષાર્થ ધાપાથી પૂર્વક્રોડ વર્ષોમાં પણ માંડ કરી શકે. ૧ જ્ઞાનનો આવો અચિંત્ય મહિમા શાસ્ત્રોએ ગાયો છે. પ્રશ્ન થાય કે જેનું આટલું બધું મહત્ત્વ જ્ઞાનીઓ આંકે છે એ જ્ઞાન શું છે? માત્ર પુસ્તકો વાંચી જવા, ઘણા આગમો કંઠસ્થ હોવાં, એમાં વર્ણવેલા પદાર્થોના ભાંગા અને ભેદ-પ્રભેદ આંગળીના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, વિપુલ સાહિત્યનું નિર્માણ કરવું - એ બધું શું જ્ઞાની થવા માટે પૂરતું છે કે જ્ઞાની થવા માટે બીજી કોઈ શરતો છે? જેનાથી દેહાધ્યાસ ટળે - દેહમાં આત્મબુદ્ધિ એટલે કે હું બુદ્ધિ ટળે, કર્મકૃત ભાવોમાં ‘હું બુદ્ધિ ન થાય, સ્વરૂપનું અનુસંધાન થાય તેનું નામ સાચું જ્ઞાન. જ્યારે જીવનું એકત્વ ભગવાન આત્મામાં સ્થાપિત થાય છે, જ્યારે તેનો ઉપયોગ પરથી હટી નિજસ્વરૂપમાં જોડાય છે; ત્યારે આત્મજ્ઞાન ઘટિત થાય છે. સ્વયંનો અનુભવાત્મક બોધ થવો તે આત્મજ્ઞાન છે. જેમને પોતાનું અસ્તિત્વ ભાસ્યું છે, પોતાનો બોધ થયો છે, પોતાનું જ્ઞાન થયું છે એવા સ્વાનુભવીને જ્ઞાની કહેવા યોગ્ય છે. જાણવાની ક્રિયામાં બે તત્ત્વ હોય છે - એક જે જાણે છે તે, અર્થાત્ જાણનાર અને બીજી જણાવા યોગ્ય વસ્તુ, અર્થાત્ વિષય. વિજ્ઞાનનો સંબંધ વિષય સાથે છે, જેને જીવ જાણવા માંગે છે તે વસ્તુ સાથે - પરશેય સાથે છે; પણ ધર્મનો સંબંધ તો જાણનાર સાથે છે. જે જાણી રહ્યો છે તે જાણનારને જાણવામાં ધર્મ છે. જ્ઞાતાને જાણવો એ ધર્મ છે. ધર્મ સ્વજોયને - પોતાને જાણવામાં છે. જે જાણી રહ્યો છે તે જ એક જાણવા યોગ્ય છે, પરંતુ જીવ અન્ય વસ્તુઓને જાણે છે, પણ જ્ઞાતાના સંબંધમાં તેણે કાંઈ જાણ્યું નથી. તે ચંદ્ર-તારા-સૂરજ વિષે, સંસારની કળાઓ વિષે, ધર્મનાં શાસ્ત્રો વિષે કેટલું બધું જાણે છે; પણ સ્વયંના સંબંધમાં કંઈ જાણતો નથી. તે ઘણું બધું જાણે છે, પણ પોતા વિષે તો તે સાવ ૧- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી બૃહત્ કલ્પ સૂત્ર, ઉદ્દેશ ૧, ગાથા ૧૧૭૦ નં ત્રાળ , રવેડું વસુયખું તારી છોડીટિં | तं नाणी तिहिँ गुत्तो, खवेइ ऊसासमेत्तेण ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, અધ્યાત્મોપનિષદ્', જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૧૫ 'चिन्मात्रलक्षणेनान्य-व्यतिरिक्तत्वमात्मनः । प्रतीयते यदश्रान्तं, तदेव ज्ञानमुत्तमम् ।।' Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૨૯૩ અજાણ જ છે. તે બહારની વસ્તુઓ વિષે જાણવામાં પોતાની જાતને ભૂલી જાય છે. વધુ ને વધુ જાણકારી ભેગી કરવામાં જાણનાર ભુલાઈ જાય છે. શાસ્ત્રાદિની જાણકારી ભેગી કરવામાં તે એટલો બધો મગ્ન થઈ જાય છે કે તેને સ્વયંને જાણવાનો વિચાર સુધ્ધાં આવતો નથી. બહિર્દષ્ટિ જીવને શાસ્ત્રની જાણકારીથી મોટો ભ્રમ પેદા થાય છે કે ‘હું જાણકાર છું.' તેને એમ લાગે છે કે “જે જાણી શકાય તેવું છે, તે બધું મને ખબર છે. આત્મા શું છે, પરમાત્મા શું છે તેની મને ખબર છે.' પરંતુ વાસ્તવમાં આત્માનો સ્વાદ કેવો છે તેની તેને ખબર નથી, સ્વરૂપની કોઈ ઝલક તેને મળી નથી; છતાં તે તો એવી ભાંતિમાં જ રાચે છે કે હું બધું જાણું છું.' એના જીવનમાં કોઈ કિરણ પ્રકાણ્યું નથી, ચારે તરફ અંધારું છવાયેલું છે અને છતાં તે માને છે કે હું આત્માને જાણું છું.' આવો જીવ શબ્દજ્ઞાની - શુષ્કજ્ઞાની છે. શુષ્કજ્ઞાનીને કદી પણ પોતાનું અસ્તિત્વ ભાસ્યું નથી. તેણે ક્યારે પણ પોતાનો સાક્ષાત્કાર કર્યો નથી. તેની પાસે આત્મા વિષે કેવળ બૌદ્ધિક માહિતી છે, છતાં આત્માનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરવાને બદલે તે એમ માનવા લાગે છે કે “હું આત્માને જાણું છું.' જ્યાં સુધી તે આવી મિથ્યા માન્યતામાં રાચે છે, ત્યાં સુધી કદી તેનું રૂપાંતરણ નથી થઈ શકતું. આ જૂઠા વિશ્વાસ ઉપર ઊભેલું તેનું સમૂળગું જીવન જૂઠું થઈ જાય છે. પોતાનો પ્રત્યક્ષ પરિચય પામ્યા વિના તે એવા ભ્રમમાં જીવે છે કે હું આત્માને જાણું છું.' પરિચય બે પ્રકારના હોય, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષ પરિચય એટલે તેની જાણકારી અને પ્રત્યક્ષ પરિચય એટલે તેનો અનુભવ, તેની સાથેનું મિલન. સાવ અપરિચિત વ્યક્તિને મળવું હોય તો સૌ પ્રથમ તેનો પરોક્ષ પરિચય મેળવવામાં આવે છે કે તે કોણ છે', ‘ક્યાં રહે છે' વગેરે. તેનું સરનામું મળ્યા પછી તે સ્થળે પહોંચતાં તે વ્યક્તિનો પ્રત્યક્ષ પરિચય થઈ શકે છે. પરોક્ષ પરિચય (સરનામાની પ્રાપ્તિ) એ પ્રત્યક્ષ પરિચય(મિલન)ની પહેલાં અવશ્ય ઘટે છે, પરંતુ જો માત્ર પરોક્ષ પરિચય મેળવી ‘એ વ્યક્તિને તો હું બરાબર જાણું છું' એમ માની લેવામાં આવે તો એ નર્યો ભમ છે. સરનામા વિના તેનો મેળાપ થાય નહીં, તેથી સરનામાની પ્રાપ્તિ એ પરિચયનું અગત્યનું અંગ છે; પરંતુ જો સરનામું મળ્યા પછી પ્રત્યક્ષ પરિચય માટે મહેનત ન થાય, સંતોષાઈ જવાય તો એ ખોટું છે. એ રીતે શાસ્ત્રના બોધ દ્વારા જીવને પોતાના અસ્તિત્વનો પરોક્ષ પરિચય થાય તો આત્માનો પ્રત્યક્ષ પરિચય મેળવવા માટે તેની શક્તિ યોગ્ય દિશામાં વપરાઈ શકે છે. અનાદિ કાળથી આજ સુધી જીવ પરિઘ ઉપર અંતહીન ચક્કર લગાવતો રહ્યો છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવને પરિઘ તરફથી કેન્દ્ર સુધી પહોંચવા માટે અસ્તિત્વનો પરોક્ષ પરિચય જરૂર ઉપયોગી થાય છે. સિદ્ધ સમાન પોતાના સ્વરૂપ પ્રત્યે સજાગ થવા, પોતાના અસ્તિત્વ પ્રત્યે બોધપૂર્ણ થવા માટે પરોક્ષ પરિચય સહાયક નીવડે છે, સ્વયંના અખંડ સ્મરણની સાધના માટે તે સહાયક નીવડે છે. શાસ્ત્રો દ્વારા મેળવેલો આત્માનો પરોક્ષ પરિચય એવી સ્થિતિ પેદા કરવામાં ઉપયોગી થાય છે કે જેમાં જીવ સ્વયંને મળી શકે, પોતાનો સાક્ષાત્કાર કરી શકે, અસ્તિત્વનો પ્રત્યક્ષ પરિચય પામી શકે; પરંતુ આત્મસ્વરૂપનો પરોક્ષ પરિચય થાય અને એટલામાત્રથી જ જો “મને આત્માની ખબર છે' એવી ભ્રમણા સેવાય તો એ બહુ મોટી ભૂલ છે. સ્વયંની સાથે એક સમયની મુલાકાત પણ ન થઈ હોય અને જાણે પરિચય થયો હોય એવી રીતે વાણીવિલાસ કરવામાં આવે તો એ ગંભીર ભૂલ છે. પોતાના શુદ્ધ સ્વરૂપ વિષેની બૌદ્ધિક જાણકારી પ્રાપ્ત થઈ હોવા છતાં, પોતાની સાથે મુલાકાત થઈ ન હોવાના કારણે જીવનાં દુઃખનો અંત નથી આવતો. પરોક્ષ પરિચય પ્રાપ્ત કરી સંનિષ્ઠ પુરુષાર્થ આદરવામાં આવે તો પ્રત્યક્ષ પરિચય થાય છે અને સુખ-શાંતિ-સફળતા મળે છે. જીવ ભગવાન આત્માની વાતો સાંભળે, તત્સંબંધી ઘણી માહિતી મેળવે, પરંતુ જો તેને આત્માનો પ્રત્યક્ષ પરિચય ન લાધ્યો હોય તો તે માહિતી - તે જ્ઞાન સમ્યક નથી. આત્મતત્ત્વનું અપરોક્ષ જ્ઞાન એ સાચું જ્ઞાન છે. શાસ્ત્રનાં વાંચન-ચિંતનથી મેળવેલ બૌદ્ધિક જ્ઞાન સાથે પોતાનો અનુભવ ભળતાં એ બૌદ્ધિક જ્ઞાન ભાવનાજ્ઞાનમાં પરિણમે છે, અર્થાતુ પોતાની અનુભૂતિના આધારે અંતરમાં પ્રજ્ઞા જન્મે છે ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે. કેરી વિષે પુસ્તકોના પુસ્તકો વાંચવામાં આવે, પણ જ્યાં સુધી તે ચાખવામાં આવે નહીં ત્યાં સુધી કેરીનો સ્વાદ નથી મળતો; એટલું જ નહીં, એ સ્વાદની યથાર્થ સમજણ પણ પ્રાપ્ત થતી નથી; તેમ શ્રત, તર્ક, યુક્તિ વગેરેથી આત્માની બૌદ્ધિક જાણકારી મળે છે, પરંતુ ગમે તેટલું વાંચવામાં આવે, સાંભળવામાં આવે કે વાતો કરવામાં આવે; પણ જ્યાં સુધી ઇન્દ્રિય કે મનની મદદ વિના આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન કરવામાં આવે ત્યાં સુધી આત્મા વિષેની સમજ અધૂરી જ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે – સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ ની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીકૃત ટીકા, ગાથા ૧૬૫ 'सम्यग् यथावत्, भावनाज्ञानाधिगतानां भावतोऽधिगतत्वसम्भवात् ।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૨૯૫ અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન ઉપાધ્યાયશ્રીને ફિક્યું લાગે છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જનાર જીવ પણ અજ્ઞાની હોઈ શકે. જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણેલો છે તે ન કહી શકાય; મેલાં-ઘેલાં કપડાંવાળો વિદ્વાન હોઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતો માણસ અભણ હોઈ શકે, તેમ માત્ર શાસ્ત્રોનાં ઓછાં-વધતાં જાણપણાથી જ અજ્ઞાની-જ્ઞાનીનો ભેદ ન કરી શકાય. ઘણું ભણેલો અજ્ઞાની હોઈ શકે અને એક પણ શાસ્ત્ર ન ભણેલા જ્ઞાની હોઈ શકે. અલબત્ત શાસ્ત્રોનું મૂલ્ય ઓછું આંકવાનું નથી, કારણ કે અનુભવની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેની વિધિ શાસ્ત્રોમાં રહેલી હોય છે. શ્રીમદ્ આ ગાથામાં એ વાત સ્પષ્ટ કરે છે કે જ્ઞાનનો માપદંડ શાસ્ત્રાધ્યયનની ન્યૂનતા કે વિપુલતા નથી, પરંતુ મોહનો ક્ષય અથવા શાંતતા છે. જેમનો મોહ ક્ષય અથવા પ્રશાંત થયો હોય તેમને જ્ઞાન થયું ગણાય. મોહાધીન દશા વર્તતી ન હોય એનું નામ જાણ્યું કહેવાય. ‘જાણ્યું તો એનું ખરું જે મોહે નવિ લેપાય.' કેવળ શાસ્ત્રની બાહ્ય જાણકારીથી કોઈ ફરક નથી પડતો. મોહના નાશનું લક્ષ્ય ન હોય અને જીવ શાસ્ત્ર અધ્યયન ગમે તેટલું કરે તો પણ એનાથી કોઈ ક્રાંતિ થતી નથી. માછીમારનું ધ્યેય માછલી છે, જાળ નહીં. માછલી પકડવામાં જાળ એ તો માત્ર એક સાધન છે. જો કોઈ માછીમાર જાળને જ પકડી રાખે અને માછલીને પકડવાનો પુરુષાર્થ કરે નહીં તો શું થાય? તેમ શાસ્ત્ર-અભ્યાસનો મૂળ ઉદ્દેશ ભૂલીને જો શાસ્ત્રને માત્ર બુદ્ધિમાં ગ્રહણ કરી રાખવામાં આવે તો તે દ્વારા કૃતકૃત્યતાનો ભાવ નીપજે છે, અહંકાર ઊપજે છે, પણ અધ્યાત્મ નથી નીપજતું. જે જીવ સાંભળવામાં, વાંચવામાં સંતોષ માનીને બેસી રહેતો નથી, પણ પરિણમનનો પુરુષાર્થ કરે છે તે જ આગળ વધે છે. જે સાંભળીને-વાંચીને બેસી રહે છે તેની યાત્રા આગળ વધતી નથી, તે કશે પણ પહોંચતો નથી; પણ જે ચાલવા માંડે છે તે, માત્ર તે જ પોતાની મંજિલે પહોંચે છે. તે ત્યાં પહોંચી જાય છે કે જ્યાં આત્મપ્રભુનો વાસ છે. જ્યાં આત્મદેવ બિરાજમાન છે ત્યાં તેનો પ્રવેશ થાય છે અને તેને સત્યની ઉપલબ્ધિ થાય છે. સ્વયંના સાક્ષાત્કાર માટે, અસ્તિત્વની અનુભૂતિ માટે કેવળ શાસ્ત્રનું શ્રવણ-વાંચન નહીં ચાલે, તે માટે પૂરી નિષ્ઠાપૂર્વકનો પ્રયોગાત્મક અભ્યાસ આવશ્યક છે. સ્વચ્છંદપ્રમાદ ખંખેરી જબરદસ્ત પુરુષાર્થ કરવો જોઈએ. રુચિને ઢંઢોળવી જોઈએ. તેને જાગૃત કરીને કામે લગાડવી જોઈએ. શાસ્ત્ર-અધ્યયન દ્વારા સ્વ તરફ વળવું જોઈએ. શાસ્ત્રમાં કહેલી વાતને પોતા ઉપર ઘટાવવી જોઈએ. શાસ્ત્રમાં આપેલ માર્ગદર્શનને અમલમાં મૂકવું જોઈએ. આમ કરવાથી જ શાસ્ત્રાભ્યાસ મુક્તિસાધક બને છે. કેવળ શાસ્ત્રોને Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાણી લેવાથી આત્માનુભૂતિરૂપ ફળ નથી નીપજતું. જેને અસ્તિત્વને પામવાની તાલાવેલી હોય છે તે અવશ્ય શાસ્ત્રનાં સૂચનોને અમલમાં મૂકે છે, પ્રયોગાત્મક અભ્યાસ કરે છે. - આત્માર્થી જીવને આત્મપ્રાપ્તિની તરસ જાગી હોય છે. તેને શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાની અભીપ્સા જાગી હોય છે. તે આત્મસ્વભાવમાં એકાગ્ર થવા ઇચ્છે છે. સ્વરૂપની ઉપલબ્ધિ સિવાય બીજું બધું તેને વ્યર્થ લાગે છે. તેને નિશ્ચય થયો હોય છે કે ‘દેહાદિ સંયોગોમાં રતિ કરવા જેવું કંઈ નથી. આજ પર્યંતનો તમામ કાળ એને જાળવવામાં બગાડ્યો, પણ હવે પરના મોહમાં આ દુર્લભ મનુષ્યભવ વ્યતીત નથી કરવો. મારે નિજસ્વરૂપને જાણવું છે.' આત્માર્થી જીવને પોતાનું સાચું સ્વરૂપ જાણવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ‘કોણ છું? મારું સ્વરૂપ શું છે?' એ જાણવાની પ્રબળ જિજ્ઞાસા જાગતાં તે સગુરુના બોધના આધારે તેમજ શાસ્ત્રાદિના આધારે સ્વરૂપનો - તત્ત્વનો નિર્ણય કરવા લાગે છે. તે સ્વપરભિન્નતાનું ચિંતન-મનન કરે છે. નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ અથવા સમસ્ત સંયોગો અને વિકારોથી આત્માને ભિન્ન જાણીને જ્ઞાયકસ્વભાવી ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્મસ્વરૂપમાં એકત્તાનો અભ્યાસ કરે છે. સ્વ-પરના ભેદજ્ઞાનથી પોતાનું શું અને પરાયું શું તેની ઓળખાણ થાય છે, તેથી સાધક પરપરિણતિનો પરિત્યાગ કરીને શુદ્ધાત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. તે પોતાનો ઉપયોગ પર ઉપરથી હટાવીને પરથી ભિન્ન એવા પરમ શરણભૂત, સારભૂત એક નિજ શુદ્ધાત્મતત્ત્વમાં લગાવે છે. આત્માનો જ્ઞાનોપયોગ કોઈ ને કોઈ ઇન્દ્રિયના કે મનના વિષયભૂત પદાર્થમાં ચોંટેલો હોય છે. આ બાહ્ય વિષયોમાં રમણતા કરી રહેલ ઉપયોગને સમેટીને અંદર ખેંચવાનો, આત્મામાં જોડવાનો તે અભ્યાસ કરે છે. નિરંતર જાગૃતિપૂર્વક સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ કરતાં મિથ્યાત્વમલ ગળી જાય છે અને સમ્યકત્વ પ્રગટે છે. ભેદજ્ઞાનની કળાના ફળરૂપે પરમાં એકત્વ-મમત્વના સર્વ સંસ્કારો લય પામે છે. આ રીતે સાધક શાસ્ત્રનું શ્રવણ-વાંચન કરી, પ્રયોગાત્મક અભ્યાસ કરી આગળ વધે છે. ભેદજ્ઞાનના અભ્યાસમાં ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ સ્થિરતા પ્રાપ્ત કરતાં કરતાં કોઈ ધન્ય પળે મન શાંત થઈ જાય છે. તે સ્વસ્વરૂપમાં રમણતા કરીને એવો ઠરી જાય છે કે તેને ભેદજ્ઞાનના વિકલ્પ પણ રહેતા નથી. તે સર્વ વિકલ્પોથી વિરામ પામીને આત્મામાં જ લીન રહે છે અને નિજને જ જાણે છે. ધ્યાતા ધ્યેયની સાથે તદાકાર બની, શુદ્ધ આત્મસ્વરૂપમાં અભેદ થઈ પોતાના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે. પોતાના અલૌકિક, શાશ્વત આનંદસ્વરૂપની અનુભૂતિ થાય છે ત્યારે મોહ-અંધકાર દૂર થાય છે અને ઉજ્વળ જ્ઞાનપ્રકાશ પ્રગટી ઊઠે છે. ‘દેહાદિથી ભિન્ન હું જ્ઞાન-આનંદનો Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૨૯૭ પિંડ છું' એવો જ્ઞાનપ્રકાશ આત્મામાં પથરાય છે. આ અનુભવ થાય છે ત્યારે ઓચિંતો થાય છે. સાધક પુરુષાર્થના બળ વડે આગળ વધતો હોય છે ત્યારે એક વખત અચાનક જ ચિત્ત તરંગરહિત બની શાંત થઈ જાય છે, દેહનું ભાન જતું રહે છે અને જ્ઞાનજ્યોતિ ઝળહળી ઊઠે છે. અંધારી રાતે તદ્દન અજાણ્યા સ્થાને ઊભા રહેલા મુસાફરને, અચાનક ત્રાટકતી વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દશ્ય દેખાઈ જાય છે; તેમ આ સ્વાનુભવથી સાધકને પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. તેને પોતાના અકળ, અબદ્ધ, શાશ્વત, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. વર્ષોના શાસ્ત્રાધ્યયનથી પ્રાપ્ત ન થાય એવું સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી ક્ષણોમાં જ મળી જાય છે. જે દેહાત્મબુદ્ધિ બહોળા શ્રુતજ્ઞાનથી પણ ખસતી નથી, તે આ અલ્પ ક્ષણોની અનુભૂતિથી નષ્ટ થઈ જાય છે. મહાભયંકર તોફાની સાગરમાં ડૂબી રહેલા અને મગરમચ્છથી પકડાયેલા મુસાફરને, અનાયાસે મગરમચ્છની પકડમાંથી છૂટી તરવા માટેનો કોઈ આધાર પ્રાપ્ત થઈ જાય અને મહાપ્રયત્ન તે કિનારે આવી પહોંચે ત્યારે તેને જે અકથ્ય આનંદ થાય તેના કરતાં પણ વિશેષ આનંદ સાધકને આત્માનુભવ થતાં થાય છે. તે નિર્વિકલ્પ નિજ પદને અનુભવી નિર્મળ, વિશુદ્ધ, શાશ્વત, સ્થિર, અતીન્દ્રિય પરમાનંદને પ્રાપ્ત કરે છે. તે સ્વાત્માના આનંદરસને ચાખે છે. વસ્તુતઃ આત્મા સ્વયં જ આનંદમય છે. આત્માનું સ્વરૂપ જ સાનંદ છે. અસ્તિત્વની દૃષ્ટિએ જે આત્મા છે, અનુભૂતિની દૃષ્ટિએ તે જ આનંદ છે. આત્માનો અનુભવસ્વાદ ચાખવાથી સાધકને પોતાની મુક્તિની ખાતરી થઈ જાય છે. તેનું અંતર બેધડક સાક્ષી આપે છે કે “હું હવે પ્રભુના માર્ગે ચઢ્યો છું, સિદ્ધના સંદેશા આવી ચૂક્યા છે. હવે હું અલ્પ કાળમાં સિદ્ધ થવાનો જ છું.' પ્રારંભિક અનુભવ અલ્પ સમયનો જ હોવા છતાં તે અનુભવ તેના માનસિક વલણમાં ધરખમ પરિવર્તન લાવી દે છે. તે જીવનું આંતર પોત જ બદલાઈ જાય છે. અનુભવ થતાં તેનું સમસ્ત જીવન જ ફરી જાય છે, હૃદયપલટો થઈ જાય છે, અંતરમાં ઉથલપાથલ થઈ જાય છે. અંતરની જ્યોત જાગતાં તેના જીવનની દિશા ફરી જાય છે જ્યાં સુધી આત્મા મળતો નથી ત્યાં સુધી જીવનમાં દુ:ખ ઘેરાયેલું હોય છે, વ્યાકુળતા છવાયેલી હોય છે; પણ આત્માની એક ઝલક મળી જતાં બધી ઉદાસી, વ્યાકુળતા સમાપ્ત થઈ જાય છે અને હંમેશ માટે શાંતિ મળે છે. અનાદિ કાળથી જીવે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, પરથી ભિન્ન દ્રવ્યસ્વભાવનું પરિજ્ઞાન ન હોવાથી તે પરમાં એકત્વ-મમત્વ સ્થાપિત કરે છે અને પરિણામે દુઃખી થાય છે. અનાદિ કાળથી તે પરને પોતાનું માનીને તેમાં જ રચ્યોપચ્યો રહે છે, તેથી ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંત દુઃખ ભોગવે છે. અનાદિ કાળથી અનંત ભવોમાં જીવ અનેક દુઃખ ભોગવે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે વિયોગ, નુકસાન, અપમાન વગેરે અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. દુઃખ દૂર કરવાના પ્રયત્ન છતાં તે દુઃખી જ રહે છે, કારણ કે તેનો પુરુષાર્થ ઊલટી દિશામાં થાય છે. જીવ દુઃખ દૂર કરી સુખી થવા ઇચ્છે છે, પરંતુ તે એ જાણતો નથી કે સુખ શું છે, ક્યાં છે, કઈ રીતે મળે અને તેથી તે દુ:ખી જ રહે છે. તે અજ્ઞાનવશ પરવસ્તુઓ દ્વારા શાંતિ-સંતુષ્ટિ મેળવવાનું વિચારે છે અને તે માટે ખૂબ મહેનત કરે છે, આખું જીવન ગુમાવી દે છે; પણ અંતે અશાંતિ અને અસંતોષ સિવાય તે બીજું કંઈ પામતો નથી. કોઈ માણસ સરોવરના પાણીમાં ચંદ્રના પ્રતિબિંબને જોઈને ચંદ્રને મેળવવા પાણીમાં કૂદી પડે તો તેને શું મળે? જળમાં કરાતી ચંદ્રની શોધ તેને સરોવરના ઊંડાણમાં જેટલી લઈ જશે, તેટલો જ તે વાસ્તવિક ચંદ્રથી વધુ દૂર થતો જશે. પરમાંથી સુખ મેળવવાની શોધમાં જીવ આવી જ રીતે વાસ્તવિક આનંદથી દૂર નીકળી જાય છે. વસ્તુઓમાં સુખને શોધતાં શોધતાં જે મળે છે તે સુખ નહીં પણ દુઃખ જ હોય છે. વિષયભોગોમાં સુખની શોધ દુઃખના દરિયામાં ડુબાડે છે. વિષયસુખ જીવને આકર્ષે છે, પણ એની પાછળ જવાથી નિષ્ફળતા, ખેદ અને દુઃખ સિવાય કંઈ જ મળતું નથી. આ રીતે જીવ અનંત કાળથી દુઃખ ભોગવે છે, પણ જ્યારે સ્વાનુભૂતિ થાય છે ત્યારે આત્મા શુદ્ધ થઈ જાય છે, દુઃખ અને પાપનું નામનિશાન પણ રહેતું નથી, સર્વ પ્રકારની આકુળતાનો અભાવ થાય છે. તે સર્વ દુઃખરહિત થઈ, નિરાકુળ અતીન્દ્રિય સુખ ભોગવે છે. પહેલાં જીવને પોતાની આંતરિક સંપદાની ખબર ન હતી, એટલે તે ઘર વગેરેને સંપદા માનતો હતો અને આત્મદરિદ્રતાથી પીડિત હતો. પોતાની અંદરની સમૃદ્ધિને ભૂલીને તે પર પાછળ પાગલની જેમ દોડતો હતો. એની ચિંતા અને વિકલ્પોની ભીડમાં ખોવાઈ ગયો હતો. આત્મદરિદ્રતાથી ગ્રસ્ત હોવાથી તે ધન-સંપત્તિને, પદપ્રતિષ્ઠાને શોધતો હતો, પરંતુ આ બાહ્ય સમૃદ્ધિ અને શક્તિની પાછળ ભટકતાં ભટકતાં તે નિજઘરથી ઘણો દૂર નીકળી ગયો હતો, વધુ ને વધુ દરિદ્ર બનતો ગયો હતો. લક્ષ્મી, વૈભવવિલાસ, અધિકાર, સત્તા, પરિવારાદિની વૃદ્ધિને તે પોતાની વૃદ્ધિ ગણતો હતો, પણ આ બધું વધવા છતાં આંતરિક દરિદ્રતા તો ઘટતી ન હતી, બલ્ક વધતી જ હતી. અનુભવ થતાં તેને પોતાની સંપદાનું ભાન થાય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ ભાસવાથી તેને સમજાય છે કે મારાં સુખ, શાંતિ અને સલામતી પરમાં નથી, મારા પોતામાં જ છે.' તેને ભાન થાય છે કે હું નાહક જ પર પાછળ દોડતો હતો. હું વ્યર્થ જ ભિખારી બની ગયો હતો. હું તો સમાટ છું.' કેન્દ્રમાં સ્થિતિ થતાં તે ભિખારી નથી રહેતો પણ સમાટ થઈ જાય છે. અનુભૂતિ થઈ ન હતી ત્યાં સુધી તો દુઃખનું જ વદન હતું. સ્વાનુભૂતિ થતાં Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ગાથા-૧૩૯ વેષપલટો થઈ જાય છે. જેમ કોઈ અભિનેતાએ ભિખારીનો વેષ લીધો હોય અને તે પછી રાજાના વેષમાં આવે ત્યારે તેનો આખો દેખાવ પલટાઈ જાય છે, તેમ જીવને સ્વાનુભૂતિ થતાં તેનો ભિખારી જેવો વેષ પલટાઈ જાય છે, એ નિર્માલ્ય વેષ છૂટી જાય છે અને તે ચિદાનંદરાજાનો વેષ ધારણ કરે છે. સર્વોત્કૃષ્ટ એવા પોતાના ચૈતન્ય-રાજાના સાચા સ્વરૂપનું અનુભવાત્મક જ્ઞાન થયા પછી ભિખારી જેવા નિર્માલ્ય વેષને તે જીવ ફરીને ધારણ કરતો નથી. પરિભ્રમણ દરમ્યાન જીવ એક ભવ પૂરો કરીને બીજો નવો ભવ ધારણ કરે છે, છતાં સંસારના ચારે ગતિના જેટલા પણ ભવો ધારણ કરે તે બધા એક જ જાતિના છે, દુઃખરૂપ જ છે; પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ તો અનાદિ કાળના વિપરીત ભાવો દૂર કરીને, પૂર્વના સર્વ દુઃખમય ભવોથી પર એવો ચૈતન્યનો એક અદ્ભુત નવો આનંદમય અવતાર ધારણ કરે છે. આત્મા પોતે જ આનંદ સ્વરૂપે પરિણમે છે. સ્વાનુભવ પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયોના વિષયોમાં અનાદિથી રહેલ સુખભ્રાંતિ ટળે છે. આત્માના નિરુપાધિક આનંદનો અનુભવ મળતાં ઇન્દ્રિયસુખનો ભ્રમ ભાંગી જાય છે. તેમને વિષયભોગો જરા પણ સુખરૂપ લાગતા નથી. જ્ઞાનીને લક્ષ્મી, અધિકાર આદિ કેવાં લાગે છે તેનું અદ્ભુત આલેખન કરતા પંડિત શ્રી બનારસીદાસજીના કાવ્ય (‘સમયસારનાટક', બંધદ્વાર, સવૈયા ૧૯) ઉપર વિવેચન કરતાં શ્રીમદ્ કહે છે કે ‘જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.’૧ નિજના નિર્વિકાર શાશ્વત સ્વરૂપને અનુભવનાર જીવ દુન્યવી આશા-તૃષ્ણાઓની પકડમાંથી મુક્ત બની જાય છે. આત્મજ્ઞાનનો ઉદય થતાં જ તૃષ્ણાની વિષવેલ કરમાઈ જાય છે, કારણ કે તૃષ્ણાની વેલ અજ્ઞાનની ધરતીમાં જ પાંગરી શકે છે. અજ્ઞાન અને આકાંક્ષા સદા સાથે જ વસે છે. અજ્ઞાન હટતાં ઇચ્છારહિતતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૫ (પત્રાંક-૭૮૧) Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રાપ્તિ થતાં આ જગતમાં કશું જ પ્રાપ્તવ્ય લાગતું નથી; અને તેથી જ્ઞાનીને કોઈ આકાંક્ષા-કામના રહેતી નથી. કંઈક મેળવવું છે કે “કંઈક થવું છે' એવી તૃષ્ણા નાશ થઈ જાય એવું પરિતોષપણું તેમને પ્રગટ્યું હોય છે. તેઓ આત્મતૃપ્ત હોય છે. સ્વરૂપને પામવાથી તેઓ આત્મસંતુષ્ટ થયા હોય છે. સ્વાનુભવના પ્રતાપથી તેઓ સદાકાળ માટે સુખી બની પોતાના સ્વરૂપમાં જ તૃપ્ત રહે છે. જ્ઞાનીને સ્વાનુભવજન્ય પ્રતીતિ હોય છે કે ઇન્દ્રિયવિષયો કદી પણ તૃપ્તિ આપી શકતા નથી. સુખી થવા માટે તો માત્ર પોતાની અંદર ઠરવાની જ જરૂર છે. પોતાના સુખ માટે પર તરફ મીટ માંડવાની કોઈ આવશ્યકતા નથી. આવી પ્રતીતિના કારણે અનિશ્ચિત ભાવિની ચિંતા ચિત્ત ઉપર સવાર થઈને તેમને વ્યાકુળ બનાવી શકતી નથી. જ્યાં સુધી જીવ પોતાના સત્ય સ્વરૂપનો સ્પર્શ પામતો નથી, ત્યાં સુધી તે ભવિષ્યની આશંકા અને અનિશ્ચિતતાથી ઘેરાયેલો રહે છે. અજ્ઞાની જીવ ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં ગૂંચવાયેલો હોય છે. મળશે કે નહીં મળે એવી ચિંતાથી તે પીડાય છે. ભવિષ્યમાં આ મળશે કે તે મળશે એ આશામાં તે દોરડાથી બંધાયેલા પશુની જેમ દોડે છે. જે રીતે ગાયને કોઈ ગળામાં દોરડું બાંધીને ખેંચીને લઈ જાય છે, તે રીતે ભવિષ્યની આશા તેને ખેંચે છે. તેની આંખો કાલ ઉપર ચોંટી હોવાના કારણે તેની ચિંતામાં તે આજને વેડફી નાંખે છે. તેની નજર ભવિષ્ય ઉપર ચોંટી હોવાથી તે વર્તમાનને ચૂકી જાય છે. આમ, અજ્ઞાની જીવ ભવિષ્ય પાસે આશા-અપેક્ષા રાખે છે, તેને ભવિષ્યની ચિંતા થાય છે; પરંતુ જ્ઞાનીને ભવિષ્ય પાસે કશું લેવાનું રહ્યું હોતું નથી. તેઓ ચિંતાથી પર થઈ ગયા હોય છે. અનુભવ થતાં આત્માના શાશ્વત અસ્તિત્વની એવી દેઢ પ્રતીતિ થઈ જાય છે કે મૃત્યુનો ભય જ્ઞાનીને સતાવતો નથી. જીવનમાં આવતા વિવિધ ઝંઝાવાતોને તેઓ ભયભીત થયા વિના પાર કરી શકે છે. તેઓ ડર્યા વિના જીવનના પડકારોને ઝીલે છે. જીવનમાં જે કંઈ પણ ઘટિત થાય, તેનાથી તેઓ ડરતા નથી. જે કોઈ ઘટના ઉદ્ભવે, તે વખતે તેઓ ભયથી મુક્ત રહી સદા શાંતિપૂર્ણ જ રહે છે. અજ્ઞાનીને સદા મુશ્કેલીનો ભય રહે છે. તે પોતે જ તેનો હાઉ ઊભો કરી નિરંતર તેનાથી ભયભીત રહે છે. તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેનું મન સુરક્ષિતતા-નિશ્ચિતતા ઇચ્છે છે, પરંતુ તે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે પરનું અવલંબન લે છે અને તેથી સુરક્ષા પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય કારગત નીવડતો નથી. જ્ઞાનીએ પોતાના સ્વરૂપનું અવલંબન લીધું હોવાથી તેઓ પોતાને સદા સુરક્ષિત અનુભવે છે. કોઈ પણ સંજોગોમાં તેમને ભય પેદા થતો નથી. સ્વયંને જાણવાથી-અનુભવવાથી તેમનો ભય વિલીન થયો હોય છે. જ્ઞાની પોતાના અસ્તિત્વથી પરિચિત થયા હોવાથી અન્યના અસ્તિત્વ પ્રત્યે પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૩૦૧ જાગરૂક થઈ જાય છે. તેઓ પ્રત્યેકના અસ્તિત્વનો આદર કરે છે. તેઓ અસ્તિત્વમાત્ર પ્રત્યે એટલા સંવેદનશીલ થઈ જાય છે કે પ્રત્યેક જીવ સાથેની એક નવી મિત્રતા પ્રગટે છે. એક નવા જ પ્રકારનો મૈત્રીભાવ - વૃક્ષોની સાથે, પક્ષીઓની સાથે, પશુઓની સાથે, પર્વત અને પાણી સાથે! તેમનું અંતઃકરણ એટલું કોમળ બની જાય છે કે તમામ હિંસા આપોઆપ અટકી જાય છે. તેઓ સર્વનાં સુખ-દુઃખ પ્રત્યે અંતરથી સભાન બને છે. એક પ્રગાઢ પ્રેમ તેમની અંદર ઊછળે છે કે જે પહેલાં કદી જાણ્યો ન હતો. એ પ્રેમ તેમને સમગ્રપણે ભરી દે છે. આ પ્રેમ સર્વ ઉપર વરસે છે. પુરસ્કાર કે પ્રશસ્તિની કોઈ પણ આશા વગરનો આ અકારણ પ્રેમ સર્વ પ્રત્યે સભાનપણે વહે છે. એ બદલામાં કોઈની પણ પાસે કંઈ પણ માંગતો નથી. એ તો માત્ર આપવાને તત્પર રહે છે. સમસ્ત જગતને પ્રેમ કરતા હોવા છતાં જ્ઞાની જગતમાં કોઈની પણ સાથે બંધાતા નથી. તેઓ છૂટા ને છૂટા જ રહે છે. જ્ઞાની પુરુષને કોઈ ગાળો ભાંડે તો પણ તેને માટે તેમને પ્રેમ જ હોય છે. કોઈ તેમનું અપમાન કરે તો પણ તેમને તે વ્યક્તિ નિર્દોષ લાગે છે. તેમની દૃષ્ટિ તેના શુદ્ધાત્મા ઉપર હોય છે, બહારના રૂપ કે પર્યાય ઉપર નથી હોતી. પોતાના શુદ્ધાત્માનું ભાન થયું હોવાથી અન્યમાં તેમને શુદ્ધાત્માનાં જ દર્શન થાય છે, તેથી તેઓ આખા જગતને નિર્દોષ જુએ છે. તેમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું નથી, સર્વ તેમને નિર્દોષ લાગે છે. સ્વયંની દષ્ટિ નિર્દોષ થઈ હોવાથી આખું જગત તેમને નિર્દોષ લાગે છે. જેની દૃષ્ટિ અન્યની પર્યાય ઉપર હોય છે તેને અન્યમાં દોષ દેખાય છે, પણ જ્ઞાનીની દૃષ્ટિ અન્યના દ્રવ્ય ઉપર હોવાથી તેમને તે નિર્દોષ લાગે છે. જ્ઞાનીને દઢ થયું હોય છે કે ‘સારભૂત પદાર્થ મારું સ્વરૂપ જ છે. અન્ય બધા પદાર્થો મારાથી નિરાળા છે. તે બાહ્ય પદાર્થો પોતાની જ પરિણતિથી રહે છે. તે પદાર્થો નિરંતર પરિણમન કર્યા કરે છે. એનું કામ એનામાં છે. એમાં મારું કંઈ ભલું થવાનું નથી કે બૂરું થવાનું નથી. એના પરિણમનથી મને રંચ પણ લાભ-નુકસાન નથી. એમાં જરા પણ પ્રીતિ કરવા યોગ્ય નથી. મારું સહજ ચૈતન્યસ્વરૂપ જ અવલંબનભૂત છે.' આવો નિશ્ચય થયો હોવાના કારણે તેઓ બાહ્ય પદાર્થો પ્રત્યે દૃષ્ટિ કરતા નથી. તેઓ સંયોગોમાં થતા ફેરફારથી વિચલિત થતા નથી. તેઓ પુદ્ગલકૃત ક્ષણભંગુર અવસ્થાઓ કે બાહ્ય પરિસ્થિતિઓમાં આવતાં અનિવાર્ય પરિવર્તનોના કારણે દીનતા, વ્યાકુળતા અનુભવતા નથી. જ્ઞાની જે પણ પરિસ્થિતિ હોય તેનો સ્વીકાર કરે છે. તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરતા નથી. તેઓ સતત સ્વીકારભાવ સાથે જીવે છે. તેમના હૃદયની દરેક ધડકનનો અર્થ શાંત અને પૂર્ણ સ્વીકાર હોય છે. તેમના પ્રાણોના કોઈ પણ હિસ્સામાં Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમને કોઈ પણ પરિસ્થિતિનો કોઈ જ વિરોધ નથી હોતો. તેમને કોઈ પણ પરિસ્થિતિ સાથે કોઈ સંઘર્ષ નથી હોતો. તેમને કોઈ ફરિયાદ નથી હોતી. આથી વિપરીત, મૂચ્છિત જીવને દરેક સામે ફરિયાદ હોય છે. તે સંયોગોમાં દોષ જ શોધ્યા કરે છે. બાહ્યમાં ગમે તેટલું હોવા છતાં તેને અસ્વીકારનો ભાવ હોય છે. તે પ્રાપ્ત સંયોગોના નકાર દ્વારા સંઘર્ષ ઊભો કરે છે, નિરંતર સંઘર્ષમય જ રહે છે. તે શાંત સ્વીકારનો દૃષ્ટિકોણ અપનાવતો ન હોવાથી તેનું જીવન સતત સંઘર્ષમય રહે છે. શાંત સ્વીકારમાં જ સાચું સુખ છે, એ જ સફળતાનો માર્ગ છે; તે છતાં અજ્ઞાની જીવ શાંત સ્વીકારના સત્પથે ચઢતો નથી. તેની મરજી અનુસાર વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રવર્તે એવો તેને આગ્રહ હોય છે. તે શરતો મૂકે છે કે “આજે આમ થવું જોઈએ, કાલે આમ થવું જોઈએ, આ વ્યક્તિએ મને ન છોડવો જોઈએ, આ વ્યક્તિએ મને ન સતાવવો જોઈએ' ઇત્યાદિ. તે ઇચ્છે છે કે જીવન તેણે બનાવેલી શરતોમાં બંધાઈને ચાલે. જ્ઞાનીએ શાંત સ્વીકારને પોતાનો જીવનપથ બનાવ્યો હોવાથી તેઓ તો કોઈ પણ વાતમાં શરત મૂકતા નથી. શાંત સ્વીકાર કરનારને શરતનો શું ખપ? જ્ઞાનીને કોઈ ઉત્સુકતા નથી હોતી કે આમ જ બનવું જોઈએ. તેઓ કોઈ માંગણી કરતા નથી. તેમને કોઈ અપેક્ષા હોતી નથી. પ્રત્યેક પળે તેઓ શાંત સ્વીકાર કરતા હોવાથી તેમને વર્તમાન પ્રત્યે કોઈ ફરિયાદ હોતી જ નથી. કોઈ પૂર્વતૈયારી કરવી પડતી નથી અને પશ્ચાત્ કંઈ વાગોળવાનું હોતું નથી. જીવનમાં દરેક પળે થતા દરેક વ્યક્તિ, વસ્તુ અને ઘટનાના શાંત સ્વીકારના કારણે દરેક ડગલે સુખ, સંતોષ અને સફળતા તેમની રાહ જુએ છે. જ્ઞાની તમામ કંકોમાં પરમ સમત્વદશામાં સ્થિત હોય છે. દુન્યવી સર્વ પ્રલોભનોમાં પણ તેઓ સ્વસ્થ રહે છે અને પ્રતિકૂળ સંયોગોમાં પણ તેમના અંતરમાં પ્રસન્નતાનો એક શાંત પ્રવાહ વહેતો રહે છે. તેઓ ફૂલોને પણ સ્વીકારે છે અને કાંટાઓને પણ સ્વીકારે છે. તેઓ સુખને અને દુઃખને, બન્નેને સમભાવે સ્વીકારે છે. તેઓ સુખ આવે તોપણ પ્રસન્ન રહે છે અને દુઃખ આવે તોપણ પ્રસન્ન રહે છે. તેમનો એક એક શ્વાસ પ્રસન્નતાથી સભર હોય છે. જે કંઈ પણ બને તેની વ્યાખ્યા જ તેઓ નથી કરતા. તેમણે ઘટનાઓને વ્યાખ્યાઓ આપવાનું બંધ કરી દીધું હોવાથી, તેઓ સુખ-દુ:ખમાં નહીં પણ આનંદમાં હોય છે. આનંદનો અર્થ એ નથી કે હવે દુઃખ નહીં આવે. આનંદનો અર્થ એ છે કે હવે તેઓ એવી વ્યાખ્યા નથી કરતા જે તેમને દુઃખી કરી શકે. આનંદનો અર્થ એ નથી હવે સુખ જ સુખ આવતાં રહેશે. આનંદનો અર્થ એ છે કે હવે તેમની એ વ્યાખ્યા છૂટી ગઈ છે કે જે સુખની સતત માંગણી કરાવતી હતી. તેઓ હવે એવી કોઈ વ્યાખ્યા Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૩૦૩ કરતા નથી કે જે તેમને સુખી-દુઃખી કરી શકે. બીજાઓની વ્યાખ્યાઓ અથવા ભૂતકાળમાં પોતે જ કરેલી સુખ-દુઃખની વ્યાખ્યાઓ હવે તેમને સ્પર્શતી નથી. જે બને છે તેમાં તેઓ આનંદિત જ હોય છે. તેમના જીવનમાં પરમ આનંદની વર્ષા થતી હોય છે. તેઓ નિરંતર આનંદમાં ઝૂલ્યા કરતા હોય છે. પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય તેમનું ચિત્ત સદા આનંદપૂર્ણ રહે છે, પ્રસન્ન રહે છે. જ્ઞાનીની ચારે તરફ જે કંઈ ઘટિત થાય છે તે જ્ઞાનીને પ્રભાવિત નથી કરી શકતું. પાપ આવે છે, જાય છે; પુણ્ય આવે છે, જાય છે; તેઓ તો સદા સ્વસત્તાના અનસંધાનપૂર્વક અપ્રભાવિત જ રહે છે. ક્યારેક તડકો હોય છે. ક્યારેક છાંયો હોય છે બધું આવે છે અને જાય છે; છતાં જ્ઞાની તો અપ્રભાવિત જ રહે છે. સુખ-દુ:ખ આવે છે અને જાય છે, પરંતુ તેઓ માત્ર તે સર્વને જુએ છે, પણ અપ્રભાવિત રહીને! તેઓ અપ્રભાવિત રહીને સમગ્ર ભવચેષ્ટાને જુએ છે. જ્ઞાનીને કર્તુત્વ-ભોક્નત્વબુદ્ધિનો લોપ થયો હોય છે અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનો આવિર્ભાવ થયો હોય છે. તેમને સતત એ ભાન રહે છે કે હું તો જ્ઞાયકમાત્ર છું. પરનો કર્તા-ભોક્તા નહીં, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા.” તેમની જાણવાની પ્રક્રિયા સહજપણે થતી રહે છે, ત્યાં કોઈ અહંબુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ કે ભોસ્તૃત્વબુદ્ધિ હોતી નથી. માત્ર જાણવું, સહજપણે જાણવું થતું રહે છે. પરને ભિન્નપણે, સાક્ષીભાવે જાણવાનું કાર્ય સહજપણે થતું રહે છે. સાક્ષીભાવમાં રહેવું તેમને માટે સહજ બની ગયું હોય છે. સાક્ષીભાવમાં સ્થિત હોવાથી તેઓ પ્રત્યેક કૃત્ય અસંગ રહીને કરે છે. તેમના કૃત્યમાં એક નવી વાત જોડાઈ જાય છે - એક નવી દષ્ટિ, એક નવું સૌંદર્ય, એક નવું ઐશ્વર્ય જોડાઈ જાય છે. જ્ઞાની પૂર્વકર્મના ઉદયવશ વિષયભોગ આદિમાં પ્રવૃત્ત થાય છે, પણ તેઓ તેમાં તન્મય થતા નથી. ‘દેહાદિ બધું કર્યજનિત છે, ક્ષણવારનું છે, મારાથી જુદું છે' એ પ્રતીતિ રહેતી હોવાથી તેમનું ચિત્ત વિષયભોગમાં કે વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભળતું નથી. એ પ્રવૃત્તિઓમાં તેમને રસ પડતો નથી, તેઓ સતત નિર્લેપ જ રહે છે. જેમ સુવર્ણ કીચડની વચ્ચે રહેવા છતાં પણ કીચડથી લિપ્ત થતું નથી, તેમ જ્ઞાની વિષયોમાં રહેવા છતાં પણ વિષયોથી લિપ્ત થતા નથી. ૧ જ્ઞાની પૂર્વપ્રારબ્ધના કારણે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેમનું અંતર તેનાથી અલિપ્ત જ હોય છે. ગૃહવાસમાં હોવા છતાં તેઓ અંતરથી ઉદાસીન હોય છે. તેઓ ૧- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, ‘યોગસાર', અધિકાર ૪, શ્લોક ૧૯ 'ज्ञानी विषयसंगेऽपि विषयैर्नेव लिप्यते । कनक मल मध्येऽपि न मलैरूपलिप्यते ।।' Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ભરબજારમાં બેઠા હોય, છતાં બજાર તેમના અંતરમાં પ્રવિષ્ટ થતો નથી. તેઓ સર્વ સાંસારિક પ્રવૃત્તિઓથી અસ્પૃશ્ય જ રહે છે. સંસારમાં રહેવા છતાં સંસાર તેમને સ્પર્શ નથી કરી શકતો. તેઓ સંસારમાં હોવા છતાં, સંસારમાં નથી હોતા. તેમનું શરીર સંસારની પ્રવૃત્તિઓ કરતું હોવા છતાં તેમનું ચિત્ત તેમાં નથી હોતું. તેમનું ચિત્ત તો આત્મામાં હોય છે. તેઓ વ્યાપારાદિ પ્રવૃત્તિઓમાં દેખાય છે, પરંતુ એ કેવળ દેખાવ છે; તેઓ રહે છે તો સતત પોતાના આત્મામાં જ. જ્ઞાની સતત સ્વરૂપમય રહે છે. તેઓ સદા અનાસક્ત રહી વ્યવહારપ્રવૃત્તિ કરે છે. જ્ઞાનીને વ્યવહારપ્રવૃત્તિમાં જરા પણ તાદાભ્ય થતું નથી. શ્રીમદ્ લખે છે – જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાભ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્થાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં.' પૂર્વપ્રારબ્ધવશાત્ જ્ઞાની ગૃહસ્થદશામાં હોય, પરંતુ જ્ઞાનીને આત્મા સિવાય કાંઈ ઇષ્ટ લાગતું નથી, તેમનું મન કશે પણ ચોંટતું જ નથી. તેમને સંસારપ્રવૃત્તિમાં મીઠાશ જણાતી નથી, માત્ર આત્મામાં જ મીઠાશ લાગે છે. અજ્ઞાની કરતાં તેમનું કાળજું જુદું હોય છે. અજ્ઞાની અને તેમનાં અંતર જુદાં હોય છે. તેમના બન્નેના ભાવ વચ્ચે આંતરા હોય છે. ધાવમાતા બાળકને નવરાવે, ધવરાવે તથા રમાડે; અને તેની સગી માતા પણ તેને નવરાવે, ધવરાવે તથા રમાડે; બન્નેની ક્રિયા એકસરખી હોવા છતાં તે બન્નેના ભાવમાં ઘણું અંતર હોય છે. તેવી રીતે જ્ઞાની અને અજ્ઞાનીની ક્રિયા બહારથી એકસરખી હોય તો પણ તેમના બન્નેના ભાવમાં ઘણું અંતર હોય છે. જ્ઞાનીનું ઊઠવું, બેસવું, ખાવું, પીવું, ચાલવું બધું જ અજ્ઞાનીથી ભિન્ન હોય છે. તેમની પ્રત્યેક ક્રિયા હોશથી આલોકિત હોય છે. તેમનાથી જે કંઈ થાય છે તે મૂચ્છમાં થતું નથી. જ્યારે અજ્ઞાની જે કંઈ કરે છે તે બધું જ બેહોશીમાં કરે છે. જ્ઞાની યુદ્ધ લડતા હોય તોપણ તેમની પ્રતીતિમાં, તેમના જ્ઞાનમાં સ્વચ્છેય કદી ભુલાતું નથી. યુદ્ધ લડતાં પણ તેમને કર્મોની નિર્જરા થતી હોય છે. અજ્ઞાની જે પ્રસંગમાં કર્મોથી બંધાય છે, તે જ પ્રસંગમાં જ્ઞાની કર્મોથી છૂટે છે. જે આચરણથી અજ્ઞાનીને બંધ થાય, એ જ આચરણથી જ્ઞાની ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૨૦૩ _ 'भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्वं एवेह, योगो योगो हि भावतः ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૭૦ (પત્રાંક-૬૧૦) Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૩૦૫ કર્મોથી છૂટી જાય એવું અલૌકિક, અવર્ણનીય આચરણ - ચારિત્ર જ્ઞાનીનું હોય છે.૧ બાહ્ય પ્રવૃત્તિ કરતી વખતે પણ ‘હું પરમાનંદ મૂર્તિ છું, પૂર્વકર્મના કારણે આ પ્રવૃત્તિમાં જોડાવું થાય છે. મને કાંઈ જોઈતું નથી.' એવું જ્ઞાનીના હૃદયમાં હોય છે. તેમને તો સતત એવી ભાવના રહે છે કે “એક ચિદાનંદ આત્મા સિવાય બીજા કોઈ ભાવને મનમંદિરમાં પ્રવેશવા દઉં નહીં. મારા ધ્યેયરૂપ એવા ચૈતન્યદેવમાં લીન રહી, તેમાં પૂર્ણપણે સ્થિર થઈ જાઉં!' તેમને પોતાના આનંદકંદ સ્વરૂપમાં સ્થિર થવાનું એક અદમ્ય આકર્ષણ રહ્યા કરે છે. તેમને શુભાશુભ ભાવની ઇચ્છા હોતી નથી, એકમાત્ર શુદ્ધોપયોગની જ ઇચ્છા હોય છે. ચૈતન્યસ્વભાવનો આશ્રય કરીને, શુદ્ધોપયોગ વધારીને તેમને કેવળજ્ઞાન પ્રગટ કરવાનો ભાવ હોય છે. તેઓ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ કરે છે. આમ, આત્માના અપૂર્વ અનુભવથી જ્ઞાનીના જીવનમાં અકથ્ય પરિવર્તન આવે છે. નિજના નિરુપાધિક સહજ આનંદપૂર્ણ જ્ઞાનસામર્થ્યની ઝલક મળતાં સમ્યગ્દર્શન પ્રગટે છે અને દેહાભિમાન નષ્ટ થાય છે, તેથી પહેલાં જેવા તીવ્ર રાગ-દ્વેષ જાગી શકતા નથી. દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગ-દ્વેષની આધારશિલા જ ઊથલી પડે છે. રાગ-દ્વેષનો રસ છૂટી જાય છે અને માત્ર આત્માનું લક્ષ રહે છે. પર્યાયે પર્યાયે જ્ઞાનીનો પુરુષાર્થ એવો હોય છે કે અનાદિના રાગ-દ્વેષના સંસ્કારો નાશ પામતા જાય છે અને શુદ્ધતા વધતી જાય છે. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પ કાળમાં મુક્તદશા પ્રગટ કરે. સમ્યગ્દર્શનને ધારણ કરનાર જીવના અંતરમાં શ્રદ્ધા-જ્ઞાનની નિર્મળ ગંગાનો જે પ્રવાહ વહે છે તે બધા જ વિકારને ધોઈ નાખે છે અને જીવ ચૈતન્યના શાંત રસમાં પૂર્ણપણે ઠરી જાય છે. પોતાના શુદ્ધ સ્વભાવને સ્વીકારીને સમ્યગ્દર્શનને જાળવી રાખનાર જીવ સ્વભાવના આશ્રયે રાગ છોડી, પૂર્ણ ચારિત્રદશા પ્રગટ કરી, આત્મામાં અખંડપણે સ્થિર થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૩૨, શ્લોક ૩૮ 'अलौकिकमहो वृत्तं ज्ञानिनः केन वर्ण्यते । अज्ञानी बध्यते यत्र ज्ञानी तत्रैव मुच्यते ।।' સરખાવો : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૨૯-૨૩૦ ‘क्रिया साधारणी वृत्तिानिनोऽज्ञानिनस्तथा । अज्ञानिनः क्रिया, बन्धहेतुर्न ज्ञानिनः क्वचित् ।। आस्तां न बन्धहेतुः स्याज्ज्ञानिनां कर्मजा क्रिया । चित्रं यत्पूर्वबद्धानां निर्जरायै च कर्मणाम् ।।' Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આત્મકલ્યાણનું મૂળ કારણ એવું સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવની આત્મસ્થિરતા, ચારિત્રદશા ક્રમશઃ વૃદ્ધિ પામતી જાય છે. પ્રથમ વાર નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે જીવ ચોથા ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને છ મહિનાની અંદર ઓછામાં ઓછો એક વખત આત્માનુભવ અવશ્ય થાય છે. જો છ મહિનાની અંદર અનુભવ ન થાય તો તે જીવ ચોથા ગુણસ્થાને ટકી શકતો નથી. પાંચમે ગુણસ્થાને ચોથા કરતાં ઓછા કાળને આંતરે અનુભવ થાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પંદર દિવસમાં એક વાર આત્માનુભવ થવાની યોગ્યતાવાળા બને છે ત્યારે તેઓ પંચમ ગુણસ્થાનવાળા કહેવાય છે. છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનવર્ધી મુનિને તો વારંવાર, અંતર્મુહૂર્તમાં જ નિયમથી સ્વાનુભવ થયા કરે છે, અર્થાત્ અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ છે. મુનિ વારંવાર નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિર થાય છે. મુનિઓને સવિકલ્પ દશામાં છઠું અને નિર્વિકલ્પ દશા થતાં સાતમું ગુણસ્થાન હોય છે. આ રીતે આત્મસ્થિરતા વધારતાં વધારતાં ચારિત્રમોહનો ક્ષય કરતાં કરતાં ધર્માત્મા આગળ વધે છે અને ક્ષપકશ્રેણી માંડી, દસમા ગુણસ્થાનને અંતે સર્વ મોહભાવનો ક્ષય કરી તેઓ વીતરાગ બને છે. શેષ રહેલાં જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મનો ક્ષય થતાં, સયોગી કેવળી અવસ્થા પ્રગટે છે. આયુષ્ય કર્મ પૂર્ણ થવા આવે ત્યારે – પાંચ હ્રસ્વઅક્ષરના ઉચ્ચારણ જેટલો વખત આયુષ્યનો બાકી હોય ત્યારે કેવળી ભગવંત ચૌદમું – અયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, જેના અંતે તેઓ ચારે અઘાતી કર્મોનો નાશ કરી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ, ચતુર્થ ગુણસ્થાને દર્શનમોહનો ક્ષય કરી, દેહથી ભિન્ન ચૈતન્યનો અનુભવ કરી, ક્રમે ક્રમે ચારિત્રમોહનો ક્ષય કરતાં કરતાં, ક્રમે ક્રમે વીતરાગતા પ્રગટાવતાં પ્રગટાવતાં, અંતે સર્વ મોહભાવનો ક્ષય કરી, તે ધર્માત્મા પૂર્ણ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. ત્યારપછી તેમને ક્યારે પણ રાગની ઉત્પત્તિ થતી નથી. તેઓ ચિદાનંદતત્ત્વની શાંત અનુભૂતિમાં અવિરતપણે લીન રહે છે. મોહભાવનો સંપૂર્ણ ક્ષય થતાં ધ્યેયની પૂર્ણ પ્રાપ્તિ થાય છે. મોહભાવને નિવૃત્ત કરવો એ જ મોક્ષમાર્ગ છે. જેમને મોહભાવ ક્ષય અથવા પ્રશાંત થયો છે તેઓ જ્ઞાની છે. આ ગાથામાં શ્રીમદે જ્ઞાનદશા અને બ્રાંતદશા (અજ્ઞાનદશા) વચ્ચેનો ભેદ સમજાવવા, મોહભાવનો ક્ષય અથવા શાંતતારૂપ જ્ઞાનીદશાનાં ચિહ્નો બતાવ્યાં છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – “મોહભાવ છે તે જ બંધવૃત્તિઓ છે. મોહનીય કર્મના ઉદયથી થતા આત્માના ભાવો છે તે બંધ કરનારા છે. ભ્રાંતિ પણ બે પ્રકારે છે. દર્શનમોહને લઈને અને ચારિત્રમોહને લઈને. આત્માનું અજ્ઞાન છે તે દર્શનમોહથી થતી ભ્રાંતિ છે અને રાગદ્વેષથી મનમાં વિક્ષેપ થાય છે તે ચારિત્રમોહથી થતી ભ્રાંતિ છે. વિક્ષિપ્ત મન છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૩૦૭ ત્યાં આત્માની ભ્રાંતિ છે. આત્મામાં દષ્ટિ રહે તો ભ્રાંતિ ટળે. દર્શનમોહ અને ચારિત્રમોહના ઉપશમ કે ક્ષયથી આત્મામાં ઉપયોગ સ્થિર થાય છે એ જ જ્ઞાનીની દશા છે. આત્માનો ઉપયોગ નથી ત્યાં બ્રાંત દશા છે.’ આધ્યાત્મિક ચેતનાનો વિકાસ મોહભાવના વિલય સાથે જોડાયેલો છે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ સાધવા અર્થે મોહભાવથી નિવૃત્ત થવા યોગ્ય છે. મોહભાવ શ્રદ્ધેય નથી, ધ્યેય નથી, આશ્રય કરવા યોગ્ય નથી, ઉપાદેય નથી; જ્યારે જ્ઞાનસ્વભાવ પરમ શ્રદ્ધેય, પરમ ધ્યેય, પરમ આશ્રયભૂત, પરમ ઉપાદેય છે. આત્મસ્વભાવથી વિપરીત એવો મોહભાવ, ચતુર્ગતિમાં ભ્રમણનો હેતુ હોવાથી દુઃખદાયી છે. માત્ર એક શુદ્ધાત્મા જ આનંદદાયી છે. મોહભાવ અધુવ, અનિત્ય, અશરણ, અશુચિ, આકુળતા ઉત્પન્ન કરાવનાર હોવાથી દુ:ખરૂપ છે, દુઃખનું કારણ છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા ધ્રુવ, નિત્ય, શરણભૂત, પવિત્ર, નિરાકુળસ્વભાવી હોવાથી સુખરૂપ છે, સુખનું કારણ છે. જીવના મોહભાવના સંસ્કારો અનાદિ કાળના છે, પ્રગાઢ છે. હિમપર્વત ઉપરથી ગબડતો હિમનો ગોળો જેમ જેમ નીચે આવતો જાય છે, તેમ તેમ તેનો વેગ, તેની ઉગતા અને તેનું કદ વધતાં જાય છે અને તળેટી સુધી પહોંચતાં તો તે ઘણું મોટું નુકસાન સર્જવા સક્ષમ બની જાય છે. એવી જ રીતે જીવ જેમ જેમ મોહમાં લપાતો જાય છે, તેમ તેમ મોહભાવના સંસ્કાર વધુ ને વધુ જલદ બનતા જાય છે. જીવ અનાદિથી તે સંસ્કારોને આધીન થઈ ગયો છે. પરંતુ જીવ ધારે તો તે સંસ્કારોને તોડી શકે છે. તેની ચૈતન્યશક્તિ એટલી પ્રબળ છે કે જો તે જાગી જાય અને દઢ સંકલ્પ કરે તો સંસ્કાર ગમે તેટલા પ્રગાઢ અને જૂના હોય, તોપણ જીવ તેનો નાશ કરી શકે છે. જે જીવ મોહભાવના સંસ્કારોને ક્ષય કે પ્રશાંત કરે છે, તે જીવ જ્ઞાનદશામાં સ્થિત થાય છે; પરંતુ જે જીવ મોહભાવને ક્ષય કે પ્રશાંત કર્યા વિના પોતાને જ્ઞાની માને છે તે જીવ ભ્રાંતિમાં છે. મોહભાવને ક્ષય કે શાંત કરનાર જીવ જ જ્ઞાની છે, બાકી મોહની પ્રબળતા હોવા છતાં પોતાને જ્ઞાની માનનાર શુષ્કજ્ઞાની ભાંતિયુક્ત છે. શુષ્કજ્ઞાની જીવ પોતાને જ્ઞાનીમાં ખપાવે છે. પોતાને આત્મા સિવાય કંઈ ગમતું નથી એમ તે માને-મનાવે છે, પરંતુ વાસ્તવમાં તેને આત્માની રુચિ જ નથી હોતી. તે સ્વાધ્યાય, ચર્ચા આદિ કરે છે, પરંતુ તેની રુચિ તો પરમાં જ પડેલી હોય છે. તે પરથી પોતાની ભિન્નતાની વાતો કરે છે, પરંતુ તેને સ્વનું ભાન નથી હોતું. તે કર્મકૃત અવસ્થામાં જ તાદાભ્ય અનુભવે છે. શુષ્કજ્ઞાનીને સ્વમાં રસ નથી હોતો. તેને તો પરમાં રસ હોય છે, પરને જાણવાનો લોભ હોય છે. જ્ઞાની પણ પરને જાણે છે, પણ તેઓ તેમાં ઊલઝતા નથી, ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૧૨૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અટકતા નથી, ભટકતા નથી; જ્યારે શુષ્કજ્ઞાની પરને જાણવામાં ઊલઝી જાય છે, અટકી જાય છે, ભટકી જાય છે. તે પરને જેમ છે તેમ નથી જાણતો. જેમ લોહચુંબક પોતાની ચુંબકીય શક્તિ વડે ફેંકાયેલ લોખંડની દિશા બદલી નાખે છે, તેમ મોહનું ચુંબક શુષ્કજ્ઞાનીના જ્ઞાનની દિશા બદલી નાખે છે. મોહના બળથી જ્ઞાન મિથ્યાજ્ઞાન બની જાય છે. મોહના બળથી જ્ઞાન યથાર્થ નિર્ણય નથી લઈ શકતું. જ્ઞાન કોઈ વસ્તુને જાણવા જાય છે તો મોહ તેને ઇષ્ટ-અનિષ્ટના વિકલ્પો કરાવે છે. શુષ્કજ્ઞાનીનો મોહ તેને પોતાના-પરાયાના ચક્કરમાં નાખી દે છે. શુષ્કજ્ઞાની પોતામાં પોતાપણું સ્થાપિત નથી કરતો, પરને એ પોતાનું માને છે. તે પરવસ્તુ ઉપર માલિકી સ્થાપે છે. જ્ઞાનીને કોઈ પરવસ્તુ પ્રત્યે માલિકી ભાવ નથી વર્તતો. તેમની ચેતના બાહ્યથી અસ્પર્શિત રહેલી હોય છે અને સ્વયંમાં પ્રતિષ્ઠિત હોય છે. શુષ્કજ્ઞાનીને સ્વરૂપની જાગૃતિ નહીં હોવાથી તે પરનો માલિક થવા માંગે છે. જ્ઞાનીને પ્રારબ્ધવશાત્ કદાચ અનેક વસ્તુઓનો સંયોગ હોય, પરંતુ તેમને મૂચ્છનો અભાવ હોય છે. તેઓ પર સંબંધી આકાંક્ષાથી મુક્ત જ રહે છે. શુષ્કજ્ઞાની પાસે વસ્તુ ન હોય તોપણ તત્સંબંધી મૂર્છા અને આકાંક્ષા હોવાથી, વસ્તુનો સંયોગ ન હોવા છતાં પણ તેનો પરિગ્રહ બહોળો ને બહોળો જ રહે છે. તે બોલે છે કે “અનંત કાળ સુધી સમાધિસુખમાં રહી શકે અને સમગ્ર વિશ્વની સમસ્ત પર્યાય એક સમયમાં જાણી શકે એવું અદ્ભુત સામર્થ્ય ધરાવતો હોવા છતાં આત્મા શેકેલો પાપડ ભાંગવાની શક્તિ પણ ધરાવતો નથી! સ્વમાં અનંતું સામર્થ્ય, પણ પરમાં ફેરફાર કરવા અસમર્થ!' આવું બોલવા છતાં અંતરમાં તેને એવી પ્રતીતિ નહીં હોવાથી તે પરવસ્તુ-વ્યક્તિઓનો માલિક થવા ઇચ્છે છે. પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે એવું ભાસ્યું ન હોવાથી તે પરવસ્તુવ્યક્તિઓને તાબે કરવા ઉત્સુક હોય છે. જ્ઞાનીને આત્માની પકડ થઈ હોવાથી પરની પકડ છૂટી ગઈ હોય છે, જ્યારે શુષ્કજ્ઞાનીને અંતરની કોઈ પકડ હોતી નથી. જો આત્માનું યથાર્થ અનુસંધાન થાય તો પરમાં જોડાણ થઈ ન શકે અથવા ટકી પણ ન શકે. જેમ સૂર્યના તાપથી બરફ ઓગળી જાય છે, તેમ આત્મસ્વરૂપના અનુસંધાનના તાપથી અહં-મમબુદ્ધિ તથા વિષયાભિલાષા ઓગળી જાય છે. પરંતુ શુષ્કજ્ઞાનીએ આત્માનો બોધ અંતરના ઊંડાણમાં ઉતાર્યો ન હોવાથી તે પરનો આશ્રય કરે છે, પરમાં સુખાદિ શોધે છે. એક રાજા હતો. તેને એક ભિખારણનો ભેટો થયો. તે બહુ રૂપવાન હતી. રાજાએ તેને પોતાની રાણી બનાવી. પરંતુ ભિખારણની માંગવાની ટેવ હજુ છૂટી ન હતી, એટલે ભોજન વખતે બોલે કે ખાવાનું દેજો, માબાપ!' રાણીપણા સાથે જોડાણ થયું ન હતું, તેથી તેની માંગણવૃત્તિ ચાલુ રહી હતી. એવી રીતે શુષ્કજ્ઞાની જીવને Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ ૩૦૯ સત્પુરુષે તેની પ્રભુતા બતાવી કે ‘જ્ઞાન, દર્શન, સુખ, શાંતિ બધું તારી પાસે જ છે'; પણ યથાર્થ પ્રતીતિના અભાવે તેની પરાશ્રયવૃત્તિ માંગણબુદ્ધિ છૂટતી નથી. - શુષ્કજ્ઞાની સત્પુરુષોનો બોધ વિસારી પરને ભેગું કરવાની ચેષ્ટા કરે છે. તે સ્વયંનું લક્ષ કરતો નથી અને બહારથી સુખ ભેગું કરવા ફાંફાં મારે છે. તે સ્વયં પ્રત્યે બોધપૂર્ણ થવાને બદલે બાહ્ય પદાર્થો પાછળ પડે છે. ઉપયોગને અંતર્મુખ કરવાને બદલે તે ઉપયોગને બહાર ભમાવે છે. અંતરંગ કાર્ય કરવાનું રહી જાય છે અને ઉપયોગ નિરંતર બહાર ભમતો રહે છે. તેનો ઉપયોગ કુબુદ્ધિના રવાડે ચઢી આરંભ, પરિગ્રહ, ઇન્દ્રિયભોગાદિમાં ભટકતો રહે છે. શુષ્કજ્ઞાની પોતાની સ્વાભાવિક વિરાટતા પ્રત્યે સભાન થતો નથી અને સુખ-શાંતિ માટેના વ્યર્થ પ્રયાસોમાં સરી પડે છે. તેને બાહ્ય પદાર્થોની પ્રાપ્તિની તૃષ્ણા જાગે છે અને તે પૂરી કરવા તે સ્વયંથી ખૂબ દૂર થતો જાય છે, જેના પરિણામે તે દુઃખ અને અશાંતિ પામે છે. જીવ સ્વયંથી જેટલો દૂર જાય છે, સુખ-શાંતિથી પણ એટલો જ દૂર થાય છે. જેનું ચિત્ત તૃષ્ણાના વમળમાં ફસાઈને તણાતું જાય છે, તેને સુખ-શાંતિ મળવાં શક્ય નથી. તે પોતે પોતામાં રહેતો નથી અને સુખ-શાંતિ તો સ્વયંમાં રહેવાનું જ ફળ છે. સ્વયંમાં હોવું એટલે જ સ્વસ્થ હોવું. જે સ્વયંમાં નથી તે અસ્વસ્થ છે. તૃષ્ણાનો જ્વર તેના જીવનને વિષમય બનાવે છે. કોઈ પણ બાહ્ય પદાર્થની પ્રાપ્તિથી તૃષ્ણા નાશ નથી પામતી. તૃષ્ણાપૂર્તિની એક યોજનામાં સફળતા મળે કે તરત બીજી કોઈ તૃષ્ણા ઊઠે છે. જે બાહ્ય પદાર્થની પ્રાપ્તિ સંતોષજનક લાગતી હતી, તે પ્રાપ્તિ જ બીજી નવી તૃષ્ણાની જન્મદાત્રી સિદ્ધ થાય છે. તૃષ્ણાયુક્ત જીવને મળતી દરેક સફળતા આત્મઘાતી છે, કારણ કે તે તૃષ્ણાની અગ્નિમાં ઘીનું કામ કરે છે. સફળતા આવે છે, પણ તૃષ્ણા જતી નથી અને તેથી પહેલાં કરતાં પણ વધુ મોટી સફળતાઓ મેળવવી આવશ્યક થઈ પડે છે. પહેલાની તૃષ્ણા કરતાં પણ પ્રબળ તૃષ્ણા જાગે છે અને આમ તૃષ્ણા વધતી જ જાય છે. ક્વચિત્ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થઈ જાય તોપણ કામનાની તો વૃદ્ધિ જ થાય છે, કારણ કે કામનાનો અંત તો અંતરમાં જવાથી જ આવી શકે છે. જો અંતરનું અવલંબન લેવામાં ન આવે તો જીવ કામનાના અંતહીન ચક્કરમાં ઘૂમ્યા કરે છે. તેના ઉપર ચાલવાથી તો કશે જ પહોંચાતું નથી. માત્ર થાકીને મરી જવાય છે. પરંતુ શુષ્કજ્ઞાની જીવ કામનાના પથ ઉપર ચાલ્યા કરે છે. કામનાની ઉત્પત્તિ-પૂર્તિ, ઉત્પત્તિ-પૂર્તિ એમ અંતહીન ચક્કર ચાલ્યા જ કરે છે. એક પળ માટે પણ અટકીને તે વિચાર કરતો નથી કે પોતે સુરેખ માર્ગ ઉપર છે કે ચક્રાકાર માર્ગ ઉપર? સાધક જીવ આ ભ્રમણને સમજી પોતાની ચિરનિદ્રામાંથી જાગી જાય છે. તેને Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમજાય છે કે “આજ સુધીનું મારું જીવન માત્ર ભ્રમણ હતું, અંતહીન ચક્કર હતું.' તે પોતાની શોધમાં લાગી જાય છે અને પરમ વિશ્રામને, પરમ તૃપ્તિને, પરમ સંતોષને પ્રાપ્ત કરે છે; પણ શુષ્કજ્ઞાની વ્યર્થ માટે સાર્થકને છોડે છે અને તેથી દુઃખ, પીડા, અશાંતિ, ક્લેશનો અનુભવ કરે છે. તે વ્યર્થને બચાવે છે, સાર્થકને ગુમાવે છે. પર પાછળની દોડમાં તે આત્માનાં પરિણામ બગડવા દે છે, પરંતુ પોતાના ભાવોને બચાવવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બીજી કોઈ ઘટના નથી. શુષ્કજ્ઞાની જીવ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનો અર્થી છે. તે છોડી તેણે આત્માના અથ થવું જોઈએ. જીવનને સમ્યક્ લક્ષ્ય આપવું જોઈએ. લક્ષ્ય વિના સાધના નહીં ઊપડે. લક્ષ્ય વિના શક્તિઓ કામે નહીં લાગે. લક્ષ્ય બનાવી, પોતાની બધી જ શક્તિ ભેગી કરી લક્ષ્ય પ્રત્યે સમર્પિત કરતાં અવશ્ય કાર્ય થાય છે. જમીનમાં દબાયેલું બીજ પોતે નબળું અને તેની પરિસ્થિતિ પણ પ્રતિકૂળ, છતાં સૂર્યનાં દર્શનની તેની પ્રબળ પ્યાસ તેનામાં ઉત્સાહ પ્રગટાવે છે, જેથી તે અત્યંત કોમળ હોવા છતાં ભૂમિને ચીરીને બહાર નીકળે છે. તેની પ્યાસ જ તેને અંકુરિત કરે છે. તેની પ્રબળ ઇચ્છાથી જ તે તેના ઉપર રહેલાં આવરણોને તોડે છે અને ક્ષુદ્રતામાંથી બહાર આવે છે. શુષ્કજ્ઞાનીએ વિરાટને પ્રાપ્ત કરવાની પ્યાસ જગાવવી જોઈએ. તેનામાં પડેલી સંભાવનાને જાગૃત કરશે તો એક ક્ષણ એવી આવશે કે જ્યારે તે કર્મકૃત વ્યક્તિત્વને ચીરી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. તેનો મોહભાવ ક્ષય થશે અથવા બહુ ક્ષીણ થવા પામશે અને જ્ઞાનીદશા પ્રગટ થશે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘મોહભાવ ક્ષય હોય જ્યાં, ક્ષાયિક ભાવ પ્રશસ્ત; ક્ષપક શ્રેણી અનુભવ જિહાં, બંધભાવનો અસ્ત. દર્શન ચારિત્ર મોહ જ્યાં, અથવા હોય પ્રશાંત; ઉપશમભાવ સુધારતો, વર્તે શાંત ને દાંત. આત્માનુભવ સુધા રસે, રહે ચિત્ત સુપ્રસન્ન; તે કહીએ જ્ઞાનીદશા, એથી ઊલટી અન્ય. જેમાં દેહાધ્યાસનો, મોહ માયાથી શાંત; દશા જ્ઞાનીની એ જ છે, બાકી કહીએ ભ્રાંત.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૫૩-૫૫૬) Page #344 -------------------------------------------------------------------------- ________________ 1191 - 980 218 aan andan, 2099174522nia, àsica creareale, 4137 41 and 2719. Page #345 -------------------------------------------------------------------------- ________________ Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૪૦ અથી ગાથા ૧૩૯માં શ્રીમદે કહ્યું કે જેમનો મોહભાવ ક્ષય થયો હોય અથવા બહુ ભૂમિકા * શાંતતાને પામ્યો હોય તેમની દશા તે જ્ઞાનદશા છે, બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભાંત કહેવાય. જેમને જ્ઞાનદશા વર્તે છે - જેઓ શુદ્ધ આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા છે એવા જ્ઞાનીપુરુષને જગત કેવું ભાસે છે તે, બે ઉપમાઓ દ્વારા, સ્વાનુભવના રણકાર સાથે બુલંદ સ્વરે પ્રકાશમાં શ્રીમદ્ કહે છે – “સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; ગિાથા તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” (૧૪૦) સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. (૧૪૦). જ્ઞાનીની વૈરાગ્યવંત દશા વર્ણવતાં શ્રીમદ્ કહે છે કે જેમને સકળ જગત Lજાવાય! એઠ સમાન અરમણીય તથા સ્વપ્ન સમાન અસ્થિર લાગ્યું છે તેઓ જ ખરેખર જ્ઞાની છે. જેમને સંસારનાં સમસ્ત પદાર્થો એઠ સમાન અશુચિય અને સ્વપ્ન સમાન ક્ષણભંગુર ભાસે છે, તેમને સંસારમાં ઉપાદેયબુદ્ધિ રહેતી નથી. તેમને જગત નિઃસાર જ લાગે છે અને તેથી તેઓ એનાથી નિર્મમ જ રહે છે. પોતાના જીવનના ઘટનાપ્રવાહને તેઓ અલિપ્તભાવે - સાક્ષીભાવે નિહાળતા હોવાથી જીવનના કંકોમાંથી સમભાવે પસાર થવું તેમને માટે સહજ બની જાય છે. સમસ્ત જગતમાં સારભૂત એવો આત્મા તેમણે પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ધન્યતા અનુભવે છે. આમ, જેમને જગત પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તતો હોય છે, તેઓ જ સાચા આત્મજ્ઞાની છે; બાકી આત્માની વાતો કરનારા અને મોહમાં મસ્ત રહેનારાને માત્ર બોલવાની કળાવાળા - વાક્પટુતાવાળા જ સમજવા, અર્થાત્ તેઓ અજ્ઞાની જ છે. વાચાથી જ્ઞાનની માત્ર વાતો કરવારૂપ પોકળ વાણીવિલાસ એ તો માત્ર શુષ્કજ્ઞાન જ છે. આત્માનુભૂતિ વિનાના વિદ્વાનો અને ઉપદેશકો કે જેઓ પોતાને જ્ઞાની માને-મનાવે છે, તેમનામાં મોહની પ્રબળતા વર્તે છે. તેમને જગત પ્રત્યે અનાસક્તભાવ વર્તતો નથી અને તેથી તેમનું જ્ઞાન માત્ર વાચજ્ઞાન છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જેમને થાય છે, તેમને Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પોતાના જ્ઞાનમાં જગત અસાર અને અનિત્યરૂપે ઝળકતું હોવાથી જગત પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તે છે. અભેદ્ય કિલ્લારૂપ જીવના કેન્દ્રમાં પદ્રવ્યનો તો ક્યારે પણ પ્રવેશ થઈ વિશેષાર્થ શકતો જ નથી, પરંતુ જીવના પોતાના રાગ-દ્વેષાદિ ભાવો કે જે પરદ્રવ્યને અવલંબીને થાય છે, તેનો પણ કેન્દ્રમાં ક્યારે પણ પ્રવેશ થઈ શકતો નથી. ત્યાં પરદ્રવ્ય કે પરભાવ કોઈ જ પહોંચી શકતું નથી, તેથી કેન્દ્ર તરફની ગતિ અંતર્યાત્રા એ પરમ એકાકીપણાની યાત્રા છે. કેન્દ્ર તરફની આ યાત્રામાં પોતાની સાથે અન્ય કોઈને પણ લઈ જઈ શકાય એમ જ નથી. શુદ્ધ સ્વરૂપ તરફની યાત્રામાં અન્ય કોઈને પણ ભાગીદાર બનાવી શકાતું નથી. ધર્મયાત્રાએ નીકળેલો સાધક જીવ અન્ય કોઈના પણ સાથ-સંગાથ વિના કેન્દ્ર તરફ યાત્રા કરે છે. અંતર્યાત્રા કરતાં જ્યારે સાધક ભીતરમાં પહોંચે છે ત્યારે બાહ્ય જગત સાથેનો તેનો બધો સંબંધ તૂટી જાય છે. તેને માટે સમગ્ર જગત વિલીન થઈ જાય છે. કેન્દ્ર તરફની આ યાત્રામાં એકાકીપણું એટલું બધું ગહન હોય છે કે તે જીરવવા માટે અત્યંત સાહસ અને સામર્થ્યની જરૂર પડે છે. જો જીવ સાહસ કરે તો આ એકાકીપણામાંથી પરમની તેને અનુભૂતિ થાય છે. આ જ એકાકીપણામાંથી આનંદનો વિસ્ફોટ થાય છે. અંતર્યાત્રા શરૂ થતાં પરદ્રવ્ય અને પરભાવનો સાથ છૂટતો જાય છે અને આત્મપ્રદેશમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. સંસારમાં તો ઉત્સવ ઊજવવા માટે અનેક માણસોની જરૂર પડે, કંઈ નહીં તો એક સાથી તો જોઈએ; જ્યારે એકાકીપણાનો અંતરના અકારણ આનંદના વિસ્ફોટનો ઉત્સવ ઊજવવા માટે પોતાના સિવાય અન્ય કોઈની આવશ્યકતા નથી. જીવ પોતાની સાથે રહે છે કેવળ નિજાનંદની મસ્તીમાં! અને ત્યારે અસ્તિત્વમાંથી એક ગીત, એક સંગીત વહેવા લાગે છે. આનંદની ઉપલબ્ધિની ક્ષણોમાં અંતરવીણા ઉપર સંગીત ગુંજી ઊઠે છે. પોતાના એકાકી સ્વભાવની સન્મુખતા એક નૃત્ય બની જાય છે. જીવ પ્રફુલ્લિત થઈ નાચી ઊઠે છે. - એકાકી હોવાનો આનંદ કોઈ પરિસ્થિતિ ઉપર, કોઈ સંયોગો ઉપર, કોઈ પણ રીતે નિર્ભર નથી હોતો. અજ્ઞાનદશામાં સુખનો જે કંઈ અનુભવ થાય છે, તેમાં કોઈ ને કોઈ બાહ્ય પરિબળ કારણભૂત હોય છે. ધન મળી જાય, પદ મળી જાય, સ્ત્રી મળી જાય તો જીવ હર્ષ-સુખ અનુભવે છે. બાહ્ય કારણને લીધે પ્રગટેલો આવો આનંદ બહુ ટકતો નથી. તે તરત જ વિલીન થઈ જાય છે. બાહ્ય કારણ ત્રિકાળ ટકતું નથી, તેથી તેના ઉપર આધારિત હર્ષનો સુખનો અનુભવ પણ અબાધિત અને સતત નથી રહેતો; જ્યારે બાહ્ય કારણ વિના થતો એકાકીપણાના આનંદનો અનુભવ સતત રહે છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૧૫ જે આનંદ કોઈ કારણ વિનાનો હોય, જેને કોઈ બાહ્ય પરિવર્તન ભંગ કરી શકતું ન હોય, તે આનંદ સદાકાળ રહે છે. પરિસ્થિતિઓ બદલાઈ જાય તોપણ તે ચિરસ્થાયી રહે છે, કારણ કે તેનો સ્રોત અવિનાશી એવું નિજતત્ત્વ છે. તે બહારના કારણે ઘટિત નથી થતો, પણ તેનો પ્રાદુર્ભાવ ભીતરથી થાય છે, તે સ્વભાવમાંથી ટપકે છે. આનંદ એ જીવનો સ્વભાવ છે. પોતાની સાથે એકરૂપ હોવાથી આનંદ સવાર-સાંજ, દિવસરાત, યુવાનીમાં-વૃદ્ધાવસ્થામાં, સ્વાથ્યમાં-બીમારીમાં - દરેક વખતે મોજૂદ હોય છે. જ્ઞાની સદા અકારણ આનંદ અનુભવે છે. તેઓ કોઈ બાહ્ય કારણ વગર સ્વભાવના અવલંબનથી નિરંતર પ્રસન્ન રહે છે. સ્વરૂપની પકડ થઈ હોવાથી તેઓ ગમે ત્યાં જાય, તેમનું સમાધિસુખ કોઈ છીનવી શકતું નથી. આત્માનુભવ દ્વારા નિજના નિરુપાધિક આનંદનો આસ્વાદ મળતો હોવાથી વિષયો, ઇન્દ્રિયોના ભોગો યથાર્થપણે નીરસ લાગે છે. અંતરના સુખનો સાક્ષાત્ અનુભવ થયો હોવાથી જ્ઞાનીને વિષયસુખમાં રસ પડતો નથી. સુખ અંતરમાં છે એવી વેદનપૂર્વકની પ્રતીતિ હોવાથી તેમને બાહ્ય વિષયોમાં રસ પડતો નથી. અતીન્દ્રિય શક્તિ ખીલી હોવાથી સ્થૂળ ઇન્દ્રિયોનો રસ ફિક્કો લાગે છે. ભીતરનો અતીન્દ્રિય રસ માણ્યો હોવાથી બહારના રસ ફિક્કા પડી જાય છે. અંદર સ્વરૂપરસનું ભોજન મેળવી લીધું હોવાથી તેમને બાહ્ય ભોજનની રુચિ રહેતી નથી. તેમને ભીતરનું ભોજન આરોગવામાં જ રુચિ હોય છે. ભીતરમાં કોઈ અનેરો સ્પર્શ થઈ ગયો હોવાથી તેમને પથ્થર ઉપર સૂવું પડે તોપણ કષ્ટરૂપ નથી લાગતું. તેઓ કોઈ પણ સંજોગમાં દુઃખી નથી થતા, હંમેશાં મહાસુખી હોય છે. ભીતરનું અલૌકિક ભોજન બહારના તુચ્છ ભોજન ઉપર છવાઈ જાય છે. ભીતરનો અદ્ભુત સ્પર્શ બહારના કઠિન સ્પર્શને ભુલાવી દે છે. ભીતરનું અચળ વિશ્વ બહારના વિનાશશીલ વિશ્વને ગૌણ કરી દે છે. જ્ઞાનીને બાહ્ય વિષયસુખની મમતા થતી નથી, મિથ્યાદૃષ્ટિ જીવની જેમ તેઓ વિષયસુખને ઇચ્છતા નથી.' પરમ સ્વરૂપજાગૃતિમય દશા પ્રાપ્ત થતાં જ્ઞાનીનો પર પ્રત્યેનો અભિગમ ધરમૂળથી પલટાઈ જાય છે. પહેલાં અજ્ઞાનદશામાં પોતાની સ્વરૂપસમૃદ્ધિનું ભાન નહીં હોવાથી તેમને પરવસ્તુઓ ભેગી કરવાની વૃત્તિ હતી, અંદર ખોટ લાગતી હોવાથી તેમને પરવસ્તુથી તે ખોટ ભરવાની વૃત્તિ થતી હતી, પરંતુ સ્વરૂપનો બોધ થતાં તેમને પરમ વિશ્રામ, પરમ શાંતિ, પરમ તૃપ્તિ પોતાનામાંથી જ મળી રહે છે. સ્વરૂપની જાગૃતિ, સ્વરૂપની ખુમારી સહિત હોવાથી તેઓ પોતામાં અત્યંત પરિતૃપ્ત રહે છે. ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૫૯ 'वैषयिक सुखे न स्याद्रागभावः सुदृष्टिनाम् । रागस्याज्ञानभावत्वात् अस्ति मिथ्यादृशः स्फुटम् ।।' Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેઓ પોતામાં સુખી, શાંત, તૃપ્ત હોવાથી તેમને પર પાસે કોઈ અપેક્ષા રહેતી નથી. જેમ પોતાના ઘરમાં જેને સારો, સ્વાદિષ્ટ આહાર મળી રહેતો હોય તેને પડોશીના રસોડાની વાનગી માટે ઉત્કંઠા થતી નથી; તેમ જ્ઞાની પોતામાં સુખી, શાંત, તૃપ્ત હોવાથી પરમાંથી સુખ-શાંતિ ખેંચવાની ચેષ્ટામાં પડતા નથી. તેમનો ઉપયોગ પરમાં ભટકતો નથી, સુખ માટે બહાર દોડતો નથી. તેમની પૌગલિક પદાર્થો પ્રત્યેની તમામ દોડ મટી ગઈ હોય છે. સ્વરૂપની ખુમારી નિરંતર રહેતી હોવાથી બધી દોડ શાંત થઈ જાય છે. તેમનું વ્યક્તિત્વ અત્યંત શાંતતાને પામે છે. નિજ ઐશ્વર્યનું ભાન થતાં સંસાર અસુંદર અને ક્ષણભંગુર લાગે છે. સર્વ મત-પંથના અને સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષોએ દશ્ય જગતને અસાર અને ક્ષણભંગુર કહ્યું છે. કોઈ પણ ધર્મ-મતના સફળ સાધકોનાં મુખમાંથી, તેઓ સ્વાનુભવ પામ્યા ત્યારે પોતે જે અનુભવ્યું તેના વિષે જે ઉદ્ગાર નીકળે છે, તેના શબ્દો ભલે જુદા હોય પણ તેનો ધ્વનિ એક જ હોય છે કે આત્માના વૈભવ આગળ જગતનો વૈભવ અરમણીય અને અસ્થિર છે. જૈન પરંપરાના પ્રાચીન પ્રબુદ્ધ આચાર્યોએ પણ દશ્ય જગતની આભાસિકતાની વાત કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે આત્મજ્ઞાનસંપન્ન મહાનુભવોને સમસ્ત દશ્ય જગત સ્વપ્નવત્, ગાંધર્વનગર (સંધ્યા સમયે આકાશમાં વાદળાં અને સૂર્યકિરણો વડે સર્જાતા નગર આદિના આભાસો) તુલ્ય કે મૃગજળ જેવું ભાસે છે.' કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્ર' ગ્રંથમાં સ્વાનુભવના આધારે નિરૂપણ કરતાં કહ્યું છે કે “અમનસ્કતા પ્રાપ્ત થાય છે ત્યારે યોગીને શરીર પોતાથી છૂટું પડી ગયું હોય, બળી ગયું હોય, વિલય પામી ગયું હોય કે જાણે હોય જ નહીં તેવું લાગે છે.”૨ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “સમાધિશતક'માં અસંદિગ્ધ શબ્દોમાં ગાય છે કે – ભવ-પ્રપંચ મન-જાલકી, બાજી જૂઠી મૂલ; ચારપાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૫૬ 'मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान । बाह्यान पश्यति तत्त्वेन भावान श्रुतविवेकतः ।।' ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક ૪૨ 'विश्लिष्टमिव प्लुष्टमिवोडीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये, योगी जानात्यसत्कल्पम् ।।' ૩- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમાધિશતક', દુહો ૩૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૧૭ આમ, સર્વ કાળના જ્ઞાનીઓને ભૌતિક જગત પોકળ અને ક્ષણભંગુર લાગે છે. જ્ઞાનદશામાં અનુભવાતી જગતની અરમણીયતા અને અસ્થિરતા - આ બે તથ્યને શ્રીમદે ઉપમા દ્વારા આ ગાથામાં મુખરિત કર્યા છે, તેનું અવલોકન કરીએ. (૧) “સકળ જગત તે એઠવત’ જ્ઞાનીપુરુષને જગતના સમસ્ત પદાર્થો એઠ સમાન લાગે છે. એઠ શબ્દ સંસ્કૃત ‘ચ્છિષ્ટ' ઉપરથી આવેલો છે. માણસે ખાતાં ખાતાં છોડેલું તે એઠ. એઠ એ અશુચિમય પદાર્થ છે. એઠ ખાવાનું જેમ કોઈ પણ વ્યક્તિને મન થતું નથી, તેમ જ્ઞાનીના જ્ઞાનમાં સંપૂર્ણ સંસાર એઠવતું જણાતો હોવાથી તેના તરફ તેમને રુચિ કે પ્રતિભાવ થતો નથી, ઊલટું તેમને તો સંસારથી છૂટવાની ઇચ્છા રહે છે. જગતના પદાર્થો પૌગલિક છે, અનંત અનંત પરમાણુઓના પિંડ છે. પુદ્ગલપરમાણુનો સહજ સ્વભાવ છે - મળવું અને વિખરાવું. પરમાણુઓમાં રહેલા સ્નિગ્ધત્વ અને રુક્ષત્વના કારણે તે ભેગાં થાય છે અને છૂટાં પડે છે. એક પરમાણુ ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ અનેક પરમાણુઓ સાથે મળીને જે સ્કંધ બને છે તે ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે. પ્રતિ સમય એ સ્કંધમાં નવાં પરમાણુઓ આવીને મળે છે અને તેમાં રહેલાં બીજાં પરમાણુઓ તેમાંથી છૂટાં પડે છે. પરમાણુજગતની આ સહજ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના પરિણામરૂપે જગતના સર્વ પૌદ્ગલિક પદાર્થોનું નિર્માણ થાય છે. ચોક્કસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલાં પરમાણુઓના સમૂહથી વર્ગ બને છે. વર્ગના સમૂહથી વર્ગણા બને છે. વર્ગણાના મુખ્ય આઠ પ્રકાર છે - ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, કાર્મણ વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા, ભાષા વર્ગણા તથા મનોવણા. આ આઠ પ્રકારની જુદી જુદી વર્ગણાના બનેલા પૌગલિક પિંડોને જીવ અનેક પ્રકારે ગ્રહણ કરે છે, તેનો ઉપયોગ કરે છે અને છોડી દે છે. સકળ વિશ્વના સર્વ સંસારી જીવ અનંત કાળથી પુદ્ગલપિંડોને ગ્રહણ કરે છે અને છોડી દે છે. જેમ કે વિશ્વમાં અનંતાનંત કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ રહેલાં છે. જીવ જ્યારે રાગાદિ ભાવો કરે છે ત્યારે તેની અવગાહના જે ક્ષેત્રમાં હોય છે, તે ક્ષેત્રમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુગલપરમાણુઓ ખેંચાય છે, જીવ સાથે બંધાય છે અને કર્મરૂપે પરિણમે છે. તે પુદ્ગલપરમાણુઓ તેના સત્તાકાળ સુધી કર્મરૂપે આત્મા સાથે રહી, યથાપ્રકારે ફળ આપી, આત્માથી છૂટાં પડી જાય છે અને વાતાવરણમાં રહેલા કાર્મણ વર્ગણાના અન્ય પુગલપરમાણુઓ સાથે ભળી જાય છે. જીવ ફરી એના એ જ પરમાણુઓ કર્મરૂપે ગ્રહણ કરે છે અથવા કાર્મણ વર્ગણાનાં બીજાં પરમાણુઓને ગ્રહણ કરે છે કે જે પરમાણુઓ અન્ય જીવોએ ગ્રહણ કરીને છોડી દીધાં હોય છે. એ જ રીતે બીજો જીવ પણ પોતે કે અન્ય જીવોએ ગ્રહણ કરીને છોડી દીધાં હોય તે Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કામણ વર્ગણાનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. આમ, અન્ય જીવો વડે રહણ કરાયેલાં અને છોડાયેલાં કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ ફરી ફરી રહણ થયાં કરે છે. અન્ય વર્ગણાઓ સાથેનો જીવનો વ્યવહાર પણ આવા જ પ્રકારનો હોય છે. મનુષ્યનું સ્થૂળ શરીર તથા તેના ઉપયોગમાં આવતા સર્વ જડ પદાર્થો ઔદારિક વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓના બનેલા છે. એ પુદ્ગલપરમાણુઓ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે શુદ્ધ નથી હોતાં, કારણ કે અન્ય જીવોએ જે ગ્રહણ કરીને છોડી દીધાં હતાં તે જ ફરી રહણ કરવામાં આવતાં હોય છે. જગતના સર્વ પદાર્થોમાં રહેલાં સર્વ પુદ્ગલપરમાણુઓ સર્વ જીવો દ્વારા અનંત વખત ગ્રહણ કરાયાં છે અને અનંત વખત છોડાયાં છે. જગતનું એક પણ પરમાણુ એવું નથી કે જે કોઈ જીવ દ્વારા ક્યારે પણ ગ્રહણ ન કરાયું હોય, અર્થાત્ કોઈ પણ જીવ દ્વારા એ સ્પર્શાયું ન હોય. તેનું કારણ એ છે કે પ્રત્યેક જીવ આ લોકના એક એક આકાશપ્રદેશ ઉપર અનંત અનંત વાર જન્મ-મરણ કરી ચૂક્યો છે. જીવે એક પણ આકાશપ્રદેશ છોડ્યો નથી, તો પછી એ આકાશપ્રદેશ ઉપર રહેલાં પરમાણુઓને ક્યાંથી બાકી રાખ્યાં હોય? આમ, સકળ જગતનું દરેકે દરેક પરમાણુ, જે એક જીવ દ્વારા ગ્રહણ થાય છે, તે ભૂતકાળમાં અન્ય જીવો દ્વારા અને પોતા દ્વારા ગ્રહણ થયેલું જ હોય છે. અન્ય જીવોએ જે પરમાણુઓ ગ્રહણ કરી, ઉપભોગ કરી છોડી દીધાં છે, પોતે પણ જેને ગ્રહણ કરી છોડ્યાં છે, એ ને એ જ પરમાણુઓ ફરી રહણ થાય છે. તેથી એમ ફલિત થાય છે કે જીવ જેટલાં પરમાણુને જે રૂપે ગ્રહણ કરે છે તેમાંનું કોઈ પણ પરમાણુ તાજું નથી હોતું. જે વાપરીને છોડી દીધું હોય, તજી દીધું હોય તે તાજું કઈ રીતે કહી શકાય? પરમાણુઓનાં થતાં પરિણમનને કારણે આખું જગત અનેક જીવોએ રહીને મૂકી દીધેલાં એઠા પદાર્થ જેવું છે. જે વસ્તુ એક વ્યક્તિ દ્વારા ઉપયોગ કરીને છોડી દેવામાં આવી હોય તેને વ્યાવહારિક જગતમાં એઠ કહેવાય છે. ભૂખ સંતોષાઈ જવાના કારણે, સ્વાદ ભાવે એવો ન હોવાના કારણે, વાયુ વગેરે કોઈ વ્યાધિ થવાના કારણે, કોઈ આઘાતજનક કે શોકજનક સમાચાર મળવાના કારણે કે અન્ય કોઈ કારણે ભાણામાં પીરસાયેલી વસ્તુને એક વ્યક્તિએ સ્પર્શ કર્યા પછી કે થોડું ખાધા પછી પડતી મૂકી હોય તેને એઠ કહેવાય છે. એવું વધેલું ખાવાનું બીજાને માટે તો અખાદ્ય બને છે, ખુદ પોતાને પણ તે ખાવા માટે ફરી રુચિ થતી નથી, બલ્બ અરુચિ થાય છે. વળી, આરોગ્યની દૃષ્ટિએ બીજાનું એઠું ખાવાથી રોગાદિ થવાનો સંભવ રહે છે, માટે પણ એઠું ભોજન વર્ષ ગણાય છે. તેથી એઠરૂપે પડેલો પદાર્થ ગમે તેટલો સ્વાદિષ્ટ હોય, મનને ગમે તેવો હોય કે કિંમતી હોય; પરંતુ એ એઠ થઈ ગયો હોવાથી કોઈ પણ સારો માણસ એ ખાય નહીં, એ તો Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઉકરડામાં જ જાય. ત્યાં કોઈ કાગડા-કૂતરા ભલે એ ખાય પણ સારો માણસ તો તે ન જ ખાય. કોઈ માણસ ગમે તેવો ભૂખ્યો હોય તોપણ તેને એઠ પ્રત્યે રુચિ કે આદરભાવ થતો નથી. પૂરી માનવ જાતને એઠ પ્રત્યે સૂગ હોય છે, ધૃણા હોય છે. મનુષ્યની આ મનોદશાનો શ્રીમદ્દ્ન બરાબર ખ્યાલ હોવાથી તેમણે સંસારને એઠવત્ કહી સંસાર– પદાર્થોની આસક્તિ ઉપર કુઠારાઘાત કર્યો છે. ગાથા-૧૪૦ જગતના પદાર્થો ગમે તેટલા કિંમતી હોય તોપણ તે બધા જ એઠ છે. જો આ સિદ્ધાંતની યથાર્થ સમજણ આવે તો પદાર્થોમાં રહેલો મોહ અને તે મેળવ્યાનું અભિમાન બન્ને એક ક્ષણમાં ઊતરી જાય છે. જ્ઞાનીપુરુષો સ્વાનુભવ દ્વારા આ તથ્યને સમજતા હોવાથી સાંસારિક પદાર્થોમાં પોતાનાં ઉપયોગને જોડતા નથી. જેમ ભોગવીને છોડી દીધેલ ભોજનાદિની એઠ ભોગવવાની સ્પૃહા થતી નથી, તેમ અવિદ્યા, અજ્ઞાન, મોહને વશ થઈને જીવે અનાદિ કાળથી વારંવાર ભોગવી ભોગવીને છોડી દીધેલ પુદ્ગલોની જ્ઞાનીને સ્પૃહા થતી નથી. ભોગ પ્રત્યેના અનાસક્તભાવથી, ત્યાગપરિણામથી, તેને એઠ સમાન ગણીને તેઓ તે ભોગને ત્યાગી દે છે.૨ જ્ઞાનીને સંસારના પદાર્થો તુચ્છ ભાસતા હોવાથી તેઓ તેનો ત્યાગ કરે છે. વિષયભોગો અત્યંત મૂલ્યહીન લાગતા હોવાથી તેને છોડી દે છે. તેમને તેમાં પકડવા યોગ્ય કંઈ જ નથી લાગતું. તેમને જે પકડવા યોગ્ય લાગે છે તેને તેઓ પકડે છે અને પરિણામે જે છૂટવા યોગ્ય છે તે તો સહેજે છૂટી જાય છે. બહિર્દષ્ટિ જીવોને એમ લાગે છે કે તેમણે મહેલ છોડ્યો, જાતજાતનાં હીરા-ઝવેરાત છોડ્યાં, વિપુલ સંપત્તિ છોડી; પણ જ્ઞાનીને મન તો તે કાંકરા-પથ્થર જ છે. તેઓ હીરા-ઝવેરાત આદિ એટલા માટે નથી છોડતા કે તે સમૃદ્ધિ છે, પરંતુ એટલા માટે છોડે છે કે તે સમૃદ્ધિ નથી. અજ્ઞાનીને જે પદાર્થ હીરા-ઝવેરાતરૂપ દેખાય છે, વાસ્તવમાં તો તે કાંકરા અને પથ્થર જ છે. જ્ઞાનીએ તો કાંકરા અને પથ્થર જ છોડ્યા છે. નાનું બાળક કાંકરા-પથ્થર એકઠા કરે છે. બાળકને બધા રંગીન પથ્થર હીરા૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇષ્ટોપદેશ', શ્લોક ૩૦ 'भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपि पुद्गलाः ગુર્જરાનુવાદ : उच्छिष्टेष्विव तेष्वद्य, मम विज्ञस्य का स्पृहा ।। ' ‘મોહથી ભોગવી છોડ્યા, પુદ્ગલો સૌ ફરી ફરી; હવે એ એઠમાં મારે, જ્ઞાનીને શી સ્પૃહા વળી?' ૨- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૧૦૯ 'अभुक्त्वापि परित्यागात् स्वोच्छिष्टं विश्वमासितम् । येन चित्रं नमस्तस्मै ૌમાર-વ્રહ્મવારિને ।।’ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મોતી જેવા કિંમતી લાગે છે, તેથી તે પથ્થરો વીણે છે. તેની પાસેથી તેણે વીણેલો એક નાનો પથ્થર છીનવી લેવામાં આવે તો તે એ પથ્થર માટે આખી રાત રડતો રહે છે. તેને લાગે છે કે “મારી સંપત્તિ છિનવાઈ ગઈ!' બાળકને તે મૂલ્યવાન લાગે છે, પણ પ્રૌઢ વ્યક્તિને તે પથ્થર મૂલ્યહીન દેખાય છે. બાળકને તે કિંમતી લાગે છે, તેથી તે તેનો સંગ્રહ કરવાનો આગ્રહ રાખે છે; જ્યારે પ્રૌઢ વ્યક્તિને એની વ્યર્થતા સમજાઈ છે, તેથી તે એને ફેંકી દેવાનો આગ્રહ રાખે છે. બન્નેનાં સ્તર જુદાં છે. બાળકની સમજણના સ્તરમાં અને પ્રૌઢ વ્યક્તિની સમજણના સ્તરમાં ફરક છે. અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે પણ બાળક અને પ્રૌઢ જેવો તફાવત છે. અજ્ઞાનીને જે મૂલ્યવાન દેખાય છે તે જ્ઞાનીને તુચ્છ ભાસે છે, મૂલ્યહીન લાગે છે. જ્ઞાનીને ભૌતિક પદાર્થોનું કોઈ જ મૂલ્ય હોતું નથી. જે મૂલ્યહીન છે, તેને રાખવું તેમને વ્યર્થ લાગે છે; તેથી તે વસ્તુઓ આપોઆપ છૂટતી જાય છે. બાળક જ્યારે મોટો થાય છે ત્યારે પૂર્વે ભેગા કરેલા કાંકરા-પથરા તે ફેંકી દે છે. કાંકરા-પથ્થરનો ત્યાગ કરે છે ત્યારે તે અહંકાર નથી કરતો કે “મેં બાળપણમાં એકઠી કરેલી સંપત્તિનો ત્યાગ કર્યો', કારણ કે હવે તે જાણી ગયો છે કે તે તો માત્ર કાંકરાપથ્થર જ હતા. લોકો દરરોજ પોતાના ઘરની બહાર કચરો ફેંકે છે, પરંતુ તે માટે સમાચારપત્રમાં સમાચાર નથી છપાવતા કે આજે અમે આટલા કચરાનો ત્યાગ કર્યો. જીવને જેનો મહિમા લાગતો નથી, તેના ત્યાગની તે ઘોષણા કરતો નથી. તેવી જ રીતે જ્ઞાની પણ પોતાને જે કચરો જણાયો છે તેનો ત્યાગ કરે છે, તેથી તેમને તેનો અહંકાર થતો નથી; પરંતુ બહિર્દષ્ટિ જીવે સાંસારિક પદાર્થોમાં કિંમત ભરી રાખી છે, તેથી પોતે કરેલ ત્યાગનું તેને અભિમાન થાય છે કે “મેં આટલું બધું છોડ્યું.' જ્ઞાનીને તો સમસ્ત પૌદ્ગલિક વૈભવ તુચ્છ લાગ્યા હોય છે, તેથી તેમનું ચિત્ત પરમાંથી પાછું વળી સ્વરૂપ અનુસરી થાય છે. તેઓ પરપરિણતિને વમી આત્મપરિણતિમાં રમે છે. તેમને એઠવતું સંસારમાં જરા પણ રુચિ થતી નથી. અહીં એ વાત સ્પષ્ટ કરવી આવશ્યક છે કે “એઠવ” શબ્દ દ્વારા જ્ઞાનીને જગતના પદાર્થો પ્રત્યે દ્વેષભાવ છે એમ અભિપ્રેત નથી. “એઠવત' કહેવામાં ધૃણાનો ભાવ નથી. “એઠ' શબ્દ મૂકીને શ્રીમન્ને એ કહેવું છે કે લોકોને જેના પ્રત્યે આસક્તિ હોય છે, તેના પ્રત્યે જ્ઞાનીને રાગ નથી હોતો. પરમાં રાગભાવ, ગ્રહણભાવ નથી એ સમજાવવા માટે એઠ શબ્દ પ્રયોજ્યો છે. અજ્ઞાનવશ જે જે પદાર્થ સ્વાદ, રસ, મહિમાથી ભરેલા ભાસ્યા હતા, જ્ઞાન થતાં સહેજે તે તે પરપદાર્થો રસહીન અને એઠવતું લાગવા માંડે છે. સર્વ પરપદાર્થ કરતાં નિજપદાર્થમાં વિશેષ સ્વાદ, રસ, મહિમા અનુભવાય છે. પરમ સારભૂત એવા નિજ પદાર્થનો પરિચય થતાં સંસાર અસાર લાગે તો એમાં જ્ઞાનીને Page #354 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૨૧ સંસાર પ્રત્યે કંઈ દ્વેષ નથી પણ પરમ ઉદાસીનતા છે. સંસારપ્રત્યયી રાગનો અભાવ થવો તે યથાર્થ વૈરાગ્ય છે. મહાપુરુષોનો બોધ એ જ છે કે વૈરાગ્ય એટલે રાગનું ખરી પડવું. જગતના પદાર્થો પ્રત્યે દ્વેષ થવો તે વૈરાગ્ય નથી. કોઈ મિત્ર પ્રત્યે એક વ્યક્તિને ખૂબ રાગ હોય, પછી તેના દોષોની જાણ થતાં તે વ્યક્તિને તેના ઉપર કેષ થાય; પણ આ તો ખોટું છે. જેમ રાગ કરવો ખરાબ છે, તેમ દ્વેષ કરવો પણ ખરાબ જ છે. બન્ને સંસારમાં રખડાવનાર છે. તે જ પ્રમાણે પહેલાં શરીરાદિ સંયોગોને ભલા માની જીવ તેના ઉપર રાગ કરતો હતો, પછી તેની અસારતા, અશુચિતા આદિ દોષોને જાણવાથી તેના પ્રત્યે દ્વેષ કરતો થઈ જાય તો તે સાચો વૈરાગ્ય નથી. પોતાનો અને શરીરાદિ સંયોગોનો સ્વભાવ જેવો છે તેવો યથાર્થપણે જાણીને, ભમ મિટાવીને શરીરાદિ સંયોગો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા એ સાચો વૈરાગ્ય છે. સંયોગોને ભલા જાણી રાગ ન કરવો તથા બૂરા જાણી લેષ ન કરવો એ સાચો વૈરાગ્ય છે. ગમાનું જવું અને અણગમાનું આવવું એ વૈરાગ્ય નથી. સ્વરૂપની સમજણથી બન્નેનો અભાવ થવો તે વૈરાગ્ય છે. જીવને ધનમાં મોહ હોય, સ્ત્રી આદિમાં મમત્વ હોય; તે છોડીને તે ધનાદિ ઉપર દ્વેષ કરવા લાગે તો તેનો ધનાદિ સાથેનો સંબંધ મટી નથી જતો. કોઈને પ્રેમ કરવામાં આવે તો એની યાદ આવે છે, કોઈ માટે ધૃણા કરવામાં આવે તો પણ તેની યાદ પીછો નથી છોડતી. મિત્રને શત્રુ બનાવી દેવામાં આવે તો તેની સાથે સંબંધ મટી નથી જતો. શત્રુ તો તે છે કે જેની સાથે મિત્રતાનો સંબંધ નથી રહ્યો. દિશા બદલાઈ જતાં મિત્રતા શત્રુતામાં પરિણમે છે. સ્ત્રી-પુત્રાદિ પ્રત્યેના રાગનો અભાવ થવો તે વૈરાગ્ય છે; પણ રાગનો અભાવ થવાને બદલે તે દ્વેષમાં પલટાઈ જાય તો તે વૈરાગ્ય નથી. તેમ કરવામાં સંસારની પકડ તો ચાલુ જ રહે છે. પૂર્વે રાગરૂપે હતી તે હવે દ્વેષરૂપે થઈ, પણ સંસાર કંઈ છૂટ્યો નથી. જ્યાં રાગ હતો ત્યાં રાગના સ્થાને દ્વેષ કરવામાં આવે છે, મિત્રતાની જગ્યાએ શત્રુતા કરવામાં આવે છે. બાહ્ય દૃષ્ટિએ ભલે જુદું થયું હોય એવું લાગે, પણ મૂળમાંથી કશું બદલાયું નથી. પહેલાં પગ ઉપર ઊભો હતો, હવે શીર્ષાસન કરી માથા ઉપર ઊભો રહે છે, પણ ઊભો તો રહે જ છે. ઊભા રહેવાનું મટતું નથી. સંસાર પ્રત્યેનો રાગ તો અહિતકારી છે જ, પરંતુ સંસાર પ્રત્યેનો ષ પણ આત્મોપકારી નથી જ. - યથાર્થ ફળની પ્રાપ્તિ માટે વૈરાગ્યની સાચી સમજ હોવી આવશ્યક છે. જો વૈરાગ્યનું સ્વરૂપ સમ્યપણે સમજાયું ન હોય તો માર્ગભ્રષ્ટ થતાં વાર નથી લાગતી. જ્ઞાની ભગવંતોના બોધનો સમ્યક આશય ગ્રહણ કરવામાં ન આવે અને યથાર્થ વૈરાગ્યને બદલે મિથ્યા વિરક્તિનું ‘શૂરાતન' પ્રગટે તો ભૂલોની પરંપરા સર્જાય છે. સંસારના Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિમિત્તો પ્રત્યે રાગ કરવાને બદલે દ્વેષ કરવામાં આવે તોપણ નુકસાન જ થાય છે. દ્વેષથી જીવને સુખ, શાંતિ, વીતરાગતાની ઉત્પત્તિ થવાને બદલે વ્યાકુળતા, ક્લેશાદિની જ ઉત્પત્તિ થાય છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિની ધૃણા કરવાથી યથાર્થ વૈરાગ્ય જાગવાને બદલે વૈરાગ્યનો દંભ જ થાય છે. કેટલાક લોકો કહે છે કે મારી પત્ની કજિયા કરે છે', 'કુટુંબીજનો મને હેરાન કરે છે' ઇત્યાદિ; અને એ રીતે તેઓ પ્રત્યે દ્વેષ પ્રગટાવી તેઓ નિવૃત્તિમાં જઈને બેસે છે અને વૈરાગ્યના મિથ્યા અહંકારમાં રાચે છે. દ્રાક્ષને ખાટી કહીને તેનો ત્યાગ તો કરે છે, પણ જ્યાં જાય ત્યાં દ્રાક્ષનું સ્મરણ જ કર્યા કરે છે. તેઓ પોતાને ધર્મી - વૈરાગી ગણાવે છે, પણ અંદર તો સંસારનું વરવું સ્વરૂપ જ હોય છે. વૈરાગ્યની સાધના માટે દ્વેષનો આશરો લેનારા ઓરડીમાંથી મુક્ત થવા લોખંડની સાંકળમાં જકડાવા જેવું કાર્ય કરે છે. વૈરાગ્યરૂપી લજામણીનો છોડ ૯ષના આછેરા સ્પર્શથી પણ ઢળી જ પડે છે, તેથી જ જ્ઞાનીઓ ચેતવે છે કે વૈરાગ્યના નામે સંસાર પ્રત્યે દ્વેષ ન કરવો જોઈએ. જ્યારે જગતને એઠવ કહેવામાં આવે છે ત્યારે તેનો આશય જગત પ્રત્યે દ્વેષ કે જુગુપ્સા ઉત્પન્ન કરાવવાનો નથી. તેનો ઉદ્દેશ તો જગત પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન કરાવી નિજ ભગવાન આત્મામાં અનુરક્તિ જગાડવાનો છે. (૨) “અથવા સ્વપ્ન સમાન' જગતના પૌગલિક પદાર્થો જ્ઞાનીને અરમણીય અને અસ્થિર ભાસે છે. પૌગલિક પદાર્થોની અરમણીયતા બતાવવા શ્રીમદે આપેલી એઠની ઉપમા તે તત્ત્વની દૃષ્ટિએ તથા વ્યવહારદષ્ટિએ કેટલી યથાર્થ છે તે જોયું. તેવી જ રીતે જગતના પદાર્થો અને પ્રસંગોની અસ્થિરતા બતાવવા માટે શ્રીમદે સ્વપ્નની ઉપમા આપી છે. તે ઉપમા પણ કેટલી સચોટ છે તે વિચાર કરતાં અવશ્ય જણાશે. સમસ્ત જગતમાં સારભૂત એવું આત્મતત્ત્વ જેમણે અનુભવ્યું છે તેવા જ્ઞાનીપુરુષને જગતના સમસ્ત પદાર્થો સ્વપ્ન સમાન લાગે છે. ઊંઘમાંથી જાગી જનારને, “સ્વપ્નની સૃષ્ટિ એ માત્ર માનસિક બમણા હતી' એ જ્ઞાન થતાં સ્વપ્નના બનાવોનું કોઈ મહત્ત્વ રહેતું નથી; તેમ આત્માના જ્ઞાનાનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવસિદ્ધ પ્રતીતિ થતાં ભ્રમણા ભાંગે છે અને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિસાર અને અસ્થિર ભાસે છે. જેમ સ્વપ્નમાં રમાતી રમતમાં હાર-જીત મળે, સ્વપ્નમાં કરાતા સંઘર્ષમાં સફળતાનિષ્ફળતા મળે, તેને જાગૃત જીવનમાં કોઈ અગત્યતા આપવામાં આવતી નથી; તેમ સંસાર પણ એક મોટું સ્વપ્ન જ છે, કારણ કે તે કેન્દ્રનો હિસ્સો નથી, પરિવર્તનશીલ Page #356 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪) ૩૨૩ પરિઘ ઉપર ઘટતી ઘટના છે. જેમ સ્વપ્નમાં મળતી સફળતા-અસફળતાનો કોઈ અર્થ નથી, તેમ સંસારમાં પણ સફળ થવાય કે અસફળ થવાય - એનું જ્ઞાની પુરુષને કોઈ મહત્ત્વ નથી. સ્વાદિષ્ટ વાનગીનું સુંદર ચિત્ર ગમે તેટલું ચાવવામાં આવે તો પણ તેમાંથી તૃપ્તિ મળતી નથી, તેમ સંસારમાં પ્રાપ્ત થયેલી સફળતાથી પણ ત્રણે કાળમાં જીવને તૃપ્તિ મળી શકે એમ નથી. સ્વપ્નમાં કોઈ વસ્તુ ભોગવવામાં આવે તો તેનાથી જીવને વાસ્તવમાં તૃપ્તિ થતી નથી. ધારો કે કોઈ માણસ મરચાં ખાઈને સૂતો છે. ઊંઘમાં તેને તરસ લાગે છે. તે સ્વપ્ન જુએ છે કે તે ફ્રીજમાંથી પાણી કાઢીને પી રહ્યો છે અને બીજી જ ક્ષણે તેની તરસ છિપાઈ જાય છે, પણ તેની અસલી તરસ છિપાતી નથી. તે ઊઠીને પાણી પીશે ત્યારે જ તેની તરસ છિપાશે. તેવી જ રીતે સંસારના પદાર્થો જીવને તૃપ્તિ આપી શકતા નથી. જેમ સ્વપ્ન ક્ષણિક છે, મિથ્યા છે, તૃપ્તિ આપી શકતું નથી; તેમ જગતના પદાર્થો ક્ષણિક છે, મિથ્યાભાસરૂપ છે, સુખ-શાંતિની ભ્રાંતિ ઉપજાવનારા છે એમ જ્ઞાની પુરુષને જણાય છે. તેમને દેહ-ગૃહાદિ આત્મબાહ્ય પદાર્થો સ્વપ્નવત્ ભાસે છે. અહીં એ સ્પષ્ટ કરવું અત્યંત આવશ્યક છે કે જગતના સર્વ પદાર્થ સ્વપ્ન જેવા છે એમ કહીને શ્રીમદ્ એમ દર્શાવવા નથી માંગતા કે દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહાદિનું કોઈ અસ્તિત્વ નથી; સંસારનું અસ્તિત્વ જ નથી. સ્વપ્ન શબ્દ દ્વારા પદાર્થોનો અભાવ અભિપ્રેત નથી. દેહાદિ સઘળું એક વાસ્તવિકતા છે. સકળ જગતને સ્વપ્ન સમાન કહીને શ્રીમને સંસારના પદાર્થોની ક્ષણિકતા-અસ્થિરતા ઉપર અજ્ઞાની જીવોનું ધ્યાન દોરવું છે. જેમ સ્વપ્ન ક્ષણિક છે, ક્ષણજીવી છે, સ્વપ્ન પૂરું થતાં ખેદ થાય છે; તેવું જ આ સંસારનું પણ છે. જડ પુદ્ગલપરમાણુઓના અનિત્ય સંયોગથી બનેલા ભૌતિક જગતના પદાર્થો પણ ક્ષણિક, અનિત્ય અને નાશવંત છે. આવી સદૃશતાના કારણે જગતને સ્વપ્નની ઉપમા આપવામાં આવી છે. ઉપમાઓ સમાનતા, સદૃશતાના કારણે આપવામાં આવે છે, પછી તે સમાનતા એકદેશીય હોય કે સર્વદેશીય હોય. દા.ત. સ્ત્રીના મુખને શરદના ચંદ્ર જેવી ઉપમા આપવામાં આવે છે. આમાં એકદેશીય સદશતા છે, આંશિક સમાનતા છે. ઉપમા અલંકાર એટલે બે વસ્તુના સમાન ધર્મની તુલના. તે તુલના વખતે તેના અસમાન ધર્મને ગૌણ કરવામાં આવે છે. જગતને સ્વપ્નની ઉપમા આપવામાં આવી એનો અર્થ એવો નથી થતો કે જગતનું અસ્તિત્વ છે જ નહીં, પરંતુ જગત, જગતના પદાર્થો, જગતના પ્રસંગો - સર્વ સ્વપ્ન સમાન નાશવંત છે, ક્ષણિક છે એમ કહેવું છે. જગતથી વિરક્તિ જાગે અને વૃત્તિ સ્વભાવસમ્મુખ થાય તે માટે જગતને સ્વપ્નની ઉપમા આપવામાં આવે છે. જીવ જગતની ક્ષણસ્થાયી વસ્તુઓથી વિમુખ થઈ, નિત્ય Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્થાયી એવા નિજ શુદ્ધાત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરે અને પદાર્થોના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક કરતો અટકે એ પ્રયોજન હોવાથી જ્ઞાનીઓ જગતને સ્વપ્નવત્ કહે છે. આત્મકલ્યાણાર્થે દષ્ટિને પદાર્થો ઉપરથી હટાવી સ્વભાવસમ્મુખ કરવી અત્યંત આવશ્યક છે. વૃત્તિને નિત્ય આત્મસ્વભાવમાં જોડવી એ જ સાચી દિશાનો પુરુષાર્થ છે. સંયોગસન્મુખ દષ્ટિ એ જ સંસાર છે. સંયોગ-આશ્રયી ન થતાં સ્વભાવસમ્મુખ થવું એ જ ધર્મારાધના છે, મોક્ષમાર્ગ છે, તેથી જ્ઞાનીઓ જીવને સંયોગોની અનિત્યતાનું ભાન કરાવી તેને સ્વભાવસમ્મુખ થવા પ્રેરણા કરે છે. સંયોગોની ક્ષણભંગુરતાનું ભાન થયા વિના જીવની દૃષ્ટિ સંયોગો ઉપરથી ખસતી નહીં હોવાથી તેઓ વસ્તુના અનિત્ય પક્ષને મુખ્ય કરે છે. તેઓ સંયોગોની અસ્થિરતાના તથ્યને અનેક યુક્તિઓ-દષ્ટાંતોથી સ્પષ્ટ કરી, જીવનો સંયોગો પ્રત્યેનો મહિમા તોડાવે છે. જગતના પદાર્થોમાં રહેલા રાગનો ક્ષય કરવા માટે પૌગલિક પદાર્થોની ક્ષણિકતા સમજવી અત્યંત જરૂરી છે. સંસારના સઘળા સંયોગો ક્ષણિક છે. લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે. અધિકાર પતંગના રંગ જેવો અસ્થાયી છે. આયુષ્ય પાણીના મોજા જેવું ક્ષણભંગુર છે. કામભોગ ઇન્દ્રધનુષ જેવા ક્ષણિક છે. આ સર્વનો સંયોગ ક્ષણભર છે. એ કોઈ અવિનાશી સ્વાધીન સુખ આપતું નથી. સંસારનાં બધાં સુખ ક્ષણિક છે. સંસારનું કોઈ પણ સુખ શાશ્વત હોતું નથી. સંસારમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરનારને કદી સ્થાયી સુખ મળતું નથી. સુખ મેળવવા માટે કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે તોપણ જેવું એ મળે કે તરત તેને એ સામાન્ય લાગવા માંડે છે. હવે મનને કંઈક નવું, કંઈક વિશેષ, કંઈક જુદું જોઈએ છે. તે નવા સુખની માંગણી કરે છે. જો નવું સુખ ન મળે તો તે દુઃખી થાય છે. તેને એ પરિસ્થિતિ કષ્ટદાયક લાગે છે. જીવ જે જે વિષયમાં સુખ માને છે, તે તે વિષયમાં આગળ ને આગળ જતાં છેવટે તેને તે વિષય કંટાળો આપવા લાગે છે. તેને તે વિષયના ભોગવટામાં અણગમો આવી જાય છે. ખાવા-પીવા વગેરે પંચેન્દ્રિયના કોઈ પણ વિષયમાં છેવટે તો કંટાળો જ આવે છે અને તેથી તેને છોડીને ઉપયોગ બીજા વિષય તરફ જાય છે. સંસારમાં જ્યાં જ્યાં જીવ સુખની કલ્પના કરે છે, ત્યાં ત્યાં વિશેષ પરિચય થતાં તેને સુખના સ્થાને દુઃખ જ પ્રાપ્ત થાય છે. વિષયો તરફના વલણથી તેને વ્યાકુળતા અને દુઃખ મળે છે. સંસારની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી પ્રાપ્ત કરવા ધારેલ સુખની આ જ નિયતિ છે; જ્યારે આત્મામાં ગમે તેટલું આગળ ને આગળ જવામાં આવે, ક્યારે પણ આત્મસુખ ભોગવવામાં કંટાળો નથી આવતો. સિદ્ધ ભગવંતોને આત્મસુખ ભોગવતાં ભોગવતાં અનંત કાળ થઈ ગયો, પરંતુ તેમને ક્યારે પણ કંટાળો આવતો નથી. આત્માનું સુખ જ એવું છે કે અનંત કાળ પર્યત ભોગવવામાં આવે તો પણ એક સમય Page #358 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૨૫ માટે પણ જીવ થાકે નહીં, કંટાળે નહીં. વિષયસુખ પરાધીન છે. તેને મેળવવા માટે બીજાની અપેક્ષા રહે છે. ઇન્દ્રિયો ઠીક હોવી જોઈએ, ધન-સંપત્તિ હોવાં જોઈએ, વિષયસુખનાં સાધનો યોગ્ય હાલતમાં હોવાં જોઈએ. આ બધું હોવા છતાં જો શરીરમાં રોગ-વેદના હોય તોપણ એમાં સુખ લાગતું નથી. પોતાની મરજી મુજબના સંયોગોની પ્રાપ્તિ થવી ખૂબ જ દુષ્કર છે. જીવ સુખને ઇચ્છે છે અને તે માટે તે ઇષ્ટ સંયોગોને એકત્રિત કરવા માંગે છે, પણ આ તો ત્રાજવામાં દેડકાઓને તોલવા જેવું દુષ્કર કાર્ય છે. વજન કરવા જાય ત્યાં બે ઊછળીને નીચે પડે અને એ બેને સરખા કરે ત્યાં બીજા પાંચ ભાગી જાય. જિંદગી આવી ને આવી વ્યર્થ ચેષ્ટામાં જ વીતી જાય છે. એક ઇષ્ટ સંયોગની પ્રાપ્તિ થાય ત્યાં બીજો વિદાય લઈ લે. સ્વાથ્ય સારું હોય ત્યારે લક્ષ્મી પાસે ન હોય અને લક્ષ્મીનું આગમન થાય ત્યારે તબિયત કથળી ચૂકી હોય! ક્વચિત્ પુણ્યોદયે બધા ઇચ્છિત સંયોગોની પ્રાપ્તિ થઈ જાય તો પણ તે સર્વ સંયોગો નાશવંત હોવાથી તેને સ્થાયી સુખ પ્રાપ્ત થતું નથી. બાહ્ય સંપત્તિની દિશામાં જે કાંઈ મળેલું જણાય છે, તેની કશી સલામતી નથી; કારણ કે કોઈ પણ ક્ષણે તે છિનવાઈ કે નષ્ટ થઈ શકે છે. છેવટે મૃત્યુ તો તેને છીનવી જ લે છે. બાહ્ય સંપત્તિ કદી સલામતી આપી શકતી નથી. જીવ તેને સલામતી માટે શોધે છે, પણ ઊલટાનું જીવ જ તેને સલામતપણે રાખવા-સાચવવાની જંજાળમાં પડે છે. વિષયસુખ મેળવવા માટે અને ટકાવવા માટે જીવ જાતજાતનાં ભય, જાતજાતની ચિંતામાં સસ્ત રહે છે. એ ભોગવતાં પહેલાં, ભોગવતી વખતે અને ભોગવ્યા પછી - દરેક સ્થિતિમાં તે આકુળતાયુક્ત જ હોય છે. જીવ ગમે તેટલા પ્રયત્ન કરે પણ તે સંયોગોને સ્થાયી નથી કરી શકતો. સંયોગોની આવી ક્ષણભંગુરતાનો, તેનામાં અવિનાશી સુખ આપવાના સામર્થ્યના અભાવનો બોધ થતાં જ વૃત્તિ તેના ઉપરથી હટી જાય છે અને સ્વભાવસ—ખ થાય છે. સંયોગોની અસ્થિરતા, ક્ષણભંગુરતાના ચિંતનના પરિણામે વૃત્તિ સ્વભાવસમ્મુખ થાય છે. જીવ વિચારે છે કે આવા અનિત્ય સંયોગોમાં શું રાચવું? મારો દ્રવ્યસ્વભાવ અખંડ અને અવિનાશી છે, માટે હું તેને પ્રાપ્ત કરું.' આ રીતે સંયોગોની ક્ષણભંગુરતા-અસ્થિરતાની વિચારણા સ્વભાવસમ્મુખ થવામાં મદદ કરે છે. વસ્તુની ક્ષણભંગુરતાનો બોધ યથાર્થપણે દઢ થતાં પદાર્થનું જેવું પણ પરિણમન હોય, તેનો શાંત સ્વીકાર થાય છે. સંયોગોમાં થતાં પરિવર્તનોને જાળવવાનો કે બદલવાનો ઉત્સાહ નથી રહેતો. તે પ્રત્યે અનાસક્તિ જ રહે છે. સામાન્ય માણસનો પણ એ અનુભવ છે કે જે વસ્તુની ક્ષણભંગુરતા તેના ચિત્તમાં Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વસે છે તે વસ્તુની આસક્તિ તેને રહેતી નથી. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથેનો તેનો સંબંધ અલ્પ ક્ષણો પૂરતો જ છે એવું સ્પષ્ટ ભાન હોય તો તેને ત્યાં આસક્તિ નથી થતી. લાંબી મુસાફરી દરમ્યાન કોઈ ઠેકાણે ધર્મશાળામાં બે-ચાર કલાક ગાળવાના હોય કે રાતવાસો કરવાનો હોય, એ વખતે ધર્મશાળાની ભીંતનાં રંગરોગાન ઝાંખા પડી ગયેલાં હોય કે કોઈ ઠેકાણે પ્લાસ્ટર થોડું ઊખડી ગયેલું હોય તો એની ચિંતા કોણ કરે છે? ક્યાં આપણે અહીં જિંદગી કાઢવી છે” એમ વિચારી એની ઉપેક્ષા કરવામાં આવે છે. જ્યાં કશુંક લાંબી અવધિ સુધી ટકવાનું છે એવો ખ્યાલ ચિત્તમાં રહેલો હોય ત્યાં જ આસક્તિ રહે છે. જ્ઞાનીને અનુભવથી જગતની ક્ષણભંગુરતાની પ્રતીતિ થઈ હોય છે, તેથી તેઓ જગત પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે, જગતના પ્રસંગો પ્રત્યે ઉદાસીન જ રહે છે. આત્મામાં જ એકત્ર કરી તેમાં લીન રહે છે. જ્ઞાની પુરુષોને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવો ભાસે છે, કારણ કે તેમની અજ્ઞાનદશા વ્યતીત થઈ છે અને જ્ઞાનરૂપ જાગૃત દશા પ્રાપ્ત થઈ છે. તેથી જ્ઞાની કોઈ સંયોગોને ઇચ્છતા નથી, તેઓ તો સદા આત્મલાભને જ ઇચ્છે છે. તેમની અંતરની ઝંખના તો સ્વમાં ઠરવાની - ચારિત્રમોહનીયને વશ થવાથી ચિત્તમાં ઊઠતી વૃત્તિઓના આવેગોને શાંત કરી, સ્વભાવમાં વધુ ને વધુ સ્થિત થવાની હોય છે. તે સિવાય બીજું બધું તેમને ઇન્દ્રજાળ સમું નિઃસાર લાગે છે. તેમને સર્વ પુગલખેલ ઇન્દ્રજાળ જેવા લાગે છે.' જ્ઞાનીને પોતાના અંદરના અખૂટ નિધાનની પ્રાપ્તિ થઈ હોવાથી તેમના જ્ઞાનમાં જગત એઠવતું તથા સ્વપ્નતુલ્ય ભાસે છે. જ્ઞાનીના જીવનમાં પરમ આનંદ ફેલાયો હોવાથી, તેમના જીવનમાંથી સાંસારિક સુખનાં સાધનો દૂર થતાં જાય છે. જ્ઞાની નિજાનંદના ભોગમાં લીન હોય છે. આ મહાભોગની ઉપલબ્ધિના પરિણામે વિષયભોગનાં સાધનો છૂટવા લાગે છે. અંતરમાં આત્માનંદની પ્રાપ્તિ થઈ હોવાથી બહારમાં બધું છૂટતું જાય છે. તેમને સ્વની ઉપલબ્ધિ થઈ હોવાથી પરનો ત્યાગ થતો જાય છે. જ્ઞાનીને અંતરમાં સાર્થકની ઉપલબ્ધિ થઈ હોવાથી બહારમાં વ્યર્થ ફેંકાતું જાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઈષ્ટોપદેશ', શ્લોક ૩૯ 'निशामयति निश्शेषमिन्द्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय, गत्वान्यत्रानुतप्यते ।।' ગુર્જરનુવાદ : “સમસ્ત વિશ્વને ભાળે, ઇન્દ્રજાળ સમું વૃથા; આત્મલાભ સદા ઇચ્છે, પસ્તાયે પરમાં જતાં.' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘સમાધિશતક', દુહો ૪ આતમજ્ઞાને મગન જે, સો સબ પુદ્ગલ ખેલ; ઇંદ્રજાલ કરિ લેખવે, મિલૈ ન તહેં મનમેલ.” Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૨૭ જ્ઞાનીપુરુષોનો ત્યાગ ઉપલબ્ધિપૂર્વકનો ત્યાગ છે. તેમનો ત્યાગ ઉપલબ્ધિનું પરિણામ છે. તેમના ત્યાગના મૂળમાં ઉપલબ્ધિ છે. અંતરમાંથી જ્ઞાનનો જે પ્રવાહ વહે છે તે બધા ખોટા કચરાને બહાર ફેંકી દે છે. તેમને અંતરમાં સત્યની અનુભૂતિ થઈ હોવાથી બાહ્યમાં પરવસ્તુઓનો ત્યાગ થતો જાય છે. સત્યને જાણ્યું હોવાથી, અનુભવ્યું હોવાથી તેમને કોઈ પણ ત્યાગ પરાણે નથી કરવો પડતો. સ્વરૂપની પકડપૂર્વક જીવતા હોવાથી કોઈ વસ્તુ તેમણે પરાણે ત્યાગવી પડતી નથી. તેમનો ત્યાગ સહજ હોય છે. તેમનો ત્યાગ ઉપલબ્ધિની ભૂમિ ઉપર ઊભેલો હોવાથી સહજ અને સરળ હોય છે. જ્ઞાનીને જે અંદર પ્રાપ્ત થયું છે એની સરખામણીમાં બહારનું બધું વ્યર્થ લાગે છે. જ્યાં સુધી શ્રેષ્ઠતર ન મળે ત્યાં સુધી જે હાથમાં હોય તે જ શ્રેષ્ઠ લાગે છે. જ્યાં સુધી પોતાની પાસે છે તેનાથી શ્રેષ્ઠતર ન મળે ત્યાં સુધી પોતાની પાસે છે એને નિકૃષ્ટ માની શકાતું નથી. જ્યારે શ્રેષ્ઠતર હાથમાં આવે છે ત્યારે જે હાથમાં છે તે આપોઆપ નિકૃષ્ટ બનીને છૂટી જાય છે. શ્રેષ્ઠતર મળ્યા પછી બીજામાં રસ પડતો નથી. જ્ઞાનીઓએ શ્રેષ્ઠ મેળવ્યું હોવાથી તેનાથી કનિષ્ઠ એવું સર્વ છૂટી જાય છે. શ્રેષ્ઠ હાથમાં આવતાં જગતના પદાર્થોની નિરર્થકતાનો સ્વાનુભવસિદ્ધ બોધ તેમને થઈ જાય છે અને નિરર્થક વસ્તુઓ છૂટી જાય છે. સમાધિસુખ મળતાં સાંસારિક સુખરૂપી વ્યર્થ કચરો છૂટી જાય છે. જ્યારે મહાન સુખ હાથમાં આવી જાય તો ક્ષુદ્ર સુખની ચિંતા કોણ કરે? જેના હાથમાં હીરા આવી જાય તે કાંકરા-પથ્થરને શા માટે પકડી રાખે? હાથમાં હીરા આવ્યા પછી કાંકરા-પથ્થરને પકડી રાખવાની કોઈ જરૂર રહેતી નથી અને તેથી ત્યારે કાંકરાપથ્થર આપોઆપ ફેંકાઈ જાય છે. હીરા હાથમાં આવી જાય તો કાંકરા-પથ્થર આપોઆપ છૂટી જાય છે, છોડવા પડતા નથી. જ્ઞાનીને આત્મારૂપી હીરો મળી ગયો હોવાથી સંસારના પદાર્થોરૂપી કાંકરા-પથ્થર છૂટી જાય છે. જ્ઞાની પુરુષને ત્યાગ કર્યાનું સ્મરણ પણ થતું નથી. તેમને ખબર પણ નથી રહેતી કે તેમનાથી શું છૂટી ગયું. તેઓ તો જે મળ્યું છે તેના આનંદમાં મગ્ન હોય છે. સાચો ત્યાગ હોય તો પાછળ ત્યાગેલ વસ્તુની સ્મૃતિ નથી રહી જતી. વાસ્તવિક ત્યાગ પોતાની પાછળ કોઈ નિશાની મૂકી જતો નથી. જેમ આકાશમાં ઊડતા પક્ષીની પાછળ તેનાં પગલાંનાં નિશાન પડતાં નથી, તેમ વાસ્તવિક ત્યાગ એક ઉડાણ છે, જેમાં પાછળ કોઈ ચિહ્ન રહેતું નથી. આ પ્રકારે જ્ઞાનીને જગતના પદાર્થોમાંથી સુખની ભ્રાંતિ ટળી ગઈ હોય છે અને તે સર્વ પ્રત્યે ઉદાસીનવૃત્તિ ઉત્પન્ન થઈ હોય છે. જો જગતના પ્રસંગો અને પ્રકારો પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તતો હોય તો જ જ્ઞાનીદશા છે, બાકી તો કથનમાત્ર ધારણા છે. જીવ ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરે પણ જો સંસારના પ્રસંગો અને પ્રકારોમાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન વહાલપ-મીઠાશ લાગતી હોય તો તે સમ્યજ્ઞાન નથી, વાચાજ્ઞાન છે. ભાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે ત્યાં સુધી તેને જ્ઞાનદશા પ્રગટતી નથી. સાચા સુખ વિષે વાંચવા-સાંભળવાબોલવા છતાં જીવ તે બોધની યથાર્થ પ્રતીતિ તથા તેની નિરંતર જાગૃતિ ન કેળવે તો તેની દશા બદલાતી નથી. આમ, સમ્યજ્ઞાનીની અને વાચાજ્ઞાનીની દશામાં આકાશપાતાળનો ભેદ હોય છે. જ્ઞાનીને સુખ પોતાના સ્વભાવમાં જ છે એવું શ્રદ્ધાન હોય છે. તેઓ સંયોગોથી પોતાને સુખી-દુઃખી માનતા નથી. તેમની દૃષ્ટિ સમ્યક્ હોવાથી સંયોગો ને તેમને સુખરૂપ લાગે છે, ન દુ:ખરૂપ લાગે છે. તેમને પ્રતીતિ હોય છે કે સંયોગો સુખરૂપ નથી, સુખનું કારણ પણ નથી; તેમજ દુઃખરૂપ પણ નથી કે દુ:ખનું કારણ પણ નથી. સ્વભાવના આશ્રયથી સુખ છે અને દુઃખનું કારણ છે સંયોગના આશ્રયથી ઉત્પન્ન થતા જીવના વિકારી ભાવો. વાચાજ્ઞાની સંયોગોમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરે છે. પરમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી, પરથી મને કોઈ લાભ કે નુકસાન નથી' એવી તત્ત્વજ્ઞાનની વાતો અનેક વાર કરવા છતાં તેને તેવું શ્રદ્ધાન હોતું નથી. તે તત્ત્વની વાતો કરે છે, પણ તે વાતો તત્ત્વશ્રદ્ધાનમાં પલટાતી નથી. વિપુલ શાસ્ત્રાભ્યાસ હોવા છતાં બહિર્મુખ વલણના કારણે તે અનુકૂળ સંયોગથી સુખ અને પ્રતિકૂળ સંયોગથી દુઃખ માને છે, એટલે દુઃખ દૂર કરીને સુખ પ્રાપ્ત કરવા માટે તે અનુકૂળ સંયોગો મેળવવાના પ્રયત્નો કરે છે. પ્રતિકૂળ સંયોગોને દૂર કરીને, અનુકૂળ સંયોગોને પ્રાપ્ત કરીને સુખી થવાની ઇચ્છાથી તે સઘળાં પ્રયત્નો કરે છે. તે પોતાનું આખું જીવન ઇષ્ટ સંયોગોની પ્રાપ્તિ પાછળ વેડફી નાખે છે. જ્ઞાની પોતાના ધ્રુવ ચિદાનંદસ્વભાવમાં લીનતા કરી અવસ્થામાં પૂર્ણતા પ્રગટાવવા માંગે છે, જ્યારે વાચા જ્ઞાની બહારમાં સંયોગોની પૂર્ણતા કરવા માંગે છે; પરંતુ બહારના સંયોગોની પૂર્ણતા કદી થઈ શકતી નથી. પુણ્યના ફળરૂપે પ્રાપ્ત થયેલા સંયોગમાં પૂર્ણતા હોતી જ નથી. પુણ્ય પોતે ખંડ ખંડરૂપ વિકારભાવથી ઉત્પન્ન થયેલું છે, તેથી તેની ફળરૂપ સામગ્રીમાં પૂર્ણતા હોઈ શકતી જ નથી. આત્માના પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીતિ કરીને તેમાં લીન થતાં જ પર્યાયમાં જ્ઞાન-આનંદની પૂર્ણતા પ્રગટે છે. પોતાનો ત્રિકાળી સ્વભાવ અસંયોગી છે અને સ્ત્રી-પુત્રાદિ સર્વનો સંયોગ ક્ષણિક છે, એમ સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની સંયોગોને અસ્થિર જાણે છે; પણ વાચાજ્ઞાનીને પોતાના આત્માની તો શ્રદ્ધા નથી અને સંયોગોની અનિત્યતાને પણ તે યથાર્થપણે જાણતો નથી. વસ્તુસ્વરૂપના ભાન વિના મોહથી તે સંયોગોને સ્થિર રાખવા માંગે છે. તે સંયોગોને સ્થિર રાખવા ચાહે છે અને એ જ દિશામાં તે સતત પ્રયત્નશીલ રહે છે, Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૨૯ પરંતુ તે સર્વ તો સ્વભાવથી જ ક્ષણભંગુર છે, વિનાશશીલ છે, તેથી તેનું સ્થિર રહેવું અસંભવ જ છે. સંયોગોને સ્થિર કરવાના તેના પ્રયત્ન રેતીમાંથી તેલ કાઢવા જેવા નિરર્થક સિદ્ધ થાય છે. વારંવારની અસફળતાથી ખેદ ઉત્પન્ન થાય છે, આકુળતાવ્યાકુળતા વધતી જ રહે છે; અને આવી અનંત અસફ્ળતાઓ છતાં પણ વાચાજ્ઞાની જ દિશામાં પ્રયત્ન કરે છે. જ્ઞાનીને સંયોગમાં આધારબુદ્ધિ નથી હોતી, એટલે તેમને સંયોગની ચિંતા થતી નથી. તેઓ દરેકે દરેક, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગનું પ્રસન્ન ચિત્તથી સ્વાગત કરે છે. તેમને સંયોગ-વિયોગમાં સહજ સમતાભાવ રહે છે, રાગ-દ્વેષ થતા નથી. તેઓ સંયોગવિયોગમાં હર્ષ-શોક કરતા નથી. સંયોગોને જાળવવા, હટાવવાના નિરર્થક વિકલ્પોથી પ્રયત્નોથી તેઓ વિરામ પામ્યા હોય છે. તેમને બાહ્યમાં ફેરફાર કરવાની વૃત્તિ બિલકુલ ઊઠતી નથી. તેઓ માત્ર તેના જાણનાર રહે છે. તેઓ પ્રત્યેક પરિસ્થિતિ પ્રત્યે અનાસક્ત રહે છે. આથી વિપરીત, વાચાજ્ઞાની વસ્તુના પરિણમનસ્વભાવનો સ્વીકાર કરી શકતો નથી અને તેથી તે સંયોગોમાં ફેરફાર કરવાની વિચારણા, ચેષ્ટા કર્યા જ કરે છે. સંયોગોને બદલવાની ઇચ્છા રાખી, પોતાનું સમગ્ર બળ અને ધ્યાન તે સંયોગોનું રૂપાંતરણ કરવામાં કેન્દ્રિત કરે છે. પોતાની દૃષ્ટિમાં પરિવર્તન લાવવાને બદલે તે પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. પરિસ્થિતિ પ્રત્યે અનાસક્તભાવ કેળવવાને બદલે તે પરિસ્થિતિમાં પલટો લાવવા મથે છે. જ્ઞાની સંયોગનું શરણ નથી લેતા, પણ સ્વભાવનું શરણ છે. ક્ષણભંગુર સંયોગોની અને તેના લક્ષે થતાં શુભાશુભ પરિણામની ભાવના છોડીને તેઓ ધ્રુવ ચિદાનંદની જ ભાવના ભાવે છે. તેમની દૃષ્ટિ પરિણમનશીલ સંયોગો અને પર્યાયોથી હટીને અપરિણામી દ્રવ્યસ્વભાવ ઉપર સ્થિર થઈ હોય છે. વાચાજ્ઞાની ત્રિકાળી સ્વભાવની વાતો કરતો હોવા છતાં સ્વભાવને ન જોતાં સંયોગને જ જુએ છે. તે સંયોગો તરફ જ જોયા કરે છે, સંયોગોથી ભિન્ન એવા આત્મા તરફ જોતો નથી. તે સંયોગી ભાવના કરે છે અને સ્વભાવ સાથે એકત્વ સાધતો નથી. વાચાજ્ઞાનીનું પરિણમન જ્ઞાનીના પરિણમનથી સાવ વિપરીત હોવા છતાં પણ તે ભાષા તો જ્ઞાની જેવી વાપરે છે. તે બોલે તો એમ જ છે કે સંયોગો અસાર અને અનિત્ય છે. તે સંયોગોની અસારતા-અનિત્યતાની ચર્ચાઓ કરે છે, પરંતુ જ્યારે કોઈ પ્રસંગ ઉદ્ભવે છે ત્યારે તેનું વલણ બિલકુલ જુદું હોય છે. પોતે જે બોલતો હોય છે તેને અનુરૂપ તેનો વ્યવહાર નથી હોતો. તે સંયોગોમાં આસક્ત થઈ જાય વાચાજ્ઞાનીને ઇન્દ્રિયવિષયોના ગ્રહણકાળે તેની મુખ્યતા ભાસે છે. તેની અસારતા અને અનિત્યતા તે જોઈ શકતો નથી, એટલે તેને તેમાં જ એકાકાર બુદ્ધિ થવાથી હર્ષ-શોકનાં Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરિણામ થાય છે. સંયોગોની અનિત્યતા અને અસારતાની વાત કેવળ તેની વાણીમાં પ્રવેશી છે, તેથી તેનું સઘળું પ્રવર્તન સંયોગાધીન હોય છે. જો તે વાત તેના પ્રાણોમાં પ્રવેશી હોય તો તેનું આવું વલણ રહે નહીં. જો તેને સર્વ સંયોગો અસાર અને અનિત્ય ભાસ્યા હોય તો તેનો રાગ ઘટ્યા વિના રહે નહીં. સંયોગોની અસારતા અને અનિત્યતા સમજાય તો મમતા ઓછી થયા વિના રહે નહીં. વાચાજ્ઞાની કહે છે કે હું તો સકળ જગતને એઠવતું અને સ્વપ્નવત્ માનું છું', પરંતુ આ સાચું નથી. તે ખરેખર એમ માનતો જ નથી કે જગત એઠવત્ છે, સ્વપ્ન સમાન છે. તે એવું બોલે છે, કારણ કે તે એ પ્રમાણે શીખ્યો છે. તેણે એવી વાતો સાંભળી છે - વાંચી છે, એટલે તે એ પ્રમાણે બોલે છે. પરંતુ આ તેનો પોતાનો ભાવ નથી. આ તેનો પોતાનો બોધ નથી. જો આ તેનો પોતાનો જ બોધ હોય તો જગતના પદાર્થોમાંથી સુખ-શાંતિ મેળવવાની તેની ચેષ્ટા વિરામ પામી હોત. જો આ તેનો પોતાનો બોધ હોય તો વિષયસુખ મેળવવા તે ફાંફા ન મારે. વાચાજ્ઞાનીએ તો માત્ર પારકા બોધનો સંગ્રહ કર્યો છે. તેના અંતરમાં તો એમ જ છે કે સંસારના પદાર્થો સુખરૂપ છે. જ્ઞાન એ સંગ્રહ નથી, જ્ઞાન એ ગુણ છે. જો જીવ યથાર્થપણે જાણતો હોય કે જગતના પદાર્થોમાં સુખ નથી તો તે જગતના પદાર્થો પાછળની પોતાની દોટ અટકાવે. જીવ જાણતો પણ હોય કે જગતના પદાર્થોમાં સુખ મેળવવા નથી અને તે સુખ માટે જગતના પદાર્થો પાછળ દોડતો પણ હોય - આમ બનવું શક્ય નથી. જો તે જાણતો હોય કે તેમાં સુખ નથી તો તેની પાછળ શા માટે દોડે? તે પોતાના જ્ઞાનથી વિપરીત શા માટે જાય? જો જીવ જગતના પદાર્થો પાછળ દોડતો હોય તો તે નથી જાણતો કે જગતના પદાર્થોમાં સુખ નથી. ‘આગમાં હાથ નાખીશ તો તેનાથી પીડા થશે' એમ જો જીવ યથાર્થપણે જાણતો હોય તો તે ક્યારે પણ આગમાં હાથ નાખે નહીં. જો આગ દઝાડે છે એવી ખાલી ઉપલક જાણકારી હોય તો જીવ આગમાં હાથ નાખતાં રોકાશે નહીં. જો આગ દઝાડે છે એમ કોઈ બીજાએ તેને કહ્યું હોય અથવા તો આ વાત તેણે કશે વાંચી હોય, પણ જો તેણે પોતે આગને જાણી ન હોય, આગથી દાઝવાનો કોઈ અનુભવ કર્યો ન હોય તો જ તે આગમાં હાથ નાખશે અને તે પણ કેવળ એક જ વાર. દાઝવાની પીડાનો અનુભવ જીવને ફરી આગમાં હાથ નાખવા દેતો નથી. જીવ આગમાં હાથ નાખે, હાથ બળી જાય, તેનાથી તેને પીડા થાય અને છતાં તે આગમાં ફરી હાથ નાખે એ બનવું જ અસંભવિત છે. જો જીવ બરાબર જાણતો હોય કે આ દીવાલ છે અને તેને તે ઓરડામાંથી Page #364 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૩૧ બહાર જવું હોય તો તે દીવાલમાંથી નીકળવાની કોશિશ નહીં કરે. તે જાણે છે કે આ દીવાલ છે, એટલા માટે તે દરવાજાની શોધ કરે છે. પરંતુ જો જીવ દીવાલમાંથી નીકળવાની કોશિશ કરતો હોય અને કહે કે “હું સારી રીતે જાણું છું કે દરવાજો ક્યાં છે અને હું જાણું છું કે આ દીવાલ છે', તો એ જાણ્યું કઈ રીતે કહેવાય? તેનો અર્થ એટલો જ થાય કે બીજાએ તેને કહ્યું છે કે પેલો દરવાજો છે અને આ દીવાલ છે, પરંતુ તે હજી એવું માનતો નથી. બીજાઓએ તેને કહ્યું છે કે આ દીવાલ છે, પરંતુ તેને તે દીવાલ દીવાલ નથી લાગતી પણ દરવાજો લાગે છે અને તેથી તે દીવાલમાંથી નીકળવાની કોશિશ કરે છે. જ્યારે પ્રતીતિમાં સ્વીકાર થાય ત્યારે જ આંતરિક ક્રાંતિ, આમૂલ રૂપાંતરણ ઘટિત થાય છે, તે પહેલાં નહીં. સાચું જ્ઞાન તો એને જ કહેવાય કે જે જીવમાં આવિર્ભત થયું હોય, નહીં કે માત્ર સાંભળીને અથવા વાંચીને સૂચનાની જેમ એકઠું કરેલું હોય. યથાર્થ જ્ઞાન માટે પોતાનો અનુભવ જોઈએ, અન્યના અનુભવનો સંગ્રહ નહીં. પોતામાંથી જાગેલો બોધ જ કામ લાગે છે. બીજાના અનુભવથી કામ નથી થતું. ઊછીના લીધેલા જ્ઞાનથી કામ નહીં ચાલે. જ્ઞાન ઉધાર નહીં, જીવનું પોતાનું હોવું જોઈએ. જે જીવ અન્યનું જ્ઞાન પોતામાં ભરીને સંતોષાઈ જાય છે તેની ચેતના વિકસિત થતી નથી. શાસ્ત્રોને ગોખીને જે અટકી જાય છે, તે પોતાની ઉપલબ્ધિથી વંચિત રહી જાય છે. વાસ્તવિક જ્ઞાન તો અંતરમાંથી આવે છે. જીવની ભીતર રહેલી સરવાણીમાંથી એ પ્રગટ થાય છે. વાચાજ્ઞાની તે તરફ તો નજર જ નથી કરતો. તે તો બહારથી બધું ભેગું કરે છે. બહારથી ભેગું કરવાના લોભમાં જે જ્ઞાન અંદર છે તે બહાર નીકળી શકતું નથી. જ્ઞાનીનું જ્ઞાન અંતરમાંથી ઊપજ્યું હોય છે, જ્યારે વાચા જ્ઞાનીએ તો તેનો કેવળ સંગ્રહ કર્યો હોય છે. જ્ઞાનીનું જ્ઞાન કૂવાના પાણી જેવું હોય છે, જ્યારે વાચાજ્ઞાનીનું જ્ઞાન હોજના પાણી જેવું હોય છે. કૂવો બનાવવો હોય તો ધરતીને ખોદવી પડે છે. માટી, કાંકરા, પથ્થર જે કાંઈ પણ નીકળે એ બધું બહાર ફેંકવું પડે છે. પાણી પેટાળમાં છે જ. ધૂળ, પથ્થર હટતાં જ પાણી કલકલ કરતું બહાર નીકળે છે. ધરતીમાં છેદ થતાં - ધરતીનું પડ તૂટતાં પેટાળમાં રહેલું પાણી પ્રગટ થાય છે. કેટલાક લોકો પાણી માટે કૂવો ખોદે છે, તો કેટલાક લોકો હોજ બનાવે છે. કૂવાથી બરાબર ઊંધી વસ્તુ! કૂવો જમીનની અંદર ખોદવો પડે છે, જ્યારે હોજ જમીનની ઉપર ચણવો પડે છે. કૂવા માટે જમીન ખોદીને માટી, પથ્થર બહાર ફેંકવા પડે છે; જ્યારે હોજ માટે રેતી, સિમેન્ટ બજારમાંથી ખરીદીને લાવવાં પડે છે. બહારથી લાવેલાં રેતી, સિમેન્ટ વડે ચણતર કરતાં હોજ બને છે. કૂવો ખોદાઈને તૈયાર થાય ત્યારે તેના તળમાંથી જ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જળસ્રોત ઉભરાય છે. પાણી બહારથી માંગીને લાવવું પડતું નથી. પાણી આપોઆપ આવી જાય છે. હોજ તૈયાર થાય એટલે તેમાં પાણી ભરવું પડે છે. રેતી, સિમેન્ટની જેમ પાણી પણ બહારથી લાવવું પડે છે. પાણી બહારથી લાવીને હોજમાં નાખતાં તે ભરાય છે. સાચા જ્ઞાની કૂવા જેવા છે, જ્યારે વાચાજ્ઞાની હોજ જેવા છે. જ્ઞાની અંતરમાં વળે છે, જ્યારે વાચાજ્ઞાની બહાર જાય છે. જ્ઞાની અંતરમાં ઊતરી, આત્મનિરીક્ષણ કરી, રાગ-દ્વેષ-અજ્ઞાનને બહાર કાઢી નાંખે છે; જ્યારે વાચાજ્ઞાની શાસ્ત્રાભ્યાસ કરી, શબ્દો મુખપાઠ કરી, જાણકારી બુદ્ધિમાં - સ્મૃતિમાં ભરી રાખે છે. જ્ઞાની પુરુષાર્થ દ્વારા અજ્ઞાન વમે છે અને તેથી સ્વભાવ પ્રગટ થાય છે. જ્ઞાન બહારથી લાવવું પડતું નથી. અંતરમાં રહેલી નકામી ચીજો બહાર ફેંકતાં જ્ઞાન પ્રગટ થાય છે. વાચા જ્ઞાની શાસ્ત્રજ્ઞાન ભેગું કરી, ગોખી ગોખીને મગજમાં ભરે છે. દેખાવમાં તો કૂવો અને હોજ બને પાણીના ભંડાર જ છે, કૂવામાં પણ પાણી છે અને હોજમાં પણ પાણી છે; પણ કૂવાનું પાણી એનું પોતાનું છે, જ્યારે હોજનું પાણી પારકું છે. કૂવાના પાણીને ભીતરમાં રહેલા જળસ્રોત સાથે સંબંધ છે. હોજ કોઈની સાથે જોડાયેલો નથી. એ તો પોતામાં જ સીમિત છે. સમ્યજ્ઞાની અને વાચાજ્ઞાની બન્ને જ્ઞાનના ભંડાર જણાય છે, ઉપર ઉપરથી જોતાં સરખા જણાય છે; પણ જ્ઞાનીનું જ્ઞાન તેમનું પોતાનું છે, જ્યારે વાચા જ્ઞાનીનું જ્ઞાન પારકું છે. જ્ઞાનીનું જ્ઞાન સ્વભાવ સાથે જોડાયેલું છે, જ્યારે વાચાજ્ઞાનીના જ્ઞાનનું જોડાણ શબ્દો સાથે છે, બુદ્ધિ સાથે છે, તેથી તે સીમિત છે. કૂવો જળસ્રોત સાથે સંબંધિત હોવાથી તેનું પાણી સ્વચ્છ રહે છે. તેનું પાણી ગંદું થતું નથી, વાસ મારતું નથી. હોજમાં ભરેલું પાણી બંધિયાર હોવાથી થોડા સમયમાં અસ્વચ્છ થઈ જાય છે, ગંદું થઈ જાય છે, વાસ મારે છે. કૂવાનું પાણી હરહંમેશ તાજું હોવાથી તે પાણી નીરોગી હોય છે, તે પાણી પીનાર જીવ આરોગ્યવાન બને છે; જ્યારે હોજનું બંધિયાર પાણી વાસી હોવાથી તે પાણી રોગ ફેલાવે છે. તે પાણી પીનાર જીવ રોગિષ્ટ બને છે. જ્ઞાનીનું જ્ઞાન રાગ-દ્વેષ-મોહથી અસ્પતિ હોવાથી નીરોગી છે. તે જ્ઞાન જીવના ભવરોગને નિર્મૂળ કરી તે જીવને આત્મ-આરોગ્ય બક્ષે છે. વાચાજ્ઞાનીનું જ્ઞાન રાગ-દ્વેષ-મોહથી સ્પર્શાયેલું હોવાથી રોગિષ્ઠ છે. તે જ્ઞાન જીવનું ભવભ્રમણ વધારે છે. કૂવામાંથી જેમ જેમ પાણી કાઢવામાં આવે છે, તેમ તેમ તેમાં આપોઆપ નવું પાણી આવતું જાય છે; જ્યારે હોજમાંથી પાણી ઉલેચવામાં આવે તો હોજ ખાલી થઈ જાય છે, ઉઘાડો થઈ જાય છે. જ્ઞાનીનું જ્ઞાન અંતરને સ્પર્શને આવતું હોવાથી શ્રોતાના અંતરતમને સ્પર્શે છે. તેમનો બોધ અનુભવના રણકાર સાથે નીકળતો હોવાથી શ્રોતાના Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૦ ૩૩૩ હૈયાને ઝંકૃત કરી દે છે. તેમનું જ્ઞાન પોતાને તેમજ બીજા જીવોને ઊર્ધ્વગમનનું કારણ બને છે. તે અનંતની નિકટ, મોક્ષની નિકટ લઈ જાય છે. વાચાજ્ઞાનીનું જ્ઞાન બૌદ્ધિક સ્તરનું હોવાથી, જીવના અંતરતમને જગાડી શકતું નથી. વાચાજ્ઞાનીનું જ્ઞાન અહંકાર, મિથ્યાત્વાદિ સહિત હોવાથી જીવનું સમાધાન કરવાને બદલે જીવને મૂંઝવે છે. પોતે પણ પોતાની વાતથી મૂંઝાય છે; અને તેથી તે પોતાનું પણ બગાડે છે અને સામા જીવનું પણ બગાડે છે. મોક્ષની નિકટ થવાને બદલે સંસાર વધારે છે. વાચાજ્ઞાની બનવા માટે કેવળ સંગ્રહ કરવાનો હોય છે. સંગ્રહ કરવો સહેલો છે. સંગ્રહ મનને સુખદાયક છે. જેમ સંગ્રહ વધે છે, તેમ તેને થાય છે કે હું પણ કંઈક છું.' વળી તેમાં લોકોની પ્રશંસા ઉમેરાય છે, તેથી તે પોતાને બીજા કરતાં ઊંચો માને છે. જેમ પૈસો ભેગો કરનારને લાગે છે કે હું કંઈક છું', તેમ જ્ઞાનનો સંગ્રહ કરનારનો અહં પણ વિશેષ ને વિશેષ મજબૂત થતો જાય છે; એટલે સંગ્રહ કરવો હંમેશાં સહેલો અને સુખકર લાગે છે. વાચાજ્ઞાની જીવ ઉધાર જ્ઞાનનો સંગ્રહ કરતો હોય છે. તે જ્ઞાની ભગવંતોનાં વચનોને મુખપાઠ કરી જ્ઞાનની મોટી મોટી વાતો કરતો હોય છે. તે એવું સૂક્ષ્મ વિશ્લેષણ-વિવેચન કરે છે કે લોકો તેનાથી મુગ્ધ થઈ જાય છે. પરંતુ તેમાં પોતાનો - જાત અનુભવનો તો એક શબ્દ પણ હોતો નથી. તે બધું શીખેલું જ બોલે છે. તેની અંદર રહેલાં પુસ્તકો જ બોલે છે. તે જે બોલે છે તેને જીવનમાં પરિણમાવવાનો તે જરા પણ ઉદ્યમ કરતો નથી. નિશ્ચયવાક્યોનું રટણ કરવા છતાં તેની સંસારની આસક્તિ જરા પણ મોળી પડી હોતી નથી. આમ, જેને સંસાર એઠવતું અને સ્વપ્ન સમાન ભાસ્યો ન હોય તે વાચાજ્ઞાની છે. તે જાણવાવાળો તો જરૂર છે, માટે તેને “જ્ઞાની' કહેવાય છે; પરંતુ તેનું જાણવું મિથ્યા છે, કારણ કે તેણે માત્ર જાણકારી જ એકઠી કરી છે, સંસારથી તે જરા પણ ઉદાસીન થયો નથી. સંસાર પ્રત્યે વિરક્તિ ન જાગી હોવાથી તેનું સર્વ જ્ઞાન વ્યર્થ છે. તેનું બધું જ્ઞાન પરમાર્થે અફળ જ રહે છે. અંતરમાં પૌગલિક પદાર્થો પ્રત્યે અનાસક્તિ ન વર્તતી હોય ત્યાં સુધી તે જ્ઞાન માત્ર વાકપટુતા છે - એમ કહી સાચા જ્ઞાની તથા વાચાજ્ઞાનીનો ભેદ શ્રીમદે સ્પષ્ટ બતાવ્યો છે. કેવળ નિશ્ચયનયની એકાંતિક વાત સાંભળીને જે અવળી અસર થવાનો સંભવ છે, તે અસરના નિવારણ અર્થે શ્રીમદે આવી ગંભીર ગાથા ઉપસંહારમાં મૂકી ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૮૧ 'जो अणु-मेत्तु वि राउ मणि जाम ण मिल्लइ एत्थु । सो णवि मुच्चइ ताम जिय जाणंतु वि परमत्थु ।।' Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. જે લોકો અંતરમાં તથારૂપ પરિણમન વિના પોતાને જ્ઞાની માને-મનાવે છે, તેમની ભ્રાંતિ ઓગાળવા - તેમની સત્યતા ચકાસવા શ્રીમદે માપદંડ આપ્યા છે. કઈ દશાવાળી વ્યક્તિને જ્ઞાની ગણી શકાય તેની કસોટી કરવા માટે તેમણે સચોટ માપદંડ આપ્યા છે. આ માપદંડથી જીવ જ્ઞાની-અજ્ઞાનીની યથાર્થ ઓળખાણ કરી શકે છે. શ્રીમની નિરૂપણ શૈલી વિષે ડૉ. સરયૂબહેન મહેતા લખે છે કે – જ્ઞાનીદશાના સૌથી પહેલા લક્ષણ તરીકે શ્રીમદે અહીં “મોહક્ષય'ને બતાવેલો છે; અને બીજું લક્ષણ છે સંસાર તરફની ઉદાસીનતા. આ બન્ને લક્ષણો તેમણે પ્રતીતિકર ભાષામાં આપ્યાં છે. તેમણે જણાવેલાં આ લક્ષણો એવાં છે કે જેને કસોટી તરીકે સ્વીકારવાથી માણસની દશા કેવી છે તેનો ખ્યાલ ઝડપથી આવી જાય. ગમે તેવી ઊંચી વાતો કરનાર માણસ જ્ઞાની છે કે નહીં તે જાણવા માટે તેનામાં મોહ અને સંસાર પ્રત્યેની રુચિ કેવી છે તે જોવાથી સમજી શકાય છે. કોઈ પણ વ્યક્તિ કસોટી કરી શકે તેવાં અનુભવમૂલક લક્ષણો શ્રીમદે અહીં વ્યક્ત કર્યા છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘સકળ જગત તે એઠવત, જડમય ક્ષણભંગુર; જાણી ઇચ્છા તેહની, નવિ પ્રગટાવે ઉર. જેમ તે જગને જાણતો, અથવા સ્વપ્ન સમાન; ખોટી બાજી સમજીને, નિજ ભૂલે નહીં ભાન. જાગૃત નિજ ઉપયોગમાં, સમ્યક્ યુક્ત સદાય; તે કહીએ જ્ઞાનીદશા, હર્ષ શોક નહીં ક્યાંય. સુખ-દુઃખમાં સમભાવથી, વર્તે જ્ઞાન પ્રધાન; આત્મભાવની એ દશા, બાકી વાચાજ્ઞાન.' ૨ ૧- ડૉ. સરયૂબહેન મહેતા, “શ્રીમની જીવનસિદ્ધિ', ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૩૩ ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૫૭-પ૬૦) ૨- ૨ાજ Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૪૧ ૨-૧૩ પાંચ કિસાને, ઇચ્છે છે કે, ૨. ૧૩ ચા, કોમહિરદેટ. Page #369 -------------------------------------------------------------------------- ________________ Page #370 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગાથા ૧૪૦માં શ્રીમદે કહ્યું કે જેમને જગતના સમસ્ત પદાર્થો એઠ સમાન ભૂમિકા અરમણીય અને સ્વપ્ન સમાન અસ્થિર ભાસે છે, તેમને જ સાચા આત્મજ્ઞાની જાણવા. જેને જગત પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તતો નથી તે માત્ર વાચાજ્ઞાની છે, સાચા જ્ઞાની નથી, અર્થાત્ અજ્ઞાની છે. અર્થ ગાથા આ રીતે વાચાજ્ઞાનીના સ્વરૂપથી સ્પષ્ટ રીતે જુદું પડતું એવું આત્મજ્ઞાનીનું સ્વરૂપ બતાવી, શ્રીમદે આ વિષય પૂર્ણ કર્યો. હવે આ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પૂર્ણાહુતિ કરતાં પહેલાં આ શાસ્ત્ર ભણીને શું કરવું જોઈએ અને તેમ કરવાથી કયું ફળ મળશે તે બતાવતાં શ્રીમદ્ કહે છે - ૧૪૧ સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠ વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.' (૧૪૧) પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. (૧૪૧) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ ઉપાત્ત્વ ગાથામાં છેલ્લી ભલામણ કરતાં ભાવાર્થ શ્રીમદ્ કહે છે કે ‘આત્મા છે’, ‘તે નિત્ય છે', ‘કર્મનો કર્તા છે', ‘કર્મફળનો ભોક્તા છે’ અને ‘મોક્ષ છે’; આત્માનાં આ પાંચ પદને બરાબર વિચારી-સમજીને, તેની યથાર્થ પ્રતીતિ કરીને જે કોઈ જીવ છઠ્ઠા પદ અનુસાર વર્તશે, અર્થાત્ મોક્ષના ઉપાયમાં પ્રવર્તશે તે જીવ અવશ્ય પાંચમું સ્થાનક મોક્ષપદને પામશે. આ વાતમાં બિલકુલ સંદેહ નથી. શ્રીમદે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ પદને ગુરુશિષ્યસંવાદરૂપે ન્યાયયુક્ત દલીલો વડે સિદ્ધ કરી આપ્યાં છે. તે બોધને યથાર્થપણે અવધારી, તેના અંતર્ગત ભાવને વિચારબળથી ગ્રહણ કરી, અંતરમાં પરિણમાવવાથી અવશ્ય આત્માની સિદ્ધિ થાય છે. જેમ જેમ સદ્વિચારશ્રેણી ઉપર ચડાય છે, તેમ તેમ અંતરમાં પુરુષાર્થ સ્કુરાયમાન થાય છે અને નિશ્ચયપણે કાર્યસિદ્ધિ થાય છે. તેથી અહીં જણાવ્યું કે જે જીવ પ્રથમ પાંચ સ્થાનકોનો સમ્યક્ વિચાર કરી, નિઃશંક શ્રદ્ધા લાવી, છઠ્ઠા સ્થાનકમાં અર્થાત્ મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની આરાધનામાં પ્રવૃત્ત થાય છે, તે જીવ તેના ફળરૂપે મોક્ષને પામે છે. તેનો આત્મા સિદ્ધગતિને પામે છે એમાં કોઈ શંકા નથી. આમ, શ્રીમદે આ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપાજ્ય ગાથામાં આ શાસ્ત્રનો નિચોડ અભુત શૈલીથી વણી લીધો છે. - મોક્ષરૂપી પંચમ સ્થાનકની પ્રાપ્તિ સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પામી, ચારિત્રવિશેષાર્થ | મોહનો ક્ષય કરી, વીતરાગદશા પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પ્રગટાવવાથી થાય છે. તેમાં સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે બે કાર્યની આવશ્યકતા રહે છે - આત્મા વિષે જાણવું અને ઉપયોગને અંતર્મુખ કરી આત્માને જાણવો, અર્થાત્ પ્રથમ આત્માના સ્વરૂપનો નિર્ણય કરવો અને પછી વૃત્તિને અંતર્મુખ કરી આત્માનો અનુભવ કરવો. પ્રથમ કાર્યમાં આત્મસ્વરૂપનો વિચાર કરવાનો છે, આત્માનાં પ્રથમ પાંચ પદનો વિચાર કરવાનો છે, જ્યારે દ્વિતીય કાર્યમાં ઉપયોગને અતીન્દ્રિય તથા નિર્વિકલ્પ કરવાનો છે. આ પ્રક્રિયાને એક દષ્ટાંત વડે સમજીએ. એક માણસને તેના પિતાએ દાટેલા ખજાનાની વિગત ધરાવતો એક નકશો મળ્યો. તેણે નકશાનો અભ્યાસ કરીને તે નકશાને પૂરેપૂરો સમજી લીધો; પણ નકશાને સમજી લેવામાત્રથી કાંઈ ધનની પ્રાપ્તિ થાય નહીં. ધનપ્રાપ્તિ તો ત્યારે થાય કે જ્યારે નકશામાં સંકેત કરેલા સ્થળે જાય, તે જગ્યા ખોદ અને ધન મળે ત્યાં સુધી ખોદવાનું કામ ચાલુ રાખે. આત્મપ્રાપ્તિ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્માનાં પ્રથમ પાંચ પદ વિષેની વિચારણા કરીને તત્ત્વને સમજી, તત્ત્વનિર્ણય કરવો ઘટે છે અને તત્ત્વનિર્ણયમાં જ અટકી ન રહેતા, અંતરમાં ઊતરી, તત્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત ખોજ ચાલુ રાખવી ઘટે છે, જેથી કોઈ ધન્ય પળે તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આત્માનુભૂતિનો પ્રારંભિક ઉપાય તત્ત્વવિચાર છે. તત્ત્વનિર્ણય એ જ ધર્મની નક્કર ભૂમિકા છે. તત્ત્વાર્થના શ્રદ્ધાનરૂપ આત્માનાં જે પરિણામ છે. તે મોક્ષનું સાધન છે. ધર્મ પ્રગટ કરવા અર્થે તત્ત્વોનું જ્ઞાન કરવું આવશ્યક છે. ભૂલભરેલી માન્યતાઓ તત્ત્વજ્ઞાનપૂર્વક સુધારવી ઘટે છે. વસ્તુના સ્વરૂપની સાચી સમજ કરવી ઘટે છે અને તે માટે વસ્તુતત્ત્વને સમજવું આવશ્યક છે. વિચારણા કરવાથી તત્ત્વનિર્ણય થાય છે. વિચાર કર્યા પહેલાં માની લેવું તે ઘાતક નીવડે છે. મોક્ષમાર્ગમાં વિચાર્યા વિના વિશ્વાસ કરવાની વૃત્તિ મોટો અવરોધ છે. વિચારણા વિનાનો આંધળો વિશ્વાસ બાધારૂપ છે. જે લોકો વિચાર્યા વિના માની લે છે, તેઓ યથાર્થ દિશામાં ચાલતા નથી. ધર્મને પ્રાપ્ત કરવા માટે વિચાર અને વિવેકની દિશા પકડવી ઘટે છે. આંધળું અનુકરણ કરવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનીનાં વચનોને ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીકૃત ટીકા, સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૧, સૂત્ર રની ટીકા 'तत्त्वार्थश्रद्धानं ह्यात्मपरिणामो मोक्षसाधनं युज्यते, भव्यजीवविषयत्वात् ।' Page #372 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ ૩૩૯ માત્ર ગોખી લેવાથી કાર્યસિદ્ધિ થતી નથી. કોઈ વિદ્યાર્થી વિચાર્યા વિના, સમજ્યા વગર પુસ્તકો ગોખી લે અને પરીક્ષામાં ગોખેલું લખી આવે તો તે પરીક્ષામાં તો ઉત્તીર્ણ થઈ શકશે, પણ તેને તે જ્ઞાનનો યથાર્થ લાભ નહીં મળે. સ્વતંત્ર વિચાર કર્યા વિના, બુદ્ધિ વાપર્યા વિના, ગોખીને એકઠા કરેલા જ્ઞાનને તે ઉપયોગમાં લઈ નથી શકતો. એ જ રીતે જે જીવ વિચારશક્તિને વાપરતો નથી, સમજણશક્તિને સક્રિય કરતો નથી, જ્ઞાનીનાં વચનો સાંભળી-ગોખીને માત્ર બોલ્યા કરે છે, તેને યથાર્થ લાભ થતો નથી. સ્વરૂપની સમજણ વિના તેણે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ જાય છે. સ્વરૂપની રુચિ ન હોય તેને તત્ત્વની વાત અઘરી લાગે છે. પરંતુ મોક્ષમાર્ગે આ કરવા યોગ્ય જ છે, મારા આત્મવિકાસ માટે આ અત્યંત આવશ્યક તથા સહાયક છે' એવા નિર્ધાર સાથે જો રુચિપૂર્વક તત્ત્વ-અભ્યાસ કરવામાં આવે તો કશું અઘરું લાગતું નથી. મનુષ્યજીવન સફળ કરવા માટે, પરમ ધ્યેયની પ્રાપ્તિ અર્થે તત્ત્વ-અભ્યાસ કરવો આવશ્યક છે. તત્ત્વ-અભ્યાસ દ્વારા એક નવી દષ્ટિ મળે છે. જાત અને જગત પ્રત્યે કઈ રીતે જોવું તે તત્ત્વ-અભ્યાસથી શીખવા મળે છે. પોતાની આજુબાજુની વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પરત્વે તત્ત્વદૃષ્ટિથી જોવાની ટેવ પડે છે. તત્ત્વદષ્ટિ અનુસાર જીવવાનો પ્રયત્ન કરતાં અશાંતિનાં કારણો ટળતાં જાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. આમ, આત્મકલ્યાણ અર્થે તત્ત્વનિર્ણય કરવો અત્યંત આવશ્યક છે. આત્મહિતાભિલાષી મુમુક્ષુના અંતરમાં હું કોણ છું?', 'ક્યાંથી થયો?', ‘મારું ખરું સ્વરૂપ શું છે?' ઇત્યાદિ વિચારોનું મંથન ચાલ્યા કરતું હોય છે. આત્મજ્ઞાની સદ્દગુરુ પાસેથી “આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છે; તે ત્રિકાળી નિત્ય છે; અજ્ઞાનભાવે તે રાગ-દ્વેષાદિનો કર્તા તથા હર્ષ-શોકાદિનો ભોક્તા છે અને જ્યારે સ્વરૂપમાં સ્થિત હોય છે ત્યારે નિજજ્ઞાનસ્વભાવનો કર્તા અને સહજ શાંતિ તથા આનંદનો ભોક્તા હોય છે; આત્માની પૂર્ણશુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે અને આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન તથા આત્મામાં લીનતા એ જ મોક્ષનો ઉપાય છે' એ છ પદની દેશનાનું તે એકાગ્રતાથી તથા ઉલ્લાસપૂર્વક શ્રવણ કરે છે અને સવિચાર દ્વારા નિઃશંકપણે એ જ સત્ય છે એમ નિર્ધાર કરે છે. તે આત્માનાં છે પદમાં સમજણપૂર્વક શ્રદ્ધા કરે છે. સદ્ગુરુના બોધ દ્વારા મુમુક્ષુને પોતાના અસ્તિત્વની ઓળખાણ થાય છે. પોતાની અંદર જે સત્ય છે, જે આધારભૂત છે, જે અસ્તિત્વગત છે તેની તેને ઓળખાણ થાય છે. જીવે ક્યારે પણ પોતાની સાચી ઓળખાણ કરી નથી. તે જ્યારે પણ પોતાની બાબતમાં વિચારે છે ત્યારે તે પોતાનાં દેહ, નામ, દેશ વગેરેનો વિચાર કરે છે. પોતાનું સાચું સ્વરૂપ એ કાંઈ કોઈ નામ કે પદવી નથી. ‘હું' એટલે કર્મકૃત વ્યક્તિત્વ નહીં પણ પોતાનું શુદ્ધ ત્રિકાળી અસ્તિત્વ, કોઈ પણ નામ-રૂપ વગરનું જાણનાર-જોનાર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાયકતત્ત્વ. જો એની સ્મૃતિ નિરંતર રહે તો અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરી શકાય. જ્યારે ક્ષણિક નામ-રૂપ ભુલાઈ જાય છે અને દૃષ્ટિ અંદરના અનામી, અરૂપી તત્ત્વ ઉપર પડે છે ત્યારે તે શાશ્વતમાં પ્રવેશ કરે છે, ત્રિકાળી સત્ને આસ્વાદે છે. મુમુક્ષુ જીવને સાચી સમજણ હોય છે કે હું શુદ્ધ ચેતનારૂપ છું. શુભાશુભ પરિણામોથી રહિત એવો અમલ આત્મા છું. શરીર-વાણી-મન તથા પુણ્ય-પાપનાં પરિણામથી હું પર છું. સર્વ પર દ્રવ્યો અને પરભાવોથી હું ભિન્ન છું. દેહાદિ પરપદાર્થ તો મારા છે જ નહીં; અને તેને પોતાના જાણવાવાળી જ્ઞાનની પર્યાય, તેને પોતાના માનવાવાળી શ્રદ્ધાની પર્યાય તથા તેના નિમિત્તે રાગ-દ્વેષ કરવાવાળી ચારિત્રની પર્યાય પણ હું નથી, અર્થાત્ મલિન પરિણમન - વિકારી પર્યાય પણ હું નથી. હું એનો માત્ર જ્ઞાતા છું. સ્વાભાવિક અંતરજ્યોતિથી, જ્ઞાનભૂમિકાની સત્તામાં આ બધું જ જણાય છે તે હું નથી, પણ તેને જાણનારો તે હું છું. પણ મારા જ્ઞાનમાં જણાય છે, પણ પરમાં મારો પ્રવેશ નથી અને મારામાં પરનો પ્રવેશ નથી. જ્ઞાન મારો સ્વભાવ છે. રાગ-દ્વેષ કરવા એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ માત્ર જાણવું-જોવું છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી છું. હું સદા જ્ઞાયક છું, અર્થાત્ મારું જાણવાનું કાર્ય તો ક્યારે પણ અટકતું નથી.' પોતાના સ્વાધીન, અખંડ, પૂર્ણાનંદી જ્ઞાયકસ્વભાવની સમજણ થતાં મુમુક્ષુને પર પાસે જવાની જરૂર લાગતી નથી, પરની કોઈ ખેવના રહેતી નથી. હું મારામાં પરિપૂર્ણ છું' એવો સ્વરૂપનિર્ણય દઢ થતાં તે પરમાંથી કંઈ લેવા ઇચ્છતો નથી. તેને બહાર કંઈ પણ શોધવાનું રહેતું નથી. સ્વનો નિર્ણય થતાં અન્યની ગુલામી છૂટતી જાય છે, પરાધીનતાનો ભાવ મંદ થતો જાય છે. જન જનની અને કણ કણની - પ્રત્યેક જીવદ્રવ્યની અને પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નિર્ણય થતાં સ્વાધીનતાનો ભાવ જાગૃત થાય છે, સ્વાવલંબનની ભાવના પ્રબળ થાય છે. મુમુક્ષુ જીવ પરમાંથી ચિત્તવૃત્તિઓને યથાર્થ સમજણપૂર્વક સમેટીને સ્વમાં ઠરવાનો સઘન પ્રયાસ કરે છે. તે ચિત્તવૃત્તિને અંતર્મુખ કરી શુદ્ધ જ્ઞાયકભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. તેની વૃત્તિ સ્વભાવસમ્મુખ ઢળે છે. ચેતના અંતર તરફ વળે છે. જે ઉપયોગ દશ્ય તરફ જતો હતો તે પોતા તરફ - દ્રષ્ટા તરફ વળે છે. જોનાર અંદર છે, પરંતુ પૂર્વે આ જોનાર તરફ ધ્યાન જ આપ્યું ન હતું. ધ્યાન દશ્ય તરફ વહી રહ્યું હતું. જે દેખાતું હતું તેમાં જ તે લીન હતો. જોનાર તરફ તે વળ્યો ન હતો. હવે તે પોતા તરફ વળે છે, અંતર્મુખ થાય છે. મુમુક્ષુ જીવ દરેક કાર્યમાં સાક્ષીભાવે રહેવાનો અભ્યાસ કરે છે. બહારમાં કોઈ પણ કાર્ય ચાલુ હોય ત્યારે તે સ્વકેન્દ્ર પ્રત્યે સજાગ રહેવાનું ચૂકતો નથી. તે સ્વકેન્દ્ર Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ ૩૪૧ પ્રત્યે બોધપૂર્ણ રહે છે. આ અભ્યાસથી જ્ઞાયકની ભાવધારા પ્રબળ બનતાં તેને જ્ઞાતાદ્રષ્ટાભાવ વર્તે છે. કોઈ પણ પ્રસંગમાં તે બોધપૂર્ણ રહેવાનું ચૂકતો નથી. ચારે બાજુ જે થઈ રહ્યું છે તેના માત્ર જોનાર તરીકે તે રહે છે. તેનું દર્શન કૅમેરાની આંખ જેવું તટસ્થ હોય છે. કૅમેરાની સામેથી ગાડી નીકળી જાય છે ત્યારે તે તેનો ફોટો પાડી લે છે, પણ તે ગાડી સારી છે, મને ખરીદવી છે' એવા પ્રકારના કોઈ ભાવ, કોઈ ઇચ્છા કૅમેરો કરતો નથી. તેવી જ રીતે વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ પસાર થઈ જાય છે, મુમુક્ષુ તેનો તટસ્થ પ્રેક્ષક રહે છે, તે તેમાં લપાતો નથી. તેનું જીવન પ્રગાઢતાથી, પ્રસન્નતાથી, સ્પષ્ટતાથી, સર્જનાત્મકતાથી ગતિમાન રહે છે. જેમ જેમ મુમુક્ષુની અંતર્મુખતા વધતી જાય છે, તેમ તેમ તેના મનનું ભટકવું અટકતું જાય છે. તે શાંત થતો જાય છે. જેમ જેમ ગતિ અંદર તરફ થાય છે, તેમ તેમ પ્રબુદ્ધતા ઉદ્ઘાટિત થાય છે. ઉપયોગ વિશેષ વિશેષ અંતર્મુખ થતો જઈ અંતે સ્વરૂપમાં ઠરી જાય છે. તે પર્યાયથી દૂર ખસી પર્યાયવાનમાં સ્થિર થઈ જાય છે. મુમુક્ષુને પોતાનું ત્રિકાળી અસ્તિત્વ ભાસ્યમાન થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે મુમુક્ષુ જીવ હવે દશ્યની સાથે તાદાભ્ય ન અનુભવતાં તેનો માત્ર દ્રષ્ટા જ રહે છે. પોતાના દેહ અને મનને પણ નિર્લેપ ભાવે દશ્યના એક ભાગરૂપે જુએ છે, અર્થાતુ પોતાની કર્મકૃત અવસ્થા સાથે તાદાભ્ય ન અનુભવતાં તેનો કેવળ દ્રષ્ટા બની રહે છે. તે શરીર અને મનના સ્તર ઉપર થતી ક્રિયાઓનો માત્ર દ્રષ્ટા રહે છે. તે શરીર અને મનનો કર્તા-ભોક્તા નથી બનતો, દ્રષ્ટા રહે છે. તે સાક્ષી થઈ જાય છે. મુમુક્ષુ જીવ આ રીતે આત્મસ્વરૂપના ઉપદેશનું શ્રવણ કરી, તેનું અચળપણે અનુપ્રેક્ષણ કરી, પરિશીલન કરી, મનને સ્થિર કરી, અંતરમાં નિજ નિર્મળ આત્મસ્વરૂપની નિશ્ચળપણે પકડ કરી; દેહાદિ તથા રાગાદિથી ભિન્ન અને સર્વોત્તમ એવા શુદ્ધાત્મસ્વરૂપમાં લીન થાય છે, તેનો અનુભવ કરે છે. સ્વાનુભવના આ ક્રમને જે પામે છે તે સમીપમુક્તિગામી મહાભાગ્યશાળી જીવનાં સર્વ કર્મનો ક્રમે કરી નાશ થાય છે. મિથ્યાત્વભાવ તૂટવાથી કર્મની બેડીઓ આપોઆપ તૂટતી જાય છે. મિથ્યા માન્યતા નષ્ટ થવાથી સંસારનું પરિભ્રમણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. સદાકાળ રહેતા એવા અવિનાશી, અનંત, અતીન્દ્રિય, સ્વાભાવિક આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. જીવનાં સર્વ દુઃખોનો અભાવ થાય છે અને અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે. જીવ યથાર્થ પ્રયત્ન કરે તો આત્મસ્વરૂપમાં એકાગ્રતા થાય છે અને તેને અવશ્ય સિદ્ધિ મળે છે. નિષ્ઠાપૂર્વકના અભ્યાસથી જીવ આગળ વધે તો અવશ્ય લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. જીવ પ્રયોગને બરાબર અજમાવે તો તેમાં નિપુણ થતાં વાર નથી લાગતી, તેથી જીવે મોક્ષપ્રાપ્તિની સાચી વિધિ બરાબર જાણીને તેનો અભ્યાસ શરૂ કરવો જોઈએ. જે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કિંઈ પુરુષાર્થ કરવાનો છે તે પોતામાં જ કરવાનો છે, પરમાં નહીં. પરમાં કશું જ કરવાનું નથી, બધું પોતામાં જ કરવાનું છે. જીવ સ્વદ્રવ્યમાં પુરુષાર્થ દ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી, સમ્યજ્ઞાન પ્રગટાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જે જીવ યથાર્થ રુચિ કરીને, આત્મસ્વરૂપને સમજીને, મોક્ષના ઉપાયમાં પ્રવૃત્ત થાય છે તેને અલ્પ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ પ્રકાશે છે – ‘આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય. બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે, તોપણ બે ઘડીમાં તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.” બંગલો બાંધવો હોય અને ગમે તેવો હોંશિયાર કારીગર હોય તોપણ બે ઘડીમાં ન બાંધી શકે; પણ જો કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે તો બે ઘડીમાં પ્રાપ્ત કરી શકે છે. આઠ વર્ષનું બાળક વ્યાપાર ન કરી શકે, પરંતુ આત્માની સાચી સમજણ કરીને તે કેવળજ્ઞાન પામી શકે. આત્મા એવો ઉર પુરુષાર્થ કરી શકે છે કે જો તે પુરુષાર્થ અવળો હોય તો બે ઘડીમાં જીવ સાતમી નરકે જવા યોગ્ય કર્મનો બંધ કરે છે અને જો તે પુરુષાર્થ સવળો હોય તો બે ઘડીમાં જીવ કેવળજ્ઞાન પામે છે. બે ઘડી અશુભ ભાવમાં રહેવાથી અસંખ્ય વર્ષનાં નરકનાં દુઃખ પ્રાપ્ત થાય છે, બે ઘડી શુભ ભાવમાં રહેવાથી અસંખ્ય વર્ષનાં સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થાય છે અને બે ઘડી શુદ્ધ ભાવમાં રહેવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં લખે છે કે કોઈ પણ પ્રકારે, મરીને પણ આત્માને જાણવાની ઉત્કંઠાથી માત્ર એક મુહૂર્ત (બે ઘડી) શરીરનો પાડોશી રહીને આત્માનો અનુભવ કર, તો પુદ્ગલથી ભિન્ન એવું તારું પોતાનું પ્રકાશમાન સ્વરૂપ તું જોઈ શકશે અને પુદ્ગલ સાથે એકતા માનવારૂપ તારો મોહ દૂર થશે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૪ (ઉપદેશછાયા-૧૧) ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૨૩ 'अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् । पृथगथ विलसंतं स्खं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ।।' Page #376 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ उ४३ મોહક્ષયનો ઉપાય બતાવતાં આચાર્યશ્રી કહે છે કે હે જીવ, તું કોઈ પણ રીતે, મહાકષ્ટ વેઠીને અથવા મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થા. દુનિયાની દરેક પ્રકારની પ્રતિકૂળતા વેઠીને પણ, તેની ઉપેક્ષા કરીને પણ, આત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે તું એક વાર તત્ત્વનો કૌતૂહલી થા. દુનિયાનું લક્ષ છોડીને, તેનાથી વિરક્ત થઈને, તીવ્રતમ કષ્ટ વેઠીને પણ આત્માને જાણવા એક વાર કુતૂહલ કર. એક મુહૂર્ત એટલે કે બે ઘડી પર્વત પરથી છૂટો પડી તારા ચૈતન્યસ્વરૂપને જો. તેને જોતાં જ તારો શરીરાદિનો મોહ છૂટી જશે. જો તું સ્વરૂપસત્તારૂપ ભૂમિકામાં સ્થિર થશે તો પર સાથેનો તારો મોહ તરત છૂટી જશે. તારા વિકારી ભાવ છોડી, સ્વભાવમાં શ્રદ્ધાપૂર્વક લીન થશે તો ઊંધા પુરુષાર્થ વડે તે પરનું જે માલિકીપણું માન્યું છે તે દૂર થશે. ત્રણે કાળની, ત્રણે લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવે તો પણ માત્ર જ્ઞાતાપણે રહીને શરીરનો પાડોશી બનશે તો કેવળજ્ઞાન પ્રગટ થશે અને મોક્ષદશા પામશે.” જીવ દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં અટવાઈ જાય તો તે પોતાના શુદ્ધાત્માનો અનુભવ કદી કરી શકતો નથી. કેટલાક લોકો પુરુષાર્થ કરવાને બદલે પોતાના સંયોગોનો વાંક કાઢ્યા કરે છે. આવા જીવો ક્યારે પણ આગળ વધી શકતા નથી. વ્યવહારમાં પણ અમુક પ્રદેશ સમૃદ્ધ અને અમુક પછાત એવું વિભાજન કરવામાં આવે છે. તેનું કારણ કેટલાક લોકો એમ આપે છે કે એકમાં હવામાન અનુકૂળ છે અને બીજામાં નથી, એકમાં પાણી છે અને બીજો નિર્જળ છે, એકમાં કુદરતનું ધન છે અને બીજામાં પથ્થરો જ છે; એટલે કે વિકાસ અથવા અવિકાસ માટે તેઓ કુદરતને જવાબદાર માને છે. ભૂમિ સારી એટલે માણસો સમૃદ્ધ એવો સિદ્ધાંત બાંધે છે અને પ્રગતિ ન થઈ શકવા માટે ભૂમિ જવાબદાર છે એવું માને છે, પણ તેઓ ભૂલે છે કે એની એ જ ભૂમિ ઉપર ઇતિહાસના જુદા કાળમાં લોકોની પરિસ્થિતિ જુદી હતી. એનો એ જ દેશ અમુક યુગમાં દુનિયાના બધા દેશોમાં પ્રગતિને મોખરે હતો અને બીજા યુગમાં અવિકસિત ગણાવા માંડ્યો. દેશ એનો એ જ, ભૂમિ એની એ જ, હવામાન એનું એ જ - તોપણ અમુક કાળમાં આગળ અને અમુક કાળમાં પાછળ હોય છે, અમુક કાળમાં વિકાસના શિખરે હોય છે અને અમુક કાળમાં માંડ માંડ રસ્તો કાઢે છે. એનો અર્થ એ થયો કે હવામાનનો કે ભૂમિનો દોષ નથી. દેશની પ્રગતિ દેશની ભૂગોળ ઉપર નહીં પણ દેશની પ્રજા ઉપર આધાર રાખે છે. એક જ ભૂગોળ ઉપર જુદા જુદા ઇતિહાસ લખાય છે. સ્થળ સરખું પણ વૃત્તિ જુદી હોય છે. માનવી પુરુષાર્થ કરીને પ્રતિકૂળ હવામાનમાં પણ પ્રગતિ કરી શકે અને આળસ કરીને ઉત્તમ સંજોગોમાં પણ જીવન વેડફી શકે. આ ઉપરથી ફલિત થાય છે કે બાહ્યમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, જીવ જો મોક્ષના ઉપાયમાં પ્રવૃત્ત થાય તો મોક્ષ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. જીવ જો યથાર્થ પુરુષાર્થ કરે તો અવશ્ય મોક્ષ થાય જ. ઘણા જીવો અપૂર્વ Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પુરુષાર્થ પ્રગટાવી, બે ઘડીમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે. મોક્ષે જવાનો માર્ગ ત્રણે કાળમાં એક જ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર - આ ત્રણની અવિરુદ્ધ એકતા તે મોક્ષમાર્ગ છે. સાચું માનવું, જાણવું અને આચરવું તે વાસ્તવિક મોક્ષમાર્ગ છે. આત્મા આનંદનો રસકંદ છે, જ્ઞાનનો ઘનપિંડ છે, તેમાં એકત્વ સ્થાપવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે, તેને જાણવાથી-ઓળખવાથી સમ્યજ્ઞાન પ્રગટે છે અને તેમાં રમણતા કરવાથી સમ્યફચારિત્ર પ્રગટે છે. જ્ઞાની ભગવંતોએ આત્માને શાશ્વત, સર્વજ્ઞસ્વભાવી, સર્વશુદ્ધ બતાવી, તેની જ શ્રદ્ધા કરવાની, તેનું જ જ્ઞાન કરવાની તથા તેમાં જ રમણતા કરવાની પ્રેરણા આપી છે. જ્ઞાની ભગવંતોએ દર્શાવેલા આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગનું જ શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જુદી જુદી રીતે નિરૂપણ કર્યું છે. અનંત જ્ઞાનીઓએ જે મોક્ષમાર્ગ બતાવ્યો છે, તે જ મોક્ષમાર્ગ શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેથી આ શાસ્ત્રમાં મોક્ષના ઉપાયનું જે વિધાન કર્યું છે તે મુજબ વર્તવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય એ નિઃસંદેહ છે. શ્રીમદે બતાવ્યા મુજબ અંધકાર જેમ પ્રકાશ થતાં નાશ પામે છે, તેમ અજ્ઞાન-અંધકાર જ્ઞાનપ્રકાશ થતાં નાશ પામે છે અને જે જીવ જ્ઞાનપ્રકાશ પ્રગટાવે છે તે અવશ્ય મોક્ષ પામે છે; મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણોને છેદે એવી આત્મદશા જે જીવ પ્રગટાવે તે અવશ્ય મોક્ષ પામે છે; રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ ગાંઠની નિવૃત્તિ જે જીવ કરે તે અવશ્ય મોક્ષને પામે છે; સત્, ચૈતન્યમય, સર્વાભાસરહિત આત્મા જે જીવ પામે તે અવશ્ય મોક્ષને પામે છે; દર્શનમોહ અને ચારિત્રમોહને અનુક્રમે બોધ અને વીતરાગતા વડે જે જીવ હણે તે અવશ્ય મોક્ષને પામે છે; જે જીવ ક્રોધાદિ ભાવોને ક્ષમાદિ ભાવ વડે હણે તે જીવ અવશ્ય મોક્ષને પામે છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે વિવિધ પ્રકારે મોક્ષમાર્ગ - મોક્ષનો ઉપાય દર્શાવ્યો છે. તે પ્રમાણે જે જીવ વર્તે છે, તે અવશ્ય મોક્ષને પામે છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – આ ષસ્થાનક સમ્યક્ વિવેક - વિચારપૂર્વક જાણીને છઠું સ્થાનકનું - મોક્ષના ઉપાયનું આચરણ કરવામાં આવે, તો મુમુક્ષુનું ઇષ્ટ સાધ્ય - ઉપેય મોક્ષ - આત્મસિદ્ધિ સિદ્ધ થાય. તેમાં કોઈ સંદેહ નથી - શંકા સંશય નથી. કારણ કે “ઉપેય’ પ્રત્યે લઈ જાય તે જ “ઉપાય' કહેવાય છે, એટલે ખરેખર! સાધ્ય ઉપેય પ્રત્યે લઈ જનાર આ મોક્ષઉપાય સાધન અચૂક અવિસંવાદી છે, - તે મોક્ષપદ અવશ્ય અચૂકપણે પ્રાપ્ત કરાવે જ; જે ન કરાવે તો તે ઉપાય પણ કહેવાય નહીં - તેને “ઉપાય' નામ પણ ઘટે નહીં. પણ અત્રે જે દર્શાવ્યા તે તો અચૂક અવિસંવાદી મોક્ષઉપાય છે, એટલે Page #378 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ ૩૪૫ ઉપેય મોક્ષને અવશ્ય સાધે જ, - આ ત્રણે કાળમાં ન ચળે એવો નિશ્ચયરૂપ નિશ્ચળ અખંડ સિદ્ધાંત છે.”૧ જે જીવ પાંચ સ્થાનક વિચારીને મોક્ષના ઉપાયરૂપ છઠ્ઠા સ્થાનકે પ્રવર્તે છે તે જીવ અવશ્ય મોક્ષપદરૂપી પંચમ સ્થાનકને પામે છે. જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે, પણ જો દિશામૂઢ થઈ વર્તે તો કોઈ ઉપાય નથી. જીવ જો મોક્ષનું ધ્યેય બાંધી મહેનત કરે તો તેને મોક્ષ મળે છે, પરંતુ જો તે દિશામૂઢ રહી સંસારને ઉપાસે તો તે મોક્ષ મેળવવામાં નિષ્ફળ જ રહે છે. જેમ માળો બાંધવા માટે ચકલી વાદળાનું ધ્યેય બાંધે તો તે કદાપિ માળો બાંધી જ નહીં શકે. એ ગમે તેટલો વખત, ગમે તેટલી મહેનત કરે તો પણ તે નિષ્ફળ જ રહે એ સમજાય એવી વાત છે. પરંતુ જો તે ધ્યેય બદલી નાંખી, પર્વતના શિખર ઉપર માળો બાંધવાનું લક્ષ કરે તો તેના મનોરથ જરૂર સફળ થાય. પર્વતના શિખર ઉપર તે માળો બનાવી શકે છે. એમ જો જીવ ખોટી દિશામાં મહેનત કરે તો તે નિષ્ફળ જાય છે, પણ જો એ સાચી દિશા બાંધી પુરુષાર્થ આદરે તો તેને અવશ્ય મોક્ષ મળે છે. મોક્ષપ્રાપ્તિના માર્ગે પ્રયાણ કરવા માટે જીવને આત્મકલ્યાણની પ્રબળ ઇચ્છા હોવી જરૂરી છે. ઇચ્છા વિના વીર્ય પ્રગટતું નથી. સાચી ઇચ્છા હોય તો જ પાંચ પદનો વિચાર થાય અને મોક્ષનો ઉપાય કરવાનો નિશ્ચય થાય. ઇચ્છા બળવાન હોય તો જીવ પાંચ પદની વિચારણા તથા મોક્ષનો ઉપાય કરે જ છે. જીવ આત્માની શુદ્ધતા ઇચ્છે, જોર કરીને રુચિ બદલે તો રુચિની દિશા બદલાતાં પોતાની દશા બદલાઈ જાય છે અને અપૂર્વ મોક્ષદશા પ્રગટે છે. આત્માની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ તે તરફ થયા વિના રહે જ નહીં. જેને આત્મદષ્ટિ કેળવવાની રુચિ થાય છે તેની સાધના રુચિના બળે આગળ ધપતી રહે છે. જેને જેની જરૂરિયાત લાગે છે, તેને તેની જ રુચિ થાય છે. પોતાના પ્રાણથી પણ વધારે જેને આત્મપ્રાપ્તિની જરૂરિયાત લાગે છે, તેને જાગૃતિમાં તો શું, સ્વપ્નમાં પણ તેના જ તરંગ ઊઠે છે. તેને બીજું બધું જ દખલરૂપ લાગે છે. અન્યમાં તેનું ચિત્ત ચોંટી શકતું નથી. આત્મપ્રાપ્તિ વિના તેને બીજે કશે પણ સુખ લાગતું નથી. તેને બીજું કાંઈ ગમતું નથી. તેને આત્માની બહુ ખોટ જણાય છે. જીવે આત્માને મેળવવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. દઢ સંકલ્પના અભાવના કારણે જીવ સાધનાના પંથે પાછો પડે છે, નિષ્ફળ જાય છે. જેનો સંકલ્પ મોળો હોય, ઢીલો હોય, નિર્બળ હોય તે સફળ થતો નથી. તેની વૃત્તિ ખિસકોલી જેવી હોય છે. ખિસકોલીની વૃત્તિમાં આનાકાની અને અનિશ્ચિતતા હોય છે, ભય અને શંકા હોય છે. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૭૧-૫૭૨ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે નિરંતર આંટાફેરા મારતી રહે છે. તે આગળ-પાછળ, ઉપર-નીચે કરતી રહે છે. તેને ક્યાં જવું છે? શા માટે જવું છે? ત્યાં જઈને શું કરવું છે? - કંઈ ખબર હોતી નથી. તે રસ્તો ઓળંગવા જાય તોપણ થોડી આગળ જઈ, અડધેથી પાછી વળી જાય છે. આવી ખિસકોલી સમાન વૃત્તિવાળો જીવ ખૂબ ચંચળ હોય છે, સતત અનિર્ણયાત્મકતાથી પીડાતો હોય છે. તેને જીવનમાં કશું જ ઉપલબ્ધ થતું નથી. ‘વાર્થ સાધયાર વા દ્રઢ પતયાનિ - કાં તો કાર્ય સાધીશ, નહીં તો દેહ પાડીશ - એવો નિશ્ચય કરનાર જ કાર્યસિદ્ધિ કરી શકે છે. હમણાં થોડો વ્યાપાર કરી લઉં અને પછી આત્મકલ્યાણનું કાર્ય કરીશ' એમ વિચારનારને મોક્ષપ્રાપ્તિ થતી નથી. આવા વાયદા કરનારને આત્માની ઓળખાણ થતી નથી. જેને આત્મકલ્યાણની ઝંખના જાગી છે તે ક્યારે પણ ‘કાલે કરીશ' એવા વાયદા નથી કરતો. પરંતુ જેને આત્મપ્રાપ્તિની ગરજ નથી જાગી તે બહાનાં આપતો રહે છે કે “મને આત્માની રુચિ તો ઘણી છે, પરંતુ સંસારની ફરજોમાંથી સમય બચે તો કંઈક કરુંને!' “જીવન ખૂબ વ્યસ્ત છે, પ્રવૃત્તિઓની આ વણઝારમાંથી શુદ્ધાત્માની શોધનો સમય ક્યાંથી કાઢવો?' આવું કહી તે મોક્ષના ઉપાયમાં પ્રવર્તતો નથી. વળી, કેટલાક લોકો એમ કહે છે કે “અનાદિકાલીન મિથ્યા માન્યતા આટલી જલદી કઈ રીતે તૂટી શકે? તેને તોડવું એ કાંઈ સરળ કામ છે?' પરંતુ અનાદિકાલીન મિથ્યાત્વને તોડવા માટે કંઈ અનંત કાળ લાગતો નથી. તે તો અલ્પ કાળમાં તોડી શકાય છે. જો જીવ દઢ નિશ્ચય કરી લે તો મિથ્યાત્વ જલદી તૂટી શકે છે. મિથ્યાત્વભાવનો નાશ કરવામાં સર્વથી મોટી બાધા તો મિથ્યાત્વ તોડવું કઠિન છે' - એવી માન્યતા છે. આ માન્યતા જ મિથ્યાત્વને જીવિત રાખે છે. અનાદિનું મિથ્યાત્વ છે જ શું? મિથ્યાત્વ તો પ્રતિસમય નવીન ઉત્પન્ન થાય છે. અને બીજા સમયે સ્વયં નાશ પણ પામે છે. એક સમય પહેલાંનું મિથ્યાત્વ પણ બીજા સમયે આત્માની સાથે રહી શકતું નથી. અનાદિ તો તેને સંતતિપ્રવાહની અપેક્ષાએ કહેવાય છે. પ્રત્યેક સમયે નવું નવું મિથ્યાત્વ ઉત્પન્ન કરી કરીને અનાદિ કાળથી મિથ્યાત્વ અવસ્થામાં રહેવાનું થયું છે, પરંતુ વાસ્તવમાં દરેક મિથ્યાત્વભાવની સત્તા તો માત્ર એક સમયની જ છે. કોઈ પણ પર્યાય એક સમયથી અધિક ટકી જ નથી શકતી, તેથી મિથ્યાત્વની કાળમર્યાદા પણ માત્ર એક સમયની જ છે. ‘જીવ અનાદિથી મિથ્યાત્વને વશ છે' એ વાત સત્ય હોવા છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે મિથ્યાત્વ અનાદિનું નથી. તે તો પ્રતિસમય બદલાતું જ રહે છે. તેથી સમસ્યા માત્ર એક સમયના મિથ્યાત્વના નાશની જ છે. પણ અજ્ઞાની જીવ અનાદિકાલીન મિથ્યાત્વ' એમ કહી કહીને એનો મહિમા પોતાના ચિત્તમાં એટલો વધારી દે છે કે પછી એને તોડવાની હિંમત જ નથી થતી. અનાદિ કાળના મિથ્યાત્વનો Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ વિલય કરવામાં કેટલો બધો પ્રચંડ પુરુષાર્થ જોઈશે આ ખ્યાલથી જ એનામાં નિરાશા વ્યાપી જાય છે, પરંતુ જો ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો સમજાય કે આ વાતમાં કંઈ જ દમ નથી. ગાથા-૧૪૧ - વળી, મિથ્યાત્વનો નાશ કરવા માટે જીવે કંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે તે તો પછીના સમયમાં સ્વયં જ નષ્ટ થઈ જાય છે. આવશ્યકતા માત્ર એટલી જ છે કે જીવ હવે, બીજા સમયે નવું મિથ્યાત્વ ઉત્પન્ન ન થવા દે. તે માટે સ્વયંમાં એકત્વનું સ્થાપન કરવાનું છે. પોતામાં પોતાપણું સ્થાપવાનું છે, સ્વયંમાં સ્થિત થવાનું છે. આ જ મિથ્યાત્વના નાશનો એકમાત્ર ઉપાય છે. મિથ્યાત્વના નાશની એકમાત્ર કળા છે. જેને આ કળા પ્રાપ્ત થઈ ગઈ, તેનું મિથ્યાત્વ નષ્ટ થઈ જાય છે. મિથ્યાત્વના નાશ માટે જીવે પોતાના આત્માને ઓળખવો જોઈએ. આત્માના શુદ્ધ ચિદાનંદસ્વભાવને અનાદિથી જીવે ઓળખ્યો નથી અને તે કારણે તે દુઃખી, અશાંત, વિકારી છે; પરંતુ આ દુ:ખ, અશાંતિ, વિકાર હોવા છતાં પણ આજ સુધી આત્મસ્વભાવને કોઈ ક્ષતિ પહોંચી નથી. જેમ હીરાની કિંમત ખબર ન હોય તોપણ હીરાને કોઈ હાનિ થતી નથી, તેમ આત્માને જાણ્યો નથી તેથી આત્મદેવને કોઈ ક્ષતિ પહોંચી નથી. જો કોઈ હીરાની કિંમત ન જાણે તો હીરો ઓછી કિંમતનો નથી થઈ જતો, એની કિંમત તો જે છે તે જ રહે છે, પણ એ સત્ય છે કે કિંમત ન જાણનારને તેનાથી લાભ થતો નથી અને જાણનારને જરૂર લાભ થાય છે. આજ સુધી આત્મસ્વભાવની અવગણના થઈ, પરંતુ તેની ક્ષતિપૂર્તિ માટે આત્મસ્વભાવમાં કંઈ નથી કરવાનું, કારણ કે તેમાં ખરેખર કંઈ થયું જ નથી. તેમાં કોઈ ક્ષતિ થઈ જ નથી. ક્ષતિ તો ન જાણવાવાળી અને મિથ્યા જાણવાવાળી પર્યાયમાં થઈ છે. જ્યાં ક્ષતિ થઈ છે ત્યાં કાર્ય કરવાનું છે, તેથી કાર્ય પર્યાયમાં કરવાનું છે, આત્મસ્વભાવમાં કંઈ જ કરવાનું નથી. તેને તો માત્ર જાણવાનો છે, તેના સાચા સ્વરૂપમાં જાણવાનો છે, તેની સાચી કિંમત સમજવાની છે, તેના મહિમાથી પરિચિત થવાનું છે. આત્માને તો હીરાની ઉપમા આપવામાં આવે જ છે, પરંતુ આત્મપ્રાપ્તિની સાધનાના સર્વોત્તમ અવસર એવા માનવજીવનને પણ હીરાની ઉપમા આપવામાં આવે છે. અજ્ઞાની જીવ આ મનુષ્યભવરૂપી હીરાને પ્રાપ્ત કરીને પણ તેની કોઈ કિંમત નથી કરતો, વિષય-કષાયમાં, માન-મોટાઈમાં જ તેને વ્યતીત કરી નાખે છે. મનુષ્યભવની એક એક ક્ષણ અત્યંત કિંમતી છે, તેને તે વેડફી નાખે છે. આત્માની ઓળખાણ નહીં કરીને તે પોતાનું મહાનુકસાન કરે છે. જે જીવ માનવદેહ પામીને પણ આત્માની ઓળખાણ નથી કરતો, તે જીવ હીરા જેવા મનુષ્યદેહની કિંમત કોડીની કરી નાખે છે. શ્રીમદ્ લખે છે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાલ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.” ભવભ્રમણ દરમ્યાન જીવને ઢોર, કાગડા વગેરેના દેહ અનેક વાર મળ્યા છે, પણ મનુષ્યદેહ કંઈ જલદી નથી મળતો. તે મળવો તો ખૂબ જ દુર્લભ છે. માનવભવની દુર્લભતા જ્ઞાની પુરુષોએ અનેક રીતે સમજાવી છે. ચતુર્ગતિની દૃષ્ટિએ વિચારતાં મનુષ્યદેહની દુર્લભતા સ્પષ્ટ સમજાય છે. ચાર પ્રકારની ગતિ અંતર્ગત તિર્યંચ ગતિમાં જીવો અનંત છે, સ્વર્ગ અને નરક ગતિમાં અસંખ્યાતા છે અને મનુષ્ય ગતિમાં સંખ્યાતા જ છે. ગણિતાનુયોગની ભાષામાં જે સંખ્યામાં એકથી ઓગણત્રીસ અંક (Digits) હોય તેને સંખ્યાત કહે છે, તેથી વધુ આંકડાની રકમ તે અસંખ્યાત કહેવાય છે અને જેને ગણતાં ક્યારે પણ પાર આવે નહીં તે સંખ્યાને અનંત કહેવામાં આવે છે. આમ, ચારે ગતિમાં સૌથી ઓછા જીવો મનુષ્ય ગતિમાં છે. વળી, સંયમપ્રાપ્તિ, શ્રેણી-આરોહણ, મોક્ષપ્રાપ્તિ મનુષ્યભવમાં જ થઈ શકતાં હોવાથી મનુષ્યભવ શ્રેષ્ઠ છે. આ કારણને લીધે જ સુખ, શક્તિ વગેરે અનેક દૃષ્ટિએ દેવો મનુષ્યોથી ચડિયાતા હોવા છતાં તેઓ માનવદેહને ઝંખે છે. મનુષ્યપણું અને દેવપણું - આ બન્નેને ધાતુની ઉપમા આપવી હોય તો મનુષ્યપણાને લોખંડની અને દેવપણાને ચાંદીની ઉપમા આપી શકાય. માત્ર બાહ્ય દેખાવાદિથી તેની કિંમત કરવામાં આવે તો લોખંડ કરતાં ચાંદીનું પલ્લું વજનદાર બને, પરંતુ પારસમણિનો સ્પર્શ થાય તો લોખંડને સુવર્ણ બનવાનો અવકાશ છે, જ્યારે ચાંદી તો એમની એમ રહેશે. તે પ્રમાણે રિદ્ધિ, વૈભવ વગેરેનો વિચાર કરવામાં આવે તો માનવભવ કરતાં દેવભવ ચડિયાતો ઠરે; પરંતુ સદ્ગુરુરૂપી પારસમણિનો જોગ થતાં મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે દેવપણામાં તથારૂપ વિકાસ શક્ય નથી. આત્માની સમજણ મુખ્યપણે મનુષ્યદેહે જ થાય છે. જીવે નિગોદ અને કીડી વગેરેના ભવમાં અનંત અનંત કાળ કાઢ્યો છે, પરંતુ ત્યાં સતુના શ્રવણનો જોગ પણ હોતો નથી, તો સત્ની સમજણનો અવકાશ તો ક્યાંથી હોય? આત્માની સમજણ કરવી એ જ સર્વોત્તમ કાર્ય છે અને મુખ્યપણે તે કાર્ય મનુષ્યદેહમાં થતું હોવાથી માનવદેહની ઉત્તમતા છે. લક્ષ્મી, અધિકાર કે પરિવારથી મનુષ્યદેહની ઉત્તમતા નથી. માનવપણામાં જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પવિત્ર ભાવ પ્રગટ કરી શકે છે, તેથી માનવદેહને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૬૧ (પત્રાંક-૭૨૫) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ‘શુભ દેહ’ કહેવાય છે. પરંતુ જો જીવ વિષયભોગમાં જ જીવન વ્યતીત કરે તો પશુ કરતાં તેની કોઈ વિશેષતા રહેતી નથી. જે જીવને જ્ઞાયકસ્વભાવી આત્માનું ભાન નથી તે મનુષ્યના દેહે મૃગલા સમાન છે. ગાથા-૧૪૧ કસ્તુરી મૃગને પોતાની ડૂંટીમાં રહેલ સુગંધી કસ્તૂરીનું ભાન નથી હોતું, એટલે સુગંધ શોધવા તે બહાર રખડે છે; તેમ અજ્ઞાની જીવને અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પોતાના આત્મામાં જ છે એ ખબર નથી હોતી, તેથી તે સુખ માટે વિષયો પાછળ દોડે છે અને મનુષ્યજીવન વ્યર્થ ગુમાવે છે. અજ્ઞાની જીવ મોંઘા મનુષ્યભવમાં મોક્ષનો ઉપાય કરવાને બદલે પોતાનું જીવન વિષયભોગમાં વ્યર્થ ગુમાવી દે છે. કોઈ મૂર્ખ જેમ સુવર્ણના થાળમાં ધૂળ ભરે છે, અમૃત વડે પોતાના પગ ધૂએ છે, કાગડાને ઉડાડવા માટે રત્ન ફેંકે છે; તેમ અજ્ઞાની જીવ પ્રાપ્ત થયેલ અત્યંત દુર્લભ એવો મનુષ્યજન્મ વિષયભોગમાં વેડફી નાખે છે. જીવ પોતાના અલ્પ મુદતવાળા અનિત્ય મનુષ્યજીવનનો આવો ખોટો ઉપયોગ કરે છે. જીવ જન્મ્યો ત્યારથી જ તેણે સ્મશાને જવાનો રસ્તો પકડ્યો છે. તે પ્રતિક્ષણ સ્મશાન તરફ જઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે તેનું આયુષ્ય ઘટતું જાય છે. આયુષ્યમાંથી એક એક દિવસ ઓછો થતો જાય છે. એક એક દિવસ કરીને કેટલાં બધાં વર્ષ વેડફાઈ જાય છે. અનિયત આયુષ્યનો છેલ્લો શ્વાસ ક્યારે લેવાશે એની ખબર નથી, છતાં જીવ ત્વરાથી આત્મકલ્યાણનું કામ કરવાને બદલે ભોગવિલાસ, વિકથા આદિમાં અટકેલો રહે છે. તેવા જીવ માટે ‘પદ્મનંદિ પંચવિંશંતિઃ'માં કહ્યું છે કે આ મનુષ્ય શું વાનો રોગી છે? શું ભૂત-પિશાચ આદિથી હાયો છે? શું ભ્રાંતિ પામ્યો છે? અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી સમાન ચંચળ છે' એ વાત જાણે છે, જુએ છે અને સાંભળે પણ છે, તોપણ પોતાના આત્મહિતનું કાર્ય કરતો નથી.૧ આ દુર્લભ અવસર પ્રાપ્ત કરીને પણ જીવ જો આત્માનું હિત ન કરે તો પછી પારાવાર પસ્તાવું પડે છે. જીવ પરદ્રવ્ય અને પરભાવના રસમાં લીન રહી શુદ્ધાત્માની પ્રતીતિ કરવાના ઉદ્યમ માટે જરૂરી સમય ફાળવતો નથી અને મરણનો સમય તો ગમે ત્યારે આવી પહોંચે છે. આત્મપ્રતીતિ ન કરી હોવાના કારણે તે રોગની, વેદનાની, મરણની, એકત્વબુદ્ધિની, આર્તધ્યાનની ભીંસમાં ભીંસાઈને દેહ છોડે છે. તે મનુષ્યભવ ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશંતિઃ', અધિકાર ૩, શ્લોક ૪૭ ‘વાતૂહ एष किमु किं ग्रहसंगृहीतो भ्रान्तोऽथ वा किमु जनः किमथ प्रमत्तः I जानाति पश्यति शृणोति च जीवितादि विद्युच्चलं तदपि नो कुरुते स्वकार्यम् ।।' Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હારીને ચાલ્યો જાય છે. તેનો મનુષ્યભવ એળે જાય છે, ઉત્તમ અવસર તેના હાથથી નીકળી જાય છે; માટે જીવે ચેતી જવું જોઈએ, સાવધાન થવું જોઈએ. આવો અવસર ફરી ફરી નથી મળતો. આ અતિદુર્લભ મનુષ્યભવનો લ્હાવો લઈ લેવો જોઈએ. મર્યાદિત સમયમાં અમર્યાદિત આત્મપુરુષાર્થ આદરવો જોઈએ. સદા શરણભૂત એવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કરવો જોઈએ. પોતાના જીવનની એક એક ક્ષણનો ઉપયોગ ત્રિકાળી સ્વરૂપને પકડવામાં જ કરવો જોઈએ. મોક્ષરૂપી પંચમ સ્થાનકની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપનો આશ્રય આવશ્યક હોવાથી જ્ઞાનીઓ, અમૂલ્ય ચિંતામણિ જેવો મનુષ્યદેહ પામીને વિષય-કષાયમાં પ્રવર્તનાર જીવોને આત્માનું અવલંબન લેવાની પ્રેરણા કરે છે. મોક્ષનો ઉપાય કરતાં અવશ્ય મોક્ષ પ્રગટે છે એવી બાંહેધરી આપી તેઓ અતિ પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલા મનુષ્યદેહ દ્વારા શીધ્ર આત્મસાધન કરવા પ્રેરણા કરે છે. તેઓ કરુણાભાવથી જીવોને ઉદ્બોધન કરી કહે છે, હે જીવ! તને આ દુર્લભ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. તે દ્વારા ત્વરાથી આત્માની ઓળખાણ કર. વીતરાગમાર્ગમાં સાવધાન થા. આત્માનો અનુભવ કરીને મોક્ષ સાધવાની આ તક છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો આ અવસર મળ્યો છે, માટે હે જીવ! હવે તું પ્રમાદ કરીશ નહીં. અબજો રત્ન આપવા છતાં જેની એક ક્ષણ મળવી મુશ્કેલ છે એવું મનુષ્યપણું જગતના વ્યાપારમાં ગુમાવવાને બદલે આત્માના લાભનો વ્યાપાર કર. તું મનુષ્યભવનો ઉપયોગ ધન, સત્તા આદિ એકઠું કરવામાં કરે છે, પણ તે બધું વ્યર્થ છે. તેનાથી કોઈ લાભ નથી. આત્માની આરાધના કરવાથી લાભ જ લાભ છે. પરદ્રવ્યના ગ્રહણની બુદ્ધિથી તું સંસારદુઃખમાં પીલાઈ રહ્યો છે. હવે તું ઉપયોગને અંતરમાં વાળી ત્વરાથી આત્માને અંગીકાર કર. સ્વદ્રવ્યનો ગ્રાહક થા, રક્ષક થા, વ્યાપક થા, ધારક થા, રમક થા. આત્માને ભૂલીને તે અનંત કાળ ભાવમરણ કર્યું, હવે સ્વપરની ભિન્નતાને જાણીને તારા આત્માને ભાવમરણથી બચાવ. આ માનવભવનો કાળ ભલે ટૂંકો હોય, પરંતુ તે જ તો આત્મહિત સાધવાનું ટાણું છે, ધર્મની કમાણી કરવાનો અવસર છે; માટે ધર્મની કમાણી કર, ચૈતન્યમાં લીન થા, મોક્ષસુખને પામ.' જે જીવ મોક્ષ સાધી શકાય એવા આ મનુષ્યભવરૂપ અવસરને ઓળખીને, સ્વપરનું યથાર્થ જ્ઞાન પ્રગટાવીને આત્માને ઓળખે છે, તેનો નિઃસંદેહપણે મોક્ષ થાય છે. જે આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરે છે તથા તે નિર્દોષ સ્વભાવમાં એકાગ્રતારૂપ ઉત્તમ આચારનું પાલન કરે છે તે અવશ્ય મોક્ષ પામે છે, તેથી શ્રીમદ્ આ ગાથામાં આત્માનાં પાંચ સ્થાનક વિચારીને છઠ્ઠા સ્થાનકે પ્રવર્તી મોક્ષપદરૂપ પંચમ સ્થાનક પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અધ્યયન કરીને જીવે પાંચ પદની વિચારણા કરી, મોક્ષના ઉપાયમાં પ્રવર્તન કરી, મોક્ષપ્રાપ્તિ કરવા યોગ્ય છે. મોક્ષપ્રાપ્તિ Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ ૩૫૧ એ જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ફલશ્રુતિ છે. ૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – “સ્થાનક પાંચ વિચારીને, અંતર કરે દૃઢત્વ; સવિવેક સવિનયથી, સમજી આતમ તત્ત્વ. યથાયોગ્ય પરિણામથી, છઠું વર્તે જેહ; સત્વરે નિજ સુખ અનુભવે, વાંછિત પામે એહ. પરમ નિવૃત્તિરૂપ જે, શાશ્વત સિદ્ધ સ્વરૂપ; પામે સ્થાનક પાંચમું, નિજ અનંત ગુણ ભૂપ. શુદ્ધ ભાવ નિજ આત્મનો, આરાધક છે જેહ, તે તે પદને અનુભવે, એમાં નહિ સંદેહ.” ૧- શાસ્ત્રના અંતે તેની ફલશ્રુતિ બતાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. અધ્યાત્મશાસ્ત્રની ફલશ્રુતિ તે મોક્ષપ્રાપ્તિ જ છે. નીચેનાં કેટલાંક અવતરણોથી તે વધુ સ્પષ્ટ થશે. જુઓ : (૧) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૧૫ 'जो समयपाहुडमिणं पडिहूणं अत्थतच्चओ गाउं । अत्थे ठाही चेया सो होही उत्तम सोक्खं ।।' અર્થ - જે આત્મા (ભવ્ય જીવ) આ સમયપ્રાભૂતને ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને, તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે. (૨) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇબ્દોપદેશ', શ્લોક ૫૧ 'इष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्, मानापमानसमतां स्वमताद्वितन्य । मुक्ताग्रहो विनिवसन् सजने वने वा, मुक्तिश्रियं निरुपमामुपयाति भव्यः ।।' અર્થ – આ પ્રકારે ‘ઇબ્દોપદેશ'ને મનન કરીને, હિત-અહિતની પરીક્ષામાં પ્રવીણ એવા ભવ્ય જીવો, પોતાના આત્મજ્ઞાન વડે માન-અપમાનમાં સમતા રાખીને, સર્વ આગ્રહ તજીને, નગર અથવા વનમાં વિધિપૂર્વક રહે છે અને તેઓ નિરુપમ, ઉપમારહિત, મુક્તિરૂપી લક્ષ્મીને પામે છે. (૩) આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૬૮નો ઉત્તરાર્ધ 'इदमविकलमन्तः संततं चिन्तयन्तः । सपदि विपदपेतामाश्रयन्ते श्रियं ते ।।' અર્થ - જે ભવ્ય જીવ આ ગ્રંથનું નિરંતર ચિતવન, કરે છે તે સમસ્ત વિપત્તિઓથી મુક્ત થઈ શીધ્ર મોક્ષલક્ષ્મીનો આશ્રય કરે છે. ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પ૬૧-૨૬૪) Page #385 -------------------------------------------------------------------------- ________________ Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૪૨ દેટ છતાં ન દ, વસે દેતા, ને નનાં સર માં , હે વંદન ખાલી. Page #387 -------------------------------------------------------------------------- ________________ Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૪૨ ભૂમિકા ગાથા ૧૪૧માં શ્રીમદે કહ્યું કે આત્માનાં પાંચ સ્થાનકો વિચારીને જે છઠ્ઠા સ્થાનકમાં વર્તે છે, તે પાંચમું સ્થાનક પામે છે; અર્થાત્ મોક્ષના ઉપાયમાં જે જીવ પ્રવૃત્ત થાય છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે એમાં કોઈ સંદેહ નથી. આમ, આ પવિત્ર શાસ્ત્રના અભ્યાસથી શું કર્તવ્ય છે તે બતાવી, હવે અંતિમ માંગલિક ગાથા દ્વારા શ્રીમદ્ આ અલૌકિક શાસ્ત્રની પૂર્ણાહુતિ કરે છે. જેમ ગ્રંથકારો સંથારંભમાં ઇષ્ટ દેવને નમસ્કાર કરીને ગ્રંથની મંગળ શરૂઆત કરે છે, તેમ ગ્રંથ પૂર્ણ કરતી વખતે પણ ઘણા ગ્રંથકારો ઇષ્ટ દેવને નમસ્કાર કરીને પૂર્ણાહુતિ કરે છે. ગ્રંથની પૂર્ણતા નિર્વિઘ્ન થયાના સંતોષથી, કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવા, સત્કાર્યનો યશ પોતાના આરાધ્યદેવને આપવા તેમજ કૃતિમાંથી પોતાના કર્તુત્વનું વિલોપન કરવાના સદ્દભાવથી જ્ઞાની ભગવંતોના જીવન-વંદનરૂપ અંતમંગળ કરવાની પ્રથા ગ્રંથકારોએ અપનાવેલી છે. આ પ્રાચીન પરંપરાને અનુસરીને શ્રીમદ્ પણ અત્યંત ભક્તિભાવભર્યા હૃદયથી અંતમંગળ કરે છે – “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; | ગાથા તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.... (૧૪૨) ન પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો! (૧૪૨). ન શ્રી જિનેશ્વરપ્રણીત પરમ પવિત્ર વીતરાગદર્શનના સારરૂપ, મહાકલ્યાણકારી ભાવાર્થ ૧] આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અંતિમ માંગલિક ગાથા ઉચ્ચારતાં શ્રીમદ્ કહે છે કે દેહનો સંયોગ હોવા છતાં, દેહાત્મભ્રમ નષ્ટ થઈ જવાથી જેઓ દેહથી પર થયા છે, અર્થાત્ દૈહિક શાતા-અશાતાથી જેઓ હર્ષ-શોક પામતા નથી, તે જ સાચા જ્ઞાની પુરુષ છે. જેમ નાળિયેરમાં પાણી સુકાતાં અંદરનો કોપરાનો ગોળો કાચલીથી છૂટો પડી જાય છે, તેમ દેહાત્મબુદ્ધિરૂપ પાણી સુકાઈ જતાં દેહાતીત દશા પ્રાપ્ત થાય છે. હું દેહ છું', ‘દેહ મારો છે', 'હું દેહની ક્રિયા કરી શકું છું' વગેરે દેહાત્મબુદ્ધિરૂપ ભમ જેમનો નષ્ટ થઈ ગયો છે અને જેમની પરિણતિ દેહથી છૂટી પડી સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, એવા દેહાતીત દશાયુક્ત જ્ઞાનીના ચરણકમળમાં શ્રીમદ્ અગણિત ભાવનમસ્કાર કરે છે. ' અર્થ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનાં ષટ્રસ્થાનકને સમ્યક્ રીતે સર્વાગપણે નિર્ધારી, દેહાત્મબુદ્ધિ છેદી, નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં એકત્વ સાધી, અનંત અતીન્દ્રિય આનંદમાં જેઓ મગ્ન થયા છે; જેઓ દેહ છતાં દેહાતીત જીવન્મુક્તદશાને પ્રાપ્ત થયા છે એવા જ્ઞાની પુરુષનું અત્યંત વિનમ ભાવે, વિનયપૂર્વક અભિવાદન આત્માર્થી જીવથી સહેજે થઈ જાય છે, કારણ કે તે પણ એ જ દશાનો અભિલાષી છે. સમસ્ત પદાર્થોમાં સર્વશ્રેષ્ઠ અને સારભૂત એવા અનંત સુખસ્વરૂપ શુદ્ધ નિજપદની પ્રાપ્તિના અભિલાષી મુમુક્ષુ જીવને આ જ દશા આદર્શરૂપ હોવાથી, અગણિત એવા પરભાવથી વિરામ પામવારૂપ આત્મસંયમમાં પોતાના વીર્યની ફુરણા અર્થે, દેહ છતાં વિદેહી એવા મૂર્તિમાન મોક્ષરૂપ જ્ઞાનીને તે અગણિત વંદના કરે છે. તે આત્માનો વિકાસ થતાં થતાં જ્યારે જીવને અંતિમ અયોગી ગુણસ્થાનકની વિશેષાર્થ * પ્રાપ્તિ થાય છે ત્યારે મન-વચન-કાયાના યોગનો અને કર્મની તમામ વર્ગણાઓનો - સમસ્ત પુદ્ગલોનો સંબંધ સર્વ કાળને માટે છૂટી જાય છે. તે અયોગી અબંધ અવસ્થા પામેલ ભગવાન, આયુષ્ય પૂર્ણ થતાં લોકાંતે સિદ્ધશિલાની ઉપર સાદિ અનંત કાળ સુધી અનંત સમાધિસુખમાં બિરાજમાન થાય છે. સિદ્ધદશા કમરજની મલિનતાથી રહિત હોય છે અને આત્મપ્રદેશોના નિષ્કપપણાના કારણે આત્મા અડોલ, અચલ, અત્યંત સ્થિર હોય છે. કર્મરૂપ કાલિમા દૂર થવાથી શુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ સિદ્ધાત્મા અનન્ય, એક આત્મામય જ, અગુરુલઘુ અને અરૂપી સહજ સ્વાભાવિક નિજાનંદમય વિદેહી દશાવાન હોય છે. કર્મબંધનો સંપૂર્ણ ઉચ્છેદ થવાથી દેહરહિત સિદ્ધ ભગવાન તો વિદેહી કહેવાય જ છે, પરંતુ દેહ હોવા છતાં પણ દેહના સંસ્કારોથી રહિત એવા અરિહંત ભગવાન પણ વિદેહી - દેહાતીત કહેવાય છે. ૧ પૂર્વબદ્ધ કર્મના કારણે અરિહંત ભગવાન યોગ સહિત છે - દેહધારી છે, છતાં તેઓ સ્વસ્વરૂપમાં સંપૂર્ણપણે સમવસ્થિત હોય છે. બાહ્યાકારે દેહનું પ્રવર્તન થવા છતાં અંતરમાં તો તેઓ સ્વરૂપમાં સદા સ્થિત જ હોય છે. દેહાદિ પ્રત્યેના અહં-મમબુદ્ધિરૂપ પરભાવને ત્યજી, નિજ શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કરી, ઉત્તરોત્તર ચારિત્રદશા અંગીકાર કરી, મોહનો સર્વથા ક્ષય કરી, સદા સર્વથા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ અરિહંત ભગવાન અનંત અને અતીન્દ્રિય એવા આત્મિક આનંદમાં મગ્ન હોય છે. પ્રસ્તુત ગાથામાં પ્રારબ્ધયોગના કારણે વર્તમાનમાં દેહ સહિત ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૩, સૂત્ર ૧૦-૧૧ ___ 'विगतदेहाः विदेहाः । के पुनस्ते ? येषां देहो नास्ति, कर्मबन्धसन्तानोच्छेदात् । ये वा सत्यपि देहे विगतशरीरसंस्कारास्ते विदेहाः ।' Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૫૭ વર્તવા છતાં પૂર્ણ જીવન્મુક્તદશાનો અનુભવ કરનાર એવા સર્વજ્ઞ પ્રભુને શ્રીમદે અગણિત વંદન કર્યા છે. શ્રીમદે આ ગાથામાં સર્વોપરી એવા દેહરહિત સિદ્ધ ભગવંતને વંદન કરવાને બદલે જેઓ દેહ સહિત છે અને છતાં જેમની દશા દેહાતીત છે એવા અરિહંત ભગવાનને વંદન કર્યા છે તેની પાછળનો હેતુ સમજવા યોગ્ય છે. અજ્ઞાની જીવને સ્વરૂપપ્રાપ્તિ અર્થે નિરાકાર અને નિર્દેહી સિદ્ધ ભગવાનનું ચિંતન કરવા કરતાં સાકાર અને સદેહી અરિહંત ભગવાનના સ્વરૂપનું અનુસંધાન કરવું સરળ પડે છે, કારણ કે અરિહંત ભગવાનમાં જીવ સમજી શકે તે રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વ્યક્ત છે. શ્રીમદ્ લખે છે – ‘સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગખ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે..... નમસ્કાર મંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે.' સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનનાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, તેથી સિદ્ધ ભગવાનની ઉપાસનાની જેમ અહંત ભગવાનની ઉપાસના કરવાથી પણ જીવ સ્વરૂપપ્રાપ્તિ કરી શકે છે. વળી, જીવન્મુક્તદશાના અનંત આનંદમાં વિલસતા એવા સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમાત્મા જગતના જીવોના ઉદ્ધાર માટે નિષ્કારણ કરૂણાશીલતાથી દિવ્ય દેશના વરસાવે છે. તેમના દ્વારા અપાયેલ બોધના શ્રવણથી આપ્ત, આગમ અને પદાર્થના વિષયમાં જીવને દઢ શ્રદ્ધા થાય છે અને ક્રમે કરીને તે જીવ સર્વ મોહને હણી, ચાર ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આમ, જીવને જ્ઞાનદશા પ્રાપ્ત કરવા માટે સિદ્ધ ભગવાન કરતાં, દેહના સંયોગમાં હોવા છતાં જેમણે દેહાસક્તિ ત્યાગી છે, એટલે કે જેમનો દેહભાવ સહજ રીતે છૂટી ગયો છે અને પોતાના ત્રિકાળી શુદ્ધ ચિતૂપ સ્વરૂપનો અનુભવ જેમને નિરંતર વર્તે છે એવા દેહ છતાં દેહાતીત દશાવાન અરિહંત ભગવાન વિશેષ ઉપકારી છે. તેથી દેહ હોવા છતાં પણ આત્મમય સ્થિતિમાં જ રહે છે તેવા અરિહંત ભગવાનને આ ગાથામાં શ્રીમદે અગણિત વંદન કર્યા છે. અરિહંત ભગવાનને અનંત સ્વાભાવિક ગુણો પ્રગટ હોય છે. અહીં શ્રીમદે અરિહંત ભગવાનના નીરાગતા, નિર્વિકારતા, સચ્ચિદાનંદસ્વરૂપપણું, સહજાનંદીપણું, અનંત જ્ઞાનીપણું, અનંત દર્દીપણું, ગૈલોક્યપ્રકાશકતા આદિ અનંત ગુણોમાંથી બીજા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૭૧ (આંક-૭૫૩, ૧) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ ગુણને પ્રાધાન્ય ન આપતાં માત્ર દેહાતીતપણાને જ પ્રાધાન્ય આપ્યું છે. તેનું રહસ્ય સમજાવતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે – આપણો દેહ અને દેહભાવ એટલા વ્યક્ત છે કે જેને આપણે ક્ષણે-ક્ષણે અનુભવી રહ્યા છીએ. દેહભાવ એક ક્ષણ માટે લોપાતો નથી. સુષુપ્તિમાં કે જાગૃતિમાં દેહમાં થનાર પરિણમનને અનુભવી જ રહ્યા છીએ. દેહના એક પણ રોમરાયમાં કંઈ પણ થાય તે તરત વેદીએ છીએ. તેનાથી ઉત્પન્ન સુખ-દુઃખને વેદીએ છીએ. પણ વેદવાવાળો કોણ છે તેની આપણને ખબર નથી. જો થોડા જ ઊંડા જઈને વિચારીએ તો સમજી શકીએ છીએ કે દેહમાં થતાં પ્રકમ્પનોને વેદનાર અન્ય કોઈ છે. અને તે દેહથી જુદો હોય તેવું જણાય છે. પણ આપણે ઊંડા જતા નથી. ઉપરના સ્તર સુધી જ રહીએ છીએ. તેથી દેહભાવથી બહાર આવતા નથી. એમ દેહની સતત અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ દેહાધ્યાસ. જ્યાં સુધી દેહાધ્યાસ દૂર થાય નહીં ત્યાં સુધી આત્મા ઉન્નતિના માર્ગે પ્રયાણ કરી શકે નહીં. તો એક તો આપણને દેહભાવમાંથી છોડાવી આત્મોન્નતિના માર્ગે ચડાવવા માટે અરિહંતના આ ગુણને લક્ષ્ય કરીને કહ્યું છે અને બીજું આપણે દેહને વધુ ઓળખીએ છીએ તેથી દેહાતીત અવસ્થાને ઓળખવી પણ એટલી જ જરૂરી છે એ બતાવવા માટે.” જેમ જેમ અરિહંત ભગવાનની અલૌકિક દેહાતીત દશાની ઓળખાણ થતી જાય છે, તેમ તેમ મુમુક્ષુને તેમના પ્રત્યે વિશિષ્ટ અહોભાવ આવતો જાય છે. તેને તેમની દેહાતીત દશાનું વારંવાર સ્મરણ રહે છે અને તેમના પ્રત્યે દઢ આશ્રયભક્તિ ઉદિત થાય છે. તે પોતાની દેહાસક્તિ અને જિનેશ્વર ભગવાનની દેહાતીત દશાની તુલના કરે છે અને દેહાતીત દશા પ્રાપ્ત કરવાનો લક્ષ બાંધે છે. પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે જિનેશ્વર ભગવાનની દેહાતીત દશામાં જ તેની વૃત્તિનું અનુસંધાન રહેતું હોવાથી તેની દેહાત્મબુદ્ધિ મોળી પડતી જાય છે. સ્વ-પર વચ્ચે ભેદજ્ઞાન થાય છે અને અંતર્મુખતા સધાય છે. તે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય છે અને તેને અનુભવદશા પ્રગટે છે. આ પ્રકારે અરિહંત ભગવાનની દેહ છતાં દેહાતીત દશાના લક્ષે મુમુક્ષુ જીવ પણ તે દેહાતીત દશાનો આસ્વાદ લે છે. જેમ દીપકથી ભિન્ન એવી બત્તી, દીપકની ઉપાસના કરીને તેના જેવી – દીપકસ્વરૂપ થઈ જાય છે; તેમ જીવ પોતાના આત્માથી ભિન્ન એવા અરિહંત ભગવાનની ઉપાસના કરે તો તેવી પરમાત્મદશા પ્રગટ થાય છે. આમ, ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૩, પૃ.૧૨૪-૧૨૫ ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૯૭ 'भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । वर्तिीपं यथोपास्य भिन्ना भवति तादृशी ।।' Page #392 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૫૯ અરિહંત ભગવાનની દેહ છતાં દેહાતીત દશા આત્મસિદ્ધિ માટે મુમુક્ષુ જીવને પરમ અવલંબનભૂત છે. આત્મસિદ્ધિના કારણરૂપ એવા અરિહંત ભગવાનનું અંતરંગ પરિણમન અલૌકિક છે, વંદનીય છે. દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો નિરંતર અનુભવ કરતા હોવાથી તેઓ મુક્ત જ છે, તેથી પરમ ભક્તિથી બહુમાન કરવા યોગ્ય છે. માટે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અંતમંગળ કરતાં તેમના ચરણોમાં અગણિત નમસ્કાર કર્યા છે. સંપૂર્ણ દેહાતીત દશા તો તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે હોય છે, પરંતુ ચોથા ગુણસ્થાનકથી જ તે દેહાતીત દશાનો પ્રારંભ થઈ જાય છે. સમ્યગ્દર્શન થતાં જ દેહાદિમાં રહેલી તાદાત્મ્યબુદ્ધિ નિવૃત્ત થાય છે. જીવ જ્યારથી દેહાધ્યાસના સંસ્કારોનો વિલય કરવા માંડે છે ત્યારથી દેહાતીત દશાની શરૂઆત થઈ જાય છે. દેહાતીત દશાની પ્રાપ્તિ અર્થે ઉગ્ર પુરુષાર્થ કરવો ઘટે છે, કારણ કે જીવના દેહાત્મબુદ્ધિના સંસ્કારો ખૂબ પ્રગાઢ હોય છે. તેણે અનાદિ કાળથી ક્યારે પણ આત્મામાં પોતાપણું સ્થાપિત કર્યું નથી. તે તો સંયોગ સંબંધે મળેલ દેહને જ પોતાનું અસ્તિત્વ માને છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા દેહરૂપી દેવળમાં રહે છે. સંયોગ સંબંધે તે જે દેહમાં રહે છે, તે દેહ સાથેનો તેનો સંબંધ અલ્પજીવી હોય છે. કોઈનો દેહ કાયમ માટે રહેતો નથી. તેનો વિયોગ થઈને જ રહે છે. સંયોગ સંબંધે પ્રાપ્ત થયેલ દેહ પ્રત્યે જીવને જે પ્રારબ્ધ હોય છે, તે વ્યતીત થતાં તે દેહનો પ્રસંગ નિવૃત્ત થાય છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં અજ્ઞાની જીવ દેહને પોતાનો જાણે છે. મોહમૂઢ જીવ દેહ મારો છે' એવું મમત્વ કરે છે. તે દર્શનમોહના ઉદયને આધીન થઈ દેહમાં મમત્વ કરે છે. તેને પોતાને પ્રાપ્ત થયેલ દેહમાં સર્વ કરતાં અધિક સ્નેહ રહે છે. ‘હું દેહ છું, દેહ મારો છે' એ આધારશિલા ઉપર જ તેનો સમગ્ર વ્યવહાર ચાલતો હોય છે. તે દેહમાં રહીને અનેક કલ્પનાઓથી દુ:ખી થતો રહે છે. દેહાસક્તિના કારણે તેને દુઃખ, સંતાપ, ઉદ્વેગ, ભયાદિ ઊપજે છે. અજ્ઞાની જીવ પોતાને દેહરૂપ માને છે, પરંતુ આત્મા કંઈ દેહરૂપ થઈ જતો નથી. ભગવાન આત્મા દેહદેવાલયમાં બિરાજમાન છતાં દેહરૂપ થયો નથી. આશ્ચર્ય અને આનંદની વાત છે કે દેહના સંયોગમાં અનાદિથી રહ્યો હોવા છતાં, દેહની સાથે અનંત કાળ ગાળ્યો હોવા છતાં તે દેહરૂપ અનાત્મરૂપ નથી થયો, ચૈતન્યરૂપ - આત્મારૂપ જ રહ્યો છે. જેમ દર્પણની સામે કોઈ વસ્તુ આવે છે ત્યારે દર્પણ અચૂકપણે તેનું પ્રતિબિંબ પાડે છે. દર્પણમાં તે વસ્તુનું પ્રતિબિંબ પડતું હોવા છતાં દર્પણ તે વસ્તુરૂપ બની જતું નથી, દર્પણ તો દર્પણ જ રહે છે. એ જ રીતે જ્ઞાનમાં દેહનું તો માત્ર પ્રતિબિંબ જ પડે છે. આત્મા કાંઈ દેહરૂપ બની જતો નથી. આત્મા સદૈવ જ્ઞાનરૂપ જ રહ્યો છે, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્યારે પણ દેહરૂપ બન્યો નથી. માત્ર ભાંતિવશ તેણે પોતાના જ્ઞાનમાં પડેલ દેહના પ્રતિબિંબમાં હુંપણું કરી લીધું છે અને એ જ એની ભૂલ છે. દેહનો સંયોગ હોવા છતાં આત્મસ્વરૂપ તો દેહાતીત જ છે. મૃત્યુ પછી નહીં, સિદ્ધશિલા ઉપર જ નહીં, દેહની વિદ્યમાનતામાં પણ આત્મસ્વરૂપ તો દેહાતીત જ છે. એ દેહાતીત સ્વરૂપની અનુભૂતિ માટે દેહ હોય ત્યારે જ તે દેહથી છૂટા પડી જવાનું છે. દેહથી છૂટવાનો રસ્તો, “હું દેહ નથી' એ વાતનું નિરંતર સ્મરણ છે. ઊઠતા-બેસતાં એ જ સ્મરણ રહેવું જોઈએ કે હું દેહ નથી.' આ વાત નિષેધાત્મક છે. પરંતુ કોઈ પણ પ્રતીતિને તોડવી હોય તો એનો નિષેધ કરવો જરૂરી છે. જેમ કંઈ ખોટું લખાઈ ગયું હોય તો પહેલાં એને ભૂંસવું પડે, પછી તે જગ્યા ઉપર નવું લખી શકાય; તેમ સ્વયંની યથાર્થ પ્રતીતિ લાવવા માટે પ્રથમ વિપરીત પ્રતીતિને નિર્મૂળ કરવી પડે છે. પરંતુ દેહ નથી, દેહ સાથે મારે કિંચિત્માત્ર સંબંધ નથી' એટલું સ્મરણ પૂરતું નથી. વિધેયાત્મક સ્મરણ કે હું આત્મા છું' એ પણ હોવું અત્યંત જરૂરી છે. હું આત્મા છું' એ સ્મરણ પણ આવશ્યક છે, માટે તે ચૂકવા યોગ્ય નથી. સાધના માટે આ બને સ્મરણ આવશ્યક છે. નિષેધરૂપે સ્મરણ કરવું કે હું દેહ નથી અને વિધેયાત્મક સ્મરણ કરવું કે 'આત્મા છું. નાસ્તિથી શરૂઆત કરી, તેનું અસ્તિમાં રૂપાંતરણ કરવું જોઈએ. નાસ્તિના બોધ વિના અંતરયાત્રા શરૂ થતી નથી અને અસ્તિનું બળ આવ્યા વિના કદાપિ પ્રાપ્તિ થતી નથી. તેથી નાસ્તિથી પ્રારંભ કરવો કે “આ જે જણાય છે, દેખાય છે તે હું નથી અને પછી વિધેયાત્મક પ્રતીતિ દઢ કરવી કે હું તો માત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપી શાશ્વત પદાર્થ છું.' આ બન્ને બોધ પ્રગાઢ થતાં ચેતના જાગી ઊઠે છે. આમ, પ્રથમ જે મિથ્યા જ્ઞાન હોય તેનો નિષેધ કરી, પછી સમ્યક્ જ્ઞાનની સિદ્ધિ કરવી. પહેલાં જે દશ્ય છે તેની બાદબાકી કરવી, તો અદશ્યની અનુભૂતિ ત્વરાથી થશે. જીવે અત્યાર સુધી દેહને તો જામ્યો છે, પરંતુ દેહદેવળમાં બિરાજમાન જ્ઞાનસ્વભાવી નિજાત્માને નથી જાણ્યો. હવે નિજભગવાન આત્માને જાણવા પુરુષાર્થી થઈ તેને જ ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હજી સુધી જીવની દૃષ્ટિ દેહ ઉપર જ કેન્દ્રિત રહી છે, આત્મા સુધી પહોંચી જ નથી. તેની દૃષ્ટિ દેહને ભેદીને, તેની અંદર બિરાજમાન ભગવાન આત્મા સુધી પહોંચી નથી. હવે દેહ ઉપરથી દૃષ્ટિ હટાવવી જોઈએ. દેહ ઉપરથી દૃષ્ટિ હટાવીને આત્મા તરફ લઈ જવી જોઈએ. દષ્ટિને દેહની અંદર બિરાજમાન, દેહથી ભિન્ન નિજભગવાન આત્મા ઉપર લઈ જવાની છે. આના માટે દષ્ટિનું ભેદક સામર્થ્ય પ્રગટાવવું પડશે. જીવની દૃષ્ટિમાં એવું ભેદક સામર્થ્ય છે કે તે ધારે તો દેહની તરફ દેખવા છતાં દેહ ન દેખાય, પરંતુ એની અંદર બિરાજમાન Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૬૧ આત્મા જ દેખાય. દૃષ્ટિનું ભેદક સામર્થ્ય પ્રગટ કરવાથી દેહદેવાલયમાં બિરાજમાન ભગવાન આત્મા દેખાય છે. જેમ મંદિરમાં બિરાજમાન ભગવાનનાં દર્શન કરવા હોય તો મંદિરમાં જવું પડે છે. મંદિરને જોવું તો પડે છે, પણ જો ત્યાં જઈને મંદિર જ જોયા કરવામાં આવે તો ભગવાનનાં દર્શન ન થાય. જો ભગવાનનાં દર્શન કરવા હોય તો મંદિરને જોઈને, મંદિરને જોવાનું બંધ કરીને, ભગવાનને જોઈએ તો જ ભગવાનનાં દર્શન થાય; તેમ દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્માનાં દર્શન કરવા માટે દેહને પણ જોવો તો પડે છે, પરંતુ દેહને જોઈને, દેહને જોવાનું બંધ કરીને, ભગવાન આત્માને જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ ભગવાન આત્માનાં દર્શન થાય છે. દેહને જોવામાં પણ દેહને જોવાનો ઉદ્દેશ નથી હોતો, પણ ભગવાન આત્માને જોવાનો જ ઉદ્દેશ હોય છે; તેથી દેહને જોવા ઉપરાંત દેહને જોવાનું બંધ કરીને, તેમાં વિદ્યમાન ભગવાન આત્માને જોવાનો અપૂર્વ રુચિપૂર્વક ઉઝ પુરુષાર્થ કરવામાં આવે છે ત્યારે ભગવાન આત્માનાં દર્શન અવશ્ય થાય છે. આ બિલકુલ અસંભવ નથી. તીવ રુચિવાળા ઉગ પુરુષાર્થીને માટે બધું જ સંભવિત છે. પ્રબળ પ્રયત્ન કરવાથી તે શક્ય બની જાય છે. યથાર્થ અભ્યાસ કરતાં દષ્ટિ દેહ ઉપરથી ઊઠી નિજસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જે જીવ તીવ્ર લગનીપૂર્વક આત્માનો અભ્યાસ કરે છે તેને આત્માનો અનુભવ થાય છે અને તે કર્મકૃત વ્યક્તિત્વને વીંધીને પોતાના વાસ્તવિક તત્ત્વને જ્ઞાયકરૂપે ઓળખી લે છે. જીવને પોતાના સત્ય સ્વરૂપનો પ્રત્યક્ષ પરિચય મળતાં, અર્થાત્ પોતાના અલૌકિક અવિનાશી આત્મસ્વરૂપની અનુભૂતિ થતાં મુક્તિની લહેરનો સ્પર્શ અનુભવાય છે. નિજપદની ઉપલબ્ધિ થતાં સ્વયં અંગેનું અપૂર્વ ભાન પ્રગટે છે. જીવને અનુભવપૂર્વકની પ્રતીતિ થાય છે કે પોતે શુદ્ધ ચેતનારૂપ, રાગ-દ્વેષરહિત ચૈતન્યસ્વભાવી છે. તે બહારથી પહેલાંની જેમ જ દેખાતો હોવા છતાં, હવે તે એ જ નથી રહેતો કે જે પૂર્વે હતો. એક વાર પણ જીવને આત્માનો અનુભવ થઈ જાય તો તે એ જ વ્યક્તિ નથી રહેતી. તેનો બીજી વાર જન્મ થાય છે. એક નવું આંતરિક જીવન શરૂ થાય છે. પહેલાં અજ્ઞાનાવસ્થામાં દેહથી તાદાભ્ય કર્યું હતું, પરંતુ પરિઘ ઉપરથી હટી કેન્દ્રમાં સ્થિતિ થતાં જ્ઞાનીને એ ગહન તથ્યનો સ્વાનુભવસિદ્ધ બોધ થાય છે કે પોતે પૂર્વે જેમાં પોતાપણું સ્થાપ્યું હતું એમાંનું કંઈ જ નિજાત્મામાં નથી. તે બધાથી પોતે સર્વથા ભિન્ન છે. પોતે દેહ નથી. દેહની પલટાતી અવસ્થાઓથી પોતે ભિન્ન છે એવી પ્રતીતિ થઈ હોવાથી તેઓ કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. દેહનાં પરિવર્તનો વચ્ચે તેઓ પોતાને એક અખંડ સત્તારૂપે જાણે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દેહાદિ સંયોગોમાં જ્ઞાનીને કશે પણ પોતાપણું થતું નથી. તેમને આત્મામાં જ પોતાપણું દૃઢ થયું હોય છે, નિજસ્વરૂપમાં જ અહંનું સ્થાપન થયું હોય છે. દેહમાંથી અહંપણું ખસી જઈ નિજભગવાન આત્મામાં સ્થપાયું હોય છે. દેહ ઉપરનો તેમનો માલિકીભાવ છૂટી ગયો હોય છે. તેમને પોતાના સ્વરૂપ સાથે જ તન્મયતા હોય છે, દેહ સાથે બિલકુલ તન્મયતા હોતી નથી, માત્ર ભિન્નતા જ હોય છે. તેમને દેહ એક આવરણરૂપ લાગે છે. તેઓ તેનાથી અલગ થઈ ગયા હોય છે. તેઓ દેહથી પોતાને સર્વ પ્રકારે સ્વતંત્ર જાણે છે. તેઓ દેહમાં હોવા છતાં દેહમાં નથી રહેતા. દેહમાં વસવા છતાં તેમને એ બોધ જાગૃત રહે છે કે ‘હું દેહ નથી, પણ તેનાથી ભિન્ન એવો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યાત્મા છું, જ્ઞાનજ્યોતિ છું. હું માત્ર જ્ઞાન છું અને જ્ઞાન સિવાય કંઈ જ નથી. આ દેહ સાથે મારે કોઈ સંબંધ નથી. ન હું દેહ છું, ન દેહ મારો છે, ન હું તેની ક્રિયાનો કર્તા છું કે ન તેની અવસ્થાનો ભોક્તા છું. દેહ એ માત્ર સંયોગ છે. દેહ એ માત્ર મારું શેય છે.' જ્ઞાની પોતાને જ્ઞાતાપણે અને દેહને શેયપણે જાણે છે. તેમને શુદ્ધ જ્ઞાયકભાવ પ્રગટ્યો હોય છે. પરમાર્થ સમકિતની પ્રાપ્તિ થઈ હોવાથી તેમના જ્ઞાયકજીવનનું મંડાણ થયું હોય છે. તેમની ચેતના દેહને નિરંતર સાક્ષીભાવે નિહાળે છે. ૩૬૨ જ્ઞાની જાગૃતાવસ્થામાં તો દેહાતીતપણે વર્તે જ છે, પરંતુ નિદ્રાવસ્થામાં પણ દેહાતીતપણે વર્તે છે. તેમને સુષુપ્તિમાં પણ આત્મપ્રતીતિ રહે છે. તેઓ સુષુપ્તિમાં પણ જાગતા રહે છે. જ્ઞાની કદી સૂતા નથી. એવું નથી કે તેમનો દેહ કદી સૂતો નથી; તેમનો દેહ તો સૂએ છે, પરંતુ માત્ર દેહ જ. દેહને વિશ્રામની જરૂર પડે છે, ચેતનાને વિશ્રામની કોઈ જરૂર પડતી નથી. દેહને ઇંધન જોઈએ અને વિશ્રામ પણ જોઈએ. જ્ઞાનજ્યોતિને ન ઇંધનની જરૂર છે અને ન વિશ્રામની. તે શુદ્ધ ચૈતન્યમય, નિત્ય શાશ્વત છે. જાણતા રહેવું એ જ તેનું કામ અને રાગ-દ્વેષ વિના જાણતા રહેવું એ જ તેનો વિશ્રામ. જ્ઞાનીનો દેહ વિશ્રામ કરે છે, પરંતુ જ્ઞાની કદી નિદ્રાધીન નથી થતા. તેઓ હંમેશ બોધપૂર્ણ જ રહે છે. દેહ છતાં દેહાતીત દશાવાન એવા જ્ઞાનીપુરુષને નિદ્રામાં પણ આત્મપ્રતીતિ જાગૃત રહે છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થામાં તેમને શુદ્ધ ચેતનાનો બોધ જાગૃત રહે છે. તેઓ આ ત્રણે અવસ્થાથી પર હોય છે. તેઓ આ ત્રણે અવસ્થામાંથી પસાર થાય છે, પરંતુ તે ત્રણે અવસ્થામાં ભિન્નતાનો બોધ તેમને સદૈવ જાગૃત રહે છે. તેમનું ભેદજ્ઞાન સતત ચાલુ રહે છે. ભેદજ્ઞાન તેમનો અખંડ જાપ હોય છે. શ્રીમદ્ કહે છે ‘દેહ અને આત્માનો ભેદ પાડવો તે ‘ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ - Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૬૩ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.' જ્ઞાની પુરુષની પરિણતિ સહજ હોય છે. તેમણે પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ નથી કરવું પડતું. તેમને એવું પરિણમન સહજ જ થઈ ગયું હોય છે. તેમની ધારા સહજપણે દેહથી ભિન્ન વર્તે છે. જેમ વીજળી પડતાં પર્વતની વિશાળ શિલાના થયેલા બે ટુકડા રેણ કરવાથી એક ન થઈ શકે, તેમ દેહ અને આત્મા જ્ઞાનીના શ્રદ્ધાનમાં એક વાર ભિન્ન પડ્યા તે પડ્યા, તે જુદા જ રહે છે. તેમનું વલણ સ્વભાવસમ્મુખ જ રહે છે. તેમનું પરિણમન એકધારું આત્મામાં જ વત્ય કરે છે. તે માટે તેમને પ્રયાસ કરવો પડતો નથી. જ્ઞાનીને દેહનું મમત્વ છૂટી ગયું હોવાથી દેહમાં રોગ આદિ થાય તો પણ તેમને દુ:ખ થતું નથી. અજ્ઞાનીને દેહની મમતાના કારણે રોગાદિ થતાં ખૂબ દુ:ખ થાય છે. દેહના મોહના કારણે તે આકુળ-વ્યાકુળ થઈ જાય છે. દેહની અશાતાના પ્રસંગે તે ભયભીત થઈ જાય છે, તેને ખૂબ ચિંતા થાય છે; પરંતુ જ્ઞાની દેહની વેદનાને દેહનો ધર્મ જાણીને અને પૂર્વે બાંધેલાં કર્મોનું ફળ ગણીને, આર્ન-રૌદ્રધ્યાનમાં સર્યા વિના તે વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. જ્ઞાનબળના પ્રતાપથી તેઓ પીડાને સમતાભાવે વેચે છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ભયંકર વેદના આવે, દેહમાં તીવ્ર વ્યાધિ થાય, પરંતુ તેમનો ઉપયોગ ચલિત થતો નથી. તેઓ આત્મસ્વરૂપથી ચલિત થતા નથી. ભયંકર વેદનાના સમયે પણ તેઓ આત્મધ્યાનમાં સ્થિર રહે છે. દેહનું ગમે તે થાય, તેઓ સતત આત્મસ્વરૂપનું અનુસંધાન રાખે છે. આત્મસ્વરૂપમાં દૃષ્ટિ રાખનાર જ્ઞાની પુરુષને નિરંતર અંત:પ્રસન્નતા રહે છે. જ્ઞાનીને દેહમાં રોગ થાય તો પોતાને કંઈ હાનિ થઈ હોય એવું તેમને લાગતું નથી. ગમે તેવી વ્યાધિ આવે અથવા અકસ્માત નડે, તેમને એમ જ લાગે છે કે “મને કશું નથી થયું, આ રાખમાં જ થોડી વધ-ઘટ થઈ છે.' જેમ વસ્ત્ર પોતાથી જુદું છે એમ સમજાતાં વસ્ત્રને ડાઘ પડવાથી પોતાને ડાઘ પડ્યો છે એમ માનવામાં આવતું નથી, તેમ દેહથી પોતે ભિન્ન છે એમ પ્રતીત થયું હોવાથી દેહને કાંઈ થાય તેથી પોતાને આમ થયું છે એવી વ્યથા જ્ઞાનીને થતી નથી. શ્રીમદ્ લખે છે – દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૭૩ (વ્યાખ્યાનસાર-૨, ૧૧-૧૮) Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવન અને મરણ બન્ને સમાન છે.' જ્ઞાનીને જે ક્ષણે અનંત સુખમય એવું નિજસ્વરૂપે પ્રગટ થાય છે, તે જ ક્ષણે તેઓ દેહથી છૂટા પડી જાય છે. દેહવિલયના પ્રસંગે તો માત્ર વ્યવહારથી દેહ અને આત્મા છૂટા પડે છે. તેઓ તો તે પહેલાં દેહથી છૂટા પડી ગયા હોય છે. જ્ઞાનીને અનુભવપૂર્વકની પ્રતીતિ થઈ હોય છે કે હું કંઈ દેહ નથી, હું તો શુદ્ધ શાશ્વત ચેતના છું, દેહનું મૃત્યુ એ મારું મૃત્યુ નથી'; તેથી તેમને દેહના વિયોગનો શોક થતો નથી. ‘દેહ જન્મે છે, દેહ વૃદ્ધ થાય છે અને દેહ મરી જાય છે; ચેતના ન કદી જન્મ લે છે, ન કદી વૃદ્ધ થાય છે અને ન કદી મરે છે' - આમ જાણતા હોવાથી તેમને મૃત્યુનો ભય લાગતો નથી. તેઓ આત્મભાવમાં રત રહે છે. દેહત્યાગના અવસરે જ્ઞાની ભયભીત થયા વિના શૂરવીરતાપૂર્વક નિજ સહજાત્મસ્વરૂપની ઉપાસનામાં નિમગ્ન રહે છે. તેઓ સ્વદ્રવ્યમાં લીન થાય છે અને સ્વસ્વરૂપની લીનતામાં તેમનો દેહ છૂટી જાય છે. દેહ તો સર્વનો છૂટે છે, પરંતુ આ ઘટના અજ્ઞાની અને જ્ઞાનીમાં તદ્દન અલગ અલગ રીતે ઘટિત થાય છે. દેહત્યાગ વખતે અજ્ઞાની અને જ્ઞાનીનો પુરુષાર્થ જુદી જુદી દિશામાં, એકબીજાથી વિપરીત દિશામાં થાય છે. મૃત્યુ સમયે અજ્ઞાની ઉપયોગને સર્વ બાજુથી સમેટીને આત્મામાં જોડતો નથી, જીવનની છેલ્લી ઘડીઓમાં બહાર જતા ઉપયોગને ખેંચીને સ્વરૂપમાં લગાવતો નથી. તે બહારમાં ફાંફાં મારે છે. અંતસમયે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૦ (પત્રાંક-૮૩૩) સરખાવો : (૧) આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૧૮૧ “fમUIS વત્યુ નિ નેમ ઈનય મનડુ નાળિ | देहु वि भिण्णउँ णाणि तहँ अप्पहँ मण्णइ जाणि ।।' (૨) શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા’, ગાથા ૩૧૬ 'देहमिलियं पि जीवं णियणाणगुणेण मुणदि जो भिण्णं । जीवमिलियं पि देहं कंचुवसरिसं वियाणेइ ।।' (૩) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૬૩-૬૬ 'घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने खदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ।। जीर्णे वस्त्रे यथाऽऽत्मानं न जीर्णं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्णं मन्यते बुधः ।। नष्टे वस्त्रे यथाऽऽत्मानं न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ।। रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ।।' Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૬૫ વેદના વધતાં - વ્યાકુળતા આદિ વધતાં તે બીજાની મદદ ઇચ્છે છે. તે મૃત્યુથી બચવા દવા, દાક્તર, દીકરાદિનો આશ્રય લે છે. જો કે તે ગમે તેનો આશ્રય લે તોપણ મૃત્યુ જે સમયે, જે સ્થળે, જે રીતે આવવાનું છે તે નિશ્ચિત જ હોય છે. તે રોકવા કોઈ સમર્થ નથી. કોઈ દેવી, દેવતા, ઇન્દ્ર, ચન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ તેમાં ફેરફાર કરી શકે એમ નથી. મૃત્યુથી કોઈ તેની રક્ષા કરી શકતું નથી. તે મૃત્યુ સમયે દેહને જ વળગી રહેવાની કોશિશ કરે છે. તેની વૃત્તિ દેહમાં જ ચોંટેલી રહે છે. આથી વિપરીત, જ્ઞાની પુરુષને દેહનો વિયોગ થવાનો પ્રસંગ આવે છે ત્યારે તેઓ બીજા કોઈનો આશ્રય કરતા નથી. ભયનો પ્રસંગે ઉપસ્થિત થતાં જેમ કાચબો તુરંત પોતાના અંગો સંકોરી લે છે, તેમ જ્ઞાની પોતાના ઉપયોગને સંકોરીને દેહ સહિત સર્વ સંગને પરિહરે છે. દેહને પકડી રાખવાની તાણ કે તેના વિયોગની વ્યાકુળતા તેમના ચિત્તમાં ઉદ્ભવતી નથી. મૃત્યુ સમયે શાંતિપૂર્વક તેઓ દેહમાંથી વિદાય લે છે. તેઓ શાંતિ અને આનંદપૂર્વક તેમની વર્તમાન દેહપર્યાયનો અંત નિહાળે છે. તેઓ મૃત્યુ સમયે સમાધિ સહિત દેહને છોડે છે, અર્થાત્ સમાધિમરણ કરે છે. સ્વમાં જ પોતાપણું સ્થાપ્યું હોવાથી જ્ઞાનીપુરુષ નિરંતર શાંતિ અને આનંદમાં રહે છે. તેઓ શાશ્વત આત્માના નિર્વિકારી, અતીન્દ્રિય આનંદમાં લીન રહે છે. નિજ સિદ્ધપદના અનુભવરસથી તેમની પરિણતિ છલોછલ હોવાથી તેમને જગતના પદાર્થો મોહક લાગતા જ નથી. પોતાનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો હોવાથી બાહ્ય પદાર્થો અને પ્રસંગોમાં તેમને કિંચિત્ પણ સુખ-શાંતિ-સલામતી ભાસતાં નથી. તેમને બહારના બીજા કોઈ પદાર્થના પરિગ્રહનું કે સંકલ્પ-વિકલ્પનું પ્રયોજન હોતું નથી. જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ અનંત નિધાનવાળો આત્મા તેમણે પકડી લીધો છે, સર્વસિદ્ધિસંપન્ન એવો ચૈતન્યદેવ તેમને પોતામાં જ જણાયો છે. જેના અનુભવથી, જેના ચિંતનથી, જેની સેવાથી કેવળજ્ઞાન અને સિદ્ધપદ મળે છે એવો આત્મદેવ તેમને પ્રાપ્ત થયો છે, ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત થયો છે, તો પછી તેઓ બીજાને શા માટે ચિંતવે? તેઓ પોતાના ધ્યેયરૂપ શુદ્ધાત્માને જ ચિતવે છે, સેવે છે, અન્યને નહીં. જ્ઞાનીને પૂર્ણાનંદ પ્રભુ પ્રાપ્ત થયો હોય છે, તેથી તેમને બહારના કોઈ પણ પદાર્થની વાંછા રહેતી નથી. સહજ સમાધિના સ્વામી, આત્મામાં જ નિમગ્ન એવા જ્ઞાનીને આત્મામાં જ પરિતોષપણું લાગે છે, તેથી તેમને જગતના પદાર્થો પ્રાપ્ત કરવાની કે ભોગવવાની જરા પણ ઇચ્છા થતી નથી. તેઓ રુચિપૂર્વક કે આયોજનપૂર્વક પરવસ્તુઓનો પરિચય કરવામાં ઉત્સુક બનતા નથી. પરપરિચયમાં તેમની વૃત્તિ ઉદાસીન રહે છે. આવી ઉદાસીન દશાનું જ્વલંત ઉદાહરણ શાસ્ત્રકાર શ્રીમદ્ પોતે જ હતા. તેમની વિદેહી દશાનું દર્શન તેમના શબ્દોમાં કરીએ - Page #399 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્રા છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સાંભરીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ.” આ પત્ર ઉપરથી સમજાય છે કે શ્રીમદ્ પોતાના ચૈતન્યભાવમાં એવા તો નિમગ્ન હતા કે તેમને જગતના પદાર્થોમાં લેશમાત્ર રુચિ રહી ન હતી, તેમને તેનો સંયોગ થાય કે વિયોગ, બન્ને સમાન હતા. તેમને દેહ અને દુનિયા પ્રત્યે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રહિત પરમ ઔદાસીન્ય વૃત્તિ વર્તતી હતી. ‘હું દેહધારી છું' એવો દેહભાવ ન સ્પર્શી શકે એવી દેહાતીત વિદેહી દશામાં તેઓ મહાલતા હતા. તેઓ પોતાના દેહના અસ્તિત્વનું ભાન પણ ભૂલી ગયા હતા. તેઓ સ્વરૂપમાં એવા પ્રતિષ્ઠિત હતા કે તેમને પોતાના કર્મકૃત વ્યક્તિત્વની સભાનતા રહી ન હતી. વારંવાર યાદ કરતાં ઘણી ઘણી મહેનતે તેઓ દેહને જાણી શકતા હતા. દેહનો અહં તો જગતના જીવોને ભૂલ્યો ભુલાતો નથી. જગતના જીવો ક્યારે પણ પોતાના દેહનો અહં ભૂલતા નથી, જ્યારે શ્રીમદ્ તો દેહ પ્રત્યેના અહંને એટલો બધો ભૂલી ગયા હતા કે યાદ કરવા છતાં પણ તેમને દેહ યાદ આવતો ન હતો, તેમને ક્યારે પણ હું દેહ છું' એવો ભાવ ઉદ્ભવતો ન હતો. દેહ અને આત્માની એકક્ષેત્રાવગાહે સ્થિતિ હોવા છતાં, શ્રીમદ્ને દેહથી ભિન્ન અસંગ આત્માના આત્યંતિક પરિભાવનથી તે વિદેહી દશા સહજ સ્વભાવભૂત બની ગઈ હતી. તેમને આ અલૌકિક દેહાતીત દશા સહજ આત્માનુભવપણે સિદ્ધ થઈ ચૂકી હતી. શ્રીમદ્ પોતાના અશરીરીભાવનો ઉલ્લેખ કરતાં લખે છે કે – ‘ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. આમ, જ્ઞાનીપુરુષો શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવતા હોવાથી દેહ અને જગત પ્રત્યે નિઃસ્પૃહી હોય છે. તેઓ બાહ્ય સંયોગો, પરિવર્તનોથી અપ્રભાવિત રહે છે, સંકલ્પવિકલ્પની પકડમાંથી મુક્ત રહે છે. આત્મદષ્ટિ થવાથી રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના તેઓ સમભાવમાં રહે છે. પ્રારબ્ધવશાત્ જ્ઞાનીને ગૃહસ્થાદિ વ્યવહાર કરવો પડે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૦ (પત્રાંક-૨૫૫) ૨- એજન, પૃ.૩૫૪ (પત્રાંક-૪૧૧) Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૬૭ તો ત્યાં પણ તેઓ સતત આત્મલક્ષપૂર્વક જ વર્તે છે. તેમને સતત આત્મપદાર્થનું લક્ષ હોવાથી ઉપાધિમાં પણ સમાધિ પ્રવર્તે છે. તેમની દૃષ્ટિમાં અસ્તિત્વ સતત નજરાતું હોવાના કારણે વ્યાપારાદિ સાંસારિક પ્રવૃત્તિમાં હોવા છતાં તેઓ એ સઘળામાં અનુપસ્થિત હોય છે. તેમનું ચિત્ત નિરંતર સ્વરૂપમાં જ લાગેલું હોય છે, તેથી ઉદયકર્મ ભોગવતી વખતે પણ તેઓ અનુપસ્થિત હોય છે. સ્વરૂપના નિરંતર બોધના કારણે તેઓ તેનાથી અસ્પષ્ટ રહે છે. જ્ઞાની નિજ સુખધામને નિરંતર અનુભવે છે અને તેથી જળકમળવત્ રહેવું તેમને માટે સહજ થઈ જાય છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં અલિપ્ત રહે છે. ભોગપંકની મધ્યે રહીને પણ તેઓ જળમાં રહેલા કમળની જેમ અલિપ્ત રહે છે, ભોગપંકથી ખરડાતા નથી. કમળ જળમાં રહે છે અને તેમ છતાં જળથી દૂર હોય છે, તેમ જ્ઞાની ઉપાધિમાં હોવા છતાં તેનાથી ખૂબ ખૂબ દૂર હોય છે. તેઓ મોહમયી માયા મધ્યે પણ સદા નિર્મોહી રહે છે. જ્ઞાનીપુરુષની વિલક્ષણતા છે કે મન-વચન-કાયાથી ગમે તે પ્રવૃત્તિ થઈ રહી હોય, તેમનો અંતર્મુખ ઉપયોગ સ્કૂલના પામતો નથી. તેમની આત્મજાગૃતિ એવી તીક્ષ્ણ હોય છે કે કર્મબંધ થવાનો અવકાશ ઉપસ્થિત થતો નથી. પ્રારબ્ધજનિત ઉદયગત પ્રવૃત્તિ થતી હોવા છતાં તેમાં અહંતા-મમતાના અભાવે કેવળ નીરસપણું હોવાથી તેમની પ્રવૃત્તિ પણ પૂર્વકર્મની નિર્જરાનું કારણ થાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવે સમયસાર'માં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ ઇન્દ્રિયો વડે ચેતન તથા અચેતન દ્રવ્યોનો જે ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.૧ સમ્યગ્દષ્ટિના ભોગને નિર્જરાનું કારણ કહ્યું ત્યાં ‘ભોગ સારા છે' એમ કહેવાનો આશય નથી, પણ જ્ઞાનીની દૃષ્ટિનું માહાભ્ય બતાવ્યું છે. ભોગ વખતે પણ શ્રદ્ધામાં બંધન નથી. તેમને સદા પોતાના મુક્ત સ્વરૂપનો જ આશ્રય છે, તેથી જ્ઞાનીને સદામુક્ત કહ્યા છે. કદાપિ ઉદયમાં ઉપયોગ ખેંચાય તો જ્ઞાની ઉપયોગમાં ચારિત્રમોહના ઉદયથી ઊઠતા ભાવની પાછળ આત્માના ઊંડાણમાં રહેલ રાગભાવનું જોડાણ જાણી લે છે, પકડી પાડે છે અને પ્રબળ આત્મવીર્ય પ્રગટાવી તેને દૂર કરી નાખે છે. અસ્થિરતાવશ ઉપયોગ ઉદયમાં ખેંચાઈ જાય તો તેઓ બહુ દુઃખ અને લજ્જા પામે છે અને ભેદજ્ઞાનના બળ વડે ઉપયોગને એમાંથી પૃથક કરી લે છે. તેમનો એક જ લક્ષ હોય છે કે નિજાત્માને પરભાવથી મુક્ત કરી શુદ્ધ કરવો. તેમને એક જ લગની હોય છે કે જ્યારે હું આ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૧૯૩ 'उवभोगमिंदियहिं दवाणमचेदणाणमि द र णं । जं कुणदि सम्मदिठी तं सव्वं णिज्जर णिमित्तं ।।' Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરભાવથી છૂટીને સ્વભાવમાં લીન થઈ જાઉં.' તેઓ સમસ્ત પરભાવપ્રપંચને ત્યજી, આત્મભાવને જ ભજવા માંગે છે. તેમનો ઝુકાવ આત્મસ્થિરતા તરફ જ હોય છે, તેમાં જ તેમને રસ હોય છે. આત્મસ્થિરતાના લક્ષને વળગી રહીને જ તેમની સર્વ આચરણા થતી હોય છે. આમ, અપૂર્વ સમ્યકત્વદશા પ્રાપ્ત થયા પછી વિશેષ આગળ વધવા માટે જ્ઞાનીનું ચિત્ત સંયમ તરફ ઢળતું જાય છે. પ્રચુર સ્વસંવેદન અર્થે તેઓ સર્વ પ્રકારના બાહ્યાભ્યતર પ્રતિબંધોને દૂર કરીને અસંગ થવાની ભાવના ભાવે છે અને તે અર્થે સદા પુરુષાર્થ કર્યા જ કરે છે. પોતાના ત્રિકાળી અસ્તિત્વની ખુમારી અને જાગૃતિથી તેમની દશા દિન-પ્રતિદિન વિકાસ પામતી જાય છે. તેઓ સમ્યગ્દર્શનના આધારે પોતાને ઉજ્વળ ને ઉજ્વળ કરતા જઈ, પૂર્ણ ચારિત્રદશા પ્રગટાવીને મુક્તિપુરીમાં જાય છે. દેહાત્મબુદ્ધિની નિવૃત્તિરૂપ સમ્યગ્દર્શનના બળ વડે તેઓ કેવળજ્ઞાન મેળવી, ભવાટવીમાંથી બહાર નીકળીને સિદ્ધાલયમાં સ્થિત થાય છે. દેહ છતાં દેહાતીત દશાએ વર્તનારા જ્ઞાની પુરુષ કે જેઓ આત્મસુખને આસ્વાદી રહ્યા છે, તેમનાં દર્શન, બોધ અને સમાગમથી જીવને સંસારનું દુઃખમય સ્વરૂપ યથાર્થપણે સમજાય છે, પર પ્રત્યેની રુચિ તથા ઇચ્છા નિવર્તે છે તેમજ અનંત અને અતીન્દ્રિય એવા આત્મિક સુખમાં તેની રૂચિ, પ્રતીતિ જાગે છે. દેહ છતાં દેહાતીત દશામાં વિચરતા જ્ઞાની મહાત્માના સત્સંગથી તેને શુદ્ધ આત્મસ્વરૂપનું લક્ષ થાય છે, બહુમાન જાગે છે તથા રુચિ પ્રગટે છે; જેના ફળસ્વરૂપે તેનામાં આત્મપ્રાપ્તિ માટે જરૂરી વીર્ય પ્રગટે છે. જ્ઞાની પુરુષનો ઉપયોગ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે વળેલો રહેતો હોવાથી તેમનો આત્મા સ્થિર અને સમપરિણામે રહે છે. પૂર્વકર્માનુસાર થતી મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ તેમને કર્મોની નિવૃત્તિનું કારણ બને છે, કારણ કે આત્મા તેમાં આત્મભાવે જોડાતો નથી. બીજી રીતે કહેતાં જ્ઞાનીપુરુષના આત્માને પૂર્ણ શુદ્ધતા પ્રત્યે લઈ જવા માટે મન, વચન અને કાયા પરમ મિત્રભાવે એકત્રિત થઈ સહાયભૂત થતાં હોય છે. આ એક રહસ્યમય આશ્ચર્યકારક ઘટના છે. આ અદ્ભત રહસ્યને જાણી, તેનું નિદિધ્યાસન કરવાથી મુમુક્ષુને જ્ઞાનીનું અચિંત્ય માહાસ્ય સમજાય છે. મુમુક્ષુ જીવ જ્ઞાનીની દેહાતીત દશાનું તેમજ તેમની અદ્ભુત ચેષ્ટાઓનું અવલોકન કરે છે, તેમની શાંત મુદ્રાનું દર્શન કરે છે, તેમનાં અલૌકિક લક્ષણોનું ચિંતન કરે છે. જ્ઞાનીની ચેષ્ટાનાં કલ્પનાતીત રહસ્યો જેમ જેમ તેને સમજાતાં જાય છે, તેમ તેમ જ્ઞાની પ્રત્યેનો તેનો પ્રેમ અને તેની શ્રદ્ધા ખીલી ઊઠે છે. જ્ઞાની પુરુષની દેહાતીત દશાનું દર્શન કરતાં મુમુક્ષુને અત્યંત ભક્તિ અને ઉલ્લાસ Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૬૯ આવે છે. શુદ્ધ પુરુષની શુદ્ધ દશાને વિચારતાં તેમના માટે અહોભાવ પ્રગટે છે અને તેનું પરિણામ એ આવે છે કે તેવી ઊંચી દશા પ્રત્યે - તેવી વિદેહી દશા પ્રત્યે તેનું અંતરવલણ થાય છે, તેનો પુરુષાર્થ ઊપડે છે અને તે દશાનો તેનામાં આવિર્ભાવ થતો જાય છે. સર્વ ગુણો તેનામાં અંશે અંશે વૃદ્ધિ પામતા જાય છે. જ્ઞાનીપુરુષનાં દર્શનથી મુમુક્ષુ જીવને નિજ શુદ્ધાત્મસ્વરૂપનું સ્મરણ થાય છે. જ્ઞાનીપુરુષની શુદ્ધતા તેમની નિર્મળ પર્યાય દ્વારા વ્યક્ત થતી હોય છે. તેમના મનવચન-કાયાના યોગ દ્વારા તે શુદ્ધતા ટપકે છે, તેથી તેમનાં દર્શનથી મુમુક્ષુને પોતાના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ થાય છે અને પૂર્ણ શુદ્ધ પરમાત્મદશારૂપ ધ્યેય તાજું થાય છે. મુમુક્ષુને જ્ઞાની પુરુષમાં પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રતિબિંબ દેખાય છે. જ્ઞાનીપુરુષનાં દર્શન કરવાં એટલે દર્પણમાં સ્વને જોવો. દષ્ટિને ‘સ્વ' તરફ દોરે તે દર્પણ. દર્પણ માનવીને પોતાના વિષે વિચાર કરવા પ્રેરે છે. સામાન્યતઃ માનવી દર્પણમાં પોતાનો ચહેરો જુએ છે કે તરત જ એને પોતાના વિષે વિચારો આવવાના શરૂ થાય છે. તેવી જ રીતે જ્ઞાનીપુરુષનાં દર્શનથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો થઈ જાય છે, તેમના પંથે પ્રયાણ કરતો થઈ જાય છે. તે પૂર્ણતાના પંથે આગળ વધે છે. તે પોતાનું બહિરાત્મપણું છોડી, પોતાના જ્ઞાનાનંદસ્વરૂપની જાગૃતિરૂપ અંતરાત્મદશા પ્રગટ કરી, તત્પશ્ચાતુ પરમાત્મદશા પ્રગટ કરી અશરીરી સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. આમ, જ્ઞાનીના અવલંબને જીવ પૂર્ણ પદની પ્રાપ્તિ કરે છે. તેથી જ શ્રીમદ્ દેહાતીત દશાએ વિચરનારા જ્ઞાની પુરુષોનાં મહાસમર્થ અને અતિ પવિત્ર ચરણોમાં વારંવાર વંદન કરીને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પૂર્ણાહુતિ કરે છે. તેઓ અત્યંત અહોભાવપૂર્વક પરમ પુરુષના ચરણોમાં અગણિત વંદન કરે છે. જેમનાં ચરણ સેવાય તેમના જેવી સિદ્ધિ પ્રગટે' એ ન્યાયથી પોતે પણ પૂર્ણ વિદેહી દશા પ્રગટાવી, અશરીરીપણું પ્રાપ્ત કરી સાદિ-અનંત કાળ માટે મોક્ષપદે બિરાજમાન થશે એવી તેમની ભાવના અને શ્રદ્ધા અહીં જણાઈ આવે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘દેહ છતાં જેની દશા, ચિદાકાર અવિકાર; પરમારથમય ચિત્ત છે, સમ્યક્ ગુણ ભંડાર. પકારક નિજભાવમાં, વર્તે દેહાતીત; સ્વરૂપ સમાધિ સ્વતંત્ર સુખી, કેવળજ્ઞાન સહિત. વીર્ય અનંતુ આત્મનું, પ્રસરે આત્મસ્વભાવ; તે જ્ઞાનીના ચરણમાં, નિજગુણ સુખનો દાવ. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાણી ત્રિકરણ યોગથી, સાચી ભક્તિ સહિત; યથાવિધિ ઉલ્લાસથી, હો વંદન અગણિત.' “સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.” શ્રીમદે જ્યારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી, ત્યારે તેમણે આ ગાથા ઉપસંહારની અંતિમ ગાથા તરીકે લખી હતી, પરંતુ પાછળથી તેમણે આ ગાથાને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાવિષ્ટ કરી ન હતી. આ ગાથામાં તેઓશ્રી જણાવે છે કે આત્માની સિદ્ધિ કરાવનારા આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેમણે સાધનદશા અને સિદ્ધદશા સંક્ષેપમાં કહી છે, અર્થાત્ આત્મસિદ્ધિરૂપ સાધ્ય સિદ્ધ કરવા નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ સાધનદશા અને તે સાધનદશાની ફળરૂપ સિદ્ધદશા - એ બન્ને દશા આ શાસ્ત્રમાં સંક્ષેપમાં પરંતુ સંપૂર્ણપણે કહેવામાં આવી છે; તેમજ ષડ્રદર્શનની વાત પણ સંક્ષેપમાં અને કોઈ પણ પ્રકારના વિક્ષેપથી રહિત ભાખી છે, અર્થાત્ પરસ્પર વિક્ષેપવિરોધ વિના, મધ્યસ્થ ભાવે શુદ્ધ પરમાર્થ પ્રેમથી અત્રે ષડ્રદર્શનની તત્ત્વમીમાંસા કહેવામાં આવી છે. આ ગાથાની દ્વિતીય પંક્તિનો પ્રકારાંતરે એમ અર્થ પણ થઈ શકે છે કે પ્રદર્શનના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મસિદ્ધિનો અપ્રતિમ ઉપાય સંક્ષેપમાં દર્શાવવાનું ગ્રંથકારનું પ્રયોજન બાહ્યાંતર વિક્ષેપરહિત, નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૫૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૬૫-૫૬૮) Page #404 -------------------------------------------------------------------------- ________________ સમાપન પરમ કારુણ્યભાવથી પ્રેરિત, કેવળ નિર્મળ ન્યાયને અનુસરતી, ક્રમબદ્ધ વહેતી અર્થગંભીર, રહસ્યપૂર્ણ ગાથાઓયુક્ત આ મંગલમય શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ભવ્ય પૂર્ણાહુતિને પામ્યું અને તે સાથે આ શાસ્ત્રની ગાથાઓની સમાલોચનાની પણ પૂર્ણાહુતિ થઈ. પદે પદે શુદ્ધ આત્માની સિદ્ધિ કરનાર એવા આ યથાર્થનામાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ મુગટના ચૂડામણિસ્થાને શોભતા ‘ઉપસંહાર' વિભાગમાં શ્રીમદે અનેકાંત સિદ્ધાંતની અલૌકિક, મૌલિક, અભૂતપૂર્વ, અનન્ય તત્ત્વમીમાંસા આલેખી આ ગ્રંથની સમાપ્તિ કરી છે. | સર્વ સાહિત્યમાં અધ્યાત્મશાસ્ત્ર મહાન ગણાય છે અને તેમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તો અધ્યાત્મશાસ્ત્રોનો પણ નિચોડ છે. આત્માની અખંડ યશોગાથારૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તત્ત્વજ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય મૂર્ધન્ય સ્થાન પામ્યો છે. તેમાં તત્ત્વજ્ઞાનનાં તેમજ ભક્તિનાં ઊંડાં રહસ્યો સરળતાથી નિરૂપાયાં છે, સિદ્ધાંત અને સાધનાનાં તત્ત્વોને તાણાવાણાની જેમ અદ્ભુત કળાથી ગૂંથી લેવામાં આવ્યાં છે. તત્ત્વનિરૂપણ તેમજ તેની શૈલીનું પોત ઉત્તરોત્તર સઘન થયું છે. ગંભીર વિષયો પણ હૃદયમાં સરળતાથી રમવા લાગે તેવી ખૂબીથી સુગમ ભાષામાં નિરૂપવામાં આવ્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અપૂર્વ ભાવ ભર્યા છે. સર્વ જીવો પરમાર્થ પામે અને વીતરાગ શાસનની પ્રભાવના થાય તે અર્થે સર્વ શાસ્ત્રોને એકરસ કરીને સિદ્ધાંતના તેમજ ભક્તિના ગહન ભાવોને નિર્માતપણે રજૂ કર્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જૈન દર્શનની મહત્તાને વધારનાર છે. તેમાં જૈન દર્શન નિરૂપિત અનેકાંતના સિદ્ધાંતને મુખ્ય કરી, અન્ય દર્શનો સાથે અદ્ભુત સમન્વય સાધ્યો છે. શ્રીમદે શ્રી જિનેશ્વરપ્રણીત સિદ્ધાંતોથી અસંગત એવી વિચારસરણીને તર્ક, અનુભવ, દૃષ્ટાંત વડે સમજાવી, સચોટ સમાધાન વડે શંકાઓને નિર્મૂળ કરી સન્માર્ગનું દઢીકરણ કર્યું છે. જ્ઞાનબળના અપૂર્વ યોગે કરાયેલી આ રચનામાં આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાને પામેલા ઊંડા ન્યાય તથા ગંભીર અર્થ સમાયેલા છે. તેમાં પૂર્ણ શુદ્ધતા સુધીનો માર્ગ આલેખાયેલો છે. જ્યારે મહાત્માઓની આત્મલક્ષી વિચારણા કૃતિરૂપે આકાર લે છે ત્યારે યથાર્થ ભાવવાહી શબ્દોની ગોઠવણી આપોઆપ તથારૂપ થાય છે અને તે સર્વ પ્રકારે ઉત્તમ જ હોય છે; તેથી તો શ્રીમદ્રની આ અદ્ભુત આધ્યાત્મિક રચનામાં તેમના ઉત્તમ આત્મિક Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ભાવો ઉત્કૃષ્ટપણે ક્રમબદ્ધ શ્રેણીમાં સરિતાના નિર્મળ પ્રવાહની જેમ વહે છે. આ કૃતિમાં એટલી બધી સિકતા એટલી બધી મધુરતા છે કે તેના ભાવો હૃદય સોંસરવા ઊતરી શીઘ્રતાએ આત્માને સ્પર્શે છે, પકડે છે અને સ્વમાં લીન કરી દે છે. તે સાંભળતાં જ હૃદયના તાર ઝણઝણી ઊઠે છે, તો તેના ઉપર ભાવપૂર્વક મનન કરતાં, તેનું રહસ્ય લક્ષગત થતાં ચિત્તની પ્રસન્નતા અને ઉલ્લસિત ભાવોની સીમા ક્યાંથી હોય? તેની એક એક ગાથા શાંતિથી ભાવપૂર્વક વાંચતાં, ગાતાં તેમાં અનંત આગમ સમાયાં છે એવી હૃદયમાં પ્રતીતિ થાય છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે - ‘એકેક ગાથા ગંભીર આશયવાળી અને સુવિચારવાન જીવને જ્ઞાનલબ્ધિ પ્રગટાવે એવા વિસ્મયકારક સામર્થ્યથી પૂર્ણ છે. ‘સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં હોય છે.' એ શ્રીમદ્ભુનું ટંકોત્કીર્ણ સુભાષિત તેઓના સંબંધમાં ચરિતાર્થ થાય છે એમ આ શાસ્ત્ર અભ્યાસ્યા પછી વિચારકને ભાસ્યમાન થયા વિના રહેતું નથી.’ '૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાના ભાવ ખૂબ ગહન છે તે આ શાસ્ત્રના અધ્યયનથી પ્રત્યક્ષ સમજાય છે. આ કૃતિ એટલી બધી અમૃતમાધુરીથી ભરેલી છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસથી ભરપૂર જલનિધિ જેવો આ દિવ્ય ગ્રંથ અખૂટ રસનો અક્ષયનિધિ છે. શ્રીમનું આ ગ્રંથરત્ન એ અધ્યાત્મ સંબંધી વિષયોનો મહાકોષ ખજાનો છે. માત્ર થોડા શબ્દોમાં વસ્તુનું રહસ્ય સચોટ ન્યાયથી કહેવાયું છે અને તે તેમની વાણીનું અપરંપાર સામર્થ્ય દર્શાવે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથાઓ એટલી બધી ગુણગર્ભિત છે કે શ્રી લલ્લુજી મુનિ તે ગાથાઓને ‘લબ્ધિવાક્ય'ની ઉપમા આપે છે. શ્રી લલ્લુજી મુનિ લખે છે ‘બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એનો વિસ્તાર કરેલો છે તે બહુ વિચારવા યોગ્ય છે. મોટાં મહાભારત, પુરાણ કે જૈનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ ‘આત્મસિદ્ધિ'માં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે. તે વિષે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિવાક્યો છે, મંત્રસ્વરૂપ છે. રિદ્ધિ-સિદ્ધિની કંઈ જરૂર નથી; પણ જન્મ-મરણના ફેરા ટાળે તેવાં તે વચનો છે.’૨ ૧- શ્રી ભોગીલાલ ગિ, શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', પ્રસ્તાવના, પૃ.૧૯ ૨- ‘ઉપદેશામૃત', પૃ.૧૩૫ = Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - સમાપન ૩૭૩ પરમ આત્માનુભવી, દિવ્ય દ્રષ્ટા, ઉત્તમ કાવ્યસખા શ્રીમન્ના અમૃતાનુભવની પ્રસાદીરૂપ આ સર્જન આવું અદ્ભુત છે. વીતરાગદેવના પરમ ભક્ત, જૈન દર્શનના રહસ્યજ્ઞ શ્રીમદે પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી, મુમુક્ષુઓને પણ તે દિવ્ય માર્ગનું દર્શન કરાવ્યું છે. તેમણે આત્માનુભવ પામીને, અન્ય પણ આત્માનુભવ કરે તે અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. તેમાં તેમની જ્ઞાનજ્યોતિનો દિવ્ય પ્રકાશ ઝગમગે છે. આ કૃતિ દ્વારા થયેલી જિનશાસનની પ્રભાવના આ યુગની એક આશ્ચર્યકારક ઘટના છે. ભવ્ય જીવોના તારણહાર અધ્યાત્મજ્ઞાની શ્રીમદે તેમની ભવતાપનાશક, આત્માર્થપ્રેરક, જ્ઞાન-વૈરાગ્યભીની વાણી દ્વારા અધ્યાત્મનો ધોધ વહેવડાવી, ભવછેદક જ્ઞાનનો પ્રચૂર પ્રચાર કર્યો છે. તેમનો વચનયોગ અપૂર્વ છે. તત્ત્વજ્ઞાનનાં ઊંડાં અગમ્ય રહસ્યોને સરળ ભાષામાં પ્રકાશિત કરી દર્શાવવાં એ તો ખરેખર શ્રીમદ્ જેવા કોઈક મહાપ્રજ્ઞાવંત, મહામેધાવી, મહાપ્રતિભાસંપન્ન પુરુષ જ કરી શકે. આમ, ભગવાન મહાવીરના મહાન માર્ગના મહાન સમર્થક તેમજ ઉદ્ધારક શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મકલ્યાણનો સાચો રાહ બતાવી, જગત ઉપર અપાર ઉપકાર કર્યો છે. તેમાં શ્રીમન્નો અનુભવસિંધુ છલકાય છે. તેની એક એક ગાથામાં ઠાંસી ઠાંસીને ભરેલા ચૈતન્યરસના સિંધુનો અનુભવ-અમૃતરસ મુમુક્ષુઓને સુગમપણે અમૃતરૂપ પેય થઈ પડ્યો છે. અનુભવના રણકાર સહિત નીકળતી, હૃદયભાવથી ભીંજાયેલી શ્રીમની વાણી અપૂર્વ ચમત્કૃતિભરી અસર કરે છે અને દરેક મુમુક્ષુને મહા આલંબનરૂપ થાય છે. તેમનાં વચનો પરમ બાંધવરૂપ અને હિતકારી છે. તે દ્વારા આત્મકલ્યાણપિપાસુ મુમુક્ષુઓને ધર્મનો મર્મ પામવાનો મહામાર્ગ પ્રાપ્ત થયો છે, થાય છે અને થશે. મોક્ષમાર્ગની આરાધના કરતાં ઠેકઠેકાણે ભૂલ થવાનાં, પડવાનાં સ્થાનકો બતાવી તેમણે મુમુક્ષુઓને સાવચેત કર્યા છે. ભિન્ન ભિન્ન કોટિના મુમુક્ષુઓને પોતપોતાની પાત્રતા અનુસાર તેમના બોધમાંથી ઘણું ઘણું મળી રહે છે. તેમનાં વચનામૃતમાં એવું સામર્થ્ય છે કે તથારૂપ દશા પ્રગટાવી મુમુક્ષુને મોક્ષ સુધી પહોંચવામાં સહાય કરે છે, તેથી મોક્ષમાર્ગમાં આગળ વધવા ઇચ્છનાર મુમુક્ષુ જીવોએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વારંવાર અધ્યયન કરવું જોઈએ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી કહે છે કે – આત્મસિદ્ધિ હીરાના હાર કરતાં પણ વધારે કીમતી છે. આત્મસિદ્ધિ તો વારંવાર વાંચવી, વિચારવી, અર્થ કરવા.'' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં અગાધ ગંભીર વચનોને શુદ્ધ અંતઃકરણથી વાંચવાં, વિચારવાં અને આત્મસાત્ કરવા યોગ્ય છે. તેના ઉપર જેમ જેમ વિચારણા કરવામાં આવે છે, તેમ તેમ નવાં નવાં સત્યો સાંપડે છે. તેથી મતાહ-દુરાગ્રહથી દૂર રહી, ૧- બધામૃત', ભાગ-૧, પૃ.૩૪૮ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને મધ્યસ્થપણે - જ્ઞાનીની વિશાળ દષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. કુળધર્મનો આગ્રહ વગેરે વિરોધ ટાળીને, અવિરોધ તત્ત્વને સમજાવતી આ અપૂર્વ રચનામાં આત્મા વિષે જે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે, શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેને મહાવિનયથી વાંચી, તેનો અભ્યાસ કરી, તેમાં જણાવેલા ભાવો પોતાના જ્ઞાનમાં ઉતારવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે. જે જીવો તે વાણીને હૃદયથી ભાવપૂર્વક વાંચે છે - સાંભળે છે, મધ્યસ્થ થઈને વારંવાર તેનું ઘોલન કરે છે; તે અનંત દુઃખમાં કારણભૂત એવા મહામોહને છેદી, અનંત સમાધિસુખને પામે છે. જે મુમુક્ષુઓ આ ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા ભાવો વિચારશે, તે ભાવો આત્મામાં વણાઈ જાય ત્યાં સુધી પુરુષાર્થ કરશે, તેઓ અવશ્ય આત્મસિદ્ધિને પામશે. આવા અર્થગંભીર ગ્રંથનું વિવેચન કરવું એ ખરેખર સમુદ્રને કળશથી ઉલેચવા જેવું દુર્ઘટ કાર્ય છે. શ્રીમદ્ જેવા મહાન આત્માની અપ્રતિમ કૃતિનું વિવેચન કરવું તે ગજા ઉપરાંતનું કાર્ય છે. છતાં બાળક પણ બે હાથ પહોળા કરી સમુદ્ર આવડો મોટો છે એમ શું નથી કહેતો? તેમ શ્રીમની અનન્ય કૃપાના બળ વડે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. ગાથામાં રહેલા સૂક્ષ્મ ગંભીર આશયોને વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મુમુક્ષુઓને તે તે વિષયનું સ્પષ્ટ સૂક્ષ્મ જ્ઞાન થઈ અપૂર્વ અર્થ દૃષ્ટિગોચર થાય અને તેઓ વિશેષ પુરુષાર્થ કરવા પ્રેરાય તે અર્થે ગાથાઓમાં સમાયેલ અર્થ-આશય યથામતિ યથાશક્તિ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. દરેક વિષયની અનેક દૃષ્ટિકોણથી છણાવટ કરીને, દૃષ્ટાંતો આપીને, ન્યાય દ્વારા સમર્થિત કરીને પરમાર્થ સ્કુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. વળી, વિવેચનને શ્રીમદ્રના પત્રોના આધારે સમર્થિત કરી, તેનો યથાસંભવ વિસ્તાર કર્યો છે. મહાન આચાર્યોનાં શાસ્ત્રવચનોના સુદઢ આધારે ગાથાના સંદર્ભમાં થયેલી વિચારણા પ્રમાણિત કરી છે. છતાં પરમ પુરુષ શ્રીમની પરમ ઓજસ્વી કૃતિનો માત્ર સ્થૂળ ખ્યાલ જ આપી શકાયો છે એવી પૂરી સભાનતા સાથે આ વિવેચનની પૂર્ણાહુતિ થઈ છે. હજુ તો ઘણી ઘણી આત્મલક્ષી વિચારણા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી રહી શકાય તેમ છે એ નિઃસંશય છે. તત્ત્વજ્ઞાનગર્ભિત, આત્મલક્ષી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આધ્યાત્મિક સાહિત્યનું અણમોલ રત્ન છે. શ્રીમદે જે અનન્ય, લાક્ષણિક, વિશિષ્ટ શૈલીથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું સર્જન કર્યું છે, તે આશ્ચર્યનું આશ્ચર્ય છે, પરમ શોભારૂપ છે, સમસ્ત આધ્યાત્મિક વાભયમાં અપ્રતિમ છે. પદે પદે આત્માનો અનન્ય મહિમા વિસ્તારતી અને આત્મસિદ્ધિ કરાવતી આ કૃતિનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને પરમોચિત જ જણાશે. આ કૃતિ મુમુક્ષુ જીવોને પરમ અવલંબનરૂપ છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'- એક મૂલ્યાંકન Page #409 -------------------------------------------------------------------------- ________________ Page #410 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા છે પરમાર્થપથના પ્રરૂપક, પ્રદર્શક અને પ્રયોજક શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માર્થી જીવોને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અદ્વિતીય ગ્રંથની અમૂલ્ય ભેટ આપીને તેઓ ઉપર અથાગ ઉપકાર કર્યો છે. સરળ ગુજરાતી ભાષામાં લખાયેલ પદ્યકૃતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', માત્ર ૧૪૨ ગાથામાં મોક્ષમાર્ગને સ્પષ્ટ અને સુરેખ રીતે ઉપદેશનાર અપૂર્વ શાસ્ત્ર છે. તેમાં શ્રીમદે ગુરુ-શિષ્યના સંવાદરૂપે ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે' તથા ‘મોક્ષનો ઉપાય છે' એ છ પદ દ્વારા આત્મા જેમ છે તેમ યથાર્થપણે સમજાવી, આત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરી, આત્મસિદ્ધિ અર્થે જાગૃતિપ્રેરક અદ્ભુત ઉપદેશ આપ્યો છે. તેમણે તેમાં પ્રદર્શનનો પરમાર્થ સંક્ષેપમાં સમજાવ્યો છે તથા આત્મદર્શન કરીને કૃતાર્થ થવાનું રહસ્ય પ્રકાશ્ય છે. સમ્યગ્દર્શનમાં કારણભૂત એવાં આત્માનાં છ પદોનું સુંદર રીતે વર્ણન કરતી આ પદ્યકૃતિ શ્રીમન્ની આધ્યાત્મિક રુચિ અને સાહિત્યિક શક્તિનો પરિચય કરાવે છે. આ રચના દ્વારા તેમની અપ્રતિમ આધ્યાત્મિક દ્રષ્ટિ અને કાવ્ય માટેની અદ્ભુત કલ્પનાશક્તિની પ્રતીતિ થાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા મહાન ગ્રંથનું મૌલિક સર્જન કરનારા શ્રીમદ્ અસાધારણ કોટિના સાહિત્યસ્વામી તથા આર્ષદ્રષ્ટા મહર્ષિ હતા. પોતાના આધ્યાત્મિક સાહિત્યસર્જન દ્વારા તેઓ જૈન સાહિત્યમાં આજે પણ વિશિષ્ટ સ્થાને બિરાજી રહ્યા છે. જૈન સાહિત્ય પ્રાચીન કાળથી માંડીને વર્તમાન કાળ સુધીમાં ઘણું રચાયું છે. ભારતીય સંસ્કૃતિને ઘડનાર પરિબળોમાં જૈન સાહિત્યનો ફાળો ઘણો મોટો છે. શ્રીમદ્ જેવા મહાન સર્જકોની અણમોલ કૃતિઓએ ભારતીય લોકોનાં જીવનના ઘડતર ઉપર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. સાધકને શાંતરસના અનુભવ તરફ લઈ જતું શ્રીમતું સાહિત્ય મુમુક્ષુસમાજની અણમોલ મૂડી છે. તેમણે અનેક પદ્યકૃતિઓની રચના કરી છે, જે આધ્યાત્મિક અને સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વની છે. તેમાંથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ તેમનું ગુજરાતી સાહિત્યને થયેલું અમૂલ્ય અર્પણ છે, જેમાં તેમને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાનના રસથી તરબોળ થયેલી તેમની અપ્રતિમ બુદ્ધિ અને પ્રતિભાશીલ સર્જનશક્તિ સુંદર સંયોજન પામી છે. સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલાત્મક રીતે ગૂંથાયેલ આ ગ્રંથ તેમનું અસાધારણ ગ્રંથનિર્માણ કૌશલ્ય દર્શાવે છે. તેમના રોમે રોમમાં ગુંજી રહેલા ઉત્તમ ભાવોના પરિપાકરૂપ, તેમના હૃદયકમળના પરાગરૂપ, સ્વાનુભવના નિચોડરૂપ આ ગ્રંથમાં તેમણે સત્ય દષ્ટિ ઉદ્ઘાટિત કરીને સાધકોને અત્યંત Page #411 -------------------------------------------------------------------------- ________________ 3७८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપ્યું છે. આત્માને વિશુદ્ધ કરવાના વિશિષ્ટ ઉદ્દેશથી લખાયેલ આ પદ્યરત્ન રહસ્યજ્ઞાનનો ભંડાર છે. તેની કાવ્યચમત્કૃતિ અને ઉપદેશપદ્ધતિ ખૂબ અસરકારક છે. આખો ગ્રંથ વિચારબોધક તો છે જ, તેની સાથે કલાત્મક પણ છે. તેમાં તત્ત્વજ્ઞાન, ભક્તિ અને આત્માનુભવના સચોટ નિરૂપણની સાથે સાથે ભાષાની સરળતા અને તેનું લાલિત્ય પણ સ્પષ્ટપણે તરી આવે છે. કાવ્યસાહિત્ય લાગણીને સ્પર્શ કરનારું હોવાથી તે જીવનને રસમય બનાવે છે અને તેમાં પણ આવું અધ્યાત્મલક્ષી કાવ્ય તો જીવન જીવતાં શીખવે છે, ધર્મબુદ્ધિ જાગૃત કરે છે, વિવેક વધારે છે, વૈરાગ્ય પ્રગટાવે છે, ચારિત્રને ઘડે છે. આ રીતે જીવ ક્રમે ક્રમે પોતાનો ઉત્કર્ષ સાધી શુદ્ધ આત્મપદ પ્રગટાવે છે. શ્રીમદ્ભા અંત:કરણમાંથી ફુરેલી અને ગુણતરંગોથી ઊછળતી આ ભવ્ય કાવ્યરૂપ ગંગા કળિકાળના પાપસમૂહને ધોઈ નાખે છે. તેમાં ડૂબકી મારનાર અનેક મનુષ્યો કૃતાર્થ થયા છે, થાય છે અને થશે. તેના અભ્યાસથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે, આત્માની સિદ્ધિ થાય છે. સાધકજીવનને સફળ બનાવવા તેનો સ્વાધ્યાય પરમ આધારભૂત છે. આબાલવૃદ્ધ સમજી શકે તેવી સરળ ભાષામાં રચાયેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્મજ્ઞાન થવા માટેનું ખરેખર અભુત અને અમોઘ શાસ્ત્ર છે. આ ગ્રંથ અવશ્ય તત્ત્વજ્ઞાનના સાહિત્યની ગરિમાને વધારવાવાળો છે. જે સ્થાન વૈદિક ધર્મમાં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' પામ્યું છે, તે જ સ્થાન જૈન ધર્મમાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પામી શકે એટલી તેની સમર્થતા છે. તેની એક એક પંક્તિ ગંભીર ભાવોથી ભરેલી છે. શાસ્ત્રોનો મર્મ તારવી શ્રીમદે મોક્ષમાર્ગનું તર્કસંગત અને અનુભવસિદ્ધ પ્રતિપાદન કર્યું છે. તેના અધ્યયનથી જિજ્ઞાસુઓને અખૂટ પ્રેરણા મળશે એમાં કોઈ સંદેહ નથી. સરળ, સચોટ અને પ્રવાહી ભાષાશૈલીમાં લખાયેલો આ ગ્રંથ અધ્યાત્મના અનુરાગીઓને, તત્ત્વજ્ઞાનસમુદ્રના મરજીવાઓને, સંસારસમરાંગણના સુભટોને, સાહિત્યના રસિકોને તેમજ ભાષાક્ષેત્રના અભ્યાસીઓને રસ પડે તેવી સામગ્રીથી સભર હોવાથી તે દ્વારા સર્વને લાભ થાય એમ છે. | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અદ્ભુત મહિમા લક્ષગત થવા અર્થે હવે તેનું સાહિત્યિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ. Page #412 -------------------------------------------------------------------------- ________________ ખંડ – ૩ પ્રકરણ - ૧ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન Page #413 -------------------------------------------------------------------------- ________________ Page #414 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન પ્રગટ તેમજ પ્રચ્છન્ન એવી વિધવિધ શક્તિઓના કારણે અનેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા શ્રીમદ્દી સાહિત્યસર્જનના ક્ષેત્રે પણ એક આગવી પ્રતિભા ઊપસે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી અનુપમ કૃતિ ઉપરાંત તેમની અન્ય પદ્યકૃતિઓ તથા ગદ્યસર્જનને સાહિત્યિક દૃષ્ટિએ મૂલવતાં ખાતરી થાય છે કે શ્રીમદ્દનું સાહિત્યસર્જન ખરેખર અદ્ભુત કક્ષાનું છે. શ્રીમદ્ભા ઉત્કૃષ્ટ સાહિત્ય વિષે અનેક સારસ્વતોએ પ્રસંગોપાત્ત ઉલ્લેખ કર્યો છે. મહાત્મા ગાંધીજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, શ્રી આનંદશંકર ધ્રુવ, શ્રી કાકાસાહેબ કાલેલકર, મુનિશ્રી પુણ્યવિજયજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી નર્મદાશંકર મહેતા, શ્રીમતી વિમલા ઠાકર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાવભીની વાણીમાં શ્રીમન્ની તથા તેમના સાહિત્યની અનેક વાર પ્રશંસા કરી છે, જે નોંધનીય છે. શ્રીમદ્ જન્મથી જ શીઘ્ર કવિ, સિદ્ધહસ્ત લેખક તથા સંસ્કારી તેમજ પ્રતિભાશાળી સાહિત્યકાર હતા. ઉપશમ, ભક્તિ, વૈરાગ્ય, ચારિત્ર, તત્ત્વજ્ઞાન આદિ દરેક વિષયો ઉપર શ્રીમદે ગદ્ય તેમજ પદ્યમાં ગંભીર શૈલીપૂર્વક લખ્યું છે. તેમની કાવ્યપ્રતિભા અનોખા પ્રકારની હતી. તેમની કવિતા જેટલી સરળ છે, તેટલી જ ગંભીર વિષયોનું નિરૂપણ કરનારી છે. પ્રત્યેક કાવ્યમાં શબ્દયોજના અને ભાવોદ્દઘાટન અનોખાં છે. જેવી રીતે સરિતાનું નીર સહજ ગતિએ પ્રવાહિત થાય છે, તેવી જ રીતે શ્રીમન્ના હૃદયમાંથી નીકળેલી કાવ્યધારા સહજપણે વહે છે. શ્રીમન્ના સમગ્ર સાહિત્યનું અવલોકન કરતાં બે મુદ્દા ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી - (૧) શીધ્ર સર્જનની તેમની નૈસર્ગિક કવિપ્રતિભા (૨) તેમનું ધર્મલક્ષી વલણ. અવધાનપ્રસંગે પ્રશ્નકાર દ્વારા મનફાવતા કોઈ વિષય ઉપર ગમે તે છંદમાં કાવ્ય રચવાનું શ્રીમને કહેવામાં આવતું અથવા કોઈ કાવ્યપંક્તિ આપી, તેની સમસ્યાપૂર્તિ રચવાનું કહેવામાં આવતું. અવધાનના જુદા જુદા વિષયો પ્રત્યે ધ્યાન આપતાં રહીને પણ શ્રીમદ્ તે તે માંગેલા વિષય ઉપર માંગેલા છંદમાં શીઘ્ર કવિતા રચી સર્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતા. આ અવધાનકાવ્યોમાં શ્રીમદ્રની નૈસર્ગિક કાવ્યપ્રતિભા ઝળકી ઊઠેલી અનુભવાય છે, એટલું જ નહીં પણ કાંકરા, પીચકારી, ઈટ આદિ તુચ્છ અને નિર્માલ્ય લાગતા વિષય ઉપરથી પણ તેઓ અભુત પરમાર્થબોધ અવતારતા હતા તે જોઈ શકાય છે. તેના ઉપરથી ધર્મ તરફનો તેમનો ઝોક જણાઈ આવે છે તથા તેમના વૈરાગ્યમય માનસનું પ્રતિબિંબ પણ તેમાં પડે છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે પિંગલનો અભ્યાસ કરતાં તે છંદો પર પ્રભુત્વ પામતાં બીજાઓને વર્ષોના વર્ષો વીતી જાય, તે પિંગળ - છંદશાસ્ત્ર પર આ શીઘ્રકવિનું આટલી નાની વયે પણ એટલું બધું પ્રભુત્વ છે કે વાઘ પર સંગીતપટુની જેમ આ કાવ્યપટુની કાવ્યઅંગુલિ ગમે તે છંદમાં આસાનીથી સ્વચ્છેદે ફરે છે! જે શબ્દચમત્કૃતિ આણતાં બીજાઓને ઘણો ઘણો આયાસ સેવવો પડે છે, તે શબ્દચમત્કૃતિ અનાયાસે આ આજન્મ કવિની સેવા કરે છે; જે અર્થચમત્કૃતિ નીપજાવતાં બીજાઓનો દમ નીકળી જાય છે, તે અર્થચમત્કૃતિ આ નિસર્ગકવિના શબ્દને સહજપણે અનુસરે છે; જે રસ જમાવતાં બીજાઓને મહા પરિશ્રમ કરવો પડે છે, તે રસની જમાવટ આ રસમૂર્તિ શાંતરસાધિરાજ રાજ કવિના કાવ્યમાં સ્વયં આવી ચડે છે; જે કવિપ્રતિભા ચમકાવતાં બીજાઓને ઘણું તપ તપવું પડે છે, તે કવિપ્રતિભા આ તેજોનિધિ કવિના કાવ્યમાં સ્વયં પ્રતપે છે; જે બોધ અવતારતાં બીજાઓને તાણી-તોષીને ઘણો પ્રયાસ કરવો પડે છે, તે બોધ આ વિબુધ કવિના કાવ્યમાં સહજ સ્વભાવે અવતરે છે; જે ધર્મરંગ દાખવતાં બીજાઓને કોટી કોટી ઉપાય કરવા પડે છે, તે નિર્દભ ધર્મરંગ આ ધર્મરંગી કવિના કાવ્યમાં સ્વયં દેખાઈ આવે છે. ૧ શ્રીમનો સ્વભાવ ચિંતનશીલ અને મનનશીલ હતો. તેમનું ચિંતન આત્મલક્ષી જ હતું. બાહ્યલક્ષી સાહિત્ય જેવાં કે વાર્તા, નવલકથા, નાટક આદિ તરફ તેમની રસવૃત્તિ ન હતી. તેમનાં રચેલાં જેટલાં પણ પદ છે, તેમાંનાં દરેક પદમાં અધ્યાત્મ સિવાય બીજો કોઈ પણ રસ નથી. શ્રીમદ્રનું દૃષ્ટિબિંદુ હંમેશાં આત્મકલ્યાણનું જ હોવાથી બાળ કે યુવાન વયે બનાવેલાં તેમનાં પદો અધ્યાત્મ શાંતરસપ્રધાન જ છે. જન્મયોગી એવા શ્રીમની વૃત્તિ અને વલણ અંતર્મુખ હોય તથા તેમની રુચિ અને પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ આત્મલક્ષી હોય એ સ્વાભાવિક છે. સાહિત્યસર્જન વિષે શ્રીમદે લખ્યું છે – કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્ભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.’ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૨૬ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૪ (ઉપદેશનોંધ-૭) ૩- એજન, પૃ. ૩૯૦ (પત્રાંક-૪૮૩) Page #416 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૮૩ શ્રીમનું કહેવાનું તાત્પર્ય એ છે કે કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓમાં જો આત્મશ્રેયનું ધ્યેય ભળે તો જ તે કલા સાર્થક બને. કલાનું અંતિમ ધ્યેય જો પરમ સમીપે પહોંચવાના હેતુરૂપ હોય તો જ કલા સાધના બની શકે અને તે સ્વ-પર બન્નેને કલ્યાણકારી બની શકે. કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ ભક્તિપ્રયોજનરૂપ ન હોય તો તે માત્ર કલ્પિત અને નિરર્થક બની જાય છે. જે કલા દ્વારા આત્મગુણોનો વિકાસ થાય તે કલા જ સાર્થક છે. જે સર્જનમાં નિજસ્વરૂપને પામવાની ઝંખના નથી, તે કૃતિ ઇન્દ્રિયોનું મનોરંજન કરનારી નીવડે છે. તેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું તથા રાગ, દ્વેષ અને સંસાર વધારનારું હોય છે. જે કૃતિઓ માત્ર ક્ષણિક સુખ આપે છે, તેનું આયુષ્ય પરપોટા જેટલું હોવાથી કાળના પ્રવાહમાં તે વિસ્મૃત બની જાય છે. પરંતુ શ્રીમદ્ જેવા સર્જકની કૃતિઓ ચિરસ્મરણીય બની જાય છે, કારણ કે તેમાં આત્મતત્ત્વના ઊંડાણમાં ડૂબકી લગાવ્યા પછીની નિજભાવદશા અને ઉત્કટ સંવેદના વ્યક્ત થાય છે. સાધનાની પગદંડી ઉપર ચાલતાં ચાલતાં શ્રીમદ્ દ્વારા રચાયેલી પરમ તત્ત્વની અનુભૂતિ વ્યક્ત કરતી કૃતિઓ ચિરંતન બની ગઈ, અમર બની ગઈ! આમ, પોતાની એક એકથી ચઢિયાતી, ઉત્તમ કાવ્યમય સુકૃતિઓથી જયવંત એવા શ્રીમદ્ કવીશ્વર પોતાની યશકાયથી સદા જીવંત છે. શ્રીમદ્ગી દરેકે દરેક ચિરંજીવ કૃતિ અત્યંત અમૃતમાધુરીથી ભરેલી છે. જો કે તે સર્વ કૃતિઓની વિગતો પ્રત્યે ઊડતો દષ્ટિપાત કરવા જેટલો પણ અત્ર અવકાશ નથી, તેથી માત્ર વિશેષ પ્રસિદ્ધિ પામેલી કૃતિઓનો નામનિર્દેશ કરી સંતોષ માનીશું. તેમાંની કેટલીક કૃતિઓ છે - “બહુ પુણ્યકેરા પુંજથી', “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી', ‘બિના નયન પાવે નહીં', “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું', યમનિયમ સંજમ આપ કિયો', “મૂળ મારગ સાંભળો જિનનો રે’, ‘પંથ પરમપદ બોધ્યો', “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?', “મારગ સાચા મિલ ગયા', “ઇચ્છે છે જે જોગી જન'. શ્રીમના આ સાહિત્યના શિખર ઉપર સુવર્ણકળશ સમ શોભતી કૃતિ છે - “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', જે અનેક કાવ્યગુણોથી સભર તથા શ્રીમન્ના ઉન્નત અનુભવના પ્રતિબિંબરૂપ છે. અંતરના અનુભવપૂર્વક સહેજે સ્કુલ ગહન અને પરમ સત્યને શ્રીમદે સરળ વાણીમાં, આ કાવ્યમાં ગૂંચ્યું છે. તેની અખંડિત કાવ્યધારા, ગહન વિષયને કાવ્યત્વને તાંતણે વણી નાખવાની વિરલ શક્તિ, પદે પદે જ્ઞાનના આનંદની ઊર્મિના અનુભવાતાં સ્પંદનો, તેની હૃદયસ્પર્શિતા, તેનું પ્રબળ વેધક જોમ - આ બધાં તત્ત્વો શ્રીમન્ના સાહિત્યનું ઉચ્ચપણું સિદ્ધ કરે છે. સાહિત્યિક દૃષ્ટિએ તેનું મૂલ્યાંકન કરવા, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું કાવ્યસ્વરૂપ, કાવ્યચમત્કૃતિ, કાવ્યશૈલી તથા તેની લોકભોગ્યતા સંબંધી સંક્ષેપમાં વિચારણા કરીશું. Page #417 -------------------------------------------------------------------------- ________________ 3८४ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (I) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું કાવ્યસ્વરૂપ સાહિત્ય શબ્દ સ + હિતથી બનેલો છે. જે લેખન પ્રાણીમાત્ર માટે હિતકર અને પ્રિયકર છે તેને સાહિત્ય કહેવાય છે. સાહિત્ય જીવનને ઉન્નત બનાવવામાં બહુ મોટો ફાળો આપવાની શક્તિ ધરાવે છે. સત્યના કે સૌંદર્યના તત્ત્વનું ઉચિત લેખન કે કથન તે સાહિત્ય. અપૂર્વ અને ભાવનાશાળી આત્માઓની સર્ગશક્તિનો કલાત્મક વાણીરૂપ આવિર્ભાવ તે સાહિત્ય. જ્યારે જ્યારે વિશિષ્ટ અને ઉત્તમ હેતુસર વાણીના ગૌરવાન્વિત સ્વરૂપમાં રસનું કલાયુક્ત અને કલ્પનાયુક્ત વિધાન થાય, સૂક્ષ્મ સંશોધન સિદ્ધાંતનું તાત્વિક નિરૂપણ થાય, ધર્મનીતિના સર્વમાન્ય ઉપદેશો દેવાય ત્યારે ત્યારે સાહિત્યની રચના થઈ એમ સમજવું. - કાવ્યો, નાટકો, સંવાદો, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો એ સર્વ સાહિત્યનાં જુદાં જુદાં અંગ છે, સાહિત્યદેહનાં નિરનિરાળાં સ્વરૂપ છે. પોતાના અનુભવને રજૂ કરવા માટે સાહિત્યનાં બીજાં સ્વરૂપો કરતાં કાવ્યસ્વરૂપનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થતો જોવા મળે છે. ગૂઢ ભાવોની અભિવ્યક્તિમાં ગદ્ય કરતાં પદ્ય વિશેષ અનુરૂપ હોય છે. પદ્યમાં થોડી જગ્યામાં અને થોડા શબ્દોમાં ઘણું અને સુંદર કહી શકાય છે અને પાછું તે ગેય પણ હોય છે, અર્થાત્ મધુર સ્વરે ગાઈને તેનું આસ્વાદન લઈ શકાય એવું હોય છે. ગહન ભાવોને હૃદયસ્થ બનાવવા માટે તે કંઠસ્થ હોવા જરૂરી છે અને કવિતા સહેલાઈથી કંઠસ્થ થઈ શકે છે. એક જ વાત જ્યારે વારંવાર ઉચ્ચારવામાં આવે છે ત્યારે ધીમે ધીમે તેનો ભાવ સ્પષ્ટ થતો જાય છે અને તેમાં એકાગ્રતા કેળવાતી જાય છે; તેથી જે જે પુરુષોએ અનુભવની મસ્તી માણી છે, તેનો લાભ અન્યને મળી શકે તે માટે તેમણે પદો અને કવિતાઓની રચના કરી છે અને તેમાં અનુભવનું નવનીત પીરસ્યું છે. અર્વાચીન દૃષ્ટિની સૌથી નિકટ અને તેથી તેને સૌથી વિશેષ આકર્ષક લાગે એવાં કાવ્યનાં લક્ષણ ‘સાહિત્યદર્પણ'ના કર્તા શ્રી વિશ્વનાથે તથા ‘રસગંગાધરના કર્તા શ્રી જગન્નાથે સંસ્કૃતમાં આપ્યાં છે. શ્રી વિશ્વનાથ કહે છે, “વવાં રસાત્મ ઋાવ્ય' અર્થાત્ રસસમન્વિત વાક્યરચના તે કાવ્ય. પંડિત જગન્નાથ કહે છે, “રમાર્થપ્રતિપાઃ શબ્દઃ વાવ્ય' અર્થાત્ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. આમ, કાવ્ય એટલે સુંદર અર્થની સુંદર શબ્દોમાં અભિવ્યક્તિ. અન્ય જનના હૃદયસંસ્કારને જગાડવા કવિના અંતઃકરણથી વહેતો હૃદયભાવનો પ્રવાહ તે જ ‘રસ', પરહૃદયને ઉદ્બોધવાની જે હૃદયશક્તિ તે કવિનું ‘રસમંદિર' અને એ રસને ત્વરાથી વધારેમાં વધારે પ્રમાણમાં ગ્રહણ ૧- શ્રી વિશ્વનાથ, “સાહિત્યદર્પણ', પૃ.૧૯ ૨- પંડિત જગન્નાથ, ‘રસગંગાધર', પૃ.૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૮૫ કરવાની શક્તિ તે “રસિકતા'. રસ એ કાવ્યની પ્રથમ આવશ્યકતા છે, એટલે રસ એ સાધ્ય છે અને છંદ, કલ્પના, વિચાર, અલંકારો વગેરે તે રસને વહેવડાવવાનાં સાધન છે. સાધ્ય કે સાધન બન્નેમાંથી એકની પણ સદંતર ઉપેક્ષા ન જ થઈ શકે. શિષ્ટ તથા મધુર ભાષા, યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સુસંવાદી ગોઠવણી - એ સર્વ કાવ્યનાં આવશ્યક અંગ છે. ક્લિષ્ટ, ગ્રામ્ય કે અપરિચિત શબ્દો રસમાં ક્ષતિ ઊભી કરે છે. લલિત, સરળ અને વિશુદ્ધ ભાષા રસમાં વૃદ્ધિ કરે છે. રસ અથવા ભાવ તે કાવ્યનું મુખ્ય અંગ છે, કાવ્યનો પ્રાણ છે, તેથી એ જરૂરી છે કે કાવ્યનિર્માણમાં ભાવનું મહત્ત્વ યથાવત્ સ્વીકારવામાં આવે અને છંદ, પદલાલિત્ય, શબ્દચમત્કૃતિ વગેરે સાધનભૂત અંગોને કાવ્યપ્રાણભૂત તત્ત્વ તરીકે નહીં પણ કાવ્યઘટનામાં ગૌણ, અંગભૂત, પરિચારકરૂપ સામગ્રી તરીકે સ્વીકારવામાં આવે; અર્થાતુ ન એ તત્ત્વોને પ્રધાનસ્થાને ગણવામાં આવે કે ન એને સર્વથા અવગણવામાં આવે. તાત્ત્વિક દૃષ્ટિએ કવિતા માટે છંદ અનિવાર્ય નથી. સંસ્કૃતકાવ્યશાસ્ત્રમાં તો કહ્યું છે કે “વાર્થ પદ્ય ગદ્ય' અર્થાત્ કવિતા પદ્યમાં - છંદમાં પણ હોય અને ગદ્યમાં પણ હોય. છંદ વિના પણ કવિતા રચી શકાય. આમ છતાં છંદ સાથેનો કવિતાનો સંબંધ ઘણો જૂનો છે. મોટા ભાગની કવિતા છંદોબદ્ધ છે. ભૂતકાળના મહાન કવિઓએ પોતાની કવિતાઓને મુખ્યત્વે છંદોમાં જ રચી છે. લગભગ વેદકાળથી કવિતાઓ છંદોબદ્ધ થતી આવી છે, તેથી લોકમાનસમાં એક એવો સામાન્ય ખ્યાલ બંધાઈ ગયો છે કે કવિતા છંદોબદ્ધ જ હોય. એ સાચું છે કે સામાન્ય રીતે કવિતા છંદમાં જોવામાં આવે છે, છતાં કવિતા છંદનાં બંધનો વિના પણ રચી શકાય છે. આમ, પદ્ય રચનાના મુખ્ય બે વર્ગ પડે છે - (૧) અબદ્ધ અને (૨) નિબદ્ધ (૧) અબદ્ધ પદ્યરચના એટલે ચરણોની સંખ્યાનાં વિવિધ બંધનોથી મુક્ત પદ્યરચના. એ બંધનોના ત્યાગના કારણે એમાં ભાવપ્રદર્શનને વિશેષ અવકાશ મળે છે. નિબદ્ધ પદ્યરચનામાં જેમ વક્તવ્ય શ્લોક કે કડીના ચોકઠામાં બરાબર સમાઈ શકે એવું ન હોય તો વધ-ઘટ કરી તે વક્તવ્યને સદર ચોકઠામાં બંધબેસતું બનાવવું પડે છે; તેમ અબદ્ધ પદ્યરચનામાં એવો પ્રસંગ ઊભો થતો નથી. એમાં નિરર્થક કે પાદપૂરક શબ્દનો ઉપયોગ કરવો પડતો નથી. એની ખૂબી એ છે કે એમાં ગદ્યની સ્વાભાવિકતા ઉતારી શકાય છે. યતિકૃત કૃત્રિમ વિરામથી ખચકાટ પામ્યા વિના એ રચના અસ્મલિત ગતિથી આગળ વધે છે અને આખું કાવ્ય એક મહાપદ્ય બની રહે છે. એને પ્રાસ કે ઝડઝમકનો શણગાર પણ જરૂરી રહેતો નથી. એનાં મુખ્ય લક્ષણો આટલાં ગણાવી શકાય ૧- યતિ = પંક્તિઓ વાંચતી વખતે અમુક માત્રા પછી વિરામ લેવાની જરૂર પડે છે. આવા વિરામસ્થાનને યતિ કહે છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ उ८६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - ૧) પદ્યની અગેયતા કે પાઠ્યતા ૨) એક સળંગ વાક્ય કાવ્યની એક પંક્તિમાંથી ઊભરાઈને અનેક પંક્તિઓ સુધી વહી શકે, એટલું જ નહીં પણ પંક્તિની વચ્ચે ગમે ત્યાંથી શરૂ થઈ ગમે ત્યાં સુધી વહી શકે એવી સળંગ અખંડિતતા ૩) અર્થને અનુસરીને યતિ ગમે ત્યાં મૂકવાની છૂટ ૪) રચના એકવિધ ન બની જાય એવી સગવડ. | (૨) નિબદ્ધ પદ્યરચના એટલે અમુક માપની પંક્તિઓના જૂથ કે જૂથોમાં પ્રસરતી પદ્યરચના. લયમાં ગાઈ શકાય એવી શબ્દરચનાની પદ્ધતિ એટલે છંદ. છંદોનું પોતાનું વિશિષ્ટ પ્રકારનું બંધારણ હોય છે, તેથી જ્યારે પદ્યરચના છંદમાં રચવામાં આવે છે ત્યારે છંદનાં બંધનો સ્વીકારવાં પડે છે. છંદનું સુચારુ છંદ– પ્રગટ થાય એ રીતે તેને પ્રયોજી કાર્ય સિદ્ધ કરવું સહેલું નથી. કવિ માટે તે એક કસોટી છે. કોઈ એક છંદનું માપ અને તેનું સ્વરૂપ પ્રત્યેક પંક્તિમાં એકસરખું હોય છે, એટલે તેમાં એકવિધતા આવી જવાની શક્યતા વિશેષ રહે છે. કવિની કસોટી એમાં રહેલી છે કે એકસરખા માપ અને સ્વરૂપની પંક્તિઓથી કાવ્યરચના કરવા છતાં તેમાં લયની ચારુતા, રમણીયતા એકવિધ ન બનતાં નવનવીન રહે. છંદના એકધારા લયથી વાચક કાવ્યસભાનતા ન ગુમાવી બેસે તેનું લક્ષ રહેવું જોઈએ. કવિએ એકસરખા માપ અને સ્વરૂપવાળા છંદના લયનાવીન્યને જાળવી રાખીને કાવ્ય રચવાનું હોય છે. છંદોલયના લાવણ્યને માણવાની સાથોસાથ વાચક કવિતા પણ માણે એવી બેવડી હથોટી કવિએ છંદ વાપરવામાં સિદ્ધ કરવાની છે. કવિતા મુખ્યત્વે ચાર પ્રકારના છંદોમાં રચાય છે - સંખ્યામેળ, રૂપમેળ, માત્રામેળ અને લયમેળ. ૧) સંખ્યામેળ – આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં માત્ર અક્ષરોની સંખ્યા જ નિશ્ચિત હોય છે. મનહર, વનવેલી, ધનાક્ષરી જેવા છંદો આ પ્રકારના છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને વર્ણાત્મક પદ્ય અથવા વર્ણબંધ પણ કહેવાય છે. ૨) રૂપમેળ – આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં સંખ્યામેળ છંદની જેમ અક્ષરોની સંખ્યા તો નક્કી જ હોય છે, પણ તે ઉપરાંત તેમાં દરેક અક્ષરનું - લઘુગુરુ(હૃસ્વ-દીર્ઘ)નું સ્થાન પણ નિશ્ચિત હોય છે. શિખરિણી, મંદાક્રાંતા, વસંતતિલકા, શાદૂર્લવિક્રીડિત આદિ છંદો આ પ્રકારના છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને રૂપાત્મક પદ્ય અથવા રૂપબંધ પણ કહે છે. ૩) માત્રામેળ – જે છંદોમાં કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોની કુલ સંખ્યા કે તેનાં હ્રસ્વ-દીર્ઘ, લઘુ-ગુરુ સ્વરૂપ નક્કી હોતાં નથી, પણ પંક્તિની કુલ માત્રાઓ નક્કી હોય છે તે માત્રામેળ છંદો કહેવાય છે. માત્રા એટલે અક્ષરના ઉચ્ચાર કરતાં જેટલો સમય Page #420 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન ૩૮૭ લાગે તેનું નાનામાં નાનું માપ. હ્રસ્વ સ્વરને ઉચ્ચારતાં જેટલો સમય લાગે તેને એક માત્રા ગણવામાં આવે છે. દીર્ઘ સ્વરની બે માત્રા ગણાય છે. માત્રામેળ છંદ માત્રાની સંખ્યા ઉપર આધાર રાખે છે, તેથી આ પ્રકારના છંદમાં દરેક પંક્તિમાં અમુક અક્ષરોની સંખ્યા હોવી જોઈએ એવું બંધન નથી. દોહરા, ચોપાઈ, હરિગીત, ઝૂલણા વગેરે આ પ્રકારના છંદો છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને માત્રાત્મક પદ્ય અથવા માત્રાબંધ પણ કહેવાય છે. ૪) લયમેળ – આ પ્રકારના છંદમાં અક્ષરસંખ્યા, માત્રાસંખ્યા કે અક્ષરસ્વરૂપ (લઘુ-ગુરુ) કંઈ જ નક્કી હોતાં નથી. કેવળ લય જ તેનું ચાલક તત્ત્વ છે. આ લયનો આધાર લયના આરોહ, અવરોહ અને તાલ ઉપર રહે છે. પદ, ગરબા-ગરબી, ગીત, લોકગીત વગેરે લયમેળ હોય છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને લયાત્મક પદ્ય અથવા લયબંધ પણ કહેવાય છે. કાવ્ય સંબંધી આટલી વિચારણા પર્યાપ્ત ગણી, હવે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના કાવ્યાત્મક બંધારણ સંબંધી વિચારણા કરીએ . શ્રીમદે આ તત્ત્વપ્રધાન અનુપમ કાવ્યને માત્રામેળ પ્રકારના દોહરા છંદમાં ગૂંચ્યું છે, જેથી એને સ્મૃતિબદ્ધ કરી અનુકૂળતા અનુસાર ગાવાનું સર્વજનને સુલભ પડે. અન્ય છંદોની તુલનામાં દોહરા છંદની વિશેષતા એ છે કે તે સુગેય છે. અનેક રાગ અને તાલ સાથે તેનો સુમેળ સાધી શકાતો હોવાથી તેને જાતજાતના રાગ કે સૂરોમાં કર્ણપ્રિય બને તે રીતે ગાઈ શકાય છે. દોહરા છંદની માત્રા સંખ્યા ૨૪ છે. આ છંદની બે પંક્તિ હોય છે. દરેક પંક્તિના બે વિભાગ - ચરણ હોય છે, એટલે કે દોહરાની બે પંક્તિના ચાર વિભાગ અથવા ચરણ હોય છે. તેનું બંધારણ આ પ્રમાણે છે – માત્રા – પહેલા ચરણમાં ૧૩, બીજા ચરણમાં ૧૧ = ૨૪ ત્રીજા ચરણમાં ૧૩, ચોથા ચરણમાં ૧૧ = ૨૪ ૧૧મી માત્રા લઘુ, છેલ્લા બે અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ યતિ – દોહરા છંદમાં તેરમી અને ચોવીસમી માત્રા પછી યતિ હોય છે. ઉદાહરણરૂપે આ કાવ્યની એક ગાથાનું બંધારણ અવલોકીએ – ૨ ૨ ૨૧૧ ૨૧ ૨ ૨૧ ૨૧ ૨ ૨૧ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; ૨ ૨૧૧ ૨૧૧ ૧૨ ૨ ૧૨૧ ૧૧ ૨ ૧ તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. (૯૯) Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે તેમની કવિત્વશક્તિ વડે અધ્યાત્મ જેવા ગહન વિષયને પણ એવી સરળ રીતે છંદોબદ્ધ કર્યો છે કે જેથી તે લોકજીભે રમતો રહે. દરેક કડીના અંતે અનુપ્રાસ હોવાથી તેમાં મધુર ગેયતા ઉત્પન્ન થાય છે. પ્રાસાનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓ કાવ્યના ગહન વિષયને ગરિમા આપે છે. વિચારવામાં રસિક અને ગાવામાં ભાવવાહી એવી આ કૃતિ અત્યંત હૃદયસ્પર્શી છે. શ્રીમદે કરેલી શબ્દરચના અને ભાવયોજના એટલી સુંદર છે કે સામાન્યજનને પણ તે કર્ણપ્રિય બને, વાચકને તે સહેલાઈથી કંઠસ્થ થઈ જાય તેમજ વારંવાર તેને ગાતાં સાધક તેમાં લીન બની તેના ઊંડા ભાવોને પામી શકે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એવું તો અદ્ભુત માધુર્ય, પ્રસાદ, ઓજસ અને ધ્વનિ ભર્યા છે, એવું તો ઉચ્ચ ચૈતન્યવંતું કવિત્વ ભરેલું છે કે તેનો રસાસ્વાદ લેતાં આત્મા જાણે તૃપ્ત જ થતો નથી. તેને ગાતાં કે સાંભળતાં કોઈ અદ્દભુત આલાદ પ્રાપ્ત થાય છે. અપૂર્વ ભાવ જાગૃત કરવાનું દૈવત તેમાં રહેલું છે. ભાવોને ઉદીપ્ત કરવાના કાવ્યના વિશિષ્ટ સામર્થ્યનો ઘણો આધાર કાવ્યની સુભગ વાણી, છંદ, પ્રાસાદિના લયમાધુર્ય તેમજ સ્વરમાધુર્ય ઉપર રહેલો છે. ઉચ્ચ કાવ્ય તે જ કહી શકાય કે જ્યાં કવિનો સર્જનવ્યાપાર અને વાચકનો ભાવનવ્યાપાર બને હોય, અર્થાત્ કવિ જે સંવેદના અનુભવે છે, તેને પાણીમાં વ્યક્ત કરીને કાવ્યને એવું ભાવકગમ્ય બનાવે કે વાચક એનું ગ્રહણ કરી શકે. ભાવધારામાં ઉત્તરોત્તર વિશુદ્ધિ થતાં શ્રીમની આત્માનુભૂતિ - તેમનો આત્માનંદ ઉચિત શબ્દો દ્વારા કાવ્યાકાર પામતો ગયો, જેનો સહચારી આનંદ વાચકહૃદયમાં સંક્રાંત થાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રત્યેક ગાથાએ શ્રીમદ્ભો ઉન્નત અનુભવ આવિર્ભાવ થયેલો જણાય છે. શ્રીમદ્ભા શબ્દો તેમની પ્રતિભાના રંગથી રંગાયેલા છે. પ્રત્યેક ચરણ, પ્રત્યેક શબ્દ તેમના આત્માના ઊંડાણમાંથી નીકળતાં હોય તેવાં ભાસે છે. એક પણ પંક્તિ કે શબ્દ ક્ષુલ્લક, નીરસ કે નિરૂપયોગી હોય એવું જડી શકે એમ નથી. તેનું અવલોકન કરતી વખતે તે વાચકની વૃત્તિને કોઈ ભવ્ય, ઉચ્ચ અને દિવ્ય લક્ષ તરફ લઈ જાય છે અને ત્યાં ઘડીભર સ્થિર કરી કોઈ અનિર્વચનીય સુખાનુભૂતિ કરાવે છે. (II) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કાવ્યચમત્કૃતિ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સૌથી વિશેષ પ્રતિષ્ઠિત પદ ધરાવતા કાવ્યપ્રકાશ'ના કર્તા શ્રી મમ્મટાચાર્યે કાવ્યનું લક્ષણ આપતાં લખ્યું છે કે “તોષી શબ્દાથે સTSાવરુંછતી પુનઃ વવાર ૧ અર્થાત્ પ્રબળ દોષરહિત તેમજ ગુણયુક્ત, સામાન્ય રીતે અલંકારયુક્ત અને ક્વચિત્ ફુટ અલંકારરહિત શબ્દાર્થ તે કાવ્ય. અલંકાર એટલે આભૂષણ, ઘરેણું, શણગાર. સૌંદર્ય સ્વયં રમણીય હોવા છતાં અલંકારથી સૌંદર્ય વધુ ખીલે છે. આ જ ૧- શ્રી મમ્મટાચાર્ય, કાવ્યપ્રકાશ', પૃ.૧૩ Page #422 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન ૩૮૯ ન્યાય કાવ્યસૌંદર્યને પણ લાગુ પડે છે. કવિતા એટલે સૌંદર્યસભર, રસાત્મક, કલ્પનાસમૃદ્ધ, ભાવોદ્રકસર્જક, ચમત્કારયુક્ત વાણી ગણીએ તો અલંકાર એ કવિતાના સૌંદર્યને પ્રગટ કરી આપનાર, રસને અભિવ્યક્ત કરનાર, કલ્પનાને મૂર્તરૂપ આપનાર, ઇન્દ્રિયગ્રાહ્ય કરાવનાર તથા ચમત્કૃતિ સર્જનાર અગત્યનું ઘટક છે. સૌંદર્ય સ્વયં, અલંકાર વિના પણ આલાદક હોય છે, તો પછી અલંકારની આવશ્યકતા શી? કોઈ પણ માનવી પોતાની વાત અન્ય માનવીને પ્રભાવી તેમજ સચોટ શૈલીથી અને રસ જળવાઈ રહે એ રીતે કહેવા ઇચ્છતો હોય છે, તેથી તે સામાન્ય વ્યવહારની વાત કરતો હોય છે ત્યારે પણ પોતાની વાણીમાં ‘સિંહ જેવો’, ‘માખણ જેવું વગેરે પ્રયોગો દ્વારા જાણ્યે-અજાણ્યે અલંકાર વાપરતો હોય છે. ‘તારા શબ્દોથી મારા દિલમાં ખૂબ વેદના થઈ છે', આ કથનને બદલે ‘તારા શબ્દો મારા દિલમાં ભાલાની જેમ વાગ્યા છે' એ પ્રકારના કથનથી વેદનાની તીવ્રતાનો સચોટ ખ્યાલ આવે છે. જો અસામાન્ય નહીં એવો માનવી સામાન્ય વ્યવહારની વાતમાં પણ આમ કરતો હોય તો અસામાન્ય રસગાહી સૌંદર્યદષ્ટિ, કલ્પનાશીલ ચિત્ત તથા સંવેદનશીલ હૃદયના સ્વામી એવા કવિને કંઈક માર્મિક, સૂક્ષ્મ અને વિશિષ્ટ ભાવસંવેદનની અભિવ્યક્તિ જ્યારે ભાષા દ્વારા સુંદર, ઊર્મિસભર અને સર્વાગ સંપૂર્ણ રીતે કરવી હોય છે ત્યારે તેની વાણીમાં અલંકાર ન આવે તો જ નવાઈ! વળી, વાતચીતમાં પોતાની અસર સામેના શ્રોતા ઉપર ક્યારે, કેવી અને કેટલી થઈ તે જોઈ શકાય છે અને જરૂર લાગે તો તે જ સમયે ભાષાપ્રયોગની અન્ય રીત અપનાવી શકાય છે; જ્યારે કવિ માટે એવી કોઈ તક ઉપલબ્ધ હોતી નથી. તેનું કાર્ય પરોક્ષ હોય છે, તેથી સરસ અને સચોટ અભિવ્યક્તિ કરવા માટે તેની કાવ્યવાણી અલંકૃત બને તે સ્વાભાવિક અને કંઈક અંશે અનિવાર્ય પણ છે. કંઈક અંશે અનિવાર્ય એટલા માટે કહેવાય છે કે એક સિદ્ધાંત તરીકે જોઈએ તો કાવ્ય માટે અલંકાર સર્વથા અનિવાર્ય નથી. અલંકાર વિનાની સુંદર કાવ્ય-અભિવ્યક્તિ સ્વય પોતાના સૌંદર્યથી - ભાવથી અસરકારક અને આફ્લાદક બની શકે છે, એટલે અલંકાર હોય તો જ તે કાવ્ય અને અલંકાર ન હોય તો તે અકાવ્ય એમ કહી શકાય નહીં. જો કાવ્યમાં રસ હોય તો જ અલંકાર કાવ્યને શોભા અર્પી શકે છે, પરંતુ અલંકાર એ બાહ્ય આભૂષણો નથી કે જે યથેચ્છ કાઢી શકાય, બહારથી દાખલ કરી શકાય કે બદલી શકાય. સમર્થ કવિના સર્જનમાં શબ્દાર્થના તાણાવાણાના વણાટની સાથે જ અલંકારો પણ સહજ રીતે વણાઈ ગયેલા હોય છે. કાવ્યના આંતરિક અંશરૂપે આવે તે અલંકાર જ કાવ્યના સાચા અલંકાર બને છે અને તેના સૌંદર્યને વિકસિત કરે છે. આમ, અલંકાર એ આગંતુક નથી, પણ કવિસંવેદનનો જ અંશ છે, સર્જક અને સહૃદયને જોડતો એક સેતુ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી સહિત શ્રીમના સમગ્ર સાહિત્યમાં ઠેર ઠેર આ તારણની Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યથાર્થતા દૃષ્ટિગોચર થાય છે. તેમનાં કાવ્યોમાં અલંકારનો પ્રવેશ કૃત્રિમ રીતે થયો નથી અને તેથી તેમની કોઈ પણ રચના ક્લિષ્ટ બની નથી. કર્મબંધનથી દુ:ખી થતા જગતના જીવોનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કારુણ્યવૃત્તિથી પ્રેરાઈને તેમણે આત્મકલ્યાણના લુપ્તપ્રાય માર્ગની સુગમ અભિવ્યક્તિના પ્રયોજન અર્થે જ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું નિર્માણ કર્યું અને એ દરમ્યાન તેમની અદ્ભુત કવિત્વશક્તિ અને ભાષાપ્રભુત્વના કારણે જે અલંકારો સ્વયં ઉપસ્થિત થયા, તેનો યથોચિત ઉપયોગ અનાયાસે થઈ ગયો. તેમના લખાણમાં અલંકાર રાસાયણિક પ્રક્રિયાની જેમ એકરૂપ બની ગયેલા દેખાય છે. શ્રીમાં કાવ્યોમાં વાજ્રાલ કે શબ્દાડંબર અર્થે અલંકાર પ્રયુક્ત થયા નથી અને તેથી જ તેમાં અલંકારોનો ખડકલો જોવા મળતો નથી. અત્યંત અલ્પ સંખ્યામાં અને યથોચિત રીતે તેમના દ્વારા પ્રયોજાયેલ અલંકારોનું પ્રયોજન માત્ર મર્મને વેધક બનાવવાનું જ છે. અલંકારે તેમના કાવ્યને સાર્થક નથી કર્યું, બલ્કે તેમણે અલંકારનો યોગ્ય પ્રયોગ કરી અલંકારને સાર્થકતા બક્ષી છે. અલંકારથી વાણી શક્તિવંત, સમૃદ્ધ, રમણીય, રસાત્મક, આહ્લાદક અને ચિત્રાત્મક બની, સદ્યસ્પર્શી બને છે. આંતર ચેતનાની સૂક્ષ્મ અને તરલ એવી અનુભૂતિને ભાષા દ્વારા પૂર્ણપણે પ્રગટ કરવાનું કાર્ય સરળ નથી. માત્ર અનુભૂતિનાં વિધાનો દ્વારા કવિતા સિદ્ધ થતી નથી. સંવેદનાનાં સૂત્રો પોકારવાથી તે ઉપદેશ કે ઓઘવાણી બની શકે, પણ સ્વાનુભૂતિનો અનુભવપ્રેરક ઉદ્ગાર ન બને. આવા વખતે અનેક શબ્દોથી ન પડે એવો પ્રભાવ એક ઉચિત અલંકારથી સર્જાય છે. સૂક્ષ્મ એવી અનુભૂતિનું ચમત્કૃતિવાળું, સુંદર, મૂર્ત, ઇન્દ્રિયોને સ્પર્શે એવું રૂપ અલંકારથી પ્રગટ થાય છે; અર્થાત્ અલંકાર રસને અભિવ્યક્ત કરી પાઠકને તેનો અનુભવ કરાવે છે. પોતાની અનુભૂતિને પ્રગટ કરવા માટે કવિને આપોઆપ અંતરના પ્રેરણાબળે અલંકાર સ્ફુરી આવે છે, તેથી જ અલંકાર કાવ્યનું બાહ્ય અંગ ન રહેતાં સર્જનપ્રક્રિયાનો જ એક અંશ બની જાય છે. કાવ્યસર્જન વખતે કયો અલંકાર કેટલી વાર અને ક્યાં ક્યાં વાપરવો એ અગાઉથી નક્કી થયેલું હોતું નથી. કાવ્યોત્પત્તિની આ એક ગૂઢ અને રહસ્યમય બાબત છે, તેથી અલંકારની સંખ્યા કે તેના પ્રકાર અંગે એટલું જ કહી શકાય કે કવિની કલ્પનાશક્તિને જે જે અલંકાર જ્યારે ઉચિત લાગે, તે તે અલંકાર ત્યારે કાવ્યમાં ઉચિત ગણાય. અલંકારોના અતિપ્રયોગથી કાવ્ય કંઈ વધુ સૌંદર્યવાન બનતું નથી કે અલ્પ પ્રયોગથી તે ઓછું સુંદર કે કદરૂપું બનતું નથી; બલ્કે પૂર્ણ ઔચિત્યથી પ્રયોજાયેલો એક જ અલંકાર જે સિદ્ધ કરી શકે છે, તે કોઈક વાર અનેક અલંકારો પણ સિદ્ધ ન કરી શકે એવું પણ બને. આમ, કયો અલંકાર ક્યાં અને કઈ રીતે વાપરવો એ સર્વ કવિની ઔચિત્યબુદ્ધિ ઉપર આધાર રાખે છે. જ્યાં શ્રીમદ્ જેવી પ્રતિભાવંત - Page #424 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૯૧ સર્જનશક્તિ કામે લાગે છે, ત્યાં જોઈ શકાશે કે અલંકાર માટે તેમણે જુદો કે વિશેષ આયાસ કરવો પડતો નથી. સર્જનની ઉત્તમ પળોમાં અલંકાર તેમણે ત્યાં સ્વતઃ ઉદ્દભૂત થાય છે. વ્યક્ત થવા મથતી અનુભૂતિ તેઓશ્રી સમક્ષ જાણે પોતાની સુંદર શબ્દાકૃતિની માગણી કરતી આવે છે; ધ્વનિ, રસ તથા અલંકારનું અજબ રીતે સંયોજન થાય છે અને અનુભૂતિની પૂર્ણ સુચારુ આકૃતિ તેમના યોગબળ વડે જન્મ પામે છે. | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં વપરાયેલ અલંકારના પ્રકાર, તેનાં લક્ષણ વગેરે વિશેષતાઓને હવે વિચારીએ. અલંકારના બે વિભાગ છે - શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારમાં શબ્દના આધારે ચમત્કૃતિ પ્રગટે છે, જ્યારે અર્થાલંકારમાં શબ્દના અર્થના આધારે ચમત્કૃતિ સધાય છે. શબ્દાલંકારમાં વપરાયેલા શબ્દને બદલે તેના સ્થાને જો તેનો પર્યાયવાચી શબ્દ વાપરવામાં આવે તો અલંકાર ટકી શકતો નથી, જ્યારે અર્થાલંકારમાં એમ કરવા છતાં પણ અલંકાર બહુધા ટકી રહે છે. (૧) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રયોજાયેલા શબ્દાલંકાર શબ્દાલંકારમાં ભલે શબ્દના અર્થનું મહત્ત્વ નથી, પણ તેનું તત્ત્વસર્જનમાં મહત્ત્વ અનેક જગ્યાએ કાંઈ ઓછું નથી. શ્રીમદે પણ અત્યંત સાહજિકતાથી, ઔચિત્યથી, સુરેખતાથી શબ્દાલંકારને પ્રયોજ્યા છે. તેમના કાવ્યસર્જનમાં વર્ણ અને શબ્દ એવી સરસ રીતે પ્રયોજાય છે કે તેમાંથી આપોઆપ કવિતાનું સંગીત પ્રગટ થાય છે. આ અંતનિહિત કાવ્યસંગીત કાવ્યના ભાવવિશેષનો, તેના માધુર્યનો તાદશ પ્રતિઘોષ પાડે છે અને તેથી જ ગુજરાતી ભાષાનું કે અધ્યાત્મનું વિશેષ જ્ઞાન નહીં ધરાવનારના હૃદયને પણ શ્રીમદ્દનાં કાવ્યો અત્યંત ઋજુતાથી હરી લે છે. શબ્દાલંકાર ત્રણ પ્રકારના છે – ૧) વર્ણાનુપ્રાસ – વર્ણ એટલે અક્ષર. જ્યારે એકનો એક વર્ણ (સ્વર કે વ્યંજન) એક પંક્તિમાં વારંવાર આવે ત્યારે તેનું જે અનુરણન થાય છે, તેનાથી ધ્વનિમાધુર્ય સધાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની અનેક ગાથાઓમાં વર્ણાનુપ્રાસ પ્રયોજાયેલો છે, જેમાંથી થોડાં દૃષ્ટાંત જોઈએ – કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. (૩) આવે જ્યાં એવી દશા, સદ્દગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” (૪૦) Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ'; છે ભોક્તા', વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ'. (૪૩) વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય છે તે હોય તો, ઘટ પટ આદિ જેમ. (૪૭) જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” (૫૧) “અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.' (૧૨૪) અત્રે ઉદ્ધત થયેલ અવતરણોમાં જોઈ શકાશે કે ગાથા ૩ની બીજી પંક્તિમાં “મ' વર્ણનું, ગાથા ૪૦માં “સ' વર્ણનું, ગાથા ૪૩માં “છે' વર્ણનું, ગાથા ૪૭માં “જ' વર્ણનું, ગાથા ૫૧માં “એ” વર્ણનું તથા ગાથા ૧૨૪માં ‘ર' વર્ણનું આવર્તન થાય છે. આ અલ્પસંખ્ય દૃષ્ટાંતો ઉપરથી પણ જોઈ શકાશે કે શ્રીમદે પ્રયોજેલ શબ્દાલંકાર કાવ્યના માત્ર બાહ્ય સૌંદર્યને જ પ્રગટ કરતા નથી, બલ્ક તે કાવ્યના પ્રાણના પણ સહચારી તથા સહયોગી થઈને આવે છે અને કાવ્યને નવીન ચમત્કૃતિ અર્પે છે. ૨) શબ્દાનુપ્રાસ – જેમ વર્ણની પુનરુક્તિથી વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે, તેમ શબ્દના પુનરાવર્તનથી શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. આમાં સરખા ઉચ્ચારણવાળા બે કે બેથી વધારે અક્ષરોવાળા શબ્દખંડ કે શબ્દ એક જ પંક્તિમાં આવે છે. તેના દ્વારા એક પ્રકારનો પ્રાસ મળતો હોય છે અને તેથી શ્રુતિચમત્કાર સધાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માંથી યમકના બે દષ્ટાંત જોઈએ – બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ.' (૬૦) જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.' (૧૩૦) ગાથા ૬૦માં “યોગ' શબ્દખંડનું તથા ગાથા ૧૩૮માં “અર્થ' શબ્દનું પુનરાવર્તન ચમત્કૃતિ લાવે છે. ૩) પ્રાસાનુપ્રાસ – પંક્તિના અંતે સમાન શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ કહે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની દરેક ગાથામાં અંત્યાનુપ્રાસ સુંદર અને સરળ રીતે સધાયેલો જોવા મળે છે. પંક્તિના અંતમાં આવતા શબ્દોની પસંદગી પણ અત્યંત યથોચિત, અર્થસભર અને સહજ રહેવા પામી છે. દા.ત. - Page #426 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૯૩ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” (૧૪૦) અહીં દોહાનાં બીજા તથા ચોથા ચરણનો અંતવર્ણ “ન' સમાન છે, જે ધ્વનિમાધુર્યમાં સહયોગ આપે છે. આમ, ગુજરાતી સાહિત્યમાં જેટલા શબ્દાલંકાર પ્રસિદ્ધ છે, તે સર્વના ઉચિત પ્રયોગને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં મળેલ સ્થાન ઉપરથી અને તેના અભ્યાસથી ખ્યાલ આવે છે કે શ્રીમદ્ના શુભ હસ્તે પ્રગટેલું વર્ણ અને શબ્દનું અલંકારચારુત્વ પણ ભાવ અને અર્થના માધુર્યને જ પોષે છે. ઉપર જોયું તેમ શ્રીમદ્રના શબ્દાલંકાર પણ કાવ્યનાં સંગીત, લય, વર્ણધ્વનિના રણકાર, પ્રવાહિતા, રસસભરતા, સચોટ અભિવ્યક્તિ આદિને પ્રગટ કરી ઈષ્ટાર્થની સિદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપે છે. (૨) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રયોજાયેલ અર્થાલંકાર અર્થને પ્રભાવશાળી રીતે કહેવાની ચમત્કૃતિભરી રીત એટલે અર્થાલંકાર. અર્થાલંકારમાં અર્થનું મહત્ત્વ હોવાથી તે કાવ્યની ભાવસૃષ્ટિના સૌંદર્યને વિશેષપણે વિકસિત કરે છે. આ વિશિષ્ટતાના કારણે અર્થાલંકારનું પલ્લું શબ્દાલંકારની તુલનામાં વજનદાર બને છે. અર્થની માર્મિકતા સાધવામાં કવિની સર્જનસૂઝ જેટલી વધારે હોય એટલી અર્થાલંકારની માર્મિકતા, સચોટતા, સૂક્ષ્મતા વધે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં દૃષ્ટિગોચર થતા અર્થાલંકારોનું લક્ષણોના આધારે વર્ગીકરણ કરીએ - ૧) સાદશ્યમૂલક (ઔષમ્યમૂલક) અર્થાલંકાર – જે અલંકારોના મૂળમાં સરખામણીનો સંબંધ રહેલો છે, તે આ વર્ગમાં આવે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વપરાયેલ આ વર્ગના અલંકારો આ પ્રમાણે છે – (i) ઉપમા – બે ભિન્ન, અસમાન વસ્તુઓ વચ્ચે કોઈ વિશિષ્ટ અંગની ચમત્કૃતિપૂર્વક સરખામણી. જેમ કે ભગવાનનું મુખ સુંદર છે' એમ સીધેસીધું કહેવાને બદલે ‘ભગવાનનું મુખ ચંદ્ર જેવું સુંદર છે' એમ કહેવામાં આવે તો તે ઉપમા અલંકાર છે. ઉપમા અલંકારમાં ચાર બાબતો મહત્ત્વની છે - જેની સરખામણી કરવામાં આવે તે ‘ઉપમેય' (ભગવાનનું મુખ); જેની સાથે સરખામણી કરવામાં આવે તે ‘ઉપમાન' (ચંદ્ર); ઉપમેય-ઉપમાન વચ્ચે જે સમાન ગુણ હોય તે ‘સમાન ધર્મ' અથવા “સાધારણ ધર્મ' (સુંદરતા); તથા ઉપમેય-ઉપમાનને જોડતો ઉપમાદર્શક શબ્દ તે ‘વાચક' (જેવું). ઉપમામાં ઉપમેય-ઉપમાન વચ્ચે નિશ્ચયપૂર્વક સરખામણી કરી હોય છે અને તે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન માટે સમ, જેવો, પેઠે, સમાન, સરીખો, સમો, તુલ્ય, શો, માફક, સરીખડો, સમોવડો વગેરે ઉપમાવાચક શબ્દો વપરાય છે. જે પ્રયોગમાં ઉપમાન, ઉપમેય, સમાન ધર્મ અને ઉપમાદર્શક શબ્દ એ ચારે અંગો હોય તેને પૂર્ણ ઉપમા અથવા પૂર્ણોપમા કહે છે અને જેમાં ઉપરોક્ત અંગોમાંથી કોઈ પણ બતાવ્યું ન હોય, પણ જો તે ઉપમા અલંકાર છે એમ સમજાતું હોય તો તેને લુપ્તા ઉપમા અથવા લુપ્તોપમા કહે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પૂર્ણોપમાનું દૃષ્ટાંત જોવા મળતું નથી, પરંતુ લુપ્તોપમાનું દૃષ્ટાંત વિદ્યમાન છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ અંધકાર અજ્ઞાન સમ, નાશે આ ગાથા ધર્મલુપ્તાનું દૃષ્ટાંત છે. તેના ત્રીજા સમ'માંના ત્રણ શબ્દો અનુક્રમે ઉપમાન, ઉપમેય તથા ભ્રાંતિ આદિનું કારણ હોવારૂપ સમાન ધર્મનો ઉલ્લેખ થયો નથી. નિજવાસ; જ્ઞાનપ્રકાશ.' (૯૮) ચરણ ‘અંધકાર અજ્ઞાન વાચક છે; જ્યારે આવરણ, ઉપમાનો એક બીજો પ્રકાર પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રયુક્ત થયો છે અને તે છે માલોપમા. એક જ ઉપમેયને એક પછી એક જુદાં જુદાં ઉપમાનો સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમાનોની માળા બનતી હોવાથી તેને માલોપમા કહે છે. - ‘સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.' (૧૪૦) અત્રે ‘સકળ જગત' તે ઉપમેય છે, ‘એઠ' તથા ‘સ્વપ્ન' ઉપમાન છે, ‘વત્' તથા ‘સમાન' તે વાચક છે તથા સાધારણ ધર્મ (અનુક્રમે અરમણીયતા તથા અનિત્યતા) અપ્રગટ છે. ઉપમેયને એક ઉપમાનથી પૂરો ન્યાય મળ્યો નથી એમ લાગે તો કવિ બીજું ઉપમાન પ્રયોજે છે. દરેક ઉપમાન દ્વારા ઉપમેયના કોઈ વિશિષ્ટ ધર્મનું પ્રાકટ્ય થતું હોય છે અને તેથી વર્ણવેલા વિષયની નિકટતા વધે છે. આમ, શ્રીમદે ઉપમા અલંકાર પ્રયોજી, સરળતાપૂર્વક વિષયને રજૂ કર્યો છે. (ii) રૂપક ઉપમેય-ઉપમાનની સરખામણી કરવાને બદલે તેમના વચ્ચેની એકરૂપતા અથવા અભેદતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક બને છે. અગાઉ અભ્યાસેલ વાક્યને જો આ રીતે કહેવામાં આવે કે ‘ભગવાનનું મુખ ચંદ્ર છે', તો તે રૂપક અલંકારનું દૃષ્ટાંત છે. આમાં ઉપમાવાચક શબ્દનો પ્રયોગ થતો નથી અને સાધારણ ધર્મનો લોપ સ્વીકાર્ય છે. ‘માનાદિક શત્રુ મહા' (ગાથા ૧૮) દ્વારા માન આદિ વિભાવભાવોની સરખામણી મહાહાનિકર્તા શત્રુઓ સાથે કરવી છે, તેથી તેની વચ્ચે અભેદતા દર્શાવી, માનાદિકથી થતું અચિંત્ય નુકસાન બોધ્યું છે. એ જ રીતે ‘ભવજળ' (ગાથા ૨૧) લખી, ભવ Page #428 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૯૫ (સંસાર) તથા જળ (સાગર) વચ્ચે એકરૂપતા બતાવી, ભવચક્રનું દુરંતપણું ઉપદેશવાનું પ્રયોજન છે; “મનરોગ' (ગાથા ૩૭) તથા “અંતરરોગ' (ગાથા ૩૯)માં અનુક્રમે માનાદિને તથા મિથ્યાત્વને મહાભયંકર રોગ દર્શાવી, તેનાથી મુક્ત થવાની પ્રેરણા કરી છે. રૂપકનાં અન્ય દૃષ્ટાંત છે - “જડધૂપ' (ગાથા ૮૨), ‘જ્ઞાનપ્રકાશ' (ગાથા ૯૮), બંધનો પંથ' (ગાથા ૯૯), “કર્મની ગ્રંથ', “મોક્ષનો પંથ' (ગાથા ૧૦૦), “મોક્ષપંથ' (ગાથા ૧૦૧) તથા “કરુણાસિંધુ' (ગાથા ૧૨૪). રૂપકનું સર્વોત્તમ ઉદાહરણ ગાથા ૧૨૯માં જોવા મળે છે – આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” (૧૨૯) જીવની વર્તમાન દશા તથા તેના ઈલાજને દર્શાવવા આ ગાથામાં શ્રીમદે વૈદકીય ભાષાના ઉપયોગ સાથે વ્યવહારુ રૂપકથી અતિસુંદર અધ્યાત્મભાવ વ્યક્ત કર્યો છે. વ્યાવહારિક જગતનું શ્રીમનું અવલોકન પણ કેવું સૂક્ષ્મ, માર્મિક અને સંપૂર્ણ છે કે આ દૃષ્ટાંતથી સમજી શકાય છે. અર્થગંભીર રૂપકો દ્વારા સમસ્યાનાં સર્વ અંગોને ઘટાવી, વિષય સમજાવવાના પ્રયાસમાં શ્રીમદ્ સર્વાંશે સફળ રહ્યા છે. (iii) દૃષ્ટાંત અલંકાર – એક પદાર્થ અને તેના ગુણનું વર્ણન કરવાનું હોય ત્યારે અન્ય પદાર્થ અને તેના ગુણના સંબંધના દષ્ટાંતનું વર્ણન કરી, સચોટતા સાધવામાં આવે તો તે દૃષ્ટાંત અલંકાર છે. બે સ્વતંત્ર વાક્યોથી આ અલંકાર રચાય છે, જેમાંનું એક ઉપમેયવાક્ય અને બીજું ઉપમાનવાક્ય હોય છે તથા બન્ને વચ્ચે બિંબ-પ્રતિબિંબભાવ હોય છે. જેમ કે વિદ્વાન વિદ્યાથી વિનયી બને છે; આંબો કેરીના ભારથી મૂકે છે'માં પ્રથમ વાક્ય ઉપમેયવાક્ય છે તથા બીજું વાક્ય ઉપમાનવાક્ય છે. આ બન્ને વચ્ચેનો બિંબ-પ્રતિબિંબભાવ આ રીતે સમજી શકાશે – ઉપમાનવાક્ય - આંબો કેરીના ભારથી ઝૂકે છે. ઉપમેયવાક્ય - વિદ્વાન વિદ્યાથી વિનયી બને છે. ન્યાય શાસ્ત્રમાં દૃષ્ટાંતને પ્રમાણના એક અંગ તરીકે ગણવામાં આવે છે અને પ્રમાણ ગમે તેટલું પ્રબળ હોય, પણ સપક્ષ દૃષ્ટાંતના અભાવે તે પ્રમાણ ફિક્કુ પડે છે. દૃષ્ટાંતરૂપી સાધન વડે સિદ્ધાંત પ્રતિપાદન કરવાનું તથા તેને પ્રતિપક્ષીના હૃદયમાં ઉતારવાનું કાર્ય સરળ અને સુગમ થાય છે. સિદ્ધાંતની છણાવટમાં શુષ્ક તર્કવાદ કરતાં સરળ અને સરસ દૃષ્ટાંત અધિકાંશે સફળ થાય છે. આ કારણે શ્રીમદે વિષયનું પ્રતિપાદન કરવા અનેક વાર સચોટ દષ્ટાંતો આપ્યાં છે. તેઓશ્રીએ આપેલાં દષ્ટાંતો Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન મનમાં તરત વસી જઈ સરળતાથી અર્થબોધ કરાવે છે. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને ખ્યાન.” (૫૦) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય.' (૮૩) કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” (૧૧૪) આ સર્વ દષ્ટાંતમાં રોજિંદા જીવનના અનુભવ વ્યક્ત થતા હોવાથી વાચક તેને સરળતાથી સમજી શકે છે. આમાંનું એક દૃષ્ટાંત લઈ બિંબ-પ્રતિબિંબભાવ સમજીએ. જુઓ ગાથા ૧૧૪ – ઉપમાનવાક્ય - કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય. ઉપમેયવાક્ય – અનાદિનો વિભાવ જ્ઞાન થતાં દૂર થાય. આ ધારાવાહી અર્થબોધાત્મક કાવ્યમાં બંધબેસતાં દૃષ્ટાંતોને શોધવાં કે ગોઠવવાં માટે શ્રીમદ્ કોઈ આયાસ કરવો પડ્યો નથી એ જોઈ શકાય છે. દૃષ્ટાંતની સંકલના વિના પ્રયાસે સ્વાભાવિક ઉગારને અનુસરે છે. આમ, શ્રીમનું વિશિષ્ટ કવિચાતુર્ય તથા ભાષાપ્રભુત્વ અહીં સુપેરે સમજાય છે. (iv) શ્લેષ અલંકાર - જ્યારે કાવ્યના કે વાક્યના કોઈ શબ્દમાંથી અથવા અમુક શબ્દોના એકસાથે કરવામાં આવતા ઉચ્ચારણથી એક કરતાં વધારે અર્થ નીકળતા હોય કે તેમ થવાનો ભાસ થાય તો તે શ્લેષાલંકાર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્લેષાલંકારનાં દૃષ્ટાંત જોઈએ – એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' (૨૦) માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.” (૭૩) અહીં ગાથા ૨૦માં “સુભાગ્ય'ના બે અર્થ થાય છે - ૧) સુલભબોધી આરાધક આત્માર્થી જીવ તથા ૨) સાયલાનિવાસી શ્રી સૌભાગ્યભાઈ. એક જ શબ્દના બે અર્થ હોવાના કારણે પંક્તિમાંથી બે અર્થ નીકળે છે. ગાથા ૭૩માં પ્રયોજાયેલ શ્લેષાલંકાર જુદી રીતે લાગુ પડે છે. “કાં નહિ' શબ્દસમૂહ બે વાર વપરાયો છે અને બન્નેના અર્થ Page #430 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૯૭ જુદા જુદા છે. ) કાં જીવને કર્મનું કર્તાપણું છે જ નહીં અને ii) કાં જો હોય તો તે કોઈ રીતે મટવા યોગ્ય નથી; માટે બન્ને દૃષ્ટિએ મોક્ષોપાયના પ્રયત્ન નિષ્ફળ છે એમ શિષ્ય કહે છે. સ્વાભાવિક છે કે ગૂઢ આત્મતત્વના અભુતાભુત મર્મોની ગૂંથણી કરવામાં લાગેલું ચિત્ત શબ્દોની આવી ગોઠવણી કરવા પ્રત્યે પ્રેરાય જ નહીં, પરંતુ શ્રીમદ્ભા અંતરમાં પડેલ સમર્થ કવિત્વસંસ્કારો યોગ્ય પળે પ્રગટીને પોતાનો પ્રભાવ છોડી ગયા છે એમ સમજાય છે. શ્રીમદ્ગી કલ્પનાશક્તિની મૌલિકતા, તીવ્રતા તથા અભિનવતાનાં અત્રે દર્શન થાય છે. ૨) વિરોધમૂલક અર્થાલંકાર – જે અલંકારોના મૂળમાં વિરોધભાવ રહેલો હોય, તેવા અલંકારોના બે પ્રકાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રયુક્ત થયા છે - (i) વિરોધાભાસ અને (ii) વિશેષોક્તિ. (i) વિરોધાભાસ – ઉપલક દૃષ્ટિએ કોઈ કથનમાં વિરોધ કે અર્થહીનતા લાગે, પણ ઊંડા ઊતરીને જોતાં એ વિરોધ ખોટો લાગે અને વાક્યનું રહસ્ય સમજાય; આને વિરોધાભાસ અલંકાર કહેવાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નાં ઉદાહરણો જુઓ – જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.” (૧૯) કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” (૧૧૩) ગાથા ૧૯ વાંચતાં ‘છદ્મસ્થ ગુરુનો વિનય પૂર્ણતા પામેલ ભગવાન કેમ કરે?' એવો પ્રશ્ન ઊઠે, પરંતુ વિચાર કરતાં તે કથનનું રહસ્ય સમજાય છે કે વિનય ગુણની મહત્તા દર્શાવવા માટે શ્રીમદે અતિવિશાળ દૃષ્ટિકોણથી આ ગાથા રચી છે. એ જ રીતે ગાથા ૧૧૩માં દેહ છતાં નિર્વાણ' શબ્દરચના જોતાં પ્રશ્ન ઊઠે કે દેહ સહિત મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, પરંતુ ઊંડા ઊતરતાં ખ્યાલ આવે કે આ દેહમુક્ત દશાનો નહીં, પણ જીવન્મુક્ત દશાનો ઉલ્લેખ છે. આમ, વિરોધાભાસ અલંકારના ઉચિત પ્રયોગ દ્વારા શ્રીમદ્ વાચકની સુવિચારણાની જ્યોત પ્રદીપ્ત કરે છે અને એ રીતે અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોનો અંતરમાં ઊંડે સુધી સરળતાથી સ્વીકાર થઈ જાય છે. (ii) વિશેષોક્તિ – સામાન્યતઃ કારણ હોય ત્યાં કાર્ય બને જ છે, પરંતુ વિશેષોક્તિ અલંકારમાં કારણનો સદ્ભાવ હોવા છતાં કાર્ય બનતું નથી એમ દર્શાવવામાં આવે છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.... (૭) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અત્રે ઉદ્ધત કરેલ ગાથા ૭ની પ્રથમ પંક્તિમાં ત્યાગવૈરાગ્યની અનિવાર્યતા બતાવ્યા પછી બીજી પંક્તિમાં કહ્યું કે તેમાં અટકી રહેતાં, અર્થાત્ ત્યાગ-વૈરાગ્યનો સદ્દભાવ હોવા છતાં જો તેમાં કૃતાર્થતા મનાઈ જાય તો નિજભાન ભુલાય છે. આમ, વિશેષોક્તિ દ્વારા શ્રીમદ્ આત્મવિચારની શ્રેણીને જાગૃત કરી સચોટ બોધ આપે છે. આ રીતે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સચોટતા એક સબળ અને આગવું પાસું બની શક્યું છે. ૩) વાસ્તવમૂલક અર્થાલંકાર – જે અલંકારોના મૂળમાં વિરોધ નહીં પણ વાસ્તવિકતા રહેલી હોય, જે જેવું દેખાતું હોય તેવું આલેખન હોય, તે અલંકારોનો એક પ્રકાર અત્રે પ્રયોજાયો છે અને તે છે સ્વભાવોક્તિ. કોઈ વસ્તુનું, પ્રકૃતિદશ્યનું કે માનવીના વર્તનનું સ્વાભાવિક અને આબેહૂબ વર્ણન કરવામાં આવે તો તે સ્વભાવોક્તિ અલંકાર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સ્વભાવોક્તિ અલંકાર જોઈએ - નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય.” (૧૧૮) આ ગાથાની બીજી પંક્તિમાં સદુપદેશનું સમાપન કરી શ્રીગુરુ મૌન ધારણ કરે છે અને સહજ સમાધિમાં સ્થિત થાય છે, એવું દૃશ્ય શ્રીમદે અલ્પ શબ્દોમાં પણ તાદશ ખડું કર્યું છે. એ સુભગ પવિત્ર દશ્યની છાપ વાચકના મનોપટલ ઉપર એવી પડી જાય છે કે તે ક્યારે પણ ભૂંસાતી નથી. યથાર્થ સ્વભાવને પ્રાપ્ત એવા શ્રીમદ્ માટે કોઈ પણ વસ્તુનું યથાર્થ વર્ણન કરવું અત્યંત સ્વાભાવિક હતું એમ આ દૃષ્ટાંતથી સમજાય છે. ૪) કાર્યકારણમૂલક અર્થાલંકાર – જે અલંકારના મૂળમાં કારણ અને કાર્ય(પરિણામ)નો સંબંધ રહેલો છે, તેવા અલંકારોમાંનો એક પ્રકાર છે - કારણમાલા. આમાં પ્રથમ કથનમાં કારણ અને તેનું કાર્ય બતાવી પછી તે કાર્ય બીજા કથનમાં કારણ બને અને તેનું કાર્ય દર્શાવાય છે. આમ, કારણ-કાર્યની માળા રચાય છે. આ અલંકાર પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જોવા મળે છે – સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. (૧૨) જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” (૪૧) Page #432 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૯૯ ગાથા ૧૨ના પ્રથમ ચરણમાં જણાવ્યું છે કે સદ્ગુરુનો ઉપદેશ તે કારણ છે, જ્યારે શ્રી જિનેશ્વરનું શુદ્ધ સ્વરૂપ સમજાય તે કાર્ય છે. જો સગુરુના બોધથી શ્રી જિનનું સ્વરૂપ સમજાય તો તે સમજનારનો આત્મા પરિણામે શ્રી જિનની દશાને પામે છે. આમ, પ્રથમ ચરણનું કાર્ય બીજા ચરણનું કારણ બની ગયું, જેનું નવું કાર્ય સંપન્ન થયું. એ જ રીતે ગાથા ૪૧માં પ્રથમ ચરણમાં જે કાર્ય છે (નિજજ્ઞાનની પ્રાપ્તિ) તે બીજા ચરણમાં નિર્વાણપ્રાપ્તિરૂપ કાર્યનું કારણ બને છે. આમ, માર્ગનો યથાયોગ્ય, સ્પષ્ટ ક્રમ દર્શાવવા આ અલંકારનો શ્રીમદ્ દ્વારા સહેજે પ્રયોગ થયો છે. ૫) તર્કન્યાયમૂલક - જે અલંકારના મૂળમાં તર્ક (ન્યાયપૂર્વકની બૌદ્ધિક દલીલ) રહેલો હોય તેવો અલંકાર આ વર્ગમાં આવે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતે જ એક તર્કન્યાયમૂલક સતુશાસ્ત્ર છે, તેથી તેમાં આ અલંકાર સ્થાન પામે એમાં શું આશ્ચર્ય હોઈ શકે? જ્યારે કોઈ સામાન્ય સિદ્ધાંતના સમર્થનમાં વિશેષ હકીકત અથવા વિશેષ હકીકતના સમર્થનમાં સામાન્ય સિદ્ધાંતનો પ્રયોગ થાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર રચાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ અલંકાર જોઈએ – રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” (૧૫) અત્રે પ્રથમ કહ્યું છે કે જો જીવ અનાદિના સ્વચ્છંદને છોડી દે તો તેનો મોક્ષ અવશ્ય થાય. આ વિશેષ હકીકતનું પછી સર્વસામાન્ય સિદ્ધાંતથી સમર્થન કરતાં કહે છે કે આમ કરવાથી જ ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે. આ રીતે અતીવ સુંદર અને અત્યંત સરળ બોધ આપી, શ્રીમદ્ જીવની શ્રદ્ધા ક્રમશઃ દઢ કરાવતા જાય છે. પોતાને થયેલ આત્માનુભૂતિનો લાભ આપવા આત્મજ્ઞાનપ્રાપ્તિ અંગેના વિવિધ વિષયોની છણાવટ તેમણે ભિન્ન ભિન્ન રીતે હૃદયંગમ શૈલીમાં રજૂ કરી છે. ૬) વાણીવૈશિસ્યમૂલક - વસ્તુને રજૂ કરવા માટે વાણીની વિશિષ્ટ રીતનો આધાર લેતાં આ અલંકાર રચાય છે. તેના અનેક પ્રકારો છે, તેમાંથી માત્ર સજીવારોપણ અલંકારનો અત્રે પ્રયોગ થયો છે. નિર્જીવ કે જડ પદાર્થને સજીવ ધારી લેવામાં આવે અથવા નિમ્ન કોટિના પ્રાણીમાં માનવસ્વભાવનું આરોપણ કરવામાં આવે તો તેને સજીવારોપણ અલંકાર કહે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રયુક્ત થયેલા સજીવારોપણ અલંકાર જોઈએ – કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” (૩૮) Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” (૧૦૨) કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩) કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ?' (૧૦૪) ગાથા ૩૮માં આત્માર્થની ઉપસ્થિતિ કે પ્રાપ્તિ નહીં, પણ તેનો “નિવાસ' દર્શાવ્યો છે, જે પ્રસ્તુત અલંકારનો એક પ્રકાર છે. એ રીતે ગાથા ૧૦૨, ૧૦૩, ૧૦૪માં જડ કર્મને શત્રુરૂપ ગણી તેને હણવાની વાત લખી છે, જે જડમાં સજીવનું આરોપણ થયું હોવાથી સજીવારોપણ અલંકારનો પ્રયોગ બને છે. અલંકારશાસ્ત્રની દૃષ્ટિએ થયેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના આ અવલોકન ઉપરથી સમજી શકાય છે કે શ્રીમમાં રહેલી નૈસર્ગિક કવિત્વશક્તિ, અદ્ભુત ચિંતનશક્તિ અને સર્વોત્તમ સર્જનશક્તિના કારણે શ્રીમની કાવ્યશૈલી પ્રવાહી, સરળ, ચિત્તાકર્ષક અને ચમત્કૃતિપૂર્ણ બને છે. અલંકાર તેમજ ધ્વનિની ખૂબીઓ સહજ રીતે તેમના શબ્દોમાં વણાઈને ઊપસી આવે છે. તેમની બુદ્ધિની તથા વિચારની અપૂર્વતા, સમયોચિત અને તાત્કાલિક રૂપક-દાંતાદિની ફુરણા, જકડી રાખે તેવી કથનશૈલી ગૂંથવાની અદ્ભુત શક્તિ, શંકાનું નિરસન કરવાની કુશળતા અને વિરોધી પ્રમાણોને ભેદવાની ચપળતા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ગાથાએ ગાથાએ જોવા મળે છે અને તેથી જ તત્ત્વજ્ઞાનના આવા ગૂઢ વિષયને સરળપણે નિરૂપવામાં આ શાસ્ત્ર સમર્થ બને છે. શબ્દ અને ભાવ, બુદ્ધિ અને ચિંતન, અભિવ્યક્તિ અને અનુભૂતિ, ઉત્કૃષ્ટતા અને પવિત્રતા - સર્વ દૃષ્ટિએ શ્રીમન્ની આ પરમોચ્ચ કૃતિ ગુર્જરસાહિત્યનિધિનું સર્વોત્તમ આભૂષણ છે એમ લાગ્યા વિના રહેતું નથી. (III) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીની કાવ્યશૈલી અધ્યાત્મસાહિત્યની ઉત્પત્તિ આત્મસંતોષ કે આત્માનંદ માટે થાય છે એ તથ્ય જેટલું ખરું છે, એટલું જ ખરું એ પણ છે કે અન્યને ઉપદેશ, માર્ગદર્શન, પ્રેરણા આપી; અન્યનાં આત્મવિકાસ, કલ્યાણ કે ઉદ્ધારમાં નિમિત્ત બનવું એ પણ અધ્યાત્મસાહિત્યની ઉત્પત્તિમાં કારણભૂત હોય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિષયમાં પણ આ કથનની સત્યતા સહેજે સમજી શકાય એમ છે. ગૂઢ ભાવોને ગૂંથીને અખ્ખલિત વહેતી આ પદાવલિમાં પરકલ્યાણની, નિમ્પ્રયોજન કરુણાની ઉદાત્ત ભાવના પાઠકને તરત સ્પર્શી જાય છે. શ્રીમની લેખિનીમાંથી તેમની તીક્ષ્ણ બુદ્ધિ, પ્રભાવશાળી વિદ્વત્તા, ભાષાસૌંદર્ય, Page #434 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૦૧ ધ્વનિમાધુર્ય, રમણીય કાવ્યત્વ તથા રસાલંકારનો સમૃદ્ધ સ્પર્શ અનુભવાય છે. ન્યાયયુક્તિથી પોતાનું કથન સુસ્પષ્ટ કરતી વખતે પણ તેમની ભૂમિકા વાદકુશળ પંડિતની નથી, તર્કનિપુણ ભાષ્યકારની નથી, પરંતુ મમતાળુ માતાની છે, પ્રેરક મિત્રની છે, સહૃદય શિક્ષકની છે, પ્રેમાળ ઉપદેશકની છે અને પ્રતિભાવંત ગુરુની છે. લેખનશૈલીના અનેક પ્રકાર હોઈ શકે છે. માત્ર કવિએ કવિએ કે લેખકે લેખકે જ તે પ્રકાર બદલાય છે એવું નથી, પરંતુ કથાનક, વિષય, સંયોગો, વાચકગણ ઇત્યાદિને લક્ષમાં લઈને એક જ કૃતિકાર પણ અનેક શૈલીઓનો પ્રયોગ કરે છે. અત્રે ઉદાહરણ તરીકે અમુક ગુણોના આધારે તે શૈલીના થોડા ભેદોનું વિહંગાવલોકન કરીએ. તે તે ગુણોનાં સંમિશ્રણથી પણ તેના અન્ય અનેક પ્રકારો થઈ શકે છે. (૧) પ્રવાહી - કથનનો અર્થ સ્પષ્ટ દર્શાવતી અને આયાસ કે અવરોધ વગર સરળતાથી વહી જતી લખાણશૈલી. (૨) કોમળ – શબ્દોની તેમજ વાક્યોની કે પંક્તિઓની સુકુમાર, સ્નિગ્ધ, લીસી રચના. (૩) ભાવવાહી – કર્તાના અંતરંગ ભાવોને પ્રામાણિકપણે વ્યક્ત કરતી અને પાઠકને પણ સહજપણે એ ભાવોની અનુભૂતિ કરાવનારી અભિવ્યક્તિ. (૪) જુસ્સાદાર – પ્રબળ લાગણી કે વિચારથી પ્રેરિત, હકીકત કે વસ્તુને વ્યક્ત કરનારી આગ્રહી અને જોમવાળી ભાષારચના. (૫) પારદર્શક – સ્વચ્છ, સાદી અને સરળ અર્થવાળી રચના. (૬) સંક્ષિપ્ત – પરિમિત શબ્દોમાં આવશ્યક કથનને કહી દેનારી લખાણલાઘવવાળી રચના. (૭) વેગવાન – વાચકનું સ્થળે સ્થળે લક્ષ ખેંચનારી અને આવેગભર્યા ઉછાળા સહિત વહેતી શૈલી. (૮) ગંભીર – ઊંડા સાગરના જળ જેવા વિચારો, ભાવો વગેરેની સ્વસ્થ, પ્રૌઢ અને પરિપક્વ ભાષામાં અભિવ્યક્તિ. (૯) સુદઢ – સ્થાપત્યના કોઈ નમૂનાદાર મજબૂત મહાલય જેવી સુસ્થિર, નક્કર અને સુઘટિત શબ્દાવલિવાળી લેખનકળા. (૧૦) વેધક – માન્ય કરવી જ પડે એવી દલીલોને વ્યક્ત કરતી, માર્મિક અર્થવાળી અને આકર્ષક લક્ષ્યવેધી શબ્દરચના. (૧૧) લાલિત્યપૂર્ણ – સુંદર, રમણીય, રસિક, ભાવયુક્ત લેખનકળા. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસીને એમ લાગ્યા વિના રહેતું જ નથી કે Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપરોક્ત પ્રકારોમાંથી મહદંશનાં દૃષ્ટાંતો આ શાસ્ત્રમાં સરળતાથી દષ્ટિગોચર થાય છે; પરંતુ આ શાસ્ત્રની સર્વસ્વીકૃત રોચકતાના વશમાં આ સર્વપ્રશંસનીય અંગો ઉપરાંત એક અન્ય આધારભૂત પરિબળ પણ સહભાગી છે; અને તે છે શ્રીમદે પ્રયુક્ત કરેલી ગુરુશિષ્યસંવાદશૈલી. શિષ્યની જિજ્ઞાસાજન્ય તર્કસંગત શંકાઓનું શ્રીગુરુએ કરેલું તર્કબદ્ધ યુક્તિસંગત અણિશુદ્ધ સમાધાન આ શાસ્ત્રને માર્મિકતા, આહલાદકતા અને સચોટતા પ્રદાન કરે છે. સંવાદ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા વિષય સહજપણે હૃદયંગમ બની જાય છે અને તેથી જ શ્રીમદે સંવાદનું માધ્યમ ગ્રહણ કર્યું છે. ગુરુશિષ્યસંવાદ શૈલીમાં આત્મસિદ્ધિને ઉપદેશતું આ શાસ્ત્ર પદ્યમાં હોવા છતાં પણ તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને સરળ, સચોટ, રસાવહ તથા હૃદયસ્પર્શી રીતે પ્રકાશી શકે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જોતાં શ્રીવીર-ગૌતમસંવાદ તથા ગણધરવાદની, શ્રીમદ્ ભગવદ્ગીતા તથા ઉપનિષદોની સ્મૃતિ સહેજે થઈ આવે છે. દૂરસુદૂરના ભૂતકાળથી આગમકારો તથા મૂર્ધન્ય મહર્ષિઓ સામાન્યજનસમાજમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મના ગહન સિદ્ધાંતોને લોકગમ્ય રીતે પ્રસારિત કરવા સંવાદનો સહારો લેતા આવ્યા છે અને તેથી તેમની રચનાઓ સફળ અને લોકભોગ્ય રહેવા પામી છે. વાચકને તત્ત્વની ચર્ચાથી કંટાળો ન આવે તે માટે સંવાદશૈલી સાહિત્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી, તત્ત્વની ચર્ચા યથાર્થ અને સમ્યકપણે થઈ શકે એ માટે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બને ન્યાયપૂર્વક રજૂ થવો જોઈએ. આ પ્રયોજનની પૂર્તિ માટે એક પ્રશ્નકર્તા અને બીજો ઉત્તરદાતા હોય તો જ દરેક પક્ષનું નિવેદન પૂર્ણપણે મૂકી શકાય. આ રીતે સંવાદશૈલીથી વિષયની છણાવટ સ્પષ્ટ અને સુયોગ્ય બને છે અને તેથી અર્થગ્રહણમાં મુશ્કેલી નડતી નથી. શ્રી શંકરાચાર્યે ‘ઉપદેશસાહસી'માં ગુરુ-શિષ્યના સંવાદરૂપે વેદાંતતત્ત્વનું ગદ્યમાં વિશદ વર્ણન કર્યું છે. ગુરુશિષ્યસંવાદશૈલીના માધ્યમથી કૃતિઓ રચનારા અન્ય મહાનુભાવો છે સર્વશ્રી અખો, ગોપાલદાસ, જગજીવનદાસ, ગૌરીબાઈ, જીવણદાસ, કેવળપુરી, વસ્તો, દયારામ વગેરે. શ્રી અખાની સુપ્રસિદ્ધ કૃતિ ‘ગુરુ-શિષ્ય-સંવાદ', શીર્ષકાનુસાર શૈલી અપનાવી તત્ત્વજ્ઞાનનું સુંદર નિરૂપણ કરે છે. સંવાદશૈલીનો આશ્રય લઈ અખાએ ‘ચિત્ત વિચાર સંવાદ' આદિ કાવ્યો પણ રચ્યાં છે. વેદાંતના તત્ત્વજ્ઞાનની વિશિષ્ટ કૃતિ ‘ગોપાલગીતા'માં ગુરુશિષ્યસંવાદરૂપે શ્રી ગોપાળદાસે બાવીસ કડવામાં જ્ઞાનમાર્ગનું સ્પષ્ટ અને સુરેખ નિરૂપણ કર્યું છે. “સપ્તાધ્યાયી' અને નરબોધ' - શ્રી જગજીવનદાસની આ બન્ને કૃતિઓ ગુરુ-શિષ્યના સંવાદરૂપે છે. યોગમાર્ગ અને વેદાંતના તત્ત્વજ્ઞાનને સમજાવતો ૫૦૧ શ્લોકપ્રમાણ ‘હસ્તામલકઝંથ' શ્રી નરહરિદાસે ઉમામહેશ્વરસંવાદરૂપે રચ્યો છે. શ્રી Page #436 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન ૪૦૩ ગૌરીબાઈએ ગુરુશિષ્ય પ્રશ્નોત્તરીની ગદ્યમાં રચના કરી છે. શ્રી જીવણદાસની ‘નવચાતુરી', ‘જીવનમરણ' આદિ અનેક કૃતિઓ ગુરુશિષ્યસંવાદરૂપે વેદાંતનો સાર, આત્મજ્ઞાનરહસ્ય તથા યોગમાર્ગની પ્રક્રિયાઓ સમજાવે છે. ગુરુમહિમા' એ શ્રી કેવળપુરીની ગુરુશિષ્યસંવાદરૂપે રચેલી ઉત્પત્તિ આદિ પ્રક્રિયાનું તેમજ બહ્મજ્ઞાનનું નિરૂપણ કરતી કૃતિ છે. તેમના શ્રેષ્ઠ ગ્રંથ ‘તત્ત્વસાર' (ખંડ ૧-૪)માં શ્રી કેવળપુરીએ આત્મજ્ઞાનના સર્વ સિદ્ધાંતોના વિશદ નિરૂપણ માટે આ જ શૈલીનો આશ્રય રહ્યો છે. વિશ્વભરશિષ્ય શ્રી વસ્તાએ ૫૦૭ સાખીઓ અને ૧૦ કડવાપ્રમાણ ‘વસ્તુવિલાસ' તથા ૭૧૫ સાખીપ્રમાણ ‘અમરપુરી ગીતા' જેવી ઊંચી કક્ષાની અદ્વૈતમાર્ગી કૃતિઓ આ જ માધ્યમમાં રચી છે. શ્રી દયારામકૃત ‘રસિકવલ્લભ' ગ્રંથ ગુરુશિષ્યસંવાદશૈલીમાં લખાયેલો ઉત્તમ કક્ષાનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. તદુપરાંત, તેમણે ગદ્યમાં ‘પ્રશ્નોત્તરમાલા' રચી અનેક કૂટ પ્રશ્નોના સુંદર ઉત્તરો આપ્યા છે. સંવાદની શૈલીમાં શ્રી દયારામે ‘મનમતિસંવાદ', ‘બાહ્મણ ભક્ત સંવાદ', ‘હરિહરસંવાદ' તથા શ્રી ગુરુ-શિષ્ય-સંવાદ' જેવાં અન્ય કાવ્યો પણ લખ્યાં છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પૂર્વે ગુજરાતી ભાષામાં ગુરુશિષ્યસંવાદરૂપે રચાયેલી ઉપરોક્ત કૃતિઓમાંથી બે મહત્ત્વની કૃતિઓની સ્પર્શના અત્રે અસ્થાને નહીં લેખાય. (૧) વિ.સં. ૧૭૦૧માં સંતકવિ અખાએ ‘ગુરુ-શિષ્ય-સંવાદ'ની રચના કરી હતી. આશરે ૩૨૫ દોહરા-ચોપાઈમાં રચાયેલી આ છંદોબદ્ધ સુદીર્ઘ કૃતિ ચાર ખંડમાં વિભાજિત થયેલી છે - ૧) ભૂતભેદ, ૨) જ્ઞાનનિર્વેદયોગ, ૩) મુમુક્ષુ મહામુક્ત લક્ષણ અને ૪) તત્ત્વજ્ઞાન નિરૂપણ. ‘ગુરુ-શિષ્ય-સંવાદ'ના પ્રારંભમાં શ્રી અખાએ વિનીત શિષ્યનો ઉલ્લેખ કરી દર્શાવ્યું છે કે - ગુરુચરણે શિષ્ય આદરે, પ્રેમે કરી પ્રણામ; પદપંકજ પાવન સદા, નમો નમો પરધામ.૧ ઉપરોક્ત કડી અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું મંગલાચરણ - એ બન્ને વચ્ચેનું સામ્ય સ્પષ્ટ જણાઈ આવે છે – જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” શ્રી અખો અને શ્રીમદ્ બન્નેના કાળમાં સમાજમાં મતમતાંતર, કદાહ, સાંપ્રદાયિક અનાચાર, આડંબર વગેરે ખૂબ વધી ગયાં હતાં, તેથી તે પ્રત્યેનો વિરોધ તેમનાં ૧- સંતકવિ અખો, ‘અખાકૃત કાવ્યો', ભાગ-૧, ગુરુ-શિષ્ય-સંવાદ', ખંડ ૧, પૃ.૯૭, દોહો ૧ ૨- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લખાણોમાં સ્પષ્ટતઃ ઝળકે છે. આ સાથે એ વાત પણ સ્પષ્ટ છે કે તેમણે ઢોંગી ધર્મગુરુઓનો તેમજ પાખંડી કુપંથનો જ વિરોધ કર્યો હતો, સદ્ગુરુ પ્રત્યે તો તેમને બનેને સંપૂર્ણ આદરભાવ હતો જ. લોકાતુરંજનનું નહીં પણ લોકોદ્ધોધન કરવાનું કર્તવ્ય સ્વીકારી, પોતાની પરિણત પ્રજ્ઞાના પરિપાકરૂપે તેમણે લોકોને ઘટતો બોધ આપ્યો છે. બન્નેની કૃતિમાં મુમુક્ષુનાં લક્ષણો તથા તત્ત્વજ્ઞાનનાં રહસ્યોનું સુંદર રીતે ઉદ્ઘાટન થયું છે. બને જ્ઞાનમાર્ગી કવિઓએ પોતાની લાક્ષણિક ભાષાશૈલીના બળ વડે તત્ત્વજ્ઞાનનો કઠિન વિષય સુગમ બનાવ્યો છે. અર્થઘન સંક્ષિપ્ત શૈલી, વિપુલ શબ્દભંડાર તથા શબ્દલાઘવના પરિણામે પોતાને જે કહેવું હોય તે તેઓ સચોટતાપૂર્વક કહી શકે છે. બનેની કૃતિ છંદોબદ્ધ છે. બન્નેએ યોજેલા નવા શબ્દપ્રયોગો આજની ગુજરાતી ભાષામાં રૂઢ પ્રયોગ કે સુભાષિતનું સ્થાન પામવા માંડ્યા છે. આવશ્યક શબ્દને શોધવાનો પ્રયત્ન બન્નેમાંથી કોઈને કરવો પડ્યો હોય એમ જણાતું નથી. એવું જ અલંકાર અંગે પણ છે. પ્રાસ અને યમક સહજપણે ગોઠવાય છે. આમ, બન્નેની કૃતિમાં નિરભિમાની નિરાડંબર સંતની સહજસ્કુરિત વાણીનું પ્રતિબિંબ પડે છે. - શ્રી અખાની વાણીમાં ક્વચિત્ ઝનૂન અને ઉગ્રતા જણાય છે, તો શ્રીમદ્ગી ભાષા શાંત અને ઋજુ છે. આખાબોલાપણું, કડક ટીકા અને કેટલીક વાર બોલચાલની ભાષાના પ્રયોગના કારણે શ્રી અખાની લેખિની ક્યારેક માધુર્ય ગુમાવી બેસે છે, તો સંકેતાત્મક ટકોર અને સૌમ્ય, મિષ્ટ, હળવી ભાષાથી શ્રીમદ્ માધુર્ય જાળવીને પણ ધાર્યું લક્ષ્ય વધે છે. (૨) ભક્તકવિ શ્રી દયારામે વિ.સં. ૧૮૮૪માં ચાણોદમાં ‘રસિકવલ્લભ' નામક ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં ઉપસંહારનું પદ બાદ કરતાં ૧૦૮ પદની ૧૦૮૦ કડીઓ છે. દરેક પદમાં પ્રથમ ચાર ચરણ ચોપાઈનાં છે, પછી ઢાળ છે, જેમાં બે ચરણ હરિગીતનાં અને બાકીનાં ‘શંકરા' છંદનાં છે. દરેક પદમાં સોળ સોળ પંક્તિઓ છે. આમ, ગર્જર ગિરામાં રચાયેલ આ ગ્રંથ પદબદ્ધ, છંદબદ્ધ, ઢાળબદ્ધ, રાગબદ્ધ અને તાલબદ્ધ સર્જનમાં ગણના પામે છે. શ્રી દયારામનું આ સરળ, સરસ અને સર્વોત્તમ સર્જન શુદ્ધાદ્વૈતના સિદ્ધાંતોને સમજાવા માટેનું એક પરમ સાધન ગણાય છે; વળી ભક્તિમાર્ગના આચારો પણ તેમાં જણાવ્યા છે, તેથી ભાગવત ધર્મના સંક્ષિપ્ત સારરૂપે પણ એ છે. ‘રસિકવલ્લભ'માં શ્રી દયારામે ગુરુશિષ્યસંવાદશૈલીમાં શુદ્ધાદ્વૈત તત્ત્વજ્ઞાનના વિષયને અન્ય મતોના ખંડનપૂર્વક સમજાવ્યો છે. સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનનાં કાવ્યો શુષ્ક અને કંટાળાજનક હોય છે, પણ કવિએ એવી હૃદયંગમ શૈલીમાં લખ્યું છે કે વાંચનારને તે રસિક અને પ્રિય લાગે છે. બ્રહ્મવાદ ઉપરાંત આ ગ્રંથ કવિના ચારિત્ર્યને પણ આલેખે Page #438 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૦૫ છે. ‘રસિકવલ્લભ'માં કવિની શ્રદ્ધાવલિ બીજથી ફળ સુધીના વિકાસવાળી આલેખાઈ છે, તેથી કવિનાં અન્ય કાવ્યોની કૂંચી જેવું કાર્ય આ કાવ્ય કરે છે. શ્રી દયારામને મુખ્યત્વે વેદાંતનો અને શ્રીમને જૈન દર્શન સહિત પદર્શનનો તલસ્પર્શી અભ્યાસ હોવાથી તેમની કૃતિઓ અનુક્રમે વેદાંત અને જૈન ગ્રંથોમાં અનોખું સ્થાન પામી છે. ભાષાસમૃદ્ધિ, આકર્ષક શબ્દરચના અને જ્ઞાનગંભીરતાના કારણે તત્ત્વજ્ઞાનના શુષ્ક અને કઠિન વિષયને પણ તેઓ રસિક અને સરળ રૂપ આપી શક્યા છે. કેટલાંક ખૂબ જ સુંદર અને ચમત્કૃતિપૂર્ણ ચિત્રો એટલા ઓછા શબ્દો અને એટલી સરળ તળપદી ભાષામાં, એવી સહજ રીતે રજૂ થયા છે કે તેમની આ શક્તિ માટે વાચકને બહુમાન થઈ આવે છે. બને કવિઓની છંદોબદ્ધ કૃતિમાં પ્રાસ સળંગપણે સચવાયો છે. “રસિકવલ્લભ'નાં પદોની શાસ્ત્રીય સંગીતના રાગોમાં રચના થઈ છે અને તેમાં ઉપમા, રૂપક, અર્થાન્તરજાસાદિ અલંકારોનો પુષ્કળ પ્રયોગ થયો છે. શ્રી દયારામની લેખિની ઉપર શ્રી વલ્લભાચાર્ય, શ્રી વિઠ્ઠલેશ તથા અન્ય ભક્તકવિઓની છાયા દેખાય છે. શ્રી દયારામે કરેલું સ્વધર્મનું મંડન અને સ્વધર્મથી વિરુદ્ધ ધર્મનું ખંડન અનેક સ્થળે એકાંતદષ્ટિના કારણે દૂષિત અને સંકીર્ણ બન્યું છે, જ્યારે સ્યાદ્વાદના સ્પર્શથી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શુદ્ધ, ઉદાર, વિશાળ, સર્વગ્રાહી અને સુપ્રસન્ન સ્વમતપ્રતિપાદક શૈલીનું સાચા અર્થમાં પ્રતિનિધિ બની શક્યું છે. ‘રસિકવલ્લભ' અને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' બન્નેમાં સત્પરુષની વિરલતા, તેમનાં લક્ષણો, તેમનો યોગ થતાં પૂર્ણાદરસહ તેમની ઉપાસના તથા તેમના શરણની આવશ્યકતાની સુંદર અને પ્રતીતિકર રીતે છણાવટ થઈ છે. શિષ્યની સરળતા, નિખાલસતા, તીક્ષ્ણ બુદ્ધિ, ચર્ચિત વિષયનો પોતાના પક્ષે પૂર્ણ અભ્યાસ, તર્કસંગત રીતે પોતાની આશંકા રજૂ કરવાની ઢબ, પ્રશ્ન પૂછવાની વિવેકપૂર્ણ આવડત, પ્રખર જિજ્ઞાસા, અંતરના આદરપૂર્વકનો વિનય ઇત્યાદિ સદ્ગુણો બને કૃતિના શિષ્યમાં સુપેરે દૃષ્ટિગોચર થાય છે; તો સામા પક્ષે કરુણા, નિઃસ્પૃહતા, બહુશ્રુતતા, અમૃતવાણી, શાંતિપ્રદાનતા, સમાધાન આપવાની તત્પરતા વગેરે મહાન ગુણો શ્રીગુરુના ચારિત્રને ઓજસવંતુ બનાવે છે. બન્ને કૃતિઓમાં રહેલા સામ્યનું દિગ્દર્શન થોડાં દૃષ્ટાંતોથી કરીએ – ‘રસિકવલ્લભ'ના આરંભે શ્રી દયારામ કહે છે – આ ગ્રંથરચના કરું છું, ગુરુશિષ્ય સંવાદ કરી; જેમાં ખંડન માયાવાદ, શુદ્ધાદ્વૈત પ્રતિપાદન ભરી.૧ ૧- શ્રી દયારામરચિત, ‘રસિકવલ્લભ', પદ ૧, ચરણ ૫,૬ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદ્ કહે છે - વિવેચન વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય.' ‘ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી..૧ પોતાની સર્વ શંકાઓનું નિરસન થયા પછી શ્રીગુરુની અપાર કરુણા તથા પોતાને થયેલ જ્ઞાનપ્રાપ્તિ માટે શ્રીગુરુનો ઉપકાર ગાતી વખતે શિષ્યનો અંતરોલ્લાસ બન્ને કૃતિઓમાં સુંદર રીતે વ્યક્ત થયો છે. રસિકવલ્લભનો શિષ્ય કહે છે ‘સંશય સઘળા મારા ટળિયાજી, પરમકૃપાળુ ગુરુ મને મળિયાજી. ‘કૃતકૃત્ય છું આપ પ્રતાપજી, ટળ્યાં સમૂળાં પાપ તો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય પોકારી ઊઠે છે સંતાપજી;૨ શ્રી દયારામ લખે છે ‘સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.' નિજપદ ‘સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.’૩ ‘મુજ ઈશ્વર છો શ્રીગુરુદેવાજી, મારે અધિકી હરિ તમ સેવાજી. ‘સંશય દલિલથી કાઢિયો, મહામૂઢ અધમ અજાણ. ‘નથી કશું પ્રત્યુપકાર ને, કરું કોટિ કોટિ પ્રણામ;'* શ્રીમદ્ લખે છે ‘અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન ૧- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૨, ૪૨(બીજી પંક્તિ) ૨- શ્રી દયારામરચિત, ‘રસિકવલ્લભ’, ૫૬ ૧૦૮, ચરણ ૨,૩ ૩- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૧૧૯, ૧૨૩(બીજી પંક્તિ) ૪- શ્રી દયારામરચિત, ‘રસિકવલ્લભ', પ૬ ૧૦૮, ચરણ ૪,૧૪,૧૫ ૫- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૧૨૪,૧૨૫ Page #440 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૦૭ આ પ્રમાણે જુદા જુદા કાળના અને જુદી જુદી કક્ષાના તથા ભાષાના કવીશ્વરો તથા સાહિત્યકારોએ ગદ્ય તેમજ પદ્યમાં સંવાદની અને તેમાં પણ વિશેષત: ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી લોકોદ્ધોધનના કાર્યમાં સફળતા સંપ્રાપ્ત કરી છે. આ શૈલીનો આશ્રય લેતાં કૃતિકાર પોતાને જે કહેવું હોય તે સંક્ષેપમાં પણ સચોટતાપૂર્વક કહી શકે છે, કૃતિના વિષયનાં જે અંગોને સ્પર્શવાં હોય તેનો યથાયોગ્ય વિસ્તાર કરી શકે છે અને તે રીતે ઇષ્ટ ચર્ચા દ્વારા વિષયને સંપૂર્ણ ન્યાય આપી શકે છે. આમ સરળતા, રોચકતા, સચોટતા, યથાર્થતા, ઇહાનુસાર સંક્ષેપ-વિસ્તાર, પ્રવાહિતા, રમણીયતા, માર્મિકતા ઇત્યાદિનાં પ્રાગટ્ય, સંવહન તથા સંવર્ધન માટે સંવાદશૈલી એક આદર્શ અને વિલક્ષણ સાધનરૂપ બનતી હોવાથી શ્રીમદ્ આદિ અનેક મૂર્ધન્ય સાહજિકતાપ્રિય કવિઓ તેનો સુયોગ્ય અને સુરમ્ય પ્રયોગ પુનઃ પુનઃ કરતા રહ્યા છે. (IV) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની લોકભોગ્યતા અપૂર્વ આત્મસિદ્ધિમાં નિમજ્જન કરાવનાર આ યથાર્થનામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અત્યંત લોકપ્રિય બન્યું છે. તેમાં ભાવની ગંભીરતા અને ભાષાની સુશ્લિષ્ટતા હોવાથી તે લોકભોગ્ય બની છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ઘણી પંક્તિઓ કહેવત જેવી થઈ ગઈ છે. સાધકસમાજમાં અત્યંત મહિમા સાથે તેનું અધ્યયન થાય છે અને મુક્ત કંઠે આજ દિવસ સુધી તે ગવાતું આવ્યું છે એ તેની લોકપ્રિયતા દર્શાવે છે. તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક વિષય પ્રત્યે આવો વિશાળ જનાદર ઉત્પન્ન કરવાનો યશ શ્રીમની ઉન્નત આત્મદશા તથા અસાધારણ લેખનકળાને આભારી છે. વિષયવસ્તુ યદ્યપિ પ્રદર્શન સાથે સંબંધિત છે, પણ શ્રીમદે પોતાની રોચક શૈલી દ્વારા ગૂઢ વિષયોને પણ સામાન્ય વાચક માટે સુબોધક બનાવી દીધા છે. શ્રી મુકુલભાઈ કલાર્થીના નિમ્ન અભિપ્રાય સાથે સૌ સમ્મત થશે કે – ‘આવા ગૂઢ તત્ત્વને સરસ પદ્યમાં શબ્દારૂઢ કરીને સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ પણ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આધુનિક યુગમાં કેવાં શાસ્ત્રો રચવાં જોઈએ તેનો યથાર્થ આદર્શ આ શાસ્ત્ર રચીને શ્રીમદે રજૂ કર્યો છે.” આમ, શ્રીમદ્ભી અસાધારણ લેખનશૈલીના કારણે અલ્પ બુદ્ધિવાળા વાચક માટે પણ આ રચના સરળતાથી સમજાય એવી બની છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તે કેવળ સાધારણ વાચકો માટે જ ઉપયોગી નીવડે છે એવું નથી, વિદ્વાનોને પણ વિચાર કરતા કરી મૂકે એવો તે ગહન અને ગંભીર ગ્રંથ છે. આ ગ્રંથ સામાન્ય વાચકોને તો આનંદ આપે એવો છે જ, પરંતુ તત્ત્વના જાણકાર અધિકારીને તે સવિશેષ આનંદ આપે ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી, ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના', પૃ.૧૯૧ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવો છે. આમ, સામાન્યજનથી વિજ્જન સુધી સર્વને ઉપયોગી અને આત્મહિતકારી નીવડે એવું દૈવત તેમાં રહેલું છે. આબાલવૃદ્ધ બધાને ઉપયોગી અને ઉપકારી નીવડનારી આ કૃતિ લોકભોગ્ય કેમ થઈ છે તે સંબંધી અમુક મુદ્દાઓ સંક્ષેપમાં વિચારીએ – (૧) લોકપ્રચલિત ગુજરાતી ભાષામાં નિરૂપણ પ્રાચીન કે અર્વાચીન, કોઈ પણ યુગમાં લોકમાન્ય કે લોકપ્રચલિત ભાષામાં લખાયેલી કૃતિ જ લોકકલ્યાણકારી થાય છે. બોલચાલની ભાષામાં - રોજિંદા જીવનની ભાષામાં જીવના મનોભાવ વિશેષ પ્રમાણમાં જોડાઈ શકે છે અને ભાવનું વદન તથા ઊંડાણ વધારે આવી શકે છે. કૃતિની સફળતા માટે આ અત્યંત જરૂરી તત્ત્વ છે. શ્રીમદે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયની ઉપયોગિતા અનુભવીને આ ગ્રંથનું આલેખન સરળ ગુજરાતી ભાષામાં કર્યું છે. આત્મસ્વરૂપવિષયક વિશ્લેષણ જૈન દર્શનમાં જિનાગમો તથા ઉત્તરવર્તી ગ્રંથોમાં થયેલું છે; પરંતુ મૂળ ગ્રંથો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા તેની ટીકા પણ સંસ્કૃત ભાષામાં હોવાથી તે વિદ્વજ્જનભોગ્ય તો બની શકે છે, પરંતુ સામાન્ય જનતા તેનો લાભ લઈ શકતી નથી. ભાષાની કઠિનતાના કારણે સામાન્ય પાઠક તેનું આસ્વાદન કરી શકતો નથી એમ જાણી શ્રીમદે એ ગહન વિષયને સરળ ગુજરાતી લોકભાષામાં ગૂંથી, તેને કાવ્યબદ્ધ કર્યો કે જેથી અલ્પ ક્ષયોપશમવાળા જીવને પદાર્થનો અંશાત્મક બોધ થાય, ધીમે ધીમે ક્ષયોપશમ ખીલે, શ્રુત પ્રત્યે ભક્તિ વધે અને શ્રુતાભ્યાસમાં ઉદ્યમશીલ બની તે શ્રુતસાગરમાં પ્રવેશવા સમર્થ બને. ગુજરાતી ભાષામાં તત્ત્વપ્રધાન કૃતિઓની રચના ત્રણસો વર્ષથી થતી આવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, શ્રી આનંદઘનજી મહારાજ, ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ, શ્રી સમયસુંદરજી મહારાજ વગેરેએ પોતાની ઘણી રચનાઓ ગુજરાતી ભાષામાં કરી છે. શ્રીમદ્ પણ આ ગ્રંથની રચના ગુજરાતી ભાષામાં કરીને એ પરંપરાને અનુસર્યા છે. શ્રીમદ્ભા મત પ્રમાણે તત્ત્વજ્ઞાન જેવો ગહન વિષય સમજવા કે સમજાવવા સંસ્કૃત-પ્રાકૃત ભાષા જ જોઈએ અથવા એ ભાષાઓમાં રચિત ગ્રંથોમાં જ ઉત્તમ પ્રકારનું તત્ત્વજ્ઞાન હોઈ શકે એવું નથી. જે ભાષાથી વાચકો અને શ્રોતાઓ ઉપર તત્કાળ અસર થાય અને તેમને સહજમાં સમજાવી શકાય તે જ ભાષામાં (પછી ભલે તે ભાષા સંસ્કૃત હોય, પ્રાકૃત હોય કે ગુજરાતી હોય) તે પીરસાવું જોઈએ. ભાષા ગુજરાતી હોવાથી તત્ત્વ કંઈ નિગૂઢ રહેવાનું નથી અને સંસ્કૃત-પ્રાકૃત હોવાથી તે કંઈ સવિશેષ વ્યક્ત થવાનું નથી. વળી, જ્યાં ગુજરાતી ભાષા વપરાશમાં હોય ત્યાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા Page #442 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૦૯ તિજોરીમાં રાખેલ ધન જેવી છે. જેમ તિજોરીમાં રાખેલાં નાણાં ધિરાય તો વ્યાજ મળે, તેમ ગુજરાતી ભાષા દ્વારા તે ગ્રંથોના ગૂઢ ભાવોને સમજાવવામાં આવે તો જ તે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો ઉપયોગી તથા લોકપ્રિય બને. આમ, સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અપરિચિત અને આગમાદિ ગ્રંથોના અભ્યાસ માટે અસમર્થ એવા જીવો પણ જો કૃતિને સમજીને કંઠસ્થ કરે, વારંવાર તેનું ઘોલન અને વિચારણા કરે તો તત્ત્વજ્ઞાનના હાર્દને અવશ્ય સમજી શકે. આવા શુભાશયથી શ્રીમદે આ કૃતિ સરળ અને સુબોધક શૈલીથી ગુજરાતી ભાષામાં રચીને તેમાં મોક્ષમાર્ગનું રહસ્ય પ્રતિપાદિત કર્યું છે. આ કાવ્યસર્જન દ્વારા શ્રીમદે સમાજ ઉપર મહા ઉપકાર કર્યો છે. મુંબઈ ખાતે પ્રસિદ્ધ થતાં “જૈન' સામયિકના અધિપતિ શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારી, શ્રીમદ્દની જન્મજયંતી સમારોહનો અહેવાલ આપતાં તા. ૨૮-૧૧-૧૯૦૯ના અંકમાં જણાવે છે કે – ‘... સાધારણ જનો, જેઓ સંસ્કૃત તથા પ્રાકૃત સિદ્ધાંતો અવલોકવાની યોગ્યતા નથી ધરાવતા તેઓને શ્રીમાનના છુટા છવાયા લેખો તથા આત્મસિદ્ધિશાસ્ત્ર જેવાં સૂત્ર પદ્ધતિએ રચાયેલાં કાવ્યો વ્હોટા આશીર્વાદરૂપ થઈ પડ્યાં છે. જનસમાજ ઉપર મહૂમે આ રીતે અસાધારણ ઉપકાર કર્યો છે.” શ્રીમદ્ભી સૂક્ષ્માતિસૂક્ષ્મ ધર્માનુભૂતિને તંતોતંત શબ્દોબદ્ધ કરવામાં ગુજરાતી ભાષા કાર્યક્ષમ નીવડી છે. અધ્યાત્મના ગૂઢ ભાવો સાંગોપાંગપણે ગુજરાતી ભાષામાં શ્રીમદ્ પ્રગટ કરી શક્યા છે, તેથી આ કૃતિનું મહત્ત્વ કોઈ સંસ્કૃત-પ્રાકૃતસર્જન કરતાં જરા પણ ઓછું આંકી શકાય નહીં. (૨) ગહન વિષયનું સરળ નિરૂપણ જગતનું મહાન કાવ્ય તો તે જ ગણી શકાય કે જેણે મનુષ્યનો જીવનપથ ઉજાળ્યો હોય. કવિતા એ મૂલતઃ જીવનની સમીક્ષા છે અને કોઈ પણ કવિની મહત્તાનો આધાર, જીવન કેવી રીતે જીવવું એ પ્રશ્નનો ઉત્તર આપી, જીવનને ઉન્નતિના પંથે પ્રેરે એવા વિચારોનો પોતાની કવિતામાં કેટલાં સૌંદર્ય અને સામર્થ્યપૂર્વક એ વિનિયોગ કરી શકે છે તેના ઉપર જ રહેતો હોય છે. કવિ હોવા ઉપરાંત જે ગંભીર તત્ત્વચિંતક નથી, તે પુરુષ કદી પણ મહાકવિ બની શકતો નથી. મહાકવિની પદવી તો જેણે કોઈ મહાન વિષયનું, એ વિષયની મહત્તાને ઉચિત એવી શૈલીમાં નિરૂપણ કર્યું હોય તેને જ આપી શકાય. મહાકવિમાં પ્રજ્ઞાની ઊંચાઈ અને હૃદયની ઊંડાઈ હોવાથી કઠિનમાં કઠિન વિષયને સરળમાં સરળ રીતે રજૂ કરવાની વિશિષ્ટ શક્તિ હોય છે. ૧- ‘શ્રીમાન્ રાજચંદ્રની જન્મજયંતી પ્રસંગે થયેલાં વ્યાખ્યાનો', પૃ.૭૩ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, કવિતાનો સર્વોત્તમ ગુણ જીવનદર્શન કરાવવાનો છે. ઉત્તમોત્તમ કવિતા માત્ર આનંદ જ નથી આપતી, પરંતુ જીવનનું દર્શન પણ કરાવે છે. કાવ્યની ઉત્તમતા માટે વાસ્તવમાં ચિંતનની આવશ્યકતા છે કે જે ચિંતન ઊર્મિસ્પષ્ટ બની અનુભવના રસાયણથી રસાઈને કવિતામાં આવે. આવા ચિંતનને કવિતામાં રજૂ કરતી રચનાઓમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એક ઉત્તમ નમૂનારૂપ છે. તેમાં શ્રીમદે પ્રશ્નોત્તરશૈલીના માધ્યમથી વિવિધ દૃષ્ટિકોણો વડે આત્મતત્ત્વની ગહન વિચારણા રજૂ કરી છે. કવિતામાં દાર્શનિક માન્યતાઓ રજૂ કરી, ઊંડું અધ્યાત્મ ગૂંથવાનું કાર્ય અત્યંત અત્યંત મુશ્કેલ અને અટપટું છે. આવા કઠિન અને દુર્બોધ વિષયને કાવ્યનું રૂપ આપવું તે શ્રીમનું ઉચ્ચ પ્રકારનું રચનાસામર્થ્ય દર્શાવે છે. અધ્યાત્મના ઉન્નત ભાવોને પદ્યરૂપે ગૂંથી, તેને ગેયરૂપ આપી, જનહૃદય સુધી પહોંચાડી શ્રીમદે પોતાની ઉચ્ચ કવિત્વપ્રતિભાનો પરિચય આપ્યો છે. શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય ગુણોમાં જે ગુણ ગણના પામે છે, તે છે તેમની ભાષાનું સર્વસાહિત્વ; અર્થાતુ પ્રત્યેક પ્રાણી સમજી શકે એવી ભાષામાં બોલવાની તેમની વિશિષ્ટતા. એમાં અતિશયતાનું તત્ત્વ બાજુ ઉપર રાખીએ તોપણ એ ભાષાની સફળતા એની સર્વભોગ્યતામાં છે અને એ વાત બહુ ઉપયોગી મુદ્દો પૂરો પાડે છે. ભાષાનું કાર્ય વિચારવહનિકા તરીકેનું છે. એમાં ચાતુર્ય કે ચમત્કૃતિ હોય તો તે ભાષાની શોભામાં વધારો કરે છે, પણ સમજવાની સરળતા અને સર્વદેશીયતાનો જ્યાં નાશ થતો હોય ત્યાં મૂળ મુદ્દો ઊડી જતાં તે કૃતિ જનસામાન્યને ઉપયોગી થતી નથી. શ્રીમદે એ વાત કદી વિસારી નથી એ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નો અભ્યાસ કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. શ્રીમદ્ કવિ ઉપરાંત જ્ઞાની પણ હતા, તેથી કાવ્યરચના કરવા માટેનો તેમનો ઉદ્દેશ મહાકવિનું બિરુદ પામવાનો, મહાપંડિત કે મહાવિદ્વાન કહેવડાવવાનો અથવા ઐહિક પ્રશંસા પ્રાપ્ત કરવાનો ન હતો. ત્રિવિધ તાપથી દુ:ખી જીવોને સત્ય માર્ગનું દર્શન કરાવી તેમાં પ્રવૃત્ત કરાવવા એ જ તેમની લેખણીનો મુખ્ય લક્ષ હતો. એ પ્રધાન હેતુ ફળીભૂત થાય તે અર્થે તેમણે પોતાની ભાષા વિકભોગ્ય બનાવવા કરતાં સામાન્ય ક્ષયોપશમવાળા જીવ સમજી શકે એવા આકારમાં કરી છે. તેમનામાં પંડિતોની ભાષા વાપરવાની શક્તિ હતી, પરંતુ તેમને તો સામાન્ય જનસમૂહને પ્રબોધવો હતો. ક્લિષ્ટ ભાષા વાપરી, ગ્રંથને સમજી ન શકાય એવો કોયડારૂપ બનાવવાની તેમની ઇચ્છા ન હતી. સર્વ જીવનું કલ્યાણ થાય એવા મહાકાર્યમાં પોતાનો બનતો ફાળો આપવાની ઉન્નત ભાવના હોવાથી શ્રીમદે તેમનો ઉપદેશ સર્વભોગ્ય થાય એવી સરળ ભાષામાં આપ્યો છે. તેમણે લાંબા લાંબા સમાસવાળી કે અપ્રસિદ્ધ અર્થવાળી ભારેખમ ભાષા Page #444 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન ૪૧૧ વાપરી નથી, તેમજ પદલાલિત્ય તથા ઝડઝમક અલંકારાદિ ઉપર પણ ધ્યાન આપ્યું નથી. વિશિષ્ટ પ્રકારના અલંકારપ્રયોગ જ્ઞાનના મૂળ તત્ત્વને સમજવામાં આડે આવી શકે, તેથી કાવ્યના બાહ્ય સ્વરૂપ પ્રતિ અલક્ષ રાખી, કાવ્યવિષય પ્રતિ જ તેમણે મહત્ત્વ આપ્યું છે. આમ, તેમાં ઉચ્ચ પ્રકારનું પદલાલિત્ય, શબ્દરચનાઓ, ઝડઝમક અલંકાર કે કવિતાચાતુર્ય નથી, પરંતુ લોકહૃદયને સ્પર્શવાની શક્તિ અદ્વિતીય છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – ટૂંકા, સરળ શબ્દો સહિત, નય કે ન્યાયનાં અટપટાં અનુમાનો કે મંડનખંડનની ક્લિષ્ટતારહિત, આબાલવૃદ્ધ સર્વને ભોગ્ય, હિતકારી સામગ્રીથી ભરેલ આ ગ્રંથ લોકપ્રિય થઈ પડ્યો છે.” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તત્ત્વનું નિરૂપણ હોવા છતાં તેમાં સૈદ્ધાંતિક ગ્રંથો જેવી કઠિનાઈ નથી. તેમાં નયવ્યવસ્થા, ન્યાયયુક્ત દલીલો, દાર્શનિક માન્યતાઓ ઇત્યાદિ ગહન વિષયો હોવા છતાં સરળ શબ્દો, સુગમ શૈલી અને દૈનિક અનુભવોથી સમર્થિત દૃષ્ટાંતો હોવાના કારણે આ ગ્રંથ સર્વોપયોગી બન્યો છે. વળી, તેનું કાવ્યસ્વરૂપ પણ જટિલ નહીં હોવાથી આ સુગેય રચના સરળ, ગ્રાહ્ય, આસ્વાદ્ય અને લોકપ્રિય બનવા પામી છે. (૩) સંક્ષિપ્ત છતાં સચોટ નિરૂપણ કાવ્યસર્જનમાં વિષયના વિશદીકરણની પ્રક્રિયા જેટલી મિતાક્ષરી, એટલી તે કૃતિ રૂડી ગણાય. માત્ર થોડા શબ્દોમાં વિચારો પ્રગટ કરવાની શૈલી પ્રશંસનીય ગણાય છે. ઉચ્ચ પ્રકારનો કવિ તે છે કે જે પોતાના ભાવોનો શક્ય હોય તેટલો સંક્ષેપ કરે અને છતાં વાંચતાં વિષય અધૂરો રહ્યો છે એવું ન લાગે. ઓછા શબ્દોમાં મહત્ત્વની બધી જ વાત રજૂ કરી દેવાની કલા શ્રીમને કેટલી સહજ રીતે સિદ્ધ છે તેના એક ઉત્તમ ઉદાહરણરૂપે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જોવા મળે છે. આ કાવ્ય લાઘવયુક્ત અને માર્મિક છે. આ કાવ્યમાં મિતાક્ષરી પંક્તિમાં અર્થનો ખજાનો ભરીને શ્રીમદે પોતાની લાઘવશક્તિનો પૂર્ણપણે પરિચય આપ્યો છે. તેમની શબ્દસમૃદ્ધિ અજોડ છે, છતાં શબ્દસંયમ પણ તેઓ જાળવી રાખે છે. વિષયનિરૂપણમાં અનિવાર્ય હોય તે જ શબ્દનો અને તેટલા શબ્દોનો જ તેઓ પ્રયોગ કરે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રત્યેક શબ્દ યોગ્ય રીતે મુકાયેલો છે. એમાં ખૂબી એ છે કે એની જગ્યાએ બીજો શબ્દ મૂકવો હોય તો જડે નહીં અને જડે તો ભળે નહીં. આમ, શબ્દસમૃદ્ધિ અને શબ્દસંયમ જેવા વિરોધાભાસી ગુણોનો સુભગ આવિષ્કાર ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૪૩ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જોવા મળે છે. શ્રીમદ્ ઓછા શબ્દોમાં પોતાના ભાવને કેવી ગરિમા સુધી પહોંચાડે છે તે આ કાવ્યમાં સ્પષ્ટપણે અનુભવી શકાય છે. સરળ શબ્દોમાં પરમાર્થ ગૂંથ્યો હોવાથી આ કાવ્ય વધુ મૂલ્યવાન બન્યું છે. શ્રીમદે અત્યંત સંક્ષેપમાં, છતાં સચોટ અને રોચક રીતે આ ગ્રંથમાં આત્મતત્ત્વની મીમાંસા કરી છે, જે તેમના ગહન શાસ્ત્ર-અભ્યાસની, ઉન્નત આત્મદશાની અને ઉત્તમ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન — = ‘અનાદિથી પરમગૂઢ અગોચર એવા આત્મતત્ત્વની વ્યાખ્યા આર્ય દર્શનકારોએ અનેક પ્રકારે કરેલી છે અને તે દર્શનસાહિત્યો એટલાં વિશાળ બન્યાં છે કે સામાન્ય શક્તિમાન મુમુક્ષુઓને તે હસ્તગત કરવાં, તેમાં પ્રણીત કરેલાં દૃષ્ટિદ્વાર અને સાધનદ્વારોનો ભેદ ઉકેલી મુક્તિમાર્ગને ખોળવો અને પામવો અત્યંત અત્યંત વિકટ થઈ પડેલ છે. તે દર્શનકારોની આત્મદર્શનપદ્ધતિઓની અતિ સંક્ષિપ્ત અને સચોટપણે છેક જ છણાવટ કરી તેના દોહનરૂપે પોતાના અમોઘ પ્રગટ અનુભવજ્ઞાન-શક્તિ વડે આ ‘આત્મસિદ્ધિ' કોઈક વિરલ નિકટ મોક્ષગામી જીવોના કરકમલમાં અને હૃદયકમલમાં જ્ઞાનાવતાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ અર્પણ કરેલ.’૧ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે આત્માર્થા જીવ જ્યાં મૂંઝાઈ જાય એવા ઘણા ઘણા પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા છે, જે દરેકને નિરુત્તર જ નહીં પણ નિઃશંક બનાવી દે એવા સચોટ છે. આવા પ્રશ્નોનું સચોટ નિરસન પણ તેમણે ખૂબ જ ટૂંકા છતાં માર્મિક શબ્દોમાં કર્યું છે. આ કૃતિની ખૂબી એ છે કે શબ્દોનો સંક્ષેપ છતાં શ્રીમદ્ તે વિષયના ભાવોને પૂર્ણપણે આવરી લે છે, તેથી તેમની રચના અર્થઘન છે એમ જોઈ શકાય છે. સામાન્ય નજરે જોતાં સરળ લાગતી આ ગાથાઓમાં ઊંડાણનાં દર્શન થાય છે. જીવને પ્રગતિ કરાવવા માટે તેમાં ઉપદેશ આપ્યો છે, શિખામણો સૂચવી છે અને રહસ્યજ્ઞાનનું સ્ફોટન કર્યું છે. કેટલી ઓછી પંક્તિઓમાં શ્રીમદે અધ્યાત્મમાર્ગનો સાર આપી દીધો છે! સાધકને ઉત્તમ માર્ગ બતાવતા આ ગ્રંથનું અર્થગૌરવ અતિ અસરકારક છે. ભાષાપ્રવાહ હૃદય ઉપર સચોટ અસર કરે છે. એક વાર વાંચ્યા પછી ન ભુલાય એવો આ ગ્રંથ અર્થથી ભરપૂર અને સચોટ છે. તેની પંક્તિઓ એવી હૃદયસ્પર્શી છે કે વારંવાર વાંચવાની ઇચ્છા થાય. વારંવાર રટણ કરવા છતાં કંટાળો ન આવતાં અંતર્મુખ બનાવે એવું દૈવત તેમાં રહેલું છે. આવી રચના કોઈ સાધારણ લેખકથી નીપજી શકે નહીં. સ્વાનુભવ વિના આવું કાવ્ય સર્જી શકાય નહીં એમ સૌ કોઈને આ કાવ્ય વાંચતાં ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન’, પ્રાસ્તાવિક, પૃ.૪-૫ Page #446 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન અવશ્ય પ્રતીત થાય છે. (૪) રોચક અને રમણીય નિરૂપણ તત્ત્વજ્ઞાનનો વિષય સામાન્ય રીતે શુષ્ક અને નીરસ હોવા છતાં શ્રીમદ્ તેને રસપૂર્વકની ભાવવાહી શૈલીમાં કાવ્યાત્મક રીતે ઉતારી શક્યા છે. તે રસિક અને હૃદયંગમ થઈ પડે એ માટે શ્રીમદે તે વિષયને અહીં પ્રાસાદિક શૈલીમાં રજૂ કર્યો છે. આમ, મૂળ વિષય જેટલો શુષ્ક છે, તેની રજૂઆત એટલી જ રસપૂર્ણ છે. શ્રીમદે પોતાની આકર્ષક શૈલીથી વિષયપ્રતિપાદનમાં કશે પણ રૂક્ષતા કે અરોચકતા ઉત્પન્ન થવા દીધી નથી. ૪૧૩ શ્રીમદ્દ્ના લખાણમાં ઘણું બળ છે. ભાષા સાદી પણ ઓજસવાળી છે અને વિચાર દર્શાવવાની તેમની પદ્ધતિ પ્રસાદપૂર્ણ છે. સામાન્ય જ્ઞાન ધરાવતી વ્યક્તિ પોતપોતાની કક્ષા અને ક્ષયોપશમ અનુસાર તેમાંથી અર્થ સમજી શકે તેવી સરળતા તેમની રચનામાં રહેલી છે. ભાષા સરળ છે, એટલું જ નહીં, શબ્દની ગોઠવણી પણ એટલી વ્યવસ્થિત છે કે તેમાં કશે પણ ગૂંચવણ થાય તેવું નથી. શ્રીમદ્દ્ની સ્પષ્ટ અને સચોટ અભિવ્યક્તિ, તેમના રચનાકૌશલ્ય સાથે તેમના ભાષાપ્રભુત્વની પણ સરસ પ્રતીતિ કરાવે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષાસ્પષ્ટતા, તેનું ભાષાસૌષ્ઠવ અને તેની ભાષાસફળતા વિચારવા યોગ્ય છે. તે વાંચતાં શ્રીમદ્નો ભાષા ઉપરનો અદ્ભુત કાબૂ જરૂર જણાઈ આવે છે. કોઈ પણ સાહિત્યસર્જક પોતાના સાહિત્યલેખનમાં ભાષા તો સામાન્યપણે પ્રચલિત હોય તે જ વાપરે છે, પણ તેમાં વપરાતા શબ્દોની પસંદગી અને પ્રયોગમાં તે સર્જકનું વિશેષપણું રહ્યું છે. શ્રીમદ્દ્ની શબ્દોની પસંદગી અને તેની યથાયોગ્ય સ્થાને ગોઠવણી સર્વથા ઉચિત, માર્મિક અને અર્થપ્રકાશક છે. સાહિત્યની નજરે તેમના પ્રત્યેક શબ્દપ્રયોગમાં ચમત્કાર અને સાર્થકત્વ જણાય છે. તેમના વિચારોની સ્પષ્ટતા, વિચારદર્શનની સરળતા અને ભાષાની પ્રૌઢતા સાથે શબ્દસમૃદ્ધિ પણ મુગ્ધ કરે તેવી છે. ભાષા ઉપર અસાધારણ કાબૂ વગર આવી રચના અશક્ય છે. ભાષા ઉપર અસાધારણ કાબૂ ન હોય તો કાં તો વિષય તદ્દન શુષ્ક થઈ જાય છે અથવા તે વ્યવસ્થા વગરનો થઈ જાય છે અથવા તો તે અતિ સામાન્ય થતાં વિશિષ્ટ વાચક માટે નકામો થઈ પડે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આવા શુષ્ક લાગતા વિષયની શ્રીમદ્ના અસાધારણ ભાષાપ્રભુત્વના પરિણામે મનોહર, લાલિત્યપૂર્ણ અને રસપ્રદ રજૂઆત થઈ હોવાથી સૌના અંતરમાં માટે રુચિ જાગૃત થાય છે. સામાન્ય વાંચનાર તેના અધિકાર અનુસાર પરિચય-પ્રીતિ વધારે છે, અસાધારણ અને નિર્મળ બુદ્ધિવૈભવવાળાને એમાં વિશેષ રસ પડે છે, તો ભાવસમૃદ્ધ આત્માર્થાજનને તેની પ્રત્યેક Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તત્ત્વપ્રેરક પંક્તિમાં રસના સાગર ઊછળતા અનુભવાય છે. શ્રીમદ્ આખી કૃતિ દરમ્યાન ભાષાસૌષ્ઠવ, મૌલિકતા તથા મિષ્ટતાનો એકસરખી રીતે અવિચ્છિન્નપણે આસ્વાદ કરાવી શક્યા છે. તેઓ શ્રેષ્ઠ પંક્તિના લેખકની સર્વ વિશિષ્ટતા જાળવી શક્યા છે અને એક અક્ષર પણ ન્યૂનાધિક લખ્યા વગર, સાહિત્ય અપેક્ષાએ અતિ ઉત્તમ કાવ્ય નીપજાવી શક્યા છે. આ ફળશ્રુતિ એ તેમની સાહિત્યકાર તરીકેની મહત્તામાં ખાસ વધારો કરનારી છે. જૈન કવિઓમાં મહાસમર્થ કવિ તરીકે જેની ગણના થાય અને સર્વ કાળના સમર્થ કવિઓની હરોળમાં બેસી શકે એવા શ્રીમદ્ એક મહાપ્રતાપી કવિ હતા. ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત સર્જનકાર એવા શ્રીમદે પોતાના સાહિત્ય દ્વારા આગમસિદ્ધાંતના તત્ત્વજ્ઞાનનું અમૃત સામાન્યજન સુધી પહોંચાડ્યું છે. તેમનાં લખાણોમાં ઉત્સાહવર્ધક પ્રેરણાઓ છે. સુંદર સત્યોના અંબાર છે; તેથી એ લખાણોનું જીવન સફળ છે, ચિરંજીવી છે. તેમની કૃતિઓ ગુજરાતના એક મહાકવિની પ્રસાદી તરીકે વંદાઈ છે. પંડિત સુખલાલજી પ્રકાશે છે કે – ..... આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર વિષયક ગુજરાતી સાહિત્યની દષ્ટિએ, શ્રીમદ્ભાં લખાણોનું ભારે મૂલ્ય છે.”૧ શ્રીમદ્ભા સંપૂર્ણ સાહિત્યમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' કલગી સમાન છે. સુંદર તથા પ્રૌઢ રચના, સરળ તથા સુબોધક ભાષા, પ્રસાદમય અને કોમળ શૈલી આદિના કારણે તે એક અદ્વિતીય કલાકૃતિ બને છે. એનું માત્રામેળ છંદોબદ્ધ કાવ્યસ્વરૂપ, સચોટ અને સમુચિત ઉપમા, દષ્ટાંત, રૂપક આદિ અર્થાલંકારો, ભાષા પરનું પ્રભુત્વ, શબ્દલાઘવ, અર્થગાંભીર્ય, સ્પષ્ટ અને સચોટ નિરૂપણ શૈલી આદિ અનેક ગુણોના કારણે તે ઉચ્ચ ગ્રંથોની હરોળમાં બેસી શકે એવો ગ્રંથ ઠરે છે. શબ્દોની રચના, પસંદગીની ઉચિતતા, રચનાની સરળતા, ભાષાની પ્રૌઢતા અને કાવ્યની રસિકતા અનેક દૃષ્ટિબિંદુઓથી જોતાં આનંદકારક લાગે છે. તેમાં ભાષાની અકૃત્રિમતા અને સર્જકની વિદ્વત્તા ઓતપ્રોત ઝળક્યા કરે છે. તેમાં રહેલી ચારુતા તેમજ ભાવની ઋજુતા વાચકના લક્ષમાં આવ્યા વિના રહેતી નથી. મૃદુતા અને માધુર્ય તેમની કલમમાંથી ટપકી રહેલાં દેખાય છે. શ્રીમની વાણી એવી તો રસવતી અને મધુર છે કે તેને વિષે કહેવાનું મન થાય કે પોતાની મધુરતા જાણે મધે તેને વેચી દીધી, દ્રાક્ષે આનંદથી ભેટ આપી, દૂધે તેને પાત્ર માનીને આપી, શેરડીએ શરણાગત થઈ અર્પણ કરી અને ચોરના ડરથી અમૃત સાચવવા આપી; એટલા માટે જ તો શ્રીમની વાણીને અદ્ભુત માધુર્યની ચિરસમૃદ્ધિ ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૮ Page #448 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૧૫ પ્રાપ્ત થઈ છે. આમ, તેમની રચના એવી વિશિષ્ટ પ્રકારની છે કે હૃદયને અને મગજને એકસરખી રીતે અસર કરે છે, અર્થાત્ તે ભાવવાહી તથા ચિંતનશીલ એવા બને ગુણોથી યુક્ત છે. વિદ્વાનોના મત અનુસાર શ્રી જયદેવે ‘ગીતગોવિંદ' સિવાય બીજું કશું પણ ન લખ્યું હોત તોપણ ગીતગોવિંદ' તેમને મનુષ્યમાંથી દેવ સિદ્ધ કરવા પર્યાપ્ત છે; કવિ કાલિદાસ ‘શાકુંતલ' લખીને જ અટકી ગયા હોત તોપણ તેમની લેખણીની સુંદરતા જગતને આજે જેવી પ્રતીત છે તેવી જ પ્રતીતિ કરાવી શક્યા હોત. શ્રીમના સંબંધમાં પણ એમ કહી શકાય કે તેમણે માત્ર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની જ રચના કરી હોત તોપણ તે તેમની ઉચ્ચ કવિત્વપ્રતિભા અને ઉન્નત આત્મદશાનો પરિચય આપવા માટે પર્યાપ્ત છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' માં ગાથાએ ગાથાએ તેમનો દિવ્ય આત્મા પ્રકાશી ઊઠે છે. તેમની વીર્યવંતી ચેતનામાંથી ઉદ્ભવેલા એક જ વચનામૃતને જો સૂક્ષ્મતાથી અવલોકવામાં આવે તો તે આ દશ્યપ્રપંચથી ઉપર વિરાજતા એવા નિજતત્ત્વની ઝાંખી કરાવી શકે તેમ છે. આમ, શ્રીમનો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથ એ ગુજરાતી સાહિત્યના શિરોમણિ જેવો છે. આ કૃતિના કારણે શ્રીમદ્ ઉજ્વળ સંતકવિઓની હરોળમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં એક અજોડ સંત કવિ, જ્ઞાની કવિ તરીકે શ્રીમદ્રનું નામ ચિરસ્મરણીય છે અને રહેશે. Page #449 -------------------------------------------------------------------------- ________________ Page #450 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ પ્રકરણ - ૨ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન Page #451 -------------------------------------------------------------------------- ________________ Page #452 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ શ્રીમની અનન્ય લાક્ષણિક શૈલીથી આલેખાયેલો એક સર્વાંગસુંદર અધ્યાત્મગ્રંથ છે. આ ગ્રંથ સાહિત્યદૃષ્ટિએ તો ઉચ્ચ કક્ષાનો છે જ, તેના કરતાં પણ વિશેષ તે અધ્યાત્મદષ્ટિએ અતિ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ કાવ્ય અને સાહિત્યના ઉત્તમ વિદ્વાન તો હતા જ, પણ તેના કરતાં વિશેષ તેઓ સિદ્ધાંતજ્ઞાની અને આત્મતત્ત્વના અનુભવી સમર્થ પુરુષ હતા; તેથી તેમનું કવન અધ્યાત્મપ્રધાન રહ્યું હોવાથી તેમાં સર્વત્ર આત્માનું સંકીર્તન જોવા મળે છે. પોતાની વિશિષ્ટ કવિત્વશક્તિથી તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માનાં છ પદ જેવો તત્ત્વજ્ઞાનસભર વિષય પદ્યબદ્ધ કર્યો છે. શ્રીમદ્ભા ઉત્કટ આત્મભાવોએ સહજરૂપે કાવ્યનો આકાર ધારણ કર્યો છે. તેમાં તેમની ભાષારચનાનો ચમત્કાર છે, શબ્દસમૃદ્ધિનું વિશાળપણું છે, શૈલીની સુંદરતા છે અને તે સાથે તે શબ્દો પાછળ એક મહાન આત્માનો આંતર નાદ પણ સંભળાય છે. ત્મદર્શનની કૌમદી નીચે લહેરાતા શાતાભર્યા ચિત્તનો અણસાર પણ સાંપડે છે. - શ્રીમદ્ સ્વભાવ મનનશીલ હતો. તેમનું ચિંતન આત્મલક્ષી હતું. તેમણે તાત્ત્વિક અને આચારવિષયક વિષયો ઉપર ગંભીર વિચારણા કરી હતી. તેમણે પૂર્વાચાર્યોના ગ્રંથોનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કર્યો હતો અને તેને શબ્દ, ભાવ અને તાત્પર્ય સહિત પચાવ્યા હતા. તત્ત્વવિષયક અને વૈરાગ્યપ્રધાન સાહિત્ય તેમની નસ નસમાં વ્યાપી ગયું હતું. અધ્યાત્મજ્ઞાન તેમના જીવનમાં એટલું બધું ઓતપ્રોત થઈ ગયું હતું કે તેમની વાણી અને વ્યવહાર તેનાં દર્પણ બની ગયાં હતાં. અધ્યાત્મના ભાવો તેમનાં લખાણોમાં એવી રીતે વ્યક્ત થયા છે કે તેના ઉપરથી તેમની આત્મદશા કેટલી ઉચ્ચ હતી અને તેમણે કેટલી સિદ્ધિ મેળવી હતી તેનું વિશદ દર્શન થઈ શકે છે. તેમનાં અધ્યાત્મવિષયક કાવ્યો સહજ ભાવે સરળતાથી પ્રતિપાદ્ય વિષયને ખોળામાં લઈ ક્યાંક જોસભેર તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર ગતિએ પ્રવાહબદ્ધ થઈ વહ્યા કરે છે. તેમનાં લખાણોનો આશય સમજવામાં જરા પણ સ્કૂલના થતી નથી. શાસ્ત્રોની ભાવનાને આત્મસાત્ કરવાની તત્પરતા, સત્યને શોધી કાઢવાની સૂઝ તથા પોતાના ભાવોને એક સિદ્ધહસ્ત સાહિત્યકાર અને કવિની અદાથી સુગમ તેમજ સચોટ ભાષાશૈલીમાં રજૂ કરવાની પ્રતિભા - આ સર્વ તેમની આધ્યાત્મિક દૃષ્ટિ, જન્મ-જન્માંતરની સાધના અને અભિવ્યક્તિના સામર્થ્યનાં સાક્ષી છે. તેમણે આત્માને અનુભવથી સિદ્ધ ર્યો હોવાથી તેમની વાણી અનુભૂતિમાંથી પ્રગટી છે. તેમની કૃતિઓમાં ન વાદવિવાદમાં વિજય મેળવવાની લાલસા છે, ન ખ્યાતિ આદિ મેળવવાની કામના છે, ન પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાની વૃત્તિ છે કે ન તો Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાની કવિત્વશક્તિથી બીજાને આંજી નાખવાની ઇચ્છા છે. તેમની રચનાઓનું એકમાત્ર ધ્યેય પરમસત્યરૂપ આત્મતત્ત્વને અજવાળવાનું છે. તેમને પ્રત્યેક સાધકને ઉપયોગી થાય અને તેના હૃદયના તાર ઝણઝણાવી મૂકે એવો ગ્રંથ લખવો હતો. તેમને સંથકાર તરીકે નામના કાઢવી ન હતી, પણ નિષ્કામ કરુણાદૃષ્ટિથી પરોપકાર કરવો હતો. તેમનો આશય તો જીવને અંતર્મુખ બનાવવા સરળ અને રોચક ભાષામાં આત્મવિષયક બોધ આપવાનો હતો. શ્રીમન્ની આવી ઉન્નત ભૂમિકા જોયા પછી તેમને કવિ, સર્જક, પંડિત, વિદ્વાન કે સાક્ષર કહી તેમનું મૂલ્યાંકન સાચી રીતે કર્યાનો સંતોષ જરા પણ યોગ્ય ઠરતો નથી. તેમને તો જ્ઞાની જ કહેવા યોગ્ય છે. શ્રીમની સાહિત્યિક રચનાઓમાં પણ અધ્યાત્મભાવો જ ઊછળી રહ્યા છે. લઘુ વયથી જ તેઓ અધ્યાત્મવિકાસ માટે પુરુષાર્થ હતા, તેથી જ અઠ્યાવીસ વર્ષની ભરયુવાનીમાં તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા આત્મવિષયક અનુપમ ગ્રંથની રચના કરી હતી. તેની પ્રત્યેક ગાથામાં તેમણે અધ્યાત્મને જ મુખ્ય રાખ્યો છે અને આત્મવિકાસના માર્ગ તરફ જ સંકેત કર્યો છે. શ્રી દિનુભાઈ પટેલ લખે છે કે – શ્રીમદ્ રાજચંદ્રની લાક્ષણિક શૈલીમાં આત્મસિદ્ધિશાસ્ત્ર લખાયું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચનારને સાચે જ અનુભવ થાય છે કે આ શાસ્ત્ર કોઈ પણ વ્યાવહારિક ધર્મને વળગી રહેતું નથી. પોતાના વાચનમાં અને અનુભવમાં આવેલા, જુદી જુદી કક્ષાના મુમુક્ષુ જીવોના નિઃશ્રેય-કલ્યાણ અર્થે, ભૂતકાળમાં થયેલા આત્મજ્ઞાનીઓના અનુભવોને લક્ષમાં લઈ ટૂંકામાં છ સિદ્ધાંતો આત્મસિદ્ધિમાં બહુ જ સરળ ભાષામાં અને હૃદયંગમ શૈલીમાં પ્રરૂપ્યા છે.” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પૂર્વાચાર્યોએ ચિતવેલું તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાં ચર્ચાયેલા વિષયો પૂર્વાચાર્યોના ગ્રંથો ઉપર સ્વતંત્ર ભાવે કરાયેલા તેમના ઊંડા ચિંતનમાંથી આવેલા છે. આ વિષયો દાર્શનિક, તર્કપ્રધાન અને શાસ્ત્રસિદ્ધ છે. શ્રીમદે પૂર્વાચાર્યોનાં શાસ્ત્રોનું પરિશીલન કરી, તેનો અર્ક સર્વસાધારણજન સુધી પહોંચાડ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તો આધ્યાત્મિક ગ્રંથોનો સાર છે. આત્મજ્ઞાનની પરમોચ્ચ ભૂમિકાએ પહોંચેલા શ્રીમદે અત્યંત સરળતાથી તેમાં શાસ્ત્રોનો નિચોડ રજૂ કર્યો છે. સર્વ શાસ્ત્રોનાં રહસ્યો આ એક ગ્રંથમાં સમાવેશ પામી જાય છે. તેમના ગ્રંથ ઉપર અનેક વિદ્વાનોએ વિચારવિમર્શ કર્યા છે, તેના ઉપર અનેક વ્યાખ્યાનો થયાં છે, તેમાં અનેક વિવેચનો અને ભાષાંતરો છપાયાં છે; પરંતુ શ્રીમન્ના એક પણ વાક્યને કોઈ શાસ્ત્રશૈલીથી વિરુદ્ધ બતાવી શક્યું નથી. ‘શ્રી આચારાંગ સૂત્ર', ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર', ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ અને ‘સમયસાર', ‘પ્રવચનસાર' જેવા પ્રાકૃત ગ્રંથોમાં જે વિચાર જુદી ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૧૨૪ Page #454 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૨૧ જુદી રીતે છૂટક છૂટક નિરૂપાયેલો દેખાય છે; ‘ગણધરવાદ'માં જે વિચાર તર્કશૈલીથી સ્થપાયો છે અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' માં તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર', અને “સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ” માં જે વિચાર રજૂ કર્યો છે; તે છ પદ વિષેના વિચારો શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સહજ ભાવે ગૂંથ્યા છે. તેથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિરૂપાયેલ આત્માનાં છે પદનો વિષય પૂર્વગ્રંથોમાં મળી આવે તે સ્વાભાવિક છે. પૂર્વાચાર્યોના અનેક ગ્રંથોનો આધાર લઈને શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હોવા છતાં આ તેમની મૌલિક કૃતિ છે. વિષયની દૃષ્ટિએ તે મૌલિક નથી, પણ તેનું નિરૂપણ મૌલિક છે. વિષયને પોતે વાંચી, વિચારી, અનુભવીને શ્રીમદે પોતાની સ્વતંત્ર શૈલીમાં આ શાસ્ત્રની રચના કરી છે. તેમણે શાસ્ત્રોમાં વર્ણિત વિષયોને સંકલિત કરી, પોતાની મૌલિક શૈલીમાં જિનાગમના મર્મોને ખોલ્યા છે. શ્રી જિનેશ્વર ભગવાનના આશયને અંતરમાં અવધારી, પોતાની કવિત્વશક્તિથી તેમણે તે ભાવોને શબ્દોમાં ઉતાર્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ તેમણે ગ્રહણ કરેલા વિષયોનું મૌલિક પદ્યાત્મક પ્રતિપાદન છે. શ્રીમની અભિવ્યક્તિ કેટલી વિશદ છે તથા તેમની રચનાશક્તિ કેવી મૌલિક અને ભવ્ય છે તેનો સુંદર પરિચય આ ગ્રંથ કરાવે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમન્ના અનુભવનો રણકાર છે. તેમને જે અનુભવમૌક્તિક લાધ્યું હતું, તેના પરિપાકરૂપે આ રચના થયેલી છે. અનુભવના ક્ષેત્રમાં આગળ વધીને શ્રીમદે અનુભવના અર્કરૂપ આ ગ્રંથની રચના કરી છે. તેમણે પોતાના અનુભવોનો ઉત્તમ નિચોડ આત્માર્થી જીવોને આપ્યો છે. તેમાં એટલું ઊંડાણ છે કે તેના ઉપર સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરવાથી જ તેની મહત્તા સમજાય છે. તેમની અભિવ્યક્તિમાં આત્માનુભવની અનોખી ખુમારી અને નિજાનંદની મસ્તી દષ્ટિગોચર થાય છે. તેમના પ્રત્યેક શબ્દમાં અધ્યાત્મની સુવાસ ભળેલી છે. અભ્યાસ, અવલોકન અને અનુભવ વગર આવી અસાધારણ વાણી વ્યક્ત થઈ શકે નહીં. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે, આત્મસ્વરૂપના ભાન વિના મોહનિદ્રામાં સૂતેલા જીવોને પોતાના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. તેમનાં અનુભવસિદ્ધ વચનો આત્મજાગૃતિ કરાવનારાં છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધારારૂપે વહી રહેલી શ્રીમની વાણીમાં અનુભવનું અમૃત અનુભવાય છે. તેમણે શાસ્ત્રીય વિષયોનો પ્રયોગ કરીને, તેને આત્મસાત્ કરીને, મૌલિક શૈલીમાં આ ગ્રંથની રચના કરી છે. પ્રયોગ દ્વારા શાસ્ત્રોને અનુભવસિદ્ધ કરનાર શ્રીમદ્ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – કાકા સાહેબ કાલેલકરે શ્રીમદ્ રાજચંદ્રને માટે “પ્રયોગવીર' એવો સૂચક અર્થગર્ભ શબ્દ પ્રયોજ્યો છે. તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હતા, પ્રયોગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ યોગદષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય, તો જોઈ લો, “શ્રીમદ્ ! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ જોઈતું હોય તો જોઈ લો શ્રીમદ્દનું જીવનવૃત્ત! અને શ્રીમદ્ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલા પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ “આત્મસિદ્ધિ' આદિમાં આટલું બધું અપૂર્વ દેવત પ્રગટ અનુભવાય છે.” આ અભૂતપૂર્વ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જગતના સર્વ જીવોને અનંત ઉપકારી છે. મોક્ષાભિલાષી જીવોને પથદર્શક રૂપ સાહિત્યના ઉત્તમ સર્જક એવા શ્રીમો આ આધ્યાત્મિક ગ્રંથ સાધનારૂપ વૃક્ષને હંમેશ માટે લીલુંછમ રાખવા અમૃત જળ સમાન છે, અનાદિ કાળના મહામોહનીય કર્મને ભેદવા વજ સમાન છે. શ્રુત અને અનુભવનો સુયોગ સાધી શ્રીમદે સાધકો માટે મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરી નાખ્યાં છે એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. આ ગ્રંથમાં મતાર્થી-આત્માર્થીનાં લક્ષણો, છ પદનાં તર્કપૂર્ણ શંકા-સમાધાન, બોધબીજપ્રાપ્તિકથન, ઉપસંહાર આદિ એટલાં કુશળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યાં છે કે આધ્યાત્મિક ક્ષેત્રના કોઈ પણ રસિકજન માટે એ આકર્ષણનું તત્ત્વ બની રહે છે. આવા અદ્ભુત ગ્રંથનું હવે આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન કરીએ. (૧) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - આત્માનું ઉપનિષદ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - મંથના નામ અનુસાર શ્રીમદે તેમાં આત્મસિદ્ધિ થવા અર્થે જરૂરી એવા આત્મભાવને જાગૃત તથા પુષ્ટ કરવા છ પદની પ્રરૂપણા કરી છે. જીવ જડભાવોથી મુક્ત થઈ, આત્મભાવને પામે તે જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું લક્ષ છે અને તે માટે શ્રીમદે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, એવું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં તેની વર્તમાન અશુદ્ધ અવસ્થા કેવી છે, તેનું કારણ શું છે તથા નિજ શુદ્ધતારૂપ મોક્ષ અને તેની પ્રાપ્તિના ઉપાયની સમજણ આપી છે. જેમ જગતના સ્વરૂપને સમજવા માટે છ દ્રવ્યના સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે, તેમ આત્માના સ્વરૂપને સમજવા માટે છ પદની મીમાંસાને સમજવાની આવશ્યકતા છે; તેથી તેમણે આ ગ્રંથમાં છ પદની દેશના પ્રકાશી છે. જેમ વેદનું રહસ્ય સમાવીને રચાયેલ ‘ઉપનિષદ્' બહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ છે, તેમ આત્માને લગતું સર્વ રહસ્ય સમાવીને રચાયેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્મજ્ઞાનની પ્રાપ્તિની વિદ્યાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ છે; તેથી જો આ ગ્રંથને ‘આત્મોપનિષદ' જેવું ગુણનિષ્પન્ન નામ આપવામાં આવે તો ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૨૮ Page #456 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૨૩ તે પૂર્ણપણે યથાર્થ જ છે. જૈન શાસ્ત્રોને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે - દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્ય સંબંધી વિચારણા સમાવેશ પામે છે. જીવનું સ્વરૂપ કેવું છે, આત્મા અને પરદ્રવ્યનો સંબંધ કેવો છે, તેની એકબીજા ઉપર શું અસર થાય છે વગેરે અનેક પ્રકારની વિચારણા દ્રવ્યાનુયોગમાં કરવામાં આવે છે. ચરણાનુયોગનો વિષય ક્રિયાકાંડ છે. તેમાં છ આવશ્યક, શ્રાવકનાં બાર વત, સાધુનાં પાંચ મહાવ્રત, બાહ્યાભ્યતર બાર પ્રકારનાં તપ આદિની વિચારણા કરવામાં આવે છે. ગણિતાનુયોગમાં જૈન દૃષ્ટિએ પૃથ્વીની રચના, ચૌદ રાજલોકની વ્યવસ્થા, મનુષ્યલોકની રચના, કર્મસિદ્ધાંત વગેરે વિશ્વવ્યવસ્થાનો સમાવેશ થાય છે. ધર્મકથાનુયોગમાં ચરિત્રો, કથાઓ, પ્રબંધો, રાસા આદિનો સમાવેશ થાય છે. આ ચાર અનુયોગમાં જૈન ધર્મના કુલ સાહિત્યનો સમાવેશ થાય છે. આ ચારે અનુયોગ ઉપયોગી છે, પરંતુ દ્રવ્યાનુયોગ સિવાયના અનુયોગ આત્મા સાથે આડકતરી રીતે સંબંધ ધરાવે છે, જ્યારે દ્રવ્યાનુયોગ આત્મા સંબંધી સીધો વિચાર કરનારા આત્મસ્વરૂપ, ભેદવિજ્ઞાન આદિ મહત્ત્વના વિષયોની ચર્ચા કરે છે અને તેથી તે જીવને ખૂબ ઉપયોગી થાય છે. ચરણાનુયોગથી જીવ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ઉદ્યમવંત થાય છે, ગણિતાનુયોગથી બુદ્ધિનો વિકાસ થતાં તત્ત્વનિરૂપણમાં રહેલા સૂક્ષ્મ ભાવો તે પકડી શકે છે તથા ધર્મકથાનુયોગથી થયેલી શ્રદ્ધા દઢ થાય છે. આ સર્વ બાબતો આત્મિક ઉન્નતિમાં આડકતરો ભાગ ભજવે છે, જ્યારે દ્રવ્યાનુયોગ તો આત્માને સીધી રીતે ઉપયોગી થાય છે, કારણ કે તે તત્ત્વોનું ઉદ્ઘાટન કરે છે. દ્રવ્યાનુયોગની આ મહત્તા, ગહનતા, ગંભીરતા, સૂક્ષમતા અને વિશેષતા જૈન શાસ્ત્રકારોને સુવિદિત હોવાથી તેમણે દ્રવ્યાનુયોગને બહુ ઝળકાવ્યો છે. આત્મા સંબંધી જ્ઞાન મેળવવું, તેના અસ્તિત્વ, નિયત્વ, કર્તુત્વ આદિ ધર્મોનો વિચાર કરવો, તેના ગુણોને સમજવા, આત્મા અને પુલનું મૂળ સ્વરૂપ યથાસ્થિત વિચારવું વગેરે અનેક વિષયોની વિચારણા દ્રવ્યાનુયોગમાં રજૂ થઈ છે. આ તત્ત્વજ્ઞાનથી વંચિત રહેલા જીવની શ્રદ્ધાનો પાયો ઊંડો નથી હોતો. શ્રદ્ધાને સ્થિર રાખવામાં દ્રવ્યાનુયોગ ખૂબ ઉપયોગી નીવડે છે, તેથી આત્માર્થી જીવનું કર્તવ્ય છે કે તે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી, તેનાં ગૂઢ રહસ્યો વિચારી તેનું તાત્પર્ય સમજે. દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ મોક્ષપદ છે. તે નિર્ગથ પ્રવચનનું રહસ્ય છે અને શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. આમ, સર્વ પ્રકારનાં શાસ્ત્રોમાં દ્રવ્યાનુયોગ ઉત્તમ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પણ દ્રવ્યાનુયોગપ્રચુર તત્ત્વથી સભર છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે – આત્માને ઓળખવા માટે જે ગ્રંથો લખાયેલા છે તે દ્રવ્યાનુયોગ છે. આત્મસિદ્ધિ, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છ પદનો પત્ર એ વગેરે બધાં દ્રવ્યાનુયોગ છે. મોહથી જે છૂટ્યા છે તે મુમુક્ષુ છે અને તેઓને માટે જ એ દ્રવ્યાનુયોગ છે. ભગવાનની વાણીમાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે." શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં દ્રવ્યાનુયોગનું નિરૂપણ સુંદર, માર્મિક, હાર્દિક પદ્ધતિથી કર્યું છે. તેમણે તેમાં છ પદનું તાદશ સ્વરૂપ દર્શાવી આત્માનું ગૂઢ રહસ્ય ખોલી નાખ્યું છે. આત્મસ્વરૂપ અને આત્મપ્રાપ્તિના માર્ગ સંબંધીના પ્રશ્નોનું તેમણે નિઃશંકતાપ્રેરક સમાધાન આપ્યું છે. આ ગ્રંથ અન્ય દર્શનનાં ખંડન-મંડન માટે રચાયેલ નથી, પરંતુ છ પદના સ્વરૂપને જાણીને, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિત થવા માટે રચાયેલ છે. શ્રીમદ્ તત્ત્વજ્ઞાનને બુદ્ધિવિલાસનો વિષય માનતા ન હતા. તેમણે તો આત્માની ખોજ કરતાં કરતાં જે તથ્યો પોતાને અનુભવમાં આવ્યાં છે, તેનું વિશદતાથી અને સુગમતાથી નિરૂપણ કર્યું છે. તેમની વિચારધારા પ્રવાહી છે અને તેમનું લક્ષ્યબિંદુ સ્પષ્ટ છે. ગમે તે વિષયનું વર્ણન કરતાં પણ તેમનો ઝોક અધ્યાત્મ તરફ જ છે એમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અધ્યાત્મ એટલે આત્મા સંબંધી. અધ્યાત્મનો અર્થ આત્મા સંબંધી વિવેચન કરનાર વિષય પણ થાય છે. અધ્યાત્મનું નિવાસસ્થાન આત્મા છે. ‘નાત્મનમfધન્યત્વધ્યત્મિમ્ અથવા ‘નાત્મની–ધ્યાત્મમ્'. આત્માને લગતા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરનારી શૈલીના આગમશૈલી અને અધ્યાત્મશૈલી એમ બે પ્રકાર છે. તેમાં આગમશૈલીનો વિષય છએ દ્રવ્યો છે, જ્યારે અધ્યાત્મશૈલીનો વિષય માત્ર આત્મા જ છે. આત્મા શું છે? તેનું સ્વરૂપ શું છે? તેનો પૌદ્ગલિક વસ્તુઓ સાથેનો સંબંધ કેવો છે? કેટલા વખત સુધીનો છે? સતુનું સ્વરૂપ ખોટી રીતે સમજાવાનું કારણ શું છે? આમ, આત્માના ગુણ-પર્યાય આદિની વિચારણા એ સર્વ અધ્યાત્મના વિષયો છે. એના સમર્થનમાં અનેક પ્રકારની શિક્ષાઓ, સદ્ગુણ ગ્રહણ કરવાના પ્રસંગો, કર્મમળને દૂર કરવાના ઉપાયો અને હૃદયને વૈરાગ્યવાસિત કરવાનાં અનેક સાધન અધ્યાત્મમાં દર્શાવ્યાં છે. આમ, જે દ્વારા આત્મશુદ્ધિ થાય, નિજસ્વરૂપસ્થિરતા થાય તે અધ્યાત્મ છે. અધ્યાત્મજ્ઞાનની સહાયતાથી આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજાતાં નિજસ્વરૂપમાં તન્મય થવાની રુચિ જાગૃત થાય છે, રુચિ અનુસાર પુરુષાર્થ થાય છે અને પુરુષાર્થના સાતત્યથી શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને જીવ શાશ્વત સુખનો ભોક્તા બને છે. અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના અનુભવરસનું પાન થઈ શકે નહીં, તેથી મુમુક્ષુ જીવે અધ્યાત્મબોધ મેળવવા અર્થે પુરુષાર્થી બનવું જોઈએ અને તે માટે અધ્યાત્મશાસ્ત્રોનું પરિશીલન કરવું અત્યંત આવશ્યક બને છે. આત્મચિંતનસભર અને આત્મગામી પ્રવૃત્તિરૂપ આધ્યાત્મિકતા શ્રીમમાં જન્મસિદ્ધ ૧- ‘બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૫૭ Page #458 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૨૫ હતી. ગૃહસ્થાશ્રમની કે વ્યાપારની પ્રવૃત્તિમાં પણ તેમની આધ્યાત્મિક વૃત્તિ છૂપી રહેતી ન હતી. તેમનાં લખાણો ઉપરથી પણ પહેલી છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં મોક્ષસુબોધ'થી માંડીને અંતિમ સંદેશ' સુધીનાં સર્વ લખાણમાં તેમની આધ્યાત્મિકતા દૃષ્ટિગોચર થાય છે. તેમાં પણ અધ્યાત્મવિષયની તેમની અણમોલ કૃતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તો તેમની વૃત્તિ સહજપણે અધ્યાત્મ પ્રત્યે હતી એ તથ્ય સ્પષ્ટપણે દેખાય છે. શ્રીમદે આ ગ્રંથમાં અભુત આધ્યાત્મિક ગાંભીર્ય ભર્યું છે. તેમણે આધ્યાત્મિક મર્મને તેમાં સચોટ રીતે ગૂંથી લીધો છે. ગ્રંથના સાઘંત અવલોકન ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે તેમનું લક્ષ્ય સંપૂર્ણપણે આત્મપ્રાપ્તિના માર્ગને પ્રકાશિત કરવાનું જ હતું અને તેથી જ ગમે તે વિષયનું વર્ણન કરતી વખતે પણ તેમનો ઝુકાવ અધ્યાત્મ તરફ જ હતો એમ ચોક્કસપણે જોઈ શકાય છે. ગ્રંથનો વિષય દાર્શનિક હોવા છતાં શ્રીમદ્દો આધ્યાત્મિક અભિગમ ધ્યાન ખેંચે છે. તેમણે છ પદનું પ્રતિપાદન ખંડન-મંડન માટે નહીં પણ સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ કર્યું છે. તેમાં આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને અનુલક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે, તેમજ તેમણે તેમાં આત્માનું અનેરું માહાભ્ય પ્રગટ કર્યું છે. તેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ, જડ અને ચેતનનું ભેદજ્ઞાન કરવાની રીત, આત્માની ઉચ્ચ દશા પ્રગટ કરવાનો પંથ, જ્ઞાનીદશાનું સ્વરૂપ વગેરેનું સુરેખ નિરૂપણ કરી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને ગહન આધ્યાત્મિક ભાવવાળું બનાવ્યું છે. તેમણે અધ્યાત્મશૈલીએ પ્રારંભથી પૂર્ણતા સુધીના માર્ગને પ્રરૂપ્યો છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસમાં જેમ જેમ ઊંડા ઊતરીએ તેમ તેમ ચોક્કસપણે લાગે છે કે તેમાં માત્ર અધ્યાત્મ જ ઠાંસી ઠાંસીને ભરેલો છે. તેના કેન્દ્રસ્થાને એકમાત્ર આત્મા જ છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ છે કે તેની ૧૪૨ ગાથાઓમાંથી ગાથા ૧૧, ૧૩, ૪૩, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ૫૩, પ૬, ૫૭, ૫૮, ૧૯, ૬૦, ૬૧, ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૪, ૭૫, ૭૮, ૭૦, ૮૨, ૮૭, ૯૫, ૯૭, ૧૦૧, ૧૨૫, ૧૨૯, ૧૩૨ એમ કુલ ૩૮ ગાથાઓમાં ‘આત્મા’ શબ્દ અથવા તેનો પર્યાયવાચી શબ્દ વાપરવામાં આવ્યો છે.' આ ઉપરાંત ગાથા ૪૧, ૧૨૭ જેવી અનેક ગાથાઓમાં ‘આત્મા’ કે તેના પર્યાયવાચી શબ્દના ઉલ્લેખ વિના પણ આત્મા સંબંધી વિચારણા કરવામાં આવી છે. વળી, કેટલાંક સ્થળે આત્મસ્વરૂપ સમજાવવા માટે આત્માના અનેક ગુણોનો ઉલ્લેખ પણ ૧- આ ઉપરાંત ગાથા ૧૫, ૨૨, ૩૧, ૮૩, ૧૦૯માં પણ ‘જીવ' શબ્દ વાપરવામાં આવ્યો છે, પણ ત્યાં તે વ્યક્તિસુચક' અર્થમાં વાપરવામાં આવ્યો હોવાથી ઉપરની ગણતરીમાં તે ગાથાઓનો સમાવેશ કર્યો નથી. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કરવામાં આવ્યો છે. જેમ કે – આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.” (૧૦૧) એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” (૧૧૬) “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” (૧૧૭) ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. (૧૨) આત્મસ્વરૂપ સમજાવવા માટે “નિત્ય' (ગાથા ૪૩), “કર્તા' (ગાથા ૪૩), “ભોક્તા (ગાથા ૪૩), “દ્રષ્ટા' (ગાથા ૫૧), “અબાધ્ય અનુભવ' (ગાથા પ૧), “પ્રગટરૂપ ચેતનમય' (ગાથા પ૪), “જાણનાર' (ગાથા ૫૫), “દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય” (ગાથા ૬૮), અસંગ છે પરમાર્થથી' (ગાથા ૭૬), “સિદ્ધસમ' (ગાથા ૧૩૫) આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મતત્ત્વની સ્પષ્ટતાપૂર્વક વિચારણા કરવામાં આવી છે. અધ્યાત્મના વિશાળ પ્રદેશમાં વિચરણ કરાવી આ ગ્રંથ મનને પ્રફુલ્લિત કરી દે છે. અધ્યાત્મપ્રેમીઓના હૃદયમાં વસી જાય એવું આ શાસ્ત્ર છે. તે અધ્યાત્મનું એક એવું કલ્પવૃક્ષ છે કે જેની પાસેથી આત્માને લગતું સર્વ રહસ્ય પ્રાપ્ત થાય છે. તેનું પ્રયોજન એ છે કે સર્વ જીવો આત્મસ્વરૂપનો આશ્રય કરે, તેનું ધ્યાન કરે, તેનો જ અનુભવ કરે, તેમાં જ વિતરણ કરી આત્માની સિદ્ધિ કરે. પદે પદે આત્માનો જ મહિમા ગાતો આ ગ્રંથ સર્વ મુમુક્ષુઓને ખૂબ ઉપકારી છે. અર્થગંભીર રહસ્યોને સરળ ભાષામાં વ્યક્ત કરી આ ગ્રંથે આત્માથજનો માટે આત્મરુચિપોષક ભાથું પૂરું પાડ્યું છે. આ ગ્રંથ ઉપનિષદોનું સ્મરણ કરાવે છે. ઉપનિષદોની ભાષાશૈલી તથા ઉદાહરણો યોજવાની કળાનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં દર્શન થાય છે. ઉપનિષદ શબ્દ બે ઘટકોનો બનેલો છે - ઉપ અને નિષદ. ઉપ એટલે સમીપ અને નિષદ એટલે બેસવું, અર્થાત્ નજીકમાં બેસવું એમ ઉપનિષદનો અર્થ થાય છે. ગુરુની પાસે, તેમના ચરણમાં બેસીને શીખી શકાય એવા ઊંચા અને ઊંડા તત્ત્વજ્ઞાનને પણ ઉપનિષદ કહે છે. વેદોનો જ્ઞાનોપદેશ કરતો અંતિમ ભાગ ‘ઉપનિષદ્' સંજ્ઞા પામ્યો છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા આવા પ્રાચીન ઉપનિષદો વિખ્યાત છે. તેમાં આત્મતત્ત્વની ચર્ચા છે. તે ઉપરાંત બીજી જે પણ ચર્ચા છે તે આત્મતત્ત્વની સમજ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી Page #460 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલ્યાંકન ૪૨૭ છે. તેમાં પુરુષ, બહ્મ, ચેતન જેવા આત્મતત્ત્વના બોધક શબ્દોનો ઉપયોગ થયેલો છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ ગુરુશિષ્યસંવાદરૂપે આત્માનાં છ પદનો બોધ છે. આત્મા એ જ તેનો પ્રધાન વિષય છે અને તેમાં થયેલું નિરૂપણ પણ આત્મલક્ષી જ છે, તેથી તેને ઉપનિષદ સંજ્ઞા આપી શકાય છે. વેદસાહિત્યમાં ‘ઉપનિષદ્ નું કેવું સ્થાન છે, તેવું જ પ્રતિષ્ઠિત અને ગૌરવભર્યું સ્થાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું જૈન સાહિત્યમાં તેની અપૂર્વ રસસમૃદ્ધિ અને ગહનતાને કારણે છે. કર્મપારતંત્રમાંથી મુક્ત કરી આત્મસ્વાતંત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને શિવ બનાવનાર, આત્માને પરમાત્મપદ પમાડનાર અધ્યાત્મશાસ્ત્રોના નવનીતરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું સ્થાન અનુપમ છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દાર્શનિક વિચારધારાનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવા છતાં શ્રીમદે સાયંત આત્માને જ મુખ્ય વિષય તરીકે રાખ્યો છે. તેમાં આત્મભાવની વૃદ્ધિ કરવાની જ પ્રેરણા છે. પૂર્વાચાર્યોએ અધ્યાત્મવિષયક ગ્રંથોમાં જે આત્મવિચાર પુષ્ટ કર્યો છે, તે સમગ્ર વિચાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એવા સહજ ભાવે ગૂંથાઈ ગયો છે કે તેમાંથી વાંચનારને પૂર્વાચાર્યોના ગ્રંથોનું પરિશીલન કરવાની એક ચાવી મળી રહે છે. અધ્યાત્મમાર્ગનું ખરું રહસ્ય સમજવા ઇચ્છનારને તે અવશ્ય ઉપયોગી થશે. શ્રીમદે આ રચના માત્ર શાસ્ત્રો વાંચીને નથી કરી, પરંતુ આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી અનુભૂતિ માટે કરેલ મંથન તથા સાધનાના પરિણામે પ્રાપ્ત થયેલ પોતાની અનુભવપ્રતીતિને તેમાં નિરૂપી છે. તેની સંકલના એવી સુસંગત થઈ છે કે તેમાં આત્માર્થ સિવાય કાંઈ આવતું નથી, આત્માર્થ અંગેનું કાંઈ રહી જતું નથી અને આત્માર્થ સિવાય તે બીજે કશે પણ આડું ફંટાતું નથી. તેથી જ ગુરુચરણ સમીપે બેસી, તત્ત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થયેલ ઉપનિષદોની યાદ આપે એવું ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિને પ્રકાશનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ખરેખર આત્માનું અનુપમ ઉપનિષદ - “આત્મોપનિષદ' છે. આ અંગે પંડિત સુખલાલજી લખે આત્મસિદ્ધિ' વાંચતાં અને તેનો અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી. રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય વાણી કે ખેંચી અર્થ ન કાઢવો પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.” ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૧ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, શ્રીમદે તેમની અપૂર્વ રચનાશક્તિ વડે ઊંડી અનુભવયુક્ત વાણીમાં છ પદના શાસ્ત્રોક્ત વિષયને મૌલિક શૈલીએ નિરૂપ્યો છે. અધ્યાત્મશાસ્ત્રનાં અનેક રહસ્યોને તેમણે ખૂબીથી ગૂંથી લીધાં છે. અર્થસભર શબ્દો દ્વારા મનોહર સંકલન કરીને તેમણે થોડી પંક્તિઓમાં ઘણો અર્થ ભર્યો છે. પ્રત્યેક પંક્તિમાં તેમણે ગૂઢ ભાવ ભર્યા છે. આ શાસ્ત્રની કોઈ પણ પંક્તિ ઉપેક્ષા કરી શકાય એવી નથી. તેના ઉપર વિશેષ ને વિશેષ વિચારણા કરવામાં આવે તો તેના પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક ગાથામાં, પ્રત્યેક શબ્દમાં રહેલો ગર્ભિત આશય વધુ ને વધુ પ્રગટ થતો જાય. થોડા શબ્દોમાં ઘણું કહી શકવાની શ્રીમદ્દની શક્તિ અભુત છે, અસાધારણ છે, અતિશયવંત છે. તેમણે કોઈ પણ જગ્યાએ ભવ્યતા અને રસની ક્ષતિ આવવા દીધી નથી. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ ઉત્તરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી જતું નથી એ આ ગ્રંથની એક ખૂબી છે. ગહન તત્ત્વજ્ઞાન જેવા વિષયને લોકભોગ્ય કરવા તેમણે સઘન શૈલીનો ઉપયોગ કર્યો છે. તેમની વાણી સીધી, સાદી, સહજ, સુપ્રસન્ન અને માધુર્યથી સભર છે. ગ્રંથની વિષયરચના ઉત્તમ, ઉપયોગી, હૃદયને અસર કરે તેવી છે અને વાંચીને વિચારનારને તો મહાલાભ કરનારી છે. સરળતા, સ્પષ્ટતા અને અસંદિગ્ધતા તે આ કૃતિના મૂળભૂત ગુણો છે. તેના ઉપરથી શ્રીમદુનો તે વિષય ઉપરનો ઊંડો અભ્યાસ, ભાષા ઉપરનો અદ્ભુત કાબૂ તથા તેમની ગ્રંથકાર તરીકેની સફળતાનો ખ્યાલ આવે છે. અધ્યાત્મનું ગહન સ્વરૂપ સાંગોપાંગ રજૂ કરતી શ્રીમદ્ગી આગવી અને અનૂઠી શૈલી તથા સુરેખ વાણીમાં તેમની અપરંપાર શક્તિનાં દર્શન થાય છે. પોતાનાં અસાધારણ ભાષાબળ અને વિવેકપ્રજ્ઞા વડે તેમણે જે ભાવ દર્શાવ્યો છે, તે હૃદયમાં બેસી જાય છે અને આત્માને જાગૃત કરે છે. આમ, અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક મોક્ષમાર્ગે પુરુષાર્થ આદરનાર અસીમ આત્મપુરુષાર્થી શ્રીમનાં લખાણનો દરેકે દરેક અક્ષર આત્માનુભવરૂપ તીવ્ર સ્વસંવેદનથી, અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો સુપ્રતીત થઈ, સહૃદય શ્રોતાના હૃદયસોંસરો નીકળી જાય એવો વેધક અને માર્મિક છે. અખ્ખલિત ભાવે વહેતી ગાથાઓમાં તેમણે અનુભવના ક્ષેત્ર તરફ વધવા માટે પ્રેરણા કરી છે. આત્મસ્વરૂપને પ્રગટ કરતી મૂળ વાત તેમણે જુદા જુદા સ્વરૂપે એવી રીતે કરી છે કે કશે પણ પુનરાવર્તન થયું હોય એમ જણાતું નથી. તેમના પ્રૌઢ અને આત્મલક્ષી વિચારો હૃદયને સ્પર્શી જાય છે. ગ્રંથનો વિષય અને આશય સાધકને ગંભીર ભાવોથી ભરી દે છે. તેની એક એક ગાથા માનવીના બળતા હૃદયને ઠારનાર શાંત અને શીતળ પાણી સમાન છે, ગોશીષ ચંદન સમાન છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની જે પ્રસાદી શ્રીમદે જગતને આપી છે, તે માત્ર તર્કપટુતા, બુદ્ધિચાતુર્ય કે કવિત્વશક્તિનું પ્રદર્શન નથી, પરંતુ આત્માના અનુભવથી સિદ્ધ થયેલું ઉત્તમ તત્ત્વજ્ઞાન છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે – Page #462 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૨૯ ‘એવી આ નિરૂપમ કૃતિ કર્તા પુરુષની અનુભવવાણી છે. આત્મોપનિષદ્ છે, આગમોનો સુગમ તત્ત્વસાર છે, શાસ્ત્રોનો અજોડ નિચોડ છે. એમાં ષગ્દર્શનનો સાર છે, આધ્યાત્મિક જીવનનું પરમ ઉત્કૃષ્ટ રહસ્ય છે, આત્મધર્મનો અગમ્ય મર્મ છે. મતાગ્રહને તેમાં સ્થાન નથી. સંપ્રદાયની તેમાં ગંધ નથી, વિરોધને અવકાશ નથી. પવિત્ર જિનાગમનો પવિત્ર સાર હોવા છતાં તેમાં માત્ર અમુક જ પારિભાષિક શબ્દપ્રયોગના અપવાદ સિવાય સર્વ ધર્મને માન્ય થાય એવી અદ્ભુત ચમત્કારિક શૈલીથી લખાયેલા આ ગ્રંથની ચમત્કૃતિ પણ અદ્ભુત છે.’૧ (૨) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - ષડ્દર્શનનો સાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અનન્ય ભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદથી છ પદનો અપૂર્વ નિશ્ચય કરાવતાં શ્રીમદે અત્યંત અલ્પ શબ્દોમાં ષડ્દર્શનનું શાબ્દિક ચિત્ર ખડું કર્યું છે અને છ પદમાં દરેક દર્શન કઈ રીતે સમાવિષ્ટ થાય તેનો ઉકેલ પણ આપ્યો છે. અધ્યાત્મના ઊંડા રહસ્યની અનુભૂતિ કરનાર શ્રીમદે જૈન, બૌદ્ધ, સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મીમાંસા ઉત્તરમીમાંસા અને ચાર્વાક એ છ દર્શનોનો સમન્વય સાધ્યો છે. આ ગ્રંથમાં શ્રીમદે આત્માનું સ્વરૂપ સમજાવવા જૈન સિદ્ધાંતની નજરે છ પદની તલસ્પર્શી ગૂંથણી કરી છે. અન્ય દર્શનોના વિચારોના નિદર્શન સાથે જૈન દર્શનની દૃષ્ટિએ છ પદનું સ્વરૂપ તેમણે અતિશય સ્પષ્ટતાપૂર્વક અને સચોટતાપૂર્વક પ્રગટ કર્યું છે. તેમણે ષડ્દર્શન અંતર્ગત આત્મા સંબંધી વિચારણાની આમૂલાગ્ન અને સમન્વયકારી રજૂઆત કરી છે. દર્શનો વચ્ચેના મતભેદમાં ન પડતાં આત્મા તરફ લક્ષ દોરાઈ શુદ્ધાત્મતત્ત્વ યથાર્થ સ્વરૂપે સમજાય તે અર્થે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ દર્શનોનો તાત્ત્વિક સમન્વય સાધ્યો છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે શ્રીમદ્ જેવા અધ્યાત્મયોગી પુરુષે દાર્શનિક ગ્રંથની રચના શા માટે કરી હશે? દર્શન અને અધ્યાત્મનો શો સંબંધ છે? તેનો ઉત્તર એ છે કે જેને શુદ્ધ સ્વરૂપમાં જ સ્થિર થવાનું લક્ષ્ય હોય તે સાધક માટે આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની વર્તમાન અવસ્થા વગેરે વિષયનું જ્ઞાન આવશ્યક છે. આ આત્મતત્ત્વનું જ્ઞાન દર્શનશાસ્ત્રોના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે છે. દર્શનશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન દાર્શનિકો પોતાની અપેક્ષાએ જીવ, જગત અને ઈશ્વરનાં સ્વરૂપને દર્શાવે છે. દર્શનશાસ્ત્રોના અધ્યયનથી સાધકને જીવાદિ સંબંધીનું જ્ઞાન મળે છે. આમ, દર્શનશાસ્ત્રનું જ્ઞાન તેને અધ્યાત્મમાર્ગમાં સહાયક નીવડે છે. આવા દીર્ઘ વિચારપૂર્વક જ અધ્યાત્મનિષ્ઠ પુરુષોએ ૧- શ્રી ભોગીલાલ ગ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', બીજી આવૃત્તિની પ્રસ્તાવના, પૃ.૧૮-૧૯ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દાર્શનિક વિષયયુક્ત ગ્રંથની રચના કરી છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પણ દાર્શનિક વિષયનો અધ્યાત્મ સાથે સમન્વય કરતો ઉત્તમ ગ્રંથ છે. અધ્યાત્મમાર્ગે આગળ વધતા સાધકના ચિત્તમાં આત્મા સંબંધી કોઈ પણ પ્રકારનો સંશય કે શલ્ય હોય ત્યાં સુધી તે એ માર્ગે પ્રગતિ કરી શકતો નથી. ભારતીય દર્શનોની તત્ત્વવિચારણામાં મતભેદ આવે છે. આ મતભેદોમાં ગૂંચવાઈ જવાથી જો શંકા રહી જાય તો જીવ આગળ વધી શકતો નથી. થોડો સંશય પણ જ્ઞાનરૂપી વેલીને કોતરી ખાય છે, જ્ઞાનનો વિકાસ દબાવી દે છે, એટલું જ નહીં પણ જેટલું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને પણ ધીમે ધીમે નષ્ટ કરે છે. થોડો ઘણો સંશય પણ રહી ન જાય તે રીતે જ્ઞાનને દઢ કરવું જોઈએ. જિજ્ઞાસુ જીવ જે વિષયનું જ્ઞાન મેળવવા આકર્ષાયો હોય, તેમાં તેને થતા સંદેહની નિવૃત્તિ થાય તો જ તેને તેમાં વિશ્વાસ બેસે છે, તેથી આત્મસ્વરૂપને યથાર્થપણે જાણવા સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતે દર્શાવેલ સ્થાનકના સ્વરૂપને અવિરુદ્ધ ભાવે, નિઃશંકપણે જાણવું જરૂરી છે. તેની યથાર્થ શ્રદ્ધાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. દરેક દર્શનમાં જુદી જુદી રીતે આ છ પદની વિચારણા કરવામાં આવી છે. છ પદનાં સ્વરૂપને પ્રાચીન કાળથી જુદા જુદા દર્શનકારો ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે. આમ, પદર્શન આ છ પદ ઉપર જ નિર્મિત થયેલાં હોવાથી છ પદનો યથાર્થ બોધ થવા માટે અને પોતાનો માર્ગ નિઃશલ્ય બનાવવા માટે અન્ય દર્શનોના વિચારો જાણવા આવશ્યક બની જાય છે. શ્રીમદ્ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની ૧૨૮મી ગાથામાં પ્રકાશે છે – દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.' (૧૨૮) શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પડ્રદર્શનની માન્યતાઓને દૃષ્ટિ સમક્ષ રાખી, આત્માનાં છ પદની સાચી સમજણ શંકા-સમાધાનરૂપે રજૂ કરી છે. તેમાં શ્રીમદે અન્ય દર્શનોનો મત શિષ્યમુખે શંકારૂપે રજૂ કર્યો છે અને જૈન દર્શનનો મત સદ્ગુરુમુખે સમાધાનરૂપે રજૂ કર્યો છે. છ પદ સંબંધીની ૭૪ ગાથામાંથી ૨૦ ગાથા શંકારૂપે છે અને ૫૪ ગાથા સમાધાનરૂપે રચી છે. શંકાની ૨૦ ગાથાઓમાં તેમણે અન્ય દર્શનની માન્યતા અને સમાધાનની ૫૪ ગાથામાં જૈન દર્શનની માન્યતા આપી, છએ દર્શનની તત્ત્વવિચારણાનું નિરૂપણ કર્યું છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ દર્શનોનો સમાવેશ કઈ રીતે થયો છે તે જોઈએ. પ્રથમ પદ ‘આત્મા છે' ની શંકામાં નાસ્તિક એવા ચાર્વાક દર્શનનો પ્રભાવ દેખાય છે. બીજું પદ ‘આત્મા નિત્ય છે'ની શંકામાં ભૂતચેતનવાદી ચાર્વાક તથા ક્ષણિકવાદી બૌદ્ધ દર્શનનો અભિપ્રાય રજૂ કર્યો છે. ત્રીજું પદ “આત્મા કર્મનો કર્તા છે' ની શંકામાં Page #464 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૩૧ સાંખ્ય અને ન્યાય દર્શનપ્રણીત આત્માના અબંધપણાની દલીલો રજૂ કરી છે. ચોથું પદ ‘આત્મા કર્મનો ભોક્તા છે' ની શંકામાં ન્યાય દર્શનના પ્રભાવથી ઉત્પન્ન થતી આશંકા શિષ્યના મુખે રજૂ કરી છે. પાંચમું પદ “મોક્ષ છે'ની શંકામાં અમોક્ષવાદીની દલીલોમાં પૂર્વ મીમાંસા દર્શનની છાયા દેખાય છે. છઠ્ઠ પદ મોક્ષનો ઉપાય છે' ની શંકામાં મોક્ષના સર્વસમ્મત અવિરુદ્ધ ઉપાય તથા મોક્ષસાધક મત, દર્શન, જાતિ, વેષ અંગે રહેલી ભિન્નતાનો ઉલ્લેખ કર્યો છે. આ છએ શંકાના સમાધાનમાં શ્રીમદે જૈન દર્શનની માન્યતા રજૂ કરી છે. આ પ્રકારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જૈન, બૌદ્ધ, સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મીમાંસા - ઉત્તર મીમાંસા (વેદાંત) અને ચાર્વાક એ છએ દર્શનો સમાઈ જાય છે. શ્રીમદે અન્ય દર્શનોની માન્યતાઓને બહુ સુંદર અને માર્મિક રીતે પૂર્વપક્ષ તરીકે રજૂ કરી છે. પૂર્વપક્ષની રજૂઆત એટલી સચોટ થઈ છે કે કેટલીક વાર તો વાચકને પૂર્વપક્ષની રજૂઆતથી પૂર્વપક્ષી સાચો છે એવી ભાંતિ પણ થઈ જાય છે; પણ જ્યારે તે ઉત્તરપક્ષ - સમાધાનની સચોટ, તર્કપુર:સર દલીલો વાંચે છે ત્યારે પૂર્વપક્ષીની અપૂર્ણતા તથા એકાંતિકતાની તેને પ્રતીતિ થાય છે. સમાધાન કરતી વખતે પણ અન્ય દર્શન માટે નિમ્ન સ્તરના શબ્દપ્રયોગો નથી કર્યા એ શ્રીમની ઉચ્ચ આત્મદશાનું દ્યોતક છે. તેમણે જે રીતે પ્રત્યેક દર્શનની વાતને યથાતથ્ય સ્વરૂપે શબ્દબદ્ધ કરી છે એ શ્રીમન્ની તે વિષયની સજ્જતા તથા મધ્યસ્થતા દર્શાવે છે. કોઈ પણ દર્શનનું નામ મૂક્યા વિના તેમણે જે રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, તે જ દર્શાવે છે કે શ્રીમનો આશય અત્યંત શુદ્ધ હતો. તેમનો લક્ષ ખંડન-મંડનનો ન હતો, પરંતુ તેમનું લક્ષ્યબિંદુ તો છે પદની સમજણ આપી, જડ-ચેતનના ભેદજ્ઞાન વડે સ્વમાં સ્થિત થવાની પ્રેરણા આપવાનું હતું. મિથ્યાદષ્ટિ જીવો દર્શનભેદના કારણે પરસ્પર વિવાદ કરે છે, જ્યારે સમ્યગ્દષ્ટિ જીવોના મનમાં દર્શનભેદ વસતો નથી અને તેથી તેઓ વિવાદ ન કરતાં આત્મશ્રેય માટે જે વસ્તુ યોગ્ય લાગે તે જ વસ્તુ જણાવે છે. શ્રીમદ્ જેવા મહાપુરુષો પ્રાકૃત જનોની જેમ મત-દર્શનનાં ખંડન-મંડનમાં કે વાદવિવાદમાં તણાઈ જતા નથી. શ્રીમની દૃષ્ટિ અને કથનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક અને તત્ત્વગ્રાહી હતી. શ્રીમની આ સુંદર શૈલી વિષે તેમના લઘુભાતા શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે – શ્રીમાન્ આનંદઘનજી મહારાજ, પરમતખંડન અને સ્વમતમંડનની પદ્ધતિથી, એટલા માટે દૂર રહ્યા છે કે, જે મતનું ખંડન કરવામાં આવે છે તે મતના અનુયાયીઓ સત્ય સ્વીકારવાને બદલે ઊલટા વિમુખ થાય છે, તેમ શ્રીમાન રાજચંદ્ર આ “આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ વાદવિવાદનાં સ્થળોએ પણ એવી સૂક્ષ્મ કાળજી રાખી છે કે, કોઈ પણ મતનું એક અક્ષર પણ પ્રત્યક્ષ ખંડન ન કરતાં, જે અભિપ્રાયો પોતે Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રતિપાદન કરવામાં આત્મશ્રેય માન્યું છે, તે અભિપ્રાયો સરળતાપૂર્વક અને વસ્તુરૂપે જણાવવા. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ પોતાના ‘ષગ્દર્શનસમુચ્ચય' નામક ગ્રંથમાં જુદાં જુદાં છ દર્શનોનું સ્વરૂપ બતાવતાં જેમ પ્રત્યેક દર્શનનાં પ્રતિનિધિ (વકીલ) તરીકે નિષ્પક્ષપાતબુદ્ધિ રાખી છે; તેમ શ્રીમાન્ રાજચંદ્રે પણ પ્રત્યેક ધર્મમતનું સ્વરૂપ બતાવતાં તેનાં પ્રતિનિધિ તરીકે કામ લીધું છે. વિશેષમાં તેઓએ વર્તમાન સમયને અનુકૂળ ગણાય એવી એક શૈલી એ રાખી છે કે, કયો અભિપ્રાય કયા ધર્મનો છે એમ અગોપ્યપણે બતાવ્યું નથી; કેમકે ચોક્કસ મતનો ફલાણો મત છે અને તે અયોગ્ય છે એમ બતાવવામાં આવે, તો તે મતના અનુયાયીને ગ્રંથકારને પોતાના અભિપ્રાય પર આગ્રહ છે એમ લાગી આવી, તેનો સ્વીકાર કરવાનું મન થતું નથી; એટલું જ નહીં પણ ગ્રંથકાર પક્ષપાતી લાગે છે. આવું ન થાય તે માટે ગ્રંથકારે અતિશય કાળજી રાખી છે.'૧ અસાધારણ ક્ષયોપશમશક્તિથી સંપન્ન શ્રીમદે તેર વર્ષની વયથી જ ષડ્દર્શન ઉપર પરમ ગંભીર તત્ત્વવિચારણા કરી હતી. કયું દર્શન તત્ત્વના સત્ય પરમાર્થસ્વરૂપને યથાર્થપણે દર્શાવે છે તેમજ આત્મસાક્ષાત્કારરૂપ તત્ત્વદર્શન પમાડવાને કયો ધર્મ પરિપૂર્ણ સમર્થ છે તેની, મતાગ્રહપૂર્વકની દૃષ્ટિથી નહીં પણ સ×હણની દૃષ્ટિથી મધ્યસ્થ પરીક્ષા કરવા, સત્યતત્ત્વની ગવેષણા કરનારા નિષ્પક્ષપાત ન્યાયને અનુસરનારા શ્રીમદે તેરથી સોળ વર્ષની ઉંમર સુધીના ધર્મમંથનકાળમાં ષડ્દર્શનની પર્યાલોચના કરી હતી. અલ્પ સમયમાં તેમણે ષડ્દર્શનનું સ્વરૂપ દર્શાવનારા ઉપલબ્ધ ગ્રંથોનું ઊંડું અવગાહન કરીને ષડ્દર્શનની તુલનાત્મક પરીક્ષા કરી હતી. પરમ પ્રજ્ઞાતિશયસંપન્ન શ્રીમદ્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિના પરીક્ષાપ્રધાની હોવાથી તેમણે ષડ્દર્શનને કસોટીએ ચઢાવ્યાં હતાં, તેનાં તત્ત્વોને ન્યાયના કાંટે તોલ્યાં હતાં. આ તત્ત્વમંથનના ફળરૂપે તેમને જૈન દર્શનનું પૂર્વાપર અવિરુદ્ધપણું, અવિસંવાદીપણું સુપ્રતીત થયું હતું. કોઈ પણ પ્રકારના આગ્રહ વિના અત્યંત પ્રામાણિકતાથી કેવળ શુદ્ધ તત્ત્વગવેષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં જૈન દર્શન જ પરિપૂર્ણ સત્ય છે એવો તેમને નિર્ણય થયો હતો. ષડ્દર્શનની તત્ત્વમીમાંસા જેમ જેમ સૂક્ષ્મતર બનતી ગઈ, તેમ તેમ જૈન દર્શનની પ્રમાણભૂતતા અંગેનો નિશ્ચય ઉત્તરોત્તર દઢ થતો ગયો હતો. શ્રીમદ્દ્ની આ ષડ્દર્શનમીમાંસા અને જૈન દર્શનની ઉત્કૃષ્ટતાનો નિશ્ચય કેવો ઉત્કૃષ્ટ કોટિનો હતો તેની સાક્ષી તેમના હૃદયદર્પણ સમી હાથનોંધો અને તેમના પત્રો પૂરે છે. હાથનોંધ ૧-૩૫માં આત્મા સંબંધી નિત્ય, અનિત્ય, પરિણામી, અપરિણામી, સાક્ષી, સાક્ષીકર્તા એ મુદ્દા અંગે વેદાંત, જૈન, સાંખ્ય, યોગ, નૈયાયિક, બૌદ્ધની શી ૧- શ્રી મનસુખભાઈ ૨વજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ’, પ્રસ્તાવના, પૃ.૨૦ Page #466 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 433 માન્યતા છે તેની કોષ્ટકરૂપ તારવણી કરી છે, જે તેમનો તે દર્શનો અંગેનો તલસ્પર્શી અભ્યાસ દર્શાવે છે. હાથનોંધ ૧-૩૬માં તેમણે બુદ્ધિ અને આત્મા અંગેની ભિન્ન ભિન્ન માન્યતાઓની ટૂંકી નોંધ કરી છે. હાથનોંધ ૧-૬૨માં પોતે વિવિધ પ્રકારના મતમતાંતર સંબંધી વિચાર કર્યો છે. દર્શનો તથા સંપ્રદાયોનું મંથન કરી તત્સંબંધી નોંધ કરી છે. હાથનોંધ 1-1, 1-72, 1-78, ૧-૮૧માં પણ તેમણે જૈન, વેદાંત આદિ દર્શનોની સંક્ષેપમાં મીમાંસા કરી છે. પ્રદર્શનમીમાંસા અંતર્ગત પત્રાંક 500, ૨૯૭માં તેમણે વેદાંત અને જૈન દર્શનની તુલનાત્મક વિચારણા પણ પ્રકાશી છે. પત્રાંક 711, 758 આદિમાં પણ શ્રીમદે પદર્શનની આત્મા-ઈશ્વર આદિ અંગેની માન્યતાનું તલસ્પર્શી પૃથક્કરણ કર્યું છે, તેમજ ગાંધીજી આદિ ઉપરના પત્રોમાં તથા શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા સાથેના સત્સંગપ્રસંગોમાં સ્થળે સ્થળે ‘પદર્શનસમુચ્ચય' આદિ દાર્શનિક ગ્રંથોનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. આ સર્વ દર્શાવે છે કે શ્રીમદે પદર્શનની ઊંડી મીમાંસા કરી હતી. તેમનાં લખાણોમાં જૈન દર્શનની સર્વોપરીતા બતાવતા ઉલ્લેખો પણ સ્થળે સ્થળે દશ્યમાન થાય છે. જૈન દર્શનની પ્રમાણતા તેમને કેવી આત્મપ્રતીત થયેલી તેનો સ્પષ્ટ નિર્દેશ “મોક્ષમાળા'ના પાઠોમાં મળે છે. પત્રાંક ૩૨૨માં તેમણે જૈન દર્શનની યથાર્થતા બતાવી છે. હાથનોંધ ૧-૬૧માં તેમણે જિનેશ્વર ભગવાનનાં વચનને શા માટે પોતે સર્વથી અધિક પ્રમાણભૂત માને છે તેની મીમાંસા કરતાં પોતાને થયેલું પ્રમાણસિદ્ધપણું નિખાલસતાથી ઉદ્યોપ્યું છે. હાથનોંધ ર-૨૧માં પણ તેમણે જિનેશ્વર ભગવાન દ્વારા નિરૂપિત પદાર્થવ્યવસ્થા યથાર્થ છે એમ પ્રકાણ્યું છે. તેમણે ખેડાના વેદાંતી પુજાભાઈ સોમેશ્વર ભટ્ટને આત્માનાં અસ્તિત્વ, અનેકતા આદિ બાબત અનુભવસિદ્ધ ઉત્તરો આપી વેદાંતાદિનું અપ્રમાણપણું દર્શાવ્યું છે. તેવા જ પૂર્ણ આત્મનિશ્ચયાત્મક ઉત્તરો તેમણે ‘ઉપદેશછાયા' (આંક-૯૫૭/૬)માં આપ્યા છે. અન્ય એક ઉપદેશપ્રસંગમાં તેમણે જૈન દર્શનની ઉત્તમતા અને અન્ય દર્શનનાં તુલનાત્મક યથાસ્થિત સ્થાન અંગે છે વૈદ્યોનું માર્મિક દૃષ્ટાંત આપી, તેનો અનુપમ ઉપનય ઘટાવ્યો છે. અક્ષરે અક્ષરે પરમ સત્યનો રણકાર કરતાં શ્રીમનાં વચનો સ્વયંસિદ્ધ કરે છે કે શ્રીમદ્ જિનવચનોનાં મૂલ્યાંકનમાં પણ પરમ પ્રમાણભૂત ચોકસાઈ દાખવે છે. ખ્યાલ આવે છે. તેમણે જૈન દર્શન તેમજ અન્ય દર્શનોને બરાબર તપાસ્યા પછી જ જૈન દર્શનની પ્રમાણતાનો સ્વીકાર કર્યો હતો. મધ્યસ્થ દષ્ટિએ કરેલ અભ્યાસના અંતે તેમને માત્ર શ્રી જિને કહેલું આત્મસ્વરૂપ જ પૂર્ણપણે અવિરોધી ભાસ્યું હતું. જૈન દર્શનમાં પરસ્પર વિરોધી જેવાં લાગે છે તે કારણોના યોગ્ય સમાધાન પછી જ તેમને જૈન દર્શનની પૂર્ણ પ્રતીતિ થઈ હતી. જૈનના વિશેષ પરિચયના કારણથી અથવા અન્ય દર્શનોનું સ્વરૂપ નહીં અવલોક્યું હોવાથી શ્રીમદે જૈન ધર્મના તત્ત્વાર્થની પ્રતીતિ કરી Page #467 -------------------------------------------------------------------------- ________________ 434 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હતી એવું કિંચિત્માત્ર પણ નથી. આમ, આ પ્રદર્શનનું ઊંડું તત્ત્વમંથન કરતાં શ્રીમ નિઃસંશય આત્મનિશ્ચય થયો હતો અને તેની વજલેપ છાપ તેમના જીવન ઉપર પડી હતી, એટલું જ નહીં પણ તેના ફળરૂપે તેમણે પ્રદર્શનના નિચોડરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે શ્રીમદ્દ જૈન દર્શનની પ્રમાણિતાનો નિશ્ચય વજલેપ જેવો દઢ હતો, છતાં તેમને જૈન દર્શનનો કિંચિત્માત્ર પણ પક્ષપાત કે આગ્રહ ન હતો. ઊલટું તેઓ અત્યંત નિરાગ્રહી હતા. તેમને કોઈ મતના અભિનિવેશરૂપ ખેંચતાણ ન હતી, પરંતુ તેમણે સત્ય વસ્તુનો મુક્ત કંઠે, મુક્ત હૃદયે સ્વીકાર કર્યો હતો. તેમને સર્વ દર્શન પ્રત્યે સમદષ્ટિ હતી, કોઈ પણ દર્શન પ્રત્યે સહેજ પણ રાગબુદ્ધિ કે દ્વેષબુદ્ધિ ન હતી. પદર્શનમીમાંસાના અભ્યાસ વખતે પણ તેમનું વલણ નિષ્પક્ષપાત હતું. શ્રીમદ્ના એક રોમમાં પણ અન્ય દર્શનો પ્રત્યે સહેજ પણ ન્યૂન ભાવ રાખવાની તેમજ જૈન દર્શન પ્રત્યે વિશેષ ભાવ રાખવાની ઇચ્છા ન હતી. તેમના વિચારોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ સમજાય છે કે તેમને કોઈ દર્શનનું કિંચિત્માત્ર પણ મમત્વ ન હતું. તેમનું લખાણ જોતાં કોઈ એમ નહીં કહી શકે કે તેમણે જૈન દર્શનના મમત્વના કારણે જૈન ધર્મના સિદ્ધાંતોને સત્યરૂપે સ્વીકાર્યા હતા. તેમણે પદર્શનનાં તત્ત્વનો ઊહાપોહ મતદષ્ટિથી નહીં પણ કેવળ સત્રષ્ટિથી જ કર્યો હતો. મતભેદાતીત શ્રીમને મતનો આગ્રહ ન હતો, માત્ર સત્ શું છે એ જ શોધવાની દૃષ્ટિ હતી. તેમના આત્મામાં તો સર્વ પ્રદેશે સર્વત્ર નિરાગ્રહ દૃષ્ટિ જ હતી. તેમણે ઠેકાણે ઠેકાણે મત-દર્શનનું મમત્વ મૂકવાની જ વાત કરી છે. જેમ છે તેમ વસ્તુતત્ત્વનું યથાર્થપણે સંશોધન કરી આત્માનું કલ્યાણ જ કરવું, આત્માર્થ જ સાધવો, આત્મત્વ જ પામવું એ જ એક દષ્ટિ શ્રીમના જીવનમાં સર્વત્ર વ્યાપક હતી અને તે આત્મત્વ પામવા માટે જે દર્શનની શિક્ષા પ્રમાણભૂત હોય, તેનો મુક્ત કંઠે સ્વીકાર કરવો એ જ તેમનો મુખ્ય ઉપદેશ હતો. આમ, સર્વથા નિરાહીપણે સત્યગાહી મધ્યસ્થ દૃષ્ટિથી શ્રીમદ્ ષડ્રદર્શનની તુલનાત્મક મીમાંસા દ્વારા જૈન દર્શનની પરમ પ્રમાણતા સિદ્ધ થઈ હતી. ઉદાર દષ્ટિવાળા નિષ્પક્ષપાત પુરુષોને સર્વ દર્શનોની પરીક્ષા કરતાં સર્વ દર્શનો જૈન દર્શનના અંગરૂપ ભાસે છે. જૈન દર્શન એટલું વિશાળ અને વ્યાપક છે કે તેમાં અન્ય સર્વ દર્શનોનો સમાવેશ થઈ જાય છે. જૈન દર્શનમાં અન્ય દર્શનોની પ્રત્યેક દૃષ્ટિનો સમાવેશ થાય છે. જૈન દાર્શનિકોએ પોતાના અનેકાંતવાદી દૃષ્ટિકોણનું પ્રતિપાદન સ્યાદ્વાદશૈલીથી કર્યું છે. સ્યાદ્વાદશૈલીમાં તેઓ નયનો પ્રયોગ કરે છે, જે વસ્તુના એક એક અંશને વિષય બનાવે છે. તેમાંથી માત્ર કોઈ એક નયનો આગ્રહ સેવવાના કારણે ભિન્ન ભિન્ન દર્શનો Page #468 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 435 ઊભા થયાં છે. જેમ કે સાંખ્ય અને વેદાંત દર્શન આત્માને એકાંત અબંધ માને છે, બૌદ્ધ દર્શન આત્માને એકાંત ક્ષણિક માને છે. જૈન દર્શનમાં દરેક વસ્તુને જુદા જુદા દષ્ટિકોણથી તપાસવામાં આવે છે. તેમાં જુદા જુદા નય દ્વારા આત્માનાં જુદાં જુદાં રૂપો ગ્રહણ કરીને આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવે છે. અન્ય દર્શનો એક એક નયનાં મંતવ્યો રહે છે, જ્યારે જૈન દર્શન સર્વ નયનું સાપેક્ષપણે ગ્રહણ કરે છે. અન્ય દર્શન અંશગાહી છે, જૈન દર્શન સર્વાશાહી છે. સર્વ દર્શનોને પોતાના વિશાળ અંગમાં સમાવી લે એવી જૈન દર્શનની અદ્ભુત ઉદારતા, વિશાળતા, સમર્થતા અને ચમત્કૃતિ છે. જેમ વડલાની છાયામાં બધા બેસી શકે તે રીતે જૈન દર્શનમાં અન્ય સર્વ મત સમાઈ જાય છે. અનેકાંતદર્શીપણાના કારણે જૈન દર્શનનું સર્વદર્શનવ્યાપકપણું છે, અર્થાત્ યથાયોગ્ય ન વિભાગ પ્રમાણે અન્ય દર્શન કોઈ એક નયની અપેક્ષાએ સાચાં છે એમ જૈન દર્શન સમાધાન કરે છે. અન્ય દર્શનો એકદેશીય હોવાથી સર્વદેશીય જૈન દર્શનમાં પૂર્ણપણે વ્યાપી શકતા નથી; તેથી અન્ય દર્શન પૂર્ણ સત્ય નથી, પરંતુ અમુક અંશે સાચાં છે એમ સમજી તેની સ્થાપના કરવા યોગ્ય છે. કોઈ પણ દર્શનની અવગણના કરવા યોગ્ય નથી. શ્રી જિનેશ્વર ભગવાને સાપેક્ષવાદની અમૂલ્ય ભેટ આપી છે, તેથી મહાપુરુષો વિરોધી લાગતી વાતો માટે વિવાદ કરી સંઘર્ષ ઊભો કરતા નથી. મહાપુરુષો વાદવિવાદમાં ન ઊતરતાં ભિન્ન ભિન્ન નય દ્વારા દરેક પદાર્થના સત્યાંશને ગ્રહણ કરે છે અને તે રીતે વિવાદનો અંત લાવે છે. મહાપુરુષોને નાની - અપેક્ષાવિશેષની મર્યાદાનું યથાર્થ ભાન હોય છે અને તેઓ યથાયોગ્ય નયવિભાગ કરી જાણે છે, તેથી તેઓ નિર્પક્ષ થઈ, સર્વ દર્શનોના દૃષ્ટિબિંદુને યથાર્થપણે ગ્રહે છે. આમ, જૈન દર્શન સર્વ નયથી પરિપૂર્ણ છે. તે સર્વ દર્શનોમાં ગૌરવભર્યું સ્થાન ભોગવે છે. એક જૈન દર્શનમાં સર્વ દર્શનો સમાઈ જાય છે, તેથી તે જૈન દર્શન દરેક રીતે આરાધવા યોગ્ય છે. પરમ ઉપાદેય જૈન દર્શનમાં છ પદનું એવું અપરિહાર્ય મહત્ત્વપૂર્ણ સ્થાન છે કે એની સમજણ વિના જૈન દર્શનનું હાર્દ સમજી શકાતું નથી. આ છ પદના મહત્ત્વપૂર્ણ વિષયને ષડ્રદર્શનના પરિપ્રેક્ષમાં સમજાવવાનો શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સફળ પ્રયાસ કર્યો છે. આ પર્ષદ સાથે પ્રદર્શનનું અનુસંધાન દર્શાવતાં શ્રીમદ્ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૪૪મી ગાથામાં લખે છે - ‘ષસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.' (44) આ પ્રકારે શ્રીમદે ષડ્રદર્શન સાથે અતિ નિકટનો સંબંધ ધરાવતાં છ પદનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિરૂપણ કર્યું છે. તેમણે પદર્શન અંગે કેટલું સૂક્ષ્મતમ ચિંતન કર્યું હતું અને પ્રદર્શનના તાત્પર્યરૂપ તત્ત્વરહસ્ય ઉપર તેમનું કેવું અદ્ભુત સ્વામિત્વ Page #469 -------------------------------------------------------------------------- ________________ 436 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હતું તે તેમાં છતું થાય છે. તેમણે દર્શનના ભાવો પ્રગટ કરી, અંતે સર્વનો સમન્વય પણ કર્યો છે. તેમના હૃદયમાં જૈન દર્શનનાં તત્ત્વો સમ્યકપણે પરિણમ્યાં હતાં. દ્રવ્યાનુયોગમાં તેઓ ઊંડા ઊતર્યા હતા, તેથી અન્ય દર્શનોએ માનેલા આત્મતત્ત્વમાં કેવી રીતે વિરોધ આવે છે તેનો સ્પષ્ટ ચિતાર તેમણે આપ્યો છે. અનેક નયની અપેક્ષાએ આત્મતત્ત્વને જાણીને જ આવો ઉત્તમ ચિતાર આપી શકાય તેમ છે. વળી, તેમનું અર્થગાંભીર્ય પણ પ્રસંગે પ્રસંગે પ્રગટ થાય છે. જેમ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ માત્ર 32 શ્લોકપ્રમાણ અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા' માં, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ માત્ર 87 શ્લોકપ્રમાણ ‘પદર્શનસમુચ્ચય'માં, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “સમ્યકત્વ જસ્થાન ચઉપઇ' માં માત્ર 124 કડીમાં પદર્શનનું પ્રકાશ્ય છે. તેમ શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં માત્ર 74 ગાથા(૪૫ થી ૧૧૮)માં ગુરુશિષ્યસંવાદરૂપે છએ દર્શનોનો સાર આપ્યો છે અને સ્યાદ્વાદશૈલીથી જૈન દર્શનની ઉત્તમતા પણ બતાવી છે. આ ગ્રંથ ઉપરથી અનુભવજ્ઞાનને શબ્દબદ્ધ કરનાર શ્રીમદ્ભા અપાર જ્ઞાનસામર્થ્યનો ખ્યાલ આવે છે. તેમણે ગ્રંથરૂપ ગાગરમાં જ્ઞાનરૂપ સાગર સમાવી દીધો છે. તત્ત્વદર્શનયુક્ત છ પદને કાવ્યાત્મક શૈલીએ રજૂ કરી, વાચકના પ્રબળ પ્રેરણારૂપ છે. તેના માધ્યમથી સર્વિચારણાનાં અનેક દ્વાર ઉદ્ઘાટિત થાય છે અને અંતરમાં રહેલા સંશયોનું સમાધાન થાય છે. છ પદના સ્વરૂપનું પ્રકાશ કરવાના પ્રયોજનવાળા કૂટ પ્રશ્નોના શ્રીમદે જે યુક્તિપૂર્વક ઉત્તરો આપ્યા છે તે વાંચી, વિચારી, તે અનુસાર છ પદમાં શ્રદ્ધા કરવા યોગ્ય છે. આમ, પૂર્વાચાર્યોના વારસાને પ્રાપ્ત કરીને શ્રીમદે આત્માનાં છ પદ વિષે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે. અન્ય દર્શનના નિરસનપૂર્વક જૈન દર્શનની દૃષ્ટિએ છ પદને પ્રદર્શિત કરી, પૂર્વાચાર્યોની પરંપરામાં એક મહત્ત્વની કડીને ઉમેરી છે. પદર્શનના મહાન જ્ઞાતા શ્રીમદે ષડ્રદર્શનના રહસ્યથી ભરપૂર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી, તત્ત્વરસિક જીવો ઉપર અત્યંત મહાન ઉપકાર કર્યો છે. (3) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - આ અવનિનું અમૃત વિશ્વકલ્યાણકર વીતરાગ શાસનનું રખોપું કરવાના પવિત્ર આશયથી શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં વિભિન્ન એકાંત મતો દ્વારા કરાતી ધર્મની મિથ્યા પ્રરૂપણાનું નિરસન કરી, શાશ્વત સત્યોનું પ્રકાશન કર્યું છે. તેમણે સમાજમાં ચાલી રહેલી ધર્મની અંધાધૂંધી તથા આડંબરો ઉપર દઢ પ્રહાર કરી, અજ્ઞાનને વશ થયેલા અને એકાંત મતથી ગ્રસ્ત થયેલા જીવોનું નિરૂપણ કરી, લોકોમાં આત્મજાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 437 સાહિત્ય ઉપર સર્જકના તત્કાલીન સમાજનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. દરેક લેખકની કૃતિ ઉપર પોતપોતાના યુગની અસર થાય છે, જે તે તે યુગના ઇતિહાસ ઉપરથી ફલિત થાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જોતાં શ્રીમદ્ જે કાળમાં પૃથ્વીપટ ઉપર વિચરતા હતા, તે સમય કેવો દુષમ હતો તેનું દર્શન થાય છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર તત્કાલીન ધર્મસમાજની અસર દેખાય છે. તેમાં તત્કાલીન ધર્મસ્થિતિના પ્રત્યાઘાત પડેલા જણાય છે. તત્કાલીન પરિસ્થિતિના કારણે વીતરાગ શાસન સામે જાગેલા પડકારોથી તેમના હૃદયમાં ઊપજેલ વેદનાને તેમણે આ ગ્રંથમાં વહેવડાવી છે. તેમણે તત્કાલીન પરિસ્થિતિની વાસ્તવિક અને અભિનવ રજૂઆત કરી છે. મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ અવિસંવાદી ભાવે જાણ્યા વિના જે જીવો મતિકલ્પનાએ મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા છે અને સાધના થઈ રહ્યાના ભ્રમમાં રાચી રહ્યા છે, તેમજ મિથ્યા આગ્રહપૂર્વક ઉન્માર્ગે પ્રવર્તન કરી રહ્યા છે તેવા મિથ્યામતિઓની ભૂલ શ્રીમદે દર્શાવી છે કે જેથી તેમને સાચા માર્ગનું ભાન થાય. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે લોકો ધર્મના નામે કેવી ભૂલો કરે છે તેનું સચોટ ચિત્ર ઉપસાવી, તેની નિરર્થકતા દર્શાવી છે. વર્તમાન વિષમ કાળમાં કોઈ વિરલ જીવને જ વીતરાગધર્મ પરિણમે છે. આ કાળમાં પરમાર્થરૂપી દુકાળ પડ્યો છે, અર્થાત્ પરમાર્થ પામવો દુર્લભ છે. વસ્તુસ્વરૂપને યથાર્થ સમજ્યા વિના લોકો લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ ધર્મક્રિયાઓ કર્યા કરે છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ મતમતાંતરના કારણે ઢંકાઈ ગયું હોવાથી તેમજ ક્રિયાકાંડ તથા વહેમી માન્યતાઓમાં સીમિત થઈ ગયું હોવાથી તે વલણ ઉન્નતિમાં બાધક બને છે. | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે સત્પરુષના સમાગમની ઉપાસના વિના સ્વચ્છેદે નિર્ણય કરીને કરવામાં આવેલી ધર્મક્રિયા અથવા આત્મસ્વરૂપને જેણે વેડ્યું નથી એવા પુરુષના અભિપ્રાયે કરવામાં આવેલી ધર્મક્રિયા પરમાર્થે હેતુભૂત થતી નથી. ધર્મનું આંતર રહસ્ય સમજ્યા વિના સંપ્રદાયની પરંપરાથી અથવા કુળધર્મ અનુસાર ધર્મક્રિયા અંગીકાર કરી, ધાર્મિક છીએ' એવું અભિમાન ધરવાથી આત્માર્થને હાનિ પહોંચે છે. ‘રૂઢિથી ચાલ્યો આવતો ધર્મ નિભાવવો જોઈએ' એવા ખ્યાલથી તેનો નિર્વાહ કરનારા લોકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. વડવાઓએ માન્યું છે', વડીલો કહેતા આવ્યા છે' - એવાં કારણોને લઈને અમુક માન્યતાઓ ધારણ કરવી, અમુક રિવાજો પાળવા એ સાચી ધાર્મિકતા નથી. આત્મલક્ષ વિના થયેલ ધાર્મિક ક્રિયાઓનું કોઈ મૂલ્ય નથી. આવા આત્મલક્ષવિહોણા જીવોને શ્રીમદે મતાર્થી કહ્યા છે અને તેના ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની એવા બે પ્રકાર બતાવ્યા છે. પ્રથમ શ્રીમદે બાહ્યાચારમાં અટકી રહેલા ક્રિયાજડ જીવોનું વર્ણન કર્યું છે. ક્રિયાજડ Page #471 -------------------------------------------------------------------------- ________________ 438 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જીવો આત્મનિરીક્ષણ વિના ભાવવિહીનપણે ક્રિયાઓ કરે છે અને ક્રિયા કરતી વખતે પણ તેમનું મન ભટકતું હોય છે. તેઓ માને છે કે નક્કી કરેલી બાહ્ય ક્રિયાઓને આચરવાથી આપમેળે આત્મશુદ્ધિ અને મોક્ષ થશે; અને તેવી શ્રદ્ધા રાખી, તે ક્રિયાઓમાં જ પોતાની સર્વ શક્તિને જોડે છે. બાહ્ય ત્યાગ કર્યો એટલે ધર્મ થયો એવું તેઓ દેઢપણે માને છે અને જ્ઞાનમાર્ગને નિષ્ફળ માને છે. તેઓ પ્રયોજન સમજ્યા વિના બાહ્ય ભાવે બાહ્ય ક્રિયાઓને સેવે છે અને તેથી આદરેલી ક્રિયાઓનું સાચું ફળ પામતા નથી. આમ, તેઓ સત્ય ધર્મને ભૂલી જઈ, બાહ્ય ક્રિયાઓમાં ધર્મ માની અટકી જાય છે. તેઓ ગૌણને પકડી રાખી મૂળ વસ્તુ વીસરી જાય છે, એટલે કે ક્રિયાનો આગ્રહ સેવે છે અને આત્મલક્ષને વીસરી જાય છે, તેથી તેમની ક્રિયા પ્રાણવિહીન થઈ જાય છે. અંતભેદ ન થવાના કારણે તેઓ કોરા ને કોરા રહી જાય છે. આવા જીવોનું વર્ણન આ ગ્રંથની ચોથી ગાથામાં પ્રાપ્ત થાય છે - બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ.” (4) બીજી બાજુ, ધર્મક્ષેત્રે દેખાતા શુષ્કજ્ઞાનીઓ પણ શ્રીમને માન્ય નથી. શુષ્કજ્ઞાનીઓ શાસ્ત્રવચનોના મનફાવતા કલ્પિત અર્થ કરી ક્રિયાઓને ઉત્થાપે છે અને શાસ્ત્રાર્થથી વિરુદ્ધ વર્તન કરી અનેક દોષોનું ભાજન થાય છે. તેમને શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણમે છે. ‘મેં શાસ્ત્ર વાંચ્યાં છે, તેથી હું અધ્યાત્મ સમજી ગયો, મને જ્ઞાન થઈ ગયું' એમ તેઓ માને છે. તેઓ અધ્યાત્મગ્રંથોનાં વાક્યો મુખપાઠ કરી, પોતાની વાણીથી શ્રોતાઓને મુગ્ધ કરે છે. તેઓ સ્વયં બોધ ગ્રહણ કરવાને બદલે અન્યને ઉપદેશ આપે છે. શ્રીમદે તો આવા શુષ્કજ્ઞાનીઓના સંગથી પણ બચતા રહેવાની ચેતવણી આપી છે. તેઓ “આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે' એવું જોરશોરથી બોલ્યા કરે છે, પરંતુ તેમની વિષય-કષાયની પરિણતિ ક્ષીણ થઈ હોતી નથી. તેઓ સત્ક્રિયાઓની, સનિમિત્તોની ઉપેક્ષા કરી અશુભ ભાવમાં રાચે છે. આવા શુષ્કજ્ઞાની જીવોનું વર્ણન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથાઓમાં સાંપડે છે - બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.” (5) અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય.' (29) આમ, શ્રીમદ્દના સમયમાં લોકો કાં એકાંત ક્રિયામાર્ગ તરફ ઢળી રહ્યા હતા અને કાં એકાંત જ્ઞાનમાર્ગ તરફ ઢળી રહ્યા હતા. વર્તમાન યુગમાં જ્ઞાન-ક્રિયાનો સમન્વય Page #472 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન 439 સાચવી ન શકાવાથી ધર્મસમાજ છિન્નભિન્ન થઈ ગયો છે. આવા વિસંવાદ અને મતભેદની પરિસ્થિતિયુક્ત ધર્મસમાજ ઉપર શ્રીમદે પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદ્ ઇચ્છતા હતા કે સમાજ ધર્મના સ્વરૂપને સમજે અને સત્યને પામી સ્વશુદ્ધિ કરે, તેથી બન્ને પ્રકારના જીવોને શ્રીમદે ધર્મદેશના દ્વારા સાચા આરાધક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધર્મસમાજનું દર્શન કરાવનારાં અન્ય પાસાં પણ આવરી લીધાં છે. જેમણે આત્મધર્મ જાણ્યો નથી, આત્મપ્રાપ્તિ કરી નથી અને માત્ર વેષ ધારણ કર્યો છે તેઓ અથવા અજ્ઞાની કુળગુરુઓ માર્ગદર્શક બની શકતા નથી એ વાત તરફ શ્રીમદે આ ગ્રંથમાં અંગુલિનિર્દેશ કર્યો છે. તેમણે સાચા સંતોની પરખ કરવા પ્રત્યે ધ્યાન દોર્યું છે. વર્તમાનમાં ધર્મના આરાધકો પોતાના ગુરુ આત્મજ્ઞાની છે કે નહીં તે જાણવાની તસ્દી લેતા નથી. જ્યાં બાહ્ય વેષથી સતુ-અસતુની ઓળખાણ કરવાના આગ્રહયુક્ત જીવો બહુધા વર્તે છે, ત્યાં આંતર પરીક્ષાનો અવકાશ મુદ્દલ પણ રહેતો નથી. બાહ્ય લક્ષણો અને લિંગાદિ સામગ્રી જ આવા જીવોનો માપદંડ હોય છે. તેઓ જાણતા નથી કે સમકિત વિનાના ગુરુ પાસેથી સમકિતની પ્રાપ્તિ થશે એમ માનવું મિથ્યા છે. જેમણે પોતાના સ્વરૂપની નિષ્પત્તિ કરી નથી, તેઓ માર્ગ દર્શાવવાને યોગ્ય નથી. આવા જીવોને બાહ્ય વેષાદિની સામગ્રી વડે માર્ગ દર્શાવવાપણું પ્રાપ્ત થાય તો તેઓ જ્ઞાનીઓના આશયને ન્યાય આપવામાં અસમર્થ નીવડે છે અને તેથી જ્ઞાનીઓના આશયનું પ્રતિબોધિત્વ તેમના અનુયાયી જીવને પણ ઉપલબ્ધ થતું નથી. જેમણે આત્મસ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું છે - વેડ્યું છે, તે જ પુરુષ મોક્ષમાર્ગ દર્શાવવાને યોગ્ય છે, આત્મસ્વરૂપ સમજાવવાને યોગ્ય છે અને તેવા પુરુષથી જીવને સાચી પ્રતીતિ આવે છે. તેવા સત્પરુષના નિમિત્તે જીવનું કલ્યાણ થવા યોગ્ય છે. જેમણે સ્વરૂપને વેડ્યું નથી અને વેષાદિ સામગ્રીના બળથી ઉપદેશકત્વ પ્રાપ્ત થયું છે એવા પુરુષોનો ઉપદેશ જીવને પરમાર્થસન્મુખ કરી શકતો નથી. જેણે સ્વયં આત્મસિદ્ધિ કરી નથી તે અન્યને કેવી રીતે આત્મસિદ્ધિ કરાવી શકે? તેથી મુમુક્ષુ જીવ તો સદ્ગુરુની યથાર્થ ઓળખાણ કરી, જેમનામાં આત્મજ્ઞાન પ્રગટ્યું છે એવા સગુરુની શુદ્ધ સેવા-ભક્તિ મન-વચન-કાયાથી આદરે છે; પરંતુ જેનામાં મુમુક્ષુતા જાગી નથી એવા જીવો સદ્ગુરુપણાનો બાહ્યલિંગમાત્રમાં આરોપ કરીને આંતર ગુણોનો અલક્ષ કરે છે, જે તેમની બુદ્ધિની બાલિશતા સૂચવે છે. કુળપરંપરાના વ્યામોહથી માનેલો માર્ગ સેવી, ‘અમે મોક્ષમાર્ગના પથિક છીએ' એવા મિથ્યાભિમાનમાં તેઓ રાચે છે, પરંતુ તેથી કંઈ તેમને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. તેઓ ધર્મદઢતાના બહાને મતાગ્રહ પોષનારા આગ્રહી ગુરુઓની કપટજાળમાં ફસાઈ કુમાર્ગે ચાલે છે. પરમાર્થપુણ્યના યોગે કોઈ સત્પરુષ મળી જાય તોપણ માન-પૂજા અર્થે કે પોતાના મતાગ્રહ અર્થે તેઓ અસદ્દગુરુને ત્યાગતા નથી. આ તથ્યને વાચા આપતાં શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે - Page #473 -------------------------------------------------------------------------- ________________ 440 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. (24) પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દેટ કરે, નિજ માનાર્થે મુખ્ય.' (26) પોતાને આત્મજ્ઞાન ન હોવા છતાં અસગુરુઓ પોતાને સુગુરુ માની-મનાવી, લોકોને પોતાની માયાજાળમાં ફસાવી, તેઓ દ્વારા પોતાની વંદના આદિ કરાવે છે તથા આત્મજ્ઞાનીઓની આશાતના કરવા-કરાવવામાં ઉદ્યમશીલ રહે છે. તેઓ ધર્મના નામે મિથ્યાત્વનો ફેલાવો કરી રહ્યા છે. મિથ્યાત્વના મદમાં ચૂર થઈ તેઓ ‘અમે કહીએ છીએ તે જ સાચું અને બીજા બધાનું તદ્દન ખોટું' એવું લોકોના મગજમાં ઠસાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ માન-પૂજા આદિની ઇચ્છાથી જીવોને અવળે રસ્તે ચઢાવી દે છે. તેઓ સ્વયંને જ્ઞાની કહેવડાવે છે, પરંતુ તેમનામાં શબ્દોચ્ચાર પૂરતું જ જ્ઞાન હોય છે, આત્માનું લક્ષ પણ હોતું નથી. તેમને જ્ઞાનદશા ઊપજી નથી, છતાં તેઓ મુખેથી જ્ઞાનના અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ કરે છે. પોતામાં ત્યાગ-વૈરાગ્ય સમ્યકપણે પરિણમાવ્યા વિના તેની મોટી મોટી વાતો કરે છે અને અનુચિત આચરણ કરી આત્માર્થ ચૂકે છે. પોતે દુર્જન હોવા છતાં સજ્જનતાનો આડંબર કરે છે, અહંકારનો પાર ન હોવા છતાં નમતાનો ડોળ કરે છે, હૃદયમાં ઝેર હોવા છતાં જીભ ઉપર અમૃત દાખવે છે. આમ, ધર્મના નામે દંભ સેવનારાઓ બાહ્યથી તત્ત્વની વાતો તો કરે છે, પરંતુ તેઓ તત્ત્વને જીવનમાં સાકાર કરવાનો આત્મપુરુષાર્થ કરતા નથી. તેઓ પોતાના અહંના પોષણ અર્થે અનુયાયીઓની સંખ્યા વધારવામાં પડ્યા રહે છે અને આત્મકલ્યાણથી વંચિત રહે છે. આવા લોકોને શ્રીમદ્ સ્પષ્ટ શબ્દોમાં કહે છે - “અસદગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.” (21) મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” (137) શ્રીમદે લોકોત્તર એવા જિનદેવનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી ધર્મપ્રવૃત્તિ કરનારા જીવોને પણ તેમની ભૂલ બતાવી છે. મોટા ભાગના જીવો શ્રી તીર્થંકર ભગવાનનો મહિમા ગાય છે ત્યારે માત્ર તેમના શરીરનું તથા સમવસરણાદિરૂપ સિદ્ધિઓનું વર્ણન જ કરતા હોય છે. તેઓ ભાગ્યે જ સમજતા હોય છે કે તેવી બાહ્ય સામગ્રી તો માયાના પ્રયોગથી, દેવાદિની સહાય વડે પણ ઉપજાવી શકાય છે. આ શ્રી તીર્થકર ભગવાનની સાચી ઓળખાણ નથી. સાચી ઓળખાણ તો એ છે કે તેમણે ઘાતી Page #474 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 441 કર્મોનો નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપને પૂર્ણપણે પ્રકાશ્ય છે અને આત્માના અનંત આનંદને તેઓ નિરંતર ભોગવી રહ્યા છે. જે જીવ વીતરાગપ્રભુના અલૌકિક ગુણોનું બહુમાન કરે, તેમના પ્રત્યે ભક્તિભાવ રાખે, તે જીવ જ પ્રભુના હાર્દને ઉકેલવા અને સમજવા શક્તિમાન થાય છે. વીતરાગ જેવા થવાનો પ્રયત્ન કરનાર જ વીતરાગનો મર્મ સમજી શકે છે, વીતરાગતાનું રહસ્ય લક્ષગત કરી શકે છે. જિનેશ્વર ભગવાનના અંતરસ્વરૂપનો લક્ષ્ય કરી શકનાર જીવોને જ પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય છે. શ્રી જિન પ્રભુના દેહાદિ પ્રત્યેનો, તેમની બાહ્ય વિભૂતિઓ પ્રત્યેનો અને ઉત્તમોત્તમ પુણ્યોદયવશાત્ તેમને પ્રાપ્ત થતી અનેક રિદ્ધિઓ પ્રત્યેનો રાગ લોકોત્તર કલ્યાણને સાધી શકતો નથી, કારણ કે તેવા રાગમાં જીવનું લક્ષ ભગવાનના આત્મિક ગુણો કે તેમનાં અસાધારણ લક્ષણો તરફ નથી દોરાતું, માત્ર સમવસરણાદિ સિદ્ધિઓ તરફ જ હોય છે. પ્રભુના આત્મગુણના બહુમાનને બદલે તેમની બાહ્ય સિદ્ધિઓનું બહુમાન કરે છે. આમ, જિનેશ્વરના આંતર ગુણને નીરખવા તરફ તેમની દૃષ્ટિ વળતી જ નથી. શ્રીમદે આ વાતનો ઉલ્લેખ કરતાં ૨૫મી ગાથામાં લખ્યું છે - જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ' (25) બાહ્ય વેષ-વ્યવહારમાં જ ધર્મનો આરોપ કરનારા તત્કાલીન સમાજના લોકોનો ઉલ્લેખ પણ શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્યો છે. તેઓ તત્ત્વવૃક્ષનું આત્મધર્મરૂપ મૂળ પકડવાને બદલે બાહ્ય સાધન - વ્યવહારનાં ડાંખળાં-પાંદડાં પકડીને તેનો કદાગ્રહ કરે છે, તેથી તેમના હાથમાં પરમાર્થમાર્ગ આવતો નથી. તેઓ દોરા-તુંબડા જેવા નિર્માલ્ય, તત્ત્વશૂન્ય મતભેદોની ભ્રાંતિમાં અથડાયા કરે છે. લોકો બાહ્ય વેષાદિ ઉપર અસાધારણ ભાર મૂકી તેમાં જ સર્વસ્વનું આરોપણ કરી બેઠા છે. આ કારણે લોકો યથાર્થ આચાર-વિચારના ક્ષેત્રથી દૂર રહે છે અને તેથી જ સાંપ્રત ધર્મસમાજનું અહિત સધાયું છે. મતાંતરના આવા તુચ્છ ક્લેશોએ સમાજના વિચારવીર્યનો અને આચારબળનો ક્ષય કર્યો છે. શ્રીમદ્ ૨૭મી ગાથાના ઉત્તરાર્ધમાં લખે છે કે - માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન.' (27) મતમતાંતરના કારણે ખેંચતાણ થવાથી જુદા જુદા સાધુઓને માનનારા અને જુદી જુદી ક્રિયાઓ કરનારા વચ્ચે ગચ્છભેદ પડી ગયા છે. કશે પણ એકમનવાળા કે એકમતવાળા જોવા મળતા નથી. જુદા જુદા ગચ્છો વચ્ચે કિન્નાખોરી ફેલાયેલી જોવા મળે છે. લોકો મતભેદના ઓઠા નીચે ગચ્છભેદના ફાંટા પાડી, મિથ્યા ઝગડામાં પડે છે અને સંઘર્ષો વધારી, આત્મશુદ્ધિ કરવાને બદલે આત્માને વધુ અશુદ્ધ કરે છે. શુદ્ર તત્ત્વશૂન્ય મતભેદોના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદના નામે ચાલતા આવા સાંકડા ચીલા Page #475 -------------------------------------------------------------------------- ________________ 442 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રી જિનેશ્વર ભગવાનના પરમ ઉદાર સુવિશાળ તત્ત્વમાર્ગથી લાખો ગાઉ દૂર છે. અસગુરુઓ ધર્મને નામે માયાચાર અને આડંબર કરી, ખોટો ઉપદેશ આપી પોતાના અનુયાયીઓને છેતરે છે. પોતાનું થોડું વર્ચસ્વ જામતાં તેઓ નવો સંપ્રદાય ઊભો કરે છે અને પોતાના કદાગ્રહને કારણે વાદવિવાદ ઊભા કરે છે. તેમાંથી અનેક વિખવાદ જન્મ છે, કારણ કે લોકો આત્માના શુદ્ધ ધર્મને જાણતા નથી અને ગચ્છવિસ્તારને જ ધર્મ માને છે; અર્થાત્ ગચ્છપ્રચાર-પ્રસારનું કાર્ય કર્યા કરે છે, સ્વમનસ્થાપન માટે પ્રયાસો ર્યા કરે છે અને બીજા ગચ્છની નિંદા કરે છે. તેઓ ગચ્છની ભાંજગડમાં એટલા બધા ફસાઈ જાય છે કે તેમને સત્ય તત્ત્વ લાધતું નથી. અન્ય સંપ્રદાયનું સ્વરૂપ સમજ્યા વગર, તેમાં રહેલાં સત્ય કે સત્યાંશોનું અસ્તિત્વ જાણ્યા-વિચાર્યા વગર તે સંપ્રદાયની તથા તેના અનુયાયીઓની નિંદા કરે છે. તેઓ અન્ય સંપ્રદાયની વાતો સાંભળવા પણ તૈયાર થતા નથી. તેમની દૃષ્ટિ એવી સંકુચિત થઈ જાય છે કે અન્ય જગ્યાએ પણ સારું અને સાચું હોઈ શકે એમ તેમને લાગતું જ નથી. તેમનામાં પરમતસહિષ્ણુતાનો અભાવ જોવા મળે છે. વિપરીત માન્યતાને કારણે તેઓ નિષ્પક્ષપાતતા રાખી શકતા નથી અને દુરાગ્રહી બની જાય છે. શ્રીમદ્ સંપ્રદાયોમાં રહેલી આવી પક્ષાપક્ષીના વિરોધી હતા. તેઓ ઇચ્છતા હતા કે લોકો ગચ્છ-મતભેદને તજે અને સત્ય વસ્તુ ઉપર લક્ષ આપે. આવી અંધાધૂંધીભરી સ્થિતિમાંથી ધર્મસમાજ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા માટે શ્રીમદે સત્ય ધર્મ સમજવાની અને તેના ઊંડાણમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરી છે. જુદા જુદા પંથોને પરસ્પર ખેંચાખેંચ છોડવાની સલાહ આપતાં શ્રીમદ્ ૧૩૩મી ગાથામાં લખે છે - “ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર;' (133) શ્રીમદે ધર્મસમાજની આવી વિષમ પરિસ્થિતિનું દર્શન કરાવ્યું છે. તેમણે ભવસ્થિતિ આદિનું નામ લઈ પુરુષાર્થને ઉત્થાપનારા લોકોનું વર્ણન પણ કર્યું છે. માન માટે વ્રત-તપાદિ કરનારાઓનું તથા જીવાજીવના ભેદ-ભાંગાવાળા શાસ્ત્રમાં જ શ્રુતજ્ઞાન માનનારાઓનું પણ તેમણે નિરૂપણ કર્યું છે. યથાર્થ પ્રરૂપણા કરવી એ કાળમાં ઘણું વિષમ હતું. સદ્ધર્મ જાણનાર વ્યક્તિને સહાયક થવાની અભિલાષા હોવા છતાં તે સાધકોને સહાય ન કરી શકે એવી એ સમયની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં પણ શ્રીમદ્ બાહ્ય સંયોગોની પરવા કર્યા વગર સ્વ-પરના ઉદ્ધારના કાર્યમાં જ પ્રવૃત્ત રહેતા હતા. અંધશ્રદ્ધા, મતમતાંતર, કદાહ વગેરે પોતાને સ્પર્શે નહીં તે રીતે તેઓ વીતરાગતા તરફ જ લક્ષ રાખી મોક્ષમાર્ગે આગળ વધી રહ્યા હતા. તેઓ તો સાંપ્રદાયિક મર્યાદાઓ ઓળંગીને નિજાનંદની મસ્તીમાં રમણતા કરી રહ્યા હતા. તેમની સાધના સાક્ષી પૂરે છે કે તેઓ કોઈ સંપ્રદાયના રહ્યા Page #476 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 443 ન હતા. તેમણે કોઈ પણ આડંબરને ધર્મ માન્યો ન હતો. તેમને ધર્મસમાજ પ્રત્યે અથાગ કરુણા અને વાત્સલ્ય નિર્ઝરતા હતા. તેમને જ્યારે જુદા જુદા પંથ તથા ગચ્છની શિથિલતા નજરે પડતી ત્યારે તેમના દિલમાં અપાર વેદના થતી હતી. તત્કાલીન પરિસ્થિતિએ તેમનું હૃદય હચમચાવી મૂક્યું હતું અને તેથી તેમની અંતરવેદનાએ સહજતાથી શાબ્દિક રૂપ ધારણ કર્યું હતું. આ ગ્રંથમાં તેમણે વીતરાગ શાસનથી વિપરીત વર્તી રહેલ આચાર-વિચારોની પ્રણાલીનું દર્શન દુઃખપૂર્વક કરેલ છે. તત્કાલીન સ્થિતિ સંબંધી પોતાની વ્યથા વ્યક્ત કરતાં શ્રીમદ્ ત્રીજી ગાથામાં લખે છે - કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.” (3) આમ, શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધર્મના નામે સેવાતી ભ્રમણાના પડદાને ચીરીને સમાજને વાસ્તવિકતાનાં દર્શન કરાવ્યાં છે. તેમણે આત્મજાગૃતિ અર્થે પરમાર્થના પંથનો નિર્દેશ કર્યો છે. ધર્મના નામે ચાલતી વર્તમાન અંધાધૂંધીને તેમણે લોકો સમક્ષ ખુલ્લી કરી છે. ધર્મના નામે ચાલતા વિખવાદને ડામવા તેમણે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આલેખ્યું છે. સદ્ગુરુ સાધનામાર્ગ બતાવે છે, પણ અજ્ઞ જીવો પરંપરાની ઘરેડને છોડતા નથી, તેથી ભવપરંપરાથી મુક્ત થતા નથી તે તેમણે સમજાવ્યું છે. તેમણે દેવ, ગુરુ, વેષ, શાસ્ત્ર, ગચ્છ, ક્રિયા આદિ અનેક વિષયોને સ્પશ્ય છે અને મતાર્થી જીવો ઉપર અતિ તીક્ષ્ણ કટાક્ષ કર્યા છે કે જેથી તેવા જીવો સન્માર્ગ સન્મુખ થાય. આ શાસ્ત્રની મદદથી તત્કાલીન ધર્મસમાજના જીવનની આછી રૂપરેખા જરૂર ઉપસાવી શકાય છે. જેમ જેમ વધારે બારીકાઈથી વિચાર કરીને તે વાંચવામાં આવે છે, તેમ તેમ તે દ્વારા તે વખતના ધર્મસમાજનું બંધારણ સારી રીતે સમજી શકાય છે. શ્રીમદે આમ તો પોતાના જમાનાનું વાસ્તવિક ચિત્ર વર્ણવ્યું છે, પણ વસ્તુતઃ આવી વિષમ સ્થિતિ ધર્મ અને ઉપાસનાના ક્ષેત્રે અનાદિ કાળથી ચાલી આવે છે. આવી પરિસ્થિતિ ફક્ત શ્રીમના સમયની જ ન હતી. શ્રીમદ્ પહેલાં પણ એવું ચિત્ર હતું અને કમભાગ્યે તે હજુ પણ વિલીન થયું નથી. ધર્મભાવના પ્રત્યે શ્રીમદ્રની અસાધારણ જાગરૂકતા જોતાં તેમનાં લખાણોમાં સમાજના ધાર્મિક અંશોનું આવું પ્રતિબિંબ પડવું સ્વાભાવિક છે. તેમનું નિરીક્ષણ કેટલું માર્મિક છે તેની પ્રતીતિ અલ્પ પંક્તિઓમાં જ તેમણે કરાવેલ ધર્મસમાજનાં દર્શનથી થાય છે. તેમનું કથન ધર્મચિકિત્સક તરીકેના તેમના સૂક્ષ્મ અવલોકનનો પરિચય કરાવ્યા વિના રહેતું નથી. તેમના સાહિત્ય ઉપરથી જોઈ શકાય છે કે તેમણે જીવનનાં અનેક પાસાંઓ કસીને મૂલવ્યાં છે, જે તેમની પરીક્ષણશક્તિની સચોટતા સુપ્રતીતિ કરાવે છે. સ્વમતિકલ્પનાએ પ્રવર્તન કરી રહેલા તત્કાલીન ધર્મસમાજ સામે તેમણે પૂરી તટસ્થતાથી લાલબત્તી ધરી છે, ઠેકાણે ઠેકાણે Page #477 -------------------------------------------------------------------------- ________________ 444 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભૂલ થવાનાં સ્થાનો બતાવી જીવોને ચેતવ્યા છે. તેમણે જે જે વિષયો લીધા છે, તે તે સંબંધમાં કોઈ પણ જાતના ક્ષોભ કે ભય વગર, હિંમતથી અને સત્યતાથી કથન કર્યું છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે - આત્મસિદ્ધિ ચમત્કારી વસ્તુ છે. બધાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. મોટા મોટા આચાર્ય ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે.’ આ યુગમાં જ્યાં અધ્યાત્મજ્ઞાન તરફ બેદરકારી દાખવવામાં આવે છે, જ્યાં અસગુરુઓનાં અજ્ઞાન સંમોહમૂલક વચનોમાં રાગી બની, બાહ્ય ક્રિયાઓમાં કે શુષ્કજ્ઞાનમાં ધર્મબુદ્ધિ ધારણ કરી તત્ત્વમૂઢ આત્માઓ માર્ગભષ્ટ થાય છે; ત્યાં જિનાગમનાં તત્ત્વને ગ્રંથિત કરીને, સુદેવ-સુગુરુ-સુધર્મનાં અવિસંવાદી સ્વરૂપની ઓળખાણ માટે સન્માર્ગદર્શક એવા સુયોગ્ય ગ્રંથોની ખાસ જરૂર છે. આવા સમયમાં જાગૃતિ લાવનાર ગ્રંથ ખૂબ લાભ કરાવી શકે છે. સમાજમાં જીવનોપયોગી, પ્રેરક, ઉદ્બોધક સાહિત્યની આવશ્યકતા સવિશેષ છે. તેવા ગ્રંથો જીવને અનેક પ્રકારે સન્માર્ગ સમજાવી સત્ય ઉપદેશ આપે છે. શ્રીમનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આવું જ સમાજોપકારક અને શાસનોન્નતિનું કાર્ય કરી એક મોટી ખોટ પૂરી પાડનાર સાધન નીવડ્યું છે. શ્રીમદે તે દ્વારા વર્તમાન વિશ્વ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે એ નિર્વિવાદ છે. શ્રીમદ્ ક્રાંતિકારી યુગપ્રધાન પુરુષ હતા, વિશ્વની મહાન વિભૂતિ હતા. મનુષ્યસમાજ આત્મધર્મને ભૂલી બીજી વસ્તુઓમાં ધર્મની કલ્પના-માન્યતા કરવા લાગ્યો હતો અને તેને સત્ય માર્ગદર્શકની આવશ્યકતા હતી ત્યારે અભુત પ્રભાવશાળી શ્રીમદે લોકોમાં નવ-જાગરણ પ્રગટાવી આ ગ્રંથ દ્વારા આ યુગને એક અલૌકિક દૃષ્ટિ પ્રદાન કરી છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી શ્રીમનું એક ઉત્તમ, પ્રેરણાદાયક, રચનાત્મક કાર્ય છે. વીતરાગ શાસનના હાર્દને સમજાવતા અનેક વિષયો ઉપર તેણે વેધક પ્રકાશ પાથર્યો છે, જેની પ્રસિદ્ધિ ધાર્મિક અંધાધૂંધીમાં સપડાયેલા આજના યુગમાં અતિ આવશ્યક છે. ધર્મસમાજ માટે આ ગ્રંથ દીવાદાંડીની ગરજ સારે છે. શ્રીમદ્જ્ઞા આ પ્રશંસનીય કાર્યથી કહી શકાય કે વીતરાગ શાસનને અક્ષણ રાખવા માટે, તેના ઉદ્ધાર માટે શ્રીમદે જે હૃદયપૂર્વક પરિશ્રમ કર્યો છે તેને ઈતિહાસ ક્યારે પણ નહીં ભૂલી શકે. તેમના અવનિ ઉપરના અવતરણથી સમાજનો અધ્યાત્મમાર્ગ વેગવંતો બન્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધકોના સાધનામાર્ગમાં પ્રેરક અને અનેક ગુણોના આવિર્ભાવનું કારણ થયું છે. તેનું વર્તમાન યુગના ધર્મસમાજમાં અમૂલ્ય માહાભ્ય છે. ખરેખર, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ એ આ અવનિનું અમૃત જ છે. 1- બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૧૧ Page #478 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 445 (4) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અનેકાંત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જિનાગમના મર્મને સમજવા માટે અદ્ભુત ચાવી સમાન છે, વસ્તુસ્વરૂપના યથાર્થ દર્શન માટે સ્વચ્છ દર્પણરૂપ છે, એકાંતવાદીઓની માન્યતાનું નિરસન કરવા માટે એક અમોઘ શસ્ત્ર છે. તેનો બોધ સિદ્ધાંતથી અવિરુદ્ધ છે. શ્રીમદે અધ્યાત્મને પ્રગટ કરવા માટે જૈન દર્શનના અનેકાંત સિદ્ધાંતનો પ્રયોગ કર્યો છે. અનેકાંતશૈલીનો પ્રયોગ જીવને વસ્તુના ઉત્તરોત્તર સૂક્ષ્મ બોધરૂપ પરમાર્થ પ્રત્યે લઈ જવા માટે ઉપકારી બને છે. જૈન દર્શન સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત હોવાથી સર્વાગ સંપૂર્ણ દર્શન છે. વિચારની શુદ્ધિ માટે અનેકાંત જેવા વિશાળ અને ઉદાર સિદ્ધાંતનું પ્રયોજન તે જિનશાસનની બલિહારી છે. અનેકાંતવાદ એ જૈન દર્શનનો મુખ્ય આધાર છે. અનેકાંત એ તત્ત્વનો અવિસંવાદી અસંદિગ્ધ નિશ્ચય કરાવનારી સુંદર યુક્તિ છે. જૈન દર્શનની આ અદ્ભુત, સર્વસમાધાનકારી અનેકાંતદષ્ટિ સાધકને પ્રત્યેક ક્ષેત્રમાં માર્ગદર્શકરૂપ બને છે. અનેકાંતવાદ એક મહાન દષ્ટિબિંદુ પૂરું પાડે છે. વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી નીરખ્યા સિવાય તેનું સમગ્ર સ્વરૂપ સમજાતું નથી. તે સમજવા અનેકાંતવાદ અત્યંત ઉપયોગી છે. અનેક અપેક્ષાએ વસ્તુને જાણવાથી તે વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણી શકાય છે. અનેકાંત વસ્તુને યથાર્થપણે જાણવાની પદ્ધતિ છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, તેથી વસ્તુસ્વરૂપના સંપૂર્ણ બોધ માટે અનેકાંતનું જ્ઞાન આવશ્યક છે. અનંતધર્માત્મક પદાર્થને સમજવા માટે પ્રમાણ અને નયને જાણવાં જરૂરી છે. સમસ્ત જિનાગમ નયની ભાષામાં નિબદ્ધ છે, તેથી આગમના ગહન અભ્યાસ માટે પ્રમાણ-નયના સ્વરૂપને ઊંડાણથી જાણવું આવશ્યક છે. પ્રમાણ સર્વગ્રાહી હોવાથી વસ્તુનું સમગ્ર રૂપથી સર્વદેશીય ગ્રહણ કરે છે, જ્યારે નય પદાર્થમાં સ્થિત અનેક ધર્મોની વિશેષ રૂપથી વિરક્ષા કરે છે. નય વસ્તુબોધનો સાપેક્ષ દૃષ્ટિકોણ છે. પદાર્થના અસ્તિત્વ તેમજ નાસ્તિત્વ આદિ અનેકવિધ ઉભય ધર્મોનો યથાર્થ બોધ તે પ્રમાણજ્ઞાન છે, અર્થાત્ વસ્તુને ભિન્ન ભિન્ન પરસ્પર વિરુદ્ધધર્માત્મક સ્વરૂપે જાણવી તે પ્રમાણજ્ઞાન છે. વસ્તુના કોઈ એક ધર્મને ઉત્તરોત્તર સ્થૂળ-સૂક્ષ્મ ભાવથી અવિરુદ્ધ ભાવે જાણવો તે નયજ્ઞાન છે. જે નય પરસ્પર સાપેક્ષ હોય તે સુનય છે અને જે નય પોતાના જ પક્ષમાં સંલગ્ન હોય તે દુર્નય છે. પ્રત્યેક નય અન્ય દૃષ્ટિના સ્વરૂપને ગૌણ ભાવે સાપેક્ષપણે સ્વીકાર કરી, પોતાના સ્વરૂપને મુખ્યપણે કહે તો તે વિચારનું સમ્યક ભાવે સુનયપણું દર્શાવે છે, અન્યથા સમસ્ત એકાંતભાવી નયવચનો તે માત્ર મિથ્યા પ્રલાપો છે, દુર્નય છે. પ્રત્યેક નય સ્વતંત્ર રીતે પ્રતિપક્ષ સહિત છે, પરંતુ અનેકાંતદૃષ્ટિમાં એવી વિશાળતા છે કે દરેક નયના વિરોધને ઉપશમાવી, તે સર્વ નયને પોતાનામાં સમાવી લે છે. બીજી Page #479 -------------------------------------------------------------------------- ________________ 446 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અપેક્ષાઓનો અપલાપ કરી, આ આમ ‘જ' છે એવા જ કારરૂપ દુર્નયને અનેકાંત દૂર કરે છે અને સર્વ નય પ્રત્યે સમદષ્ટિ ધરી, કોઈ પણ અપેક્ષાનો અપલાપ નહીં કરતાં ‘આ અપેક્ષાએ આ આમ છે' એમ મધ્યસ્થપણે વસ્તુતત્ત્વનું સુનયરૂપે સમ્યક પ્રતિપાદન કરે છે. અનંત નયમાંથી એક પણ નયને ઉત્થાપનાર કે એકાંતે નિષેધનાર જીવ એકાંતવાદી છે, મિથ્યાત્વી છે, કારણ કે તે શ્રી જિનેશ્વર ભગવાનની વાણીને યથાર્થપણે સદ્દહતો નથી. ‘કેવળ મારા જ વિચાર સત્ય છે' એવો વિચાર છોડીને જો તે બીજાના વિચારને યથાયોગ્ય સ્થાન આપે તો વસ્તુના સત્ય સ્વરૂપને પામી શકે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને તેને તેનો અભિનિવેશ બહુધા વિશેષ હોય છે. જ્યારે કોઈ પણ બાબતમાં તે જે વિચાર કરે છે, તે વિચારને તે છેવટનો અને સંપૂર્ણ માનવા પ્રેરાય છે. તે પોતાના આંશિક જ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન માની બેસે છે અને બીજાના વિચારને સમજવાની ધીરજ ખોઈ બેસે છે. તે કારણે એક વસ્તુ પરત્વે સત્ય કિંતુ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણો ઊભી થાય છે અને પરિણામે સમ્યક્ જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. એક નય દ્વારા વસ્તુનું યથાર્થ નિરૂપણ થઈ શકે નહીં, તે છતાં એકાદ નયને ગ્રહણ કરી તેનો આગ્રહ કરતાં વિવાદ ઊભો થાય છે. આ વિવાદ દૂર કરવા અનેકાંતશૈલી ઉપયોગી નીવડે છે. અનેકાંતશૈલી પરસ્પરના વિચારોને સમજવાની અને સ્વીકારવાની કળા શીખવે છે. જે વ્યક્તિ અનેકાંતનાં રહસ્યને જાણે છે, તેના મનમાં કોઈ પણ પ્રકારની મિથ્યા ભાંતિ રહેતી નથી. આ પ્રકારે જીવનશુદ્ધિ માટે વિચારોની વિશાળતા તથા અન્યને પોતામાં સમાવી લેવાની ઉદારતા જોઈએ, જે અનેકાંતવાદ કરી શકે છે. અનેકાંતવાદ જીવને આગ્રહથી મુક્ત કરે છે અને પરિણામને સમભાવમાં સ્થિર થવામાં મદદ કરે છે. તે સાધકને વાસ્તવિકતા સમજાવી સ્વમાં સ્થિત થવામાં સહાયક બને છે. આ અનેકાંતવાદનું સ્વરૂપ જાણવા માટે સાધારણ વાચક જ્યારે ધર્મગ્રંથોનું અવલોકન કરે છે ત્યારે તે એમાં નિરૂપાયેલાં વિવિધ વિવક્ષાનાં કથનમાં મૂંઝાઈ જાય છે. તે અધ્યયનથી કંટાળી, મિથ્યા અભિપ્રાયનું પોષણ કરે છે કે “આ તો વિદ્વાનોની વાત છે, એમાં અમારે ઉલઝાવું નથી.' આમ વિચારી તે તેની ઉપેક્ષા કરે છે. નયસિદ્ધાંતના પરિજ્ઞાનના અભાવે, સમાજમાં પ્રવર્તી રહેલી વ્યવહાર-નિશ્ચય સંબંધી ભાતિઓના પ્રવાહમાં તે ફસાઈ જાય છે. ‘જ્ઞાનથી જ મોક્ષ છે', 'ક્રિયાથી જ કલ્યાણ છે', 'નિશ્ચય જ સાચો છે', વ્યવહાર જ કામનો છે' એમ સૌ પોતપોતાની એકાંત માન્યતા પકડી બેઠા છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનોનું રહસ્ય ન્યાયની સંધિથી સમજ્યા વિના, માત્ર એક પડખાની વાત પકડી આગ્રહ, વિપર્યાલ આદિ અનેક દોષોમાં જીવો ફસાયા છે. પૂર્વાપર સંબંધ અને અનેકાંતથી એ વાતો સમજ્યા વગર તેઓ શાસ્ત્રોમાંથી Page #480 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન 447 પોતાને અનુકૂળ વાક્યો ઉપાડી લે છે, તેથી તેમનું કલ્યાણ થતું નથી. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ ધર્મસમાજમાં વ્યાપ્ત થયેલા એકાંતવાદરૂપ રોગની ઔષધિ છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એકાંતવાદનો નિષેધ કરી, સર્વ નયના આશ્રયરૂપ અનેકાંતની સિદ્ધિ કરી છે. તેમાં સરળ અને સુબોધ ભાષામાં નય સંબંધી થતી મૂંઝવણ દૂર કરવામાં આવી છે અને આત્મહિતરૂપ પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થઈ શકે તેની સુંદર રજૂઆત કરવામાં આવી છે. શ્રીમદે આ મહાન ઐતિહાસિક કૃતિમાં નય સંબંધી સમુચિત સમાધાન પ્રસ્તુત કર્યું છે. એકબીજાનાં વિરોધી પ્રતીત થવાવાળાં વિભિન્ન કથનોમાં સાર્થક સમન્વય સ્થાપિત કર્યો છે. અનાદિની કર્મશૃંખલાને કાપવા માટે શ્રીમદે બહુ સરળ અને રોચક શૈલીમાં અનેકાંતનો સિદ્ધાંત સમજાવ્યો છે. તેમણે આ ગ્રંથમાં અનેકાંતનો મર્મ ખોલ્યો છે તથા એકાંતમતનું નિરાકરણ કર્યું છે, જે જિજ્ઞાસુ જીવો માટે અત્યંત ઉપયોગી છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે છ પદની દેશના અનેકાંતદષ્ટિએ પ્રકાશી છે. તેમણે ‘આત્મા નિત્ય છે', ‘આત્મા અનિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા સ્વભાવનો કર્તા છે' આદિ વિધાનો અનેકાંતશૈલીએ સ્પષ્ટ કર્યા છે. એક નયથી આત્માનું પૂર્ણસ્વરૂપ સિદ્ધ થઈ શકતું નથી. જુદા જુદા નયથી આત્માને જોવાથી તેનું સ્વરૂપ સમજી શકાય છે. તેઓ જણાવે છે - આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;' (68) “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્ત નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.” (78) છ પદનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ કોઈ પણ દર્શનનો વિરોધ કર્યા વિના તેના વિરોધનાં મૂળને શોધી, સર્વને અવિરોધ તરફ લઈ ગયા છે. તેમણે અનેકાંતવાદ દ્વારા દરેક દર્શનનું મૂળ તપાસ્યું છે અને તેનો ઉદારતાપૂર્વક વિચાર કરી સમસ્યાનું સમાધાન કર્યું છે. અન્ય દર્શનો વસ્તુને એકાંતરૂપ માને છે. તે દરેકનો દૃષ્ટિકોણ એક અપેક્ષાએ સત્ય છે, અર્થાત્ પૂર્ણ સત્ય ન હોવા છતાં આંશિક સત્ય છે. બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે. તે વાત પૂર્ણ સત્ય નથી, પરંતુ પર્યાય અપેક્ષાએ સત્ય છે. અન્ય દર્શનકારોની વાત કોઈ નયની અપેક્ષાએ બરાબર છે. જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ માને છે અને તેથી શ્રીમદે એકાંતવાદીઓની એકાંતદષ્ટિયુક્ત માન્યતાઓનું નિરસન કરી, અનેકાંતની પ્રરૂપણા કરી છે. તેમણે અનેક દષ્ટિએ આત્મતત્ત્વનું દર્શન કરાવી, પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનો સુમેળ સાધ્યો છે, જેથી વાસ્તવિકતા સુધી પહોંચી શકાય. અનેકાંતવાદના ઉદાર સર્વગ્રાહી સિદ્ધાંત દ્વારા તેમણે સર્વ દર્શનોના કલહ Page #481 -------------------------------------------------------------------------- ________________ 448 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મિટાવ્યા છે. આ નયવિવક્ષા દ્વારા શ્રીમદ્ દાર્શનિક ક્ષેત્રમાં પરસ્પરના સંઘર્ષનો ઉકેલ લાવ્યા છે અને તેમણે વિભિન્ન દૃષ્ટિકોણોની સહાય વડે છ પદનો નિર્ણય કરવાની પ્રેરણા કરી છે. છ પદ સમગ્રપણે સમજાય તો પછી નિઃસંદેહપણે જીવનું આત્યંતિક કલ્યાણ છે, તેથી છએ પદનો અનેકાંતદષ્ટિએ વિચાર કરવાનું સૂચવતાં શ્રીમદ્ ૧૦૬મી ગાથામાં લખે છે. - ષટપદનાં ષટપ્રશ્ન તેં, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” (106) જ્ઞાન અને ક્રિયાની સંધિ એ જ મોક્ષમાર્ગ છે, આ તથ્યનું પણ નિરૂપણ શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં કર્યું છે. અનેકાંતદષ્ટિયુક્ત જૈન દર્શન જ્ઞાન અને ક્રિયા ઉભયથી મોક્ષ માને છે. માત્ર જ્ઞાનથી અથવા એકલી ક્રિયાથી મોક્ષ મળી શકે નહીં, તેથી જ્ઞાન અને ક્રિયા બન્નેની જરૂર છે. શ્રીમદે અનેકાંતદષ્ટિએ આ તથ્યને પ્રગટ કરી યથાર્થ પ્રરૂપણા કરી છે. કેટલાક અજ્ઞાની જન વ્રત, તપ, ત્યાગ, વૈરાગ્ય કરવા માત્રથી જ મોક્ષ માને છે. આથી ઊલટું, કેટલાક એમ માને છે કે મોક્ષ તો જ્ઞાનથી મળે. યમ, નિયમ, ત્યાગ આદિ દેહની ક્રિયા કરવાની કોઈ જરૂર નથી. તેઓ આત્મા સદાનિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે એવી વાતો કરે છે, પણ પાછા મોહાવેશમાં વર્તે છે. શ્રીમદે અનેકાંતદષ્ટિએ આ વિષયની અત્યંત સ્પષ્ટતા કરી છે. આ બન્ને વર્ગને હિતકારી સંકેત કરતાં શ્રીમદ્ ૭મી ગાથામાં લખે છે - ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.” (7) જીવે નિશ્ચય અને વ્યવહાર એ બન્નેનો આધાર લઈને પરમાર્થપંથે આગળ વધવાનું છે. બન્નેના અવલંબન વિના આત્માનું હિત થતું નથી. એકલા વ્યવહારથી કે એકલા નિશ્ચયથી જીવની પ્રગતિ ગૂંગળાઈ જાય છે. નિશ્ચય વિના વ્યવહાર કાર્યકારી થતો નથી અને વ્યવહાર વિનાની કોરી નિશ્ચયની વાતોથી પણ કલ્યાણ થતું નથી. નિશ્ચય અને વ્યવહાર અને સાથે હોય છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચયદૃષ્ટિ તેમજ વ્યવહારદષ્ટિને સાથે રાખીને વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે વ્યવહાર અને નિશ્ચયની સંધિ હોય તો જ તે સન્માર્ગ છે. નિશ્ચયને નજરમાં રાખીને વ્યવહાર કરવામાં આવે તો જ આત્મકલ્યાણ સાધી શકાય છે. નિશ્ચય-વ્યવહારની સાર્થકતા તથા આવશ્યકતાનું પ્રતિપાદન કરતાં શ્રીમદે ૧૩૧મી ગાથામાં લખ્યું છે - નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' (131) સાધનપથ ઉપર નિશ્ચયનો અને વર્તનમાં વ્યવહારનો સુયોગ્ય સુમેળ દર્શાવી શ્રીમદે Page #482 -------------------------------------------------------------------------- ________________ 448 આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન અનેકાંતમાર્ગને પૂર્ણ ન્યાય આપ્યો છે, નિશ્ચય-વ્યવહારના પ્રયોજનને જિજ્ઞાસુઓના અંતરમાં ઉતારવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમણે વ્યવહાર કરતી વખતે નિશ્ચયનું લક્ષ ન ચુકાય તેની જાગૃતિ આપી છે. વ્યવહાર પણ ધર્મનું સાધન ત્યારે જ બને કે જ્યારે તે નિશ્ચયના લક્ષપૂર્વક હોય. નિશ્ચયને દૃષ્ટિમાં રાખીને જ સાધકે વ્યવહાર આદરવાનો છે. લક્ષ્ય પ્રત્યેની સતત જાગૃતિ સાધકને વિકાસપંથે દોરી જાય છે. આત્માની શુદ્ધતા પ્રગટ કરવા અર્થે નિશ્ચયના લક્ષ સહિત દૈનિક જીવનમાં ‘વ્યવહાર' પણ હોવો ઘટે તે વાતનું અહીં સ્પષ્ટ અને યુક્તિસંગત નિરૂપણ કર્યું છે. શ્રીમનું લક્ષ્ય તો એ જ છે કે આત્માનું જ્ઞાન કેવળ શાબ્દિક ન રહે, પરંતુ આત્માનો અનુભવાત્મક બોધ પ્રાપ્ત થાય. શ્રીમદે નિશ્ચય અને વ્યવહારની રજૂઆત અતિ સંક્ષેપમાં છતાં એવી વિશદ અને રોચક શૈલીમાં કરી છે કે તે શબ્દો વાંચતાં-સાંભળતાં જ અધિકારી જીવના હૃદયમાં વસી જાય છે. આગમોના સારરૂપ આ તત્ત્વ સાધકોને ખૂબ સહાયક બને છે. એકાંતનિશ્ચયપક્ષી અને એકાંતવ્યવહારપક્ષી બન્ને પક્ષોને સાધનામાં નિશ્ચય-વ્યવહારનું સંતુલન રાખવાનું માર્ગદર્શન મળે છે. આમ, નિશ્ચય અને વ્યવહારની યથાસ્થાને અનિવાર્યતા દર્શાવીને શ્રીમદે અનેકાંતના હાર્દને પ્રગટ કર્યું છે. તેમણે સર્વ જીવના કલ્યાણના ઉદાત્ત આશયથી બન્નેની સંધિ ઉદ્ઘાટિત કરી છે. ગ્રંથને સાધંત વાંચ્યા પછી દઢતાપૂર્વક કહી શકાય કે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સર્વત્ર નિશ્ચયનય અને વ્યવહારનયના સમન્વયની સુગંધ ફોરવી છે. તેમણે સ્વયં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કોઈ કથન એકાંતિક નથી એમ સ્પષ્ટ કરતાં ૧૩૨મી ગાથામાં પ્રકાશ્ય છે - નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.” (132) શ્રીમદે અધ્યાત્મવિકાસમાં આવશ્યક એવા ઉપાદાન-નિમિત્તના સિદ્ધાંતને પણ સમજાવ્યો છે. કાર્યની સિદ્ધિ માટે ઉપાદાન અને નિમિત્ત બને કારણની આવશ્યકતા છે. સ્વશુદ્ધિરૂપ કાર્યમાં ઉપાદાનકારણ આત્મા સ્વયં છે, પરંતુ તેની યોગ્યતાનું પ્રગટીકરણ યોગ્ય નિમિત્તથી થાય છે. જે જીવ મારી જાતે સમજીને હું મોક્ષ પામીશ' એવું વિચારીને નિમિત્તોને છોડી દે છે, તે ફક્ત ભ્રમમાં જ રહે છે. ઉપાદાનનો એકાંતે આગ્રહ કરી નિમિત્તને તજનાર જીવની મિથ્યા માન્યતાનો નિષેધ કરી શ્રીમદે મોક્ષપ્રાપ્તિ માટે નિમિત્તની આવશ્યકતા પ્રગટ કરી છે. તેમણે સમજાવ્યું છે કે આત્માને એકાંતે શુદ્ધ માનીને નિમિત્તની ઉપેક્ષા કરવી ન ઘટે. આત્માની ઉપાદાનશક્તિ સદ્ગુરુની આજ્ઞા તથા જિનદશારૂપ પુષ્ટ નિમિત્તના સંયોગે પ્રગટ થાય છે ત્યારે આત્મશુદ્ધિરૂપ કાર્ય સધાય છે. શુભ નિમિત્તના અવલંબને સાધક પોતાના આત્માની સત્તામાં રહેલી અનંત શક્તિઓ પ્રગટ કરે છે. ઉપાદાન-નિમિત્તનો આ અનેકાંત સિદ્ધાંત શ્રીમદે જગજીવો સમક્ષ રજૂ Page #483 -------------------------------------------------------------------------- ________________ 450 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કરી સાધનાના સમ્યક્ સ્વરૂપનું નિદર્શન કર્યું છે. માત્ર બે પંક્તિમાં ઉપાદાન અને નિમિત્તનો પરસ્પર સંબંધ રજૂ કરતાં શ્રીમદ્ ૧૩૫મી ગાથામાં લખે છે - સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” (135) આ અનેકાંતદષ્ટિનું રહસ્ય જીવ કેટલે અંશે પામી શક્યો છે તે જાણવાની પારાશીશી પણ શ્રીમદે આ ગ્રંથમાં આપી છે. અનેકાંતશૈલીનો સમ્યક્ ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેની સમજણ શ્રીમદે માત્ર એક જ ગાથામાં સુંદર રીતે આપી છે. અનેકાંતવાદનો નિચોડ આપતાં શ્રીમદે ૮મી ગાથામાં લખ્યું છે - જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (8) તેમણે જણાવ્યું છે કે આત્માર્થી જીવ અનેકાંતવાદનો યોગ્ય રીતે અમલ કરે છે. આત્માર્થી જીવ જ્યાં જ્યાં, જે જે યોગ્ય છે; ત્યાં ત્યાં, તે તે પ્રકારે સમજે છે. તેનું સાચું મૂલ્યાંકન કરી તે અનુસાર આચરણ કરે છે. આત્મસ્વરૂપ, નિશ્ચય-વ્યવહાર, ઉપાદાનનિમિત્ત આદિ વિષયોની ગંભીરતાથી, નિરાહપણે વિચારણા કરી દેઢ નિર્ણય કરે છે. તે પ્રત્યેક વિષયમાં, પ્રત્યેક સ્થાને અનેકાંતદષ્ટિનો પ્રયોગ કરી, તેને યથાયોગ્યપણે સમજે છે અને યથાર્થ પ્રવર્તન કરે છે. આત્મપ્રાપ્તિ માટે જે વખતે, જેટલા પ્રમાણમાં, જે જરૂરી હોય તે ગ્રહણ કરી મોક્ષમાર્ગે આગળ વધે છે. અનેકાંતવાદનો મર્મ ખુલ્લો કરતી આ ગાથા વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે - લ્યો, એનો અર્થ કરો!' એમ પ્રભુશ્રીજી કહેતા. આખી જિંદગી સુધી કામ આવે એવી આ ગાથા છે. આત્માર્થી હોય તેણે ગમે તે પ્રસંગે શું કરવું અને શું સમજવું એનો ઉકેલ તેને આવે.” આ પ્રકારે આ ઉચ્ચ કોટિના ગ્રંથમાં શ્રીમદે પ્રામાણિકપણે અનેકાંતવાદ સંબંધી ઘણી માર્મિક તથા સૂક્ષ્મ વિચારણા કરી છે. નિશ્ચયનય અને વ્યવહારનયના સમન્વય વડે તેમણે વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને સમજાવ્યું છે. નિશ્ચયનય અને વ્યવહારનયની આવી સમતુલા ભાગ્યે જ જોવા મળે છે. તેમનું દરેક કથનમાં સંપૂર્ણપણે સ્યાદ્વાદદષ્ટિએ નિરૂપાયેલું જણાઈ આવે છે, જે સાધનામાર્ગમાં નયજ્ઞાનની ઉપયોગિતાને સૂચિત કરે છે. શ્રીમદે પોતાનું અનુભવજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન એવું તો નિચોવીને આપી દીધું છે કે જેથી આત્મકલ્યાણ સાધવાની આકાંક્ષાથી માર્ગ શોધતાં મુમુક્ષુજન નિશ્ચય અને વ્યવહારની મૂંઝવણમાં ફસાય નહીં. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અધ્યયન કરતાં વિચક્ષણ 1- બોધામૃત', ભાગ-૧, પૃ.૩૩૫ Page #484 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 451 વાચકના અંતરમાં શ્રીમની વાણી કોઈ પણ નયથી અધૂરી નથી એવી પ્રતીતિ ગુંજારવ કરતી રહે છે. શ્રીમદ્ભી શૈલી વિષે શ્રી રમણલાલ જોશી લખે છે - એમની દષ્ટિની વિશાળતા ને ચોક્કસતા, સર્વગ્રાહી જ નહિ પણ આમૂલાગ્ર અને કેવળ મૌલિક વિચારસરણી, હૃદયની ઉદારતા, સિદ્ધાંતો અને મંતવ્યોની સમગ્ર સમન્વયકારક રજૂઆત - જાણે “સ્યાદ્વાદ' સ્વયં બોલી રહ્યો છે!” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે જુદા જુદા નયની અપેક્ષાએ વિચારણા કરી, અનેકાંતવાદથી તે સર્વનો કેવો સુંદર સુમેળ સાધી શકાય છે તેનું ભાન કરાવ્યું છે. તે બોધ દ્વારા વાચક કોઈ પણ વિચારક્ષેત્રમાં ગૂંચવાતો નથી અને મિથ્યા માન્યતા વડે ઊભા કરેલા વિરોધોને શમાવીને એકવાક્યતા જન્માવે છે. પક્ષપાતની ભૂમિકાથી ઉપર ઊઠી, આત્મહિતની દૃષ્ટિથી મધ્યસ્થ થઈને જે આ ગ્રંથને વાંચશે; તેના સર્વ મતભેદ, આગ્રહ, વિવાદ સમાપ્ત થઈ જશે. શ્રીમદે જિનવાણીનાં રહસ્યો સમજવા માટે અદ્ભુત દૃષ્ટિ પ્રદાન કરી છે, જે તત્ત્વાભ્યાસી જીવો માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. સાધકો માટે આ ગ્રંથ અત્યંત મનનીય છે. તે સાધકોને નિશ્ચય તરફ જાગૃત કરે છે અને તેનો વ્યવહાર શુદ્ધ કરાવે છે. આ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક ગ્રંથનો અભ્યાસ વસ્તુસ્વરૂપને સમજવા માટે યથેષ્ટ રૂપમાં સહાયક થાય છે. આત્માર્થી જીવો તે દ્વારા અનેકાંતદષ્ટિને યથાર્થપણે સમજી, શુદ્ધાત્માનું અવલંબન લઈ, શીધ્ર પોતાનું કલ્યાણ કરી શકે એમ છે. શ્રીમદ્ભા આ અભુત કાર્યનો વાસ્તવિક મહિમા તો એનું ઊંડાણથી અધ્યયન કરવાવાળા આત્માર્થી જ સમજી શકે એમ છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્નો અનેકાંત અભિગમ સૂચિત થાય છે. તેમનું દરેક કથન શાસ્ત્રસમ્મત છે. જિનવાણીને તેમણે પૂર્ણપણે આત્મસાત કરી છે તે પ્રત્યક્ષ નિહાળી શકાય છે. તેમણે અનેકાંતને નજર સમક્ષ રાખીને અનેક મૂંઝવણોનાં રસપ્રદ સમાધાન આપ્યાં છે અને તેથી આ ગ્રંથ નિતાંત આદરણીય, સાદંત પઠનીય અને નિરંતર મનનીય છે. (5) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્મસિદ્ધાંત જૈન દર્શનનો કર્મસિદ્ધાંત એ એની એક આગવી વિશેષતા છે. અન્ય દર્શનોમાં પણ કર્મ અને કર્મફળની વાત છે, પરંતુ જૈન દર્શનનો કર્મવાદ અજોડ અને અદ્ભુત છે. આ મહાન કર્મવાદના ચણતર ઉપર જૈન દર્શનની મજબૂત ઈમારત ઊભી છે. કર્મનો સંબંધ આત્મા સાથે છે, તેથી જ્યાં જ્યાં આત્માની વિચારણા કરવામાં આવે છે ત્યાં ત્યાં કર્મની વિચારણા પણ સહજે થાય છે. જીવની અનેક અવસ્થાઓ તથા અવનવી 1- શ્રી રમણલાલ જોશી, ‘શ્રીમદ્ એક આર્ષદ્રષ્ટા', પૃ.૧૭૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ 452 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચિત્રતાઓનું મૂળ કારણ કર્મ છે, માટે તે વિચિત્રતાઓને સમજવા માટે કર્મના સ્વરૂપને જાણવું આવશ્યક છે. કર્મસિદ્ધાંતના પરિશીલનથી અનેક આત્મહિતકર વિચારણાઓ જાગે છે અને તેથી જૈન દર્શનનું સૂક્ષ્મ રહસ્યમય સ્વરૂપ સમજાય છે. જૈન દર્શન પ્રમાણે કર્મ એટલે મિથ્યાત્વાદિ બંધના કારણને પામીને જે પગલપરમાણુ ક્ષીરનીરવત્ આત્મપ્રદેશની સાથે એકમેક થઈ જાય છે. સંસારના પ્રત્યેક જીવની સાથે કર્મનો સંબંધ અનાદિનો છે. એ કર્મસંબંધ તૂટ્યા સિવાય જીવનો મોક્ષ થતો નથી, તેથી કર્મનાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા તથા તેના ભેદ-પ્રભેદાદિનું જ્ઞાન સમ્યક રીતે મેળવવું જરૂરી છે. આ વિષય અન્ય દર્શનોમાં વિચારાયો છે, પણ તે બહુ ઉપલક છે; જ્યારે જૈન દર્શનમાં તે સુસંબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે નિરૂપાયો છે. કર્મતત્ત્વના વિચારપ્રદેશમાં જૈન દર્શનની બરાબરી કોઈ દર્શન કરી શકે એમ નથી. જૈન સાહિત્યમાં કર્મવિષયક ગ્રંથોનું સ્થાન અતિ ગૌરવભર્યું છે. જૈન શાસ્ત્રોમાં કર્મનું સૂક્ષ્મ અને સાંગોપાંગ સ્વરૂપ તથા તેના ક્ષયના ઉપાયો બતાવવામાં આવ્યાં છે. કર્મના સિદ્ધાંતને સ્કુટ કરતા અનેક ગ્રંથોની રચના થઈ છે. આ ગ્રંથો કર્મના વિષયમાં ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રતિપાદિત કરનાર છે, તેમજ તે ઘણાં સૂક્ષ્મ તથ્યોથી ભરેલા છે, તેથી સામાન્ય મનુષ્યોને તે ગ્રંથો જટિલ અને મુશ્કેલ લાગે છે. વળી, સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ પણ અલ્પ સંખ્યામાં દષ્ટિગોચર થાય છે અને તેથી તે તે ભાષાના અનભ્યાસી જીવો કર્મના વિષયને બરાબર જાણી શકતા નથી. આ અગમ્ય લાગતા વિષયને તેના પ્રકાંડ જ્ઞાતા શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જનસાધારણને ગ્રાહ્ય થાય તે રીતે નિરૂપ્યો છે. કર્મને લગતી ગૂઢ બાબતો પણ એવી સરળતાથી સમજાવી છે કે ભણનાર મંદ બુદ્ધિવાળો હોય તોપણ તે સુગમતાથી સમજી શકે. કઠિન ગણાતી સમજણને તેમણે પોતાની સર્જનપ્રતિભા દ્વારા સુવાચ્ય બનાવી છે. શ્રીમની વિશેષતા એ છે કે કર્મમીમાંસા જેવા અતિ વિસ્તૃત વિષયને તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં, સર્વ જીવ સરળતાથી સમજી શકે એવી સ્પષ્ટ ભાષામાં અને જેનો અભ્યાસ કરવામાં કે યાદ રાખવામાં અભ્યાસીઓને અતિ શ્રમ ન પડે એ રીતે થોડી પરિચયાત્મક ગાથાઓ વડે સંક્ષેપમાં પ્રતિપાદન કરેલ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રાચીન કર્મગ્રંથોના વિષયોનો સમાવેશ જરૂર પૂરતો અને અતિ અલ્પ પ્રમાણમાં છે. તે છતાં આ અલ્પ ગાથાઓમાં શ્રીમદે સુવ્યવસ્થિત રીતે આત્મા અને કર્મને લગતા વિવિધ પ્રશ્નો અને તેના ખુલાસાઓ આપ્યા છે. આત્મા કઈ રીતે કર્મનો કર્તા અને ભોક્તા છે? આત્માને સુખ-દુ:ખનો અનુભવ કેમ થાય છે? કર્મનો સંસર્ગ આત્માને કઈ રીતે થઈ શકે? કર્મનો સંસર્ગ અનાદિ છે કે આદિમાન? અનાદિ હોય તો તેનો ઉચ્છેદ કઈ રીતે થઈ શકે? કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? Page #486 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 453 કર્મના ભેદ-પ્રભેદ ક્યા છે? કર્મ ઉપાર્જન થવાના હેતુઓ કયા ક્યા છે? કર્મબંધની પ્રક્રિયા કેવી છે? આત્મા અને કર્મ વચ્ચે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિની કર્તારૂપે જરૂર છે? આ સર્વ સવાલોના સચોટ યુક્તિયુક્ત ખુલાસા, શ્રી સર્વજ્ઞપ્રભુના કથન અનુસાર શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આપ્યા છે. તેના અધ્યયનથી તત્ત્વ સંબંધીની આંટીઘૂંટીઓ, મૂંઝવણો, શંકાઓ દૂર થાય છે. આ અણમોલ ગ્રંથમાં પીરસાયેલું કર્મસિદ્ધાંતનું જ્ઞાન જીવની દૃષ્ટિ પલટાવીને તેને આત્માભિમુખ બનાવે છે. હવે આ ગ્રંથમાં નિરૂપાયેલ કર્મસિદ્ધાંત તરફ દષ્ટિપાત કરીએ. શ્રીમદે જગતમાં છવાઈ ગયેલી વિષમતા અને વિચિત્રતાના કારણરૂપે શુભાશુભ કર્મનું ભોક્તાપણું બતાવી કર્મની સિદ્ધિ કરી છે. આ વિશ્વ પરસ્પર વિરોધી એવા કંકોથી પરિપૂર્ણ ભરેલું છે. પ્રત્યેક જીવ આત્મતત્ત્વની અપેક્ષાએ સમાન હોવા છતાં, સંસારવત જીવોમાં કોઈ રાજા તો કોઈ રંક, કોઈ પંડિત તો કોઈ મૂર્ખ, કોઈ સમૃદ્ધ તો કોઈ નિર્ધન, કોઈ માલિક તો કોઈ મજૂર, કોઈ સૌંદર્યવાન તો કોઈ કદરૂપો, કોઈ પુરુષ તો કોઈ સ્ત્રી, કોઈ સુખી તો કોઈ દુઃખી, કોઈ નીરોગી તો કોઈ રોગી, કોઈ સદાચારી તો કોઈ દુરાચારી, કોઈ યોગી તો કોઈ ભોગી - આ પ્રમાણે વિષમતા કેમ છે? તેનો વિચાર કરતાં એમ જણાય છે કે કારણ વિના કાર્ય થતું નથી' એ સર્વમાન્ય નિયમ અનુસાર જગતની વિચિત્રતારૂપ કાર્યનું નિયામક કોઈ કારણ હોવું જોઈએ અને તે કારણ તે જીવે પોતે બાંધેલાં શુભાશુભ કર્મો છે. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે - એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વે.” (84) જૈન દર્શનમાં કર્મના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે. ખરેખર તો કર્મ અનંત પ્રકારનાં છે, પરંતુ કર્મના સ્વરૂપને સમજવા તેના મુખ્ય આઠ વિભાગો અને તેના 158 પેટા ભેદો પાડવામાં આવ્યા છે. આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોને રોકવાના સ્વભાવને અનુલક્ષીને તેનાં નામ આપવામાં આવ્યાં છે. કર્મની આ આઠ મુખ્ય પ્રકૃતિઓમાં મોહનીય કર્મ સૌથી મુખ્ય છે, કારણ કે મોહનીય કર્મ ન હોય તો મુખ્યત્વે કર્મ બંધાવાનું કારણ રહેતું નથી. મોહનીય કમ મદિરાની જેમ મૂંઝવે છે અને હિતાહિતનું ભાન ભુલાવે છે. મોહનીય કર્મની મુખ્યતા દર્શાવતાં શ્રીમદ્ લખે છે - કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.' (102). આ અનંત પ્રકારનાં કર્મો જે જીવને વળગેલાં છે, તેનો કર્તા જીવ પોતે છે એમ Page #487 -------------------------------------------------------------------------- ________________ 454 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે સ્પષ્ટપણે સમજાવ્યું છે. વિવિધ શંકાઓનું નિરસન કરીને શ્રીમદે આત્મા કર્મનો કર્તા છે એમ પુરવાર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે જડ પદાર્થમાં ક્રિયાપ્રેરકપણું નથી, પણ તે પ્રેરણા ચેતનતત્ત્વ આપે છે. ચેતનની પ્રેરણા વિના કર્મ ગ્રહણ થઈ શકતાં નથી. કાશ્મણ વર્ગણાના કંધો પોતાની જાતે જીવને વળગવા નથી આવતા, પરંતુ શુભાશુભ ભાવો કરીને જીવ તેને પોતાની તરફ આકર્ષે છે અને પછી તે સ્કંધો આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે. આમ, આત્માના કર્યા વિના કર્મ થતાં નથી, અર્થાત્ જીવ શુભાશુભ ભાવ કરે તો જ કર્મબંધ થાય છે; તેમજ કર્મ સહજ સ્વભાવે કે અનાયાસે થતાં નથી. બીજી બાજુ કર્મ કરવાં એ જીવનો મૂળ ધર્મ પણ નથી. વળી, આત્મા અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે એમ કહેવું પણ યથાર્થ નથી, કારણ કે આત્મતત્ત્વ જો સર્વથા અસંગ હોત તો પ્રથમથી અસંગપણાનો ભાસ થવો જોઈએ. પરમાર્થથી તો તે અસંગ છે, પણ નિજસ્વરૂપનું ભાન પ્રગટ થાય ત્યારે જ તેમ જણાય છે. વળી, જીવનું કર્મકર્તુત્વ સિદ્ધ કરતાં શ્રીમદે, “પરમેશ્વર જ સર્વ કાંઈ કરે છે, તેમની ઇચ્છા વિના એક પાંદડું પણ હાલી-ચાલી શકતું નથી' એવી માન્યતાનું સદંતર નિરસન કર્યું છે. અનંતશક્તિસમન્વિત ઈશ્વર તો કામ, ક્રોધ, મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ દોષોથી રહિત હોય છે. તેને જગતકર્તા કે કર્મોનો પ્રેરક ગણવામાં આવે તો તેનામાં અનેક દોષો સ્થાપિત થાય છે. આ તથ્ય સમજાવતાં શ્રીમદ્ લખે છે - “કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ.” (77). જીવ સ્વયં કર્મબંધ કરે છે એમ દર્શાવી, શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્મ જીવ સાથે કેવી રીતે બંધાય છે તેની પ્રક્રિયા પણ સમજાવી છે. કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલસ્કંધની વર્ગણાને કાશ્મણ વર્ગણા કહેવાય છે. તે સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયથી અગોચર છે. ચૌદ રાજલોકમાં તે ઠાંસી ઠાંસીને ભરેલી છે. જેમ દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરે છે, તેમ વિભાવના કારણે જીવ આ કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે વર્ગણા જીવના આત્મપ્રદેશ સાથે જોડાય છે. આત્મા સાથે જોડાયા પછી તે કાર્પણ વર્ગણાના સ્કંધો કર્મ' ના નામથી ઓળખાય છે. કર્મના અને જીવના આ સંબંધને કર્મબંધ કહેવાય છે. આરોગેલ આહાર જેવી રીતે રસ, લોહી, માંસ, અસ્થિ, મજ્જા, મેદ અને વીર્ય એમ સપ્ત ધાતુરૂપ બને છે, તેવી રીતે આત્મપ્રદેશ સાથે ચોંટેલાં આ કર્મ પણ વિવિધ સ્વરૂપ ધારણ કરે છે. આમ, શુભાશુભ ઉપયોગરૂપ ભાવકર્મ એ ચેતનનું પોતાનું કાર્ય હોવાથી ચેતનરૂપ છે. જ્યારે જીવનું વીર્ય સ્કુરે છે ત્યારે યોગ ચંચળ થાય છે અને જડ કર્મરજનું ગ્રહણ થાય છે. આ પ્રક્રિયાને માત્ર બે પંક્તિમાં સચોટપણે સમજાવતાં શ્રીમદ્ લખે છે - Page #488 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 455 ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.' (82) કર્મબંધની પ્રક્રિયા સમજાવવાની સાથે સાથે શ્રીમદે તે બંધાયેલાં કર્મ જીવને કેવી રીતે ફળ આપે છે, અર્થાત્ જીવ કર્મનો ભોક્તા કેવી રીતે બને છે, તે પણ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રીમદે ઝેર-સુધાના દૃષ્ટાંત દ્વારા દર્શાવ્યું છે કે જેમ ઝેર અને સુધા જડ હોવા છતાં તેને ગ્રહણ કરનારને તે પ્રકારે, તે પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે; તેમ જીવ જેવાં કર્મ કરે છે તેવાં ફળ તેને મળે છે. કર્મ જડ છે, પરંતુ જીવના સંગથી કર્મમાં એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી તે જીવને સારો-ખરાબ વિપાક આપી શકે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી શ્રીમદ્ જણાવે છે કે ઈશ્વરની ફળદાતા તરીકે જરૂર રહેતી નથી. કાર્મણ વર્ગણાનો આત્મા સાથે બંધ થતી વખતે જીવનાં જેવાં પરિણામ હોય છે તે અનુસાર નક્કી થાય છે કે તે કર્મનો સ્વભાવ કેવો હશે, તે કેટલાં વર્ષ સુધી આત્મા સાથે રહેશે, તે કેટલાં વર્ષ સુધી ફળ આપશે, તે ફળ કેવા પ્રકારે ભોગવવું પડશે, તેનું પ્રમાણ કેટલું હશે ઇત્યાદિ. તે વખતે તે કર્મમાં ફળ આપવાની શક્તિ પ્રગટ થાય છે અને તે અનુસાર જીવને તે કર્મ ફળ આપે છે. કર્મ જડ હોવાથી ઈશ્વરની પ્રેરણા વિના જીવ ફળ ભોગવી શકે નહીં એવી માન્યતાની અયથાર્થતા સમજાવતાં શ્રીમદ્ લખે છે - ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર.' (85) આત્માનું કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું સ્થાપન કરવા સાથે શ્રીમદે એ પણ બતાવ્યું છે કે આત્મા સ્વસત્તાએ જ્ઞાતા-દ્રષ્ટાપણે રહે તો તે નિજસ્વરૂપનો કર્તા અને ભોક્તા છે. વાસ્તવમાં જીવ સ્વભાવથી કર્મનો કર્તા-ભોક્તા નથી. કર્મનું કર્તા-ભોક્તાપણું તો જીવનો વિભાગ છે. જ્ઞાતાપણે ન રહેવાના કારણે તે કર્મનો કર્તા-ભોક્તા બને છે. જો તે સ્વભાવમાં રહે તો કર્મનું કર્તા-ભોક્તાપણું ટળે છે. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે - કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય.” (121) ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.” (78) આત્મા કર્મનો કર્તા છે અને ભોક્તા છે તે સિદ્ધ કર્યા પછી શ્રીમદ્ જણાવે છે કે તે કર્તા-ભોક્તાપણાનો પણ અંત આવી શકે છે, અર્થાત્ તે કર્મથી સર્વથા પ્રકારે છૂટી Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શકાય છે. દેવ-નરકાદિ ગતિમાં શુભાશુભ ફળ ભોગવવાથી જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમ તે શુભાશુભ કર્મની નિવૃત્તિ પણ સંભવિત હોવાથી તે પણ સફળ છે, અર્થાત્ કર્મની નિવૃત્તિરૂપ મોક્ષ છે. અનાદિ કાળથી જીવ શુભાશુભ ભાવ વડે કર્મબંધ કરતો આવ્યો છે, પરંતુ જ્યારે શુભાશુભ ભાવોની અપ્રવૃત્તિ તેમજ શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે ત્યારે જીવ સર્વ કર્મના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને સંપ્રાપ્ત થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુર પ્રગટ થઈ શકતો નથી, તેમ કર્મરૂપ બીજ બળી જતાં સંસારરૂપ અંકુર ઊગી શકતો નથી અને તેથી કર્મની આત્યંતિક નિવૃત્તિ થતાં શુદ્ધપદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, જીવમાં રાગ-દ્વેષની માત્રા ઓછી થતાં કર્મબંધનું પ્રમાણ ઘટે છે અને તેનો પૂર્ણપણે અભાવ થતાં કર્મબંધ અટકી જાય છે. કર્મની નિવૃત્તિ થતાં આત્માનો મોક્ષસ્વભાવ પ્રગટે છે અને તેને શાશ્વત મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ લખે છે - જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.' (89) વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' (90) સર્વ કર્મની નિવૃત્તિ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે એ બતાવી, શ્રીમદે તે કર્મની નિવૃત્તિ કરવાનો અચૂક, અવિરોધ ઉપાય પણ દર્શાવ્યો છે. કર્મને ખેંચી લાવવામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ કારણભૂત છે. જો ઘરનાં બારણાં ખુલ્લાં હોય તો તેમાં પશુ-પક્ષીઓ પ્રવેશ કરી શકે, તેમ આ કારણો તે શુભાશુભ કર્મને આવવાનાં દ્વાર છે. પૂર્વે બાંધેલાં કર્મનો ઉદય આવે ત્યારે જીવ તે કર્મકૃત પરિસ્થિતિ તથા ભાવો સાથે તન્મય ન થાય, રાગ-દ્વેષ ન કરતાં સમભાવમાં રહે તો જૂનાં કર્મની ગાંઠ છૂટી જાય છે તેમજ નવું કર્મ બંધાતું નથી. સર્વકર્મબંધનથી છૂટવાનો આ જ માર્ગ છે. જે ભવ્ય જીવ કર્મને પ્રેરનારાં કારણોનું છેદન કરે છે અને આત્મામાં વળગેલી કર્મવર્ગણાને સર્વથા નષ્ટ કરે છે, તેના અનંત આત્મિક ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેની મુક્તિની સાધના સંપૂર્ણ થાય છે. શ્રીમદ્ લખે છે - જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.(૯) રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” (100) શ્રીમદે અન્ય પ્રકારે પણ આ માર્ગને સમજાવ્યો છે. તેમણે સર્વ કર્મમાં મુખ્ય Page #490 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 457 એવા મોહનીય કર્મનો કેવી રીતે નાશ થાય તેની સુબદ્ધ સંકલના કરી છે. તેમણે જણાવ્યું છે કે જીવને જગતની મોહમાયાની જાળમાં લપટાવનાર એવા મોહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિ હોવી તે. ચારિત્રમોહનીય એટલે આત્મસ્થિતિને અવરોધક એવા કષાય તથા નોકષાય. દર્શનમોહનીયનો નાશ આત્મબોધથી થાય છે અને ચારિત્રમોહનીયનો નાશ વીતરાગપણાથી થાય છે. આ રીતે કર્મોના અગ્રણી એવા દર્શનમોહ-ચારિત્રમોહરૂપ દ્વિવિધ મોહનીય કર્મથી છૂટવાના પથનું દર્શન કરાવતાં શ્રીમદ્ લખે છે - કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (103) કર્મબંધ અને કર્મક્ષયની પ્રક્રિયા નિઃશંકપણે વાચકને સરળતાથી ગ્રાહ્ય થાય તે અર્થે શ્રીમદે એક અનુભવગમ્ય દષ્ટાંત આપ્યું છે. બંધહેતુઓના પ્રતિપક્ષી ભાવથી બંધહેતુઓનો અભ્યાસ થાય છે તથા તે બંધભાવ છેચાતાં કર્મક્ષય થાય છે - આ સિદ્ધાંત સમજાવવા સર્વના પ્રત્યક્ષ અનુભવની વાત કરતાં શ્રીમદ્ જણાવે છે કે ક્રોધાદિ કષાયથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિ ભાવ તેને અચૂક હણે છે, તેવી જ રીતે મિથ્યાત્વાદિ બંધહેતુઓ પણ નિઃસંદેહપણે તેનાથી વિપરીત સ્વભાવવાળા એવા સમ્યકત્વાદિથી હણાય છે. શ્રીમદ્ લખે છે - કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ?' (194) અનંત કાળથી બાંધેલાં કર્મ અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહમાં કઈ રીતે છેદી શકાય? શું અનંત કાળનાં કર્મો નાશ કરતાં અનંત કાળ લાગશે? - આવા વિકલ્પો કરવા યોગ્ય નથી એમ શ્રીમદ્ જણાવે છે, કારણ કે જીવ જો અજ્ઞાનનિદ્રામાંથી જાગે તો અનંત કાળનાં કર્મ પણ શીધ્ર નાશ થઈ શકે એવું જીવના પુરુષાર્થનું બળ છે. કર્મભાવ તે જીવનું અજ્ઞાન છે. જ્ઞાનપ્રકાશથી આ અનંત કાળનું અજ્ઞાન-અંધકાર નાશ પામે છે અને જીવનો મોક્ષભાવ પ્રગટ થાય છે, અર્થાત્ તે નિજસ્વરૂપમાં સ્થિત થાય છે. અંધકાર ભલેને અનાદિ કાળનો હોય, પણ પ્રકાશ થતાં તે તત્ક્ષણ વિલીન થાય છે; તેમ અનાદિનો કર્મભાવ પણ જ્ઞાન થતાં નાશ થાય છે. અનાદિની કર્મબંધસંકલના તોડવાની લગામ આત્માના હાથમાં જ છે. વિભાવભાવરૂપ ભાવકર્મના પરિણામ પ્રમાણે નહીં પરિણમવાની રહસ્યચાવી આત્મા પાસે જ છે અને તે જો પરભાવરૂપે ન પરિણમે તો દ્રવ્યકર્મનો ક્ષય થાય છે અને નવીન કર્મ બંધાતાં નથી. આ રીતે કર્મનિબદ્ધ આત્માના પુરુષાર્થનો માર્ગ સદા ખુલ્લો જ છે. શ્રીમદ્ લખે છે - Page #491 -------------------------------------------------------------------------- ________________ 458 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ.” (98) આ પ્રમાણે જૈન દર્શનના કર્મસિદ્ધાંતનો મૂળ પાયો સમજવા માટે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઘણું ઉપયોગી થાય છે. તેમાં શ્રીમદે અતિ સંક્ષેપમાં કર્મનાં સ્વરૂપનું અત્યંત રોચક અને સારપૂર્ણ નિરૂપણ કરેલું છે. તેમણે કર્મસિદ્ધાંતનું બંધારણ સમજાવી, કર્તવ્યઅકર્તવ્યની ચોક્કસ દિશા પદ્ધતિસર બતાવી, જીવનના ઉત્કર્ષ માટે માર્ગદર્શન આપ્યું છે. આત્માને કર્મના બંધનમાંથી છોડાવવાના માર્ગનું શ્રીમદે સ્પષ્ટ અને વ્યવસ્થિત આલેખન કર્યું છે. શ્રી વીતરાગ પરમાત્માએ પ્રકાશેલા કર્મવાદનો જે અણમોલ ખજાનો આગમોરૂપી તિજોરીમાં સંગ્રહાયેલો છે, તેને ખોલવા માટે આ ગ્રંથ ચાવીરૂપ છે. મોટા મહાલયોની ચાવીઓ પણ નાની હોય છે, તેવી રીતે આ નાનકડો ગ્રંથ કર્મસિદ્ધાંતના રહસ્યને ખોલવા માટે અજોડ ચાવીરૂપ છે. શ્રીમદે કર્મતત્ત્વનો વિષય સપ્રમાણ રીતે, ટૂંકામાં અને એવી કુશળતાથી ગૂંથી લીધો છે કે તેનો અભ્યાસ કર્યા પછી પ્રાચીન કર્મગ્રંથોનો સાર અભ્યાસીજનોના હૃદયમાં પ્રતીત થાય છે. ભાષા સરળ, સુબોધ અને હૃદયંગમ હોવાથી સુગમતાથી કર્મના વિષયનું ગ્રહણ કરી શકાય છે. પ્રશ્નોત્તરીની શૈલી પ્રયોજી શ્રીમદે કઠિન વિષયને સરળ બનાવ્યો છે. કર્મવિષયક શંકાઓના તેમણે આપેલ ઉત્તરથી વાચકને સંતોષ થાય છે. તેના અધ્યયનથી કર્મવાદનું યથાર્થ રહસ્ય સમજી હૃદયસાત્ કરી શકાય છે. કર્મસિદ્ધાંતની આમૂલાગ્ર છણાવટ કરીને શ્રીમદે જૈન દર્શનની પૂર્વાપર અબાધિત પ્રરૂપણાનો પરિચય આપ્યો છે. ઈશ્વર કોણ છે? તેમનું યથાર્થ સ્વરૂપ શું છે? આદિના ખુલાસા તથા ચિત્ર-વિચિત્ર ઘટનાઓથી ભરપૂર સંસાર, જગતની રચના તથા ગોઠવણના કોયડાનો ઉકેલ પણ આ ગ્રંથમાંથી મળી આવે છે. તેના અભ્યાસથી જૈન દર્શનની સ્પષ્ટતા, સૂક્ષ્મતા અને સંપૂર્ણતાની ખાતરી થયા વિના રહેતી નથી. આ ગ્રંથ કર્મસિદ્ધાંતને સમજવા માટે ઘણો જ મહત્ત્વનો છે. શ્રીમની આ આકર્ષક તથા રુચિકર રજૂઆત કર્મના વિષય ઉપરના શ્રીમના પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથમાં શ્રીમદે કરેલા કર્મસિદ્ધાંતના જ્ઞાનની રજૂઆતથી તેમની અગાધ પ્રતિભાનો સાક્ષાત્કાર થાય છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' કર્મગ્રંથના અભ્યાસીઓને તથા કેવળી ભગવાનપ્રણીત જૈન દર્શનના રહસ્યને જાણવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી નીવડશે. કર્મો શું છે? તે કઈ રીતે બંધાય છે? તે કઈ રીતે ભોગવાય છે? તે કઈ રીતે ખપાવી શકાય? આદિનું સુંદર પ્રતિપાદન શ્રીમદે કર્યું છે. કુટિલ કર્મસત્તાએ આત્મધન ઉપર જે કબજો જમાવ્યો છે, તેને હટાવીને આત્મધનને પોતાનું કેવી રીતે બનાવી શકાય તેનો સચોટ ઉપાય બતાવી તેમણે અનંત ઉપકાર કર્યો છે. ભવ્ય જીવોનો મનુષ્યભવ સાર્થક Page #492 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 459 બને એ કલ્યાણકારી હેતુપૂર્વક કર્મનાશના ઉપાયના ઉપદેશ દ્વારા તેમણે દિવ્ય પ્રકાશ પાથર્યો છે. આ ગ્રંથના અવગાહનથી જે જીવ સ્વસ્વરૂપ અને કર્મસ્વરૂપની ભિન્નતા વિચારી, કર્મબંધ તોડવાનો ઉપાય કરી, આત્માનો અબંધ ધર્મ પ્રગટ કરવાની સન્મુખ થાય છે; તે જીવ અનાદિ કાળથી આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરવતુ સંબંધને પામેલાં કર્મોનો ક્ષય કરી અક્ષય, અવ્યાબાધ, પરમાનંદરૂપ મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે અને તેનાં જન્મમરણનો શાશ્વતપણે અંત આવે છે. (6) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સનાતન મોક્ષમાર્ગ જેમણે આત્મસાક્ષાત્કાર કર્યો છે એવા જ્ઞાનીપુરુષોએ જનકલ્યાણાર્થે ભિન્ન ભિન્ન રીતે આત્મસાધનાનો માર્ગ બતાવ્યો છે. શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા કલ્યાણકામી આત્માઓને વર્તમાન વિષમ કાળમાં સનાતન મોક્ષમાર્ગ દર્શાવવાનું મહાન સુકૃત કર્યું છે. તેમણે પથપ્રકાશક દીપકની જેમ ભવ્ય જીવો માટે સન્માર્ગદર્શક પ્રકાશ પ્રસરાવ્યો છે. શ્રીમનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રરૂપ મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતો અભૂતપૂર્વ શિક્ષાગ્રંથ. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની સુંદર અને આકર્ષક ગાથાઓમાં સચોટ તેમજ અસરકારક ભાષામાં આત્મસન્મુખ થવાનો અમૂલ્ય હૃદયસ્પર્શી બોધ આપ્યો છે. હૃદયંગમ શૈલીથી ઉત્તમ ઉપદેશરૂપે લખાયેલ આ ગ્રંથ આત્માનું વાસ્તવિક સ્વરૂપ બોધે છે, મોક્ષમાર્ગને સ્પષ્ટપણે દર્શાવે છે અને મોક્ષાર્થીને મોક્ષમાર્ગમાં વિદનભૂત થતાં કારણોથી મુક્ત થવા અપૂર્વ જાગૃતિ અને પ્રેરણા આપે છે. મુમુક્ષુએ કર્મનું નિકંદન કાઢવા અને મોક્ષ મેળવવા માટે કેવી સાધના કરવી જોઈએ તેની સુંદર પ્રક્રિયા આ ગ્રંથમાં બતાવી છે. સચોટ ભાષામાં મોક્ષમાર્ગના સિદ્ધાંતો સમજાવી શ્રીમદે જીવોની રૂઢ ધર્મની ખોટી માન્યતાઓ દૂર કરી, સ્વધર્મની સાચી સમજણ કરાવી છે. તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પોતે અંતરંગ દૃષ્ટિથી અનુભવેલા શુદ્ધ આત્મતત્ત્વનો બોધ કરી, સાધક જીવોને ભવજળથી તારનાર સમુન્નતિનો માર્ગ બતાવી અપાર ઉપકાર કર્યો છે. વર્તમાન દુષમ કાળમાં પરમાર્થમાર્ગ અત્યંત દુર્લભ, અપ્રાપ્યવત્ છે. આ પંચમ કાળમાં અતિ અલ્પ જીવોને જ મોક્ષમાર્ગ ઉપલબ્ધ છે. મોટા ભાગના જીવોને તો મોક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપનું ભાન પણ નથી. આત્માનું કલ્યાણ કરવા માટે અનેક મતદર્શન-સંપ્રદાય વિધવિધ પ્રકારનાં સાધનો બતાવે છે, તેમાંથી પોતાને શું કલ્યાણકારી છે તે તેઓ સમજી શકતા નથી. વિપર્યય અને ભ્રાંતિમૂલક અવસ્થામાં તેમને મોક્ષમાર્ગનું સ્વરૂપ યથાર્થ સમજાતું નથી. આ કાળમાં જીવોનું પ્રવર્તન બહુધા ક્રિયાજડત્વ અથવા શુષ્કજ્ઞાન પ્રતિ છે. ક્રિયા અને જ્ઞાનનું સમતોલપણું સાચવનારા જીવો બહુ ઓછા છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ 460 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધાર્મિક ગણાતા લગભગ તમામ જીવોનું વલણ આ બને છેડામાંથી એક છેડા પ્રતિ ઢળેલું હોય છે. તે એકાંતવાદીઓ મહાપુરુષોના આશયને સમજ્યા વગર શાસ્ત્રોની વાતો અવળા અર્થમાં લે છે અને સદ્ધર્મનો લોપ કરે છે, જે તેમને કલ્યાણના માર્ગમાં પ્રતિબંધક થઈ પડે છે. તેમની દૃષ્ટિ-અંધતા ટળી ન હોવાથી તેમને અધ્યાત્મપ્રધાન અંતરંગ માર્ગનું દર્શન થઈ શકતું નથી. દૃષ્ટિના અભાવે અલૌકિક પરમાર્થમાર્ગને પણ ગતાનુગતિક લોકો લૌકિક દૃષ્ટિએ, ઓઘદૃષ્ટિએ જુએ છે. તેઓ આંતર રહસ્ય સમજ્યા વિના, કુલાચારને સાચવવાના હેતુથી, ગાડરિયા પ્રવાહની જેમ અનુપયોગીપણે, લક્ષરહિતપણે ધર્મક્રિયાઓ કે શાસ્ત્રવાંચન કરે છે. આ રીતે થતી પ્રવૃત્તિઓના કારણે ધાર્મિક કેન્દ્રોમાં રસહીનતા, શુષ્કતા દષ્ટિગોચર થાય છે. મૂળ તત્ત્વ ઉપર દૃષ્ટિ ન હોવાના કારણે મતભેદ પડી ગયા છે. મોક્ષમાર્ગ સંબંધી આવી શોચનીય સ્થિતિ શ્રીમન્ના તત્કાલીન સમાજમાં લગભગ બધી જગ્યાએ જોવા મળતી હતી. અખંડ અભેદ એકરૂપ મોક્ષમાર્ગને અનેક પ્રકારના શુદ્ર મતભેદોથી આવરિત થયેલો જોઈ શ્રીમનું હૃદય દ્રવી ઊઠતું. ચતુર્ગતિરૂપ સંસારમાં અજ્ઞાનયોગે રઝળતા જીવોને સાચી સમજણ મળે તો તેઓ દુઃખી થતાં અટકે અને સત્સુખ પામે એવી નિષ્કામ કરુણા તેમને જાગી. જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવના ઢીમના દિલમાં હતી. સર્વ જીવો માટે તેમના હૃદયમાંથી વાત્સલ્યનો ઝરો વહેતો હતો, તેથી અજ્ઞાન-અંધકારમાં અથડાતા જગતને મોક્ષમાર્ગનું દર્શન કરાવવા તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપ જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પાથર્યો. તેમણે જીવોની બહિરંગ દષ્ટિ દૂર કરાવી, દિવ્ય માર્ગના યથાર્થ દર્શનાર્થે આધ્યાત્મિક દૃષ્ટિ અપ, સત્યમાર્ગ ઉપદેશીને ઉચ્ચધર્મવિચારરૂપ ભુવનમાં વિશ્વને લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો અને અતિગંભીર અને અસરકારક રીતે આત્મજાગૃતિની વાત કરી. આમ, શ્રીમદે સમગ્ર જીવોના આત્મહિતને માટે મોક્ષનો માર્ગ પ્રગટ કરવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથનું નિર્માણ કર્યું છે. તેમણે સ્વયં આ ગ્રંથની બીજી ગાથામાં આ વાત જણાવી છે - ‘વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોય.” (2) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં મોક્ષમાર્ગ ભાખવા માટેના કરેલા નિર્દેશનું શ્રીમદે પૂર્ણપણે પાલન કર્યું છે. તેનું સાદ્યત અવલોકન કર્યા પછી ચોક્કસપણે કહી શકાય છે કે તેમાં મોક્ષમાર્ગને સંબંધિત સર્વ મહત્ત્વપૂર્ણ વિષયોને શ્રીમદે આવરી લીધા છે. અધ્યાત્મરસનું પાન કરાવવા શ્રીમદે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી આત્માનાં છ પદને સ્પષ્ટ કરી, સાધનામાર્ગને પ્રકાશિત કર્યો છે. અમાપ ફળને આપવા સમર્થ એવા ધર્મને આરાધવા માટે અગત્યના પ્રાથમિક ગુણો, ધર્મના અધિકારી જીવનાં લક્ષણો, ધર્મારાધકે Page #494 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 461 વર્જવા જેવા દોષો સંબંધી માર્ગદર્શક કથનો પણ તેમણે નિરૂપ્યાં છે. મોક્ષની સાધના કરનાર પ્રત્યેક સાધક માટે ગુરુનિશ્રા અને ગુરુ પ્રત્યેનો પૂર્ણ સમર્પણભાવ અત્યંત આવશ્યક છે - આ તથ્યનું પણ તેમણે નિરૂપણ કર્યું છે. શ્રીમદે અધ્યાત્મદષ્ટિને મુખ્ય રાખી આત્માનો સ્વભાવ તથા તેની વર્તમાન દશા - એમ બન્નેનું ભાન કરાવ્યું છે. તેમણે અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગનું સચોટ નિરૂપણ કર્યું છે અને સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરવાની પ્રેરણા કરી છે. સાધનાપથમાં કયાં તત્ત્વો સાધક અને કયાં તત્ત્વો બાધક બની શકે તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. તેમણે ત્યાગવૈરાગ્ય હૃદયમાં વસી જાય એવો ઉપદેશ સરળ ભાષામાં આપ્યો છે. ત્યાગ-વૈરાગ્ય આદિનું વાસ્તવિક સ્વરૂપ સાધકો સમક્ષ રજૂ કરી, તે લક્ષ્યપૂર્વક, સમજણપૂર્વક, રુચિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે તો યથાર્થ રીતે સફળ બને એમ જણાવ્યું છે. તેમણે બાહ્ય ત્યાગ-વૈરાગ્ય સાથે અત્યંતર ત્યાગ-વૈરાગ્યનો સમન્વય કરી તેની ગરિમા દર્શાવી છે. સામાન્યજનસમૂહ બાહ્ય ત્યાગને જ ધર્મ માની તેમાં જ અટવાઈ જાય છે, શુદ્ધાત્મતત્ત્વ તરફ તેમની દૃષ્ટિ જતી જ નથી, તેવા બાલજીવોની ભૂલો શ્રીમદે મતાથ વિભાગમાં દર્શાવી છે. મતાર્થીઓના દોષ બતાવવામાં શ્રીમન્નો જરા પણ નિંદાનો આશય નથી. મોક્ષમાર્ગનું કથન કરવામાં સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવું પડે, ખોટાને ખોટારૂપે સિદ્ધ કરીને સત્યને તેનાથી જુદું તારવવું પડે. જે હિતકર હોય તેને સ્પષ્ટ રીતે હિતકરરૂપે અને જે અહિતકર હોય તેને સ્પષ્ટ રીતે અહિતકરરૂપે ઘોષિત કરવાં ઘટે. સત્ય અને અસત્ય, હિતકર અને અહિતકર, સન્માર્ગ અને ઉન્માર્ગ, ઉપાદેય અને હેયના વિવેકને દર્શાવતી આ ધર્મદેશનાને કદી પણ નિંદારૂપે ઓળખાવી ન શકાય. જો સત્યાસત્યનો વિવેક કરાવવા પાછળ સ્વપકલ્યાણની જ ભાવના હોય અને કોઈ પ્રત્યે કાષાયિક પરિણતિ થતી ન હોય તો તેમ કરતાં કદી પણ અટકવું ન જોઈએ. વળી, જીવે સતુને કદી ઓળખ્યું નથી, સતુને ઓળખવાના તેના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે, જ્યારે અસત્નો તો જીવને અનાદિ કાળથી અત્યંત નિકટ સંબંધ હોવાથી અસતુને તે સારી રીતે ઓળખે છે; અસતુને અસત્ તરીકે ઓળખાવી, તેને છોડાવતાં સતુનું દર્શન થતું હોવાથી જ્ઞાનીઓ અસતુને અસત્ તરીકે ઓળખાવે છે. આ કારણથી અસતુમાં જ્યાં જીવે સત્ની ભાંતિ કરી છે તે દર્શાવતાં શ્રીમન્નાં કથનો નિર્મળ બુદ્ધિ વડે તપાસવાં યોગ્ય છે. તેમાં કોઈ સ્થળે સંપ્રદાયબુદ્ધિને આંચકો લાગશે, ઊંડી જડ ઘાલી બેઠેલા વિચારને ફેરવવો પડશે, તોપણ ધૈર્યપૂર્વક ગંભીર ચિંતન વડે સત્-અસત્ની તુલના કરતાં પરમાર્થ મોક્ષમાર્ગનું સ્પષ્ટ દર્શન થશે. આમ, આત્મસ્વરૂપબોધક, વૈરાગ્યપ્રેરક, દોષનિવારક ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે સાધનામાર્ગ સમજાવ્યો છે. તેમણે તેમાં સાધનાને ઉપયોગી અનેક વિષયોનું વિશ્લેષણ કર્યું છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ 462 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે પ્રત્યેક આત્મા કઈ રીતે પરમાત્મપણાને પામે તેની પ્રક્રિયા સરળતાથી સમજાવી છે. તેમણે શુદ્ધ આત્મપરિણતિરૂપ મોક્ષમાર્ગનું - પરમાર્થમાર્ગનું નિરૂપણ કર્યું છે. તેમણે ગાથા 98 થી ગાથા ૧૦૪માં જણાવ્યું છે કે કર્મભાવ એ જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ એ નિજસ્વરૂપમાં વાસ છે. અજ્ઞાન અંધકાર સમાન છે, જે જ્ઞાનપ્રકાશ થતાં તત્ક્ષણ જ નાશ પામે છે. જે કારણોથી કર્મ બંધાય તે બંધનો પંથ છે અને તે કારણોની છેદક એવી આત્મદશા તે મોક્ષપંથ છે, જેના આરાધનથી ભવભ્રમણનો અંત આવે છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથિ છે, તે જેના વડે છેદાય તે મોક્ષમાર્ગ છે. રાગાદિ સર્વ વિભાવ અને દેહાદિ સંયોગમાં એકતાના આભાસથી રહિત એવો કેવળ શુદ્ધ આત્મા જેથી પમાય તે મોક્ષમાર્ગ છે. અનંત પ્રકારનાં કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે, તેમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. મોહનીય કર્મના બે ભેદ છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ હણે છે, ચારિત્રમોહનીયને વીતરાગતા હણે છે. આ જ મોહને હણવાના અચૂક ઉપાય છે. ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, ક્ષમાદિ તેને હણે છે એ પ્રત્યક્ષ અનુભવગમ્ય તથ્ય છે. આ પ્રકારે શ્રીમદે અનુપમ નિશ્ચયબળ સહિત સર્વ જ્ઞાનીઓની સાક્ષીએ મોક્ષપ્રાપ્તિનો વાસ્તવિક માર્ગ નિર્દિષ્ટ કર્યો છે. શ્રીમદે દર્શાવેલ આ પરમાર્થમાર્ગ ત્રિકાળી શાશ્વત છે. ત્રણે કાળમાં આ પરમાર્થમાર્ગ એક અખંડ અભેદ છે. પરભાવરૂપ અધર્મનો સર્વનાશ કરી, આત્મસ્વભાવમાં રમણતા કરવી એ જ જ્ઞાની પુરુષોએ આચરેલો અને બોધેલો પરમાર્થમાર્ગ છે. શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવો એ જ મૂળમાર્ગ છે. શુદ્ધ આત્માને જાણવો, શ્રદ્ધવો અને આચરવો એ સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ એવા સનાતન સત્યને લક્ષમાં રાખી, નિશ્ચય સાધ્ય તરફ નિરંતર દૃષ્ટિ ઠેરવી, તેના સત્સાધનરૂપ એવા પરમાર્થસાધક વ્યવહારને સેવનાર જીવ મોક્ષ પામે છે. સમસ્ત વ્યવહારનું પ્રયોજન આત્માને સ્વરૂપમાં લાવવાનું છે. પરમાર્થને પ્રેરે એવો સદ્વ્યવહાર જ સાર્થક છે. આ તથ્યનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ ૩૬મી ગાથામાં લખે છે - એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (36) મોક્ષમાર્ગને પ્રગટ કરવામાં શ્રીમદે કોઈ મત, દર્શન, જાતિ, વેષ આદિનો આગ્રહ રાખ્યો નથી. તેમના મત પ્રમાણે ધર્મ એ વસ્તુસ્વભાવ છે, સંપ્રદાય નથી. અજ્ઞાનના કારણે સાધનધર્મમાં સાધ્યધર્મનો આરોપ કરવામાં આવતો હોવાથી સઘળા મતભેદ ઊભા થયા છે. જેણે મત-દર્શનના આગ્રહને છોડ્યા હોય તે મોક્ષના સુમાર્ગને સાધી શકે છે. મોક્ષમાર્ગમાં જાતિ-વેષ આદિના ભેદ હોય નહીં અને જો ભેદ હોય તો તેને મોક્ષમાર્ગ Page #496 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 463 કહી શકાય નહીં. મોક્ષમાર્ગમાં કદાહને કે હઠાગ્રહને સ્થાન નથી. મત-પંથ, જાતિવેષના ભેદ વિના જે કોઈ સાધક યથોક્ત મોક્ષમાર્ગને સાધે છે, તે અવશ્ય મોક્ષને પામે છે; તેથી મતભેદોને તિલાંજલિ આપવી યોગ્ય છે, મતની મારામારીમાં મતિને મૂંઝવી દેવી યોગ્ય નથી. શ્રીમદ્ લખે છે - “છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અભ.” (105) જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” (107) સમાજમાં જ્યારે ધર્મના નામે અખાડા થતા હતા, ધર્મના નામે મનુષ્યો અલગ અલગ વાડામાં પુરાઈ ગયા હતા, ત્યારે શ્રીમદે મતમતાંતરમાં મધ્યસ્થતા અને સર્વધર્મસમન્વયની ભાવના દર્શાવી હતી. મોક્ષમાર્ગમાં જાતિ, લિંગ, ઉંમર, વેષ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓના કારણે કોઈ ભેદ પડતો નથી; છતાં લોકો પોતાને માન્ય જાતિ, લિંગ, ચિહ્ન જોવા ન મળે તો તેને તરછોડી કાઢે છે. મતદર્શનનો, જાતિ-વેષનો આગ્રહ કરનારા લોકો વાસ્તવમાં ધર્મનો મર્મ સમજ્યા નથી. ધર્મ એટલે અમુક મતમતાંતર નહીં, ધર્મ એટલે અમુક શાસ્ત્રો વાંચી જવા કે અમુક ક્રિયા કરી જવી તે પણ નહીં; ધર્મ એટલે તે કે જેના વડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી શકાય, ધર્મ છે કે જેમાં રાગ-દ્વેષની મંદતા થાય અને અનુક્રમે સર્વાશે રાગવેષરહિત થતાં મુક્તિની પ્રાપ્તિ થાય. તેથી જ શ્રીમદે આ ગ્રંથમાં પ્રેરણા કરી છે કે નાના નાના મતભેદમાં ભૂલા ન પડતાં, શુદ્ધ ચિઘનમય આત્માનું સ્વરૂપ વિચારવું અને તેને પ્રાપ્ત કરવું; ધર્મના નામે ઝગડા કરવા તે મોક્ષમાર્ગ નથી, પરંતુ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરવું તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, તેમાં દેહાશ્રિત બાહ્ય લિંગ કારણભૂત નથી, પણ અંતરંગ ભાવલિંગ જ કારણભૂત છે; તેથી જાતિ-વેષના મતભેદ ઉપર ભાર ન મૂકતાં અભેદ મોક્ષમાર્ગ ઉપર જ ભાર મૂકવા યોગ્ય છે. આ જ દર્શાવે છે કે શ્રીમન્ને કોઈ મત-દર્શન-સંપ્રદાય પ્રત્યે અનાદર હતો જ નહીં, તેમના અંતઃકરણમાં કોઈ પ્રત્યે રાગ-દ્વેષપ્રેરિત પક્ષપાતને અવકાશ ન હતો; તેથી તેમનું લખાણ એવી સર્વમાન્ય કક્ષાએ પહોંચ્યું હતું કે સર્વ માટે એમાં કંઈ ને કંઈ જાગૃતિપ્રેરક અને સ્વીકાર્ય તત્ત્વ મળી રહે. વિ.સં. ૧૯૬૬ની કાર્તિકી પૂર્ણિમાએ ‘રાજજયંતી નિમિત્તે મુંબઈમાં દિ. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ પ્રમુખ પદેથી બોલતાં કહ્યું હતું કે - કવિશ્રીના જીવનના ઉચ્ચ આશય, તેમના લેખમાંથી મળી આવતા ઉચ્ચ વિચારો, સ્વીકારવા લાયક શિખામણનાં વચનો અને સ્તુત્ય તથા ફિલસૂફીથી ભરપૂર Page #497 -------------------------------------------------------------------------- ________________ 464 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સિદ્ધાંતો, એકલા જૈન સમૂહને ઉપયોગી છે તેમ નથી, પરંતુ સર્વમાન્ય છે. અને તે સર્વ માન્યતાને લીધે તે જેમ પ્રસિદ્ધિમાં આવે તેમ સારું.' અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે શ્રીમદ્ કોઈ પણ મત-પંથનો કિંચિત્માત્ર આગ્રહ ન હતો, પરંતુ તેમની શ્રદ્ધા તો પૂર્ણપણે જૈન દર્શન અનુસાર જ હતી. તેમના અંતરમાં પવિત્ર વીતરાગદર્શનપ્રણેતાઓ પ્રત્યે ભક્તિનિર્ભર પરમ ગૌરવ, બહુમાન વસ્યું હતું. શ્રીમદ્ભા ઉદ્ગારોમાં ઠેર ઠેર જિનેશ્વર ભગવાનની સાધના, એમની અપૂર્વ સિદ્ધિ, એમની વાણી, એમની ધર્મદેશના, એમનો પ્રભાવ, એમણે પ્રરૂપેલ ધર્મ, એમનાં આગમશાસ્ત્રો, એમણે અપનાવેલ નયવાદ અને અનેકાંતવાદની પદ્ધતિ, એમનું સ્વરૂપ વગેરે તીર્થકર ભગવાનની સર્વદેશીય વિશેષતાઓનું ભક્તિભાવભર્યું વર્ણન શ્રીમની જિનેશ્વર ભગવાન પ્રત્યેની દઢ આસ્થાની પ્રતીતિ કરાવે છે. તેમણે કુળશ્રદ્ધાથી જૈન ધર્મને અંગીકાર કર્યો ન હતો, પરંતુ અનુભવના બળ ઉપર તેને સત્યસિદ્ધ કરી અપનાવ્યો હતો. તેઓ જૈન દર્શનને જ સર્વથા અવિરુદ્ધ માનતા હતા, કારણ કે વિશ્વના સર્વ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જ બતાવીને આત્મકલ્યાણનો સત્ય ઉપાય જૈન દર્શન બતાવે છે. આમ, શ્રીમદ્ શ્રી જિનના જ ચુસ્ત અનુયાયી હતા, જિન દર્શનના પરમ શ્રદ્ધાળુ હતા; પરંતુ તેમને તેનો આગ્રહ ન હતો. જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ સાધતો હોય તેને તેઓ સમ્મત કરતા, તેથી હૃદયની મહાનુભાવતાથી તેઓ અન્યદર્શની વ્યક્તિનો આદરથી ઉલ્લેખ પણ કરતા. તેમણે જૈન ધર્મને એક સંપ્રદાયરૂપ ન આપતાં તેની વિચારધારાને સર્વસમ્મતરૂપ આપ્યું. - શ્રીમદ જિનપ્રરૂપિત આગમોનું અધ્યયન કરી, તેના સિદ્ધાંતોને કેવળ બુદ્ધિની જ નહીં પણ અનુભવની એરણે ચઢાવી, વિશિષ્ટ તત્ત્વગ્રાહી બુદ્ધિ દ્વારા સંપૂર્ણ સત્ય શોધ્યું અને પોતાના અંતર્મુખ પુરુષાર્થથી, સ્વાનુભવ દ્વારા સાધકો માટે પરમ કરુણાબુદ્ધિથી તે માર્ગને પ્રગટ કર્યો. શ્રી જિનના મૂળભૂત સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી, મુમુક્ષુઓને પણ તદનુરૂપ વર્તવા માટે બોધ આપ્યો. આમ, શ્રીમદે શ્રી મહાવીર ભગવાને બોધેલ શુદ્ધ સનાતન માર્ગને પૂર્ણપણે આત્મસાત્ કરી, અન્ય જીવોને પણ તે માર્ગે ગમન કરવા સદુપદેશ કર્યો. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા શ્રી મહાવીર ભગવાનના વિશુદ્ધ મોક્ષમાર્ગને વિશદ રીતે સમજાવી, મુમુક્ષુ જીવોને વીતરાગ શાસનના રંગી બનાવવા તેમણે ભગીરથ પુરુષાર્થ કરી જૈન શાસનની અભિવૃદ્ધિ કરી છે. સન્માર્ગ સમજવો જેટલો દુષ્કર છે, તેનાં કરતાં પણ વિશેષ દુષ્કર તે સન્માર્ગને જગત સમક્ષ યથાર્થ રૂપમાં પ્રકાશિત કરવો તે છે. અજ્ઞાનના અંધકારને જ જ્ઞાનનો મહાપ્રકાશ માનતા જીવોને સન્માર્ગ દર્શાવવો 1- શ્રી નેમચંદભાઈ ગાલા, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૯૧ Page #498 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 465 એ ખરેખર વિકટ કાર્ય છે, પરંતુ વિદ્ગોના વિષમ અને ભીષણ વંટોળની જરા પણ દરકાર કર્યા વિના સત્ત્વશાળી, સામર્થ્યવાન શ્રીમદે મેરુ જેવી ધીરતા અને સિહ સમી વીરતા બતાવીને ભવ્યાત્માઓને મોક્ષમાર્ગનું દર્શન કરાવ્યું છે. તેમની મહાનતા તો મહંતો માટે પણ મહનીય-પૂજનીય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેમણે કરેલું મોક્ષમાર્ગનું સચોટ અને સ્પષ્ટ કથન - મોક્ષમાર્ગ માટેની તેમની શ્રદ્ધાનું, તે માર્ગના તેમના અનુભવનું અને તેમની આધ્યાત્મિક ઉચ્ચતમ સ્થિતિનું પરિચાયક બની જાય છે. તેમણે સરળ ભાષા અને હૃદયંગમ શૈલીમાં કરેલું મોક્ષમાર્ગનું વર્ણન - તેમનું જ્ઞાન ઉપરછલ્લું, વાણીવિલાસરૂપ કે બુદ્ધિવિલાસરૂપ નહીં પણ કેવું જીવનસ્પર્શી અને મર્મસ્પર્શી હતું એનો ખ્યાલ આપે છે. તેમનું વચન કેવું નિર્વિરોધ અને પરમ નિર્દોષ હતું, તેમનું જ્ઞાનસામર્થ્ય કેવું અદ્ભુત હતું, તેમનો મોક્ષમાર્ગનો નિશ્ચય કેવો દઢ હતો એની સહજ પ્રતીતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધ્યયનથી થાય છે. તેમાં તેમની આત્મજ્ઞાનની ખુમારી, તેમને ઉપલબ્ધ આત્મસાક્ષાત્કારની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે કરેલ મોક્ષમાર્ગનું નિરૂપણ દર્શાવે છે કે તેઓ અધ્યાત્મમાં ઊંડા ઊતરી ગયા હતા, અધ્યાત્મવિકાસ પામવા પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા હતા અને તે જ ભાવોમાં નિરંતર ઝૂલતા હતા. તેમણે આત્માનુભૂતિના આધારે મોક્ષમાર્ગને શબ્દદેહ આપી, જગતના જીવો સમક્ષ મૂક્યો છે. જિનેશ્વરનાં વચનોના આધારે સ્વયં સ્વરૂપ રમણતારૂપ ચારિત્રમાં સ્થિર થઈ તેમણે મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે. તેમણે જિનેશ્વર પ્રભુની દેશનાને ચિંતન, મનન અને નિદિધ્યાસનપૂર્વક જીવનમાં ઉતારી, પોતાના મનોભાવોને શબ્દનું રૂપ આપી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના દ્વારા વીતરાગ શાસનની મહાપ્રભાવના કરી છે. ચૌદ પૂર્વનો સાર જેમાં ગર્ભિત છે તેવું અધ્યાત્મભાવોને જાગૃત કરનાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ તેમના આધ્યાત્મિક વિકાસને સૂચિત કરનારો અણમોલ ગ્રંથ છે. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા લખે છે કે - શ્રીમાન રાજચંદ્રની આત્મસિદ્ધિ શ્રી મહાવીર દેવના પવિત્ર માર્ગનું ભાન કરાવનાર, દિશા દેખાડનાર, મોક્ષમાર્ગ બતાવનાર પરમ શાસ્ત્ર છે. ..... મોક્ષમાર્ગ લોપ થવાનાં શું કારણો છે, એ બતાવી તે કેમ ટળે? એ આદિ શ્રી મહાવીરદેવે પ્રકાશેલ માર્ગનું સત્ત્વ આ નાના ગ્રંથમાં આપ્યું છે. વિચારશીલ જીવોને આ પરમ કલ્યાણના હેતુરૂપ થશે.” આ અમૂલ્ય ગ્રંથ સર્વ આરાધકો માટે માર્ગદર્શકરૂપ બની રહે એમ છે. અધ્યાત્મવિકાસને ઇચ્છતા સાધકને માટે મોક્ષમાર્ગના સ્વરૂપની સ્પષ્ટતા અનિવાર્ય બની જાય છે. સાધકને જે પંથે આગળ વધવું હોય, તે પંથના સ્વરૂપથી જો તે યથાર્થપણે પરિચિત 1- ‘શ્રીમાનું રાજચંદ્રની જન્મજયંતી પ્રસંગે થયેલાં વ્યાખ્યાનો', પૃ.૧૦૧-૧૦૨ Page #499 -------------------------------------------------------------------------- ________________ 466 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન હોય તો જ સરળતાથી પ્રગતિ કરી શકે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આ આવશ્યકતા પૂર્ણ કરે છે. આત્મહિતના ઇચ્છક જિજ્ઞાસુ જીવોને સત્ય સનાતન માર્ગનું યથાર્થ સ્વરૂપ તથા તે માર્ગમાં કેવી રીતે પ્રવર્તન કરવી તેનું સચોટ માર્ગદર્શન આ ગ્રંથ આપે છે. એક જ ગ્રંથમાં શ્રીમદે સાધકને ઉભવતી સર્વ જિજ્ઞાસા સંતોષી છે. તેમણે સાધનાનાં સોપાન ઉપર આરોહણ કરતાં સાધનાનો સાવંત માર્ગ પ્રગટ કર્યો છે. તેમણે સાધકને અનુભવના ક્ષેત્રનું ખેડાણ કરવા માટે પ્રેરણા કરી છે. નિજ શુદ્ધતા તે જ મોક્ષ છે એમ સ્પષ્ટ કરીને તેમણે નિજ શુદ્ધતાની પ્રાપ્તિનો રાજમાર્ગ પ્રગટ કર્યો છે, જે આત્મસાધના કરનારાઓ માટે સહાયક અને પ્રોત્સાહક છે. તે દ્વારા શાસ્ત્રોનાં સાંકેતિક રહસ્યોનું ભાન થાય છે અને શ્રી મહાવીર પ્રભુનું બોધિતત્ત્વ સત્વર પ્રકાશ પામે છે. તેનો મર્મ વિચારતાં મોક્ષમાર્ગ ઉપર આરૂઢ થયેલો જીવ કશે પણ ભૂલો પડતો નથી. આ શાસ્ત્રનો મહાન ચમત્કાર એ છે કે તેનું લખાણ પ્રાચીન શાસ્ત્રોથી સહેજ પણ વિરોધી નથી, ઊલટું તેમાં રહેલી ખૂબીઓ સમજાવી સતુશાસ્ત્રો પ્રત્યે વાચકના અંતરમાં માન પ્રગટાવે છે. ધર્મનું લોકોત્તર સ્વરૂપ તેનાથી સમજાય છે, વૃત્તિને સન્માર્ગે વાળવાનું તે પ્રબળ સાધન છે અને તેનો બોધ ભવસાગર તરવા માટે અદ્ભુત યાન સમાન છે. જે જીવ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને સબુદ્ધિથી અવલોકશે તે અવશ્ય ધર્મનું માહાભ્ય જાણશે અને ધર્મની સન્મુખ થશે. શ્રીમદે બોધેલ માર્ગનો પરમાર્થ વિચારતાં તે બોધ જીવોના આ ભવ તેમજ પરભવના સાર્થક્યના કારણરૂપ થાય છે, તેથી તેને યથાર્થરૂપે સમજીને જીવે પોતાનું આત્મકલ્યાણ કરવા યોગ્ય છે. તેના તલસ્પર્શી અવગાહનથી મોક્ષમાર્ગનું સાચું હાર્દ પામી શકાય છે. પૂર્વે બાંધેલા ખ્યાલોને છોડી, મધ્યસ્થ ભાવે તેમાં ઊંડા ઊતરી તેના ગંભીર ઉદાર આશય વાંચે-વિચારે તો જીવોને અવશ્ય માર્ગ સૂઝે અને શ્રી મહાવીર ભગવાનના પવિત્ર શાસનનું ગૌરવ હૈયે વસે. શુદ્ધ અધ્યાત્મમાર્ગે પ્રયાણ કરતાં ઉત્તરોત્તર શુદ્ધિ વધવાથી જીવ ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને સ્પર્શતો મોક્ષમાર્ગે આગળ વધતો જાય છે અને આત્મશુદ્ધિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરીને શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે. આ પ્રકારે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અધ્યાત્મના પૂર્ણ વિકાસ માટે મોક્ષમાર્ગનું સંપૂર્ણ રહસ્ય ઉદ્ઘાટિત કર્યું છે, જીવને અધ્યાત્મમાર્ગે લઈ જવા સુંદર ઉપદેશ આપ્યો છે. તેમણે છ પદનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા સમજાવીને મોક્ષમાર્ગની આરાધના કરનારને સુંદર બોધ આપ્યો છે. તેમણે જ્ઞાન અને ક્રિયા ઉભયનું સાફલ્ય દર્શાવ્યું છે. તેમણે આત્માની સત્તાગત શુદ્ધતા કેવી રીતે સાધી શકાય તેની ગૂંથણી આ ગ્રંથમાં કરી છે. સાધક એક પછી એક સોપાન સિદ્ધ કરી પૂર્ણતાને પામે ત્યાં સુધીના સાધનામાર્ગનું ક્રમિક વર્ણન અને તે અંગેનું માર્ગદર્શન તેમાંથી પ્રાપ્ત થાય Page #500 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 467 છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી સાધકને સાધનામાર્ગનું સાદ્યત માર્ગદર્શન મળી રહે છે. શ્રીમદે પ્રબોધેલો માર્ગ સ્વયંની આત્મચિકિત્સા કરીને જ પ્રબોધાયેલો હોવાથી તે પરમાર્થનો સાક્ષાત્ હેતુભૂત છે અને તેથી તે નિઃસંશય સર્વથા સેવવા યોગ્ય છે, એકનિષ્ઠપણે અનુસરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. વિવેકી પુરુષો તેનું સ્વરૂપ જાણીને, શ્રદ્ધીને આરાધશે તો કર્મબંધન ટાળી અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે. આ રીતે મોક્ષમાર્ગના મહાપ્રભાવક શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધર્મનું સસ્વરૂપ સમજાવ્યું છે. તેમણે મોક્ષમાર્ગને દર્શાવનાર અદ્ભુત શાસ્ત્રોના વિશાળ અર્થરહસ્યને એક એક ગાથામાં સમાવી દઈ, શાસ્ત્રોના સારને સંક્ષેપમાં પ્રગટ કરી, પોતાના મહાસામર્થ્યનો પરિચય કરાવ્યો છે. તેની એક એક ગાથા પરમપદ પ્રાપ્ત કરાવવા માટે પરિપૂર્ણપણે સમર્થ છે. તેમના એક એક વચનમાં અનુભવજ્ઞાનનો, જીવન સાથે એકરસ બની ગયેલા બોધનો મધુર રણકો સાંભળવા મળે છે, જે સહૃદય અને તત્ત્વજિજ્ઞાસુ જીવોના અંતરને સહજપણે સ્પર્શી જાય છે. આમ, માર્ગપ્રકાશનના દુષ્કર કાર્યને પણ સુકર કરનાર શ્રીમદ્ જેવા સાહસવીરો આ જગતમાં અવતરે છે ત્યારે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના નિર્માણ જેવાં શ્રેષ્ઠ કાર્યો કરી જગતને આશ્ચર્યમુગ્ધ કરી દે છે અને એ રીતે મોક્ષમાર્ગને પામવાની ઇચ્છાવાળા જીવો ઉપર મહાન ઉપકાર કરે છે. મોક્ષમાર્ગના પ્રતિપાદનને સ્વપરકલ્યાણનું પરમ કારણ સમજી, કરુણાસાગર શ્રીમદે અજ્ઞાન-અંધકારમાં અથડાતા-કુટાતા આત્માઓને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરીને, તેમને સન્માર્ગના સાચા પથિક બનાવવાના પરમ સુકૃતનું ઉપાર્જન કર્યું છે. આવા ભવ્ય પુરુષાર્થનું દર્શન કરીને સજ્જનોનાં નેત્રો આનંદનાં અશ્રુઓથી સજળ બને છે, હૃદય ભાવવિભોર બની ગદ્ગદિત થાય છે અને તે મહાપુરુષ પ્રત્યે અહોભાવથી નમ બનેલાં મસ્તકો તેમના ચરણોમાં મૂક્યા વિના રહી શકતાં નથી. (7) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જ્ઞાનયોગ મહાન પૂર્વાચાર્યોએ જુદાં જુદાં રૂપે ગદ્ય-પદ્યમાં જ્ઞાનયોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્રીમદે પણ અધ્યાત્મવિકાસમાં જ્ઞાનયોગની આવશ્યકતાને લક્ષમાં રાખી, પૂર્વાચાર્યોની પરંપરાનો આધાર રહી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તેનું નિરૂપણ કર્યું છે. તેમણે અગાધ શાસ્ત્રસમુદ્રનું દોહન કરીને આ ગ્રંથમાં સારરૂપ તત્ત્વ નિરૂપિત કર્યું છે. તેમણે જ્ઞાનયોગનો અદ્ભુત મહિમા કાવ્યાત્મક શૈલીથી સાધકો સમક્ષ નિદર્શિત કર્યો છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના માનવભવનું સાર્થકપણું નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વરૂપનો નિર્ણય તથા નિશ્ચય અને સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ આવશ્યક છે. હું કોણ છું?', ‘મારું સ્વરૂપ કેવું છે?', ‘મારો આત્મવૈભવ કેવો મહાન છે?’, ‘મારામાં Page #501 -------------------------------------------------------------------------- ________________ 468 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કેવાં ગુણરત્નોનો ભંડાર છે?' ઇત્યાદિનો વિચાર કરી જીવ સ્વસ્વરૂપનો નિશ્ચય કરે તો નિજસ્વરૂપની પ્રાપ્તિ માટે ઝૂરણા થાય, ચૈતન્યપદનો અપૂર્વ મહિમા જાગે અને તેનો ઉપયોગ અંતરમાં વળે. સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધુ દઢ થતાં આત્મચિંતનમાં ઊંડાણ વધે. વિકલ્પો ઉત્તરોત્તર સૂમ થતા જઈ, કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પોનો અભાવ થઈ નિર્વિકલ્પ સ્વસંવેદન થાય અને જીવ આત્માનંદનો અનુભવ કરે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવગાહન કરતાં કહી શકાય કે શ્રીમદે જ્ઞાનયોગની સમસ્ત પ્રક્રિયાને તેમાં ગૂંથી લીધી છે. તેમણે તેમાં જ્ઞાનયોગના બહુમૂલ્ય સિદ્ધાંતોનું સ્પષ્ટ અને સુરેખ પ્રતિપાદન કર્યું છે, જ્ઞાનયોગને લગતા અનેક વિષયોને આવરી લીધા છે. તેમણે જ્ઞાનયોગ સાધવાની વિધિ, વિચારનું માહાભ્ય, તત્ત્વવિષય, જ્ઞાનયોગ ગ્રહણ કરવા માટે પાત્ર તથા અપાત્ર જીવોનાં લક્ષણ, જ્ઞાનયોગને સિદ્ધ કરનારા જીવોની દશા આદિ વિષયોનું તેમાં નિરૂપણ કર્યું છે. તેમણે જીવને સંસારથી વૈરાગ્ય જાગે, વસ્તુસ્વરૂપ સમજાય અને ભેદજ્ઞાન થાય તે અર્થે જુદા જુદા વિષયોની ચર્ચા કરી, જ્ઞાનયોગનાં ઉત્તમ રહસ્યોને તેમાં ગૂંથી લીધાં છે. સંસારગ્રીષ્મના તાપથી આકુળ થયેલા જીવોને આ પવિત્ર બોધ મેઘની જળધારા સમાન શીતળકારી છે. સંસારરૂપી ખારા પાણીના સમુદ્રમાં પ્રવાસ કરતા તરસ્યા જીવોને આ ગ્રંથ શીતળ અમૃતરસના ઝરણા સમાન છે. તેની એક એક ગાથા અતિ માર્મિક અને ગંભીર ભાવોથી ભરેલી છે. જ્ઞાનયોગની ગહનતા ગ્રંથની ગરિમાને વધારે છે. શ્રીમદ્ જ્ઞાનયોગનું માહાત્મ જાણતા હોવાથી તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનવિચારણા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જ્ઞાનવિચાર દ્વારા આત્મા ઉપર લક્ષ કેન્દ્રિત થાય છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એક આત્મજ્ઞાન છે અને તે આત્મવિચાર વિના ઉદ્ભવતો નથી, તેથી આત્મજ્ઞાનના કારણરૂપ એવી અપૂર્વ આત્મવિચારણાને જાગૃત કરવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અમૂલ્ય સદ્બોધ આપવામાં આવ્યો છે. તેમાં દર્શાવાયેલો સર્વિચારનો મહિમા તરત ધ્યાન ખેંચે છે. શ્રીમદે તેમાં તત્ત્વવિચારણા કરવા પ્રેરણા કરી છે અને આત્મસ્વરૂપની વિચારણામાં સ્થિર રહી, આત્માની ઉન્નતિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આત્મવિચારને તેમણે આપેલ પ્રાધાન્યનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે તેમણે ગાથા ૨માં “વિચારવા આત્માર્થીને', ગાથા ૧૧માં “ઊગે ન આત્મવિચાર', ગાથા ૧૪માં “તે તે નિત્ય વિચારવા', ગાથા ૨૨માં “સમજે એક વિચાર’, ગાથા ૩૭માં “એમ વિચારી અંતરે', ગાથા ૪૦માં “તે બોધે સુવિચારણા', ગાથા ૪૧માં જ્યાં પ્રગટે સુવિચારણા', ગાથા ૪૨માં “ઊપજે તે સુવિચારણા', ગાથા પ૯માં “અંતર કર્યો વિચાર', ગાથા ૭૪માં “જુઓ વિચારી ધર્મ', ગાથા ૧૦૬માં “પૂજ્યાં કરી વિચાર', ગાથા ૧૧૭માં “કર વિચાર તો પામ', Page #502 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 469 ગાથા ૧૨૮માં “વિચારતાં વિસ્તારથી', ગાથા ૧૨૯માં “ઔષધ વિચાર ધ્યાન', ગાથા ૧૪૧માં “સ્થાનક પાંચ વિચારીને' એમ કુલ 15 વાર વિચાર' શબ્દનો પ્રયોગ કર્યો છે. “કર વિચાર તો પામ' એ સૂત્રમાં તો સમસ્ત જ્ઞાનયોગનો સાર સમાઈ જાય છે. આત્મવિચાર એ આત્મજ્ઞાનનું કારણ છે, પરંતુ આત્મવિચાર છૂટ્યા પછી જ આત્માનુભૂતિ થાય છે. જેમ વાંદરાને કોઈ એક ઝાડની પહેલી ડાળથી પચ્ચીસમી ડાળે પહોંચવું હોય તો તે પહેલી ડાળથી બીજી ડાળ ઉપર અને બીજીથી ત્રીજી ઉપર, એમ પહેલાંની ડાળોને છોડતો છોડતો વચ્ચેની ડાળો ઉપર પક્કડ જમાવીને કૂદતો કૂદતો પચ્ચીસમી ડાળ ઉપર પહોંચે છે. જેમ વચ્ચેની ડાળોને પકડ્યા વિના પચ્ચીસમી ડાળે પહોંચાતું નથી, તેમ તે ડાળો છોડ્યા વિના પણ પચ્ચીસમી ડાળે પહોંચાતું નથી. તેવી જ રીતે વિચારને છોડ્યા વિના સ્વસંવેદન થતું નથી, પરંતુ એ ભૂમિકા સુધી પહોંચવા માટે આત્મવિચાર આવશ્યક પણ છે જ. વિસ્તારપૂર્વક વિચાર કરવાથી જીવાજીવનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે, જ્ઞાન અને ક્રિયાની વિશુદ્ધિ થવાથી સમ્યકત્વનો ઉદય થાય છે, સંયમમાં દઢતા થાય છે અને પરિણામે મોક્ષ થાય છે; તેથી શ્રીમદે મુમુક્ષુઓને વારંવાર આત્મવિચારણા કરવાની ભલામણ કરી છે. વિચારનું મહત્ત્વ દર્શાવવા સાથે શ્રીમદે કેવા પ્રકારના વિચાર કરવા એ પણ આ ગ્રંથમાં સમજાવ્યું છે. તેમણે સાદી સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનનો વિષય ગૂંથી, તેની વિચારણા કરવા જણાવ્યું છે. તત્ત્વજ્ઞાનથી સભર એવા આ શાસ્ત્રમાં તેમણે આત્મતત્ત્વની પ્રાપ્તિનું રહસ્ય દર્શાવ્યું છે. દેહભાવ છોડીને આત્મામાં સ્થિતિ કરવાનું તેઓ ભારપૂર્વક જણાવે છે. તેમનો ઉદ્દેશ આત્મા અને પુદ્ગલ વચ્ચે ભેદજ્ઞાન કરાવવાનો છે, તેથી આત્મા કેવો છે અને તેનું યથાર્થ રૂપ કેવું છે તે તેમણે પ્રગટ કર્યું છે. તેમણે સમગ્ર દર્શન અને તત્ત્વજ્ઞાનના આધારભૂત એવાં આત્માનાં છ પદનું સ્પષ્ટ અને સચોટ આલેખન કર્યું છે. આ છ પદનું નિરૂપણ તેમણે સુવિચારણા પ્રગટાવવા કર્યું છે. આ પ્રયોજન દર્શાવતાં તેઓ લખે છે - ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી.” (42) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છ પદ સંબંધીનું ક્રમબદ્ધ, તર્કબદ્ધ, સુવ્યવસ્થિત, વિકાસોન્મુખી, અત્યંત વ્યાપક અને ગહન જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમણે છ પદ સંબંધી ઊઠનારા પ્રશ્નોનાં સહજ સમાધાન આપ્યાં છે, કારણ કે એવા પ્રકારની શંકાઓ રહે તો જીવને આત્મસ્વરૂપ સંબંધી નિઃશંકતા આવતી નથી. મુક્તિમાર્ગે છ પદની ઉપયોગિતા અને મહત્તાનો નિર્ણય ન થયો હોય તો આત્મમય રહેવાનો પુરુષાર્થ જાગૃત થતો નથી. Page #503 -------------------------------------------------------------------------- ________________ 470 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ વાતને ધ્યાનમાં રાખીને શ્રીમદે તત્ત્વવિચારના ક્ષેત્રમાં છ પદનું આગવું સ્થાન બતાવીને તે સંબંધી સહજ જિજ્ઞાસાઓને સંતોષી છે. આત્મવિચાર અર્થે છ પદનું અત્યંત વિશદ, સ્પષ્ટ અને સર્વાગી નિરૂપણ કર્યું છે. છ પદના માધ્યમથી શ્રીમદે આત્મસ્વરૂપ સંબંધી સુંદર પ્રકાશ પાડ્યો છે. નિશ્ચયનયની દષ્ટિએ આત્મા કેવો છે? વ્યવહારનયની દૃષ્ટિએ આત્મા કેવો છે? આત્માની મોક્ષ અવસ્થા કેવી છે? આદિ બાબતો અન્ય ગ્રંથોની સહાય વગર સમજી શકાય તેટલી સરળ રીતે રજૂ કરી છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જીવનું સ્વરૂપ એક જ્ઞાયકભાવ છે, તેમજ તેને સ્વભાવનું કર્તુત્વ અને ભોક્નત્વ છે; પરંતુ જ્યારે જીવ સ્વભાવમાં સ્થિર નથી હોતો ત્યારે તે વ્યવહારનયની દૃષ્ટિથી કર્મનો કર્તા અને ભોક્તા છે - આ સર્વ સિદ્ધાંતો સમજાવવાનો તેમનો પ્રયત્ન અત્યંત સફળ રહ્યો છે. જે વાત પૂર્વાચાર્યોએ કરી છે, તે જ વાત સંક્ષેપમાં તેમણે આ ગ્રંથમાં સમાવી દીધી છે. તેમાં ઊંડા ઊતરવાથી તેનું રહસ્ય પ્રાપ્ત થાય છે. તેમણે આ ગ્રંથમાં વિચારવા યોગ્ય એવા નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્ત આદિ ગહનતમ વિષયોને ગૂંથ્યા છે. મુમુક્ષુઓ માટે તેમાં વિચારવા, મનન કરવા માટે અખૂટ ખજાનો છે. જો શાંત અને વૈરાગ્યયુક્ત ચિત્તથી તેની વારંવાર વિચારણા કરવામાં આવે તો અવશ્ય જીવનું કલ્યાણ થાય. આમ, શ્રીમદે શેનો વિચાર કરવો જોઈએ તેનું, અર્થાત્ વિચારના વિષયનું આલેખન કર્યું છે અને એ વિચારણાનું ફળ બતાવતાં તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખે છે - “સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.' (1941) વળી, શ્રીમદે સુવિચારનો આધાર, અર્થાત્ સુવિચારણા કોના દ્વારા થાય તે દર્શાવતાં જણાવ્યું છે કે સુવિચારણા જાગૃત કરવા માટે પ્રત્યક્ષ સગુરુનો બોધ તે ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ સાધન છે, પરંતુ તેમનો યોગ ન થયો હોય તો, અથવા યોગ થયો હોય પણ સમાગમ નિરંતર ન રહેતો હોય તો, મહાપુરુષોનો ચૈતન્યસ્વરૂપી આત્મા જેમાં અક્ષરસ્વરૂપે વ્યક્ત થયો છે એવા સતુશાસ્ત્રનું અવલંબન જીવને ઉપકારી નીવડે છે. પ્રત્યક્ષ સગુરુનો વિરહ હોય ત્યારે સતુશાસ્ત્રનો આધાર લેતાં અથવા સગુરુની આજ્ઞાએ સતુશાસ્ત્રનો અભ્યાસ કરતાં જીવને સુવિચારણા પ્રગટે છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રીમદ્ લખે છે - આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” (13) અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” (14) Page #504 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 471 સાધનાક્ષેત્રે વિકાસ સાધતો સુપાત્ર જીવ શાસ્ત્રના આધારે આગળ વધી શકે છે. શાસ્ત્રો જીવને મોક્ષમાર્ગ સંબંધી શાસન (આજ્ઞા) કરે છે અને ભવભયથી ત્રાણ (રક્ષણ) કરે છે. શાસ્ત્રોથી તેનો સાધનામાર્ગ પ્રકાશિત થાય છે અને તે તેને વિચારજાગૃતિ, વિવેક, વૈરાગ્યમાં કારણભૂત થાય છે. સતુશાસ્ત્રનું અવલંબન જીવને દુર્ગતિમાં પડતો અટકાવે છે અને તેને સદ્ધર્મમાં ધારી રાખી, આત્મોન્નતિના પંથે ચઢાવે છે. ભવરોગનું નિવારણ ઇચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. સતુશાસ્ત્રને પ્રમાણભૂત ગણી તદુક્ત વિધિ અનુસાર આદરથી પ્રવર્તતાં તે આત્મહિતનો હેતુ થાય છે. વીતરાગના વદનહિમાદ્રિમાંથી નીકળેલી, શાંતસુધારસના કલ્લોલો ઉછાળતી શ્રુતગંગાના નિર્મળ નીરમાં જે આત્મા નિમજ્જન કરે છે, તે શીતળ, શુદ્ધ અને શાંત થાય છે. શાસ્ત્રનો મહિમા દર્શાવવાની સાથે સાથે શાસ્ત્રોના દુરુપયોગ સામે શ્રીમદે ચેતવણી પણ આપી છે. કેટલાક જીવો શાસ્ત્રો વાંચી, પોતાની મતિકલ્પનાએ તેના મનફાવતા અર્થ કરી, ક્રિયાઓ ઉત્થાપી શુષ્કજ્ઞાની બની જાય છે. તેઓ પોતાને જ્ઞાની માને છે અને મનાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ અનેક શાસ્ત્રો વાંચે છે, પણ તત્ત્વના અનુભવનો તેમને સ્પર્શ થતો નથી, તેથી તે શાસ્ત્રો તેમને બોજારૂપ બને છે. તેવા જીવોનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ લખે છે - અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સવ્યવહારને, સાધન રહિત થાય.” (29) મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” (137) શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગ માટેની સાધનદશા, અર્થાત્ સાધક માટે જરૂરી અધિકારીપણું પણ વર્ણવ્યું છે. સૂર્યોદય થતાં પહેલાં જેમ પરોઢ થાય છે, તેમ આત્મજ્ઞાન પ્રગટતાં પહેલાં જીવમાં સાધકપણાનાં લક્ષણ ખીલી ઊઠે છે. આ પાત્રતા કેળવાયા વિના જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી. સગુણોની પ્રાપ્તિ વિના સર્વ શ્રેયના હેતુભૂત એવા સદ્ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેથી જ શ્રીમદે મતાર્થી-આત્માર્થીનાં લક્ષણોનું વિશદ નિરૂપણ કર્યું છે. મતાર્થ વિદ્યમાન હોય ત્યાં સુધી સાધકના જીવનમાં કેવી હોનારતો સર્જાઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ શ્રીમદે કર્યું છે. આ બધા જ વિષયો સાધકના જીવનમાં પરિવર્તન લાવવામાં સહાયક બને છે. શ્રીમદ્ સ્વયં જ્ઞાનયોગના ક્ષેત્રમાં ઊંડા ઊતર્યા હોવાથી તેની પૂર્વભૂમિકારૂપ જે સાધનદશાની આવશ્યકતા તેમને જણાઈ તેનો ઉલ્લેખ તેમણે કર્યો છે. આટલું સૂક્ષ્મતાથી કરેલું સ્પષ્ટીકરણ અનુભવ વિના શક્ય નથી. તેમણે દર્શાવ્યું છે કે સાધકમાં કષાયોનું શમન થયેલું હોય છે, મોક્ષની અભિલાષા હોય Page #505 -------------------------------------------------------------------------- ________________ 472 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, સંસારનો થાક લાગ્યો હોય છે, સર્વ જીવો પ્રત્યે અનુકંપા હોય છે, હર્ષ-શોકમાં સમતા હોય છે, ક્ષમાશીલતા હોય છે, તન-મન-વચનથી સાચી સત્યપરાયણતા હોય છે, ત્યાગબુદ્ધિ હોય છે, ચિત્તમાં વૈરાગ્યનો રંગ લાગ્યો હોય છે. જીવમાં જેમ જેમ આ ગુણોની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં આત્મજ્ઞાન પામવાની યોગ્યતા ઉત્તરોત્તર વધતી જાય છે અને પ્રાંતે તે આત્મજ્ઞાનને પામી કૃતાર્થ બને છે. આમ, શ્રેયાર્થીએ અવશ્ય પ્રગટાવવા યોગ્ય એવા સદ્ગુણોનું તેમણે નિરૂપણ કર્યું છે કે જે સદ્ગુણો દ્વારા જ્ઞાનયોગની સિદ્ધિ કરી શકાય છે. જ્ઞાનદશાની આગાહી કરતી સાધનદશાનું નિરૂપણ કરતાં શ્રીમદ્ લખે છે - કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' (38) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” (108) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” (138) જેમણે જ્ઞાનયોગ સિદ્ધ કર્યો છે તેવા પુરુષોની દશાનું નિરૂપણ પણ શ્રીમદે કર્યું છે. તેમણે પૂર્ણ જ્ઞાની - કેવળજ્ઞાની કે જેમને નિરંતર આત્માનું જ્ઞાન વર્તે છે, તેમનું વર્ણન તો કર્યું જ છે, પણ તેમણે આત્મજ્ઞાનીની દશાનું વર્ણન પણ સ્પષ્ટપણે કર્યું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જીવને આત્મસ્વભાવનાં અનુભવ, લક્ષ, પ્રતીતિ રહે છે તથા વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે. જેમ જેમ આત્માનો અનુભવ વધે છે, સમ્યકત્વ ઉજ્વળ બને છે; તેમ તેમ મિથ્યાભાસ ટળે છે અને સ્વચારિત્રનો - આત્મચારિત્રનો ઉદય થાય છે. શ્રીમદે જ્ઞાની પુરુષ અને વાચાજ્ઞાની-શુષ્કજ્ઞાની વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટપણે દર્શાવ્યો છે. અમોહરૂપ જ્ઞાનદશા ઊપજી નથી એવા શુષ્કજ્ઞાનીઓ ભલે પોતાને જ્ઞાની ગણાવે, પરંતુ તે તેમની ભાંતિ જ છે. જ્ઞાનપ્રકાશ સાંપડ્યો ન હોવાથી તેઓ મોહઅંધકારમાં ગોથાં ખાધા કરે છે. જ્યાં સુધી તેમણે સઘળા જગતને એઠવત્ તથા સ્વપ્ન સમાન જાણ્યું નથી, ત્યાં સુધી તે સર્વ વાચાજ્ઞાન છે. સર્વ બાહ્ય સંયોગોનું અનિત્યપણું અને તુચ્છપણું જાણ્યું છે એવા જ્ઞાની પુરુષો તો કશે પણ અહંત્વ-મમત્વ કરતા નથી, રાગ-દ્વેષ ધરતા નથી, ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ચિતવતા નથી; તેમને તો સર્વત્ર અદ્ભુત સમતા જ વર્તે છે. જ્ઞાનીપુરુષ તો માનથી તલવારની જેમ, વસ્ત્રથી દેહની જેમ, દેહાદિ સમસ્ત પરથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યમય આત્મતત્ત્વનો અનુભવ કરે છે. આ Page #506 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 473 જ્ઞાનદશાનું સ્વરૂપ પ્રકાશતાં શ્રીમદ્ લખે છે - વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” (111) મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.' (139) સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” (140) દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.... (142) આ પ્રકારે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જ્ઞાનયોગને સાંગોપાંગ ગૂંથી લીધો છે. આ શાસ્ત્ર જ્ઞાનયોગના ખરા ઊંડાણનો અને તેની સાચી ગહનતાનો સુંદર સ્પર્શ કરાવે છે. આ શાસ્ત્રમાં જ્ઞાનયોગની ચરમ સીમા છે, જ્ઞાનયોગનું હાર્દ છે, અધ્યાત્મનો તલસાટ છે, ભાવની ગૂઢતા છે. તેમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણાં વહી રહ્યાં છે. તેની પ્રત્યેક ગાથા ગંભીર આશયથી ભરપૂર છે. જેમ જેમ તે વિચારવામાં આવે છે, તેમ તેમ તેમાંથી રહસ્યના પુંજ નીકળતા જાય છે. તેનો માત્ર શબ્દાર્થ કે વાચ્યાર્થ લેવાનો નથી, પરંતુ તેમાંથી તાત્ત્વિક સૂક્ષ્મ અર્થ ગ્રહણ કરવાનો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સામાન્ય કોટિનો ગ્રંથ નથી, પરંતુ જ્ઞાનશક્તિને ખીલવી સાચે રસ્તે લઈ જનાર ગ્રંથ છે. તેમાં ગહનતા, ગંભીરતા તથા ન્યાયસંગતતા ઝળકે છે. તેમાં શ્રીમદે આત્માનાં છ પદનાં ઊંડાં રહસ્યોને સપ્રમાણ રીતે રજૂ કરીને આત્મસ્વરૂપનો વાસ્તવિક પરિચય કરાવ્યો છે. શ્રીમદે તેમાં તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો નિચોડ એવી સરળ અને સુબોધ ભાષામાં પ્રસ્તુત કર્યો છે કે તત્ત્વજ્ઞાનના અધ્યયન સમયે આવતી સર્વ મુશ્કેલીઓનું સહજતાથી સમાધાન થઈ, સત્ય તત્ત્વનું જ્ઞાન થાય છે. જે ગૂઢ સવાલો, શંકાત્મક વિચારો ચિત્તવૃત્તિને અશાંત કરી ડહોળી નાખે છે, તે બધાનું આશ્ચર્યકારક નિરાકરણ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અનુપ્રેક્ષણથી, પુનઃ પુનઃ ચિંતવનથી થાય છે. સામાન્ય વાંચનથી તેમાં રહેલ રહસ્ય પકડી શકાતું નથી, પણ ફરી ફરી તેનું અવગાહન કરતાં તેમાં રહેલ રહસ્ય ખૂલતું જાય છે. આ ગ્રંથનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવામાં આવે તો હૃદય ખીલી ઊઠે છે. તેનો અપૂર્વ બોધ સ્થિર ચિત્તે વાંચતાં પ્રસન્નતા અનુભવાય છે. તેનો અમૂલ્ય ઉપદેશ આત્માને શાંતિ આપે છે. જે કોઈ તત્ત્વપિપાસુ સુરુચિપૂર્વક તેનું અધ્યયન કરી પરિણમન કરે છે, તેના મોહનો અવશ્ય પરાજય થાય છે. શ્રીમની પરિપક્વ વાણીની ઉપાસના કરવાથી અનાદિ અજ્ઞાનના સંસ્કાર ભેદાય Page #507 -------------------------------------------------------------------------- ________________ 474 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, નાશ પામે છે. તત્ત્વરસિક સજ્જન આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ જાહ્નવીમાં નિમજ્જન કરી, તત્ત્વસુધારસપાનનો આસ્વાદ લઈ ધન્યતા અનુભવે છે. આ વિશિષ્ટ ગ્રંથથી જ્ઞાનયોગના રસિકોને અપૂર્વ આનંદ સાથે એક અગત્યની પૂર્તિ થયાનો અનુભવ થાય છે. અસાધારણ તેજસ્વિતા અને બુદ્ધિના સ્રોતરૂપ શ્રીમનો આ ગ્રંથ પૃથ્વી ઉપર સુપાત્ર જીવોને સંપત્તિરૂપ થઈ પડ્યો છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તાત્ત્વિક તેમજ બોધદાયી છે, જે જિજ્ઞાસુઓને અનેક રીતે તત્ત્વગ્રહણ કરાવનાર તથા પ્રેરણાદાયી બને તેમ છે. તે ખૂબ જ સુંદર તથા વેધક પ્રકાશ પાડનાર અને તત્ત્વચિંતનને પ્રોત્સાહન આપનાર સતુશાસ્ત્ર છે. તે તત્ત્વજિજ્ઞાસુ વર્ગની જિજ્ઞાસાઓને સંતોષી શકે એવું સમૃદ્ધ અને ચિંતનસભર છે, જેના ઉપરથી શ્રીમનાં અભ્યાસ, ચિંતન-મનનનો સુંદર પરિપાક સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. વિશાળ જ્ઞાન અને અનુભવ વગર આટલી ઉચ્ચ કોટિનો બોધ આવી શકે નહીં. તેમના જ્ઞાનયોગના પ્રભુત્વ દ્વારા આ ગ્રંથ અતિ ઉચ્ચ કોટિનો રચાયો છે. જીવોને વૈરાગ્યવાસિત કરી, જ્ઞાન પમાડી, સંસારદુ:ખમાંથી મુક્ત કરવાના હેતુથી શ્રીમદે આ ઉપદેશ આપ્યો છે. અન્ય આત્માઓ સદ્ધર્મસમ્મુખ બને, શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે તે અર્થે તેમણે જ્ઞાનયોગના વિવિધ વિષયોને આ ગ્રંથમાં આવરી લીધા છે. તેમણે જે જાણ્યું, માણ્યું અને અનુભવ્યું, તે તેમણે વર્ણવ્યું છે. શ્રીમદ્દ સાધનાના ક્ષેત્રમાં જે અનુભવ થયો, તેનું તેમણે આ ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. જે જ્ઞાનપ્રાપ્તિ તેમણે કરી, તેને તેમણે અક્ષરબદ્ધ કરી પોતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ શાસ્ત્ર માત્ર અઠ્યાવીસ વર્ષની યુવાન ઉંમરે રચાયું છે, જે તેમની અદ્વિતીય સર્જનપ્રતિભાને આભારી છે. પંડિત સુખલાલજી લખે છે કે - મેં પ્રથમ પણ અનેક વાર “આત્મસિદ્ધિ' વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થો વિચાર્યા, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથક્કરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ “આત્મસિદ્ધિ' એ એક જ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય આવી જાય છે. જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિ'માં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે.૧ 1- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૩ Page #508 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 475 શ્રીમના અનુભવજ્ઞાનના આ અમૂલ્ય ઉદ્બોધનનું અધ્યાત્મસાધકો ઉપર અપરિમિત ઋણ છે. તેઓ આરાધક વર્ગ માટે અમૂલ્ય વારસો મૂકી ગયા છે. જગતનું મિથ્યાત્વદારિદ્રશ્ય દૂર કરવા તેમણે જગતને પરમાર્થસંપત્તિથી સમૃદ્ધ કર્યું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપે તેમણે જ્ઞાનયોગનું વ્યવસ્થિત, અસંદિગ્ધ, તર્કસંગત, સરલ અને સુબોધ પ્રતિપાદન કરનાર તથા જ્ઞાનયોગને સિદ્ધ કરવાની પદ્ધતિ બતાવનાર ઉત્તમ ગ્રંથનું દાન કર્યું છે. તેમના અનન્ય તત્ત્વમંથનના નવનીતરૂપ, આત્માનુભૂતિમય પરમ અમૃતરસથી ભરેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જ્ઞાનયોગનું ઊંચામાં ઊંચું શિખર છે. તેનો દિવ્ય પ્રકાશ દેશ-કાળ-જાતિના બંધનથી મુક્ત રહી, દૂર સુદૂરથી આત્માર્થી જનોને આકર્ષીને તેમને જ્ઞાનયોગની સાધનામાં ત્વરિત પ્રગતિ કરાવે છે. (8) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ભક્તિયોગ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર માં તત્ત્વજ્ઞાનની પ્રધાનતા હોવા છતાં શ્રીમદે તેમાં કુશળતાપૂર્વક ભક્તિયોગના સિદ્ધાંતને પણ ગૂંથી લીધો છે. તેમાં જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુભગ સંગમ નિહાળી શકાય છે. મોક્ષમાર્ગે આગળ વધવા માટે શ્રીમદે ભક્તિયોગને આવશ્યક માન્યો છે, તેથી આ ગ્રંથમાં અધ્યાત્મભાવોની સાથે સાથે ભક્તિભાવનું પણ દર્શન થાય છે. શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ભક્તિનું સ્વરૂપ અને તેનું ફળ સુપેરે પ્રગટ કર્યું છે. ભક્તિ આત્મા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે. ભક્તિ એટલે પરમાત્મા તથા સદ્ગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો ત્રિવેણી સંગમ. ભક્તિ એટલે તેમના દિવ્ય સ્વરૂપની ઓળખાણ. ભક્તિ એટલે તેમના લોકોત્તર ગુણોનું દર્શન અને તેમના પ્રત્યે હૃદયની પ્રીતિ. ભક્તિ એટલે આવી પ્રીતિના બળથી હૃદય ઝળહળી ઊઠતાં પ્રશસ્ત રાગયુક્ત ભાવોર્મિનું ઊછળવું. ભક્તિ એટલે ભાવવિભોર દશામાં શાંત થઈ જતાં અંતરના ઊંડાણમાં ઊતરી તેમને અનુભવથી મળવું, અર્થાત્ આત્મપ્રભુનો ભેટો થવો. - ભક્તિ એ મુક્તિનો રાજમાર્ગ છે. પ્રત્યક્ષ સગુરુનું શરણ સ્વીકારી, તેમની સેવા-ઉપાસના કરવામાં આવે તો શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ સરળ બની જાય છે તેવો અનંત જ્ઞાનીઓનો અનુભવ છે. મહાપુરુષોએ એકઅવાજે સદ્ગુરુની ભક્તિના પ્રાધાન્યનો સ્વીકાર કર્યો છે. શ્રીમદે પણ વારંવાર સદ્ગુરુની ભક્તિના મહિમાને પ્રગટ કર્યો છે. અધ્યાત્મક્ષેત્રે સફળતા મેળવવા ગુરુભક્તિનું આલંબન આવશ્યક છે એવો ભાવ તેમણે પોતાનાં લખાણોમાં અનેક વાર વ્યક્ત કર્યો છે. અધ્યાત્મવિકાસના અનન્ય કારણરૂપ એવા ગુરુનો મહિમા તેમણે ભિન્ન ભિન્ન પ્રકારે ગાયો છે. આ અમૂલ્ય અને અપૂર્વ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પણ તેમણે સદ્ગુરુનું અને શિષ્યનું સ્વરૂપ અને તેઓ Page #509 -------------------------------------------------------------------------- ________________ 476 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો છે. આ ગ્રંથ દ્વારા તેમણે સાધનામાર્ગમાં યોગ્ય-અયોગ્ય ગુરુનું સ્વરૂપ, ગુરુનું સ્થાન, ગુરુની આવશ્યકતા, ગુરુનો ઉપકાર, ગુરુનું બહુમાન, ગુરુ પ્રત્યે સમર્પણ, શિષ્યની યોગ્યતા, વિનયમાર્ગ આદિ ભક્તિયોગ સંબંધી વિષયોનું નિરૂપણ કર્યું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રથમ ગાથામાં જ ભક્તિયોગનું દર્શન જોવા મળે છે. તેમાં શ્રીમદ્ગી અદ્ભુત ગુરુભક્તિનાં દર્શન થાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ સગુરુથી થાય છે એવું સૂચવતા હોય તેમ તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પ્રારંભ પણ સદ્દગુરુને નમસ્કાર કરીને કર્યો છે, જેમાં તેમનું સદ્ગુરુ પ્રત્યેનું અપૂર્વ સમર્પણ તથા સદ્ગુરુના ઉપકારનું અદમ્ય વેદન દૃષ્ટિગોચર થાય છે. તેઓ સ્વરૂપ સમજાવનારા સદ્ગુરુને ભગવંતરૂપે જુએ છે. આ આઘમંગલરૂપ ગાથામાં તેમણે સાદામાં સાદા શબ્દોમાં ઊંચામાં ઊંચો ભાવ અને ઊંચામાં ઊંચું તત્ત્વ વ્યક્ત કર્યું છે. અત્યંત લોકપ્રિય અને સુપ્રસિદ્ધ એવી પહેલી ગાથામાં તેઓ લખે છે - જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” (1) શ્રીમદે આત્મસ્વરૂપ પામવા માટે સદ્ગુરુની આવશ્યકતા ઉપર ઠેર ઠેર બહુ જ ભાર મૂક્યો છે. જગતના જીવો ગતાનુગતિતાથી ધર્મ આચરતા હોવાથી તેમનાં જન્મમરણની ઘટમાળનો અંત આવતો નથી, પરંતુ સન્માર્ગના ભોમિયા એવા શ્રી સદ્ગુરુ સાધકને સાધનાનો ટૂંકો, સાચો અને રહસ્યમય રસ્તો બતાવે છે. અનુભવી પુરુષના સાનિધ્યમાં રહી, તેમના અનુભવનો લાભ મેળવીને, સહેલાઈથી સત્ય માર્ગે જઈ શકાય છે. કોઈ પણ પ્રકારની વિદ્યા કે કળા પ્રાપ્ત કરવી હોય તો તેને માટે તે તે વિષયના જ્ઞાતા પાસે રહી, તેમના દ્વારા અપાતા પ્રત્યેક માર્ગદર્શન પ્રત્યે પૂર્ણ લક્ષ આપી યથાર્થરૂપે સમજવામાં આવે, અપ્રમત્તતાપૂર્વક જરૂરી પ્રયત્ન કરવામાં આવે તો તે વિદ્યા કે કળા યથાર્થ રૂપમાં પ્રાપ્ત થાય છે. માત્ર પુસ્તક વાંચી જવાથી કે કોઈની પાસે તેને લગતી વાતો સાંભળવાથી તે વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. ‘ઊંડા જળમાં પડ્યા પછી હાથ-પગ હલાવવાથી તરી શકાય છે એવું માત્ર ગ્રંથમાં વાંચી, તરણકળાના નિપુણની સહાય વિના, તરતા ન આવડતું હોય એવો પુરુષ ઊંડા પાણીમાં ઝુકાવે અને હાથ-પગ હલાવે તો તેથી કંઈ તે તરી શકતો નથી પણ ડૂબી જાય છે; તેમ સદ્ગુરુના માર્ગદર્શન વિના વ્રત, તપ, શાસ્ત્રવાંચન, ધ્યાનાદિ કરનાર ભવસાગર તરી શકતો નથી. સામાન્ય સાધના માટે પણ પથદર્શક આવશ્યક હોય તો અનાદિ કાળનાં બંધનોથી મુક્ત થવા, અનાદિ કાળથી અવરાયેલા પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોના આવિર્ભાવ માટે ગુરુનું અવલંબન અતિ આવશ્યક હોય તેમાં બે મત નથી. આત્મભાંતિરૂપ અનાદિના રોગને Page #510 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 477 દૂર કરવા મહાન સદ્ગુરુરૂપ સુજાણ વૈદ્યની આજ્ઞારૂપ ચરી પાળી, વિચાર-ધ્યાનરૂપ ઔષધનું સેવન કરવામાં આવે તો આત્મ-આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ સિદ્ધાંતોનો આ સાર દર્શાવતાં શ્રીમદ્ લખે છે - આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' (129) સાધનાની સિદ્ધિ માટે દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ ચિંતામણિ રત્ન સાધકને ઉપકારી છે. તેમાં ધર્મતત્ત્વ ઉપાદેય-હેય-શેયનો બોધ આપે છે અને આત્માના શુદ્ધ ગુણો જેને સંપૂર્ણપણે પ્રગટ થયા છે એવું દેવતત્વ સાધક માટે આદર્શરૂપ છે. આ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની મધ્યમાં બિરાજમાન ગુરુતત્ત્વ એક વિશિષ્ટ પ્રકારે સાધકને સહાયક બને છે, કારણ કે દેવતત્ત્વ અને ધર્મતત્ત્વનું સમ્યક્ સ્વરૂપ માત્ર ગુરુ દ્વારા જ જાણી શકાય છે. દેવતત્ત્વનું સ્વરૂપ ઓળખવા માટે સદ્ગુરુની આવશ્યકતા બતાવતાં શ્રીમદ્ લખે છે - સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” (12) દેવતત્ત્વની જેમ ધર્મતત્ત્વનું સ્વરૂપ પણ જીવ સદ્ગુરુ વિના સમજી શકતો નથી તે શ્રીમદે દર્શાવ્યું છે. જેમણે સ્વસ્વરૂપને યથાર્થ અનુભવ્યું છે તેવા પુરુષની સહાય વિના જીવને ધર્મની પ્રાપ્તિ સંભવતી નથી. સદ્દગુરુની આજ્ઞા વિના કરવામાં આવેલાં વ્રત, જપ, તપ, સંયમ આદિ પ્રાયઃ પારમાર્થિક હિત સાધી શકતાં નથી. સ્વચ્છેદે કરાયેલાં તે સાધનો આત્માને શાશ્વત શાંતિ આપનારાં, અતીન્દ્રિય સુખનું આસ્વાદન કરાવનારાં કે આત્માના વાસ્તવિક સ્વરૂપ તરફ દોરનારાં બનતાં નથી. જેમ પારધિના ફંદમાં ફસાયેલો મૃગ જાતે છૂટી શકતો નથી, કાદવમાં ગરક થયેલો હાથી પોતાના બળ વડે બહાર નીકળી શકતો નથી; તેમ ગમે તેટલા ગ્રંથો વાંચવામાં આવે, ક્રિયાઓ કરવામાં આવે, પરંતુ સદ્ગુરુની સહાય વિના જીવ ભવભ્રમણમાંથી બહાર નીકળી શકતો નથી. સ્વયં સ્વચ્છંદાનુસારે સાધનામાર્ગ ઉપર ચાલવાની બાલિશ ચેષ્ટા કરનાર જીવ પથભ્રષ્ટ થયા વિના રહેતો નથી, તેથી જે કોઈ જીવે મોક્ષમાર્ગના સાચા પથિક બનવું હોય તેણે સ્વમતિકલ્પના છોડી, સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર પોતાની સાધનાનો પ્રારંભ કરવો જોઈએ. શ્રી જિનનો આશય સદ્ગુરુના હૃદયમાં વસેલો હોવાથી તેમણે દર્શાવેલ પ્રક્રિયા તથા બોધથી જીવ પરમાર્થમાર્ગ તરફ વળે છે. સદ્દગુરુનું શરણ એ જ ભવફંદમાંથી બચવાનો સાચો ઉપાય છે. સર્વ જિનોનું કહેવું છે કે જીવ સ્વછંદ છોડે તો અવશ્ય મોક્ષ પામે. સદ્દગુરુની સહાય વિના જીવ પોતાની મેળે જ સ્વછંદ રોકવા જાય તો પ્રાયઃ પરિણામ ઊલટું આવે છે; જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપદેશથી તેના Page #511 -------------------------------------------------------------------------- ________________ 478 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતા હો અને સ્વચ્છંદ સરળતાથી દૂર કરી શકાય છે. સદ્ગુરુના યોગ વિના કોટિ ઉપાય કરવાથી જે આત્મદર્શન નથી થઈ શકતું, તે સદ્ગુરુકૃપાથી અને શરણથી સહજ દર્શન કરાવે છે. આમ, જીવના સ્વચ્છંદને તોડવા માટે, અહંના નાશ માટે શ્રીમદે સદ્દગુરુનું શરણ લેવાનું સૂચન કર્યું છે. સ્વચ્છેદરહિતપણે થયેલા આજ્ઞાપાલનને તેમણે સમકિત કહ્યું છે. તેઓ લખે છે - રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. (15) પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. (16) સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” (17) માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' (18) આમ, શ્રીમદે સદ્દગુરુનો અપાર મહિમા બતાવ્યો છે. ગુરુગમથી મેળવેલું જ્ઞાન યથાર્થરૂપે પરિણમે છે. પોતાના બુદ્ધિબળથી મેળવેલું જ્ઞાન અથવા ગ્રંથો વાંચીને મેળવેલું જ્ઞાન અનુભવયુક્ત જ્ઞાન બની શકતું નથી. શાસ્ત્રમાં જ્ઞાન છે, પણ તેનો મર્મ તો સદ્દગુરુના હૃદયમાં હોય છે. શાસ્ત્ર વાંચવાથી શાબ્દિક જ્ઞાન તો મળી રહે છે, પરંતુ તેનાં રહસ્યો તો સદ્ગુરુના અંતરમાં છુપાયેલાં છે. પરમાર્થ આત્મા એક સપુરુષને વિષે જ છે. શાસ્ત્રના આધારે માર્ગ પામવો અત્યંત દુષ્કર છે. નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગઅપવાદ આદિ શાસ્ત્રની અનેકદેશીય ઘટનામાંથી તત્ત્વાર્થનું તારણ કાઢવું શક્ય નથી. ગુરુચરણના સેવન વિના શાસ્ત્રનાં રહસ્યો ઉકેલી શકાતાં નથી, તેથી જે જીવ ગુરુની નિશ્રામાં રહીને અભ્યાસ કરે છે, તે શાસ્ત્રોનાં રહસ્યોને પામી શકે છે. યોગ્ય શિષ્યને ગુરુ આત્મજ્ઞાનની ચાવી આપે છે, જેના વડે તે આત્મખજાનો પ્રાપ્ત કરી શકે છે. અનેક ગ્રંથોનાં અધ્યયન કરતાં સદ્ગુરુનું મૂલ્ય અનેકગણું છે. શ્રીમદે દર્શાવ્યું છે કે શાસ્ત્ર, અર્થાત્ પરોક્ષ જિનેશ્વરનાં વચનો કરતાં સદ્ગુરુની મહત્તા વધારે છે. પ્રત્યક્ષ સદ્ગુરુ પરોક્ષ જિન ભગવાન કરતાં પણ વધુ ઉપકારી છે. આ તથ્યને રજૂ કરતાં શ્રીમદ્ લખે છે - પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” (11) Page #512 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 479 જેઓ સુદેવતત્ત્વ તેમજ સુધર્મતત્ત્વનું સ્વરૂપ બતાવે છે, તેમજ જેમનો સર્વોકષ્ટ મહિમા અને ઉપકાર છે, તેવા સગુરુની ઓળખાણ કરવી તે અધ્યાત્મમાર્ગનું અગત્યનું કાર્ય છે. સદ્દગુરુની ઓળખાણ કરવામાં જીવ થાપ ખાઈ જાય તો સત્ય માર્ગની પ્રાપ્તિ તેને માટે દુર્લભ બની જાય છે, તેથી સદ્દગુરુની ઓળખાણ કરવામાં જીવ ભૂલ કરે નહીં તે માટે સદ્ગુરુનાં લક્ષણોને જણાવીને શ્રીમદે આત્માર્થી જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. ગુરુતત્ત્વ કેવા મહાન ગુણોવાળું હોય છે તે તેમણે સ્પષ્ટપણે અસંદિગ્ધ ભાવે જણાવ્યું છે. તેવાં લક્ષણોથી સંપન્ન એવા સદુગર સ્વ-પરનું આત્મકલ્યાણ કરવાને સમર્થ હોય છે. તેઓ આત્મપ્રાપ્તિના માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરી, અનેક જીવોના હૃદયમાં ધર્મબીજની સ્થાપના કરતા હોય છે. કેવળ બાહ્ય ભાવથી તેમજ લોકરંજન અર્થે ધર્મક્રિયાઓ કરી, લોકપ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારા અસદ્ગુરુઓમાં એવા કોઈ આત્મિક ગુણ હોતા નથી તે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું' કહીને, તેમણે સાચી સાધુતાનું લક્ષણ દર્શાવ્યું છે. માત્ર બાહ્ય વેષ ધરાવનાર પુરુષ માર્ગને યથાર્થપણે પ્રબોધી શકતો નથી. માર્ગના અનુભવી માર્ગ બતાવી શકે, ભૂલો પડેલો કે માર્ગનો અજાણ સાચો રસ્તો ન બતાવી શકે; માટે જ અનુભવી પુરુષો જ સદ્ગુરુસ્થાને બિરાજી શકે છે. સદ્ગુરુ આત્મજ્ઞાની હોય છે; શત્રુ-મિત્ર, માન-અપમાન આદિમાં સમદર્શી હોય છે; તેમના મન-વચન-કાયાના યોગ ઉદય અનુસાર પ્રવર્તે છે; તેમનાં વચનો પૂર્વાપર અવિરોધી તથા પ્રત્યક્ષ સ્વાનુભવજન્ય હોવાથી સામાન્ય ઉપદેશકોનાં વચનો કરતાં જુદાં પડે છે અને તેઓ પ્રદર્શનના યથાસ્થિત જાણકાર, અર્થાત્ પરમશ્રત હોય છે. સદ્ગુરુનું સ્વરૂપ પ્રકાશતાં શ્રીમદ્ લખે છે - આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” (10) “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” (34) આમ, શ્રીમદે ગુરુતત્ત્વનું તાદશ ચિત્ર સામાન્ય જન પણ સમજી શકે તેવી રીતે રજૂ કર્યું છે. આત્માર્થી જીવ આવાં તથારૂપ લક્ષણોથી યુક્ત સદ્દગુરુને શોધી, તેમની ઓળખાણ કરી, તેમનું શરણું સ્વીકારે છે. પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સદ્ગુરુ વિના ક્યારે પણ થતી નથી એ વાત આત્માર્થી જીવ કદી પણ વિસ્મૃત કરતો નથી. તે પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન આધારભૂત માને છે અને તેમના યોગની પ્રાપ્તિને પરમ ઉપકારક ગણે છે. સદ્ગુરુની સેવા અને તેમની આજ્ઞાનું પાલન જ તેને કર્તવ્યરૂપ લાગે છે. તેનો આત્મા સહજ સ્વભાવે ભક્તિભાવથી સદ્ગુરુના ચરણકમળમાં ઢળી પડે છે. તેનો મનોયોગ સદ્ગુરુના ગુણચિંતનમાં રમે છે, વચનયોગ સદ્ગુરુનું ગુણસ્તવન કરે છે અને Page #513 -------------------------------------------------------------------------- ________________ 480 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કાયયોગ સગુરુની સેવામાં પ્રવૃત્ત હોય છે. સદ્ગુરુ પ્રત્યેની ભક્તિમાં મન-વચનકાયાની સમસ્ત શક્તિ લીન બની જાય છે. આત્માથી જીવની સદ્ગુરુ પ્રત્યેની આવી ભક્તિનું નિરૂપણ કરતાં શ્રીમદ્ લખે છે - પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” (35) ગ્રીષ્મની ગરમીથી સંતપ્ત યાત્રીને વૃક્ષની શીતળ છાયા શાતારૂપ લાગે છે, તેમ જન્મ-મરણનાં દુઃખથી સંતપ્ત સાધકને સગુરુનો શીતળ સત્સંગ સુખમય લાગે છે. આવા મહામહિમાવાન સદ્ગુરુને પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, આત્માર્થી જીવ તેમની આરાધનામાં, તેમની ઉપાસનામાં અને તેમની સેવામાં શુદ્ધ નિષ્કામ ભાવે લીન થઈ જાય છે. તેમની પાસેથી માર્ગદર્શન મેળવીને તે પુરુષાર્થ કરે છે અને પોતાની વાસનાઓ, સંસ્કારો, સ્વચ્છેદાદિનો નિરોધ કરે છે. સદ્ગુરુના બોધમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી તે અંતરંગ સંશોધનપૂર્વક પોતાના દોષોની નિવૃત્તિ કરે છે. સદ્ગુરુના બોધનું ચિંતન-મનન કરતાં તેને જગતના પદાર્થોની તુચ્છતા ભાસે છે, પરભાવો શમતા જાય છે અને પરિણામની શુદ્ધિ થતાં શુદ્ધ સમકિત પ્રગટે છે. આમ, સગુરુનો યોગ મળતાં, તેમની નિશ્રામાં નિષ્ઠા આવતાં, સ્વચ્છંદ આદિ ટળતાં, બોધભૂમિકાનું સેવન થતાં, સુવિચારણા પ્રગટતાં સમકિતની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુના આશ્રયથી સમકિતપ્રાપ્તિની આ પ્રક્રિયા શ્રીમદે ભિન્ન ભિન્ન ગાથાઓમાં વર્ણવી છે. તેઓ લખે છે - સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” (9) આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. (40) તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. (109) મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” (110) સગુરુના આશ્રયે આત્મપ્રાપ્તિ કરવા માટે શ્રીમદ વિનયનું ખૂબ માહાસ્ય દર્શાવ્યું છે. વિનય વિના અધ્યાત્મસાધનામાં આગળ વધી શકાતું નથી. વિનય એ સાધનાનું પ્રથમ પગથિયું છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે કે જેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. જીવમાં જ્યારે વિનય આવે છે ત્યારે તેનામાં શિષ્યત્વ જન્મે છે. વિનય દ્વારા Page #514 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 481 જીવનો અહં વિરામ પામે છે, સ્વચ્છંદનો નાશ થાય છે અને સદ્ગુરુ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. વિનયવંત શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને સર્વોત્તમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેથી વીતરાગ ભગવંતે કહ્યું છે કે શિષ્ય હંમેશાં ગુરુ પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ અને મન-વાણી-કાયાથી તેમનો સત્કાર કરવો જોઈએ. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તો શ્રીમદ વિનયની પરાકાષ્ઠા બતાવી છે. તેઓ લખે છે - જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છપ્રસ્થ પણ, વિનય કરે ભગવાન.' (19) એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” (20) ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રયોજેલી છ પદની દેશનામાં શ્રીમદે સુશિષ્યનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે ઉપસાવ્યું છે. શ્રીમદે શિષ્યનાં લક્ષણો પ્રગટરૂપે નથી બતાવ્યાં, પરંતુ સુશિષ્યના ગુણો તથા તેનો સદ્ગુરુ સાથેનો વ્યવહાર કેવો હોય તે ગર્ભિતપણે ગૂંથી લીધા છે. તેમણે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ સુંદર શૈલીથી ઉપસાવી, ગહન અને ગૌરવવંતી ગુરુ-શિષ્યની પરંપરાનો મહિમા દર્શાવ્યો છે. ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી શ્રીમદે દર્શાવ્યું છે કે ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન હોય તો શિષ્યને તત્ત્વજ્ઞાનનો બોધ સરળતાથી થઈ શકે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય ગુરુના સાનિધ્યમાં જઈને આત્માનાં છ પદને સમજવાનો પ્રયાસ કરે છે. આત્મસ્વરૂપ સંબંધી યથાર્થ નિર્ણય કરવાની તેની તીવ્ર ઇચ્છા હોવાથી તે ગુરુ પાસે જઈ પોતાના હૃદયની વાત કરે છે. આત્મા વિષેની પોતાની માન્યતા સ્પષ્ટ કરવા અર્થે તે પોતાના અંતરમાં જાગેલી આત્મવિષયક શંકા દર્શાવે છે, પ્રશ્નો કરે છે. તેણે ઘણું વાંચ્યું છે તથા શ્રવણ કર્યું છે, પણ નિશ્ચયાત્મકતાને અભાવે તેનું મન ચગડોળે ચડેલું છે. શું ખરું છે અને શું ખોટું છે એવો નિશ્ચયપૂર્વકનો નિર્ણય તે કરી શકતો નથી. તેનું મન શંકાશીલ રહે છે અને તત્ત્વજ્ઞાનનું સાચું રહસ્ય તેને લક્ષગત થતું નથી. શિષ્યની સંશયવાળી, મૂંઝવણભરી, નિશ્ચય વગરની સ્થિતિનું દિગ્દર્શન કરાવતાં શ્રીમદ્ છઠ્ઠા પદની શંકામાં લખે છે - અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.” (93) આમ, શિષ્યનું ચિત્ત સંશયોથી વિચલિત થયેલું હોવાથી, તે પોતાની તમામ શંકાઓનું નિવારણ કરનાર તથા યોગ્ય માર્ગ દર્શાવનાર સદ્ગુરુના શરણમાં આવે છે. તે તર્કપટુ છે, વિચક્ષણ છે, સમજવા માટે ઉત્સુક છે. તે જાણે છે કે સદ્ગુરુ પાસે શંકાઓનું યથાર્થ સમાધાન થઈ શકે એમ છે, તેથી પોતાની શંકાઓ ટાળવા માટે તથા Page #515 -------------------------------------------------------------------------- ________________ 482 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યથાર્થ નિર્ણય કરવા માટે પોતાની વિચારણા શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે. તેને મતિકલ્પનાએ કંઈ ધારી લેવું નથી, પરંતુ સદ્ગુરુએ કહેલ સત્ય મનનપૂર્વક સમજવું છે. શિષ્યની આ વર્તણુક તેની જિજ્ઞાસાવૃત્તિ, સત્ જાણવાની ધગશ બતાવે છે. આત્માની પ્રતીતિ કઈ રીતે થાય? તેની સમજણ કઈ રીતે કરી શકાય? એ જાણવાની રુચિ પણ લોકો કરતા નથી, તો એ બાબતના પ્રશ્ન તો કરે જ ક્યાંથી? પરંતુ શિષ્ય તો જિજ્ઞાસુ છે, અધ્યાત્મપ્રેમી છે, તત્ત્વનો રસિક છે, તેથી તે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયમાં પણ ઊંડો રસ લઈને ઉચ્ચ કોટિના પ્રશ્નો પૂછે છે. તેને તત્ત્વજ્ઞાનનું રહસ્ય સંપૂર્ણપણે જાણવાની જિજ્ઞાસા છે. જ્યાં સુધી રહસ્ય પૂર્ણપણે ન સમજાય ત્યાં સુધી શંકા રહ્યા કરે અને જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી તે શલ્યની પેઠે ખટક્યા કરે, તેથી શિષ્ય સુવિચારશ્રેણીને રોકતાં શંકારૂપ અવરોધોને શ્રીગુરુની કૃપા વડે દૂર કરતો જાય છે. આવી જિજ્ઞાસા વિના મોક્ષમાર્ગે આગળ વધી શકાતું નથી. વળી, શ્રીમદે શિષ્યને વિશિષ્ટ ગુણવાળો દર્શાવ્યો છે. તે શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે, પરંતુ અહંકાર વધારવા કે પ્રસિદ્ધિ મેળવવા માટે પૂછતો નથી. તેનામાં વસ્તુ સમજવાની ખરેખરી ઇચ્છા અને તત્પરતા છે. તે અંતરની ભાંતિ ટાળવા ગુરુ સાથે તત્ત્વચર્ચા કરે છે. પ્રશ્ન પૂછવાથી મારી ભૂલ ઉઘાડી થશે, મારું માન નહીં રહે અને મારી હીણપ કહેવાશે' એવો તેને ભાવ નથી; પણ પોતાની શંકા ટાળવાનું તેનું લક્ષ છે. તે પોતાની શંકા લજ્જા, સંકોચ કે શરમથી છુપાવ્યા વિના બાળકની જેમ ખુલ્લા હૃદયથી કહે છે. હઠાગ્રહ, મતાગ્રહ છોડીને સમજવાની યથાર્થ કામના સહિત તે પોતાના પ્રશ્નો શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે. તે શંકાઓ વ્યક્ત કરતાં નમતા પણ બરાબર જાળવે છે. તે વિનય અને ભક્તિભાવ સહિત સ્પષ્ટપણે પ્રશ્નો પૂછે છે અને પોતાના અંતરની શંકાનું સમાધાન કરવા સદ્ગુરુને વિનંતી કરે છે. શંકા રજૂ કરવામાં શિષ્યનો વિનય દર્શાવતાં શ્રીમદ્ લખે છે - માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.’ (48) શિષ્યની દરેકે દરેક દલીલો ન્યાયયુક્ત છે. તેના કેટલાક સવાલો તો નાસ્તિક જેવા લાગે છે, પરંતુ હૈયામાં સ્ફરેલી શંકાઓને દાબી દઈ જાણે સમાધાન થઈ ગયું હોય એવો ઢોંગ કરવો, તે કરતાં નાસ્તિકતાનો આરોપ વહોરી લેવો વધારે ઉચિત છે એમ તે સમજે છે. જ્યાં સુધી હૃદયમાં તત્ત્વની નિઃશંકતા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જિજ્ઞાસુના હૃદયમાં અવારનવાર શંકાઓ અને પ્રશ્રવૃત્તિ ઉદ્ભવે છે. જો કે તે પ્રશ્નો અને શંકાઓ નાસ્તિકતાને સમર્થિત કરતાં નથી, ઊલટું તે તો અંતરના ઊંડાણમાં દબાઈ રહેલી આસ્તિકતાનો ઉપર આવવાનો સળવળાટ છે. એ સળવળાટ સત્યના પ્રાકટ્યની Page #516 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન ૪૮૩ પૂર્વભૂમિકા છે. શિષ્ય જે વિષય ઉપર શંકા રજૂ કરે છે તે વિષય ઉપર તેણે ઘણું મંથન કર્યું હોય એમ પણ જણાઈ આવે છે. વિચાર વિના કરાયેલી શંકા હાસ્યાસ્પદ બને છે, પરંતુ શિષ્ય ખૂબ અભ્યાસ કરીને પ્રશ્નો પૂક્યા છે. જેને પોતાનું સાચું હિત કરવું છે તે, યથાર્થ તૈયારી કરીને ગુરુ પાસે જાય છે. શ્રીગુરુ પણ શિષ્યના વિચારપૂર્વકના પ્રશ્નોની કદર કરતાં કહે છે – ‘ષપદનાં ષટપ્રશ્ન તેં, પૂજા કરી વિચાર;' (૧૦૬) શિષ્ય વિચારવાન અને ન્યાયને ઊંડાણથી સમજનાર હોવાથી તે સદ્ગુરુના સમાધાનને પણ જલદી સમજી જાય છે. તે સમજવાની આકાંક્ષા સહિત ધીરજ રાખી સદ્ગુરુના ઉત્તરો સાંભળે છે, તેથી તેના બધા જ પ્રશ્નોનો નિકાલ થાય છે. જાણવાની સાચી જિજ્ઞાસા હોવાથી તેને સદ્ગુરુનું સમાધાન અપૂર્વ લાગે છે. સગુરુનાં વચનો સાંભળી, વિચારવાથી તેને છ પદની પ્રતીતિ સહેજે હૃદયગત થઈ જાય છે અને તેનું અંતર જાગૃત થઈ જાય છે. તે આને સદ્ગુરુની મહતું કૃપાનું ફળ માને છે. તે સદ્ગુરુની સમજાવવાની અદ્ભુત શૈલીથી અંતરમાં અતીવ આનંદિત થાય છે અને બોધને સમ્યકપણે ગ્રહણ કરી તેમાં તરબોળ બને છે. સમાધાન થયા પછી તે તેનો વિનયપૂર્વક પૂર્ણપણે સ્વીકાર પણ કરે છે. જેમ કે પ્રથમ પદના સમાધાન પછી તેનો મુક્તકંઠે સ્વીકાર કરતાં તે શ્રીગુરુને કહે છે – આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.' (૫૯) શિષ્ય સદ્ગુરુના સમાધાનને બરાબર સમજ્યો છે, તેનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે સમાધાન થયા પછી એ પ્રશ્નો પુનઃ આવ્યા નથી. તે સુશિષ્ય હોવાથી શંકાનું પૂર્ણ રીતે સમાધાન ન થાય ત્યાં સુધી વિનયપૂર્વક પૂછે છે અને સમાધાન ઉપર ચિંતન કરીને એની પ્રતીતિ કરે છે, અન્યથા એ જ પ્રશ્નો પુનઃ પુનઃ આવ્યા કરે. તેણે સદ્ગુરુની વાત ઉપર વિચારણા કરીને પૂર્ણ શ્રદ્ધા કરી છે. તે છ પદને પોતાના અંતરથી યથાર્થપણે એવી રીતે સમજ્યો છે કે ફરીને તેમાં સંદેહ ન આવે. સમજ્યા વિના ખોટો વિવેક કરીને સદ્ગુરુના વચનને ‘પ્રમાણ વચન કહેવાને બદલે તે પૂર્ણપણે સમજવાનો અને બોધનું પરિણમન કરવાનો પુરુષાર્થ કરે છે. આવો સુવિચારવાન, વિનયવંત અને જિજ્ઞાસુ શિષ્ય જ તત્ત્વજ્ઞાનનો સાચો અધિકારી છે અને તે જ આત્મદ્રષ્ટા સગુરુની અપૂર્વ વાણીને સમજી શકે છે અને પરિણામે તેનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી શકે છે. અહીં શિષ્યની મુમુક્ષુતા પણ દષ્ટિગોચર થાય છે. પ્રશ્નો પૂછવા પાછળનો તેનો એકમાત્ર હેતુ મોક્ષપ્રાપ્તિનો છે. મોક્ષનો ઉપાય સમજવાની તેને અભિલાષા છે. કર્તાપણાની શંકા રજૂ કરતાં પણ શિષ્યના લક્ષ્યમાં તો મોક્ષનો ઉપાય જ છે. તે કહે છે - Page #517 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.' (૭૩) છ પદ સંબંધી શંકા સદ્ગુરુ સમક્ષ રજૂ કરવાનો શિષ્યનો હેતુ કેવળ બૌદ્ધિક જ્ઞાનની પ્રાપ્તિ નથી. તેનો હેતુ તો છ પદનું જ્ઞાન લઈ, મોક્ષના ઉપાય દ્વારા મોક્ષપ્રાપ્તિ માટેનો છે. તેને તો સ્વરૂપસમજણ દ્વારા સ્વરૂપપ્રાપ્તિ કરવી છે. તેને સ્વાનુભવ કરવાની પ્રબળ ઉત્કંઠા છે. તેને નિજાનુભૂતિની લગની લાગી છે. પરભાવોથી વિરક્ત થઈ, સ્વભાવદશામાં રમવાની તેની ભાવના છે. તેને તત્ત્વને અનુભવવાની તીવ્ર તમન્ના છે. તે મોક્ષના ઉપાયની પ્રાપ્તિને પોતાનું પરમ સદ્ભાગ્ય ગણે છે. મોક્ષનો ઉપાય જાણવાની પોતાની ઉત્સુકતા દર્શાવતાં તે કહે છે ૪૮૪ ‘તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય?’ (૯૫) પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય.' (૯૬) આમ, શિષ્યના પ્રશ્નો દ્વારા શ્રીમદે જણાવ્યું છે કે શિષ્યમાં મુમુક્ષુતા, સ્વરૂપજિજ્ઞાસા, સત્યતત્ત્વગવેષકતા, ભક્તિ, શ્રદ્ધા, વિનય, નમ્રતા, સરળતા, સ્પષ્ટવક્તાપણું, નિખાલસતા, નિર્ભયતા, વિચક્ષણતા, નિરાગ્રહિતા, પક્ષપાતરહિતતા, સ્વચ્છંદરહિતપણું, નિરહંકારપણું આદિ ગુણો હોવા જોઈએ. આવો શિષ્ય સદ્ગુરુએ દર્શાવેલા ઉપાય અનુસાર ચાલે તો કાર્યસિદ્ધિ થાય છે. તે વિનયપૂર્વક ગુરુ પાસેથી અબાધિત જ્ઞાન મેળવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચે છે. તે જ્ઞાન તેને માટે અનુભવનું અમૃત બની જાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શિષ્ય વિષે શ્રી કાનજીસ્વામી કહે છે ‘શિષ્યની લાયકાત કેવી હોય, સત્સ્વરૂપનો જિજ્ઞાસુ શિષ્ય કેવો જોઈએ, પાત્રતાની ભૂમિકા કેમ વધે તે અહીં જોવાનું છે. શ્રીમદ્ અત્રે શિષ્યને કહે છે હે વિચક્ષણ! તું જાણ. આવો સુપાત્રવાન શિષ્ય જોઈને સદ્ગુરુનું હૃદય પણ પ્રફુલ્લિત થઈ જાય છે. તેમના અંતરમાં રહેલો જ્ઞાનભંડાર ખૂલી જાય છે. આવા સુશિષ્યને તો સદ્ગુરુ પણ યમદેવની માફક પ્રશ્ન પૂછવા સહર્ષ ઉત્તેજન આપે છે કે ‘હે નચિકેતા! તારા જેવા અમને પૂછનાર હજો.' ('ત્વા≤, નો સૂચાત્ નવિતા:! પ્રા') સદ્ગુરુ પણ અપાર વાત્સલ્યભાવથી શિષ્યને મીઠી અમૃતમય ભાષામાં સફળતાના આશીર્વાદ આપે છે. મોક્ષનો ઉપાય જાણવા ઉત્કંઠિત સુશિષ્યને પ્રોત્સાહન આપતાં તેઓ કહે છે ૧- શ્રી કાનજીસ્વામી, આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૧૬ - Page #518 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૮૫ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.' (૯૭) આમ, શિષ્યની છ પદ સંબંધી સર્વ શંકાઓ ટળવાથી તેને પૂર્ણ વિશ્વાસ આવે છે, અંતરમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને તે નિઃસંદેહ થઈ પરમ સંતોષને પામે છે. પપદના પ્રકાશક સદ્ગુરુના ઉપદેશનું યથાર્થ પ્રહણ અને પરિણમન થતાં તેનું અજ્ઞાન દૂર થઈ તેને જ્ઞાનપ્રાપ્તિ થાય છે. તે સદ્ગુરુ સમક્ષ પોતાને થયેલા અનુભવનું વર્ણન કરે છે અને તેનું સર્વ શ્રેય નિષ્કારણ કરૂણાશીલ સગુરુને અર્પે છે. તે પોતાની સાધનાની સિદ્ધિ માટે સદ્ગુરુની કૃપાને જ સર્વોત્તમ નિમિત્ત માને છે. સદ્ગુરુના અનંત ઉપકારોથી તે ગદ્ગદિત થઈ જાય છે અને સદ્દગુરુનો ગુણાનુવાદ જ તેની જીભ ઉપર રમે છે. સગુરુ ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ સુપાત્રતાયુક્ત શિષ્ય જેમના દ્વારા કંઈક પામ્યો છે, તેમની સ્તુતિ-ભક્તિ કર્યા વિના રહી શકતો નથી. તે તેમની ગુણગાથાનું જ વારંવાર ઉચ્ચારણ, તેમની જ ભક્તિ, તેમની સેવામાં જ તે રાચે છે. જ્યારે પરમ ઉપકારીના ઉપકારના સ્મરણથી અંતર નાચી ઊઠે છે, શબ્દની શક્તિ સીમિત લાગે છે ત્યારે વિશેષ કાંઈ ન કહેતાં તે પોતાના દાસત્વ ભાવને પ્રગટ કરે છે. શ્રીમદે પણ શિષ્યમુખે આ જ ભાવો પ્રગટ કર્યા છે. સદ્ગુરુ ભગવાનના અમાપ ઉપકારનો પ્રત્યુપકાર વાળી શકાય એમ નથી એમ જાણતો હોવાથી અદ્ભુત ભક્તિયુક્ત આત્મસમર્પણની ભાવના ભાવતો શિષ્ય સદ્ગુરુ સમીપે પ્રણિપાત કરતાં કેવું ભાવવાહી વચન ઉચ્ચારે તેનું શ્રીમદે અદ્ભુત દર્શન કરાવ્યું છે. તેમાં શિષ્યની અનન્ય ગુરુભક્તિને નિહાળી શકાય છે. તેના શબ્દ શબ્દ સગુરુ પ્રત્યેની ભક્તિ નીતરે છે. સદ્દગુરુનો અગાધ મહિમા દાખવતી આ ચાર ગાથા સગુરુભક્તિનો દિવ્ય પ્રકાશ રેલાવે છે. પરમ કૃતજ્ઞતાપૂર્ણ પોતાની અંતરસંવેદનાને વાચા આપતાં શિષ્ય કહે છે – અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.” (૧૨૪) શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન.” (૧૨૫) આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” (૧૨૬) “ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.” (૧૨૭) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આવી રીતે ભક્તિયોગ સંપૂર્ણપણે સધાયેલો હોવાથી Page #519 -------------------------------------------------------------------------- ________________ ४८६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સર્વને અત્યંત પ્રિય અને હૃદયસ્પર્શી નીવડે છે. ભક્તિમાર્ગમાં પ્રવેશ કરનાર સાધકને આ ગ્રંથમાંથી સાંગોપાંગ માર્ગદર્શન મળી શકે એમ છે. આત્માર્થી જનોને ગુરુભક્તિનો રંગ ચડાવવા તે ખૂબ ઉપકારક છે. આ ગ્રંથમાં શ્રીમદ્ની ગુરુભક્તિનું દર્શન પણ સહજપણે થાય છે. તેમાં તેમનું ભક્તહૃદય ધબકી રહ્યું છે. ભક્તિરસથી છલકાતા શિષ્યના હૃદયમાંથી નીકળેલા અંતરોદ્ગાર વાંચતાં કે સાંભળતાં હૃદયમાં આ ભક્તિવચનોનો પડઘો પડે છે અને મસ્તક આપોઆપ શ્રીમદ્ પ્રત્યે ભક્તિથી નમી પડે છે. આમ, શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અધ્યાત્મવિકાસમાં ઉત્તમ અવલંબનભૂત એવા ભક્તિયોગનું સુરેખ નિરૂપણ કર્યું છે. સદ્ગુરુની ભક્તિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ હોવાથી શ્રીમદે સગુરુની આવશ્યક્તા, તેમનાં લક્ષણો, તેમનો મહિમા, શિષ્યનું સ્વરૂપ, ભક્તિથી આત્મદશામાં થતી પ્રગતિ આદિ વિષયો દ્વારા ભક્તિયોગને સમજાવ્યો છે. શ્રીમદે આ ગ્રંથમાં ભક્તિયોગનાં સર્વ પાસાંને સંપૂર્ણપણે ગૂંથી લીધાં છે અને છતાં ખૂબીની વાત એ છે કે આ આખા શાસ્ત્રમાં ‘ભક્તિ' શબ્દ કશે પણ વપરાયો નથી! Page #520 -------------------------------------------------------------------------- ________________ સમાપન શ્રીમનું આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જિજ્ઞાસુ આત્માઓ માટે આત્મહિતપોષક, સત્યપથદર્શક, જ્ઞાનભક્તિવર્ધક, પ્રેરણાદાયક ગ્રંથ છે, જેમાં શ્રીમદે શ્રી જિનેશ્વરદેવની સકલજગહિતકારિણી, મોહહારિણી, ભવાબ્ધિતારિણી, મોક્ષચારિણી દેશનાના રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. શ્રીમદે આત્માનો અનુભવ કરી, આ ઉત્તમ કૃતિમાં અન્ય જીવોને સ્વાનુભૂતિનો રાહ બતાવતાં માર્મિક વાતો કરી છે, જે આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં કારણભૂત બની શકે તેમ છે. આ અંધકારવ્યાપ્ત ગહન સંસાર-અરણ્યમાં ભટકતા જીવોનું ભવભ્રમણનું દુઃખ જોઈ જેમને કરુણા ઊપજી છે એવા શ્રીમદે અજ્ઞાની જીવોનું પરિભ્રમણ અટકાવવા, તેમને ચતુર્ગતિમાંથી છોડાવવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પવિત્ર, આત્મહિતકારી વાણી પ્રકાશી છે. મોક્ષપ્રાપ્તિનો મહાન હેતુ સાધી શકાય એવી બોધપ્રદ શૈલીથી આ ગ્રંથ લખાયો છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરીને શ્રીમદે આત્મશાંતિનું ઔષધ પાયું છે. તેની એક એક ગાથામાં તેમણે આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવાં અનેક ગૂઢ રહસ્યોને વ્યક્ત કર્યા છે. તેની પ્રત્યેક પંક્તિમાં આત્માનો મહિમા છે, ભાવની વિપુલતા છે અને આદર્શની ઊંડાઈ છે. તેમાં શ્રીમદે તત્ત્વજ્ઞાન સાથે ભક્તિ પીરસી છે. જ્ઞાન અને ભક્તિનો સંગમ થઈ તેનો પ્રવાહ શુદ્ધ સત્તારૂપ મહાસાગર તરફ જાય છે. જ્ઞાન અને ભક્તિના ભાવોથી ભરપૂર આ ગ્રંથ સાધકોમાં અપૂર્વ ઉલ્લાસ જાગૃત કરે છે. આ ગ્રંથ અપૂર્વ છે, અદ્ભુત છે, ચમત્કારિક છે, બોધક છે, અનુપમેય છે અને હાથમાં લેતાં મૂકવો ન ગમે તેવો છે. તેમાં શ્રીમદે રહસ્યપૂર્ણ વાતો ગૂંથી છે અને ઉપદેશાત્મક હિતસંદેશાઓ પ્રેષિત કર્યા છે. તેમણે પોતાના હૃદયોદ્ગાર દ્વારા મુમુક્ષુઓને જાગૃત કર્યા છે. શ્રીમદ્ભી વાણી એવી બળવાળી છે કે આ પંક્તિઓ સાંભળનારનો આત્મવિશ્વાસ વધી જાય છે. તેમાં ઉલ્લાસ છે, મોક્ષપ્રાપ્તિ માટેની તમન્ના છે, ભૂતકાળની ભૂલો ફરી ન કરવાનો સંકલ્પ છે, વિભાવત્યાગની પ્રતિજ્ઞા છે, જન્મ-મરણના ફંદમાંથી નીકળી જવાનો દૃઢ નિર્ધાર છે. તે મોક્ષમાર્ગની દિશા બતાવે છે, શુદ્ધ દશાની પ્રાપ્તિની તાલાવેલી જગાવે છે. શ્રીમદે દર્શાવેલા સચોટ ભાવો સાધક જીવોને અતિ ઉપયોગી બને તેવા છે. તેમાં મુમુક્ષુઓને પ્રોત્સાહન મળે છે તથા આત્મરુચિની અભિવૃદ્ધિ થાય તેવું માર્ગદર્શન છે. તે ભવ્યાત્માઓને સદ્ધર્મસાધનામાં પ્રબળ ઉપકારક તથા આત્મસન્મુખ થવામાં પ્રેરણાત્મક બની આત્મજાગૃતિથી વિભૂષિત થવામાં સહાયક Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન બને છે અને આત્મોજ્વળતાના પંથે પ્રગતિ કરાવે છે. તે આત્મામાં રહેલા અનાદિ મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવા ગારુડી મંત્ર સમાન છે. આ સર્વના કારણે આ ગ્રંથ મુમુક્ષુઓના હ્રદયમાં વસી જાય છે. - આત્મોન્નતિ સાધવામાં ઉપકારક એવું આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મોક્ષાભિલાષી જીવોએ નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે. તે દ્વારા આત્મા અનાદિ મોહનિદ્રા તજી જાગૃત થાય અને મોક્ષમાર્ગની સીડીએ ચડવાની શરૂઆત કરે તે અર્થે શ્રીમદ્દ્ની અર્થગાંભીર્યપૂર્ણ વાણી અવગાહન કરવા યોગ્ય છે. આ ગ્રંથને વાંચી-વિચારી હૃદયમાં ઉતારવા જેવો છે. તેમાંથી ઘણો આત્મહિતકર નિર્મળ પ્રકાશ મળી શકે તેમ છે. તે અનેક શાસ્ત્રોનાં અનેક સૂક્ષ્મ તત્ત્વોને સ્પર્શીને ઘણી ધણી ગહન વાતો કહી જાય છે. તે સરળ અને સુબોધ ભાષામાં અનેક ભ્રમોનું નિરાકરણ કરે છે, શંકા-સમાધાન દ્વારા હૃદયને નિઃશંકિત બનાવે છે. આ ગ્રંથ અધ્યાત્મ-અમૃતરસના પિપાસુઓને તેમની પિપાસા પરિતૃપ્ત કરવા અત્યંત ઉપયોગી થઈ પડે છે. વીતરાગમાર્ગપ્રદ્યોતક, અધ્યાત્મયુગપ્રવર્તક, પરમ કૃપાળુ, પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ના આ ગ્રંથનું અનુશીલન જિજ્ઞાસુઓને કર્તવ્યરૂપ છે. આ ગ્રંથ કેવળ વાંચવાનો જ નથી, પરંતુ વિસ્તારથી તેને સમજીને, તેનો અભ્યાસ કરવાનો છે. તે વારંવાર વિચારવા યોગ્ય છે, ચિંતન કરવા યોગ્ય છે, જીવનવ્યવહારના પ્રત્યેક પ્રસંગ સાથે વણવા યોગ્ય છે. સંસારનું મૂળ જાણવું હોય, મોક્ષમાર્ગનો મર્મ વિચારવો હોય, ધાર્મિક પ્રવૃત્તિઓની પાછળનો હેતુ સમજવો હોય, જીવનનો લક્ષ બાંધવો હોય તો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી ઊંડા સદ્વિચારમાં પ્રેરે તેવી અનેક હકીકતો આ ગ્રંથમાં છે. તેમાં સુવિચારણા જાગે તથા તેમાં બળ મળે, તેમજ સહાયક અને પ્રેરક થઈ ઉપકારક થાય એવી અમૂલ્ય શિક્ષા સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થાય છે, તેથી વિવેકપૂર્વક તેનું મનન કરવું જોઈએ. તેનો એક એક શબ્દ વિચારણીય છે, તેથી તત્ત્વપ્રેમી સાધકોએ તેનું અવશ્ય ઊંડાણથી અધ્યયન કરવું જોઈએ. સંપૂર્ણ ગ્રંથ એક વાર નહીં, અનેક વાર મનન કરવો ઘટે છે. તેના ઊંડાણમાં ગયા વિના તેની ગહનતા જાણી શકાતી નથી. વાંચનારને ઊંડી વિચારણાથી જડી આવે એવાં અનેક રત્નો તેમાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. તેને શોધવા અને પચાવવા માટે તેનું અવગાહન કરવા યોગ્ય છે. તેનું સાદ્યંત અનુશીલન કરતાં તેની એક એક ગાથા અદ્ભુત શાસ્ત્રરહસ્ય તથા આત્મોન્નતિકા૨ક અમૂલ્ય અમૃતથી ભરપૂર છે તેનું ભાન થયા વિના રહેતું નથી. વારંવાર તેનું વાંચન કરતાં તેમાં રસનો ઊંડો પ્રવાહ છલકાતો-ઊછળતો અનુભવાય છે. પ્રત્યેક વાંચનમાં નૂતનતા અને પ્રત્યેક વિચારણામાં અધિકતર માધુર્ય એ આ ગ્રંથની વિશેષતા છે. આ ગ્રંથના અધ્યયનથી જીવ એક વિલક્ષણ ખુમારીનો અનુભવ કરે છે અને પોતાની પાસે બહુમૂલ્ય આધ્યાત્મિક મૂડી છે એવો વિશ્વાસ તેને આવે છે. શેરડીના Page #522 -------------------------------------------------------------------------- ________________ એક મૂલ્યાંકન - સમાપન ४८८ રસને માણવા જેમ ચાવવાનો પુરુષાર્થ કરવો આવશ્યક છે, તેમ શ્રીમનાં વચનોનો મધુર અમૃતરસ અવિરતપણે માણવા તેમાં ઊંડા ઊતરવા યોગ્ય છે. જે આત્માર્થી જીવ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ઊંડાણથી અધ્યયન કરશે તે નિશ્ચિતપણે વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાન દ્વારા વાસ્તવિક ધર્મને પામી શકશે. શ્રીમદ્રના વચનની અક્ષરે અક્ષર શ્રદ્ધા કરી, તેમાંથી એક પણ અક્ષરને આઘોપાછો કર્યા વિના; ઓછો, અધિક કે વિપરીત કર્યા વિના શ્રીમની વાતને હૃદયમાં ધારણ કરવામાં આવે, જેમ બતાવ્યું છે તેમ યથાતથ્યપણે અંતરમાં તેનું સ્થાપન કરવામાં આવે તો મોક્ષમાર્ગની સાંગોપાંગ આરાધના થઈ શકે છે. શ્રીમની વાણીને દરેક દષ્ટિબિંદુથી જાણી, ઓળખી, સમજી, તે અનુસાર આરાધના કરવાથી જીવ પ્રભુ-આજ્ઞાનો સાચો ઉપાસક બની આત્મશ્રેયને સાધી શકે છે. કર્મનાં અનંત બંધનોને છેદી નાખનાર, પોતાનું વાસ્તવિક મૂળ શુદ્ધ પરમાત્મા સમાન અનંત ઐશ્વર્યયુક્ત સ્વાધીન સ્વતંત્ર મુક્ત સહજાત્મસ્વરૂપ પમાડનાર અને અનંત સુખ-શાંતિના ધામ એવા મોક્ષપદમાં વિરાજિત કરનાર અમૂલ્ય બોધ શ્રીમદે નિઃસ્પૃહતાથી આપી જગત ઉપર અપાર ઉપકાર કર્યો છે. આ ગ્રંથનો સદુપયોગ પરમાત્મપદાભિલાષી જીવોને પરમાત્મપદની આરાધનામાં, પોતાનો દુર્લભ જોગ સાર્થક કરવામાં, આત્મવિચારણા જગાવવામાં, અધ્યાત્મભાવના ભૂષિત બની બોધિ-સમાધિસુખની પ્રાપ્તિ કરવામાં પ્રબળ સહાયક બને છે. વૈરાગ્યની ભાવનાને વર્ધમાન કરવામાં, સંસારની ભૂલભુલામણીના પ્રસંગોએ આત્મોપયોગને સૂક્ષ્મ બનાવવામાં, પુદ્ગલની આસક્તિ છોડાવવામાં તે મદદગાર બને છે. તે પવિત્ર વચનામૃતો જીવનું સંસારતાપથી રક્ષણ કરે છે. જે કોઈ આ ઉપદેશસુમન ઉપર પોતાના મનરૂપી ભમરને બેસાડીને તેનો મધુર રસ ચૂસશે, તે અવશ્ય આત્માનંદ અનુભવશે. શ્રીમદે આગમાનુકૂલ, વીતરાગી સંતોની પરંપરા અનુસાર વહેવડાવેલી જ્ઞાનધારામાં નિમજ્જન કરી તે અવશ્ય પવિત્ર થશે. શ્રીમદે જિનાગમના અવિરત મંથન દ્વારા કાઢેલ નવનીતરૂપ આ ગ્રંથમાં પરમ પારિણામિક ભાવસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને ધ્યેય બનાવવાની પ્રેરણા આપી છે. તેમણે એક અખંડ અવિનશ્વર ચૈતન્યચમત્કારસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યનો સર્વત્ર અને સર્વથા આશ્રય લેવાનો મહામંત્ર આપ્યો છે. તેમના આ બોધનું પરિણમન કરતાં જીવના ભવચક્રનો અભાવ થશે અને તે અવશ્ય ભવાતીત એવા શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરશે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આરાધના કરતાં જીવ નિશ્ચયે ભવભ્રમણથી છૂટીને જન્મજરા-મરણથી રહિત એવા અખંડ સ્વરૂપરમણતારૂપ મોક્ષને પામશે. તેના અધ્યયન દ્વારા જીવ તત્ત્વનો નિર્ધાર કરી આત્મસિદ્ધિરૂપ નિર્વાણને પામશે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે – ‘સત્ય સમજવાની જેને જિજ્ઞાસા છે, સાચા સ્વાધીન, અખંડ અવ્યાબાધ Page #523 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સુખનો જે અભિલાષી છે અને આત્માના પરમ શાંતિપદની જેને અપેક્ષા છે, તેને આ શાસ્ત્ર પરમ હિતકારી થશે એમાં સંદેહ નથી. આ આત્મસિદ્ધિરૂપ અમૃતરસ જે કોઈ પીશે તે તત્ત્વરસિક અવશ્ય મુક્તિનું ભાજન થઈ, અમરત્વને પામી મોક્ષનું અનંત અવ્યાબાધ અક્ષય સુખ પામશે.” આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તેનું નામ સાર્થક થાય તેવો જ ઉપદેશ છે. અધ્યાત્મસાહિત્યમાં અગ્રસ્થાને મૂકી શકાય તેવો અનન્ય ગ્રંથ છે. વર્તમાન કાળના મુમુક્ષુઓને તે શ્રીમનો ઉત્તમ વારસો છે. સમ્યક્ સાધનામાર્ગના ઉદ્ધારક, આત્મધર્મના ઉજાગર શ્રીમદે અધ્યાત્મતત્ત્વરસ વહેવડાવી સ્વ-પર ઉપકાર કર્યો છે. સર્વ જીવો આ ગ્રંથ વાંચી જીવન ધર્મમય બનાવી, અખંડ અવિચ્છિન્ન સાદિ-અનંત સમાધિસુખ પ્રાપ્ત કરે એવી અંતઃકરણની ભાવનાપૂર્વક શ્રીમદે તેની રચના કરી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું ઉદ્બોધન કરતો શ્રીમનો દિવ્ય નાદ મુમુક્ષુઓને સપ્રેમ આવાન કરે છે કે હે મોક્ષના કામી મુમુક્ષુઓ! આત્મસિદ્ધિશાસ્ત્રનું અવગાહન કરી, મોક્ષપ્રાસાદનું શિલાન્યાસ ત્વરાથી કરી, તે મહાપ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના ઉપર કેવળજ્ઞાનરૂપ કળશ ચઢાવી, આત્મસિદ્ધિરૂપ વાસ્તુ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરો.' ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', પ્રસ્તાવના, પૃ.૨૧ Page #524 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ પરિશિષ્ટ Page #525 -------------------------------------------------------------------------- ________________ Page #526 -------------------------------------------------------------------------- ________________ ખંડ પરિશિષ્ટ — — ૪ ૧ ષદર્શનપરિચય Page #527 -------------------------------------------------------------------------- ________________ Page #528 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ભારતીય તત્ત્વચિંતકોએ પોતાના સંસ્કૃત તેમજ પ્રાકૃત ગ્રંથોનાં નામમાં ‘ષદર્શન’ શબ્દનો પ્રયોગ અનેક વાર કર્યો છે, જેમ કે ‘ષદર્શનસમુચ્ચય’, ‘ષદર્શનવિચાર’, ‘ષડ્દર્શનનિર્ણય ’ વગેરે. આ ઉપરાંત સંત કવિ અખો, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા સંતો અને મર્મીઓએ પણ પોતાનાં પદો અને કાવ્યોમાં આ શબ્દનો પ્રયોગ વારંવાર કર્યો છે. ષડ્દર્શન શબ્દ બે શબ્દોનો બનેલો છે ષટ્ (ડ્) અને દર્શન. ષટ્ એટલે છ અને દર્શન એટલે તત્ત્વજ્ઞાન. તેથી ષડ્દર્શન શબ્દનો અર્થ છે છ તત્ત્વજ્ઞાન, એટલે કે તત્ત્વજ્ઞાનની છ વિચારધારાઓ. પરંતુ સંદર્ભ ભારતનો હોવાથી, વિશ્વની નહીં પણ માત્ર પ્રાચીન ભારતમાં ઉદ્ભવેલી તત્ત્વજ્ઞાનની છ વિચારધારાઓ એવો ‘ષદર્શન' શબ્દનો અર્થ થાય છે. - પારમાર્થિક ક્ષેત્રે આચારની જેમ વિચારનું પણ સ્વતંત્ર મૂલ્ય છે. વિચારસરણી ઉપર આધારિત વાદને જ શિષ્ટ પુરુષોએ દર્શન એવું નામ આપ્યું છે અને એ દર્શન એટલે જીવ (આત્મા), જગત (વિશ્વ) અને જગદીશ(પરમાત્મા)ને જોવાનો પોતપોતાનો આગવો દષ્ટિકોણ અને તે પ્રમાણે બંધાયેલી માન્યતા. આ આધારશિલા ઉપર જે વિચારસરણી સાંગોપાંગ પ્રસ્તુત થઈ તેવાં છ દર્શનોને સર્વસ્વીકૃતિ મળી છે. તે છ દર્શનો છે જૈન, બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, મીમાંસા અને ચાર્વાક, - શ્રીમદે પોતાના ક્ષયોપશમના અસાધારણ ઉઘાડથી ષડ્દર્શનની તુલનાત્મક વિચારણા કરી હતી. સત્યતત્ત્વગવેષક શ્રીમદ્દ્ન ચિત્ત તેર વર્ષની ઉંમરથી જ ષડ્દર્શનની મધ્યસ્થ પર્યાલોચના કરવારૂપ તત્ત્વમંથનમાં લાગી ગયું હતું. ષડ્દર્શનનું સ્વરૂપ દર્શાવનારા ગ્રંથોમાંથી જે કોઈ ગ્રંથ ઉપલબ્ધ હોય તે મેળવી, ષડ્દર્શનનું મંથન કરી, તત્ત્વનવનીત પ્રાપ્ત કરવાનું ભગીરથ કાર્ય પરીક્ષાપ્રધાની શ્રીમદે આદર્યું હતું. તે સર્વ ગ્રંથોનું ઊંડું અવગાહન તેમણે ખૂબ જ અલ્પ સમયમાં કર્યું હતું. શ્રીમનાં અમુક પત્રો, લેખો તથા હાથનોંધોના ઉલ્લેખ ઉ૫૨થી તેમણે ષડ્દર્શનનું કેવું તલસ્પર્શી મંથન કર્યું હતું તે જણાઈ આવે છે. તદુપરાંત મહાત્મા ગાંધીજી આદિ ઉપરના તેમના પત્રોમાં તથા શ્રી મનસુખભાઈ કિરતચંદ સાથેના તેમના સત્સંગપ્રસંગોમાં સ્થળે સ્થળે ‘ષડ્દર્શનસમુચ્ચય' આદિ દાર્શનિક ગ્રંથોનો વારંવાર ઉલ્લેખ આવે છે. તે ઉપરથી જણાય છે કે શ્રીમદે આ દર્શનોની ઘણી ઊંડી વિચારણા કરી હતી અને એ ગંભીર તત્ત્વમીમાંસાનો પરિપાક શ્રીમદ્ગુણીત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ બે ગાથાઓમાં જોવા મળે છે ‘ષસ્થાનક સમજાવા સંક્ષેપમાં, પરમાર્થને, ષટ્કર્શન કહ્યાં પણ તેહ; એહ.’ જ્ઞાનીએ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. શ્રીમના મત પ્રમાણે આત્માનાં “અસ્તિત્વ', 'નિત્યત્વ', “કત્વ', 'ભોસ્તૃત્વ', “મોક્ષ' અને “મોક્ષનો ઉપાય' એ છ પદમાં છ દર્શનોના આત્માદિ સંબંધી જે કોઈ અભિપ્રાયો છે તે સર્વનો સમાવેશ થઈ જાય છે. બધાં દર્શનશાસ્ત્રો આ છ પદનાં ખંડન કે મંડન અર્થે જ રચાયાં છે. સૌની સમજાવવાની શૈલી જુદી જુદી છે, સૌએ પોતપોતાના મતના સમર્થન માટે અનેક દલીલો મૂકી છે, પણ જો તે બધાનો સાર કાઢવામાં આવે તો તે દર્શનો આ છ પદની સમજણમાં સમાઈ જાય છે. એ રીતે જોતાં આત્માનાં છે પદમાં છ દર્શનોનો સમાવેશ થઈ જાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આ છે પદનો વિસ્તાર કર્યો હોવાથી તેને પ્રદર્શનના સારરૂપ કહી શકાય. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – જેમાં પદ્દર્શનનો સાર સમાવ્યો છે અને જેમાં શ્રુતસમુદ્ર મથી તત્ત્વ-નવનીત જમાવ્યું છે, એવી અનુભવરસગંગા શ્રીમદ્દ્ગી આત્મસિદ્ધિ તો આ અવનિ પરનું સાક્ષાત્ અમૃત છે.” છએ દર્શનોએ આત્મા વિષે જે અભિપ્રાયો ઉચ્ચાર્યા છે, તે સર્વ અભિપ્રાયોનો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાવેશ કરી, તે તે દર્શનોનાં નામનિર્દેશ વિના શ્રીમદે ગુરુ-શિષ્યના સંવાદરૂપે તેને પ્રગટ કર્યા છે. છએ દર્શનોના સિદ્ધાંતોમાં નિપુણ એવા સદ્દગુરુને કોઈ પ્રદર્શનનો અભ્યાસી શિષ્ય, જગતમાં પ્રચલિત હોવા છતાં અસમ્મત થાય તેવી દલીલો કરી, તે સંબંધી પ્રશ્નો કરે છે અને શ્રીગુરુ તેનું સચોટ સમાધાન આપે છે. તે સમાધાનમાં શિષ્યની દલીલો કઈ રીતે અયોગ્ય છે તે સમજાવી, તર્કયુક્ત દલીલો દ્વારા સત્ય સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ત્વનું શ્રદ્ધાન યથાર્થપણે થઈ શકે અને મોક્ષમાર્ગ યથાર્થ રીતે સમજી શકાય એ પવિત્ર હેતુથી શ્રીમદે શંકાસમાધાન દ્વારા પપદનું પ્રતિપાદન કર્યું છે. વાદવિવાદનાં સ્થળોએ તેમણે એવી સૂક્ષ્મ કાળજી રાખી છે કે કોઈ પણ મતની અવમાનના ન થાય અને જે અભિપ્રાયોનું પ્રતિપાદન કરવામાં પોતે આત્મશ્રેય માન્યું છે તે અભિપ્રાયો સરળતાપૂર્વક જણાવાય. તેથી શ્રીમદે ભિન્ન ભિન્ન દર્શનના પ્રભાવથી ઉત્પન્ન થતી દલીલો, તે દર્શનોનાં નામનિર્દેશ વિના શિષ્યના મુખે પ્રગટ કરી, શ્રીગુરુ દ્વારા શિષ્યની તે દલીલમાં રહેલ એકાંતિક માન્યતાનું ખંડન કરી, તે સર્વનો સ્યાદ્વાદ દ્વારા સમન્વય સાધ્યો છે. દર્શનોમાં જે પરસ્પર મતભેદ છે તેમાં ન પડતાં, શુદ્ધાત્મતત્ત્વ સમજાય તે અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ ૧- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૪૪, ૧૨૮ ૨- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૨૫ Page #530 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - ભૂમિકા ૪૯૭ શાસ્ત્રમાં શ્રીમદે છએ દર્શનોનો તાત્ત્વિક સમન્વય સાધ્યો છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તત્ત્વજ્ઞાન સંબંધી મહત્ત્વની સમસ્યાઓની ચર્ચાવિચારણા કરે છે. તે એક દાર્શનિક ગ્રંથ હોવા છતાં તેનો આશય કોઈ પણ એક દર્શનનું સમગ્ર પરીક્ષણ કરવાનો નથી. આત્મસિદ્ધિ અર્થે જે જે વિષયોની ચર્ચા આવશ્યક છે, તેનું જ પરીક્ષણ તેમાં થયું છે. શ્રીમદે છ પદ સંબંધી જૈન દર્શનની માન્યતા સ્પષ્ટ કરવા અર્થે, પૂર્વપક્ષરૂપે અન્ય દર્શનોની માન્યતા તે દર્શનોનાં નામનિર્દેશ વિના મૂકી, તત્પશ્ચાતું તેની અયથાર્થતા બતાવી, જૈન દર્શનની માન્યતા શી છે તેનું નિરૂપણ કર્યું છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પદર્શનનો વિષય ગૂંથાયો હોવાથી, ગ્રંથમાં આવતા દાર્શનિક વિષયોને યોગ્ય રીતે સમજવા માટે તે વિષયોની ચર્ચા સવિશેષપણે ઉપયોગી થાય તે અર્થે આ પ્રકરણની યોજના કરવામાં આવી છે. પદર્શન સંબંધિત વિભિન્ન વિષયોની ચર્ચા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ગહન સંદેશને ઝીલવામાં સવિશેષ ઉપયોગી થશે. આ પ્રકરણમાં પ્રથમ ભારતીય દર્શનોનો સામાન્ય પરિચય, ‘દર્શન' શબ્દનો અર્થ, દર્શનશાસ્ત્રોનું પ્રયોજન તથા દર્શનોનું કાળાનુક્રમે વર્ગીકરણ આપી, દરેક દર્શનની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ Page #532 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શન (I) દર્શન પરિચય તત્ત્વચિંતન કે દર્શનવિદ્યાનું ઉત્પત્તિસ્થાન માનવ છે. પોતાની જિજ્ઞાસા સંતોષવાની શક્તિ ચિંતનશીલ મનુષ્યને સ્વભાવથી જ અપરિમિતરૂપે વરેલી છે અને તેથી જ્યારે કોઈ નવો વિષય તેની સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે તે પોતાનાં સુખ-સગવડની અને ક્યારેક તો જીવનની પણ પરવા કર્યા વિના તે વિષય અંગેની ઊંડી સમજ મેળવવા, તેના રહસ્યની શોધ કરવા પ્રવૃત્ત થાય છે અને પોતાની એકધારી અડગ ધૂન તથા પોતાના પુરુષાર્થ દ્વારા માનવજાતને તે કોઈ ને કોઈ મૂલ્યવાન તત્ત્વનિષ્કર્ષ આપી જાય છે. મનુષ્યજાતિનો અત્યાર સુધીનો જે જ્ઞાનવારસો સચવાઈ રહ્યો છે તે આ વાતની સાક્ષી પૂરે છે. ભારતભૂમિના ખોળે જન્મ લેનારને ગળથૂથીમાં જ એવા સંસ્કાર મળે છે કે જેના કારણે તેના માનસિક ઘડતરમાં આધ્યાત્મિક વિષયોની જિજ્ઞાસાનાં બીજ અનાયાસે ન્યૂનાધિક પ્રમાણમાં વવાઈ જાય છે. મનુષ્ય જ્યારે ચિતનપરાયણ બને છે, ત્યારે તેનામાં અતીન્દ્રિય વિષયો પરત્વે જિજ્ઞાસા જાગે છે. તેના મનમાં અમુક તાત્ત્વિક પ્રશ્નો આપોઆપ જન્મે છે. સંસાર શું છે? તેની ઉત્પત્તિ અને નાશ છે કે તે અનાદિ-અનંત છે? તેનો કોઈ હેતુ હશે ખરો? તે સત્ય છે કે કેવળ આભાસરૂપ છે? તેનો કોઈ અષ્ટા હશે ખરો? કોઈ શાસક હશે ખરો? જો હોય તો તેનું સ્વરૂપ કેવું હશે? સૃષ્ટિના સટ્ટા અને મનુષ્ય વચ્ચે કયા પ્રકારનો સંબંધ હશે? જીવાત્માનું સાચું સ્વરૂપ શું છે? એ પરમાત્માનો એક અંશ છે કે પરમાત્મસ્વરૂપ જ છે? જીવાત્માની આવી દુઃખમય અવસ્થા કેમ છે? જીવ આવે છે ક્યાંથી? અને મૃત્યુ પછી જીવનું શું થાય છે? જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય છે કે નહીં? આ જીવનનો હેતુ શું છે? આ બધા દાર્શનિક પ્રશ્નો માનવીના મનમાં ઊઠતા હોય છે. આ તાત્ત્વિક જિજ્ઞાસાને સંતોષવા અર્થે માનવે ખૂબ માનસિક પુરુષાર્થ કર્યો છે. આ પુરુષાર્થના વિકાસનો જે ઈતિહાસ છે, તેના ઉપરથી ફલિત થાય છે કે આ વિકાસને એક ‘તત્ત્વવિદ્યા' શબ્દથી જ સૂચવી શકાય છે. આ વિકાસનાં ત્રણ સોપાન છે. એનું પહેલું સોપાન છે અજ્ઞાનનો સામનો કરવો, એટલે કે એને નિવારવું. બીજું સોપાન છે મેળવેલું જ્ઞાન ભમ અને સંશયથી રહિત છે એની ખાતરી કરવી. ત્રીજું સોપાન છે માત્ર ઉપર ઉપરની હકીકતથી જ સંતુષ્ટ ન રહેતાં એનાં કારણોની સતત ગવેષણા કરવી. વિકાસનાં આ ત્રણ સોપાન યથાસંભવ સિદ્ધ કરવામાં અનેક યુગોના અને અનેક સંપ્રદાયોના અનેક ચિંતકોના પુરુષાર્થનો ફાળો રહ્યો છે. દરેકની ભૂમિકા, શક્તિ, સાધન Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને દૃષ્ટિ એકસરખાં નહીં હોવાથી જગત, જીવ અને જગદીશનાં સ્વરૂપ પરત્વે અનેક વિચારધારાઓ પ્રયુક્ત થઈ છે. આ વિચારધારાઓમાં દેખીતી રીતે કેટલાક તાત્ત્વિક ભેદ દૃષ્ટિગોચર થાય છે, છતાં એ બધાનો અંતર્ગત સૂર તો મુખ્યત્વે સત્યશોધનનો જ રહ્યો છે. સત્યશોધનના પરિણામો એકસરખાં નહીં હોવા છતાં સત્ય જાણવાનો તેમની નિષ્ઠા તો એકસરખી જ રહી છે. - સત્ય જાણવાની પોતાની જિજ્ઞાસા સંતોષવા જીવ દર્શનશાસ્ત્રમાં આપેલાં માર્ગદર્શન અનુસાર સત્યશોધનના પ્રયત્નો કરે તો તેને સત્ય પ્રાપ્ત થઈ શકે છે. તેથી જ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ મહત્ત્વનો મનાયો છે. (II) ‘દર્શન’ શબ્દનો અર્થ | દર્શન શબ્દ સામાન્યપણે ફિલસૂફીના પર્યાય તરીકે વપરાય છે. અંગ્રેજી ભાષામાં 'philosophy' શબ્દ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે - philos એટલે love અને sophia' એટલે wisdom. આમ, 'philosophy નો શબ્દાર્થ 'love for wisdom', અર્થાત્ જ્ઞાન માટેનો પ્રેમ એમ થાય છે. તદનુસાર philosopher નો અર્થ જ્ઞાનાનુરાગી અથવા જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ એવો થાય છે. અરબી ભાષામાં ફેલસૂફ' શબ્દ છે, જેનો અર્થ તત્ત્વજ્ઞાની થાય છે. એના ઉપરથી હિંદી-ગુજરાતીમાં ‘ફિલસૂફ' શબ્દ આવ્યો હોવાનું મનાય છે. “ફિલસૂફી'નો અર્થ એવો કરી શકાય કે વિચારોના પરિપાકરૂપ થયેલું ચિંતન ફિલસૂફી” કરતાં ભારતીય સંસ્કૃત શબ્દ ‘ટર્જન' વધુ વ્યાપક અને ગહન છે. ફિલસૂફી એટલે ચિંતન, વિચારણા વગેરે; જ્યારે દર્શન એટલે તો ‘જોવું', વસ્તુને પ્રત્યક્ષ નિહાળવી. દર્શન શબ્દની ઉત્પત્તિ ‘તૃશ' ધાતુ ઉપરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે ‘દેખવું, ‘જોવું'. તત્ત્વને માત્ર વિચારવું જ એમ નહીં પણ તેનો અપરોક્ષ સાક્ષાત્કાર થવો તે ‘દર્શન'. ચિંતનમાં અનુમાન, તર્ક આદિનો આશ્રય હોવાથી તેમાં ભૂલ થવાનો સંભવ રહ્યો છે, જ્યારે દર્શનમાં તેવો સંભવ ઘણો ઓછો રહે છે. દર્શનમાં પણ કોઈક વાર ભાંતિ થઈ જવાનો સંભવ રહે છે, જેમ કે રજુમાં સર્પનું દર્શન. પણ અહીં ‘દર્શન' શબ્દથી અસંદિગ્ધ, અસંભ્રાંત દર્શન અભિપ્રેત છે. પંડિત સુખલાલજી કહે છે કે – ‘જે ઋષિ, કવિ યા યોગીઓએ આત્મા-પરમાત્મા જેવી અતીન્દ્રિય વસ્તુઓનો સાક્ષાત્કાર કર્યો હોય, અર્થાત્ જેમને એવી વસ્તુઓની બાબતમાં અક્ષોભ્ય ને અસંદિગ્ધ પ્રતીતિ થઈ હોય તેઓ દ્રષ્ટા તરીકે ઓળખાય છે. આધ્યાત્મિક પદાર્થોનું તેમનું સાક્ષાત આકલન એ સત્યસ્પર્શી હોઈ દર્શન કહેવાય છે. આ રીતે અધ્યાત્મવિદ્યાના અર્થમાં પ્રચલિત દર્શન શબ્દનો ફલિતાર્થ એ થયો કે આત્મા, ૧- sophia (સૉફીઆ) = દિવ્ય પ્રજ્ઞાશક્તિ, ભગવાનનાં આશ્ચર્યોને પ્રગટ કરનારી ગ્રીક દેવી. Page #534 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ભારતીય દર્શન ૫૦૧ પરમાત્મા આદિ ઇન્દ્રિયાતીત વસ્તુઓનો જે સ્પષ્ટ, અસંદિગ્ધ અને તેથી જ અવિચલિત એવો બોધ તે જ દર્શન છે. દર્શન એ જ્ઞાનશુદ્ધિની અને તેની સત્યતાની પરાકાષ્ઠા છે. દર્શન એટલે જ્ઞાનશુદ્ધિનો પરિપાક.૧ અધ્યાત્મવિદ્યાના અર્થમાં રૂઢ થયેલ ‘દર્શન’ શબ્દનો મૂળ ભાવ શું છે તે જોયું. જો કે તેનો સામાન્ય અર્થ માત્ર એટલો જ થાય છે કે સત્યને જાણવાનો પુરુષાર્થ. પ્રત્યેક દર્શન - પછી તે પૌરય હોય કે પાશ્ચાત્ય - સત્યને પોતાના એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરે છે. તત્ત્વજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત વિચાર કર્યા વગર માન્ય રાખવામાં આવતો નથી. માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને લગતી અનેકવિધ મૂળભૂત માન્યતાઓમાંની પ્રત્યેક માન્યતા પ્રત્યે શંકાનું વલણ રાખીને તત્ત્વજ્ઞાની તેની સાંગોપાંગ પરીક્ષા કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. તેથી દર્શનનો સાધારણ અર્થ થાય છે - આલોચનાત્મક વ્યાખ્યા અથવા વસ્તુસ્વરૂપની સયુક્તિક મીમાંસા. (III) દર્શનશાસ્ત્રનું લક્ષ્ય શું? શાસ્ત્ર એટલે કોઈ વિશિષ્ટ વિષયનું, વિચાર તથા અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું વ્યવસ્થિત અને સંકલિત જ્ઞાન. જીવ, જગત અને ઈશ્વરનાં સ્વરૂપનું અને તેમના પરસ્પર સંબંધનું નિરૂપણ અને પરીક્ષણ એ દર્શનશાસ્ત્રનો પ્રધાન હેતુ છે. અગાઉ જોઈ ગયા તેવા અનેક કૂટ પ્રશ્નો માનવી ઉઠાવે છે અને પોતાની બુદ્ધિ અનુસાર તેના ઉત્તરો શોધવા તે અથાક શ્રમ પણ સેવે છે. આ બધા પ્રશ્નોનું નિરાકરણ યુગોથી શરૂ કરી આજ પર્યત સાધના, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા પ્રાપ્ત સ્વકીય જ્ઞાન વડે જ્ઞાનીઓ અને દાર્શનિકો આપતા રહ્યા છે અને તેને તત્ત્વજ્ઞાન એવું નામ આપવામાં આવે છે. આ તત્ત્વજ્ઞાન માનવીને તેની જિજ્ઞાસા તૃપ્ત કરવામાં મદદ કરે છે. તત્ત્વજ્ઞાન એ નથી કોઈ બુદ્ધિજનોની શાબ્દિક કસરત, નથી તે કોઈ નિરર્થક વાજાળ કે નથી શુષ્ક માથાકૂટ; એ કેવળ અટકળ પણ નથી; એ તો પદ્ધતિપૂર્વકનું એક અનોખું દર્શન છે. જીવનની રહસ્યમય ઊંડી સમસ્યાઓનો સાચો, સ્પષ્ટ અને સુરેખ ઉકેલ છે. એ તો દુઃખમાંથી મુક્ત થવાનો અને અમરત્વ તથા શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. દર્શનશાસ્ત્રોનું ધ્યેય માત્ર માનવબુદ્ધિને સંતોષ આપવાનું છે એમ ઘણી વખત માનવામાં આવે છે, પરંતુ તત્ત્વજ્ઞાન એ કેવળ બૌદ્ધિક વિલાસનો વિષય નથી. એના આધારે તો જીવનનું ઘડતર થતું હોય છે. કેવળ બુદ્ધિ કસવાના અખાડા તરીકે જ જો તત્ત્વજ્ઞાનની ચર્ચા થતી હોય તો તે ઇચ્છનીય નથી. તત્ત્વજ્ઞાનનું જીવનસિદ્ધાંતમાં પર્યવસાન થવું જોઈએ. ભારતના પ્રાચીન ઋષિમુનિઓ માટે તત્ત્વજ્ઞાન એ ક્યારે પણ ૧- પંડિત સુખલાલજી, ‘ભારતીય તત્ત્વવિદ્યા', પૃ.૬ Page #535 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યાસંગ (hobby) કે બૌદ્ધિક વિલાસનું સાધન ન હતું, પણ તત્ત્વજ્ઞાન એ તો તેમને માટે આત્મસાક્ષાત્કાર પામેલી કે પામવા માટેની વિચારધારા હતી. પંડિત સુખલાલજી કહે છે – ‘દર્શનવિદ્યા એ છેવટે માણસને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા મનુષ્યને વિશ્વ સાથેના તેમજ ઇતર પ્રાણીજગત સાથેના તેના સંબંધ વિષે વિચાર કરવામાં મદદ કરે છે. આ વિચારમાંથી મનુષ્યનું રૂપાન્તર થાય છે. તેનું જીવન માત્ર સ્થળલક્ષી મટી સૂક્ષ્મલક્ષી અને સર્વલક્ષી થવાની દિશામાં વળે છે, જેને લીધે તે વ્યક્તિરૂપે જુદો દેખાવા છતાં તાત્ત્વિક રીતે સર્વમાં આત્મૌપગની અથવા તો અભેદની દષ્ટિ કેળવે છે. આ દષ્ટિ જ માનવતાનું સાધ્ય છે અને એ જ ચારિત્રનિર્માણનો પાયો છે.” પ્રાચીન કાળના ભારતવાસીઓ સત્યની માત્ર બૌદ્ધિક શોધ કરીને અટકી જતા નહીં, પણ એ સત્યને પોતાના અનુભવમાં ઉતારવાનો પ્રયત્ન કરતા. સત્તત્ત્વનું ‘જ્ઞાન' થયા પછી તેઓ તેને કસીને, તે દ્વારા મોક્ષ મેળવવાનો પુરુષાર્થ કરતા. એટલે તેમના મત અનુસાર તત્ત્વજ્ઞાન એ કેવળ બુદ્ધિથી થયેલી પ્રતીતિ નહીં, પણ અભ્યદય અને નિઃશ્રેયસ સુખ પ્રાપ્ત કરવાનું સાધન હતું. પૌરસ્ય હોય કે પાશ્ચાત્ય, બધાં જ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં જોઈ શકાય છે કે એ માત્ર જગત, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ થતું નથી, પણ તેની સાથે જીવનના પ્રશ્નોને પણ એ સાંકળી લે છે; એટલે કે તત્ત્વજ્ઞાન પોતાનામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત્ત, પૌરસ્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ બાબતમાં થોડો તફાવત પણ છે. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો ઉદ્ભવ આશ્ચર્યમાંથી થાય છે, જ્યારે પૌરસ્ય તત્ત્વજ્ઞાનનો ઉદ્ભવ દુઃખમુક્તિના માર્ગની ખોજમાંથી થાય છે. પાશ્ચાત્ય ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિષેના પ્રશ્નોમાંથી થઈ હતી અને આગળ જતાં ખ્રિસ્તી ધર્મ સાથે એનો સંબંધ જોડાતાં એમાં જીવનશોધનનો પ્રશ્ન પણ ઉમેરાયો હતો અને તે પછી એ પાશ્ચાત્ય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ખ્રિસ્તી ધર્મના રોમન કેથોલિક સંપ્રદાયમાં તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈ શકાય છે. આથી વિરુદ્ધ, પૌરમ્ય આર્ય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નોમાંથી થઈ હોય એમ લાગે છે. આર્ય તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. દરેક આર્ય દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પોતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના ૧- પંડિત સુખલાલજી, ‘ભારતીય તત્ત્વવિદ્યા', પૃ.૯૨ Page #536 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ભારતીય દર્શન ૫૦૩ પ્રશ્નને જ છણે છે, તેથી દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષનો ઉદ્દેશ અને અંતમાં તેનો જ ઉપસંહાર જોવા મળે છે. આર્ય દર્શનની પરંપરાઓમાં જગત, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપચિંતન પરત્વે અથવા બાહ્ય આચારોમાં ભેદ હોવા છતાં આર્ય દર્શનની દરેક પરંપરામાં જીવનશોધનને લગતા મૌલિક પ્રશ્નોમાં ખાસ તફાવત નથી. કોઈ ઈશ્વરને માને કે ન માને, કોઈ પ્રકૃતિવાદી હોય કે પરમાણુવાદી હોય, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કોઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કોઈ તેથી ઊલટું માને, કોઈ ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ જ્ઞાન ઉપર ભાર મૂકે, કોઈ નિષ્કામ કર્મની વાત કરે કે કોઈ કર્મસંન્યાસની વાત કરે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે - દુઃખ છે કે નહીં? હોય તો તેનું કારણ શું? તે કારણનો નાશ શક્ય છે? અને શક્ય હોય તો કઈ રીતે? આ પ્રશ્નોના ઉત્તરો પણ દરેક પરંપરામાં લગભગ એકસરખા જ છે. અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને તેનો નાશ સંભવિત છે. આત્મજ્ઞાન દ્વારા દુઃખનાં કારણોનો નાશ થતાં જ દુઃખ ક્ષય થાય છે. આમ, આર્ય દર્શનોની પરંપરા જીવનશોધનના મૌલિક પ્રશ્નો વિષે લગભગ સમાન વિચારસરણી ધરાવે છે. (IV) દર્શનોનું વર્ગીકરણ આર્યાવર્તના દર્શનશાસ્ત્રોની વિચારશ્રેણીના બે મુખ્ય વિભાગ પાડવામાં આવે છે. આસ્તિક દર્શનો અને નાસ્તિક દર્શનો – (i) આસ્તિક દર્શનો એટલે વેદને પ્રમાણભૂત માની પ્રવૃત્ત થયેલાં દર્શનો. (ii) નાસ્તિક દર્શનો એટલે વેદશાસ્ત્રને પ્રમાણભૂત ન માનનારાં અને સ્વતંત્ર રીતે પ્રવૃત્ત થયેલાં દર્શનો. પ્રથમ વિભાગમાં (૧-૨) ન્યાય અને વૈશેષિક, (૩-૪) સાંખ્ય અને યોગ, (૫-૬) પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા (વેદાંત); અને બીજા વિભાગમાં (૧) ચાર્વાક (લોકાયત), (૨) જૈન અને (૩) બૌદ્ધ દર્શને આવે છે. આત્મતત્ત્વ, પુનર્જન્મ, કર્મતત્ત્વને જે માને તે આસ્તિક અને જે ન માને તે નાસ્તિક; અથવા જે જગતકર્તા ઈશ્વરને સ્વીકારે તે આસ્તિક અને જે ન સ્વીકારે તે નાસ્તિક; એવા પ્રચલિત અર્થથી ઉપરનું વર્ગીકરણ જુદું પડે છે. તેમાં આસ્તિક' અને નાસ્તિક એવું આ નામકરણ વેદાનુયાયીઓએ કરેલું છે. વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર ‘આસ્તિક' અને નહીં સ્વીકારનાર ‘નાસ્તિક', આ વ્યાખ્યાનુસાર જેઓ ‘નાસ્તિક' કહેવાય છે, એમાંના જૈન અને બૌદ્ધ દર્શન, આત્મતત્વના અસ્તિત્વને સ્વીકારતાં હોવાથી પોતાને આસ્તિક માને છે. સમય જતાં નાસ્તિક શબ્દ માત્ર અનાસ્થાનો દ્યોતક ન રહેતાં Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એક-બીજાને ઉતારી પાડવા માટેના અપશબ્દ જેવો થઈ પડ્યો છે. આથી આ શબ્દનો પ્રયોગ અન્ય દર્શન પ્રતિ સર્ભાવ વધારવાના પ્રયત્નમાં બાધક બનતો હોવાથી આસ્તિક’ અને ‘નાસ્તિક' શબ્દની જગ્યાએ અનુક્રમે ‘વૈદિક દર્શન અને અવૈદિક દર્શનો એવું નામ આપવામાં આવશે. ભારતીયદર્શનો અવૈદિક દર્શનો વૈદિક દર્શનો (૧) ચાર્વાક (૨) જૈન (૩) બૌદ્ધ વેદ ગ્રંથો ઉપર વેદ ગ્રંથો ઉપર અંશતઃ આધારિત પૂર્ણતઃ આધારિત (૧-૨) ન્યાય-વૈશેષિક (૩-૪) સાંખ્ય-યોગ (પ-૬) પૂર્વ મીમાંસા - ઉત્તર મીમાંસા આર્ય સંસ્કૃતિ સાથે પ્રાચીન શાસ્ત્રો અવિભાજ્ય સંબંધે જોડાયેલાં છે. વિભિન દર્શનોએ આધ્યાત્મિક તેમજ લૌકિક જીવનની પ્રત્યેક સમસ્યા ઉપર ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણોથી ઊંડો વિચાર કર્યો છે. વૈદિક સત્યો જોવા તથા જાણવા માટે બ્રાહ્મણોએ જે છ શાસ્ત્રો સૂત્રના આકારે રચ્યાં હતાં તેને પ્રદર્શન એવું નામ આપવામાં આવ્યું હતું. સામાન્યપણે એમ મનાય છે કે વૈદિકયુગ (ઈ.સ. પૂર્વે ૬૦૦) પછી એટલે કે ભગવાન મહાવીરસ્વામી અને મહાત્મા બુદ્ધના કાળ દરમ્યાન દર્શનોની ઉત્પત્તિ થઈ છે. જો કે કોઈ કોઈ દર્શનનાં મૂળ તો એથી પણ પ્રાચીન સાહિત્યમાં મળી આવે છે. ચાર્વાક, મીમાંસા, સાંખ્ય આદિ દર્શનો ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધની પહેલાં અસ્તિત્વમાં આવી ગયાં હતાં એમ બૌદ્ધ અને જૈન સાહિત્ય જોતાં સ્પષ્ટ થાય છે. આ બાબતમાં શ્રી નર્મદાશંકર મહેતા કહે છે કે – તે બે મહાપુરુષોએ બ્રાહ્મણોને પોતાના ધર્મવિચારમાં લાવવાના જે પ્રયત્નો કર્યા છે તેની અન્ત પરીક્ષા કરતાં સમજાય છે કે ઈ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં નીચેના વિષયો ઉપર પ્રાચીન કાળમાં ભિન્ન ભિન્ન સંભાવનાઓ ઊભી થઈ હતી - (૧) જીવ સંબંધમાં, (૨) કર્મ સંબંધમાં, (૩) શરીર સંબંધમાં, (૪) પંચભૂત સંબંધમાં, (૫) સદ્દશ ઉત્પત્તિ સંબંધમાં, (૬) બંધ-મોક્ષ સંબંધમાં, (૭) દેવસૃષ્ટિ સંબંધમાં, (૮) નરકસૃષ્ટિ સંબંધમાં, (૯) પુણ્ય-અપુણ્ય સંબંધમાં, (૧૦) પરલોક સંબંધમાં અને (૧૧) નિર્વાણ સંબંધમાં. ..... (૧) લોકાયતિક અથવા ચાર્વાકમત, (૨) ઉપનિષદ્ગાદીનો બ્રહ્માત્મમત, (૩) કપિલાગમનો સાંખ્યમત, (૪) વેદના ક્રિયાકાંડનો સંસારી આત્મમત અને (૫) સુગતનો ક્ષણિક વિજ્ઞાનાત્મમત એ શ્રી Page #538 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ભારતીય દર્શન પ૦૫ (૧) મહાવીરના પહેલાં પ્રચલિત હતા. તે વિચારોની શ્રેણીઓનું વિશિષ્ટ શાસ્ત્રનું રૂપ તે સમયમાં ઘડાયું ન હતું, પરંતુ શ્રેણીઓ તો હતી જ.’૧ દર્શનશાસ્ત્રોની ઘટનાનો કાલક્રમ વિચારતાં જણાશે કે શ્રી બાદરાયણ ઋષિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિ, શ્રી શંકરાચાર્ય અને શ્રી માધવાચાર્યના ગ્રંથો અનુસાર ઈ.સ.ના બીજા સૈકાથી ચૌદમા સૈકાનાં પ્રસિદ્ધ દર્શનો અનુક્રમે નીચે પ્રમાણે છે – (૨) (૩) | | (૪) ઈ.સ.ના || ઈ.સ.ના ઈ.સ.ના ઈ.સ.ના બીજા સૈકામાં | સાતમા સૈકામાં | આઠમા સૈકામાં ચૌદમા સૈકામાં ૧) લોકાયતિક ૧) બૌદ્ધ ૧) લોકાયતિક ૧) ચાર્વાક ૨) જૈમિનીય ૨) નૈયાયિક ૨) આહંત ૨) બૌદ્ધ | નિરીશ્વરવાદી ૩) સાંખ્ય ૩) સાંખ્ય ૩) બૌદ્ધ ૩) આહત ૪) યોગ ૪) જૈન ૪) વૈશેષિક ૪) રામાનુજ વૈષ્ણવમત ૫) વૈશેષિક ૫) વૈશેષિક ૫) નૈયાયિક | ૫) પૂર્ણપ્રજ્ઞ છે ૬) બૌદ્ધ ૬) જૈમિનીય ૬) પ્રભાકર ૬) નકુલીશ ૭) આહત (પૂર્વમીમાંસા) પાશુપતા ૮) પાશુપત ૭) ભટ્ટાચાર્ય ૭) શૈવ ૯) ભાગવત (કીત્તો) ૮) પ્રત્યભિજ્ઞા શૈવમત ૧૦) વેદાંત ૮) સાંખ્ય ૯) રસેશ્વર ૯) પતંજલિ ૧૦) ઔલૂક્ય ૧૦) વેદવ્યાસ ૧૧) અક્ષપાદ ૧૧) વેદાંત ૧૨) જૈમિનીય શબ્દ ૧૩) પાણિનિ ઈ બ્રહ્મવાદી ૧૪) સાંખ્ય - નિરીશ્વરવાદી ૧૫) પાતંજલ - સેશ્વરવાદી ૧૬) શાંકરવેદાંત - બ્રહ્માદ્વૈતવાદી (૧) પ્રાચીન ઉપનિષદોમાં જ્યાં વિદ્યાની ગણના કરવામાં આવી છે ત્યાં સુપ્રસિદ્ધ છ દર્શનોનાં નામોનો નિર્દેશ જોવા મળતો નથી. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં પણ ચૌદ વિદ્યાસ્થાનોમાં ફક્ત ન્યાય અને મીમાંસા એ બે દર્શનોનો જ નિર્દેશ થયેલો છે. કાળક્રમથી ૧- શ્રી નર્મદાશંકર મહેતા, ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ', પ્રસ્તાવના, પૃ.૨૭ Page #539 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોતાં દર્શનોની વિભક્ત શ્રેણીઓ મહર્ષિ બાદરાયણના ‘બહ્મસૂત્ર'માં (જે ઈ.સ.ના બીજા સૈકામાં રચાયાનું અનુમાન છે) નીચે પ્રમાણે સ્પષ્ટ થયેલી જણાય છે - ૧) જૈમિનીય (પૂર્વ મીમાંસા), ૨) સાંખ્ય (કપિલ), ૩) યોગ (પાતંજલ), ૪) વૈશેષિક (કણાદ), ૫) બૌદ્ધ (જેમાં સર્વાસ્તિવાદી, વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીના અવાંતર ભેદો સમાય છે), ૬) જૈન (આહત), ૭) પાશુપત (શૈવ), ૮) પાંચરાત્ર (ભાગવત અથવા વૈષ્ણવ) અને ૯) ચાર્વાક (લોકાયતિક). આટલી વિચારશ્રેણીઓ (૧૦) વેદાંત અથવા ઔપનિષદ દર્શનની ન્યૂનાધિક અંશે પ્રતિપક્ષી જાણવામાં આવે છે. મહર્ષિ બાદરાયણે જગતકારણ સર્વજ્ઞ બહ્મ છે કે અન્ય કંઈ છે તે અનુસાર વર્ગીકરણ કર્યું છે. (૨) ઈ.સ.ના સાતમા સૈકામાં થઈ ગયેલા જૈન પરંપરાના મહાન આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આચાર, વિચાર અને નિમિત્તભેદ અનુસાર દર્શનોનું વર્ગીકરણ કરતાં પોતાના “પદર્શનસમુચ્ચય' નામના ગ્રંથમાં છ દર્શનો બતાવ્યાં છે. ૮૭ શ્લોકપ્રમાણ આ લઘુ દાર્શનિક ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીયને આર્ય દર્શન ગણાવે છે. જૈમિનીય દર્શનમાં પૂર્વ મીમાંસાનું સ્વરૂપ જ તેઓ બતાવે છે, વેદાંત અથવા ઉત્તર મીમાંસા દર્શન વિષે ટીકામાં સહજ ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે, તેને પૃથક્ દર્શન તરીકે તેમણે સ્થાન આપ્યું નથી, કારણ કે તે કાળમાં અન્ય દર્શનોની જેમ વેદાંત દર્શનને પૃથક્ દર્શનના રૂપમાં સ્થાન પ્રાપ્ત થયું ન હતું. વેદાંત દર્શનનું પૃથક સ્થાન શ્રી શંકરાચાર્યની પછી જ પ્રતિષ્ઠિત થયું હતું. આચાર્યશ્રી હરિભદ્રસૂરિના કાળમાં તેનો પ્રચાર બહુ ન હતો. તેમના મત પ્રમાણે જોતાં આસ્તિક મત પાંચ જ છે અને છઠ્ઠો મત લોકાયતિક એટલે ચાર્વાકનો છે, એટલે તે મત ઉમેરાતાં છ દર્શનની સંખ્યાનો બંધ બેસે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ તેમના ગ્રંથમાં લોકાયતિક (ચાર્વાક) મતનું સ્વરૂપ પણ બતાવ્યું છે. આ જોતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ તેમના ગ્રંથમાં પાંચ આસ્તિક દર્શન અને એક નાસ્તિક દર્શનનું નિરૂપણ કર્યું છે. (૩) ઈ.સ.ના આઠમા સૈકામાં શ્રી શંકરાચાર્યના નામે મનાતા ગ્રંથ “સર્વવેદાંત સંગ્રહ' (‘સર્વસિદ્ધાંત સંગ્રહ' અથવા ‘સર્વદર્શનસિદ્ધાંત સંગ્રહ)માં દર્શનોની ગણતરી આ પ્રમાણે થઈ છે - ૧) લોકાયતિક, ૨) આહંત, ૩) બૌદ્ધ (ચાર પેટા મત સાથે), ૪) વૈશેષિક, પ) ન્યાય, ૬) પ્રભાકર (પૂર્વ મીમાંસા), ૭) ભટ્ટાચાર્ય (કીરો), ૮) સાંખ્ય, ૯) પતંજલિ, ૧૦) વેદવ્યાસ અને ૧૧) વેદાંત. (૪) દર્શનશાસ્ત્રોનું વિપુલ વર્ગીકરણ શ્રી માધવાચાર્ય (ઈ.સ. ૧૩૩૧-૧૩૭૧) ‘સર્વદર્શનસંગ્રહમાં કર્યું છે. તેમાં દર્શનોની ગણના ઐતિહાસિક રીતે થઈ નથી, તેવી રીતે આચારો કે વિચારોના ભેદને અવલંબીને પણ થઈ નથી; પરંતુ તે તત્ત્વવિચારણા Page #540 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ભારતીય દર્શન ૫૦૭ સ્થૂળતા-સૂક્ષ્મતાના તારતમ્ય ઉપર ઘડાયેલી છે. તેમનો ગ્રંથ ચાર્વાકમતથી માંડી કેવલ બહ્માત્મક્ય પ્રતિપાદક શાંકરમત ઉપર વળતો જાય છે. (શ્રી માધવાચાર્યે ‘સર્વદર્શનસંગ્રહ'માં વિસ્તારમયથી ‘શાંકર વેદાંત' ન આપતાં જુદા લેખરૂપે આપ્યું છે.) શ્રી માધવાચાર્યે પૂર્વવિચારશ્રેણીને ઉત્તરવિચારશ્રેણી ખંડિત કરતી ચાલે તેવી શૈલી પ્રમાણે દર્શન વ્યવસ્થા કરી છે. ચાર્વાક, બૌદ્ધ અને આહત - એ ત્રણ દર્શન નિરીશ્વરવાદી છે; રામાનુજ અને પૂર્ણપ્રજ્ઞ વિષ્ણુસંજ્ઞાવાળા સંપ્રદાય ઈશ્વરવાદી છે; પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલુક્ય (વૈશેષિક) અને અક્ષપાદ (ન્યાય) એ સર્વ શિવસંજ્ઞાવાળા સંપ્રદાય ઈશ્વરવાદી છે; જૈમિનિ અને પાણિનિનાં દર્શન અપૌરુષેય શબ્દબ્રહ્મવાદી છે; સાંખ્ય અને યોગ ક્રમશઃ વ્યવસ્થાપક અને નિત્ય સિદ્ધ ઈશ્વરવાદી છે અને શાંકર દર્શન (વેદાંત) અભિન્ન નિમિત્ત અને ઉપાદાનકારણરૂપે પરમાત્માનો સદ્દભાવ સ્વીકારનાર હોવાથી પરમેશ્વરવાદી છે. શ્રી માધવાચાર્ય પછી ૧૪મી શતાબ્દીમાં શ્રી માધવ સરસ્વતીએ “સર્વદર્શનકૌમુદી'માં, શ્રી રાજશેખરે પદર્શનસમુચ્ચય'માં, આચાર્યશ્રી મેરૂતુંગસૂરિએ “ષડ્રદર્શનનિર્ણયમાં અને ૧૬મી શતાબ્દીમાં શ્રી મધુસૂદન સરસ્વતીએ ‘પ્રસ્થાનભેદ'માં પોતાના પુરોગામીઓનો આધાર લઈ ભારતીય દર્શનોની બહુ ઝીણવટભરી છણાવટ કરી છે અને એમાં કેટલીક વિગતોમાં મૌલિક અંશો પણ જોવા મળે છે. ત્યારપછી પણ ભારતીય દર્શનો વિષે અવારનવાર અનેક ગ્રંથો લખાતા રહ્યા છે, પણ તેમાં મૌલિક અર્થઘટનનું પ્રમાણ ભાગ્યે જ જોવા મળે છે. આમ, જુદા જુદા વિચારકોએ જુદી જુદી રીતે દર્શનોનું વર્ગીકરણ કર્યું છે. તેનો અભ્યાસ સુગમતાથી થઈ શકે તે માટે અહીં દર્શનોની બે વિભાગમાં વહેંચણી કરી છે - વૈદિક અને અવૈદિક. તેમાં અવૈદિક પરંપરામાં ત્રણ દર્શનોનો સમાવેશ થાય છે તથા વૈદિક પરંપરાના છ દર્શનોને બબ્બેનાં એક એવાં ત્રણ જોડકામાં વહેંચી શકાય છે. આમ, ત્રણ વૈદિક અને ત્રણ અવૈદિક મળીને છ દર્શનોનો સમૂહ ‘પદર્શન'ની સંજ્ઞા પામે છે – ૧) ચાર્વાક ૨) જૈન ૩) બૌદ્ધ ૪) ન્યાય-વૈશેષિક ૫) સાંખ્ય-યોગ ૬) પૂર્વ મીમાંસા-ઉત્તર મીમાંસા પ્રત્યેક દર્શનનો તલસ્પર્શી અભ્યાસ સુલભતાથી થઈ શકે તે અર્થે તેની ચર્ચાને નિમ્નલિખિત વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે – Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક (૩) સાહિત્ય (૪) સંપ્રદાયો (II) પ્રમાણમીમાંસા (III) તત્ત્વમીમાંસા (૧) આત્મા વિષે વિચાર (જીવમીમાંસા) (૨) વિશ્વ વિષે વિચાર (જગતમીમાંસા) (૩) ઈશ્વર વિષે વિચાર (જગદીશમીમાંસા) (IV) આચારમીમાંસા (૧) મોક્ષ (૨) મોક્ષ ઉપાય (V) ઉપસંહાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - *** ૧- પ્રમાણમીમાંસા એ તત્ત્વજ્ઞાનનું અવિભાજ્ય અંગ છે. પ્રમાણમીમાંસાએ આપેલી આધારશિલા ઉપર તત્ત્વમીમાંસાની ઇમારતનું ચણતર થાય છે. ભારતીય દાર્શનિકો તત્ત્વની ચર્ચા કરતાં પહેલાં, તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધનોની, અર્થાત્ પ્રમાણોની ચર્ચા અવશ્ય કરે છે, જેને પ્રમાણમીમાંસા અથવા જ્ઞાનમીમાંસા કહેવાય છે. દરેક દાર્શનિક તત્ત્વ વિષેનું પોતાનું મંતવ્ય પ્રમાણના બળ વડે જ રજૂ કરે છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ આદિ પ્રમાણના વિવિધ પ્રકાર છે. તત્ત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓએ જુદાં જુદાં પ્રમાણોનો સ્વીકાર કરેલો છે. પ્રમાણોની સંખ્યા અંગે તેઓ એકમત નથી. દા.ત. ચાર્વાકમતવાદીઓ માત્ર એકને - પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. વૈશેષિકો અને બૌદ્ધો માત્ર બેને પ્રત્યક્ષ અને અનુમાનને સ્વીકારે છે. સાંખ્ય અને જૈન દર્શન ત્રણ પ્રમાણોને પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દને સ્વીકારે છે. ન્યાય દર્શન કુલ ચાર પ્રમાણોને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ પ્રમાણનો સ્વીકાર કરે છે. મીમાંસકોમાં પ્રભાકર-શાખાના મીમાંસકો પાંચ પ્રમાણોને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપત્તિને સ્વીકારે છે, જ્યારે શ્રી કુમારિલ ભટ્ટના મીમાંસકોએ તથા વેદાંતીઓએ આ પાંચ ઉપરાંત વધારાનું છઠ્ઠું - અનુપલબ્ધિ પ્રમાણ પણ સ્વીકાર્યું છે. આ ઉપરાંત સંભવ અને ઐતિહ્ય પ્રમાણને પણ પૌરાણિક સંપ્રદાયમાં સ્વીકાર્યા છે. – - – વિવેચન Page #542 -------------------------------------------------------------------------- ________________ (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય ભારતીય દર્શનની મુખ્ય પ્રવૃત્તિ આધ્યાત્મિક છે, પરંતુ સમગ્ર ભારતીય દર્શનને આધ્યાત્મિક કહેવું એ યોગ્ય નથી. જેઓ એમ માને છે કે ભારતીય દર્શન પૂર્ણપણે આધ્યાત્મિક છે, તેઓ એ ભૂલી જાય છે કે અહીં ચાર્વાક દર્શનનું પણ અસ્તિત્વ છે, જે પૂર્ણપણે જડવાદી કે ભૌતિકવાદી છે. ચાર્વાક દર્શન પ્રાચીન ભારતીય સાહિત્યમાં જડવાદીને માટે પ્રાયઃ ચાર્વાક’ શબ્દ વપરાતો હતો. ચાર્વાક શબ્દ “ઘ' ધાતુમાંથી ઉત્પન્ન થયો છે. ' એટલે ચાવવું. ચાર્વાક એટલે પોતાના શબ્દોને જ ચાવી જનાર' અથવા તો ‘પાપ-પુણ્ય ગળી જનાર'.૧ કોઈ વળી ચાર્વાકનો અર્થ એમ કરે છે કે ' એટલે ચાવવું, ખાવું, સ્વાદ લેવો. ચાર્વાકમતમાં ખાવા-પીવા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હોવાથી આ મતનું નામ ચાર્વાક પડ્યું છે. કેટલાક વિદ્વાનોનું કહેવું એમ પણ છે કે ચાર્વાક શબ્દનો અર્થ ‘ચારુ વાક્’અર્થાત્ સુંદર વાણી એવો થાય છે. ચાર્વાકમતવાદીઓ હમેશાં આકર્ષક અને મીઠી વાણીમાં રચ્યાપચ્યા રહેતા હોવાથી આ મત ચાર્વાક નામે પ્રસિદ્ધ થયો છે. મહાભારતમાં એક સ્થળે ‘ચાર્વાક' નામની વ્યક્તિ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ પણ જોવા મળે છે, એટલે ચાર્વાક નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ ગઈ હશે એવું અનુમાન પણ કેટલાક વિદ્વાનો કરે છે. કેટલાક વિદ્વાનો વળી ચાર્વાકનો કોઈ શબ્દાર્થ નહીં લેતાં બૃહસ્પતિને ચાર્વાક નામનો એક શિષ્ય હતો એમ માને છે. મૅક્સક્યૂલરનો મત એવો છે કે આ દર્શનના પ્રણેતાએ આ સિદ્ધાંતનો પ્રથમ ઉપદેશ જે શિષ્યને આપ્યો તે શિષ્યનું નામ ‘ચાર્વાક’ હતું. ચાર્વાક દર્શનને ‘લોકાયત દર્શન' પણ કહેવામાં આવે છે. લોકાયત લોક + આયત. લોક એટલે ભૌતિક જગત અને આયત એટલે તેની પ્રત્યે ખેંચાયેલું. જે દર્શન ભૌતિક જગતમાં જ રચ્યુંપચ્યું રહે છે તે લોકાયત દર્શન. આ દર્શનના નામની વ્યુત્પત્તિથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ દર્શનમાં ભૌતિક દૃષ્ટિની પ્રધાનતા વ્યક્ત થઈ છે. રોજબરોજના વ્યવહારમાં જે ભૌતિકષ્ટિ હોય છે તેનું પ્રાધાન્ય ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ષડ્દર્શનસમુચ્ચય', શ્લોક ૭૯ની ટીકા “गल चर्व अदने' चर्वन्ति भक्षयन्ति तत्त्वतो न मन्यन्ते पुण्यपापादिकं परोक्षं वस्तुजातमिति વાર્તાઃ ।' ૨- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧ની ટીકા ‘છોાયતમ્’ = Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ દર્શનમાં વ્યક્ત થયું છે. ચાર્વાક દર્શન નાસ્તિક દર્શન છે. તે વેદપ્રામાયને સ્વીકારતું નથી, જડથી ભિન્ન અને સ્વતંત્ર એવા આત્મતત્ત્વમાં આસ્થા ધરાવતું નથી, જગતકર્તા તરીકે કે અન્ય રૂપે ઈશ્વરના અસ્તિત્વને માનતું નથી તથા પરલોક, પુનર્જન્મ, કર્મતત્ત્વનો અસ્વીકાર કરે છે. ધર્મપંથનાં વિધિ-નિષેધો અને ક્રિયાકાંડ પરત્વે અસ્વીકૃતિભરી બુદ્ધિ ધરાવતું હોવાથી ચાર્વાક દર્શન નાસ્તિક દર્શન કહેવાય છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક ચાર્વાકમતનો પ્રચાર આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે થયો હોય એમ મનાય છે. જર્મન વિદ્વાન રિચાર્ડ ગાર્મેના મત અનુસાર મહાત્મા બુદ્ધ પહેલાં પણ ભારતમાં ભૌતિકવાદીઓ થઈ ગયા હશે એમ જણાય છે. કોઈ વિદ્વાનો તો ચાર્વાકમતને ‘ઋગ્વદ' જેટલો જૂનો માને છે. ભારતીય સાહિત્યના અધ્યયનથી એક વાત સ્પષ્ટ થાય છે કે જડવાદ કોઈ ને કોઈ સ્વરૂપે ભારતમાં પ્રાચીન કાળથી પ્રચલિત છે. વેદોમાં, જૈન આગમોમાં અને બૌદ્ધ પિટકોમાં એનો નિર્દેશ પૂર્વપક્ષરૂપે જોવા મળે છે. ‘ઉપનિષદો', ‘રામાયણ’, ‘મહાભારત' તથા ‘પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ લોકાયત અથવા ચાર્વાક દર્શનનો પ્રચાર બૃહસ્પતિ (ઈ.સ. પૂર્વે ૬00) દ્વારા થયો હોવાનું મનાય છે. કેટલાકનું એમ માનવું છે કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ ચાર્વાકમતનો પ્રચાર દેવતાઓના શત્રુઓમાં, અર્થાત્ દાનવોમાં કર્યો હતો, જેથી દાનવો તે મતને અનુસરી આપોઆપ નષ્ટ થઈ જાય. (૩) સાહિત્ય ચાર્વાકમતનું જેમાં સાંગોપાંગ નિરૂપણ થયું હોય એવો કોઈ પ્રાચીન સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ નથી, અથવા એવા કોઈ ગ્રંથનો કશે પણ નિર્દેશ પણ મળતો નથી. અન્ય દર્શનોએ જે રીતે ચાર્વાકમતનું ખંડન કરેલું છે તેના આધારે ચાર્વાકમતનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. એના સિદ્ધાંતોની માંડણીમાં કે એના મૂલ્યનો આંક બાંધવામાં એના અનેક પ્રતિપક્ષીઓનાં કથનો ઉપર આધાર રાખવો પડે છે. ચાર્વાક દર્શનનો કોઈ મૂળ ગ્રંથ હોત અને એના ઉપર ટીકા, ભાષ્ય વગેરે પ્રકારના ગ્રંથો કદાચ લખાયા હોત અને તે ઉપલબ્ધ હોત તો પ્રતિપક્ષીઓનાં કથનોમાં કદાચ થોડો ફરક પડ્યો હોત. ચાર્વાક સાહિત્ય વિષે એમ મનાય છે કે તેના પ્રવર્તક બૃહસ્પતિએ ૧૨ સૂત્રોની રચના કરી હતી. આ ૧૨ સૂત્રોનો ઉલ્લેખ શ્રી કમલશીલ, શ્રી જયંત ભટ્ટ તેમજ શ્રી ગુણરત્ન વગેરેએ પોતાના ગ્રંથોમાં કર્યો છે. કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે બૃહસ્પતિએ એક શ્લોકબદ્ધ ગ્રંથ રચ્યો હતો અને તેમાંથી કેટલાક શ્લોકોનો ઉલ્લેખ શ્રી Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ પદર્શનપરિચય - ચાર્વાક દર્શન માધવાચાર્યના ‘સર્વદર્શનસંગ્રહ' નામક ગ્રંથમાં કરવામાં આવ્યો છે. (II) પ્રમાણમીમાંસા પ્રમાણ એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે. તત્ત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓએ જુદા જુદા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે. ચાર્વાકમત ફક્ત પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે અને અનુમાન પ્રમાણ તથા શબ્દપ્રમાણનું ખંડન કરે છે. (૧) પ્રત્યક્ષપ્રમાણ જે જ્ઞાન ઇન્દ્રિયો તથા અર્થના સક્નિકર્ષ વડે ઉત્પન્ન થાય તથા જે ભમરહિત તેમજ નિશ્ચયાત્મક (સંશયરહિત) હોય તેને પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન હંમેશાં યથાર્થ, અસંદિગ્ધ તેમજ સુનિશ્ચિત હોય છે. આથી ચાર્વાકમતમાં માત્ર પ્રત્યક્ષપ્રમાણને જ યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન માનવામાં આવે છે. (૨) અનુમાનપ્રમાણ જે જ્ઞાન કશાકના આધારે પાછળથી થાય તેને અનુમાન કહેવાય. જ્ઞાત ઉપરથી કશાકની મદદ વડે અજ્ઞાત ઉપર જવાની માનસિક ક્રિયા તે અનુમાન. દા.ત. ટેકરી ઉપર ધુમાડો જોઈને ત્યાં અગ્નિ હશે એમ અનુમાન થાય છે. ચાર્વાકમતવાદીઓ અનુમાનને જ્ઞાનપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારતા નથી. પ્રત્યેક અનુમાન વ્યાપ્તિ ઉપર આધારિત છે. વ્યાપ્તિ એટલે બે વસ્તુઓ વચ્ચેનો આવશ્યક અને સાર્વત્રિક સંબંધ. ધુમાડો' અને ‘અગ્નિ' વચ્ચે વ્યાપ્ત સંબંધ છે. “જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે' એવી વ્યાપ્તિના આધારે ટેકરી ઉપર ધુમાડો જોઈ, ‘ટેકરી ઉપર અગ્નિ છે' એવું અનુમાન કરવામાં આવે છે. ચાર્વાકમતની દલીલ એવી છે કે અનુમાન સંશયરહિત તો જ હોઈ શકે જો વ્યાપ્તિ સંબંધ સંશયરહિત હોય. ચાર્વાકમત પ્રમાણે નીચે મુજબના કારણોને લીધે વ્યાપ્તિવાક્યની પ્રાપ્તિ જ અશક્ય છે - ૧) પ્રત્યક્ષ વડે વ્યાપ્તિજ્ઞાન મેળવવું શક્ય નથી, કારણ કે બધાં જ ધુમાડાવાળાં સ્થળો જોઈ શકાતાં નથી તથા ભૂત અને ભવિષ્ય કાળના ધૂમવાન પદાર્થોનું નિરીક્ષણ કરી શકવાને કોઈ સમર્થ નથી. ૨) અનુમાન વડે પણ વ્યાપ્તિજ્ઞાન મેળવવું શક્ય નથી, કારણ કે વ્યાપ્તિ જો અનુમાન દ્વારા મેળવાય તો તેની સત્યતા બીજી એક વ્યાપ્તિ ઉપર આધારિત માનવી પડે. આમ, અન્યોન્યાશ્રય દોષ થાય. ૩) શબ્દ વડે પણ વ્યાપ્તિજ્ઞાન મેળવવું શક્ય નથી, કારણ કે શબ્દની સત્યતા અનુમાન Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપર આધારિત છે. વળી, જો અનુમાન સદા શબ્દપ્રમાણ ઉપર જ નિર્ભર હોય તો પછી કોઈ પણ વ્યક્તિ પોતાની મેળે અનુમાન નહીં કરી શકે. તેને સદા કોઈ વિશ્વાસયોગ્ય વ્યક્તિ ઉપર આધાર રાખવો પડે. ૪) વળી, કારણ-કાર્ય સંબંધ ઉપર પણ વ્યાપ્તિની સ્થાપના થઈ શકતી નથી, કારણ કે આગ સાથે ધુમાડો ત્યારે નજરે પડે કે જ્યારે લાકડાં ભીનાં હોય અથવા તો હવાની ગેરહાજરી હોય. આ બધાંને પ્રત્યક્ષ જોડે સંબંધ છે. એક વસ્તુ પ્રથમ બને અને બીજી વસ્તુ ત્યારપછી બને એટલે એ બન્ને વચ્ચે અનિવાર્ય કારણ-કાર્ય સંબંધ સ્થપાઈ જતો નથી. ઉપર બતાવેલાં કારણોને લીધે વ્યાપ્તિવાક્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેથી ચાર્વાકમત મુજબ અનુમાનને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું પ્રમાણ માની શકાય તેમ નથી. તેથી અનુમાન વડે સિદ્ધ એવા ઈશ્વર, આત્મા, પરલોક વગેરેને પણ તેઓ સ્વીકારતા નથી. (૩) શબ્દપ્રમાણ આપ્તપુરુષનાં વચનો ‘શબ્દ' કહેવાય છે. જેમનું કથન વિશ્વાસ કરવા યોગ્ય હોય એવા પુરુષોને આપ્તજન કહેવાય છે. વિશ્વસનીય પુરુષના વચનને આપ્તવચન કહેવાય છે. આપ્તવચનને જ શબ્દપ્રમાણ કહેવાય છે. ચાર્વાકમતાનુયાયીઓ શબ્દજ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેમને શબ્દપ્રમાણ સામે નીચે મુજબ વિરોધ છે – ૧) જ્યારે કોઈ વિશ્વસનીય વ્યક્તિ મળે ત્યારે જ જ્ઞાન થાય છે, પણ એવા આપ્તપુરુષ મળવામાં જ ઘણી મુશ્કેલી રહી છે. ૨) આપ્તપુરુષ મળે તો પણ તેમનાં વચનમાં વિશ્વાસ મૂકવા માટે પણ અનુમાનનો આશરો જ લેવો પડે છે. જેમ કે – બધા આપ્તપુરુષનાં વચન માન્ય હોય છે. આ આખપુરુષ છે. તેથી તેમનું વચન માન્ય છે. આ જ્ઞાન અનુમાન ઉપર આધારિત હોવાથી સ્વીકાર્ય બનતું નથી, કારણ કે ચાર્વાકમતવાદીઓ અનુમાનપ્રમાણને જ્ઞાનના સાધન તરીકે સ્વીકારતા નથી. તેમની માન્યતા અનુસાર શબ્દ એ સ્વતંત્ર પ્રમાણ નથી, કારણ કે તે પણ પ્રત્યક્ષ ઉપર આધારિત છે. શબ્દપ્રમાણ સાચું ઠરે એ તો એક આકસ્મિક ઘટના છે. આથી શબ્દપ્રમાણ તેમને સ્વીકાર્ય નથી. ચાર્વાક દર્શન વેદવિરોધી છે. તેના મત પ્રમાણે વેદમાં કેટલા બધા શબ્દો એવા Page #546 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય ચાર્વાકદર્શન ૫૧૩ છે કે જેનો કોઈ અર્થ જ તારવી શકાય તેમ નથી. વળી, તેમાં પરસ્પર વિરોધી દલીલો પણ આવે છે. ચાર્વાક દર્શન માને છે કે વેદ ઈશ્વરરચિત નથી, કારણ કે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. ધૂર્ત બ્રાહ્મણોએ પોતાની આજીવિકા માટે આ બધું તૂત ચલાવ્યું છે. આથી માત્ર પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે. (III) તત્ત્વમીમાંસા વિશ્વનાં મૂળ તત્ત્વોના સંબંધમાં ચાર્વાકદર્શનનો મત તેના પ્રમાણ સંબંધી વિચારો ઉપર આધારિત છે. ચાર્વાકમતવાદીઓ માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનતા હોવાથી તેઓ માત્ર તે જ વસ્તુઓની સત્તા સ્વીકારે છે કે જે ઇન્દ્રિયોથી જાણી શકાય છે. ભૂતદ્રવ્ય જ એકમાત્ર સદ્રવ્ય છે, કારણ કે તે દેખાય છે. આત્મા, જન્માન્તર, સ્વર્ગ, જીવની નિત્યતા, ઈશ્વર, કર્મના નિયમો આદિ વિષયોનો તેઓ સ્વીકાર કરતા નથી, કારણ કે તે પ્રત્યક્ષ નથી. તેઓ જડવાદનું પ્રતિપાદન કરે છે, કારણ કે તેમના મત અનુસાર જડ જ એકમાત્ર તત્ત્વ છે. અનુમાનપ્રમાણ તથા શબ્દપ્રમાણનો અસ્વીકાર કરતા હોવાથી પરોક્ષ વસ્તુઓનો તેઓ સ્વીકાર કરતા નથી, તેથી ચાર્વાક દર્શન પ્રત્યક્ષવાદી કહેવાય છે. ચાર્વાકમતની તત્ત્વમીમાંસા કરતાં ત્રણ વિષયોની ચર્ચા આવશ્યક બને છે (૧) આત્મા વિષે વિચાર - ચાર્વાકમત અનુસાર પ્રત્યક્ષ બે પ્રકારનાં હોય છે પ્રત્યક્ષ દ્વારા આંતરિક ભાવોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ચૈતન્ય પ્રત્યક્ષ થાય છે. ચાર્વાકમતવાદીઓ સ્વીકારે છે કે ચૈતન્યનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થાય છે, પરંતુ તેઓ એમ નથી માનતા કે આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જ સાચું છે.૧ ચાર્વાકમત માટે “ભૂત ચૈતન્યવાદ’ એવો શબ્દપ્રયોગ પણ કરવામાં આવે છે, કારણ કે ચાર્વાક દર્શન ‘ચૈતન્ય'ને અભૌતિક એવા આત્મતત્ત્વના ગુણ તરીકે માનતું નથી. તે કહે છે કે ‘હું લંગડો છું', ‘હું ભૂખ્યો છું', ‘હું પાતળો છું'; એવાં વિધાનો શરીર અને આત્માની એકતા પ્રમાણિત કરે છે. લંગડાપણું, પાતળાપણું વગેરે શરીરના ધર્મો છે, માટે આત્મા દેહથી ભિન્ન ચૈતન્યવિશિષ્ટ નથી. જો આત્મતત્ત્વ શરીરથી ભિન્ન હોત તો ઉપર્યુક્ત વિધાનો નિરર્થક ઠરત. આથી ચાર્વાક દર્શન ‘દેહાત્મવાદી’ કે ‘ભૂતાત્મવાદી’ પણ કહેવાય છે. બાહ્ય તથા માનસ. માનસ આંતિરક ભાવોના જ્ઞાનથી અહીં કોઈ કદાચ એવી શંકા ઉઠાવે કે જડ તત્ત્વમાં ચૈતન્યની હાજરી કેમ સંભવે, કારણ કે તે તો બન્ને વિરુદ્ધધર્મી છે. તેના ઉત્તરમાં ચાર્વાકમતવાદીઓ જણાવે છે કે ૧- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧ની ટીકા ચૈતન્યવિશિષ્ટવૈદ વાત્મા ।' Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ જડ તત્ત્વોમાંથી સંભવી શકે છે. જડ તત્ત્વોમાં ચૈતન્યનો અભાવ જણાતો હોય તોપણ અમુક પ્રકારે તેમનો સંયોગ થતાં તેમાં ચૈતન્યનો સંચાર થાય છે.૧ દા.ત. જેમ ગોળ વગેરેમાં માદકતા નથી, પણ અમુક સમય જતાં કે અમુક પરિસ્થિતિમાં, અમુક તત્ત્વો સાથે તેનો સંયોગ થતાં તેમાં દારૂ જેવા માદક તત્ત્વનો સંચાર થાય છે; અથવા તો જેમ કાથા, ચૂના વગેરેના મિશ્રણથી પાનમાં લાલ રંગ આવે છે; તેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ એમ ચાર જડ તત્ત્વોમાંથી જ ચૈતન્યવિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. જેમ ધાન્ય અને ગોળ જેવી વસ્તુઓ સડી જતાં મદિરારૂપે પરિણમે છે, તેમ ચૈતન્ય પણ ઉપર જણાવેલ ચાર મહાભૂતોમાંથી પરિણમે છે. યકૃત(liver)માંથી જેમ એક પ્રકારનો રસ ઝરે છે, તેમ મગજમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. માટે જડ પદાર્થોથી જુદો, આત્મા નામનો કોઈ સ્વતંત્ર એવો ચિદ્રૂપ પદાર્થ માનવાની જરૂર નથી. ચાર્વાકમત પ્રમાણે જડ તત્ત્વોનું કોઈ વિશેષ પ્રકારે સંમિશ્રણ થાય તો તેમાં ચૈતન્ય ગુણનો આવિર્ભાવ થવાની શક્યતા ઊભી થાય છે. જો શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી તો તેની નિત્યતાનો પ્રશ્ન જ ઊઠતો નથી, કારણ કે મૃત્યુ પછી શરીર તો નષ્ટ થઈ જાય છે. આમ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક સર્વ મિથ્યા ઠરે છે.૨ (૨) વિશ્વ વિષે વિચાર ચાર્વાકમત મુજબ આ વિશ્વ શાશ્વત, નિત્ય તેમજ વાસ્તવિક છે, કારણ કે તેનું દર્શન થઈ શકે છે. જડ જગતના નિર્માણના સંબંધમાં અનેક ભારતીય દાર્શનિકોનો મત છે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વી એમ પાંચ ભૂતોમાંથી આ જગતનું નિર્માણ થયું છે. ચાર્વાકમતવાદીઓ વિશ્વના નિર્માણમાં આકાશ તત્ત્વનો સ્વીકાર કરતા નથી, કારણ કે આકાશનું જ્ઞાન અનુમાન દ્વારા થાય છે, પ્રત્યક્ષ દ્વારા થતું નથી. તેથી વિશ્વની ઉત્પત્તિ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એમ ચાર મૂળ તત્ત્વોના સંયોગથી ૧- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ’, ચાર્વાક દર્શન, શ્લોક ૧ની ટીકા ‘किण्वादिभ्यः मदशक्तिवत् चैतन्यमुपजायते ।' ૨- જુઓ : શ્રી જયંત ભટ્ટકૃત, ‘ન્યાયમંજરી', પૃ.૪૬૭ શ્રી જયંત ભટ્ટે ‘ન્યાયમંજરી’માં ચાર્વાકમતવાદીઓની બે શાખાઓનો ઉલ્લેખ કર્યો છે ૧) ધૂર્ત ચાર્વાક (uncultured) અને ૨) સુશિક્ષિત ચાર્વાક (cultured). ધૂર્ત ચાર્વાક શરીરને ચાર ભૌતિક તત્ત્વોના સમૂહ તરીકે અને આત્માને શરીરથી અભિન્નરૂપે માને છે. એથી ઊલટું, સુશિક્ષિત ચાર્વાકના મત પ્રમાણે શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ છે અને તે જ્ઞાતા તથા ભોક્તા છે, પરંતુ શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જાય છે, અર્થાત્ આત્માની સત્તા શરીરના સત્તાકાળ સુધી જ રહે છે. શરીરના નાશ પછી આત્માની સ્થિતિ રહેતી નથી, તેથી પુનર્જન્મ જેવું કંઈ છે જ નહીં. Page #548 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - ચાર્વાક દર્શન ૫૧૫ થયેલી છે. આ ચાર તત્ત્વોના સંયોગથી વિશ્વની રચના થાય છે અને તે તત્ત્વોના વિઘટનથી તેનો નાશ થાય છે. આ ચાર મૂળ તત્ત્વોમાંથી કેવળ નિર્જીવ દ્રવ્યોની જ ઉત્પત્તિ થતી નથી, પરંતુ સજીવ દ્રવ્યોની ઉત્પત્તિ પણ આ જ ચાર ભૂતોમાંથી થાય છે. જેને ચૈતન્ય કહેવામાં આવે છે તે પણ ચાર્વાકમત અનુસાર આ ચાર મૂળ ભૌતિક તત્ત્વોમાંથી જ ઉત્પન્ન થાય છે. આથી ચાર્વાક દર્શન ભૌતિકવાદી દર્શન કહેવાય છે. આ વિશ્વની સત્તા માયિક કે મિથ્યા નથી. વિશ્વમાં જે પદાર્થો છે, તે બધાનો અનુભવ થઈ શકે છે તથા તેનું અસ્તિત્વ પણ તેના જ્ઞાતા ઉપર આધારિત હોવાથી આ દર્શનને વસ્તુવાદી કે યથાર્થવાદી પણ કહી શકાય. સૃષ્ટિ અનાદિ છે, તેનો આરંભ ક્યારે પણ થયો નથી એમ ચાર્વાકદર્શનનુયાયીઓ માને છે, કારણ કે આ સૃષ્ટિના રચયિતા એવા કોઈ ઈશ્વરને તેઓ સ્વીકારતા નથી. એવી કોઈ અગોચર કે અલૌકિક સત્તામાં તેને શ્રદ્ધા નથી. પ્રાકૃતિક નિયમ જ તે માટે પર્યાપ્ત છે. આ સૃષ્ટિની રચના પાછળ કોઈ પ્રયોજન કે હેતુ નથી એમ તેઓ માને છે. ચાર્વાકમત અનુસાર વિશ્વપ્રક્રિયા યંત્ર માફક ચાલતી હોવાથી અને તેનું સંચાલન કરનાર કોઈ નહીં હોવાથી આ દર્શન ‘યંત્રવાદી દર્શન' પણ કહેવાય છે. (૩) ઈશ્વર વિષે વિચાર ચાર્વાક દર્શન ભૌતિકવાદી કે જડવાદી દર્શન હોવાથી ઈશ્વર જેવું કોઈ પારમાર્થિક પરમ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હોય એવું તે માનતું નથી. ચાર્વાકમત માત્ર પ્રત્યક્ષપ્રમાણને સ્વીકારે છે. આ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ઈશ્વરવિષયક કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સૃષ્ટિના સર્જક કે સંહારક તરીકે ઈશ્વરને માનવાની કાંઈ જરૂર નથી, કારણ કે આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ જ જ્યાં જડ તત્ત્વોમાંથી આપોઆપ થઈ છે ત્યાં પછી સૃષ્ટિના રચયિતા એવા કોઈ ઈશ્વરનો સ્વીકાર કરવાની જરૂર જણાતી નથી. ઈશ્વરવિષયક માન્યતા એ જડ બુદ્ધિનું લક્ષણ છે. ધર્મક્ષેત્રોનાં આ બધાં ધતિંગ છે. ઈશ્વરની હસ્તી સંબંધી વાતો નવરાશના સમયની, અર્થ વગરની ગપ છે. સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ભયના કારણે માણસ ઈશ્વરમાં માનતો થઈ જાય છે. આ દુનિયામાં કોઈ ઈશ્વર હોય તો તે રાજા છે, કારણ કે તે પોતે કૃપા કરીને ગરીબોને દાન દે છે અને કડક બની દુષ્ટોને દંડે છે. ૨ ચાર્વાકમત અનુસાર જગતસરા ઈશ્વરની કલ્પના અનાવશ્યક છે. અહીં પ્રશ્ન થાય ૧- જુઓ : શ્રી વાચસ્પતિ મિશ્ર (‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૪ની ટીકામાંથી ઉદ્ધત) પૃથિવ્યાતેિના વાયુતિ તત્ત્વનિ ' ૨- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૫ 'लोकसिद्धो भवेद्राजा परेशो नापरः स्मृतः ।' Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કે સંસારની સૃષ્ટિ માટે જડ તત્ત્વોનું મિશ્રણ કઈ રીતે થયું? કોઈ પણ કાર્યની સિદ્ધિ અર્થે ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણોની આવશ્યકતા રહે છે. ઘડારૂપી કાર્યમાં માટીરૂપ ઉપાદાનકારણ તથા કુંભારરૂપ નિમિત્તકારણ હોય છે. જગતનું ઉપાદાનકારણ જો ચાર ભૂત છે તો નિમિત્તકારણ કોણ છે? અર્થાત્ કોણ આ ઉપાદાનકારણને લઈને આ વિચિત્ર સંસારની રચના કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ચાર્વાકમતવાદીઓ કહે છે કે જડ તત્ત્વોનું જોડાણ પોતાના સ્વભાવ અનુસાર જ થાય છે અને તેના સંમિશ્રણથી જગતની ઉત્પત્તિ થાય છે. તે માટે ઈશ્વરની આવશ્યકતા નથી. જગતની ઉત્પત્તિ કોઈ ઉદ્દેશની પૂર્તિ માટે થઈ છે તેવું કોઈ પ્રમાણ નથી. યુક્તિસંગત તો એ જ છે કે જગતની ઉત્પત્તિ જડ તત્ત્વોના આકસ્મિક સંયોગથી થઈ છે. ચાર્વાકમત મુજબ જડ ભૂતોના સ્વાભાવિક જોડાણથી જ જગતની ઉત્પત્તિ થઈ હોવાથી આ મત ‘સ્વભાવવાદ' કે યદચ્છાવાદ' પણ કહેવાય છે. (IV) આચારમીમાંસા માનવજીવનના ઉદ્દેશના સંબંધમાં મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓ તપાસીને હિન્દુ ધર્મના શાસ્ત્રકારોએ માનવજીવનના ચાર મુખ્ય ઉદ્દેશો શોધ્યા છે, જેને પુરુષાર્થ કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો ગણાવવામાં આવ્યા છે. આ ચાર પુરુષાર્થમાંથી ધર્મ અને મોક્ષનું ખંડન કરી, ચાર્વાકવાદીઓ અર્થ અને કામનો જ સ્વીકાર કરે છે. આ ચાર પુરુષાર્થના સંબંધમાં તેમનો મત જોઈએ. વૈદિક દર્શનો વેદને ઈશ્વરરચિત સ્વીકારી, તેને પ્રમાણ માને છે અને વેદાનુકૂળ જે કર્મો તે ધર્મ તથા વેદને પ્રતિકૂળ જે કર્મો તે અધર્મ, એમ ધર્મ-અધર્મની પરિભાષા આપે છે. ચાર્વાકમતવાદીઓ ધર્મને માનવજીવનનું પરમ લક્ષ્ય માનતા નથી. તેમને વેદનું પ્રામાણ્ય સ્વીકાર્ય નથી. તેમના મત અનુસાર વેદોની રચના તો ધૂર્ત અને પાખંડી લોકોએ કરી છે. વેદ ધર્મનો આશય તો લોકો પાસેથી ધન મેળવી બાહ્મણોના પેટ ભરવાનો છે. સ્વર્ગ કે નરક જેવું કોઈ સ્થાન છે જ નહીં, માટે દાન-દક્ષિણા દ્વારા સ્વર્ગપ્રાપ્તિનો અર્થ જ રહેતો નથી. આ જગતમાં સુખ એટલે જ સ્વર્ગ અને દુઃખ એટલે જ નરક. ચાર્વાકમતવાદીઓ કહે છે કે શ્રાદ્ધ પ્રસંગે મૃતાત્માઓને પિંડ–દાન કરવાની જરૂર નથી. જો મરી ગયેલાં પિતૃઓનું શ્રાદ્ધ તેમને સ્વર્ગમાં તૃપ્ત કરતું હોય તો નીચે જમીન ઉપરથી મહેલની અગાશી ઉપર રહેલાને આપી શકાવું જોઈએ. ૧- જુઓ : શ્રી દયાનંદ સરસ્વતીકૃત, ‘સત્યાર્થ પ્રકાશક', અગિયારમી આવૃત્તિ, શ્લોક ૫, પૃ.૫૬૧ 'स्वर्गस्थिता यदा तृप्ति नच्छेयुस्तत्र दानतः । प्रासादस्योपरिस्थानामत्र कस्मान्न दीयते ।।' Page #550 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય - ચાર્વાકદર્શન ૫૧૭ પરગામ જતાં મુસાફરને સાથે ભાતું બંધાવવાની જરૂર નથી, કારણ કે એના ઘરે એનાં કુટુંબીઓ એના વતી જમી લેશે એટલે એને પહોંચી જશે!૧ આત્મા તો શરીરની સાથે જ મરી જાય છે, તેથી તેને સ્વર્ગ કે નરકમાં સુખ કે દુઃખ પ્રાપ્ત થવાનો સવાલ જ ઊભો થતો નથી. જે મરણ પછી નહીં હોય તેના પુનર્જન્મનો પણ સવાલ રહેતો નથી. વૈદિક કર્મકાંડમાં જે પશુઓનાં બલિદાન દેવામાં આવે છે, તે જો સ્વર્ગે જતાં હોય તો યજમાન પોતાના પિતાને કેમ યજ્ઞમાં હોમી દેતો નથી? આ ધાર્મિક ક્રિયાકાંડો તો સ્વાર્થી અને પેટભરું પુરોહિતોએ ઊભા કરેલાં છે. આમ, ચાર્વાકમતવાદીઓ ધર્મને પુરુષાર્થ માનવા જ તૈયાર નથી. ચાર્વાકમતવાદીઓ મોક્ષના પુરુષાર્થનું ખંડન કરતાં કહે છે કે સુખ-દુઃખનો અનુભવ માણસને આ જગતમાં જ થાય છે અને જેને આવો અનુભવ ન થતો હોય તે વ્યક્તિ પથ્થર સમાન છે. મરણ સાથે જ આત્માનો અંત આવી જતો હોવાથી તે જ મોક્ષ છે. આથી વેદાનુસા૨ પુણ્ય કર્મ દ્વારા શરીરથી છુટકારો મેળવવાનો સવાલ જ રહેતો નથી. ચાર્વાકમત અનુસાર અર્થનું, એટલે કે દ્રવ્યનું જીવનમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે, પરંતુ તે જીવનનું પરમ લક્ષ્ય નથી. પરમ લક્ષ્ય તો સુખની પ્રાપ્તિ અને દુઃખથી નિવૃત્તિ છે. એ માટે અર્થપ્રાપ્તિ એ સાધનમાત્ર છે, અર્થાત્ અર્થપ્રાપ્તિ એ સાધ્ય નથી પણ સાધન છે, જે દ્વારા સુખની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનના પરમ લક્ષ્યની વાત કરતાં ચાર્વાક કહે છે કે કામ, અર્થાત્ ઇચ્છાઓની પૂર્તિ એ જ સર્વ કાંઈ છે. ઇચ્છાઓની પૂર્તિ થવાથી સુખ મળે છે અને તેમ ન થતાં દુઃખ થાય છે. આથી ચાર્વાકમતવાદીઓએ નીતિશાસ્ત્રમાં કામભોગ દ્વારા સુખપ્રાપ્તિની વાતને પ્રાધાન્ય આપેલ છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શારીરિક સુખનો નિરંકુશપણે ઉપભોગ કરી લેવો, કારણ કે કાલ કોણે દીઠી છે? તેમનો બહુ પ્રસિદ્ધ શ્લોક આ પ્રમાણે છે ‘यावज्जीवेत्सुखं जीवेदृणं कृत्वा घृतं पीबेत् । भस्मीभूतस्य देहस्य પુનરાગમન તઃ ।।'૩ ૧- જુઓ : શ્રી દયાનંદ સરસ્વતીકૃત, સત્યાર્થ પ્રકાશક', અગિયારમી આવૃત્તિ, શ્લોક ૪, પૃ.૫૬૧ 'मृतानामपि जन्तूनां श्राद्धं चेत्तृप्तिकारणम् । गच्छतामिहं जन्तूनां व्यर्थं पाथेयकल्पनम् ।। ' ૨- જુઓ : એજન, શ્લોક ૩, પૃ.૫૬૦ 'पशुश्चेन्निहतः स्वर्गं ज्योतिष्टोमे गमिष्यति I स्वपिता यजमानेन तत्र कस्मान्न र्हिस्यते ।। ' ૩- શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧૮ Page #551 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મૃત્યુથી કોઈ બચવાનું નથી અને દેહ ભસ્મીભૂત થઈ જાય એટલે ફરી પાછું આવવાનું બનવાનું નથી. માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખમાં જીવો. કરજ કરીને પણ ઘી પીઓ. ૫૧૮ - તેમની બાબતમાં એ શક્ય છે કે બૃહસ્પતિએ લોકોને એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય કે પરલોક કે જેને વિષે તમે કશું સાક્ષાત્ જાણતા નથી, તેની પાછળ તમે ઐહિક જીવનનો આનંદ શા માટે ગુમાવો છે? આવતી કાલે મોર મળશે એવી આશાથી આજે હાથમાં આવેલું કબૂતર છોડી દે તેને મૂર્ખ જાણવો. કરજ કરીને પણ યજ્ઞમાં ઘી હોમો છો તેના કરતાં તમે પોતે પીઓને! બ્રહ્મચર્ય, સંન્યાસ, તપ વગેરે પાછળ જીવન બરબાદ કરો છો અને ઇહલોકના જીવનને માંદલું બનાવો છો એ બરાબર નથી. આ પ્રમાણે ચાર્વાકમતવાદીઓ માટે લૌકિક વ્યવહાર વિના બીજો કોઈ ધર્મ નથી અને લૌકિક વ્યવહાર પણ ભૌતિક સુખને માટે જ છે. ચાર્વાકમતવાદીઓની આ આચાર સંબંધી વિચારણા તેમના જડવાદનું જ પરિણામ છે. આમ, ચાર્વાકમત પૂર્ણપણે જડવાદી કે ભૌતિકવાદી છે. (V) ઉપસંહાર ભારતીય દર્શનની અન્ય બધી જ વિચારધારાઓ દ્વારા ચાર્વાકમતનું એકી અવાજે ખંડન થયેલું જોવા મળે છે. ખાસ કરીને ચાર્વાકમતવાદીઓનાં પ્રમાણ અંગેનાં (પ્રમાણમીમાંસા), દેહાત્મસંબંધ અંગેનાં (તત્ત્વમીમાંસા), જીવન વિષેનાં (આચારમીમાંસા) મંતવ્યો ખૂબ જ ટીકાપાત્ર બન્યાં છે. જૈનો, બૌદ્ધો, વેદાંતીઓ વગેરે દર્શનાનુયાયીઓએ તેના ભૌતિકવાદ ઉપર ઘણા પ્રહારો કર્યા છે. ચાર્વાકદર્શનની નિષ્ફળતાનું એક કારણ એ હતું કે તેણે ઘડવા કરતાં ભાંગવાની પ્રવૃત્તિ જ અધિક કરી હતી. વૈદિક વિધિ-વિધાનને ઉથલાવી પાડવાં એ જ તેનો મુખ્ય ઉદ્દેશ હતો. ભગવાન મહાવીરે તથા મહાત્મા બુદ્ધે એક ઉચ્ચતર અને મહત્તર સત્યનો માર્ગ બતાવવા વૈદિક ક્રિયાકાંડનો તર્કયુક્ત વિરોધ કર્યો હતો, જ્યારે ચાર્વાકમતને માત્ર દોષો દેખાડવા સિવાય બીજું કંઈ કરવા જેવું લાગ્યું ન હતું. ચાર્વાકમત ધર્મક્રિયાની બાબતમાં નિષેધવાદી હોવાથી તેની પાસે પોતાનું કોઈ વિધાન કે આસ્થાનું સ્થાન ન હતું, તેથી તે સમાજમાં અને દર્શનશાસ્ત્રીઓમાં બહુ મોટું સ્થાન મેળવી શક્યો નહીં. વૈદિક વિધિ-વિધાનને ઉથલાવી પાડવાં એ જ તેનો ઉદ્દેશ હોવા છતાં એટલું તો સ્વીકારવું જોઈએ કે સૌ પહેલાં યુક્તિવાદનો આશ્રય કોઈએ લીધો હોય તો ચાર્વાક દર્શને લીધો છે. ભારતવર્ષના બીજા દર્શનોમાં એ જ યુક્તિવાદ પછી ફૂલ્યોફાલ્યો લાગે Page #552 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ચાર્વાક દર્શન ૫૧૯ છે. પ્રમાણમીમાંસા ઉપર તેણે જે તાર્કિક દલીલ કરી, તેના પરિણામરૂપે તવિષયક દાર્શનિક સાહિત્યની પણ વૃદ્ધિ થઈ. આસ્તિકોનાં દર્શનોને સુંદર, સુઘડ અને તર્કસંગત બનાવવામાં આ રીતે ચાર્વાક દર્શનનો પરોક્ષ ફાળો છે. જો તેણે ખંડન કર્યું ન હોત તો આસ્તિક દર્શનો આટલાં તેજસ્વી બની શક્યાં ન હોત, કારણ કે ચાર્વાકના જ સૂત્રોને પૂર્વપક્ષ તરીકે લઈને, તેનું ખંડન કરીને અન્ય દર્શનોએ પોતાના મતનું ખંડન કર્યું છે. ચાર્વાકવિચારકો અન્ય દાર્શનિક વિચારકો સાથે ચર્ચામાં ઊતરી શક્યા તે જ તેમની બુદ્ધિમત્તાનું દર્શન કરાવે છે. તટસ્થ દૃષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે ચાર્વાક દર્શન ઋષિજનોના અનુભવોનો વિરોધ કરનારું ન હતું અને તેમના અનુભવો જૂઠા છે એવું કહેવાનો આશય પણ કદાચ તેનો ન હતો. તેના અનુયાયીઓ તો માત્ર અવાસ્તવિક ફિલસૂફીના વિરોધી હતા. વિશાળ જનસમુદાયની દૈનિક હાડમારીઓ તરફ આંખો મીંચી દઈ, આત્મા-પરમાત્માની વાતો કરનારા આચાર્યોની વાતો તેમની દૃષ્ટિએ નિરુપયોગી હતી. પરમાર્થની વાતો કરનારાઓ વ્યવહારની નક્કર વાતો તરફ દુર્લક્ષ સેવે છે, એટલા માટે તેમણે પ્રહારો કર્યા હતા. જો તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં આ પ્રકારની વિચારસરણીની કસોટી કરીએ તો ચાર્વાક દર્શન એટલું દોષિત માલૂમ પડતું નથી, પરંતુ તે એક સમયાનુવર્તી સામાજિક - રાજકીય - દાર્શનિક વિચારસરણી જણાય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ Page #554 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય ‘જૈન' શબ્દ ‘જિન' ઉપરથી આવેલો છે. 'જિન' શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ધાતુ ‘f' અર્થાત્ ‘જીતવું' માંથી થઈ છે. 'જિન' એટલે ‘જીતનાર', અર્થાત્ જેણે પોતાની ઇન્દ્રિયો અને મનને જીતી લીધાં છે તે. વિશાળ અર્થમાં પોતાના રાગ-દ્વેષને વશ કરવામાં જેણે સફળતા મેળવી છે અને પોતાના આત્મા ઉપર જેણે પ્રભુત્વ મેળવી આત્મજય કર્યો છે તે ‘જિન'. આવા 'જિન'ની ઉપાસના કરનાર “જૈન' કહેવાય છે. જૈન દર્શન વાસ્તવવાદી કે બાહ્યાર્થવાદી (realistic) દર્શન છે. નવ તત્ત્વોનું વિવિધ દૃષ્ટિકોણથી નિરૂપણ કરતું હોવાથી તે સાપેક્ષવાદી (relativistic) પણ છે. તે પરમાણુવાદનો પણ સ્વીકાર કરે છે. એકથી વધુ જીવો તથા અનંત ભૌતિક તત્ત્વોને માનતું હોવાથી તે બહુતત્ત્વવાદી (pluralistic) પણ છે. તેનો બહુતત્ત્વવાદ વિજ્ઞાનવાદી નથી, પણ અધ્યાત્મવાદી (spiritualistic) છે. વળી, જૈન દર્શન વેદને પ્રમાણ તરીકે સ્વીકારતું ન હોવાથી તથા જગતના રચયિતા તરીકે ઈશ્વર તત્ત્વને સ્વીકારતું ન હોવાથી તેને અવૈદિક અથવા નાસ્તિક દર્શન (heterodox or atheistic) કહેવામાં આવે છે. જૈન દર્શન વાસ્તવવાદી અને બુદ્ધિગમ્ય છે. તેના મત પ્રમાણે દરેક આત્મા પોતે જ પરમાત્મા છે અને તેને પોતાના પુરુષાર્થ વડે તે પરમાત્મપદ, અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય છે અને તે પ્રાપ્ત કરી શકાય તેમ પણ છે. આત્માની અનંત શક્તિ છે, જે તેણે પોતે જ વિકસાવવાની હોય છે. પ્રત્યેક આત્મા પોતે પૂર્ણ વિકાસને પામે છે ત્યારે તે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. કોઈ ઈશ્વર આત્માને મુક્તિ પ્રદાન કરી શકતો નથી. આત્મા પોતે જ કર્મનો કર્તા છે, ભોક્તા છે અને પોતે જ તેમાંથી મુક્તિ મેળવી શકે તેમ છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક આત્માના પરમ પુરુષાર્થનો પોષક અને શ્રમણ સંસ્કૃતિનો પ્રવર્તક જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કાળચક્રની વર્તમાન અવસર્પિણીમાં જૈન ધર્મના આદ્યપ્રવર્તક તરીકે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવને ગણવામાં આવે છે. ‘તીર્થકર' શબ્દ જૈનોનો પારિભાષિક શબ્દ છે. જે તારે તે “તીર્થ' અને જે ધર્મતીર્થ પ્રવર્તાવે તે તીર્થકર'. સંસારરૂપી સમુદ્ર પાર ઊતરવા ઇચ્છનાર જીવાત્માઓ માટે તીર્થની જે રચના કરે તે તીર્થકર. જે મહાન Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માઓ જિન બનીને આ ભગીરથ કાર્ય કરે છે તેમને જૈનો જિનેશ્વર અથવા તીર્થંકર કહે છે. નિશ્ચિત કાળમર્યાદામાં આવા ૨૪ તીર્થકર થાય છે. સંસાર અનાદિ-અનંત છે, એટલે ભૂતકાળમાં એવા ર૪ તીર્થકર અનંત વાર થઈ ગયા છે અને ભવિષ્યમાં અનંત વાર થશે. વર્તમાન કાળચક્રના ૨૪ તીર્થકરોમાં પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ છે. ૨૨મા તીર્થકર શ્રી નેમિનાથ છે, જે શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ છે અને ૨૪મા શ્રી મહાવીર સ્વામી છે. ૧ ભગવાન મહાવીરનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯માં ચૈત્ર સુદ ૧૩ને દિવસે તે વખતના લિચ્છવી ગણતંત્ર વૈશાલીના કુંડગામ (ક્ષત્રિયકુંડ) નામના ગામના રાજવી પરિવારમાં થયેલો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. નાનપણથી તેમનું મન વૈરાગી હોવા છતાં માતા-પિતાની આજ્ઞાને વશ થઈને તેમણે યશોદા સાથે લગ્ન કર્યું. ૩)માં વર્ષે તેમણે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછીનો તેમનો સાધનાકાળનો સાડા બાર વર્ષનો ગાળો કપરાં કષ્ટો અને તપશ્ચર્યાનો કાળ હતો. તેઓશ્રીએ સાડા બાર વર્ષ સુધી નિર્વસ્ત્ર દશામાં નિર્જન સ્થળોમાં વિચરી, ઉમ સાધનાને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુષ્યનાં અંતિમ ૩૦ વર્ષ તેઓશ્રીએ અનેક સ્થળે વિચારીને ઉપદેશાદિ દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. ઈ.સ. પૂર્વે પ૨૭માં આસો વદ અમાસના દિવસે, છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં ગાળી તેઓ નિર્વાણપદને પામ્યા. તેમનું મૂળ નામ વર્ધમાન હતું, પરંતુ યોગસાધનામાં તથા પરિષહજયમાં ઘણી જ વીરતા દાખવી હોવાથી આગળ જતાં તેઓ મહાવીર કહેવાયા. તેઓ વર્તમાન અવસર્પિણીના અંતિમ તીર્થકર છે. (૩) સાહિત્ય જૈન ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરે આપેલા ઉપદેશને તેમના ગણધરોએ દ્વાદશાંગીમાં ગૂંથી લીધો હતો. દ્વાદશાંગી એટલે બાર અંગ. આ બાર અંગોમાં લોકાલોક, પદ્રવ્ય, નવ તત્ત્વ, મુનિ તથા ગૃહસ્થના આચાર, કર્મસિદ્ધાંત અને તેને અનુરૂપ કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ૧૨ અંગોમાં ‘દૃષ્ટિવાદ' નામનું ૧૨મું અંગ લુપ્ત થઈ ગયેલ છે. શેષ ૧૧ અંગો તથા તેનાં ૧૨ ઉપાંગો, ૧૦ પ્રકીર્ણક, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર અને ૨ ચૂલિકાસૂત્ર એમ કુલ ૪૫ આગમગ્રંથો અત્યારે ૧- ભગવાન ઋષભદેવની પ્રાગૈતિહાસિક પુરુષ તરીકેની ચર્ચા ‘ઋગ્વદ' (૪-૩-૮), 'નાગપુરાણ (શ્લોક ૭), ‘શ્રીમદ્ ભાગવત' (પાંચમો સ્કંધ) આદિ વૈદિક સંસ્કૃતિના પ્રાચીનતમ ગ્રંથોમાં મળી આવે છે. યજુર્વેદમાં ભગવાન ઋષભદેવ, ભગવાન અજિતનાથ અને ભગવાન અરિષ્ટનેમિ આ ત્રણ તીર્થકરોનાં નામોનો નિર્દેશ છે. આથી એમ સિદ્ધ થાય છે કે ભારતીય ધર્મ, દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની ઐતિહાસિક પરંપરામાં બૌદ્ધ તેમજ વૈદિક ધર્મથી જૈન ધર્મ પૂર્વવર્તી પ્રાગૈતિહાસિક ધર્મ છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય – જૈન દર્શન પ૨૩ ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો, કારણ કે તે વખતે લોકોમાં તે ભાષા બોલાતી હતી. ભગવાને પંડિતોની સંસ્કૃત ભાષાને બદલે અર્ધમાગધી ભાષાનો આશ્રય લઈ એને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું, એ તે જમાનાની દષ્ટિએ ક્રાંતિકારી પગલું હતું. શ્રુતપરંપરાથી ચાલ્યા આવતા આ આગમગ્રંથોના પાઠનિર્માણનું કાર્ય ઈ.સ. પૂર્વે ૩૧૦માં પ્રથમ પાટલીપુત્ર અને ત્યારપછી મથુરામાં થયું હતું. આ આગમોને લિપિબદ્ધ કરવાનું કાર્ય ઈ.સ. ૪૫૪માં શ્રી દેવદ્ધિગણિના અધ્યક્ષપદ નીચે ૫૦૦ આચાર્યો દ્વારા વલભીપુરમાં કરવામાં આવ્યું હતું. અહીં પ્રથમ વાર શ્રી મહાવીર ભગવાનની વાણી ગ્રંથસ્થ થઈ હતી. આ પરિષદમાં સંકલિત થયેલા ગ્રંથોને શ્વેતાંબર સંપ્રદાયે માન્યતા આપી હતી. આ ૪૫ આગમગ્રંથોનું વર્ગીકરણ ચાર અનુયોગમાં કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દ્રવ્યાનુયોગમાં દ્રવ્યમીમાંસા છે, બીજા ચરણાનુયોગમાં આચારમીમાંસા છે, ત્રીજા ગણિતાનુયોગમાં ખગોળ-ભૂગોળનાં પરિમાણોનું ગણિત છે અને ચોથા કથાનુયોગમાં કથાચરિત્રોનો સંગ્રહ છે. તે ઉપરાંત ૨૪ પુરાણ છે, જેમાં આદિપુરાણ, પદ્મપુરાણ, અરિષ્ટનેમિપુરાણ અને ઉત્તરપુરાણ ઉલ્લેખનીય છે. આ આગમગ્રંથો ઉપર વિવેચન કરતાં ચૂર્ણિ, ટીકા, ભાષ્ય વગેરે ગ્રંથોની રચના પૂર્વાચાર્યોએ કરેલી છે, જેમાં પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાનો ઠીક ઠીક ઉપયોગ થયો છે. એમાં આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત ‘આવશ્યક નિર્યુક્તિ' એક મહત્ત્વનો ગ્રંથ ૧- ૧૧ અંગ – ૧) આચારાંગસૂત્ર, ૨) સૂત્રકૃતાંગ, ૩) સ્થાનાંગ, ૪) સમવાયાંગ, ૫) ભગવતી સૂત્ર, ૬) જ્ઞાતાધર્મકથા, ૭) ઉપાશકદશા, ૮) અંતકૃદશા, ૯) અનુત્તરોપ પાતિકદશા, ૧૦) પ્રશ્નવ્યાકરણ, ૧૧) વિપાકસૂત્ર ૧૨ ઉપાંગ – ૧) પપાતિક, ૨) રાજકશ્રીય, ૩) જીવાભિગમ, ૪) પ્રજ્ઞાપણા, ૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૬) સૂર્યપ્રજ્ઞપ્તિ, ૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮) નિર્યાવલિકા, ૯) કલ્પાવતંસિકા, ૧૦) પુષ્પિકા, ૧૧) પુષ્પગુલિકા, ૧૨) વૃષ્ણિદશા. (દરેક અંગનું એક ઉપાંગ છે, જ્યારે ૬) જ્ઞાતાધર્મકથાનાં બે ઉપાંગ છે - ૬) સુર્યપ્રજ્ઞપ્તિ અને ૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ. તેથી ૧૧ અંગના ઉપાંગ ૧૨ છે.) ૧૦ પ્રકીર્ણ ક – ૧) ચતુદશરણ, ૨) આતુર પ્રત્યાખ્યાન, ૩) ભક્તિપરિજ્ઞા, ૪) સંસ્કાર, ૫) તાડુલ વૈતાલિક, ૬) ચન્દ્ર વૈધ્યક, ૭) દેવેન્દ્ર સ્તવ, ૮) ગણિત વિદ્યા, ૯) મહા પ્રત્યાખ્યાન, ૧૦) વીર સ્તવ. ૬ છેદસૂત્ર – ૧) બૃહત્ કલ્પ (વેદકલ્પ), ૨) વ્યવહાર, ૩) નિશીથ, ૪) દશાસૂત્રસ્કંધ, ૫) મહાનીશીથ, ૬) પંચકલ્પ. ૪ મૂળસૂત્ર – ૧) ઉત્તરાધ્યયન, ૨) દશવૈકાલિક, ૩) આવશ્યક, ૪) પિડનિર્યુક્તિ. ૨ ચૂલિકાસૂત્ર – ૧) નંદીસૂત્ર, ૨) અનુયોગદ્વાર. Page #557 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. (પ્રથમ કે દ્વિતીય શતાબ્દી) આચાર્યશ્રી કુંદકુંદદેવના ‘સમયસાર’, ‘પ્રવચનસાર', ‘પંચાસ્તિકાય', નિયમસાર પ્રમુખ ગ્રંથો છે. તેમણે કેટલાક પાહુડગ્રંથો પણ રચ્યા છે, જેમાં જૈન ધર્મપ્રણીત તત્ત્વની અત્યંત સ્પષ્ટ અને સૂક્ષ્મ વ્યાખ્યા છે. (પ્રથમ કે ચતુર્થ શતાબ્દી) આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ રચેલ ગ્રંથ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં અહીં તહીં વિખરાયેલા જૈન દર્શનના સિદ્ધાંતોનો સમન્વય કરવામાં આવ્યો છે, જે ગ્રંથ દિગંબર તથા શ્વેતાંબર બન્ને સંપ્રદાયોને માન્ય છે. (બીજી શતાબ્દી) આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીકૃત “રત્નકરંડ શ્રાવકાચાર', “આપ્તમીમાંસા'; (ત્રીજી-ચોથી શતાબ્દી) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ‘સમાધિતંત્ર', ‘ઇબ્દોપદેશ'; (પાંચમી શતાબ્દી) આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત ‘ન્યાયાવતાર', ‘સન્મતિતક પ્રકરણ', ‘ધાત્રિશતું તાáિશિકા'; (સાતમી શતાબ્દી) આચાર્યશ્રી જિનભદ્રજીકૃત ‘વિશેષાવશ્યકભાષ્ય'; આચાર્યશ્રી પ્રભાસચંદ્રજીકૃત ‘પ્રમાણમીમાંસા'; (આઠમી શતાબ્દી) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત ‘પદર્શનસમુચ્ચય', ‘યોગદષ્ટિ સમુચ્ચય', “યોગબિંદુ', યોગશતક', યોગવિંશિકા', “અષ્ટક પ્રકરણ'; (સાતમ-આઠમી શતાબ્દી) આચાર્યશ્રી અકલંક ભટ્ટજીકૃત ‘તત્ત્વાર્થવાર્તિકમ્', ‘લવીયસ્ત્રીયી', ન્યાયવિનિશ્ચય', ‘પ્રમાણસંગ્રહ'; (દસમી શતાબ્દી) આચાર્યશ્રી વાદિદેવસૂરિજીકૃત ન્યાયવિનિશ્ચયવિવરણ’, ‘પ્રમાણનિર્ણય’, ‘પ્રમાણનયતત્ત્વલોક'; (અગિયારમી શતાબ્દી) આચાર્યશ્રી અમિતગતિજીકૃત ‘પંચસંગ્રહ', ‘સામાયિક પાઠ, ‘યોગસાર'; (અગિયારમી-બારમી શતાબ્દી) શ્રી વિદ્યાનંદજીકૃત ‘જૈનશ્લોકવાર્તિક'; આચાર્યશ્રી ગુણભદ્રજીકૃત ‘આત્માનુશાસન'; (બારમી શતાબ્દી) કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત યોગશાસ્ત્ર”, “વીતરાગસ્તોત્ર', 'ત્રિષષ્ઠિ શલાકા પુરુષ', “અન્યયોગ-વ્યવચ્છેદદ્વાર્નાિશિકા'; આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત ‘સ્યાવાદ મંજરી'; સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત ‘દ્રવ્યસંગ્રહ', “ગોમ્મદસાર'; આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજીકૃત કર્મગ્રંથ', કર્મપ્રકૃતિ'; (અઢારમી શતાબ્દી) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ‘જ્ઞાનસાર', ‘જ્ઞાનબિંદુ', ‘અધ્યાત્મોપનિષદ્’, ‘અધ્યાત્મસાર' વગેરે અનેક ગ્રંથો પ્રસિદ્ધ છે. (૪) સંપ્રદાયો દુનિયાના દરેક ધર્મમાં એના મૂળ સ્થાપક પછી કે મુખ્ય પ્રવર્તક પછી કાળક્રમે એના અનુયાયીઓમાં મતભેદ ઊભા થાય છે અને ભિન્ન ભિન્ન સંપ્રદાયો સ્થપાય છે. ક્યારેક આવા સંપ્રદાયો વચ્ચે હિંસક અથડામણો પણ થાય છે. જૈન ધર્મમાં અહિંસા મહાવ્રતને સર્વોપરી સ્થાન અપાયું હોવાના કારણે હિંસક ઘટનાઓ બની નથી, પણ સંનિષ્ઠ મતભેદોના કારણે ભિન્ન ભિન્ન સંપ્રદાયો અવશ્ય થયા છે. જૈન ધર્મમાં મુખ્ય બે સંપ્રદાય છે - ૧) શ્વેતાંબર સંપ્રદાય અને ૨) દિગંબર સંપ્રદાય. શ્વેતાંબર સંપ્રદાયમાં વખત જતાં મુખ્ય ત્રણ પેટા સંપ્રદાયો થયા - i) મૂર્તિપૂજક, ii) સ્થાનકવાસી અને Page #558 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય - જૈન દર્શન ૫૨૫ iii) તેરાપંથી. દિગંબર સંપ્રદાયમાં પણ મુખ્ય બે પેટા સંપ્રદાયો થયા i) બીસપંથી અને ii) તેરાપંથી. વખત જતાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં બીજા પણ ઘણા નાના નાના ગચ્છ-મત વગેરે ઊભા થયા છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર, દીક્ષાગ્રહણ પછી છદ્મસ્થાવસ્થા વખતે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર તરીકે નિર્વાણ સુધી નગ્નાવસ્થામાં વિચર્યા હતા એ શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયો માન્ય રાખે છે. પરંતુ શ્વેતાંબરો એમ કહે છે કે ભગવાન મહાવીરસ્વામીના સાધુસમુદાયમાં જિનકલ્પી સાધુઓ નગ્નાવસ્થામાં હતા અને સ્થવિરકલ્પી સાધુઓ વસ્ત્ર સહિત હતા, પરંતુ જિનકલ્પનો વિચ્છેદ થયા પછી સાધુઓને નગ્નાવસ્થામાં રહેવાનું પ્રયોજન રહ્યું નહીં. દિગંબર સંપ્રદાય એમ કહે છે કે ભગવાન મહાવીરના બધા જ સાધુઓ નગ્નાવસ્થામાં જ હતા, એ રીતે જ તેઓ દીક્ષિત થયા હતા અને એ રીતે જ પરંપરા ચાલી આવે છે. પરંતુ ત્યારપછી ૧૨ વર્ષના દુકાળ વખતે નગરમાં ગોચરી લેવા જવાના બહાને કેટલાક સાધુઓએ વસ્ત્ર ધારણ કરી લીધું હતું અને એ રીતે વસ્ત્રયુક્ત સાધુની - શ્વેતાંબરની પરંપરા ચાલુ થઈ છે. અલબત્ત આ જે કાંઈ વિભાજન થયું તે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પછી થયું હોવાનું મનાય છે. - ભગવાન મહાવીરની સાતમી પાટે ચૌદપૂર્વધર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી આવ્યા. આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના સમય સુધીમાં જૈન ધર્મમાં કોઈ વાદવિવાદ ઊભો થયો ન હતો. તેમના સમયમાં મગધમાં નંદ રાજાનું રાજ્ય હતું. એ વખતે મગધમાં ઉપરાઉપરી ૧૨ વર્ષ સુધી દુકાળ પડ્યો. મગધની સમૃદ્ધિ જોતજોતામાં ઘટી ગઈ. તે દુકાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાથી અને ઘણા લોકો સ્થળાંતર કરી ગયા હોવાથી વસ્તી પણ ઘટતી ગઈ. સાધુઓને પોતાની ગોચરી મેળવવાનું તથા સમાચારી સાચવવાનું પણ કઠિન થઈ ગયું. તે વખતે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પોતાના શિષ્યસમુદાય સાથે દક્ષિણ ભારત બાજુ સ્થળાંતર કરી ગયા અને નગ્નાવસ્થામાં જ રહ્યા, જે દિગંબર કહેવાયા. આમ, દક્ષિણમાં દિગંબરપરંપરા વધુ ફૂલીફાલી, જ્યારે એમના પટ્ટધર આચાર્યશ્રી સ્થૂલિભદ્રજી મગધમાં જ રોકાયા, તેથી મગધ તરફ્ના સાધુઓ વસ્ત્ર સહિત રહ્યા, જે શ્વેતાંબર કહેવાયા. શ્વેતાંબર અને દિગંબર એ બન્ને પરંપરાઓ મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી રત્નત્રયની આરાધના, ૫ મહાવ્રત, ૭ અથવા ૯ તત્ત્વ, ૮ કર્મ અને તેની ઉત્તર પ્રકૃતિઓ, ૨૪ તીર્થંકરો અને તેમના અતિશયો, ગુણસ્થાનક, અનેકાંતવાદ વગે૨ે મોક્ષમાર્ગની આરાધનાને લગતી લગભગ બધી જ બાબતો સ્વીકારે છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચે મહત્ત્વના મુખ્ય ત્રણ ભેદ છે. મોક્ષપ્રાપ્તિ માટે નગ્નાવસ્થા અનિવાર્ય છે કે કેમ એ વિષે તથા સ્ત્રી મુક્તિ પામી શકે કે કેમ એ વિષે તથા કેવલી Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભગવંતો આહાર કરે કે કેમ અને તેઓ આહાર કરે તો તે કવલ આહાર હોય કે લોમ આહાર હોય એ વિષે બન્ને સંપ્રદાયોના પૂર્વાચાર્યોએ બહુ વિગતવાર ચર્ચા કરી છે. બન્ને પક્ષના આચાર્યોએ પોતપોતાના પક્ષના સમર્થન માટે સબળ દલીલો કરી છે. શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે આચારના અને બીજા નાના નાના ૮૪ જેટલા મતભેદો છે. એમાંથી કેટલાક નીચે મુજબ છે - શ્વેતાંબરો માને છે કે શ્રી ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવીને ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું હતું અને આ અવસર્પિણીમાં મોક્ષે જનાર સૌ પ્રથમ તેઓ જ હતાં. દિગંબરો સ્ત્રી મોક્ષ ન પામી શકે એવું માનતા હોવાથી આ વાતને સ્વીકારતા નથી. તેઓ માને છે પ્રથમ મોક્ષે જનાર શ્રી બાહુબલિજી હતા. એટલે દિગંબરોમાં શ્રી બાહુબલિજીની પૂજાનું મહત્ત્વ વિશેષ છે. શ્વેતાંબરો માને છે કે ભગવાન મહાવીરે ગૃહસ્થપણામાં લગ્ન કર્યા હતા અને એમને પ્રિયદર્શના નામની એક પુત્રી હતી, જેના લગ્ન જમાલી સાથે થયા હતા. દિગંબરો માને છે કે ભગવાન મહાવીરે લગ્ન કર્યા જ ન હતા, એટલે સંતાનનો પ્રશ્ન રહેતો નથી. શ્વેતાંબરો ૪૫ આગમોને માન્ય રાખે છે. દિગંબરો આ આગમોને માન્ય રાખતા નથી. તેમનું કહેવું છે કે પહેલા દુકાળ પછી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના કાળધર્મ સાથે શ્રુતજ્ઞાન વેરવિખેર થઈ ગયું હતું. જે ૪૫ આગમો હાલ ઉપલબ્ધ છે તે તો તેનું નવસંસ્કરણ છે. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયના સમન્વયરૂપ યાપનીય નામનો એક સંપ્રદાય પ્રવર્તો હતો. એનો પ્રાદુર્ભાવ ક્યાં અને ક્યારે થયો હતો તે વિષે સંશોધકોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે એની સ્થાપના ઈ.સ. ૧૪૮માં થઈ હોવાનું મનાય છે. કર્ણાટકમાં બેલગામ જિલ્લામાં આ યાપનીય સંઘ સવિશેષ પ્રચલિત રહ્યો હતો. અન્ય મત પ્રમાણે એની સ્થાપના ઉત્તર ભારતમાં થઈ હતી. આ સંઘ સ્ત્રીમુક્તિ અને કેવલીના આહારને માન્ય રાખતો હતો. તે મુનિઓની દિગંબર અવસ્થાને સ્વીકારતો હતો, પણ વસ્ત્રવાળા સાધુઓનો વિરોધ કરતો ન હતો. નગ્નતાથી જ મોક્ષ છે એવો આગ્રહ આ સંઘે છોડી દીધો હતો. આ સંઘ કેટલાક સૈકાઓ સુધી પ્રચલિત રહ્યો હતો. તે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ફેલાયો હતો. શ્વેતાંબરોમાં ઈ.સ.ના છઠ્ઠા-સાતમા સૈકામાં એક મહાન આચાર્ય થઈ ગયા. એમનું નામ આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજી. એમના ૮૪ જેટલા મુખ્ય સમર્થ શિષ્યો હતા. તે બધા શિષ્યો આચાર્યની પદવી ધરાવતા હતા અને તે દરેકનો શિષ્ય-પ્રશિષ્યનો મોટો સમુદાય હતો. આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીએ બધા જ ક્ષેત્રોને લાભ મળે એ દૃષ્ટિએ પોતાના આ મુખ્ય શિષ્યોને વિહાર માટે ક્ષેત્રો વહેંચી આપ્યાં. સમય જતાં એ શિષ્યોના શિષ્યો-પ્રશિષ્યોની પરંપરામાં સમાચારીમાં થોડો થોડો ફરક પડતો ગયો અને તે બધા સમુદાયો ગચ્છ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે એક કાળે ૮૪ જેટલા ગચ્છો Page #560 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - જૈન દર્શન ૫૨૭ શ્વેતાંબરપરંપરામાં હતા. તે બધાના નામોલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. જે મોટા અને જાણીતા ગચ્છ હાલ ગણાય છે તેમાં તપાગચ્છ, ખરતરગચ્છ, સાગરગચ્છ અને અંચલગચ્છમાં સાધુ-સાધ્વીઓની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે. પાચચંદગચ્છમાં સાધુસાધ્વીઓની સંખ્યા ઘણી ઓછી છે. શ્વેતાંબરોમાં ત્રિસ્તુતિક નામનો એક ગચ્છ પણ ગયા સૈકામાં થયો હતો. એ ગચ્છ દેવ-દેવીઓની આરાધનામાં માનતો ન હતો. દિગંબરોમાં વીસપંથી, તેરાપંથી, ગુમાનપંથી, તોતાપંથી, સમૈયા એમ જુદા જુદા મોટા વિભાગો છે. એ દરેકની સમાચારીમાં થોડો થોડો ફરક છે. દિગંબરો મુખ્યત્વે મૂર્તિપૂજામાં માનનારા છે, પરંતુ તેમનામાં પણ એક એવો પંથ નીકળ્યો હતો કે જે મૂર્તિપૂજામાં માનતો ન હતો. એ પંથનું નામ છે “સમૈયા'. શ્વેતાંબરમાં વખત જતાં વિ.સં. ૧૫૦૮માં મૂર્તિપૂજામાં નહીં માનનાર એક સંપ્રદાય ઊભો થયો હતો. એના સ્થાપક લોકશાહ હતા. તેઓ અમદાવાદમાં આગમસૂત્રોના લહીયા તરીકે કાર્ય કરતા હતા. તેમણે ૪૫ આગમ સૂત્રોમાંથી, જેમાં મૂર્તિપૂજા વિષે ઉલ્લેખ ન હોય એવાં ૩૨ આગમ સૂત્રો માન્ય રાખ્યાં. તેમણે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ જેવી આવશ્યક ક્રિયાઓમાં પણ ફેરફારો કર્યા. તેમણે અહિંસા વ્રતને પ્રાધાન્ય આપી, જેમાં સૂક્ષ્મ જીવહિંસાનો પણ સંભવ હોય એવી આરંભ-સમારંભની ધાર્મિક ક્રિયાઓનો નિષેધ કર્યો અને એ રીતે મંદિર-મૂર્તિનો પણ નિષેધ કર્યો. આરંભમાં આ સંપ્રદાય લોંકા તરીકે, પછી ઢુંઢિયા તરીકે અને પછી સ્થાનકવાસી તરીકે ઓળખાયો. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબ સુધી તે ફેલાયો. તેમાં પણ છકોટિ, નવકોટિ, મોટીપક્ષ, નાનીપક્ષ, દરિયાપુરી, લીંબડી, ખંભાત, બોટાદ, ગોંડલ, શ્રમણ સંઘ વગેરે પેટા વિભાગો થયા. સ્થાનકવાસી સંપ્રદાયમાંથી લગભગ ૨૦૦ વર્ષ પછી તેરાપંથ નામનો સંપ્રદાય છૂટો પડ્યો. સાધુ ભિકમજી એના સ્થાપક મનાય છે. તેમના મત પ્રમાણે સાધુઓથી પોતાના માટે બનાવેલા ઉપાશ્રયોમાં રહેવાય નહીં, કારણ કે એમાં આરંભ-સમારંભનો દોષ લાગે છે, એટલે ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલાં એવાં ખાલી પડેલાં એકાંત સ્થળોમાં સાધુ-સાધ્વીઓએ રહેવું જોઈએ કે જેથી દોષ ન લાગે. વળી, સાધુઓથી દાન અને દયાનો ઉપદેશ અપાય નહીં, કારણ કે તેમ કરવા જતાં પોતે દોષના નિમિત્ત બને છે. આ સિદ્ધાંત ઉપર આ સંપ્રદાય છૂટો પડ્યો. ગુજરાત, સૌરાષ્ટ્ર કરતાં રાજસ્થાનમાં આ સંપ્રદાયનો પ્રચાર વિશેષ થયો. આમ, જૈન ધર્મમાં ભગવાન મહાવીરસ્વામીના સમયથી આજ સુધી વિવિધ સંપ્રદાયો, ગચ્છો વગેરે થતા રહ્યા છે. તેમાં દાર્શનિક મતભેદ કરતાં સામાચારીનો મતભેદ વિશેષ રહ્યો છે. મોક્ષમાર્ગની આરાધના અંગે તેઓ સર્વ સમ્મત છે. અલબત્ત, એમાં વ્યવહારનય અને નિશ્ચયનયની દૃષ્ટિએ એક અથવા બીજી વસ્તુ ઉપર વધુ ભાર Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મુકાય છે, તોપણ મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય સર્વનું એક જ રહ્યું છે. જૈન ધર્મમાં નાના નાના વિસંવાદો હોવા છતાં ભગવાન મહાવીરસ્વામીએ આપેલા અનેકાંત વિષેના ઉપદેશના કારણે એકંદરે સામંજસ્ય સચવાયું છે. (II) પ્રમાણમીમાંસા અનેકાંતશૈલી - સ્યાદ્વાદ જૈન દર્શન પ્રમાણે જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તે જ્ઞાન.૧ કોઈ પણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. આથી પ્રમાણ અને નય જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં એ બન્નેમાં ભેદ છે. જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મો (ગુણો)નો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જેનાથી વસ્તુનો નિત્ય આદિ કોઈ એક ધર્મ (ગુણ)નો નિર્ણયાત્મક બોધ થાય તે નય. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, જ્યારે નયથી અપૂર્ણ - આંશિક બોધ થાય છે. આથી નય એ પ્રમાણનો અંશ છે. જૈનમત અનુસાર કોઈ એક વસ્તુ અંગે જુદી જુદી દષ્ટિએ વિચારવામાં આવે તો તેમાં અનેક ગુણો રહેલા છે એમ જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ગુણો પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે - નિર્બળતા અને બળ એ બન્ને પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલાં હોય છે. આ સાંભળી કોઈને આશ્ચર્ય થાય કે આ શી રીતે સંભવે? આ શંકાનું સમાધાન જૈનો અનેકાંતના સિદ્ધાંત દ્વારા કરે છે. અનેકાંત કહે છે કે એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે પરસ્પર વિરોધી ભાસે છે તે ધર્મો પરસ્પર વિરોધી છે જ નહીં. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં તે એકસાથે રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલાં નિર્બળતા અને બળ વગેરે વિરુદ્ધ ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. કોઈ પણ ધર્મમાં અપેક્ષાભેદથી વિરોધ છે જ નહીં. ‘અનેકાંત' શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. “અનુ’, ‘એક’ અને ‘અંત'. અન્ = નહીં, એક = એક, અંત = ગુણધર્મ. એકથી પૂર્ણતા નહીં તે અનેકાંત. કોઈ પણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ગુણધર્મથી નહીં પણ અનેક ગુણધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ધર્મો પણ હોય છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મો અપેક્ષાભેદથી અવિરોધ છે એમ બતાવનાર સિદ્ધાંત. એક ઉદાહરણ વડે આ વાત સમજીએ. જ્યારે કોઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્બળ? તો તમે તરત કહેશો કે હાથી બળવાન. એટલે કે ૧- યથાર્થ જ્ઞાનના સાધન તરીકે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણોને જૈન દર્શન સ્વીકારે છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ષગ્દર્શનપરિચય ૫૨૯ જૈન દર્શન હાથીમાં બળ ધર્મ રહેલો છે. પણ બળવાન હાથી ઉપર સિંહ જ્યારે ચડી બેસે છે ત્યારે કેવો અસહાય બની જાય છે! આથી હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હોત તો તે સિંહને દૂર ફેંકી શકત, એટલે કે હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણીઓની અપેક્ષાએ બળવાનપણું છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે. અહીં જે ‘અપેક્ષા' શબ્દનો પ્રયોગ થયો છે તે ખૂબ મહત્ત્વનો છે. અપેક્ષાભેદથી વસ્તુમાં તે તે ધર્મ છે અને અપેક્ષાભેદથી તે તે ધર્મનો અભાવ પણ છે. અનેકાંતનો મહેલ અપેક્ષાભેદના સ્તંભ ઉપર જ ટકી રહ્યો છે. અનેકાંતવાદ એ જૈન ધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. કોઈ પણ વસ્તુના અનેક અંત, એટલે, કે અનેક ગુણધર્મ હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને બરાબર તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈ પણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ વગેરેને વિવિધ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોના આધારે અને ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવાં તત્ત્વોનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંત. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંત. વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવાની કથનપદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. સ્યાદ્ + વાદ = કોઈ અપેક્ષાથી કથન કરવું. ‘સ્યાત્’ શબ્દ વાક્યની અસત્યતા કે સંદિગ્ધતાનો બોધ કરાવતો નથી, પણ તેની સાપેક્ષતા સૂચવે છે. અનેકાંત એ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને અમલમાં કથનમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત એમ સૂચવે છે કે વિશ્વના સ્વરૂપને અનેક દૃષ્ટિબિંદુઓથી જોઈ શકાય છે અને પ્રત્યેક દૃષ્ટિબિંદુ જુદું જુદું પરિણામ તારવી આપે છે. સત્તત્ત્વનું સ્વરૂપ ફક્ત એક દૃષ્ટિબિંદુ દ્વારા સંપૂર્ણપણે પ્રતિપાદિત થઈ શકતું નથી, કેમ કે તેની વાસ્તવિક શક્તિઓની વિપુલતાના કારણે બધાં જ વિશેષણો કે વિધાનોને તે પોતામાં સમાવી શકે છે. આથી સત્તત્ત્વના સ્વરૂપને લગતું પ્રત્યેક વિધાન સાચી રીતે જોતાં મર્યાદિત જ છે, અર્થાત્ પ્રત્યેક વિધાન તેના સ્વરૂપનો મર્યાદિત ખ્યાલ જ આપે છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત એ જૈન દર્શનનું વિશ્વસંસ્કૃતિને એક વિશિષ્ટ પ્રદાન છે. વિશ્લેષણાત્મક દૃષ્ટિબિંદુથી સત્ય તરફ ગતિ થઈ શકે છે. આવા દૃષ્ટિબિંદુઓનું સંકલન જ્ઞાનમાં સુમેળ લાવી શકે તે સ્પષ્ટ સમજાય છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત આવું સુમેળભર્યું સંકલન કરે છે. સંપૂર્ણ જ્ઞાન માત્ર સર્વજ્ઞત્વ દ્વારા જ પ્રાપ્ત થાય છે. પદાર્થનું સતત રૂપાંતર થતું રહે છે અને સંપૂર્ણ સત્યને પૂર્ણપણે ગ્રહણ કરવામાં મનુષ્યની બુદ્ધિ સમર્થ નથી, તેથી આ સિદ્ધાંતની જરૂરિયાત ઊભી થઈ છે. જે જોવામાં આવે છે, જે જાણવામાં આવે છે, તેને વાણીમાં વ્યક્ત કરવા માટે સ્યાદ્વાદની જરૂર પડે છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્યાદ્વાદ સ્વભાવે માત્ર ચિંતનશીલ જ નથી, પરંતુ સત્તામૂલક પ્રશ્નોના ઉકેલની ચાવી પણ તે આપે છે. તેણે દાર્શનિકોને વિચારની દૃઢતા આપી, એવી પ્રતીતિ કરાવી છે કે સત્ય કોઈ સાંપ્રદાયિક ધર્મની મર્યાદામાં બંધાતું નથી. સ્યાદ્વાદનો સિદ્ધાંત ખૂબ સાવચેતી રાખવાનું સૂચવે છે, તેમજ તત્ત્વના સ્વરૂપની વ્યાખ્યા કરતાં બધા જ એકાંતિક આરહોને ત્યજી દેવાનું કહે છે. તાત્ત્વિક સિદ્ધાંતની બાબતમાં સૂક્ષ્મ ભેદોને ઝીણવટથી વળગી રહેવાની વૃત્તિ એમાં રહેલી છે. સ્યાદ્વાદનો આશય સત્યને વધુમાં વધુ દૃષ્ટિકોણથી પામવાનો અને પ્રામાણિક પ્રસાર કરવાનો છે. સ્યાદ્વાદ માત્ર બૌદ્ધિક વ્યાયામ કે વાગ્વિલાસ કરવા માટે નથી. સાધકને તે બૌદ્ધિક સહિષ્ણુતાનો ગુણ આપે છે. આવી સહિષ્ણુતા જૈન ધર્મના મૂળ સિદ્ધાંત - અહિંસાના જ એક ભાગરૂપે છે. જૈન દર્શન અનેકાંતદષ્ટિને અનુસરી સત્તત્ત્વના સ્વરૂપનું નિરૂપણ સાત પ્રકારનાં વિધાનો દ્વારા કરે છે, જેને ‘સપ્તભંગી નય' કહે છે. જૈન દર્શનના આ સપ્તભંગી નયમાં ‘ભંગ' એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનનો પ્રકાર અથવા વાક્યરચના અને ‘નથ’ એટલે વસ્તુના એક અંશને જે સ્પર્શે છે તે દષ્ટિબિંદુ. ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી એક જ વસ્તુનાં જે ભિન્ન ભિન્ન દર્શન થાય છે, એના જ આધારે ભગવાદની રચના થાય છે. જે બે દર્શનોના વિષય પરસ્પર વિરોધી હોય એવાં દર્શનો વચ્ચે સમન્વય બતાવવાની દૃષ્ટિએ, તેમના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બને અંશોને લઈને તેના આધારે જે સંભવિત વાક્યભંગો રચવામાં આવે છે એ જ સપ્તભંગી છે. સપ્તભંગી નય તેના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે – (૧) સ્વાતું અસ્તિ = કથંચિત્ છે. (૨) સ્યા નાસ્તિ = કથંચિતું નથી. (૩) સ્યાત્ અતિ નાસ્તિ = કથંચિત્ છે અને નથી. (૪) સ્યાત્ અવક્તવ્ય: = કથંચિત્ અવક્તવ્ય છે. (૫) ચાતુ અતિ ચ અવક્તવ્યઃ = કથંચિત્ છે અને અવક્તવ્ય છે. (૬) સ્યાત્ નાસ્તિ ચ અવક્તવ્ય = કથંચિતું નથી અને અવક્તવ્ય છે. (૭) ચાતું અસ્તિ ચ નાસ્તિ ચ અવક્તવ્યઃ = કથંચિત્ છે, કથંચિતું નથી અને અવક્તવ્ય છે. ઉપરના સાત વિધાનોમાંથી પ્રથમ ચાર મુખ્ય જણાય છે અને બાકીનાં છેલ્લાં ત્રણ વિવિધ રીતે ફલિત થાય છે. આ સપ્તભંગી નય સમજવા માટે એક મૂર્ત ઉદાહરણ રોજિંદા વ્યવહારમાંથી જ લઈએ. ઉદા.ત. મરણપથારીમાં પડેલા કોઈ દરદીના સંબંધમાં પૂછવામાં આવે કે તેની હાલત કેવી છે? તો તેના જવાબમાં વૈદ નીચે પ્રમાણે સાત પ્રકારના ઉત્તરોમાંથી કોઈ પણ એક ઉત્તર આપી શકે – Page #564 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - જૈન દર્શન ૫૩૧ (૧) તબિયત સારી છે. (૨) તબિયત સારી નથી. (૩) કાલ કરતાં સારી છે, પણ એવી સારી નથી કે આશા રાખી શકાય. (૪) સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (૫) કાલથી સારી છે, છતાં કહી શકાતું નથી કે શું થશે? (૬) કાલથી સારી નથી, છતાં કહી શકાતું નથી કે શું થશે? (૭) આમ તો સારી નથી, પણ કાલ કરતાં સારી છે; છતાં કહી શકાતું નથી કે શું થશે? સપ્તભંગીનો આધાર નયવાદ છે અને એનું ધ્યેય સમન્વય કરવાનું, અર્થાત્ અનેકાંત કોટિનું દર્શન કરાવવાનું છે. કોઈ પણ એક વસ્તુ વિષે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકોની માન્યતામાં જે ભેદ જણાતો હોય તે ભેદ વિરોધરૂપ છે કે નહીં અને જો વિરોધરૂપ ન હોય તો દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવવો, અર્થાત્ ધર્મવિષયક દૃષ્ટિભેદો દેખાતા હોય ત્યારે એવા ભેદોનો પ્રમાણપૂર્વક સમન્વય કરી, બધી સાચી દૃષ્ટિઓને યોગ્ય સ્થાનમાં ગોઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ રહેલું છે. અનેકાંતવાદ એટલે વિચારમાં પણ અહિંસા, કારણ કે અનેકાંતવાદ એટલે વિરોધ પક્ષનાં મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષનાં મંતવ્યોની પણ પ્રામાણિકપણે મધ્યસ્થ ભાવે, સત્યની જિજ્ઞાસાથી કડક આલોચના કરવી અને મિથ્યા અભિમાનનો ત્યાગ કરી, પોતાની ભૂલ હોય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તત્ત્વોનો સમન્વય કરવો. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંતવાદને ચારિત્રવિકાસના સાધન તરીકે પણ અપનાવ્યો. અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે, વિસંવાદ દૂર થાય છે, ક્લેશ ઓછો થાય છે, સમભાવ જન્મે છે, મિત્રતા વિકસે છે અને સંવાદ તથા શાંતિ સ્થપાય છે. આથી જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે એમ છે. (III) તત્ત્વમીમાંસા (૧) આત્મા વિષે વિચાર જૈન દર્શન અનુસાર જીવનું લક્ષણ ઉપયોગ છે, અર્થાત્ ચેતના છે. જ્ઞાન અને ૧- જૈન દર્શનની સૈદ્ધાંતિક વિચારણા ગાથાઓનાં વિવેચનમાં કરવામાં આવી હોવાથી અહીં તેનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દર્શનરૂપ ઉપયોગ જેનામાં હોય, સુખ-દુઃખની અનુભૂતિ જેનામાં હોય તે જીવ કહેવાય છે. તે કદી ઉત્પન્ન થતો નથી કે મૃત્યુ પણ પામતો નથી. તે નિત્યજ્ઞાનમય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. શરીરથી આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર છે. આત્મા ન તો પુદ્ગલોથી ઉત્પન્ન થાય છે, ન તો તેની સાથે નષ્ટ થાય છે. વળી, તે દેહપરિમાણ છે, અર્થાત્ તે રૂપરહિત અમૂર્ત હોવા છતાં દેહ જેટલો જ વિસ્તાર ધરાવે છે. જે દેહમાં પોતે રહ્યો હોય તે દેહના પરિમાણ પ્રમાણે જીવ સંકોચ-વિસ્તારનું ભાજન થાય છે. દીવો નાના પાત્રમાં મૂકવામાં આવે કે મોટા ખંડમાં મૂકવામાં આવે તોપણ પોતાના પ્રકાશથી તે આખું સ્થળ ભરી દે છે, તેમ આત્મા કીડીના શરીરમાં કીડી જેટલું અને હાથીના શરીરમાં હાથી જેટલું પરિમાણ ધારણ કરે છે. આત્મા પોતાનાં કર્મનો કર્તા અને તેનાં ફળનો ભોક્તા છે. આત્મા ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તેનું કર્તાપણું ચાર પ્રકારે બતાવવામાં આવ્યું છે. સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે, વિભાવપરિણતિએ રાગ-દ્વેષાદિનો કર્તા છે, અનુપચરિત વ્યવહારનયે દ્રવ્યકર્મનો કર્તા છે અને ઉપચરિત વ્યવહારનયે ઘર-નગર આદિનો કર્તા છે. વળી, કર્મનો ભોક્તા હોવાથી, જેમ વિષ ખાવાથી વિષનું ફળ અને સાકર ખાવાથી સાકરનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે; અર્થાત્ આત્મા જે શુભાશુભ ભાવ કરે છે તેના ફળરૂપે પોતે સુખ-દુઃખ અવશ્ય ભોગવે છે. વળી, કર્મ કરવું અને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી, તેથી તે ટળી શકે છે. સર્વ કર્મનો આત્યંતિક અભાવ થાય ત્યારે આત્મા મોક્ષપદને પામે છે. આમ હોવાથી જૈન ગ્રંથોમાં જીવોના બે પ્રકાર બતાવ્યા છે - મુક્ત અથવા સિદ્ધ અને બદ્ધ અથવા સંસારી. જે જીવો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર ગુણોથી યુક્ત હોય તથા જન્મ-મરણના પરિભ્રમણમાંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય, તે જીવો સિદ્ધ (મુક્ત) છે. જે જીવો કર્મબંધનના કારણે દેહ ધારણ કરી, જન્મ-મરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે, તે સંસારી (બદ્ધ) જીવો છે. સંસારી જીવોની ચાર પ્રકારની ગતિ હોય છે - મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક જીવો જ્યાં સુધી મુક્ત થતા નથી, ત્યાં સુધી પોતાના કર્મ પ્રમાણે આ ચાર ગતિઓમાં જન્મ ધારણ કરે છે, આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મૃત્યુ પામે છે અને ફરી નવો જન્મ ધારણ કરે છે અને એ પ્રમાણે તેઓ સંસારમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે. સંસારી જીવોના બે પ્રકાર છે - સ્થાવર અને ત્રસ. જે જીવો પોતાની ઇચ્છાથી ગતિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. જે જીવો પોતાની ઇચ્છાથી હાલી-ચાલી Page #566 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય – જૈન દર્શન ૫૩૩ શકે છે તે ત્રસ જીવો કહેવાય છે. માટી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિમાં રહેલા જીવો સ્થાવર કહેવાય છે. સ્થાવર જીવોને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે અને તે છે સ્પર્શેન્દ્રિય. ત્રસ જીવોને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય હોય છે. શંખ, છીપ, અળસિયા, વાળા વગેરેને સ્પર્શ અને રસ એમ બે ઇન્દ્રિયો હોય છે. માંકડ, જૂ, ઇયળ, મંકોડા વગેરેને સ્પર્શ, રસ અને ઘાણ એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. પતંગિયા, માખી, મચ્છર, વાંદા વગેરેને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયો હોય છે. ગાય, બકરી, પોપટ, માણસ વગેરેને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એમ પાંચ ઇન્દ્રિયો હોય છે. જે પંચેન્દ્રિય જીવોને મન પણ હોય છે તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં જીવોનાં ભેદ-પ્રભેદ અને કાર્ય વિષેની વિચારણા અત્યંત સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. (૨) વિશ્વ વિષે વિચાર વિશ્વસૃષ્ટિ માટે જવાબદાર એવી કોઈ સર્વોપરી વ્યક્તિની કલ્પના જૈન દાર્શનિકો સ્વીકારતા નથી. સર્વશક્તિમાન ઈશ્વર જગતકર્તા છે અને આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત છે - એવા ઈશ્વરકર્તુત્વને જૈન દર્શનમાં સ્થાન નથી. જૈનમત પ્રમાણે આ વિશ્વ અનાદિ છે અને અનંત છે. એને ન તો કોઈએ બનાવ્યું છે અને ન તો કોઈ એનો કદી વિનાશ કરી શકે છે. તે સ્વયંસિદ્ધ છે. વિશ્વનો કદી સર્વથા નાશ થતો નથી, તેમાં માત્ર પરિવર્તન થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં તે પરિવર્તન નિરંતર થતું જણાય છે. આ આખું વિશ્વ પરિવર્તનશીલ હોવા છતાં નિત્ય છે અને એ નિત્ય હોવા છતાં પણ પરિવર્તનશીલ છે. એ નિત્ય-અનિત્યાત્મક છે. એની નિત્યતા સ્વતઃસિદ્ધ છે અને પરિવર્તન એનો સ્વભાવગત ધર્મ છે. નિત્યતાની જેમ અનિત્યતા પણ વસ્તુનું સ્વરૂપ છે. પ્રત્યેક વસ્તુ સત્સ્વરૂપ છે. સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત હોય છે. ઉત્પાદ અને વ્યય પરિવર્તનશીલતાનું નામ છે અને ધ્રૌવ્ય નિત્યતાનું નામ છે. પ્રત્યેક પદાર્થ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યથી યુક્ત છે, એથી તે દ્રવ્ય છે. પ્રત્યેક દ્રવ્ય ગુણ અને પર્યાયવાળું હોય છે. ૨ જે દ્રવ્યના પૂરા ભાગમાં અને સમસ્ત પર્યાયોમાં રહે તેને ગુણ કહે છે તથા ગુણોનાં પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. જૈન દર્શન અનુસાર આ વિશ્વમાં છ દ્રવ્યોથી અતિરિક્ત કાંઈ નથી, છ દ્રવ્યોના ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૨૯ “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ !' ૨- જુઓ : એજન, સૂત્ર ૩૭ ‘ગુગપર્યાયવ દ્રવ્યમ્ !' Page #567 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમુદાયને જ વિથ કહે છે. તે છ દ્રવ્યો આ પ્રમાણે છે - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો અજીવ છે. આ પ્રમાણે આ આખું જગત ચિ-અચિદાત્મક છે. જીવદ્રવ્ય અનંત છે અને પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે. ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્ય એક એક છે. કાળદ્રવ્ય અસંખ્યાત છે. જ્ઞાન-દર્શનસ્વભાવી આત્માને જીવદ્રવ્ય કહે છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ છે. ઇન્દ્રિયો દ્વારા દૃશ્યમાન થતું જગત પુદ્ગલનું જ પરિણામ છે. સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્ગલોને ગમનમાં જે સહકારી (નિમિત્ત) કારણ છે તે ધર્મદ્રવ્ય છે. ગતિપૂર્વક (સ્વયં) સ્થિતિ કરવાવાળાં જીવ અને પુદ્ગલોને સ્થિતિમાં જે સહકારી (નિમિત્ત) કારણ છે તે અધર્મદ્રવ્ય છે. બધાં દ્રવ્યોને અવગાહનમાં આકાશદ્રવ્ય અને પરિવર્તનમાં કાળદ્રવ્ય નિમિત્ત છે. જૈન દર્શનની માન્યતા પ્રમાણે કેડે હાથ દઈને ઊભેલા પુરુષની આકૃતિ જેવી ચૌદ રાજલોકપ્રમાણ આ સૃષ્ટિનો લોકાકાશ ભાગ બનેલો છે. આ સૃષ્ટિ દસે દિશામાં અસંખ્યાત યોજનો સુધી ફેલાયેલી છે. સૃષ્ટિના નીચેના ભાગમાં નરક અને ઉપરના ભાગમાં દેવલોક છે અને નાભિના સ્થાને મનુષ્ય ક્ષેત્ર છે. આ મનુષ્ય ક્ષેત્ર અઢીદ્વીપપ્રમાણ છે. આ અઢી કલીપમાં એક લાખ યોજનનો જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપમાં અત્યારની પૃથ્વી આવેલી છે. જૈન દર્શન અનુસાર આ પૃથ્વીની બહાર પણ માણસો વસે છે. ૧૪ રાજલોકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને લોકાન્ત અથવા સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે, જ્યાં સિદ્ધાત્માઓ - મુક્તાત્માઓ બિરાજે છે. ૧૪ રાજલોકની બહારનો પ્રદેશ અલોક કહેવાય છે. અલોક અનંત છે અને ત્યાં આકાશ સિવાય બીજું કશું નથી. લોક અને અલોક મળીને વિશ્વ કહેવાય છે. (૩) ઈશ્વર વિષે વિચાર જૈન ધર્મનું પ્રવર્તન શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ આદિની જેમ કોઈ એક પુરુષના નામે ચડ્યું નથી, પણ રાગ-દ્વેષના વિજેતાઓ(જિનો)એ આચરેલા અને ઉપદેશેલા ધર્મનું તે નામ છે. આથી જૈન ધર્મ કોઈ એક વ્યક્તિથી પરિવર્તિત થયો છે અથવા કોઈ એક વ્યક્તિને જ તેમાં દેવ તરીકે સ્થાન છે એમ નથી, પણ જે કોઈ રાગ-દ્વેષના વિજેતા થઈ અન્યને ધર્મ પમાડે તે જિનેશ્વર અથવા તીર્થકર, તેમનો ધર્મ તે જૈન ધર્મ અને તે ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીરચિત, ‘હાદશાનુપ્રેક્ષા', ગાથા ૧૧૬ અ પસેજ , ત્રાનું સ્થળ મ ોગો |. दव्वाण णिच्चत्तो, लोयस्स वि मुणह णिच्चत्तं ।।' ૨- જુઓ : (૧) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૧૩૩, ૧૩૪ (૨) સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૧૭-૨૧ Page #568 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય - જૈન દર્શન ૫૩૫ ધર્મના અનુયાયીઓ તે જૈનો છે. તીર્થંકર શબ્દ જૈન દર્શનમાં વિશિષ્ટ અર્થમાં વપરાય છે. તેમના જેવું સ્વરૂપ પામવા માટે, કર્મના બંધનથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જૈનો તીર્થંકરની આરાધના-ભક્તિ કરે છે. ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીરસ્વામી સુધી ચોવીસ તીર્થંકરો પ્રસિદ્ધ છે. તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી, પરંતુ સામાન્ય મનુષ્યરૂપે જન્મેલા છતાં વિશેષ પ્રકારની સાધના અંગીકાર કરીને તેઓ તીર્થંકરપદને પામ્યા છે. જૈન દર્શનમાં મુક્તાત્મા, શુદ્ધાત્મા અથવા પરમાત્માના ચાર પ્રધાન ગુણ માનવામાં આવે છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખ. સંસારનાં નિયમો, કાર્યો, પાપ-પુણ્ય આદિથી મુક્ત હોવાના કારણે પરમાત્મા ન તો કર્મફળ ભોગવે છે, ન કોઈને પણ કર્મફળ આપે છે. સંસારની કોઈ પણ વસ્તુ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓ હાનિ-લાભ, ભય-વિસ્મય, માન-અપમાન, ક્રોધ-લોભ, મોહભ્રમ આદિથી સર્વથા રહિત, સર્વજ્ઞ, અજર અને અમર છે. સંસારનાં ઉત્પત્તિ, વિકાસ અને વિનાશ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓ તો પોતાના જ અનંત ગુણોમાં રમમાણ રહે છે. તેઓ જીવને તેના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. જૈન દર્શન સૃષ્ટિને અનાદિ-અનંત માનતું હોવાથી સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને માનતું નથી. બીજાં દર્શનો તો સૃષ્ટિની ક્યારેક પણ ઉત્પત્તિ થઈ એમ માને છે અને તેથી એ દર્શનોમાં કોઈ ને કોઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે તેના કર્તા તરીકે ઈશ્વરનો સંબંધ જોડી દેવામાં આવે છે. વળી, જીવોને ફળ ભોગવાવવા માટે જૈન દર્શન ઈશ્વરને એટલે કે તીર્થંકરને કર્મના પ્રેરક માનતું નથી, કારણ કે જૈન દર્શનના કર્મવાદ પ્રમાણે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે અને તે જેવાં કર્મ કરે તેવાં તેને ફળ ભોગવવાનાં આવે છે. તેથી જૈન દર્શન ઈશ્વરને તીર્થંકરને સૃષ્ટિના અધિષ્ઠાતા પણ માનતું નથી, કેમ કે એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિ-અનંત હોવાથી એ ક્યારે પણ ઉત્પન્ન થઈ નથી તથા સૃષ્ટિ પોતે જ પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા રહેતી નથી. જૈન દર્શન ઈશ્વરના અસ્તિત્વમાં માનતું નથી માટે તે નાસ્તિક દર્શન છે એવો ટીકાકારોનો આક્ષેપ છે. તેઓ દ્વારા પ્રયોજેલ ‘નાસ્તિક' શબ્દ સર્વશક્તિમાન જગતકર્તા તથા કર્મફળદાતા ઈશ્વરના સંદર્ભમાં વપરાયો હોય તો આ આક્ષેપ સત્ય ઠરે છે, કારણ કે જૈન દર્શનમાં એવી સર્વોપરી સત્તાને કોઈ સ્થાન નથી, પરંતુ જૈન દર્શનને એ અર્થમાં નાસ્તિક ન કહી શકાય કે તે ઈશ્વરત્વ કે ઈશ્વરીય સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવતું નથી. જે આત્માની સહજ શક્તિઓ પૂર્ણપણે આવિર્ભાવ પામી હોય એમને તે ઈશ્વર ગણે છે. વળી, રાગાદિ દોષોથી રહિત, સર્વજ્ઞ અને લોકના ઉદ્ધારક એવા ભગવાન ઋષભદેવ, Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભગવાન મહાવીર આદિ જે તીર્થંકરો થઈ ગયા છે તેમને જૈનો ભગવાન તરીકે પૂજે જ છે. આ પૂજા પાછળનો હેતુ વરદાન આદિ માંગવાનો નથી. વળી, તીર્થંકરો વરદાન આપે નહીં અને આપી શકે પણ નહીં એમ તેઓ માને છે. તેમની પૂજા કરવા પાછળ તેમના જેવા ગુણો કેળવવાનો અને મોક્ષ માટે પ્રકાશ તથા માર્ગદર્શન મેળવવાનો હેતુ છે. પૂજામાં પોતાના જીવનને ઉન્નત કરી દિવ્યતા કેળવવાની ભાવના હોય છે. તીર્થકરોની પૂજામાં આત્મસાક્ષાત્કારના માર્ગે જવાના અને તેમના જેવા બનવાના ધ્યેયનો ઉદ્દેશ રહેલો હોય છે. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ રાગાદિ વિકારો, જ્ઞાનાવરણીયાદિ કર્મો અને દેહાદિ નોકર્મોથી સંપૂર્ણપણે મુક્ત થવું તેને જૈન દર્શન મોક્ષ કહે છે. રાગાદિ વિકારોથી સંપૂર્ણપણે મુક્ત થવું તે ભાવમોક્ષ છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણોનો સંપૂર્ણ વિકાસ એ જ ભાવમોક્ષ છે અને જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ અને દેહાદિ નોકર્મથી સર્વથા છૂટી જવું તે દ્રવ્યમોક્ષ છે. પાંજરામાં રહેલો સિંહ જેમ પાંજરાથી જુદો છે, તેમ આત્મા દેહમાં રહેવા છતાં દેહથી ભિન્ન છે; અને તે કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થતાં દેહમુક્ત થાય છે. શુદ્ધાત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો હોવાથી તે મુક્ત આત્મા એક સમયમાં લોકારે પહોંચી સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. ગતિસહાયક ધર્મતત્ત્વ લોકની બહાર નહીં હોવાથી તે આત્મા લોકની બહાર જઈ શકતો નથી, તેથી લોકારો સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. ત્યાં સિદ્ધાલયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિસુખમાં અનંત કાળ સુધી સ્વસ્વભાવ રમણતામાં સ્થિર રહે છે. આ સિદ્ધપદની આદિ એટલે શરૂઆત છે પણ અંત નથી, અનંત કાળ પર્યત તેની શાશ્વત સ્થિતિ છે, તેથી તેને સાદિ-અનંત સમાધિસુખથી પૂર્ણ સહજપદ કહ્યું છે. બૌદ્ધ દર્શનના ‘દીપક બુઝાઈ જવારૂપ' મોક્ષ કે વેદાંત દર્શનના ‘બહ્મમાં વિલીન થઈ જવારૂપ' મોક્ષ કે ન્યાય દર્શનના ‘જ્ઞાન ગુણના અભાવરૂપ' મોક્ષના ખ્યાલ કરતાં જૈન દર્શનનો મોક્ષ વિષેનો ખ્યાલ તદ્દન ભિન્ન છે. જૈન દર્શન અનુસાર કર્મબંધના હેતુ એવા આસવોના નિરોધરૂપ સંવર તેમજ નિર્જરા વડે કર્મનો સર્વથા ક્ષય થયા પછી જે સ્વભાવસિદ્ધ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે તેને મોક્ષ કહે છે. પુણ્ય કે પાપરૂપી કર્મોનો આત્મા સાથે સંબંધ થવાનાં નિમિત્તો અથવા કારણોને આસવ કહેવામાં આવે છે. મન, વચન અને શરીરના શુભ કે અશુભ વ્યાપારોથી કર્મનાં પુદ્ગલો જે લારથી આત્મામાં ખેંચાઈ આવે છે તે દ્વારનું નામ આસવ છે. કર્મનાં પુગલોનો આત્મા સાથે સંબંધ થવો તેને બંધ કહે છે. દૂધ અને પાણી Page #570 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - જૈન દર્શન ૫૩૭ જેવો કર્મનાં પુદ્ગલો અને આત્માનો સંયોગ થાય છે. કર્મથી યુક્ત આવા આત્માને બદ્ધ આત્મા કહે છે. - જ્યારે આ બદ્ધ આત્મા આસવના નિરોધરૂપ સંવર કરે છે, અર્થાત્ જે નિમિત્તોથી કર્મ બંધાય છે તે નિમિત્તોને રોકે છે અને પૂર્વે બંધાયેલાં કર્મોના ક્ષયરૂપ નિર્જરા કરે છે, ત્યારે તેની મોક્ષ તરફની ગતિ શરૂ થાય છે. જ્યારે કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે, જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તૂમડી ઉપરથી માટી નીકળી જતાં તે તૂમડી પાણીની ઉપર આવી જાય છે, તેમ આત્મા ઉપરનો કર્મરૂપી મેલ દૂર થતાં તે વિદેહમુક્ત બનેલ આત્મા સ્વતઃ સ્વભાવતઃ ઊર્ધ્વગતિ કરી, લોકાગે જઈ, અનંત કાળ સુધી મોક્ષસુખમાં બિરાજમાન થાય છે. (૨) મોક્ષ ઉપાય ‘જૈન' શબ્દથી જ સૂચવાતું જૈન ધર્મનું ખરું સ્વરૂપ એના આચાર વિષેના ઉપદેશમાં સમાયેલું છે. જૈન દર્શન માત્ર જ્ઞાન કે માત્ર ચારિત્ર ઉપર ભાર ન આપતાં બન્ને ઉપર એકસરખો ભાર આપે છે. આ બન્ને સાથે શ્રદ્ધાને ઉમેરી તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને “રત્નત્રય અથવા જીવનના ત્રણ અમૂલ્ય સિદ્ધાંતો ગણે છે. આ ત્રણમાંથી પ્રથમ સ્થાન સમ્યગ્દર્શનને અપાયું છે, કારણ કે સમ્યક્ ક્રિયા પણ મિથ્યાદષ્ટિ સહિત આચરવામાં આવે તો તેનું મૂલ્ય મોક્ષાર્થે નહીંવત્ છે. જૈન આગમોના ઉપદેશક તથા તેમના ઉપદેશમાં દઢ શ્રદ્ધા હોવી એનું નામ સમ્યગ્દર્શન, જેનો આશય ખાસ કરી આધ્યાત્મિક વિકાસમાં અવરોધક એવી શંકાઓને દૂર કરવાનો છે. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું જ્ઞાન એ સમ્યજ્ઞાન છે. જે શીખવવામાં આવ્યું હોય અને સાચું મનાયું હોય તેને આચારમાં મૂકવું તે સમ્યક્યારિત્ર છે અને તે જ જીવનઘડતરનું તેમજ મોક્ષસાધનાનું એક મહત્ત્વનું અંગ છે. મોક્ષરૂપી સાધ્યને સિદ્ધ કરવા માટે જૈન દર્શને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિને અનિવાર્ય માની છે. અનંત કાળથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ ત્રણ રત્નની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ આત્માના જ મૂળ ગુણો છે અને એ ગુણોનો સંપૂર્ણ વિકાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પરસ્પર સંબદ્ધ છે અને એમાંથી કોઈ પણ એકનો વિકાસ અધૂરો હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી. સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, સમ્યજ્ઞાન વિના સમ્મચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સમ્યક્રચારિત્ર વિના શેષ સકલ કર્મનો નાશ થઈ શકતો નથી અને સકલ કર્મોનો નાશ કર્યા વિના મોક્ષની - પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૧) સમ્યગ્દર્શન – સમ્યગ્દર્શનમાં ‘દર્શનનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં છે અને ‘સમ્યક' પદ વિપરીત અભિનિવેશ(ઊંધા અભિપ્રાય)નો નિષેધ કરવા માટે છે, એથી જીવાદિ તત્ત્વાર્થના વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શનને સમજાવવા માટે જિનાગમમાં જુદાં જુદાં સ્થાનો ઉપર જુદી જુદી પરિભાષાઓ આપી છે. જેમ કે - i) સાચા દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. ii) સ્વ-પરનું ભેદવિજ્ઞાન સમ્યગ્દર્શન છે. iii) આત્મશ્રદ્ધાન જ સમ્યગ્દર્શન છે. ઉપર્યુક્ત પરિભાષાઓ પ્રથમ દૃષ્ટિએ જોતાં અલગ અલગ પ્રતીત થાય છે, પરંતુ ઊંડાણથી વિચાર કરવામાં આવતાં બધાંનો એક જ અભિપ્રાય છે એમ સુપ્રતીત થાય છે. દરેક વ્યાખ્યામાં કોઈ એકને મુખ્યપણે લેવામાં આવ્યું છે, છતાં તેમાં ગૌણપણે બીજાં બધાં આવી જાય છે, કેમ કે તે બધાં પરસ્પર જોડાયેલાં છે. જેમ કે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વોમાં દેવગુરુ-ધર્મ આ પ્રમાણે ગર્ભિત થઈ જાય છે - મોક્ષતત્ત્વને પ્રાપ્ત આત્મા જ દેવ છે અને સંવર-નિર્જરાતત્ત્વને પ્રાપ્ત આત્મા જ ગુરુ છે તથા દેવ અને ગુરુની વાણી જ શાસ્ત્ર છે, એથી નવ તત્ત્વોનું સાચું સ્વરૂપ જાણવાથી દેવ-શાસ્ત્ર-ગુરુનું જ્ઞાન થઈ જાય છે. એ જ પ્રમાણે નવ તત્ત્વોમાં આત્મતત્ત્વ આવી જાય છે, એથી સ્વપરભેદજ્ઞાન અને આત્માનુભૂતિ પણ ગર્ભિતપણે તેમાં આવી જાય છે. મુક્તિના માર્ગમાં સમ્યગ્દર્શનનું સ્થાન સૌથી અધિક મહત્ત્વપૂર્ણ છે. મુક્તિમહેલની એ પ્રથમ સીડી છે. એના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ હોવાનું સંભવિત નથી. જે પ્રમાણે બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને લાગમ સંભવિત નથી; તે જ પ્રમાણે સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિ તથા ફલાગમ (મોક્ષ) સંભવિત નથી. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે. જે એનાથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. ૨) સમ્યજ્ઞાન – જ્ઞાન આત્માનો ગુણ છે. જાણવું એ તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન સહિતના જ્ઞાનને સમ્યજ્ઞાન અને મિથ્યાદર્શન સહિતના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. જ્ઞાનના સમ્યકુપણા અને મિથ્યાપણાનો નિર્ણય લૌકિક વિષયોની સામાન્ય જાણકારીની યથાર્થતા કે અયથાર્થતા ઉપર આધારિત નથી, પરંતુ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની ઉપસ્થિતિ ઉપર આધારિત છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૨ તાર્યશ્રદ્ધાને સખ્યનમ્ |’ Page #572 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - જૈન દર્શન પ૩૯ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જીવાદિ પદાર્થોનું અને વિશેષ કરીને આત્મહત્ત્વનું સંશય, વિપર્યય અને અનધ્યવસાયરહિત જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન વડે જ આત્મા પોતાનું હિત કે અહિત શામાં રહેલું છે તે જાણી શકે છે. સમ્યજ્ઞાન વડે આત્મા અશુભ કાર્યોથી નિવૃત્ત થાય છે અને શુભ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. સમ્યજ્ઞાન વડે આત્મા વિશુદ્ધ થાય છે અને દર્શન પણ દઢ થાય છે. સમ્યજ્ઞાન વડે જ આત્મા પોતાને જાણી શકે છે અને જે પોતાને જાણે છે તે સર્વ જગતને જાણે છે. જૈન ધર્મમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે - (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. ઇન્દ્રિયો અને મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના નિમિત્તથી તે પદાર્થના વિશેષ જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. શબ્દ દ્વારા અથવા સંકેત દ્વારા જે જ્ઞાન થાય, એટલે કે શાસ્ત્રાભ્યાસથી કે ગુરુ પાસેથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. ઇન્દ્રિયો અને મનના નિમિત્ત વિના અમુક અવધિમાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્કાર કરાવતું જ્ઞાન તે અવધિજ્ઞાન. બીજાનાં મનની પર્યાયોને પ્રત્યક્ષ કરનારું જ્ઞાન તે મનઃપર્યવજ્ઞાન. લોકાલોકનાં રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોની ત્રણે કાળની સર્વ ક્રમબદ્ધ પર્યાયોનું યુગપદ્ જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં જ જીવને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેને તે જ ભવમાં આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૩) સમ્યક્રચારિત્ર – સમ્યફચારિત્ર એટલે રાગ-દ્વેષરહિત થવાના પવિત્ર આચરણોનું અનુષ્ઠાન. મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત સમ્મચારિત્રની આવશ્યકતા છે. ક્રિયાવિહીન જ્ઞાન વ્યર્થ છે અને જ્ઞાનવિહીન ક્રિયા વ્યર્થ છે. સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રના સુયોગ વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે. તપ, ત્યાગ, સંયમ અને શીલરૂપી ચારિત્રનું પાલન કરવા માટે જૈન ધર્મમાં સાધુઓ અને શ્રાવકોના આચારો વિસ્તારપૂર્વક દર્શાવ્યા છે. ગણધર ભગવંતોએ આચારોના સ્વરૂપમાં વ્રતોનો સમાવેશ કર્યો છે. વ્રત એટલે વિચારણાપૂર્વક અમુક આચાર પાળવાનો પવિત્ર નિયમ. વ્રત પાળવાનો હેતુ મન તથા શરીરને સંયમમાં રાખવાનો તેમજ આધ્યાત્મિક માર્ગે જરૂરી એવા ચારિત્રનું ઘડતર કરવાનો છે. સાધુઓને સંપૂર્ણ ત્યાગરૂપી સર્વવિરતિ ચારિત્રનું અને ગૃહસ્થોને આંશિક ત્યાગરૂપી દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું હોય છે. સાધુઓએ પાલન કરવાનાં પાંચ મહાવ્રતો તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. એ પાંચ મહાવ્રતોનું પાલન સાધુઓ જેટલી સૂક્ષ્મતાથી કરી શકે તેટલી સૂક્ષ્મતાથી ગૃહસ્થો કરી શકે નહીં. એટલા માટે ગૃહસ્થ ધર્મને લક્ષમાં રાખી, એ મહાવ્રતોનાં Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પાલનમાં ગૃહસ્થો માટે થોડીક છૂટ મૂકવામાં આવી છે. ગૃહસ્થ પાળવાનાં એ પાંચ વતો અણુવ્રત તરીકે ઓળખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થો (શ્રાવકો)એ ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવતો એમ બધાં મળીને બાર વ્રતોનું પાલન કરવાનું હોય છે. સાધુઓએ અને ગૃહસ્થોએ પોતાનાં વ્રતોનું પાલન મન, વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રતો પાળવાનાં હોય છે. સર્વવિરતિ ચારિત્રનું પાલન કરનાર સાધુઓએ પંચ મહાવ્રતોનાં પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહ, બાર ભાવના, દસ યતિધર્મ ઇત્યાદિનું પાલન કરવું પણ આવશ્યક છે. સંપૂર્ણ કર્મક્ષય કરીને આત્મા મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. કેટલાક મહાન જીવાત્માઓ પુરુષાર્થ વડે ખૂબ ઊંચેની ભૂમિકા સુધી પહોંચે છે, પરંતુ પ્રમાદ, કષાય વગેરેના કારણે ફરી નીચેની ભૂમિકાએ આવી જાય છે. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ નીચામાં નીચા સ્તરથી મોક્ષપદપ્રાપ્તિ સુધીના માર્ગમાં અસંખ્ય ભૂમિકાઓ છે, જેનું મુખ્ય ૧૪ ભૂમિકામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને ગુણસ્થાનક અથવા ગુણશ્રેણી કહેવામાં આવે છે. આત્મશુદ્ધિના વિકાસક્રમના ૧૪ ગુણસ્થાન આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે – (૧) મિથ્યાત્વ ગુણસ્થાન -- આ ગુણસ્થાને વર્તતા જીવને દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયની પ્રબળતા હોવાના કારણે તેને આત્મતત્ત્વ તરફ રુચિ થતી નથી. (૨) સાસ્વાદન ગુણસ્થાન – સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી જીવ જો પતિત થાય છે તો પહેલા ગુણસ્થાને જતાં પહેલાં આ ગુણસ્થાને અલ્પ સમય માટે અટકે છે અને ત્યારે સમ્યગ્દર્શનના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા તે પ્રાપ્ત કરે છે. આમ, આ ગુણસ્થાન જીવના વિકાસના ચડતા ક્રમમાં નથી આવતું, પરંતુ પતનના ક્રમમાં આવે છે. (૩) મિશ્ર ગુણસ્થાન – મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતા પહેલાં આ ગુણસ્થાને જીવને વીતરાગકથિત ધર્મ પ્રતિ રાગ કે દ્વેષ બન્નેમાંથી એક પણ હોતા નથી. (૪) અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન – આ ગુણસ્થાને જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અહીં અનંતાનુબંધી કષાયનો વેગ નથી રહેતો, પણ ચારિત્રશક્તિને રોકનાર સંસ્કારોનો વેગ રહે છે, તેથી તે વિરતિ ગ્રહણ કરી શકતો નથી. (૫) દેશવિરતિ ગુણસ્થાન - સમ્યગ્દર્શનના બળે આગળ વધતા જીવને આ ગુણસ્થાને અલ્પાંશે વિરતિ ઉત્પન્ન થાય છે. એક પચ્ચખાણથી માંડીને ૧૨ અણુવ્રત અને શ્રાવકની ૧૧ પ્રતિમા સુધીમાંનું જેટલું પાળી શકે તેટલું તે આદરે છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - જૈન દર્શન ૫૪૧ (૬) પ્રમત્તસંયત ગુણસ્થાન – જીવ વૈરાગ્યમાં વધુ દૃઢ બનતાં આ ગુણસ્થાને સર્વવિરતિ ગ્રહણ કરે છે અને મુનિદશાનો પ્રારંભ થાય છે. અપ્રમત્ત રહેવાની ઇચ્છા છતાં તેને પ્રમાદ રહેતો હોવાથી આ ગુણસ્થાનને ‘પ્રમત્તસંમત' કહેવાય છે. (૭) અપ્રમત્તસંયત ગુણસ્થાન – આ ગુણસ્થાને જીવ પ્રમાદનો ત્યાગ કરે છે. જો કે પૂર્વસંસ્કારોને વશ થવાથી પ્રમાદ આવી જતાં ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. પુરુષાર્થ કરી પ્રમાદને હટાવતાં ફરી સાતમા ગુણસ્થાને આવે છે. આમ, તે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે ઝોલાં ખાય છે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાન - આ ગુણસ્થાને જીવ પૂર્વે કદી નહીં અનુભવેલો એવો આત્મશુદ્ધિનો અનુભવ કરે છે. અહીં તે બાદર કષાયથી નિવર્તે છે. આ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મના ઉપશમરૂપ ઉપશમશ્રેણી અથવા તેના ક્ષયરૂપ ક્ષપકશ્રેણીનો પ્રારંભ થાય છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન – આ ગુણસ્થાને સૂક્ષ્મ સંજ્વલન લોભ સિવાયની ચારિત્રમોહનીય કર્મની સર્વ પ્રકૃતિનો ઉપશમ અથવા ક્ષય થાય છે. (૧૦) સૂમસંપરાય ગુણસ્થાન – આ ગુણસ્થાને સૂક્ષ્મ સંજ્વલન લોભનો ઉપશમ અથવા ક્ષય થાય છે. (૧૧) ઉપશાંત મોહનીય ગુણસ્થાન – ઉપશમશ્રેણી માંડેલા જીવ માટે જ આ ગુણસ્થાન છે. અહીં ચારિત્રમોહનીયની સર્વ પ્રકૃતિઓ ઉપશાંત હોય છે, પરંતુ આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતાં મોહનીય કર્મનું જોર વધે છે, તેથી જીવનું અવશ્ય પતન થાય છે અને તે છકે, ચોથે અથવા પહેલે ગુણસ્થાને ઊતરી જાય છે. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન – આ ગુણસ્થાને મોહનીયની સર્વ પ્રકૃતિઓનો ક્ષય થયેલો હોય છે. અહીં જીવ અંતર્મુહૂર્ત કાળ પર્યત રહી, શેષ ત્રણ ઘાતી કર્મોનો - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય કરી આગળ વધે છે. (૧૩) સયોગી કેવળી ગુણસ્થાન – આ ગુણસ્થાને ચારે ઘાતી કર્મનો ક્ષય થયો હોવાથી આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય - આ અનંત ચતુષ્ટય પ્રગટે છે, પણ અહીં મન, વચન અને કાયાના યોગ રહ્યા હોવાથી તે ‘સયોગી કેવળી' કહેવાય છે. (૧૪) અયોગી કેવળી ગુણસ્થાન – આ ગુણસ્થાને મેરુ જેવી નિષ્કપ અવસ્થામાં રહેલ આત્મા પાંચ હ્રસ્વઅક્ષર (અ, ઈ, ઉ, 8, લુ) પ્રમાણકાળ રહી, ચારે અઘાતી કર્મનો ક્ષય કરી, એક સમયમાત્રમાં ઊર્ધ્વગતિએ સિદ્ધક્ષેત્રે જઈ સ્થિત થાય છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન (V) ઉપસંહાર જૈનોના તત્ત્વજ્ઞાનનાં વિભિન્ન પાસાંઓની નીચે પ્રમાણે ટીકા કરવામાં આવી છે. જૈન દર્શનના ‘સ્યાદ્વાદના સિદ્ધાંતની બૌદ્ધ દાર્શનિકો તથા શાંકરવેદાંતીઓએ બહુ કડક આલોચના કરી છે. તેમના મત મુજબ એક જ વસ્તુ એકી વખતે હોય પણ ખરી અને ન પણ હોય એમ બની શકે નહીં; જેનામાં આવા સંશયવાળા ધર્મો છે તેને સત્ય જ્ઞાનનું સાધન એવું ખરું પ્રમાણ જ કહી ન શકાય અને એવા સંદિગ્ધ પ્રમાણ ઉપર કશો પણ વ્યવહાર ચાલી શકે નહીં. જૈનોનો બહુતત્ત્વવાદ પણ અધૂરો સિદ્ધાંત છે એવો કેટલાકનો મત છે. તેમના મત પ્રમાણે વ્યાવહારિક અનુભવમાં તે સાબિત થતો હોવા છતાં આધ્યાત્મિક અનુભવની કક્ષાએ તે સાચો ઠરતો નથી. દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં ભેદમાં અભેદ એ પરમ સત્ય છે. જૈનો ભેદ ઉપર ભાર મૂકે છે અને અભેદ કે એકત્વને ભૂલી જાય છે. જૈનોએ વ્યાવહારિક પક્ષ ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને એમ કરવા જતાં આધ્યાત્મિક પક્ષ ભુલાઈ ગયો છે એમ કેટલાકનું માનવું છે. જૈન દર્શનમાં પુદ્ગલ અને જીવ વચ્ચે જે સંબંધ દર્શાવવામાં આવે છે તે સંતોષકારક નથી એમ કેટલાકને લાગે છે. સાંખ્યની જેમ અહીં પ્રકૃતિ તથા જીવોને તદ્દન પૃથક્ માન્યા નથી, તેમજ વેદાંતની જેમ તે બન્ને વચ્ચે યોગ્ય સંબંધ પણ સ્થાપી શકાયો નથી. જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત કાંઈક હદ ઓળંગી ગયો હોય એમ કેટલાકને લાગે છે. નૈતિક દષ્ટિએ આ સિદ્ધાંત શ્રેષ્ઠ છે; પરંતુ તેમાં અતિશયોક્તિ કરી દીધી છે. તેમના નૈતિક નિયમો ખૂબ જ કઠોર તથા અવ્યાવહારિક બની ગયા છે. વળી, જૈન દર્શનમાં નૈતિક ગુણોના સામાજિક પાસાં ઉપર પણ યોગ્ય ભાર મૂકવામાં આવ્યો નથી એમ કેટલાકનું માનવું છે. આમ છતાં, જૈન દર્શનનું ભારતીય દર્શનમાં એક આગવું અને મહત્ત્વનું સ્થાન છે. નાસ્તિક ચાર્વાકની જેમ જૈન દર્શન પણ વૈદિક ક્રિયાકાંડની નિરર્થકતા બતાવે છે. વેદશાસનનો તેણે ખુલ્લો વિરોધ કર્યો છે. આટલા પૂરતું જૈન દર્શન અને ચાર્વાક વચ્ચે સામ્ય છે. પરંતુ જૈન દર્શન માત્ર નિષેધાત્મક નથી, તેનો ઉદ્દેશ તો વિચારપૂર્વકનું એક વ્યવસ્થિત દર્શન ઉપજાવવાનો હતો, પરંતુ તેનું સ્વરૂપ અધ્યાત્મવાદી હોવાથી બૌદ્ધોની જેમ તેણે ચાર્વાકમતનો પરિહાર કર્યો. બૌદ્ધ તેમજ જૈન દર્શને સંયમ અને ત્યાગ વડે કર્મની શૃંખલા ભાંગવાનો ઉપદેશ આપ્યો તથા અહિંસા અને વૈરાગ્યનું પ્રતિપાદન કર્યું. પરંતુ બૌદ્ધ દર્શનની નીતિનો પાયો કાચો છે, કારણ કે તેણે શૂન્યવાદનો આશ્રય લીધો Page #576 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - જૈન દર્શન ૫૪૩ છે. બૌદ્ધ દર્શનના અનાત્મવાદની સખત આલોચના કરવામાં જૈન અને વેદાંત એક થઈ જાય છે. આત્મા અનાદિ-અનંત છે એવી વેદાંતની વાતમાં જૈન દર્શન સૂર પુરાવે છે, છતાં જૈન અને વેદાંતી એક નથી. વેદાંતનો ‘એકમેવ અદ્વિતીયવાદ' પણ જૈન દર્શનને માન્ય નથી. વેદાંતની આ માન્યતાના ખંડનમાં સાંખ્ય દર્શનની જેમ જૈન દર્શન પણ આત્માનું અનંતત્વ અને અનાદિત્વ સ્વીકારે છે અને આત્મા(પુરુષ)નું બહુતત્ત્વ સ્વીકારે છે. વળી, સ્વાધીન આત્માની સાથે વળગેલા એક વિજાતીય પદાર્થનું પણ અસ્તિત્વ સ્વીકારે છે. સાંખ્ય અને જૈન દર્શન અને વિજાતીય પદાર્થના વળગાડથી આત્માને છૂટો પાડવો તેને મોક્ષ કહે છે. પરંતુ સાંખ્ય દર્શનમાં શુદ્ધ પરિપૂર્ણ પરમાત્માને સ્થાન નથી. જૈનોના ઈશ્વર જગતના સખા નથી, પણ તે આદર્શરૂપ તો છે જ. આ બાબતમાં તેનામાં અને યોગ દર્શનમાં કિંચિત્ સામ્ય જણાય છે. જૈન દર્શને પણ વૈશેષિક દર્શનની જેમ પરમાણુ, દિશા અને કાળનું અનાદિ-અનંતપણું માન્યું છે. ન્યાય દર્શનની જેમ જૈન દર્શનમાં પણ તકદિ તત્ત્વોની છણાવટ જોવા મળે છે. સ્યાદ્વાદ અથવા સપ્તભંગીનું પ્રતિપાદન કરી યુક્તિવાદના ક્ષેત્રમાં જૈન દર્શન એક અનોખું સ્થાન મેળવે છે. ટૂંકમાં જૈન દર્શન એક સ્વતંત્ર દર્શન છે. તે હિન્દુ ધર્મની કે બૌદ્ધ ધર્મની શાખા નથી. વળી, જૈન દર્શન માત્ર એક સુવ્યવસ્થિત વિચારધારા જ નથી, પરંતુ તેથી વધુ, સંસારનાં બંધનો જેમણે તજી દીધાં છે એવા અનેક જીવોને આધ્યાત્મિક શાંતિ આપતી એક જીવનપ્રણાલી છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ Page #578 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય મહાત્મા બુદ્ધ ભારતવર્ષના મહાન ધર્મપુરુષોની પરંપરામાં એક અનોખું સ્થાન ધરાવનાર મહાન વિભૂતિ થઈ ગયા. જગતના વિરલ મહાન પુરુષ એવા મહાત્મા બુદ્ધમાં આધ્યાત્મિક ઊંડાણનો અને બૌદ્ધિક તર્કવૃત્તિના ડહાપણભર્યા સંયમનો સમન્વય જોવા મળે છે. ‘બોધિ' પ્રાપ્ત કર્યું હોવાથી તેઓ ભગવાન બુદ્ધ કહેવાયા. આ જ બોધિના આધારે બૌદ્ધ ધર્મ તથા બૌદ્ધ દર્શન સ્થપાયાં. મહાત્મા બુદ્ધ તાત્ત્વિક બાબતો કરતાં જીવનની વાસ્તવિક હકીકતો તરફ વિશેષ લક્ષ ખેંચે છે. તાત્ત્વિક પ્રશ્નો વિષે હદ બહારની ચર્ચા થવાથી સમાજમાં જે અરાજકતા ફેલાવા લાગી હતી, તેની સામે મહાત્મા બુદ્ધનો ઉપદેશ એક પ્રતિક્રિયારૂપ હતો. બૌદ્ધ દર્શન પ્રતીતિવાદ (phenomenalism) છે, કારણ કે મહાત્મા બુદ્ધના ઉપદેશ મુજબ માત્ર અનુભવગોચર વિષયોનું જ પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. તેને અનુભવવાદ (empiricism) પણ કહી શકાય, કારણ કે તેમના મત અનુસાર અનુભવ એ જ પ્રમાણ છે. બૌદ્ધ દર્શન વ્યવહારવાદી (pragmatic) છે. આ જગતમાં સર્વત્ર વ્યાપી રહેલા દુઃખમાંથી મુક્ત થવાની ચિંતા જ મહાત્મા બુદ્ધને સતાવતી હતી. જીવ, જગત તથા જગદીશને લગતા સનાતન, સૂક્ષ્મ, તાત્ત્વિક પ્રશ્નો ઉકેલવામાં તેમને રસ ન હતો. કઈ વસ્તુ સાધનામાં ઉપયોગી નીવડે તેવી છે એ જોવા તરફ જ તેમનું લક્ષ હતું. ઈ.સ. પૂર્વેના છઠ્ઠા સૈકાની ભારતની ધાર્મિક સ્થિતિ જ્યારે સંક્રાંતિ અનુભવી રહી હતી ત્યારે તે આ પરિસ્થિતિમાં વેદપરંપરાથી - આસ્તિક દર્શનોની પરંપરાથી અલગ કારુણ્યમૂર્તિ મહાત્મા બુદ્ધ સત્ય અને અહિંસાપ્રધાન ધર્મનું પ્રવર્તન કર્યું. ધાર્મિક ક્ષેત્રે આ એક નવીન ક્રાંતિનાં પગરણ હતાં. હિંસા, અસત્ય, વહેમ, અંધશ્રદ્ધા તથા રૂઢિગત કર્મકાંડનાં જે જાળાં બાઝયાં હતાં, તે દૂર કરવા ભગવાન મહાવીર ઉપરાંત મહાત્મા બુદ્ધ પણ ભગીરથ કાર્ય કર્યું હતું. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની નામના ઉપવનમાં ઈ.સ. પૂર્વે પ૬૩માં વૈશાખી પૂર્ણિમાને દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ માયાદેવી હતું. તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. રાજ્યના જાહોજલાલીયુક્ત પ્રાસાદમાં લગભગ ૨૯ વર્ષ સુધી Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તેમણે નિવાસ કર્યો. તેમને યશોધરા નામની પત્ની તથા રાહુલ નામે પુત્ર હતો. એક વખત વૃદ્ધ, રોગી, મૃત્યુ, પ્રવ્રજિતને જોઈને તેમના માનસ ઉપર બહુ ઊંડી અસર પડી અને તેમણે ગૃહસ્થજીવનનો ત્યાગ કર્યો. ગૃહત્યાગ કરીને તત્કાલીન સંતપુરુષો તથા દાર્શનિકોનો સમાગમ કરી, તેમની પાસે તેમણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. છ વર્ષ સુધી સત્યપ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી. દુષ્કર તપસ્યા કરવા છતાં તેઓ પરમ તત્ત્વ પામ્યા નહીં, આથી તેમણે બોધિની પ્રાપ્તિ માટે કોઈ અન્ય માર્ગ વિચાર્યો. કઠિન દેહદમનની વિવિધ પ્રક્રિયાઓથી કંટાળીને તેમણે મધ્યમ માર્ગનું અનુસરણ કર્યું. ઉરૂવેલા(ગયા)માં “બોધિ'ની પ્રાપ્તિ કર્યા પછી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. વારાણસીમાં પંચવર્ષીય ભિક્ષુઓને ઉપદેશ કર્યો. સારનાથમાં પ્રથમ ઉપદેશ આપી તેમણે ધર્મચક્રપ્રવર્તન' શરૂ કર્યું. તે પછી ૪૦ વર્ષ સુધી તેમણે ઉપદેશકાર્ય કર્યું. વૈશાલી નજીક કુસિનારા પાસે વૈશાખી પૂર્ણિમાના દિવસે ઈ.સ. પૂર્વે ૪૮૩માં ૮૦ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ પામ્યા. (૩) સાહિત્ય સંસારમાં જેટલા મોટા ધર્મો છે તેમના અનુયાયીઓ લગભગ એકસરખો મત ધરાવે છે કે પોતાનું ધર્મશાસ્ત્ર ઈશ્વરરચિત છે અથવા સર્વજ્ઞરચિત છે અથવા જરા પણ ભૂલચૂક વિનાની દિવ્ય વાણી છે. બૌદ્ધ સાહિત્ય વિષે વિચારતાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે મહાત્મા બુદ્ધે કોઈ ગ્રંથ લખ્યા ન હતા. તેમના નિર્વાણ પછી જે ગ્રંથ સંકલિત થયા હતા, તેમાંથી જ તેમના ઉપદેશ વિષે જાણવા મળે છે. બૌદ્ધ દર્શન વિષે જ્ઞાન મેળવવા માટે જે પ્રાચીન ગ્રંથોનો આધાર લેવો પડે છે તે મૂળ પાલી ભાષામાં લખાયેલા છે. પાલી ભાષા એ વખતે મગધ દેશની રાજ્યભાષા હતી. આ ગ્રંથો ઘણું ખરું સંવાદોના રૂપમાં છે. તેમાં કોઈ પદ્ધતિસરની પ્રકરણબદ્ધ વિષયવિચારણા કે ચર્ચા નથી, પરંતુ વિશેષતઃ રૂપકો અને આખ્યાયિકાઓ દ્વારા મહાત્મા બુદ્ધના વિચારો રજૂ થયા છે. સમય જતાં તેમના શિષ્યોએ તેના ઉપર વિસ્તૃત ટીકાઓ રચી છે. બૌદ્ધમતનું પ્રાચીનતમ કહી શકાય એવું સાહિત્ય ત્રણ વિશાળ ગ્રંથોમાં સંગ્રહાયેલું મળી આવે છે, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. પિટક એટલે ટોપલી અથવા પેટી. ત્રિપિટક એટલે ત્રણ ટોપલીઓ. આ ગ્રંથો મહાભારતથી પણ મોટા છે અને તેની શ્લોકસંખ્યા લગભગ ત્રણેક લાખની છે. આ ત્રણ પિટકો નીચે મુજબ છે – ૧) વિનય પિટક – તેમાં બૌદ્ધ સદાચારને લગતા નિયમો સંગ્રહાયેલા છે. બૌદ્ધ ભિક્ષુસંઘના નિયમો તેમાં છે. પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ, નાનાં-મોટાં પાપના નિવારણના ઉપાયો Page #580 -------------------------------------------------------------------------- ________________ તથા દોષોમાંથી છૂટવાના તેના ‘સુત્ત', ‘ખંદક' અને ષદર્શનપરિચય બૌદ્ધ દર્શન ૫૪૭ ઉપાયો વગેરેનું નિરૂપણ તેમાં કરવામાં આવ્યું છે. વળી, ‘પરિવાર’ એમ ત્રણ મુખ્ય વિભાગો છે. ૨) સુત્ત (સૂત્ર) પિટક તેમાં બૌદ્ધ કથાઓ અને વાર્તાઓનો સમાવેશ થાય છે. મહાત્મા બુદ્ધનાં વચનોનો તેમાં સંગ્રહ છે એમ મનાય છે. બૌદ્ધ ધર્મ તથા તત્ત્વજ્ઞાનને લગતા સિદ્ધાંતો તેમાં મળી આવે છે. આ ગ્રંથના આધારે જ બૌદ્ધ ધર્મના સારરૂપ ‘ધમ્મપદ’ગ્રંથ રચવામાં આવ્યો છે. સુત્ત પિટકના પણ ‘દીનિકાય', ‘મજિઝનિકાય', ‘સંયુતનિકાય’, ‘અંગુત્તરનિકાય' અને ‘ખુદકનિકાય' એમ પાંચ વિભાગો છે, બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ૩) અભિધમ્મ (ધર્મ) પિટક બૌદ્ધ સિદ્ધાંતોનું પાંડિત્યપૂર્ણ, તાત્ત્વિક અને અત્યંત બારીકાઈથી કરેલું વિગતવાર વર્ણન આ ગ્રંથોમાં જોવા મળે છે. તેના પણ સાત પેટા વિભાગો છે અને તેમાં વ્યાપક અર્થમાં ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ત્રિપિટક સાહિત્યને થેરવાદ અથવા સ્થવિરવાદ કહેવામાં આવે છે. પહેલી બૌદ્ધ પરિષદમાં વૃદ્ધોએ - સ્થવિરોએ બૌદ્ધ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો, તેથી તે ‘થેરવાદ’ કહેવાય છે. આ પિટકોનો સંગ્રહ ઈ.સ. પૂર્વે લગભગ ત્રીજી સદીમાં થયો હશે એવો વિદ્વાનોનો મત છે. આ ત્રિપિટક ગ્રંથો ઉપરાંત ‘મહાવર્ત' નામે બીજો ગ્રંથ છે, જેમાં બોધિસત્વનાં જીવનવૃત્તાંતો અને ૫૦૦ જેટલી જાતક એટલે વિવિધ બૌદ્ધ કથાઓ જોવા મળે છે. એ સિવાય ‘સદ્ધર્મપુંડરિક', ‘લલિતવિસ્તર' વગેરે સંસ્કૃત ગ્રંથો પણ છે. ‘મિલિન્દ પન્હો’(મિલિન્દ પ્રશ્નો) એ પણ મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં ગ્રીક સમ્રાટ મિનેન્ડર અને આચાર્યશ્રી નાગસેન વચ્ચેનો સંવાદ છે. તદુપરાંત બ્રાહ્મણમાંથી બૌદ્ધ બનેલા શ્રી બુદ્ધઘોષે રચેલો ગ્રંથ 'વિશુદ્ધ મગ્ન' (ઈ.સ. ૪૦૦) છે, જેમાં બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું વિગતવાર નિરૂપણ કરેલું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં જે બૌદ્ધમતનું વર્ણન આવે છે તે મોટા ભાગે હીનયાનને લગતું નથી, પરંતુ તે બૌદ્ધ દર્શનની બીજી મહાયાન શાખાના વિચારના રંગથી રંગાયેલું છે. (૪) સંપ્રદાયો બૌદ્ધ દર્શનના સંપ્રદાયો બે દૃષ્ટિએ વિભાજિત થાય છે ધાર્મિક સંપ્રદાયો અને દાર્શનિક સંપ્રદાયો. આ બન્નેને સંક્ષેપમાં જોઈએ ૧) બૌદ્ધમતના ધાર્મિક સંપ્રદાયો મહાત્મા બુદ્ધનો ઉપદેશ મહાત્મા બુદ્ધના નિર્વાણ પછી લગભગ બે સદી બાદ ગ્રંથસ્થ થયો. કાળક્રમે તેમાં ઘણી વિસંગતિઓ પ્રવેશી. આત્મસ્વરૂપ, નિર્વાણ, જગતની પ્રકૃતિ અંગેના મહાત્મા બુદ્ધના વિચારો વિષે ભારે મતભેદ ઊભા થયા. વિવિધ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતભેદોના નિરાકરણ અર્થે બૌદ્ધ સંઘની સભાઓ બોલાવવામાં આવી. ઈ.સ. પૂર્વે ૪૮૩માં આવી એક સભા (સંગીતિ) રાજગૃહમાં મળી હતી. ત્યારપછી ઈ.સ. પૂર્વે ૩૮૩માં બીજી એક સભા વૈશાલીમાં મળેલ. આ પરિષદમાં બૌદ્ધોના બે તડાં પડ્યાં. એક પક્ષે સ્થવિરોના વિચારોને માન આપ્યું. બીજા પક્ષે મહાસંઘના વિચારોને માન આપ્યું. સ્થવિરોના નિર્ણયો તે થેરવાદ (સ્થવિર શબ્દ ઉપરથી થેર) અને નવીનોના સંઘને અનુસરતા નિર્ણયો તે મહાસંઘના નિર્ણયો. થેરવાદને પાછળથી હીનયાન નામ આપવામાં આવ્યું અને મહાસંઘના નિર્ણયોને મહાયાન નામ મળ્યું. ઈ.સ. પૂર્વે ૨૫૦માં પાટલીપુત્ર ખાતે સમાટ અશોકના આશ્રયે જે ત્રીજી સભા મળી એ વખતે ઓછામાં ઓછા ૧૮ જેટલા બૌદ્ધ સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. આ વિભિન્ન સંપ્રદાયોમાંથી બે મુખ્ય સંપ્રદાયોને જોઈએ - (i) હીનયાન – “હીન' એટલે નાનું અને ‘યાન' એટલે માર્ગ અથવા વાહન. પાલી ભાષામાં રચાયેલા મૂળ ત્રિપિટકમાં જે ધર્મનો માર્ગ બતાવ્યો છે તેને માનનાર તે હીનયાન સંપ્રદાય. આ સંપ્રદાયના બૌદ્ધો ત્રિપિટક' સિવાયના ગ્રંથોને માન્ય રાખતા નથી. હીનયાની ભિક્ષુઓ પીળો ઝભ્ભો પહેરે છે, માથે મુંડન કરાવે છે અને જીવનનિર્વાહ ભિક્ષા દ્વારા ચલાવે છે. આ પંથના અનુયાયી મહાત્મા બુદ્ધને મહામાનવ ગણે છે, પરંતુ તેમને ઈશ્વર ગણીને પૂજતા નથી. મહાત્મા બુદ્ધના અવશેષો ઉપર સ્તૂપો રચી તેની પૂજા કરે છે, પણ મહાત્મા બુદ્ધની મૂર્તિની પૂજા કરતા નથી. હીનયાનીઓ માને છે કે નિર્વાણપ્રાપ્તિ માટે વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવાનો રહે છે. તેઓ સ્વાવલંબન ઉપર ભાર મૂકે છે. તેઓ પ્રાચીન બૌદ્ધ પરંપરાને ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોવાથી તેઓ રૂઢિવાદી છે. તેઓ મઠ અને વિહારના આશ્રમજીવન ઉપર વધુ ભાર મૂકે છે. આ પંથના અનુયાયી મુખ્યત્વે શ્રીલંકા, બ્રહ્મદેશ અને સિયામમાં જોવા મળે છે. (ii) મહાયાન – મહાયાન એટલે મોટું વાહન. ત્રિપિટકો ઉપરાંત કેટલાક ફેરફાર સહિત બીજા સંસ્કૃત ગ્રંથો ઉમેરાઈને જે યાન' બન્યું છે તે મહાયાન નામે ઓળખાય છે. આ મત મુજબ મહાત્મા બુદ્ધ હાલમાં દિવ્ય સ્વરૂપે સ્વર્ગમાં વાસ કરી રહ્યા છે અને જરૂર પડે ત્યારે માનવનો અવતાર પણ ધારણ કરે છે. સૌને માટે મોક્ષનો માર્ગ મોકળો થાય પછી જ મહાત્મા બુદ્ધ નિર્વાણનો સ્વીકાર કરશે. મહાયાન સંપ્રદાયના લોકો કલ્યાણ અને મુક્તિ માટે મહાત્મા બુદ્ધને પ્રાર્થના કરે છે અને મહાત્મા બુદ્ધ નિર્વાણપ્રાપ્તિ કરવામાં મદદરૂપ થતા હોવાથી વ્યક્તિએ બહુ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી એમ તેઓ માને છે. તેઓ સ્વાવલંબન કરતાં મહાત્મા બુદ્ધના અનુગ્રહ ઉપર વધુ ભાર મૂકે છે. આ પંથના અનુયાયી મુખ્યત્વે નેપાળ, તિબેટ, ચીન, જાપાન, કોરિયા અને Page #582 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન ૫૪૯ ફિલિપાઈન્સમાં જોવા મળે છે. આમ, હીનયાનનો સંબંધ આદર્શની શુદ્ધતા જોડે છે અને મહાયાનનો સંબંધ તેની ઉપયોગિતા જોડે છે. આ બન્ને સંપ્રદાયોને માટે નદીનું રૂપક પ્રયોજવામાં આવે છે. નદીનો પ્રવાહ તેના મૂળ પાસે સાંકડો હોય છે, પરંતુ તેનું જળ ખૂબ નિર્મળ હોય છે. તે જ્યારે પર્વતમાળાઓની નીચે ઊતરે છે ત્યારે તેમાં બીજા અનેક પ્રવાહો મળતા હોવાથી તેનો જળભંડાર વધે છે, પણ ક્રમશઃ તે મલિન પણ થતો જાય છે. આ જળપ્રવાહનો પહેલો ભાગ તે હીનયાન છે, તો બીજો ભાગ મહાયાન છે. સમગ્ર જળપ્રવાહ એ બૌદ્ધ ધર્મ છે. ૨) બૌદ્ધમતના દાર્શનિક સંપ્રદાયો શુષ્ક દાર્શનિક વિવાદોમાં મહાત્મા બુદ્ધને કિંચિત્ પણ રસ ન હતો. તેના પ્રત્યે તેઓ અત્યંત ઉદાસીન વલણ દાખવતા હતા તથા વિચાર કર્યા વગર કર્મો કરવાનો ઉપદેશ તેમણે તેમના અનુયાયીઓને કદી પણ આપ્યો ન હતો. તેઓ તો દલીલો વડે વસ્તુ સાબિત કરી આપતા. અંધવિશ્વાસને તેમણે કદાપિ અનુમોદન આપ્યું ન હતું. અનુભવ તથા દલીલોનો આશ્રય લઈ તેમણે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. દાર્શનિક ચર્ચાથી દૂર રહેવા છતાં પોતાના ઉપદેશમાં દુ:ખની ઉત્પત્તિ અને તેના નાશનો ઉપાય બતાવતાં તેમણે “ક્ષણભંગવાદ', “અનાત્મવાદ', 'પ્રતીત્યસમુત્પાદવાદ' જેવા સિદ્ધાંતો રજૂ કર્યા છે. મહાત્મા બુદ્ધનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ લોકોની વચ્ચે ન રહ્યું ત્યારે અને જેમ જેમ બૌદ્ધ ધર્મ વધારે વ્યાપક થતો ગયો અને બીજાઓ સાથે ચર્ચામાં ઊતરવાના પ્રસંગો પ્રાપ્ત થતા ગયા તેમ તેમ નવા સંપ્રદાયો ઊભા થતા ગયા. બૌદ્ધ ધર્મનો જેમ જેમ પ્રચાર થતો ગયો તેમ તેમ તેની કઠોર ટીકા પણ થતી ગઈ. તેથી બૌદ્ધ પ્રચારકોએ પોતાના ધર્મની રક્ષા કરવા માટે તથા અન્યને પોતાના ધર્મ પ્રતિ આકૃષ્ટ કરવા માટે મહાત્મા બુદ્ધના મતોનું પરિવર્ધન અને પરિપોષણ કરવું આવશ્યક માન્યું. પાછળથી બૌદ્ધ સિદ્ધાંતોનો વિકાસ મુખ્યત્વે બુદ્ધિવાદના ધોરણ ઉપર થયો. જેના પરિણામે દાર્શનિક શાખાઓ અસ્તિત્વમાં આવી. તેમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ ચાર શાખાઓનું વિશેષ મહત્વ છે - (i) વૈભાષિક (બાહ્યપ્રત્યક્ષવાદ) (ii) સૌત્રાંતિક (બાહ્યાનુમેયવાદ) (iii) યોગાચાર (વિજ્ઞાનવાદ) (iv) માધ્યમિક (શૂન્યવાદ) દાર્શનિક માન્યતાની દૃષ્ટિએ આ ચાર શાખાઓનું વિશેષ મહત્વ હોવાથી હિંદુ Page #583 -------------------------------------------------------------------------- ________________ પપ૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ધર્મગ્રંથોમાં આ ચાર મતની ચર્ચા આવે છે. તેમાં પણ એ ગ્રંથોમાં જ્યારે સુગમત એવા સામાન્ય નામથી નિર્દેશ કરવામાં આવે છે ત્યારે સર્વાસ્તિવાદીનો નિર્દેશ થતો જણાય છે. સર્વાસ્તિવાદી એ થેરવાદીનું બીજું નામ છે, જેમાં વૈભાષિક તથા સૌત્રાંતિક શાખાઓ સમાય છે. - બૌદ્ધ દર્શનની જે ચાર શાખાઓ પડી છે તેની પાછળ મુખ્યતઃ બે પ્રશ્નો રહેલા છે - i) અસ્તિત્વ સંબંધી તથા ii) જ્ઞાન સંબંધી. i) અસ્તિત્વ સંબંધી પ્રશ્ન એ છે કે કયા પ્રકારની સત્તા(reality)નું અસ્તિત્વ છે? માનસિક અથવા બાહ્ય કોઈ વસ્તુ છે કે કેમ? વૈભાષિકો તથા સૌત્રાંતિકો એમ માને છે કે માનસિક તથા બાહ્ય બધી વસ્તુઓ સત્ય છે, યોગાચારમતવાદીઓ માત્ર માનસિક અવસ્થાઓને સત્ય માને છે અને બાહ્ય પદાર્થોનાં અસ્તિત્વનો ઇન્કાર કરે છે. માધ્યમિકો અનુસાર માનસિક કે બાહ્ય કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી, બધું શૂન્ય છે. ii) જ્ઞાન સંબંધી પ્રશ્ન એ છે કે બાહ્ય વસ્તુઓનાં જ્ઞાન માટે શું પ્રમાણ છે? વૈભાષિકોનું માનવું છે કે બાહ્ય વસ્તુઓનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થાય છે, જ્યારે સૌત્રાંતિકોનું માનવું છે કે બાહ્ય વસ્તુઓનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા નહીં પણ અનુમાન દ્વારા થાય છે. યોગાચારો તથા માધ્યમિકો બાહ્ય વસ્તુઓની સત્તા સ્વીકારતા જ નથી. આમ, બૌદ્ધ દર્શનની ચાર મુખ્ય શાખાઓ “અસ્તિત્વ તથા જ્ઞાનના પ્રશ્નના વિભિન્ન ઉત્તરો આપે છે. (i) વૈભાષિક (બાહ્યપ્રત્યક્ષવાદ) – આ સંપ્રદાયનો સર્વમાન્ય ગ્રંથ “અભિધર્મ જ્ઞાન પ્રસ્થાન' છે. મહાત્મા બુદ્ધના નિર્વાણના આશરે ૩૦૦ વર્ષ પછી આ ગ્રંથની રચના થઈ હતી. રાજા કનિષ્કના સમયમાં જ્યારે ચોથી બૌદ્ધ સંગીતિ મળી ત્યારે આ ગ્રંથ ઉપર ‘અભિધમ વિભાષા શાસ્ત્ર' નામે એક ભાષ્ય ગ્રંથની રચના થઈ. આ વિભાષા ગ્રંથના આધારે જ આ સંપ્રદાય “વૈભાષિક' કહેવાય છે. બુદ્ધનિર્વાણ પછી ત્રીજી સદીમાં કાશ્મીરમાં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આ મતના પ્રતિષ્ઠાતા (ઈ.સ.ની ત્રીજી સદી) આચાર્યશ્રી વસુબંધુરચિત “અભિધર્મ કોશ’ એ કાશ્મીર વૈભાષિકોની પરમ આદરણીય, પ્રામાણિક તથા મૌલિક રચના ગણાય છે. (આચાર્યશ્રી વસુબધુ પોતે જીવનના પ્રારંભકાળમાં વૈભાષિક હતા, પરંતુ પાછળથી પોતાના મોટાભાઈ અસંગના ઉપદેશતળે તેઓ ૧- ઉપર જણાવેલા ચાર દાર્શનિક મતોમાંથી પ્રથમ બે, એટલે કે વૈભાષિક તથા સૌત્રાંતિક તે બૌદ્ધ ધર્મની હીનયાન શાખામાંથી અને યોગાચાર તથા માધ્યમિક તે બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાંથી પ્રતિપાદિત થયેલા છે. અહીં એ વાતનું સ્મરણ રાખવું આવશ્યક છે કે હીનયાન તથા મહાયાન અંતર્ગત બીજી અનેક શાખાઓ પણ છે. હીનયાનની મુખ્ય ૨૧ શાખાઓ તથા મહાયાનની મુખ્ય ૮ શાખાઓ છે. જાપાનમાં મહાયાનની ૨૫ જેટલી જુદી જુદી શાખાઓ થઈ, જેમાં ઝેન તથા નિચિરેન વધુ જાણીતી છે. તેમાં પણ ઝેન શાખા વધુ પ્રસિદ્ધ છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ બદર્શનપરિચય - બૌદ્ધ દર્શન વિજ્ઞાનવાદી બની ગયા હતા.) (ii) સૌત્રાંતિક (બાહ્યાનુમેયવાદ) આ સંપ્રદાયને સૌત્રાંતિક એટલા માટે કહેવામાં આવે છે કે તેના મુખ્ય આધાર તરીકે તેઓ ‘સૂત્ર પિટક’નો સ્વીકાર કરે છે. ‘અભિધર્મ પિટક' બુદ્ધરચિત ન હોવાથી તેઓ તેને પ્રમાણભૂત માનતા નથી. મૂળ તો તેઓ પણ વૈભાષિકોની સાથે સર્વાસ્તિવાદમાં જ સમાવેશ પામ્યા હતા, પરંતુ સમય જતાં દૃષ્ટિકોણ બદલાવાના કારણે તેઓ વૈભાષિકોથી અલગ પડી ગયા. ત્રિપિટકોમાંથી માત્ર ‘સૂત્ર પિટક'ને જ તેઓ આધારભૂત માને છે. બુદ્ધનિર્વાણ પછી ચોથી સદીમાં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આ મતના પ્રતિષ્ઠાતા આચાર્યશ્રી કુમારલાત હતા. તેમણે ‘કલ્પના મÎિતિકા' નામની કૃતિ રચી હતી. આ મતના અન્ય પ્રધાન આચાર્યો તરીકે શ્રીલાત, શ્રી ધર્મપ્રાત, શ્રી વસુમિત્ર તથા શ્રી યશોમિત્રને માનવામાં આવે છે. — (iii) યોગાચાર (વિજ્ઞાનવાદ) ‘યોગાચાર’શબ્દના બે અર્થ ઘટાવી શકાય છે. એક તો એ કે આલય વિજ્ઞાનના અસ્તિત્વનું પ્રતિપાદન કરવા માટે યોગાચારના અનુયાયીઓ યોગમાર્ગનું આચરણ કરતા હતા, અર્થાત્ બાહ્ય જગતની કાલ્પનિકતાને સમજવા માટે તેઓ યોગનો અભ્યાસ કરતા હતા. બીજું કારણ એ હોઈ શકે કે યોગાચારના અનુયાયીઓની બે વિશેષતાઓ હતી યોગ તથા આચાર. અહીં ‘યોગ' એટલે જિજ્ઞાસા અને ‘આચાર' એટલે સદાચાર એવો અર્થ પણ ઘટાવવામાં આવે છે. ‘વિજ્ઞાનવાદ’ શબ્દ દ્વારા તેની તાત્ત્વિક માન્યતાઓ સ્પષ્ટ થાય છે. બુદ્ધનિર્વાણ પછી આઠમી સદી (ઈ.સ.ની ત્રીજી સદી)માં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આ મતની સ્થાપના આચાર્યશ્રી મૈત્રેયનાથે કરી હતી. તેની આચાર્યપરંપરામાં શ્રી અસંગ, શ્રી વસુબંધુ, શ્રી સ્થિરમતિ, શ્રી હિંગનાગ, શ્રી શંકરસ્વામી, શ્રી ધર્મપાલ, શ્રી ધર્મકીર્તિ વગેરે અનેક મહાન આચાર્યો થઈ ગયા છે. - ૫૫૧ - (iv) માધ્યમિક (શૂન્યવાદ) આ સંપ્રદાયને માધ્યમિક' કહેવામાં આવે છે, કારણ કે આ મત એકાંતિક મતોથી ભિન્ન છે. તે વસ્તુઓને ન તો સર્વથા નિરપેક્ષ તથા આત્મનિર્ભર માને છે, કે ન તો તેને તદ્દન અસત્ય માને છે; પરંતુ તે વસ્તુઓના અન્ય ઉપર આધારિત અસ્તિત્વને માને છે. ભાવ અને અભાવ એવા બે છેડાથી રહિત બધા સ્વભાવની અનુત્પત્તિના લક્ષણવાળી શૂન્યતા તે મધ્યમા પ્રતિપદ કે મધ્યમ માર્ગ છે. અન્ય ઉપર આધારિત હોવાના કારણે વસ્તુઓનું સ્વરૂપ અવર્ણનીય રહે છે. નિશ્ચિતપણે એમ કહી શકાતું નથી કે વસ્તુ સત્ય છે કે અસત્ય છે, આથી મધ્યમ માર્ગનું ગ્રહણ જરૂરી થઈ પડે છે. ઉત્તમ બુદ્ધિના અભાવે ગુરુના શિક્ષણમાં પરિપ્રશ્ન નહીં કરનારા હોવાથી મધ્યમ બુદ્ધિવાળા કહેવાય છે. મહાત્મા બુદ્ધના નિર્વાણ પછી પાંચમી સદીમાં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આચાર્યશ્રી નાગાર્જુન આ મતના પ્રવર્તક હતા. તેમની Page #585 -------------------------------------------------------------------------- ________________ પપર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ‘માધ્યમિક કારિકા' નામની કૃતિ આ મતની આધારશીલા ગણાય છે. આ મતના અન્ય આચાર્યોમાં શ્રી આર્યદેવ, શ્રી બુદ્ધપાલિત, શ્રી ચંદ્રકીર્તિ, શ્રી શાંતિદેવ, શ્રી શાંતરક્ષિતનું નામ લેવામાં આવે છે. શ્રી અશ્વઘોષ પણ શૂન્યવાદના સમર્થક હતા. (II) પ્રમાણમીમાંસા બૌદ્ધમત પ્રત્યક્ષ અને અનુમાનજન્ય જ્ઞાનને જ પ્રમાણ કહે છે. આથી પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રકારના પ્રમાણો તેઓ સ્વીકારે છે. આ બન્ને પ્રમાણો દ્વારા સમ્યજ્ઞાન થાય છે અને તે વડે જ સર્વ પુરુષાર્થની સિદ્ધિ થાય છે એવો તેમનો મત છે. ચાર્વાકમતવાદીઓ માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે. જ્યારે બૌદ્ધમતવાદીઓ પ્રત્યક્ષ ઉપરાંત અનુમાનને પણ પ્રમાણભૂત, એટલે કે વિપરીત નહીં એવા અવિસંવાદી જ્ઞાન તરીકે સ્વીકારે છે. પ્રત્યક્ષ વિષયથી જે ભિન્ન તે બધો પરોક્ષ વિષય છે. એટલે વિષયમાત્રનું વૈવિધ્ય જ થયું અને વિષયકૈવિધ્ય થયું એટલે જ્ઞાન પણ દ્વિધા જ થાય, ન્યૂનાધિક થાય નહીં. જે પરોક્ષાર્થવિષયક પ્રમાણભૂત જ્ઞાન છે, તે પોતાથી સાધવાનો જે ધર્મી, તેની સાથે સંબંધિત એવા અન્ય ધર્મથી સામાન્ય પ્રકારે કરીને થાય છે અને એમ તે પરોક્ષાર્થની પ્રતિપત્તિ કરાવે છે. એ જ્ઞાન અનુમાનમાં સમાય છે. એટલે પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ સિદ્ધ છે. બૌદ્ધમત પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાનનું ક્ષેત્ર પરસ્પર તદ્દન ભિન્ન હોવાથી પ્રત્યક્ષનો વિષય એ અનુમાનનો વિષય બની શકતો નથી તથા અનુમાનનો વિષય એ પ્રત્યક્ષનો વિષય બની શકતો નથી. વળી, બૌદ્ધો આ બન્ને સિવાય અન્ય કોઈ પ્રમાણ સ્વીકારતા નથી. તેમના મત અનુસાર પ્રત્યક્ષપ્રમાણ સિવાયનાં બધાં પ્રમાણ જેવાં કે ઉપમાન, શબ્દ, અભાવ, યુક્તિ, સંભવ વગેરે બધાં એક કે બીજા રૂપમાં અનુમાન ઉપર જ આધારિત છે. તેથી પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ છે એમ તેમનું કહેવું છે. બૌદ્ધમત અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન કલ્પના તથા ભાંતિથી રહિત હોય છે. પ્રત્યક્ષ જ્ઞાનના ચાર પ્રકાર છે – (૧) ઇન્દ્રિયજ્ઞાન – જે ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થાય છે. (૨) મનોવિજ્ઞાન – મનોવિજ્ઞાન વિષય તથા વિજ્ઞાન એમ બન્ને દ્વારા ઉત્પન્ન થાય છે. (૩) આત્મસંવેદના – ચિત્ત તથા સુખ-દુઃખ વગેરેનું પોતાના સ્વરૂપમાં પ્રગટ થવું તે. આ આત્મસાક્ષાત્કારી, નિર્વિકલ્પ તથા અભાંત જ્ઞાન છે. (૪) યોગિજ્ઞાન – પ્રમાણો દ્વારા ઇષ્ટ અર્થનું ચરમ સીમા સુધીનું જ્ઞાન થાય છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન ૫૫૩ અનુમાનના બે પ્રકાર છે - ૧) સ્વાર્થ અનુમાન, ૨) પરાર્થ અનુમાન. લિંગ પ્રથમ અનુમેયમાં રહે છે. જેમ કે ‘ટેકરી ઉપર અગ્નિ છે.' અહીં ટેકરી લિંગ છે અને આગ અનુમેય છે. એ લિંગ પક્ષ ઉપરાંત સપક્ષ (દા.ત. રસોડું)માં પણ રહે છે, પરંતુ વિપક્ષ (દા.ત. જળાશય)માં રહેતું નથી. અનુમેયત્રિરૂપલિંગ વડે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને સ્વાર્થાનુમાન કહે છે. સ્વાર્થાનુમાન એ જ્ઞાન છે, જ્યારે પરાર્થાનુમાન એ કથન છે. અનુપલબ્ધિ, સ્વભાવ તથા કાર્ય એ 'ત્રિરૂપલિંગ'ના કથનને પરાર્થાનુમાન કહેવાય છે. (i) અનુપલબ્ધિ – કોઈ વસ્તુનું ન મળવું તે અનુપલબ્ધિ છે. દા.ત. કોઈ એક સ્થાન ઉપર સ્વભાવતઃ ઘટની ઉપલબ્ધિનું લક્ષણ પ્રાપ્ત થવા છતાં ત્યાં તેની અનુપલબ્ધિ છે, અર્થાત્ ‘ઘટ ત્યાં નથી.' અહીં અનુપલબ્ધિ હેતુના કથન દ્વારા અનુમાન કરેલું છે. (i) સ્વભાવ સ્વસત્તામાત્રભાવી સાધ્યમાં જે હેતુ છે તેને સ્વભાવહેતુ કહે છે, અર્થાત્ જે હેતુ અન્ય હેતુની અપેક્ષા રાખતો નથી. દા.ત. “આ પશુ છે, કારણ કે તે ગાય છે. અહીં ગાયનું હોવું એ જ એનું પશુપણાનું હોવાપણું છે. iii) કાર્ય – સાધ્યનું કાર્ય (પરિણામ) જોઈને તેની ઉપલબ્ધિનું અનુમાન કરવું તે. જેમ કે “અહીં અગ્નિ છે, કારણ કે અહીં ધુમાડો છે.' આ વાક્યમાં ધુમાડો એ કાર્યમાં અગ્નિ એવા સાધ્યનું અનુમાન થાય છે. આ ત્રણે હેતુઓમાં સ્વભાવ અને કાર્ય વસ્તુની ઉપસ્થિતિ દર્શાવે છે તથા અનુપલબ્ધિ વસ્તુની અનુપસ્થિતિ દર્શાવે છે. પરાર્થાનુમાનના પણ અપક્ષ અને વિપક્ષની જેમ સાધર્મવતું અને વૈધર્મવતું એવા બે ભેદ છે. અહીં ભાર પ્રયોગ ઉપર છે, અર્થભેદ ઉપર નહીં. (III) તત્ત્વમીમાંસા (૧) આત્મા વિષે વિચાર પ્રતીત્યસમુત્પાદવાદના ટેકેદાર હોવાથી મહાત્મા બુદ્ધ પરિવર્તનશીલ દષ્ટ ધર્મો સિવાય કોઈ અદૃષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મત પ્રમાણે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે. તેઓ સમગ્ર જગતને પરિવર્તનશીલ માને છે અને નિત્ય બદલાતાં જતાં દ્રવ્યો કે પદાર્થોથી ભિન્ન એવું કોઈ સ્થિર કે સ્થાયી આત્મતત્ત્વ છે એમ માનતા નથી. તેમના મત પ્રમાણે જેને જીવાત્મા કહેવામાં આવે છે તે તો એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ છે. તે કોઈ નિત્ય અને અચળ વસ્તુ નથી. જીવન એ વિભિન્ન, ક્રમબદ્ધ અને અવ્યવહિત અવસ્થાઓનો એક પ્રવાહમાત્ર છે. જીવનની એકસૂત્રતાને તેમણે જલતા દીપક સાથે સરખાવી છે, કારણ કે દીવાની જ્યોત Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પણ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે. આ દૃશ્યમાન જગતની બધી જ વસ્તુઓ વિનાશશીલ છે. જેને ‘આત્મા' કહેવામાં આવે છે એવું કોઈ સ્થિર કે નિત્ય તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. મહાત્મા બુદ્ધ ચેતનાની જુદી જુદી અવસ્થાઓનો સ્વીકાર કર્યો છે, પણ કોઈ સ્થાયી ચૈતન્યતત્ત્વનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી, તેથી તેમના મતને અનાત્મવાદ અથવા નૈરાત્મવાદ કહે છે. જડ પદાર્થનો વિકાર એ ચૈતન્ય નથી એ વાતમાં જૈનોની સાથે બૌદ્ધો સહમત થાય છે, પણ જૈનોની જેમ બૌદ્ધો આત્મા નામના એક સદુપદાર્થનું અસ્તિત્વ માનતા નથી. તેઓ કહે છે કે પ્રત્યેક પળ વિજ્ઞાનનો ઉદય અને વળી લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કોઈ સ્થાયી સતુપદાર્થ નથી. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે, તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમૂહની અંદર પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી કોઈ વસ્તુ છે નહીં. બૌદ્ધમત મુજબ અન્ય જેને આત્મા કહે છે તે પાંચ વિભાગો અથવા સ્કંધોનો બનેલો છે. તે આ પ્રમાણે છે – ૧) રૂપ સ્કંધ (matter) – હલન-ચલનની શક્તિઓવાળું અને ઇન્દ્રિયોના સમૂહરૂપી શરીર તે રૂપ સ્કંધ છે. રૂ૫ અંધ શબ્દ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે સમસ્ત ભૂત - ભૌતિક શેય પદાર્થો. ૨) વિજ્ઞાન સ્કંધ (reason, consciousness) – ‘છું' એવું જ્ઞાન તથા પાંચ ઇન્દ્રિયોથી જન્ય રૂપ, રસ, ગંધ આદિ વિષયોનું જ્ઞાન, એ બન્ને જ્ઞાન વિજ્ઞાન સ્કંધ દ્વારા કહેવામાં આવે છે. વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક નિર્વિચાર વિષયાકાર જ્ઞાન. ૩) વેદના સ્કંધ (feeling) – બાહ્ય વસ્તુનું જ્ઞાન થતાં ચિત્તની જે વિશેષ અવસ્થા થાય છે તે જ વેદના સ્કંધ છે. વેદના ત્રણ પ્રકારની હોય છે - સુખ, દુઃખ તથા ન સુખ - ન દુઃખ. ૪) સંજ્ઞા સ્કંધ (perception) - સવિકલ્પક જ્ઞાનનું નામ સંજ્ઞા સ્કંધ છે. જ્યારે કોઈ વસ્તુને નામ, જાતિ, ગુણ, ક્રિયા આદિથી સંયુક્ત કરીને તેનું જ્ઞાન કરવામાં આવે છે તો તે સંજ્ઞા સ્કંધ કહેવાય છે. ૫) સંસ્કાર સ્કંધ (mental dispositions) – સૂક્ષ્મ માનસિક પ્રવૃત્તિને સંસ્કાર કહેવાય છે. રાગાદિ ક્લેશ, મદ-માનાદિ ઉપક્લેશ અને ધર્મ-અધર્મ એ સર્વ સંસ્કાર સ્કંધની Page #588 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન ૫૫૫ અંતર્ગત છે. સંસ્કાર સ્કંધ એ પૂર્વાનુભવે પાડેલા સંસ્કારો છે. ઉપર જણાવેલ રૂપાદિ પાંચે સ્કંધોનો સંઘાત, અર્થાત્ સમૂહ એ જ આત્મા છે. આ સંઘાતથી ભિન્ન કે એની અંદર ગર્ભિતપણે રહેલું બીજું કોઈ તત્ત્વ નથી એમ બૌદ્ધમતાનુયાયીઓ માને છે. આમ, આત્મા પણ અમુક શારીરિક અને માનસિક અવયવોના સંઘાત અથવા સમૂહને ઓળખવાની સંજ્ઞામાત્ર છે. પરિવર્તન પામતાં આ શરીર અને મનનું જે સાતત્ય - fluid continuity છે એનું નામ જ આત્મા છે અને એ જ મનુષ્યજીવન છે. (૨) વિશ્વ વિષે વિચાર શાશ્વતવાદ મુજબ વસ્તુ નિત્ય છે અને તે અનાદિ-અનંત છે. તેનું ન તો કોઈ કારણ છે, ન તો તે કોઈ વસ્તુ ઉપર આધારિત છે. ઉચ્છેદવાદ (વિનાશવાદ) અનુસાર વસ્તુનો નાશ થઈ ગયા પછી તેનું કાંઈ પણ બાકી રહેતું નથી. મહાત્મા બુદ્ધ આ બન્ને એકાંતિક મતોનો ત્યાગ કરી વચલો માર્ગ ગ્રહણ કરે છે. આ મત પ્રતીત્યસમુત્પાદવાદના નામે ઓળખાય છે. આ નિયમ મુજબ કોઈ એક વસ્તુની હાજરીથી બીજી કોઈ વસ્તુની ઉત્પત્તિ થાય છે. વસ્તુઓ છે તેમાં કાંઈ શંકા નથી, પણ તે નિત્ય નથી, તેની ઉત્પત્તિ બીજી વસ્તુઓમાંથી થાય છે. પરંતુ સાથે સાથે એ પણ જોવાનું છે કે વસ્તુઓનો સંપૂર્ણ નાશ પણ થતો નથી. તેનું કેટલુંક કાર્ય કે પરિણામ અવશ્ય બાકી રહી જાય છે. આ નિયમ સાર્વત્રિક છે, તેમાં કશા અપવાદને સ્થાન નથી. આ સિદ્ધાંત ન તો પૂર્ણ નિત્યવાદને ટેકો આપે છે કે ન તો પૂર્ણ ઉચ્છેદવાદને ટેકો આપે છે. પ્રતીત્યસમુત્પાદવાદનું સૂક્ષ્મ રૂપ એ જ ક્ષણિકવાદ અથવા ક્ષણભંગવાદ છે. આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. જગતની બધી જ વસ્તુઓની સત્તા માત્ર ક્ષણભર ટકી રહેવાવાળી છે. બીજી જ ક્ષણે તેનો નાશ થઈ જાય છે. “સંયુત્તનિકાય'માં કહ્યા પ્રમાણે પ્રત્યેક વસ્તુ પરિવર્તનશીલ છે. પ્રત્યેક વસ્તુ સત્ (being) છે, તે એક અતિવાદ છે અને પ્રત્યેક વસ્તુ અસત્ (non-being) છે, તે બીજો અતિવાદ છે. મહાત્મા બુદ્ધે આ બન્ને મતનો ઇન્કાર કર્યો અને દર્શાવ્યું કે આ વિશ્વ (અને મનુષ્ય સુધ્ધાં) પરિવર્તન પામતી પ્રક્રિયાઓ (becoming) છે. પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ બદલાય છે અને તેથી જગતના સર્વ પદાર્થો અનિત્ય અથવા પરિવર્તનશીલ છે. પ્રત્યેક વસ્તુ એક ક્ષણે જેવી હોય છે તેવી જ બીજી ક્ષણે હોતી નથી, અર્થાત્ પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ બદલાતી રહે છે. ક્ષણિકવાદના ટેકામાં દલીલો રજૂ કરતાં બૌદ્ધો કહે છે કે જે વસ્તુ સસલાનાં શીંગડાંની માફક સર્વથા અસતું હોય, તેમાંથી કોઈ ઉત્પત્તિ કે નાશ થવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એક વસ્તુમાં એક ક્ષણે એક જ કાર્ય (પરિણામ) ઉત્પન્ન થઈ શકે અને બીજી ક્ષણે બીજું કાર્ય ઉત્પન્ન થાય. દા.ત. કોઈ Page #589 -------------------------------------------------------------------------- ________________ પપ૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બીજ હોય તે એક ક્ષણે છોડને જન્મ આપે અને બીજી ક્ષણે તેમાં થોડી વૃદ્ધિ થાય છે. બીજી ક્ષણે તેની પહેલાંની ક્ષણ તો સમાપ્ત થઈ ગઈ હોય છે. એનો અર્થ એ થયો કે વિકાસની ક્રિયામાં કોઈ પણ બે ક્ષણો એક જેવી હોતી નથી. પ્રત્યેક ક્ષણ ભિન્ન છે અને ક્ષણે ક્ષણે ભિન્ન કાર્ય કરે છે. તેથી અસ્તિવાદ કે નાસ્તિવાદ બેમાંથી એકે સત્ય નથી. કેવળ પરિવર્તન જ સત્ય છે. મહાત્મા બુદ્ધના મત પ્રમાણે તત્ત્વ નિરંતર ગતિમાન અને પરિવર્તનશીલ છે. નિરંતર પરિવર્તન થાય છે, પણ સાથે સાથે જેનું પરિવર્તન થતું હોય એવો કોઈ પદાર્થ નથી. જેને પદાર્થ કહેવામાં આવે છે તે પ્રત્યેક કેવળ અક્કેકી ધારા છે. એકસરખી અનેક વસ્તુઓ કે ઘટનાઓની પરંપરા છે. અને એને વિષે સ્થિરતાના જે ખ્યાલ છે તે સર્વથા કલ્પિત છે. જગત એ અક્કેકો પ્રવાહ (સંતાન) છે. ઉદાહરણ તરીકે - ‘નિરંતર વહ્યું જતું પાણીનું ઝરણું' અથવા તો ‘જાતે પેદા થનારી અને જાતે જ બળીને હોલવાઈ જનારી જ્વાળા'. જેને ‘પદાર્થ' નામ આપવામાં આવે છે તે તો માત્ર એક સંતાનપ્રવાહ છે. નિરંતર ઉત્પાદન થયા કરે છે છતાં કોઈ નવી વસ્તુઓ પેદા થતી નથી, એટલે જગત એ જગતક્રિયારૂપ બની જાય છે. જગતક્રિયા (world process) એટલે ‘અવિરત ઉત્પાદ (ઉત્પત્તિ) અને વ્યય (વિનાશ)'. આખું જગત અથવા એમાંનો દરેક પદાર્થ આ ક્રિયાને આધીન છે. આ ક્રિયા જ ખરી વસ્તુ છે. (૩) ઈશ્વર વિષે વિચાર જગતની દરેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે પોતાના કારણને આધીન છે, તેને ઈશ્વરનું કોઈ પ્રયોજન નથી. પ્રતીત્યસમુત્પાદવાદનો આ ફલિતાર્થ છે, તેથી મહાત્મા બુદ્ધ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. જગતનો કોઈ એક કર્તા તેમણે માન્યો નથી. સુખદુ:ખનું કારણ પોતાનાં કર્મો જ છે. કર્મફળદાતા એવા ઈશ્વરને માનવાની જરૂર નથી. મહાત્મા બુદ્ધ તો પોતાને કેવળ દુ:ખમુક્તિનો માર્ગ દેખાડનાર ગણે છે. માર્ગ ઉપર પથિકે પોતે જ ચાલવાનું હોય છે. તેણે પોતે જ પુરુષાર્થ કરવાનો હોય છે. મનુષ્ય પોતે જ પોતાનો તારણહાર છે, બીજું કોઈ તેને તારી શકતું નથી. મહાત્મા બુદ્ધ ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન જ બાજુ ઉપર મૂકી દીધો છે. ઈશ્વર છે કે નહીં એ પ્રશ્ન કરતાં આ સંસારરૂપી દુઃખમાંથી કેમ મુક્ત થવું એ પ્રશ્ન જ તેમને વધારે મહત્ત્વનો લાગ્યો અને એ મહાપ્રશ્નનો ઉત્તર દેવામાં તેમનો સઘળો ઉપદેશ સમાયેલો છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ મહાત્મા બુદ્ધ પોતે નિરીશ્વરવાદી ન હતા – ઈશ્વર નથી એમ કહેનારા ન હતા. એટલું જ નહીં પણ ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત જેઓ માનતા, તેમના તે સિદ્ધાંતને તેવો ને તેવો અખંડિત રહેવા દઈ, એ સિદ્ધાંતના અપરોક્ષ અનુભવ માટે જે સાધનની જરૂર છે એ સાધન તરફ તેમનું લક્ષ ખેંચતા હતા. સત્યની Page #590 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન પપ૭ શોધ માટે તાર્કિક વાદવિવાદ કરતાં નૈતિક સાધના અને પ્રબળ પુરુષાર્થ ઉપર તેઓ વિશેષ ભાર મૂકતા હતા. સ્વપ્રયત્ન અને સ્વાનુભવથી સાક્ષાત્કાર કરવાની વાત તેમણે લોકો સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે મારા નિર્વાણ પછી મારી પૂજા કરવાની ખટપટમાં ન પડતાં મેં જે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે વર્તવા કોશિશ કરજો.' પરંતુ તેમના શિષ્યોને પોતાની આરાધનામાં ભક્તિભાવનો અભાવ ખટકવા લાગ્યો તથા કેવળ ધર્મના અવિચળ નિયમથી તેઓ સંતુષ્ટ રહી શક્યા નહીં. આવી સ્પષ્ટ ચેતવણી આપવા છતાં પરિણામે તેઓ મહાત્મા બુદ્ધને અવતારી પુરુષ માની પૂજવા લાગ્યા. આજે મહાત્મા બુદ્ધની ભવ્ય મૂર્તિઓ એશિયામાં ઘણાં સ્થળોએ જોવા મળે છે. મહાત્મા બુદ્ધને ઈશ્વર તરીકે સ્વીકારી, તેમની પૂજાનો પ્રચાર ખાસ કરીને મહાયાન પંથમાં જોવા મળે છે. માનવસ્વભાવ જ એવો છે કે જે વ્યક્તિએ ધર્મ ફેલાવ્યો હોય એની પૂજા કરવા લાગી જાય છે. ખરેખર તો નિર્વાણ પછી મહાત્મા બુદ્ધના આત્માનું વિસર્જન થયું છે એમ હીનયાન પંથ માને છે, તેમ છતાં એમાં મહાત્મા બુદ્ધના અવશેષોની પૂજા કરવામાં આવે છે. (ઉદા.ત. મહાત્મા બુદ્ધના અસ્થિ ઉપર જે તૂપો બાંધવામાં આવ્યા છે તેની પૂજા થાય છે.) મહાયાન પંથ એમ માનતો નથી કે મહાત્મા બુદ્ધના આત્માનું વિસર્જન થયું છે, આથી એમાં મહાત્મા બુદ્ધનાં ત્રણ રૂપોની પૂજા કરવાની વિધિ છે – ૧) મંજુશ્રી - આ મહાત્મા બુદ્ધની જ્ઞાનની મૂર્તિ છે અને બધી વિદ્યાઓ તેમાંથી જ ઉત્પન્ન થઈ છે. ૨) અવલોકિતેશ્વર – જગતને જોનાર મહાત્મા બુદ્ધનું આ સૌમ્ય સ્વરૂપ છે. (અજંટાની ગુફાઓમાં તે સુંદર ચિત્રરૂપે દોરેલું જોવા મળે છે.) ૩) વજપાણિ – વજ ધારણ કરનાર મહાત્મા બુદ્ધનું આ સર્વશક્તિમાન સ્વરૂપ છે. (હિન્દુધર્મની ત્રિમૂર્તિની કલ્પના અહીં કરી શકાય.) (IV) આચારમીમાંસા (૧) તાત્ત્વિક પ્રશ્નો પ્રત્યે મહાત્મા બુદ્ધનો અભિગમ મહાત્મા બુદ્ધનો સંદેશ ક્રાંતિકારી છે. તેમણે જીવનની ફિલસૂફી આપી છે, પણ વ્યવસ્થિત તત્ત્વજ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો નથી. જગત અનંત છે કે સાંત, આત્મા નિત્ય છે કે અનિત્ય વગેરે ચર્ચાઓમાં મહાત્મા બુદ્ધ ઊતરતા જ નહીં. કોઈ અદ્ભુત જ્ઞાન લઈને આ પૃથ્વી ઉપર આવ્યાનો તેમણે કદાપિ દાવો કર્યો નથી. કોઈ તૈયાર તત્ત્વ-મીમાંસા આપવાના ઉત્સાહથી તેઓ દુર રહ્યા છે અને તે વિષેની ચર્ચાઓને પણ. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમણે અવગણી છે. મહાત્મા બુદ્ધ પોતાના અનુયાયીઓને આધ્યાત્મિક પ્રગતિનો સાધનામાર્ગ ઉપદેશે છે અને નહીં કે કોઈ ધાર્મિક માન્યતાના સિદ્ધાંતોનો સમૂહ. જીવનને લગતા અંતિમ પ્રશ્નોનો જવાબ વાણી અને મનથી પર છે એમ કહીને મૌન સેવવાનું તેમણે ઉચિત માન્યું એ માલંકપુત્ર સાથેના પ્રસંગથી જોવા મળે છે. તર્કવિચાર અને બૌદ્ધિક નિરૂપણ એ ગૂઢતાની એક મર્યાદા છે. મન સાથે શબ્દો તેનું વર્ણન નહીં કરી શકવાથી પાછા ફરે છે. પોતાના શબ્દો અતિચાર દોષ ન કરી બેસે તેની ખાસ ચીવટ રાખીને બધી બાબતોમાં મહાત્મા બુદ્દે મૌન જ સેવ્યું. તાત્ત્વિક પ્રશ્નો પરત્વે મહાત્મા બુદ્ધનું વલણ કેવા પ્રકારનું હતું તે તેમણે વાપરેલી એક ઉપમા દ્વારા સુંદર રીતે સ્પષ્ટ થાય છે. તેઓ કહેતા કે પરમ તત્ત્વ વિષેના આપણા સિદ્ધાંતો, કોચલું ફોડીને બહાર નહીં આવેલાં મરઘીના બચ્ચાએ બહારની દુનિયા વિષે બાંધેલા સિદ્ધાંતો જેટલા જ કિંમતી છે. સત્યને જાણવા માટે તો તેના સાક્ષાત્કારના માર્ગે જ જવું જોઈએ. તેથી તાત્ત્વિક ચર્ચા પ્રત્યે ઉદાસીન રહી મહાત્મા બુદ્ધે દુઃખ, દુ:ખનું કારણ, દુઃખનિરોધ તથા દુઃખનિરોધમાર્ગ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર ઉપદેશ આપ્યો. તેમનું કહેવું હતું કે આવાં પ્રકારનાં વિવેચનોથી જ લાભ થાય છે અને આવી વિચારણાને જ ધર્મના મૂળ સિદ્ધાંતો સાથે સંબંધ છે. આવી વિચારણાથી અનાસક્તિ, તૃષ્ણાઓનો નાશ, દુ:ખોનો અંત, માનસિક શાંતિ, જ્ઞાન, પ્રજ્ઞા તથા નિર્વાણ સંભવ છે. મહાત્મા બુદ્ધની શિક્ષાનો સારાંશ તેમના ચાર આર્ય સત્ય'ના ઉપદેશમાં સમાવિષ્ટ પામે છે. (૨) ચાર આર્ય સત્યો (the four noble truths) ત્રિપિટકમાં ચાર આર્ય સત્યોનો ઉલ્લેખ જોવા મળે છે. તે બૌદ્ધ ધર્મનો પાયો છે. મહાત્મા બુદ્ધે એનો ઉપદેશ વારાણસીમાં પોતાના પહેલા પાંચ શિષ્યોને કર્યો હતો, જે “ધર્મચક્રપ્રવર્તન'ના નામે પ્રસિદ્ધ થયો છે. ઉત્તમ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ સત્ત્વવિશેષને આર્ય' કહેવાય છે અને જેમાં અનુભવનો બાધ ન આવે તેને સત્ય કહેવાય છે, અર્થાત્ જે કોઈ આધ્યાત્મિક સાધક સૂક્ષ્મ વિવેકપૂર્વક પોતાના જીવનનો વિચાર કરે અને જે એ વિવેકને સંપૂર્ણ વફાદારીપૂર્વક અનુસરે, તે સાધક કોઈ પણ દેશ, કાળ કે જાતિનો કેમ ન હોય, છતાં એ સત્યોની બાબતમાં તેનો અનુભવ એકસરખો જ હશે. દેશ, કાળ કે જાતિનાં મર્યાદિત બંધનથી પર થઈ આધ્યાત્મિક સાધના કરતો પુરુષ તે ‘આર્ય' અને તે જેને વફાદારીપૂર્વક અનુસરે તે “સત્ય'. આર્યના સત્યો ચાર હોવાથી મહાત્મા બુદ્ધના ઉપદેશને “ચાર આર્ય સત્યો' કહેવાય છે, તે આ પ્રમાણે – ૧) દુઃખ – જગતમાં દુઃખો છે. ૨) દુ:ખસમુદય – દુઃખોનું કારણ છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય દુઃખોનો અંત સંભવ છે. દુઃખોના અંતનો ઉપાય છે. સત્યો વિષે વિગતવાર જોઈએ ૩) દુ:ખનિરોધ ૪) દુ:ખનિરોધમાર્ગ આ ચાર આર્ય ૧) પ્રથમ આર્ય સત્ય દુ:ખ (suffering) સંસાર અનિત્ય, અસાર અને અશરણભૂત છે. સાંસારિક સુખને સુખ સમજવું તે કેવળ અદૂરદર્શિતા છે. સાંસારિક સુખ વાસ્તવિક સુખ નથી. તે ક્ષણિક છે. તેનો વિયોગ થતાં, નાશ થતાં દુ:ખ થાય છે. તે સુખને માટે હંમેશાં એવી એક ચિંતા રહે છે કે રખેને તે નષ્ટ થઈ જશે. સાંસારિક સુખનું પરિણામ કેવળ દુઃખ હોવાથી તેને વાસ્તવિક સુખ કહી શકાય નહીં. તેથી શરીર, ભોગ અને સંસાર એકાંત દુઃખદાયી છે. ‘ધમ્મપદ’આદિ ગ્રંથોમાં કહ્યું છે કે જન્મ દુઃખકારક છે, જરા દુ:ખકારક છે, વ્યાધિ દુઃખકારક છે, મરણ દુઃખકારક છે, અપ્રિય વસ્તુઓનો સમાગમ અને પ્રિય વસ્તુઓનો વિયોગ પણ દુઃખકારક છે તથા ઇચ્છેલી વસ્તુ ન મળવાથી પણ દુ:ખ થાય છે. જન્મ અને મૃત્યુ, શોક અને પ્રેમ એ સાર્વભૌમ હકીકતો છે. એ ઘટનાઓ જીવનમાં ક્યાંક રહેલી વિસંગતા કે મેળના અભાવની સૂચક છે. - બૌદ્ધ દર્શન - ૨) બીજું આર્ય સત્ય દુઃખસમુદય (cause of suffering) કાર્ય-કારણના નિયમ અનુસાર જોઈએ તો કોઈ પણ કાર્યને તેનું કારણ હોય છે. આ જગતમાં દુ:ખ જોવા મળે છે, તો પછી તે દુ:ખનું કારણ પણ હોવું જોઈએ. જો દુઃખનું કારણ શોધવામાં આવે અને તેને દૂર કરવામાં આવે તો પરિણામે દુઃખ પોતે દૂર થઈ જાય. મહાત્મા બુદ્ધે પ્રતીત્યસમુત્પાદવાદના નિયમના આધારે દુઃખનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. દુ:ખના કારણનું મૂળ શોધતાં મહાત્મા બુદ્ધને લાગ્યું કે ‘અવિદ્યા’ એ સર્વ દુ:ખનું કારણ છે. એ અવિદ્યામાંથી સર્વ અનર્થ કેવી રીતે જન્મે છે એ બતાવવું તેમનું મુખ્ય ધ્યેય હતું. એ ઉત્પત્તિની ક્રિયા જો એક વાર જાણવામાં આવી જાય તો એમાંથી નીપજનારાં પરિણામનો નાશ કરનારા ધોરી માર્ગ ઉપર ચડી જવાય. વર્તમાન જીવનનું કારણ તેની પહેલાનું જીવન છે અને ભવિષ્ય જીવનનું કારણ વર્તમાન જીવન છે. આથી ત્રણેની એક સાંકળ બને છે અને આ સાંકળના ૧૨ અંકોડા છે. જન્મ-મરણની નિરંતર ચાલતી ઘટમાળનું સ્વરૂપ કેવું છે તે આ દ્વાદશ નિદાનમાળા બતાવે છે (i) પૂર્વજન્મમાંથી ઉદ્ભવતાં અનિષ્ટો ૧. અવિદ્યા ૨. સંસ્કાર ૫૫૯ ચાર આર્ય સત્યોનું અજ્ઞાન (ignorance) વારસાગત સંસ્કારો (impressions) Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ (ii) વર્તમાન જન્મમાંથી ઉદ્ભવતાં અનિષ્ટો ૩. વિજ્ઞાન પોતાની જાતનું ભાન. ‘હું છું' એવું ભાન (the initial consciousness of the embryo) ૪. નામ-રૂપ મન સહિત શરીર (body and mind, the embryonic organism) ૫. ખડાયતન પાંચ ઇન્દ્રિયો અને મન તથા તેના વિષયો (six organisms) ૬. સ્પર્શ - ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંપર્ક (sense contact) ૭. વેદના experience) આવેગો, લાગણી, સંવેદન (સુખ, દુ:ખ, વગેરે) (sense – - - ૮. તૃષ્ણા ઇચ્છા (desire) ૯. ઉપાદાન - જીવવા વિષે આસક્તિ કે મોહ (clinging) ૧૦. ભવ-કર્મ પુનર્જન્મ ઉત્પાદક કર્મની શરૂઆત (tendency to be born) (iii) ભવિષ્યના જન્મમાંથી ઉદ્ભવનારાં અનિષ્ટો ૧૧. જાતિ પુનર્જન્મ (rebirth) ૧૨. જરા, મરણ - દુ:ખ, શોક (old age, death, etc.) - કારણ છે તૃષ્ણા અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન દુઃખનું કારણ જરા-મરણ છે. તેનું કારણ છે જાતિ, એટલે જન્મગ્રહણ. જાતિનું કારણ ભવકર્મ એટલે કે જન્મ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ છે. ભવકર્મનું કારણ ઉપાદાન (મોહ) છે અને તેનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણાનું કારણ વેદના છે, અર્થાત્ પૂર્વના વિષયભોગોની સુખાનુભૂતિ છે. વેદનાનું કારણ જ્ઞાનેન્દ્રિયોનો બાહ્ય જગત સાથેનો સ્પર્શ છે. સ્પર્શનું કારણ ષડાયતન, એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન છે. ષડાયતનનું કારણ નામ-રૂપ છે, અર્થાત્ ગર્ભાવસ્થાનું શરીર અને મન છે. નામ-રૂપનું કારણ વિજ્ઞાન, એટલે કે ચૈતન્ય છે. વિજ્ઞાનનું કારણ પૂર્વજન્મના સંસ્કાર છે. સંસ્કારનું કારણ અવિદ્યા અજ્ઞાન છે. આ દ્વાદશ નિદાનમાળાને દ્વાદશ આયતન અથવા ભવચક્ર પણ કહે છે. આ દ્વાદશ નિદાન એ બૌદ્ધોની દૈનિક પૂજાનું એક પ્રતીકરૂપ અંગ બની ગયેલ છે. બૌદ્ધો આજે પણ ૧૨ આરાવાળા ચક્રને ફેરવી ફેરવીને મહાત્મા બુદ્ધનો ઉપદેશ યાદ કરે છે. ૩) ત્રીજું આર્ય સત્ય - - આ જગતમાં જે દુઃખ જણાય દુઃખનિરોધ (cessation of suffering) તેના મૂળ કારણને અટકાવી શકાય છે. દુઃખનું આ તૃષ્ણા અવિદ્યાના કારણે જ ઉત્પન્ન થાય છે. અવિદ્યાને દૂર Page #594 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય બૌદ્ધ દર્શન ૫૬૧ કરવાથી તૃષ્ણાનો નાશ થાય છે અને તૃષ્ણાના નાશથી દુઃખ નાશ પામે છે. દુઃખનિરોધ અથવા દુ:ખરહિત સ્થિતિને નિર્વાણ કહેવાય છે. નિર્વાણ એટલે ‘બુઝાઈ જવું', ‘ઓલવાઈ જવું' તે. માનવજીવનનું અંતિમ ધ્યેય નિર્વાણ હોવું ઘટે એવું બૌદ્ધ ધર્મ માને છે. જીવનની અગ્નિ પ્રજ્વલિત રાખનાર તૃષ્ણાઓ અને કામનાઓરૂપી બળતણ દૂર થઈ જાય છે ત્યારે પ્રત્યક્ષ દેખાતી જીવનજ્યોતિ બુઝાઈ જાય છે, તેને બૌદ્ધો નિર્વાણ કહે છે. બૌદ્ધો નિર્વાણના બે પ્રકાર બતાવે છે (i) સર્વ વાસનાઓનો નાશ થાય અને જેને પરિણામે અહંપણાનો ભાવ છેક જ ગળી જાય ત્યારે તે નીચલી કે દ્વિતીય કક્ષાનું નિર્વાણ ઉપાધિશેષ કહેવાય છે. જે મુક્ત થાય છે તેની ભવસંજ્ઞા છેક જ પરિક્ષીણ થઈ જાય છે. આ જીવનમાં જ પ્રાપ્ત થતી આ આધ્યાત્મિક સ્થિતિ છે. આ અવસ્થા ‘જીવન્મુક્તિ’ને મળતી આવે છે. (ii) આ અનિત્ય જગતમાંથી મુક્તનું પૂરેપૂરું અદૃશ્ય થઈ જવું એને સંપૂર્ણ નિર્વાણ કે પરિનિર્વાણ કે અનુપાધિશેષ કહેવાય છે. પરિનિર્વાણની આ કલ્પનાના કારણે મહાત્મા બુદ્ધનો ઉપદેશ વ્યર્થ બનતો નથી, કારણ કે પરિનિર્વાણ અથવા શૂન્યત્વ કે વિનાશ એ માણસે પુરુષાર્થ કરીને મેળવવા જેવી અવસ્થા છે એમ મહાત્મા બુદ્ધે કહ્યું નથી. જીવન્મુક્તિની અવસ્થા જ પ્રાપ્તવ્ય સ્થિતિ છે શૂન્યત્વમાં વિલય એ તો આગળનું પરિણામ છે. બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ એક અવાચ્ય તથા તેને અહીં આ જન્મમાં જ તૃષ્ણા અને શકાય છે. સંસાર પૂરો થાય અને અવિનાશી શાંતિ પ્રાપ્ત થાય એવી એ એક પરમ અવર્ણનીય સ્થિતિ છે, તે અચ્યુતપદ છે સંયોજનોના સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્ત કરી વાસ્તવિક અવસ્થા છે. દુઃખનિરોધમાર્ગ (path leading to the cessation of અવિદ્યા એ સર્વ દુઃખની જનની છે. તેને જ્ઞાન વડે દૂર કરવાથી મુક્તિ મળે છે. મુક્તિના પથિક માટે અષ્ટાંગમાર્ગનું અનુસરણ જરૂરી મનાયું છે. આ અષ્ટાંગમાર્ગના સેવનથી વાસનાક્ષય થઈ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં આ ચાર આર્ય સત્યોમાંના પહેલાં ત્રણમાં મહાત્મા બુદ્ધના ઉપદેશનો તાત્ત્વિક ભાગ આવી જાય છે અને છેલ્લા ચોથા ભાગમાં એ ઉપદેશમાં રહેલો આચારનો ભાગ આવે છે. ૪) ચોથું આર્ય સત્ય suffering) - મહાત્મા બુદ્ધના મત અનુસાર આત્મનિયમનનો જે માર્ગ માણસને ઇચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અવિધ છે. બૌદ્ધ ગ્રંથોમાં તેને ‘આર્ય અષ્ટાંગિક માર્ગ' એવું Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન નામ આપવામાં આવ્યું છે. આ માર્ગનું વર્ણન “દીઘનિકાય' તથા 'મજ્જ-નિકાય'માં જોવા મળે છે. આચારની બાબતમાં મહાત્મા બુદ્ધ મધ્યમ માર્ગ ઉપદેશે છે. તેમના મધ્યમ માર્ગમાં એક બાજુથી અતિશય ભોગનો ત્યાગ કરવાનું તેમજ બીજી બાજુથી દેહદમન ન કરવાનું કહેવામાં આવે છે અને આ માર્ગ વડે જ નિર્વાણ પ્રાપ્ત થઈ શકે છે. સાચા ધર્મપરાયણ જીવનને બૌદ્ધ દર્શનમાં એક તંતુવાદ્યની સાથે સરખાવ્યું છે; એ વાઘના તાર જ્યારે બહુ ઢીલા કે બહુ તંગ ન હોય ત્યારે જ તેમાંથી મધુર સૂરો નીકળે છે. ગૃહસ્થ તથા સંન્યાસીએ સેવવા લાયક અષ્ટાંગમાર્ગના આઠ અંગ આ પ્રમાણે છે – (૧) સમ્યક્ દષ્ટિ – અજ્ઞાનના કારણે જાત અને જગતના સંબંધમાં મિથ્યા દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પરિણામે જે અનિત્ય અને દુ:ખપ્રદ હોય તેને નિત્ય અને સુખપ્રદ માની બેસાય છે. આ દૃષ્ટિકોણનો ત્યાગ કરી યથાર્થ સ્વરૂપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તેને સમ્યક્ દૃષ્ટિ કહે છે. (૨) સમ્યક સંકલ્પ - આર્ય સત્યોની માત્ર જાણકારીથી કોઈ લાભ થતો નથી. જ્યાં સુધી તે આર્ય સત્યોને પચાવી તે પ્રમાણે જીવન વિતાવવાની દેઢ ઇચ્છા ન થાય ત્યાં સુધી એ જાણકારી નકામી છે. શ્રદ્ધા પ્રમાણે નિશ્ચય થાય અને નિશ્ચય પ્રમાણે આચાર થાય, માટે જેમને નિર્વાણની ઇચ્છા હોય તેમણે સાંસારિક વિષયો પ્રત્યે રાગ અથવા વૈષનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પ્રકારના દઢ નિશ્ચયને સમ્યક સંકલ્પ કહે છે. (૩) સમ્યક્ વાણી - માત્ર માનસિક સંકલ્પ કરવાથી કાંઈ વળે નહીં. તેને કાર્યરૂપ વાણીમાં પણ પરિણત કરવો જોઈએ, અર્થાત્ મિથ્યાભાષીપણું, નિંદા તથા અપ્રિય વચનનો ત્યાગ કરી; પ્રિય, પથ્ય અને હિતકારી વાણી બોલવી અથવા મૌન ધારણ કરવું. (૪) સમ્યક્ કર્મ – સમ્યફ સંકલ્પને માત્ર વાણીમાં જ નહીં પણ કાર્યમાં પણ પરિણત કરવો જોઈએ, અર્થાત્ વ્યવહારમાં તે અહિંસા, અસ્તેય, ઇન્દ્રિયસંયમ વગેરે દ્વારા વ્યક્ત થવો જોઈએ. સમ્યક કર્મમાં દસ શીલના નિયમોનો તેમજ વિહારચર્યાના નિયમોના પાલનનો સમાવેશ થઈ જાય છે. (૫) સમ્યક્ આજીવિકા – ખરાબ વચન તથા ખરાબ કાર્યોનો ત્યાગ કરી, શુદ્ધ ઉપાય વડે આજીવિકા ઉપાર્જન કરવી જોઈએ. જીવનનિર્વાહ માટે ઉચિત માર્ગનું અનુસરણ તથા નિષિદ્ધ ઉપાયનું વર્જન કરી સમ્યક્ સંકલ્પને સુદઢ કરવો જોઈએ. (૬) સમ્યક વ્યાયામ – ઉપરના પાંચ માર્ગો ઉપર ચાલવા છતાં જીવ, જૂના દઢીભૂત થયેલા કુસંસ્કારોના કારણે યોગ્ય માર્ગ ગ્રહણ કરવાને બદલે કુમાર્ગે જવા લલચાય છે. નવા નવા અનિચ્છનીય ભાવોનો ભોગ બની જાય છે. આ પ્રમાણે ન થાય તે માટે Page #596 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન પ૬૩ મનને સ્વચ્છ રાખવું જોઈએ. ચિત્તમાં હંમેશાં શુભ વિચારો આવે અને અશુભ વિચારો પ્રવેશે નહીં તેની જાગૃતિ રાખવી તેને સમ્યક્ વ્યાયામ કહે છે. (૭) સમ્યફ સ્મૃતિ – જે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તેને બરાબર સ્મૃતિમાં રાખવું જોઈએ. અહીં સ્મૃતિ એટલે યાદગીરી ઉપરાંત સાવધાની, અપ્રમાદ કે જાગૃતિ. કોઈ પણ વસ્તુને જેવી છે તેવી - તેના યથાર્થ રૂપમાં જ ગ્રહણ કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી તેના પ્રત્યેની આસક્તિ ઓછી થાય અને પરિણામે કષ્ટના ભોગ બનાય નહીં. (૮) સમ્યક સમાધિ – ઉપર જણાવેલ સાત માર્ગો દ્વારા જેણે પોતાની જાતને સજ્જ બનાવી છે તે જ સમાધિમાર્ગમાં પ્રવેશ કરવા માટે લાયક ગણાય છે અને તે ક્રમશ: સમાધિની ચાર અવસ્થાઓ પાર કરી નિર્વાણની પ્રાપ્તિ કરે છે. સમાધિના મુખ્ય બે પ્રકાર છે - ઉપચાર અને અર્પણા. ઉપચાર સમાધિ થોડો સમય ટકે છે. અર્પણા સમાધિ જેટલો સમય ટકાવવી હોય તેટલો સમય અભ્યાસથી ટકાવી શકાય છે. તેની ચાર ભૂમિકા છે. પ્રથમમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા હોય છે. બીજીમાં વિતર્ક અને વિચાર જતાં રહે છે. ત્રીજીમાં પ્રીતિ જતી રહે છે અને ચોથીમાં સુખ પણ રહેતું નથી, માત્ર એકાગ્રતા જ રહે છે. આ અવસ્થામાં ચિત્તની સામ્યવસ્થા હોય છે. આ પૂર્ણ પ્રજ્ઞાની અવસ્થા છે. આ અષ્ટાંગમાર્ગે પ્રયાણ કરવામાં કેટલાંક બંધનો નડે છે તેને બૌદ્ધ દર્શન ‘દસ સંયોજન' કહે છે, જે આ પ્રમાણે છે - સત્કાય દષ્ટિ, વિચિકિત્સા, શીલવત પરામર્શ, કામ, પ્રતિઘ, રૂપરાગ, અરૂપરાગ, માન, ઉદ્ધતપણું તથા અવિદ્યા. આ વિનોને શિક્ષાત્રય દ્વારા છેદી શકાય છે. શિક્ષાત્રય એટલે શીલ સ્કંધ, સમાધિ સ્કંધ અને પ્રજ્ઞા સ્કંધ. ત્રણ સ્કંધોમાં આર્ય અષ્ટાંગિક માર્ગ કઈ રીતે વિભક્ત થઈ જાય છે, તે જોઈએ – (i) શીલસ્કંધ – શીલ ધર્મનો પાયો છે. સર્વ પાપથી વિરતિ તે શીલ છે. શીલમાં સમ્યક્ વાણી, સમ્યક કર્મ અને સમ્યક આજીવિકાનો સમાવેશ થાય છે. ભિક્ષુ તથા ગૃહસ્થ માટે પંચશીલનું સેવન અનિવાર્ય છે. અહિંસા, અસ્તેય, સત્યભાષણ, બ્રહ્મચર્ય તથા મદ્યપાન નિષેધરૂપ પંચશીલ ઉપરાંત ભિક્ષુઓ માટે બીજા પાંચ શીલ બતાવ્યાં છે - અપરાન્ન ભોજન, માલાધારણ, સંગીત, સુવર્ણ-રજત તથા મહાધે શય્યાનો ત્યાગ. ભિક્ષુઓએ આ દસ શીલનું ચુસ્ત અને કડકપણે પાલન કરવાનું હોય છે. (ii) સમાધિ સ્કંધ – કુશળ ચિત્તની એકાગ્રતા એ સમાધિ છે. જેનું શીલ જેટલું નિર્મળ એટલું એનું ચિત્ત સમાધિમાં વધુ એકાગ્ર બને છે. ચિત્તની એકાગ્રતા જેમ વધુ તેમ પ્રજ્ઞાની પ્રાપ્તિ જલ્દી થાય છે. સમાધિમાં સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યફ Page #597 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમાધિનો સમાવેશ થાય છે. (iii) પ્રજ્ઞા સ્કંધ – કુશળ ચિત્તથી યુક્ત વિપશ્યના જ્ઞાન એ જ પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન, અજ્ઞાનનો નાશ, ક્લેશોનું ઉપશમન, અપરોક્ષ અનુભવ. જ્ઞાનને આત્મસાતું કરી પોતીકું બનાવવું તે જ પ્રજ્ઞાની પ્રાપ્તિ. પ્રજ્ઞામાં સમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ સંકલ્પનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્કંધ મળીને બૌદ્ધ ધર્મ સાધનાના સ્વરૂપનું પૂરતું નિદર્શન કરાવે છે. આમ, શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણેની સાધના ઉપર બૌદ્ધ દર્શનમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે. (V) ઉપસંહાર બૌદ્ધ સિદ્ધાંતે નિરૂપેલા જગત અને જીવાત્મા વિષયક કોઈ પણ પ્રકારની તાત્વિક સ્થિરતા વિનાનો સતત પરિણામશીલતાનો ક્ષણભંગવાદ, નિર્વાણ એટલે તદન લુપ્ત થઈ જવું એવો તેણે કરેલો ઉચ્છેદવાદી અર્થ, ભિક્ષુ જીવન ઉપર તેણે મૂકેલો વધુ પડતો ભાર અને ઈશ્વરપૂજન અથવા કોઈ પણ પ્રકારની ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અભાવ વગેરેના કારણે હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે ઘણું અંતર પડી ગયું. મહાત્મા બુદ્ધ જેવી તેજોમય વ્યક્તિએ આપેલ નવા સ્વાંગવાળો ધર્મ પાછળથી ભારતમાં નિંદાસ્પદ બન્યો. તેનાં પતનનાં કારણો મુખ્યત્વે આ પ્રમાણે હતાં - ઈશ્વરના અસ્તિત્વનું ખંડન, નિત્ય એવા આત્માનો અસ્વીકાર, સંન્યાસ ઉપર અતિશય ભાર અને વર્ણાશ્રમ ધર્મની અવહેલના; મહાત્મા બુદ્ધના ઉપદેશોને લિપિબદ્ધ ન કર્યા તથા સંસ્કૃત ભાષાના સ્થાને પાલી ભાષા અપનાવી; સંઘમાં પ્રવેશ માટેના નિયમોમાં શિથિલતા, વિહારને બદલે મઠાધિપતિઓ અને ભિખ્ખઓની સ્થિરતા વધવા સાથે માલિકીની ભાવના આવી; સ્ત્રીઓને ભિક્ષુણી બનાવવાના કારણે બૌદ્ધ વિહારોમાં વ્યભિચાર અને અનિષ્ટો પ્રવેશ્યાં; ભિક્ષુઓએ સાદા જીવનને બદલે રાજસી જીવન અપનાવ્યું; છત્રી, પગરખાં વગેરે ઉપકરણોનો તથા વાહનોનો ઉપયોગ વગેરે વધતાં ગયાં; રોકડ નાણું નહીં પણ સોનું, ચાંદી, રત્નો વગેરે રાખવાની છૂટ લેવાવા લાગી; સંઘના સભ્યોમાં અસંતોષ તથા રાજ્યાશ્રયની લાલસા; સાંપ્રદાયિકતાની વધુ પડતી ભાવનાના કારણે તેમની વિદ્વત્તાએ પણ સમય જતાં સાંપ્રદાયિકતાનું રૂપ ધારણ કર્યું; શ્રી શંકરાચાર્યે હિન્દુ ધર્મને ફરી સજીવન કર્યો અને બૌદ્ધ ધર્મના કેટલાક સિદ્ધાંતો હિન્દુ ધર્મમાં સમાવી લીધા; આથી સામાન્ય હિન્દુ માટે બૌદ્ધ ધર્મમાં કાંઈ વિશેષ આકર્ષણ ન રહ્યું. ઉપર્યુક્ત કારણોને લીધે એક મહાન માનવધર્મનાં મૂળ ખવાઈ ગયાં અને અંતે Page #598 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન ૫૬૫ તેની જન્મભૂમિમાં જ તેનો અંત આવ્યો. ઈ.સ. ૧૨૦૦-૧૨૫૦ સુધીમાં પોતાની જન્મભૂમિ ભારતમાંથી આ ધર્મ લુપ્તપ્રાય થઈ ગયો, છતાં પણ ભારતની બહાર શ્રીલંકા, નેપાળ, ટિબેટ, બહ્મદેશ, ચીન, કોરિયા, જાપાન વગેરે અનેક દેશોમાં તે ફેલાયો અને હજી ઉજ્વળ રીતે પ્રવર્તમાન છે. બૌદ્ધ ધર્મ તેમાં રહેલાં કેટલાંક નિમ્નલિખિત વિશિષ્ટ લક્ષણોના કારણે સર્વ દેશકાળના લોકોને આકર્ષી શક્યો છે – (૧) આ ધર્મ, બુદ્ધિનું મહત્ત્વ પિછાની તેને પ્રતિષ્ઠાભર્યું સ્થાન આપે છે, તેમાં વ્યક્તિને શરણે નહીં પણ યુક્તિ કે બુદ્ધિને શરણે જવાની વાત છે. (૨) આ ધર્મે માણસ માણસ વચ્ચે ઊભા કરવામાં આવતા કૃત્રિમ ભેદો ઉપર કુઠારાઘાત કર્યો અને સમાનતાની ભાવનાની સ્થાપના કરી. તેણે સ્ત્રીઓને પણ સાધનાના ક્ષેત્રે પૂર્ણપણે યોગ્ય ગણી તેમને પણ સમાન અધિકાર આપ્યો અને તેમનો સંઘપ્રવેશ પણ કરાવ્યો. બૌદ્ધ સંઘના ભિક્ષુઓમાં પણ જાતિભેદ પળાતો નહીં. ભગવાન મહાવીરની જેમ મહાત્મા બુદ્ધના સંઘમાં તમામ જાતિના માણસોને પ્રવેશ અપાતો, કારણ કે મહાત્મા બુદ્ધના ઉપદેશનો ઝોક ગુણ અને કર્મ પ્રત્યે હતો. (૩) આ ધર્મે નૈતિક સદાચરણ ઉપર પણ વિશેષ ભાર મૂક્યો. ઉપદેશમાં વ્યાપકતા અને સર્વગ્રાહ્યતાના ગુણોના કારણે તે સર્વસ્વીકાર્ય બન્યો. ખોખલી તાત્ત્વિક ચર્ચા નહીં પણ સદાચાર દ્વારા જ દુઃખમુક્તિ થઈ શકે છે એમ તેનું માનવું છે. (૪) આ ધર્મે એક બાજુથી દેહને કષ્ટ આપવાની તથા ઇન્દ્રિયદમનની વાતને મધ્યમપણે સ્વીકારી અને બીજી બાજુ કામોપભોગને નકાર્યો. અને અંતિમ છેડાનો ત્યાગ કરી, મધ્યમ માર્ગનું અનુસરણ કરવાની લોકોને શીખ આપી અને તેથી તે લોકપ્રિય બન્યો. (૫) આ ધર્મ જ તેમને યોગ્ય માર્ગે વાળી શકશે એમ લોકોમાં આસ્થા થવા લાગી, કારણ કે મૈત્રી, કરુણા અને મુદિતા જેવા ગુણો કેળવી, સંઘનાં શરણે જવાની મહાત્મા બુદ્ધ વાત કરી. દબાયેલી, કચડાયેલી અને પીડિત જનતાને મહાત્મા બુદ્ધમાં અને તેમણે પ્રવર્તાવેલ ધર્મમાં એક ઉદ્ધારકના દર્શન થયા. આમ, પ્રજ્ઞા, પ્રેમ અને આત્મનિયંત્રણના પ્રચારક એવા ગૌતમ જગત ઉદ્ધારક બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. તેમણે જીવનફિલસૂફી આપી છે અને તેથી તેમનો સંદેશ ક્રાંતિકારી છે. * * * Page #599 -------------------------------------------------------------------------- ________________ Page #600 -------------------------------------------------------------------------- ________________ ન્યાય દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય ‘ન્યાય' શબ્દ સામાન્ય રીતે યુક્તિ, દલીલ કે વાદના અર્થમાં વપરાય છે. જે વડે કોઈ પ્રતિપાદ્ય વિષય સિદ્ધ કરી શકાય અથવા તો જે વડે કોઈ નિશ્ચિત સિદ્ધાંત ઉપર પહોંચી શકાય તે ‘ન્યાય’. ન્યાયનો વ્યુત્પત્તિ અર્થ છે કોઈ પણ વિષયમાં પ્રવેશ ક૨વો. કોઈ પણ વિષયમાં વિશ્લેષણાત્મક સંશોધન એ ન્યાયનું ક્ષેત્ર છે. ન્યાય દર્શનમાં સત્યને જાણવા માટેનાં વિવિધ પ્રમાણોની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે. ન્યાય દર્શન તર્કપ્રધાન વસ્તુવાદ (logical realism) છે. પ્રત્યેક જ્ઞાનને એક વિષય હોય છે એમ ન્યાય દર્શન માનતું હોવાથી તે વસ્તુવાદી છે. આ વિષય જ્ઞાનથી પૃથક્ હોય છે. ન્યાય દર્શનનો વસ્તુવાદ અનુભવ તથા તર્ક ઉપર આધારિત છે. તેના મત અનુસાર બાહ્ય વસ્તુઓનું અસ્તિત્વ જ્ઞાન ઉપર આધાર રાખતું નથી, અર્થાત્ વસ્તુઓનું અસ્તિત્વ જ્ઞાતાથી સ્વતંત્ર છે. મોક્ષની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાન દ્વારા જ મળે છે, પરંતુ આ તત્ત્વજ્ઞાન શું છે તે સમજવા માટે પ્રથમ તો જ્ઞાનનું સ્વરૂપ, તેની પ્રાપ્તિ, તેને પ્રાપ્ત કરવાના ઉપાયો વગેરે જાણવાની જરૂર છે. આથી ન્યાય દર્શનને ‘તર્કપ્રધાન વસ્તુવાદ' કહેવું યોગ્ય છે. તર્ક એ ન્યાયનું એક વિશિષ્ટ અંગ છે, પણ ન્યાય એ માત્ર તર્કશાસ્ત્ર નથી, એ વિચારનું શાસ્ત્ર છે. સામાન્ય માન્યતા એવી છે કે ન્યાય તર્ક અથવા પ્રમાણને જ પોતાનું ક્ષેત્ર સમજે છે, પણ એવું નથી. તર્કશાસ્ત્ર એ તો માત્ર એનું એક અંગ જ છે. ન્યાયનો ખરો ઉદ્દેશ તો તર્કયુક્ત સિદ્ધાંતો દ્વારા જ્ઞાનના વિષયોનું પરીક્ષણ કરવાનો છે. આધ્યાત્મિક પ્રશ્નોને ન્યાય વિવેચનાત્મક દૃષ્ટિએ વિચારે છે. ન્યાય દર્શનમાં માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર આદિની ચર્ચા છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક ન્યાય દર્શનના પ્રવર્તક મહર્ષિ ગૌતમ હતા. મહર્ષિ ગૌતમ અક્ષપાદ' એવા નામથી પણ ઓળખાતા હતા. અક્ષપાદનો અર્થ છે જેના પગ પણ આંખ જેવું કામ આપે છે તે.' ન્યાય દર્શનને ‘અક્ષપાદ દર્શન' પણ કહેવામાં આવે છે. મહર્ષિ ગૌતમ ક્યારે થઈ ગયા તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનોના મત અનુસાર મહર્ષિ ગૌતમનો સમય ઈ.સ. પૂર્વે ૫૦૦ માનવામાં આવેલ છે. કેટલાક વિદ્વાનો તેમને ઈ.સ.ની ત્રીજી કે ચોથી સદીમાં મૂકે છે. પંડિત રાહુલ સાંકૃત્યાયનના મત અનુસાર ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં સિકંદર વિજયી નીવડ્યો ત્યારથી ભારત ઉપર ગ્રીક પ્રજાનો - Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પ્રભાવ પડવો શરૂ થઈ ગયો હતો. શ્રી અક્ષપાદ ગૌતમ ઉપર ગ્રીક વિચારસરણીની અસર જણાય છે. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં થઈ ગયેલ ઝીનોનું વિધાન છે ‘દર્શન એક ખેતર છે, જેની રક્ષા માટે તર્કની વાડ કરવી જરૂરી છે.' બીજી બાજુ શ્રી અક્ષપાદનું વિધાન છે જેમ બીજના અંકુરોની રક્ષાને માટે કાંટાવાળી ડાળીઓની જરૂર છે, તેવી રીતે તત્ત્વજ્ઞાનની રક્ષા માટે જલ્પ તેમજ વિતંડારૂપી વાડની જરૂર છે'. આ બે વિધાનોમાં કેટલું બધું વિચારસામ્ય છે! આ વિચારસામ્યને આધારે પંડિત રાહુલ સાંકૃત્યાયન એમ માને છે કે ગ્રીક તત્ત્વદર્શનની અસર ભારતના ન્યાય દર્શન ઉપર પડી હશે.૧ અલબત્ત એવું પણ હોઈ શકે કે ભારતીય દર્શનની અસર ગ્રીક વિચારણા ઉપર પડી હોય. (૩) સાહિત્ય - મહર્ષિ ગૌતમનું ‘ન્યાયસૂત્ર' એ ન્યાય દર્શનનો મૂળ ગ્રંથ છે. આ ‘ન્યાયસૂત્ર'ને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રત્યેક વિભાગ(અધ્યાય)માં બે આનિકો છે. આ ન્યાયસૂત્રોમાં નિ:શ્રેયસ(મોક્ષ)ની પ્રાપ્તિ માટે જેનું જ્ઞાન આવશ્યક છે એવા પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ આદિ ૧૬ વિષયો તથા આત્મા, દેહ, ઇન્દ્રિયો, મન વગેરે ૧૨ પ્રમેયો તથા જ્ઞાન, તેનું સ્વરૂપ, તેની યથાર્થતા, તેની મર્યાદા વગેરેની ચર્ચા કરવામાં આવી છે. તદુપરાંત બંધ, મોક્ષ વગેરેનાં સ્વરૂપની પણ તેમાં ચર્ચા કરવામાં આવી છે. મહર્ષિ ગૌતમના ન્યાયસૂત્ર’ ઉપર શ્રી વાત્સ્યાયને (ઈ.સ. ૪૦૦) ‘ન્યાયભાષ્ય' નામક પ્રસિદ્ધ ભાષ્ય લખ્યું છે. તેના ઉપર શ્રી ઉદ્યોતકરે (ઈ.સ. ૬૦૦) ‘ન્યાયવાર્તિકા' લખ્યું. શ્રી દિગ્નાગ નામક બૌદ્ધ વિદ્વાને કરેલી શ્રી વાસ્યાયનના ભાષ્ય ઉપરની ટીકાનો જવાબ એમાં છે. ‘ન્યાયવાર્તિકા’ ઉ૫૨ શ્રી વાચસ્પતિએ (ઈ.સ. ૯૦૦) ન્યાયવાર્તિકતાત્પર્ય ટીકા' લખી. તેના ઉપર શ્રી ઉદયને (ઈ.સ. ૧૦૦૦) ‘તાત્પર્ય-પરિશુદ્ધિ' તથા ‘કુસુમાંજલિ' નામક ટીકા લખી. શ્રી જયંતે (ઈ.સ. ૧૦૦0) ‘ન્યાયસૂત્ર’ ઉપર ‘ન્યાયમંજરી' નામક એક સ્વતંત્ર ટીકા લખી. આ બધા ન્યાય દર્શનના પ્રાચીન ગ્રંથો છે. શ્રી ગંગેશ ઉપાધ્યાય (ઈ.સ. ૧૨૦૦) નવ્યન્યાયના પ્રણેતા છે. તેમણે ‘તત્ત્વ૧- જુઓ : દર્શન-દિગ્દર્શન', પૃ.૬૩૭-૬૩૮ ૨- પ્રાચીન સમયના ન્યાયને પ્રાચીન ન્યાય' અને આધુનિક સમયના ન્યાયને ‘નવ્યન્યાય’ કહે છે. પ્રાચીન ન્યાયમાં મહર્ષિ ગૌતમનું ‘ન્યાયસૂત્ર', તેનાં ઉપરનાં ભાષ્યો, તેના ઉપર થયેલાં ખંડનમંડન વગેરેનો સમાવેશ થાય છે. નવ્યન્યાયમાં ન્યાય દર્શનના તર્કવિજ્ઞાન સંબંધી વિષયોનું જ વિશદ્ વિવરણ છે. નવ્યન્યાયના ઉત્થાન પછી પ્રાચીન ન્યાયનો પ્રચાર ઓછો થઈ ગયો તથા તેની પ્રવૃત્તિ પણ મંદ પડી ગઈ. તે બહુ લોકપ્રિય ન રહ્યું. નવ્યન્યાયના ઉત્થાન તથા પ્રચારના કારણે આગળ જતાં ન્યાય દર્શન તથા વૈશેષિક દર્શન બન્ને એક થઈ ગયા. Page #602 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ન્યાય દર્શન ૫૬૯ ચિંતામણિ' નામક ગ્રંથ લખ્યો. તેનો પ્રચાર શરૂઆતમાં મિથિલામાં થયો. ત્યાં તેણે ઘણી પ્રગતિ પણ કરી, પરંતુ આગળ જતાં તે બંગાળમાં વધુ ફૂલ્યોફાલ્યો. નવદ્વીપના નવ્યન્યાયનો પ્રભાવ અન્ય તમામ દર્શનો ઉપર પડ્યો છે. ૧૨મીથી ૧૭મી સદીના ૫૦૦ વર્ષના સમયગાળામાં નવ્યન્યાયની જ બોલબાલા હતી. આ સમયમાં અનેક વિદ્વાનો થઈ ગયા. તેમાં શ્રી વર્ધમાન ઉપાધ્યાય, શ્રી શંકર મિશ્ર, શ્રી પક્ષધર મિશ્ર, શ્રી વાસુદેવ સાર્વભૌમ, તેમના શિષ્ય શ્રી રઘુનાથ શિરોમણિ, શ્રી મથુરાનાથ તર્કવાગીશ, શ્રી જગદીશ ભટ્ટાચાર્ય, શ્રી ગદાધર ભટ્ટાચાર્ય (મિશ્ર) વગેરેનાં નામો અતિ પ્રસિદ્ધ છે. શ્રી ગંગેશકૃત ‘તત્ત્વચિંતામણિ' ઉપર ટીકાઓ તથા તે ટીકાઓ ઉપર પણ ટીકાઓ આ યુગમાં લખાઈ છે. જેમાં શ્રી વરદરાજની (ઈ.સ. ૧૨૫૦) તાર્કિકરક્ષા', શ્રી કેશવમિશ્રની (ઈ.સ. ૧૩૦૦) ‘તર્કભાષા', શ્રી વિશ્વનાથની (ઈ.સ. ૧૭૦૦) ભાષાપરિચ્છેદ' તથા સિદ્ધાંત મુક્તાવલી' અને શ્રી અન્નભટ્ટની (ઈ.સ. ૧૭૦૦) “તર્કસંગત ટીકાઓ અતિ પ્રસિદ્ધ છે. આ સાહિત્યમાં ન્યાય અને વૈશેષિક દર્શનને એકત્રિત કરી એક સુસંગત દર્શન પદ્ધતિ આપવાનો પ્રયાસ પણ થયો છે. (II) પ્રમાણમીમાંસા જ્ઞાનપ્રાપ્તિ માટે જરૂરી એવા પ્રમાણોની ચર્ચા ભારતીય દર્શનની બધી શાખાઓમાં થયેલી છે. જેમ કે ચાર્વાક દર્શન માત્ર એક પ્રત્યક્ષપ્રમાણ સ્વીકારે છે. વૈશેષિક દર્શન અને બૌદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણો સ્વીકારે છે. જૈન દર્શન અને સાંખ્ય દર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ ત્રણ પ્રમાણો સ્વીકારે છે. ન્યાય દર્શન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણો સ્વીકારે છે. મીમાંસકોમાં શ્રી પ્રભાકર મિશ્ર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થપત્તિ એમ પાંચ પ્રમાણો સ્વીકારે છે. જ્યારે અન્ય મીમાંસકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થપત્તિ અને અનુપલબ્ધિ એમ છ પ્રમાણો સ્વીકારે છે. નૈયાયિકોએ સ્વીકારેલ ચાર પ્રમાણોને હવે વિસ્તારથી જોઈએ. (૧) પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિય અને અર્થનો જે સંબંધ (સનિકર્ષ) તે પ્રત્યક્ષપ્રમાણ અને એ સંબંધથી જે શંકારહિત જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. પ્રત્યક્ષના લૌકિક તેમજ અલૌકિક એમ બે ભેદ છે – ૧) લૌકિક પ્રત્યક્ષ આંખનું, કાનનું, સ્પર્શનું, સ્વાદનું, ગંધનું; અર્થાત્ પાંચ ઇન્દ્રિયોને ૧- જુઓ : ‘ન્યાયસૂત્ર', અધ્યાય ૧, આલિંક ૧, સૂત્ર ૪ 'इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् ।' Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લગતું પાંચ પ્રકારનું બાહ્ય પ્રત્યક્ષ હોય છે અને આંતર પ્રત્યક્ષ (અથવા માનસ પ્રત્યક્ષ) મનનું હોય છે. લૌકિક પ્રત્યક્ષમાં નીચેનાં ઘટકો ભાગ ભજવે છે - (i) જેનું પ્રત્યક્ષીકરણ થાય છે તે વસ્તુ, દા.ત. ઘડો; (ii) બહારનું માધ્યમ, દા.ત. દષ્ટિ પ્રત્યક્ષમાં પ્રકાશ; (iii) યોગ્ય જ્ઞાનેન્દ્રિય, દા.ત. આંખો; (iv) મન કે જે અંતર ઇન્દ્રિય છે અને જે કેન્દ્રમાં રહી બધાંને સાંકળે છે તે તથા જેની મદદ વિના જ્ઞાનેન્દ્રિયો વસ્તુ ઉપર ક્રિયા કરી શકતી નથી; અને (V) આત્મા. આમાંનું કોઈ પણ ઘટક પોતાનું કાર્ય યોગ્ય રીતે ન બજાવે ત્યારે ખોટું પ્રત્યક્ષીકરણ (ભમ) ઉત્પન્ન થાય છે. લૌકિક પ્રત્યક્ષના નિર્વિકલ્પક અને સવિકલ્પક એમ બે ભેદ પડે છે – i) નિર્વિકલ્પક પ્રત્યક્ષ – આ પ્રકારના પ્રત્યક્ષમાં વસ્તુની જાતિનું જ્ઞાન થતું નથી, પરંતુ આ કંઈક છે' એવું માત્ર વસ્તુના પરિચયનું જ્ઞાન થાય છે. ii) સવિકલ્પક પ્રત્યક્ષ - આ પ્રકારનું પ્રત્યક્ષ એ વસ્તુ અંગેનું જ્ઞાન છે. વસ્તુનો સમાવેશ કઈ જાતિમાં થાય છે તેનું જ્ઞાન. દા.ત. આ સામે આવી રહેલું પ્રાણી ઘોડો છે.” ટૂંકમાં સવિકલ્પક એટલે વસ્તુ અંગેનું જ્ઞાન, જ્યારે નિર્વિકલ્પક એટલે માત્ર વસ્તુના પરિચયનું જ્ઞાન. ૨) અલૌકિક પ્રત્યક્ષના ત્રણ ભેદ માનવામાં આવ્યા છે – (i) સામાન્યલક્ષણ પ્રત્યક્ષ – ‘બધા માણસો મરણશીલ છે' આ વિધાનમાં માણસોમાં રહેલ મનુષ્યત્વ'નું પ્રત્યક્ષ સામાન્ય લક્ષણ (generality) દ્વારા થાય છે. (ii) જ્ઞાનલક્ષણ પ્રત્યક્ષ – ‘સરોવર ઠંડુ દેખાય છે' એમ વિધાન કરવામાં આવે છે ત્યારે ઠંડાપણું કાંઈ જોઈ શકાતું નથી, પણ દેખાય છે' એમ કહેવામાં આવે છે ત્યારે જે જોવામાં આવે છે (સરોવર) તેની સાથે જે જાણવામાં આવે છે (પાણીનું ઠંડું હોવું) તેનું મિશ્રણ થાય છે. (iii) યોગજ પ્રત્યક્ષ – “સર્વ મનુષ્ય મર્ય છે અહીં મનુષ્યત્વ સાથે મર્યત્વ'નો સંબંધ હંમેશને માટે બંધાય છે. આ કાંઈ લૌકિક પ્રત્યક્ષનું પરિણામ નથી, પરંતુ અંતઃપ્રેરણાના કારણે યોગ પ્રત્યક્ષ દ્વારા તે જણાય છે. (૨) અનુમાનપ્રમાણ અનુમાન દ્વારા મેળવેલા જ્ઞાનને અનુમિતિ કહે છે, જે હંમેશાં બીજા જ્ઞાન પછી ૧- કેટલાંક વિદ્વાનોના મત અનુસાર પ્રત્યભિજ્ઞા નામનો ત્રીજો ભેદ પણ છે. પ્રત્યભિજ્ઞા એટલે અનુભવેલા જ્ઞાનની અમુક સમય પછી સ્મૃતિ થવી. Page #604 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ન્યાય દર્શન ૫૭૧ આવે છે. મતલબ કે આ ઇન્દ્રિયજ્ઞાન પછી થતું જ્ઞાન છે. “અનુમાન'નો શાબ્દિક અર્થ છે - પછી જાણવું'. (અનુ = પછી, માન = જાણવું) એક પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થવાથી તેની સાથે સંબંધ રાખનાર અપ્રત્યક્ષ પદાર્થનું જ્ઞાન જેનાથી થાય છે તેને અનુમાન કહે છે. ઉદાહરણ તરીકે - જ્યાં ધુમાડો દેખાય ત્યાં અગ્નિ હશે એવું અનુમાન કરવામાં આવે છે. અનુમાન કેટલીક બાબતમાં પ્રત્યક્ષ કરતાં ચડિયાતું છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે પ્રત્યક્ષ જ્ઞાન માત્ર વર્તમાન હાજર વસ્તુઓ અંગેનું જ થાય છે, જ્યારે અનુમાન જ્ઞાન ભૂત, વર્તમાન તેમજ ભવિષ્યને અંગે પણ કરી શકાય છે. આમ હોવા છતાં પ્રત્યક્ષ એ મૌલિક પ્રમાણ હોવાથી પ્રથમ સ્થાન પામે છે, જ્યારે અનુમાન દ્વિતીય કોટિનું સ્થાન પામે છે; કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન સ્વતંત્ર તથા નિરપેક્ષરૂપે જ્ઞાનનું સાધન છે, જ્યારે અનુમાન પોતાની ઉત્પત્તિ માટે પ્રત્યક્ષ ઉપર આધાર રાખે છે. પ્રત્યક્ષ જ્ઞાન સંદેહરહિત તથા નિશ્ચિત સ્વરૂપનું હોય છે, જ્યારે અનુમાનજન્ય જ્ઞાન સંશયયુક્ત તથા અનિશ્ચિત હોય છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં ઇન્દ્રિયો એ કરણ (સાધન) છે અને ઇન્દ્રિયનો પદાર્થ સાથેનો સંયોગ એ ‘વ્યાપાર' છે. પર્વત ઉપર ધુમાડો જોવાથી ત્યાં અગ્નિ હશે એવું જ્ઞાન થાય છે તેને અનુમિતિ જ્ઞાન કહે છે. એમાં અનુમાન એ સાધન છે અને લિંગપરામર્શ' એ વ્યાપાર છે. લિંગપરામર્શ એટલે “જે ધુમાડાને અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ છે તે ધુમાડાવાળો આ પર્વત છે એવું જે વ્યાપ્તિ વિશિષ્ટ (વ્યાપ્તિવાળા) હેતુનું પક્ષને વિષે જ્ઞાન થાય તે.' ભારતીય દર્શનોમાં અનુમાન સંબંધી સામાન્યતઃ જે ઉદાહરણ ટાંકવામાં આવે છે, તેનાં પદો, વિધાનો વગેરેની પરિભાષા જોઈએ. ઉદા. તરીકે – જે જે ધુમાડાવાળું છે તે તે અગ્નિવાળું છે. પર્વત ધુમાડાવાળો છે. તેથી પર્વત અગ્નિવાળો છે. ઉપરના અનુમાનમાં ત્રણ વિધાનો છે અને દરેક વિધાનમાં બે પદો છે, એમ કુલ છ પદો છે. પરંતુ અહીં દરેક પદ બબ્બે વાર વપરાયું હોવાથી કુલ પદો ત્રણ જ છે, જેને ૧) સાધ્યપદ, ૨) પક્ષપદ અને ૩) હેતુ, લિંગ અથવા મધ્યપદ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યાઓ આ પ્રમાણે આપી શકાય – ૧- જુઓ : શ્રી વિશ્વનાથ તર્કપંચાનન, કારિકાવલી ની ન્યાયમુક્તાવલી' સંવલિતા, શ્લોક ૫૧ “પરમાન્ય જ્ઞાનમfમતિઃ ' ૨- જુઓ : એજન, દિનકરીયમ્' સંવલિતા, શ્લોક ૫૧ 'परामर्शत्वं च व्याप्तिविशिष्टपक्षधर्मताज्ञानत्वं ।' Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૧) સાધ્યપદ – જે સિદ્ધ કરવાનું હોય તે ‘સાધ્ય' કહેવાય. ઉપરના દાખલામાં ‘અગ્નિ' સાધ્યપદ છે. ૨) પક્ષપદ – જેને ઉદ્દેશીને (અથવા જેના વિષે) કશુંક સિદ્ધ કરવાનું હોય તેને ‘પક્ષ' કહેવાય. ઉપરના દાખલામાં ‘પર્વત’ એ પક્ષપદ છે, કારણ કે તેના વિષે અગ્નિ છે તેમ સાબિત કરવાનું છે. ૩) હેતુ, લિંગ અથવા મધ્યપદ – ઉપરના દાખલામાં જોયું કે પર્વત તે પક્ષ છે અને અગ્નિ તે સાધ્ય છે. હવે પ્રશ્ન એ થાય છે કે પક્ષ વિષે સાધ્ય સિદ્ધ કેમ કરવું? તો તેનો જવાબ એ છે કે તે સિદ્ધ કરવા માટે મધ્યપદ' અથવા હેતુ’ની જરૂર રહે છે. અહીં “ધુમાડો' એ હેતુ, લિંગ કે મધ્યપદના સ્થાને છે. હેતુ પક્ષમાં હોવો જ જોઈએ, નહીં તો સાધ્ય સિદ્ધ થાય નહીં. ઉદા.ત. પર્વત ઉપર ધુમાડો ન હોય તો ત્યાં અગ્નિ છે એમ સિદ્ધ થાય નહીં. ‘હેતુ' કે “મધ્યપદ'નું અનુમાનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. આથી તેને અનુમાનની કરોડરજ્જુ કહે છે. મધ્યપદ' બને આધારવિધાનોમાં સમાનપણે હાજર હોય છે, પરંતુ નિગમનમાં તે ગેરહાજર હોય છે. સાધ્ય સિદ્ધ થવા માટે ‘હેતુ’ અને ‘સાધ્ય વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ કે જ્યાં જ્યાં હેતુની હાજરી હોય ત્યાં ત્યાં સાધ્યની પણ હાજરી હોય અને જ્યાં જ્યાં સાધ્યની ગેરહાજરી હોય ત્યાં ત્યાં હેતુની પણ ગેરહાજરી હોય. આ પ્રકારના સાધ્ય અને હેતુના સંબંધને વ્યાપ્તિ સંબંધ (invariable concominance) કહે છે. વ્યાપ્તિ એ હેતુ અને સાધ્યનું નિત્ય અને અનિવાર્ય સાહચર્ય છે. ઉદાહરણ તરીકે - “જે જે ધુમાડાવાળું છે તે તે અગ્નિવાળું છે.' અહીં ધુમાડો (હેતુ) અને અગ્નિ (સાધ્ય) વચ્ચે આ પ્રકારનો વ્યાપ્તિ સંબંધ છે. અનુમાનના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે – (A) પ્રાચીન નૈયાયિકોએ પ્રયોજનની દૃષ્ટિએ અનુમાનના બે પ્રકાર બતાવ્યા છે - ૧) સ્વાર્થાનુમાન અને ૨) પરાર્થાનુમાન. ૧) સ્વાર્થનુમાન – પોતાની ખાતરી માટે કરવામાં આવતું અનુમાન. તેનાથી વ્યક્તિના પોતાના મનની શંકા દૂર થાય છે. આ અનુમાનના ત્રણ અવયવો હોય છે. દા.ત. સામે ટેકરી ઉપર અગ્નિ છે. કારણ કે ત્યાં ધુમાડો છે. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોડું. ૨) પરાર્થાનુમાન – અન્ય વ્યક્તિને ખાતરી કરાવવા થતું અનુમાન. બીજાના મનની Page #606 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - ન્યાય દર્શન પ૭૩ શંકા દૂર કરાવવા માટે થતું અનુમાન. આ અનુમાનના પાંચ અવયવો હોવાથી તેને પંચાવયવી અનુમાન પણ કહે છે. અવયવ એટલે બીજાને સમજાવવા માટે ઇચ્છેલો અર્થ; જેટલાં વાક્યોથી સંપૂર્ણ રીતે સમજાવી શકાય તે વાક્યોમાંનું દરેક વાક્ય. પંચાવયવી અનુમાનનો ક્રમ આ પ્રમાણે છે – (i) પર્વત ઉપર અગ્નિ છે. .... પ્રતિજ્ઞા. (ii) કારણ કે ત્યાં ધુમાડો છે. ..... હેતુ. (iii) જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોડું. ..... ઉદાહરણ. (iv) તેવી જ રીતે આ પર્વત ઉપર અગ્નિથી કદી પણ છૂટો ન પડનાર ધુમાડો છે. .... ઉપનય. (V) તેથી આ પર્વત ઉપર અગ્નિ છે. .... નિગમન. (B) મધ્યપદ અને સાધ્ય પદના સંબંધને અનુલક્ષીને મહર્ષિ ગૌતમે પ્રાચીન ન્યાય દર્શનમાં અનુમાનના ત્રણ પ્રકારો દર્શાવેલ છે - પૂર્વવત્, શેષવતું અને સામાન્યતઃ દૃષ્ટ – ૧) પૂર્વવત્ અનુમાન – જ્ઞાત કારણ ઉપરથી અજ્ઞાત કાર્યનું અનુમાન કરવું તે. દા.ત. ઘટાટોપ વાદળાં, ગડગડાટ પવન, વીજળીના ચમકારા વગેરે કારણો જોઈ વરસાદરૂપ કાર્યનું અનુમાન કરવું તે. ૨) શેષવતુ અનુમાન – જ્ઞાત કાર્યના આધારે અજ્ઞાત કારણનું અનુમાન કરવું તે. દા.ત. પુત્રને જોઈને તેના માતા-પિતા વિષે અનુમાન બાંધવું અથવા તો સવારે ઊઠીને આસપાસ પાણી ભરાયેલું જોઈ રાત્રે વરસાદ થયો હશે એમ અનુમાન કરવું. ૩) સામાન્યતઃ દષ્ટ – બે વસ્તુઓને એકીસાથે જોઈને પછી તેમાંથી એકને જોયા પછી બીજી વસ્તુ વિષે અનુમાન કરવું તે. દા.ત. હંસ સફેદ જ હોય છે. પછી જ્યારે એમ સાંભળવામાં આવે કે અમુક પક્ષી હંસ છે, તો અનુમાન કરવામાં આવે છે કે તે સફેદ જ હશે . ઉપરના ત્રણ પ્રકારનાં અનુમાનોનું સ્વરૂપ જોતાં એ ખ્યાલમાં રાખવાનું છે કે તેમાં મધ્યપદ અને સાધ્યપદ વચ્ચે કોઈ વ્યાપ્તિ સંબંધ હોતો નથી કે તેનું પરિણામ અવયંભાવી હોતું નથી. કાર્ય-કારણના નિયત સંબંધની અહીં વાત નથી. કોઈ વાર એવું બને કે વાદળાં વિખરાઈ જાય અને વરસાદ પડે જ નહીં અથવા આસપાસ કોઈ બીજાં જ કારણોને લઈને પાણી ભરાયેલું હોય અને રાત્રે વરસાદ પડ્યો જ ન હોય અથવા હંસનું હોવું અને સફેદ હોવું એ બન્ને વચ્ચે કોઈ કાર્ય-કારણ કે વ્યાપ્તિ સંબંધ નથી. આથી આ પ્રકારનાં અનુમાનોનું વૈજ્ઞાનિક મૂલ્ય ઓછું છે, પરંતુ લૌકિક મૂલ્ય અવશ્ય છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન (C) નવ્યનૈયાયિકો અનુમાનના ત્રણ પ્રકારો દર્શાવે છે વ્યતિરેકી અને અન્વયવ્યતિરેકી. ૫૭૪ ૧) કેવલાન્વયી જ્યારે વ્યાપ્તિની સ્થાપના ભાવાત્મક છે ત્યારે તેને કેવલાન્વયી અનુમાન કહે છે. (અન્વય બીજાની હાજરી તે અન્વય કહેવાય છે.) ઉદાહરણ તરીકે - - બધા જ્ઞેય પદાર્થો નામધારી છે. ઘટ શેય પદાર્થ છે. તેથી ઘટ નામધારી છે. ૨) કેવલવ્યતિરેકી જે અનુમાનમાં વ્યાપ્તિની સ્થાપના નિષેધાત્મક ઉદાહરણો દ્વારા કરવાની સંભવિતતા રહે તે અનુમાન કેવલવ્યતિરેકી કહેવાય છે. ઉદાહરણ તરીકે - કેવલાન્વયી, કેવલ ઉદાહરણો વડે કરવામાં આવે સાહચર્ય, એકની હાજરીથી - જે અનુમાનમાં વ્યાપ્તિના સ્થાપનની શક્યતા અન્વય તથા ૩) અન્વયવ્યતિરેકી વ્યતિરેક એમ બન્ને પ્રકારે રહેતી હોય તેને અન્વયવ્યતિરેકી અનુમાન કહેવાય છે. બધી આત્મારહિત વસ્તુઓ ચેતનરહિત છે. બધા જીવ ચેતન છે. તેથી બધા જીવોમાં આત્મા છે. ઉદાહરણ તરીકે - (i) બધા ધુમાડાવાળા પદાર્થો અગ્નિવાળા છે. પર્વત ધુમાડાવાળો છે. આથી પર્વત અગ્નિવાળો છે. (ii) બધા અગ્નિરહિત પદાર્થો ધુમાડારહિત છે. પર્વત ધુમાડાવાળો છે. તેથી પર્વત અગ્નિયુક્ત છે. અનુમાનમાં થતાં દોષો (તર્કદોષો, હેત્વાભાસો) ન્યાય દર્શનમાં તર્કદોષોની મીમાંસા ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાંના ઘણા દોષો તાર્કિક દોષો નહીં પણ વાદવિવાદને અંગેના છે. પક્ષપદનો ખોટો ઉપયોગ ક૨વાથી, ખોટા દૃષ્ટાંતથી કે ખોટા મધ્યપદના કારણે તર્કદોષો ઉદ્ભવે છે. તેને હેત્વાભાસ પણ કહે છે. સવ્યભિચાર, વિરુદ્ધ, સત્પ્રતિપક્ષ, અસિદ્ધ, કાલાતીત, બાધિત એમ છ પ્રકારના તર્કદોષો - હેત્વાભાસો ન્યાય ગ્રંથોમાં ગણાવવામાં આવે છે. તે હવે સંક્ષેપમાં જોઈએ ૧) સવ્યભિચાર એટલે એવો હેતુ જે એક કરતાં વધુ નિગમન ત૨ફ દોરે છે. દા.ત. Page #608 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ન્યાય દર્શન ૫૭૫ ‘ધ્વનિ નિત્ય છે, કેમ કે તે અમૂર્ત છે. અહીં અમૂર્તતા ઉપરથી નિત્યતાનું અનુમાન કરવું અયોગ્ય છે, કેમ કે તેમાંથી તો અનિત્યતા પણ ફલિત થાય છે. દા.ત. બુદ્ધિ અમૂર્ત છે અને અનિત્ય છે. આ દોષને દૂષિત મધ્ય પણ કહી શકાય. ૨) વિરુદ્ધ – એટલે એવો હેતુ જે હકીકતની વિરુદ્ધ જતો હોય છે. દા.ત. માણસ મર્ય છે, કારણ કે તે દિવ્ય છે.' અહીં દિવ્યતા તો મર્યતાની વિરુદ્ધ જાય છે. ૩) સમ્પ્રતિપક્ષ (પ્રકરણસમ) – એટલે એવો હેતુ જે તર્કને તટસ્થ બનાવી દે છે અને જેમાં મધ્યપદ ખોટું પડે છે. નિગમન સ્થાપવા માટે આપેલો હેતુ નિગમન સ્થાપવાને બદલે માત્ર સંદેહ ઉત્પન્ન કરે છે. તે સાધ્યને સિદ્ધ કરવાને બદલે સાધ્યના પ્રશ્નમાં માત્ર ફેરફાર જ કરે છે. દા.ત. “માનવ મત્સ્ય છે, કેમ કે તે ઉત્તેજનશીલ છે.' બીજી અપ્રસ્તુત બાબતોનો ટેકો લઈને મધ્યપદને ખોટું પાડી શકાય છે, એટલે આખરે તો એમાંથી કંઈ પણ સિદ્ધ થતું નથી, માત્ર સંદેહ જ રહે છે. ૪) અસિદ્ધ (સાધ્યમ) – એટલે કે એવો હેતુ જે પોતે જ (સાધ્યની જેમ) અસિદ્ધ છે. આ પ્રકારના હેતુને પોતાને જ સાબિતીની જરૂર છે. દા.ત. “પડછાયો પદાર્થ છે, કારણ કે તે હાલે છે.” અથવા “માનવ મઢ્યું છે, કેમ કે તે નરાશ્વ (અડધો માણસ અને અડધો ઘોડો) છે. અહીં નરાશ્વપણું પોતે જ અસિદ્ધ છે, તેથી તે કંઈ સિદ્ધ કરી શકે એમ નથી. ૫) કાલાતીત – એટલે જેમાં હેતુ તરીકે રજૂ કરાયેલી ઘટના સમય પસાર થઈ જવાના કારણે હેતુ રહેતી નથી. દા.ત. “ધ્વનિ નિત્ય છે, કેમ કે તે રંગની જેમ સંયોગથી ઉત્પન્ન થાય છે. અહીં રંગ તો પ્રકાશ અને ઘડાના સંયોગની સાથે સાથે જ દેખાય છે, જ્યારે ધ્વનિ તો લાકડી અને ઢોલકના સંયોગ પછી ઉત્પન્ન થાય છે; એટલે રંગ નિત્ય હોય તો ધ્વનિ પણ નિત્ય હોવો જ જોઈએ એવું ફલિત થતું નથી, કેમ કે આપેલો હેતુ કાલાતીત છે. ૬) બાધિત – એટલે એવો હેતુ જેને અનુમાન સિવાયના પ્રમાણ વડે ખોટો સિદ્ધ કરી શકાય. દા.ત. ‘અગ્નિ ઠંડો છે, કેમ કે તે દ્રવ્ય છે.' પ્રત્યક્ષ અનુભવમાં અગ્નિ તો બાળે છે, તેથી તે બાધિત છે. (૩) ઉપમાન (સાદશ્ય)પ્રમાણ ઉપમાન દ્વારા મેળવેલા જ્ઞાનને ઉપમિતિ જ્ઞાન કહે છે. ન્યાયસૂત્રો અનુસાર સંજ્ઞા (word) તથા સંજ્ઞી(denotation)ના સંબંધનું જ્ઞાન થવું તેને ઉપમિતિ કહે છે અને ૧- જુઓ : શ્રી વિશ્વનાથતર્કપંચાનન, ‘કારિકાવલી' ની ‘પ્રભા' સંવલિતા, શ્લોક ૮૦ સંજ્ઞાસંજ્ઞિસંવન્થજ્ઞાત્વિમુપતિ ” Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપમિતિ જેનું કરણ (સાધન) છે એવું ઉપમિતિજન્ય જ્ઞાન તે ઉપમાન. ટૂંકમાં નામ અને તેનાથી દર્શાવાતી વસ્તુ વચ્ચેનો સંબંધ જ ઉપમાનનું વિષયક્ષેત્ર છે. ઉદાહરણ તરીકે - શહેરમાં રહેતી કોઈ વ્યક્તિએ ગાય જોઈ હોય, પરંતુ નીલગાય (જંગલી ગાય કે રોઝના જેવું પશુ) કદાપિ ન જોઈ હોય; તેને નીલગાય કેવી હોય તે સમજાવવા માટે એમ કહેવામાં આવે છે કે તે દેખાવમાં ગાય જેવી જ હોય છે. પછી તે શહેરી માણસ કોઈ વાર જંગલમાં જઈ ચઢે અને ત્યાં ગાય જેવું જંગલી પશુ જુએ, પછી તે કહેવામાં આવેલી કે સાંભળેલી વાત યાદ કરી સારશ્ય તર્ક દ્વારા “આ પશુ નીલગાય છે' એવું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન તે ઉપમિતિ જ્ઞાન. તેને સાદશ્ય જ્ઞાન પણ કહેવામાં આવે છે. અહીં કદાચ કોઈ એમ શંકા ઉઠાવે કે અમુક અંશના સરખાપણાથી કાંઈ ઉપમાન પ્રમાણ સિદ્ધ થઈ શકે નહીં. દા.ત. ‘બળદ જેવો પાડો', ‘હાથી જેવી બિલાડી' - આવા વાક્ય પ્રયોગો સાદશ્યમાં થતા નથી. તો તેનો જવાબ એમ આપી શકાય કે લોકોમાં જે સાધર્મ્સ, એટલે કે સમાન ગુણ-લક્ષણ જાણીતું હોય, તેના વડે જ ઉપમાનપ્રમાણ સિદ્ધ થાય છે. દા.ત. જેવી ગાય હોય છે, તેવી જ જંગલી ગાય હોય છે. કવિઓ પણ ‘દાડમની કળી જેવાં દાંત' એમ ઉપમા અલંકારનો પ્રયોગ કરે છે. અનુમાનપ્રમાણ અને ઉપમાનપ્રમાણ બને એક નથી. ધુમાડા અને અગ્નિ વચ્ચે જેવો વ્યાપ્તિ સંબંધ હોય છે, તેવો ગાય અને જંગલી ગાય વચ્ચે વ્યાપ્તિ સંબંધ હોતો નથી. અનુમાન સ્વાર્થ કે પરાર્થ હોઈ શકે. જ્યારે ઉપમાન પરાર્થ જ હોય છે. ઉપમાનનું પ્રામાણ્ય કારણ-કાર્ય સંબંધ ઉપર નહીં પણ અનુભવના આધાર ઉપર છે. ચાર્વાકો ઉપમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. બૌદ્ધો ઉપમાનને પ્રત્યક્ષપ્રમાણ તેમજ શબ્દપ્રમાણમાં, સાંખ્ય દર્શન તથા વૈશેષિક દર્શન તેને અનુમાનપ્રમાણમાં અને જૈનો તેને પ્રત્યભિજ્ઞામાં સમાવે છે. મીમાંસકો ઉપમાનને જ્ઞાનના એક અલગ પ્રમાણ તરીકે સ્વીકારે છે, પરંતુ ન્યાય દર્શન કરતાં જુદી રીતે તેને વિચારે છે. (૪) શબ્દપ્રમાણ ન્યાય દર્શનના મત મુજબ શબ્દ એ જ્ઞાન મેળવવાનું સાધન છે. શબ્દ એ પ્રમાણ છે અને એનાથી જે જ્ઞાન થાય છે એ શબ્દપ્રમાણ. આપ્તપુરુષનાં વાક્યો એ જ શબ્દપ્રમાણ છે. આપ્ત એટલે જેના શબ્દો વિશ્વાસપાત્ર હોય છે એવી સત્યનિષ્ઠ, સત્યવક્તા વ્યક્તિ. શ્રુતિકારો, ઋષિમુનિઓ, ધર્મપ્રવર્તકો વગેરેને “આપ્ત' માનવામાં આવે છે. તેમની નિઃસ્વાર્થતા તેમજ તેમનાં કથનની યથાર્થતાના આધારે નિર્ણય કરાય છે કે તેઓ ૧- જુઓ : ‘ન્યાયસૂત્ર', અધ્યાય ૧, આહ્નિક ૧, સૂત્ર ૭ માતોશઃ શબ્દઃ ' Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ ષડ્દર્શનપરિચય ન્યાય દર્શન આપ્તજન છે. લૌકિક જ્ઞાનની બાબતમાં વૈજ્ઞાનિકો આપ્ત ગણાય છે, કારણ કે સામાન્ય માણસ વૈજ્ઞાનિકોનું કહેવું સાચું માની પોતાનો વ્યવહાર ચલાવે છે. ચાર્વાક દર્શન શબ્દને પ્રમાણ માનતું નથી. બૌદ્ધ દર્શન અને વૈશેષિક દર્શન તેનો સમાવેશ અનુમાનમાં કરે છે. સાંખ્ય દર્શન કેવળ વૈદિક શબ્દને જ સ્વતંત્ર પ્રમાણ માને છે. ન્યાય દર્શનમાં શબ્દનું સ્થાન એક સ્વતંત્ર પ્રમાણ તરીકેનું છે. શબ્દના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે (A) અર્થના વિષયની દૃષ્ટિએ તેના બે ભેદ પડે છે દૃષ્ટાર્થ અને અદષ્ટાર્થ ૧) દૃષ્ટાર્થ એટલે જે પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ છે તે. જેણે અર્થનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવીને અર્થનો ઉપદેશ આપ્યો હોય તે દૃષ્ટાર્થક ઉપદેશ છે. ઉદા.ત. અદાલતોમાં દાર્શનિક પુરાવાઓ રજૂ કરતા સાક્ષીઓ. 1 ૨) અદૃષ્ટાર્થ એટલે પ્રત્યક્ષ દ્વારા અસિદ્ધ. જેણે અનુમાનથી અર્થને જાણીને ઉપદેશ આપ્યો હોય તે અદ્વેષ્ટાર્થ ઉપદેશ. ઉદા.ત. વૈજ્ઞાનિકોએ અણુ-પરમાણુઓનાં સ્વરૂપ સંબંધી આપેલા ખ્યાલો વગેરે. (B) શબ્દની ઉત્પત્તિની દૃષ્ટિએ પણ તેના બે ભેદ પડે છે અલૌકિક અને લૌકિક ૧) અલૌકિક શબ્દ (વેદવાક્ય) ન્યાય દર્શન વેદના ઉપદેશને પ્રમાણભૂત ગણે છે, કારણ કે તેમના મત અનુસાર તેના પ્રણેતા ઈશ્વર સર્વજ્ઞ છે. વેદવાક્યો સત્યની પ્રાપ્તિ માટે સાધનરૂપ છે. અલૌકિક શબ્દ એ સાક્ષાત્ ઈશ્વરે ઉચ્ચારેલ હોવાથી તેને અપૌરુષેય માનવામાં આવે છે અને તેથી તે વચન ખોટાં પડવાં કે તેમાં કાંઈ શંકા ઉત્પન્ન થવાનો સંભવ નથી. તેથી જ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી વિરુદ્ધ જતાં હોય તોપણ શ્રુતિ કે વેદ હંમેશાં સાચાં જ ઠરે છે, તે શંકાથી પર છે એમ તેમનું માનવું છે. ૨) લૌકિક શબ્દ લોકો દ્વારા બોલાયેલા હોવાથી તે ખોટા પડવાની શક્યતા રહે છે. લૌકિક શબ્દોમાં પણ જેટલા આપ્ત લોકોએ કહેલા હોય તે પ્રમાણ મનાય છે. લૌકિક માનવકૃત છે, જ્યારે અલૌકિક ઈશ્વરકૃત છે. (III) તત્ત્વમીમાંસા કાર્ય-કારણમીમાંસા કાર્ય-કારણ સંબંધની વિચારણા એ તત્ત્વચિંતનના પાયારૂપ છે. કાર્ય-કારણ સંબંધને લગતા વિવિધ મતો ભારતીય દર્શનમાં પ્રચલિત છે. બૌદ્ધમત અનુસાર કારણ અસત્ છે Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અને કાર્ય સત્ છે. વેદાંતમત અનુસાર કારણ સત્ છે અને કાર્ય અસત્ છે. ન્યાય દર્શન તેમજ સાંખ્ય દર્શન બન્નેના મત અનુસાર કારણ અને કાર્ય અને સત્ છે, પરંતુ તે બન્ને દર્શનના મતમાં તફાવત છે. ન્યાય દર્શન મુજબ ક્રિયા થાય તે પહેલાં કાર્ય હાજર હોતું નથી, જ્યારે સાંખ્ય દર્શન અનુસાર કાર્ય અને કારણ બને સહઅસ્તિત્વ ધરાવે છે. કારણ-કાર્ય સંબંધ વિષે સાંખ્ય દર્શન અને ન્યાય દર્શનમાં મતભેદ હોવાથી તેના જગત-ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતો તેમજ તેની તત્ત્વમીમાંસા ઉપર પણ એની અસર થઈ છે. ન્યાય દર્શન અસત્કાર્યવાદ અથવા પ્રારંભવાદમાં આસ્થા ધરાવે છે, તેના મત પ્રમાણે કાર્ય' પ્રથમથી જ કારણમાં અવ્યક્ત રૂપે રહેલું નથી, પરંતુ તે એક નવીન ઉત્પત્તિ છે. ઉત્પત્તિ એટલે જૂની વસ્તુમાંથી નવીન વસ્તુનું ઉત્પન્ન થવું તે. અસત્કાર્યવાદના સ્થાપન અર્થે ન્યાય દર્શન કેટલીક દલીલો કરે છે – ૧) જો કાર્ય તેની ઉત્પત્તિ પૂર્વે કારણમાં રહેતું હોત તો પછી નિમિત્તકારણની કશી જરૂર જ રહેતી નથી. માટીમાં ઘડો પ્રથમથી જ રહેલો હોય તો પછી કુંભાર કે તેના ઓજારોની જરૂર રહેતી નથી. પરંતુ અનુભવ દ્વારા એમ કહી શકાય છે કે પ્રત્યેક કારણમાંથી કાર્ય નિર્માણ કરવા માટે નિમિત્તકારણની જરૂર રહે છે. આથી સાબિત થાય છે કે કાર્ય તેની ઉત્પત્તિ થયા પહેલાં કારણમાં રહેલું હોતું નથી. ૨) જો કાર્ય તેની ઉત્પત્તિ પૂર્વે કારણમાં રહેતું હોત તો કાર્યની ઉત્પત્તિ થયા પછી આ ઉત્પન્ન થયું', “કાર્ય ઉત્પન્ન થયું' વગેરે વિધાનો તદન અર્થહીન નીવડત. પરંતુ આ પ્રકારના વાક્યપ્રયોગ થાય છે. તે સાબિત કરે છે કે કાર્ય ઉત્પત્તિ પહેલાં કારણમાં રહેલું હોતું નથી. ૩) જો કાર્ય તેની ઉત્પત્તિ પહેલાં કારણમાં રહેલું હોત તો કારણ અને કાર્ય વચ્ચે કોઈ ભેદ પાડવો મુશ્કેલ પડત. પરંતુ અનુભવ દ્વારા કહી શકાય છે કે કારણ અને કાર્ય બને ભિન્ન છે. માટી તથા ઘડો બન્ને એક નથી. બન્ને વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ છે. આમ, કાર્યની સત્તા કારણમાં નથી. ૪) જો કાર્ય વસ્તુતઃ કારણમાં રહેતું હોત તો “કારણ અને કાર્ય માટે એક જ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા, પરંતુ બન્ને માટે અલગ અલગ શબ્દપ્રયોગ થાય છે. તે બતાવી આપે છે કે કાર્ય કારણમાં અંતર્ભત નથી. ૧- સાંખ્યમત મુજબ ઉત્પત્તિ એટલે વસ્તુના એક પાસામાંથી બીજા પાસાનો વિકાસ અથવા ઉત્ક્રાંતિ. બૌદ્ધમત મુજબ ઉત્પત્તિ એટલે અભાવ(શૂન્ય)માંથી વસ્તુ ઉત્પન્ન થવી તે. વેદાંતમત મુજબ ઉત્પત્તિ માત્ર માનસિક ખ્યાલ જ છે, ક્રિયા કે પરિણામ તો માત્ર વિવર્ત (આભાસ) છે. માયા છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ન્યાય દર્શન ૫૭૯ ૫) જો કાર્ય અને કારણ વસ્તુતઃ અભિન્ન હોત તો બન્ને દ્વારા એક જ હેતુ સરવો જોઈએ. પરંતુ કાર્યનું પ્રયોજન કારણના પ્રયોજનથી ભિન્ન છે. માટીના બનેલા ઘડામાં પાણી ભરી શકાય છે, પરંતુ સ્વયં માટીનો તે પ્રકારે ઉપયોગ થઈ શકતો નથી. ૬) કાર્ય તથા કારણમાં આકારની પણ ભિન્નતા છે. કાર્યનો આકાર કારણના આકારથી ભિન્ન હોય છે. આથી કાર્યનું નિર્માણ થઈ ગયા પછી એમ માનવું પડે છે કે કાર્યના આકારનો કે જે કારણમાં અસત્ હતો, તેનો પ્રાદુર્ભાવ થયો. આમ, ન્યાય દર્શનના મત પ્રમાણે વસ્તુ ઉત્પન્ન થાય તે પહેલાં અને તે વસ્તુ નાશ પામે તે પછી તેનો અભાવ હોય છે, એટલે કે કાર્ય પ્રથમથી જ કારણમાં અવ્યક્ત રૂપે રહેલું હોતું નથી, પરંતુ તે એક નવીન ઉત્પત્તિ હોય છે. માટીમાં ઘડો પ્રથમથી રહેલો નથી, પરંતુ કુંભાર અને ઓજારો જેવાં નિમિત્તકારણના સહયોગ વડે માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થાય છે. (૧) આત્મા વિષે વિચાર નિઃશ્રેયસની પ્રાપ્તિને લક્ષ્ય તરીકે રાખી ન્યાય દર્શન કુલ ૧૨ પ્રમેયો ગણાવે છે. પ્રમેય એટલે પ્રમા(જ્ઞાન)નો જે વિષય હોય તે. આ ૧૨ પ્રમેયો આ પ્રમાણે છે - આત્મા, શરીર, ઇન્દ્રિયો, વિષયો (જ્ઞેય પદાર્થો - ઇન્દ્રિયોના અર્થ), જ્ઞાન (બુદ્ધિયુક્ત), મન, પ્રવૃત્તિ (સારાં-ખરાબ કર્મો કરવામાં આવે તે), દોષ (રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન થાય તે), પ્રેત્યભાવ (મૃત્યુ), ફલ (શુભ કે અશુભ ફળપ્રાપ્તિ), દુઃખ અને અપવર્ગ (મોક્ષ). ઉપર જણાવેલાં ૧૨ પ્રમેયોમાં પ્રથમ આત્મા નામે પ્રમેય છે. તે અંગે વિચારીએ – અન્ય દર્શનોના આત્મા વિષેના ખ્યાલથી નૈયાયિકો ત્રણ બાબતમાં જુદા પડે છે. તેઓ આત્માને ૧) જડસ્વભાવી ૨) કૂટસ્થ નિત્ય અને ૩) સર્વગત માને છે. ૧) નૈયાયિકોના મત અનુસાર આત્મા એક દ્રવ્ય છે જે અનાદિ-અનંત છે અને ઇચ્છા, દ્રષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વગેરે તેના ગુણ છે. ગુણ ગુણીની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે; અર્થાત્ જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા છે ખરા, પણ સ્વરૂપે અને સ્વભાવે આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી પણ એક આકસ્મિક ગુણ છે. આત્મામાં ચેતનાનો સંચાર ત્યારે જ થાય છે કે જ્યારે તેનો મન જોડે, મનની ઇન્દ્રિય જોડે અને ઇન્દ્રિયનો બાહ્ય વસ્તુઓ જોડે સંપર્ક થાય છે. આવો સંપર્ક જો ન થાય તો આત્મામાં ચૈતન્યનો ઉદય જ થાય નહીં. આથી આત્મા જ્યારે શરીરથી મુક્તિ મેળવે છે ત્યારે તેમાં જ્ઞાનનો અભાવ રહે છે. કૈવલ્ય અવસ્થામાં આત્મા સ્વભાવમાં, અર્થાત્ નિર્ગુણ ભાવમાં રહે છે. આમ, ન્યાય દર્શનના મત પ્રમાણે આત્મા સ્વરૂપે કરીને અચેતન અથવા જડ છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ૨) નૈયાયિકોના મત પ્રમાણે જેમ આત્મા જ્ઞાનાદિ ગુણોથી સ્વતંત્ર છે, તેમ તે પર્યાયાદિ દ્વારા પણ અપરિવર્તિત છે. જ્ઞાનની સાથે સંબંધ રહે કે ન રહે, આત્મા હંમેશાં ફૂટસ્થ છે, અપરિણામી છે. - ૩) નૈયાયિકોના મત અનુસાર આત્મા સર્વવ્યાપક અને સર્વગત છે. મૂળ જડ સ્વરૂપ હોવાથી સર્વવ્યાપક ન હોય તો પછી આત્માનો જગતના પદાર્થો સાથે સંયોગ કે સંબંધ ન સંભવે અને આત્મા સર્વગત ન હોય તો વિવિધ દિશાઓ અને દેશોમાં રહેલાં પરમાણુસમૂહની સાથે એનો યુગપત્ સંયોગ ન સંભવે અને એ પ્રમાણેનો સંયોગ અસંભવિત હોય તો શરીરાદિની ઉત્પત્તિ પણ અસંભવિત જ બની જાય, માટે આત્મા સર્વવ્યાપક છે એમ તેમનું કહેવું છે. કેટલાક દાર્શનિકો આત્માને અણુપરિમાણ માને છે, કેટલાક દાર્શનિકો આત્માને દેહપરિમાણ માને છે અને કેટલાક તેને સર્વવ્યાપી (વિભુ) માને છે. ન્યાય દર્શન માને છે કે આત્મા નિરવયવ અને વિભુ છે તથા નિત્ય છે. ન્યાયમત અનુસાર આત્મા અણુપરિમાણ નથી. અણુપરિમાણાત્મક વસ્તુનું અને તેના ગુણોનું પ્રત્યક્ષ જ્ઞાન સંભવે નહીં. આ કારણે જ પરમાણુ અને તેના રૂપ વગેરે ગુણો પ્રત્યક્ષગોચર નથી, પરંતુ ‘હું સુખી છું', ‘હું જાણું છું' વગેરે પ્રતીતિઓમાં માનસપ્રત્યક્ષ દ્વારા આત્મા અને તેના ગુણોનું જ્ઞાન થાય છે. આથી આત્મા અણુપરિમાણ નથી, પણ વિભુ છે એમ માનવું ઉચિત છે. વળી, શરીર જુદે જુદે સ્થાને જતાં તે તે સ્થાને આત્મગુણોની ઉત્પત્તિ આત્માને સર્વવ્યાપી પુરવાર કરે છે. વળી, યોગી અનેક શરીરો નિર્માણ કરી એક જ વખતે તે બધાં શરીરોમાં સુખ વગેરે ભોગવે છે. આત્માને વિભુ માન્યા વિના આ શક્ય નથી. વળી, સ્થળ-કાળની દૃષ્ટિએ જોતાં તે અસીમ છે, આથી તે વિભુ છે. આત્માની ઉત્પત્તિ કે નાશ થતો નથી, આથી તે નિત્ય છે. (૨) વિશ્વ વિષે વિચાર ન્યાય દર્શન બાહ્યાર્થવાદને સ્વીકારે છે. તેના મત પ્રમાણે ભૌતિક વસ્તુઓ અને તેના ગુણ સત્ય છે. તે ક્ષણિક નથી પણ સ્થાયી છે. દ્રવ્ય સત્ય છે અને નિરંતર રહે છે. ગુણોથી તેનું અસ્તિત્વ ભિન્ન છે. જગતને જાણી શકાય છે. જીવાત્મા તેનો શાતા છે. ઈશ્વર જગતના સ્રષ્ટા છે. ઈશ્વરે નિત્ય પરમાણુઓમાંથી જગતની રચના કરી છે. પરમાણુઓની ઉત્પત્તિ ઈશ્વરે કરી નથી. ઈશ્વર જગતનું નિમિત્તકા૨ણ છે. વિશ્વ અણુઓનું બનેલું છે. અણુઓ સનાતન છે, અવ્યય છે, અનાદિ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશના અણુઓ એકમેક સાથે મળવાથી વિશ્વની રચના થઈ છે. જગતમાં જે પરિવર્તનો થાય છે તે કારણના નિયમ અનુસાર થાય છે, પરંતુ Page #614 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શન પરિચય - ન્યાય દર્શન ૫૮૧ જગત એક નિપ્રયોજન યંત્ર નથી. કારણના નિયમની સાથે સાથે કર્મના નિયમ પણ જગતનું શાસન કરે છે. જગતની સર્વ ઘટનાઓ કારણની સાથે સાથે ધર્માધર્મના નિયમનું પણ પાલન કરે છે. ન્યાય દર્શન જગતને નૈતિક પ્રયોજનનું સાધક માને છે. કારણનો નિયમ કર્મના નિયમ અથવા નૈતિક નિયમને આધીન છે. ઈશ્વર ભૌતિક વ્યવસ્થાને નૈતિક વ્યવસ્થાને આધીન રાખે છે. ઈશ્વર પ્રકૃતિને આધ્યાત્મિક પ્રયોજન અનુસાર ચલાવે છે. ન્યાય દર્શન સેશ્વર પરમાણુવાદ(theistic atomism)ને માને છે. તે નિત્ય પરમાણુઓને પણ માને છે અને ઈશ્વરને પણ માને છે. આ બન્નેનું અસ્તિત્વ પરસ્પર આશ્રિત નથી. ન્યાય દર્શન સૃષ્ટિના પ્રભાવ અને પ્રલયને પણ સ્વીકારે છે. (૩) ઈશ્વર વિષે વિચાર ન્યાય દર્શન સેશ્વરવાદી છે. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂત્રોમાંથી ઈશ્વરના અસ્તિત્વ અંગે માત્ર આછો ખ્યાલ મળે છે. તેમણે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા કોઈ સભાન પ્રયત્ન કર્યો જણાતો નથી. તે છતાં ન્યાયસૂત્રો ઉપરના ભાષ્ય રચનારાઓએ એવાં ઘણાં સૂત્રો ટાંકી એમ બતાવવા પ્રયત્ન કર્યો છે કે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માન્ય કરે છે. ખાસ કરીને ઉત્તરકાલીન નૈયાયિકોએ ઈશ્વરના અસ્તિત્વ અંગે ઘણી વિશદ ચર્ચાઓ કરેલી છે. તેમના મત અનુસાર કોઈ પણ વ્યક્તિને સત્તત્ત્વોનું જ્ઞાન મેળવવા માટે તેમજ પદાર્થોનું સમ્યજ્ઞાન મેળવવા માટે તથા નિઃશ્રેયસ(મોક્ષ)ની પ્રાપ્તિ અર્થે ઈશ્વરના અનુગ્રહની જરૂર રહે છે. ઈશ્વરની કૃપા વગર ન તો જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે, ન તો મોક્ષપ્રાપ્તિ. ઈશ્વર જગતનો સર્જક છે. તે જગતનું નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી. તે અનંત અને સર્વશક્તિમાન છે, ઐશ્વર્યયુક્ત અને અનાસક્ત છે. તેમણે ઈશ્વરને પરમાત્મા કહ્યો છે. ન્યાય દર્શનમાં જીવાત્મા અને પરમાત્મા એમ આત્માનાં બે રૂપો નિરૂપાયેલાં છે. જીવાત્માઓ અનેક છે અને પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. પરમાત્મા એક છે, નિત્ય છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન તથા સર્વવ્યાપક છે. ઈશ્વર અનંત ગુણોથી યુક્ત છે, જેમાં છ ગુણો પ્રધાન છે - આધિપત્ય (ઐશ્વર્ય), વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આથી ઈશ્વરને પકૈશ્વર્યયુક્ત કહે છે. આ ગુણો ઈશ્વરમાં પૂર્ણપણે વ્યાપ્ત છે. ઈશ્વર જ્ઞાન, ગુણ, ઇચ્છા અને યત્નથી રહિત નથી; પરંતુ માત્ર સુખ, દુઃખ, ગમા, અણગમાથી રહિત છે અને તેથી હંમેશાં પ્રવૃત્તિશીલ હોવા છતાં તે કદી કોઈ પણ પ્રવૃત્તિ સ્વાર્થથી કરતો નથી. ઈશ્વર જગતકર્તા છે. તે આ સૃષ્ટિના સર્જનહાર દેવ છે, તેમજ પ્રલયકારી પણ તે જ છે. તે સૃષ્ટિને જાળવી રાખે છે અને વિશ્વનો તે પ્રયોજનકર્તા છે. અવિનાશી એવા પદાર્થો - અણુઓ, આકાશ, કાળ, દિશા, મન અને આત્મામાંથી તે સૃષ્ટિનું Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્જન કરે છે. વળી, તે મનુષ્યને પોતપોતાનાં કર્મ અનુસાર ફળ પણ આપે છે. ન્યાયમત પ્રમાણે ઈશ્વરની અધ્યક્ષતામાં અદૃષ્ટ (પોતપોતાનાં કર્મ અનુસાર ફળ મળવું એ પ્રક્રિયાને અદૃષ્ટ કહેવાય છે) ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતો, પણ ફક્ત એનું સંચાલન કરે છે. ઈશ્વરના અસ્તિત્વ અંગે ન્યાય દર્શનમાં અનેક તર્કયુક્ત દલીલો રજૂ કરવામાં આવી છે. શ્રી ઉદયનાચાર્યે તેમની કૃતિ ‘ન્યાયકુસુમાંજલિ'માં ઈશ્વરના અસ્તિત્વ અંગે કરેલી મહત્ત્વની દલીલો જોઈએ – ૧) બ્રહ્માંડવિષયક દલીલ તથા કાર્ય-કારણમૂલક દલીલ આ દલીલમાં કાર્ય-કારણના નિયમના આધારે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. જગતની સર્વ ક્રિયાઓ ક્રમબદ્ધ અને વ્યવસ્થિતપણે ચાલે છે, જે જગનિયંતાને આભારી છે. ઘડાનો સર્જક જેમ કુંભાર છે, તેમ સમગ્ર જગતનો પણ કોઈ સર્જક હોવો જોઈએ અને તે સર્વજ્ઞ ઈશ્વર છે. પરમાણુઓ સ્વયં નિષ્ક્રિય હોવાથી તે સ્વતંત્રપણે એકબીજા સાથે જોડાઈ શકતાં નથી. તેને ગતિ પ્રદાન કરવા માટે ઈશ્વર તત્ત્વની જરૂર રહે છે. ઈશ્વરની ઇચ્છાથી જ સૃષ્ટિના સર્જન અને પ્રલય થાય છે. ૨) પ્રયોજન ઉપર આધારિત દલીલ જગત નિર્દેતુક નથી. તે કોઈ વસ્તુ કે વિષય પ્રતિ નિર્દેશ કરે છે અને જે શબ્દો દ્વારા તે નિર્દેશ થાય, તે શબ્દોમાં રહેલી જે અર્થશક્તિ છે તે પણ ઈશ્વર દ્વારા જ આવે છે. ઈશ્વર શબ્દનો અર્થ આપે છે. કપડાં વણવાં વગેરે કલાઓ પણ ગુરુશિષ્ય પરંપરાથી ચાલી આવે છે અને તેનો સર્વ પ્રથમ આવિષ્કાર પણ ઈશ્વર દ્વારા જ થયો છે એમ નૈયાયિકો માને છે. ૩) નૈતિક વ્યવસ્થા ઉપર આધારિત દલીલ ઈશ્વર નૈતિક નિયમોનો સ્થાપક છે. ભલાને સુખી બનાવે છે અને બૂરાને તે દંડ દે છે. સારાં-ખરાબ કર્મોનો બદલો તદનુરૂપ મળ્યા વગર રહેતો નથી, પરંતુ કર્મ જ કર્મફળનું એકમાત્ર અને અદ્વિતીય કારણ છે એ વાત નૈયાયિકોને મંજૂર નથી. જો કર્મફળ એકમાત્ર કર્મને જ આધીન હોય તો પછી પ્રત્યેક કર્મ ફળવાળું દેખાવું જોઈએ. પુરુષકૃત કર્મ ઘણી વાર નિષ્ફળ નીવડતું દેખાય છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે કર્મફળના વિષયમાં કર્મ ઉપરાંત એક કર્મફળનિયંતા ઈશ્વર પણ છે. ૪) વેદના પ્રામાણ્ય ઉપર આધારિત દલીલ વેદ પ્રમાણગ્રંથ તરીકે સ્વીકારાય છે. વેદને અપૌરુષેય માનવામાં આવે છે. વેદ Page #616 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ન્યાય દર્શન ૫૮૩ ઈશ્વરરચિત છે, માટે વેદ કદી ખોટા હોઈ શકે નહીં. વેદ ઈશ્વરપ્રણીત હોવાથી તેની વિરુદ્ધ શંકા ઉઠાવી શકાય નહીં. બધી શ્રુતિઓ ઈશ્વરના અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે, આથી ઈશ્વરની સત્તા સાબિત થાય છે. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ ન્યાયમત અનુસાર આત્મા શરીર, ઇન્દ્રિય અને મનથી ભિન્ન છે. પરંતુ અજ્ઞાનના કારણે આત્મા શરીર, ઇન્દ્રિય અને મનને પોતાના અંગરૂપ માને છે અને તેની સાથે તાદાભ્ય સાધે છે. એનું નામ જ બંધન છે. બંધનની અવસ્થામાં આત્માએ સાંસારિક દુઃખોને તાબે રહેવું પડે છે અને જન્મ-મરણની ઘટમાળમાં ફરવું પડે છે. જીવનનાં દુઃખોને સહન કરવાં અને તે માટે ફરી ફરી જન્મ ગ્રહણ કરી ચોર્યાસીના ચક્કરનો ભોગ બનવું એ જ બંધન છે અને તેનો અંત તે મોક્ષ છે. ન્યાયમત મુજબ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ તે જ મોક્ષ છે, અર્થાત્ મુક્તિ એટલે દુઃખોનો એવો સમૂળગો નાશ કે ફરી કદી પણ એનો પ્રાદુર્ભાવ જ ન થઈ શકે. ૧ મુક્તિનું બીજું નામ અપવર્ગ છે. દુઃખ, જન્મ, પ્રવૃત્તિ (રાગ, દ્વેષ, મોહ), દોષ (ધર્મ અને અધર્મ) અને મિથ્યાજ્ઞાન, એ બધાનો નાશ (અભાવ) થવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જ્યારે ૨૧ પ્રકારનાં દુઃખો નાશ પામે છે ત્યારે આવી આત્યંતિક દુઃખનિવૃત્તિ થાય છે. શરીર દુ:ખભોગનું આયતન હોવાથી દુ:ખ છે. ઇન્દ્રિયો, વિષયો અને પ્રત્યક્ષ બુદ્ધિઓ દુ:ખનાં સાધન હોવાથી દુઃખ છે. સુખ જો કે સ્વરૂપતઃ દુઃખથી ભિન્ન છે, તેમ છતાં તેનો દુ:ખની સાથે અવશ્ય સંબંધ હોય છે, એટલે અહીં સુખને પણ દુઃખ ગણવામાં આવ્યું છે. મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી રાગ-દ્વેષાદિનો પણ નાશ થાય છે અને પછી પ્રવૃત્તિ થતી નથી, તેથી ફરી જન્મ પણ લેવો પડતો નથી. છેવટે દુઃખનો આત્યંતિક અભાવ (નાશ) થવાથી મુક્તિ મળે છે. - મુક્તાવસ્થામાં આત્મા બુદ્ધિ (જ્ઞાન), મન અને ક્રિયાથી રહિત હોય છે. જીવ પોતે જ મુક્ત અવસ્થામાં પરમાત્મા (બહ્મ) બની જાય છે એવો અદ્વૈત વેદાંત દર્શનનો જે મત છે તે નૈયાયિકોને માન્ય નથી, કારણ કે તેમના મત પ્રમાણે બે અનાદિ ભિન્ન પદાર્થો કદી પણ અભિન્ન બની શકતા નથી. વેદાંતીઓને મન મોક્ષ એટલે ઉચ્ચ ૧- જુઓ : ન્યાયસૂત્ર', અધ્યાય ૧, આલિંક ૧, સૂત્ર ૨૨ તત્યન્તવમોક્ષોSHવ: ’ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કક્ષાનો સાક્ષાત્કાર છે, અપરોક્ષાનુભૂતિ છે. તે ચૈતન્યનો અભાવ નહીં પણ સર્વોત્કૃષ્ટ ચૈતન્ય છે. પરંતુ ન્યાય દર્શનને આ સ્વીકાર્ય નથી. તેમના મત અનુસાર શરીર વગેરે સાથેનો સંયોગ હંમેશને માટે છૂટી જતાં આત્મા મુક્ત બને છે. આવા મુક્ત આત્મામાં જ્ઞાન વગેરે વિશેષ ગુણો ઉત્પન્ન થઈ શકે જ નહીં, કારણ કે આત્માના વિશેષ ગુણોની ઉત્પત્તિ માટે શરીર સાથે આત્માનો સંયોગ અત્યંત જરૂરી છે. આત્માના નવ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ એ જ મુક્તિ છે. શરીરથી મુક્ત થયા પછી માત્ર આત્માનાં દુ:ખનો જ નહીં પરંતુ સુખનો પણ અંત આવે છે. આમ, મુક્ત આત્માનું સ્વરૂપ ન્યાય દર્શનમાં સુખ-દુઃખથી પર, તદ્દન અનુભૂતિરહિત કલ્પેલ છે. (૨) મોક્ષ ઉપાય મનુષ્યનું ધ્યેય આત્માનું સાચું સ્વરૂપ જાણી મોહ કે મિથ્યાજ્ઞાનના બંધનમાંથી મુક્તિ મેળવવાનું હોવું જોઈએ. મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ માટે તત્ત્વજ્ઞાનની આવશ્યકતા છે. આત્માનો સાક્ષાત્કાર જ સાચું તત્ત્વજ્ઞાન છે. આત્મ-અનાત્મનો વિવેક તત્ત્વજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વજ્ઞાનનો ઉદય થતાં મિથ્યાજ્ઞાન દૂર થાય છે. પરિણામે રાગ, લેષ, મોહ વગેરે પણ દૂર થાય છે. ત્યારપછી કોઈ પ્રવૃત્તિ દોષપૂર્વક થતી નથી. આવી દોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. નવાં કર્મો બંધાતાં નથી. જીવન્મુક્તિ અથવા અપરામુક્તિની આ અવસ્થા છે. છતાં આવી જીવન્મુક્ત વ્યક્તિને પણ તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળો ભોગવાઈ ન જાય ત્યાં સુધી જીવવાનું હોય છે. પૂર્વકર્મો છેલ્લા જન્મમાં ભોગવાઈ જતાં રાગ આદિ દોષથી રહિત થતી પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત્ શરીર છૂટે છે ત્યારે ભોગવવાનાં કોઈ કર્મ શેષ ન હોવાથી તે જીવ નવું શરીર રણ કરતો નથી. દેહ સાથેનો તેનો સંયોગ નાશ પામે છે. આ પરામુક્તિ અથવા નિર્વાણમુક્તિ છે. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે પ્રથમ ધર્મગ્રંથોમાંથી આત્મવિષયક ઉપદેશોનું શ્રવણ કરવું જોઈએ. પછી મનન દ્વારા આત્મવિષયક જ્ઞાનને સુદઢ બનાવવું જોઈએ અને પછી નિદિધ્યાસન દ્વારા, અર્થાત્ યોગાભ્યાસ દ્વારા આત્માનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય આત્માને શરીરથી ભિન્ન સમજતો થાય છે. તેના મિથ્યાજ્ઞાનનો અંત થઈ જાય છે અને વાસનાઓ તથા પ્રવૃત્તિઓથી તે પરિચાલિત થતો નથી. આ રીતે મનુષ્ય વાસનાઓ અને પ્રવૃત્તિઓથી મુક્ત થતાં વર્તમાન કર્મોનો તેના ઉપર કોઈ પણ પ્રભાવ પડતો નથી, કારણ કે તે પ્રત્યેક કર્મ બિલકુલ નિષ્કામભાવથી કરે છે. સંચિત કર્મોનું ફળ ભોગવી લેવાથી તે જન્મ-મરણના ચક્રમાં પડતો નથી અને આ રીતે પુનર્જન્મનો અંત થઈ જવાથી શરીરનાં બંધનો તથા દુઃખનો અંત થઈ જાય છે. આ સ્થિતિ તે અપવર્ગ અથવા મોક્ષ કહેવાય છે. આમ, સર્વ દુઃખ અને ક્લેશનો નાશ Page #618 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય ન્યાય દર્શન તત્ત્વજ્ઞાનથી થતો હોવાથી જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એમ નૈયાયિકો માને છે. (V) ઉપસંહાર ન્યાય દર્શનનું મહત્ત્વ તાત્ત્વિક કરતાં તાર્કિક રીતે વધુ છે. વિદ્વાનોના મત અનુસાર સાંખ્ય દર્શન અને વેદાંત દર્શનની તુલનામાં દાર્શનિક દૃષ્ટિએ જોતાં ન્યાય દર્શન કાંઈક ગૌણ સ્થાન મેળવે છે. તત્ત્વવિચારના ક્ષેત્રે તેનું સ્થાન ઓછું મહત્ત્વનું અંકાય છે. ૫૮૫ ન્યાય દર્શન સામે સૌથી વધુ કડક ટીકા થતી હોય તો તેના આત્મા વિષેના ખ્યાલની છે. આત્મા સંબંધી તેનો વિચાર યુક્તિસંગત નથી. તેના મત પ્રમાણે આત્મા ચિત્તૂપ, સ્વયંજ્યોતિ કે જ્ઞાનસ્વરૂપ નથી. તેના મત અનુસાર ચૈતન્ય આત્માનો આકસ્મિક ગુણ છે. આ બાબત પ્રત્યે ટીકાકારોએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. ન્યાય દર્શનના મોક્ષ વિષેના ખ્યાલની પણ કડક આલોચના કરવામાં આવી છે. ન્યાય દર્શનમાં મોક્ષને માત્ર અભાવાત્મક અવસ્થા કહી છે. અંતિમ ધ્યેયની આ માન્યતામાં આત્મા અને જડત્વ વચ્ચેના ભેદનો ગર્ભિત ઇન્કાર છે. મુક્તાવસ્થામાં જો આત્મા સુખ-સંવેદનરહિત થઈ જતો હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે તફાવત શું? મોક્ષનો આ ખ્યાલ ઉત્સાહવર્ધક નથી. ઈશ્વર સંબંધી માન્યતામાં ન્યાય દર્શનમાં કેટલીક વિસંગતિઓ જણાય છે. ન્યાય દર્શનના મોક્ષ તથા ઈશ્વરવિષયક વિચારો એ તેની નબળી કડીઓ છે અને આ નબળી બાજુને ખ્યાલમાં રાખીને જ વેદાંત જેવા પ્રતિસ્પર્ધી દર્શનોએ તેનું ભારપૂર્વક ખંડન કરેલું છે. ન્યાય દર્શનની તત્ત્વમીમાંસા તેની નબળી કડી છે તો તેની પ્રમાણમીમાંસા અને વિવેચન પદ્ધતિ તેનું જમાપાસું છે. તેનાં પ્રમાણવિચાર અને વિવેચનપ્રણાલીના કારણે તે સુપ્રખ્યાત છે. ન્યાય દર્શનના અધ્યયનથી યુક્તિયુક્ત વિચાર કરવાની તથા આલોચના કરવાની શક્તિ વધે છે. આ દર્શન વધુ પડતું તાર્કિક છે એવા આક્ષેપો તેના ઉપર ઘણી દિશાઓમાંથી થતા આવ્યા છે. પરંતુ તર્કોની સહાયતા વિના સિદ્ધાંતો બુદ્ધિગમ્ય બનતા નથી. શાસ્ત્રનિષ્ઠાનો અર્થ બુદ્ધિને અભરાઈએ ચઢાવી દેવી એવો કદી થતો નથી. જો શાસ્ત્રનિષ્ઠાનો અર્થ બુદ્ધિનો ઉપયોગ કરવો નહીં અને માત્ર શાસ્ત્રમાં જે કહ્યું છે તે માનવું જ એવો થતો હોય તો તે માત્ર અંધશ્રદ્ધા જ છે એમ ગણવું જોઈએ. તર્ક, નિર્ણય, વાદ (કથન કરવું), જલ્પ (ઝઘડવું), વિતંડા (ખંડનાત્મક ટીકા), હેત્વાભાસ (ખોટું મધ્યપદ), છલ (પ્રતિસ્પર્ધાને હરાવવા માટે તેના કથનની જાણી-બૂજીને Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવળી રજૂઆત કરવી), જાતિ (ખોટા પ્રશ્નો ઉઠાવવા) અને નિગ્રહસ્થાન(પોતાને ખોટા પાડનાર મુદ્દાઓનું ભાન)ની કળા જાણવી જોઈએ, કારણ કે જો તે ન જાણવામાં આવે તો જેમાં શ્રદ્ધા છે તેનો બચાવ કરી શકાતો નથી. બૌદ્ધ અને જૈન પંથીઓએ વૈદિક માર્ગ ઉપર પ્રહાર શરૂ કર્યા હતા. સામાન્ય લોકોમાં આ પંથોએ પ્રવેશ કરવા માંડ્યો હોવાથી તેમની આગળ ડગલે ને પગલે વેદનાં વાક્યો ટાંકવાં નિરર્થક થતાં ગયાં અને તેથી ખાસ વેદનાં જ વચનો ઉપર આધાર રાખીને બેસી ન રહેનારા અને સાંખ્ય-યોગની ગગનચુંબી ભૂમિકાએથી ઊતરી લૌકિક વાણીમાં વાત કરનારા તત્ત્વદર્શનની જરૂર હતી. આ જરૂરિયાત ન્યાય અને વૈશેષિક દર્શને પૂરી પાડી હતી. આમ, ન્યાય દર્શનનો ઉદ્ભવ ચર્ચા અને વિવાદોના વાતાવરણમાં થયો છે અને વિવાદને માટે ન્યાય દર્શને મુદ્દાઓ અને યુક્તિઓની એક આખી પરિભાષા પૂરી પાડી છે. *** Page #620 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિક દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય વૈશેષિક શબ્દના મૂળમાં ‘વિશેષ' શબ્દ છે. આ દર્શન સાત પ્રકારના પદાર્થોને માને છે, જેમાં એક વિશેષ નામનો પદાર્થ છે. વિશેષ' નામક પદાર્થના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતું હોવાથી તે ‘વૈશેષિક' તરીકે ઓળખાય છે. કેટલાકના મત અનુસાર આ દર્શન અન્ય દર્શનોથી વિશેષ અથવા વિલક્ષણ હોવાના કારણે વૈશેષિક કહેવાય છે. કેટલાક વિશેષનો અર્થ જુદાપણું અથવા ભેદ કરે છે. આ દર્શન વિશ્વના મૂળમાં અભેદ(એકત્વ)ને નહીં પણ ભેદ(અનેકત્વ)ને માનતું હોવાથી તેને વૈશેષિક કહેવાય છે. ન્યાય દર્શનની જેમ વૈશેષિક દર્શન પણ વસ્તુવાદી (realistic) છે. તે માત્ર ઈશ્વરનું જ અસ્તિત્વ નહીં, કિંતુ અનેક જીવાત્માઓ તેમજ પરમાણુઓનું પણ અસ્તિત્વ સ્વીકારે છે. આથી વૈશેષિક દર્શનને બહુત્વવાદી (pluralistic) પણ કહેવામાં આવે છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક વૈશેષિક દર્શનના આદ્ય પ્રવર્તક મહર્ષિ કણાદ છે. તેઓ શિવધર્મી અથવા પાશુપતમતના હતા. તેમના પિતાનું નામ શ્રી ઉલૂક ઋષિ હતું. તેમના ગુરુનું નામ શ્રી સોમશર્મા હતું. કાઠિયાવાડના પ્રભાસપાટણના તેઓ વતની હતા. મહર્ષિ કણાદ વિષે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. તેઓ આખો દિવસ આધ્યાત્મિક ચિંતનમાં એટલા ડૂબેલા રહેતા કે તેમને ભોજનના સમયનું પણ ભાન રહેતું નહીં. જ્યારે તેઓ તેમાંથી જાગૃત થતા ત્યારે પોતાની સુધા સંતોષવા બાજુના ખેતરમાં જઈ વેરાયેલા અનાજના કણથી ભૂખ સંતોષતા, આથી તેમને ‘કણભુકુ' પણ કહે છે. અન્ય દંતકથા એવી પણ છે કે શિવજીએ ઉલૂક(ઘુવડ)નું રૂપ લઈ તેમને પરમાણુવાદ જણાવ્યો હતો, તેથી તેમના દર્શનને ‘ઔલૂક્ય' દર્શન પણ કહે છે. દિવસે તત્ત્વચિંતનમાં રચ્યાપચ્યા રહેવું અને રાત્રે ઘુવડની જેમ ખોરાકની શોધ કરતા હોવાથી શ્રી કણાદ મુનિને ઉલૂક નામ અપાયું હોય એમ કેટલાક માને છે. તેમના જીવન વિષે વિશેષ માહિતી મળતી નથી. શાસ્ત્રો તેમને ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં મૂકે છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ આ દર્શન ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ જૂનું છે. (૩) સાહિત્ય મહર્ષિ કણાદરચિત વૈશેષિક સૂત્રો એ આ દર્શનનું મૂળ અને આધારભૂત સાહિત્ય Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. એમાં દસ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ એ પાંચ પદાર્થોની ચર્ચા છે. બીજા અધ્યાયમાં દ્રવ્યના પ્રકારો વર્ણવ્યા છે. ત્રીજા અધ્યાયમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. ચોથા અધ્યાયમાં અણુઓથી વિશ્વ શી રીતે ઘડાયું છે તે બતાવ્યું છે. પાંચમા અધ્યાયમાં કર્મની મીમાંસા છે. છઠ્ઠા અધ્યાયમાં ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાતમા અધ્યાયમાં સમવાયની સમજણ આપી છે. આઠમા અધ્યાયમાં જ્ઞાન, તેનું સ્વરૂપ તથા મૂળ વગેરેની વિચારણા છે. નવમા અધ્યાયમાં વિશેષની વાત છે અને દસમા અધ્યાયમાં આત્માના ગુણો વર્ણવ્યા છે તથા તાર્કિક પ્રશ્નોની ચર્ચા છે. આ સૂત્રો ઉપર શ્રી પ્રશસ્તપાદે (ઈ.સ. ૪00) પદાર્થધર્મસંગ્રહ' નામનું ભાષ્ય રચ્યું છે. ‘પદાર્થધર્મસંગ્રહ' ઉપર અનેક ટીકાઓ રચાઈ છે, જેમાં શ્રી શ્રીધરની (ઈ.સ. ૧૦૦૦) ન્યાયકંદલી', શ્રી ઉદયનની (ઈ.સ. ૧૦૦૦) ‘કિરણાવલિ', શ્રી શ્રીવત્સની “ન્યાય લીલાવતી' તથા શ્રી વ્યોમશિવાચાર્યની “વ્યોમવતી' ટીકા આગવું સ્થાન પામેલ છે. ન્યાય દર્શન તથા વૈશેષિક દર્શન એ બન્નેના મિશ્રણનું ગણી શકાય એવું સાહિત્ય પણ રચાયેલું છે. એમાં શ્રી શિવાદિયકૃત (ઈ.સ. ૧૦00) “સપ્તપદાર્થી', શ્રી વરદરાજની (ઈ.સ. ૧૨00) ‘તાર્કિકરક્ષા', શ્રી કેશવમિશ્રકૃત (ઈ.સ. ૧૩૦૦) ‘તર્કભાષા', શ્રી અન્નભટ્ટકૃત (ઈ.સ. ૧૭૦૦) તર્કસંગ્રહ', શ્રી વિશ્વનાથકૃત (ઈ.સ. ૧૭૦૦) ‘ભાષાપરિચ્છેદ' તથા તેની ટીકા ‘સિદ્ધાંતમુક્તાવલિ' નોંધનીય છે. શ્રી લૌગાક્ષિ ભાસ્કરકૃત ‘તર્કકૌમુદી', શ્રી જયનારાયણકૃત (ઈ.સ. ૧૭00) કણાદસૂત્રવિવૃત્તિ' તથા શ્રી શંકર મિશ્રકૃત (ઈ.સ. ૧૫00) ‘ઉપસ્કાર' નામક ટીકા ઉલ્લેખનીય છે. (૪) ન્યાય - વૈશેષિક દર્શન વચ્ચે સંબંધ પદર્શન પૈકી વૈદિક દર્શનોમાં બન્નેનું એક એમ ત્રણ જોડકાં બને છે. ન્યાયવૈશેષિક દર્શન પરસ્પર સંબંધ ધરાવતું હોવાથી તેનું એક જોડકું બને છે. મોક્ષ એ જીવનનો ઉદ્દેશ છે અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ તે મોક્ષ છે એમ બન્ને દર્શનો સ્વીકારે છે. દુઃખનું કારણ અજ્ઞાન હોવાથી તત્ત્વજ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાની વાત બન્નેને સ્વીકાર્ય છે. તદુપરાંત પરમાણુવાદ, આત્માનું સામાન્ય સ્વરૂપ, વાસ્તવવાદ બાબતમાં પણ બને દર્શનો વચ્ચે સામ્ય છે. બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન, પ્રત્યક્ષ, સંશય, વિપર્યય વગેરેની વ્યાખ્યા તથા પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાનપ્રમાણની બાબતમાં બન્નેનો મત સરખો છે. કર્મનું સ્વરૂપ, તેના પ્રકારો, જગતનું સ્વરૂપ વગેરે બાબતમાં પણ બને મળતાં આવે છે. બન્ને દર્શનોમાં જે તફાવત છે, તે આ પ્રમાણે છે – (૧) ન્યાય દર્શન પ્રમાણમીમાંસા ઉપર વધુ ભાર મૂકે છે, જ્યારે વૈશેષિક દર્શન તત્ત્વમીમાંસા ઉપર વધુ ભાર મૂકે છે. ૧- ભાષ્ય એટલે ક્રમાનુસાર અર્થ કરી, તે અર્થની યોગ્ય વ્યાખ્યા લખવી. Page #622 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - વૈશેષિક દર્શન ૫૮૯ (૨) ન્યાય દર્શનમાં ૧૬ પદાર્થો માનેલા છે, જ્યારે વૈશેષિક દર્શનમાં સાત પદાર્થો માનેલા છે. (૩) ન્યાય દર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણો સ્વીકારેલાં છે, જ્યારે વૈશેષિક દર્શન માત્ર પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણોનો જ સ્વીકાર કરે છે; બાકીનાં બે પ્રમાણોનો તે અનુમાનમાં જ સમાવેશ કરે છે. (૪) નૈયાયિકો 'શિવ'ના, જ્યારે વૈશેષિકો મહેશ્વર' કે પશુપતિ’ના ઉપાસકો છે. વિદ્વાનોના મત પ્રમાણે ન્યાય દર્શનની વ્યાખ્યા વૈશેષિક દર્શન વગર અધૂરી છે અને વૈશેષિક દર્શનની વ્યાખ્યા ન્યાય દર્શન વગર અધૂરી છે. બન્ને મળીને જ એક સંપૂર્ણ દર્શન બને છે. વૈશેષિક દર્શન ન્યાય દર્શનથી પ્રાચીન હોવાનું જણાય છે, કારણ કે તેના તત્ત્વશાસ્ત્રનો પ્રભાવ ન્યાય દર્શન ઉપર પડેલો જણાય છે; પરંતુ વૈશેષિકસૂત્રો ઉપર ન્યાય દર્શનની પ્રમાણમીમાંસાનો પ્રભાવ પડ્યો હોય તેમ જણાતું નથી. (II) પ્રમાણમીમાંસા વૈશેષિક દર્શનમાં જ્ઞાનના બે પ્રકાર સ્વીકારેલા છે - સ્મૃતિ અને અનુભવ. અનુભવના બે પ્રકાર છે - (૧) પ્રમા કે સત્યજ્ઞાન અને (૨) અપ્રમા કે મિથ્યાજ્ઞાન. જે વસ્તુ જેવી છે તેને તે પ્રકારે જાણવી તે યથાર્થ પ્રમાં અને જે વસ્તુ ખરેખર અસ્તિત્વ ધરાવતી નથી તેનું અસ્તિત્વ માનવું એ અયથાર્થ પ્રમાં છે. પ્રમાના બે પ્રકાર છે - પ્રત્યક્ષ અને અનુમિતિ. અપ્રમાના બે પ્રકાર છે - સંશય અને વિપર્યય. ન્યાય દર્શન ચાર પ્રમાણને સ્વીકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. વૈશેષિક દર્શન માત્ર બે જ પ્રમાણને સ્વીકારે છે - પ્રત્યક્ષ અને અનુમાન. આ બાબતમાં બન્નેનો મત એક જ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ પ્રત્યક્ષગમ્ય છે. પરમાણુ અને દ્વયણુક પ્રત્યક્ષગમ્ય નથી. ત્યણુક અને સ્થૂળ વસ્તુઓ પ્રત્યક્ષગમ્ય છે. યોગીઓને પરમાણુઓ પ્રત્યક્ષ થઈ શકે છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. આ ગુણો દ્વારા જ આત્માનું અનુમાન થઈ શકે છે. ન્યાય દર્શન આત્માને માનસ પ્રત્યક્ષનો વિષય માને છે, પરંતુ વૈશેષિક દર્શનને એ માન્ય નથી. તેઓ એમ માને છે કે યૌગિક પ્રત્યક્ષથી આત્માનું જ્ઞાન થતું હોય છે. વૈશેષિકોએ ઉપમાન અને શબ્દને અનુમાનમાં જ સમાવેલ છે. શબ્દના પ્રામાણ્યનું અનુમાન વક્તાના આપ્તત્વથી થાય છે. શાસ્ત્રોનું પ્રામાણ્ય તેમના રચયિતાઓની વિશ્વસનીયતાથી અનુમિતિ થાય છે. વેદોનું પ્રામાણ્ય એ વાત ઉપર નિર્ભર છે કે તેના વક્તા ઋષિ હતા. એ ઋષિઓએ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. શબ્દનો અનુમાનમાં અંતર્ભાવ મનાયો છે, કારણ કે Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અનુમાન શબ્દ અને અર્થની વ્યાપ્તિ ઉપર આશ્રિત છે. અર્થનું શબ્દથી અનુમાન થાય છે. શબ્દ અર્થનું લિંગ છે. ઉપમાન શાબ્દિક જ્ઞાન જ છે. એ કોઈ વિશ્વસ્ત વ્યક્તિના કથન ઉપર આધાર રાખે છે. એમાં કોઈ જ્ઞાત વસ્તુનું કોઈ અજ્ઞાત વસ્તુથી સાદશ્ય જણાય છે. શબ્દ અનુમાન જ છે, તેથી ઉપમાન પણ અનુમાન જ થાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણનો જ આ દર્શન સ્વીકાર કરે છે. (III) તત્ત્વમીમાંસા પદાર્થવિચારણા શ્રી કણાદ મુનિના મત અનુસાર પદાર્થોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ‘પદાર્થ’ શબ્દનો વાચ્યાર્થ પદ + અર્થ. પદ = શબ્દ, અર્થાત્ પદાર્થ એટલે શબ્દનો અર્થ. જેનો વિચાર કરી શકાય અને જેના વિચારને શબ્દમાં મૂકી શકાય તેનું નામ પદાર્થ. એટલે જે કંઈ છે, જેને અનુભવી શકાય છે અને જેને શબ્દો દ્વારા નિર્દેશી શકાય છે તે બધું પદાર્થ જ છે. વૈશેષિક દર્શન પદાર્થોને નીચે પ્રમાણે સાત વિભાગોમાં વહેંચે છે ૧) દ્રવ્ય, ૨) ગુણ, ૩) કર્મ, ૪) સામાન્ય, ૫) વિશેષ, ૬) સમવાય અને ૭) અભાવ. તેમાંના પહેલા ત્રણ એ ખરેખર દ્રવ્યાત્મક છે, એટલે કે તેનું નક્કર અસ્તિત્વ છે. પછીના ત્રણ એટલે સામાન્ય, વિશેષ અને સમવાય એ માત્ર વૈચારિક તત્ત્વો છે. એ કેવળ બૌદ્ધિક ક્ષેત્રનાં જ સર્જન છે. મહર્ષિ કણાદે પહેલાં માત્ર આ છ પદાર્થો વર્ણવેલા; પાછળથી વૈશેષિક દર્શને ‘અભાવ’ નામના સાતમા પદાર્થનો પણ સ્વીકાર કર્યો છે. - - - દ્રવ્ય એટલે જે ગુણ અને કર્મથી અલગ હોવા છતાં ગુણ અને કર્મનો આશ્રય તે પદાર્થ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન એમ નવ દ્રવ્યો છે. એમાંના પહેલાં ચાર એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ તથા વાયુ અને છેલ્લું એટલે કે મન આ પાંચે અણુઓનાં બનેલાં છે. પહેલાં ચાર સનાતન પણ છે અને ક્ષણિક પણ છે, અર્થાત્ સમવાયરૂપે ક્ષણિક છે અને મૂળ અણુરૂપે સનાતન છે. મન સનાતન છે, પરંતુ તે વિભુ એટલે કે વ્યાપક નથી. એ પણ અણુઓથી નિર્માયેલું છે. તેમાં એકસાથે એક જ વિચાર આવી શકે છે. - ગુણ એક ભાવાત્મક પદાર્થ છે, જે હંમેશાં દ્રવ્યનો આશ્રય લઈને રહે છે. દા.ત. ગુલાબની સુગંધ. નવે દ્રવ્યોમાં કુલ ૨૪ ગુણો છે, તે આ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ઘનતા, પ્રવાહિતા, મિશ્રતા, શુદ્ધતા, પુણ્ય, પાપ અને ધ્વનિ. - Page #624 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય વૈશેષિક દર્શન ૫૯૧ કર્મ એટલે ગતિ અથવા ક્રિયા. ગુણ એ દ્રવ્યનું નિષ્ક્રિય સ્વરૂપ છે, જ્યારે કર્મ એ દ્રવ્યનું સક્રિય સ્વરૂપ છે. કર્મ પાંચ પ્રકારનાં છે ૧) ઊંચે ફેંકવું, ૨) નીચે ફેંકવું, ૩) સંકોચવું, ૪) વિસ્તારવું અને ૫) ગતિ આપવી. દેવદત્ત, રામલાલ, શ્યામ આદિ જુદી જુદી વ્યક્તિઓમાં એક ‘સામાન્ય’ તત્ત્વ છે, જેના કારણે એ બધાને ‘મનુષ્ય' કહેવામાં આવે છે. આથી ઊલટું, દ્રવ્યો કે પદાર્થો વચ્ચેનું મૂળભૂત અંતર ‘વિશેષ'ના કારણે છે. નવેનવ સનાતન દ્રવ્યોનો પોતપોતાનો જે એક વિશિષ્ટ ગુણ છે, તેને વિશેષ કહે છે. - સમવાય એટલે નિત્ય સંબંધ, જેમાં એક સંબંધીનો નાશ થતાં બીજો પણ નાશ પામે છે. દા.ત. પુષ્પનો તેનાં રંગ અને સુગંધ સાથેનો સંબંધ. રાત્રે આકાશ તરફ જોતાં સૂર્યના અભાવની પ્રતીતિ થાય છે, એટલે વૈશેષિકો અભાવને પણ એક પદાર્થ માને છે. અભાવ એટલે એક વસ્તુનું બીજી વસ્તુમાં ન હોવું, દા.ત. અગ્નિમાં શીતળતાનો અભાવ. (૧) આત્મા વિષે વિચાર વૈશેષિક દર્શન જીવતત્ત્વને ફૂટસ્થ નિત્ય માને છે, એટલે કે તેમાં સીધી રીતે કોઈ કર્તૃત્વ કે ભોક્તૃત્વ ઘટાવી ન શકાય. તેથી તે તેવું કર્તૃત્વ-ભોક્તત્વ ગુણોના ઉત્પાદ-વિનાશના આધારે ઘટાવે છે. તે કહે છે કે જ્ઞાનાદિ આત્માના ગુણો છે. તે નિત્ય નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા અને જડ તત્ત્વમાં ભેદ માત્ર એટલો જ છે કે આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થવાની શક્યતા છે, જ્યારે જડમાં શક્યતા નથી. શરીર સાથેનો સંપર્ક છૂટી ગયા પછી આત્માને વિષયજ્ઞાન રહેતું નથી. વૈશેષિક દર્શન અનુસાર મોક્ષાવસ્થામાં આત્મા સુખ, દુ:ખ આદિ બધા અનુભવથી રહિત બની જાય છે. જ્યારે જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો હોય છે ત્યારે જીવ કર્તા અને ભોક્તા છે, પણ એ ગુણોનો સર્વથા અભાવ થાય ત્યારે મુક્ત દશામાં કોઈ સાક્ષાત્ કર્તૃત્વ-ભોતૃત્વ રહેતું નથી. વૈશેષિક દર્શનના મત અનુસાર સંસારી આત્માના નવ વિશેષ ગુણો છે, તે આ પ્રમાણે ૧) બુદ્ધિ, ૨) સુખ, ૩) દુ:ખ, ૪) ઇચ્છા, ૫) દ્વેષ, ૬) પ્રયત્ન, ૭) ધર્મ, ૮) અધર્મ અને ૯) સંસ્કાર, સંખ્યા, પરિમાણ, પૃથ, સંયોગ અને વિભાગ એ પાંચ ગુણો બીજા દ્રવ્યો સાથે સમાન હોઈ શકે છે. આત્માના આ નવ વિશેષ ધર્મોનું પૃથક્કરણ કરીએ તો તેની ત્રણ કોટિ પડે છે (i) ભોક્તત્વમાં સુખ અને દુ:ખ (feeling) (ii) કર્તૃત્વમાં ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન (willing) Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (iii) જ્ઞાતૃત્વમાં બુદ્ધિ, ધર્મ, અધર્મ અને સંસ્કાર (knowing) વૈશેષિક દર્શન પ્રમાણે આત્મા અનેક છે અને પ્રત્યેક આત્મા વિભુ તેમજ નિત્ય છે. શરીરભેદે ભિન્ન એવા અનંત જીવ દ્રવ્યોનો વૈશેષિક દર્શન સ્વીકાર કરે છે. પરંતુ જૈન દર્શનની જેમ તેનામાં સંકોચ-વિસ્તારશીલતા ન સ્વીકારતાં, સાંખ્ય-યોગપરંપરાની જેમ આત્માને સર્વવ્યાપી માને છે. વૈશેષિક દર્શન પ્રમાણે આત્મા વ્યાપક હોવાથી તે ગમનાગમન કરી શકતો નથી; પરંતુ પ્રત્યેક આત્માને એક પરમાણુરૂપ મન હોય છે અને એ મન એક દેહનો સંયોગ પૂરો થતાં જ્યાં દેહાંતર થવાનું હોય ત્યાં ગતિ કરીને જાય છે. મનનું આ સ્થાનાંતર એ જ આત્માનો પુનર્જન્મ છે. વૈશેષિકમત પ્રમાણે પુનર્જન્મનો અર્થ આત્માનું સ્થાનાંતર નહીં પણ તેના મનનું સ્થાનાંતર છે. આ રીતે વૈશેષિકપરંપરા પ્રકૃતિજન્ય એવું સૂક્ષ્મ શરીર ન માનતાં, નિત્યપરમાણુરૂપ મનને જ ગતિશીલ માની પુનર્જન્મની વ્યવસ્થા કરે છે. (૨) વિશ્વ વિષે વિચાર ભારતીય દર્શનપરંપરાની બધી ધારાઓએ જગતની ઉત્પત્તિ બાબત વિચારણા કરી છે, કોઈએ જગતની ઉત્પત્તિમાં પ્રકૃતિને કોઈએ પ્રકૃતિવિશિષ્ટ પરમાત્માને કારણ માન્યાં છે. શ્રી કણાદ મુનિએ ઘોષણા કરી કે જગતની રચના પ્રકૃતિથી નહીં પણ પરમાણુઓથી થયેલી છે. વૈશેષિકોનો આ સુપ્રસિદ્ધ પરમાણુવાદ છે. વૈશેષિક દર્શનનો પરમાણુવાદ કાલાવધિમાં ઉત્પન્ન થતા તેમજ નાશ પામતા એવા અનિત્ય પદાર્થોને લગતો છે, કારણ કે જગતના નિત્ય પદાર્થો, જેવાં કે આકાશ, કાલ, દિક્, મન, આત્મા તેમજ ભૌતિક પરમાણુઓ નથી ઉત્પન્ન થતાં કે નથી તેનો નાશ થતો. અણુઓનો સંયોગ એટલે કાર્યદ્રવ્યોની ઉત્પત્તિ અને તેનો વિચ્છેદ એટલે કાર્યદ્રવ્યોનો નાશ. પરમાણુવાદનો ઉદ્દેશ અનિત્ય પદાર્થોની આ સૃષ્ટિનો ક્રમ અને લય બતાવવાનો છે. જગતની જે સાવયવ વસ્તુઓ છે તેનો ઉત્પાદ અને વિનાશ થતો જ રહે છે. કોઈ પણ અવયવી પદાર્થનો વિભાગ કરતાં છેવટનું જે અવિભાજ્ય મૂર્તરૂપ રહે, તેનું નામ પરમાણુ. પરમાણુ નિત્ય દ્રવ્ય છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુનાં પરમાણુ જુદાં જુદાં હોય છે. પરમાણુ શબ્દ પરમ તથા અણુ એમ બે શબ્દોનો બનેલો છે. અણુ એટલે સૂક્ષ્મ અને પરમ એટલે અતિ સૂક્ષ્મ. પરમાણુઓ નિરવયવ તેમજ નિત્ય હોવાથી તેનો નાશ સંભવિત નથી, તે અવિચ્છેદ તેમજ અવિનાશી છે. નાશ સાવયવ દ્રવ્યોનો જ સંભવે. ઉદા.ત. પૃથ્વી, જળ આદિ દ્રવ્યો કાર્યરૂપે અનિત્ય છે, પરંતુ કારણરૂપે નિત્ય છે. દૃષ્ટિગોચર બધા જ પદાર્થોમાં કાંઈ ને કાંઈ પરિમાણ તો રહેલું જ હોય છે. કોઈનું મોટું પરિમાણ તો કોઈનું નાનું. સૌથી મોટા પરિમાણવાળા દ્રવ્યને વિભુ અને સૌથી અલ્પ પરિમાણવાળા દ્રવ્યને અણુ કહે છે. પરિમાણની સર્વોચ્ચ Page #626 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - વૈશેષિક દર્શન પ૯૩ પરાકાષ્ઠાને પરમ મહત્ત્વ કહે છે અને સૌથી નીચી પરાકાષ્ઠાને પરમાણુત્વ કહે છે. એ બન્ને કક્ષાઓ પ્રત્યક્ષથી પર છે, પરંતુ અનુમાન દ્વારા જાણી શકાય છે. પરમાણુઓ સૃષ્ટિનું ઉપાદાનકારણ છે અને જે ગુણો ઉપાદાનકારણમાં હોય તે કાર્યમાં પ્રગટ થાય છે અને એ રીતે પરમાણુઓના સંયોગથી ઉત્પન્ન કાર્યદ્રવ્યોમાં પણ કારણરૂપ પરમાણુઓમાં જે ગુણો હોય તે જ ગુણો હશે. આ ગુણોના આધારે જ ચાર પ્રકારના પરમાણુઓ માનવામાં આવેલ છે - ૧) પાર્થિવ ૨) જલીય ૩) તૈજસ ૪) વાયવીય. વૈશેષિકમત અનુસાર જગતમાં થતા ફેરફારોનું કારણ એ છે કે વસ્તુના ઘટક એવાં નિરવયવી અને અવિનાશી પરમાણુઓમાં વધારો ઘટાડો થતો રહે છે. સર્જનમાં અણુઓ અસંયોજિત સ્થિતિમાં રહેતાં નથી. અણુઓ પરિસ્પદ નામનું ધ્રુજારીનું બળ ધરાવે છે. સમસ્ત ભૌતિક જગત ચાર પ્રકારનાં દ્રવ્યોનાં પરમાણુઓના સંયોગનું પરિણામ છે. સૃષ્ટિના પ્રભાવ અને પ્રલયમાં આ પરમાણુઓ ઈશ્વરના અધ્યક્ષપણા નીચે પરિણામી બને છે. (૩) ઈશ્વર વિષે વિચાર - શ્રી કણાદનાં સૂત્રોમાં ઈશ્વરનો ઉલ્લેખ નથી. પરંતુ પાછળથી શ્રી પ્રશસ્તપાદે ઈશ્વરતત્ત્વનો સ્વીકાર કર્યો હતો. અણુઓ અને અદૃષ્ટનું નિયમન અને સંચાલન કરનાર કોઈ ચૈતન્યતત્ત્વ હોવું જોઈએ અને એ તત્ત્વ તે ઈશ્વર છે એવી તેમણે કલ્પના કરી, કારણ કે અણુઓ જડ છે અને એવા જડ અણુઓ દ્વારા આ વિશ્વનું વ્યવસ્થિત સંચાલન થાય નહીં. એટલે અનુમાન દ્વારા તેમજ શ્રુતિના પ્રમાણ દ્વારા એક સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વર સ્વીકારવો જ પડે છે એમ તેઓ કહે છે. વળી, વેદો દોષરહિત છે, તો તેનો પ્રણેતા પણ એવો જ દોષરહિત હોવો જોઈએ. આમ, ઈશ્વરતત્ત્વનો સ્વીકાર વૈશેષિક દર્શનને પણ આખરે કરવો પડ્યો. તેમના મત મુજબ અણુઓમાં પોતાની ગતિ નથી, તેથી અણુઓને ગતિમાન કરનાર કોઈ શક્તિ હોવી જોઈએ. એ શક્તિ તે ઈશ્વર છે એમ તેમનું કહેવું છે. શ્રી પ્રશસ્તપાદે સૃષ્ટિના કર્તા તરીકે મહેશ્વરને માન્યા છે. મહેશ્વરના કેવળ સંકલ્પથી સર્જન અને સંહાર થાય છે. મહેશ્વર સર્જનચ્છાથી પાંચ મહાભૂતોને, શરીરધારીઓને રહેવાનાં સ્થાનોને અને બહ્માને સર્જે છે. જીવસૃષ્ટિનું સર્જન બહ્મા કરે છે અને બહ્મા જ જીવોને તેમનાં કર્મો પ્રમાણે જ્ઞાન, ભોગ, આયુ, યોનિ બક્ષે છે. તેથી બ્રહ્માને લોકપિતામહ કહ્યા છે. બ્રહ્મા દરેક સર્ગમાં જુદા છે, જ્યારે મહેશ્વર તો એક અને નિત્ય છે. મહેશ્વરમાં કેવળ ઇચ્છા છે, જ્યારે બ્રહ્મામાં જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યા છે. બહ્મા બધાં જ પ્રાણીઓના ધર્માધર્મના જ્ઞાતા છે અને અસીમ શક્તિશાળી છે. તેમને ન તો કોઈ પ્રત્યે રાગ છે કે ન તો કોઈ પ્રત્યે દ્વેષ છે. તેઓ પક્ષપાતરહિત Page #627 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે. બ્રહ્માના કાળના ૧૦૦ વર્ષ વીતી ગયા પછી પરમેશ્વરને એવી ઇચ્છા થાય છે કે સંસારચક્રમાં જોડાયેલાં બધાં પ્રાણીઓ થોડો સમય વિશ્રામ કરે. આ ઈશ્વરેચ્છા જ બહ્માને સૃષ્ટિક્રમમાંથી મુક્ત કરે છે અને સંસારને પોતામાં સમાવી દે છે. તે સમયે શરીર, ઇન્દ્રિય તેમજ મહાભૂતના પ્રવર્તકો એવા બધા આત્માઓના અદષ્ટ રોકાઈ જાય છે, અર્થાત્ અદષ્ટની વૃત્તિઓનો નિરોધ થાય છે અને આત્મા શરીરથી પૃથક થઈ જાય છે. શરીર તથા ઇન્દ્રિયોના પરમાણુઓ વીખરાઈને અલગ થઈ જાય છે. પ્રથમ પૃથ્વી, પછી જળ, પછી અગ્નિ અને અંતે વાયુ એમ બધાં કાર્યદ્રવ્યોનો નાશ થઈ જાય છે. સંસારમાં કોઈ વસ્તુ રહેતી નથી. આ અવસ્થાને પ્રલય કહે છે. સાંસારિક અનિષ્ટથી થાકેલા જીવો આ પ્રલયરાત્રિમાં પોતાને ભૂલી આરામ કરે છે. પરંતુ પ્રલયકાળમાં પણ મૂળ સત્તાનો વિનાશ થતો નથી. મૂળભૂત પરમાણુઓ તો જેમનાં તેમ જ રહે છે, કારણ કે તે અજર-અમર છે. પ્રલયકાળમાં આત્માઓનો નાશ થતો નથી. તેઓ પોતપોતાના ધર્માધર્મ સંસ્કારયુક્ત બની રહે છે. અદૃષ્ટની ગતિ કુંઠિત થવાથી તે સ્તબ્ધ-નિશ્ચષ્ટ બની પડી રહે છે. દિક, આકાશ, કાળ વગેરેનું અસ્તિત્વ પ્રલયકાળમાં રહે છે. પ્રલયકાળમાં વિશ્રામ કરી લીધા પછી પરમેશ્વરને ફરી સૃષ્ટિરચનાની ઇચ્છા થાય છે અને આવી ઇચ્છાનો પ્રાદુર્ભાવ થતાં જ બધી સુષુપ્ત શક્તિઓ જાગી ઊઠે છે. સૃષ્ટિસર્જનનો પ્રારંભ થાય છે. સર્વ પ્રથમ વાયુનાં પરમાણુઓમાં સ્પંદન થઈ પરસ્પર સંયોગ થાય છે અને યણક, વ્યણુક વગેરે બને છે. ઉત્તરોત્તર જળ - મહાસમુદ્ર, તેજ - તેજપુંજ, પૃથ્વી - ધરાતલ વગેરેનું નિર્માણ થાય છે. આમ, ચારે મહાભૂત ફરીથી આવિર્ભાવ પામે છે ત્યારે પરમેશ્વરના ધ્યાનમાત્રથી તેજ તથા પૃથ્વીનાં પરમાણુ મળી એક મહાન અંડરૂપ બને છે, જેને હિરણ્યગર્ભ કહે છે. આ હિરણ્યગર્ભમાંથી ચતુર્મુખ બહ્મા નીકળે છે અને તે પછી સૃષ્ટિના કાર્ય માટે પ્રવૃત્ત બને છે. ટૂંકમાં આ સૃષ્ટિનાં સર્જન અને સંહારની પ્રક્રિયામાં ઈશ્વરાત્મા અથવા મહેશ્વરની ઇચ્છાને પ્રેરક હેતુ માનવામાં આવેલ છે અને સૃષ્ટિનું ઉપાદાનકારણ પરમાણુઓને માનેલ છે. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ શ્રી કણાદ મુનિ મોક્ષની પરિભાષા આપતાં કહે છે કે અદૃષ્ટનો અભાવ, અર્થાત્ કર્મચક્રની ગતિનો અંત થવાથી આત્માનો શરીર સાથેનો સંબંધ વિચ્છેદ પામે છે. જન્મમરણની ઘટમાળનો અંત આવવાથી બધા પ્રકારનાં દુઃખોથી જીવાત્મા હંમેશને માટે છૂટકારો મેળવે છે. એને મોક્ષ અથવા મુક્તિ કહે છે. ૨૧ પ્રકારનાં દુઃખોનો આત્યંતિક Page #628 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - વૈશેષિક દર્શન ૫૯૫ નાશ તે મોક્ષ. મોક્ષાવસ્થામાં જીવને સુખ કે દુઃખનો લેશમાત્ર પણ અનુભવ થતો નથી. સુખ-દુ:ખથી પર તે મોક્ષ અવસ્થા છે. - પાપ-પુણ્યના ક્ષયથી આત્મા શરીર અને મનથી પૃથક્ થઈ જાય છે અને ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, જ્ઞાન, સંસ્કાર ઇત્યાદિ આગંતુક ગુણોથી રહિત થઈને પોતાના સ્વાભાવિક રૂપમાં તે આવી જાય છે. જ્ઞાન ઇત્યાદિ ગુણ આત્મામાં શરીર અને મનના સંયોગથી આવે છે. મોક્ષની અવસ્થામાં આત્મા શૂન્ય થઈ જાય છે. મોક્ષમાં સુખનો અનુભવ થતો નથી, કારણ કે સુખ તો મનના સંયોગથી થાય છે. મોક્ષમાં દુઃખ બિલકુલ રહેતું નથી. આત્માનું પરમાત્મામાં વિલય થઈ જવું તે મોક્ષ નથી. મોક્ષમાં આત્માનું પરમાત્માથી સામ્ય થઈ જાય છે તો પણ તેની પૃથકતા રહે છે. મોક્ષ જીવાત્માની સ્વરૂપસ્થિતિનું નામ છે, જેમાં આત્મા વિશેષ ગુણોથી રહિત થઈ જાય છે. (૨) મોક્ષ ઉપાય શ્રી ગૌતમ મુનિની જેમ શ્રી કણાદ મુનિએ પણ તત્ત્વજ્ઞાન દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ શક્ય માની છે. આ મત જ્ઞાનકર્મસમુચ્ચયવાદનો પક્ષપાતી નથી, પણ તે જ્ઞાનવાદ જ છે. ઉત્તમ કુળમાં જન્મ થવાથી મનુષ્ય શ્રદ્ધાળુ બને છે. અકુલીન વ્યક્તિમાં શ્રદ્ધાનો અભાવ હોય છે. શ્રદ્ધા વિના જિજ્ઞાસા થતી નથી અને જિજ્ઞાસા વિના તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી જ્ઞાનપ્રાપ્તિમાં કુલીનતા, શ્રદ્ધા અને જિજ્ઞાસા આવશ્યક મનાય છે. તત્ત્વજ્ઞાનના સાક્ષાત્કાર માટે શ્રવણ, મનન, નિદિધ્યાસનની જરૂર છે. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થવાથી વાસનાનો ક્ષય થાય છે અને વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષના સંસ્કાર દૂર થવાથી ધર્મ-અધર્મની ઉત્પત્તિ થતી નથી. જેમ બીજની ઉત્પાદનશક્તિ નષ્ટ થઈ જાય તો તેમાંથી વૃક્ષ થતું નથી, તેમ વાસનાક્ષય થવાથી મુક્તિ મળે છે. મુક્ત થવાથી જીવ આ સંસારમાંથી નિવૃત્તિ મેળવે છે. (V) ઉપસંહાર વૈશેષિક દર્શનના વિવિધ ખ્યાલો અંગે ટીકાકારોએ ટીકા કરી છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે વૈશેષિક દર્શનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ સાત પદાર્થો માનવામાં આવેલા છે, પરંતુ ખરું જોતાં ફક્ત દ્રવ્યને જ પદાર્થ માની શકાય તેમ છે. ગુણ અને કર્મ તો દ્રવ્ય વગર રહી શકે જ નહીં. સામાન્ય, વિશેષ અને સમવાય પણ વિચાર ઉપર આશ્રિત છે. અભાવ એટલે ભાવથી ઊલટો પદાર્થ, તે પણ સાપેક્ષ છે; તેથી દ્રવ્ય સિવાય બાકીના છ પદાર્થોને પદાર્થ જ કહી શકાય નહીં. આમ, વૈશેષિકમતની પદાર્થવિચારણા ઘણી જ મહત્ત્વપૂર્ણ હોવા છતાં તે વિભિન્ન પદાર્થો વચ્ચે સામંજસ્ય સ્થાપી શકતું નથી. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વૈશેષિકમત અનુસાર આ જગત પરમાણુમાંથી ઉત્પન્ન થયું છે. પ્રશ્ન થાય કે પરમાણુ પરિચ્છિન્ન છે કે અપરિચ્છિન્ન? પરમાણુ સગુણ છે કે નિર્ગુણ? સાકાર છે કે નિરાકાર? પરમાણુઓ સક્રિય છે કે નિષ્ક્રિય? ઊંડી દૃષ્ટિએ જોતાં પરમાણુવાદ ઘણો અસ્પષ્ટ અને ક્ષતિવાળો જણાય છે. વૈશેષિક દર્શનમાં ઈશ્વરને જે સ્થાન આપવામાં આવ્યું છે તે અંગે પણ ટીકા થયેલી છે. વૈશેષિક દર્શનમાં ઈશ્વરને સ્વતંત્ર સંચાલક માનેલ નથી અને મુક્ત આત્માઓ પણ ઈશ્વરમાં લય પામતા નથી. ઈશ્વરભક્તિ માટે પણ આ દર્શનમાં કોઈ સ્થાન નથી. ઈશ્વરના અનુગ્રહની પણ જરૂર રહેતી નથી. આ દર્શનમાં ઈશ્વરનું સ્થાન નહીંવત્ છે. વૈશેષિકોનો મોક્ષવિષયક ખ્યાલ અભાવાત્મક છે. મુક્તાત્મા સુખ, દુઃખ, સંવેદનથી રહિત - ચૈતન્યશૂન્ય બની જાય છે. આવા ચૈતન્યશૂન્ય મુક્તાત્મા અને જડ પથ્થરમાં કોઈ ફરક સંભવતો નથી. કેટલાક ટીકાકારોએ આવા મોક્ષને માત્ર અર્થહીન કહ્યો છે. એક વૈષ્ણવ વિચારક તો વૈશેષિકોએ કરેલ કલ્પના મુજબની મુક્તિ મેળવવા કરતાં જ્યાં ખુદ શ્રીકૃષ્ણનાં પગલાં પડ્યાં છે એવા વૃંદાવનના ગાઢ જંગલમાં શિયાળ બનીને જમણ કરવાનું વધુ પસંદ કરે છે.' વૈશેષિક દર્શનના વિવિધ સિદ્ધાંતો સામે કડક ટીકાઓ થયેલી છે. તેમ છતાં વૈશેષિકમતનું મહત્ત્વ ઓછું નથી. વૈશેષિકમત એ કોઈ માત્ર લૌકિક કે વ્યવહારિક બુદ્ધિના આધારે કે કલ્પનાથી રચાયેલો મત નથી. તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ ઘણું છે. વૈશેષિક દર્શનમાં ભારતીય ભૌતિક શાસ્ત્રનો પ્રથમ પાયો છે, છતાં વૈશેષિક દર્શન એ કોરો ભૌતિકવાદ પણ નથી. સમસ્ત જગતને તે ભૌતિક પરમાણુઓના સંયોગના પરિણામ તરીકે માને છે, છતાં તેણે પરમાણુવાદનો ઈશ્વરવાદ સાથે સમન્વય કર્યો છે. ‘પદાર્થ' શબ્દની રચના તથા તેનો પ્રયોગ ભારતીય દાર્શનિક ઇતિહાસમાં વૈશેષિક દર્શનની એક આગવી ભેટ છે. ‘પદાર્થ'ના ખ્યાલ દ્વારા લગભગ બધા જ વિષયોનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન વૈશેષિક દર્શને કર્યો છે. ‘પદાર્થનો આ ખ્યાલ સૂક્ષ્મ બુદ્ધિનો પરિચાયક છે. પદાર્થ સંબંધી તેના વિચારો વૈજ્ઞાનિક વિશ્લેષણની દષ્ટિએ થયેલા હોવાથી ઘણા મહત્ત્વપૂર્ણ છે. ૧- જુઓ : શ્રી શંકરાચાર્યજીકત, ‘સર્વસિદ્ધાંત સંગ્રહ’, નૈયાયિકપક્ષ, શ્લોક ૪૧,૪૨ 'नित्यानन्दानुभूतिः स्यान्मोक्षे तु विषयादृते । वरं बृन्दावने रम्ये सृगालत्वं वृणोम्यहम् ।। वैशेषिकोत्कमोक्षात्तु सुखलेशविवर्जितात् । यो वेद विहितैर्यज्ञैरीश्वरस्य प्रसादतः ।।' Page #630 -------------------------------------------------------------------------- ________________ સાંખ્ય દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય વિદ્વાનોએ સાંખ્ય શબ્દના વિવિધ અર્થો ઘટાવેલ છે. સાંખ્ય શબ્દ “સંખ્યા' ઉપરથી બનેલો છે. વિશ્વનાં ઘટક તત્ત્વોની સંખ્યાનું આમાં નિરૂપણ છે. વિચાર એટલે કે તાત્ત્વિક ચિંતનના અર્થમાં પણ સાંખ્ય શબ્દ વપરાય છે. સમ્યક્ બુદ્ધિવાળું - વિવેકવાળું આત્મકથન એટલે સાંખ્ય એવો પણ અર્થ થાય છે. (સમ્ = સારું; ખ્યા = કરવું) પુરુષ તથા પ્રકૃતિના ભેદનું જે યથાર્થ જ્ઞાન (ભેદજ્ઞાન, વિવેકજ્ઞાન) તેનું નામ સાંખ્ય એવો અર્થ વિશેષપણે પ્રચલિત તથા સ્વીકાર્ય થયો છે. શ્રીમદ્ ભગવદ્ગીતા'માં પણ સાંખ્ય' શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાન અથવા આત્મબોધના અર્થમાં થયો છે. શ્રી શંકરાચાર્ય ‘વિષ્ણુસહસ્રનામ' ઉપરની ટીકામાં તેને શુદ્ધ આત્મવિજ્ઞાન કહે છે. સાંખ્ય દર્શન વાસ્તવવાદી (realistic), વૈતવાદી (dualistic) અને બહુતત્ત્વવાદી (pluralistic) દર્શન છે. વાસ્તવવાદી એ અર્થમાં છે કે તે પુરુષથી સ્વતંત્ર એવા વાસ્તવિક જગતના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તે દ્વૈતવાદી એટલા માટે છે કે એકબીજાથી તદ્દન ભિન્ન, પૂર્ણ, સ્વતંત્ર એવાં બે સત્તત્ત્વો - પુરુષ અને પ્રકૃતિનો તે સ્વીકાર કરે છે. તે બહુતત્ત્વવાદી એ અર્થમાં છે કે તે એક નહીં પણ અનેક પુરુષોનો સ્વીકાર કરે છે. સાંખ્ય દર્શન એ આર્યોનું પ્રાચીન કાળનું પદાર્થશાસ્ત્ર છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક સાંખ્યસિદ્ધાંતના ઇતિહાસના પાંચ યુગ છે – ૧) ‘ઉપનિષદો' અને “શ્રીમદ્ ભગવદ્ગીતા'નું સાંખ્ય. (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ઈ.સ. પૂર્વે ૮OO) ૨) ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધનો યુગ શરૂ થયો તે વખતનું સાંખ્ય. (ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. પૂર્વે ૫00) ૩) મહાભારત' અને પુરાણો'નું સાંખ્ય - સેશ્વરવાદી પૂર્વાવસ્થા અને નિરીશ્વરવાદી ઉત્તરાવસ્થા. (ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. પૂર્વે ૨૦O) ૧- જુઓ : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૨, શ્લોક ૩૯ 'एषा तेऽभिहिता सांख्ये बुद्धिोगे त्विमां श्रृणु । बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ।।' Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૪) વેદાંતસૂત્રના કર્તા મહર્ષિ બાદરાયણના વખતનું તેમજ શ્રી ઈશ્વરકૃષ્ણની ‘સાંખ્યકારિકા'નું સાંખ્ય. (ઈ.સ. પૂર્વે ૩૦૦ થી ઈ.સ. પૂર્વે ૨૦૦). ૫) શ્રી વિજ્ઞાનભિક્ષુનું સાંખ્ય - તેઓ સેશ્વરવાદી છે. (ઈ.સ.ની ૧૬મી સદી) પંડિત બલદેવ ઉપાધ્યાયના મત પ્રમાણે ‘ઉપનિષદો’ અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નું સાંખ્ય વેદાંત દર્શન જોડે મિશ્રિત છે તથા ઈશ્વરવાદનું સમર્થક છે. ‘મહાભારત' તથા ‘પુરાણો'નું સાંખ્ય વેદાંત દર્શનના સિદ્ધાંતોથી પૃથક્ થઈ સ્વતંત્ર દર્શનના રૂપમાં પ્રગટ થયું છે. સાંખ્ય દર્શનના સિદ્ધાંતોમાં પણ વિશેષ વિકાસ જોવા મળે છે. ‘બહ્મસૂત્રો'માં તથા કારિકા'માં વર્ણિત સાંખ્ય ચોક્કસરૂપે નિરીશ્વરવાદી જણાય છે. તેમાં પુરુષ તથા પ્રકૃતિને અંતિમ તત્ત્વો માની વિશ્વની તાત્ત્વિક વ્યાખ્યા કરવામાં આવી છે. ઈશ્વરનું કોઈ સ્થાન તેમાં જણાતું નથી. શ્રી વિજ્ઞાનભિક્ષુ એક વિશિષ્ટ દાર્શનિક હતા. તેમણે સાંખ્ય દર્શનના નિરીશ્વરવાદની જગ્યાએ ફરી સેશ્વરવાદની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો, વેદાંત દર્શન સાથે સમન્વય સાધ્યો અને લુપ્ત થયેલ ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી એટલું સમજાય છે કે સાંખ્ય દર્શન એ અતિ પ્રાચીન દર્શન છે. આ દર્શનનાં કેટલાંક મૂળભૂત તત્ત્વોનો ઉલ્લેખ “અથર્વસંહિતા', ‘કઠોપનિષદ્', ‘શ્વેતાશ્વતર ઉપનિષદ્', શ્રીમદ્ ભગવદ્ગીતા', “મહાભારત' તેમજ પુરાણો'માં જોવા મળે છે. ‘શ્રુતિ', “મૃતિ', ‘પુરાણ' આદિ સમસ્ત પ્રાચીન કૃતિઓમાં સાંખ્યવિચારધારાની ઝલક દેખાય છે, એ જ એની પ્રાચીનતા સાબિત કરે છે. સાંખ્ય દર્શનની આચાર્યપરંપરામાં ૨૬ આચાર્યોની ગણના થાય છે અને સાંખ્યસૂત્રના મૂળ રચયિતા તરીકે શ્રી કપિલ મુનિને માનવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનના મત અનુસાર મહાત્મા બુદ્ધ પહેલાં ૧૦૦ વર્ષ અગાઉ શ્રી કપિલ મુનિ થયા હશે. શ્રી કપિલ મુનિને ‘ભાગવત'માં વિષ્ણુના અવતાર માન્યા છે. “શ્વેતાશ્વતર ઉપનિષદ્દમાં પણ શ્રી કપિલ મુનિનો ઉલ્લેખ આવે છે. “મહાભારત'માં તેમને બહ્મપુત્ર તરીકે નિર્દેશેલ છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં શ્રીકૃષ્ણ કહે છે કે - સિદ્ધાંતોમાં કપિલ મુનિ હું છું.' જો કે આ કપિલ મુનિ તે જ સાંખ્ય દર્શનના રચયિતા કે કોઈ બીજા એ વિષે વિદ્વાનો એકમત નથી. (૩) સાહિત્ય સાંગસૂત્રોનો રચનાકાળ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીનો મનાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ શ્રી કપિલ મુનિએ કાંઈ લખ્યું જ નથી. તેમણે તેમના શિષ્ય શ્રી આસુરીને અને શ્રી આસુરીએ શ્રી પંચશીખને વિદ્યાદાન કર્યું એમ મનાય છે. તેમની કોઈ કૃતિ ૧- જુઓ : Dr. Radhakrishnan, Indian Philosophy', vol.II, pg.253-254 Page #632 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય સાંખ્ય દર્શન ઉત્તરોત્તર જ્ઞાનનું વિતરણ થતું રહ્યું. અત્યારે ઉપલબ્ધ નથી. આમ, શ્રી ઈશ્વરકૃષ્ણ કે જેઓ ઈ.સ.ની બીજી કે ત્રીજી સદીમાં થઈ ગયા, તેમની રચેલી ૭૨ કારિકાઓમાં સાંખ્ય શાસ્ત્રનું વિદ્વતાપૂર્ણ વિવેચન છે. ઈ.સ.ની સાતમી કે આઠમી સદીમાં થયેલા શ્રી ગૌડપાદનું ‘સાંખ્યકારિકાભાષ્ય', આઠમી કે નવમી સદીમાં થયેલ મિથિલાનિવાસી શ્રી વાચસ્પતિ મિશ્રની ‘સાંખ્યકૌમુદી’, સોળમી સદીમાં થયેલા શ્રી વિજ્ઞાનભિક્ષુના ‘સાંખ્યપ્રવચનભાષ્ય' અને ‘સાંખ્યસાર' જેવા ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. ત્યારપછી એ વિષયના મૌલિક ચિંતનના કોઈ ગ્રંથો ઉપલબ્ધ નથી. શ્રી નર્મદાશંકર મહેતાના કહેવા પ્રમાણે શ્રી વિજ્ઞાનભિક્ષુ પછી સાંખ્ય શાસ્ત્રના કોઈ પ્રસિદ્ધ તત્ત્વચિંતક થયા નથી અને તેથી સાંખ્ય દર્શનના વિચારો વેદાંત દર્શનમાં અંતર્ગત થઈ ગયા. ૧ (II) પ્રમાણમીમાંસા સાંખ્યમત ત્રણ પ્રમાણોનો સ્વીકાર કરે છે - પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. અન્ય પ્રમાણો જેવાં કે ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ વગેરેને સાંખ્ય દર્શનમાં સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાન નથી અપાયું, પરંતુ તેને ઉપરનાં ત્રણે પ્રમાણોમાં સમાવી લેવામાં આવ્યાં છે. પ્રમાણના પેટાપ્રકાર નીચે પ્રમાણે છે પ્રમાણ વિચાર (૨) અનુમાન (૧) પ્રત્યક્ષ નિર્વિકલ્પ પ્રકાર છે. સવિકલ્પ – પૂર્વવત્ વીત અવીત સામાન્યતઃ દૃષ્ટ ૧૯૯ (૩) શબ્દ (૧) પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિયગમ્ય પ્રત્યેક વિષયનો નિશ્ચય તે પ્રત્યક્ષપ્રમાણ છે. પ્રત્યક્ષપ્રમાણના બે ૧) નિર્વિકલ્પક અને ૨) સવિકલ્પક. લૌકિક વૈદિક ૧) નિર્વિકલ્પક ઇન્દ્રિયોનો જ્યારે વિષય સાથે સંયોગ થાય છે ત્યારે જે વિષયાકાર વૃત્તિ થાય છે તે નિર્વિકલ્પક પ્રત્યક્ષપ્રમાણ છે. માનસિક વિશ્લેષણ પૂર્વેની આ અવસ્થા છે. અહીં વિષયની માત્ર ‘આ કાંઈક છે' એવી પ્રતીતિ થાય છે. પરંતુ ‘તે શું છે?’ તેવા પ્રકારનું જ્ઞાન થતું નથી. આથી શબ્દ દ્વારા તે પ્રગટ કરી શકાતું નથી. ૧- જુઓ : શ્રી નર્મદાશંકર મહેતા, હિન્દુ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ', પૃ.૧૦૩ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૨) સવિકલ્પક – જ્યારે મન ક્રિયાશીલ બને છે અને ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થયેલ પદાર્થનું તે વિશ્લેષણ કરે છે, ત્યારે આ વસ્તુ અમુક છે' તેવા પ્રકારનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે. આ જ્ઞાન વિધેયયુક્ત વિધાન દ્વારા પ્રગટ કરી શકાય છે. સાંખ્ય દર્શનમાં બુદ્ધિ, અહંકાર, મન અને ઇન્દ્રિયોને જ્ઞાનપ્રાપ્તિમાં સક્રિયપણે મદદરૂપ થનાર સહાયક તંત્ર તરીકે માનેલ છે. વસ્તુ ઇન્દ્રિયોમાં સંક્ષોભ ઊભો કરે છે. ઇન્દ્રિયોના સંસ્પર્શીને મન વ્યવસ્થિત કરીને એક ચોક્કસ ઘાટ આપે છે. પછી અહંકાર એ ઘાટને બુદ્ધિ પાસે રજૂ કરે છે. બુદ્ધિ એ ઘાટનું એક વિચારમાં રૂપાંતર કરે છે. આમ, બુદ્ધિ ઇન્દ્રિયસંસ્પર્શો દ્વારા સાંપડેલ એક ઘાટને વિચારમાં પરિવર્તિત કરી આત્મા પાસે રજૂ કરે છે. આ પ્રક્રિયાને વસ્તુનું જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની આ પ્રક્રિયામાં પુરુષ અને પ્રકૃતિ કોઈ અજ્ઞાત રીતે સંપર્કમાં આવે છે. જો કે શરૂઆતમાં પ્રકૃતિ તથા પુરુષને પરસ્પર સ્વતંત્ર માનવામાં આવેલાં છે, પરંતુ લોઢું અને લોહચુંબક વગેરેની ઉપમા દ્વારા તે બન્નેને એકબીજાની સમીપ આવતાં દર્શાવ્યાં છે. આમ, સાંખ્ય દર્શનની ‘પ્રત્યક્ષ'ની પ્રક્રિયા ન્યાય-વૈશેષિક દર્શન કરતાં ભિન્ન છે. (૨) અનુમાન પ્રમાણ અનુમાનની બાબતમાં સાંખ્યમત ન્યાયમતથી બહુ ભિન્ન નથી. ન્યાય દર્શને જે ત્રણ પ્રકારનાં અનુમાન ગણાવેલ છે, તે સાંખ્ય દર્શનને પણ માન્ય છે. શ્રી વાચસ્પતિ મિશ્ર અનુમાનના બે વિભાગ પાડેલ છે - વીત અનુમાન અને અવીત અનુમાન ૧) વીત અનુમાન – જે અનુમાન વ્યાપક વિધિવાક્ય ઉપર આધાર રાખે છે તે વાત અનુમાન (universal affirmative proposition). આના બે પેટા પ્રકારો છે - પૂર્વવત્ અને સામાન્યતઃ દૃષ્ટ. (i) પૂર્વવત્ – આ અનુમાન બે વસ્તુઓ વચ્ચે જણાતા વ્યાપ્તિ સંબંધના આધારે રચાય છે. દા.ત. અગ્નિ અને ધુમાડા વચ્ચેના નિશ્ચિત સાહચર્ય સંબંધના આધારે કોઈ સ્થળે ધુમાડો જોયા પછી ત્યાં અગ્નિનું અનુમાન કરવામાં આવે છે. પ્રથમ થયેલા અનુભવના આધારે રચાયેલ હોવાથી તેને પૂર્વવતુ અનુમાન કહેલ છે. કારણ જોઈને કાર્યનું અનુમાન કરવું તે વાત અનુમાન. જેમ આકાશમાં વાદળાં જોઈને વરસાદનું અનુમાન કરવું. (ii) સામાન્યતઃ દુષ્ટ - જ્યારે ‘હેતુ' તેમજ ‘સાધ્ય' વચ્ચે ખરેખર વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન થતું નથી, પરંતુ સાધ્ય સાથે નિયત સંબંધના કારણે હેતુની પદાર્થ સાથે સમાનતા અંગે જ્ઞાન થાય છે ત્યારે તે “સામાન્યતઃ દષ્ટ અનુમાન' કહેવાય છે. કાર્યના આધારે કારણનું અનુમાન તે સામાન્યતઃ દષ્ટ અનુમાન. જેમ આંખના હોવાપણાનું જ્ઞાન જોવાની Page #634 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - સાંખ્ય દર્શન ૬૦૧ ક્રિયા ઉપરથી થાય છે. જોવું એ એક પ્રકારની ક્રિયા છે અને આંખ તે ક્રિયાનું સાધન હોવાથી તેના હોવાપણાનું જ્ઞાન અનુમાન દ્વારા થાય છે. પૂર્વવતુ અનુમાનમાં હેતુ (ધુમાડો) તથા સાધ્ય (અગ્નિ) વચ્ચે નિશ્ચિત વ્યાપ્તિ સંબંધ છે, જ્યારે સામાન્યતઃ દૃષ્ટ અનુમાનમાં ઇન્દ્રિય તથા તેની ક્રિયાનો નિશ્ચિત વ્યાપ્તિ સંબંધ કદાપિ જણાતો નથી. ૨) અવીત અનુમાન – શબ્દ એ ગુણ છે એવું અનુમાન કેવી રીતે કરી શકાય? તો એનો જવાબ એ છે કે શબ્દ એ દ્રવ્ય, કર્મ, સામાન્ય, સમવાય, વિશેષ કે અભાવ નથી; માટે જરૂર છે બાકી વધે તે ગુણ હોવો જોઈએ. વિકલ્પો તપાસતાં અને તેને નકારતાં બાકી વધે તે સાચું એમ અનુમાન થાય છે. વ્યતિરેકના આધારે કરાતું અનુમાન તે અવીત અનુમાન છે. (૩) શબ્દપ્રમાણ અનુમાન કે પ્રત્યક્ષ દ્વારા જે વિષયનું જ્ઞાન થતું નથી, તેનું જ્ઞાન આપ્તવચન કે શબ્દપ્રમાણ દ્વારા થાય છે. વિશ્વસ્ત અને હિતૈષી પુરુષ દ્વારા રજૂ થયેલ વાક્યને પ્રમાણ માનવામાં આવે છે. વાક્યબોધ થવા માટે શબ્દની જરૂર રહે છે. જેનાથી અર્થ નિષ્પન થાય અને જે કોઈ વસ્તુના સંદર્ભમાં વપરાય તે શબ્દ છે. શબ્દ બે પ્રકારના છે - લૌકિક અને વૈદિક. ૧) લૌકિક - સાધારણ અને વિશ્વાસપાત્ર વ્યક્તિઓનાં વચનને લૌકિક કહેવાય છે. લૌકિક વચનો પ્રત્યક્ષ તથા અનુમાન ઉપર આધારિત હોવાથી સાંખ્ય દર્શન તેને પ્રમાણની કોટિમાં મૂકતું નથી. વૈદિક શબ્દ જ માત્ર પ્રમાણિત છે. ૨) વૈદિક – જે ઇન્દ્રિયાતીત જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા મળવું અશક્ય છે, તે જ્ઞાન અપૌરુષેય એવાં વેદનાં વાક્યો દ્વારા મળે છે એવો સાંખ્યમત છે. સાંખ્યમત મુજબ વેદ ઈશ્વરની રચના નથી અને એથી તેને “અપૌરુષેય' કહે છે. વેદવાક્યનો અર્થ સ્વતઃ પ્રમાણ છે. તે ભૂલ કે દોષથી રહિત છે, કારણ કે તે અપૌરુષેય છે. (III) તત્ત્વમીમાંસા કાર્ય-કારણમીમાંસા સાંખ્ય દર્શનની તત્ત્વમીમાંસાની વિચારણા કરતાં પહેલાં જગતના મૂળ કારણ અંગેની તથા કારણ-કાર્ય સંબંધ અંગેની તેની માન્યતાઓ જોઈએ. ન્યાય દર્શન અસતુકાર્યવાદનો સ્વીકાર કરે છે. અસત્કાર્યવાદ મુજબ વસ્તુ ઉત્પન્ન થાય તે પહેલાં તેનો અભાવ હોય છે તથા તે નાશ પામે પછી તેનો અભાવ થાય છે, અર્થાત્ કારણમાં કાર્ય પ્રથમથી જ રહેલું નથી, પણ તે તદ્દન નવીન જ ઊપજ છે. આ બાબતમાં સાંખ્ય Page #635 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દર્શનનો મત ન્યાયમતથી વિપરીત છે. સાંખ્યમત સતૃકાર્યવાદનો સ્વીકાર કરે છે. તે મુજબ કારણની અંદર પ્રથમથી જ કાર્ય રહેલું છે. કોઈ પણ નવી વસ્તુ અસત્ અથવા શૂન્યમાંથી ઉત્પન્ન થતી નથી. કાર્ય નિત્ય છે અને ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાન કાળમાં તેની જુદી જુદી ત્રણ અવસ્થાઓ છે. દા.ત. સોનાનું કડું. તે પ્રથમ મૂળ ધાતુ સોનામાં સમાઈ ગયેલ હોવાથી કાર્ય(પરિણામ)રૂપે બાહ્યમાં જણાતું ન હતું, પરંતુ વર્તમાન સ્થિતિમાં તેની ઘાટરૂપે માત્ર ‘અભિવ્યક્તિ' થાય છે અને સમય જતાં તે તેના મૂળ કારણમાં વિલીન થઈ જશે. સત્કાર્યવાદ સિદ્ધ કરવા માટે શ્રી ઈશ્વરકૃષ્ણ તેમની ‘સાંખ્યકારિકા'માં અનેક દલીલો રજૂ કરે છે ૧) કારણવ્યાપારની પહેલાં જો કાર્યનો અભાવ જ હોય તો ગમે તે ઉપાયે પણ તેની ઉત્પત્તિ સંભવે નહીં. વસ્તુના મૂળ કારણરૂપમાં જે નથી તેને કાર્યરૂપે કેવી રીતે નિપજાવી શકાય? બીજ આદિ કારણોમાં જ અંકુર આદિ કાર્ય અસ્તિત્વ ધરાવે છે. તલમાં જો તેલ ન હોય તો ગમે તેટલા તલ પીલવાથી પણ તેલ મળે નહીં. રેતીને પીલવાથી કાંઈ તેલ મળતું નથી, તેમ જગત જો કારણાવસ્થામાં ન હોય તો તેનું કાર્યાવસ્થામાં અસ્તિત્વ ન સંભવે. ૨) રોજિંદા અનુભવ દ્વારા કહી શકાય છે કે અમુક કારણમાંથી અમુક જ કાર્યની ઉત્પત્તિ થાય છે. આથી પણ એ હકીકત સાબિત થાય છે કે કારણ અને કાર્ય વચ્ચે અમુક ચોક્કસ પ્રકારનો સંબંધ રહેલો છે. દૂધમાંથી દહીં બને છે, તંતુમાંથી કપડાં બને છે; તેવી જ રીતે જગતરૂપી કાર્ય તેના કારણ સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે, તેથી તે સત્ છે. ઘડો બનાવવો હોય તો કુંભાર માટીનો ઉપયોગ કરે છે, દૂધનો નહીં. ૩) જો કાર્ય અને કારણ વચ્ચે કોઈ સંબંધ જ ન હોત તો પછી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુમાંથી નિપજાવી શકાત. પરંતુ માટીમાંથી ઘડો બને છે, વસ્ત્ર નહીં. તલને પીલવાથી તેલ નીકળે છે, પાણી નહીં. ૪) જે કારણ જે કાર્ય નિપજાવવાને શક્તિમાન હોય છે, તે કારણમાંથી તે જ કાર્ય ઉત્પન્ન થાય છે. માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે, કારણ કે માટીમાં તેમ કરવાની શક્તિ છે. ટૂંકમાં કાર્ય કારણમાં અવ્યક્ત રીતે રહેલ છે. જો એમ ન હોત તો પાણીમાંથી છાશ, નેતરમાંથી કપડાં વગેરે બનાવી શકાત. આમ, જગતરૂપી કાર્ય (પરિણામ) જે કારણમાંથી આવિર્ભાવ પામ્યું છે, તે કારણ તે(જગત)ને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે, માટે જગત સત્ય છે. ૫) જેને ‘કાર્ય' એવું નામ આપવામાં આવે છે તે તો કારણનું માત્ર રૂપાંતરિત રૂપ છે. મૂળ કારણથી તે ભિન્ન નથી. કારણ અને કાર્ય સાંખ્યમત પ્રમાણે અભિન્ન છે. Page #636 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - સાંખ્ય દર્શન ૬૦૩ વસ્તુતઃ કારણ અને કાર્ય એક જ વસ્તુની વિભિન્ન અવસ્થાઓનાં નામ છે. વ્યક્ત દશા તે કાર્ય અને અવ્યક્ત દશા તે કારણ. તલમાં તેલ છે, દૂધમાં છાશ છે. કર્તા તો ફક્ત વસ્તુનો આવિર્ભાવ (manifestation) જ કરે છે. અવ્યક્ત વસ્તુ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. આમ, સાંખ્ય દર્શનના મતાનુસાર કોઈ પણ વસ્તુ અસતુમાંથી ઉત્પન્ન થતી નથી, પરંતુ તે પ્રથમથી જ કારણમાં રહેલી હોય છે. અસતુમાંથી સતુનો પ્રાદુર્ભાવ ન જ સંભવે, પણ બીજરૂપે પ્રચ્છન્ન હોય તો જ અંકુરરૂપે પ્રત્યક્ષ થાય. કાર્ય કારણમાં પરોક્ષ રીતે રહેલું જ છે - એ સાંખ્યતત્ત્વદર્શનની આધારશિલા છે. (૧) આત્મા વિષે વિચાર સાંખ્ય દર્શન દૈતવાદી છે. તેમાં પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જીવ સંબંધી સ્પષ્ટ ખ્યાલ પ્રાપ્ત કરવા પુરુષ અને પ્રકૃતિ એ બન્નેની વિચારણા કરવી જોઈએ – પ્રકૃતિ સાંખ્ય દર્શનમાં પ્રકૃતિને જગતનું મૂળભૂત સૂક્ષ્મ કારણ માનવામાં આવ્યું છે. તે ત્રિગુણાત્મિકા, જડાત્મિકા, મૂલા, અવ્યક્ત, પ્રધાન જેવાં વિવિધ નામોથી ઓળખાય છે. સત્ત્વ, રજસ્ અને તમારું એમ ત્રણ ગુણોની સામ્યવસ્થાવાળી હોવાથી પ્રકૃતિને ‘ત્રિગુણાત્મિકા' કહે છે. સ્વરૂપે તે સંપૂર્ણ, અનાત્મ તેમજ જડ હોવાથી તે “જડાત્મિકા' પણ કહેવાય છે. વિશ્વનું આદિ કારણ હોવાથી તે મૂલા’ કે ‘પરા પ્રકૃતિ' તરીકે પણ ઓળખાય છે. સમસ્ત વિશ્વના બધા પદાર્થો તેમાંથી વ્યક્ત થાય છે, પરંતુ તે સ્વયં અવ્યક્ત' છે, કારણ કે તે કોઈ કારણના કાર્યરૂપે નથી. બધા પદાર્થનું મૂળ અને એક મુખ્ય કારણ હોવાથી તેને ‘પ્રધાન' પણ કહે છે. પ્રકૃતિ સનાતન છે, સર્વવ્યાપક છે, અચલ છે, એક છે, અનાદિ છે. તે અસીમ શક્તિશાળી છે. તે સૂક્ષ્મ - અતિ સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયગોચર નથી, પરંતુ અનુમાનથી જાણી શકાય છે. પ્રકૃતિ સ્વતંત્ર છે. એ પોતાના ત્રિગુણાત્મક સ્વભાવને જ આધીન છે, અન્ય કોઈને નહીં. સત્વ, રજસ્ અને તમન્ એ ત્રણે ગુણોનો સમૂહ એટલે જ પ્રકૃતિ. અહીં ગુણોનો અર્થ ગુણધર્મ નથી, પરંતુ આ ત્રણે ગુણો પ્રકૃતિનાં અંગો જ છે. ત્રણ દોરીઓના ગુચ્છ વડે વણાયેલ દોરડાની જેમ આ ત્રણે ગુણો સાથે મળીને પુરુષને માટે બંધનનું કાર્ય કરે છે. સત્ત્વ એટલે સમતોલતા. સત્ત્વનો ઉદ્રક થાય ત્યારે શાંતિ પ્રવર્તે. રજસ્ત એટલે રાગદ્વેષાત્મક પ્રવૃત્તિ. તમ એટલે પ્રમાદ, આલસ્ય, મોહાદિ, અવિવેક અને ભમણા. પ્રત્યેક મનુષ્યમાં આ ત્રણે ગુણો ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. એનામાં જ્યારે Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સત્ત્વ ગુણનો ઉત્કર્ષ હોય ત્યારે તે શાંત અને ચિંતનપરાયણ બને, રજો ગુણનો ઉદય થતાં તે રાગ-દ્વેષમૂલક પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહે અને તમો ગુણનું વર્ચસ્વ વધતાં પ્રમાદી અને આળસુ બને. પુરુષ (આત્મા) સાંખ્ય દર્શન અનુસાર પુરુષ અથવા આત્મા પ્રકૃતિથી પર છે, અનાદિ છે, અનંત છે, નિર્ગુણ છે, સૂક્ષ્મ છે, સર્વવ્યાપક છે, બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોથી પર છે; દિશા, કાલ અને કાર્ય-કારણભાવથી પણ પર છે, સનાતન સાક્ષીરૂપ છે, પૂર્ણ અને અવ્યય છે, ચિતૂપ છે. સાંખ્યમત પ્રમાણે પુરુષ - આત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. તે અસંગ, અલિપ્ત અને અકર્તા છે. તેનો પ્રકૃતિ સાથે અનાદિ સંયોગ છે. પુરુષમાં કોઈ જાતનું પરિવર્તન કદી થતું નથી. તે કોઈનું કાર્ય પણ નથી કે કારણ પણ નથી. ચિત્ત (બુદ્ધિ) વિષયના આકારે પરિણમે છે - પરિવર્તન પામે છે. ચિત્તનું જે વિષયાકાર પરિણામ (પરિવર્તન) તે ચિત્તવૃત્તિ છે. જેવી ચિત્તવૃત્તિ ઉત્પન્ન થાય છે કે તરત જ તે પ્રકૃતિ સાથે અનાદિ સંયોગ ધરાવતા પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. પુરુષ સ્વભાવતઃ ભોક્તા નથી પણ તેના ઉપર ભોક્નત્વનું આરોપણ કરવામાં આવે છે, કારણ કે જે સુખ-દુઃખ છે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાય છે. પણ બુદ્ધિ તો પ્રકૃતિની છે, માટે પુરુષ સુખ-દુઃખનો ભોક્તા છે એ કલ્પનામાત્ર છે. આમ, પુરુષ કર્તા-ભોક્તા નથી, સાક્ષી છે. રંગ વગરના કાચની ઉપમા એને આપી શકાય. જેવો રંગ એની સમીપમાં મુકાય, તેવા રંગનો એ લાગે; બાકી હોય તદન રંગરહિત. પુરુષને સાક્ષી, દ્રષ્ટા, મધ્યસ્થ, કૈવલ્ય, ઉદાસીન પણ કહેવામાં આવે છે. સાંખ્યમત પ્રમાણે આત્મા આનંદમય નથી. આનંદ એ તો પ્રકૃતિનો ગુણ છે. પુરુષ તો અવિકારી, કૂટસ્થ, નિષ્ક્રિય અને અસંગ છે. તે સુખદુઃખથી પર છે. સાંખ્ય દર્શનના મત મુજબ પ્રત્યેક જીવનો આત્મા પૃથક પૃથક છે. સંસારમાં અનેક પુરુષો એટલે કે આત્માઓ છે. તેની સાબિતી સાંખ્ય નીચેની દલીલો દ્વારા આપે છે – ૧) આ સંસારના લોકોમાં વ્યક્તિગત ભેદો રહેલા છે. કોઈ આંધળો છે, કોઈ બહેરો છે, કોઈ જન્મે છે, કોઈનું મૃત્યુ થાય છે. જો એક જ પુરુષ હોત તો એકનો જન્મ થતાં બધાનો જન્મ થાત, વળી એકનું સુખ કે દુઃખ એ બીજા બધાંનું સુખ કે દુઃખ ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૧૮ 'जननमरणकरणानां प्रतिनियमादयुगपत्प्रवृत्तेश्च । पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्ययाच्चैव ।।' Page #638 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - સાંખ્ય દર્શન ૬૦૫ બનત; પરંતુ આ પ્રમાણે બનતું નથી એ અનુભવી શકાય છે. આથી સિદ્ધ થાય છે કે પુરુષ અનેક છે. ૨) જો પુરુષ એક જ હોત તો એકનું બંધન એ બધાને માટે બંધન નીવડે અને એકનો મોક્ષ એ સર્વનો મોક્ષ ઠરે. આ પ્રમાણે બનતું નહીં હોવાથી પુરુષબહુત્વ સ્વીકારવું પડે છે. ૩) જો કે મુક્તાત્માઓ બધા ગુણાતીત હોવાથી તત્ત્વતઃ સમાન હોય છે. તોપણ જે બદ્ધ આત્માઓ છે તેમાં પારસ્પરિક ભિન્નતા જણાય છે, કારણ કે કોઈમાં સત્ત્વ, કોઈમાં રજસ્ તો કોઈમાં તમન્ અધિક છે. આથી પુરુષબહુત્વ સિદ્ધ થાય છે. ૪) પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલ છે એમ સ્વીકારીએ તો મનુષ્ય અને પશુપક્ષીઓ વચ્ચેનો ભેદ કેવી રીતે પાડવો? પશુ, પક્ષીઓ, મનુષ્યો, દેવતા વગેરેમાં એક જ આત્માનો નિવાસ નથી. આથી આત્માઓ અનેક છે એમ માનવું પડે છે. આમ, પ્રકૃતિ એક છે, પુરુષો અનેક છે. પ્રકૃતિ શેય છે, પુરુષ જ્ઞાતા છે. પ્રત્યેક જીવનો આત્મા પૃથક્ છે. તત્ત્વરૂપે તે એક છે, પરંતુ તેની સંખ્યા અનેક છે. પુરુષ નિર્વિકાર, કૂટસ્થ તત્ત્વ છે, પ્રકૃતિ વિકારશીલ છે. પુરુષ નિર્ગુણ છે, પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. પુરુષ પૂર્ણતઃ નિષ્ક્રિય છે, પ્રકૃતિ અવ્યક્ત રૂપે નિષ્ક્રિય છે, પરંતુ વ્યક્ત રૂપે સક્રિય છે. પુરુષ વિષયી છે, અસાધારણ છે, અસામાન્ય છે. પ્રકૃતિ વિષય છે, સાધારણ છે, સામાન્ય છે. પુરુષ તથા પ્રકૃતિ અને મૂળ તત્ત્વો છે, પરસ્પર સ્વતંત્ર છે અને સ્વ-આધારિત છે. બન્ને અહેતુમત તથા કારણરહિત છે. પુરુષ કશાની વિકૃતિ નથી. મૂળ પ્રકૃતિ પણ અવિકૃત છે. બન્ને નિત્ય, નિરવયવ અને અનાદિ તથા અવિનાશી તત્ત્વો છે. (૨) વિશ્વ વિષે વિચાર સાંખ્યમત મુજબ પુરુષ અને પ્રકૃતિના સંયોગ વડે જ વિશ્વનું નિર્માણ થાય છે. બન્નેનો સંયોગ જ સૃષ્ટિનું ઉત્પાદક કારણ છે. પ્રકૃતિ તો સ્વભાવે જડ છે, તેથી તેનાથી સૃષ્ટિ સંભવે નહીં; તેમજ પુરુષ પણ નિષ્ક્રિય હોવાથી તે કાંઈ ઉત્પાદન કરી ન શકે; માટે પુરુષ તેમજ પ્રકૃતિ બન્નેનો સંયોગ થવો જરૂરી છે. આ તથ્યને અંધપંગુના ન્યાય પ્રમાણે સમજાવતાં સાંખ્ય દર્શન કહે છે કે જંગલમાં ભૂલા પડેલા આંધળાને પગ છે પણ દૃષ્ટિ નથી અને લંગડાને દૃષ્ટિ છે પણ પગ નથી. આથી બન્ને જણા જંગલમાંથી બહાર નીકળવા માટે સંપ કરે છે, અર્થાત્ આંધળાની પીઠ ઉપર લંગડો સવાર થઈ જાય છે અને રસ્તા અંગે માર્ગદર્શન આપે છે અને પરિણામે તેઓ સફળ થાય છે. આ પ્રકારનું રૂપક સાંખ્યમત પ્રકૃતિ-પુરુષના સંયોગની બાબતમાં યોજે છે. એ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એમ તેઓ માને છે." જગત પ્રકૃતિમાં બીજરૂપે પ્રથમથી જ રહેલ હોય છે. ક્રમશઃ જગતનો આવિર્ભાવ પ્રકૃતિમાંથી થાય છે અને પ્રલયકાળે ફરીથી જગત એ જ રીતે પ્રકૃતિમાં લય પામે છે. સૃષ્ટિના સર્જન પૂર્વે પ્રકૃતિના ત્રણે ગુણો સામ્યવસ્થામાં હોય છે. પુરુષ એટલે કે આત્માના સાનિધ્યમાત્રથી ગુણોના આ સંતુલનનો ભંગ થાય છે અને ત્રણે ગુણોમાં એક પ્રકારનું આંદોલન ઉત્પન્ન થાય છે, જેને ‘ગુણક્ષોભ' કહે છે. પ્રથમ રજોગુણ ચલિત થાય છે અને તેના કારણે અન્ય બે ગુણોમાં પણ સ્પંદન થાય છે. ત્રણે ગુણો વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ ચાલે છે. જેમાં દરેક ગુણ અન્ય બે ગુણો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવા મથે છે. આખરે ત્રણે ગુણોનાં ઓછીવત્તી માત્રામાં જુદાં જુદાં સંયોજનો થાય છે, જેને પરિણામે આ જગત સર્જાય છે. જગતની ઉત્પત્તિ અથવા સૃષ્ટિનો વિકાસક્રમ કંઈક આ પ્રમાણે છે – સૌ પ્રથમ મહત્' એટલે કે બુદ્ધિ' ઉત્પન્ન થાય છે. પ્રકૃતિનો તે સર્વ પ્રથમ વિકાર છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર એના સાત્ત્વિક ગુણો હોવાથી તેને ‘મહતું એટલે મોટું એમ નામ આપેલ છે. બુદ્ધિ સ્વયં પ્રકૃતિનું કાર્ય (પરિણામ) હોવાથી જડ છે, પરંતુ પુરુષના અધિક સાનિધ્યમાં આવતી હોવાથી ચૈતન્યનું તેના ઉપર પ્રતિબિંબ પડે છે, આથી તે ચેતન સમાન પ્રતીત થાય છે. તમસૂનું પરિમાણ વધવાથી બુદ્ધિમાં અધર્મ, અજ્ઞાન, આસક્તિ ઉત્પન્ન થાય છે. વ્યક્તિને બુદ્ધિ દ્વારા જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. પુરુષ સર્વ ભૌતિક દ્રવ્યો તેમજ ગુણોથી પર હોવાથી બુદ્ધિથી ભિન્ન છે. બુદ્ધિની મદદ વડે પુરુષ પ્રકૃતિથી પોતાનો ભેદ પારખે છે અને પોતાનું યથાર્થ સ્વરૂપ સમજવા પ્રયત્ન કરે છે. પ્રકૃતિનો બીજો વિકાર અહંકાર છે. “હું', “મારું' - આવો ભાવ એટલે અહંકાર. અહંકારને વશ થઈને જ પુરુષ પોતાને સર્વ ક્રિયાનો કર્તા, ભોક્તા અને સ્વામી માને છે. ઇન્દ્રિયો તથા મન પોતે અનુભવેલા ચિંતિત વિષયને અહંકાર સમક્ષ રજૂ કરે છે. આના કારણે પુરુષ “આના ઉપર મારો અધિકાર છે' એવા પ્રકારના અહંકારના ભાવો કેળવે છે. અહંકારના ત્રણ પ્રકાર છે - (૧) સાત્ત્વિક (વૈકારિક), જેમાં સત્ત્વ ગુણનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં હોય છે; (૨) રાજસ્ (તૈજસુ), જેમાં રજોગુણની પ્રધાનતા હોય છે અને (૩) તામસ્ (ભૂતાદિ), જેમાં તમોગુણની પ્રધાનતા હોય છે. પ્રત્યેક અણુમાં અહંકાર પ્રગટ કે અપ્રગટરૂપે રહે છે. સાત્ત્વિક અહંકારમાંથી ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૨૧ 'पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य । पङ्ग्बन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।।' Page #640 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય સાંખ્ય દર્શન ૬૦૭ કર્મેન્દ્રિય અને મન એમ ૧૧ ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. તામસ અહંકારમાંથી શબ્દાદિ ૫ તન્માત્રાની ઉત્પત્તિ થાય છે. રાજસ્ અહંકાર સાત્ત્વિક અને તામસૢ બન્નેને સહાયભૂત બને છે અને તેને શક્તિ પ્રદાન કરે છે, જેથી સાત્ત્વિક તેમજ તામસ્ અહંકારમાં વિકાર ઉત્પન્ન થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચાનો સમાવેશ થાય છે. તેનાથી ક્રમશઃ રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ તેમજ સ્પર્શ સંબંધી વિષયોનું જ્ઞાન થાય છે. આ બધી ઇન્દ્રિયો અહંકારનું પરિણામ છે અને તેની ઉત્પત્તિ પુરુષને માટે છે. પાંચ કર્મેન્દ્રિયોમાં મુખ, હાથ, પગ, મળદ્વાર તથા જનનેન્દ્રિયનો સમાવેશ થાય છે. એનાથી ક્રમશઃ બોલવું, ગ્રહણ કરવું, આવવું, જવું, મળત્યાગ તેમજ સંભોગ વગેરે ક્રિયાઓ થાય છે. પુરુષને વિષયો ભોગવવાની ઇચ્છા એ વિષયો તેમજ ઇન્દ્રિયોની ઉત્પત્તિનું કારણ છે. વસ્તુતઃ ઉપર જણાવેલી ઇન્દ્રિયો પ્રત્યક્ષ નહીં પણ અનુમેય છે. આંખની કીકી કે કાનનું છિદ્ર એ વાસ્તવિક ઇન્દ્રિય નથી. એ તો બાહ્ય પ્રત્યક્ષ ચિહ્નમાત્ર છે. સાંખ્યમત મુજબ મન એ અગિયારમી ઇન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય એમ બન્ને પ્રકારની ઇન્દ્રિયોને પોતામાં પ્રવૃત્ત કરતું હોવાથી તે એકી વખતે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે જોડાઈ શકે છે. અહંકાર, બુદ્ધિ અને મન; આ ત્રણેને અંતઃકરણ નામ આપવામાં આવેલ છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બાહ્ય કરણ છે, બાહ્ય ઇન્દ્રિયોનો સંબંધ કેવળ વર્તમાન સાથે છે, જ્યારે આંતરિક ઇન્દ્રિયોનો સંબંધ ત્રણે કાળ જોડે છે. મનનું સ્વરૂપ સંકલ્પાત્મક છે. તે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત નિર્વિકલ્પ પ્રત્યક્ષના રૂપને પારખી, નિશ્ચિત બનાવી તેને સવિકલ્પના રૂપમાં ફેરવે છે. અહંકારના પ્રત્યક્ષ વિષયો ઉપર સ્વત્વ જમાવે છે. પુરુષની ઉદ્દેશપૂર્તિ અર્થે તે રાગ-દ્વેષ સર્જે છે. આ રાગ કે દ્વેષ આદિ વિષયોનું ગ્રહણ કરવું કે ત્યાગ કરવો એનો નિશ્ચય બુદ્ધિ કરે છે. અંતઃકરણો (મન, અહંકાર, બુદ્ધિ), બાહ્ય કરણો (પાંચ જ્ઞાનેન્દ્રિય તથા પાંચ કર્મેન્દ્રિય) કરતાં વધારે મહત્ત્વનાં છે, કારણ કે બાહ્ય કરણો અંતઃકરણોના વિષયો છે. બુદ્ધિને સર્વશ્રેષ્ઠ માનેલી છે. એ જ બધા વિષયોને પુરુષ આગળ રજૂ કરે છે તથા એ દ્વારા જ પુરુષ વિવેકજ્ઞાન પણ મેળવે છે. આમ, પુરુષનો ભોગ અને અપવર્ગ (મોક્ષ) બન્ને બુદ્ધિ જ સિદ્ધ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓ છે. ‘તન્માત્ર’ એટલે સૂક્ષ્મ તત્ત્વ. પાંચ તન્માત્રાનો ઉદય અહંકારના તામરૂપમાંથી થાય છે. તન્માત્ર અવિશેષ છે. એ સ્વતંત્ર રીતે અનુભવના વિષયો બની ન શકે. એમાંથી પરિણમતાં મહાભૂતો વિશેષ છે, કારણ કે એ સ્થૂળ હોવાથી ઇન્દ્રિયોના વિષય બની શકે છે. ત્રણ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગુણોના પ્રાધાન્ય અનુસાર સ્થૂળ ભૂતો અનુક્રમે શાંત, ઘોર અને મૂઢ હોય છે. જો સત્ત્વગુણ મુખ્ય હોય તો શાંત, રજોગુણ મુખ્ય હોય તો ઘોર અને તમોગુણ મુખ્ય હોય તો મૂઢ હોય છે. તન્માત્ર અતિ સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ દ્વારા જાણી શકાય એમ નથી, તેનું માત્ર અનુમાન જ શક્ય છે. આ પાંચ તન્માત્રાઓમાંથી ક્રમશઃ પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. શબ્દ તન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થાય છે, સ્પર્શ-શબ્દ તન્માત્રા મળીને વાયુની ઉત્પત્તિ થાય છે, રૂપ તન્માત્રા અને સ્પર્શ-શબ્દ તન્માત્રા વડે અગ્નિની ઉત્પત્તિ થાય છે, રસ તન્માત્રા અને સ્પર્શ-શબ્દ-રૂપ તન્માત્રા વડે જળની ઉત્પત્તિ થાય છે અને ગંધ તન્માત્રા અને સ્પર્શ-શબ્દ-રૂપ-રસ તન્માત્રા મળીને પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. વળી, સર્જનની પ્રક્રિયા કરતાં ઊલટી જ પ્રક્રિયા વિસર્જનની - પ્રલયની છે. પૃથ્વી પાણીમાં, પાણી અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વમાં અને મહત્તત્ત્વ પ્રકૃતિમાં લય પામે છે. આ છે (વ્યુત્ક્રમથી ઊલટી) પ્રતિક્રમની પ્રક્રિયા. સર્જન અને વિસર્જનનું આ ચક્ર અનાદિ-અનંત છે. સાંખ્યમત મુજબ પુરુષ અને પ્રકૃતિનો સંબંધ, સૃષ્ટિનો વિકાસક્રમ તથા તેનાં ૨૫ તત્ત્વોનો વિકાસ નીચેના કોષ્ટક ઉપરથી સ્પષ્ટ થશે – સાંખ્ય અનુસાર સૃષ્ટિવિકાસક્રમ (૧) પુરુષ – (૨) પ્રકૃતિ (પ્રધાન) (૩) મહતું (બુદ્ધિ) (૪) અહંકાર તામસ્ (ભૂતાદિ) સાત્વિક (વૈકારિક) રાજસ્ (તેજસ) (પ-) (૧૦-૧૪) (૧૫) (૧૬-૨૦) તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ મનસ્ કર્મેન્દ્રિય મુખ હાથ જ્ઞાનેન્દ્રિય આંખ કાન નાક જીભ ત્વચા પગ (૨૧-૨૫) મહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી મળદ્વાર જનનેન્દ્રિય Page #642 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - સાંખ્ય દર્શન ૬૦૯ (૩) ઈશ્વર વિષે વિચાર ‘સાંખ્યકારિકા'ની ટીકાઓ પ્રમાણે સાંખ્ય સિદ્ધાંતમાં ઈશ્વરને કોઈ સ્થાન નથી. જેમ દૂધમાંથી એની મેળે જ વિકાર થઈને દહીં થાય છે, તેમ પ્રકૃતિ એની મેળે જ બધી પ્રવૃત્તિ કરી જગતરૂપે પરિણમે છે, માટે સૃષ્ટિક્રમમાં ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી એમ સાંખ્યમત સ્વીકારે છે. જેમ ચોમાસામાં અસંખ્ય વનસ્પતિ તથા જીવસૃષ્ટિ આપોઆપ થાય છે, તેમ પ્રકૃતિ સ્વયં વિશ્વની રચના કરે છે. પ્રકૃતિ તેમજ પુરુષનું અસ્તિત્વ આ સૃષ્ટિનો ક્રમ સમજવા માટે પૂરતાં હોવાથી જગતકર્તા ઈશ્વરની આવશ્યકતા રહેતી નથી. સાંખ્ય દર્શનમાં ગુણોની સામ્યાવસ્થામાં ક્ષોભ ઉત્પન્ન થાય છે, એ માટે જો કે ચેતન પુરુષની આવશ્યકતા છે ખરી, પરંતુ તે પુરુષને નિર્લેપ તેમજ નિષ્ક્રિય માનવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં જે નિમ્પ્રયોજન એવા ઈશ્વરના અસ્તિત્વને કહ્યું છે, તે યુક્તિસંગત જણાતું નથી. વળી, કર્મફળ ભોગવવામાં પણ તેને ઈશ્વરની જરૂર લાગતી નથી. કર્મ પોતે જ ફળ આપે છે એટલે કર્મફળના નિયામક ઈશ્વરની તેને જરૂર લાગતી નથી. પુરુષ પોતે જ પોતાનો મોક્ષ મેળવી શકે છે; અને એના માટે મહર્ષિ કપિલ વગેરે સર્વજ્ઞ પુરુષનાં વચનોમાં વિશ્વાસ રાખવો જરૂરી છે એમ તે જણાવે છે. આ રીતે સાંખ્ય દર્શનનો એક પક્ષ ઈશ્વરની કશી જ આવશ્યકતા અનુભવતો નથી. ‘સાંખ્યકારિકા કાર શ્રી ઈશ્વરકૃષ્ણ તથા સાંખ્યતત્ત્વકૌમુદી' કાર શ્રી વાચસ્પતિ મિશ્ર આદિ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. સાંખ્યપ્રવચન ભાષ્યકાર શ્રી વિજ્ઞાનભિક્ષુ મૂળ સૂત્ર ટાંકીને તેને નવો જ વળાંક આપે છે. મૂળ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ઈશ્વરને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ નથી. ગ્રંથના ટીકાકાર શ્રી વિજ્ઞાનભિક્ષુના મત પ્રમાણે મૂળ સૂત્ર (‘શ્વરસિદ્ધ:') ઈશ્વરની સિદ્ધિ નથી અથવા તો ઈશ્વર અસિદ્ધ છે એમ કહે છે, ઈશ્વરનો અભાવ છે એમ કહેતું નથી. આ બતાવે છે કે ઈશ્વરનો અભાવ સાંગસૂત્રને અભિપ્રેત નથી, મતલબ કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે. આમ, શ્રી વિજ્ઞાનભિક્ષુના મત અનુસાર સાંખ્ય સેશ્વરવાદી છે. તેમના મત અનુસાર મૂળ સાંખ્યવિચારક નિરીશ્વરવાદી ન હતા. આ ઈશ્વરનો પ્રતિષેધ એકદેશીઓના પ્રૌઢિવાદના કારણે છે. શ્રી ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા પછીના સાંખ્ય દર્શનમાં ઈશ્વરવાદ ઢંકાઈ ગયો છે. સાંખ્ય દર્શનનો આ બીજો પક્ષ, “સેશ્વર સાંખ્ય' સ્પષ્ટપણે ઈશ્વરનો સ્વીકાર કરે છે. શ્રી વિજ્ઞાનભિક્ષુ વગેરે વિદ્વાનો દઢ રીતે ઈશ્વરવાદી છે, પરંતુ તેમનો ઈશ્વર જગતનો રચનાર, પાલન કરનાર તથા સંહાર કરનાર ઈશ્વર નથી. તેમના મત પ્રમાણે પ્રકૃતિ જ આપોઆપ આ બધું કરે છે. કોઈ પણ પુરુષ ઈશ્વર ન બની શકે, કારણ કે ક્લેશ, કર્મવિપાક તથા વાસનાથી જે સદા મુક્ત હોય તે જ ઈશ્વર કહેવાય. ઈશ્વર તો કાલનિરપેક્ષ છે. બીજા બધા પુરુષો બદ્ધ છે અને બંધનમાંથી મુક્ત થાય છે. જ્યારે Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઈશ્વર તો અનંત કાળથી મુક્ત જ છે અને મુક્ત જ રહેશે. આમ, મુક્ત થયેલા પુરુષો હોય તે કદી ઈશ્વર બની શકે નહીં. ઈશ્વર સહુનો સ્વામી છે અને સહુનો માર્ગદર્શક છે. આ પ્રમાણેની સેશ્વર સાંખ્યવાદીઓની ઈશ્વર વિષેની માન્યતાઓ છે. સાંખ્ય દર્શન ઈશ્વરના સંપૂર્ણ ઐશ્વર્યનું પ્રતિપાદન કરે તો આવા દોષરહિત પરિપૂર્ણ ઈશ્વરનું દર્શન કરવા તરફ સાધકનું ધ્યાન કેન્દ્રિત થાય અને તેથી વિવેકજ્ઞાનની પ્રાપ્તિમાં મુશ્કેલી ઊભી થાય. સાંખ્ય દર્શનનું મૂળ પ્રયોજન તો પુરુષના કૈવલ્ય (મોક્ષ) માટે અનાત્મા (પ્રકૃતિ) અને આત્મા(પુરુષ)નું વૈત સિદ્ધ કરવાનું છે. આમાં કશે પણ ઈશ્વરની આવશ્યકતા નથી. તેથી સાંખ્ય દર્શનમાં ઉપર મુજબના વ્યાવહારિક કારણસર ઈશ્વરનો નિષેધ કરવામાં આવ્યો છે. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ ભારતીય દર્શનની કોઈ પણ શાખાએ (ચાર્વાક દર્શનને બાદ કરતાં) આ સંસારનાં ભૌતિક સુખને પ્રાધાન્ય આપ્યું નથી. તેઓ એકી સ્વરે પોકારે છે કે શરીર કે ઇન્દ્રિયસુખ તો અલ્પજીવી છે, દુ:ખદાયી છે. શાશ્વત સુખ એ જ સાચું સુખ છે. માનવજીવન દુઃખમય છે. આ સંસાર કલેશથી ભરપૂર છે. માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપથી પીડાઈ રહ્યો છે. સાંખ્ય દર્શનમાં ત્રણ પ્રકારનાં દુઃખની વાત છે - આધ્યાત્મિક દુઃખ (માનસિક ચિંતા, ક્રોધ, ઉગ વગેરે), આધિભૌતિક દુ:ખ (બાહ્ય પદાર્થો જેવા કે સાપ અથવા વીંછીનું કરડવું, પથ્થર વાગવો વગેરે) અને આધિદૈવિક દુઃખ (ગ્રહ, પીડા આદિ અથવા ભૂત, પ્રેતાદિના કારણે ઉત્પન્ન થતા ક્લશો). સાંખ્યમત અનુસાર આ દુઃખત્રયની આત્યંતિક નિવૃત્તિ એ જ મોક્ષ છે. સુખની પ્રાપ્તિ તે મોક્ષ નથી, કારણ કે તે ક્ષયશીલ છે. સુખ સદૈવ દુઃખ સાથે મિશ્રિત હોય છે. સુખની સાથે હંમેશાં દુઃખની ઉપસ્થિતિ હોવાથી વિવેકી પુરુષ સુખને દુઃખ જ માને છે. મોક્ષ સુખસ્વરૂપ નથી, પરંતુ દુઃખની આત્યંતિક હાનિ છે. આત્માનો મોક્ષ થાય છે ત્યારપછી તેનામાં કોઈ વિકાર થતો નથી. તેનામાં કોઈ નવીન ગુણ કે ધર્મનો આવિર્ભાવ થતો નથી. મોક્ષનો અર્થ અપૂર્ણ અવસ્થાથી પૂર્ણ અવસ્થા સુધી પહોંચવું એમ થતો નથી, પરંતુ મોક્ષ એટલે તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મા દેશ-કાળથી પર, શરીર અને મનથી ભિન્ન અને સ્વભાવથી જ મુક્ત, નિત્ય અને અમર છે. જ્યારે આવી અનુભૂતિ થાય છે ત્યારે આત્મા શરીર અને મનના વિકારોથી પ્રભાવિત થતો બંધ થઈ જાય છે અને કેવળ તેનો સાક્ષી થઈને રહે છે. મુક્તિના બે Page #644 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય - સાંખ્ય દર્શન ૬૧૧ પ્રકાર સાંખ્ય દર્શને સ્વીકાર્યા છે, જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ. જીવન્મુક્ત વ્યક્તિ કાર્યરત રહે છે. તેનાં પ્રારબ્ધ કર્મો તો ચાલુ જ રહે છે, પરંતુ નવા કર્મો તેને બંધનરૂપ નીવડતાં નથી. બુદ્ધિરૂપી ભૂમિમાં ક્લેશરૂપી જળનું સિંચન થવાથી કર્મબીજ અંકુરિત થાય છે, પરંતુ તત્ત્વજ્ઞાનરૂપી ગરમીના કારણે ક્લેશરૂપી જળ સુકાઈ જવાથી પડતર જમીનમાં કર્મબીજ કઈ રીતે ઊગે? નિરપેક્ષ દ્રષ્ટા, સાક્ષીસ્વરૂપ પુરુષ પ્રકૃતિને બરાબર સમજી લે છે અને વિવેકજ્ઞાનના કારણે તે ફરીથી પ્રકૃતિના બંધનમાં પડતો નથી. તે જીવન્મુક્તાવસ્થા છે. સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં ધર્માદિ કારણ અટકી જાય છે, છતાં જ્ઞાની ફરતા ચાકડાની જેમ સંસ્કારને વશ શરીર ધારણ કરતો રહે છે. શરીરનો નાશ થયા પછી તે વિદેહમુક્તિ પ્રાપ્ત કરે છે. દેહનો પાત થતાં કૃતાર્થ થયો હોવાથી, પ્રકૃતિની નિવૃત્તિ થતાં, પુરુષ ઐકાંતિક અને આત્યંતિક એમ બન્ને પ્રકારનું કૈવલ્ય પ્રાપ્ત કરે છે. શ્રી વિજ્ઞાનભિક્ષુના મત મુજબ આ વિદેહમુક્તિ એ જ વાસ્તવિક મુક્તિ છે. સાંખ્યમત મુક્તાવસ્થામાં આનંદનો અનુભવ થાય છે એમ સ્વીકારતો નથી. દુઃખના અભાવમાં સુખની ઉપસ્થિતિ પણ રહેતી નથી. મુક્તાવસ્થામાં પણ એક જીવથી બીજા જીવનો ભેદ રહે છે, માટે જ સાંખ્ય દર્શન મુક્તાવસ્થામાં પણ મુક્ત જીવોની સંખ્યા અનંત માને છે. (૨) મોક્ષ ઉપાય જો સ્વભાવથી પુરુષ બદ્ધ જ હોય તો તે ક્યારે પણ મુક્ત થઈ શકે નહીં અને જો તે સ્વભાવથી મુક્ત જ હોય તો મોક્ષ માટે પ્રયત્નો કરવા વ્યર્થ છે. સાંખ્યમત અનુસાર પુરુષ ન તો બદ્ધ છે અને ન તો બંધનથી મુક્તિ પામે છે. પુરુષ નિત્યમુક્ત છે, શુદ્ધ છે, બુદ્ધ છે. ગુણોથી શૂન્ય છે. પ્રકૃતિ તથા તેનાં પરિણામોથી પોતાને અભિન્ન સમજવાના કારણે બંધનનો ભ્રમ થાય છે. પુરુષનો બંધ અને મોક્ષ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. પુરુષ બંધ અને મોક્ષથી પર છે. અવિવેકના કારણે તે બદ્ધ પ્રતીત થાય છે. વિવેકના કારણે તે મુક્ત પ્રતીત થાય છે. બંધ અને મોક્ષ વાસ્તવમાં પ્રકૃતિનો થાય છે. અવિવેકી પુરુષના કારણે પ્રકૃતિનું સક્રિય થવું તે બંધ છે અને વિવેકી પુરુષના કારણે પ્રકૃતિની ક્રિયાનું વિરત હોવું તે મોક્ષ છે. પુરુષ ન બંધનમાં પડે છે, ન બંધનથી મુક્તિ પામે છે. પુરુષનો પ્રકૃતિ સાથે આકસ્મિક સંબંધ થાય છે અને તેથી બંધ ઔપાધિક છે. જેમ સફેદ સ્ફટિક લાલ ફૂલના સંયોગથી લાલ દેખાય છે, તેમ નિત્યશુદ્ધ અને બુદ્ધ પુરુષ બુદ્ધિની વૃત્તિ, દુઃખની છાયા ગ્રહણ કરવાથી બદ્ધ પ્રતીત થાય છે. પુરુષ પરમાર્થે તો દુઃખથી નિત્યમુક્ત છે. દુઃખનું પ્રતિબિબ તેના ઉપર પડવાથી તથા તે પ્રતિબિંબથી પોતે ભિન્ન છે એવું વિવેકજ્ઞાન ન ધરાવતો હોવાથી તે દુઃખનો ભોક્તા દેખાય છે, પરંતુ પુરુષનો બંધ કાલ્પનિક છે. WWW.jainelibrary.org Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમ્યજ્ઞાન એ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે. બધાં દુઃખોનું મૂળ કારણ અજ્ઞાન કે અવિવેક છે. આ અજ્ઞાનને દૂર કરવા માટે વિવેકજ્ઞાનની જરૂર છે. વિવેકજ્ઞાન એ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે. પુરુષ પ્રકૃતિથી ભિન્ન છે, છતાં પોતાને પ્રકૃતિ સાથે ગૂંચવી નાખી, પ્રકૃતિની ક્રિયાઓને અહંકારવશ તે પોતાની માની લે છે અને એ રીતે તે સ્વયં પોતાના માર્ગમાં દુઃખ ઊભાં કરે છે. પુરુષ પોતે પ્રકૃતિથી જુદો છે એમ માનવું, એનું નામ છે વિવેકજ્ઞાન કે વિવેકખ્યાતિ. જેમ પ્રકાશથી અંધકાર નાશ પામે છે, તેમ વિવેકજ્ઞાનથી અજ્ઞાન, જે સર્વ દુઃખનું કારણ છે તે નાશ પામે છે. અહીં જે સમ્યજ્ઞાનની વાત કરી છે તે પુસ્તકલબ્ધ પરોક્ષ જ્ઞાન નહીં પણ પુરુષનો બુદ્ધિ, અહંકાર અને તન્માત્રાઓથી ભિન્ન હોવાનો અપરોક્ષાનુભવ. અપરોક્ષાનુભવ માટે સાંખ્ય શાસ્ત્ર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનું સૂચવે છે. તત્ત્વના ઉપદેશનું શ્રવણ કરી, તેના ઉપર મનન કરી, નિદિધ્યાસન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પુરુષ-પ્રકૃતિના ભેદનું જ્ઞાન, માત્ર સાંભળવાથી થતું નથી. આ સત્યની સાક્ષાત્ અનુભૂતિ હોવી જોઈએ કે ‘શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી હું ભિન્ન છું.' દેહ અને મનમાં જે હું બુદ્ધિ થઈ ગઈ છે તે દૂર કરવા માટે ભેદજ્ઞાનનું નિરંતર મનન અને નિદિધ્યાસન થવું જોઈએ. વસ્તુતઃ પુરુષ નથી બદ્ધ કે નથી મુક્ત અને નથી એ જન્માંતરોના ચક્રમાં. બંધન, મુક્તિ અને જન્માંતર પ્રકૃતિને જ છે. પ્રેક્ષકોનું મનોરંજન સાધી લીધા પછી જેમ કોઈ નર્તકી રંગમંચ ઉપરથી વિદાય લે છે, તેમ પ્રકૃતિ પુરુષની પાસે પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ કર્યા પછી આપોઆપ વિદાય લે છે. પ્રકૃતિ કરતાં વધુ શરમાળ સુંદરીની કલ્પના કરવી મુશ્કેલ છે. પુરુષે પોતાને જોઈ લીધી છે એમ જ્યારે એને લાગે છે, ત્યારે એટલી બધી શરમાઈ જાય છે કે પછી ફરી કોઈ વાર પોતાનું મોં તેને બતાવતી જ નથી! આ પ્રમાણે સાંખ્યમત અનુસાર જ્ઞાન મોક્ષનો સીધો ઉપાય છે. પ્રકૃતિ અને તેની વિકૃતિઓથી પોતે સર્વથા પ્રકારે ભિન્ન છે એવું ભાન તે જ વિવેકજ્ઞાન. વિવેકજ્ઞાનથી એક ઉચ્ચ કોટિનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી મોક્ષનો લાભ થાય છે. આમ, સાંખ્ય દર્શન જ્ઞાનને મોક્ષનો મુખ્ય ઉપાય બતાવે છે. (V) ઉપસંહાર સાંખ્ય દર્શન વસ્તુવાદ (realism) તથા દ્વિતત્ત્વવાદ(dualism)નું પ્રતિપાદન કરે છે. સમગ્ર જગતનું સ્પષ્ટીકરણ તે પુરુષ અને પ્રકૃતિ એવાં બે તત્ત્વો દ્વારા કરે છે. તેના પ્રમાણે સૃષ્ટિ આ બે તત્ત્વોનો જ ખેલ છે. પ્રકૃતિને જગતનું નિમિત્ત તથા ઉપાદાનકારણ માનેલ છે અને પુરુષને શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ, નિત્ય તથા અવિકારી માન્યો છે. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષને સ્વતંત્ર અને નિરપેક્ષ તત્ત્વો માન્યાં છે. પરંતુ Page #646 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - સાંખ્ય દર્શન ૬૧૩ સાંખ્ય દર્શન પુરુષ તેમજ પ્રકૃતિ - બન્નેનું સ્વરૂપ, બન્નેનો પરસ્પર સંબંધ, હેતુલક્ષી વિકાસવાદ, મોક્ષની કલ્પના વગેરે પ્રશ્નોનું નિરાકરણ સફળતાપૂર્વક કરી શક્યું નથી એવો કેટલાક વિદ્વાનોનો મત છે. સાંખ્ય દર્શનમાં થયેલ ‘પ્રકૃતિતત્ત્વ'ના નિરૂપણમાં કેટલીક ક્ષતિઓ રહેલી છે. સાંખ્ય દર્શન પ્રકૃતિને સ્વતંત્ર તથા નિરપેક્ષ માને છે. પરંતુ તેની સ્વતંત્રતા તથા નિરપેક્ષતા અનેક સ્થળે જોખમાય છે. વળી, સંસારના નિમિત્ત તેમજ ઉપાદાનકારણરૂપે પ્રકૃતિને સક્રિય તથા નિરંતર પરિવર્તનશીલ કહી છે, પરંતુ સાથે સાથે તેને અચેતન કે જડ માની છે. આ વાત તર્કસંગત નથી. વેદાંતીઓ સાંખ્ય દર્શનના પ્રકૃતિતત્ત્વની ટીકા કરતાં કહે છે કે પ્રકૃતિને એક બાજુ સગુણ પણ માનવી અને બીજી બાજુ તેને સ્વતંત્ર તથા નિત્ય માનવી એ યોગ્ય નથી. જે વસ્તુ સગુણ હોય તે અવશ્ય નાશવંત હોય. સાંખ્ય દર્શને સ્વીકારેલ બીજા તત્ત્વ પુરુષ' અંગેના ખ્યાલમાં પણ પ્રકૃતિની માફક કેટલીક વિસંગતિઓ રહેલી છે. સાંખ્ય દર્શન જગતને સત્ય માને છે અને સાથે સાથે પુરુષના નિત્યમુક્ત સ્વભાવને પણ સત્ય માને છે. સાંખ્ય દર્શને પારમાર્થિક અને વ્યાવહારિક એવા બે પુરુષની કલ્પના કરવી જોઈતી હતી. સાંખ્ય દર્શન સાંસારિક જીવ (ભોક્તા પુરુષો અને ગુણાતીત, નિષ્ક્રિય, દ્રષ્ટા પુરુષના વર્ણનમાં ક્યારેક સેળભેળ કરે છે. એક બાજુથી પ્રકૃતિ અને પુરુષને સ્વતંત્ર તથા નિરપેક્ષ માનવાં અને બીજી બાજુથી ‘વિશ્વના વિકાસક્રમ માટે તેમનો સંયોગ માનવો એ તર્કયુક્ત નથી. પ્રકૃતિપુરુષના સંયોગ માટે કોઈ ત્રીજું જ તત્ત્વ માનવું પડે છે કે જે દ્વારા બન્નેનો સંબંધ યોજાય. પરંતુ સાંખ્ય દર્શનને આવું કોઈ ત્રીજું તત્ત્વ મંજૂર નથી. - ત્રિવિધ તાપથી છૂટવા રૂપ “મોક્ષ ની જે કલ્પના સાંખ્ય દર્શન રજૂ કરે છે તે નિષેધાત્મક છે. મોક્ષાવસ્થામાં સાત્ત્વિક આનંદ પણ રહેતો નથી, કારણ કે સત્ત્વ પણ વિકાર છે, ગુણોનું પરિણામ છે. પરંતુ સાંખ્યમતવાદીઓને ભૌતિક સુખ અને નિજાનંદનો અર્થ સ્પષ્ટ હોય એમ લાગતું નથી. શાશ્વત સુખ અને ક્ષણિક ભૌતિક સુખ બન્ને એક નથી. સાંખ્ય દર્શનનો મોક્ષનો સિદ્ધાંત પણ તર્કસંગત નથી. આમ, વિવેચનાત્મક દૃષ્ટિએ જોતાં સાંખ્ય દર્શનમાં અનેક શંકાસ્થળો છે, જેનું યોગ્ય સમાધાન સાંપડતું નથી. તેના આપેલા ખુલાસાઓ તાત્ત્વિક દૃષ્ટિએ સંતોષકારક જણાતા નથી. સાંખ્ય દર્શનની ટીકા થઈ છે એનો અર્થ એવો નથી કે તે દર્શનનું કશું મૂલ્ય જ નથી. આત્મોન્નતિ તથા મુક્તિના સાધનરૂપે તેનું મૂલ્ય કાંઈ ઓછું નથી. કોઈ પણ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આસ્તિક દર્શનની માફક સાંખ્ય દર્શન પણ દુઃખમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે મૂલ્યવાન ઠરે છે. સાધકને તે જીવનનું પરમ લક્ષ્ય - મોક્ષનો પરમ માર્ગ બતાવે છે. સાંખ્ય દર્શનનું તર્કમૂલક વિવેચન દાર્શનિકોમાં પણ પ્રશંસાપાત્ર બનેલ છે. તેનું તત્ત્વવિશ્લેષણ પણ દૂરગામી અને તલસ્પર્શી છે. સાંખ્યસૂત્રકાર શ્રી કપિલ મુનિ, તેમની સૂકમ શાસ્ત્રસાહિણી વિવેકબુદ્ધિના કારણે જ દર્શનજગતમાં “આદિ વિદ્વાન'નું બિરુદ પામેલ છે. તત્ત્વશોધનના વિષયમાં સાંખ્ય દર્શનનો ફાળો નિઃસંશય ઘણો વિશેષ છે. કોઈ પણ પ્રયોગશાળા કે યંત્રની મદદ વગર પણ મનુષ્ય કેવળ પોતાની ઇન્દ્રિયોની મદદથી કેટલું ઊંડું અવલોકન અને સૂક્ષ્મ વિચાર કરી શકે છે અને બ્રહ્માંડના સ્વરૂપને લગતો સ્પષ્ટ, બુદ્ધિગમ્ય નિશ્ચય કરાવી શકે છે તેનું સાંખ્યશાસ્ત્ર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વેદાંત દર્શન અને સાંખ્ય દર્શનના દૃષ્ટિબિંદુઓ વિચારતાં એમ જણાયા વિના નહીં રહે કે વેદાંત દર્શને સાંખ્ય દર્શનના અંતિમ નિર્ણયનું ખંડન કર્યું એ વાત સાચી, પરંતુ તેણે સાંખ્ય દર્શનના સિદ્ધાંતને સર્વથા ઉત્થાપ્યો નથી, પણ તેને વિશેષપણે સંશોધિત કર્યો છે. તત્ત્વોનું સ્વરૂપ તપાસતાં પુરુષ અને પ્રકૃતિ એવાં બે મૂળભૂત તત્ત્વો છે એવો સાંખ્યમત છે. વેદાંત દર્શનનો મત યોગ્ય રીતે દર્શાવવામાં આવે તો એટલો જ થાય કે એ બે તત્ત્વોનાં સ્વરૂપને પણ વધારે ઊંડાણથી વિચારતાં એ શક્તિઓ જુદી નથી, પણ તે એક જ શક્તિ છે અને જગત એક જ તત્ત્વનું બનેલું છે એવો નિર્ણય થાય છે. શ્રી રામાનુજાચાર્ય ચિત્ અને અચિત્ને તદ્દન ભિન માનીને તેને બ્રહ્મનું શરીર માને છે અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને ઉપદેશે છે. સાંખ્ય દર્શનના પ્રકૃતિ-પુરુષ અને ચિત્-અચિત્ વચ્ચે ઝાઝો તફાવત જણાતો નથી. શુદ્ધાદ્વૈતના પ્રતિપાદક શ્રી વલ્લભાચાર્ય પણ બહ્મની કારણકોટિ સમજાવતાં ૨૮ તત્ત્વોનો સ્વીકાર કરે છે, જે સાંખ્ય દર્શનને મળતાં આવે છે. આમ, સાંખ્ય દર્શનની અસર વેદાંત દર્શનની વિવિધ દાર્શનિક શાખાઓ ઉપર પડેલી સ્પષ્ટપણે દેખાય છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ યોગ દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય “યોગ' શબ્દ સહુથી પ્રથમ ‘વેદ', કઠોપનિષદ્' તથા 'શ્વેતાશ્વતર ઉપનિષદ્' માં મળે છે. યોગનો ઉલ્લેખ પુરાણો', “મહાભારત' અને ત્યારપછીના સાહિત્યમાં પણ અનેક સ્થળે થયો છે. યોગ શબ્દ સંસ્કૃત ધાતુ ‘યુન', અર્થાત્ ‘જોડવું' ઉપરથી બનેલ હોવાથી યોગ એટલે જોડાણ એવો અર્થ થાય છે. જે યુક્ત કરે, મિલન કરાવે તે યોગ. યુન્યતે સૌ ચો:' એવી યોગની વ્યાખ્યા અપાય છે. જીવની દબાયેલી ચેતનાને તેની મર્યાદાઓમાંથી મુક્ત કરીને અનંત ચેતનામાં જોડી આપે તેને ખરા અર્થમાં યોગ કહી શકાય. આત્માનું ઈશ્વર અથવા બ્રહ્મમાં મળી જવું તેને યોગ કહે છે. આ પરમ સિદ્ધિ માટેની બધી આધ્યાત્મિક વિધિઓનું વર્ગીકરણ યોગ'ના સામાન્ય નામ સાથે કરવામાં આવે છે. ‘વેદ’, ‘ઉપનિષદ્', ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', ‘પુરાણ' વગેરેમાં યોગાભ્યાસ તથા તેને લગતી પ્રક્રિયાનું સુંદર વિવેચન જોવા મળે છે. યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિ યોગ' શબ્દનો અર્થ ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ' એવો કરે છે. યોગ મૂળભૂત રીતે વ્યવસ્થિત થયેલી એકાગ્રતા છે. મહર્ષિ પતંજલિ તેમનાં સૂત્રોમાં માનસિક, વાચિક તથા શારીરિક સ્થિરતા અર્થે સુંદર પ્રક્રિયાઓનું પ્રતિપાદન કરે છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક યોગ દર્શનના આદ્ય પ્રવર્તક મહર્ષિ પતંજલિ છે. તેમનો જન્મ ઈ.સ. ની પ્રથમ શતાબ્દીની આસપાસ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) પાસેના ગામમાં થયો હતો. તેઓ રાવલપિંડી પાસેની તક્ષશિલા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા. મહર્ષિ પતંજલિ વિષે એવી કિંવદંતી છે કે તેમણે ચિત્તશુદ્ધિ અર્થે યોગ, વાણીશુદ્ધિ અર્થે વ્યાકરણ અને શરીરશુદ્ધિ અર્થે વૈદક એમ મન-વચન-કાયાની શુદ્ધિ અર્થે ત્રણ વિષયો ઉપર ગ્રંથો લખ્યા છે. જો કે યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિ, વ્યાકરણ ભાષ્યકાર શ્રી પતંજલિ અને આયુર્વેદના ચરકસંહિતાના સંસ્કાર આપનાર શ્રી પતંજલિ - એ ત્રણે એક જ વ્યક્તિ હતી કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી એ વિવાદનો વિષય છે. પરંતુ એ વાત નિર્વિવાદ છે કે આ મહાન ઋષિએ યોગ વિષેના પ્રાચીન વિજ્ઞાનનાં છૂટાછવાયાં સૂત્રોને એકત્રિત કરી. પહેલી જ વાર યોગ્ય રીતે ગૂંથીને યોગની વ્યવસ્થિત ક્રિયાત્મક પદ્ધતિ વિકસાવી ૧- “યોન વિતસ્ય ન વાવ, મૂરું શરીરસ્ય વૈદ્યવેદન | योऽपाकरोत् तं प्रवरं मुनीनां, पतंजलि प्रॉजलिरानतोऽस्मि ।।' Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે તથા તેનું તત્ત્વજ્ઞાન પણ વિકસાવ્યું છે. એક મત એવો છે કે મહર્ષિ પતંજલિએ યોગનું માત્ર અનુશાસન' કરેલ છે, અર્થાત્ જે ઉપદેશ અગાઉ જુદી જુદી રીતે અપાઈ ચૂક્યો હતો તે સિદ્ધાંતોનું એક જ ગ્રંથમાં નવેસરથી વ્યવસ્થિત પ્રતિપાદન કર્યું છે. આથી તેમને યોગ દર્શનના પ્રવર્તક નહીં કહેતાં પ્રચારક કે સંશોધક કહેવા વધુ ઉચિત છે. સ્વયં મહર્ષિ પતંજલિ પોતે પણ પોતાને યોગ દર્શનના પ્રથમ પ્રણેતા માનતા નથી, આથી તેમણે “થ યોગાનુશાસન સત્રથી પોતાના શાસ્ત્રની શરૂઆત કરી છે. (૩) સાહિત્ય મહર્ષિ પતંજલિકૃત યોગસૂત્ર' યોગ દર્શનનો પ્રથમ ગ્રંથ છે. આ યોગસૂત્ર'માં ૧૯૫ જેટલાં સૂત્રો છે. તે ચાર ભાગમાં વિભક્ત છે. પહેલો “સમાધિપાદ' સમાધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય દર્શાવે છે. બીજો ‘સાધનપાદ' સમાધિ કયાં સાધનોથી મેળવાય તે દર્શાવે છે. ત્રીજો વિભૂતિપાદ' યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વર્ણન કરે છે. ચોથો (કૈવલ્યપાદ' મોક્ષનું નિરૂપણ કરે છે. યોગસૂત્ર'નો સમય નક્કી કરવો મુશ્કેલ છે. પણ તેના ઉપર ચોથા કે પાંચમા સૈકામાં લખાયેલો ‘વ્યાસભાષ્ય' નામનો પ્રસિદ્ધ અને પ્રામાણિક ગ્રંથ છે. આ વ્યાસભાષ્ય'ના રચયિતા પુરાણોના રચયિતા મહર્ષિ વ્યાસ નહીં જ હોય, કારણ કે વેદવ્યાસનો સમય તેના કરતાં પ્રાચીન છે; જ્યારે ‘વ્યાસભાષ્ય'ના રચયિતા વ્યાસ મુનિ તો ઈ.સ.ની ચોથી કે પાંચમી સદીમાં થઈ ગયા. આ ગ્રંથમાં ગૂઢ રહસ્યો સમજાવવા માટે જે પ્રયત્નો થયા, તેના પરિણામરૂપે શ્રી વાચસ્પતિ મિશ્ર (ઈ.સ. ૯૦૦) તત્ત્વવૈશારદી' નામની ટીકા લખી અને શ્રી વિજ્ઞાનભિક્ષુએ (ઈ.સ. ૧૬૦૦) યોગવાર્તિક' નામની ટીકા લખી. આ ઉપરાંત શ્રી વિજ્ઞાનભિક્ષુએ યોગસાર સંગ્રહ'માં યોગના સિદ્ધાંતોનો સારાંશ રજૂ કર્યો છે. આ ઉપરાંત પણ યોગસૂત્ર' ઉપર અનેક ટીકાઓ લખાઈ છે, જેમાં શ્રી ભોજદેવકૃત (ઈ.સ. ૧૦૦૦) ‘રાજમાર્તડ’ કે ‘ભોજવૃત્તિ', શ્રી નાગેશકૃત (ઈ.સ. ૧૭૦૦) છાયાવ્યાખ્યા', શ્રી નારાયણતીર્થની યોગસિદ્ધાંત ચંદ્રિકા' તથા “સૂત્રાર્થબોધિની', શ્રી રામાનંદ સરસ્વતીની “યોગમણિપ્રભા', શ્રી અનંત પંડિતની યોગચંદ્રિકા', શ્રી સદાશિવેન્દ્ર સરસ્વતીની યોગસુધાકર' આદિ ટીકાઓ પ્રસિદ્ધ છે. (૪) સાંખ્ય - યોગ દર્શન વચ્ચે સંબંધ જેમ ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન પરસ્પર સંકળાયેલાં છે, તેમ સાંખ્ય દર્શન અને યોગ દર્શન પણ પરસ્પર સંકળાયેલાં છે. તે બન્ને પરસ્પર પૂરક છે. સાંખ્ય દર્શન મુખ્યત્વે સિદ્ધાંતલક્ષી (theoritical) છે, જ્યારે યોગ દર્શન મુખ્યત્વે સાધનાલક્ષી Page #650 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય - યોગ દર્શન ૬૧૭ (practical) છે. સાંખ્યસિદ્ધાંતોનો વ્યાવહારિક જીવનમાં પ્રયોગ એ જ યોગનો ઉદ્દેશ છે, અર્થાત્ સાંખ્ય દર્શને પ્રકૃતિ-પુરુષનો વિવેક ક૨વાનો બતાવ્યો છે, તે વિવેક કઈ રીતે કરવો તે યોગ દર્શનમાં દર્શાવેલ છે. ચિત્તની ઉચ્છંખલ વૃત્તિ એ અવિવેકનું મૂળ છે અને તેથી તે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો જરૂરી છે એમ મહર્ષિ પતંજલિ કહે છે. તેઓ ચિત્તનિરોધની રીતો પણ બતાવે છે. સાંખ્યમત પ્રમાણે જ્ઞાન એ મુક્તિનો એકમાત્ર માર્ગ છે. મોક્ષપ્રાપ્તિ માટે પ્રકૃતિ અને પુરુષનું યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ. યોગ મનની એકાગ્રતા, યૌગિક પ્રક્રિયાઓ અને બૌદ્ધિક તેમજ નૈતિક શિસ્ત વડે આત્માના વિકાસ ઉપર ભાર મૂકે છે. ટૂંકમાં સાંખ્ય દર્શન જ્ઞાનનું પ્રતિપાદન કરે છે, જ્યારે યોગ દર્શન કર્મમાં, મનની શિસ્તમાં તથા ભક્તિયુક્ત સાધના કરવામાં માને છે અને તેથી જ તેને ઈશ્વરની જરૂર જણાઈ છે. સાંખ્ય દર્શને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું ન હોવાથી તે નિરીશ્વરવાદી' મનાય છે, જ્યારે મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં ૨૬મા તત્ત્વ તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો હોવાથી તેને સેશ્વરવાદી સાંખ્ય' પણ કહેવામાં આવે છે. (II) પ્રમાણમીમાંસા યોગ દર્શન અનુસાર જ્યારે પ્રમાણવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થઈ, જે અર્થનું રૂપ અર્પણ કરે છે તે પ્રમાણનું ફળ પ્રમા સત્યજ્ઞાન કહેવાય છે. પ્રમાણવૃત્તિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પેટા પ્રકારવાળી હોય છે. જેવો અર્થ છે તેવું ભાન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા કરે, જેમ કે ચાક્ષુષજ્ઞાન તે પ્રત્યક્ષપ્રમાણ. જ્યારે કોઈ લિંગ વડે એ લિંગીનું ભાન થાય, જેમ કે પર્વત વદ્ધિમાન છે, કેમ તેમાં ધૂમ જણાય છે વાક્યમાં ધૂમરૂપ ચિહ્ન વડે અગ્નિરૂપ લિંગીનું ભાન, સત્ય ઉદય થાય છે તે અનુમાનપ્રમાણ. આપ્તવાક્ય વડે ઉત્પન્ન થનારું સત્યજ્ઞાન તે આગમપ્રમાણ. પ્રમાણો જેવાં કે ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ વગેરેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાન નથી, પરંતુ તેને ઉપરનાં ત્રણે પ્રમાણોમાં સમાવી લેવામાં આવ્યાં છે.૧ અન્ય (III) તત્ત્વમીમાંસા (૧) આત્મા વિષે વિચાર યોગ દર્શન અનુસાર જીવ સ્વતંત્ર પુરુષ છે, જે સ્થૂળ શરીર તેમજ સૂક્ષ્મ શરીર (ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર) સાથે સંબંધિત છે. જીવ સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય૧- સાંખ્ય દર્શન અને યોગ દર્શનની પ્રમાણમીમાંસા બહુ મળતી હોવાથી તેનું વિસ્તૃત વિવેચન ‘સાંખ્ય દર્શન’ અંતર્ગત પ્રમાણમીમાંસાના વિભાગમાં જોઈ લેવું. Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સ્વરૂપ છે. વાસ્તવિક રીતે તે શરીરનાં બંધનો અને માનસિક વિકારોથી મુક્ત છે, પણ અજ્ઞાનના કારણે તે ચિત્તની સાથે પોતાનું તાદામ્ય કહ્યું છે. ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો પ્રથમ વિકાર છે, જેમાં રજો ગુણ અને તમો ગુણની ઉપર સત્ત્વ ગુણની પ્રબળતા રહેલી છે. ચિત્ત સ્વભાવથી તો જડ છે, પણ આત્માની સૌથી નિકટ સંપર્કમાં હોવાના કારણે તે આત્માના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જ્યારે ચિત્તનો કોઈ પણ વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે તે, તે જ વિષયનો આકાર ધારણ કરી લે છે. આ વિષયોને અનુરૂપ ચિત્તવિકારો દ્વારા આત્માને વિષયોનું જ્ઞાન થાય છે. જો કે આત્મામાં પોતાનાં કોઈ વિકાર કે પરિણામ હોતાં નથી, તોપણ પરિવર્તનશીલ ચિત્ત-વૃત્તિઓમાં પ્રતિબિંબિત થવાના કારણે તેમાં પરિવર્તનનો આભાસ થાય છે. યોગ દર્શન અનુસાર ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની છે - ૧) પ્રમાણ (સત્ય જ્ઞાન), ૨) વિપર્યય (મિથ્યાજ્ઞાન), ૩) વિકલ્પ (કલ્પના), ૪) નિદ્રા (ઊંઘ) અને ૫) સ્મૃતિ (સ્મરણ). જ્યારે ચિત્ત કોઈ વૃત્તિમાં પરિણમે છે, ત્યારે તેના ઉપર આત્માનો પ્રકાશ પડે છે અને તે આત્મસાત્ થઈ જાય છે, એટલે કે આત્માને એમ પ્રતીત થાય છે કે આ મારી જ અવસ્થા છે, તેથી એમ ભાસે છે કે પુરુષ (આત્મા) જ બધું વિચારે છે અને કરે છે. જન્મ, મરણ વગેરે ક્રિયાઓ શરીરની છે. ઊંઘવું, જાગવું વગેરે ક્રિયાઓ મનની છે. ધ્યાન, આગ્રહ, સ્મૃતિ એ બધી મનની વૃત્તિઓ છે. આત્મા આ બધા વિકારોથી પર છે. તે એમાં જોડાયેલો એટલા માટે લાગે છે કે તે ચિત્તમાં પ્રતિબિંબિત થયો છે, જેવી રીતે દર્પણમાં મનુષ્યનું પ્રતિબિંબ પડે છે. - જ્યાં સુધી ચિત્તમાં વિકાર અને પરિણામ હોય છે, ત્યાં સુધી તેના ઉપર આત્માનો પ્રકાશ પડ્યા કરે છે અને વિવેકજ્ઞાનના અભાવમાં આત્મા તેમાં જ પોતાને જોવા લાગે છે. તેના ફળસ્વરૂપે તે સાંસારિક વિષયોથી સુખ-દુઃખનો અનુભવ કરવા લાગે છે અને તેમાં રાગ-દ્વેષના ભાવ કરે છે. આ જ આત્માનું બંધન છે. આ બંધનથી મુક્ત થવા શરીર, ઇન્દ્રિય, મન અને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો આવશ્યક છે. જ્યારે કાર્યચિત્તનો ધારાપ્રવાહ બંધ થઈ જાય છે અને તે કારણચિત્તના રૂપ(શાંત અવસ્થા)માં આવે છે, ત્યારે આત્માને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે તથા તે પોતાને આ મન અને શરીરથી ભિન્ન, નિત્ય, મુક્ત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જુએ છે. ચિત્તવૃત્તિઓના નિરોધ વડે જ આત્મસાક્ષાત્કાર કરવો તે યોગ દર્શનનો ઉદ્દેશ છે. (૨) વિશ્વ વિષે વિચાર સાંખ્ય દર્શનની જેમ યોગ દર્શન પણ સત્કાર્યવાદ સ્વીકારે છે. સત્કાર્યવાદ અનુસાર અસત્ની ઉત્પત્તિ થઈ શકતી નથી અને સત્નો નાશ થઈ શકતો નથી. જે છે જ નહીં તેને ઉત્પન્ન કરી શકાતું નથી. જે અવ્યક્ત રૂપથી છે તે વ્યક્ત અવસ્થામાં Page #652 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય યોગ દર્શન ૬૧૯ આવતાં ‘ઉત્પત્તિ થઈ' એમ કહેવાય છે. આમ, ઉત્પત્તિનો અર્થ આવિર્ભાવ છે. કાર્ય કારણની અંદર અવ્યક્ત રૂપથી રહે છે. ઉપાદાનકારણમાં એક વિશેષ કાર્ય કરવાની શક્તિ રહે છે. જેમ કે માટીની અંદર ઘડો બનવાની શક્તિ રહેલી છે. આ કાર્યકારી શક્તિ કોઈ નિમિત્તકારણ દ્વારા ઉન્મુક્ત થાય છે. જેમ કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે. ઉપાદાનકારણમાં રહેલી શક્તિને નિમિત્તકા૨ણ ઉન્મુક્ત કરે છે. નિમિત્તકારણનું કામ આવરણ ભંગ કરવાનું છે, અર્થાત્ તે પ્રતિબંધકોને દૂર કરે છે. ઉપાદાનકારણની અવ્યક્ત શક્તિને વ્યક્ત થવામાં જે પ્રતિબંધકો હોય છે તેને દૂર કરવાનું કામ નિમિત્તકારણનું છે. જગતરૂપી કાર્યનું ઉપાદાનકારણ પ્રકૃતિ છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એ સર્વ કાર્યોનું ઉપાદાનકારણ છે. ઈશ્વર જગતનું નિમિત્તકારણ છે, કારણ કે તે સત્ત્વ, રજસ્ અને તમની સામ્યાવસ્થાનો ભંગ કરે છે અને જે આવરણો કાર્યની ઉત્પત્તિમાં બાધા પહોંચાડે છે તેનો નાશ કરે છે. ઈશ્વર જીવોના ધર્મ અને અધર્મ અનુસાર પ્રકૃતિનાં પરિણામોના પ્રતિબંધકોને દૂર કરે છે. ઈશ્વર અને ધર્મ તથા અધર્મ ઉપાદાનકારણોની કાર્યકારી શક્તિઓને ઉન્મુક્ત કરે છે. યોગ દર્શન સૃષ્ટિના વિકાસ તથા પ્રલયની પ્રક્રિયા બાબતમાં સાંખ્ય દર્શનની સાથે સમ્મત છે. ભેદ માત્ર એટલો જ છે કે યોગ દર્શન ઈશ્વરને પ્રકૃતિ-પુરુષનો સંયોગ કરાવી આપનાર માને છે. જડ પ્રકૃતિ અને ચેતન પુરુષનો સંયોગ-વિયોગ થવાથી સૃષ્ટિનો અનુક્રમે પ્રભવ કે પ્રલય થાય છે. પરંતુ પ્રકૃતિ અને પુરુષ બન્ને સ્વભાવતઃ ભિન્ન ભિન્ન તત્ત્વો હોવાથી તેમને જોડનાર કે છૂટા પાડનાર કોણ એ પ્રશ્ન રહે છે. સાંખ્ય દર્શન કહે છે કે આ કાર્ય આકસ્મિક બને છે, જ્યારે યોગ દર્શન આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે ઈશ્વર એ બન્ને તત્ત્વોનો સંયોગ-વિયોગ કરાવવામાં કારણભૂત છે. ઈશ્વરની પ્રેરણા વિના ન તો પ્રકૃતિનો સૃષ્ટિરૂપ વિકાસ શક્ય બને છે, ન તો પુરુષ આત્મોન્નતિ તેમજ મુક્તિ માટે યોગ્ય બને છે. ઈશ્વર પ્રકૃતિનો કર્તા-ધર્તા-હર્તા નથી. ઈશ્વર માત્ર પ્રકૃતિને આદિ ગતિ દેવાવાળો છે. તે પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ કરીને સૃષ્ટિનો ક્રમ શરૂ કરાવે છે. પ્રકૃતિ જગતનું ઉપાદાનકારણ છે. ઈશ્વર પ્રતિબંધકોને હટાવીને પ્રકૃતિ પાસે વિવિધ કાર્યોની ઉત્પત્તિ કરાવે છે. જેમ એક ખેડૂત ઉપરના ખેતરમાં ભરેલા પાણીની રુકાવટને દૂર કરીને નીચેના ખેતરમાં લાવે છે, તેમ ઈશ્વર આવરણ ભંગ કરીને પ્રકૃતિ પાસે કાર્ય કરાવે છે. પાણી ઉ૫૨ના ખેતરમાંથી નીચેના ખેતરમાં સ્વયં જ આવે છે, તેમ પ્રકૃતિ પણ પોતાનાં પરિણામ સ્વયં ઉત્પન્ન કરે છે. ખેડૂત પાણીની માત્ર દિશાને જ નિર્ધારિત કરે છે, તેમ ઈશ્વર પણ કેવળ પ્રકૃતિનાં પરિણામોની દિશા જ નિર્ધારિત કરે છે. ઈશ્વર પ્રકૃતિનાં પરિણામોનું નિષ્ક્રિય નિમિત્ત છે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહર્ષિ પતંજલિએ ઈશ્વરના નિમિત્તકારણ હોવાનું સ્પષ્ટ કથન કર્યું નથી, પરંતુ શ્રી વાચસ્પતિએ સ્પષ્ટ કહ્યું છે કે ઈશ્વર પ્રકૃતિનાં વિભિન્ન પરિણામોનું નિમિત્તકારણ છે. શ્રી વિજ્ઞાનભિક્ષુ અને શ્રી વાચસ્પતિ બન્ને પ્રકૃતિને જગતનું ઉપાદાનકારણ માને છે અને ઈશ્વરને નિમિત્તકારણ. તેમના મત પ્રમાણે ઈશ્વર સત્ત્વ, રજસ્ અને તમસૂની સામ્યવસ્થાનો ભંગ કરી, પ્રકૃતિના પરિણામને શરૂ કરે છે અને પુરુષોના ભોગ અને મોક્ષમાં હેતુભૂત પરિણામના ક્રમને ઉચિત દિશામાં ચલાવે છે. (૩) ઈશ્વર વિષે વિચાર નિરીશ્વર સાંખ્યમત ૨૪ પ્રાકૃતિક તત્ત્વો તથા એક પુરુષ મળી કુલ ૨૫ તત્ત્વો સ્વીકારે છે. યોગ દર્શન સાંખ્ય દર્શનના આ ૨૫ તત્ત્વો ઉપરાંત એક પુરુષવિશેષ (ઈશ્વર) એમ મળીને કુલ ર૬ તત્ત્વો સ્વીકારે છે. સાંખ્યમતમાં જેમ સ્વતંત્ર પુરુષબહુત્વને સ્થાન છે, તેમ અહીં યોગ દર્શનમાં પુરુષના બહુત્વ ઉપરાંત સ્વતંત્ર પુરુષવિશેષ એવા ઈશ્વરને સ્થાન છે. પાતંજલસૂત્રો અનુસાર ઈશ્વર એટલે એવો વિશિષ્ટ આત્મા (પુરુષ) કે જેને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશરૂપ પાંચ ક્લેશો, ગુણ, દુર્ગુણ, તેના વિપાક કે સામાન્ય સંસ્કાર સ્પર્શતા નથી. દરેક માણસના આત્માની જેમ ઈશ્વર પણ એક વિશિષ્ટ આત્મા જ છે. ઈશ્વર આ જગત તેમજ સઘળા જીવોથી તદ્દન ભિન્ન છે. યોગ દર્શન ઈશ્વરને આ જગતના સર્જક કે પાલક તરીકે સ્વીકારતું નથી. યોગ દર્શનના મત પ્રમાણે આ સૃષ્ટિ ઈશ્વરરચિત નથી. ઈશ્વર આ સૃષ્ટિનું ન તો ઉપાદાનકારણ છે કે ન તો નિમિત્તકારણ; ઈશ્વર તો પરમ વિશુદ્ધ પુરુષ છે. ઈશ્વર સ્થળ તેમજ કાળથી પર છે. વળી, યોગ દર્શનનો ઈશ્વર મનુષ્યનાં કર્મો અનુસાર બદલો આપનાર કે શિક્ષા કરનાર નૈતિક માર્ગદર્શક કે નૈતિક વ્યવસ્થાપક પણ નથી. માનવીની આકાંક્ષાઓનું ધ્યેય ઈશ્વરસાક્ષાત્કાર કરવાનું નહીં પણ પ્રકૃતિથી છૂટા થવાનું હોવું જોઈએ એમ યોગ દર્શન માને છે. ૧- યોગ દર્શનમાં સ્વતંત્ર ઈશ્વરનું સ્થાન છે જ, પણ એ નક્કી કરવું સરળ નથી કે પુરુષવિશેષરૂપ ઈશ્વરને માત્ર સાક્ષી કે ઉપાસ્યરૂપે જ મનાય છે કે તેને ન્યાય-વૈશેષિકની જેમ અષ્ટા તરીકે પણ મનાય છે. ઉપલબ્ધ પાતંજલસૂત્રો ઉપરથી તો સીધી રીતે એટલું જ ફલિત થાય છે કે યોગપરંપરામાં ઈશ્વરનું સ્થાન સાક્ષી કે ઉપાસ્યરૂપે જ રહેલું છે, પરંતુ જ્યારે એ સૂત્રોનું ભાષ્ય વાંચવામાં આવે છે ત્યારે સ્પષ્ટ થાય છે કે ભાષ્યકાર ઈશ્વરને ઉદ્ધારક તરીકે પણ માને છે. તેઓ કહે છે કે ભૂતાનુહ એ ઈશ્વરનું પ્રયોજન છે. ભાગ્યમાં ઈશ્વરનું ઉદ્ધારકપણું દાખલ થતાં જ તેના વ્યાખ્યાકારો (ખાસ કરીને શ્રી વાચસ્પતિ મિશ્ર અને શ્રી વિજ્ઞાનભિક્ષુ)એ ભાષ્યનું વ્યાખ્યાન કરતાં પોતપોતાની રીતે ઈશ્વરનું સ્થાન સ્થાપ્યું છે કે યોગસમ્મત ઈશ્વર સૃષ્ટિનો કર્તા પણ છે. (જુઓ : પંડિત સુખલાલજી, ‘ભારતીય તત્ત્વવિદ્યા', પૃ.૭૪-૭૫) Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ ષડ્રદર્શનપરિચય - યોગ દર્શન યોગ દર્શનમાં ઈશ્વરનું મહત્ત્વ સૈદ્ધાંતિક કરતાં વ્યાવહારિક છે, અર્થાત્ ગૌણ છે. ડૉ. રાધાકૃષ્ણનના મત મુજબ પુરુષોનાં બંધન તેમજ મુક્તિમાં ઈશ્વરનો સીધો કોઈ સંબંધ જણાતો નથી. અજ્ઞાન બાંધે છે અને જ્ઞાન મુક્ત કરે છે. યોગ દર્શનમાં ઈશ્વરને બીજા પુરુષો જેવો જ કચ્યો છે. તફાવત માત્ર એટલો જ છે કે તે સંપૂર્ણ છે, અર્થાત્ સર્વ આરોપિત દોષોથી પણ મુક્ત છે. વળી, તે સર્વજ્ઞ તેમજ વિભુ છે. યોગ દર્શનમાં ઈશ્વરની એક વિશિષ્ટ ઉપયોગિતા એ છે કે પૂર્વકાળમાં થઈ ગયેલા ગુરુઓનો પણ તે ગુરુ છે, પરંતુ તે જીવનનું અંતિમ લક્ષ્ય નથી. “યોગ'નો અર્થ ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં પણ પ્રકૃતિ તેમજ પુરુષનું વિવેકજ્ઞાન થવું તે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે મહર્ષિ પતંજલિએ ઈશ્વરને યોગ દર્શનમાં મહત્ત્વનું સ્થાન આપ્યું નથી. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ સાંખ્ય દર્શનની માફક યોગ દર્શન પણ માને છે કે જગત દુઃખોથી ભરપૂર છે. અવિદ્યા, અસ્મિતા વગેરે પાંચ ક્લેશો દ્વારા માણસ દુઃખ પામે છે. મનુષ્યમાત્રનાં દુઃખોનું મૂળ કારણ પ્રકૃતિ તથા પુરુષનો સંયોગ છે. આ બંધનમાંથી તેણે મુક્તિ મેળવવી હોય તો તેને વિવેકજ્ઞાન થવું જરૂરી છે. યોગ દર્શન કહે છે કે આ માટે ‘ચિત્તવૃત્તિનિરોધ" થવો જોઈએ. ચિત્તવૃત્તિનો નિરોધ થવાથી પુરુષને સ્વરૂપનું ભાન થશે અને પરિણામે તે દુઃખથી નિવૃત્ત થશે. કૈવલ્યપ્રાપ્તિ માટે મનુષ્ય દેહ, ઇન્દ્રિયો તેમજ મનની ક્રિયાઓ ઉપર નિયંત્રણ મૂકી પોતાની ચિત્તવૃત્તિઓને અટકાવવાની જરૂર છે. કાર્યચિત્તનો નાશ થયા પછી ચિત્ત શુદ્ધ કારણાવસ્થા પ્રાપ્ત કરશે અને પોતે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી જુદો, શુદ્ધ, મુક્ત, અમર અને સ્વયંપ્રકાશિત છે એવું તેને ભાન થશે. યોગ દર્શનમાં કૈવલ્યને જીવનનું પરમ ધ્યેય માનેલ છે. કેવલ્ય એટલે પુરુષનું પ્રકૃતિના પાશમાંથી સર્વથા મુક્ત થવું તે. વિવેકખ્યાતિ (જ્ઞાન) દ્વારા અવિદ્યાનો નાશ થતાં પુરુષ સ્વતંત્ર, મુક્ત, સિદ્ધ, પૂર્ણ અસંગ, અલિપ્ત, શુદ્ધ, સ્વરૂપસ્થિત થાય છે. આમ થતાં પાંચે ક્લેશોનો નાશ થાય છે, ગુણો (ઇન્દ્રિયોનાં કાર્યો)નું શમન થાય છે અથવા જ્ઞાનશક્તિ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. (૨) મોક્ષ ઉપાય (અષ્ટાંગ યોગ) યોગ દર્શનના મત પ્રમાણે દુઃખથી મુક્ત થવા માટે વિવેકજ્ઞાનના ઉદયની ૧- જુઓ : ‘યોગસૂત્ર', અધ્યાય ૪, શ્લોક ૩૪ नां गणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ।' Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આવશ્યકતા રહે છે, જે યોગસાધના દ્વારા થઈ શકે છે. યોગસાધના એટલે ચિત્તવૃત્તિનિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે ચિત્તને એક વિષય ઉપર એકાસ કરવાનો વારંવાર પ્રયત્ન કરવો જોઈએ અને ઇન્દ્રિયવિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો જોઈએ. ચિત્તને બાહ્ય વિષયોમાં ભટકતું અટકાવવા વૈરાગ્ય જરૂરી છે અને તેને અંતર્મુખ બનાવી સ્થિર થવાની ટેવ પાડવા અભ્યાસ જરૂરી છે. વળી, શુદ્ધ ચિત્ત જ એકાગ્ર થઈ શકે છે, એટલે ચિત્તને શુદ્ધ કરવું પણ જરૂરી છે. ઈર્ષ્યા, પર-અપકાર, અસૂયા અને ક્રોધ આ ચિત્તની અશુદ્ધિઓ છે અને તેને દૂર કરવા અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવના કેળવવી જોઈએ. યોગ દર્શને ચિત્તવૃત્તિનો વિરોધ કરવા યોગનાં આઠ અંગોનો સાધનામાર્ગ દર્શાવ્યો છે. એ આઠ અંગો છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગનાં આ વિવિધ અંગોનું અનુષ્ઠાન કરતાં જ્યારે અપવિત્રતાનો નાશ થાય છે, માનસિક અશુદ્ધિઓ દૂર થાય છે, ત્યારે જ વિવેકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે અષ્ટાંગ યોગ હવે સંક્ષેપમાં વિચારીએ – ૧) યમ – હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમવું તે યમ છે. આ પાંચે યમોનું જાતિ, દેશ, કાળ અથવા સમયના ભેદ કર્યા વિના દરેક સ્થિતિમાં પાલન કરવાનું છે. યોગ દર્શનમાં તેને સાર્વભૌમ મહાવ્રત કહ્યાં છે. યમોના પાલનથી મન અને શરીર સબળ બને છે, ચિત્તની ચંચળતા ઘટે છે અને સાધક એકાગ્રતા સાધી શકે છે. ૨) નિયમ – અમુક કરવું જોઈએ એવો જેને વિષે બુદ્ધિ નિશ્ચય કરે છે તે નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ પ્રકારના નિયમો છે. નિયમોના પાલનથી મનની પ્રસન્નતા, ચિત્તની એકાગ્રતા, ઇન્દ્રિયજય, વૃત્તિનિરોધ, વાસનાલય વગેરે અનેક લાભો થાય છે. ૩) આસન – શરીર નિશ્ચલ રહે અને મનને સુખ થાય એવી રીતે અમુક ચોક્કસ સમય સુધી બેસવું તે આસન છે. શરીરને વશ કરી, તેને આસનમાં સ્થિર રાખવાથી બાહ્ય વિક્ષેપો દૂર થાય છે અને ચિત્તને એકાગ્ર કરી શકાય છે. યોગાસન દ્વારા સ્નાયુમંડલ એવી રીતે વશ કરાય છે કે જેથી મનમાં કોઈ વિકાર ઉત્પન્ન ન થાય. ઇન્દ્રિયનિગ્રહ તથા ચિત્તધૈર્ય માટે આસન મદદરૂપ બને છે. ૪) પ્રાણાયામ – શ્વાસોચ્છવાસની ગતિ ઉપર નિયમન કરવું તે પ્રાણાયામ છે. પ્રાણ૧- જુઓ : “યોગસૂત્ર', અધ્યાયા ૪, શ્લોક ૨૯ 'यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ।' Page #656 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - યોગ દર્શન ૬૨૩ વાયુના ચાંચલ્યના કારણે ચિત્તમાં ચંચળતા આવે છે. પૂરક, કુંભક અને રેચક એવાં પ્રાણાયામનાં ત્રણ અંગોનો અભ્યાસ કરવાથી ચિત્તમાં ધીમે ધીમે એકાગ્રતા આવવા લાગે છે. પ્રાણાયામનો પદ્ધતિસર અભ્યાસ કરવાથી શારીરિક સ્વાથ્ય, મન સ્થિરતા અને અંતરંગ શાંતિ સધાય છે. ૫) પ્રત્યાહાર – ઇન્દ્રિયોને તેના વિષયોમાંથી પાછી વાળી અંતર્મુખ કરવી તે પ્રત્યાહાર છે. પ્રત્યાહારમાં સાધક શબ્દાદિ વિષયમાં જોડાયેલી ઇન્દ્રિયોને રોકીને તે ઇન્દ્રિયોને આત્માને અનુસરનારી કરે છે. પ્રત્યાહાર સિદ્ધ થવાથી સાધકને ઇન્દ્રિયો સંપૂર્ણ વશ થાય છે. અત્યંત દઢ સંકલ્પ અને ઇન્દ્રિયનિગ્રહથી રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનો કોઈ પણ પ્રભાવ મન ઉપર પડતો નથી. ઉપર જણાવેલ યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ અંગો બહિરંગ છે એટલે કે તે બાહ્ય ક્રિયા સાથે સંબંધ ધરાવે છે; જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ અંતરંગ સાધનો છે. ૬) ધારણા – કોઈ પણ એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરવું તે ધારણા છે. ધારણા એ અભીષ્ટ વિષય ઉપર ચિત્તની એકાગ્રતાની ક્રિયા છે. આ વિષય બાહ્ય પદાર્થ પણ હોઈ શકે, જેમ કે સૂર્ય, ચિત્ર, મૂર્તિ વગેરે અને પોતાના શરીરમાં પણ હોઈ શકે, જેમ કે નાભિ, હૃદય વગેરે. આમ, અમુક ખાસ વિષયમાં ચિત્તનો દઢ સંબંધ સ્થાપવો તે ધારણા છે. ૭) ધ્યાન – ધારણા દીર્ઘ કાળ પર્યત અખંડ ટકી રહે તે ધ્યાન છે. ધ્યાન એટલે વધુ ઊંડી એકાગ્રતા. ધ્યાનાવસ્થામાં મન અન્ય વિષયોમાં ભમતું અટકી જાય છે, ચિત્તને જે તરફ પ્રેર્યું હોય તેનું જ ભાન રહે છે અને બીજું બધું ભુલાઈ જાય છે. આમ, ચિત્તવૃત્તિની એકતાનતાને ધ્યાન કહેવાય છે. ૮) સમાધિ – ધ્યાન જ્યારે એટલું ઊંડું અને ઉત્કટ બને કે ધ્યાતા અને ધ્યેય બને એકરૂપ થઈ જાય તે સમાધિ છે. ધ્યાન જ્યારે બાહ્ય સ્વરૂપરહિત બનીને પોતાના ધ્યેયસ્વરૂપે જ પ્રકાશવા લાગે તે સ્થિતિને સમાધિ કહે છે. મન આ અવસ્થામાં ધ્યેયરૂપ બની જાય છે. સમાધિ અવસ્થામાં આત્મા-પરમાત્મા વચ્ચેનો, જ્ઞાતા-જોય વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે. સમાધિ એ ધ્યાનનો પ્રકર્ષ છે. ધ્યાનકાળે ધ્યેયનું અને તેના જ્ઞાનનું ભાન સાધકને હોય છે, જ્યારે સમાધિકાને કેવળ ધ્યેયનું જ ભાન સાધકને હોય છે. આના પરિણામે વિવેકજ્ઞાનનો ઉદય થાય છે. સમાધિની પ્રાપ્તિમાં મુખ્ય નવ પ્રકારનાં અંતરાયો (વિનો) બતાવવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે - ૧) વ્યાધિ (રોગ), ૨) માનસિક જડતા (કામ કરવાની અનિચ્છા), Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ૩) સંશય (અશ્રદ્ધા), ૪) પ્રમાદ (બેપરવાઈ), ૫) આળસ (અનુત્સાહ), ૬) અવિરતિ (આસક્તિ), ૭) ભાંતિદર્શન (મિથ્યાજ્ઞાન), ૮) સમાધિ અવસ્થા સુધી ન પહોંચી શકવું અને ૯) સમાધિ પ્રાપ્ત થયા પછી પણ ચિત્તનું એમાં સ્થિર ન થવું તે. આ અંતરાયો અને વિક્ષેપોને દૂર હટાવી જે સાધક આગળ વધે છે, તે અનેક પ્રકારની આંતરિક તથા બાહ્ય સિદ્ધિઓ (લબ્ધિઓ) પ્રાપ્ત કરે છે. યોગ દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ સિદ્ધિઓ આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧) અણિમા (અણુ જેટલું નાનું બની જવાનું સામર્થ્ય એટલે કે અદશ્ય બની જવાની સિદ્ધિ), ૨) લધિમા (રૂ કરતાં પણ હલકું બની જવાની સિદ્ધિ), ૩) મહિમા (પર્વત જેવડું મોટું અને ભારે બની જવાનું સામર્થ્ય), ૪) પ્રાપ્તિ (કોઈ પણ સ્થળેથી કોઈ પણ મનોવાંછિત વસ્તુ મેળવી લેવાની સિદ્ધિ), ૫) પ્રાકામ્ય (ઇચ્છાશક્તિ કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે રોકટોકથી રહિત બની જવી), ૬) વશિત્વ (બધા જીવોને પોતાને વશ કરવાનું સામર્થ્ય), ૭) ઈશિત્વ (બધા જ પદાર્થો ઉપર અધિકાર પ્રાપ્ત કરી લેવાની સિદ્ધિ) અને ૮) કામાવસાયિત્વ (સંકલ્પસિદ્ધિ, બધાં જ સંકલ્પો પૂર્ણ થાય તે). યોગ દર્શનનું પરમ લક્ષ્ય આવી કોઈ સિદ્ધિ મેળવવાનું નથી, પણ આત્મદર્શન અને તે દ્વારા કૈવલ્ય (મોક્ષ) પ્રાપ્ત કરવાનું છે. સ્વયં યોગ દર્શન પણ આ વિભૂતિઓની પ્રાપ્તિને આત્મસાક્ષાત્કારમાં વિદનરૂપ માની વર્જ્ય ગણે છે. તે વિભૂતિઓ સાધકને લોભાવે છે અને તેમાં જ રચ્યોપચ્યો રહેનાર સાધક કૈવલ્યની પ્રાપ્તિ કરી શકતો નથી. સાચો યોગી તો આવી સિદ્ધિઓનો અસ્વીકાર કરી વિવેકજ્ઞાનને જ દઢ કરવામાં રત રહે છે. વિવેકજ્ઞાન દઢ થતાં અવિવેક(અવિદ્યા)નો નાશ થાય છે. અવિવેકનો નાશ થતાં પ્રકૃતિ-પુરુષનો સંયોગ છૂટી જાય છે, કારણ કે સંયોગનું કારણ અવિવેકજ્ઞાન છે. પ્રકૃતિથી છૂટીને સ્વસ્વરૂપમાં રહેવું એ જ કૈવલ્ય (મોક્ષ) છે. બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પુરુષમાં પડતું ચિત્તનું પ્રતિબિંબ બંધ થઈ જાય છે અને પુરુષ એ અર્થમાં પણ કેવળ મુક્ત બને છે. સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં ભોગ સમાપ્ત થાય છે અને મોક્ષરૂપ પુરુષાર્થ સિદ્ધ થાય છે. (V) ઉપસંહાર યોગમાર્ગ સામે કેટલાક સમાજહિતચિંતકો એવો આક્ષેપ કરે છે કે એ માર્ગમાં સમાજ પ્રત્યેના કર્તવ્યને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. જેણે યોગાભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવેલો છે, દેહ ઉપરની આસક્તિથી મુક્ત થયેલો છે, અહંતાની આહુતિ આપી ચૂકેલો છે, સ્વાર્થબુદ્ધિને તજી દીધેલી છે, સત્અસતુના ભેદને સારી રીતે સમજે છે; એવા વ્યક્તિએ તો વાસ્તવિક રીતે પોતાના Page #658 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - યોગ દર્શન ૬૨૫ અજ્ઞાની અને વ્યસનાધીન બાંધવોનો પ્રત્યેક રીતે ઉદ્ધાર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ આધુનિક સમાજહિતચિંતક લોકોને લાગે છે. કેટલાક કટુ આલોચકોના મત પ્રમાણે યોગ દર્શનમાં કોઈ દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ થયું નથી, પણ રહસ્યવાદ અને અલૌકિક ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો સાધનામાર્ગ સામાન્ય બુદ્ધિકક્ષા ધરાવતા લોકોને સમજાય એવો નથી. યોગમાર્ગ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓ પણ આધુનિક દષ્ટિએ જોતાં વાસ્તવિકતાથી તદ્ન વેગળી જણાય છે. ભૌતિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની પ્રગતિના આ યુગમાં યૌગિક ક્રિયાઓ તથા તજ્જનિત સિદ્ધિઓ કોઈ જાદુઈ વાતો જેવી ભાસે છે. યોગ દર્શનની સામે કરવામાં આવતી આવી કટુ આલોચના અધૂરી સમજણવાળી અને સત્યથી વેગળી છે. મહર્ષિ પતંજલિના યોગ દર્શનને કોઈએ ગૂઢવાદ કે જાદુઈ હકીકતો કે સંમોહનની ક્રિયાઓ જોડે સાંકળવાની જરૂર નથી. યોગ દર્શન એક મહાન ક્રિયાપ્રણાલી છે અને ચાર્વાક દર્શનને બાદ કરતાં બધાં જ ભારતીય દર્શનોએ તેને વત્તાઓછા અંશે માન્ય રાખેલ છે. તે સાંખ્ય દર્શનના તત્ત્વજ્ઞાન ઉપર આધારિત છે અને મનુષ્યના શુદ્ધ સ્વભાવને પારખી, આત્મનિયંત્રણ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટેના વ્યાવહારિક માર્ગનું યથાયોગ્ય નિરૂપણ કરે છે. પાશ્ચાત્ય જગતમાં આજે યોગનો જે વિપુલ પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે તે પણ ઉપરની ટીકાને ખોટી ઠરાવે છે. ટૂંકમાં માનસિક તથા શારીરિક સ્વાથ્ય માટે પણ આધુનિક દષ્ટિએ યોગને વિશેષ ઉપકારી તેમજ જરૂરી માનવામાં આવેલ છે. Page #659 -------------------------------------------------------------------------- ________________ Page #660 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મીમાંસા દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય મીમાંસા' શબ્દનો અર્થ છે કોઈ પણ વસ્તુના સ્વરૂપને પામવા માટેની વિચારણા. વેદમાં સમાયેલા જ્ઞાનકાંડ અથવા બહ્મકાંડના તાત્પર્યનિર્ણય માટે જે દર્શન રચાયું તેને બહ્મ મીમાંસા અથવા ઉત્તર મીમાંસા કહે છે, જ્યારે વેદમાં સમાયેલા યજ્ઞકાંડ અથવા કર્મકાંડના તાત્પર્યનિર્ણય માટે જે દર્શન રચાયું તેને કર્મ મીમાંસા અથવા પૂર્વ મીમાંસા કહે છે. પૂર્વ મીમાંસાને સંક્ષેપમાં ‘મીમાંસા' અને ઉત્તર મીમાંસાને ‘વેદાંત' કહે છે. મીમાંસાનો મુખ્ય ઉદ્દેશ છે - કર્મકાંડને ટેકો આપવો, વૈદિક વિધિ-નિષેધોનો અર્થ સમજાવવો, તે માટે વ્યાખ્યાપ્રણાલી નક્કી કરવી અને કર્મકાંડના મૂળ સિદ્ધાંતને તર્કયુક્તિ વડે સ્થાપી વ્યવસ્થિત શાસ્ત્ર રચવું. મહર્ષિ જૈમિનિનું પૂર્વ મીમાંસા' મુખ્યત્વે યજ્ઞયાગની પદ્ધતિ છે. ક્રિયાકાંડના હેતુસર વૈદિક મંત્રોના અર્થઘટનના નિયમો સ્થાપિત કરવા એ પૂર્વ મીમાંસાનો મુખ્ય પ્રયત્ન છે. મોક્ષના માર્ગ તરીકે કર્મ ઉપર તે ભાર મૂકે છે. યજ્ઞ એ જ સર્વોત્તમ કર્મ છે અને મનુષ્યનું લક્ષ્ય સ્વર્ગપ્રાપ્તિ છે એવા મીમાંસાના મતની જો કે કેટલાંક ઉપનિષદોએ ટીકા કરી છે, છતાં ‘ઇશાવાસ્ય' જેવા ઉપનિષદમાં જ્ઞાનકર્મના સમુચ્ચયનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. મીમાંસાએ પ્રતિસ્પર્ધી દર્શનોનું ખંડન કરી કર્મકાંડને ટેકો આપ્યો છે. તેનું મુખ્ય સૂત્ર છે - ‘ચાવMી વેત મનિટોત્ર જુદુચાત્' અર્થાત્ જ્યાં સુધી જીવો ત્યાં સુધી રોજ અગ્નિહોત્ર કર્યા કરો. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક મીમાંસા દર્શનનાં સૂત્રોનું ગૂંથન કરનાર સૂત્રકાર મહર્ષિ જૈમિનિ હતા. તેમનો નિશ્ચિત કાળ મળતો નથી. પરંતુ ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૨૦૦ વચ્ચે તેઓ થઈ ગયા હોવાનું મનાય છે. કેટલાકના મત પ્રમાણે તેઓ ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગયા. મહર્ષિ જૈમિનિ મીમાંસા દર્શનના પ્રથમ પ્રવર્તક જણાતા નથી, કારણ કે તેમની પહેલાં શ્રી બાદરાયણ, શ્રી બાદરિ, શ્રી ઐતિશાયન, શ્રી કષ્ણજિનિ, શ્રી આત્રેય, શ્રી ઔડુલૌમી, શ્રી કામુકાયન આદિ આચાર્યો થઈ ગયા છે, જેમનાં નામો બહ્મમીમાંસાસૂત્રમાં તેમજ જૈમિનીય સૂત્રોમાં આવે છે. કેટલાક વિદ્વાનોના મત અનુસાર પૂર્વ ૧- વેદોના પૂર્વભાગ, એટલે કે એના કર્મકાંડ વિષેની વિચારણા પૂર્વ મીમાંસામાં છે. ફક્ત કાળક્રમની ગણતરીએ જ નહીં, વિકાસની દૃષ્ટિએ પણ પૂર્વ મીમાંસા દર્શન ઉત્ત૨ મીમાંસા દર્શન કરતાં પહેલું આવે છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીમાંસા તથા ઉત્તર મીમાંસા ઉપર સર્વ પ્રથમ વૃત્તિ લખનાર મહર્ષિ ઉપવર્ષ હતા. તેમનો સમય ઈ.સ.ની પહેલી તથા બીજી સદી વચ્ચે મૂકવામાં આવે છે. કોઈ વળી એમ માને છે કે શ્રી બોધાયન મુનિએ બહ્મસૂત્રો ઉપર સર્વ પ્રથમ વૃત્તિ રચી હતી. જો કે હાલ આ વૃત્તિઓ ઉપલબ્ધ નહીં હોવાથી કોઈ આધાર વગર અંતિમ નિર્ણય ઉપર આવવું કઠિન છે. | મીમાંસા દર્શનની મુખ્ય ત્રણ ધારાઓ માનવામાં આવે છે. ત્રણેના પ્રવર્તકોનાં નામો છે - શ્રી કુમારિલ ભટ્ટ, શ્રી પ્રભાકર મિશ્ર અને શ્રી મુરારિ મિશ્ર. આ ત્રણેમાંથી કોઈની પણ પરંપરા આજે જીવિત દેખાતી નથી, માત્ર તેમના ગ્રંથો દ્વારા તેમની ઓળખાણ થાય છે. તેમની વચ્ચે અમુક દાર્શનિક પ્રશ્નો ઉપર મતભેદ છે. આ ત્રણે પૈકી પ્રભાકરમત સહુથી વધારે પ્રબળ તથા પ્રતિભાશાળી લાગે છે. શ્રી કુમારિલ ભટ્ટ બૌદ્ધો સામે જબરદસ્ત બાથ ભીડેલી. બૌદ્ધોના પરાજયનો યશ એકમાત્ર શ્રી શંકરાચાર્યને જ આપવામાં આવે છે, પણ તે પહેલાં શ્રી કુમારિલ ભટ્ટ વિરોધનો ઝંડો ફરકાવેલો અને બૌદ્ધોને સખત પરાજય આપેલો. બૌદ્ધ સામેની લડાઈનું પ્રથમ મંડાણ શ્રી કુમારિલ ભટ્ટનું છે. શ્રી મુરારિ મિશ્ર વિષે વિશેષ ઉલ્લેખનીય કશું મળતું નથી. મીમાંસાની આ ત્રણે ધારાઓ શિષ્ય પરંપરાના અભાવે લગભગ નામશેષ થઈ ગઈ છે. (૩) સાહિત્ય કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે મીમાંસા પ્રથમ એક દર્શનરૂપ હતું, જેમાં કર્મ, ઉપાસના અને જ્ઞાનને લગતી મીમાંસા હતી. સમગ્ર મીમાંસા દર્શન મૂળ વીસ અધ્યાયમાં હતું. જેમાં બાર અધ્યાયમાં કર્મ, ચાર અધ્યાયમાં ઉપાસના અને બાકીના ચાર અધ્યાયમાં બહ્મ મીમાંસા હતી. બાર અધ્યાયની કર્મ મીમાંસાના સૂત્રકાર મહર્ષિ જૈમિનિ હતા અને ચાર અધ્યાયની બહ્મ મીમાંસાના રચયિતા શ્રી બાદરાયણ (વ્યાસ) મુનિ હતા એવું પરંપરાગત મંતવ્ય છે. મહર્ષિ જૈમિનિ રચિત મીમાંસાસૂત્રના બાર અધ્યાયો છે. આ બાર અધ્યાયને ચાર પાદમાં વહેંચવામાં આવ્યા છે. દરેક પાકને પાછા અધિકરણોમાં વહેંચવામાં આવ્યા છે અને આ દરેક અધિકરણોમાં વિવિધ સૂત્રોનો સમાવેશ થાય છે. આમ, કુલ ૮૯૦ અધિકરણો અને ૨૬૨૧ સૂત્રોનું આ મીમાંસા દર્શન કલેવરની દૃષ્ટિએ સહુથી મોટું છે. મુખ્યતઃ આ પુરોહિત બાહ્મણોનું શાસ્ત્ર છે. પરસ્પર વિરોધી હોય અથવા વૈકલ્પિક હોય તેવી બધી શ્રુતિઓનો સમન્વય કરી, કર્મકાંડને નિશ્ચિત કરવું તે તેનું લક્ષ્ય છે. યજ્ઞ, હોમ વગેરે અનેક કર્મો, તેના કર્તા, તેના અધિકારી, તેનો કાળ વગેરે બાબતોના નિર્ણય માટે આ શાસ્ત્ર રચાયેલું છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન ૬૨૯ પૂર્વમીમાંસાસુત્રના સર્વપ્રથમ ભાષ્યકાર શ્રી શબરસ્વામી હતા. તેમની કાળ ગણના ઈ.સ.ની પહેલી અને ચોથી સદી વચ્ચે કરવામાં આવે છે. “શાબરભાષ્ય' ઉપર વિચારણા કરનાર મુખ્ય ચિંતકોમાં શ્રી કુમારિક ભટ્ટ અને શ્રી પ્રભાકર મિશ્રનાં નામ પ્રસિદ્ધ છે. શ્રી કુમારિલ ભટ્ટ છઠ્ઠી કે સાતમી સદીના અંતે થઈ ગયા હોવાનું મનાય છે. “શાબરભાષ્ય' ઉપરના તેમના પાંડિત્યપૂર્ણ ત્રણ વૃત્તિગ્રંથો છે - શ્લોકવાર્તિકા', ‘તંત્રવાર્તિકા' તથા ‘ટુટીકા'. શ્રી કુમારિલ ભટ્ટના પ્રતિભાસંપન્ન શિષ્ય શ્રી મંડન મિશ્રની રચનાઓમાં ‘વિધિવિવેક' , ‘ભાવનાવિવેક', ‘વિભમવિવેક' આદિ ઉલ્લેખનીય છે. શ્રી કુમારિક ભટ્ટના સંપ્રદાયના પ્રવર્તકોમાં (૧૦મી સદી પછીના) શ્રી પાર્થસારથિ મિશ્ર, શ્રી માધવાચાર્ય, શ્રી ખંડદેવ મિશ્ર વગેરેના ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. શ્રી કુમારિલ ભટ્ટના શિષ્ય શ્રી પ્રભાકર મિશ્ર (ઈ.સ. ૭00) એટલા વિદ્વાન હતા કે તેમના ગુરુ શ્રી કુમારિલ ભટ્ટ પણ તેમને ‘ગુરુ' કહી સંબોધતા. આથી શ્રી પ્રભાકરનો મત ‘ગુરુમત' નામે પણ ઓળખાય છે. શ્રી પ્રભાકરે ‘શાબરભાષ્ય' ઉપર લખેલી મહત્ત્વની ટીકાઓમાં ‘બૃહતી’, ‘લધ્વી' વગેરે સુપ્રસિદ્ધ છે. નવમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આચાર્ય શાલિનાથે ‘દીપશિખા', ‘ઋજુવિમલા', ‘પ્રકરણ પંચિકા' આદિ ટીકા ગ્રંથો લખેલા છે. ત્યારપછી થયેલા પંડિતોમાં શ્રી ભવનાથ અને શ્રી નંદીશ્વર ઉલ્લેખનીય છે. શ્રી મુરારિ મિશ્રનો ત્રીજો મત ૧૧મી સદીમાં શરૂ થયો હતો. તેમણે શ્રી ભવનાથના મતનું ખંડન કર્યું છે. મીમાંસા દર્શનના પ્રખ્યાત વિદ્વાનો મિથિલા તથા દક્ષિણમાં થઈ ગયા. મહાત્મા બુદ્ધના સમયમાં તે મત વિશેષ ફેલાયેલો હતો. ટૂંકમાં, મીમાંસાસૂત્ર ઉપર ચોથીથી સત્તરમી સદી સુધીમાં, અર્થાત્ શ્રી શબરસ્વામીથી માંડીને જે મીમાંસા ગ્રંથો રચાયા તેની યાદી ઉપરથી સ્પષ્ટ થાય છે કે તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં મીમાંસા શાસ્ત્રના મુખ્ય પ્રવર્તકો શ્રી કુમારિલ ભટ્ટ તથા શ્રી પ્રભાકર મિશ્ર છે અને બાકીના બીજા મીમાંસકો તેમના મતનું વિવરણમાત્ર કરે છે. (II) પ્રમાણમીમાંસા પ્રમાણવાદ જ્ઞાનની સમીક્ષા આપે છે અને સત્ય સુધી કેવી રીતે પહોંચાય તે બતાવે છે. મહર્ષિ જૈમિનિએ ફક્ત ત્રણ જ પ્રમાણો - પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ સ્વીકારેલ છે. શ્રી પ્રભાકર મિશ્ર તદુપરાંત તેમાં ઉપમાન અને અર્થપત્તિ નામનાં બે પ્રમાણો ઉમેરે છે. શ્રી કુમારિલ ભટ્ટ તેમાં અનુપલબ્ધિને ઉમેરે છે અને આમ, કુલ છ પ્રમાણોને મીમાંસકો સ્વીકારે છે. આ વિવિધ પ્રમાણોને ટૂંકમાં જોઈએ – (૧) પ્રત્યક્ષપ્રમાણ મીમાંસા બાહ્યાર્થવાદી દર્શન છે. આથી મીમાંસકોના મત મુજબ કેવળ સત્ પદાર્થ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૩) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ પ્રત્યક્ષનો વિષય બની શકે છે. જ્યારે આવા વિષયનો કોઈ ઇન્દ્રિય જોડે સંયોગ થાય છે ત્યારે તે વિષયનું જ્ઞાન આત્માને થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનની પ્રથમ અવસ્થા નિર્વિકલ્પ પ્રત્યક્ષની છે, જેમ કે આ કંઈક છે; અને બીજી અવસ્થા પૂર્વાનુભવને આધારે વિષયનું સ્વરૂપ નક્કી થયા પછીની એવી સવિકલ્પ પ્રત્યક્ષની છે, જેમ કે આ ગાય છે. (૨) અનુમાન પ્રમાણ મીમાંસકોનો અનુમાન વિષેનો મત લગભગ ન્યાયસમ્મત હોવાથી અહીં વિગતવાર ચર્ચા કરી નથી. વ્યાપ્તિ અંગેનાં મંતવ્ય, અનુમાનના પાંચ અવયવો વગેરે સર્વ ન્યાય-વૈશેષિક દર્શન સાથે સામ્ય ધરાવે છે. (૩) ઉપમાન પ્રમાણ મીમાંસકોના મત મુજબ ઉપમાન એટલે જ્યારે પ્રથમ જોયેલી વસ્તુ જેવી જ બીજી વસ્તુ જોવામાં આવે ત્યારે એમ માનવામાં આવે કે પ્રથમ જોયેલી વસ્તુ તે આ પ્રત્યક્ષ વસ્તુ સમાન છે તે ઉપમાન. મીમાંસકોના મત અનુસાર ઉપમાન એ પ્રત્યક્ષ નથી, કારણ કે નીલગાય જોતી વખતે પૂર્વે જોયેલી ગાય તે સમયે પ્રત્યક્ષ થતી નથી. તે સ્મૃતિજન્ય જ્ઞાન પણ નથી, કારણ કે તે ગાયનું પૂર્વજ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થયેલું, પણ તે અત્યારે જોયેલ નીલગાય જેવી હશે તેવું તે સમયે જ્ઞાન ન હતું. તે અનુમાન પણ નથી, કારણ કે અહીં ‘બધા પદાર્થો પોતાના પદાર્થો જેવા હોય છે', આ પ્રકારનું વ્યાપ્તિવાક્ય પણ મળતું નથી. કોઈએ આ પ્રકારનું સાદશ્યજ્ઞાન આપ્યું ન હોવાથી તે આપ્તવચન પણ નથી. તે શબ્દપ્રમાણ પણ નથી. મીમાંસકો આ પ્રમાણે ઉપમાનને સ્વતંત્ર પ્રમાણ માને છે. વેદની અંદરના કેટલાક યજ્ઞયાગોનાં અંગો જાણવા અર્થે આ પ્રમાણનો ઉપયોગ થાય છે. જે યજ્ઞયાગોનાં અંગ-ઉપાંગો વેદમાં પ્રત્યક્ષ કહેલાં ન હોય ત્યાં તે જાણવા માટે આ પ્રમાણની જરૂર રહે છે એમ મીમાંસકો માને છે. (૪) શબ્દપ્રમાણ વેદનું પ્રામાણ્ય ઠરાવવાનું હોવાથી મીમાંસા દર્શનમાં શબ્દપ્રમાણનું ખૂબ મહત્ત્વ છે. પ્રત્યક્ષ આદિ દ્વારા જે સ્વર્ગાદિ અલૌકિક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એ વિષયોના સંબંધમાં અપૌરુષેય એવા વેદો જ પ્રમાણ છે. આને જ શબ્દનિત્યવાદી મીમાંસકોએ “શબ્દપ્રમાણ' નામ આપેલ છે. આસ્તિક દર્શનો જેમ વેદના અપૌરુષેયત્વને માને છે, તેમ મીમાંસકોના મત પ્રમાણે પણ વેદ અનાદિ અને અપૌરુષેય છે, પરંતુ તે ભિન્ન અર્થમાં. વેદ ઈશ્વરરચિત છે, માટે અનાદિ અને અપૌરુષેય છે એમ નહીં, પરંતુ વાસ્તવિક શબ્દ, નિત્ય હોવાથી સ્વાભાવિક છે. વેદ મૂળભૂત નિત્ય શબ્દોનો ભંડાર છે. લખાયેલા કે બોલાયેલા વેદના શબ્દો તો માત્ર નિત્ય વેદના પ્રકાશરૂપ છે. વેદ ન Page #664 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન ૬૩૧ તો મનુષ્યરચિત છે કે ન ઈશ્વરરચિત, માટે તે અપૌરુષેય છે. વેદો કર્મફળપ્રાપ્તિનો નિર્દેશ કરે છે અને તેના વડે જ ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. કર્મફળપ્રાપ્તિ અદષ્ટ છે. તેનું પ્રત્યક્ષ થતું નથી. કોઈ મનુષ્ય દ્વારા પણ તેનું જ્ઞાન મળી શકતું નથી. આથી વેદ અપૌરુષેય છે. માનવરચિત ન હોવાથી વેદ દોષમુક્ત છે, તેથી જ વેદ પ્રમાણ તરીકે સ્વીકારાયા છે. તેમના મત અનુસાર વેદના પ્રામાણ્ય માટે ઈશ્વરના સ્વીકારની જરૂર જણાતી નથી. વેદોનું પ્રામાણ્ય સ્વયંસિદ્ધ છે. (૫) અર્થપત્તિપ્રમાણ જે બાબત અનુભવ સાથે સ્પષ્ટ રીતે વિરોધ દર્શાવતી હોય તેના ખુલાસારૂપે આ પ્રમાણ માનેલું છે. કોઈ એક પ્રસંગ જોતાં તેનું સ્પષ્ટીકરણ કોઈ અન્ય વિષયની કલ્પના કર્યા સિવાય ન થાય તો તે અદષ્ટ વિષયની કલ્પનાને અર્થપત્તિ કહે છે. બે વિરુદ્ધ કોટિની બાબતોમાં અદૃષ્ટ કલ્પના દ્વારા જે સંગતિ સાધી શકાય છે તેને અર્થપત્તિ કહે છે. દા.ત. કોઈ કહે કે ‘દેવદત્ત દિવસે જમતો નથી, છતાં દિન-પ્રતિદિન તે જાડો થતો જાય છે' અહીં જે પરસ્પર વિરુદ્ધ હકીકતો દિવસે ન ખાવું” અને “જાડા થવું'નો નિર્દેશ કર્યો છે, તેમાં એક કલ્પના ઉમેરાય કે “તો દેવદત્ત રાત્રે જમતો હશે તો જ આ પરસ્પર વિરુદ્ધ કલ્પનાની સંગતિ બેસે છે. જ્ઞાત ઉપરથી અજ્ઞાત બાબત જાણવાનો આ યથાર્થ પ્રકાર છે. અર્થાપત્તિ દ્વારા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે પ્રત્યક્ષ દ્વારા (કારણ કે કોઈએ દેવદત્તને રાત્રે ખાતાં જોયો નથી) કે શબ્દ દ્વારા (કોઈએ કહ્યું નથી કે દેવદત્ત રાત્રે ખાય છે) કે અનુમાન દ્વારા (જો શરીર જાડું હોય તો વ્યક્તિ હંમેશાં રાત્રે ભોજન કરતી હોવી જોઈએ, એવાં વ્યાપ્તિવિધાનનો પણ અહીં અભાવ છે) પણ પ્રાપ્ત થતું નથી. અર્થાપત્તિના બે પ્રકાર છે - દૃષ્ટાથપત્તિ અને શ્રુતાથપત્તિ. દુષ્ટાથપત્તિ એટલે કે જે અર્થપત્તિ વડે કોઈ જોયેલા બનાવ અંગે યુક્તિ થઈ શકે તે. ‘દેવદત્ત જાડો છે' તે ઉદાહરણ દૃષ્ટાર્થોપત્તિને લગતું છે. શ્રુતાથપત્તિ એટલે કે જે અર્થપત્તિ વડે કોઈ સાંભળેલી હકીકતની સંગતિ કલ્પના કરીને બેસાડવામાં આવે છે. દા.ત. ‘કાશી ગંગા નદી ઉપર આવેલું છે' એમ કહેવાથી સાંભળનાર એમ અર્થ કરે છે કે નદીના પાણીની ‘ઉપર' નગર હોઈ શકે નહીં, માટે કાશી ગંગા નામની નદીના કાંઠે આવેલું છે. (૬) અનુપલબ્ધિપ્રમાણ અનુપલબ્ધિનો શબ્દાર્થ છે ‘ઉપલબ્ધિનો અભાવ’ કે ‘પ્રમાણનો અભાવ', એટલે કે પાંચ પ્રમાણ દ્વારા થતા જ્ઞાનનો અભાવ. કોઈ વિષયના અભાવનું અનુપલબ્ધિ દ્વારા જ્ઞાન થાય છે, દા.ત. ‘આ ટેબલ ઉપર પુસ્તક નથી.' એવું જ્ઞાન કઈ રીતે થાય છે? Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેને પ્રત્યક્ષ તો નહીં કહી શકાય, કારણ કે અભાવ કોઈ વસ્તુ નથી કે જેનો ઇન્દ્રિય દ્વારા સંયોગ થઈ શકે. પુસ્તક પ્રત્યક્ષ થઈ શકે, પણ પુસ્તકનો અભાવ પ્રત્યક્ષ ન થઈ શકે. માટે પુસ્તકના અભાવનું જ્ઞાન “અનુપલબ્ધિ' દ્વારા થાય છે એમ શ્રી કુમારિક ભટ્ટનો મત છે. અનુપલબ્ધિ એ અનુમાન પણ નથી, કારણ કે ઉપરના દાખલામાં કદાચ એમ માનવામાં આવે કે પુસ્તકના અભાવનું પુસ્તક નહીં જોવાથી અનુમાન થાય છે, તોપણ તે અસંગત છે, કારણ કે અદર્શન અને અભાવ વચ્ચે વ્યાપ્તિ સંબંધ (અર્થાત્ જે જે વસ્તુ દેખાય નહીં તેનો અભાવ હોય છે) પણ નથી. અનુપલબ્ધિ શબ્દપ્રમાણ કે ઉપમાન પ્રમાણ પણ નથી, કારણ કે તેનું જ્ઞાન આપ્તવાક્ય કે સાદશ્ય દ્વારા પણ થતું નથી. આથી અનુપલબ્ધિને સ્વતંત્ર પ્રમાણ માનેલું છે. શ્રી પ્રભાકર મિશ્ર અનુપલબ્ધિપ્રમાણને સ્વીકારતા નથી. એનું કારણ એ કે અનુપલબ્ધિનો જે એકમાત્ર વિષય છે તે અભાવને જ તેઓ નકારે છે. તેઓ અભાવની સ્પષ્ટતા તેની સાથે સંકળાયેલા ભાવાત્મક પદાર્થો દ્વારા કરે છે. (III) તત્ત્વમીમાંસા તત્ત્વમીમાંસાની દૃષ્ટિએ જોતાં મીમાંસા દર્શન વસ્તુવાદ (realism) તથા બહુતત્ત્વવાદ(pluralism)નું સમર્થન કરે છે. પદાર્થની વિચારણા કરતાં જણાય છે કે ન્યાય-વૈશેષિક દર્શનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ સાત પદાર્થો માનેલા છે, પરંતુ મીમાંસા દર્શન તેમાંથી દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય તથા અભાવ એમ પાંચ જ પદાર્થનો સ્વીકાર કરે છે. બાકીના બે પદાર્થો - સમવાય અને વિશેષને માત્ર કલ્પિત પદાર્થો ગણીને નકારે છે. મીમાંસકોએ કરેલી જીવ, જગત અને ઈશ્વરની વિચારણા હવે જોઈએ – (૧) આત્મા વિષે વિચાર મીમાંસા દર્શનના મત અનુસાર દેહ, ઇન્દ્રિય અને મનથી ભિન્ન, સ્થિર એવો આત્મા અસ્તિત્વ ધરાવે છે. આ આત્મા દ્રવ્ય છે અને તે ચૈતન્ય ગુણનો આધાર છે. ચેતના એ આત્માનો સ્વાભાવિક નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા સ્વભાવથી અચેતન છે, પરંતુ મન અને ઇન્દ્રિયોના સંસર્ગમાં આવવાથી તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સુષુપ્ત અવસ્થામાં તથા મોક્ષ અવસ્થામાં આ સંયોગનો અભાવ હોવાથી તે જ્ઞાનશૂન્ય બની જાય છે. મીમાંસકોનો આ આત્મવિષયક વિચાર ન્યાય-વૈશેષિક દર્શનને મળતો આવે છે. તેમના મત પ્રમાણે આત્મા અમર છે. તેની ઉત્પત્તિ કે વિનાશ નથી. તે બુદ્ધિ તથા ઇન્દ્રિયોથી પર છે, કારણ કે બુદ્ધિ તથા ઇન્દ્રિયો વગેરે અનિત્ય છે, જ્યારે આત્મા Page #666 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન ૬૩૩ તો નિત્ય છે. તે શરીરથી ભિન્ન છે, કારણ કે શરીર કદી જ્ઞાતા બની શકે નહીં. આત્મા સ્વયંપ્રકાશમાન છે. તે કર્તા, ભોક્તા તથા જ્ઞાતા છે. આ વિચાર જૈન દર્શન સાથે મળતો આવે છે. મીમાંસકોના મત પ્રમાણે આત્મા વિભુ, નિત્ય, સતુ, કર્મફળભોક્તા, મન વડે જ્ઞાત-અજ્ઞાતદશાવાળો અને દેહને રચનારો છે. વ્યક્તિગત વિષમતાના આધારે પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન આત્માઓની કલ્પના સાંખ્ય દર્શનની જેમ મીમાંસા દર્શનમાં પણ જોવા મળે છે. મીમાંસકો વેદાંતથી વિરુદ્ધ આત્માને એક નહીં પણ અનેક, દેહભેદે ભિન્ન માને છે. વળી, વેદાંતની જેમ જ્ઞાનને આત્માનો સ્વભાવધર્મ (essential attribute) ન માનતાં આત્માનો આગંતુક ધર્મ (accidental attribute) માને છે. | મીમાંસકો બૌદ્ધ દર્શનના નૈરાત્મવાદ તથા પંચ સ્કંધના ખ્યાલની સામે ટીકારૂપે કહે છે કે સ્થિર આત્મામાં માનીએ નહીં તો પંચ સ્કંધનું આ વૃક્ષ (શરીર) આધાર વિનાનું બની જાય. સ્થિર આત્માની પીઠ વિના પંચ સ્કંધનો પ્રવાહ સંભવતો નથી. કૃતનાદ એટલે કરેલાં કર્મોનો નાશ થવો તે અને અકૃતાભ્યાગમ એટલે નહીં કરેલાં કર્મોનું ફળ અન્યને મળવું તે - મીમાંસકો બૌદ્ધ દર્શનમાં આ બે દોષો છે એમ દર્શાવે છે. મીમાંસકોના મત અનુસાર મૃત્યુ પછી આત્મા કર્મફળના ભોગ માટે પરલોકમાં વિચરે છે, પોતપોતાના ધર્મ તથા અધર્મ(પુણ્ય તથા પાપ)ની ભિન્નતાના કારણે અનેક આત્માઓ સાબિત થાય છે. તેમનાં સુખ-દુઃખ પણ અલગ છે. આત્મા ચેતનરૂપ તથા વિભુ છે અને તેથી પોતાને એક દેહથી બીજા દેહ સાથે સંબંધમાં લાવી શકે છે. (૨) વિશ્વ વિષે વિચાર પૂર્વ મીમાંસા અનુસાર જગત તથા તેના બધા વિષયો સત્ય છે, માયિક નથી, તેથી મીમાંસકોએ બૌદ્ધ દર્શનના શૂન્યવાદની તથા અદ્વૈત વેદાંત દર્શનના માયાવાદની કડક ટીકા કરી છે. મીમાંસકો પરમાણુઓની સત્તા સ્વીકારે છે. પરમાણુઓ આત્માની જેમ નિત્ય છે. મીમાંસા દર્શનનો પરમાણુવિચાર વૈશેષિક દર્શનના પરમાણુવાદથી ભિન્ન છે. મીમાંસા દર્શન પરમાણુઓને ઈશ્વર દ્વારા સંચાલિત માનતું નથી, જ્યારે વૈશેષિક દર્શનમાં પરમાણુઓનું સંચાલન કરનાર એવા ઈશ્વરને સ્વીકારેલ છે. મીમાંસા દર્શન જગતનો ખુલાસો કુદરતી નિયમ દ્વારા આપે છે. પરમાણુઓ વડે રચાયેલા આ જગતનાં ઉત્પત્તિ અને લયની વ્યવસ્થા માટે ઈશ્વરની જરૂર તેમને જણાઈ નથી. મીમાંસા દર્શનના મત Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનુસાર કર્મના નિયમ વડે પરમાણુઓ ગતિશીલ બને છે, તેથી જીવાત્માઓનાં કર્મફળ-ભોગની વ્યવસ્થા કરવા માટે સંસારનો સ્વીકાર થઈ જાય છે. મીમાંસા દર્શનના મત પ્રમાણે આ જગત સત્ય છે તથા અનાદિ-અનંત છે. જગતની ન તો ઉત્પત્તિ થાય છે કે ન તો લય થાય છે. સૃષ્ટિ તથા પ્રલયનો ક્રમ તેને માન્ય નથી. મીમાંસક મત પ્રમાણે સંસાર ત્રણ તત્ત્વોનો બન્યો છે – ૧) ભોગાયતન - એટલે આ શરીર, જેમાં રહી આત્મા પોતાનાં પૂર્વકર્મોનાં સુખદુ:ખરૂપ ફળને ભોગવે છે. ૨) ભોગસાધન - એટલે જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય, જે સુખ-દુ:ખનાં ભોગસાધન છે, તે દ્વારા આત્મા સુખ-દુઃખ ભોગવે છે. ૩) ભોગવિષય - એટલે બાહ્ય વસ્તુઓ જેનો ઉપભોગ આત્મા કરે છે. મીમાંસા દર્શન વેદવાક્યમાં પ્રત્યક્ષ કરતાં પણ અસીમ શ્રદ્ધા ધરાવે છે, તેથી પ્રત્યક્ષ જગત ઉપરાંત તેઓ સ્વર્ગ, નરક, અદષ્ટ આદિ અનેક તત્ત્વોનો સ્વીકાર કરે છે. (૩) ઈશ્વર વિષે વિચાર મહર્ષિ જૈમિનિએ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. સૃષ્ટિના સર્જક તથા કર્મફળદાતા એવા કોઈ ઈશ્વરને આ દર્શનમાં સ્થાન નથી. જગત અને તેમાં જણાતી કર્મફળની વ્યવસ્થા કોઈ નિત્ય અને સર્વજ્ઞ એવા કર્તાએ કરેલી નથી. કર્મફળની વ્યવસ્થા તથા સૃષ્ટિના સંબંધમાં મીમાંસા દર્શન શું કહે છે તે જોઈએ – ૧) કર્મફળ વ્યવસ્થા - મીમાંસકો માને છે કે કર્મ પોતાની મેળે જ ફળે છે, તેથી કર્મનું ફળ આપનાર કોઈ ઈશ્વર જેવું તત્ત્વ છે એમ માની લેવાની જરૂર નથી. આ બાબતના વિશેષ સ્પષ્ટીકરણ માટે મીમાંસકોને માન્ય એવો ‘અપૂર્વ (unseen potency)નો સિદ્ધાંત સમજવો જરૂરી છે. કાર્ય-કારણના સંબંધને સમજાવતાં મીમાંસકો એક નવીન દૃષ્ટિકોણ અપનાવે છે. તેમના મત પ્રમાણે કાર્યની ઉત્પત્તિ માટે કારણ ઉપરાંત એક વધારાનું ‘શક્તિ' નામનું તત્ત્વ માનવું જરૂરી છે. બીજમાંથી અંકુર ફૂટે છે, પરંતુ બીજમાંથી અંકુર ફૂટવાની જે શક્તિ છે તેનો જ જો કોઈ કારણસર નાશ થાય તો પછી ગમે તેટલી મહેનત કરવા છતાં પણ તેમાંથી કાંઈ અંકુર ફૂટતો નથી. જ્યાં સુધી બીજમાં આ શક્તિ છે ત્યાં સુધી જ બીજમાંથી અંકુર ફૂટી શકે છે, અન્યથા નહીં. કર્મફળપ્રાપ્તિનો નિયમ કુદરતી નિયમ જેવો છે. કર્મમાંથી ફળ નિપજાવવાનું બીજ સ્વયં કર્તામાં જ હોવું જોઈએ. આજે યજ્ઞ કરવામાં આવે તો તેનું ફળ કાંઈ તાત્કાલિક Page #668 -------------------------------------------------------------------------- ________________ ષદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન ૬૩૫ મળતું નથી. કોઈ વાર તે વર્ષો સુધી પણ મળતું નથી. કર્મ આજે કરવામાં આવે અને તેનું ફળ ભવિષ્યમાં સ્વર્ગપ્રાપ્તિરૂપે મળે તે શક્ય કઈ રીતે બને? તે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મીમાંસા દર્શનમાં ‘અપૂર્વ' નામના તત્ત્વની યોજના કરવામાં આવી છે. અપૂર્વ એટલે જે પહેલાં ન હતું તે. જીવે કરેલાં કર્મ એક અદષ્ટ શક્તિ' ઉત્પન્ન કરે છે જેને ‘અપૂર્વ' કહે છે. અપૂર્વ એટલે કર્મોનું શુભાશુભ ફળ - પુણ્ય કે પાપ. કર્મ લૌકિક હોય કે વૈદિક, પણ કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. કર્મને લગતા વ્યાપક સિદ્ધાંતોનો જ એક અંશ આ અપૂર્વ સિદ્ધાંત છે. તેને કાર્યરત બનાવવા માટે ઈશ્વરની જરૂર મીમાંસા દર્શનને જણાઈ નથી. તે સ્વયંસંચાલિત છે. અપૂર્વની સત્તાનું જ્ઞાન વેદ દ્વારા થાય છે. ૨) સૃષ્ટિ વ્યવસ્થા – મીમાંસકો જગતની વસ્તુઓના ઉત્પત્તિ-વિનાશને માને છે, પરંતુ તે માટે તેઓ ઈશ્વરની કલ્પના વ્યર્થ માને છે. સંસારની બધી ચીજો પરસ્પર અવયવ સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવે છે. તેને ઉત્પન્ન થવા માટે પોતપોતાનાં કારણો હોય છે. બધાં પરિણામો પ્રાકૃતિક કારણોની નીપજ છે. આથી તેની પાછળ કોઈ અલૌકિક કારણ માનવાની જરૂર નથી. વળી, પ્રત્યક્ષ, અનુમાન કે શબ્દ આદિ પ્રમાણ દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે નહીં. વેદ નિત્ય છે, એટલે વેદોનો પણ કોઈ કર્તા નથી. ઈશ્વરવાદનું ખંડન કર્યું હોવા છતાં પૂર્વ મીમાંસામાં અનેક દેવોનો નિર્દેશ છે. પ્રત્યેક દેવ કોઈ વિશેષ કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે અને તેથી કોઈ વિશેષ કાર્ય પૂર્ણ કરવા તે તે દેવની અમુક વિધિઓ દ્વારા ઉપાસના કરી તેને પ્રસન્ન કરવાની રીતો પૂર્વ મીમાંસા બતાવે છે. ક્યારેક દેવતાઓને આહુતિઓ આપવાની હોય છે, તો ક્યારેક તેને બલિદાન આપવાની વાત પણ તેમાં છે. આમ, પૂર્વ મીમાંસામાં દેવોનું અસ્તિત્વ માત્ર વૈદિક યજ્ઞોના હેતુએ સ્વીકારવામાં આવ્યું છે. તે દેવો નિત્ય અને સર્વવ્યાપી હોવા છતાં જગતના કર્તા તરીકે સ્વીકારવામાં આવ્યા નથી. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ પ્રાચીન મીમાંસકોના મત મુજબ સ્વર્ગ જ જીવનનું અંતિમ લક્ષ હોવાથી તેમણે મોક્ષને કોઈ મહત્વ આપ્યું ન હતું. મહર્ષિ જૈમિનિ તથા શ્રી શબરસ્વામીએ ધર્મનાં અનુષ્ઠાનોને સ્વર્ગપ્રાપ્તિનું સાધન બતાવ્યું અને સર્વ કર્મોનું અંતિમ ઉદ્દેશ સ્વર્ગપ્રાપ્તિ કહ્યું. પરંતુ ધીમે ધીમે મીમાંસકો અન્ય ભારતીય દર્શનોની જેમ મોક્ષને જીવનનું ચરમ લક્ષ્ય તરીકે સ્વીકારવા લાગ્યા. શ્રી કુમારિલ ભટ્ટ તથા શ્રી પ્રભાકર મિત્રે મોક્ષનો ખ્યાલ - તેનાં સ્વરૂપ અને સાધનનો વિચાર સ્પષ્ટ કર્યો. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીમાંસકોના મત અનુસાર મોક્ષની અવસ્થામાં આત્મા શરીર, ઇન્દ્રિય, મન વગેરે બધાં બંધનોથી મુક્ત થાય છે અને એક વાર એ બંધનોનો નાશ થવાથી ફરીથી તે સંસારચક્રમાં ફસાતો નથી. શરીર, ઇન્દ્રિય તેમજ મનથી પૃથક થવાથી મુક્ત આત્મામાં ચૈતન્યનો વાસ રહેતો નથી અને પરિણામે તે સુખ-દુઃખના અનુભવથી પર રહે છે. અહીં મોક્ષાવસ્થાને નિષેધાત્મક રીતે તમામ સુખ તથા દુઃખ ઉભયથી રહિત વર્ણવવામાં આવેલ છે. આત્માનો આત્માથી અન્ય વસ્તુઓ સાથેનો સંબંધ એ જ બંધન છે. તેમાંથી હંમેશને માટે છૂટી જવું તે મુક્તિ. મોક્ષમાં જ્ઞાન, સુખ, દુઃખ જેવા આત્માના તમામ વિશિષ્ટ ગુણો લોપ પામે છે. તેમાં આત્માને પોતાનું જ્ઞાન પણ હોતું નથી, કારણ કે મનની પ્રવૃત્તિ તે સમયે બંધ પડે છે. આમ, મોક્ષ એટલે આત્માની સ્વાભાવિક અવસ્થાની પ્રાપ્તિ. પૂર્વના મીમાંસકોના મત પ્રમાણે મોક્ષ એ નિર્વાણ અથવા નિષેધરૂપ સ્થિતિ છે. તેમાં જ્ઞાન વિનાનું અસ્તિત્વ અને સુખ તથા દુ:ખ બન્નેનો અભાવ હોય છે. પરંતુ પાછળથી મીમાંસકોએ મોક્ષનો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં વેદાંત દર્શનના ખ્યાલને મળતો ‘આનંદની અનુભૂતિ એ મોક્ષ' એવો ખ્યાલ છે. (૨) મોક્ષ ઉપાય મીમાંસા દર્શનનો મુખ્ય ઉદ્દેશ ધર્મની વ્યાખ્યા આપી આચારમીમાંસા રજૂ કરવાનો છે. આથી તેને વૈદિક ધર્મની સ્થાપનામાં વિશેષ રસ છે. તે વેદને નિત્ય અને અપૌરુષેય માને છે. વેદવિહિત ધર્મ તથા શાશ્વત અને નિત્ય વૈદિક વિધિવાક્યોનો પ્રશ્ન પ્રધાન છે. કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય તેમજ તદનુસાર ઉત્તમ જીવન કઈ રીતે જીવવું તેની તે વિચારણા કરે છે. વેદની માન્યતાનો સ્વીકાર કરી, મીમાંસા કયાં કયાં કર્મો કરવાં અને કયાં કયાં કર્મોનો ત્યાગ કરવો તથા શા માટે ત્યાગ કરવો તે બાબતનું નિરૂપણ કરે છે. તેના મત પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન એ ગૌણ કારણ છે, પ્રધાન કારણ કર્મ છે. કર્મનાં અનુષ્ઠાન વેદ અનુસાર કરવા યોગ્ય છે. વૈદિક કર્મકાંડ એ જ ધર્મ છે. વેદના આદેશોનું પાલન કરવામાં આવે તે ઉત્તમ જીવન છે. મીમાંસકો કર્મોનું વર્ગીકરણ આ પ્રમાણે કરે છે – ૧) નિત્ય કર્મ – દૈનિક પ્રાર્થના, સ્નાન, પૂજા, સંધ્યાવંદન વગેરે કરવાં જરૂરી છે. એ કરવાથી પુણ્ય ન મળે, પણ ન કરવાથી પાપ જરૂર લાગે છે. ૨) નૈમિત્તિક કર્મ – વિશેષ પ્રસંગે થતાં કર્મો, જેવાં કે રહણ વખતે સ્નાન, જન્મમૃત્યુનાં સૂતક, શ્રાદ્ધ વગેરે. એ કરવાથી વિશેષ લાભ નથી, પણ ન કરવાથી પાપ લાગે છે. Page #670 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન ૬૩૭ ૩) કામ્ય કર્મો – નિશ્ચિત ફળની પ્રાપ્તિના ઉદ્દેશથી થતાં કર્મો, જેમ કે પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ વગેરે માટે થનાર યજ્ઞો. એ કરવાથી પુણ્યસંચય થાય, પણ ન કરવાથી પાપ ન લાગે. ૪) નિષિદ્ધ કર્મો – આ કર્મો ન કરવાથી પુણ્ય ન મળે, પણ એ કરવાથી પાપ અવશ્ય લાગે. જેમ કે બ્રહ્મહત્યા, બાલહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા, વગેરે. ૫) પ્રાયશ્ચિત કર્મો – વ્યક્તિથી જો નિષિદ્ધ કર્મ થઈ જાય તો તેના પ્રાયશ્ચિત માટે, તેના અશુભ ફળમાંથી બચવા માટે અનેક વિધિઓ બતાવેલ છે. નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવા માટે વેદનો આદેશ છે, માટે તે કરવાં જોઈએ. પ્રત્યેક કર્મમાં પાપ કે પુણ્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે, જેને ‘અપૂર્વ' કહે છે. કર્મ દ્વારા “અપૂર્વ’ અને ‘અપૂર્વ' દ્વારા કર્મફળ નીપજે છે. કર્મ મીમાંસાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મનુષ્ય વેદપ્રતિપાદિત કર્મોમાં પોતાની જાતને જોડી આત્માનું કલ્યાણ સાધે. વૈદિક કર્મો કરવાથી શી ફળપ્રાપ્તિ થાય છે તે અંગે પ્રાચીન મીમાંસકોનો જવાબ ‘સ્વર્ગપ્રાપ્તિ' છે. પરંતુ ઉત્તરકાલીન મીમાંસકોએ અન્ય દર્શનોની અસર તળે સ્વર્ગપ્રાપ્તિ ઉપરાંત નિઃશ્રેયસ(મોક્ષ)નો ખ્યાલ રજૂ કરેલ છે. સકામ કર્મોનાં અનુષ્ઠાનો વડે પાપપુણ્યાદિ સંભવે છે, પણ નિષ્કામ ધર્માચરણ વડે પૂર્વે કરેલાં કર્મોનાં જે સંચિત સંસ્કારો હોય તે નષ્ટ થાય છે અને પરિણામે મનુષ્ય ભવબંધનથી મુક્તિ મેળવે છે; માટે ભવબંધનથી છૂટવા અને મોક્ષને પ્રાપ્ત કરવા મનુષ્ય નિષ્કામભાવે વેદવિહિત કર્મો કરવાં જોઈએ એવો મીમાંસકોનો મત છે. (V) ઉપસંહાર ભારતીય દર્શનોની શાખામાં જો કે પૂર્વ મીમાંસાને એક દર્શન તરીકે સ્થાન મળેલ છે, છતાં કેટલાક આલોચકોના મત અનુસાર મીમાંસા એ દર્શન નથી, પરંતુ નર્યો કર્મકાંડ અને તદ્વિષયક ચર્ચા કરતું શાસ્ત્ર છે. તેમાં શુદ્ધ તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મવિચારણા નહીંવત્ છે. મીમાંસા દર્શનમાં ઈશ્વર તથા જીવ અને જગતના સંબંધમાં વિવરણ યોગ્ય રીતે થયું નથી. તેથી પાછળથી વૈષ્ણવમત અને શૈવમતના સ્વરૂપમાં તેના ધાર્મિક પ્રત્યાઘાતો પડ્યા. આ બને મતોમાં જેની વ્યક્તિગત રીતે પૂજા થઈ શકે એવો એક સર્વોપરી ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો બંધન તથા મુક્તિ સંબંધી ખ્યાલ પણ તેનો પોતાનો સ્વતંત્ર ખ્યાલ નથી, પરંતુ અન્ય દર્શનો ઉપરથી તે ઘડાયેલો હોય એવું લાગે છે. તેના આત્મતત્ત્વ અંગેના વિચારો પણ સંદિગ્ધ છે. વળી, તેની જ્ઞાનની પ્રક્રિયા પણ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન બરાબર લાગતી નથી. દર્શનશાસ્ત્ર સાથે સંકળાયેલી કેટલીક દાર્શનિક સમસ્યાઓનો યોગ્ય ઉકેલ પણ મીમાંસા દર્શન આપી શકતું નથી. વૈદિક ધર્મનું જે સ્વરૂપ મીમાંસા દર્શનમાં વ્યક્ત થયેલ છે તે પણ અવિકસિત છે. તેમાં કર્મકાંડનું મહત્ત્વ એટલું વિશેષ જણાવ્યું છે કે દેવતાઓનું સ્થાન બિલકુલ ગૌણ બની જાય છે. કર્મ અને ઈશ્વર વચ્ચેનો કોઈ સંબંધ સ્થાપી ન શકવાના કારણે તે માણસની ખરી ધાર્મિક ભાવનાને પણ સંતોષી શકતું નથી. બાહ્મણથી જ બધાં કર્મકાંડ થઈ શકે તેવો એકાધિકાર રચવામાં આ દર્શને મુખ્ય ભાગ ભજવ્યો છે. વળી, શૂદ્રો પ્રત્યે અસહનીય ઉપેક્ષા તથા તિરસ્કાર ઊભા કરવામાં આવ્યાં છે. પરિણામે જ્યાં સુધી ધાર્મિક સમાજ ઉપર મીમાંસકોનું વર્ચસ્વ રહ્યું ત્યાં સુધી શૂદ્રોનું અતિશય દમન થતું રહ્યું. આ દર્શને ઊંચ-નીચના ભેદો ઊભા કર્યા અને વ્યર્થ ક્રિયાઓ પાછળ સમાજને લગાડીને તેનાં ધનનો, સમજણનો અને સમયનો નાશ કર્યો એવો અનેક આલોચકોનો મત છે. દેશને પંગુ બનાવવામાં અને સમાજમાં સમાનતાની ભૂમિકા ન થવા દેવામાં તેમને મીમાંસકો મુખ્ય કારણરૂપ લાગ્યા છે. વળી, મીમાંસા દર્શને હિંસાને ખૂબ ઉત્તેજન આપ્યું છે. પશુબલિ, પશુહિંસા તથા બલિનાં જુદાં જુદાં અંગોને કેવી રીતે હોમવાં તેનાં લાંબા વિધિ-વિધાનો તેનાં શાસ્ત્રોમાં છે. કર્મકાંડ તથા પશુબલિ વિરુદ્ધ જે દર્શનોની પ્રક્રિયા શરૂ થઈ તે આ જ કારણે લોકોમાં વિશેષ સ્વીકાર્ય બન્યાં. તેથી વૈદિક ધર્મના પતનમાં અને જૈન તથા બૌદ્ધ ધર્મના ઉદયમાં મીમાંસકો જ મુખ્ય કારણ છે એવો ટીકાકારોનો મત છે. દાર્શનિક દૃષ્ટિએ વિચારકોને પૂર્વ મીમાંસાનું મૂલ્ય ભલે ઓછું જણાય, પરંતુ વ્યાવહારિક દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. મીમાંસા સાહિત્યમાંથી નિત્ય-નૈમિત્તિક કર્મોની વ્યવસ્થા કરવાવાળું સ્મૃતિ સાહિત્ય તેમજ વર્તમાન કાળમાં પણ હિંદુઓનાં બધાં ધર્મકર્મ ceremonies and rituals)નાં વિવેચન અને નિર્દેશ મળે છે. ‘મીમાંસા' શબ્દ જ એમ સૂચવે છે કે તેનું કાર્ય વૈદિક કર્મોની શાસ્ત્રીય વ્યાખ્યા આપી વૈદિક શબ્દોનું યોગ્ય અર્થઘટન કરવાનું છે અને તે અનુસાર વિધિ-વિધાન ગોઠવવાનું છે. વળી, ‘શબ્દ' (પ્રમાણ) વિષેનો મીમાંસાનો સિદ્ધાંત ભાષાશાસ્ત્રની દષ્ટિએ મહત્ત્વનો છે. વિરોધી વાક્યોમાં એકવાક્યતા સાધવા માટેની પ્રક્રિયા મીમાંસા દર્શને દર્શાવી છે. વેદાંત પણ અર્થઘટન માટે મીમાંસા દર્શનને પ્રમાણ માની સ્વીકારે છે, એ જ તેનું મહત્ત્વ બતાવે છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય પૂર્વ મીમાંસા કર્મકાંડનું નિરૂપણ કરે છે તો ઉત્તર મીમાંસા જ્ઞાનકાંડનું નિરૂપણ કરે છે. તેથી કેટલાક વિદ્વાનો માને છે કે પૂર્વ મીમાંસા તથા ઉત્તર મીમાંસા એકબીજાના પૂરક છે અને બન્ને ભેગાં મળીને વૈદિક ઉપદેશને સંપૂર્ણપણે રજૂ કરે છે. પૂર્વ મીમાંસામાં વેદોક્ત કર્તવ્યો દર્શાવેલાં છે. ઉત્તર મીમાંસામાં તાત્ત્વિક વિચારો વર્ણવેલા છે, જે તેના પૂરક તરીકે જોઈ શકાય છે. ઉત્તર મીમાંસા માટે ‘વેદાંત' એવું નામ પણ પ્રયોજાય છે. વૈદિક કાળમાં ત્રણ પ્રકારનું દાર્શનિક સાહિત્ય જોવા મળે છે - ૧) “સંહિતાઓ' - એમાં વૈદિક મંત્રો સંકલિત છે. ૨) 'બાહ્મણ' ગ્રંથો - એમાં વૈદિક કર્મકાંડનું નિરૂપણ છે. ૩) ‘ઉપનિષદો' - એમાં દાર્શનિક વિવેચન છે. આ ત્રણેને વ્યાપક અર્થમાં ‘શ્રુતિ' કે ‘વેદ' તરીકે ઓળખવામાં આવે છે. ‘ઉપનિષદો' એ વૈદિક યુગનું અંતિમ સાહિત્ય છે. અધ્યયનની દૃષ્ટિએ પણ ‘ઉપનિષદોનો ક્રમ છેલ્લે આવે છે. આ અર્થમાં તેને માટે ‘વેદાંત' શબ્દ પ્રયોજાય છે. વેદાંત શબ્દનો પારિભાષિક અર્થ છે - “વેદનો અંતિમ ભાગ'. ‘સંહિતાઓ', ‘બાહ્મણ’ અને ‘ઉપનિષદો'માં ઉપનિષદો વેદનો અંતિમ ભાગ હોવાથી વાસ્તવમાં વેદનો અંત છે. તેથી ‘વેદાંત' શબ્દ દ્વારા ઉપનિષદ એવો અર્થ અભિપ્રેત છે. આમ, પ્રારંભકાળમાં ‘વેદાંત' શબ્દ દ્વારા ઉપનિષદ એવો અર્થબોધ થતો, પરંતુ ત્યારપછીના કાળમાં ‘ઉપનિષદ'ના આધારે દાર્શનિક વિચારણાનો જે વિકાસ થયો તેને માટે પણ વેદાંત' શબ્દ પ્રયોજાવા લાગ્યો. ‘ઉપનિષદ'ને પ્રમાણ માનવાવાળા દર્શનને જ “વેદાંત' કહેવામાં આવે છે. આર્યભૂમિમાં આ સિદ્ધાંતને પ્રકાશિત કરનાર દર્શન “વેદ” ઉપર આશ્રય રાખનાર હોવાથી અને તે પણ વેદના અંત - છેવટના ભાગ, અર્થાત્ ‘ઉપનિષદો' ઉપર રચાયેલું હોવાથી તે દર્શનને ‘વેદાંત દર્શન' એવી સંજ્ઞા આપવામાં આવી છે. વળી, વેદરાશિનો અંત, અર્થાત્ તાત્પર્ય કે મર્મ (essence) એ સિદ્ધાંતોમાં સમાયેલું હોવાથી તે દર્શનને વેદાંત દર્શન કહે છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક ઉત્તર મીમાંસાની દાર્શનિક વિચારણાને પદ્ધતિસર ગોઠવનાર હતા શ્રી બાદરાયણ ઋષિ. શ્રી બાદરાયણ ઋષિ તે જ શ્રી વ્યાસજી હતા કે નહીં તે અંગે મતભેદ છે. શ્રી બાદરાયણ ઋષિરચિત વેદાંતસૂત્રને ‘બહ્મસૂત્ર' કહેવામાં આવે છે. આ સૂત્રો ઘણું કરીને Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૪) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઈ.સ. પૂર્વે ૫૦૦ થી ૨૦૦ સુધીમાં રચાયાં હોવાં જોઈએ એમ વિદ્વાનોનો મત છે. જર્મન વિદ્વાન મેક્સમૂલરના મત અનુસાર વેદાંત સૂત્રો “મહાભારત' કરતાં પણ પ્રાચીન છે. કીથના મત પ્રમાણે શ્રી બાદરાયણ ઋષિ ઈ.સ. ૨૦૦ પછીના હોઈ શકે નહીં. શ્રી બાદરાયણ ઋષિ પહેલાં પણ વેદાંત તત્ત્વની મીમાંસા કરવાવાળા આચાર્યોમાં શ્રી આત્રેય, શ્રી આસ્મરણ્ય, શ્રી ઔડુલૌમી, શ્રી કષ્ણજિનિ, શ્રી કાશકૃત્ન, શ્રી જૈમિનિ, શ્રી બાદરિ, શ્રી કાશ્યપ વગેરેને ગણાવવામાં આવે છે. તેમના નામોલ્લેખ મળે છે, પરંતુ તેમની કૃતિઓ ઉપલબ્ધ નથી. શ્રી બાદરાયણ ઋષિરચિત “વેદાંતસૂત્ર' દ્વારા ‘ઉપનિષદો'નું અર્થઘટન પદ્ધતિસર થયું હોવાના કારણે શ્રી બાદરાયણ ઋષિ વેદાંત દર્શનના પ્રણેતા તરીકે મનાય છે. (૩) સાહિત્ય વેદાંત દર્શનના મુખ્ય ત્રણ મૌલિક આધાર ગ્રંથો છે, જે પ્રસ્થાનત્રયી' તરીકે પ્રસિદ્ધ છે. જે માર્ગે વટેમાર્ગુ લૂંટાવાના કે અન્ય કોઈ પણ ડર વિના પોતાના મુકામે પહોંચવા માટે નિર્ભયપણે સરળતાથી ચાલ્યો જાય તેવા રાજમાર્ગને પ્રસ્થાન કહેવામાં આવે છે. આ સંદર્ભમાં જોઈએ તો આ ત્રણે પ્રસ્થાનગ્રંથો મુમુક્ષુને મોક્ષપદે લઈ જતા રાજમાર્ગ સમાન છે. ‘ઉપનિષદ', ‘શ્રીમદ્ ભગવદ્ગીતા” અને “વેદાંતસૂત્ર' (બહ્મસૂત્ર) એ ત્રણે ભારતીય દર્શન સાહિત્યમાં પ્રસ્થાનત્રયી' તરીકે પ્રસિદ્ધ છે. આ ત્રણેમાં પણ ‘વેદાંતસૂત્ર’ કે ‘બાહ્મસૂત્ર' મુખ્ય હોવાથી તેની મહત્તા વધી જાય છે. ‘ઉપનિષદ્ માં રહેલી અંતર્ગત સંદિગ્ધતા, ‘વેદ'ના પૂર્વ (કર્મકાંડ) અને ઉત્તર (જ્ઞાનકાંડ) વચ્ચે કેટલીક દેખાતી અસંગતિઓ તથા અવૈદિક માન્યતાઓનું વધતું જતું બળ - આ ત્રણેના કારણે ‘ઉપનિષદ્'ની વિચારણાને વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી, જે બ્રહ્મસૂત્ર' રૂપે પ્રાપ્ત થાય છે. બ્રહ્મસૂત્ર'નાં કુલ ૫૫૫ સૂત્રોમાં વેદાંતના સિદ્ધાંતોનું સંક્ષેપમાં નિરૂપણ છે. આ બ્રહ્મસૂત્રો ચાર અધ્યાયોમાં વહેંચાયેલાં છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદ છે. પ્રથમ ‘સમન્વયાધ્યાય'માં બ્રહ્મ વિષેનાં વિવિધ વૈદિક કથનોનો મેળ કરવામાં આવ્યો છે, એટલે તે “સમન્વય' કહેવાય છે. બીજા ‘અવિરોધાધ્યાય'માં સ્મૃતિ, તકદિના સંભવિત વિરોધનો પરિહાર કરી બ્રહ્મમાં તેનો અવિરોધ દર્શાવ્યો છે. બ્રહ્મ સત્ય છે એ સિદ્ધાંતની સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓનો ઉત્તર તેમાં આપેલો છે, તેથી તે “અવિરોધ' કહેવાય છે. અન્ય દર્શનોનું તેમાં ખંડન કરીને વેદાંતનું ખંડન કરેલ છે. ત્રીજા ‘સાધનાધ્યાય'માં વેદાંતસમ્મત સાધનોનું નિરૂપણ છે. એમાં બ્રહ્મવિદ્યા મેળવવાના માર્ગો અને સાધનો દર્શાવેલાં છે, તેથી તે ‘સાધન' કહેવાય છે. ચોથા 'ફલાધ્યાય'માં પરાવિદ્યાના ફળનું નિરૂપણ છે. આમાં બ્રહ્મજ્ઞાનનાં ફળની ચર્ચા છે, તેથી તે “ફળ' કહેવાય છે. જીવાત્મા કેવી રીતે બહ્મમય બને છે, તેનું Page #674 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૪૧ તથા જીવન્મુક્તનાં લક્ષણોનું વર્ણન આ અધ્યાયમાં છે. આમ, ‘બહ્મસૂત્ર' એ એક શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ ગણાય છે. (૪) વેદાંતના વિભિન્ન સંપ્રદાયો શ્રી બાદરાયણ ઋષિ વેદાંતસૂત્ર' (બહ્મસૂત્રો દ્વારા ‘ઉપનિષદોનું અર્થઘટન કરવા ઇચ્છતા હતા. તેના વિભિન્ન સિદ્ધાંતોનો સમન્વય કરવાની તેમની ઇચ્છા હતી, પરંતુ ‘બહ્મસૂત્ર'નો તાત્પર્યાર્થ કેટલાક વિચારકોએ વૈતમાં કર્યો છે, તો કેટલાકે અદ્વૈતમાં કર્યો છે અને તેથી વેદાંતની અનેક શાખાઓનો જન્મ થયો. વેદાંતની તમામ પ્રચલિત શાખાઓ મહત્ત્વની બાબતોમાં એકબીજાથી જુદી પડતી હોવા છતાં એકસરખી રીતે શ્રી બાદરાયણ મુનિના ‘બહ્મસૂત્ર'ના જ તાત્પર્યાર્થીને યથાવત્ દર્શાવવાનો દાવો કરે છે. વેદાંતના વિભિન્ન આચાર્યોનું કથન જુદું જુદું ગણાય છતાં તેમાં કશું આશ્ચર્ય લાગવું જોઈએ નહીં અને તે પ્રામાણિક નથી એમ પણ માનવું જોઈએ નહીં, કારણ કે દરેક આચાર્ય પોતાના દેશ, કાળ, સંસ્કારપરંપરા અને તત્કાલીન વિચારધારાઓની અસર હેઠળ જાણ્યે-અજાણ્યે હોય છે અને પોતે જે અર્થ-નિર્ણય કરે છે એ જ સાચો છે એમ તેઓ શ્રદ્ધાપૂર્વક માને એ પણ સ્વાભાવિક છે. બ્રહ્મસૂત્ર' ઉપર જે ભાગો રચાયાં છે તેમાં બધા જ ભાષ્યકારોએ પોતપોતાની દૃષ્ટિએ વેદાંતનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. આથી કાળક્રમે દરેક ભાષ્યકાર વેદાંતના એક એક સંપ્રદાયના પ્રવર્તક બની ગયા. આવા મુખ્ય ભાષ્યકારોમાં શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી મધ્વાચાર્ય, શ્રી નિબાર્કાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય વગેરેને ગણાવી શકાય. ૧- વેદાંત દાર્શનિકોના મત અનુસાર ધર્મરક્ષાના ત્રણ પ્રવર્તક બળો છે - અવતાર, સંત અને આચાર્ય. ધર્મ અને સદાચારની રક્ષા કરવા તથા અધર્મનો નાશ કરવા ઈશ્વર સ્વયં દેહધારી બને તે અવતાર; ધર્મની વિકૃતિઓ દૂર કરી, ધર્મના સાચા સ્વરૂપને આચરણ દ્વારા પ્રગટ કરે તેમજ ઈશ્વરનિષ્ઠાને અડગ બનાવે તે સંત અને ધર્મમાં પ્રાણ પૂરનાર તત્ત્વજ્ઞાનને બુદ્ધિગમ્ય બનાવે તથા તેને આચરણ દ્વારા ધર્મ સાથે વણી લે તે આચાર્ય. એવી પરંપરા છે કે કોઈ પણ આચાર્યો, પોતે જે કોઈ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માંગતા હોય તે સિદ્ધાંતને પ્રસ્થાનત્રયીનાં વાક્યોથી સમર્થિત કરવો જોઈએ. પ્રસ્થાનત્રયીનાં સત્યો સ્વીકૃત સત્યો છે. તેની વિરુદ્ધ કોઈ આચાર્ય કાંઈ પણ કહી શકે નહીં. સમાન આધારગ્રંથો ઉપર ભિન્ન ભિન્ન મતોનું અવલંબન હોવાથી સ્વાભાવિક રીતે જ દરેક આચાર્યે બ્રહ્મસૂત્રો ઉપરનાં પોતાનાં ભાષ્યોમાં ‘બહ્મસૂત્ર'નાં વાક્યો પોતાના સિદ્ધાંતને અનુકૂળ થાય એ રીતે ઘટાવવાના પ્રયત્નો કર્યા છે. ૨- અહીં એટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે કે સામાન્યપણે વેદાંત દર્શન એટલે માત્ર શ્રી શંકરાચાર્યપ્રણીત અદ્વૈત દર્શન એવી ભામક માન્યતા પ્રવર્તે છે. તે એટલે સુધી કે શાંકર વેદાંત એ વેદાંત શબ્દનો પર્યાય બની ગયો. શ્રી શંકરાચાર્યનું અદ્વૈત દર્શન તત્ત્વજ્ઞાનક્ષેત્રે અતિ ઉચ્ચ સ્થાન ધરાવે છે તેમાં બે મત નથી, પરંતુ વેદાંતની પરિસમાપ્તિ એકમાત્ર શાંકર દર્શનમાં સમજવી એ માન્યતા ભૂલભરેલી છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બહ્મ, જીવ, જગત, મુક્તિ, મુક્તિઉપાય વગેરે તત્ત્વજ્ઞાનના વિષયોમાં આચાર્યોએ જે વ્યાખ્યાઓ ‘બહ્મસૂત્ર'ના આધારે કરી, તેમાં ઐકમત્ય ન હતું. પ્રત્યેક આચાર્ય પોતાના આગવા દૃષ્ટિકોણ મુજબ બ્રહ્મસૂત્ર'નું અર્થઘટન કરી મૌલિક સિદ્ધાંતો તારવ્યા હતા અને ભાષ્ય, ટીકા, ટિપ્પણ, વિવરણ, વાર્તિક, તિલક, સ્તોત્ર આદિ દ્વારા સ્વમતનું સ્થાપન કર્યું હતું. સ્થાપન કરેલા સ્વમતનું પાંડિત્યપૂર્ણ વિચારવિમર્શ દ્વારા સમર્થન કર્યું હતું અને સમગ્ર ભારત દેશમાં પરિભ્રમણ કરી શાસ્ત્રાર્થ દ્વારા સ્વમતનો પ્રચાર કર્યો હતો. આચાર્યોએ કરેલા અર્થઘટન વચ્ચે ઐકમત્ય ન હોવાથી જે મતભેદ પડ્યા હતા તે મુજબ મુખ્યત્વે ત્રણ મત છે - અદ્વૈત, દ્વૈત અને વૈતાદ્વૈત. અદ્વૈતમતમાં મુખ્ય ત્રણ શાખાઓ થઈ - (૧) કેવલાદ્વૈત (શંકરાચાર્ય), (૨) વિશિષ્ટાદ્વૈત (રામાનુજાચાર્ય), (૩) શુદ્ધાદ્વૈત (વલ્લભાચાર્ય). વેદાંત અદ્વૈતમત દ્વૈતમંત દ્વૈતાદ્વૈતમત (મધ્વાચાર્ય) (નિબાર્કાચાર્ય) કેવલાદ્વૈત વિશિષ્ટાદ્વૈત શુદ્ધાદ્વૈત (શંકરાચાર્ય) (રામાનુજાચાર્ય) (વલ્લભાચાર્ય) બહ્મસૂત્ર'ના મુખ્ય ભાષ્યકારો, તેમનો આશરે સમય, તેમણે રચેલાં ભાષ્યો તથા તેમનો દાર્શનિક મત નીચેના કોષ્ટક ઉપરથી સ્પષ્ટ થશે – ભાષા દાર્શનિક મત શારીરકભાષ્ય می ما به શ્રીભાષ્ય આચાર્યનું નામ છે સમય (આશરે) | શંકરાચાર્ય | ઈ.સ. ૮૦૦ રામાનુજાચાર્ય | ઈ.સ. ૧૨૦૦ મધ્વાચાર્ય ઈ.સ. ૧૩CO ૪ . નિબાર્કાચાર્ય ઈ.સ. ૧૩OO (ઈ.સ. ૯૯૦) વલ્લભાચાર્ય ઈ.સ. ૧૫OO કેવલાદ્વૈતવાદ વિશિષ્ટાદ્વૈતવાદ વૈતવાદ પૂર્ણપ્રજ્ઞભાષા વેદાંતપારિજાતભાષ્ય ! દ્વૈતાદ્વૈતવાદ અણુભાષ્ય શુદ્ધાદ્વૈતવાદ હવે આ પાંચે આચાર્યોના મતોને સંક્ષેપમાં અવલોકીએ. વેદાંતના વિભિન્ન સંપ્રદાયોની તત્ત્વમીમાંસા, આચારમીમાંસા આદિમાં ભિનતા હોવાથી તેની વિગત સમુચ્ચયપણે નહીં મૂકતાં દરેક સંપ્રદાયની અલગ અલગ આપવામાં આવી છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૪૩ પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન શ્રી શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ પ્રાસ્તાવિક – શ્રી શંકરાચાર્યે 'ઉપનિષદ'ના “એકત્વવાદ’ને ‘અદ્વૈતવાદ' રૂપે પ્રસિદ્ધ કર્યો. તેઓ એકમાત્ર બહ્મને જ પરમ સત્ માને છે અને તેના સિવાય અન્ય કોઈ તત્ત્વને પરમ સત્ તરીકે સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે વાસ્તવમાં અસ્તિત્વ માત્ર એક જ તત્ત્વનું છે. જે કાંઈ વૈત કે ભિન્નતા નજરે ચડે છે તે તેનું આત્યંતિક અસ્તિત્વ નથી. તેથી જગત, જીવ અને ઈશ્વરની સત્યતાનું તેમણે ખંડન કર્યું છે. તેમના મત પ્રમાણે જગતમાં નજરે ચડતું બહુત્વ માયાના પ્રતાપે છે. આ તથ્ય તેઓ વિવર્તવાદના સિદ્ધાંતથી સમજાવે છે. વિવર્તવાદ અસ્તિત્વમાત્રને સ્વીકારે છે, પરંતુ બધું જ અસ્તિત્વ એક અને અદ્વિતીય તત્ત્વનો પ્રસ્તાર છે એમ કહે છે. તેઓ જીવ, જગત, ઈશ્વર અને મોક્ષ સંબંધની વ્યાખ્યા દ્વારા અદ્વૈતવાદ જ સિદ્ધ કરે છે. પ્રવર્તક – ઈ.સ.ના આઠમા સૈકામાં શ્રી ગૌડપાદાચાર્યે પોતાની સુપ્રસિદ્ધ “માંડુક્યકારિકા' દ્વારા અદ્વૈતવાદનું પહેલવહેલું નિરૂપણ કર્યું. અલબત્ત, એ વિચારબીજને એક સંપૂર્ણ દર્શનની ઉન્નત કક્ષાએ શ્રી શંકરાચાર્યે પહોંચાડ્યું. શ્રી શંકરાચાર્ય એક દાર્શનિક સંત હતા. તેમનો જન્મ ઈ.સ. ૭૮૮માં દક્ષિણ ભારતના કેરળ પ્રદેશના કાલડી નામના ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ તથા માતાનું નામ વિશિષ્ટ હતું. પાંચ વર્ષની વયે તેમનો ઉપનયન સંસ્કાર થયો તે પછી શંકર ગુરુના આશ્રમે ગયા. ત્યાં માત્ર બે જ વર્ષમાં સર્વ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પોતાની માતા પાસેથી ચતુરાઈથી સંન્યાસી બનવાની સમ્મતિ લઈને તેઓ આઠ વર્ષની નાની વયે સંન્યાસી થયા હતા. શ્રી ગૌડપાદાચાર્યના શિષ્ય શ્રી ગોવિંદાચાર્ય પાસે શ્રી શંકરાચાર્યે સંન્યાસદીક્ષા લીધી અને માત્ર બાર વર્ષની ઉંમરે પરમહંસની પદવી પ્રાપ્ત કરી. સોળ વર્ષની વયે તેઓ કાશી આવ્યા. ત્યાં તેમણે ભાષ્યોની રચના કરી. સુપ્રસિદ્ધ મીમાંસક શ્રી કુમારિલ ભટ્ટના શિષ્ય શ્રી મંડનમિશ્રની સાથે તેમણે તત્ત્વચર્ચા કરી હતી. બન્ને વચ્ચે દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને અંતે શ્રી મંડનમિશ્ર વિવાદમાં પરાજય પામી તેમના શિષ્ય બન્યા હતા. વૈદિક ધર્મ અને અદ્વૈત તત્ત્વજ્ઞાનના એકસૂત્રથી સમગ્ર ભારત દેશ સુસંગઠિત રહે એ માટે શ્રી શંકરાચાર્યે ભારત દેશની પગપાળા યાત્રા કરી અને ચારે દિશામાં એક એક મઠની સ્થાપના કરી તથા દરેક મઠમાં પોતાના એક એક શિષ્યને આચાર્યપદે નિયુક્ત કર્યા. પુરી, શૃંગેરી, દ્વારકા અને જોશીમઠ (બદરીનાથ) ખાતે સ્થપાયેલા આ ચારે મઠની પરંપરા આજે પણ ચાલુ છે. શ્રી શંકરાચાર્યે સ્થાપેલા મઠોના અધિપતિ શ્રી શંકરાચાર્ય તરીકે જ ઓળખાય છે. તેથી શ્રી શંકરાચાર્ય માટે “આદિ શંકરાચાર્ય' શબ્દ પ્રયોજાય છે. બત્રીસ વર્ષની યુવાન વયે ઈ.સ. ૮૨૦માં તેમણે દેહ ત્યાગ કર્યો હતો. Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન સાહિત્ય શ્રી શંકરાચાર્યના ગ્રંથોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ૧) ભાષ્ય ગ્રંથો ‘બ્રહ્મસૂત્ર’, ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’અને ‘ઉપનિષદો' ઉપર લખેલા તેમનાં ભાષ્યો તેમની અપ્રતિમ રચનાઓ છે. આ ભાષ્યોના એક એક વાક્યમાં તેમની વિદ્વત્તા અને તેજસ્વી શૈલીનાં દર્શન થાય છે. ‘બ્રહ્મસૂત્ર' ઉપર તેમણે રચેલા ભાષ્યને ‘શારીરક ભાષ્ય' કહેવામાં આવે છે. આ ભાષ્યમાં તેમણે ‘વિવર્તવાદ'ના સિદ્ધાંતનું સમર્થન કરી અદ્વૈતમતનું સ્થાપન કર્યું છે. ૨) સ્તોત્ર ગ્રંથો પોતે અદ્વૈતવાદી હોવા છતાં વ્યાવહારિક ભૂમિકા ઉપર તેમણે અનેક દેવ-દેવીઓની ઉપાસના માટે ભક્તિસ્તોત્ર રચ્યાં છે, જેમ કે ૨૦ જેટલાં ગણેશસ્તોત્ર, ૨૦ જેટલાં દેવીસ્તોત્ર, ૧૦ જેટલાં વિષ્ણુસ્તોત્ર, ૫ જેટલાં તીર્થસ્તોત્ર અને ૫ જેટલાં અન્ય દેવસ્તોત્ર મળીને કુલ ૬૫ જેટલાં સ્તોત્રની રચના તેઓશ્રીએ કરી છે, જે તેમના કોમળ હૃદય અને તેમની સુંદર કવિત્વશક્તિનો પરિચય આપે છે. = ૩) પ્રકરણ ગ્રંથો કદમાં નાના અને અદ્વૈત સિદ્ધાંતને સરળતાથી રજૂ કરતા એવા ગ્રંથો પ્રકરણ ગ્રંથો તરીકે જાણીતા છે, જેમાં વૈરાગ્ય, તપ, શમ, દમ વગેરે સાધનોની તથા અદ્વૈતના મૂળ સિદ્ધાંતોની ઉપયોગી ચર્ચાઓ છે. આવા પ્રકરણ ગ્રંથોની સંખ્યા ૪૦ જેટલી છે. એમાં મુખ્ય અને પ્રસિદ્ધ પ્રકરણ ગ્રંથો ‘આત્મબોધ’, ‘તત્ત્વોપદેશ', ‘પ્રૌઢાનુભૂતિ’, ‘અપરોક્ષાનુભૂતિ’, ‘બ્રહ્મજ્ઞાનાવલીમાલા', ‘વાક્યવૃત્તિ’, ‘સ્વાત્મનિરૂપણ', ‘અદ્વૈતાનુભૂતિ’, ‘પ્રબોધસુધાકર’, ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા’, ‘બ્રહ્માનુચિંતન’, ‘મોહમુદ્ગર', ‘સ્વાત્મપ્રકાશિકા’, ‘વિવેકચૂડામણિ’, ‘ઉપદેશસાહસ્રી', ‘આત્માનાત્મવિચાર’, ‘આત્મપટલવિવરણ' વગેરે ગણાવી શકાય. આ ઉપરાંત ‘સૌન્દર્યલહરી’ અને ‘પ્રપંચસાર’ એ તાંત્રિક ગ્રંથોની રચના પણ શ્રી શંકરાચાર્યે કરી છે. - જીવ શ્રી શંકરાચાર્યના મત અનુસાર બ્રહ્મ અને જીવ વસ્તુતઃ અભિન્ન છે, અર્થાત્ જીવ એ બ્રહ્મથી ન તો ભિન્ન છે, ન તો તેનો અંશ છે, ન તો તેનો વિકાર છે; પરંતુ તે સ્વતઃ બ્રહ્મ જ છે. જીવ અને બ્રહ્મ વચ્ચે જે ભેદ દેખાય છે તે સત્ય નથી, પણ ઉપાધિકૃત છે. બન્ને વચ્ચે જે ભેદ જણાય છે તે વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. એક જ આકાશ કે જે સર્વવ્યાપી છે, તે ઉપાધિભેદે કરી ઘટાકાશ (ઘટમાં રહેલું આકાશ), મઠાકાશ એમ જુદું જુદું ભાસે છે, તેમ એક જ સર્વવ્યાપી બ્રહ્મ અવિદ્યાના કારણે ઉપાધિભેદથી અનેક જીવોરૂપે ભાસે છે. આ સિદ્ધાંત દ્વારા એમ પ્રતિપાદન કરવામાં આવે છે કે જીવ મર્યાદિત હોવા છતાં તત્ત્વતઃ અભિન્ન છે. શ્રી શંકરાચાર્ય બ્રહ્મ સિવાય કોઈ પણ તત્ત્વને પારમાર્થિક સત્ માનતા નહીં હોવાથી તેઓ વ્યવહારમાં અનુભવાતા જીવોનો ખુલાસો માયા કે અવિદ્યાના સિદ્ધાંત દ્વારા કરે છે. જીવની મુખ્ય ઉપાધિ અવિદ્યા છે, જે ઈશ્વરની ઉપાધિરૂપ માયાનો જીવાત્માના ભાગે આવેલો અંશ છે. Page #678 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય ઉત્તરમીમાંસા (વેદાંત) દર્શન ૬૪૫ દેહેન્દ્રિયરૂપી ઉપાધિ જ્યારે આત્માને લાગેલી હોય ત્યારે તે સંસારી જીવ કહેવાય છે. નિત્ય અને નિરતિશય જ્ઞાન દ્વારા પ્રગટ થતી શક્તિરૂપી ઉપાધિ લાગેલી હોય ત્યારે એ આત્મા ઈશ્વર કહેવાય છે. એ જ આત્મા સ્વસ્વરૂપે નિરુપાધિક, કેવળ અને શુદ્ધ હોવાથી બ્રહ્મ કહેવાય છે, તેથી તેમની વચ્ચે જે ભેદ જણાય છે તે ઉપાધિભેદના કારણે જ છે, બીજી રીતે નહીં. જીવ એ જ બ્રહ્મ છે. શ્રુતિ પણ બ્રહ્મને અદ્વિતીય કહે છે અને જ્ઞાન પામેલા માનવીઓ બ્રહ્મ સાથેનું પોતાનું તાદાત્મ્ય અનુભવે છે. જગત શ્રી શંકરાચાર્યનો કાર્ય-કારણનો સિદ્ધાંત વિવર્તવાદ કહેવાય છે. કોઈ વસ્તુ ખરેખર બદલાય નહીં, પણ જુદું રૂપ ધારણ કરતી ભાસે ત્યારે તેને ‘વિવર્ત’ કહેવાય. દોડી પોતે સાપમાં ફેરવાઈ જતી નથી, પરંતુ દોરડીમાં સાપનો ભ્રમ થાય છે. એક બ્રહ્મ જ સત્ છે, પરંતુ માયાના કારણે બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરડીમાં દેખાતો સાપ મિથ્યા છે, તેવી જ રીતે બ્રહ્મમાં પ્રતીત થતું જગત પણ મિથ્યા છે. આ સિદ્ધાંતને વિવર્તવાદ કે માયાવાદ કહેવામાં આવે છે. પારમાર્થિક દૃષ્ટિએ બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે, કારણ કે તે બ્રહ્મનો માત્ર વિવર્ત છે. બ્રહ્મ સત્યમ્ ખામિથ્યા' એ અદ્વૈત વેદાંતનું સુપ્રસિદ્ધ સૂત્ર શ્રી શંકરાચાર્યે નિરૂપેલ જગતની ત્રણ સત્તા દ્વારા સમજી શકાય છે ૧) પારમાર્થિક સત્તા, ૨) વ્યાવહારિક સત્તા અને ૩) પ્રાતિભાસિક સત્તા. સ્વપ્નાવસ્થાનું જગત એ પ્રાતિભાસિક સત્તા છે. સ્વપ્ન દરમ્યાન સાચું લાગતું એ જગત આંખ ખૂલતાં જ મિથ્યા પ્રતીત થાય છે. જાગૃત અવસ્થામાં જે જગત સત્ય લાગે છે, તે જગત પણ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ જ સત્ય છે. જ્યારે આત્મજ્ઞાન થઈ જાય છે, અર્થાત્ માયાનું આવરણ દૂર થાય છે, ત્યારે આ સત્ય લાગતું જગત પણ સ્વપ્ન સમાન આભાસમાત્ર હોવાની પ્રતીતિ થાય છે અને એક જ બ્રહ્મનો અનુભવ થાય છે જે ‘પારમાર્થિક સત્તા’ છે. જેવી રીતે સ્વપ્નનું જગત જાગૃતદશામાં નષ્ટ થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનદશામાં વ્યાવહારિક જગતનું અસ્તિત્વ રહેતું નથી. અજ્ઞાનના કારણે જગત અને તેનાં સુખ-દુઃખનો અનુભવ થાય છે, પણ જ્યારે સત્ય સમજાઈ જાય છે, માયાનું આવરણ દૂર થઈ જાય છે ત્યારે એકમાત્ર બ્રહ્મ જ રહી જાય છે. - ઈશ્વર શાંકરમતમાં ઈશ્વરને ‘માયોપહિત બ્રહ્મ' કહેલ છે. બ્રહ્મ વસ્તુતઃ નિર્ગુણ છે, પણ માયાના સંબંધે કરી તે સગુણ પ્રતીત થાય છે. આ સગુણ બ્રહ્મ તે ઈશ્વર. માયા વડે ઈશ્વર આ વિશ્વપ્રપંચ રચે છે. જેવી રીતે વિશ્વની સત્તા વ્યાવહારિક જ છે, તેવી જ રીતે ઈશ્વરની સત્તા પણ વ્યાવહારિક જ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જ ઈશ્વર જગતનો કર્તા, ભર્તા, સંહર્તા છે અને તેથી સર્વજ્ઞ તેમજ સર્વશક્તિમાન છે. તે આ બધા ગુણોવાળો સગુણ છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ જગત માયિક છે, તેથી તેના કર્તા Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તરીકે ઈશ્વરનું વર્ણન પારમાર્થિક દૃષ્ટિએ મિથ્યા છે. જ્યાં સુધી જગતને સતું માનવામાં આવે ત્યાં સુધી જ ઈશ્વરની સત્તા ઠરે છે. પરમાર્થદષ્ટિએ તો ઈશ્વર કેવળ સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ - નિર્ગુણ બ્રહ્મ છે. ટૂંકમાં શાંકર સિદ્ધાંત પ્રમાણે નિર્ગુણ બ્રહ્મ એ સગુણ બહ્મ(ઈશ્વર)નું પારમાર્થિક સ્વરૂપ છે. તેથી જ ઈશ્વર અને બહ્મમાં ભેદ માનવો ભ્રામક છે. નિર્ગુણ બ્રહ્મ જ વાસ્તવિક પારમાર્થિક સત્તા છે, પરંતુ વ્યવહારમાં ઉપાસનાના હેતુએ સગુણ બ્રહ્મ - ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે. બૌદ્ધિક તર્ક અને યૌગિક ધ્યાન હંમેશાં પરબ્રહ્મની કલ્પના પસંદ કરે છે ત્યારે ભક્તિને સગુણ ઈશ્વરની ઉપાસના રુચે છે; એવા સગુણરૂપના વર્ણનમાં શ્રી શંકરાચાર્ય કોઈ વાંધો જોતા નથી. પરંતુ અદ્વૈતમત મુજબ સત્યનો સાક્ષાત્કાર ક્રમશઃ આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા જ શક્ય બને છે, તેથી શ્રી શંકરાચાર્યનું ધ્યેય ઈશ્વરવાદ ઉપરથી અદ્વૈતવાદ ઉપર લઈ જવાનું છે. મોક્ષ ઉપાય – શ્રી શંકરાચાર્યના મત અનુસાર આત્માનો શરીર સાથેનો અવિદ્યાજન્ય સંબંધ તે જ બંધન છે. આત્માને પોતાના શરીર અને મનથી અભિન્ન માનવો અને પોતાનો બ્રહ્મ સાથેનો અભેદ ભૂલી જવો એ જ અવિદ્યા છે. આ અવિદ્યાનો અંત થવાથી જીવને મોક્ષનો અનુભવ થાય છે. મોક્ષ એટલે આત્મા અને બહ્મના અભેદનો સાક્ષાત્કાર. આમ, મોક્ષ એ કોઈ નવીન ઉત્પત્તિ કે પ્રાપ્તિ નથી. જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હતો, તેને પોતાના ખરા સ્વરૂપનું ભાન થવું એ જ મોક્ષ છે. આ મોક્ષની પ્રાપ્તિમાં જ્ઞાન સહાયક છે. કર્મ અને ભક્તિથી ચિત્ત શુદ્ધ થાય છે, પણ મોક્ષ મેળવવાનું સાક્ષાતું સાધન તો જ્ઞાન જ છે. જ્ઞાનપ્રાપ્તિ વેદાંત દર્શનના અધ્યયનથી થાય છે. વેદાંતસૂત્રોના અધ્યયન માટે સાચું અધિકારીપણું પ્રાપ્ત કરવું આવશ્યક છે, જે માટે સાધનચતુષ્ટયનું સૂચન કરવામાં આવ્યું છે. નિત્ય-અનિત્ય વસ્તુઓનો વિવેક, લૌકિક વસ્તુઓના ભોગ પ્રત્યે વૈરાગ્ય, મુમુક્ષુપણું તથા શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધિરૂપ આંતરિક ગુણોની સંપત્તિ એ સાધનચતુષ્ટયપૂર્વકનો વેદાંતનો અભ્યાસ કાર્યકારી નીવડે છે. વેદાંતના અભ્યાસનાં ત્રણ સોપાન છે - ૧) સદ્ગુરુના મુખેથી અર્થ સહિત શાસ્ત્રોનું સાંભળવું (શ્રવણ), ૨) શ્રવણ કરેલા ઉપદેશ ઉપર ઊંડું ચિંતન કરવું (મનન) અને ૩) મનન દ્વારા સ્થાપિત સત્યો ઉપર ધ્યાન કરવું (નિદિધ્યાસન). આમ કરવાથી વૃત્તિ બહ્માકાર થાય છે, અર્થાત્ આત્મા અને બ્રહ્મના અભેદનો સાક્ષાત્કાર થાય છે. આ અવસ્થાને શ્રી શંકરાચાર્ય જીવન્મુક્તિ કહે છે. જીવન્મુક્ત પુરુષના પ્રારબ્ધ કર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે તે વિદેહમુક્ત બને છે, અર્થાત્ જીવન્મુક્ત પુરુષ જ્યારે ભૌતિક ઉપાધિઓથી વિમુક્ત થાય છે ત્યારે તે ફરી જન્મ ધારણ કરતો નથી, પણ તે બહ્મરૂપે રહે છે. ઉપસંહાર – શ્રી શંકરાચાર્ય ભારતવર્ષની સમગ્ર સંસ્કૃતિ ઉપર પોતાનો વિશિષ્ટ પ્રભાવ Page #680 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૪૭ પાડનાર એક પ્રખર વિદ્વાન અને યુગપ્રવર્તક અભૂતપૂર્વ વ્યક્તિ હતા. તેમના દાર્શનિક મતોનું મહત્ત્વ એટલું બધું છે કે તેમના મત કરતાં જુદો અભિપ્રાય રજૂ કરનારાઓ પણ પોતાનો મત રજૂ કરતાં પહેલાં શ્રી શંકરાચાર્યના મતનું ખંડન કરવાનું જરૂરી માને છે. અદ્વૈતભાવનાને નિયમબદ્ધ પ્રણાલિકાનું સ્વરૂપ આપી, તે જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર અનેક ગ્રંથરૂપે તથા મઠ અને શિષ્યોની ગોઠવેલી પ્રણાલિકા દ્વારા કરનાર શ્રી આદ્ય શંકરાચાર્ય હતા. ‘ઉપનિષદો' ના વિચારોના સમન્વયની વાત કરીએ તો તે કરવામાં શ્રી શંકરાચાર્ય સૌથી વધારે સફળ થયા છે. તેમને સમર્થ તત્ત્વદર્શી મહાપુરુષ તરીકે હિંદુ સમાજ એકી અવાજે સ્વીકારે છે. શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ પ્રાસ્તાવિક - શ્રી રામાનુજાચાર્યનો અદ્વૈતવાદ ‘વિશિષ્ટાદ્વૈતવાદ' કહેવાય છે, કેમ કે તેમના મત પ્રમાણે બહ્મ (અંતિમ સત્ય) ચિત્ (આત્મા) અને અચિત્ (જડ) વડે વિશિષ્ટ બનેલો છે, અર્થાત્ માત્ર બહ્મ જ અસ્તિત્વ ધરાવે છે અને તેને ચિત્ અને અચિત્ એવા બે ગુણો છે. તેમના મત અનુસાર પરમાત્મબહ્મ જ કારણ અને કાર્ય બને છે. સૂક્ષ્મ ચિત્ અને અચિથી વિશિષ્ટ બહ્મ એ કારણ છે અને સ્થળ ચિત્ અને અચિથી વિશિષ્ટ બહ્મ એ કાર્ય છે. આ મત પ્રમાણે કારણબહ્મ પરમાત્માના સૂમ ચિતૂપનાં વિવિધ સ્થૂળ પરિણામો તે અનેક જીવો છે અને પરમાત્માનું સૂક્ષ્મ અચિતૂપ તે સ્થૂળ જગતરૂપે પરિણમે છે. એ બને વિશિષ્ટોનું ઐક્ય હોવાથી શ્રી રામાનુજાચાર્યના મતને ‘વિશિષ્ટાદ્વૈત' કહે છે. પ્રવર્તક – શ્રી રામાનુજાચાર્યના જન્મ પહેલાં દક્ષિણ ભારતમાં અનેક સંત કવિઓ થઈ ગયા. તેમાં વિષ્ણુભક્તોને ‘આલ્વાર' અને શિવભક્તોને ‘આડ્યાર’ કહેવામાં આવતા. દ્રવિડ વૈષ્ણવપરંપરામાં આ “આલ્વાર’ વિષ્ણુભક્તોએ પોતાની વિદ્વત્તા દ્વારા વૈષ્ણવમતની જ્ઞાનગંગા વહેતી મૂકી. તેમાં વિશેષ કરીને શ્રી યમુનાચાર્યે દસમી સદીમાં આ મતને પોતાનાં પ્રતિભા અને પાંડિત્ય દ્વારા સ્થાપિત કર્યો અને શ્રી રામાનુજાચાર્યે તેને સુવ્યવસ્થિત કરી સર્વત્ર તેનો પ્રચાર કર્યો. તેથી શ્રી રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતમતના આદિ સ્થાપક તો ન ગણાય, પરંતુ તેને વ્યવસ્થિત સંપ્રદાયરૂપમાં આકાર આપવાનો યશ તેઓ જરૂર મેળવે છે. શ્રી રામાનુજાચાર્યનો જન્મ તિરુચિરાપલ્લી જીલ્લાના પેરુમ્બદુર ગામે ઈ.સ. ૧૦૧૭માં પવિત્ર હૃદયના બાહ્મણ શ્રી આસુરિ કેશવાચાર્ય તથા તેમનાં પત્ની કાંતિમતિને ત્યાં થયો હતો. વૈષ્ણવોનું માનવું છે કે શ્રી રામાનુજાચાર્ય શેષનો અવતાર હતા. સોળ વર્ષની વયે એક સુંદર કન્યા સાથે તેમનું લગ્ન થયું. ત્યારપછી વિશેષ અધ્યયન માટે તેઓ Page #681 -------------------------------------------------------------------------- ________________ ६४८ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કાંચીમાં શાંકરમતવાદી શ્રી યાદવપ્રકાશ પાસે આવ્યા. પરંતુ શ્રુતિવચનોનાં અર્થઘટન સંબંધમાં તેમને ગુરુ સાથે વારંવાર મતભેદ ઊભો થતો. ગુરુ-શિષ્ય વચ્ચે વિસંવાદ રહેતો હોવાથી ગુરુનો અહંભંગ થયો, તેથી ગુરુએ પોતાના શિષ્યનો જીવ લેવાનું કાવતરું રચ્યું; પણ તેમાં તેઓ સફળ ન થયા. દરમ્યાન શુંગેરી મંદિરના મઠાધીશ આલવંદર શ્રી યમુનાચાર્ય કે જેઓ એક વિશિષ્ટાદ્વૈતવાદી વેદાંતી ભક્ત હતા, તેમણે પોતાના જીવનનો અંત નજીક જાણી, શ્રી રામાનુજાચાર્યને પોતાની ગાદીએ સ્થાપવા માટે તેડાવ્યા; પરંતુ શ્રી રામાનુજાચાર્ય શ્રીરંગમ્ પહોંચે તે પહેલાં જ શ્રી યમુનાચાર્યના દેહનો ત્યાગ થઈ ચૂક્યો હતો. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે શ્રી રામાનુજાચાર્યે ગુરુના મૃતદેહનાં દર્શન કરતાં એક વિલક્ષણ આશ્ચર્ય જોયું. મૃતદેહની ત્રણ આંગળીઓ બિડાયેલી હતી, જાણે કે ત્રણ મહત્ત્વનાં કાર્યો અપૂર્ણ રહી ગયાનું સૂચન કરતી ન હોય! શ્રી રામાનુજાચાર્યે શ્રી યમુનાચાર્યને મનોમન ગુરુ તરીકે સ્વીકારી તેમની સમક્ષ ત્રણ પ્રતિજ્ઞા કરી - ૧) “બહ્મસૂત્ર' ઉપર વિશિષ્ટાદ્વૈત મતાનુસાર ભાષ્ય રચવું, ૨) વૈષ્ણવ ભક્તિસંપ્રદાયનો પ્રચાર કરવો અને ૩) સુયોગ્ય પાત્રને પરાશર અને શઠકોપ નામ આપવાં. આ ત્રણ પ્રતિજ્ઞા કરતાંની સાથે જ જાણે ઇચ્છાની પૂર્તિ દર્શાવવા ગુરુની ત્રણે આંગળીઓ સીધી થઈ ગઈ. ગુરુની ઉત્તરક્રિયા પતાવી તેઓ કાંચી પાછા ફર્યા અને બ્રહ્મસૂત્ર'ના અર્થનો અને વૈષ્ણવ દિવ્ય પ્રબંધનો અભ્યાસ કર્યો. શ્રી રામાનુજાચાર્યને પોતાની પત્ની સાથે હંમેશાં મતભેદ રહ્યા કરતો હોવાથી ગૃહત્યાગ કરીને સંન્યાસી બન્યા અને યતિરાજ' નામે પ્રસિદ્ધ થયા. શ્રી યમુનાચાર્યના પુત્ર વરદાંગે શ્રીરંગભૂમાં શ્રી યાકુનાચાર્યના ઉત્તરાધિકારી તરીકે શ્રી રામાનુજાચાર્યને નિયુક્ત કર્યા. શ્રી યમુનાચાર્યના મૃતદેહ પાસે લીધેલી પ્રતિજ્ઞાની પૂર્તિ કરવા તેમણે કાશ્મીરના પુસ્તકાલયમાંથી પોતાને પ્રાપ્ત થયેલ “બોધાયન વૃત્તિને અનુસરીને ‘બહ્મસૂત્ર' ઉપર ભાષ્યની રચના કરી, જેનું વિદ્વાનોએ “શ્રીભાષ્ય' એવું નામ પાડ્યું. શ્રી શંકરાચાર્યની જેમ તેમણે પણ ભારતમાં ઘણો પ્રવાસ કર્યો. સમગ્ર જીવન ભજન, ધર્મપ્રચાર, ગ્રંથરચના, માનવકલ્યાણ તથા સાધનામાં વ્યતીત કરતાં ૧૨૦ વર્ષનું દીર્ધાયુ ભોગવી, ઈ.સ. ૧૧૩૭માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. સાહિત્ય - શ્રી રામાનુજાચાર્યની કૃતિઓમાં મુખ્ય સ્થાન છે ‘બહ્મસૂત્ર' ઉપરનું તેમનું ભાષ્ય, જે ‘શ્રીભાષ્ય' તરીકે ઓળખાય છે. તેમાં તેમણે પોતાનું તત્ત્વજ્ઞાન આલેખ્યું છે. આ તત્ત્વજ્ઞાનના પાયા ઉપર વૈષ્ણવ પંથની સ્થાપના થઈ છે. આ ઉપરાંત “શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર તેમનું ભાષ્ય પણ પ્રસિદ્ધ છે. વેદાંતસંગ્રહ'માં તેમણે ‘ઉપનિષદોના અદ્વૈતવાદી અર્થનું ખંડન કર્યું છે. આ ત્રણ મુખ્ય કૃતિઓ ઉપરાંત ‘વેદાંતસાર', “શ્રીરંગ ગદ્ય', “શરણાગતિ ગદ્ય', ‘વેદાંતદીપ', “શ્રી વૈકુંઠ ગદ્ય', ‘નિત્ય ગ્રંથ' વગેરે પ્રાપ્ત થાય છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ६४८ જીવ – શ્રી રામાનુજાચાર્યના મત મુજબ જીવો અનેક છે, નિત્ય છે, અણુપરિમાણ છે. જીવો અને જગત એ બહ્મનું કાર્યપરિણામ હોવાથી મિથ્યા નથી, પણ સત્ય છે. મુક્તિમાં જીવ બહ્મ જેવો બનીને તેના સાનિધ્યમાં રહે છે. આમ, જીવ અને બ્રહ્મ બન્ને જુદા, અર્થાત્ એક કારણ અને એક કાર્ય હોવા છતાં તેઓ કાર્યને કારણનું જ પરિણામ માનતા હોવાથી બન્નેનું અદ્વૈત છે એમ માને છે. શ્રી રામાનુજાચાર્યના મત અનુસાર જીવ જ્ઞાનસ્વરૂપ છે. તે દેહ, ઇન્દ્રિય, મન આદિથી ભિન્ન છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન જીવ છે. જીવ પણ બહ્મનું શરીર છે, તેથી ઈશ્વરની અપેક્ષાએ જીવ શરીર છે, જ્યારે પ્રકૃતિની અપેક્ષાએ જીવ શરીરી છે. જીવ સ્વાભાવિક રૂપમાં સુખી છે, પરંતુ ઉપાધિના વશમાં આવવાથી તેને સંસારભોગ પ્રાપ્ત થાય છે. જીવ કર્તા તથા ભોક્તા છે. બહ્મ અને જીવ બને ચેતન છે, સ્વયંપ્રકાશક છે. ચેતનત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ વગેરે લક્ષણો જીવ અને બ્રહ્મ બન્નેમાં સાધારણ છે. પરંતુ બહ્મ પૂર્ણ છે, જીવ અપૂર્ણ છે; બહ્મ ઈશ્વર છે, જીવ દાસ છે; બહ્મ વિભુ છે, જીવ અણુ છે. બ્રહ્મ અને જીવમાં સજાતીય કે વિજાતીય ભેદ નથી, સ્વગત ભેદ છે. શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે નિત્ય, મુક્ત અને બદ્ધ - એમ ત્રણ વર્ગોમાં જીવાત્માઓ વહેંચાયેલા છે. નિત્ય જીવોને બંધનમાં કદી બંધાવું જ નથી પડ્યું. તેઓ વૈકુંઠમાં નારાયણના સાનિધ્યમાં જ સદા રહે છે. મુક્ત આત્માઓ એક વેળા બદ્ધ હતા, પણ પછી બંધનથી મુક્ત થઈને તેઓ પણ નારાયણના સાન્નિધ્યમાં વૈકુંઠમાં વસે છે. બદ્ધ જીવાત્માઓ સંસારમાં છે. જન્મ-મરણના ચક્રમાં તેઓ અટવાયા કરે છે અને ભક્તિ આદિ સાધનો દ્વારા મુક્ત નહીં બને ત્યાં સુધી અટવાયા જ કરશે. જગત – શ્રી રામાનુજાચાર્યના મત અનુસાર જગત માયા નથી, પરંતુ તે બહ્મનું જ સ્વરૂપ છે. એ નારાયણનું શરીર છે. પ્રકૃતિ સત્ છે. એ અચિત્ છે. વિશ્વ પ્રકૃતિનું પરિણામ છે. પ્રલયકાળે પ્રકૃતિ બહ્મના, ઈશ્વરના પ્રકારરૂપે ઈશ્વરમાં જ રહે છે. ઈશ્વરેચ્છા પ્રકૃતિની નિયામક છે. જીવાત્માઓનું અનુભવજગત આ પ્રકૃતિ છે. પ્રકૃતિમાં સત્ત્વ, રજસ્ અને તમસું એ ત્રણ ગુણો છે. ઈશ્વરની નિત્ય વિભૂતિ શુદ્ધ સત્ત્વમય છે. વિશ્વને શ્રી રામાનુજાચાર્ય લીલાવિભૂતિ કહે છે. શ્રી રામાનુજાચાર્યના મત મુજબ અગોચર સૂક્ષ્મ (કારણરૂપ) બ્રહ્મ જ ધૂળ (કાર્યરૂપ) બહ્મ, અર્થાત્ વિશ્વરૂપ બની જાય છે. બહ્મ જ જગતરૂપમાં પરિણત થાય છે, છતાં બહ્મ વિકારરહિત છે. બીજ અને વૃક્ષનો જેવો સંબંધ છે તેવો બહ્મ અને જગતનો સંબંધ છે. બહ્મ બીજ છે અને જગત વૃક્ષ છે. વૃક્ષનો કદાચ બાહ્ય સ્વરૂપમાં નાશ થતો જણાય તોપણ બીજરૂપે તેનું અસ્તિત્વ અનશ્વર છે. સ્થૂળ-સૂક્ષ્મ રૂપમાં તે હંમેશાં વિદ્યમાન રહે છે. જગત અને બહ્મ વચ્ચે અભિન્નતા છે. શ્રુતિ માત્ર બહ્મ અને જગતની અનન્યતા જ જણાવે છે, જગતને મિથ્યા તરીકે નહીં. આમ, શ્રી શંકરાચાર્ય જગતને બહ્મનો વિવર્ત માને છે, ત્યારે શ્રી Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૫O શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રામાનુજાચાર્ય જગતને બહ્મનું પરિણામ માને છે; તેથી જેમ બ્રહ્મ સત્ય છે, તેમ જગતને પણ સત્ય માને છે. ઈશ્વર – શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે જે કંઈ છે તે બહ્મ છે, પણ એ બહ્મમાં અનેકત્વનાં બીજો છે, જેના કારણે એ એક, અનેક રૂપે વ્યક્ત થાય છે. શ્રી રામાનુજાચાર્યનું બહ્મતત્ત્વ એ તાત્ત્વિક રીતે ઈશ્વરપુરુષ છે - સત્યમય વિશ્વના સર્વજ્ઞ અને સર્વશક્તિમાન શાસક; એટલે શ્રી રામાનુજાચાર્યના મતમાં નિર્ગુણ અને સગુણ અથવા બહ્મ અને ઈશ્વર એવા ભેદો નથી પાડવામાં આવ્યા. બહ્મ જાતે જ સવિશેષ અને સગુણ છે એવું તેમનું માનવું છે. સત્ય, જ્ઞાન, અનંત, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, સૌશલ્ય, વાત્સલ્ય, આર્જવ, સૌહાર્દ, ધૈર્ય, સામ્ય, કારુણ્ય, ગાંભીર્ય, માધુર્ય, ઔદાર્ય, શૌર્ય, પરાક્રમ આદિ અનંત કલ્યાણકારી ગુણો તેમનામાં નિરતિશય રૂપમાં રહ્યા છે. આ ગુણોના કારણે ઈશ્વર અથવા બહ્મ સગુણ છે. ‘બહ્મ નિર્ગુણ છે” એવો ઉલ્લેખ જ્યારે ઉપનિષદો વગેરેમાં આવે છે ત્યારે શ્રી રામાનુજાચાર્ય એનો એવો અર્થ ઘટાવે છે કે બ્રહ્મમાં દુ:ખ, શોક, મર્યતા, વ્યય, જરા જેવા નિકૃષ્ટ ગુણો નથી. તેમના મત અનુસાર ઈશ્વર વિભુ છે, સમગ્ર જગતના કારણરૂપ છે, સર્વોતર્યામી, સર્વકર્મફળદાતા, નિયંતા, શાસક, રક્ષક, તારણહાર, ભુવનસુંદર, રસેશ્વર, આનંદમય છે. નારાયણ વિષ્ણુ સર્વના અધીશ્વર છે. શ્રી રામાનુજાચાર્યના મત મુજબ ઈશ્વરનાં પર, બૃહ, અવતાર, અંતર્યામી, અર્ચા એવાં પાંચ રૂપ છે. મોક્ષ ઉપાય – મુક્ત જીવ ચિરકાળ માટે વૈકુંઠમાં અપારકલ્યાણગુણસાગર ભગવાનના દાસરૂપે રહી આનંદમાં અવગાહન કરે છે. પ્રાકૃત દેહ વ્યુત થયા પછી અપ્રાકૃત દેહ વૈિકુંઠમાં નારાયણની સેવા એ જ મુક્તિ છે. મુક્તાત્મા બહ્મરૂપ નથી બનતો, પણ બહ્મના - ઈશ્વરના સામીપ્યમાં રહે છે. વૈકુંઠમાં સદા ઈશ્વરચિંતનમાં અથવા ઈશ્વરપ્રેમમાં એ નિમગ્ન રહે છે. શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે જીવન્મુક્તિ શક્ય જ નથી. મુક્તિ તો જીવાત્મા શરીરથી અળગો થાય ત્યારે જ સંભવે. આ મુક્તિ ઉપાસના દ્વારા પ્રાપ્ત થાય છે. અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત પરમાત્મા ભક્તને તેની ઉપાસનાથી પ્રસન્ન થઈ, કૃપા કરીને મુક્તિ અર્પે છે. ઉપાસનાના બે અંગ તેઓ બતાવે છે. ભક્તિ અને પ્રપત્તિ. ૧) ભક્તિ - પ્રેમસ્વરૂપ પરમાત્મામાં મન સતત રોકાયેલું રહે તે જ ભક્તિ. શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે સાધનસપ્તકથી ઊપજેલી ભક્તિ ઈશ્વરના સાક્ષાત્ દર્શન સુધી પહોંચાડે છે. આ સાધનસપ્તક આ પ્રમાણે છે - વિવેક (સાત્ત્વિક આહાર દ્વારા દેહશુદ્ધિ), વિમોહ (વાસનાઓથી નિવૃત્તિ), અભ્યાસ (પવિત્ર મનથી ઈશ્વરસ્મરણ), કલ્યાણ (સગુણોની વૃદ્ધિ દ્વારા વિચારશુદ્ધિ), ક્રિયા (પંચ પ્રકારનાં કર્તવ્યનું પાલન), અનવસાદ (વિષાદમુક્તિ) અને અનુદ્ધર્ષ (સ્થિતપ્રજ્ઞતા). આ ઉપરાંત શ્રી રામાનુજાચાર્ય Page #684 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૫૧ નવ પ્રકારની નવધા ભક્તિ સૂચવે છે - શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. આમાંનો કોઈ પણ પ્રકાર ભક્તિયોગ સાધવામાં ઉપયોગી થાય છે. ૨) પ્રપત્તિ - શરણાગતિ. ભક્તિ અને પ્રપત્તિના સમન્વયથી પરાભક્તિ પમાય છે. શ્રી રામાનુજાચાર્ય પ્રપત્તિ માટે છ અંગો દર્શાવે છે - ભગવાનની ઇચ્છા પ્રમાણે વર્તવું, તેમની ઇચ્છા વિરુદ્ધ આચરણ ન કરવું, અસહાયપણું (જેમાં અહંકાર પણ ઓગળી ગયો હોય), નિઃશંક અડગ નિશ્ચય, સર્વરક્ષક એવા સ્વામીનું શરણ શોધવું અને આત્મનિવેદન. આ છ અંગને પ્રપત્તિ કહે છે. જે વ્યક્તિ બીજાં કોઈ પણ સાધન કરવા માટે અશક્તિમાન બને છે તેને માટે પ્રપત્તિ - શરણાગતિ શ્રેષ્ઠ ઉપાય છે. ભક્તિ અને પ્રપત્તિ એકબીજાના પૂરક છે અને તે જ મુક્તિનો ઉપાય છે. કર્મ અને જ્ઞાનનું પ્રયોજન પણ ભક્તિ જ છે. ઉપસંહાર – શ્રી રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈત(વૈષ્ણવ)મતનું સ્થાપન કરી, ભક્તિ પ્રત્યેની આસ્થાને જ્ઞાનની ભૂમિકા ઉપર સ્થાપી, હિંદુ ધર્મની સંગીનતા સમજાવી, લોકોને ધર્માભિમુખ રાખવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમનો ચલાવેલો માર્ગ ‘શ્રીસંપ્રદાય' કહેવાય છે. રામાનુજમતના અનુયાયીઓ કપાળમાં ધોળી માટીના બે ઊભા લીટા કરી તેની નીચે એ બન્નેને જોડનારો લીટો કરે છે અને ઊભા બે લીટાની વચ્ચે હળદરનો ત્રીજો લીટો કરે છે. ઉત્તર ભારત કે ગુજરાત કરતાં દક્ષિણ ભારતમાં આ સંપ્રદાયનો વિશેષ પ્રચાર થયો છે. શ્રીરંગમ્, વેંકટાચલ, કાંચી વગેરેમાં આ સંપ્રદાયના મુખ્ય મંદિરો છે. શ્રી રામાનુજાચાર્યના વિચારનું સ્વામીનારાયણ વિશિષ્ટાદ્વૈતમાં વિશેષ સ્પષ્ટતાપૂર્વક તાત્ત્વિક નિરૂપણ થયું છે. શ્રી મદ્વાચાર્યનો ફૈતવાદ પ્રાસ્તાવિક - શ્રી મધ્વાચાર્ય દ્વૈતવાદના ઐતિહાસિક સ્થાપક ગણાય છે. શ્રી શંકરાચાર્ય અને શ્રી રામાનુજાચાર્ય કરતાં કાળક્રમે પાછળથી આવેલા છતાં અને તેમના કરતાં ઓછા અનુયાયી ધરાવતા હોવા છતાં શ્રી મધ્વાચાર્યનો મત શ્રી શંકરાચાર્યના અદ્વૈતવાદ સામે મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે આગવું સ્થાન ધરાવે છે. જો કે શ્રી રામાનુજાચાર્યે અદ્વૈતવાદ પ્રતિ સૌ પ્રથમ પ્રત્યાઘાતો દર્શાવ્યા છે, પરંતુ શ્રી મધ્વાચાર્યે તો પ્રબળ વિરોધ નોંધાવ્યો છે. અદ્વૈતવાદના મત અનુસાર બહ્મ અને આત્મા અભિન્ન છે, એક છે. વિશિષ્ટાદ્વૈત તથા ભેદાભેદવાદના મત પ્રમાણે બહ્મ સ્વતંત્ર છે, જીવ અસ્વતંત્ર છે; જીવ ક્યારે પણ બહ્મથી અભિન થઈ શકતો નથી. શ્રી મધ્વાચાર્ય આગળ વધીને કહે છે બહ્મ અને જીવ બન્ને વચ્ચે નિત્ય ભેદ છે, પૃથકતા છે. તેમના પંચભેદસિદ્ધાંત પ્રમાણે ભેદ વાસ્તવિક છે. ભેદના પાંચ અવાંતર પ્રકાર છે - જીવ-ઈશ્વર, જીવ-જડ, ઈશ્વર-જડ, જીવ-જીવ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન (જીવો વચ્ચે પરસ્પર ભેદ) અને જડ-જડ (જગતના પદાર્થો વચ્ચે પરસ્પર ભેદ). આ પાંચ ભેદ વસ્તુતઃ છે, ઔપચારિક નથી. પંચભેદસિદ્ધાંત એ શ્રી મધ્વાચાર્યના વિશ્વવૈવિધ્યવાદની આધારશિલા છે. મધ્ય દર્શન અનુસાર જગત સત્ય છે, ભેદ વાસ્તવિક છે, જીવો પરમાત્મા ઉપર અવલંબે છે અને જીવોમાં પણ જુદી જુદી ઊંચી-નીચી કક્ષાઓ છે. જીવાત્મા આનંદમય બને એ મુક્તિ છે. દોષરહિત ભક્તિ એ મુક્તિનું સાધન છે. ભાગવતપ્રતિપાદિત કૃષ્ણભક્તિ એ મધ્વ સંપ્રદાયનું મધ્યબિંદુ છે. પ્રવર્તક દક્ષિણ ભારતમાં ઉડુપિ ગામના અગ્નિખૂણે આઠ માઈલ દૂર રજતપીઠ ગામે માધેજી ભટ્ટ નામના વેદવેદાંતમાં પારંગત વિનમ્ર બ્રાહ્મણદંપતીના ઘરે આસો સુદ ૧૦(વિજયાદશમી)ના પવિત્ર દિવસે ઈ.સ. ૧૨૩૮માં શ્રી મધ્વાચાર્યનો જન્મ થયો હતો . માતાનું નામ વેદવતી હતું અને પિતાનું ગોત્ર નામ ઉડ્ડનતીલ્લાય હતું. બાળકનું નામ વાસુદેવ રાખ્યું. શ્રી મધ્વાચાર્ય વાયુદેવનો ત્રીજો અવતાર મનાય છે. (હનુમાન, ભીમ અને ત્યારપછી મધ્ય) સોળ વર્ષની ઉંમરે અદ્વૈતમતના સંન્યાસી આચાર્ય સનકકુલોદ્ભવ અચ્યુતપ્રેક્ષ પાસે દીક્ષા ગ્રહણ કરી તેમણે પૂર્ણપ્રજ્ઞ નામ ધારણ કર્યું. રજતપીઠપુરમાં એક વાર ગુરુ શ્રી અચ્યુતપ્રેક્ષને મળવા આવેલ શાંકરમતના વિદ્વાન પંડિતને તેમણે હરાવ્યા. આ સફળતાથી પ્રેરાઈને નવા મતના પ્રચારાર્થે તેમણે દક્ષિણ ભારતની યાત્રા શરૂ કરી. માર્ગમાં અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ થયો. વિવિધ પ્રકારની યોગસિદ્ધિઓ પણ તેમણે દેખાડી, જેમ કે ભીના થયા વિના પાણી ઉપર ચાલવું, દૃષ્ટિમાત્રથી તોફાની દરિયાને શાંત કરવો વગેરે. આમ, માયાવાદના ખંડનનાં અને નવા મતની સ્થાપનાનાં પગરણ આ રીતે મંડાયાં. ઉડુપિ પાછા ફર્યા પછી તેમણે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' ઉપર ભાષ્ય રચ્યું, જેમાં તેમણે દ્વૈતવાદનો સારાંશ આપ્યો. આ ‘ગીતાભાષ્ય’તેમણે ઉત્તર ભારતની બદરીધામની યાત્રામાંથી પાછા ફર્યા ત્યાં સુધી પ્રકાશિત કર્યું ન હતું. ઉત્તરયાત્રાની ફળશ્રુતિ એ હતી કે શ્રી મધ્વાચાર્યના વ્યક્તિત્વનો અને મધ્યમતનો જનમાનસ ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ઉડુપિમાં પુનરાગમન પછી બે નોંધનીય ઘટના બની. તેમના ગુરુ શ્રી અચ્યુતપ્રેક્ષ જેઓ વેદાંતી હતા, તેઓ મધ્યમતમાં જોડાયા અને શાંકર વેદાંત ઉપર શ્રી મધ્વાચાર્યે શાસ્ત્રાર્થમાં કરેલી ટીકા-ટિપ્પણો હવે લેખિત ભાષ્યના રૂપમાં પરિણમી. ‘ગીતાભાષ્ય’ અને ‘બ્રહ્મસૂત્રભાષ્ય' (જે ‘પૂર્ણપ્રજ્ઞભાષ્ય’ તરીકે પણ ઓળખાયું) એનાં ફળસ્વરૂપ હતાં. આ તેમનો સ્વતંત્ર મૌલિક દ્વૈતવાદ શ્રી શંકરાચાર્યના મતથી તદ્દન વિરુદ્ધ હતો. જ્યારે તેઓ વેદાંત શાસ્ત્રમાં પારંગત થઈ ગયા ત્યારે ગુરુએ તેમને “આનંદતીર્થ' નામ આપી મઠાધીશ બનાવ્યા. મધ્વ' નામ તેમણે પોતે જ ધારણ કરેલું. શ્રી મધ્વાચાર્ય એંશી વર્ષની વયે માઘ સુદ ૯, ૧૩૧૮માં વૈકુંઠવાસી થયા. સાહિત્ય શ્રી મધ્વાચાર્યે કુલ ૩૭ ગ્રંથો રચ્યા, જે સર્વ-મૂલ-ગ્રંથો' તરીકે ઓળખાય — Page #686 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૫૩ છે. શ્રી મધ્વાચાર્યના સાહિત્યને કુલ ચાર વિભાગમાં ગોઠવી શકાય – ૧) પ્રસ્થાનત્રયી' ઉપરની ટીકા – શ્રી મદ્ગાચાર્યે બ્રહ્મસૂત્ર' ઉપર રચેલાં ભાષ્યો - પૂર્ણપ્રજ્ઞભાષ્ય', ‘અણુભાષ્ય', “અણુવ્યાખ્યાન', ન્યાયવિવરણ'; “શ્રીમદ્ ભગવદ્ગીતા' ઉપરના ગ્રંથો - ગીતાભાષ્ય', “ગીતાતાત્પર્યનિર્ણય'; મુખ્ય દસ ઉપનિષદ ઉપર રચેલાં ભાષ્ય. ૨) દસ પ્રકરણ – ‘પ્રમાણલક્ષણ’, ‘કથાલક્ષણ’, ‘ઉપાધિખંડન’, ‘માયાવાદખંડન', ‘પ્રપંચમિથ્યાત્વાનુમાનખંડન', 'તત્ત્વસંખ્યાન', ‘તત્ત્વવિવેક', 'તત્ત્વોદ્યોત', 'વિષ્ણુતત્ત્વનિર્ણય અને ‘કર્મનિર્ણય'. ૩) ટૂંકા ભાષ્ય અને નોંધ – ‘મહાભારતનો છંદબદ્ધ સંક્ષિપ્ત સંગ્રહ (દ્વૈતસિદ્ધાંત અનુસાર) ‘ઋગ્વદ’ના પ્રથમ ત્રણ અધ્યાયનું વિવેચન. ૪) નાના ગ્રંથો – યમક કાવ્ય', 'કૃષ્ણામૃત’, ‘મહાર્ણવ’, ‘તંત્રસારસંગહ', વગેરે. એકંદરે શ્રી મદ્ગાચાર્યની ભાષા સરળ, સીધી, સાહિત્યિક છતાં આડંબર વિનાની, સુંદર છંદબદ્ધ શૈલીવાળી અને ઊંડી અભિવ્યક્તિવાળી છે તથા વિચારો ઘણા ઉચ્ચ છે. જીવ – શ્રી મધ્વાચાર્યે ‘ઉપનિષદો'ના અદ્વૈતવાદનો અસ્વીકાર કર્યો છે. તેમના મત પ્રમાણે જીવો અનેક છે, અણુપરિમાણી છે અને નિત્ય છે. તેઓ નથી પરબ્રહ્મનાં પરિણામ કે નથી તેનાં કાર્ય કે નથી તેના અંશ. જેમ બહ્મ સત્ય છે તેમ જીવો પણ સત્ય છે. જીવ અને બ્રહ્મ બન્ને ચેતનતત્ત્વો છે, સચ્ચિદાનંદાત્મક સ્વરૂપ છે. પરંતુ જીવ માયામોહિત છે, તેથી અનાદિ કાળથી બદ્ધ છે. જીવોનું સકલ સામર્થ્ય પરમાત્માને આધીન છે. જીવ અસ્વતંત્ર છે. પ્રત્યેક દેહમાં જીવ જુદો જુદો છે. જીવ ક્યારે પણ (મુક્ત અવસ્થામાં પણ) ભગવાન સાથે અભિન્ન (એકરૂપ) થઈ શકતો નથી. ભગવાન સેવ્ય છે, જીવ સેવક છે, ભગવાનનો દાસ છે. શ્રી મધ્વાચાર્ય પૂર્ણપણે તૈતવાદી છે. ‘મ બ્રાન્નિ' કે “તત્ ત્વમ્ સિ' (જીવાત્મા એ જ બહ્મ છે)ના વિચારમાત્રથી જીવને અધોગતિ પ્રાપ્ત થાય છે એવો તેમનો મત છે. પરમાત્મા પરમ સેવ્ય છે. તેમની સેવા કરવી તેમજ તેમને પ્રસન્ન કરવા એ જ જીવનો એકમાત્ર પુરુષાર્થ છે. ભગવાનના ધામ(વૈકુંઠ)માં પરમાનંદ - દિવ્યાનંદની પ્રાપ્તિ એ જ જીવનું એકમાત્ર પ્રયોજન છે. જીવોમાં તારતમ્ય (ઊંચાનીચાપણું) છે. કેવળ સંસારાવસ્થામાં જ નહીં, પરંતુ મોક્ષાવસ્થામાં પણ જીવોનું તારતમ્ય રહે છે. પરમ ધામમાં વર્ણભેદ પણ શ્રી મધ્વાચાર્યને માન્ય છે. જગત – શ્રી મદ્વાચાર્ય કહે છે કે જગત અચેતન છે, અસ્વતંત્ર છે, પરમાત્માને આધીન છે. તેઓ જગતને ઈશ્વરનું શરીર નથી માનતા. પરંતુ ઈશ્વર અને જગત વચ્ચે સંપૂર્ણ ભેદ માને છે. તેમના મત અનુસાર જગત માયા કે આભાસ નથી, પણ સત્ય છે. તેઓ કહે છે કે વેદ જો સ્વત:પ્રમાણિત હોય અને વેદ જો ભગવાનને Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સત્યસંકલ્પી કહેતા હોય તો સત્યસંકલ્પી ભગવાન વડે સર્જિત કોઈ પણ પદાર્થ (અર્થાત્ જગત) કેમ મિથ્યા હોઈ શકે? તેમના મત અનુસાર સૃષ્ટિ એ સ્વયં ભગવાનની લીલા છે. સૃષ્ટિનું સર્જન કોઈ પણ પ્રયોજનાર્થે નથી, પરંતુ એ ઈશ્વરની નિત્ય વહેતી કરુણા અને આનંદની અભિવ્યક્તિ છે. પ્રકૃતિ વિશ્વનું ઉપાદાનકારણ છે. પ્રકૃતિ જડરૂપ છે, નિત્ય છે, અવ્યાપ્ત છે, પરિણામી છે, ઈશ્વરાધીન છે, તેથી હરિની ઇચ્છા અથવા હરિનું બળ કહેવાય છે. સૃષ્ટિના જન્મ પહેલાં કેવળ પ્રકૃતિ જ અસ્તિત્વમાં હતી. પછી ઈશ્વરે નિર્માણની ઇચ્છા પ્રકટ કરી અને પ્રકૃતિમાંથી સત્ત્વ, રજસ્ અને તમસૂનો સમૂહ બહાર આવ્યો તથા મહતું વગેરે સૃષ્ટિનો વિસ્તાર થતો ગયો, જે શ્રી મધ્વાચાર્યે પૌરાણિક રીતે કહ્યો છે. ઈશ્વર – શ્રી મધ્વાચાર્ય લક્ષ્મી સહિત નારાયણની ઉપાસનાના પ્રવર્તક છે. તેમના મત મુજબ ભગવાન વિષ્ણુ મુક્તિદાતા છે. મધ્વસંપ્રદાયમાં શ્રીવિષ્ણુ જ સર્વોચ્ચ તત્ત્વ છે. તેમના મત મુજબ “શ્રુતિ', ‘મૃતિ', ‘પુરાણ' આદિ સર્વેમાં વિષ્ણુને પરબહ્મ દર્શાવ્યા છે. બહ્મા, શિવ આદિથી વિષ્ણુ શ્રેષ્ઠ છે. તેઓ માયાના દોષ અને ખામીથી રહિત છે; સર્વોપરી અને અંતર્યામી છે; દેશ અને કાળ દ્વારા મર્યાદિત નથી. તેઓ અસીમ, અનંત છે; સર્વજ્ઞ, અનંતશક્તિસંપન્ન છે; અપરિમિત દિવ્ય કલ્યાણગુણોના આશ્રય છે. અનંત ગુણોથી શ્રીવિષ્ણુ પરિપૂર્ણ છે. તેમનો પ્રત્યેક ગુણ અનંત, અપરિમિત, નિરતિશય રૂપમાં છે. આ અર્થમાં બહ્મ (વિષ્ણુ) સગુણ છે. તેમના અપાર, અસીમ ગુણોની ગણના થઈ શકતી નથી એ અર્થમાં નિર્ગુણ છે. ચેતન જીવ અને અચેતન જગત એ બને ભગવાનને આધીન છે. ભગવાન તે બન્નેથી સર્વથા પૃથક્ છે. તેઓ જગતના સર્જક, પાલક અને સંહારક છે. તેઓ સૃષ્ટિનું ઉપાદાનકારણ નથી, પણ નિમિત્તકારણ છે. ભગવાન વિષ્ણુ, તેમના શ્રેષ્ઠ ઉત્તમ ભક્ત લક્ષ્મી સહિત વૈકુંઠધામમાં બિરાજમાન હોય છે. મોક્ષ ઉપાય – શ્રી મધ્વાચાર્યના મત પ્રમાણે મોક્ષનું મુખ્ય સાધન અમલા ભક્તિ છે. ભગવાનમાં મલરહિત અસાધારણ પ્રીતિ એ જ મુક્તિનો પ્રધાન ઉપાય છે. શ્રી મધ્વાચાર્ય ભગવાનની સેવા ત્રણ પ્રકારે દર્શાવે છે - ૧) ભગવાનના આયુધોની છાપ શરીર ઉપર લેવી. ૨) ઘરમાં પુત્રાદિનાં નામ ભગવાનના નામ ઉપરથી પાડવાં. ૩) દશવિધભજન, જે વાચિક, કાયિક અને માનસિક એમ ત્રણ પ્રકારે થઈ શકે છે. સત્ય બોલવું, હિતવચન બોલવું, પ્રિયભાષણ અને સ્વાધ્યાય. આ ચાર વાચિક ભજન છે. સુપાત્રે દાન, વિપન વ્યક્તિનો ઉદ્ધાર અને શરણાગતની રક્ષા. આ ત્રણ શારીરિક ભજન છે. દયા - દરિદ્રનું દુઃખ દૂર કરવું, સ્પૃહા - કેવળ ભગવાનના દાસ બનવાની સ્પૃહા તથા શ્રદ્ધા - ગુરુવચન અને શાસ્ત્રમાં વિશ્વાસ. આ ત્રણ માનસિક ભજન છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૫૫ આ તમામને સાધનરૂપ ભક્તિ કહી છે. પરંતુ માહાભ્યજ્ઞાનયુક્ત, મલરહિત, અતિશય સ્નેહયુક્ત પ્રીતિભક્તિ એ મોક્ષનું મુખ્ય સાધન છે. ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોનો મહિમા આવતાં અવિરત પ્રેમનો પ્રવાહ વહેતો થાય છે. આત્મા કે આત્મીય પદાર્થો પ્રત્યેના પ્રેમ કરતાં અનંતગણો અને અનંત અંતરાયોથી પણ રોક્યો રોકાય નહીં એવો પ્રેમપ્રવાહ પરમાત્મા પ્રતિ વહેતો થાય છે. આવી પ્રેમલક્ષણાયુક્ત પરમ ભક્તિથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને ભગવાનની કૃપાથી જીવ અવિદ્યામાંથી છૂટી મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રારબ્ધ છૂટ્યા પછી જીવ દેહમાંથી નીકળી ક્રમે ક્રમે વૈકુંઠલોકમાં જાય છે. મુક્ત જીવ વૈકુંઠમાં જઈ દાસત્વભાવે નારાયણની સેવાથી પરમાનંદ પ્રાપ્ત કરે છે. વૈકુંઠમાં મુક્તોને સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એમ ચાર જાતનો ભોગ હોય છે. પ્રલયકાળ એ બધાં ભગવાનના ઉદરમાં પ્રવેશ કરે છે. ઉપસંહાર - શ્રી મધ્વાચાર્યના અનુયાયીઓ કપાળ ઉપર, નાકની ઉપરથી સીધી ગોપીચંદનની બે લીટીઓ કરે છે. આ લીટીઓ નાક ઉપર આડી લીટીથી જોડે છે. પછી વચ્ચે એક કાળી લીટી અને મધ્યમાં લાલ ચાંદલો - આવું ચિહ્ન કરે છે. ગોપીચંદનથી હાથ ઉપર તથા શરીરના બીજા ભાગો ઉપર શંખ, ચક્ર વગેરે આયુધોનાં ચિહ્નો કરે છે. શ્રી મધ્વાચાર્યે ચલાવેલો માર્ગ ‘સવૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયના અનુયાયીઓ કર્ણાટક જિલ્લામાં, મૈસુરમાં તથા ગોવાથી દક્ષિણ કર્ણાટકના પશ્ચિમ કાંઠા ઉપર મોટી સંખ્યામાં દેખાય છે, જ્યારે વૃંદાવન તથા ઉત્તર ભારતમાં છૂટાછવાયા દેખાય છે. આ સંપ્રદાયના સંન્યાસીઓ તીર્થ (દા.ત. આનંદતીર્થ), ભારતી (દા.ત. કેશવભારતી) વગેરે નામ ધારણ કરે છે. શ્રી નિંબાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈતવાદ પ્રાસ્તાવિક – જીવ અને જગત બને બહ્મનું પરિણામ છે. જીવ અને જગત બહ્મથી અત્યંત ભિન્ન છે અને અભિન્ન પણ છે. વૈતાદ્વૈતનો આ સાર - સિદ્ધાંત છે. અગિયારમી શતાબ્દીમાં શ્રી નિબાર્કાચાર્યે ‘બ્રહ્મસૂત્ર'ની વિષ્ણુપરક (વિષ્ણુની પરમોચ્ચ તત્ત્વ - પુરુષોત્તમરૂપે) વ્યાખ્યા કરીને વૈતાદ્વૈતવાદની સ્થાપના કરી. તેમના મત પ્રમાણે જીવ અને જગત ઈશ્વરથી જુદાં છે, કારણ કે તેમનામાં ઈશ્વરના ગુણો કરતાં જુદા જ ગુણો છે; આમ છતાં તેઓ ઈશ્વરથી જુદા નથી, કારણ કે ઈશ્વર સર્વવ્યાપક છે અને જીવ તથા જગતના અસ્તિત્વનો આધાર ઈશ્વર છે. તાત્ત્વિક વિચારસરણી મુજબ તે દ્વૈતાદ્વૈત વેદાંત કહેવાય છે. પ્રવર્તક - નવમા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયેલા શ્રી ભાસ્કરની શ્રી નિબાર્કાચાર્યના તત્ત્વદર્શન ઉપર ઘણી અસર છે. શ્રી ભાસ્કરે વેદાંત દર્શનને વૈતાદ્વૈતરૂપે પહેલી વાર Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચાર્યું હતું. જો કે તેને વ્યવસ્થિત રૂપ શ્રી નિંબાર્કાચાર્ય આપ્યું છે. શ્રી નિંબાર્કાચાર્યના જન્મસમય વિષે કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ નથી. એક મત મુજબ તેઓ શ્રી રામાનુજાચાર્ય પછી અને શ્રી મધ્વાચાર્ય પહેલા થઈ ગયા છે. અન્ય મત મુજબ તેઓ ઈ.સ. ૯૯૦માં થયા હતા. વર્તમાન અન્વેષકગણ તેમનો આવિર્ભાવકાળ ૧૧મી સદી ગણે છે. શ્રી નિંબાર્કાચાર્ય દક્ષિણના તૈલંગ બ્રાહ્મણ હતા અને નિમ્બ ગામમાં રહેતા હતા. તેમના પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ સરસ્વતીદેવી હતું. કેટલાક તેમને સૂર્યનો અવતાર માને છે, જ્યારે કેટલાક મહાનુભાવો તેમને ભગવાન વિષ્ણુના પ્રિય આયુધ શ્રી સુદર્શન ચક્રનો અવતાર પણ માને છે. કહેવાય છે કે તેમના ઉપનયન સંસ્કાર સમયે સ્વયં દેવર્ષિ નારદે તેમને શ્રી ગોપાલમંત્રની દીક્ષા તેમજ શ્રી-ભૂ-લીલા સહિત શ્રીકૃષ્ણની ઉપાસનાનો ઉપદેશ આપ્યો હતો. તેમના જીવન વિષે આનાથી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. સાહિત્ય – શ્રી નિબાર્કાચાર્યે ‘બહ્મસૂત્ર' ઉપર ભાષ્ય લખ્યું છે તે અતિ સંક્ષિપ્ત ગ્રંથ છે અને એ બહ્મસૂત્રભાષ્ય વેદાંતપારિજાતસૌરભ' નામે ઓળખાય છે. તદુપરાંત એક લઘુગ્રંથ 'સિદ્ધાંતરત્ન' પણ શ્રી નિંબાર્કાચાર્યરચિત છે. ફક્ત દસ શ્લોકોમાં તેમણે સ્વમતના સર્વ સિદ્ધાંતો ટૂંકામાં સરળતાથી સુંદર રીતે વર્ણવ્યા છે. આ ગ્રંથને ‘દશશ્લોકી' પણ કહેવાય છે. આ ઉપરાંત કુષ્ણસ્તવરાજ', “ગુરુપરંપરા', ‘વેદાંતતત્ત્વબોધ', “વેદાંતસિદ્ધાંતપ્રદીપ', ‘સર્વધર્માધ્વબોધ', “ઐતિહતત્ત્વસિદ્ધાંત' આદિ ગ્રંથોની પણ રચના કરી હતી. તેમના સ્વરચિત બે શ્લોકો શ્રી દેવાચાર્ય અને શ્રી સુંદર ભટ્ટના ગ્રંથોમાં જોવા મળે છે. જીવ જ્યારે સૂર્ય આકાશમાં નીકળે છે, ત્યારે સૂર્યનો સમગ્ર પ્રકાશ ચોતરફ પ્રસરી જાય છે. સાથે સાથે તેમાં સમાયેલાં - છુપાયેલાં અગણિત કિરણો પણ ચારે દિશામાં પથરાઈ જાય છે. તે જ પ્રમાણે અગણિત જીવો પણ બ્રહ્મમાં સન્નિહિત છે, અંતર્ભત છે, પણ વ્યક્ત રૂપમાં જીવો બહાર આવે છે. શ્રી નિંબાર્કાચાર્યના મત અનુસાર જીવો કાલ્પનિક નથી, પણ સત્ય છે. જીવ અનેક છે, અણુ છે, નિત્ય છે, ચિરસ્થાયી છે, ચૈતન્ય છે. જીવાત્મા એ પરમાત્માનો સ્ફલિંગ છે, તણખો છે, તરંગ છે. પરમાત્માથી એ ભિન્ન છે અને અભિન્ન પણ છે. એ શરીરધારી હોવાથી ભિન્ન છે અને શરીરની અંદર જે જીવ છે, તે પરમાત્મસાગરનો જ તરંગ હોવાથી અભિન્ન છે. જીવ પૂર્ણ પરમાત્માનો એક અંશ છે, પરંતુ એ એક એવો અંશ છે કે જે અવિભેદ્ય એવા પૂર્ણ પરમાત્માથી પૃથક ન કરી શકાય. પરમાત્મબહ્મની શક્તિ અસીમ છે, જીવની શક્તિ પરિસીમિત છે. જીવ અંશ છે, બહ્મ અંશી છે. જીવ અલ્પજ્ઞ છે, બહ્મ સર્વજ્ઞ છે. અંશ અને અંશી તથા અજ્ઞ અને જ્ઞ હોવાના કારણે જીવ-બહ્મમાં ભેદ છે. પરંતુ મહાવાક્ય Page #690 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૫૭ ‘તત્ ત્વમ્ મસિ' બનેની અભિન્નતા પ્રકટ કરે છે. આ પ્રકારે બદ્ધ જીવ અને પરમાત્માનો પરસ્પર સંબંધ ભેદાભદગત છે. જગત – શ્રી નિબાર્કાચાર્યના મત પ્રમાણે જગત માયા નથી, પણ સત્ય છે. બહ્મનું એ પરિણામ છે, પણ તેનું અસ્તિત્વ બહ્મથી જુદું નથી. એ દૃષ્ટિએ તેને - જગતને જગતરૂપે અસત્ય પણ કહી શકાય. વળી, ભોક્તા (જીવ), ભોગ્ય (અંગત), નિયંતા (ઈશ્વર) એ ત્રણે વસ્તુતઃ ભિન્ન છે, જુદાં (ભેદ) છે, પરંતુ સર્વ વસ્તુઓ બહ્માત્મક છે. સર્વની સ્થિતિ, પ્રવૃત્તિ બ્રહ્મને આધીન છે, તેથી સર્વ બ્રહ્મ (અભેદ) છે. આમ, ભેદ અને અભેદ બને સત્ય છે. આત્મા અને જગત બહ્મથી જુદાં છે, કેમ કે તે બહ્મથી જુદા ગુણો ધરાવે છે. બીજી બાજુ તે બહ્મથી જુદાં નથી, કેમ કે તે સંપૂર્ણપણે બ્રહ્મ ઉપર આધાર રાખે છે. જેમ સર્પ કૂંડાળું બનાવીને બેસે ત્યારે તેના શરીરનાં બધાં અંગો દેખાઈ શકતાં નથી, પરંતુ જ્યારે તે પોતાને ફેલાવે છે, ત્યારે તેની ફેણ, પૂંછડી આદિ સર્વે અંગો દષ્ટિગોચર થાય છે; તેમ પ્રલયના સમયે સમગ્ર વિશ્વ બહ્મમાં લીન રહે છે, તેથી કેવળ બહ્મ જ ભાસે છે, પરંતુ સૃષ્ટિસમયે વિશ્વ બહ્મમાંથી આવિર્ભત થાય છે. પોતાના વાસ્તવિક રૂપમાં પરબહ્મ એક અને અદ્વિતીય છે. સર્વ ઉપાધિઓથી રહિત, સર્વવ્યાપક, પૂર્ણ, નિર્વિકાર છે. આમ, બ્રહ્મ જગતનું નિમિત્તકારણ છે અને ઉપાદાનકારણ પણ છે અને બહ્મ જગતથી અભિન્ન છે. ચેતન (જીવ) અને જડ (જગત) જે સૂક્ષ્મ અવસ્થામાં રહેલ છે, તેને બહ્મ પોતાની શક્તિ વડે ધૂળ રૂપે પ્રગટ કરે છે. તેથી બહ્મ તેમનું ઉપાદાનકારણ છે. બહ્મ અનાદિ કર્મસંસ્કારને વશ જીવોને તેમનાં કર્મફળ ભોગવાવવા માટે, કર્મ અનુસાર ભોગનાં સાધનો સાથે સંયોગ કરાવી આપે છે, માટે બહ્મ તેમનું નિમિત્તકારણ છે. ઈશ્વર - શ્રી નિબાર્કાચાર્યના અનુયાયીઓ બહ્મના સર્વવ્યાપકસ્વરૂપનો અનુભવ કરવા માટે રાધા-કૃષ્ણની યુગલ મૂર્તિની ઉપાસના વિશિષ્ટ પ્રકારથી કરે છે. પ્રકૃતિના ત્રણ ગુણ છે - સત્ત્વ (પ્રકાશ), રજસ્ (ક્રિયા), તમસ્ (મોહ). હરિ (શ્રીકૃષ્ણ), હર (શિવ), વિરંચી (બહ્મા) - આ ત્રણમાં વ્યક્ત થવા પરબહ્મ આ ત્રણ ગુણની સહાય લે છે. તેમના મત પ્રમાણે શ્રીકૃષ્ણના રૂપમાં બહ્મની ઉપાસના કરવાથી ભક્ત પરમ કલ્યાણને પામે છે. બ્રહ્મા, શિવ આદિથી વંદિત એવા શ્રીકૃષ્ણના પાદારવિંદથી અતિરિક્ત મોક્ષને માટે બીજું કોઈ સાધન નથી. ભક્તોની ઇચ્છાથી તેમના ધ્યાન માટે સુલભ બનવા બહ્મ સુગમ રૂપ ધારણ કરે છે. પરમાત્મા દોષરહિત અને માંગલ્યગુણસંપન્ન છે, દિવ્ય દેહ ધરાવે છે. પ્રેમ અને માધુર્યનું ધામ છે. પરમાત્મા દુર્રીય અને દુર્લભ હોવા છતાં તેમનામાં રહેલા દયા, કરુણા, શરણાગતવત્સલતા આદિ ગુણોના કારણે તેઓ પોતે શરણાગત ભક્તોને માટે સુલભ બને છે. બહ્મ રસસ્વરૂપ છે. રસને પ્રાપ્ત કરવાથી Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મુદિત - આનંદિત થઈ જવાય છે. બ્રહ્મ સત્ય, અનંતસાર્વભૌમ (સર્વવ્યાપક), રસસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. બ્રહ્મ સનાતન, અવર્ણનીય, સદા સર્વથા પૂર્ણ છે, છતાં ચાર સ્વરૂપોથી યુક્ત છે. મોક્ષ ઉપાય – અવિદ્યાપ્રેરિત કર્મ દ્વારા જીવાત્માની વિશુદ્ધતા આચ્છાદિત થાય છે. ઈશ્વરની કૃપા વડે આ અવિદ્યાનો નાશ કરી શકાય છે અને ઈશ્વરની કૃપા ભક્તિ દ્વારા પ્રગટ થાય છે; માટે જ ભક્તિ એ મુક્તિનું સાધન છે, મુક્તિનો ઉપાય છે. ભક્તિ દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. શ્રી નિંબાર્કાચાર્યના મત અનુસાર ભોગેચ્છા વૈત ભાવના (હું અને મારું) ઉપર નિર્ભર છે. ભક્તિના સાધનનો અભ્યાસ કરતાં કરતાં ભોગપદાર્થોની તૃષ્ણાનો ધીમે ધીમે ક્ષય થાય છે. જીવ અહંશૂન્ય અને અહંકારરહિત થાય છે. પ્રત્યેક વસ્તુમાં તે બહ્મની જ્યોતિ જુએ છે, તેથી તેનામાં પ્રાણીમાત્ર પ્રત્યે સમદષ્ટિ અને સમભાવ કેળવાય છે. આ શુદ્ધ અને પવિત્ર આત્માનાં લક્ષણ છે. આવાં લક્ષણોનો જ્યારે ઉદય થાય છે ત્યારે તેનામાં પરાભક્તિ આપોઆપ ઉત્પન્ન થાય છે. જેમ નદી પોતાનાં નામ-રૂપ ત્યજી સમુદ્રમાં લીન થઈ જાય છે, તેમ ભક્ત જીવ પણ બહ્મમાં એક થઈ જાય છે, ત્યારે નિબંધ મુક્ત સ્વરૂપમાં જીવ સ્થિત રહે છે. મોક્ષ-અવસ્થામાં જીવાત્મા બ્રહ્મથી - ઈશ્વરથી જુદો જ રહે છે અને છતાં તત્ત્વતઃ તે બહ્મના એક અંશરૂપે બની રહે છે. આ જ ભેદભેદ સિદ્ધાંત છે. જીવાત્મા બહ્મરૂપ બને છે અને છતાં બહ્મમાં વિલીન થઈ જતો નથી. નારદસૂત્ર'માં ભક્તિની વ્યાખ્યા “ઈશ્વરમાં પરમપ્રેમરૂપ' એમ કરી છે. આ લક્ષણ શ્રી નિબાર્કાચાર્યના પ્રેમવિશેષલક્ષણા'ને મળતું આવે છે. શ્રી રામાનુજાચાર્યની ભક્તિ ઉપાસનાપ્રધાન છે, જ્યારે શ્રી નિબાર્કાચાર્ય પ્રેમલક્ષણા ભક્તિનો ઉપદેશ આપે છે. શ્રી નિબાર્કાચાર્ય શ્રીકૃષ્ણ સાથે રાધાને ભજે છે. શ્રી નિંબાર્કાચાર્યે ‘શ્રીમદ્ ભાગવત'નો નહીં, પરંતુ ‘હરિવંશ’, ‘મહાભારત' અને 'વિષ્ણુપુરાણ'નો આધાર મુખ્યપણે લીધો છે. ઉપસંહાર – નિબાર્ક સંપ્રદાયના અનુયાયીઓ ગોપીચંદનની બે સીધી લીટી કરી વચમાં કાળો ચાંદલો કરે છે. ગળામાં તેઓ તુલસીની કંઠી પહેરે છે, રાધા-કૃષ્ણની પૂજા કરે છે અને શાંત રીતે કીર્તન-ભજન કરે છે. શ્રી નિંબાર્કાચાર્યનો જન્મ દક્ષિણમાં થયો હતો, પરંતુ વિશેષતઃ તેઓ મથુરાની આસપાસ રહ્યા હતા. તેથી તેમના સંપ્રદાયના અનુયાયીઓ મોટે ભાગે ઉત્તર હિંદુસ્તાન, મથુરા તથા બંગાળમાં દેખાય તે સ્વાભાવિક છે. શ્રી વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈતવાદ પ્રાસ્તાવિક – શ્રી વલ્લભાચાર્યે પોતાની અપ્રતિમ પ્રતિભાના બળે બહ્મવાદનું નવીન અર્થઘટન સાથે પ્રતિપાદન કર્યું હતું. તેમણે જીવ, જગત અને પરમતત્ત્વ (બહ્મ) એ Page #692 -------------------------------------------------------------------------- ________________ ષડ્દર્શનપરિચય ઉત્તરમીમાંસા (વેદાંત) દર્શન ૬૫૯ ત્રણે વચ્ચે શુદ્ધ અભેદ છે એવું પ્રતિપાદન કર્યું. તેમના મત અનુસાર માયા કે અવિદ્યાના સંબંધ વગર જ શુદ્ધ બ્રહ્મ લીલાથી જીવ અને જગત બનાવે છે. જીવ સાથે અજ્ઞાનનો સંબંધ તેઓ માને છે અને તે દૂર કરવા ભક્તિને તેઓ અનિવાર્ય ગણે છે. ભક્તિથી નિર્મળ બનેલા શુદ્ધ જીવના શુદ્ધ બ્રહ્મ સાથેના યોગને તેઓ શુદ્ધાદ્વૈત કહે છે. આથી તેમનો મત ‘શુદ્ધાદ્વૈતવાદ’ કહેવાય છે. પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યનો જન્મ દક્ષિણ ભારતના તેલાંગ દેશમાં કાકરખંભ નામના ગામમાં ઈ.સ. ૧૪૭૯માં થયો હતો. વૈષ્ણવો માને છે કે શ્રી વલ્લભાચાર્ય અગ્નિદેવના અવતાર હતા. બાળપણથી જ શ્રી વલ્લભાચાર્યની ચેષ્ટાઓ અન્ય બાળકો કરતાં જુદા પ્રકારની હતી. છ માસના હતા ત્યારે સામે મૂકેલાં રમકડાં છોડી તેઓ પુસ્તકો ઉપાડી લેતા અને જાણે એનું લખાણ પરિચિત હોય તેમ વાંચવાનો પ્રયત્ન કરતા. વેદાભ્યાસ ઉપરાંત તેમણે વ્યાકરણ વગેરે શાસ્ત્રોનું અને દર્શનોનું તલસ્પર્શી જ્ઞાન બાર વર્ષની વય થતાં સુધીમાં પ્રાપ્ત કરી લીધું હતું. તેઓ કાશીમાં વિદ્વાનો સાથે શાસ્ત્રચર્ચા કરી પોતાના દાર્શનિક મતની કસોટી કરી જોતા. જ્યારે તેમને પોતાના સિદ્ધાંતની સચ્ચાઈ વિષે ખાતરી થઈ ત્યારે એના પ્રચાર માટે તેઓ તૈયાર થયા. કાશીથી નીકળેલા શ્રી વલ્લભાચાર્ય રસ્તામાં સ્થળે સ્થળે લોકોને એકઠા કરી કૃષ્ણભક્તિનો પ્રચાર કરતા. તેઓ વિદ્વાનો સાથે તાત્ત્વિક ચર્ચા કરી પરમ તત્ત્વને પામવા ભક્તિ જ એકમાત્ર સાધન છે એમ સાબિત કરતા અને તેમને શ્રીકૃષ્ણની ભક્તિ તરફ વાળતા. વિજયનગરમાં રાજા કૃષ્ણદેવની સભામાં તેમણે શાંકરમતનું ખંડન અને પોતાના મત(ભક્તિમાર્ગ)નું યુક્તિઓ તેમજ શાસ્ત્રપ્રમાણોથી મંડન કર્યું. શ્રી કૃષ્ણરાયે ઊભા થઈ શ્રી વલ્લભને વંદન કર્યા, વિજયમાળા પહેરાવી અને કનકાભિષેકની જાહેરાત કરી. ઉપરાંત એમને ‘મહાપ્રભુ’ તેમજ ‘આચાર્ય’ની પદવી આપી. અભિષેકની વિધિના અંતે શ્રી વલ્લભાચાર્યે રાજાને તેમજ ઉપસ્થિત પ્રજાજનોને શ્રીકૃષ્ણ: શરણં મમ' એ અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કર્યો તેમજ તુલસીની માળા પહેરાવી. આમ, તેમણે પુષ્ટિમાર્ગની દીક્ષા આપવાનો પ્રારંભ કર્યો. તેમણે ત્રીસ વર્ષની ઉંમરમાં ત્રણ વખત ભારત ખંડની પ્રદક્ષિણા કરી હતી. ત્રીજી પરિક્રમામાં કાશીના એક બ્રાહ્મણપુત્રી મહાલક્ષ્મી સાથે તેમનું લગ્ન હજારો ભક્તો અને રાજાઓ સમક્ષ થયું હતું. ગૃહસ્થ થયા પછી પણ તેમનું ધર્મ અને ભક્તિપ્રચારનું કાર્ય જરાયે મંદ પડ્યું ન હતું. ભવ્ય વૈષ્ણવ મંદિરોનાં નિર્માણ તથા જીર્ણોદ્ધાર અને ગ્રંથલેખન વગેરે પ્રવૃત્તિ દ્વારા પુષ્ટિમાર્ગનો પ્રચાર કરતાં કરતાં કાશીમાં ઈ.સ. ૧૫૩૦માં તેમણે દેહત્યાગ કર્યો હતો. સાહિત્ય શ્રી વલ્લભાચાર્યે ‘બ્રહ્મસૂત્ર' ઉપર સરળ છતાં ગંભીર ભાષ્ય રચ્યું, જેને ‘અણુભાષ્ય' કહે છે. શ્રી વલ્લભાચાર્યના દાર્શનિક મતનું પ્રતિપાદન મુખ્યત્વે ‘અણુભાષ્ય'માં - – Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોવા મળે છે. પરંતુ એ વિદ્વભોગ્ય હોવાથી વિદ્વાનોને જ ખપનું છે. સૈદ્ધાંતિક ખંડનમંડનની અટપટી ગલીઓમાં સાધારણ જનની મતિ મૂંઝાઈ જાય, એટલે તેમને ધ્યાનમાં રાખીને આચાર્યે નાના-મોટા પ્રકીર્ણ ગ્રંથો પણ રચ્યા છે. તેમણે “શ્રીમદ્ ભાગવત' ઉપર ‘સુબોધિની' નામની અતિ વિસ્તૃત ટીકા લખી છે. ભાષ્ય અને ટીકા ઉપરાંત નાના નાના ષોડશ ગ્રંથો', “પત્રાવલંબન' અને નિબંધ' તેમની સ્વતંત્ર રચનાઓ છે. આ ગ્રંથોમાં તેમનું ભક્તહૃદય પૂર્ણપણે ખીલી ઊહ્યું છે અને રસીલી શૈલીમાં પુષ્ટિમાર્ગના બધા સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. સ્વતંત્ર રચના ઉપરાંત ‘રામાયણ’, ‘મહાભારત' તથા ‘નારદ પાંચરાત્રનાં અવતરણો આપી તેમણે સ્વમતનું સમર્થન તથા સ્પષ્ટીકરણ કર્યું છે. જીવ – શ્રી વલ્લભાચાર્યના મત પ્રમાણે જીવો પરિણામરૂપ નથી, પણ ઈશ્વરના અંશરૂપ છે. વળી, તે નિત્ય અને અણુ છે. અગ્નિમાંથી જેમ તણખો નીકળે છે, તેમ બ્રહ્મમાંથી જીવો નીકળે છે. જીવ જાતે જ બહ્મ છે. ભેદ ફક્ત એટલો જ છે કે એનું આનંદતત્ત્વ અવિદ્યાના કારણે તિરોભૂત છે. જીવમાં બહ્મના સત્ અને ચિત્ એ બે અંશો પ્રગટ છે, જ્યારે આનંદ અંશ અપ્રગટ છે. જીવ સાથે અજ્ઞાનનો સંબંધ તેઓ માને છે અને તે દૂર કરવા તેઓ ભક્તિને અનિવાર્ય ગણે છે. જીવ પરમાત્માના અંશરૂપ હોવા છતાં પૃથક્ રહીને જ પરમાત્માની લીલાઓ નિહાળવાનો અનુપમ આનંદ મેળવે છે અને એવો આનંદ પામવો એ જ જીવની મુક્તિ છે. જગત – શ્રી વલ્લભાચાર્ય “અવિકૃત પરિણામવાદનો પુરસ્કાર કરે છે. તેમના મત મુજબ શુદ્ધ બ્રહ્મ, માયા કે અવિદ્યાના સંબંધ વગર જ લીલાથી જગત બનાવે છે. શુદ્ધાદ્વૈત પ્રમાણે પરમાત્મા જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લયનું એકમાત્ર કારણ છે. અનંતશક્તિમાન બહ્મ - નિખિલગુણનિધાન પરમાત્મા પોતાની લીલાથી જ સર્વ કાંઈ કરવા સમર્થ છે. કેવળ સંકલ્પથી એ સૃષ્ટિ સર્જે છે અને સર્જવા છતાં એ અવયના સ્વરૂપમાં કશો જ ફેરફાર થતો નથી. આમ, જગત એ બહ્મનું પરિણામ છે, છતાં બહ્મમાં કોઈ પણ પ્રકારનો વિકાર પ્રાપ્ત થતો નથી. બહ્મ પોતે જ - શુદ્ધ બ્રહ્મ જ જગતરૂપે પરિણમ્યો છે. બહ્મની સાથે માયાનો કે અવિદ્યાનો સંબંધ નથી, તેથી જ શુદ્ધ કહેવાય છે. એવો શુદ્ધ બહ્મ જ કારણ અને કાર્ય એમ બન્ને રૂપે છે, એટલે તેમનો તે વાદ શુદ્ધાદ્વૈતવાદ કહેવાય છે. શુદ્ધ એટલે ચોખ્ખું, માયાના સંબંધ વગરનું; એટલે બહ્મ સત્ય છે તેમ જગત પણ સત્ય છે. કારણ બ્રહ્મની જેમ કાર્ય બહ્મરૂપ જગત પણ સત્ય છે, જગત મિથ્યા નથી. ઈશ્વર – વલ્લભમતવાદીઓ પરબહ્મને - વિષ્ણુના કૃષ્ણાવતારને પ્રધાન ભાવે પૂજ્ય માને છે. “શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની પ્રેમલીલા વર્ણવવામાં આવી છે. તેમાં શ્રીકૃષ્ણનું જે લીલામય રૂ૫ વર્ણવ્યું છે તે સાત વર્ષના શ્રીકૃષ્ણનું છે. Page #694 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન ૬૬૧ બાળ શ્રીકૃષ્ણની પ્રૌઢ ગોપીઓ સાથેની પ્રેમલીલાઓને દેહની ભૂમિકાએ વિચારવી એ મનોવિકૃતિ છે. તેમના મત અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પરબહ્મનું સગુણ (શરીરધારી) રૂપ છે અને ગોપી એ પરમાત્માને પામવા તલસતા જીવોનું પ્રતીક છે. પરમાત્મા ભક્ત જીવોને આનંદની અનુભૂતિ કરાવવા રાસ રમે છે અને ભક્તજીવરૂપી ગોપીઓ દેહભાન ભૂલીને એ આનંદની ભાગીદાર બને છે. પરમાત્માના આનંદમય રૂપનું નિત્ય સાનિધ્ય અનુભવવા માટે તલસતો જીવ, એનો લેશમાત્ર વિયોગ થતાં વ્યાકુળ થઈ જાય છે અને પરમાત્માના સંયોગ માટે કોઈ પણ દુન્યવી વિપત્તિ સહર્ષ વહોરી લે છે. એ ગોપીઓના વર્તનનો ધ્વનિ છે. બુદ્ધિના સમાધાનપૂર્વક નિર્મળ ભક્તિને રજૂ કરતી યુક્તિઓથી શ્રી વલ્લભાચાર્યે કૃષ્ણભક્તિને ઉચ્ચાસને પ્રતિષ્ઠિત કરી છે. શ્રી રામાનુજાચાર્યે ઉપાસનાપ્રધાન ભક્તિનો પુરસ્કાર કર્યો છે, જ્યારે શ્રી વલ્લભાચાર્ય અર્ચનકીર્તનમયી પ્રેમભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. મોક્ષ ઉપાય – શ્રી વલ્લભાચાર્ય વિદ્વાન તર્કપ્રધાન ભક્ત હતા. તેમણે અન્ય દાર્શનિકો અને લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરી કૃષ્ણભક્તિ ઉપર તર્કસંગતિ તેમજ શાસ્ત્રસમ્મતિની મહોર મારી. તેમણે શ્રીનાથજીની પ્રતિષ્ઠા કરી તેની પૂજનવિધિ નિશ્ચિત કરી. તેમના મત મુજબ જ્ઞાનના બળ વડે પ્રભુને પામવાનું સર્વસુલભ નથી. અનેક મર્યાદાઓ તેમજ નબળાઈઓથી સંસારસાગરમાં ડૂબકાં ખાતો જીવ પરમાત્માનાં અનુગ્રહ અને કરુણા વગર ડગલું પણ આગળ ભરી શકે નહીં. અનાલંબ જીવ માટે પરમાત્માના અનુગ્રહરૂપી પુષ્ટિ જ તરણોપાય છે. શ્રી વલ્લભાચાર્યે પ્રવર્તાવેલા સંપ્રદાયને “પુષ્ટિમાર્ગ' કહેવામાં આવે છે. પાપના પરિણામે મનુષ્યનો આત્મા ક્ષીણ અને દુર્બળ બન્યો છે. એને આધ્યાત્મિક પોષણની ખૂબ જરૂર છે. આ આધ્યાત્મિક પોષણ ઈશ્વરકૃપા જ આપી શકે છે. આ પુષ્ટિમાર્ગનો સંકેત છે. શ્રીકૃષ્ણપ્રીતિ જ્યારે ઉત્કટ બને છે ત્યારે ભક્ત જ્યાં ત્યાં સર્વત્ર શ્રીકૃષ્ણને જ જુએ છે. પરિણામે પ્રત્યેક વસ્તુ તેને માટે પ્રેમનું મંદિર બની રહે છે. સૌની સાથે તે તાદામ્ય સાધે છે. ગોપીઓને આવો અનુભવ થયો હતો. સર્વત્ર તે શ્રીકૃષ્ણને જ જોતી હતી. આનું નામ છે પરાભક્તિ. જેમ વેદાંતીઓનું બ્રહ્મજ્ઞાન, તેવી વૈષ્ણવોની - પુષ્ટિમાર્ગીઓની પરાભક્તિ. પુષ્ટિમાર્ગીઓનું અંતિમ લક્ષ્ય મુક્તિ નથી, પણ સતત શ્રીકૃષ્ણસેવન અને દિવ્ય વૃંદાવનમાં ચાલતી હરિની નિત્ય લીલાઓનું દર્શન છે. ઉપસંહાર – શ્રી વલ્લભાચાર્ય શ્રીનાથદ્વારામાં સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન વિષ્ણુની મૂર્તિના આરાધક હતા. તેઓ પરમાત્માની પ્રેમભક્તિના પુરસ્કર્તા હતા. તેમના અનુયાયીઓ બાળકૃષ્ણની પૂજા કરે છે. વૃંદાવનમાં વસી તેમણે અનેક વિદ્વાનો તેમજ ચિંતકોને ભક્તિમાર્ગે વાળ્યા હતા. અકબરે પણ તેમનાં દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન હતી. ભક્ત સુરદાસ, ભક્ત મીરાં અને ભક્ત નાભાદાસ જેવાં ઉત્તમ વૈષ્ણવ કવિઓ મહાપ્રભુનાં શિષ્યો હતાં. હિંદીના “અષ્ટ છાપ' કવિઓ વલ્લભપ્રતિપાદિત વિષ્ણુ ભક્તિના સમર્થ પ્રચારકો હતા. ગુજરાત, રાજસ્થાન અને વ્રજભૂમિમાં વલ્લભસંપ્રદાય ખૂબ ફૂલ્યોફાલ્યો. શ્રી વિઠ્ઠલ ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી અને શ્રી સ્વરૂપ ગોસ્વામી જેવા સમર્થ અનુયાયીઓએ શ્રી વલ્લભાચાર્યના દાર્શનિક સિદ્ધાંતો અને ભક્તિમાર્ગનો પશ્ચિમ ભારતમાં ખૂબ પ્રચાર કર્યો છે. (II) ઉપસંહાર આ પાંચે આચાર્યોનાં વેદાંત દર્શનમાં સમગ્રતયા બહ્મતત્ત્વની ચર્ચા એ મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આ પાંચે આચાર્યો અને તેમનાં વેદાંત દર્શનને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય – (૧) એક તરફ શ્રી શંકરાચાર્યને અને તેમના નિર્ગુણ - નિર્વિશેષ બહ્મવાદને મૂકી શકાય. તેમના મત પ્રમાણે બહ્મ નિરાકાર, નિર્ગુણ, સચ્ચિદાનંદરૂપ છે. કેવળ એક બ્રહ્મ જ સત્ય છે, બાકી સર્વ જગત માત્ર મિથ્યા છે. જીવ અને બ્રહ્મ બન્ને એક છે. (૨) શ્રી શંકરાચાર્યના નિર્ગુણ બ્રહ્મવાદથી વિરુદ્ધ સગુણ - સવિશેષ બ્રહ્મવાદ છે. જેના મત મુજબ પરમેશ્વર, પરબ્રહ્મ, પુરુષોત્તમ, નારાયણ સર્વોચ્ચ તત્ત્વ છે. પરમેશ્વર દિવ્ય ગુણ, દિવ્ય આકાર અને દિવ્ય વિશેષણો સહિત છે. તેમનું ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવાથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી શંકરાચાર્ય સિવાયના બીજા ચાર આચાર્યો શ્રી રામાનુજાચાર્ય, શ્રી મદ્ગાચાર્ય, શ્રી નિબાર્કાચાર્ય અને શ્રી વલ્લભાચાર્ય શ્રીવિષ્ણુને પરમેશ્વર, ઇષ્ટદેવ માની તેમની ઉપાસના - ભક્તિ દ્વારા મોક્ષનો માર્ગ બતાવે છે. આથી આ ચાર આચાર્યોના માર્ગને વૈષ્ણવ સંપ્રદાય, ભક્તિમાર્ગ, વિષ્ણુપરક બહ્મવાદ તથા સગુણ બ્રહ્મવાદ તરીકે પણ ઓળખાવાય છે. વિષ્ણુપરક સગુણ બહ્મવાદના આ ચાર આચાર્યો તેમના દાર્શનિક મતસિદ્ધાંતની ભિન્નતાના કારણે એકબીજાથી અલગ પડે છે. તે મુજબ વિષ્ણુપરક સગુણ બહ્મવાદના ચાર અવાંતર વિભાગ નીચે પ્રમાણે પડે છે - વિશિષ્ટાદ્વૈતવાદ (શ્રી રામાનુજાચાર્ય), વૈતવાદ (શ્રી મધ્વાચાર્ય), શુદ્ધાદ્વૈતવાદ (શ્રી વલ્લભાચાર્ય) અને વૈતાદ્વૈતવાદ (શ્રી નિંબાર્કાચાર્ય). આ ચારની વિરુદ્ધનો મત તે નિર્ગુણ બ્રહ્મવાદ અથવા કેવલાદ્વૈતવાદ (શ્રી શંકરાચાર્ય) છે. * * * Page #696 -------------------------------------------------------------------------- ________________ સમાપન ભારતીય દર્શનોમાં ઘણો આંતરિક તફાવત હોવા છતાં, ચાર્વાક દર્શનને બાદ કરતાં સર્વ ભારતીય દર્શનોમાં નૈતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિકોણની એકતા જોવા મળે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં વિચારણાની અનેકતા છતાં પણ તેમાં મધ્યવર્તી વિચારની એકતા રહેલી છે. આ દૃષ્ટિએ જોતાં ભારતીય દર્શનોમાં (ચાર્વાક દર્શન સિવાય) નીચેની સર્વસામાન્ય વિશેષતાઓ ગણાવી શકાય ભારતીય દર્શન એ જનજીવનનું દર્શન છે. ભારતીય દર્શન એ માત્ર કાલ્પનિક ઉડ્ડયન નથી, પણ તેમાં માનવજીવનના ધબકારા વ્યક્ત થાય છે. લિસૂફી એ કેવળ વિચારધારા નથી, પણ એક જીવનપથ છે. દા.ત. જૈન દર્શન અને બૌદ્ધ દર્શન આચારશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકે છે. તેમણે જીવનનાં ઉચ્ચ સત્યો અને નિયમોને માનવસમાજમાં વ્યવહારુ બનાવ્યાં છે અને જ્ઞાન વડે આચરણશુદ્ધિની આવશ્યકતા જણાવી છે. બધાં જ દર્શનોએ સંયમ અને અંતર્મુખતા ઉપર ભાર મૂક્યો છે. એનો અર્થ સંસારથી પલાયનવૃત્તિ નથી, પરંતુ જીવનનું એક એવું દિવ્ય રૂપાંતર છે કે જે વડે માનવ આ સંસારનાં દુ:ખ, કષ્ટ, મોહ, માયા વગેરેના ચક્રમાંથી નીકળી શકે. બધાં દર્શનો ધર્મદ્રષ્ટિ સાથે પ્રગાઢ રીતે સંકળાયેલાં છે. અંગ્રેજી ભાષામાં જેને ethics (સદાચાર) અને religion (ઈશ્વરોપાસના) કહે છે તે બન્નેનો સમાવેશ સંસ્કૃત ભાષાના ‘ઘર્મ’ શબ્દમાં થઈ જાય છે. ધર્મ ધારણ કરે છે, ટકાવી રાખે છે; અર્થાત્ ધર્મ અધોગતિમાંથી બચાવે છે અને જીવની રક્ષા કરે છે. તત્ત્વજ્ઞાન એ ધર્મનું બૌદ્ધિક પાસું છે. સત્ય અથવા વસ્તુના સ્વરૂપની એ સયુક્તિક મીમાંસા છે. જીવનની રહસ્યમય ઊંડી સમસ્યાઓનો એ સ્પષ્ટ ઉકેલ આપે છે. ધર્માચરણ વિનાનું તત્ત્વજ્ઞાન પ્રતિષ્ઠાવાળું નથી, પંગુ છે; જ્યારે તત્ત્વજ્ઞાન વિનાનું ધર્માચરણ અંધ છે, સંકુચિત ભાવ અને જડતા પ્રગટ કરે છે. ધર્મ એ સમગ્ર પ્રજાના અંતરાત્માએ માન્ય રાખેલા આચારોની સ્મૃતિ છે. ભારતીય દર્શનો કહે છે કે ધર્મના માર્ગે ચાલવાથી સત્યનો સાક્ષાત્કાર સત્યનું દર્શન થાય છે. ધર્મથી સદાચારને પોષણ અને ઉત્તેજન મળે છે. એ તેનું વિશિષ્ટ લક્ષણ છે. ભારતીય દર્શનોએ નીતિમત્તાના વિકાસ ઉપર ભાર મૂક્યો છે. સુશિક્ષિત ચાર્વાકોએ પણ સુખવાદમાં ગુણાત્મક ભેદનો સ્વીકાર કર્યો છે. મુક્તિપથ ઉપર ચાલનાર દરેક માટે પ્રથમ નૈતિક આચરણ જરૂરી માન્યું છે. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, વેદાંત એમ બધાં જ દર્શનોમાં વિભિન્ન નૈતિક નિયમોની વિશદ્ વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતીય વિચારકો કેવળ નીતિધર્મ કે સદાચાર આગળ અટકી ન જતાં તેથી આગળ મુક્તિ પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં સારભૂત વસ્તુ એ 1 Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬િ૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેનો અધ્યાત્મવાદ છે. આત્માના અસ્તિત્વમાં દઢ વિશ્વાસ અને તેના મૂળ સ્વરૂપને જાણવાની ઇચ્છા એ જ માનવજિજ્ઞાસાનું લક્ષ્ય છે. આ આધ્યાત્મિક લક્ષ્ય ભારતીય દર્શનોને તેનાં નીતિશાસ્ત્ર અને ધર્મના ક્ષેત્રથી ઉપર ઉઠાવે છે. મુક્તિનો માર્ગ હંમેશાં આત્મવિકાસનો માર્ગ મનાયો છે અને મોક્ષને અંતિમ આદર્શ માની તેની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવા માટે ભારતીય તત્ત્વજ્ઞાન શીખ આપે છે. પ્રો. હિરિયાણા લખે છે કે – “ભારતીય તત્ત્વજ્ઞાનનાં સર્વ દર્શનોમાં આ બે તત્ત્વો સમાન છે - મોક્ષને અન્તિમ આદર્શ માની તેની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ; અને તેની સિદ્ધિ માટે બતાવેલી સાધનામાં રહેલી ત્યાગ અને સંન્યાસની ભાવના. આ બે વસ્તુઓ એમ સૂચવે છે કે ભારતવર્ષમાં જેને તત્ત્વજ્ઞાન માન્યું છે તે નર્યો બુદ્ધિવાદ નથી તેમ નર્યો નીતિધર્મ પણ નથી. એ તત્વજ્ઞાન બુદ્ધિવાદ અને નીતિધર્મ બંનેને પોતાના સ્વરૂપમાં સમાવી લે છે; પણ એટલેથી ન અટકતાં આગળ જાય છે.” વ્યક્તિનો પ્રયત્ન ઉચ્ચતર પરમાનંદની પ્રાપ્તિનો છે. તે પરમાનંદનું સ્વરૂપ દરેક દર્શનમાં ભલે ભિન્ન હોય, તેની પ્રાપ્તિ માટેના માર્ગો પણ ભિન્ન બતાવ્યા હોય, છતાં પશ્ચિમના દેશોની જેમ ભારતમાં માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન નહીં, પણ મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાનપ્રાપ્તિની આવશ્યકતા બતાવી છે. દુઃખમાંથી મુક્ત થવાની ઝંખનાએ ભારતીય દર્શનોને જન્મ આપ્યો છે. તેનો ઉદ્દેશ જગતનાં પ્રાણીઓને દુઃખમુક્તિનો માર્ગ દેખાડવાનો છે. દુઃખ અને અજ્ઞાનથી મુક્ત કરે એ જ સાચું જ્ઞાન. જ્ઞાનપ્રાપ્તિ દ્વારા જ અંતિમ આદર્શ સિદ્ધ થાય છે. ચાર્વાક દર્શન સિવાય સહુ આ મંતવ્યને ટેકો આપે છે. ભારતીય વિચારકો એકી અવાજે કહે છે કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો સમૂલ નાશ શક્ય છે (મોક્ષ) અને દુ:ખનો સમૂલ નાશ કરવાનો ઉપાય છે. અવિદ્યા અથવા અજ્ઞાન સર્વ દુઃખ અને અનિષ્ટોનું મૂળ છે અને વિદ્યા અથવા જ્ઞાન તેમાંથી મુક્તિ અપાવે છે. આ અજ્ઞાન જ માનવીને સંસારપાશમાં જકડી રાખે છે. એ અજ્ઞાન દૂર કરી સમ્યજ્ઞાન કરાવવાનો ભારતીય તત્ત્વજ્ઞાનનો આદર્શ છે. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી જાત અને જગત પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. દરેક દર્શન તે જ્ઞાનપ્રાપ્તિ માટેનાં સાધનોનું તથા સાધનામાર્ગનું નિરૂપણ કરે છે. આધ્યાત્મિક અનુભવ ઉપર વિશેષ ભાર મૂકવા છતાં બૌદ્ધિક કસોટીમાં પાર ઊતરે એવાં અનેક સત્યોનું ભારતીય દર્શન નિરૂપણ કરે છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું મૂળ સ્વના સાક્ષાત્કારમાં હોવા છતાં તે તર્ક અને દલીલને યોગ્ય સ્થાન આપે છે. શ્રી ૧- પ્રો. હિરિયાણા, ‘ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા', પૃ.૨૮ (ગુર્જરાનુવાદ : ડૉ. ઇન્કલાબહેન ઝવેરી) Page #698 -------------------------------------------------------------------------- ________________ પદર્શનપરિચય - સમાપન ૬૬૫ શંકરાચાર્ય તર્ક વડે જ તર્કની પ્રતિષ્ઠા કરે છે. શ્રુતિમાં પરસ્પર વિરોધ જણાય ત્યારે તર્કનો આશ્રય લેવાની વાત તેમણે કરી છે. ભારતીય દર્શનનું સ્વરૂપ ધાર્મિક છે અને તેમાં સત્યની શોધ સ્વતંત્રપણે કરવામાં આવી છે. સર્વ મતમતાંતરોને તેમાં સ્થાન મળેલ છે. ખંડન-મંડનની પ્રવૃત્તિથી સિદ્ધાંતોની પુષ્ટિ કરી તેને વ્યવહારનો પુટ આપવામાં આવ્યો છે. આમ, તર્કશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા અધ્યાત્મ અને વ્યવહારુ શાસ્ત્રદષ્ટિ - બધાંનો સમાવેશ તેમાં થાય છે. કર્મના નિયમમાં આસ્થા એ ભારતીય દર્શનનું અગત્યનું લક્ષણ છે. જગતની નૈતિક સુવ્યવસ્થાના મૂળ કારણરૂપ કર્મસિદ્ધાંતને ચાર્વાક સિવાય પ્રત્યેક દર્શન સ્વીકારે છે. ધર્માધર્મરૂપ (શુભાશુભ) કર્મફળ દ્વારા રોજિંદા જીવનની ઘટમાળનું સંચાલન થતું રહે છે. કર્મનો નિયમ સર્વને બંધનકારક છે. દરેકને પોતાનાં કરેલાં કર્મનું ફળ મળે જ છે. એ આ જન્મમાં મળે કે પછીના જન્મમાં પણ મળે. કર્માનુસાર જીવને ભિન્ન ભિન્ન શક્તિ-વાળાં શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે, તેમજ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે; પરંતુ પ્રાપ્ત સાધનાદિનો શું ઉપયોગ કરવો અને અમુક વાતાવરણ કે પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા કરવી તેમાં જીવ સ્વતંત્ર છે. જીવ પોતાના પ્રયત્નથી પૂર્વકની અસરને હળવી કે નષ્ટ કરી શકે છે. આત્મા ઉપર કર્મનું નહીં, પણ કર્મ ઉપર આત્માનું આધિપત્ય છે. કર્મના સિદ્ધાંત જોડે જ પુનર્જન્મનો સિદ્ધાંત જોડાયેલ છે. પાપ-પુણ્યનો ઉપભોગ અનિવાર્ય છે. ચાર્વાક દર્શનને બાદ કરતાં સર્વ વૈદિક-અવૈદિક દર્શનો કર્મસિદ્ધાંત અને પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે. ભારતીય ઋષિઓની વિશાળ અને સર્વતોમુખી જીવનદૃષ્ટિએ ભારતીય તત્ત્વજ્ઞાનને એકાંગી થતું બચાવ્યું છે અને એને સર્વદેશીયતા બક્ષી છે. સમગ્ર જગતમાં એક ભારત જ એવો દેશ છે કે જ્યાં પરસ્પર વિરોધી મત પણ એકીસાથે ફૂલીફાલી શકે છે. પરમસહિષ્ણુતા એ ભારતીય સંસ્કૃતિનું ભૂષણ છે. ભારતમાં સામાજિક બંધનો એટલાં તો કડક હતાં કે એને તોડવાનું કામ સહેલું ન હતું; તેમ છતાં ધાર્મિક શ્રદ્ધા પરત્વે સ્વતંત્રતા હતી. ધર્મનું બંધન સામાજિક ન હતું, પરંતુ વ્યક્તિગત હતું. તેથી તો આ ભૂમિમાં એકસાથે વૈદિક-અવૈદિક, વૈત-અદ્વૈત વગેરે વાદો અસ્તિત્વમાં આવ્યા; એટલું જ નહીં પણ પાખંડીઓ, નાસ્તિકો, ભૌતિકવાદીઓ, સુખવાદીઓ વગેરે પણ અહીં નિર્વિઘ્ન પોતપોતાની માન્યતાનો પ્રચાર કરવાની છૂટ લઈ શકતા. વિભિન્ન દાર્શનિક સિદ્ધાંતોની ક્રિયા-પ્રતિક્રિયા વચ્ચે પણ ભારતીય દર્શન સદૈવ પ્રગતિશીલ રહ્યું છે, તે એની ઉદાર, સહિષ્ણુ, વ્યાપક અને વિશાળ દષ્ટિનું દ્યોતક છે અને તેથી ભારતીય દર્શન આજ પર્યત જીવંત રહ્યું છે. Page #699 -------------------------------------------------------------------------- ________________ Page #700 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ પરિશિષ્ટ - ૨ સંદર્ભગ્રંથસૂચિ Page #701 -------------------------------------------------------------------------- ________________ Page #702 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ | ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ અધ્યાત્મોપનિષદ્ કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભુવનભટૂંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર, વિ.સં. ૨૦૪૨ ૩૪, ક્રિશ્ચપ્પનીકન ટેંક સ્ટે. અધ્યાત્મકલ્પદ્રુમ |કર્તા, આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વિ.સં. ૨૦૪૨ ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬ અધ્યાત્મ મત-પરીક્ષાકર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર અધ્યાત્મસાર કર્તા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શેઠ નરોત્તમદાસ ભાણજી, ઈ.સ.૧૯૧૬ ૨૨, છીપીચાલ, મુંબઈ અનગાર ધર્મામૃત કર્યા. પંડિત પ્રવર આશાધર શ્રી માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા ઈ.સ.૧૯૭૭ સમિતિ, હીરાબાગ, મુંબઈ-૪ અન્યયોગ-વ્યવચ્છેદ-કર્તા કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી શ્રી નવરંગપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક (વિ.સં. ૨૦૩૭ દ્વાત્રિશીકા હેમચંદ્રસૂરિજી સંઘ, શ્રીમાળી સોસાયટી, અમદાવાદ-૯ અભિધાનચિંતામણિકર્તા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા, વિ.સં. ૨૦૩૨ નામમાલા હેમચંદ્રસૂરિજી અમદાવાદ, ગુજરાત આત્મસિદ્ધિ અનુ. પંડિત બેચરદાસજી શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, વિ.સં.૧૯૭૫ સંડહસ્ટ્ર રોડ, ગિરગાંવ, મુંબઈ આત્માનુશાસન કર્તા, આચાર્યશ્રી ગુણભદ્રજી શ્રી પરમકૃત પ્રભાવક મંડળ, વિ.સં ૨૦૪૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ આપ્તપરીક્ષા કર્તા. શ્રી વિદ્યાનંદજી વીર સેવા મંદિર, ઈ.સ.૧૯૪૯ સરસવા, જિ. સહારનપુર આપ્તમીમાંસા કર્તા આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી મુનિ અનંતકીર્તિગ્રંથમાલા, (દેવાંગમસ્તોત્ર) કાલબાદેવી રોડ, મુંબઈ આરાધનાસાર કર્તા. આચાર્યશ્રી દેવસેનજી માણિકચંદ દિગમ્બર જૈન ગ્રંથમાલા વિ.સં. ૧૯૭૩ સમિતિ, હીરાબાગ, મુંબઈ-૪ આલાપપદ્ધતિ કર્તા આચાર્યશ્રી દેવસેનજી. શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર ઈ.સ.૧૯૭૭ જૈન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર | ઇરોપદેશ કર્તા. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, વિ.સં. ૨૦૩૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ગ્રંથ ઉપદેશમાલા ઉપદેશમાલાની હેયોપાય ટીકા ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા ઉપદેશપદ મહાગ્રંથ કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિ ટીકા. આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી ઉપમિતિભવ પ્રપંચાકથા કઠોપનિષદ્ કર્મગ્રંથ ઉપદેશપદ મહાગ્રંથની વિવૃતિકર્તા. આચાર્યશ્રી સુખસમ્બોધની વિવૃત્તિ ઉપદેશસ્ય કાસપાહુડ કારિકાવલી કાર્તિકેયાનુપ્રેક્ષા કુવલયમાલા કાવ્યપ્રકાશ કૌપીતની ઉપનિષદ ગુરુગીતા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ગુરુવંદનભાષ્ય ગ્રંથકર્તાઅનુવાદક વિવેચક/સંપાદક કતિ. ગણશ્રી ધર્મદાસજ ટીકા. શ્રી સિદ્ધશ્રીગણિ મુનિસુંદરસૂરિ કર્તા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કર્તા. શ્રી નેમિચંદ્ર ભંડારી કર્યાં. શ્રી સિદ્ધષિગવિજ કર્તા. આચાર્યશ્રી વીરસેન કર્તા. શ્રી વિશ્વનાથ પંચાનન કર્તા. શ્રી કાર્તિકેયસ્વામી કાઁ, કી મમ્મટાચાર્યજી પ્રકાશક પંડિત હીરાલાલ હંસરાજ, જામનગર કર્તા. શ્રી શંકરાચાર્ય પંડિત હીરાલાલ હંસરાજ, જામનગર શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, ૭, ત્રીજો ભોઈવાડો, ભુલેશ્વર, મુંબઈ-૨ શ્રીમન્મુક્તિકમલ જૈન મોહનમાલા, કોઠિપોલ, વડોદરા શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ, ૧૦૬, એમ.વી. રોડ, ઈતિબીજ, મુંબઈ શેઠ દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ, ૪૨૬, ઝવેરી બજાર, મુંબઈ કર્તા, આચાર્યશ્રી ઉદ્દાતનસૂરિજી આનંદહેમગ્રંથમાળા, ભારતીય દિગંબર જૈન સંઘ, ચૌરાસી, મધુરા તુકારામ જાવજી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૪૨૫૦, સૌરાષ્ટ્ર પ્રકાશનવર્ષ ઈ.સ.૧૯૩૯ શ્રી મધ્ય ક્ષેત્રીય દિગંબર જૈન મુમુક્ષુ મંડળ વિ.સં ૨૦૪૦ સંઘ, સાગર, (મ.પ્ર.) પ૦પ૪ મીરઝા સ્ટ્રીટ, ચોથે માળે, મુંબઈ ભાાકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, |ના એસિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ કેશવ ભીખાજી ધાવલે, ગીરગાંવ, મુંબઈ-૪poor વિ.સં૧૯૯૪ વિ.સં.૨૦૪, ઈ.સ.૧૯૨૩ આનન્દ્રાશ્ચમ મુન્નાલય ઈ.સ.૧૯૯૪ શ્રીમદ્ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા વિ.સં ૨૦૪૨ અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા વિ.સં. ૨૦ વિ.સં.૧૯૭ ઈ.સ.૧૯૪૪ ઈ.સ.૧૯ વિ.સં ૨૦૪૩ ઈ.સ.૧૯૬૫ ઈ.સ ૧૯૬૫ ઈ.સ ૧૯૬૧ ઈ.સ.૧૯૭૪ શ્રીમદ્ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાવિ.સં ૨૪૨ અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા Page #704 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સંદર્ભગ્રંથસૂચિ ૬૭૧ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક | પ્રકાશક પ્રકાશનવર્ષ ગોમ્મસાર કર્તા, સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ગો—ટસાર જીવતત્ત્વકિર્તા સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી ભારતીય જ્ઞાનપીઠ, ઈ.સ.૧૯૭૮ પ્રદીપિકા ટીકા ટીકા. શ્રી કેશવવર્ણ ૧૮, ઇન્સિટટ્યૂશનલ એરિયા, લોદી રોડ, મંદપ્રબોધિકા ટીકા | આચાર્યશ્રી અભયચંદ્રજી કનૉટ પ્લેસ, નવી દિલ્હી-૧૧૦૦૦૧ ગૌડપાદીકારિકા કર્તા. શ્રી ગૌડપાદાચાર્યજી |ધનશ્યામ જાલન, ગીતાપ્રેસ, ગોરખપુર વિ.સં. ૨૦૦૯ ગૌતમધર્મસૂત્રાણિ ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ, વિ.સં. ૨૦૨૩ વારાણસી-૧ ચઉપગ્નમહાપુરિસ કિર્તા, આચાર્યશ્રી સીલકજી પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, ઈ.સ. ૧૯૬૧ ચરિયું વારાણસી-૫ ચારિત્રપાહુડ કર્યા. આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર વિ.સં. ૨૦૨૫ જૈિન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર છાન્દોગ્ય ઉપનિષદ્ આનન્દાશ્રમ મુદ્રણાલય ઈ.સ.૧૯૧૩ (૩ આવૃત્તિ). જ્ઞાનસાર કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી કૈલાશ કંચન ભાવસાગર શ્રમણ વિ.સં. ૨૦૪૨ સંઘ સેવા ટ્રસ્ટ, ૧૧૭/૬ જવાહર નગર, રિોડ નં. ૮, ગોરેગાંવ (વે.) મુંબઈ-૬૨ જ્ઞાનાર્ણવ કર્તા, આચાર્યશ્રી શુભચંદ્રજી શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ, ઈ.સ. ૧૯૨૭ ઝવેરી બજાર, મુંબઈ-૨ તત્ત્વજ્ઞાનતરંગિણી કર્તા ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ સાધના કેન્દ્ર, વિ.સં.૨૦૫૪ તારદેવ, મુંબઈતત્ત્વબોધ ક, આદિ શંકરાચાર્યજી સેન્ટ્રલ ચિન્મય મિશન ટ્રસ્ટ, ઈ.સ.૧૯૯૦ વિવે, શ્રી તેજોમયાનંદજી ૩૬, ત્રિનિધિ, ઘોડદોડરોડ, સુરત તત્ત્વાર્થસાર કિર્તાઆચાર્યશ્રી અમૃતચંદ્રદેવ શ્રી ગણેશપ્રસાદ વર્ણ ગ્રંથમાલા, ઈ.સ.૧૯૭૦ ૧/૧૨૮, ડુમરાવ બાગ, વારાણસી-૫ તવાનુશાસન કર્તા. આચાર્યશ્રી રામસેનજી શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ, ઈ.સ.૧૯૮૬ જેતપુર, સૌરાષ્ટ્ર તિલોય-પત્તી કર્તા. આચાર્યશ્રી પતિવૃષભજી જૈિન-સંસ્કૃતિ સંરક્ષક સંધ, ઈ.સ.૧૯૫૬ શોલાપુર તૈત્તિરીય ઉપનિષદ્ આનન્દાશ્રમ મુદ્રણાલય ઈ.સ.૧૯૦૯ ત્રિલોકસાર કિર્તા, સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી શ્રી માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા વિ.સં. ૨૪૪૪ સમિતિ, હીરાબાગ, ગિરગાંવ, મુંબઈ Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ ત્રિષષ્ટિ શલાકા કર્તા કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી - શ્રી જૈનધર્મ પ્રસારક સભા, વિ.સં. ૨૦૪૧ પુરુષ ચરિત્ર હેમચંદ્રસૂરિજી ભાવનગર દર્શનપાહુડ કર્તા આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર વિ.સં. ૨૦૨૫ જૈન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર દર્દેશ્યવિવેક કર્તા શ્રી શંકરાચાર્યજી સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.સ.૧૯૭૧ ભદ્ર પાસે, અમદાવાદ દ્રવ્યસંગ્રહ કર્તા, સિદ્ધાંતચક્રવર્તી શ્રી દિગંબર જૈન સંઘ, વિ.સં.૨૦૨૯ શ્રી નેમિચંદ્રજી રાજકોટ, (સૌરાષ્ટ્ર) દ્રવ્યસ્વભાવપ્રકાશ કર્તા શ્રી માઈલધવલજી ભારતીય જ્ઞાનપીઠ, ઈ.સ.૧૯૭૧ નયચક્ર દુર્ગાકુષ્ઠ માર્ગ, વારાણસી-૫ દ્વાત્રિશત દ્વાત્રિશિકા કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વર ઈ.સ.૧૯૮૧ આરાધના ટ્રસ્ટ, રતલામ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા કર્તા આચાર્યશ્રી સિદ્ધસેન શ્રી વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, ઈ.સ.૧૯૭૭ દિવાકરજી બોટાદ, સૌરાષ્ટ્ર દ્વાદાનુપ્રેક્ષા કર્તા શ્રી કાર્તિકેયસ્વામી શ્રી નેમિચંદ્ર પાટની, વી.સં. ૧૪૭૭ રાજસ્થાન ધમ્મપદ સંપા. શ્રી સત્કારિ શર્મા વડીય ચીખમ્બા વિદ્યાભવન, ઈ.સ.૧૯૯૨ વારાણસી-૨૨૧૦૦૧ ધર્મસંગ્રહ કિર્તા શ્રી માનવિજયમહોપાધ્યાય શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, ઈ.સ.૧૯૮૭ ૭, ત્રીજો ભોઈવાડો, ભુલેશ્વર, મુંબઈ-૨ ધર્મસંગ્રહ કિર્તા શ્રી માનવિજયમહોપાધ્યાય શ્રી જૈન આત્માનંદ સભા, ઈ.સ.૧૯૮૭ ભાવનગર ધવલા કિર્તા, આચાર્યશ્રી વીરસેનજી જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, ઈ.સ. ૧૯૯૨ પલટણ ગલ્લી, સોલાપુર-૨ (૨ આવૃત્તિ) નયચક્રાદિ સંગ્રહ કર્તા, આચાર્ય શ્રી દેવસેનજી શ્રી માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા વિ.સં.૧૯૭૭ સમિતિ, ગીરગાંવ, મુંબઈ નિયમસાર કર્તા આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ઈ.સ.૧૯૫૧ સંસ્કૃત ટીકા, શ્રી પદ્મપ્રભમલધારીજી સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર ન્યાયદીપિકા કર્તા. ધર્મભૂષણ યતિ શ્રી જૈનગ્રન્થરત્નાકર કાર્યાલય વી.સં. ૨૪૩૯ મુંબઈ ન્યાયમંજરી કિર્તાશ્રી જયંત ભટ્ટ ઈ.જે. લેઝરસ એન્ડ કંપની, ઈ.સ.૧૮૯૫ બનારસ Page #706 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સંદર્ભગ્રંથસૂચિ ૬૭૩ ગ્રંથકર્તા અનુવાદક/વિવેચક/સંપાદક | પ્રકાશક પ્રકાશનવર્ષ ન્યાયવાર્તિક કર્તા. શ્રી ઉદ્યોતકરજી ઇન્ડોવિઝન પ્રાઈવેટ લિમિટેડ, ઈ.સ.૧૯૮૬ ૨૨૦, નહેરુ નગર, ગાજિયાબાદ-૧ ન્યાયસૂત્ર કર્તા, શ્રી ગૌતમ મુનિ ઓરિએંટલ બુક એજન્સી, ઇ.સ. ૧૯૩૯ ૧૫, શુક્રવાર પેઠ, પુના-૨ પદ્મનંદિ પંચવિશતિ કર્તા આચાર્યશ્રી પદ્મનંદિસ્વામી શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, વિ.સં. ૨૦૩૫ ૬૦૨, માણેકવાડી, ભાવનગર-૩૬૪૦૦૨ પરમાત્મદર્શન કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી પોપટલાલ કેશવજી દોશી પંચવિંશતિ સાથે (સજ્જન સન્મિત્ર) પરમાત્મપ્રકાશ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ઈ.સ. ૧૯૯૨ સંસ્કૃતટીકા. શ્રી બહ્મદેવ સ્ટે અગાસ, પો.બોરિયા, વાયા આણંદ (૩ આવૃત્તિ) પંચવસ્તુ કર્તા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, વિ.સં. ૨૦૪૫ હરિભદ્રસૂરિજી ૭, ત્રીજો ભોઈવાડો, ભુલેશ્વર, મુંબઈ-૨ પંચસંગ્રહ કર્તા, આચાર્યશ્રી ચંદ્રમહત્તરજી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ઈ.સ. ૧૯૭૧ અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા પંચસૂત્ર કર્તા, આચાર્યશ્રી ચિરંતનજી ભાવનગર શ્રાવિકા સમાજ વિ.સં. ૧૯૮૩ પંચાધ્યાયી કિર્તાપંડિત રાજમલ શ્રી રામજીભાઈ વકીલ શતાબ્દી સાહિત્ય ઈ.સ. ૧૯૮૮ ટ્રસ્ટ, ૧૬૬/૧, કલાનિધિ જૈન સોસાયટી, શિવ, મુંબઈ-૪૦૦૦૦૨ પંચાશક પ્રકરણ કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રી ષભદેવજી કેશરીમલજીત્યભિધા ઈ.સ. ૧૯૪૧ શ્વેતામ્બર સંસ્થા, માલવદેશ કર્તા આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી કુંદકુંદ કહાન દિગંબરજૈન તીર્થ સુરક્ષા ઈ.સ.૧૯૯૦ સમયવ્યાખ્યા ટીકા ટીકા, આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ટ્રસ્ટ, એ-૪, બાપૂનગર, જયપુર-૧૫ પંચાસ્તિકાયની ટીકા ટીકા, આચાર્યશ્રી જયસેનજી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વિ.સં. ૨૦૧૪ તાત્પર્યવૃત્તિ સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર પુરુષાર્થસિદ્ધિ-ઉપાય કર્તા, આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વિ.સં. ૨૦૨૨ સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર પ્રમાણનયતત્ત્વલોક કર્તા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રી મોતીલાલ ડાહ્યાભાઈ ઝવેરી ઈ.સ.૧૯૯૪ પ્રમેયકમલમાર્તડ કિર્તા, આચાર્યશ્રી પ્રભાચંદ્રજી નિર્ણયસાગર પ્રકાશક ઈ.સ.૧૯૪૧ પ્રવચનસાર કર્તા. આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી કુન્દકુન્દ કહાન સર્વોદય ટ્રસ્ટ, ઈ.સ.૧૯૯૨ તત્ત્વદીપિકા ટીકા ટીકા, આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ એ-૪, બાપૂનગર, જયપુર-૩૮૨૦૧૫ તાત્પર્યવૃત્તિ ટીકા ટીકા, આચાર્યશ્રી જયસેનજી નિકાય Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક | પ્રકાશક પ્રકાશનવર્ષ પ્રવચનસારોદ્ધાર કર્તા, આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ ઇ.સ. ૧૯૮૮ ગોપીપુરા સંઘ, સુરત પ્રશમરતિ કર્તા, આચાર્યશ્રી ઉમાસ્વાતિજી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઈ.સ.૧૯૮૬ ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬ બારસ અણુવેન્બા કિર્તા, આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્ર, વિ.સં. ૨૦૪૫ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા-૩૮૨૦૦૯ બૃહદારણ્યક ઉપનિષ ગીતા પ્રેસ, વિ.સં.૨૦૧૨ ગોરખપુર બોધપાહુડી કર્તા, આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર વિ.સં. ૨૦૨૫ જૈિન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર | બહ્મસૂત્ર કર્તા શ્રી શંકરાચાર્યજી અશ્રુત ગ્રંથમાલા કાર્યાલય, વિ.સં.૧૯૯૨ સંપા. શ્રી ચંડીપ્રસાદ શુક્લ કાશી - પંડિત કૃષ્ણવંત શાસ્ત્રી ભક્તામરસ્તોત્ર કર્તા, આચાર્યશ્રી માનતુંગજી શ્રેયસ પ્રચારક સભા, ઈ.સ.૧૯૮૩ મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧ ભગવતી આરાધના કર્તા, આચાર્યશ્રી શિવકોટિજી બલાત્કારગણ જૈન પબ્લિકેશન સોસાયટી, ઈ.સ. ૧૯૩૫ કારંજા ભાવપાહુડ કર્તા, આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર વિ.સં.૨૦૨૫ જૈન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર મહાપુરાણ કર્તા મહાકવિ પુષ્પદંતજી | ભારતીય જ્ઞાનપીઠ, ૧૮, ઇન્સ્ટિટ્યૂશનલ એરિયા, લોદી રોડ, કનૉટ પ્લેસ, નવી દિલ્હી-૧૧૦૦૦૧ મહાભારત સંપા. ડૉ. પંડિત શ્રીપાદ દામોદર સ્વાધ્યાય મંડળ, ઈ.સ.૧૯૭૯ સાતવલેકર જિલ્લા પારડી, ગુજરાત મિલિન્દ-પ્રશ્ન ધર્મોદય સભા, ઈ.સ.૧૯૬૧ ૪, રામજીદાય જોટિયા લેન, કલકત્તા-૭ મુણ્ડકોપનિષદ્ આનન્દાશ્રમ મુદ્રણાલય, ઈ.સ.૧૯૦૯ મૂલાચાર કિર્તા આચાર્યશ્રી વટ્ટકેરજી ભારતીય જ્ઞાનપીઠ, ઈ.સ. ૧૯૯૨ ૧૮, ઇન્સ્ટિટ્યૂશનલ એરિયા, લોદી રોડ, કનૉટ પ્લેસ, નવી દિલ્હી-૧૧૦૦૦૧ મોક્ષપાહુડ કિર્તા, આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર વિ.સં.૨૦૨૫ જૈિન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર | Page #708 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ૬૭૫ ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ મોક્ષસૂત્ર કિર્તા, આચાર્યશ્રી ઉમાસ્વાતિજી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વી.સં. ૨૪૭૫ સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર મૈત્રી ઉપનિષદ્ એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ ઈ.સ.૧૮૭૦ યજુર્વેદ સંપા. શ્રીરામ શર્મા આચાર્ય સંસ્કૃતિ સંસ્થાન, ઈિ.સ. ૧૯૬૫ બરેલી યોગદર્શન કિર્તા શ્રી પાતંજલિ શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, વી.સં ૨૪૪૮ આમા યોગદૃષ્ટિસમુચ્ચય કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, વિ.સં. ૨૦૭૪ ઘાટકોપર, મુંબઈ-૪૦૦૦૭૭ યોગબિંદુ કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રી બુદ્ધિસાગર જૈન જ્ઞાનમંદિર, વિ.સં.૨૦૦૭ વિજાપુર યોગશાસ્ત્ર કર્તા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ઈ.સ.૧૯૬૯ હેમચંદ્રસૂરિજી ફંડ, ૩૨૭, વી.પી. રોડ, મુંબઈ-૪ યોગસાર કર્યા. આચાર્યશ્રી યોગીન્દ્રદેવ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, ઈ.સ.૧૯૮૨ સ્વામી વિવેકાનંદ રોડ, વિલેપાર્લે, મુંબઈ યોગસાર કિર્તા, આચાર્યશ્રી અમિત તિજી શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, વિ.સં. ૨૦૩૪ ૬૦૨ માણેકવાડી, ભાવનગર-૩૬૪૦૦૨ યોગસાર કિર્તા, આચાર્યશ્રી ચિરંતનજી જૈિન સાહિત્ય વિકાસ મંડળ, વિ.સં. ૨૦૩૪ સ્વામી વિવેકાનંદ રોડ, વિલેપાર્લે, મુંબઈ રત્નકરંડ શ્રાવકાચાર કર્યા. આચાર્યશ્રી સમતભદ્રજી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વી.સં. ૨૪૭૫ સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર રયણસારે કર્તા. આચાર્યશ્રી કુંદકુંદદેવ તારાચંદ જૈન માલિક ફર્મ, ઈ.સ.૧૯૭૯ યુનાઇટેડ ઑટો સ્ટોર્સ, જયપુર રસગંગાધર કર્તા. પંડિત જગન્નાથ ચૌખમ્બા વિદ્યા ભવન, વિ.સં. ૨૦૧૧ ચૌક, બનારસ-૧ રાયપાસેણઈય સૂત્ર સંપા. પંડિત બેચરદાસ જીવરાજ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, વિ.સં.૧૯૯૪ દોશી ગાંધી રસ્તો, અમદાવાદ લબ્ધિસાર કર્તા સિદ્ધાંતચક્રવતી શ્રી નેમિચંદ્રજી|શ્રી પરમકૃત પ્રભાવક મંડળ, વિ.સં. ૧૯૯૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ લોકતત્ત્વનિર્ણય કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રી હંસવિજયજી જૈન ફ્રી લાયબ્રેરી વિ.સં.૧૯૭૮ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ લોકપ્રકાશ કર્તા, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર વિ.સં. ૧૯૮૮ ફંડ, શેઠ દેવચંદ લાલભાઈ ધર્મશાળા, બેડખાન, ચકલા, સુરત વસુનંદિ શ્રાવકાચાર સંપા. પંડિત હરિલાલ જૈન ભારતીય જ્ઞાનપીઠ, વિ.સં.૧૯૫૨ દુર્ગાકુષ્ઠ માર્ગ, બનારસ-૫ વિવેકચૂડામણિ કર્તા. શ્રી શંકરાચાર્યજી મનન અભ્યાસ મંડળ, ઈ.સ.૧૯૯૫ સરદાર પુલ પાસે, ઝાડેશ્વર-૩૯૨૦૧૧ | વિશેષાવશ્યકભાણ કર્તા. આચાર્યશ્રી જિનભદ્રજી શ્રી જિનશાસન રક્ષા સમિતિ, ઈ.સ.૧૯૮૭ (ગણધરવાદ) મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, ભુલેશ્વર, એલ૨૧૨ પાંજરાપોળ લેન, મુંબઈ-૪ વિશતિ વિંશિકા કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ગુજરાત કોલેજ, ઈ.સ.૧૯૩૨ અમદાવાદ વિષાપહારસ્તોત્ર કર્તા, મહાકવિ શ્રી ધનંજયજી કુંદનલાલ, વીરેન્દ્રકુમાર જૈન વિ.સ. ૨૦૧૩ સન્મતિ-કુટીર ચંદનવાડી, મુંબઈ-૪ વીતરાગસ્તવ કર્તા કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી ગુજરાત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, હેમચંદ્રસૂરિજી મીન્ટ સ્ટ્રીટ, મદ્રાસ વૈરાગ્યકલ્પલતા કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી દ્િવચન્દ્રાત્મજૈન હીરાલાલ, વિ.સં.૧૯૧૧ અમદાવાદ શતપથબ્રાહ્મણ પ્રાચીન વૈજ્ઞાનિકાધ્યયન-અનુસંધાન સંસ્થા ઈ.સ.૧૯૭૦ ૨૬/૧૩૯-૧૪) વેસ્ટ પટેલ નગર, દિલ્લી | શાસ્ત્રવાર્તાસમુચ્ચય કર્તા, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રી વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, વિ.સં. ૨૦૧૦ બોટાદ, સૌરાષ્ટ્ર શાણ્ડિલ્યોપનિષ સંસ્કૃતિ સંસ્થાન, વિ.સં ૨૦૧૮ બરેલ વિ.સં.૧૯૫૧ વિ.સં. ૨૦૪૧ શાંતિશતકમ્ |કર્તા, કવિશ્રી શિલ્હન મિશ્ર શ્રી કેવલરામ ચટોપાધ્યાય, ૩૮૧, કલુટોલા સ્ટ્રીટ, વનવાસ શ્રી આચારાંગ સૂત્ર શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકા, શ્રી આવશ્યક સૂત્ર કર્તા આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી શ્રી આરામોદય સમિતિ શ્રી આવશ્યકનિર્યુક્તિકર્તા, આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી શ્રી મેરુલાલ કનૈયાલાલ કોઠારી ધાર્મિક ટ્રસ્ટ, ચંદનબાળા એપાર્ટમેન્ટ, મુંબઈ-૬ શ્રી આવશ્યક સૂત્રની વૃત્તિકર્તા આચાર્યશ્રી મલયગિરિજી શ્રી આગમોદય સમિતિ મલયગિરિવૃત્તિ Page #710 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ગ્રંથ ગ્રંથકર્તા અનુવાદક વિવેચક,સંપાદક પ્રકાશક શ્રીઆવશ્યકસૂત્રવૃત્તિ વૃત્તિકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી આવશ્યક સૂત્રની ટીકા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજ હરિભદ્રીટીકા શ્રી ઔપપાતિક સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સ્ત્ર શ્રી ગચ્છાચાર પયત્ના શ્રી જંબુદીપ પ્રજ્ઞપ્તિ શ્રી તત્ત્વાર્થાધિગમ કર્તા. આચાર્યશ્રી ઉમાસ્વાતિજી સ્ત્ર સાત ર્ડા. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી તત્ત્વાર્થવાર્તિકમ્ કર્તા. આચાર્યશ્રી અકલ કહેવ શ્રી દશવૈકાલિક સૂત્ર સંપા. મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી નવતત્ત્વ સૂત્ર શ્રી પાતંજલોગસૂત્ર કર્તા, શ્રી પાતંજલિ શ્રી બૃહત્ કલ્પ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર શ્રીમદ્ ભગવદ્ગીતા શ્રીમદ્ ભાગવત શ્રી મહાનિશીથ સૂત્ર ૭, ત્રીજો ભોઈવાડો, ભુલેશ્વર, મુંબઈ-૨ શ્રી મેરુલાલ કનૈયાલાલ કોઠારી ધાર્મિક ટ્રસ્ટ, ચંદનબાળા એપાર્ટમેન્ટ, મુંબઈ-૬ શ્રી હર્ષપુષ્યામૃત જૈન સંઘમાલા, લાલબાવલ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકા શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકા શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, વિજાપુર લાલા મહેશચન્દ્ર જૈન, મેનગંજ, એટા (સંયુક્ત પ્રાન્ત) ભારતીય જ્ઞાનપીઠ, ૧૮, ઇન્સિટ્યૂશનલ એરિયા, લોદી રોડ, કનૉટ પ્લેસ, નયી દિલ્હી-૧૧૦૦૦૧ પ્રાકૃત ગ્રંથ પરિષદ વારાણસી, અમદાવાદ-૧ ગજ્ઞાવિષ્ણુ શ્રીકૃષ્ણદાસ, સ્ટીમ્“પ્રેસ, કલ્યાણ, મુંબઈ, શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકા ૬૭૩૭ પ્રકાશનવર્ષ વિ.સં.૨૦૪૭ વિ.સં.૨૦૪૧ વિ.સં.૧૯૮૨ વિ.સં.૨૦૪૧ વિ.સં.૨૦૪૧ Ca.1.2009 વિ.સં. ૧૯૮૪ વિ.સ.૨૦૨૯ શ્રીમદ્ યોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ઈ.સ.૧૯૮૧ અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવલ-શાંતિપુરી, જિ. જામનગર સૌરાષ્ટ્ર શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકા વિ.સં.૨૦૪૫ શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકો વિ.સં.૧ શ્રી મહેન્દ્ર પટેલ અને શ્રી મુકુન્દ પટેલ, ઈ.સ.૧૯૯૪ પ્રેમકુટીર, ૧૭૭-મરીનડ્રાઈવ, મુંબઈ-૨૧ ઈ.સ.૧૯૮૯ ઈ.સ ૧૯૩૩ ઈ.સ.૧૮૬૭ વિ.સં. ૨૦૪૧ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ગ્રંથ શ્રી વિયાહ ૫ ત્તિ સુનં શ્રી શાંતસુધારસ શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી સુયગડાંગ સૂત્ર શ્રી સૂત્રકૃતાંગ શ્રી સ્થાનાંગસમવાયાંગ સૂત્ર શ્રુતભવનદીપક શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સમયસાર ગ્રંથકર્તા અનુવાદક વિવેચક-સંપાદક કર્તા, ઉપાધ્યાય શ્રી વિનવિજય શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વિવે. મોતીલાલ ગિરધરલાલ કાપડિયા ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૩૬ શ્રી જૈનાગમ ટ્રસ્ટ કાર્યવાહિકા સંપા. પંડિત શ્રીરામ શર્મા પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૩૬ સંપા. શ્રી રાકેશ જૈન શાસ્ત્રી નયચક્ર નાયર ઉપનિષદ્ સંપા. શ્રી વાસુદેવ મહાશંકર જેપી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ ભારતીય જ્ઞાનપીઠ, પદ્દર્શનસમુચ્ચય ક. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજ કર્તા. શ્રી દયાનંદ સરસ્વતીજી સમયસારની ટીકા કર્તા. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ આખ્યાતિ સમયસારકળશ કર્તા. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, અમદાવાદ ધોડપકનું પ્રકરણ કર્તા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સત્યાર્થપ્રકાશ સન્મતિતર્ક પ્રકરણ કર્યુ. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૯ કર્તા. આચાર્યશ્રી કુંદકુંદદેવ સમયસારની ટીકા કર્તા. આચાર્યશ્રી જયસેનજી તાત્પર્યવૃત્તિ ૧૮, ઇન્સિટ્યૂશનલ એરિયા, લોદી રોડ, ૉટ પ્લેસ, નથી દિલ્હી-૧૧૦૦૦૧ જૈન ઉપાશ્રય, લુહારની પોળ, અમદાવાદ શ્રી આગમ પ્રકાશન સમિતિ જૈન સ્થાનક, પીપલિયા બજાર, બ્યાવર, રાજસ્થાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ શ્રી રાકેશ જૈન શાસ્ત્રી જૈન દર્શનાચાર્ય, ઈ.સ.૧૯૮૬ એમ.એ. ભૈસાખિયા માર્કેટ, નાગપુર-૨ આર્યસમાજ મંદિર, દયાનંદ માર્ગ, કાંકરિયા રોડ, અમદાવાદ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે, અગાસ, પો.બોરિયા, વાયા આણંદ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ, પો.બોરિયા, વાયા આણંદ પ્રકાશનવર્ષ વિ.સં.૨૦૩૦ વિ.સં.૨૦૪૨ વિ.સં.૨૦૧ વિ.સં. ૨૦૩૧ વિ.સં.૧૯૬૪ વિ.સં. ૨૦૩૭ ઈ.સ ૧૯૯ વિ.સં.૨૦૦૮ વિ.સ.૨૦૩૨ ઈ.સ.૧૯૫૨ ઈ.સ.૧૯૫૨ વિ.સં.૨૦૩૮ વિ.સં.૧૯૯૭ ઈ.સ.૧૯૫૨ Page #712 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક સંદર્ભગ્રંથસૂચિ ૬૭૯ ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક | પ્રકાશનવર્ષ સમાધિતંત્ર કર્તા, આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, વિ.સં.૨૦૩૩ ટીકા. શ્રી પ્રભાચંદ્રજી ૬૦૨ માણેકવાડી, ભાવનગર-૩૬૪૦૦૨ સર્વદર્શનસંગ્રહ કર્તા શ્રી મધ્વાચાર્યજી પૂર્ણ ચંદ્રોદય પ્રેસ, ઈ.સ.૧૮૯૬ બરોડા સર્વસિદ્ધાંતસંગ્રહ કર્તા. શ્રી શંકરાચાર્યજી ગવર્નમેન્ટ ઓફ મદ્રાસ, ઈ.સ.૧૯૦૯ મદ્રાસ સંઘપટ્ટક કિર્તા, આચાર્યશ્રી જિનવલ્લભસૂરિજી શ્રી જિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર, ઈ.સ. ૨૦૦૯ ગોપીપુરા, સુરત સંબોહસત્તરી કર્તા. આચાર્યશ્રી જયશેખરસૂરિજી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, ૭, ત્રીજો ભોઈવાડો, ભુલેશ્વર, મુંબઈ-૨ સામાયિક પાઠ કર્તા આચાર્યશ્રી અમિતગતિજી શ્રી નંદલાલ રાયચંદ ગાંધી, વિ.સં. ૨૦૦૪ બોટાદ, કાઠિયાવાડ સાહિત્યદર્પણ કિર્તા. શ્રી વિશ્વનાથકવિ શ્રી સુંદરલાલ જૈન, શ્રી મોતીલાલ ઈ.સ. ૧૯૬૧ બનારસીદાસ, બંગલો રોડ, જવાહર નગર દિલ્લી-૬ સાંખ્યકારિકા સંપા. શ્રી ઈશ્વરકૃષ્ણ ચૌખભા ઑરિયન્ટાલિયા ગોકુલ ભવન, ઈ.સ. ૧૯૭૬ કે ૩૭/૧૦૯ ગોપાલમંદિર લેન, વારાણસી સિદ્ધાંતસારસંગહ કર્તા. આચાર્યશ્રી નરેંદ્રસેનજી જૈિન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, ઈ.સ. ૧૯૫૭ શોલાપુર સૂત્રપાહુડ કિર્તા, આચાર્યશ્રી કુંદકુંદદેવ શ્રી ગુજરાત પ્રાંતિય શાંતિવીર દિગંબર વિ.સં. ૨૦૨૫ જૈિન સિદ્ધાંત સંરક્ષિણી સભા, હિંમતનગર સાદુવાદ મંજરી હદયપ્રદીપ કર્તા, આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી શ્રી નવરંગપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિ.સં. ૨૦૩૭ સંઘ, શ્રીમાળી સોસાયટી, અમદાવાદ-૯ શ્રી જૈન ધર્મ પ્રસાકર સભા, ઈ.સ.૧૯૭૩ ભાવનગર બરોડા ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઈ.સ.૧૯૪૯ હેતુબિન્દુ ગુજરાતી મંથ પ્રકાશનવર્ષ અખંડ આનંદ | મંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક | પ્રકાશક સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ અખાકૃત કાવ્યો સંપા. શ્રી નર્મદાશંકર મહેતા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, વિ.સં.૧૯૮૭ અમદાવાદ અખોજીની સંપા. ડૉ. શિવલાલ જેસલપુરા ડિૉ. શિવલાલ જેસલપુરા ઈ.સ.૧૯૮૮ કાવ્યકૃતિઓ ખંડ-૧ અધ્યાત્મગીતા કર્તા. ગણિશ્રી દેવચંદ્રજી શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, વિ.સં. ૧૯૭૬ પાદરા અધ્યાત્મને પંથે વિવે. ડૉ. મુકુન્દભાઈ સોનેજી શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર, વિ.સં. ૨૦૩૬ પુષ્પવીલા, મીઠાખળી, અમદાવાદ-૬ અધ્યાત્મ રાજચંદ્ર કર્તા, ડૉ. ભગવાનદાસ મહેતા શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ, વિ.સં. ૨૦૪૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ અર્વાચીન કવિતા કર્તા. સુન્દરમ્ ગુજરાત વિદ્યાસભા, ઈ.સ.૧૯૫૩ ભદ્ર, અમદાવાદ-૧ અવિરુદ્ધ નિર્ણય કર્તા. શ્રી મોહનલાલજી વર્ણી ગુજરાત દિગંબર જૈન વર્ણીસાહિત્ય મંદિર, ઈ.સ.૧૯૭૯ ‘સહજાનંદ' અમદાવાદ, હિંમતનગર અનુ સંપા, બ. કપિલભાઈ કોટડિયા આનંદઘનજીનાં પદ કર્તા શ્રી આનંદઘનજી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વિ.સં. ૨૦૪૧ સંપા. શ્રી મોતીલાલ ગિરધરલાલ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬ આત્મકથા કર્તા, મોહનદાસ કરમચંદ ગાંધી નવજીવન ટ્રસ્ટ, ઈ.સ.૧૯૯૦ (સત્યના પ્રયોગ) અમદાવાદ-૧૪ આત્મજ્ઞાન અને કર્તા. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન, વિ.સં. ૨૦૪૬ સાધનપથ શેઠના હાઉસ, ૧૩, લેબર્નમ રોડ મુંબઈ આત્મભાવના કર્તા શ્રી કાનજીસ્વામી શ્રી વસંતભાઈ પારેખ અને ઈ.સ.૧૯૭૨ લેખક બ, હરિલાલ જૈન ડૉ. પ્રવીણભાઈ દોશી, અમરેલી આત્મવાદ કર્તા. મુનિશ્રી ધુરન્ધરવિજયજી શ્રી જૈન સાહિત્યવર્ધક સભા, વિ.સં. ૨૦૦૩ ભાવનગર આત્મસિદ્ધિ સંપા. શ્રી મનસુખભાઈ રવજીભાઈ વિ.સં. ૧૯૪૬ મહેતા વિ.સં. ૨૦૪૯ આત્મસિદ્ધિ ભાવાર્થ કર્તા. શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત' આત્મસિદ્ધિ વિવેચન કર્તા, બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાયજી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ, પો.બોરિયા, વાયા આણંદ વિ.સં. ૨૦૩૯ Page #714 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ પ્રકાશક ગ્રંથ ગ્રંથકર્તા અનુવાદક વિવેચક સંપાદક આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર વિષે. ધીરજલાલ ડાહ્યાભાઇ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, આપણે આત્મ નિરીક્ષણ કરીશું? આપણો ધર્મ ઉપદેશપ્રાસાદ ઉપદેશામૃત કબીરવનાવલી બીરવાણી કર્મબહુ પર્યાય કાનાભાઈ મત પ્રતિકાર કર્તા, મુનિશ્રી અમરેન્દ્રવિજયજી કર્તા. પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ જી.એમ.જાગુ - બુક સેલર્સ, ત્રણ દરવાજા, અમદાવાદ કર્તા. શ્રી વિરાટ કર્તા શ્રીમદ્ લઘુરાજ સ્વામીજી (પ્રભુશ્રીજી) કર્તા સંતકવિ કબીર ગાંધીજીનો અક્ષરદેહ સંપા. નવજીવન ટ્રસ્ટ ભાગ-૩ કર્તા. સંતકવિ કબીર કર્તા. ડૉ. મુકુંમચંદ ભારિલ અનુ. બ. વ્રજલાલ ગિરધરભાઈ ક.િ મુનિશ્રી ચંદ્રશેખરવિજય કાવ્ય અમૃત ઝરણાં સંપા. વિવે. શ્રી રાવજીભાઈ દેસાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ગુજરાતના સાહિત્ય કર્તા. શ્રીમતી કલાવતી વોરા સર્જકો સંપા. ગુલાબદાસ ોકર ગુજરાતી ભાષા અને કતિ. શ્રી રમણલાલ ન. વકીલ સાહિત્યની રૂપરેખા ગુજરાતી સાહિત્યકર્તા. શ્રી અનંતરાય મ. રાવળ (ભાગ-૧) ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ વી. કે. વોરા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ૮૧ એમ.કે.લેન, મદુરાઈ-૧ ગુજરાતી સાહિત્યનો કર્તા ડૉ. સુસ્મિતા મેઢ પરિચય શ્રી વિરાટ પ્રકાશન મંદિર, શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન તળેટી રોડ, પાલીતાના-૩૬૪૨૭૦ શ્રીમદ્ રાજચંદ્ર શ્રમ, સ્ટે અગાસ, પો.બોરિયા, વાયા આણંદ સાહિત્ય અકાદેમી, નવી દીધી શ્રી બે.પી.માદન શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, શાહ ૫૮૮, સર પટ્ટણી શેડ, લાઠાવાડી ચાલી ભાવનગર-૩૬૪૦૦૧ સ્ટે.અગાસ, પો.બોરિયા, વાયા આણંદ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪ સી સપ્લાયર્સ (પ્રા૰) લિમિટેડ, વિલેપારલે (પશ્ચિમ), મુંબઈ શ્રી રમણલાલ ન. વકીલ મોડર્ન સ્કૂલ, મુંબઈ-૪ બૅકમિલન અને કંપની, લિમિટેડ, ૨૭૬, હૉર્ની રોડ, કોટ, મુંબઈ મહાજન પબ્લીશીંગ હાઉસ, ગાંધી રોડ, અમદાવાદ ૬૮૧ પ્રકાશનવર્ષ વિ.સં.૨૦૪૯ વિ.સં.૨૦૪૦ કમલ પ્રકાશન, ૫૦૮૨/૩, બીજે માળે, વિ.સં.૨૦૨૫ ગાંધી રોડ, રતનપોળ નાકા, અમદાવાદ-૧ ઈ.સ.૧૯૨૦ વિ.સં.૨૦૩૮ વિ.સં ૨૦૩૩ ઈ.સ ૧૯૭ ઈ.સ.૧૯૦૯ વિ.સં.૨૦૩૬ વિ.સં.૨૦૩૨ ઈ.સ.૧૯૬૭ ઈ.સ.૧૯૫૯ ઈ.સ.૧૯૩૮ ઈ.સ.૧૯૫૪ ઈ.સ.૧૯૫૭ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથ | ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક | પ્રકાશક પ્રકાશનવર્ષ ગુજરાતી સાહિત્યની કર્તા, વિજયરાય કલ્યાણરાય વૈદ્ય એન. એમ. ત્રિપાઠી લિ., ઈ.સ.૧૯૯૪ રૂપરેખા પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ગુજરાતી સાહિત્યની કર્તા ડૉ. ધીરુભાઈ ઠાકર ધી પોપ્યુલર બુક સ્ટોર, ઈ.સ.૧૯૫૬ વિકાસરેખા ટાવર રોડ, સૂરત ગુજરાતી સાહિત્યનું કર્તા શ્રી મનસુખલાલ ઝવેરી અને વોરા એન્ડ કંપની, પબ્લિશર્સ લિમિટેડ, ઈ.સ.૧૯૫૩ રેખાદર્શન ડૉ. રમણલાલ શાહ ૩, રાઉન્ડ બીલ્ડીંગ, મુંબઈ-૨ ગુજરાતી સાહિત્યનો કર્તા પ્રો. ઈશ્વરલાલ ૨. દવે ખડાયતા બુક ડીપો, ઈ.સ.૧૯૫૬ સંક્ષિપ્ત ઇતિહાસ બાલાહનુમાન, અમદાવાદ (દ્ધિ તી મા આવૃત્તિ) ગુર્જર સાહિત્યસંગ્રહ કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી જિનશાસન રક્ષા સમિતિ, વિ.સં. ૨૦૪૩ (સવાસો ગાથાનું સંપાદક મુનિશ્રી કાર્નિયશોવિજયજી |c/o મોતિશા લાલબાગ જૈન ઉપાશ્રય, સ્તવન, યતિધર્મ L૨૧૨ પાંજરાપોળ લેન, ભુલેશ્વર, બત્રીસી, સાડી ત્રણસો મુંબઈ-૪ ગાથાનું સ્તવન, અમૃતવેલની સઝાય, અઢાર પાપ સ્થાનકની સઝાય, દિકપટના ૮૪ બોલ, છૂટક પદ) ગૌતમ બુદ્ધ કિર્તા ડૉ. રાધાકૃષ્ણન ગુજરાત વિદ્યાપીઠ, ઈ.સ. ૧૯૪૬ અનુ. ગોપાલદાસ જીવાભાઈ પટેલ અમદાવાદ-૯ ગ્રંથયુગલ વિવે. બહ્મચારી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, વિ.સં. ૨૦૩૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ જંબુસ્વામી રાસ કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન વિ.સં. ૨૦૧૭ સંપા. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ સાહિત્યોદ્ધારક ફંડ, સૂરત જૈન ગુર્જર કવિઓ સંગા. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઈ.સ.૧૯૮૮ સંપા, શ્રી જયંત કોઠારી ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬ જૈન ધર્મ કિર્તા, ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ ઈ.સ.૧૯૮૯ સંપા. શ્રી યશવંત દોશી બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨ જૈન ધર્મનો પ્રાણ કર્યા. પંડિત સુખલાલજી ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, વિ.સં. ૨૦૪૫ ગાંધીમાર્ગ, અમદાવાદ-૧ જૈન સાહિત્યનો કિર્તા, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈશ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, વિ.સં. ૧૯૮૯ સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦, પાયધુની, મુંબઈ-૩ Page #716 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ૬૮૩ મંથ | મંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક | પ્રકાશક પ્રકાશનવર્ષ તત્કાળ મોક્ષ જીતાભાઈ ગેમરભાઈ પટેલ, વિ.સં. ૨૦૪૦ લક્ષ્મીપુરા, તા. ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા દર્શન અને ચિંતન કર્યા. પંડિત સુખલાલજી પંડિત સુખલાલજી સન્માન સમિતિ, વિ.સં. ૨૦૧૩ ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ-૧ દર્શન-દિગ્દર્શન કર્તા. રાહુલ સાંકૃત્યાયન કિતાબ મહલ, ઈ.સ.૧૯૪૭ ઈલાહાબાદ દિવ્યધ્વનિ, નવે.ડીસે. સંપા. શ્રી પ્રકાશ શાહ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, ઈિ.સ.૧૯૯૧ ૧૯૯૧ કોબા-૩૮૨૦૦૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો કર્તા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા, વિ.સં. ૨૦૨૦ રાસ અમદાવાદ, ગુજરાત ધર્મનાં દસ લક્ષણ કર્તા. ડૉ. હુકમચંદ ભારિત્ન શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડલ, અનુ. શ્રી રમણલાલ માણિકલાલ શાહ |૧૭૩-૧૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ નરસિંહ પૂર્વેનું કર્તા, ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ યશવંત દોશી પરિચય ટ્રસ્ટ, ઈ.સ. ૧૯૭૬ ગુજરાતી સાહિત્ય સંપા, વાડીલાલ ડગલી મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૪૦૦૦૦૨ નિત્યક્રમ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વિ.સં. ૨૦૩૫ (ચોવીસીનાં સ્તવનો સ્ટે.અગાસ, પો.બોરિયા, વાયા આણંદ વિહરમાનજિન સ્તવનો, આઠ યોગનું દષ્ટિની સઝાય). નિત્યનિયમાદિ પાઠ વિવે. બહ્મચારી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વિ.સં.૨૦૩૪ સ્ટે, અગાસ, પો.બોરિયા, વાયા આણંદ નિભાત દર્શનની કર્તા. શ્રી શશીકાન્ત શેઠ શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રકાશક ટ્રસ્ટ, વિ.સં. ૨૦૪૦ કેડીએ ૬૦૨ માણેકવાડી, ભાવનગર-૩૬૪૦૦૨ નિર્વાણમાર્ગનું રહસ્ય કર્તા. શ્રી ભોગીભાઈ ગિ. શેઠ શ્રેયસ પ્રચારક સભા, ઈ.સ.૧૯૮૩ મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧ નિબાર્કનું તત્ત્વજ્ઞાન કિર્તા શ્રીમતી પૂર્ણિમા દવે પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ ઈ.સ.૧૯૯૨ સિંપા. શ્રી યશવંત દોશી બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨ પત્રસુધા કર્તા, મુનિશ્રી સહજાનંદઘનજી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ઈ.સ.૧૯૭૮ રત્નકૂટ, હંપી, જિલ્લો બેલ્લારી પાવલી કર્તા શ્રી ચિદાનંદજી મહારાજ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, વિ.સં. ૨૦૫૧ પિ, બદ્રિકેશ્વર સોસાયટી, મરીનડ્રાઇવ'ઈ', મુંબઈ-૪૦૦૦૦૨ Page #717 -------------------------------------------------------------------------- ________________ ६८४ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ પરમપદ પ્રાપ્તિની કર્તા શ્રી નગીનભાઈ ગિ. શેઠ શ્રી નગીનભાઈ શેઠની મિલ્કતના ટ્રસ્ટીઓ ઈ.સ. ૧૯૬૯ ભાવના ૪૯,માઉન્ટ યુનિક, પેડર રોડ, મુંબઈ-૬ પરિચિત પદ સંગ્રહ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.સ.૧૯૮૧ ભદ્ર પાસે, અમદાવાદ પ્રજ્ઞાવબોધ કિર્તા, બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, ઈ.સ.૧૯૮૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા કર્તા, ડૉ. ભગવાનદાસ મહેતા શ્રીમતી કંચનબેન મહેતા, વિ.સં. ૨૦૦૮ પ, ચોપાટી રોડ, મુંબઈ-૭ પ્રીતમદાસની વાણી કર્તા, સંતકવિ પ્રીતમ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.સ.૧૯૮૧ ભદ્ર પાસે, અમદાવાદ બોધામૃત, ભાગ-૧ કર્તા બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, વિ.સં. ૨૦૪૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ બોધામૃત, ભાગ-૨ કિર્તાબહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, વિ.સં. ૨૦૨૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ બોધામૃત, ભાગ-૨ કિર્તા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, વિ.સં.૨૦૩૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ બોધામૃત, ભાગ-૩ક્તિ બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, ઈ.સ.૧૯૯૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ભારતીય તત્ત્વવિદ્યા કર્તા પંડિત સુખલાલજી ડિૉ. ભોગીલાલ સાંડેસરા પ્રાચ્ય વિદ્યા ઈ.સ.૧૯૫૮ મન્દિર, વડોદરા ભારતીય તત્ત્વજ્ઞાનની કર્તા, પ્રો. એમ. હિરિયાણા ગુજરાત વિદ્યાસભા, વિ.સં. ૨૦૧૧ રૂપરેખા અનુ. ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ ભદ્ર, અમદાવાદ-૧ ભારતીય દર્શન કર્યા. માવજી કે. સાવલા યશવંત દોશી પરિચય ટ્રસ્ટ, ઈ.સ.૧૯૭૫ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૪૦૦૦૦૨ ભારતીય દર્શનો કર્તા. સ્વામી સચ્ચિદાનંદ ગુર્જર પ્રકાશન, ઈ.સ.૧૯૭૯ રતનપોળ નાકા સામે, ગાંધી રોડ અમદાવાદ-૧ ભારતીય દર્શનો કર્તા. પંડિત બળદેવ ઉપાધ્યાય ચૌખમ્મા ઓરિયન્ટલ ઈ.સ.૧૯૭૬ વારાણસી મધ્યકાલીન ગુજરાતી કર્તા ડૉ. નિપુણ ઈ. પંડ્યા નવભારત સાહિત્ય મંદિર, ઈ.સ.૧૯૬૮ સાહિત્યમાં તત્ત્વવિચારી ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ Page #718 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ૬૮૫ ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ મધ્યકાલીન સાહિત્ય કર્તા. શ્રી ચંદ્રકાંત મહેતા યશવંત દોશી ટ્રસ્ટ, ઈ.સ.૧૯૭૦ સ્વરૂપો સંપા. વાડીલાલ ડગલી બૉમ્બે મ્યુચુઅલ ચેમ્બર્સ, મુંબઈ-૧ મધ્વાચાર્યનું તત્ત્વજ્ઞાન)કર્તા. શ્રીમતી પૂર્ણિમા દવે પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ ઈ.સ. ૧૯૯૦ સંપા. શ્રી યશવંત દોશી બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨ મુનિ પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, વિ.સં. ૨૦૩૦ શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળ, અમદાવાદ મોક્ષમાર્ગ પ્રકાશક કર્તા. પંડિત ટોડરમલજી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વિ.સં. ૨૦૩૨ (ગુર્જર અનુવાદ) સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર રસિકવલ્લભ કર્તા કવિ દયારામ ગુજરાત વિદ્યાપીઠ, વિ.સં.૨૦૧૯ ભદ્ર, અમદાવાદ-૧ રાજરત્ન પૂ. શ્રી સંપા. આત્માર્થી મુમુક્ષુગણ શ્રી સુબોધક પુસ્તકશાળા, વિ.સં.૨૦૪૯ અંબાલાલભાઈ લોંકાપરી, ખંભાત-૩૮૮૬૨૦ રામાનુજનું તત્ત્વજ્ઞાનકર્તા. શ્રીમતી પૂર્ણિમા દવે પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ ઈ.સ.૧૯૮૬ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨ વિજ્ઞાન અને અધ્યાત્મ કર્તા. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી આત્મજાગૃતિ ટ્રસ્ટ, ઈ.સ.૧૯૮૨ મામાની પોળ, રાવપુરા, વડોદરા-૧ વ્યક્તિ અને વ્યક્તિત્વ કર્તા. શ્રી દિનેશભાઈ મોદી શ્રી અલ્કશ દિનેશ મોદી મેમોરિયલ ટ્રસ્ટ, ઈ.સ.૧૯૯૪ ૯/૨૪, સ્ટોક એક્ષચેન્જ ટાવર, મુંબઈ-૨૩ શંકરાચાર્યનું પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ ઈ.સ.૧૯૭૫ તત્ત્વજ્ઞાન બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કર્તા. શ્રી કાનજીસ્વામી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વિ.સં. ૨૦૪૩ પર પ્રવચનો સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર શ્રીપાલરાજાનો રાસ કર્તા. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જૈિન પ્રકાશન મંદિર, ઈ.સ.૧૯૮૪ તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૩૦૯/૪ ખત્રીની ખડકી, દેશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ શ્રીમદ્ એક આર્ષદ્રષ્ટા કર્તા. શ્રી રમણલાલ જોષી કમલેશ પુસ્તક ભંડાર, ઈ.સ.૧૯૬૮ (અભીપ્સા) રાયખડ રોડ, અમદાવાદ-૧ શ્રીમદ્ દેવચંદ્ર કર્તાગણિશ્રી દેવચંદ્રજી શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ઈ.સ.૧૯૨૯ (દ્રવ્યપ્રકાશ, પદ) પાદરા શ્રીમદ્દની જીવનયાત્રા સંપા. શ્રી ગોપાળદાસ જીવાભાઈ જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, વિ.સં. ૧૯૯૧ પટેલ અમદાવાદ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ગ્રંથ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ કર્તા. ડૉ. સરયુબેન આર. મહેતા શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક બંધ શ્રી. આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથકર્તા અનુવાદક વિવેચક/સંપાદક શ્રીમદ્ રાજચંદ્ર અને કર્તા. શ્રી નેમચંદભાઈ ગાલા ગાંધી શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદ્ રાજચંદ્ર અને સંપા. શ્રી મુકુલભાઈ કલાર્થી ગાંધીજ સંપા. શ્રી મનસુખભાઈ ૨. મહેતા શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ઝવેરી બજાર, મુંબઈ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ સંપા. શ્રી શોભાગચંદ ચુનીલાલ શતાબ્દી અંક શાહ સંપા. રેવાશંકરભાઈ જગજીવનભાઈ શ્રી પરમમ્રુત પ્રભાવક મંડળ, ઝવેરી બજાર, મુંબઈ-૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-કર્તા. શ્રી મુકુલભાઈ કલાર્થી સાધના વિવેચન શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર (અર્થ સહિત) શ્રીમદ્ રાજચંદ્રજ્ઞીત કર્યાં. ડૉ. ભગવાનદાસ મહેતા આત્મસિદ્ધિશાસ્ત્ર ('રાજ'જ્યોતિ મહાભાષ્ય) પ્રકાશક પ્રકાશનવર્ષ શ્રેયસ પ્રચારક સભા, એ. એમ. મહેતા ઈ.સ.૧૯૯૪ એન્ડ કાં., શરફ મેન્શન, બીજે માળે, ૩૨, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૨ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત કર્તા, શ્રી ભોગીભાઈ ગિ. શેઠ આત્મસિદ્ધિ શાસ્ત્ર -| (વિશેષાર્થ સહિત) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ, પો.બોરિયા, વાયા આણંદ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ કર્તા. બબચારી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, શ્રી જયેશભાઈ કલ્યાણજી શાહ, બોમ્બેબજાર, સાંતાક્રુઝ, મુંબઈ-૪૦૦૦૫૪ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પોળ, અમદાવાદ સ્ટે. અગાસ, પો.બોરિયા, વાયા આણંદ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પોળ, અમદાવાદ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ, પો.બોરિયા, વાયા આણંદ વિ.સં.૧૯૭૦ વિ.સં. ૧૯૯૨ વિ.સં.૨૦૪૮ વિ.સં. ૨૦ ઈ.સ.૧૯૮૬ ઈ.સ.૧૯૬૪ વિ.સં.૨૦૨૪ વિ.સં.૨૦૩૪ વિ.સં.૨૦૨૨ વિ.સં.૨૦૨૧ એશિયાટીક ચેરિટેબલ ટ્રસ્ટ, ૪૯, માઉન્ટ યુનિક, પેડર રોડ, મુંબઈ-૨૬| વિ.સં.૨૦૪૮ વિ.સં.૨૦૩૮ Page #720 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ६८७ ગ્રંથ ! મંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત સંપા. શ્રી મુકલભાઈ કલાર્થી ગુજરાત વિદ્યાપીઠ, ઈ.સ.૧૯૫૪ આત્મસિદ્ધિ શાસ્ત્ર અમદાવાદ-૧૪ ૯૮મી શ્રીમદ્ રાજચંદ્ર કુંવરજીભાઈ છોટાલાલભાઈ કોઠારી, ઈ.સ.૧૯૬૪ જન્મ જયંતી મહોત્સવ વીરવાડી હાઈસ્કુલ સામે, પાલનપુર શ્રી રાજચંદ્રનાં વિચારસંસા. શ્રી ગોપાલદાસ જીવાભાઈ જૈિન સાહિત્ય પ્રકાશન સમિતિ, વિ.સં.૧૯૯૨ રત્નો પટેલ અમદાવાદ શ્રીમદ્ રાજચંદ્રની સંગા. શ્રી મનસુખભાઈ રવજીભાઈ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, વિ.સં. ૧૯૭૦ જન્મજયંતિઓ પ્રસંગે મહેતા ઝવેરી બજાર, મુંબઈ થયેલાં વ્યાખ્યાનો શ્રીમદ્ રાજચંદ્રની કિર્તા, શ્રી મનસુખભાઈ કિરતચંદ ડિૉ. ભગવાનદાસ મહેતા, ઈ.સ.૧૯૪૯ જીવનરેખા મહેતા ૫, ચોપાટી રોડ, મુંબઈ-૭ શ્રીમદ્ રાજચંદ્રનું કર્તા. શ્રી પ્રેમચંદભાઈ ૨. કોઠારી શ્રી પ્રેમચંદભાઈ રવજીભાઈ કોઠારી, ઈિ.સ. ૧૯૬૯ આધ્યાત્મિક સંક્ષિપ્ત ઘાટકોપર, મુંબઈ-૭૭ જીવન શ્રીમદ્ વલ્લભાચાર્ય કિર્તા. શ્રી ભાઈશંકર પુરોહિત પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ ઈ.સ. ૧૯૭૮ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૨ શ્રી સોભાગ પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, વિ.સં. ૨૦૨૪ શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળ, અમદાવાદ શ્રી હરિભદ્રસૂરિ કિર્તા. પ્રો. હીરાલાલ કાપડિયા પ્રાચ્ય વિદ્યા મન્દિર, વિ.સં. ૨૦૧૯ મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા ષડ્રદર્શન શું છે? કર્તા, નગીન જી. શાહ યશવંત દોશી પરિચય ટ્રસ્ટ, ઈિ.સ.૧૯૯૫ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૪૦૦૦૦૨ ષડ્રદર્શનસમુચ્ચયનો કર્તા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી આર્યોદય, વિ.સં. ૧૯૪૯ અનુવાદ અનુ મણિલાલ નભુભાઈ દ્વિવેદી અમદાવાદ સજ્જન સન્મિત્ર શ્રી પોપટલાલ કેશવજી દોશી (સ્તવનો, પદો) સમકિતના સડસઠ કર્તા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.સ. ૧૯૫૧ બોલની સઝાય મહેસાણા સમયસાર કિત ડૉ. ભગવાનદાસ મહેતા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વિ.સં.૨૦૨૫ સ્ટે અગાસ, પો.બોરિયા, વાયા આણંદ | Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ગ્રંથ સમયસુંદર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન | ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક કર્તા, ડૉ. રમણલાલ ચી શાહ કુમકુમ પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ કર્તા. મુનિશ્રી કપૂરવિજયજી શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા પ્રકાશનવર્ષ ઈ.સ.૧૯૭૯ સમાધિવિચાર ઈ.સ.૧૯૧૩ સમાધિશતકમ કર્તા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, વિ.સં. ૨૦૪૬ શ્રી મહુડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ, મુંબઈ સમોસરણનાં ઢાળિયા કર્તા. મુનિશ્રી અમૃતવિજયજી શ્રી અર્ધદ્વાત્સલ્ય પ્રકાશન, ઈ.સ.૧૯૭૪ (દેવાધિદેવ ભગવાન સંપા. મુનિશ્રી તત્ત્વાનંદજી શંકર કુટિર, રાષ્ટ્રીય શાલા રોડ, મહાવીર) વિલેપારલે-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૧૬ સમ્યકત્વ ષટ્રસ્થાન કર્તા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી અંધેરી ગુજરાત જૈન સંધ, વિ.સં. ૨૦૪૬ ચઉપઇ ૧૦૬, એમ.વી. રોડ, ઈર્લાબીજ, મુંબઈ સહજાનંદસુધા કર્તા મુનિશ્રી સહજાનંદઘનજી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વી.સં. ૨૫૦૦ (આત્મસિદ્ધિ). સંપા. ભંવરલાલ નાહટા રત્નકૂટ, હંપી, જિ, બેલ્લારી, મૈસૂર સાધકસાથી Jકર્તા ડૉ. મુકન્દ્રભાઈ સોનેજી શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર, વિ.સં. ૨૦૩૬ પુષ્પવીલા, મીઠીખળી, અમદાવાદ-૬ સાધનાનું હૃદય કર્તા. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી આત્મા જાગૃતિ ટ્રસ્ટ, ઈ.સ.૧૯૮૩ મામાની પોળ, રાવપુરા, વડોદરા-૧ સિદ્ધિનાં સોપાન વિવે. શ્રી સંતબાલ શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, વિ.સં.૨૦૦૭ માણેક ચોક, અમદાવાદ સ્તવન મંજુષા સંપા. સારાભાઈ મણિલાલ નવાબ શ્રી જૈન સાહિત્યોદ્ધાર સંથાવલિ, વિ.સં. ૧૯૯૫ અમદાવાદ હિંદ તત્ત્વજ્ઞાનનો કર્તા. શ્રી નર્મદાશંકર મહેતા ગુજરાત વિદ્યાસભા, વિ.સં. ૨૦૧૮ ઈતિહાસ ભદ્ર, અમદાવાદ-૧ હું આત્મા છું કિર્તા, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, રૂનવાલ પાર્ક, ચેમ્બર નાકા મુંબઈ-૧ અંગ્રેજી ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ Calcutta University 1948 An Introduction Satischandra Chatterjee to Philosophy and Dhirendamohan Datta Page #722 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ૬૮૯ ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદકવિવેચક/સંપાદક | પ્રકાશક, પ્રકાશનવર્ષ Atma-siddhi Shri Dahyabhai Mehta ભારતીય વિદ્યા ભવન, ઈ.સ. ૧૯૭૮ (Self કે. એમ. મુન્સી માર્ગ, મુંબઈ-૭ Realization) Indian Dr. S. Radhakrishnan George Allen and Unwin Ltd., 1940 Philosophy Ruskin House, 40, Musium str., W.C., London Outlines of Mr. M. Hiriyanna M.A. London George Allen and 1951 Indian Unwin Ltd, Museum street Philosophy Philosophy and Dr. U. K. Pungalia પ્રાચીન ભારતી એકેડમી, ઈ.સ.૧૯૯૬ Spirituality of ૩૮૨૬, યતી શ્યામલજી ઉપાશ્રય રસ્તા Shrimad MSB, જે પુર-૩૮૨૦૦૩ Rajchandra સનમતી તીર્થ, ફીરીદીયા હોસ્ટેલ, B.M.C. કોલેજ રોડ, પુને-૪૧૧૦૦૪ Self-Fulfilment Fr-Francis X. Whitely SJ. શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, વિ.સં. ૨૦૨૪ (જન્મ શતાબ્દી અંક) સંપા. શોભાગચંદ ચુનીલાલ શાહ શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા,અમદાવાદ The Power Alexander Cannon Rider & Company, Within 47,Princes Gale, London, S.W.7 The Imprisoned Johnson Raynor C. Suffulk Hodder & Stoughton, Ltd, 1953 Splendour The Self Reali-Brahmachariji Shri શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, ઈ.સ.૧૯૮૫ zation Goverdhandasji, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ Shri Dinubhai Patel The Self Reali- Ravbahadur Shri J. L. Jaini શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ, ઈ.સ.૧૯૮૭ sation, being ‘રાજભુવન' બહાર દેલ્હીગેટ, the translation અહેમદાવાદ of Atma-siddhi of Shrimad Rajchandra અન્ય ભાષા ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ ઈ.સ.૧૯૮૭ અધ્યાત્મ ભજન ગંગા સંકલન પંડિત જ્ઞાનચંદ્ર જૈન (ભૂધરદાસજી) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંડળ, ૪૮૮૯ જનરલ ગંજ, પચકૂચા, કાનપુર Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથ ગ્રંથકર્તા/અનુવાદક/વિવેચક/સંપાદક પ્રકાશક પ્રકાશનવર્ષ કિર્તા. પંડિત શ્રી દીપચંદજી શાહ શ્રી વીતરાગ સતૂસાહિત્ય પ્રકાશક ટ્રસ્ટ, વી.સં. ૨૫૦૦ કાસલીવાલ ૬૦૨ માણેકવાડી, ભાવનગર-૩૬૪૦૦૨ આત્મસિદ્ધિ અનુ. શ્રી અજ્ઞાત મોતીલાલ હીરાચંદ્ર ગાંધી, ઈ.સ.૧૯૨૭ ઉસ્માનાબાદ આત્મસિદ્ધિ શાસ્ત્ર અનુ. ભવરલાલ નહાટા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ઈ.સ.૧૯૯૫ રત્નકૂટ, હંપી, જિ.બેલ્લારી, મૈસૂર ઉપાદાન નિમિત્ત કર્યા. પંડિત બનારસીદાસ અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, ઈ.સ.૧૯૫૪ દોહા એ-૪, બાપૂનગર, જયપુર-૧૫ કબીર મંથાવલિ કિર્તા, સંતકવિ કબીર નાગરીપ્રચારિણી સભા, વિ.સં. ૨૦૩૪ સંપા. ડૉ. શ્યામસુંદરદાસ વારાણસી છ ઢોળા કર્તા. પંડિત દૌલતરામજી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વિ.સં. ૨૦૪૪ સોનગઢ-૩૬૪૨૫૦, સૌરાષ્ટ્ર દશલક્ષણ પૂજા કર્તા. કવિ ઘાનતરાયજી શ્રી શાસ્ત્ર સ્વાધ્યાયશાલા, ઈ.સ.૧૯૭૮ (પૂજન-પાઠ-પ્રદીપ) (સંપા. પંડિત હિરાલાલ જૈન કૌશલ') શ્રી પાર્શ્વનાથ દિ. જૈન મંદિર, દિલ્લી-૭ શ્રી સમયસાર નાટક કર્તા પંડિત બનારસીદાસજી શ્રી વર્ધમાન પબ્લિક લાયબેરી, ધર્મપુરા, દેહલી (દિલ્હી) સંબોધિ-સૂત્ર ઔર શ્રી ચંદ્રપ્રભ ધ્યાન નિલયમ્, આત્મસિદ્ધિશાસ્ત્ર દાદાવાડી, રામબાગ, ઇન્દોર * * * Page #724 -------------------------------------------------------------------------- ________________ ખંડ – ૪ પરિશિષ્ટ - ૩ વિષયસૂચિ Page #725 -------------------------------------------------------------------------- ________________ Page #726 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (આ વિષયસૂચિ એક મુમુક્ષુભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે.) અજ્ઞાન – ભાગ-૩ : ૨૬૧, ૨૬૬-૨૬૭, ૨૭૯ અજ્ઞાન-અંધકારનો જ્ઞાનપ્રકાશથી નાશ – ભાગ-૩ : ૨૨૭-૨૨૯, ૨૩૧ અજ્ઞાનનો સ્વીકાર – ભાગ-૨ : ૬૨૫ અજ્ઞાનથી હિંસાદિ પંચ પાપ – ભાગ-૧ : ૧૦૯-૧૧૦ અજ્ઞાની - ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ – ભાગ-૧ : ૧૦૬ – દશા – ભાગ-૩ : ૭૩૬-૭૩૭ - દેહત્યાગ વખતે – ભાગ-૪ : ૩૬૪-૩૬૫ - પરøયનું જ્ઞાન – ભાગ-૩ : પ૨૯-૫૩૫ પરમાં સુખબુદ્ધિ - ભાગ-૧ : ૧૦૬-૧૦૭, ૧૧૨ - પરભાવનો કર્તા થતો હોવાથી દ્રવ્યકર્મનો બંધ – ભાગ-૨ : ૬૦૩ અધિકારી – ભાગ-૧ : ૧૩૦ અધિકારીપણું – ભાગ-૧ : પ૭૪-૫૭૫, ૫૮૧, ૫૯૩ અધ્યાત્મ – ભાગ-૪ : ૪૨૪ અધ્યાત્મ - આધ્યાત્મિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ – ભાગ-૩ : ૧૮૧ અધ્યાત્મઉપદેશથી આચારભ્રષ્ટતા ? – ભાગ-૧ : ૧૫૧ અધ્યાત્મ અને દર્શન - ભાગ-૪ : ૪૨૯-૪૩) અધ્યાત્મગ્રંથનો પરમાર્થ જ્ઞાની પાસેથી સમજવો – ભાગ-૧ : ૧૬૩ અધ્યાત્મલક્ષી વ્યાખ્યાનું માહાભ્ય - ભાગ-૩ : ૨૩૨-૫૩૩ અધ્યાત્મસ્વરૂપ ચિંતવન – ભાગ-૪ : ૨૧૨ અનુકંપા – ભાગ-૧ : ૬૮૬-૬૮૮, ૬૯૭ અનુબંધ ચતુષ્ટય - ભાગ-૧ : ૯૫-૯૭, ૧૨૩-૧૨૪ અનુભવદશા - ભાગ-૩ : ૬૯૨-૬૯૩ અનુભાગબંધ – ભાગ-૨ : ૬૮૯-૬૯૦ અનુભૂતિ ઉપયોગરૂપે અને લબ્ધિરૂપે – ભાગ-૩ : ૪૯૮-૪૯૯ અનુયાયી - યથાર્થ અનુયાયીપણું – ભાગ-૪ : ૧૯૯-૨૦૦ અનુષ્ઠાનના પ્રકાર – ભાગ-૧ : ૪૩૯-૪૪૧ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનેકાંત – સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત – ભાગ-૪ : ૧૧૪ અનેકાંતસિદ્ધાંત – ભાગ-૪ : ૧૦૯-૧૧૧, ૪૪૫ અનેકાંતસિદ્ધાંતથી આત્માનું સ્વરૂપ – ભાગ-૨ : ૪૦૧-૪૦૪, ૪૧૮-૪૧૯, ૪૫૧ અનેકાંતસિદ્ધાંતનું માહાભ્ય - ભાગ-૪ : ૪૪૬ અનેકાંતસિદ્ધાંતથી વસ્તુનું સ્વરૂપ – ભાગ-૨ : ૩૯૪-૪૦૦ અપકર્ષણ – ભાગ-૨ : ૭૪૦, ૭૪૧, ૭૪૩ અપવાદમાર્ગ અને મુમુક્ષ – ભાગ-૧ : ૪૨૮ અપૂર્વકરણ ગુણસ્થાન – ભાગ-૩ : ૯૬-૯૭ અબાધાકાળ – ભાગ-૨ : ૬૭૬, ૬૯૭-૬૯૮, ૭૪૧ અભિનિવેશ - શાસ્ત્રીય અભિનિવેશ – ભાગ-૪ : ૨૮ અભિપ્રાયમાં વિપર્યાસ – ભાગ-૪ : ૧૫ અભિપ્રાયની સુધારણા – ભાગ-૩ : પ૬૪ અભ્યાસનું સાતત્ય – ભાગ-૧ : ૩૧૩ અયોગી કેવળી ગુણસ્થાન - ભાગ-૩ : ૯૯-૧૦૦ અરિહંત ભગવાન – ભાગ-૧ : ૨૭૨-૨૭૩ ભાગ-૪ : ૩પ૬ અરિહંત ભગવાનની દેહાતીત દશાની ઓળખાણનું ફળ – ભાગ-૪ : ૩૫૮-૩૫૯ અરિહંત ભગવાનનું વિશેષ ઉપકારીપણું – ભાગ-૪ : ૩પ૭ અર્પણતા – ભાગ-૩ : ૭પપ અલંકાર – ભાગ-૪ : ૩૮૮-૪૦૦ અલંકાર-અર્થાલંકાર - ભાગ-૪ : ૩૯૩-૪૦૦ અલંકાર-શબ્દાલંકાર – ભાગ-૪ : ૩૯૧-૩૯૩ અવગાહન – ભાગ-૧ : ૩૦૯, ૩૧૧ અવગાહના - સિદ્ધાત્માની અવગાહના – ભાગ-૩ : ૧૦૪-૧૦૭ અવલોકન – ભાવદશાનું અવલોકન – ભાગ-૩ : ૬૮૧ અવિરતિ – ભાગ-૩ : ૨૪૭-૨૪૮ અવિરતિ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ મુનિ - ભાગ-૩ : ૨૫૧-૨૫૩, ૨પ૭ અવ્યવહારરાશિ – ભાગ-૧ : ૯૯ Page #728 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૬૯૫ અસદ્દગુરુ – ભાગ-૧ : ૪૦૭, ૪૨૦, ૬૫૯ અસગુરુ દ્વારા થતું અકલ્યાણ - ભાગ-૧ : ૪૧૪-૪૧૫, ૪૩૧-૪૩૨, ૬૬૦ અસશુરુથી કલ્યાણ નહીં – ભાગ-૧ : ૪૯૯ અસરનું અયોગ્ય આચરણ – ભાગ-૧ : ૪૦૮, ૪૦૯-૪૧૦, ૪૧૨-૪૧૫, ૪૨૬, ૪૨૭-૪૩૦ અસદગુરુનો ઉપદેશ – ભાગ-૧ : ૪૦૮-૪૦૯, ૪૨૬-૪૨૮ અસર પ્રત્યેનો વિનય – ભાગ-૧ : ૪૨૨-૪૨૪, ૪૩૨ અસથુર દ્વારા વિનયનો અનુચિત લાભ – ભાગ-૧ : ૪૦૬-૪૧૫ અસશુરનો શાસ્ત્રાભ્યાસ – ભાગ-૧ : ૪૦૭-૪૦૮ અસ્તિત્વ ગુણ – ભાગ-૨ : ૪૪૬-૪૪૭ ભાગ-૩ : ૨૮૬ અસ્તિત્વની ઓળખાણ – ભાગ-૪ : ૩૩૯-૩૪૦ અસ્તિત્વનો પરોક્ષ પરિચય અને પ્રત્યક્ષ પરિચય – ભાગ-૪ : ૨૯૩-૨૯૪ અસ્તિત્વ પ્રત્યે સભાનતા – ભાગ-૪ : ૪૯ અસ્તિત્વ અંગે શંકા – ભાગ-૨ : ૩૮-૩૯, ૪૬, ૭૭-૮૪ - આત્મા કોઈ ઇન્દ્રિયાદિથી અનુભવાતો નથી – ભાગ-૨ : ૪૭-૪૮, ૭૧-૭૩ - આત્મા ઘટ-પટાદિની જેમ જણાતો નથી – ભાગ-૨ : ૬૫, ૭૨-૭૩ આત્માનું જુદું એંધાણ નથી -- ભાગ-૨ : ૬૦-૬૧ - આત્માનું કોઈ રૂપ નથી - ભાગ-૨ : ૪૬-૪૮ - ઇન્દ્રિયો છે તે જ આત્મા છે – ભાગ-૨ : ૫૭, ૫૯ - દેહ તે જ આત્મા છે - ભાગ-૨ : ૫૪-૫૭, ૫૯ - પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થતી નથી - ભાગ-૨ : ૬૬-૭૧ - શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે – ભાગ-૨ : ૫૭-૫૮, ૫૯-૬૦ અસ્તિત્વ સંબંધી સમાધાન - અનુભવગમ્ય સ્વતંત્ર સ્વરૂપ છે – ભાગ-૨ : ૧૨૮-૧૨૯, ૧૩૦-૧૪૦ - અમૂર્ત દ્રવ્યની સત્તાનું પ્રમાણ - ભાગ-૨ : ૧૩૦-૧૩૩ - આત્માના અસ્તિત્વ સંબંધી શ્રી કેશી સ્વામી અને પ્રદેશી રાજાનો વાર્તાલાપ – ભાગ-૨ : ૨૫૭-૨૬૬ - આત્માનું કોઈ ઇન્દ્રિયગમ્ય સ્વરૂપ નથી – ભાગ-૨ : ૧૨૭-૧૨૮, ૧૩૦-૧૪૦, ૧૮૮, ૧૯૧-૧૯૨ - આત્માનું જુદું એંધાણ - ભાગ-૨ : ૧૭૭-૧૮૪ આત્મા ઘટ-પટાદિની જેમ જણાવો જોઈએ, એનું સમાધાન - ભાગ-૨ : ૧૮૮-૧૯૫, ૨૦૫ - આત્મા વિષેની શંકા દ્વારા આત્માની સિદ્ધિ – ભાગ-૨ : ૨૩૩-૨૩૬, - આત્મા-દેહ એકરૂપ ભાસવાનું કારણ - ભાગ-૨ : ૮૯-૯૫ - આત્મા-દેહની ભિન્નતાનું ભાન લક્ષણો વડે – ભાગ-૨ : ૯૫-૧૦૨, ૧૦૬-૧૦૭ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન - જડ-ચેતનનું ત્રિકાળ દ્વતપણું – ભાગ-૨ : ૨૧૭-૨૨૯ - જ્ઞાન ગુણ એ દેહનો ધર્મ નથી – ભાગ-૨ : ૨૦૯-૨૦૧૪ - દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ - ભાગ-૨ : ૧૦૫-૧૧૦, ૧૫૯-૧૭૩ - પંચેન્દ્રિયનો અધિષ્ઠાતા આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે - ભાગ-૨ : ૧૪૫-૧૫૫ - પ્રત્યક્ષાદિ વિવિધ પ્રમાણોથી આત્માની સિદ્ધિ – ભાગ-૨ : ૧૯૬-૨૦૫ - સંશયવિષયાદિ યુક્તિઓથી આત્માની સિદ્ધિ -- ભાગ-૨ : ૨૩૭-૨૪૬ અહંકારની પુષ્ટિ અને ક્ષીણતા – ભાગ-૪ : ૨૫૫ અંતમંગળનું પ્રયોજન – ભાગ-૪ : ૩૫૫ અંતરદયા - ભાગ-૩ : ૪૩૧-૪૩૨ અંતરશોધ – ભાગ-૩ : ૪૪૨, ૪૫૦-૪૫૭ - નિજ અવલોકન – ભાગ-૩ : ૪૫૦-૪૫૪ - ભેદજ્ઞાન - ભાગ-૩ : ૪૫૪-૪૫૫ - સ્વરૂપસન્મુખતા – ભાગ-૩ : ૪૫૫-૪૫૬ અંતર્મુખતા – ભાગ-૩ : ૩૩૪, ૫૦૪-૫૦૫ ભાગ-૪ : ૧૮૯-૧૯૧ અંતર્યાત્રા – ભાગ-૩ : ૭૮ ભાગ-૪ : ૩૧૪ અંતર્દષ્ટિ – ભાગ-૩ : ૬૪૮ આકસ્મિકવાદી – ભાગ-૨ : ૪૮૩-૪૮૪ આફળતા કઈ રીતે મટે? – ભાગ-૧ : ૧૦૭-૧૦૯ આફળતા - પરમાં પરિવર્તનની ઇચ્છાથી આકુળતા – ભાગ-૧ : ૧૦૭ આજ્ઞા – ભાગ-૧ : ૨૨૫, ૨૨૯, ૨૩૧, ૩૩૩-૩૩૪, ૩૩૫, ૩૩૮-૩૩૯, ૩૪૩-૩૪૪, ૩૪૯, ૬૨-૬૩૦, ૬૩૮-૬૪૦, ૬૬૨ ભાગ-૩ : ૪૬૮-૪૬૯, ૪૭૩-૪૭૪, ૭૬૦-૭૬૧ ભાગ-૪ : ૨૨, ૩૧-૩૩, ૧૯૫-૨૦૦ આત્મજ્ઞાન - ભાગ-૧ : ૨૪૭, ૬૧૫-૬૧૮ આત્મજ્ઞાન - પંચવ્રતનું યથાર્થ પાલન આત્મજ્ઞાન પછી – ભાગ-૧ : ૧૭૯ આત્મજ્ઞાનની પ્રાપ્તિ – ભાગ-૩ : ૫૪૯-૫૫૦ આત્મજ્ઞાનની પ્રેરણા – ભાગ-૩ : પપ૧-૫૫૪ આત્મજ્ઞાનનું માહાત્મ – ભાગ-૧ : ૧૭૬, ૧૭૭-૧૭૮ ભાગ-૩ : ૨૨૯-૨૩૦, ૬૪૯, ૭૭૭-૭૭૯ Page #730 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૬૯૭ આત્મજ્ઞાનની વિધિ – ભાગ-૩ : ૨૩૦ આત્મજ્ઞાન માટે સદગુરુની આવશ્યકતા – ભાગ-૧ : ૬૧૪, ૬૩૧ આત્મધ્યાન – ભાગ-૩ : ૩૮૦ આત્મપ્રાપ્તિ અર્થે હિતશિક્ષા – ભાગ-૩ : ૨૦૭ આત્મભ્રાંતિ – ભાગ-૪ : ૨૧, ૨૩-૨૭, ૩૪ આત્મવિચાર – ભાગ-૧ : ૨૬૮, ૨૭૮-૨૭૯ આત્મશરણ – ભાગ-૩ : ૬૨૦ આત્મશુદ્ધિનો યથાર્થ ક્રમ – ભાગ-૧ : ૧૭૨ આત્મસિદ્ધિ - જિનદશા – ભાગ-૪ : ૨૦૦-૨૦૫ આત્મસિદ્ધિ - સગુરુ આજ્ઞા – ભાગ-૪ : ૧૯૫-૨૦૦ આત્મસિદ્ધિમાં સહાયક નિમિત્તો - ભાગ-૪ : ૧૯૪-૨૦૫, ૨૩૭-૨૩૯ આત્મસ્વરૂપ – ભાગ-૧ : ૧૧૦ ભાગ-૨ : ૧૩૧, ૧૪૦ આત્મસ્વરૂપ - બુદ્ધ – ભાગ-૩ : ૬૦૮-૬૧૦ આત્મસ્વરૂપનો મહિમા – ભાગ-૧ : ૩૫૮ આત્મસ્વરૂપવિચારણા – ભાગ-૧ : ૨૮૮-૨૮૯ આત્મસ્વરૂપની સમજણ – ભાગ-૧ : ૯૮, ૧૧૦-૧૧૨, ૧૧૯, ૨૩૩-૨૩૪ આત્મસ્વરૂપની સાધના – ભાગ-૧ : ૩૭૯ આત્મસ્વરૂપ સિદ્ધ સમાન - ભાગ-૧ : ૨૮૬ આત્મસ્વરૂપ સુખધામ - ભાગ-૩ : ૬૧૪-૬૧૭ આત્મસ્વરૂપ સ્વયં જ્યોતિ – ભાગ-૩ : ૬૧૧-૬૧૪ આત્મસ્વરૂપ - વિભિન્ન દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૦-૪૫ - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૪-૪૫ - ચાર્વાક દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૦ - જૈન દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૦-૪૧ - ન્યાય દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૧-૪૨ - પૂર્વ મીમાંસા દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૪ - બૌદ્ધ દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૧ યોગ દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૩-૪૪ વૈશેષિક દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૪૨ - સાંખ્ય દર્શનની દષ્ટિએ - ભાગ-૨ : ૪૨-૪૩ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મહિતની ઝંખના – ભાગ-૧ : ૨૧૩, ૨૧૫, ૨૩૦, ૨૩૫, ૬૬૭-૬૬૮, ૭૦૦-૭૦૧, ૭૦૮ ૭૦૯, ૭૧૩-૭૧૪, ૭૨૩ ભાગ-૩ : ૧૯૩-૧૯૪, ૧૯૭-૧૯૮, ૨૦૬-૨૦૭, ૨૦૮, ૩૯૨, ૪૨૮, ૪૩પ-૪૩૬, ૪૪૯-૪૫૦ ભાગ-૪ : ૩૪૫-૩૪૬ આત્મહિતની પ્રેરણા – ભાગ-૪ : ૩૪૯-૩પ૦ આત્મા - અકતૃત્વ શક્તિ – ભાગ-૩ : ૬૭૪ આત્મા - અજર - ભાગ-૩ : ૬૬૬ આત્મા - અનંત ગુણોનો પિંડ – ભાગ-૩ : ૬૦૩, ૬૦૪, ૬૨૦-૬૨૧ આત્માની અનંત જ્ઞાન-દર્શનશક્તિ – ભાગ-૩ : પ૯૧-૫૯૫ આત્મા – અનાદિ સ્વપ્નદશા – ભાગ-૩ : ૫૪૪ આત્મા - અનુભવજ્ઞાન અને શ્રુતજ્ઞાન -- ભાગ-૪ : ૨૯૪-૨૯૬ આત્મા - અનેકાંત દષ્ટિએ નિત્યાનિત્ય સ્વરૂપ – ભાગ-૨ : ૩૮૫-૩૮૬, ૩૯૬-૪૦૪, ૪૧૮ ૪૧૯, ૪૫૧, ૪૬૦-૪૬૧ આત્મા અપરિવર્તનશીલ તત્ત્વની સજાગતા – ભાગ-૩ : ૫૮૨-૫૮૫ આત્મા - અભોસ્તૃત્વ શક્તિ – ભાગ-૩ : ૬૭૭ આત્મા – અવિનાશી – ભાગ-૩ : ૬૬૭-૬૬૮ આત્માનું અવ્યાબાધ સ્વરૂપ -- ભાગ-૩ : પ૯૬-૫૯૮ આત્માનું અસંયોગીપણું, અનુત્પન્નપણું – ભાગ-૨ : ૩૨ ૫-૩૫૮, ૪૪૭-૪૪૮ આત્માની આકાશ સાથે તુલના – ભાગ-૩ : ૭૬ ભાગ-૪ : ૧૮૬-૧૮૭ આત્માનો આધ્યાત્મિક વિકાસ – ભાગ-૩ : ૯૬-૧૦૦ આત્માનાં ઉત્પત્તિ-લય સંબંધી માન્યતાનું નિરસન – ભાગ-૨ : ૩૦૩-૩૦૫, ૩૧૦-૩૫૮ આત્માની ઉત્પત્તિ સંબંધી વૈજ્ઞાનિકોની ધારણા – ભાગ-૨ : ૩૨૮-૩૨૯ આત્મા - ઉપયોગ એ આત્માનું લક્ષણ છે – ભાગ-૩ : ૨૯૧-૨૯૨, ૫૯૧ આત્મા – ઉપશમાદિ પાંચ પ્રકારના ભાવ – ભાગ-૩ : ૨૧૪-૨૧૬ આત્મા - ઉપાધિભાવ – ભાગ-૩ : ૭૦૮-૭૦૯ આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ - ભાગ-૨ : ૭૬૦-૭૬૧ આત્માને એકાંતે ક્ષણિક માનવાથી ઉત્પન્ન થતા દોષો – ભાગ-૨ : ૪૨૦-૪૩૩, ૪૪૮-૪૫૧ આત્માને એકાંતે નિત્ય માનવાથી ઉત્પન્ન થતા દોષો – ભાગ-૨ : ૪૪૯-૪૫૧ આત્માની ઓળખાણ – ભાગ-૩ : ૭૪ર ભાગ-૪ : ૧૫૭-૧૫૯ આત્માની અને કર્મની શક્તિ – ભાગ-૨ : ૭૩૭-૭૩૮ ભાગ-૩ : ૪૦-૪૧ આત્મા કૂટસ્થ નિત્ય? – ભાગ-૨ : ૪૬૧ આત્માના ગુણો – ભાગ-૨ : ૧૨૯, ૧૯૧-૧૯૨ Page #732 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૬૯૯ આત્માનું ચૈતન્યત્વરૂપ એંધાણ – ભાગ-૨ : ૧૭૭-૧૮૪ આત્મા - ચૈતન્યમય છે – ભાગ-૩ : ૨૮૭-૨૮૯, ૬૧૦-૬૧૧, ૬૫૯-૬૬૦ આત્મા ચૈતન્યસ્વભાવનો તથા કર્મભાવનો કર્તા – ભાગ-૨ : ૬૦૦-૬૦૪, ૬૧૧ આત્માની જ્ઞતિક્રિયા - ભાગ-૩ : ૮૧-૮૪ આત્માનો જ્ઞાન ગુણથી નિર્ણય – ભાગ-૨ : ૧૩૬-૧૩૮, ૧૯૩-૨૦૦, ૨૧૮-૨૨૧, ૨૨૬ ૨૨૭, ૫૧૦-૫૧૧ આત્મા - જ્ઞાનધારા અને કર્મધારા - ભાગ-૩ : ૬૮૩-૬૮૪ આત્માની સાથે જ્ઞાનનો ભેદ કે અભેદ ? – ભાગ-૨ : ૩૯૮-૩૯૯ આત્માનો જ્ઞાનસ્વભાવ – ભાગ-૨ : ૬૦૩-૬૦૪, ૩૫૬ ભાગ-૩ : ૨૮૮-૨૮૯, ૧૯૨, ૬૦૮-૬૦૯ ભાગ-૪ : ૧૫૭-૧૫૯, ૧૮૪ આત્મા - જ્ઞાનસ્વભાવના આશ્રયે ધર્મ ભાગ-૩ : ૮૦-૮૧, ૮૬ આત્મા - જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા અને એકાગ્રતા – ભાગ-૩ : ૮૦-૮૧ આત્મા - ત્રિકાળી સત્તા અને કર્મકૃત વ્યક્તિત્વ - ભાગ-૩ : ૨૧૭-૨૨૦ આત્મા દશામાં અસંગ ક્યારે ? – ભાગ-૨ : ૫૫૨-૫૫૩, ૫૬૬-૫૬૮ આત્મા - દેહથી પૃથકતાની વિધિ - ભાગ-૩ : ૬૬૫ આત્માની દેહથી ભિન્નતા – ભાગ-૨ : ૩૧૦, ૩૧૯-૪૨૦, ૩૫૬-૩૫૭, ૩૫૯-૩૬૦, ૬૬૩ ૬૬૬, ૭૭૦-૭૭૩ આત્મા - દેહભેદે આત્મભેદ તથા અનંત આત્માની સિદ્ધિ – ભાગ-૨ : ૧૧૯-૧૨૨ આત્મા - દેહાતીત સ્વરૂપની અનુભૂતિનો ઉપાય - ભાગ-૪ : ૩૬૦ આત્મા અને દ્રવ્યકર્મનો બંધ કઈ રીતે થાય છે? – ભાગ-૨ : ૬૬૧-૬૬૨ આત્માનું જુદા જુદા નયથી કર્તૃત્વ - ભાગ-૨ : ૫૧૮-૫૨૨, ૬૦૨-૬૦૩, ૬૦૯-૬૧૧, ૬૭૦-૬૭૧ આત્મા - નિજપરિણામનો કર્તા-ભોક્તા – ભાગ-૩ : ૬૮૯-૬૯૦ આત્મા નિરંતર સર્વને અનુભવમાં આવે છે - ભાગ-૩ : ૬૧૨-૬૧૩ આત્મા - નિશ્ચયનયથી આત્મસ્વરૂપ – ભાગ-૪ : ૮૨-૮૩ આત્મા નિશ્ચયનયથી પોતાના ભાવોનો અને વ્યવહારનયથી કર્મફળનો ભોક્તા - ભાગ-૨ : ૭૦૨-૭૦૩ આત્મા - નિશ્ચયનય અને વ્યવહારનયથી આત્માનો બંધ અને મોક્ષ – ભાગ-૧ : ૧૬૪-૧૬૭ આત્મા પરનો અકર્તા-અભોક્તા – ભાગ-૩ : ૫૬૮-૫૬૯, ૫૭૦-૫૭૧, ૫૭૪-૫૭૫ આત્મા ઉપર પરદ્રવ્યની અસર – ભાગ-૪ : ૨૧૭-૨૧૯ આત્માને પરદ્રવ્યથી લાભ-નુકસાન નહીં - ભાગ-૧ : ૧૦૫ આત્મા - પરનો ભોક્તા છે કે નહીં? – ભાગ-૩ : ૬૭૭-૬૭૮ આત્મા - પરભોસ્તૃત્વથી નિવૃત્તિ – ભાગ-૩ : ૬૭૮-૬૭૯ આત્માનું પરમાત્મસ્વરૂપ ખોવાયું કે નષ્ટ થયું નથી - ભાગ-૩ : ૭૭-૭૮ આત્માની પરિપૂર્ણતા - ભાગ-૩ : ૫૯૭-૫૯૮ આત્મા અને પુદગલની સ્વતંત્રતા – ભાગ-૨ : ૨૨૮-૨૨૯ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન આત્મા પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ ભાગ-૨ : ૭૨૫ આત્મા પ્રત્યક્ષાદિ વિવિધ પ્રમાણોથી સિદ્ધિ આત્માનું બળ વધુ કે કર્મનું ભાગ-૪ : ૬૭-૭૧ આત્મા ભારતીય દર્શનોમાં આત્માનું મહત્ત્વ આત્માની મિત્રતા - આત્માનો મહિમા આત્મા આત્મા - ભાગ-૨ : ૨૧૭-૨૧૯ ભાગ-૩ : ૨૨૨-૨૨૪, ૫૬૮, ૫૯૬, ૬૦૫-૬૦૬ ભાગ-૩ : ૨૨૪, ૫૯૮, ૬૨૦-૬૨૧, ૬૬૧-૬૬૨ ભાગ-૪ : ૩૮, ૪૦-૪૧, ૧૮૪-૧૮૭, ૩૪૭ મુક્ત આત્માનું સક્રિયપણું ભાગ-૨ : ૬૦૯-૬૧૧ આત્મા આત્મા મોક્ષસ્વરૂપ છે ભાગ-૩ : ૧૮૬-૧૯૧ આત્મા અને રાગભાવ ભાગ-૩ : ૫૨૪-૧૨૫, ૫૭૨ આત્માનું લક્ષણ જ્ઞાન ભાગ-૨ : ૯૮-૧૦૨ આત્મા વર્તમાન દોષની ઓળખ અને ક્ષય – વિકારનો કર્તા છે કે નહીં? વિકારકતૃત્વથી નિવૃત્તિ આત્મા ભાગ-૩ : ૬૭૪-૬૭૫ ભાગ-૩ : ૬૭૫-૬૭૬ આત્મા આત્મામાં વિકાર થવાનું કારણ ભાગ-૨ : ૧૩૨-૫૩૫ આત્માના વિકારી ભાવ અને દ્રવ્ય કર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આત્મા - વિભિન્ન દર્શનોની દૃષ્ટિએ આત્માનું સ્વરૂપ આત્મા વિશ્વનો સર્વશ્રેષ્ઠ પદાર્થ ભાગ-૩ : ૫૨૮ આત્મા શુદ્ધ સનાતન આત્મધર્મ ભાગ-૪ : ૧૩૮ આત્માના શુભાશુભ અધ્યવસાયનું ફળ આત્મા સત્ છે ભાગ-૩ : ૨૮૫૨૮૭ આત્માનું સર્વદર્શીપણું આત્માનું સર્વદર્શીપણું આત્મા સર્વવ્યાપી કે દેહવ્યાપી ? આત્મા સર્વાભાસરહિત છે આત્માનું સંવેદન - ભાગ-૨ : આત્મા સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ આત્માનું સ્વપરપ્રકાશપણું આત્મા આત્મા - - - - - - - – - - - — - - - ભાગ-૨ : ૧૯૬-૨૦૫ ભાગ-૨ : ૩૯-૪૦ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવની પ્રાપ્તિ સુલભ કે દૂર્લભ? ભાગ-૩ : ૭૧૩-૭૧૪ સર્વજ્ઞપણું ભાગ-૩ : ૧૯૩-૫૯૪ સર્વજ્ઞપણું પ્રગટાવવાનો ઉપાય ભાગ-૩ : ૬૪-૬૫ ભાગ-૩ : ૨૮૯-૨૯૨ ૨૨૮ ભાગ-૨ : ૭૨૩-૭૨૪, ૭૫૯-૭૬૦ ભાગ-૨ : ૨૩૩-૨૩૬ ભાગ-૨ : ૫૨૯-૫૩૫ ભાગ-૨ : ૪૦-૪૬, ૫૬૪-૫૬૫ ભાગ-૩ : ૬૧૧-૬૧૩ સ્વભાવનું અવલંબન ભાગ-૩ : ૨૯૫-૨૯, ૫૩૭, ૧૯૯-૬૦૦, ૬૨૦ સ્વભાવનો નિર્ણય - ભાગ-૪ : ૧૬૪-૧૬૫ - ભાગ-૧ : ૭૩૭-૭૩૯ ભાગ-૩ : ૭૮, ૪૮૮-૪૮૯, ૬૨૬-૬૨૭, ૭૧૧-૭૧૩ ભાગ-૪ : ૧૪-૧૭ ભાગ-૩ : ૧૯૫ ભાગ-૩ : ૭૮-૮૦ ભાગ-૪ : ૧૬૫ Page #734 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ભાગ-૧ : ૨૩૪-૨૩૫ ભાગ-૩ : ૨૯૫-૨૯૬, ૨૯૮-૨૯૯, ૪૫૫-૪૫૬ ભાગ-૪ : ૨૯૬, ૩૨૪, ૩૨૫, ૩૪૦-૩૪૧ આત્મા સ્વભાવે શુદ્ધ અને વર્તમાન અવસ્થામાં અશુદ્ધ ભાગ-૨ : ૫૫૦-૫૫૨, ૫૬૫-૫૬૭ ભાગ-૩ ૩૪-૩૬, ૨૨૩, ૨૯૧, ૬૦૫-૬૦૭ ભાગ-૪ : ૨૫-૨૬, ૮૩ આત્મા આત્મા આત્મા ભાગ-૩ : ૨૯૭-૨૯૮ સ્વયંની સમૃદ્ધિનું ભાન આત્માનું સ્વરૂપ - ભાગ-૩ : ૨૮૩-૨૮૪, ૨૮૪-૨૯૩, ૫૦, ૫૮૬૫૯, ૬૦૩-૬૧૭ આત્મા સ્વરૂપનો અનુભવ ભાગ-૩ : ૪૮૭-૪૮૮, ૬૬૧-૬૬૨ ભાગ-૪ : ૧૯૫ આત્મા આત્મા આત્મા આત્મા આત્મા - આત્મા આત્મા આત્મા - - - - - - - - - - - સ્વભાવસન્મુખતા - સ્વરૂપાનુસંધાન સ્વરૂપનો અભ્યાસ ભાગ-૨ : ૬૦૩-૬૦૪ સ્વરૂપમાં ઐક્યભાવ ભાગ-૩ : ૫૪૫-૫૪૬, ૫૯૯-૬૦, ૬૧૩ સ્વરૂપજાગૃતિ ભાગ-૪ : ૪૮-૫૦, ૬૯, ૧૯૩ સ્વરૂપ દર્પણ જેવું સ્વચ્છ ભાગ-૩ : ૭૬ સ્વરૂપો પરોક્ષ તેમજ પ્રત્યક્ષ પરિચય ભાગ-૪ : ૩૩૯ સ્વરૂપની રૃચિ સ્વરૂપનો લક્ષ સ્વરૂપની સમજણ — આત્મા આત્મા - સ્વરૂપસ્થિતિ ભાગ-૧ : ૨૪૨-૨૪૩, ૨૬૯ સ્વસ્વરૂપનું અજ્ઞાન - ભાગ-૩ : ૨૧૭ આત્મામાં સ્વાભાવિક અને વૈભાવિક બન્ને પરિણમનની યોગ્યતા આત્માની સ્વાધીનતા ભાગ-૩ : ૫૯૬-૧૯૭ ભાગ-૪ : ૬૮-૭૧ ભાગ-૧ : ૪૩૭, ૪૪૩-૪૪૪ ભાગ-૩ : ૪૮૮ ભાગ-૪ : ૧૦૧-૧૦૩ ભાગ-૪ : ૨૯૩-૨૯૪ ભાગ-૧ ૧૫૫, ૭૩૫-૭૩૭ ભાગ-૩ ૫૬૨-૫૬૪ ભાગ-૪ : ૧૯૨-૧૯૪, ૩૪૦ આત્મા - કર્મફળદાનપ્રેરણાનું સામર્થ્ય ભાગ-૨ : ૭૫૦ આત્મા અને કર્મ વચ્ચેનો સંબંધ આત્મા ઉપર કર્મ સંબંધનો પ્રભાવ ભાગ-૨ : ૬૭૧ આત્મા અને કર્મ વચ્ચેનો સંબંધ અનાદિ કાળથી આત્મા અને કર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આત્મા અને કર્મનો સંયોગ સંબંધ ભાગ-૨ : ૬૬૪-૬૬૬, ૬૮૩-૬૮૪ – ભાગ-૨ : ૫૨૮-૫૨૯, ૫૪૧-૫૪૨ ભાગ-૨ : ૫૯૯-૬૦૦, ૬૧૧-૬૧૨ - ભાગ-૨ : ૫૪૨-૫૪૫ ભાગ-૨ : ૬૬૯-૬૭૦, ૭૫૭ ૭૦૧ Page #735 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨. શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન આત્માનું પરિમાણ - ભાગ-૨ : ૧૧૦-૧૧૯ - અન્ય દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૧૧૨-૧૧૪ - જૈન દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : ૧૧૦-૧૧૨ - દેહપરિમાણની સિદ્ધિ - ભાગ-૨ : ૧૧૪-૧૧૯ આત્માર્થિતા - ભાગ-૧ : ૬૦૩-૬૦૪, ૬૭૫, ૬૯૮ ભાગ-૩ : ૩૯૧-૭૯૨ આત્માર્થીને અસદ-આકાંક્ષાનો રોગ નહીં – ભાગ-૧ : ૬૫૮, ૬૬૩-૬૬૭ આત્માર્થીનું આજ્ઞા-આરાધન – ભાગ-૧ : ૩૩૮-૩૩૯, ૩૫૩, ૬૨૯-૬૩૦, ૬૩૮-૬૪૨, ૬૬૨ ૬૬૩ આત્માર્થીની આત્મહિતની ઝંખના - ભાગ-૧ : ૨૧૩, ૨૧૫, ૨૩૦, ૨૩૫, ૬૬૭-૬૬૮, ૭૦૦ ૭૦૧, ૭૦૮-૭૦૯, ૭૧૩-૭૧૪, ૭૨૩ આત્માર્થીને વર્તતો આત્માનો મહિમા – ભાગ-૩ : ૨૦૮ આત્માર્થી - આરંભ-પરિગ્રહની ન્યૂનતા – ભાગ-૧ : ૬૮૨ આત્માર્થીની ક્રિયા - ભાગ-૧ : ૨૧૧ આત્માર્થીનો ગુણવિકાસ – ભાગ-૧ : ૬૩૭-૬૩૮ આત્માર્થી ઉપર ગુરના ગુણોનો પ્રભાવ - ભાગ-૧ : ૬૩૫ આત્માર્થીની ગુરુભક્તિ - ભાગ-૧ : ૨૩૦, ૩૫૩-૩૫૫, ૬૩૦, ૬૩૭, ૬૬૨ આત્માર્થીની જિજ્ઞાસા - ભાગ-૧ : ૬૫૩ આત્માર્થીનો તત્ત્વનિર્ણય – ભાગ-૧ : ૬૬૪, ૬૭૮, ૬૭૯, ૭૧૧-૭૧૨, ૭૨૧-૭૨૨, ૭૩૮ ભાગ-૩ : ૭૪-૭૫ આત્માર્થીનો દોષવિલય - ભાગ-૧ : ૩૭૧-૩૭૩, ૬૩૫-૬૩૬ આત્માર્થીનું પ્રવર્તન – ભાગ-૧ : ૨૦૭-૨૦૮ આત્માર્થીની પ્રેમભક્તિ – ભાગ-૧ : ૩પ૩-૩૫૫ આત્માર્થીને બોધને વિષે પરમ પ્રેમ – ભાગ-૧ : ૭૧૦-૭૧૧, ૭૨૧ ભાગ-૩ : ૬૪૫-૬૪૬ આત્માર્થીની ભાવના – ભાગ-૧ : ૬૪૧-૬૪૨, ૬૫૩-૬૫૪, ૬૮૨, ૬૮૬ આત્માર્થીનું ભેદજ્ઞાન – ભાગ-૧ : ૭૧૨-૭૧૪, ૭૨૨ આત્માર્થીની મધ્યસ્થતા – ભાગ-૧ : ૬૫૨ આત્માર્થીની માન સામેની લડત – ભાગ-૧ : ૩૬૮-૩૬૯ આત્માર્થીનાં લક્ષણો – ભાગ-૧ : ૨૦૭-૨૦૮, ૬૭૩-૬૮૯ આત્માર્થીનો વિવેક – ભાગ-૧ : ૨૧૪ આત્માર્થીનો શાસ્ત્રાભ્યાસ – ભાગ-૧ : ૨૧૨-૨૦૧૩ આત્માર્થી - સદ્ગુરુની ઓળખાણ – ભાગ-૧ : ૬૧૨-૬૧૩, ૬૩૧-૬૩૨, ૬૬૧, ૬૨૪-૬૨૫ આત્માર્થીની સવળી સમજણ – ભાગ-૧ : ૨૧૩ આત્માર્થીનું સાંસારિક પ્રાપ્તિ પ્રત્યેનું વલણ – ભાગ-૩ : ૧૯૬ Page #736 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ વિષયસૂચિ આત્માર્થીનો સ્વરૂપ-અભ્યાસ – ભાગ-૧ : ૭૧૧, ૭૨૩, ૭૩૫, ૭૩૯ ભાગ-૩ : ૬૪૬-૬૪૭ આનંદ – અકારણ આનંદ – ભાગ-૪ : ૩૧૪-૩૧૫ આનંદ - સુખ-દુઃખ અને આનંદ – ભાગ-૪ : ૩૦૧-૩૦૩ આર્જવ - ભાગ-૩ : ૩૫૧ આશાતનાના પ્રકાર – ભાગ-૧ : ૩૯૫-૩૯૮ આસ્રવ – ભાગ-૩ : ૪૬, ૪૭, ૨૪૬ આંતર અવલોકન – ભાગ-૩ : ૪૫૧-૪૫૪ એકાકીપણું – ભાગ-૪ : ૩૧૪ એકાંત દષ્ટિ - ભાગ-૩ :૩૯૩-૩૯૪ એકાંત નિશ્ચયવાદી જીવનું અપરાધીપણું – ભાગ-૪ : ૨૪૩-૨૪૪ એકાંત નિશ્ચયવાદી જીવને ચેતવણી – ભાગ-૪ : ૨૦૯-૨૧૦, ૨૩૯-૨૪૦ એકાંત નિશ્ચયવાદી જીવ - નિશ્ચયનયના કથનોની અધૂરી સમજ – ભાગ-૪ : ૨૧૫ એકાંત નિશ્ચયવાદી જીવની દલીલો તથા તેનું સમાધાન – ભાગ-૪ : ૦૯-૧૦૦, ૨૩૨-૨૩૭ એકાંત નિશ્ચયવાદી જીવની દશા શું થાય? – ભાગ-૪ : ૨૦૯-૨૧૦, ૨૧૧-૨૧૨, ૨૩૯-૨૪૦ એકાંત નિશ્ચયવાદી જીવ દ્વારા શુભ નિમિત્તનો નિષેધ – ભાગ-૪ : ૨૧૧, ૨૨૧, ૨૩૧ એકાંત – સમ્યક એકાંત અને મિથ્યા એકાંત – ભાગ-૪ : ૧૧૫ ઇચ્છા – ભાગ-૪ : ૨૮૩ ઇચ્છા - પરમાર્થની ઇચ્છા - ભાગ-૪ : ૫૦-૭૭ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન - ભાગ-૨ : ૧૩૪–૧૩૬, ૧૪પ-૧૫૫ ઇન્દ્રિય - દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય – ભાગ-૨ : ૧૫૨-૧૫૪ ઈશ્વર - ભાગ-૨ : પ૭૩-૫૭૫, પ૯૧-૫૯૨, ૧૯૩-૫૯૪, ૬૪૫, ૬૪૬, ૬૪૭. ઈશ્વર અને ઈશ્વરકર્તૃત્વ સંબંધી વિભિન્ન દર્શનોની માન્યતા – ભાગ-૨ : ૪૮૭-૪૮૮ ઈશ્વર - ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ કે સ્વર્ગ-નરકાદિ કેવી રીતે ઘટે? – ભાગ ૨ : ૬૪૭-૬૪૮, ૬૫૧-૬૫ર ઈશ્વર - જ્ઞાન અપેક્ષાએ ઈશ્વર સર્વવ્યાપી – ભાગ-૨ : ૭૭૨-૭૭૩ ઈશ્વરકર્તુત્વવાદ - ભાગ-૨ : ૪૮૨-૪૯૨, ૬૪૭-૬૫૨ ઈશ્વરકર્તુત્વવાદનું નિરસન – ભાગ-૨ : ૫૭૪-પ૯૪ - ઈશ્વરત્વ વિષે જૈન દર્શન - ભાગ-૨ : ૫૯૦-૫૯૪, ૭૪૯, ૭૭૧, ૭૭૭ - ઈશ્વરકર્તુત્વ વિષે જૈન દર્શન - ભાગ-૨ : ૫૮૯-૫૯૦ - ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી – ભાગ-૨ : ૫૭૬-૫૭૮ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - ઈશ્વર જગતનું નિમિત્તકારણ નથી – ભાગ-૨ : પ૭૮-૫૮૦ - ઈશ્વર જીવોનાં કર્મોનો પ્રેરકકર્તા નથી – ભાગ-૨ : ૫૮૭-૫૮૯ ઈશ્વર સૃષ્ટિનો પાલનકર્તા નથી – ભાગ-૨ : ૫૮૩-૫૮૪ - ઈશ્વર સૃષ્ટિનો સંહારકર્તા નથી – ભાગ-૨ : ૫૮૫ - જગત વિષે જૈન દર્શન – ભાગ-૨ : ૫૭૮-૫૮૦ - વીતરાગી ઈશ્વરની આરાધના કઈ રીતે સાર્થક? – ભાગ-૨ : ૫૯૨-૫૯૩ - સૃષ્ટિનાં નિર્માણ-પ્રલય કયા પ્રયોજનથી? – ભાગ-૨ : ૫૭૫-પ૭૬, ૫૮૫-૫૮૭ - સૃષ્ટિરચનામાં વિસંગતા – ભાગ-૨ : ૫૮૦-૫૮૩ ઈશ્વરકર્મફળદાતૃત્વવાદ – ભાગ-૨ : ૬૩૩-૬૩૭, ૬૪૬, ૭૪૬-૭૪૭ ઈશ્વરકર્મફળદાતૃત્વવાદનું નિરસન – ભાગ-૨ : ૬૩૭-૬૪૦, ૬૪૬-૬૪૭, ૭૪૭-૭૫૨ ઈશ્વરવાદ – ભાગ-૨ : ૬૪૯-૬૫૨ ઈશ્વરવાદનું નિરસન – ભાગ-૨ : ૭૬૫-૭૭૭ ઉત્કર્ષણ – ભાગ-૨ : ૭૪૦, ૭૪૧, ૭૪૩ ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન - ભાગ-૪ : ૬૩૯-૬૬૨ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૪-૪૫ - આત્મા અબંધ છે – ભાગ-૨ : ૪૮૧ - આત્માનું કર્તુત્વ – ભાગ-૨ : ૪૬૦ - આત્માનું નિત્યત્વ - ભાગ-૨ : ૨૭૬-૨૭૭ ઈશ્વર – ભાગ-૨ : ૪૮૮, ૪૯૨ - કર્મફળભોક્નત્વ – ભાગ-૨ : ૬૨૩ - બ્રહ્મ (આત્મા) એક છે – ભાગ-૨ : ૪૭૧ - ભક્તિમાર્ગી વેદાંતીઓનું મુક્તિસ્થાન – ભાગ-૩ : ૧૦૭ - મોક્ષ – ભાગ-૩ : ૮, ૧૩-૧૪ ઉત્પાદ ભાગ-૩ : ૨૮૬ ઉદય – ભાગ-૨ : ૬૯૮, ૭૪૨ ઉદયભાવનો રસ -- ભાગ-૩ : ૪પ૧-૪પર ઉદીરણા – ભાગ-૨ : ૭૪૨ ઉપકરણ – ભાગ-૧ : ૪૦૭ ઉપદેશનું ગ્રહણ કઈ રીતે ? – ભાગ-૧ : ૨૧૫-૨૧૬ ઉપદેશ બોધ – ભાગ-૪ : ૨૪૯ ઉપદેશક - અસશુર ઉપદેશક - ભાગ-૧ : ૪૦૯-૪૧૦ Page #738 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશકપણું કયા ગુણસ્થાનકે? તત્ત્વમૂઢ ઉપદેશક ઉપદેશક ઉપદેશક પ્રવૃત્તિ આત્મજ્ઞાન થયા પહેલાં ઉપનિષદ ભાગ-૪ : ૪૨૬-૪૨૭ કર્મ - - — ઉપયોગ ભાગ-૩ : ૫૯૧ ઉપયોગ આત્માનું લક્ષણ ઉપયોગનું બહાર ભટકવું શુદ્ધ ઉપયોગ ઉપયોગ ઉપયોગ શુદ્ધ, શુભ અને અશુભ ઉપયોગ શુભ ઉપયોગના પ્રકાર ઉપયોગમાં સાતિશયપણું ઉપશમન ભાગ-૨ : ૭૪૩ 1 - - — - - - - – - - - - વિષયસૂચિ ભાગ-૧ : ૨૬૨-૨૬૩ ઉપશાંતમોહ ાસ્તાન ઉપાદાન ભાગ-૪ : ૧૭૫-૧૭૬, ૪૪૯-૪૫૦ ઉપાદાન ઉપાદેય ભાગ-૪ : ૧૭૪ ઉપાદાનકારણ ભાગ-૪ : ૧૭૩, ૧૭૪, ૧૭૫-૧૭૬ ઉપાદાનમાં કારણતાનું પ્રગટીકરણ ઉપાદાન-નિમિત્તની સંધિ ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ ઉપાદાનના મહિમાનો પરમાર્થ ઉપાદાનનું સામર્થ્ય ઉપાદેય ભાગ-૪ : ૧૭૪ ઊર્ધ્વગમન કર્તા-ભોક્તાપણું ભાગ-૧ : ૧૫૩-૧૫૪ ભાગ-૩ : ૨૯૧-૨૯૨, ૧૯૧ ભાગ-૩ : ૫૫૮-૫૬૦ ભાગ-૩ : ૮૯ — ભાગ-૧ : ૧૮૩ ભાગ-૧ : ૪૨૫ ભાગ-૧ : ૫૪૨-૫૪૪ ભાગ-૧ : ૧૮૩ ભાગ-૩ : ૯૭ - --- ભાગ-૪ : ૨૩૭-૨૩૮ ભાગ-૪ : ૨૧૫, ૨૩૦-૨૩૧ ભાગ-૪ : ૧૭૨-૧૮૧ ભાગ-૩ : ૧૦૦-૧૦૪, ૧૦૫ પરનું ભાગ-૨ : ૫૧, ૫૧૩, ૬૮૨-૮૩, ૭૨૧ ભાગ-૩ : ૩૦૬ ભાગ-૪ : ૨૦૯-૨૧૦, ૨૧૫ ભાગ-૪ : ૧૭૧, ૧૮૩-૧૮૭ કર્મ અઘાતી કર્મ ભાગ-૩ : ૯૭-૧૦૦ કર્મ આઠ કર્મપ્રકૃતિઓની આત્મા ઉપર અસર કર્મની આડમાં પ્રમાદનું પોષણ ભાગ-૩ : ૩૧૮-૩૧૯ ભાગ-૩ : ૪૦-૪૧ કર્મની અને આત્માની શક્તિ કર્મ અને આત્મા વચ્ચેનો સંબંધ ભાગ-૨ : ૫૩૮-૫૩૯, ૫૪૧-૫૪૫ કર્મ અને આત્મા વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ - ભાગ-૨ : ૬૬૯-૭૦, ૭૫૭ ભાગ-૩ : ૫૬૮-૫૬૯, ૫૭૦-૫૭૧, ૫૭૩-૫૭૫ – ભાગ-૩ : ૩૦૬-૩૧૦ ૭૦૫ Page #739 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મ અને આત્માનો સંયોગ સંબંધ – ભાગ-૨ : ૬૬૪-૬૬૬, ૬૮૩-૬૮૪ કર્મ આદિ છે કે અનાદિ? – ભાગ-૨ : ૨૪૪-૫૪૫ કર્મનો આસ્રવ અને બંધ - ભાગ-૨ : ૬૬૫-૬૬૬ કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ – ભાગ-૨ : ૬૮૮ કર્મના ઉદય અને જીવના વિકાર – ભાગ-૨ : પ૩ર-પ૩૫ ભાગ-૪ : ૧૭૮-૧૭૯ કર્મનો કર્તા જીવ કઈ રીતે ? – ભાગ-૨ : ૫૧૯, ૫૨૧, ૫૨૩, ૬૦૨-૬૦૩ કર્મનો કર્તા વ્યવહારનયથી આત્મા – ભાગ-૨ : ૬૭૦-૬૭૧ કર્મ અને કર્મફળ વચ્ચે ઈશ્વરની આવશ્યકતા – ભાગ-૨ : ૬૩૩-૬૩૪ કર્મકર્તૃત્વ ટળી શકે છે - ભાગ-૨ : ૫૩૮-૫૪૧ કર્મનો કાયદો જીવ અને જડ સૃષ્ટિમાં – ભાગ-૨ : ૭૨૦ કર્મ - ઘાતી કર્મ – ભાગ-૩ : ૯૭-૯૯ કર્મ - ઘાતી અને અઘાતી કર્મનું ફળ – ભાગ-૨ : ૭૨૫-૭૨૬ કર્મ - જગતમાં પ્રવર્તતી વિચિત્રતાનું કારણ કર્મ – ભાગ-૨ : ૪૬૨, ૭૦-૭૧૦, ૭૧૯ કર્મ - જડ કર્મ જીવને ફળ દેવામાં પરિણામી કઈ રીતે થઈ શકે ? – ભાગ-૨ : ૬૧૮, ૬૨૩-૬૨૪ કર્મનો જડ સ્વભાવ ફળદાનમાં બાધક થતો નથી - ભાગ-૨ : ૬૯૮-૭૦૪ કર્મ અને જીવની ભિન્નભિન્નતા – ભાગ-૨ : ૫૧૭-૫૧૮ કર્મ અને દેહ વચ્ચે કારણ-કાર્યભાવ - ભાગ-૩ : ૪૯ કર્મ - દેહોત્પત્તિનું કારણ માતા-પિતા કે કર્મ? – ભાગ-૨ : ૭૧૨-૭૧૩ કર્મધારા - ભાગ-૩ : ૬૮૩-૬૮૪ કર્મનાં પ્રકાર અને પ્રકૃતિ – ભાગ-૨ : ૬૮૫-૬૮૬, ૭૨૫-૭૨૬ ભાગ-૩ : ૩૦૫, ૩૬, ૩૧૧, ૩૧૩-૩૧૪ કર્મબંધની પ્રક્રિયા - ભાગ-૨ : ૬૫૭-૬૭૭, ૬૮૨-૬૯૮ કર્મનો પ્રતિનિયત સ્વભાવ – ભાગ-૨ : ૬૮૨ કર્મનું ફળ આપવા માટે ઈશ્વરની જરૂર નથી – ભાગ-૨ : ૭૪૬-૭૫૨ કર્મમાં ફળદાન યોગ્યતા જીવના નિમિત્તથી પ્રગટે છે – ભાગ-૨ : ૭૩૮, ૭૫૦ કર્મફળદાતા ઈશ્વરને ગણતાં ઉપસ્થિત થતો વિરોધ - ભાગ-૨ : ૬૩૪-૬૪૦, ૬૪૬, ૭૪૭-૭૫૧ કર્મનું બળ વધુ કે આત્માનું? – ભાગ-૪ : ૬૭-૭૧ કર્મનાં બંધ, સત્તા અને ઉદય – ભાગ-૨ : ૬૯૭-૬૯૮, ૭૩૮-૭૪૨ કર્મના બે ભેદ – ભાગ-૨ : ૬૧૯ કર્મના ભેદ વિભિન્ન દર્શનોની દષ્ટિએ – ભાગ-૨ : ૭૨૭-૭૨૮ કર્મફળ ભોગવવાનાં સ્થાન – ભાગ-૨ : ૭૫૭-૭૬૪ કર્મ - મૂર્ત કર્મ વડે અમૂર્ત આત્મા ઉપર ઉપઘાત કે ઉપકાર થઈ શકે? – ભાગ-૨ : ૫૧૪-૫૧૭ કર્મ - મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંબંધ થઈ શકે? - ભાગ-૨ : ૫૧૩-૫૧૪ કર્મ - મહામોહનીય કર્મ – ભાગ-૧ : ૪૧૦-૪૧૨ કર્મભાવ અને મોક્ષભાવ – ભાગ-૩ : ૨૧૩-૨૧૪, ૨૧૭, ૨૨૦-૨૨૧, ૨૩૧-૨૩૨ Page #740 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૦૭ કર્મ - રત્નત્રયથી ખપી શકે છે - ભાગ-૩ : ૨૪૨ કર્મ - વિપાકભોગ અને પ્રદેશભોગ - ભાગ-૩ : ૨૪૨ કર્મની શક્તિ – ભાગ-૨ : ૬૨૦, ૭૩૭-૭૩૮ કર્મ શબ્દની વ્યુત્પત્તિ – ભાગ-૨ : ૬૬૩ કર્મ - શુભાશુભ કર્મથી શુભાશુભ ગતિ – ભાગ-૩ : ૨૮-૨૯ કર્મનું શુભાશુભ ફળ – ભાગ-૨ : ૭૨૪-૭૨૫ કર્મ સામે શૂરવીર થવું – ભાગ-૩ : ૩૧-૩૨૦ કર્મસંતતિ – ભાગ-૩ : ૪૯-૫૫ કર્મ - સુખ-દુ:ખનું કારણ કર્મ – ભાગ-૨ : ૭૧૦-૭૧૨, ૭૧૪-૭૧૫ કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે – ભાગ-૨ : ૭૪૫-૭૪૬, ૭૫૧-૭૫૨ કર્મ સહજ સ્વભાવે (અનાયાસે) બંધાતાં નથી. - ભાગ-૨ : પ૨૮-૫૩૬ કર્મકર્તત્વ સંબંધી વિભિન્ન દર્શનોની માન્યતા - ભાગ-૨ : ૪૫૮-૪૬૦ કર્મકર્તૃત્વ અંગે શંકા - આત્માના અર્થક્રિયાકારિત્વ વિષે વિકલ્પ – ભાગ-૨ : ૪૯૮-૫૦૪ - આત્મા સદા અસંગ છે અને માત્ર પ્રકૃતિ કર્મબંધ કરે છે – ભાગ-૨ : ૪૭૦-૪૮૧ - કર્મ જીવનો સ્વભાવ છે – ભાગ-૨ : ૪૬૪-૪૬૫ - કર્મબંધ ઈશ્વરપ્રેરણાથી થાય છે – ભાગ-૨ : ૪૮૨-૪૯૨ - કર્મ સહજ સ્વભાવે (અનાયાસે) થયા કરે છે - ભાગ-૨ : ૪૬૪ - કર્મ જ કર્મનો કર્તા છે – ભાગ-૨ : ૪૬૩-૪૬૪ કર્મકર્તૃત્વ સંબંધી સમાધાન - આત્મા કઈ રીતે અને ક્યારે અસંગ? – ભાગ-૨ : ૨૪૯-૫૬૮ - કર્મ જીવનો સ્વાભાવિક ધર્મ નથી – ભાગ-૨ : પર૭-૫૨૮, ૫૩૬-૫૪૬ - કર્મમાં પ્રેરણાધર્મ નથી, ચેતનપ્રેરણાથી કર્મનું ગ્રહણ થાય છે - ભાગ-૨ : ૫૦૦-૫૨૪ - કર્મ સહજ સ્વભાવે (અનાયાસે) થતાં નથી - ભાગ-૨ : પ૨૭-૫૩૬ - જીવોનાં કર્મનો કર્તા ઈશ્વર નથી – ભાગ-૨ : ૫૭૧-૫૯૪ - જીવને કર્મનું કર્તાપણું કયા પ્રકારે છે - ભાગ-૨ : પ૯૭-૬૧૨ કર્મફળભોક્નત્વ અંગે વિભિન્ન દર્શનની માન્યતા – ભાગ-૨ : ૬૨૦-૬૨૩ - ઉત્તર મીમાંસા દર્શન - ભાગ-૨ : ૬૨૩ - ચાર્વાક દર્શન – ભાગ-૨ : ૬૨૦-૬૨૧ - જૈન દર્શન – ભાગ-૨ : ૬૨૧ - ન્યાય-વૈશેષિક દર્શન - ભાગ-૨ : ૬૨૧-૬૨૨ - પૂર્વ મીમાંસા દર્શન – ભાગ-૨ : ૬૨૨-૬૨૩ - બૌદ્ધ દર્શન - ભાગ-૨ : ૬૨૧ - સાંખ્ય-યોગ દર્શન – ભાગ-૨ : ૬૨૨ Page #741 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મફળભોફ્તત્વ અંગે શંકા - ઈશ્વરને ફળદાતા માનતાં ઈશ્વરપણું ટકતું નથી – ભાગ-૨ : ૬૩૧-૬૪૦ - જડ કર્મ કઈ રીતે ફળદાતા થાય? – ભાગ-૨ : ૬૧૮-૬૨૭. - ફળદાતા ઈશ્વર સિદ્ધ થયા ખિના જગતનિયમ કે ભોગવવાનાં સ્થાનક ઠરતાં નથી – ભાગ-૨ : ૬૪૫-૬૫૨ કર્મફળભોસ્તૃત્વ સંબંધી સમાધાન - કર્મફળભોફ્તત્વ માટે ઈશ્વરની આવશ્યકતા નથી – ભાગ-૨ : ૭૪૬-૭૫૨ - કર્મફળ ભોગવવાનાં સ્થાનક સ્વયંસિદ્ધ છે – ભાગ-૨ : ૭૫૫-૭૬૪, ૭૭૭-૭૭૯ - કોઈ ક્રિયા ફળ વિનાની હોતી નથી – ભાગ-૨ : ૭૦૧-૭૦૨, ૭૨૮-૭૨૯ - જગતમાં પ્રવર્તતી વિચિત્રતાથી કર્મ ફળભોક્તત્વની સિદ્ધિ - ભાગ-૨ : ૭૦૭-૭૩૦ - જડ કર્મ કઈ રીતે ફળ આપે છે ? – ભાગ-૨ : ૬૮૧-૬૮૨, ૬૯૮-૭૦૪ - જડ કર્મના ફળ આપવારૂપ સ્વાભાવિક ધર્મનું પ્રતિપાદન - ભાગ-૨ : ૭૩૬-૭૪૬, ૭૫૧-૭૫૨ - જીવને જડ કર્મનો સંયોગ કેમ અને કેવી રીતે થાય છે – ભાગ-૨ : ૬૫૭-૬૭૭, ૬૮૨-૬૯૮ કર્મબંધ – ભાગ-૨ : ૬૮૩-૬૮૪ ભાગ-૩ : ૧૯, ૩૯ કર્મબંધ - કેવળી ભગવંતોનો કર્મબંધ – ભાગ-૨ : ૬૯૬ કર્મબંધ કરવો એ જીવનો ધર્મ નથી – ભાગ-૨ : ૫૩૬-૫૪૬ કર્મબંધનું કારણ અશુદ્ધ ભાવ ભાગ-૨ : પ૩૬-૫૩૭ કર્મબંધનાં નિયામક કારણ – ભાગ-૨ : ૬૯૩-૬૯૭ કર્મબંધના પ્રકાર - ભાગ-૨ : ૬૮૪-૬૩ કર્મબંધની પ્રક્રિયાનું વર્ણન - ભાગ-૨ : ૬૫૭-૬૭૭, ૬૮૨-૬૯૮ કર્મસિદ્ધાંત – ભાગ-૪ : ૪૫૧-૪૫૨, ૪પ૩-૪૫૮ કર્મસિદ્ધાંત - જીવ અને જડ સૃષ્ટિમાં કર્મસિદ્ધાંત, વિભિન્ન દર્શનોની દષ્ટિએ – ભાગ-૨ : ૭૨૦ કર્મસિદ્ધાંત - જૈન કર્મસિદ્ધાંતમાં પુરુષાર્થનું મૂલ્ય – ભાગ-૨ : ૭૪૧-૭૪૨ કર્મસિદ્ધાંત - જૈન દર્શન અનુસાર કર્મસિદ્ધાંત – ભાગ-૨ : ૭૨૦-૭૨૧ કર્મસિદ્ધાંત - જૈન દર્શનમાં કર્મસિદ્ધાંતનું સૂક્ષ્મ અને વિસ્તૃત નિરૂપણ ભાગ-૨ : ૬૭૫ ૬૭૬, ૭૨૦-૭૨૧, ૭૨૮, ૭૪૪-૭૪૫ કર્મસિદ્ધાંત - કર્મફળભોસ્તૃત્વ - ભાગ-૨ : ૬૧૮-૬૨૦ કષાય – ભાગ-૧ : ૫૮૨ ભાગ-૨ : ૬૯૫ ભાગ-૩ : ૨૪૮, ૩૨૮-૩૨૯, ૩૭૨ કષાયાદિનો અનભ્યાસ - ભાગ-૩ : ૪૧, ૪૨-૪૫ Page #742 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૦૯ કષાય – અનંતાનુબંધી કષાય ભાગ-૧ : ૩૬૪-૩૬૫, ૪૯૭, ૫૮૩-૫૮૪ કષાયની ઉપશાંતતા' – ભાગ-૧ : ૫૮૨, ૬૭૫-૬૭૯, ૬૯૬ ભાગ-૩ : ૪૨૬-૪૨૭ કષાયનિવૃત્તિ – ભાગ-૩ : ૩૭૨-૩૭૩ કષાયશક્તિ – ભાગ-૩ : ૨૫૫ કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ - ભાગ-૨ : ૬૯૫-૬૯૭ કળા – આત્માર્થે તો જ સાર્થક - ભાગ-૪ : ૩૮૨-૩૮૩ કારણ – ભાગ-૪ : ૧૭૩ કારણ વિના કાર્ય થતું નથી – ભાગ-૨ : ૦૭૯-૭૧0 કારણ - કાર્યાનુરૂપ કારણ – ભાગ-૨ : ૭૧૩-૭૧૫ કારણ - કાર્ય ઉપરથી કારણનું અનુમાન – ભાગ-૨ : ૭૧૦-૭૧૯ કાર્મણ વર્ગણા - ભાગ-૨ : ૫૧૧, ૬૬૦-૬૬૪, ૭૨૧, ૭૨૩-૭૨૪ કાર્મણ વર્ગણાને આત્મા કઈ રીતે ગ્રહણ કરે છે? – ભાગ-૨ : ૬૬૧-૬૬૨ કાર્મણ વર્ગણા - કયા ક્ષેત્રની કાર્મણ વર્ગણાનું આત્મા દ્વારા ગ્રહણ થાય છે ? – ભાગ-૨ : ૬૬૩-૬૬૪ કાર્મણ શરીર - ભાગ-૨ : ૬૮૪, ૭૧૮ કાર્યની ઉત્પાદક સામગ્રી - ભાગ-૪ : ૧૭૩-૧૭૪, ૧૭૯-૧૮૧ કાર્ય ઉપરથી કારણનું અનુમાન – ભાગ-૨ : ૭૧૯ કાર્યનું નિયામક કારણ – ભાગ-૪ : ૧૭૯ કાર્ય - રુચિની આવશ્યકતા – ભાગ-૧ : ૬૮૦ કાર્ય-કારણ અને કાર્યસિદ્ધિ – ભાગ-૧ : ૬૪૬ કાર્યકારણ વ્યવસ્થા - ભાગ-૧ : ૬૯૮ કાર્યસિદ્ધિ માટે ઉપાદાન અને નિમિત્ત બન્નેની આવશ્યકતા – ભાગ-૪ : ૨૩૦-૨૩૭, ૨૩૯, ૪૪૯-૪૫૦ કાર્યસિદ્ધિમાં પુરુષાર્થની પ્રધાનતા – ભાગ-૪ : ૬૦-૬૨ કાર્યસિદ્ધિમાં ષકારકની પ્રવૃત્તિ – ભાગ-૩ : ૭૮૭-૭૦૮ કાર્યસિદ્ધિ સમવાયકારણના સમન્વયથી - ભાગ-૪ : ૫૬-૬૧ કાવ્ય ચમત્કૃતિ – ભાગ-૪ : ૩૮૮-૩૯૧ કાવ્ય - મહાન કાવ્ય - ભાગ-૪ : ૩૮૮, ૪૦૯-૪૧૦ કાવ્યનાં લક્ષણ, અંગ - ભાગ-૪ : ૩૮૪-૩૮૭, ૩૮૮-૩૮૯ કાવ્યશૈલી – ભાગ-૪ : ૪૦૦-૪૦૨ કાવ્ય-સાહિત્ય – ભાગ-૪ : ૩૭૮, ૩૮૫ કાળ - કાળચક્ર – ભાગ-૧ : ૧૨૪-૧૨૭ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કાળ – પંચમ કાળનું સ્વરૂપ – ભાગ-૧ : ૧૨૭-૧૨૯ કાળલબ્ધિ - ભાગ-૪ : ૫૪-૬૨ ફૂગુરુ -- ભાગ-૧ : ૪પ૯-૪૬૦, ૪૬૪ કુદરતવાદી – ભાગ-૨ : ૪૮૬ કુળગુરુમાં સગુરુની ભ્રાંતિ – ભાગ-૧ : ૪૬૨-૪૬૪ કેવળજ્ઞાન – ભાગ-૩ : ૯૭-૯૮, ૧૦૮, ૧૩૪, પર૧-પ૨૩, ૫૨૫-૫૨૯, ૭૭૮-૭૭૯ કેવળજ્ઞાનની પરમાર્થ વ્યાખ્યા – ભાગ-૩ : પ૨૨-૫૨૩, ૫૩૧-૫૩૫ કેવળજ્ઞાનની વ્યવહાર વ્યાખ્યાની ઉપયોગિતા અને મર્યાદા – ભાગ-૩ : ૫૩૨ કેવળજ્ઞાન - સમસ્ત પરને જાણતું હોવા છતાં પરસમ્મુખ નહીં – ભાગ-૩ : પ૨૯-૫૩૧ કેવળજ્ઞાની - પરના કેવળ જ્ઞાતા – ભાગ-૩ : પ૨૯-૫૩૧ કેવળી ભગવાન - ભાગ-૩ : ૯૭-૯૯ કેવળી ભગવાનનો કર્મબંધ – ભાગ-૨ : ૬૯૬ ક્રમબધ્ધ પર્યાય - ભાગ-૪ : ૬૨-૬૫ ક્રિયા – ભાગ-૧ : ૧૩૬ ક્રિયા - અનુષ્ઠાનના ભેદ -- ભાગ-૧ : ૪૩૯-૪૪૧ ક્રિયા - આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં હેતુભૂત – ભાગ-૧ : ૧૭૫, ૧૭૭, ૧૮૦-૧૮૧, ૧૮૪ ક્રિયા - આત્મલક્ષ સહિત – ભાગ-૧ : ૬૯૪ ભાગ-૪ : ૧૦૧-૧૦૩ ક્રિયાના ઉપદેશનું પ્રયોજન – ભાગ-૧ : ૧૪૭, ૧૪૮ ક્રિયા - ક્રિયાકષ્ટ - ભાગ-૩ : ૧૪પ-૧૪૬, ૨૪૧-૨૪૩ ક્રિયાની ગણતરીથી ધાર્મિકતાનું માપ – ભાગ-૧ : ૧૪૯ ક્રિયાની ચકાસણી – ભાગ-૧ : ૨૧૧ ક્રિયાના ચાર પ્રકાર – ભાગ-૪ : ૯૬ ક્રિયા - દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા - ભાગ-૪ : ૯૧ ક્રિયાથી નિર્જરા - ભાગ-૧ : ૧૭૮ ક્રિયાનો નિષેધ કઈ અપેક્ષાએ? – ભાગ-૧ : ૧૪૩-૧૪૮, ૧૫૨, ૧૮૧-૧૮૨, ૨૦૨ ક્રિયા નિષ્ફળ કેમ? – ભાગ-૧ : ૧૪૮-૧૫૧, ૧૫૨-૧૫૩, ૧૭૭, ૧૯૨, ૨૧૦-૨૧૧, ૩૪૩ ૩૪૪, ૬૫૦, ૬૫૧ ભાગ-૩ : પ૬૪ ભાગ-૪ : ૨૮૬-૨૮૭ ક્રિયા – બહિર્દષ્ટિજીવની - ભાગ-૩ : પ૬૫ ક્રિયા મોક્ષપ્રાપ્તિમાં સહાયક છે કે નહીં? – ભાગ-૩ : ૫૮૫ ભાગ-૪ : ૮૯-૯૪, ૧૦૦ Page #744 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૧ ૧ ક્રિયા - શું શુભ ક્રિયાઓ હેય છે? – ભાગ-૪ : ૯૪-૯૯ ક્રિયા - શુભાશુભ ક્રિયા - ભાગ-૨ : ૭૨૮ ક્રિયા સફળ ક્યારે ? - ભાગ-૧ : ૧૫૨, ૧૫૫, ૧૭૯ ક્રિયા - સમજણ વિનાની બાહ્ય ક્રિયા - ભાગ-૧ : ૧૫૪-૧૫૭, ૬૫૦ ક્રિયા - સ્વચ્છેદ સહિતની ક્રિયા - ભાગ-૧ : ૩૪૨-૩૪૩ ક્રિયાજડ – ભાગ-૧ : ૧૩૫, ૧૩૮, ૧૪૦-૧૪૧, ૧૪૭, ૧૫૬, ૧૫૭, ૨૨૯ ભાગ-૪ : ૪૩૮ ક્રિયાજડને ઉપદેશ – ભાગ-૧ : ૧૭૫, ૧૮૫, ૨૦૨-૨૦૩ ભાગ-૪ : ૧૦૧-૧૦૩ ક્રિયાજડની ક્રિયા – ભાગ-૧ : ૧૫૬ ક્રિયા જડનું જ્ઞાનમાર્ગ પ્રત્યેનું વલણ – ભાગ-૧ : ૧૪૭, ૧૫૪-૧૫૬ ક્રિયાજડની ત્યાગપ્રવૃત્તિ – ભાગ-૧ : ૨૦૦ ક્રિયા જડ - મતનો આગ્રહ – ભાગ-૧ : ૫૧૪-૫૧૫ ક્રિયાજડ - વેષનો આગ્રહ – ભાગ-૧ : ૫૧૬-૫૧૭ ક્રિયાજડનો કૃતાભ્યાસ – ભાગ-૧ : ૫૦૯-૫૧૩ ક્રિયાજડ અને સર - ભાગ-૧ : ૨૨૧, ૨૨૯, ૨૩૨-૨૩૩ ક્રિયાજડને સ્વરૂપસમજણની અરૂચિ – ભાગ-૧ : ૧૫૪-૧૫૬ ક્રોધ – ભાગ-૩ : ૩પ૧-૩૫૩ ભાગ-૪ : ૨૭૩ ક્રોધ - ઉત્પત્તિ અને અભાવ – ભાગ-૩ : ૩પ૩-૩૫૮ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ – ભાગ-૪ : ૨૭૪ ક્રોધ કષાયનો પ્રભાવ - ભાગ-૧ : ૬૭૫-૬૭૬ ક્રોધ - ક્ષમાસ્વભાવી આત્માનું અવલંબન – ભાગ-૩ : ૩૫૫-૩૫૬. ક્રોધાદિ પ્રત્યે જાગૃતિથી ક્રોધાદિની ક્ષીણતા – ભાગ-૩ : ૪૨, ૩૫૫ ક્રોધ - જીવ પોતે જવાબદાર - ભાગ-૩ : ૩૫૩-૩૫૪ ક્રોધનું દમન અને શમન – ભાગ-૪ : ૨૭૪-૨૭૫ ક્રોધ - દોષરક્ષણ - ભાગ-૩ : ૩૫૪ ક્રોધ - દોષ સ્વીકાર - ભાગ-૩ : ૩૫૪-૩૫૫ ક્રોધાદિ સંજ્ઞાનું ન્યૂનાધિકપણું – ભાગ-૨ ૩૬૧-૩૬૮ - ભૂતના સ્વભાવથી ઉત્પન્ન થનાર – ભાગ-૨ ૩૬૬-૩૬૭ - વીર્ય-રેતના ગણના યોગથી ઉત્પન્ન થનાર - ભાગ-૨ ૩૬૨, ૩૬૭-૩૬૮ ક્ષપકશ્રેણી – ભાગ-૩ : ૯૭ ક્ષમાં – ભાગ-૩ : ૩૫૧, ૩પ૬ ભાગ-૪ : ૨૭૩-૨૭૬ Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - ઉપકારાદિ પાંચ પ્રકાર - ભાગ-૩ : ૩૫૭-૩૫૮ - ક્રોધની અભિવ્યક્તિ કે અનુત્પત્તિ ? – ભાગ-૩ : ૩પ૬-૩પ૭ ક્રોધ અને ક્ષમા – ભાગ-૪ : ૨૭૩ તાવિક ક્ષમા – ભાગ-૪ : ૨૭૬ - યથાર્થ ક્ષમા – ભાગ-૩ : ૩૫૯-૩૬૦ ભાગ-૪ : ૨૭૪-૨૭૫ ક્ષીણામોહ ગુણસ્થાન – ભાગ-૩ : ૯૭ ગચ્છનો આગ્રહ – ભાગ-૪ : ૧૩૫-૧૪૩ ગતિ (યોનિ) – ભાગ-૩ : ૩૮ ગતિ - ચાર ગતિના આયુષ્યબંધનાં કારણો – ભાગ-૨ : ૭૫૮-૭૫૦ ગતિનાં દુઃખો – ભાગ-૧ : ૯૯-૧૦૪ ગતિ કરવાનો સ્વભાવ જીવ અને પુગલમાં જ – ભાગ-૨ : ૭૬૦ ભાગ-૩ : ૧૦૩ ગુણ – ભાગ-૩ : ૨૮૬-૨૮૭ ગુણસ્થાનક – ભાગ-૧ : ૨૪૨-૨૪૩ ગુણસ્થાનક-આરોહણ ક્રમ – ભાગ-૩ : ૩૪૧-૩૪૨ ગુણસ્થાનક - ઉપદેશક ગુણસ્થાનક - ભાગ-૧ : ૨૪૩, ૨૬૨-૨૬૩ ગુપ્તિ – ભાગ-૩ : ૬૩૩ ગુરુમૂઢતા – ભાગ-૧ : ૪૨૨ ગુરુ-શિષ્યનો અંતરંગ સંબંધ - ભાગ-૨ : ૬૨૬-૬૨૭ ગુરશિષ્યસંવાદશૈલી – ભાગ-૪ : ૪૦૨-૪૦૭ ચારિત્રમોહ – ભાગ-૩ : ૩૩૭ ચારિત્રમોહનો ક્ષય – ભાગ-૩ : ૩૪૧-૩૪૨ ચારિત્રમોહ સહિત જ્ઞાનીની આત્મદશા – ભાગ-૩ : ૩૩૮-૩૪૦ ચાર્વાક દર્શન - ભાગ-૪ : ૫૦૯-૫૧૯ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૦ - આત્માનાં ઉત્પત્તિ-લય - ભાગ-૨ : ૨૭૫, ૨૭૭-૨૮૫ - આત્માનું કર્તુત્વ - ભાગ-૨ : ૪૫૮-૪૫૯ - આત્માનું નાસ્તિત્વ - ભાગ-૨ : ૪૫-૪૬, ૪૮, ૫૮-૬૧, ૬૬-૭૦, ૭૨-૭૩, ૭૭-૭૮, ૮૩-૮૪ Page #746 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૧૩ - ઇન્દ્રિયાત્મવાદ – ભાગ-૨ : ૫૭ - ઈશ્વર – ભાગ-૨ : ૪૮૭ - કર્મફળભોસ્તૃત્વ – ભાગ-૨ : ૬૨૦-૬૨૧ - દેહાત્મવાદ - ભૂતાત્મવાદ - ભાગ-૨ : ૫૪-૫૭ - પ્રમાણમીમાંસા – ભાગ-૨ : ૬૫-૭૨ - પ્રાણાત્મવાદ – ભાગ-૨ : ૫૭-૫૮ - બે વર્ગ – ભાગ-૨ : ૨૭૭ - ભૂતચૈતન્યવાદનું નિરસન – ભાગ-૨ : ૩૩૬-૩૪૮ – ભૌતિકવાદી દર્શન – ભાગ-૨ : ૭૭-૮૩ - મોક્ષ – ભાગ-૩ : ૯ ચિતિશક્તિ – ભાગ-૩ : ૨૮૮ ચિત્તમાં દઢ વૈરાગ્યરંગ – ભાગ-૧ : ૧૯૧-૧૯૨ ચિત્તશુદ્ધિ – ભાગ-૧ : ૬૭૫, ૬૮૮ ચિત્તશોધન – ભાગ-૧ : ૧૪૯ ચેતનની પ્રેરણાશક્તિ – ભાગ-૨ : ૫૧૦, ૫૧૧-૫૧૩ ચેતના – ભાગ-૩ : ૬૫૯-૬૬૦, ૬૯૪-૭૦૧ ચેતના - જ્ઞાનચેતના – ભાગ-૩ : ૬૯૮-૭૦૧ ચેતનાના ભેદ – ભાગ-૩ : ૬૯૫-૬૯૬ ચૈતન્ય – ભાગ-૩ : ૨૮૭-૨૮૮, ૬૧૦-૬૧૧ છ પદ – ભાગ-૧ : ૧૪, ૨૬, ૨૭-૨૮, ૨૯, ૧૧૪-૧૧૬ છ પદની દેશનાનું પ્રયોજન - ભાગ-૨ : ૨૩ છ પદ અને નવ તત્ત્વ - ભાગ-૩ : ૩૯૭ છ પદનો નિર્ણય – ભાગ-૩ : ૩૯૧, ૩૯૩, ૩૯૪-૩૯૬ ભાગ-૪ : ૧૪-૧૭ છ પદનો પૂર્વાચાર્યોના ગ્રંથોમાં નિર્દેશ – ભાગ-૨ : ૬-૧૦ છ પદની વિચારણા – ભાગ-૨ : ૫૦૪ છ પદ - “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં લેવાનું પ્રયોજન - ભાગ-૨ : ૨૩-૨૪ છ પદનું શ્રીમદ્ દ્વારા તત્વમંથન – ભાગ-૨ : ૧૦-૧૬ છ પદમાં સર્વ દર્શન સમાય છે – ભાગ-૪ : ૭, ૧૩ છ પદ - સમ્યગ્દષ્ટિ તિર્યંચને છ પદનું ભાવભાસન – ભાગ-૩ : ૩૯૬-૩૯૭ છ પદનો પત્ર' - ભાગ-૧ : ૧૪-૧૬ ભાગ-૨ : ૧૪-૧૬, ૧૮-૧૯ “છ પદનો પત્ર' અને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સંબંધ – ભાગ-૧ : ૧૫-૧૬ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “છ પદનો પત્ર' - સમ્યગ્દર્શનનાં નિવાસભૂત સ્થાનક - ભાગ-૨ : ૬, ૧૬-૧૮ છંદ – ભાગ-૪ : ૩૮૫-૩૮૭ જગત અનાદિ-અનંત છે – ભાગ-૨ : ૭૬૪-૭૬૫, ૭૭૭-૭૭૯ જગતની અરમણીયતા અને અસારતા – ભાગ-૪ : ૩૧૭-૩૨૨ જગત કઈ રીતે એઠવત્ ? – ભાગ-૪ : ૩૧૭-૩૧૯ જગત કઈ રીતે સ્વપ્ન સમાન? – ભાગ-૪ : ૩૨૩-૩૨૪ જગતની ક્ષણભંગુરતા - ભાગ-૪ : ૩૨૨-૨૨૬ જગત પ્રત્યેનો દ્વેષ આત્મોપકારી નથી – ભાગ-૪ : ૩૨૧-૩૨૨ જગતમાં પ્રવર્તતી વિચિત્રતા – ભાગ-૨ : ૭૦૭-૭૦૯ જગતવિચિત્રતા કર્મના કારણે – ભાગ-૨ : ૭૦૯-૭૧૦, ૭૧૯, ૭૩) જગતવિચિત્રતા સ્વભાવના કારણે ? – ભાગ-૨ : ૭૧૫-૭૧૮ જગત સંબંધી વિવિધ દર્શનોની માન્યતા - ભાગ-૨ : ૩૯૩ જડ - જડ અને ચેતન પરસ્પરની ઉત્પત્તિમાં કારણભૂત? – ભાગ-૨ : ૩૩૫-૩૪૮ જડ-ચેતનનું અચિંત્ય સામર્થ્ય – ભાગ-૨ : ૬૯૮-૭૦૦, ૭૭૮-૭૭૯ જડ-ચેતનની ક્રિયા – ભાગ-૩ : ૮૧-૮૪ જડમાં પ્રેરણાનો અભાવ - ભાગ-૨ : ૫૧૦, ૫૧૧-૫૧૩ જાગૃતિ – ભાગ-૩ : પપ૩-૫૫૪ - આત્મજાગૃતિ – ભાગ-૪ : ૪૮-૫૦, ૬૯, ૧૯૩ - જાગૃત થવાની પ્રક્રિયા ક્ષણની જ છે – ભાગ-૩ : ૭૯-૮૦ - વર્તમાન ક્ષણની – ભાગ-૩ : ૨૭૩-૧૭૪ - વૃત્તિ પ્રત્યેની – ભાગ-૩ : ૨૭૫ જાતિ - જાતિભેદ અને મોક્ષમાર્ગ – ભાગ-૩ : ૪૦૫-૪૦૭ જાતિના આગ્રહના ત્યાગનો ઉપદેશ – ભાગ-૩ : ૪૧૮-૪૧૯ જાતિસ્મરણજ્ઞાન - ભાગ-૨ : ૩૭૨-૩૭૫ જિજ્ઞાસા - કોરી જિજ્ઞાસાવાળો જીવ - ભાગ-૨ : ૫૦૧-૫૦૩ જિજ્ઞાસુનું અપૂર્વ અંતરસંશોધન - ભાગ-૩ : ૪૫૦-૪૫૭ જિજ્ઞાસુનું આજ્ઞાઆરાધન – ભાગ-૩ : ૪૭૩-૪૭૪ જિજ્ઞાસુનો તત્ત્વનિર્ણય – ભાગ-૩ : ૪૪૮-૪૪૯ જિજ્ઞાસુનું બોધગ્રહણ – ભાગ-૩ : ૪૪૮ જિજ્ઞાસુનાં લક્ષણ – ભાગ-૩ : ૪૨૫-૪૩૭ જિજ્ઞાસુને સશુરનું માહાભ્ય – ભાગ-૩ : ૪૪૪-૪૪૬ જિજ્ઞાસુની સ્વરૂપસાધના – ભાગ-૩ : ૪૭૪-૪૮૧ Page #748 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ જિનમત ભાગ-૪ : ૮૭-૮૯, ૧૦૨-૧૦૩, ૧૨૬ જિનમત દ્વારા એકાંત નિશ્ચયવાદીની માન્યતાનું સમાધાન જિનાગમ ચાર અનુયોગ ભાગ-૪ : ૪૨૩ - ૪૮૬ જિનેશ્વરદેવની ઉપાસના ભાગ-૧ : ૨૮૯-૨૯૧, ૪૭૨, જિનેશ્વરદેવની ઓળખનું મહત્ત્વ ભાગ-૧ : ૨૮૭-૨૮૯, ૪૭૨, ૪૮૬-૪૮૭, ૪૮૯-૪૯૦ જિનેશ્વરદેવ જિનદશા ભાગ-૪ : ૨૦૦-૨૦૫ જિનેશ્વરદેવ પ્રત્યક્ષ અને પરોક્ષ ભાગ-૧ : ૨૬૭ જિનેશ્વરદેવની બાહ્ય ઓળખાણ ભાગ-૧ : ૨૯૦ જિનેશ્વરદેવનું સ્વરૂપ ભાગ-૧ : ૨૮૩-૨૮૫, ૨૮૮ જીવ-અજીવનાં લક્ષણ જીવની અધમતા ભાગ-૩ : ૭૧૩-૭૧૪ જીવની અવસ્થાઓમાં રહેલી ભિન્નતા અને વિચિત્રતા જીવ આધ્યાત્મિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ જીવની ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ભાગ-૧ : ૧૦૬ જીવનું એકાંતિકપણું ભાગ-૩ : ૩૯૩-૩૯૪ જીવ અને કર્મની ભિન્નાભિન્નતા ભાગ-૨ : ૧૧૭-૫૧૮ ભાગ-૨ : ૭૦૧-૭૦૪, ૭૩૦ જીવને કર્મનું ભોક્તાપણું છે જીવની ગર્ભિત અનંત શક્તિ જીવનું પરમાં અક્રિયપણું કઈ રીતે પ્રગટે? ભાગ-૪ : ૧૮૮-૧૯૪, ૨૨૨ ભાગ-૨ : ૬૧૦ જીવ જે પરિણામ કરે છે, એ જ મુખ્યપણે તેની ગતિ છે. જીવ પર્યાયશુદ્ધિથી મોક્ષ જીવ અને પુદ્ગલ ભાગ-૧ : ૧૦૬ જીવનો બંધ અને મોક્ષ - - - - - - — ભાગ-૨ : ૨૧૯-૨૨૧ - ભાગ-૩ : ૭૧૩-૭૧૪ જીવ જીવનો બંધ અને મોક્ષ કયા નયથી? ભાગ-૩ : ૪૧ મોક્ષ પામવાની યોગ્યતા અનુસાર જીવ મોક્ષસ્વરૂપ છે કે મોક્ષ પામે છે? જીવના વિકાર અને કર્માંધ્ય ભાગ-૪ : ૧૭૮-૧૭૯ જીવની વૈભાવિક શક્તિ ભાગ-૨ : ૫૨૮-૫૨૯ જીવની શક્તિનું સવળું પ્રવર્તન ભાગ-૩ : ૪૨૪-૪૨૫ ભાગ-૨ : ૫૧૬-૫૧૭ જીવ સંસારી જીવ કથંચિત્ મૂર્ત જીવનું સ્વરૂપ સિદ્ધ સમાન ભાગ-૧ : ૨૮૬-૨૮૭ જીવ સ્વયંની શુદ્ધિ જાતે કરવાની છે ભાગ-૨ : ૪૫૭, ૪૬૧-૪૬૨ ભાગ-૩ : ૧૮૧ ભાગ-૪ : ૮૯-૧૦૦ જીવના પ્રકાર - - ભાગ-૩ : ૭-૮, ૧૦, ૧૩-૧૪, ૧૬-૧૮, ૩૯-૪૦, ૪૧, ૪૫, ૫૦, ૬૫-૬૬ 036-2h : ≥-lcle ભાગ-૩ : ૫૭-૫૮ ભાગ-૩ : ૫૮૬-૫૯૦ ભાગ-૪ : ૧૮૨-૧૮૭, ૨૨૧-૨૨૨ ભાગ-૩ : ૭૦૬-૭૦૭ ૧૫ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જીવન્મુક્તદશા – ભાગ-૩ : પ૨૨, ૫૩૬-૫૩૭ જૈન દર્શન – ભાગ-૪ : પ૨૧-૫૪૩ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૦-૪૧ - આત્માનું કર્તુત્વ - ભાગ-૨ : ૪૫૯ - આત્મા જૈન દર્શન અને સાંખ્ય દર્શનની દૃષ્ટિએ – ભાગ-૨ : ૫૬૪-૫૬૫ આત્માનું નિત્યત્વ – ભાગ-૨ : ૨૭૫, ૩૪૪ - આત્મા શરીર વ્યાપી – ભાગ-૩ : ૬૪-૬૫ ઈશ્વર – ભાગ-૨ : ૪૮૭, ૫૯૦-પ૯૪, ૭૪૯, ૭૭૧, ૭૭૭ - ઈશ્વર કતૃત્વ - ભાગ-૨ : ૫૮૯-૫૯૦ કર્મફળભોક્નત્વ – ભાગ-૨ : ૬૨૧ – કર્મસિદ્ધાંત – ભાગ-૨ : ૭૨૦-૭૨૧ ભાગ-૪ : ૪પ૧-૪૫૨, ૪૫૩-૪૫૮ - કર્મસિદ્ધાંતનું સૂક્ષ્મ અને વિસ્તૃત નિરૂપણ – ભાગ-૨ : ૬૭૫-૬૭૬, ૭૨૦-૭૨૧, ૭૨૮, ૭૪૪-૭૪૫ - કર્મસિદ્ધાંતમાં પુરુષાર્થનું મૂલ્ય – ભાગ-૨ : ૭૪૧-૭૪૨ - જગત – ભાગ-૨ : ૭૬૪-૭૬૫, ૭૭૭-૭૭૯ - મોક્ષ – ભાગ-૩ : ૮, ૯, ૧૦૭, ૧૩૪, ૧૩૬-૧૩૭ - વીતરાગી ઈશ્વરની આરાધના કઈ રીતે સાર્થક? – ભાગ-૨ : ૧૯૨-૫૯૩ - પડદર્શનનો જૈન દર્શનમાં સમાવેશ – ભાગ-૪ : ૪૩૪-૪૩૬ જૈન : જાતિ-વેષ સંબંધી મતભેદ – ભાગ-૩ : ૧૬૪–૧૭૬ જ્ઞતિક્રિયા – ભાગ-૩ : ૮૧-૮૪ જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અભ્યાસ – ભાગ-૩ : ૮૪-૮૫, ૨૭૪-૨૭૫, ૫૭૦-૫૭૧, ૬૮૦-૬૮૨, ૬૮૪ જ્ઞાન – ભાગ-૧ : ૧૩૬ ભાગ-૩ : ૨૪૫, ૫૩૫-૫૩૬ ભાગ-૪ : ૨૯૨, ૨૯૪, ૩૦૪ જ્ઞાનની આરાધના – ભાગ-૧ : ૩૧૪ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય -- ભાગ-૧ : ૧૩૬-૧૩૭, ૧૩૯-૧૪૦, ૨ ૧૦ ભાગ-૪ : ૪૪૮ જ્ઞાન ગુણથી આત્માનો નિર્ણય - ભાગ-૨ : ૧૩૬-૧૩૮, ૧૯૩-૨૦૦, ૨૧૮-૨૨૧, ૨૨૬ ૨૨૭, ૫૧૦-૫૧૧ જ્ઞાન - ચિંતન-મનનરૂપ – ભાગ-૨ : ૨૫૪-૨૫૫ જ્ઞાનદશા - ભાગ-૧ : ૫૫૪-૫૫૭ ભાગ-૪ : ૪૭૨-૪૭૩ Page #750 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭ વિષયસૂચિ જ્ઞાનધારા – ભાગ-૩ : ૬૮૩-૬૮૪ જ્ઞાનધારા અને કર્મધારા - ભાગ-૩ : ૬૮૩-૬૮૪ જ્ઞાનપ્રકાશથી અજ્ઞાનાંધકારનો નાશ – ભાગ-૩ : ૨૨૭-૨૨૯, ૨૩૧ જ્ઞાનપ્રાપ્તિથી જીવનમાં અકલવ્ય પરિવર્તન – ભાગ-૪ : ૨૯૭-૩૦૫ જ્ઞાનપ્રાપ્તિની વિભિન્ન ભૂમિકાઓ – ભાગ-૩ : ૧૯૨-૧૯૩ જ્ઞાનનું ફળ – ભાગ-૪ : ૩૩૦ જ્ઞાનનો મહિમા – ભાગ-૪ : ૨૯૨ જ્ઞાનયોગ - ભાગ-૪ : ૪૬૭-૪૬૮ જ્ઞાન - વિકાર વખતે પણ જ્ઞાન શુદ્ધ – ભાગ-૩ : ૭૪ જ્ઞાન - શ્રવણાત્મકથી અનુભવાત્મક – ભાગ-૧ : ૩૧૨-૩૧૩ જ્ઞાન - સાચું જ્ઞાન - ભાગ-૪ : ૩૩૧ જ્ઞાનમાર્ગની સ્વચ્છંદપૂર્વક આરાધના – ભાગ-૧ : ૩૪૧-૩૪૨ જ્ઞાનસ્વભાવની સમજણ – ભાગ-૧ : ૨૩૩-૨૩૪ જ્ઞાની – ભાગ-૧ : ૨૪૮-૨૫૦ ભાગ-૪ : ૨૯૧, ૨૯૨ જ્ઞાની અને અજ્ઞાની – ભાગ-૨ : ૬૦૮-૬૦૯ ભાગ-૪ : ૩૩૪, ૩૬૩, ૩૬૪-૩૬૫ જ્ઞાની - અનુભવજ્ઞાન અને શ્રુતજ્ઞાન – ભાગ-૪ : ૨૯૪-૨૯૫ જ્ઞાનીને અનુભવાતી જગતની અરમણીયતા અને અસારતા – ભાગ-૪ : ૩૧૭-૩૨૨ જ્ઞાનીને અનુભવાતી જગતની અસ્થિરતા – ભાગ-૪ : ૩૨૨-૩૨૬ જ્ઞાનીની અપૂર્વ દષ્ટિ – ભાગ-૩ : ૪૯૧-૪૯૨ જ્ઞાની પુરુષોની અભિવ્યક્તિમાં ભેદ કેમ? – ભાગ-૩ : ૬૨૮-૬૨૯ જ્ઞાની - અસ્તિત્વમાત્ર પ્રત્યે પ્રગાઢ પ્રેમ – ભાગ-૪ : ૩૦૧ જ્ઞાનીનો અંતર્મુખ ઉપયોગ - ભાગ-૪ : ૩૬૭ જ્ઞાનીની ઉદાસીનતા - ભાગ-૪ : ૩૨૦-૩૨૧, ૩૨૬-૩૨૭, ૩૨૯, ૩૬૫ જ્ઞાની - ઉપાધિમાં સમાધિ – ભાગ-૪ : ૩૬૬-૩૬૮ જ્ઞાનીની ઓળખાણ – ભાગ-૧ : ૬૬૦ જ્ઞાનીની ઓળખાણ કેમ નહીં? – ભાગ-૧ : ૩૨૪ જ્ઞાનીની કરુણા – ભાગ-૪ : ૨૪૪-૨૪૬ જ્ઞાનીનું જ્ઞાન - ભાગ-૪ : ૩૩૧-૩૩૩ જ્ઞાનીની જ્ઞાનચેતના – ભાગ-૩ : ૬૯૮-૭૦૧ જ્ઞાનીની જ્ઞાનધારા – ભાગ-૩ : ૬૮૩-૬૮૪ જ્ઞાની અને તીવ્ર વેદના – ભાગ-૩ : ૪૯૦-૪૯૧ જ્ઞાનીનો ત્યાગ સહજ, અહંકારરહિત – ભાગ-૪ : ૩૧૯-૪૨૦, ૩૨૬-૩૨૭ Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન li lliinil જ્ઞાનીની દશા – ભાગ-૧ : પપપ-પ૫૭, ૬૦૪-૬૦૯, ૭૨૬-૭૩૦ ભાગ-૩ : ૨૭૫-૨૭૭, ૨૭૮-૨૭૯, ૪૮૯-૫૦૦, ૫૦૫-૫૦૭, ૫૪૫-૫૪૯, ૫૭૧-૫૭૪, ૬૩૨-૬૩૫ ભાગ-૪ : ૨૯૧, ૨૯૯-૩૦૫, ૩૬૧ જ્ઞાનીના દર્શનનું ફળ – ભાગ-૪ : ૩૬૯ જ્ઞાની - દેહત્યાગના અવસરે જ્ઞાની – ભાગ-૩ : ૬૬૮ ભાગ-૪ : ૩૬૪-૩૬૫ જ્ઞાનીની દેહાતીત દશા – ભાગ-૪ : ૩૫૯, ૩૬૨-૩૬૯ જ્ઞાનીની દેહાતીત દશાની ઓળખાણનું ફળ – ભાગ-૪ : ૩૬૮-૩૬૯ જ્ઞાની - દોષદષ્ટિનો અભાવ - ભાગ-૪ : ૩૦૧ જ્ઞાનીની નિઃશંકતા અને નિર્ભયતા – ભાગ-૩ : ૪૯૦ જ્ઞાની - પરના અકર્તા-અભોક્તા – ભાગ-૩ : ૫૭૧-૫૭૪, ૬૭૬, ૬૭૮-૬૭૯, ૬૮૨-૬૮૩ જ્ઞાની પરના કેવળ જ્ઞાતા – ભાગ-૩ : ૫૨૯-૫૩૦ જ્ઞાનીનું પરમઋતપણું – ભાગ-૧ : ૨૬૦-૨૬૨ જ્ઞાનીનું પરિતોષપણું – ભાગ-૩ : ૪૯૪-૪૯૫ ભાગ-૪ : ૨૯૯-૩૦૦, ૩૧૫-૩૧૬, ૩૬૫ જ્ઞાનીનો પુરુષાર્થ – ભાગ-૪ : ૩૦૫, ૩૬૮ જ્ઞાની - પ્રયોજનભૂત તથા અપ્રયોજનભૂત તત્ત્વનું જ્ઞાન - ભાગ-૧ : ૬૧૬-૬૧૭ જ્ઞાનીની પ્રવૃત્તિ નિર્જરાનું કારણ – ભાગ-૪ : ૩૬૭ જ્ઞાની - પ્રસન્નતા – ભાગ-૪ : ૩૦૨-૩૦૩, ૩૧૫ જ્ઞાનીની બાહ્ય આચરણા – ભાગ-૪ : ૨૦૩-૨૦૪ જ્ઞાનીનું ભેદજ્ઞાન – ભાગ-૪ : ૩૬૨-૩૬૩, ૩૬૭ જ્ઞાની પુરુષોનો ભેદજ્ઞાન સંબંધી બોધ – ભાગ-૩ : ૨૨૨-૨૨૫ જ્ઞાનીનું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી – ભાગ-૨ : ૬૦૪-૬૦૬ જ્ઞાની - મૃત્યુ આદિના ભયથી મુક્ત – ભાગ-૩ : ૪૯૧ ભાગ-૪ : ૩૦૦, ૩૬૪ જ્ઞાનીની યોગપ્રવૃત્તિ – ભાગ-૧ : ૨૫૪-૨૫૭ ભાગ-૩ : ૬૩૪-૬૩૫ ભાગ-૪ : ૩૬૭-૩૬૮ જ્ઞાનીપરષોનું રાગ પ્રત્યેનું વલણ – ભાગ-૩ : ૨૭૭-૨૭૮, ૪૯૩-૪૯૪, ૫૦૯, પર૫, ૫૭૧-૫૭ જ્ઞાની - રોગાદિ વખતની સ્થિરતા – ભાગ-૪ : ૩૬૩ જ્ઞાનીને લક્ષ્મી, અધિકારાદિ કેવા લાગે? – ભાગ-૪ : ૨૯૯ જ્ઞાનીનાં વચનો – ભાગ-૧ : ૧૧૬, ૨૫૮-૨૬૦, ૨૬૧-૨૬૨, ૫૦૬-૫૦૭ જ્ઞાનીને વંદન શા માટે ? – ભાગ-૪ : ૩પ૬ જ્ઞાનીની વાણી પુરુષાર્થપ્રેરક - ભાગ-૪ : ૫૪, ૬૬ જ્ઞાનીની વૈરાગ્યવંત દશા – ભાગ-૪ : ૩૧૩, ૩૧૫-૩૧૬ Page #752 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૧૯ જ્ઞાની - શાંત અને પૂર્ણ સ્વીકાર – ભાગ-૪ : ૩૦૧-૩૦૨ જ્ઞાની - શિષ્યને બોધદાન – ભાગ-૩ : ૬૩૨ જ્ઞાની શુદ્ધાત્માને જ ચિંતવે – ભાગ-૪ : ૩૬૫ જ્ઞાની અને શક્કજ્ઞાની – ભાગ-૪ : ૩૦૭-૩૦૮, ૩૨૭-૩૩૪, ૪૭૨ જ્ઞાનીના સત્સંગનું ફળ – ભાગ-૪ : ૩૬૮ જ્ઞાનીનો સમભાવ – ભાગ-૧ : ૨૫૨-૨૫૪ જ્ઞાનીની સમ્યક પ્રતીતિ – ભાગ-૧ : ૪૬૧ ભાગ-૪ : ૩૬૨ જ્ઞાનીપુરષો - સર્વનો એક અભિપ્રાય - ભાગ-૩ : ૬૨૮-૬૩૦ જ્ઞાની અને સંસારપ્રવૃત્તિ – ભાગ-૩ : ૪૯૫-૪૯૮ જ્ઞાનીનો સાક્ષીભાવ – ભાગ-૨ : ૬૦૬-૬૦૮ જ્ઞાનીનો સ્થિરતાનો પરષાર્થ – ભાગ-૩ : ૫૦૦-૫૦૯, ૫૧૨–૫૧૭ જ્ઞાનસ્વભાવ – ભાગ-૨ : ૬૦૩-૬૦૪, ૩પ૬ ભાગ-૩ : ૨૮૮-૨૮૯, ૧૯૨, ૬૦૮-૬૦૯ ભાગ-૪ : ૧૫૭-૧૫૯, ૧૮૪ જ્ઞાનસ્વભાવના આશ્રયે ધર્મ – ભાગ-૩ : ૮૦-૮૧, ૮૬ જ્ઞાની સ્વભાવના કર્તા - ભાગ-૨ : ૬૦૦-૬૦૯ જ્ઞાનીની સ્વરૂપમગ્નતા – ભાગ-૧ : પપપ-પપ૬ ભાગ-૩ : ૪૯૯-૫૦૦ ભાગ-૪ : ૩૦૩-૩૫, ૩૬૭ જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા અને એકાગ્રતા – ભાગ-૩ : ૮૦-૮૧ જ્ઞાનચેતના – ભાગ-૧ : ૨૪૯-૨૫૦ જ્ઞાયકસ્વભાવના આશ્રયથી વિકારનું અકતૃત્વ - ભાગ-૩ : ૬૭૬ જ્ઞાયકસ્વભાવની સન્મુખતાથી પરનું કર્તા-ભોક્તાપણું મટવું - ભાગ-૩ : ૬૭૮-૬૮૨ તત્વનિર્ણય – ભાગ-૧ : ૧૧૧ ભાગ-૩ : ૧૮૦, ૨૯૪-૨૯૭, ૩૩૩-૩૩૪, ૩૯૫, ૪૪૮-૪૪૯ ભાગ-૪ : ૩૮-૪૧, ૩૩૮-૩૪૦ તત્ત્વનિર્ણયની પાત્રતા – ભાગ-૩ : ૧૮૧-૧૮૨ તત્ત્વનિર્ણય - યથાર્થ તત્વનિર્ણયનું ફળ – ભાગ-૧ : ૧૧૧ તત્ત્વવિચાર – ભાગ-૪ : ૩૩૮-૩૩૯ તત્ત્વવિચારણાનું મહત્ત્વ - ભાગ-૨ : ૨૫૪-૨૫૭ તથાભવ્યતા – ભાગ-૩ : ૨૪૦ ભાગ-૪ : પ૩-૬૨ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તપ – ભાગ-૧ : પ૨૧,૫૨૪-પર૬ તપ - આંતર નિરીક્ષણ – ભાગ-૧ : પ૨૬-૧૨૭ તપથી નિર્જરા – ભાગ-૧ : ૧૭૮ તપ - માનાદિ માટે – ભાગ-૧ : પ૨૭-પ૩૦ તપ - સ્વાધ્યાયતપ – ભાગ-૧ : ૩૦૨ તર્કશાસ્ત્ર - નિષેધપ્રમાણ – ભાગ-૨ : ૨૩૮-૨૪૨ તર્કશાસ્ત્ર - નિષેધના પ્રકાર – ભાગ-૨ : ૨૪૦ તર્કશાસ્ત્ર - પ્રતિપક્ષી શબ્દ – ભાગ-૨ : ૨૪૨-૨૪૩ તર્કશાસ્ત્ર - વાચ્ય-વાચક સંબંધ – ભાગ-૨ : ૨૪૩-૨૪૬ તર્કશાસ્ત્ર - સંશયવિષય – ભાગ-૨ : ૨૩૭-૨૩૮ તાદાભ્ય સંબંધ – ભાગ-૨ : ૩૦૯ તીર્થ – ભાગ-૧ : ૩૮૫ તીર્થકર ભગવાન - અતિશયો – ભાગ-૧ : ૪૭૬-૪૭૮ - ઉપચાર સ્તુતિ અને નિશ્ચય સ્તુતિ – ભાગ-૧ : ૪૮૪-૪૮૫, ૪૮૮-૪૮૯ દિવ્ય ધ્વનિ – ભાગ-૧ : ૪૮૨-૪૮૩ - દેહનાં ઉત્કૃષ્ટ લક્ષણો – ભાગ-૧ : ૪૭૮-૪૮૦ - પ્રાતિહાર્ય – ભાગ-૧ : ૪૭૨, ૪૮૧-૪૮૨ - કેમ વંદનીય ? – ભાગ-૧ : ૪૭૪-૪૭૫ - શાસ્ત્રોમાં બાહ્ય વિભૂતિનું વર્ણન કેમ? – ભાગ-૧ : ૪૮૭-૪૮૮ - સમવસરણ – ભાગ-૧ : ૪૮૦-૪૮૨ ત્યાગ – ભાગ-૧ : ૧૯૨, ૧૯૩ ભાગ-૪ : ૨૭૯-૨૮૨ ત્યાગ – જ્ઞાનીઓના અનુકરણથી બાહ્ય ત્યાગ – ભાગ-૪ : ૨૮૧ ત્યાગ – બાહ્ય ત્યાગ અને અંતર્યાગ – ભાગ-૧ : ૪૫૮-૪૫૯ ભાગ-૪ : ૦૭૯-૨૮૦ ત્યાગ - મોક્ષમાર્ગમાં બાહ્ય ત્યાગ કઈ રીતે ઉપકારી? – ભાગ-૧ : ૧૯૬-૧૯૭ ત્યાગનો વાસ્તવિક ક્રમ – ભાગ-૧ : ૨૦૦-૨૦૨ ત્યાગ - વાસ્તવિક ત્યાગ – ભાગ-૪ : ૨૭૯, ૩૧૯-૩૨૦, ૩૨૬-૩૨૭ ત્યાગ વિફળ કેમ? – ભાગ-૧ : ૧૯૮-૨૦૦, ૩૪૨-૩૪૩ ત્રિપદી – ભાગ-૨ : ૩૮૬ દયા - ભાગ-૪ : ૨૬૫-૨૬૮ દયા – જીવરક્ષા – ભાગ-૧ : ૬૮૭-૬૮૮ Page #754 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૨૧ દયા - ધર્મનું મૂળ – ભાગ-૪ : ૨૬૭-૨૬૮ દયા - પરદયા - ભાગ-૪ : ૨૬૬-૨૬૭ દયા - સ્વદયા - ભાગ-૪ : ૨૬૫ દર્શન – ભાગ-૨ : ૨૪ દર્શન - જૈન દર્શનમાં સર્વ દર્શનોનો સમાવેશ – ભાગ-૨ : ૩૦ દર્શન - દાર્શનિક વિવાદમાં જૈન દર્શનના તાર્કિકો – ભાગ-૨ : ૨૬-૨૯ દર્શન - પરસ્પર ખંડન-મંડન – ભાગ-૨ : ૨૬ દર્શનોનું વર્ગીકરણ – ભાગ-૪ : ૫૦૩-૫૦૭ દર્શન શબ્દનો અર્થ – ભાગ-૪ : ૫૦૦ દર્શન શાસ્ત્રનું લક્ષ્ય – ભાગ-૪ : ૫૦૧ દર્શન-જ્ઞાનશક્તિ – ભાગ-૩ : પ૯૧-૫૯૨ દર્શન-જ્ઞાનશક્તિ - દુરપયોગના કારણે હાસ – ભાગ-૩ : ૫૯૪ દર્શન-જ્ઞાનશક્તિ પરના કારણે નથી – ભાગ-૩ : ૧૯૩ દર્શન-જ્ઞાનશક્તિ - પરિપૂર્ણ પ્રગટાવવાનો ઉપાય - ભાગ-૩ : ૫૯૪-પ૯૫ દર્શન-જ્ઞાનશક્તિનો સદુપયોગ -- ભાગ-૩ : ૫૯૫ દર્શન-જ્ઞાનશક્તિનું સામર્થ્ય - ભાગ-૩ : ૫૯૨-૫૯૩ દર્શનમોહનો પ્રભાવ – ભાગ-૩ : ૩૩૧-૩૩૨ દર્શનમોહ - મહામોહનીય કર્મ – ભાગ-૧ : ૪૧૦-૪૧૨ દર્શનમોહની મંદતા – ભાગ-૧ : ૨૨૭-૨૨૮, ૨૭૨, ૩૧૩ દર્શનમોહનો ક્ષય – ભાગ-૧ : ૬૩૦, ૭૨૦ ભાગ-૩ ૩૩૨-૩૩૬ દુઃખ – ભાગ-૩ : ૨૬૨ દુઃખ - અનિચ્છા છતાં સંસારમાં સર્વને દુઃખ -- ભાગ-૧ : ૯૮-૯૯ દુઃખનું કારણ સંયોગ નહીં, અજ્ઞાન - ભાગ-૧ : ૧૦૪-૧૦૫ દુ:ખ - ચાર ગતિનાં દુઃખો – ભાગ-૧ : ૯૯-૧૦૪ દુઃખમુક્તિ – ભાગ-૪ : ૨૨-૨૩, ૨૯૭-૨૯૮ દષ્ટિનું પરિવર્તન – ભાગ-૩ : ૨૬૮, ૨૭૨-૨૭૩ દષ્ટિનું ભેદક સામર્થ્ય – ભાગ-૪ : ૩૬૦-૩૬૧ દષ્ટિ - સત્યાગ્રહી દષ્ટિ – ભાગ-૪ : ૧૩૯ દષ્ટિરાગ – ભાગ-૧ : ૪૬૩-૪૬૪, ૫૧૪-૫૧૫, ૫૯૧-૫૯૨ દેવ ગતિ – ભાગ-૨ : ૭૬૧ દેશ - ભાગ-૨ : ૬૫૮-૬૫૯ Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૨. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દેહ અને આત્માનો સંબંધ – ભાગ-૨ : ૩૦૯-૩૧૦, ૩૧૯ દેહનો આત્યંતિક વિયોગ – ભાગ-૩ : ૯૩, ૯૪, ૯૯-૧૦૦, ૧૧૬, ૧૩૭ દેહ અને કર્મ વચ્ચે કારણ-કાર્યભાવ - ભાગ-૩ : ૪૯ દેહ ચેતનનાં ઉત્પત્તિ-લયને ન જાણી શકે - ભાગ-૨ : ૩૦૪-૩૫, ૩૧૧-૩૧૨ દેહનું સ્વરૂપ – ભાગ-૨ : ૩૦૪-૩૧૧ ભાગ-૩ : ૪૩૦ દેહાત્મબુદ્ધિ - ભાગ-૩ : ૬૪૯, ૬૬૪-૬૬૬, ૭૭૧ ભાગ-૪ : ૨૪-૨૫, ૩૫૮-૩પ૯ દેહાત્મબુદ્ધિ - સંસ્કારનો નાશ – ભાગ-૩ : ૭૭૨ દેહાત્મવાદનું નિરસન - ભાગ-૨ : ૧૫૯-૧૭૩ દેહાધ્યાસ – ભાગ-૨ : ૯૧-૯૫ ભાગ-૩ : પપ૮, પ૬૬-પ૬૯, ૫૮૦ દેહાધ્યાસના નાશનો ઉપાય – ભાગ-૪ : ૩૬૦ દેહાધ્યાસના નાશનું ફળ – ભાગ-૪ : ૩૫૫ દોષ પ્રત્યે અપક્ષપાતતા – ભાગ-૧ : ૩૩૭ દોષનું આરોપણ અન્ય ઉપર – ભાગ-૪ : ૬૯-૭૩ દોષ - નિજદોષની ઓળખ – ભાગ-૪ : ૨૫૧-૨૫૨ દોષની નિંદા – ભાગ-૧ : ૩૭૦-૩૭૧ દોષનો વિલય ભાગ-૧ : ૩૬૯-૩૭૧ દોષ - સ્વદોષરક્ષા – ભાગ-૧ : ૩૬૯-૩૭૧, ૬૩૫-૬૩૬, દોષનો સ્વીકાર – ભાગ-૩ : ૪૫૩-૪૫૪ ભાગ-૪ : ૭૦, ૭૪ દ્રવ્ય – ભાગ-૨ : ૩૮૬, ૩૯૧-૩૯૨ દ્રવ્ય - જીવ અને પુગલ – ભાગ-૧ : ૧૦૬ દ્રવ્યદષ્ટિનો અભ્યાસ – ભાગ-૩ : ૫૮૪-૫૮૫ દ્રવ્યો વચ્ચેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ – ભાગ-૨ : પ૩૦ દ્રવ્ય - મૂર્ત દ્રવ્ય – ભાગ-: ૧૨૯-૧૩૦ દ્રવ્યસ્વતંત્રતા – ભાગ-૨ : પ૩ર-પ૩૩ ભાગ-૪ : ૬૭-૬૮, ૧૭૭, ૨૧૨-૨૦૧૪ દ્રવ્યકર્મ – ભાગ-૨ : પ૨૯, ૬૦૦-૬૦૩, ૬૫૮ દ્રવ્યકર્મ અને આત્માનો બંધ કઈ રીતે થાય છે? - ભાગ-૨ : ૬૬૧-૬૬૨ દ્રવ્યકર્મ અને ભાવકર્મ – ભાગ-૨ : પ૨૯-૫૩૫, ૬૦૨-૬૦૩, ૬૬૨-૬૬૩ ભાગ-૩ : ૧૯-૨૧, ૨૮ Page #756 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૨૩ દ્રવ્યકર્મ અને ભાવકર્મમાં કારણ-કાર્યભાવ - ભાગ-૨ : ૬૬૬-૬૬૯ દ્રવ્યગતિ - ભાગ-૨ : ૭૫૬, ૭૫૭-૭૬૦ દ્રવ્યગતિ - ચાર દ્રવ્યગતિનાં કારણ ભાગ-૨ : ૭૫૮-૭૫૯ દ્રવ્યગ્રુત - ભાગ-૧ : ૬૧૫ દ્રવ્યસંયમ અને ભાવસંયમ – ભાગ-૧ : ૪૫૮ ધર્મ - ભાગ-૩ : ૧૮૪, ૨૬૩-૨૬૪, ૫૬૧-૫૬૨, ૫૭૯, ૫૮૫ ભાગ-૪ : ૨૬૪ ધર્મ અને અધર્મ – ભાગ-૧ : ૨૧૦ ભાગ-૩ : ૩૮૦-૩૮૧ ભાગ-૪ : ૧૦૬ ધર્મ એટલે અંતચક્ષની ચિકિત્સા – ભાગ-૪ : ૨૪૭ ધર્મ - આત્મસ્વભાવના અવલંબને – ભાગ-૧ : ૨૩૪ ભાગ-૩ : ૮૦-૮૧, ૮૬ ભાગ-૪ : ૧૬૦ ધર્મની આરાધના – ભાગ-૩ : ૫૬૦-૫૬૧, ૬૨૮ ધર્મ અને ક્રિયાકાંડ – ભાગ-૩ : ૩૭૫-૩૭૬ ધર્મક્રિયા નિષ્ફળ કેમ? – ભાગ-૪ : ૪૩૭ ધર્મચર્ચાનું ફળ ત્રણ પ્રકારે – ભાગ-૧ : ૧૭૨ ધર્મથી જીવનમાં પરિવર્તન – ભાગ-૧ : ૧૪૯ ધર્મમય જીવનનો ભ્રમ – ભાગ-૧ : ૧૩૮ ધર્મ - ધાર્મિકતા – ભાગ-૩ : ૩૭૬-૩૭૭, ૫૬૫ ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ - ભાગ-૪ : ૧૬૬-૧૬૭ ધર્મનો પ્રારંભ અન્યના સુખ-દુઃખની સભાનતાથી - ભાગ-૪ : ૨૬૬-૨૬૭ ધર્મ - ભાવ ધર્મનો મહિમા – ભાગ-૪ : ૯૦ ધર્મ અને મતપંથ – ભાગ-૩ : ૩૭૪-૩૭૫ ધર્મનો મર્મ – ભાગ-૩ : ૫૫૭-૫૫૮, પ૬૪, ૫૬૬, ૫૭૪ ધર્મ - રત્નત્રયરૂપ ધર્મ – ભાગ-૪ : ૧૫૫-૧૫૬, ૩૪૪ ધર્મ રોકડિયો છે – ભાગ-૩ : ૩૬૩ ધર્મ - લૌકિક ધર્મનું સમષ્ટિગત મહત્ત્વ – ભાગ-૩ : ૩૫૯ ધર્મ - સત્ય ધર્મની શોધ – ભાગ-૧ : - ૧૩૮ ધર્મનો સંબંધ માત્ર જ્ઞપ્તિક્રિયા સાથે – ભાગ-૩ : ૮૨-૮૪ ધર્મનો સંબંધ સત્યની સાધના સાથે – ભાગ-૪ : ૨૪૮ ધર્મારાધકના પ્રકાર -- ભાગ-૩ : ૩૭૮-૩૭૯ Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ધર્માસ્તિકાયદ્રવ્ય ધ્યાનનું આત્મસાધનામાં મહત્ત્વ ધ્યાન વિચાર ધ્યાન ધર્મવ્ય નય નય નય નય ભાગ-૨ : ૩૯૫-૩૯૬ ભાગ-૪ : ૪૪૫-૪૪૬ નયનો આગ્રહ ભાગ-૧ : ૧૯૨ નય એકાંતથી દૂષિત નય નયજ્ઞાન ભાગ-૧ : ૧૩૬ નય નયજ્ઞાનની આવશ્યકતા નય અને પ્રમાણ - - - - - ભેદ-પ્રભેદ વિવસા ભાગ-૩ : ૨૮૬ 1 ભાગ-૩ : ૧૦૦-૧૦૧ – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નિત્યત્વ અંગે શંકા ભાગ-૪ : ૩૪-૪૩ નરક નારકી કેમ બહાર નીકળી શકર્તા નથી? નરક ગતિ ભાગ-૨ : ૭૬૧-૭૬૨, ૭૬૪ ભાગ-૪ : ૧૧૮-૧૧૯ વ્યવહારનય અને નિશ્ચયનય ભાગ-૧ : ૧૩૬-૫૩૭ ભાગ-૪ : ૧૨૦-૧૨૫ સાધનામાં બન્ને નયનું અવલંબન આવશ્યક ભાગ-૧ : ૫૩૭-૫૩૯ નય સુનય અને દુર્નય ભાગ-૪ : ૧૧૨-૧૧૫, ૧૨૬ નિકાયના ભાગ-૨ : ૭૪૩ નિત્યત્વ સંબંધી વિભિન્ન દર્શનોની માન્યતા ભાગ-૧ : ૫૪૭-૫૪૮ ભાગ-૪ : ૮૮ - ઉત્તર મીમાંસા દર્શન ભાગ-૨ : ૨૭૬-૨૭૭ - ચાર્વાક દર્શન ભાગ-૨ : ૨૭૫ - જૈન દર્શન ભાગ-૨ : ૨૭૫, ૩૪૪ ન્યાય-વૈશષિક દર્શન ભાગ-૨ : ૨૭૬ પૂર્વ મીમાંસા દર્શન બૌદ્ધ દર્શન સાંખ્ય-યોગ દર્શન ભાગ-૨ : ૫૦૦ ભાગ-૪ : ૧૧૨-૧૧૯, ૧૨૪ ભાગ-૪ : ૧૧૯-૧૨૦ - - ભાગ-૪ : ૧૦૮-૧૦૯ - ભાગ-૨ : ૨૭૬ ભાગ-૨ : ૨૭૫-૨૭૬ ભાગ-૨ : ૨૭૬ સ્થૂળ પર્યાયની અપેક્ષાએ અનિત્ય સૂક્ષ્મ પર્યાયની અપેક્ષાએ અનિત્ય વિવેચન ભાગ-૨ : ૨૫૯ ભાગ-૨ : ૨૭૪-૨૭૭ ભાગ-૨ : ૨૭૪, ૨૭૭-૨૮૬ ભાગ-૨ : ૨૮૯-૨૯૯ Page #758 -------------------------------------------------------------------------- ________________ નિત્યત્વ સંબંધી સમાધાન - - - - અનુમાનપ્રમાણથી નિત્યત્વની સિદ્ધિ અનેકાંત સિદ્ધાંતથી નિત્યત્વની સિદ્ધિ આત્મા અનુત્પન્ન છે, માટે અવિનાશી છે, નિત્ય છે આત્માનાં ઉત્પત્તિ-લયની ઘટનાનો શું કોઈ જ્ઞાતા છે? ક્ષણિકતાનો સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોઈ દેહના ઉત્પત્તિ-લય સાથે આત્માને કોઈ સંબંધ નથી ભિન્ન અવસ્થાઓનું જ્ઞાન એક જ જ્ઞાયકસત્તાને થાય છે. ભૂત ચતુષ્ટયથી ચૈતન્યની ઉત્પત્તિ નથી - ભાગ-૨ : ૩૩૦-૩૪૮ વિજ્ઞાનને માન્ય એવા નિયમથી નિત્યત્વની સિદ્ધિ ભાગ-૨ : ૭૪૩ - - નિધત્ત નિમિત્ત નિમિત્ત નૈમિત્તિક નિમિત્તોની પસંદગી શ્રેયસ્કર ભાગ-૪ : ૧૭૫-૧૭૬ નિમિત્ત ભેદ-પ્રભેદ નિમિત્તનો લક્ષ જ્યારે છોડવો? ભાગ-૪ : ૨૩૮-૨૩૯ શુભ નિમિત્તનું અવલંબન જરૂરી શુભાશુભ નિમિત્તોનો વિવેક નિમિત્ત નિમિત્ત નિમિત્તકારણ ભાગ-૪ : ૧૭૩, ૧૭૬, ૨૩૭-૨૩૮ — નિયતિ ભાગ-૪ : ૧૬-૬૨ — ભાગ-૪ : ૪૪૯-૪૫૦ ભાગ-૪ : ૧૭૪ - વિષયસૂચિ - નિયતિવાદ ભાગ-૩ : ૧૪૪, ૨૩૬-૨૩૮ નિર્જરા ભાગ-૩ : ૪૫-૪૮ નિર્જરા - સવિપાક અને અવિપાક નિર્વિચાર ભાગ-૩ : ૬૯૦, ૬૯૨ નિર્વેદ ભાગ-૧ : ૬૮૨-૬૮૬, ૬૯૭ ભાગ-૩ : ૪૩૦ - 1 ભાગ-૨ : ૩૬૧-૩૮૧ ભાગ-૨ : ૩૮૫-૪૦૪, ૪૧૮-૪૧૯ ભાગ-૨ : ૩૫૧-૩૫૮ ભાગ-૪ : ૨૧૯-૨૨૦ — ― - ભાગ-૩ : ૪૬-૪૭ - ભાગ-૨ : ૩૦૪-૩૨૧ શકે ભાગ-૨ : ૪૦૯-૪૩૬ ભાગ-૨ : ૩૨૫-૩૫૮ ભાગ-૨ : ૪૦૨-૪૦૪ ભાગ-૪ : ૨૧૦, ૨૧૫, ૨૩૭૨૩૮ નિશ્ચયનય ભાગ-૪ : ૧૨૦-૧૨૧, ૧૨૨ નિશ્ચયનયનો આગ્રહ ભાગ-૧ : ૧૬૩ નિશ્ચયનયપ્રધાન કથોની અધૂરી સમજ - ભાગ-૧ : ૧૬૮ નિશ્ચયનયપ્રધાન કથનોનો દુરુપયોગ ભાગ-૧ : ૧૬૪, ૧૯૫, ૩૩૯-૩૪૦ નિશ્ચયનય કેવળ વાણીમાં ભાગ-૧ : ૧૬૮ નિશ્ચય નિશ્ચયાભાસ ભાગ-૪ : ૧૪૪-૧૪૯, ૨૩૧ – ભાગ-૪ : ૧૭૪, ૨૨૦-૨૨૧ ભાગ-૨ : ૪૩૯-૪૫૨ ૭૨૫ Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિશ્ચય - મોક્ષપ્રાપક નિશ્ચય – ભાગ-૪ : ૧૪પ-૧૪૮, ૧૫૦ નિશ્ચયનય અને વ્યવહારનય – ભાગ-૪ : ૧૨૦-૧૨૫ નિશ્ચયનય અને વ્યવહારનય - મોક્ષમાર્ગમાં બન્નેની આવશ્યકતા – ભાગ-૧ : ૫૩૭-૫૩૯ ભાગ-૪ : ૧૦૧-૧૦૩, ૧૦૦-૧૦૮, ૧૨૬-૧૩૦, ૧૪૯-૧૫૦, ૧૫૩-૧૫૪, ૨૩૧ નિશ્ચયનય અને વ્યવહારનયથી વસ્તુનું સ્વરૂપ – ભાગ-૪ : ૨૧૭ નિશ્ચયનય અને વ્યવહારનય - સમકક્ષ છે કે પ્રતિપક્ષ? – ભાગ-૪ : ૧૨૫-૧૨૬ નિશ્ચય અને વ્યવહારનો સમન્વય – ભાગ-૪ : ૪૪૮-૪૪૯ નિદ્ભવ - ભાગ-૨ : ૪૩૪ નૈમિત્તિક - ભાગ-૪ : ૧૭૪ નોકષાય – ભાગ-૩ : ૩૩૦ ન્યાય દર્શન- ભાગ-૪ : પ૬૭-૫૮૬ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૧-૪૨ - મોક્ષ – ભાગ-૩ : ૧૧, ૧૨૯-૧૩૨ ન્યાય-વૈશેષિક દર્શના - આત્માનું કર્તૃત્વ - ભાગ-૨ : ૪૫૯ - આત્માનું નિત્યત્વ – ભાગ-૨ : ૨૭૬ ઈશ્વર – ભાગ-૨ : ૪૮૭-૪૯૧, ૬૪૯-૬૫૧, ૭૪૬ - કર્મફળભોક્નત્વ – ભાગ-૨ : ૬૨૧-૬૨૨ - કર્મવાદ – ભાગ-૨ : ૬૩૩-૬૩૪ - ભાવકર્મ અને દ્રવ્યકર્મ – ભાગ-૨ : ૬૭૩ પચ્ચ – ભાગ-૪ : ૩૧ પરમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ – ભાગ-૩ : ૨૬૭-૨૬૯ પરનું કર્તા-ભોક્તાપણું - ભાગ-૩ : ૫૬૮-૫૬૯, ૫૭૦-૫૭૧, ૫૭૩-૫૭૫ પરનું કર્તવ-ભોક્નત્વ - અજ્ઞાની અને જ્ઞાની – ભાગ-૩ : ૬૭૯-૬૮૦, ૬૮૩-૬૮૪ પરનું કર્તુત્વ-ભોમ્તત્વ ટાળવાની સાધના – ભાગ-૩ : ૬૮૦-૬૮૨, ૬૮૪ પરને જાણવાનું પ્રયોજન - ભાગ-૩ : ૭૭૪ પરૉયનું જ્ઞાન - ભાગ-૩ : પ૨૯-૫૩૧, ૫૩૫-૫૩૬ પરમાં તાદાભ્ય – ભાગ-૩ : ૨૬૪-૨૬૫, ૨૯૩, ૫૪૩-૫૪૪, ૫૮૩ પર - તાદાભ્યબુદ્ધિનો ઉપાય – ભાગ-૩ : ૨૬૫-૨૬૬, ૨૯૩-૨૦૪, ૫૪૨, ૫૪૩-૫૪૪, ૫૮૩ પરદયા - ભાગ-૩ : ૪૩૨ પરભાવ - ભાગ-૩ : ૩૪૯-૩૫૦ પરમાં સુખની કલ્પના – ભાગ-૩ : ૬૧૪-૬૧૬ પર - સ્વ-પરભેદજ્ઞાન – ભાગ-૩ : ૭૭૩-૭૭૫ Page #760 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૨૭ પરાશ્રય – ભાગ-૩ : ૭૭૫-૭૭૬ પરમાણુ – ભાગ-૨ : ૩૦૬, ૩૧૧, ૩૨૭, ૩૫૪, ૬૫૯ પરમાત્મસ્વરૂપ કદી પણ ખોવાયું કે નષ્ટ થયું નથી – ભાગ-૩ : ૭૭-૭૮ પરમાત્મા - કારણ અને કાર્ય - ભાગ-૩ : ૫૮૭. પરમાર્થની ઇચ્છા – ભાગ-૪ : ૫૦-૫૩, ૫૫, ૬૯, ૭૧, ૭૫, ૭૭ પરમાર્થમાર્ગ – ભાગ-૧ : ૬૪૫, ૬૪૭-૬૪૮ ભાગ-૪ : ૧૫૬-૧૬૦ પરમાર્થમાર્ગ આત્માશ્રિત છે – ભાગ-૧ : ૬૪૮ ભાગ૪ : ૧૫૬-૧૫૭, ૧૬૦, ૧૬૪ પરમાર્થમાર્ગનો ઉપાય ભેદજ્ઞાન - ભાગ-૪ : ૧૫૭ પરમાર્થમાર્ગ ત્રણે કાળમાં એક - ભાગ-૪ : ૧૫૪-૧૫૬, ૧૬૧, ૧૬૩-૧૬૪ પરમાર્થમાની પ્રાપ્તિ ક્યારે ? – ભાગ-૧ : ૬૯૮ પરમાર્થમાર્ગ - વ્યવહારમાર્ગમાં ભેદ કેમ ? – ભાગ-૪ : ૧૬૨-૧૬૩ પરમાર્થમાર્ગની સમજણ મુમુક્ષતાથી - ભાગ-૧ : ૨૧૬-૨૧૭ પરાક્રમ - સર્વોત્કૃષ્ટ પરાક્રમ – ભાગ-૩ : ૬૬૯ પરાવર્તન - પંચ પરાવર્તન – ભાગ-૧ : ૧૦૩-૧૦૪ પરાવર્તન - અંતિમ પગલપરાવર્તન કાળ – ભાગ-૩ : ૨૩૮-૨૩૯ પરિભ્રમણનું કારણ અને તેના અંતનો ઉપાય – ભાગ-૩ : ૭૧-૯૦ પરિભ્રમણની ચિંતના - ભાગ-૧ : ૬૧૧-૬૧૨, ૬૮૩-૬૮૪ | ભાગ-૩ : ૭૨, ૩૯૧-૩૯૨, ૬૪૪-૬૪૫ પરિભ્રમણનો થાક – ભાગ-૧ : ૬૮૨-૬૮૬ પરિસ્થિતિ - પુરષાર્થહીનતા માટે પરિસ્થિતિનાં બહાનું – ભાગ-૪ : ૭૧-૭૨ પરીક્ષાપ્રધાનીપણું – ભાગ-૨ : ૫૦૩-૫૦૪ પર્યાય - ભાગ-૩ : ૨૮૬ પર્યાયદષ્ટિ કેમ હેય? – ભાગ-૩ : ૬૦૭ પર્યાયવિશેષમાં એકત્વ - મમત્વ - ભાગ-૩ : ૫૮૨-૫૮૩ પર્યાયશુદ્ધિની આવશ્યકતા – ભાગ-૩ : ૭૧૩-૭૧૪ ભાગ-૪ : ૧૪૮-૧૪૯ પંચમકાળ - ભાગ-૧ : ૧૨૭-૧૨૯ પંચમકાળમાં મોક્ષનો અભાવ - ભાગ-૪ : ૬૫-૬૭ Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પંચ મહાવ્રત – ભાગ-૧ : પ૨૨-૫૨૩ પંચ વ્રતનું યથાર્થ પાલન આત્મજ્ઞાન પછી – ભાગ-૧ : ૧૭૯ પાપ-અજ્ઞાનથી હિંસાદિ પંચ પાપ – ભાગ-૧ : ૧૦૯-૧૧૦ પાત્રતા – ભાગ-૧ : ૫૮૧ પુણ્યનું ફળ તત્ત્વતઃ દુઃખરૂપ જ છે – ભાગ-૩ : ૧૨૦-૧૨૨ પુણ્યનું ફળ મોક્ષ નથી - ભાગ-૩ : ૨૯-૩૦ ભાગ-૪ : ૩૨૮ પુણ્યપાપ – ભાગ-૨ : ૭૨૨-૭૨૫, ૭૨૮-૭૨૯ પુણ્ય-પાપ - ધર્મ અપેક્ષાએ પુણ્ય-પાપ બન્ને સમાન - ભાગ-૩ : ૮૫-૯૦ પુદ્ગલદ્રવ્ય – ભાગ-૨ : ૬૫૮-૬૬૦. પુદ્ગલદ્રવ્યની અચિંત્ય શક્તિ - ભાગ-૨ : ૭૩૬-૭૩૭ પુદ્ગલ અને જીવ -- ભાગ-૧ : ૧૦૬ પુદ્ગલની વૈભાવિક શક્તિ – ભાગ-૨ : પ૨૮-૫૨૯ પુગલદ્રવ્યની સ્વતંત્રતા – ભાગ-૩ : ૨૬૯-૨૭૦ પુનરુક્તિ – ભાગ-૨ : ૧૨૨-૧૨૩ પુનર્જન્મ – ભાગ-૨ : ૩૭૭-૩૭૯ પુરુષ અને પ્રકૃતિ (સાંખ્ય દર્શન) - ભાગ-૨ : ૪૭૦-૪૮૧ પુરુષાર્થ – ભાગ-૩ : ૯૬ ભાગ-૪ : ૪૭, ૫૩, ૫૭-૬૨, ૭૭-૭૮ - અંતર્મુખદશાનો પુરુષાર્થ – ભાગ-૪ : ૧૮૯-૧૯૧ - ઉગ્ર પુરુષાર્થી માટે બધું જ સંભવિત – ભાગ-૪ : ૩૬૧ - જેવો પુરુષાર્થ તેવું ફળ – ભાગ-૪ : ૩૪૨ - પાંચ સમવાયમાં પ્રધાન – ભાગ-૪ : ૬૦-૬૨ પ્રેરણા – ભાગ-૪ : ૩૪૨-૩૪૩ - બાહ્ય અનુકૂળતા-પ્રતિકૂળતાથી અટકો નહીં - ભાગ-૪ : ૩૪૩ મોક્ષમાર્ગનો પુરુષાર્થ – ભાગ-૪ : ૬૧, ૧૮૯-૧૯૧ - યથાર્થ લક્ષ બાંધો – ભાગ-૪ : ૩૪૫ - સત્ય પુરુષાર્થ – ભાગ-૩ : ૮૪-૮૫, ૮૯ ભાગ-૪ : ૫૩-૭૭ પૂર્વજન્મની સિદ્ધિ - અસાધારણ યોગીપણા વડે – ભાગ-૨ : ૩૭૦-૩૭૧ - જાતિસ્મરણ જ્ઞાનથી – ભાગ-૨ : ૩૭૨-૩૭૫ Page #762 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૨૯ - પૂર્વસંસ્કારથી - ભાગ-૨ : ૩૬૩, ૩૬૬, ૩૮૧ - વ્યવહારુ ઉદાહરણથી – ભાગ-૨ : ૩૭૦ - સંમોહનપ્રયોગથી – ભાગ-૨ : ૩૭૫-૩૭૭ પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી – ભાગ-૨ : ૩૭૧-૩૭૨ પૂર્વ મીમાંસા દર્શન - ભાગ-૪ : ૬૨૭-૬૩૮ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૪ - આત્માનું કર્તુત્વ - ભાગ-૨ : ૪૬૦ - આત્માનું નિત્યત્વ – ભાગ-૨ : ૨૭૬ - ઈશ્વર – ભાગ-૨ : ૪૮૮ - કર્મફળભોસ્તૃત્વ – ભાગ-૨ : ૬૨૨-૬૨૩ - કર્મમીમાંસા - ભાગ-૩ : ૩૦-૩૧ - ભાવકર્મ અને દ્રવ્ય કર્મ – ભાગ-૨ : ૬૭૪ - મોક્ષ – ભાગ-૩ : ૧૩, ૩૦-૩૩, ૧૩૨-૧૩૩ - વેદવિહિત કર્મ – ભાગ-૩ : ૩૦-૩૨ પ્રકૃતિકતૃત્વવાદ – ભાગ-૨ : ૪૭૦-૪૮૧ પ્રકૃતિકતૃત્વવાદનું નિરસન – ભાગ-૨ : ૫૫૩-૫૬૮ - અવસ્થામાં શુદ્ધતા-અસંગતા પ્રગટાવવાનો ઉપાય - ભાગ-૨ : પ૬૬-૫૬૮ - આત્માનું શુદ્ધાશ્રદ્ધપણું – ભાગ-૨ : ૫૬૫-૫૬૭ - જૈન દર્શનની દષ્ટિએ આત્મા – ભાગ-૨ : ૫૬૪-૫૬૫ - પુરુષનું કૂટસ્થ નિત્યપણું નથી – ભાગ-૨ : ૫૬૨-૫૬૪ - પુરષમાં બંધ-મોક્ષનો માત્ર ઉપચાર નથી – ભાગ-૨ : પપ૯-૫૬૧ - પુરુષ માટે સ્ફટિકમણિનું દષ્ટાંત યુક્તિયુક્ત નથી – ભાગ-૨ : પ૫૪-૫૫૫ - બંધ અને મોક્ષ પ્રકૃતિના આશ્રયે નથી – ભાગ-૨ : પ૬૧-૨૬૨ - બુદ્ધિમાં અમૂર્ત ચેતનાશક્તિનું પ્રતિબિંબ ન પડી શકે – ભાગ-૨ : પપ૬ - બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય? - ભાગ-૨ : ૫૫૭-૫૫૯ - બુદ્ધિતત્ત્વ અચેતન – ભાગ-૨ : ૫૫૫-૫૫૬ - મુક્ત જીવોને પ્રતિબિંબનો અભાવ – ભાગ-૨ : ૫૫૭ પ્રતિબંધ - ભાગ-૨ : ૬૮૫-૬૮૭ પ્રજ્ઞાછીણી – ભાગ-૩ : પ૨૪-૫૨૫ પ્રતિક્રિયા - ભાગ-૩ : ૨૭૨ પ્રતિક્રિયારહિતપણું – ભાગ-૩ : ૨૭૦-૨૭૪ પ્રત્યભિજ્ઞાન - ભાગ-૨ : ૪૦૩-૪૦૪, ૪૩૧-૪૩૩ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રદેશ – ભાગ-૨ : ૬૫૯ પ્રદેશબંધ - ભાગ-૨ : ૬૯૧-૬૯૨ પ્રદેશોદય – ભાગ-૨ : ૭૪૨ પ્રમાણ – ભાગ-૨ : ૬૫ ભાગ-૪ : ૪૪૫ પ્રમાણ અને નય - ભાગ-૨ : ૫૦૦ ભાગ-૪ : ૧૧૨-૧૧૯, ૧૨૪ પ્રમાણના ભેદ – ભાગ-૨ : ૬૬ પ્રમાદ - ભાગ-૩ : ૨૪૮ પ્રશ્નની કસોટી - ભાગ-૨ : ૫૦૧ પ્રશ્ન પૂછવા પાછળનું લક્ષ - ભાગ-૨ : ૫૦૦-૫૦૧, ૬૨૫ પ્રશ્ન - પ્રયોજનભૂત પ્રશ્ન - ભાગ-૨ : ૬૨૫ પ્રશ્નની રજૂઆત - ભાગ-૨ : ૫૦૦ “પ્રાણીદયા' – ભાગ-૧ : ૬૮૬-૬૮૮, ૬૯૭ પ્રેમ – ભાગ-૩ : ૭૫૫ પ્રેમસમાધિ – ભાગ-૩ : ૬૪૧, ૭૫૫ બંધ – ભાગ-૨ : ૬૮૩ બંધ (કર્મબંધ) - ભાગ-૨ : ૬૯૭, ૭૪૨ ભાગ-૩ : ૨૪૬-૨૪૭ બંધનાં કારણો – ભાગ-૩ : ૨૪૭, ૨૫૦ બંધ - છેદકદશા – ભાગ-૩ : ૨૪૯, ૨૫૭ બંધ અને મોક્ષ – ભાગ-૩ : ૭-૮, ૧૦, ૧૩-૧૪, ૧૬-૧૮, ૩૯-૪૦, ૪૧, ૪૫, ૫૦, ૬૫-૬૬ બંધ અને મોક્ષ જીવને કયા નયથી? – ભાગ-૩ : ૪૧ બંધ અને મોક્ષનો નિષેધ તે આત્માનો નિષેધ છે - ભાગ-૩ : ૫૦ બાહ્ય ત્યાગ અને અંતર્યાગ – ભાગ-૧ : ૪૫૮-૪૫૯ બાહ્યત્યાગી - ભાગ-૧ : ૪૫૫-૪૬૨ બાહ્યત્યાગીને શ્રદ્ધાન – ભાગ-૧ : ૪૫૭ બાહ વેષના આગ્રહના ત્યાગનો ઉપદેશ – ભાગ-૩ : ૪૧૮-૪૧૯ બાહ્ય વેષ અને મોક્ષમાર્ગ – ભાગ-૧ : ૫૧૬-૫૧૭ ભાગ-૩ : ૪૦૮-૪૧૧ બોધ – ભાગ-૩ : ૩૩૨-૩૩૬, Page #764 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૩૧ બોધબીજ – ભાગ-૩ : ૬૪૨, ૬૪૮, ૭૭૭-૭૭૮ બૌદ્ધ દર્શન – ભાગ-૪ : ૫૪૫-૫૬૫ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૧ - આત્માનું કર્તુત્વ - ભાગ-૨ : ૪૫૯ ઈશ્વર – ભાગ-૨ : ૪૮૭ - કર્મફળોફ્તત્વ - ભાગ-૨ : ૬૨૧ - ક્ષણિકવાદ - ભાગ-૨ : ૨૭૫-૨૭૬, ૨૮-૨૯૯ - ક્ષણિકવાદનું નિરસન – ભાગ-૨ : ૩૯૬-૩૯૭, ૪૦૪, ૪૧૦-૪૩૬ - જીવ પંચ સ્કંધરૂપ છે – ભાગ-૨ : ૨૯૫-૨૯૮ - ભાવકર્મ અને દ્રવ્યકર્મ – ભાગ-૨ : ૬૭૩ - મોક્ષ – ભાગ-૩ : ૮, ૧૦-૧૧, ૧૦૭, ૧૩૪-૧૩૬ ભક્તિ – ભાગ-૩ : ૨૪૫, ૭૫-૭૫૩ ભાગ-૪ : ૪૭૫ ભક્તિમાર્ગ – ભાગ-૩ : ૭૫૩-૭૫૪ ભક્તિમાર્ગ કઈ રીતે મોક્ષનો હેતુ? – ભાગ-૩ : ૭૫૪-૭૫૬ ભગવાન – ભાગ-૧ : ૯૮, ૧૧૭ ભગવાન થવાની વિધિ – ભાગ-૩ : ૬૨૬-૬૨૮ ભય કઈ રીતે મટે ? – ભાગ-૩ : ૭૭૨ ભયના સાત પ્રકાર – ભાગ-૩ : ૭૪૫ ભવસ્થિતિ – ભાગ-૩ : ૨૩૮-૨૩૯ ભાગ-૪ : ૫૩-૬૨ ભવિતવ્યતા – ભાગ-૩ : ૧૪૫, ૨૩૮-૨૪૧ ભાગ-૪ : પ૬-૬૨ ભવેખેદ' – ભાગ-૧ : ૬૮૨-૬૮૬, ૬૯૭ ભાગ-૩ : ૪૨૯-૪૩૦ ભવ્યત્વ - ભાગ-૩ : ૫૭ ભવ્યત્વની અપેક્ષાએ જીવ-કર્મનો સંયોગ સંબંધ – ભાગ-૩ : ૫૬-૫૭ ભવ્યત્વની અપેક્ષાએ જીવના ભેદો – ભાગ-૩ : ૫૭-૫૮ ભવ્યત્વ - જીવપણું સમાન છતાં ભવ્ય-અભવ્યનો ભેદ શી રીતે ? – ભાગ-૩ : ૫૮-૬૦ ભવ્યત્વ - જે મોક્ષે ન જવાય તો ભવ્યત્વનું ફળ શું? – ભાગ-૩ : ૬૨-૬૩ ભવ્યત્વ - મોક્ષમાં ભવ્યત્વનો નાશ – ભાગ-૩ : ૬૦ ભવ્યત્વ - સંસારમાંથી ભવ્યત્વનો ઉચ્છેદ? – ભાગ-૩ : ૬૦-૬૨, ૬૪ Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભારતીય દર્શન – ભાગ-૪ : ૪૯૯-૫૦૮ ભાવકર્મ – ભાગ-૨ : પ૨૯, ૬૦૨-૬૦૩, ૬૫૮, ૬૬૧-૬૬૨ ભાવકર્મ ચેતનનું જ કાર્ય છે – ભાગ-૨ : ૬૭૨ ભાવકર્મ અને દ્રવ્યકર્મ – ભાગ-૨ : પ૨૯-૫૩૫, ૬૦૦-૬૦૩, ૬૬૨-૬૬૩ ભાગ-૩ : ૧૯-૨૧, ૨૮ ભાવકર્મ અને દ્રવ્ય કર્મ વચ્ચેનો કારણ-કાર્યભાવ – ભાગ-૨ : ૬૬૬-૬૬૯ ભાવકર્મ અને દ્રવ્યકર્મ અંગે જૈનેતર દર્શનોની પરિભાષા - ભાગ-૨ : ૬૭૨-૬૭૪ - ન્યાય-વેશેષિક દર્શન – ભાગ-૨ : ૬૭૩ - બૌદ્ધ દર્શન – ભાગ-૨ : ૬૭૩ - મીમાંસા દર્શન – ભાગ-૨ : ૬૭૪ - યોગ દર્શન – ભાગ-૨ : ૬૭૩-૬૭૪ - સાંખ્ય દર્શન – ભાગ-૨ : ૬૭૩ ભાવગતિ – ભાગ-૨ : ૭૫૬, ૭૫૭-૭૬૦ ભાવ - ભાવદશાનું અવલોકન – ભાગ-૩ : ૬૮૧ ભાવ – માલિકી ભાવ – ભાગ-૩ : ૭૭૧-૭૭૨ ભાવ - વ્યાય-વ્યાપક ભાવ – ભાગ-૨ : પ૩૧ ભાગ-૩ : ૬૬૩ ભાવૠત – ભાગ-૧ : ૬૧૫ ભાવમોક્ષ – ભાગ-૩ : પ૨૨, ૫૩૬-૫૩૭ ભાષા – ભાગ-૪ : ૪૦૮-૪૦૯, ૪૧૦-૪૧૧ ભાષાંતર - સાહિત્યક્ષેત્રે ભાષાંતરની પ્રવૃત્તિ – ભાગ-૧ : ૬૩ ભૂત ચતુષ્ટય (પંચ મહાભૂત) અને આત્માનાં ઉત્પત્તિ-લય - ભાગ-૨ : ૨૭૭-૨૮૫, ૩૨૭ ૩૨૮, ૩૩૬-૩૪૮ ભેદજ્ઞાન – ભાગ-૨ : ૬૦૧ ભાગ-૩ : ૮૨-૮૩, ૮૪, ૨૨૧, ૨૭૭, ૪૫૪-૪૫૫, ૫૨૪-૫૨૫, ૫૬૯-૫૭૦, ૭૭૩-૭૭૫ ભાગ-૪ : ૨૯૬-૨૯૭ ભેદજ્ઞાન નિજાવલોકનથી શક્ય – ભાગ-૩ : ૪૫૪-૪૫૫ ભેદજ્ઞાનની પ્રક્રિયા – ભાગ-૩ : ૨૨૫ ભેદજ્ઞાનનો બોધ – ભાગ-૩ : ૨૨૨-૨૨૫ ભેદજ્ઞાનનો મહિમા – ભાગ-૩ : ૨૨૫-૨૨૭, ૫૬૯ Page #766 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૩૩ ભેદજ્ઞાન સપુરુષના અવલંબને – ભાગ-૩ : ૨૨૧ ભોગની આસક્તિ – ભાગ-૪ : ૨૮૨-૨૮૩ ભોગ સંબંધી વિચાર – ભાગ-૪ : ૨૮૩ મત-દર્શનનો આગ્રહ - ભાગ-૧ : ૩૧૫-૩૧૬, ૩૫૨-૩૫૩ ભાગ-૩ : ૩૬૯-૩૭૩, ૩૭૭-૩૭૯, ૩૮૧-૩૮૩, ૪૭૧-૪૭૩ ભાગ-૪ : ૧૩૫-૧૪૩ મતાર્થની ઓળખ – ભાગ-૧ : ૬૦૨ મતાર્થનો નાશ – ભાગ-૧ : ૬૦૨-૬૦૩ મતાર્થી – ભાગ-૧ : ૪૨૦, ૪૩૮, ૪૪૫ મતાર્થીનું અનધિકારીપણું – ભાગ-૧ : ૫૭૪-૫૭૫ મતાર્થી - અનુપશમ – ભાગ-૧ : ૫૮૨-૫૮૪ મતાર્થી - અમધ્યસ્થતા – ભાગ-૧ : ૫૯૦-પ૯૨ મતાર્થી - અવૈરાગ્ય – ભાગ-૧ : ૫૮૫-૫૮૭ મતાર્થી દ્વારા અસગુરુનો આશ્રય – ભાગ-૧ : ૪૯૭-૫૦૦ મતાર્થી - અસરળતા - ભાગ-૧ : ૫૮૭-૫૯૦ મતાર્થીની ક્રિયા - ભાગ-૧ : ૪૩૯, ૪૪૨ મતાર્થીની ધર્મપ્રવૃત્તિ – ભાગ-૧ : ૪૩૯-૪૪૩ મતાર્થીનાં લક્ષણો - ભાગ-૧ : ૪૫૧-૪૫૨, ૧૭૯-૫૯૪, ૫૯૮-૬૦૧ મતાર્થી - લક્ષણકથનનો ઉદ્દેશ - ભાગ-૧ : ૪૩૮, ૪૪૫, ૧૯૭-પ૯૮, ૬૦૧-૬૦૩ મતાર્થીની લોકેષણા, માનની ઇચ્છા - ભાગ-૧ : ૪૩૧-૪૩૨, પ૨૮-૫૩૦, ૫૭૦, ૫૭૩, ૫૭૫-૫૭૬ મતાર્થી અને વિનયમાર્ગ – ભાગ-૧ : ૪૨૧-૪૩૨ મતાર્થીનો શાસ્ત્રાભ્યાસ – ભાગ-૧ : ૪૪૨ મતાર્થી દ્વારા સદગુરૂની ઉપેક્ષા - ભાગ-૧ : ૪૯૫-૪૯૭, ૫૦૦ મતાર્થી - ક્રિયાજડ મતાર્થીનો શ્રતાભ્યાસ – ભાગ-૧ : ૫૦૯-૫૧૩ મતાર્થીની ગુરુતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતા – ભાગ-૧ : ૪૫૩-૪૫૪, ૪૫૫-૪૬૬ મતાર્થીની દેવતત્વ સંબંધી મિથ્યા માન્યતા – ભાગ-૧ : ૪૭૨-૪૭૬, ૪૮૪, ૪૮૯-૪૯૦ મતાર્થીનો ધર્મતત્ત્વ સંબંધી મતાર્થ – ભાગ-૧ : ૫૦૫-૫૦૬, ૫૦૯-૫૧૭, પર૧-૫૨૨, ૨૨૬-૫૩૦ મતાર્થી - મતનો આગ્રહ – ભાગ-૧ : ૫૧૪-૫૧૫ મતાર્થી - વેષનો આગ્રહ - ભાગ-૧ : ૫૧૬-૫૧૭ મતાર્થી - શુષ્કજ્ઞાની મતાર્થી – ભાગ-૧ : ૫૩૫-૫૩૬, ૫૫૩-૫૫૪ મતાર્થી - શક્કજ્ઞાની મતાર્થીની ધાર્મિક પ્રવૃત્તિ – ભાગ-૧ : ૫૭૦ મતાર્થી - શુષ્કજ્ઞાની મતાર્થીનો નિશ્ચયાભાસ – ભાગ-૧ : ૫૩૯-૫૪૬, ૫૬૧-૫૬૪ Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતાર્થી - શુષ્કજ્ઞાની મતાર્થીનો કૂતાભ્યાસ – ભાગ-૧ : ૫૭૧-૫૭૩ મતિજ્ઞાન – ભાગ-૨ : ૩૬૪ મનુષ્યભવની ઉત્તમતા – ભાગ-૪ : ૩૪૭-૩૪૯ મનુષ્યભવનું કર્તવ્ય – ભાગ-૧ : ૩૫૦ મનુષ્યભવ ધર્મપ્રાપ્તિનો મહાન અવસર – ભાગ-૩ : ૪૩૩ મનુષ્યભવની દુર્લભતા - ભાગ-૪ : ૧૬૬ મનુષ્યભવને વ્યર્થ ન ગુમાવો – ભાગ-૪ : ૩૪૯-૩૫૦ મંગલ – ભાગ-૧ : ૯૫ મંગલ - અંતમંગળનું પ્રયોજન - ભાગ-૪ : ૩૫૫ મંત્ર જાપ – ભાગ-૪ : ૩૬ માન - ભાગ-૧ : ૩૬૩ માન આત્મગુણનો ઘાતક – ભાગ-૧ : ૨૨૫, ૩૬૫ માનનો ઉપાય - ભાગ-૧ : ૩૬૭-૩૬૯ માન કષાયનો પ્રભાવ - ભાગ-૧ : ૬૭૬ માનથી થતું નુકસાન - ભાગ-૧ : ૩૬૫-૩૬૭ માન્યતા - ઊંધી માન્યતા - ભાગ-૪ : ૧૫, ૨૫-૨૬ માત્ર મોક્ષ અભિલાષ’ – ભાગ-૧ : ૬૭૯-૬૮૨, ૬૯૭ ભાગ-૩ : ૪૨૭-૪૨૯ માર્દવ – ભાગ-૩ : ૩૫૧ માયા કષાયનો પ્રભાવ – ભાગ-૧ : ૬૭૬ માલિકીપણું - ભાગ-૩ : ૭૭૧-૭૭૨ મિથ્યાત્વ ભાગ-૧ : ૬૯૮-૬૯૯, ૭૦૧ ભાગ-૩ : ૯૬, ૧૧૩, ૨૪૭, ૨૫૨ ભાગ-૪ : ૨૧, ૨૩-૨૭, ૩૪ મિથ્યાત્વની કાળમર્યાદા – ભાગ-૪ : ૩૪૬ મિથ્યાત્વને કોણ જીવિત રાખે છે ? – ભાગ-૪ : ૩૪૬-૩૪૭ મિથ્યાત્વ - ગૃહીત મિથ્યાત્વ ભાગ-૧ : ૪૭૧ મિથ્યાત્વનાં છ સ્થાનકો – ભાગ-૪ : ૧૩ મિથ્યાત્વના ત્યાગ વિના આરાધન વ્યર્થ – ભાગ-૩ : પ૬૪ મિથ્યાત્વના નાશની કળા – ભાગ-૪ : ૩૪૭ મિથ્યાત્વના પ્રકાર – ભાગ-૧ : ૨૦૮-૨૦૯ Page #768 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૩૫ મિથ્યાત્વનો સંવર - ભાગ-૩ : ૨૫૦-૨૫૭ મિથ્યાદષ્ટિ – જૈનમતાનુયાયી મિથ્યાદષ્ટિ – ભાગ-૧ : ૪૬૫, ૪૭૫-૪૭૬ મધ્યસ્થતા - ભાગ-૧ : ૫૯૦-૫૯૨ મુનિપણું – ભાગ-૧ : ૬૧૮, ૬૧૯, ૬૨૦, ૬૨૩ મુનિ - અંતરંગ દશા – ભાગ-૧ : ૬૧૮-૬૨૦ ભાગ-૩ : ૫૧૦-૫૧૪ મુનિ - બાહ્યત્યાગી મુનિ – ભાગ-૧ : ૬૨૦-૬૨૨ મુનિરાજની શાંતતા - ભાગ-૩ : ૬૩૪ મુનિરાજનો શુદ્ધોપયોગ - ભાગ-૩ : ૫૦૩-૫૦૪, ૫૧૦ મુનિરાજનું શ્રેણી-આરોહણ – ભાગ-૩ : ૫૧૪-૫૧૭ મુમુક્ષ - ભાગ-૧ : ૪૧૯-૪૨૦ ભાગ-૪ : ૨૬૩ મુમુક્ષની અંતર્મુખતા – ભાગ-૪ : ૩૪૦-૩૪૧ મુમુક્ષનું આરંભ-પરિગ્રહનું અલ્પત્વ - ભાગ-૪ : ૨૮૦ મુમુક્ષ - કર્મવિપાકનું અવલોકન - ભાગ-૪ : ર૬૮ મુમુક્ષ અને કોરી જિજ્ઞાસાવાળો જીવ - ભાગ-૨ : ૫૦૧-૫૦૩ મુમુક્ષની ક્ષમાશીલતા - ભાગ-૪ : ૨૭૫ મુમુક્ષમાં કયા ગુણ પ્રગટ્યા હોય? – ભાગ-૪ : ૨૬૩, ૨૬૫-૨૮૬ મુમુક્ષનો ગુણાનુરાગ - ભાગ-૧ : ૪૨૫ મુમુક્ષની ગુરુભક્તિ – ભાગ-૧ : ૨૭૧-૨૭૨, ૩૩૬ મુમુક્ષને જાણકારીની નહીં, રૂપાંતરણની ઉત્સુકતા – ભાગ-૨ : ૬૨૫ મુમુક્ષની જ્ઞાનપ્રવૃત્તિનું લક્ષ – ભાગ-૩ : ૧૮૦-૧૮૧ ભાગ-૪ : ૨૫૬ મુમુક્ષને જ્ઞાનીના દર્શન-સત્સંગનું ફળ – ભાગ-૪ : ૩૬૮-૩૬૯ મુમુક્ષ દ્વારા જ્ઞાનીની દશાનું અવલોકન - ભાગ-૪ : ૩૬૮-૩૬૯ મુમુક્ષનો તત્ત્વનિર્ણય – ભાગ-૩ : ૧૮૦ ભાગ-૪ : ૨૭૫ મુમુક્ષની ધર્મપ્રવૃત્તિ – ભાગ-૧ : ૪૪૪ મુમુક્ષ - પરિભ્રમણનો ભય – ભાગ-૪ : ૨૬૫ મુમુક્ષુ - પરીક્ષાપ્રધાન – ભાગ-૧ : ૪૧૯, ૪૨૨ મુમુક્ષનો પુરુષાર્થ – ભાગ-૪ : ૨૭૦-૨૭૩ મુમુક્ષ દ્વારા પુષ્ટ આલંબનનો આશ્રય – ભાગ-૧ : ૪૨૬, ૪૩૦ મુમુક્ષ - પ્રેમ અને કારુણ્યવૃત્તિ - ભાગ-૪ : ૨૬૬ મુમુક્ષનાં લક્ષણો – ભાગ-૧ : ૩૩૭-૩૩૮ Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મુમુક્ષ અને વિનયમાર્ગ – ભાગ-૧ : ૪૨૧-૪૨૬ મુમુક્ષનો વિવેક – ભાગ-૧ : ૪૨૬ મુમુક્ષની વિષયવિરક્તિ – ભાગ-૪ : ૨૮૫ મુમુક્ષને સગુરુની ઓળખાણ – ભાગ-૧ : ૨૫૪, ૨૫૭, ૨૬૦, ૨૬૩ મુમુક્ષની સત્યપરાયણતા – ભાગ-૪ : ૨૭૮-૨૭૯ મુમુક્ષનો સમજણપૂર્વકનો ત્યાગ – ભાગ-૪ : ૨૮૧-૨૮૨ મુમુક્ષ - સ્વકર્તવ્યનો વિચાર – ભાગ-૪ : ૨૬૮-૨૬૯ મુમુક્ષની સ્વરૂપજિજ્ઞાસા -- ભાગ-૩ : ૪૩૪-૪૩૬ મુમુક્ષની સ્વરૂપભાવના – ભાગ-૧ : ૩૫૯ મુમુક્ષતા - ભાગ-૧ : ૫૮૧, ૬૬૦-૬૬૧, ૬૯૪-૬૯૬ ભાગ-૩ : ૪૩ર-૪૩૩, ૪૩૪ મુમુક્ષતાથી પરમાર્થમાર્ગની સમજણ - ભાગ-૧ : ૨૧૬-૧૭ મુમુક્ષતાનો માપદંડ – ભાગ-૪ : ૨૬૪, ૨૮૫ મુમુક્ષતાનું લક્ષણ – ભાગ-૧ : ૩૩૬-૩૩૮ મુમુક્ષતાથી સગુરુની ઓળખાણ – ભાગ-૧ : ૨૬૩ મૂળ ભૂલ – ભાગ-૧ : ૯૭-૯૮, ૧૦૪-૧૦૫, ૧૧૨ ભાગ-૨ : ૯૦-૯૫ ભાગ-૩ : ૬૫૮ મોક્ષ – ભાગ-૩ : ૬-૮, ૬૫-૬૬, ૧૧૭, ૩૦૧ ૧, ૭૦૫, ૭/૯ મોક્ષપદની સિદ્ધિ – ભાગ-૩ : ૩૭-૬૭ મોક્ષ – આત્મદ્રવ્યના અવલંબને – ભાગ-૧ : ૫૧૬ ભાગ-૩ : ૭૧૧ મોક્ષ - આત્માનો પૂર્ણ વિકાસ – ભાગ-૩ : ૯૬ મોક્ષ જડની ક્રિયા કે ચેતનની વિકારી ક્રિયાથી ન થાય – ભાગ-૩ : ૮૨-૮૪ મોક્ષ - દ્રવ્યમોક્ષ – ભાગ-૩ : ૯૫ મોક્ષ - પર્યાયશુદ્ધિથી મોક્ષ – ભાગ-૩ : ૭૧૩-૭૧૪ મોક્ષ પામવાની યોગ્યતા અનુસાર જીવના પ્રકાર --- ભાગ-૩ : ૫૭-૫૮ મોક્ષનો પુરુષાર્થ – ભાગ-૩ : ૯૬ મોક્ષ – ભાવમોક્ષ – ભાગ-૩ : ૪૧, ૪૮, ૯૫, ૯૮ મોક્ષ - વિભિન્ન દર્શનની દષ્ટિએ મોક્ષ – ભાગ-૩ : ૮-૧૪, ૧૨૯-૧૩૭ મોક્ષ શાશ્વત છે – ભાગ-૩ : ૧૧૦-૧૧૬ મોક્ષ - સંવર-નિર્જરાથી મોક્ષ – ભાગ-૩ : ૪૫-૪૮ મોક્ષમાં સિદ્ધોની અવગાહના – ભાગ-૩ : ૧૦૪-૧૦૭ મોક્ષ - સિદ્ધશિલા – ભાગ-૩ : ૧૦પ-૧૦૮ Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૩૭ વિષયસૂચિ મોક્ષનું સુખ – ભાગ-૩ : ૧૧૬-૧૨૯ મોક્ષ અને સ્વર્ગ એક નથી - ભાગ-૩ : ર૯-૩૦ મોક્ષ-ઉપાય - અનુપાયવાદીઓની દલીલો – ભાગ-૩ : ૧૪૪–૧૪૬ મોક્ષ-ઉપાય - અનુપાયવાદીઓની દલીલોનું નિરાકરણ – ભાગ-૩ : ૨૩૬-૨૪૪ મોક્ષ-ઉપાયમાં પુરુષાર્થનું સ્થાન – ભાગ-૩ : ૨૪૪ મોક્ષ-ઉપાયમાં ન પ્રવર્તવાનાં બહાનાં – ભાગ-૪ : ૩૪૬ મોક્ષ-ઉપાયમાં પ્રવર્તનની પ્રેરણા – ભાગ-૪ : ૩૩૭, ૩૪૨-૩૫૦ મોક્ષ-ઉપાય - વિવિધ દર્શનો અને ધર્મમતો અનુસાર મોક્ષ-ઉપાય – ભાગ-૩ : ૧૫ર-૧૫૫ મોક્ષ-ઉપાય અંગે શંકાઓ - અનંત કાળનાં કર્મો કઈ રીતે છેદી શકાય ? – ભાગ-૩ : ૧૪૭ - જાતિ-વેષ સંબંધી મતભેદ – ભાગ-૩ : ૧૬૧-૧૭૬ - મત-દર્શનની બહુલતા – ભાગ-૩ : ૧૫૧-૧૫૮ - મુનિપણા વિષે મતાંતર – ભાગ-૩ : ૧૬૯-૧૭૫ - મોક્ષનો અવિરોધ ઉપાય મળતો નથી – ભાગ-૩ : ૧૪૪, ૧૭૯, ૧૮૬ - સ્ત્રીમુક્તિ વિષે મતાંતર – ભાગ-૩ : ૧૬૫-૧૬૯ મોક્ષપદ અંગે શંકા. - અનંત કાળથી કર્મબંધનનાં કારણભૂત રાગાદિ દોષો ટળ્યા નથી – ભાગ-૩ : ૬, ૧૯-૨૧ - આત્મા કર્મથી બંધાતો જ નથી તો મોક્ષ કઈ રીતે? – ભાગ-૩ : ૧૬-૧૮, ૪૮-૪૯ - કોઈ પણ સ્થળે જીવ કર્મરહિત જણાતો નથી – ભાગ-૩ : ૨૭-૨૯, ૩૦, ૩૩ - જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોય તો તે અનંત પણ હોય – ભાગ-૩ : ૧૮, ૨૧ ૨૩, પ૦ - જેની ઉત્પત્તિ થાય તેનો નાશ પણ હોય માટે મોક્ષ શાશ્વત ન હોઈ શકે – ભાગ-૩ : ૧ ૧૦- ૧ ૧ ૨ - મુક્તાત્માને પુણ્ય-પાપ નથી, તેથી તેના ફળરૂપ સુખ-દુઃખ પણ ન હોય - ભાગ-૩ : ૧૧૯, ૧૨૦, ૧૨૩ - મોક્ષ નિરુપમ સુખનું સ્થાન કે દુઃખના અભાવનું સ્થાન? – ભાગ-૩ : ૧૪-૧૫ - સંસાર ખાલી થઈ જવાની આપત્તિ - ભાગ-૩ : ૧૫-૧૬, ૬૦-૬૧ - સંસાર અને મુક્તિમાંથી પહેલું કોણ? – ભાગ-૩ : ૧૬ મોક્ષપદ સંબંધી સમાધાન - અન્ય દર્શનોની અયથાર્થ માન્યતાનું નિરસન - ભાગ-૩ : ૧૨૯-૧૩૭ એક સ્થાનમાં અનેક સિદ્ધ જીવો શી રીતે રહી શકે છે - ભાગ-૩ : ૧૦૫-૧૦૭ કર્મસંતતિ અનાદિ હોવા છતાં તેનો નાશ થઈ શકે છે – ભાગ-૩ : ૫૦-૫૫ - જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે – ભાગ-૩ : ૪૯-૫૦ - દ્રવ્યમોક્ષનું પ્રતિપાદન – ભાગ-૩ : ૯૩-૧૩૮ Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન - પરમાત્મદશા – ભાગ-૩ : ૧૦૮-૧૧૦ - પરિભ્રમણનું કારણ અને તેના અંતનો ઉપાય - ભાગ-૩ : ૭૧-૯૦ - મુક્તાત્માનું ઊર્ધ્વગમન – ભાગ-૩ : ૧૦૦-૧૦૫ - મોક્ષનું અનંત નિરુપમ સુખ – ભાગ-૩ : ૧૧૬-૧૨૯ - મોક્ષનો અભાવ નથી - ભાગ-૩ : ૯૩-૧૦૦ - મોક્ષપદ શાશ્વત છે - ભાગ-૩ : ૧૧૦-૧૧૬ - શુભાશુભ કર્મની સફળતા જેમ, નિવૃત્તિ પણ સફળ – ભાગ-૩ : ૩૭-૪૮, ૫૦, ૬૫-૬૭ - સિદ્ધસ્થાન - ભાગ-૩ : ૧૦૫-૧૦૮ મોક્ષપ્રાપક નિશ્ચય – ભાગ-૪ : ૧૪પ-૧૪૮, ૧૫૦ મોક્ષપ્રાપક વ્યવહાર – ભાગ-૪ : ૧૪૦-૧૪૩, ૧૫૦ મોક્ષપ્રાપ્તિનો ઉપાય - ભાગ-૩ : ૬૨૬-૬૨૮ મોક્ષમાર્ગ - ભાગ-૩ : ૨૫૮, ૨૬૯, ૨૭૯-૨૮૦, ૨૮૪, ૨૯૪, ૨૯૯-૩૦૦, ૩૪૩-૩૪૪, - ૩૮૯-૩૯૦, ૪૦૧-૪૦૩, ૫૧૬, ૫૯૦ ભાગ-૪ : ૧૮૮-૧૯૪ મોક્ષમાર્ગ અને અન્યલિંગ – ભાગ-૩ : ૪૧૪-૪૧૮ મોક્ષમાર્ગનું અધિકારીપણું – ભાગ-૩ : ૪૨૪ મોક્ષમાર્ગ અંગેની યથાર્થ સમજણની ખામી – ભાગ-૧ : ૧૩૭-૧૩૯, ૧૪૨ મોક્ષમાર્ગ અંતરમાં છે – ભાગ-૩ : ૨૫૨ મોક્ષમાર્ગ - આ કાળમાં પરમાર્થમાર્ગની હાનિનાં કારણો – ભાગ-૧ : ૧૨૮-૧૨૯ મોક્ષમાર્ગ - ઉપાદાન-નિમિત્તની સંધિવાળો – ભાગ-૪ : ૧૭૧, ૨૧૫, ૨૩૦-૨૩૧, ૨૩૯-૨૪૦ મોક્ષમાર્ગ અને ગૃહસ્થલિંગ – ભાગ-૩ : ૪૧૧-૪૧૪ મોક્ષમાર્ગ અને જાતિભેદ – ભાગ-૩ : ૪૦૫-૪૦૭ મોક્ષમાર્ગ - ત્રણે કાળમાં એક – ભાગ-૪ : ૩૪૪ મોક્ષમાર્ગ - નિર્ચથનો પંથ – ભાગ-૩ : ૭૧૫ મોક્ષમાર્ગ - પર્યાયશક્તિની આવશ્યકતા – ભાગ-૩ : ૭૧૩-૭૧૪ મોક્ષમાર્ગનો પુરુષાર્થ – ભાગ-૪ : ૬૧ મોક્ષમાર્ગ અને બાહ્ય વેષ – ભાગ-૩ : ૪૦૮-૪૧૧ મોક્ષમાર્ગ - યથાર્થ સમજણ જરૂરી - ભાગ-૪ : ૧૩૪ મોક્ષમાર્ગ - રત્નત્રયની આરાધના – ભાગ-૩ : ૭૦૯-૭૧૨ મોક્ષમાર્ગ વર્તમાનમાં બહુધા ભુલાઈ ગયો છે – ભાગ-૧ : ૧૨૩-૧૨૪, ૧૨૯ મોક્ષમાર્ગની સાધનાનો સમય - ભાગ-૩ : ૫૫૨-૫૫૩ મોહનીય કર્મ – ભાગ-૩ : ૩૦૬, ૩૧૪ - આત્મા ઉપર સામ્રાજ્ય ક્યાં સુધી ? – ભાગ-૩ : ૩૧૮ - ક્ષય થતાં પ્રગટતી દશા - ભાગ-૩ : ૯૭-૯૯ Page #772 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૩૯ - ચારિત્રમોહ – ભાગ-૩ : ૩૩૭. - ચારિત્રમોહનો ક્ષય - ભાગ-૩ : ૩૪૧-૩૪૨ - ચારિત્રમોહ સહિત જ્ઞાનીની આત્મદશા - ભાગ-૩ : ૩૩૮-૩૪૦ - ચૈતન્ય સ્વભાવને નષ્ટ કરવા અસમર્થ – ભાગ-૩ : ૩૧૭ - દર્શનમોહનો નાશ – ભાગ-૩ : ૩૩૨-૩૩૬ - દર્શનમોહનો પ્રભાવ – ભાગ-૩ : ૩૩૧-૩૩૨ - નવીન કર્મબંધનું કારણ – ભાગ-૩ : ૩૧૪-૩૧૬ - ભેદ-પ્રભેદ – ભાગ-૩ : ૩૨૫-૩૨૬, ૩૨૭-૩૩૦ - હણવાની વિધિ - ભાગ-૩ : ૩૨૦, ૩૨૬, ૩૩૨-૩૩૬, ૩૪૧-૩૪૪ મોહભાવ – ભાગ-૪ : ૩૦૬-૩૦૭, ૩૦૮ મોહાસક્તિથી મૂંઝવણ – ભાગ-૨ : ૫૦૧, ૫૦૩ ચત્ના - અંતરયત્ના – ભાગ-૧ : ૧૫૦ યદચ્છાવાદ - ભાગ-૨ : ૪૬૪ યાજ્ઞિક મતવાદીઓ દ્વારા મોક્ષનું ખંડન - ભાગ-૩ : ૧૬-૧૮ યાજ્ઞિકમતવાદીઓની યુક્તિનું નિરસન – ભાગ-૩ : ૪૯-૫૦ યોગ દર્શન - ભાગ-૨ : ૬૯૩-૬૯૪ ભાગ-૪ : ૬૧૫-૬૨૫ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૩-૪૪ - ભાવકર્મ અને દ્રવ્યકર્મ – ભાગ-૨ : ૬૭૩-૬૭૪ - મોક્ષ - ભાગ-૩ : ૧૩ યોગ - ભાગ-૩ : ૨૪૮-૨૪૯ યોગની ક્રિયાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ – ભાગ-૨ : ૬૯૪-૬૯૫, ૬૯૬-૬૯૭ યોગદષ્ટિ - પ્રથમ યોગદષ્ટિ – ભાગ-૧ : ૪૬૫, ૪૬૪ યોગાવંચકપણું – ભાગ-૧ : ૬૬૨ યોનિ - ભાગ-૨ : ૩૨૯-૩૩) રત્નત્રય - ભાગ-૩ : ૭૦૯-૭૧૨ ભાગ-૪ : ૧૫૫-૧૫૬, ૩૪૪ રત્નત્રયની પ્રાપ્તિ અતિ દુર્લભ - ભાગ-૪ : ૧૬૬-૧૬૭ રાગમાં એકત્વબુદ્ધિ – ભાગ-૩ : ૫૨૩-૫૨૪ રાગ – જ્ઞાન અને રાગભાવ – ભાગ-૩ : ૫૨૪-૫૨૫, ૫૭૨ રાગ - જ્ઞાની અને અજ્ઞાની – ભાગ-૩ : ૨૭૭-૨૭૮ Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગ - ધર્મનો અને વિષયનો રાગ – ભાગ-૧ : ૫૪૩ રાગ-દ્વેષ – ભાગ-૩ : ૨૬૧-૨૬૪ રાગ-દ્વેષની ઉત્પત્તિનું કારણ - ભાગ-૩ : ૨૬૪-૨૬૭ રાગ-દ્વેષ - પ્રભાવ અને નિવૃત્તિ – ભાગ-૩ : ૨૬૭-૨૮૦ રાગધારા અને જ્ઞાનધારા - ભાગ-૩ : ૪૯૩-૪૯૪, ૫૦૯ રાગ - પ્રશસ્ત – ભાગ-૧ : ૩૫૪, ૫૪૩, ૫૪૪ રૂચક પ્રદેશ – ભાગ-૨ : ૭૨૧ રુચિ – ભાગ-૨ : ૨૬૯ ભાગ-૪ : ૫૦-૫૧ રુચિનો અભાવ - ભાગ-૪ : ૬૯, ૭૪-૭૫, ૭૬-૭૭ રુચિ - આત્માની રુચિ – ભાગ-૪ : ૫૧-૫૩, ૭૫ રુચિનું મહત્ત્વ - ભાગ-૧ : ૬૮૦-૬૮૧ રુચિપૂર્વકનું શ્રવણ - ભાગ-૩ : ૨૦૪-૨૦૬, ૨૦૮ રૂપાંતરણ - બાહ્ય અને આંતરિક – ભાગ-૩ : પ૬૦-૫૬૧ લક્ષણ - ભાગ-૧ : ૨૪૬ ભાગ-૨ : ૯૫-૯૮ લક્ષણના ત્રણ દોષ – ભાગ-૧ : ૨૪૬ લબ્ધિ – ભાગ-૩ : ૪૬૨-૪૬૮ લબ્ધિ - કરણ – ભાગ-૩ : ૪૬૫-૪૬૭ લબ્ધિ - ક્ષયોપશમ - ભાગ-૩ : ૪૬૩ લબ્ધિ - દેશના – ભાગ-૩ : ૪૬૪ લબ્ધિ - પ્રાયોગ્ય - ભાગ-૩ : ૪૬૪-૪૬૫ લબ્ધિ - વિશુદ્ધિ – ભાગ-૩ : ૪૬૩-૪૬૪ લિંગ - અન્યલિંગથી મોક્ષપ્રાપ્તિ – ભાગ-૩ : ૪૧૪-૪૧૮ લિંગ - ગૃહસ્થલિંગથી મોક્ષપ્રાપ્તિ - ભાગ-૩ : ૪૧૧-૪૧૪ લેખનશૈલી-પ્રકાર – ભાગ-૪ : ૪૦૦-૪૦૨ લોકનું સ્વરૂપ – ભાગ-૨ : ૭૬૨-૭૬૩, ૭૬૪-૭૬૫ - ઊર્ધ્વલોક – ભાગ-૨ : ૭૬૨ - મધ્યલોક – ભાગ-૨ : ૭૬૨-૭૬૩ - અધોલોક – ભાગ-૨ : ૭૬૩ લોભ કષાયનો પ્રભાવ - ભાગ-૧ : ૬૭૬ Page #774 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૪૧ વક્તા - ભાગ-૧ : ૪૧૦ વચન - અન્યનાં વચનોનો સંગ્રહ – ભાગ-૨ : ૨૫૫-૨૫૬ વર્ગ - ભાગ-૨ : ૬૫૯ વર્ગણા – ભાગ-૨ : ૩૦૮, ૬૫૯ વર્ગણાના પ્રકાર – ભાગ-૨ : ૬૫૯-૬૬૦ વર્ણ - ચતુર્વર્ણ વ્યવસ્થા – ભાગ-૩ : ૧૬૨ વસ્તુસ્વરૂપ – ભાગ-૪ : ૨૧૨-૨૧૪ વસ્તુસ્વરૂપનું દર્શન નિશ્ચયદ્રષ્ટિથી અને વ્યવહારદ્રષ્ટિથી – ભાગ-૪ : ૨૧૭ વસ્તુનું અનેક સ્વભાવપણું – ભાગ-૨ : ૪૧૮-૪૧૯ વસ્તુ - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય – ભાગ-૨ : ૩૮૬-૩૯૧, ૩૯૯૪૦૧, ૪૩૯-૪૫૨ વસ્તુ - ઋજુસૂત્રનયથી વસ્તુનું સ્વરૂપ – ભાગ-૨ : ૩૮૯ વસ્તુનો કેવળ નાશ કોઈ કાળે ન થાય - ભાગ-૨ : ૪૩૯-૪પર વસ્તુ - દરેક વસ્તુ સામાન્યવિશેષાત્મક છે – ભાગ-૩ : ૫૮૦-૫૮૨ વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ – ભાગ-૨ : ૩૯૨-૪૦૦, ૪૧૯ વસ્તુમાં રહેલાં પરસ્પર વિરુદ્ધ ધર્મો – ભાગ-૨ : ૩૯૪-૩૯૬ વસ્તુ - વિદ્યમાન વસ્તુની અનુપલબ્ધિ હોવા છતાં પણ જણાય નહીં) – ભાગ-૨ : ૧૮૮-૧૯૧ વાચાજ્ઞાની – ભાગ-૪ : ૨૯૩, ૩૦૭, ૩૧૩, ૩૩૩ વાચાજ્ઞાનીને ઉપદેશ – ભાગ-૪ : ૩૧૦ વાચાજ્ઞાનીનું જ્ઞાન - ભાગ-૪ : ૩૩૧-૩૩૩ વાચાજ્ઞાની અને સમ્યજ્ઞાની – ભાગ-૪ : ૩૦૭-૩૦૮, ૩૨૭-૩૩૪ વિકલ્પ - મહત્તા અને મર્યાદા – ભાગ-૩ : ૪૭૬-૪૭૭ વિકલ્પ - સ્વરૂપ- અભ્યાસમાં વિકલ્પ – ભાગ-૧ : ૭૨૪-૭૨૫ વિકારભાવ - ભાગ-૩ : ૩૪૮-૩૫૧, ૭૦૮-૭૦૯ વિકાર માત્ર અવસ્થામાં છે – ભાગ-૩ : ૭૫ વિકારનું કર્તાપણું – ભાગ-૩ : ૬૭૪-૬૭૬ વિકાર વખતે પણ જ્ઞાન શુદ્ધ - ભાગ-૩ : ૭૪ વિચાર - ભાગ-૧ : ૭૫-૭૬, ૭૧૧-૭૧૫, ૭૨૧-૭૨૩, ૭૩૪-૭૩૫ ભાગ-૩ : ૬૧૭-૬૨૦ વિચારથી અનુભવદશા – ભાગ-૧ : ૭૧૩-૭૧૪, ૭૨૪-૭૨૫ ભાગ-૩ : ૬૪૬-૬૪૭ વિચારનો આધાર – ભાગ-૪ : ૪૭૦-૪૭૧ વિચાર – જ્ઞાનવિચારણાનું મહત્ત્વ – ભાગ-૪ : ૪૧, ૪૬૮-૪૬૯ Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચાર - તત્ત્વવિચાર – ભાગ-૧ : ૨૬૮, ૨૭૮-૨૭૯, ૨૮૮ ભાગ-૨ : ૨૫૪-૨પ૬ ભાગ-૩ : ૬૧૮-૬૨૦ ભાગ-૪ : ૩૩૮-૩૩૯ વિચાર - ધ્યાન – ભાગ-૪ : ૩૪-૪૩ વિચારધારાથી નિર્વિચારધારા – ભાગ-૩ : ૬૧૯-૬૨૦ ભાગ-૪ : ૪૧, ૪૨ વિચારનું ફળ – ભાગ-૪ : ૪૭૦ વિચારપૂર્વક બોધનો સ્વીકાર - ભાગ-૩ : ૨૦૨-૨૦૩ વિચાર - મોક્ષમાર્ગનું આવશ્યક અંગ - ભાગ-૧ : ૧૩૦ વિચારનો વિષય - ભાગ-૪ : ૪૬૯-૪૭૦ વિચાર - વૈરાગ્યથી સ્વવિચારણા – ભાગ-૧ : ૧૧૨-૧૧૩ વિચારશક્તિ – ભાગ-૨ : ૨૫૫-૨૫૬ વિચાર - સપુરુષોનાં વચનોનો વિચાર – ભાગ-૧ : ૩૧૩ વિચારને સાક્ષીભાવે જુઓ - ભાગ-૩ : ૬૯૦-૬૯૨ વિચારહીનતા – ભાગ-૩ : ૬૧૮ વિનય – ભાગ-૧ : ૩૯૩, ૩૯૮ ભાગ-૨ : ૨૬૮-૨૬૯ - ઉપચારવિનય – ભાગ-૧ : ૩૯૪ - ચારિત્રવિનય - ભાગ-૧ : ૩૯૪ - જ્ઞાનવિનય – ભાગ-૧ : ૩૯૩ - દર્શનવિનય – ભાગ-૧ : ૩૯૩ વિનયના પ્રકાર – ભાગ-૧ : ૩૯૩-૩૯૪ વિનયનું માહાભ્ય ભાગ-૪ : ૪૮૦-૪૮૧ વિનયમાર્ગ - ભાગ-૧ : ૩૭૭, ૩૮૫-૩૮૭, ૩૯૧-૪૦૧ વિનયમાર્ગ માટેની પાત્રતા – ભાગ-૧ : ૪૦૦ વિનયમાર્ગનું ફળ – ભાગ-૧ : ૪૦૦-૪૦૧ વિનયમાર્ગનો મૂળ હેતુ – ભાગ-૧ : ૩૯૨, ૩૯૮-૩૯૯, ૪૧૯-૪૨૨ વિનાશ - પ્રકાર – ભાગ-૨ : ૪૪૫-૪૪૬ વિપાકોય – ભાગ-૨ : ૭૪૨ વિભાવ - ભાગ-૨ : ૫૯૯ ભાગ-૩ : ૫૪૧–૫૪૨, ૫૫૩ વિભાવમાં ઐક્ય – ભાગ-૩ : ૫૪૩-૫૪૪ Page #776 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ७४ વિભાવ ટાળવાનો કાળ – ભાગ-૩ : ૫૫૨-૫૫૩ વિભાવથી ભિન્નતા – ભાગ-૩ : ૫૪૩-૫૪૫, ૬૨૬-૬૨૭ વિભાવની યોગ્યતા જીવ-પુગલમાં જ – ભાગ-૨ : ૧૯૯ વિભાવરસ - ભાગ-૩ : ૪૫૪ વિભાવનો સાચો પરિચય - ભાગ-૩ : ૪૫૪ વિવેચન - પ્રસ્તુત વિવેચનની યોજના – ભાગ-૧ : ૮૭-૮૯ વિવેચન – ભારતીય વાડમયમાં વિવેચનની પ્રથા – ભાગ-૧ : ૮૪-૮૬ વિવેચન - “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનની આવશ્યકતા – ભાગ-૧ : ૩૮, ૮૪ વિવેચનકારમાં અપેક્ષિત ગુણો – ભાગ-૧ : ૩૮-૩૯ વિષયતૃષ્ણા – ભાગ-૧ : ૬૮૪-૬૮૫ વિષયસુખ - ભાગ-૪ : ૨૮૨ વિષયસુખ - દુઃખરૂપ જ છે – ભાગ-૩ : ૬૧૪-૬૧૫ વિષયસુખ માત્ર અરતિરૂપ દુઃખનો પ્રતિકાર – ભાગ-૩ : ૧૨૦-૧૨૩ વિષયસુખ અને મોક્ષસુખ – ભાગ-૩ : ૧૧૬-૧૨૫ વિઝસોપચય – ભાગ-૨ : પ૨૯ વીતરાગ દશા - ભાગ-૪ : ૨૦૦-૨૦૫ વીર્યની ફુરણા – ભાગ-૨ : ૬૬૨ વૈરાગ્ય – ભાગ-૧ : ૧૯૨, ૧૯૩, ૫૮૫-૫૮૭ ભાગ-૩ : ૨૪૫ ભાગ-૪ : ૨૮૨-૨૮૫ વૈરાગ્ય - અધ્યાત્મજીવનની ધરી - ભાગ-૪ : ૨૮૪-૨૮૫ વૈરાગ્યાદિથી આત્મજ્ઞાન - ભાગ-૧ : ૧૭૫, ૧૭૭, ૧૮૦-૧૮૧, ૧૮૪, ૧૯૪ વૈરાગ્યાદિ - આત્મજ્ઞાન સહિત તો સફળ – ભાગ-૧ : ૧૭૬, ૧૭૯-૧૮૦ વૈરાગ્ય-ઉપશમ – ભાગ-૧ : ૭૦૭-૭૦૮ વૈરાગ્યાદિની મર્યાદા – ભાગ-૧ : ૧૯૭-૨૦૦ વૈરાગ્યાદિની મહત્તા – ભાગ-૧ : ૧૯૬-૧૯૭ વૈરાગ્ય - મોહનું પડળ પાતળું પડતાં વૈરાગ્ય – ભાગ-૧ : ૧૧૨ વૈરાગ્યાદિ અંગે શુષ્કજ્ઞાનીનો અભિગમ - ભાગ-૧ : ૧૯૪-૧૯૫ વૈરાગ્ય - સાચો વૈરાગ્ય – ભાગ-૪ : ૩૨૦-૩૨૨ વૈરાગ્યાદિ સ્વરૂપલક્ષપૂર્વક – ભાગ-૧ : ૧૮૧, ૧૯૪, ૧૯૭, ૨૦૦ વૈરાગ્યથી સ્વવિચારણા – ભાગ-૧ : ૧૧૨-૧૧૩ વૈશેષિક દર્શન – ભાગ-૪ : ૫૮૭-પ૯૬ Page #777 -------------------------------------------------------------------------- ________________ ७४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૨ - મોક્ષ – ભાગ-૩ : ૧૧-૧૨, ૧૨૯-૧૩૨ વ્યક્તિ - પુરુષાર્થહીનતા માટે વ્યક્તિ અંગેનું બહાનું – ભાગ-૪ : ૭૩-૭૪ વ્યય - ભાગ-૩ : ૨૮૬ વ્યવહારનય - ભાગ-૪ : ૧૨૦-૧૨૨ વ્યવહાર – મોક્ષપ્રાપક વ્યવહાર – ભાગ-૪ : ૧૪૦-૧૪૩, ૧૫O વ્યવહાર - વ્યવહારાભાસ – ભાગ-૪ : ૧૩૫-૧૪૩, ૨૩૧ વ્યવહારમાર્ગ – ભાગ-૧ : ૬૪૬, ૬૫૧ વ્યવહારમાર્ગ પરમાર્થમાં સહાયભૂત – ભાગ-૧ : ૬૪૯ વ્યવહારમાર્ગ - પ્રયોજન – ભાગ-૧ : ૬૪૯-૬૫૦, ૬૫૧ વ્યવહાર માર્ગ સ્વરૂપલક્ષ સહિત – ભાગ-૧ : ૬૫૦ વ્યાપક-વ્યાપ્યભાવ - ભાગ-૨ : ૫૩૧ ભાગ-૩ : ૬૬૩ વ્રત – ભાગ-૧ : પ૨૧-૫૨૪ વ્રત - માનાદિ માટે – ભાગ-૧ : પર૭-૫૩૦ વ્રત - વૃત્તિનિરીક્ષણ - ભાગ-૧ : પર૬-૧૨૭ ષકારક – ભાગ-૩ : ૭૦૭-૭૦૮ ષદર્શન – ભાગ-૨ : ૨૪-૨૬ ભાગ-૪ : ૪૨૯ ષદર્શનનો “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તાત્વિક સમન્વય – ભાગ-૪ : ૪૨૯-૪૩૬ ષદર્શનનો ષટપદમાં સમાવેશ – ભાગ-૪ : ૭, ૧૩ ષદર્શનનો સમાવેશ જૈન દર્શનમાં – ભાગ-૪ : ૪૩૪-૪૩૬ શમ – ભાગ-૧ : ૬૭૫-૬૭૯, ૬૯૬ શાસ્ત્ર – ભાગ-૧ : ૨૯૫-૨૯૬, ૨૯૭-૨૯૮ શાસ્ત્રનું અધ્યયન કઈ રીતે ? – ભાગ-૧ : ૩૦૯-૩૧૧, ૩૧૨–૩૧૭ શાસ્ત્ર - અનુભવજ્ઞાન અને શ્રુતજ્ઞાન - ભાગ-૪ : ૨૯૪-૨૯૬ શાસ્ત્ર - અન્ય પાત્રની વિનંતીથી રચનાના પ્રસંગો – ભાગ-૧ : ૧૩ શાસ્ત્ર - આત્મવિકાસમાં આધારરૂપ – ભાગ-૧ : ૩૦૩-૩૦૪ શાસ્ત્ર ઈશારો છે – ભાગ-૪ : ૨૪૭-૨૪૮ શાસ્ત્ર - ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ – ભાગ-૪ : ૨૪૯ Page #778 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૪૫ શાસ્ત્રમાં કહેલ ઉપાદાનની વ્યાખ્યાનો પરમાર્થ – ભાગ-૪ : ૨૦૯-૨૧૦, ૨૧૫ શાસ્ત્રમાં ચતુર્ગતિવર્ણનનું પ્રયોજન - ભાગ-૧ : ૫૦૫, ૫૦૯ શાસ્ત્ર અને જીવંત જ્ઞાની પુરુષ – ભાગ-૪ : ૨૫૫ શાસ્ત્રજ્ઞાન - ભાગ-૪ : ૨૫૭-૨૫૮ શાસ્ત્ર - જ્ઞાનીઓની અનુભવવાણી - ભાગ-૪ : ૨૪૬, શાસ્ત્રનો દુરુપયોગ - ભાગ-૪ : ૪૭૧ શાસ્ત્રની પસંદગી – ભાગ-૧ : ૨૯૮-૩૦૦ શાસ્ત્રમાં પ્રશ્નોત્તરશૈલીનો પ્રયોગ અને લાભ – ભાગ-૧ : ૩૦-૩૧ શાસ્ત્રનો મર્મ સગર દ્વારા મળે – ભાગ-૧ : ૩૦૪ શાસ્ત્રની મહત્તા અને મર્યાદા – ભાગ-૧ : ૩૦૦-૩૦૪, ૩૧૪ ભાગ-૪ : ૨૪૬-૨૪૮, ૪૭૧ શાસ્ત્રના વિભાગ – ભાગ-૧ : ૫૦૮ શાસ્ત્ર-વ્યુત્પત્તિ – ભાગ-૧ : ૧૨ શાસ્ત્ર દ્વારા સત્યની પ્રાપ્તિ માટે પ્રોત્સાહન - ભાગ-૪ : ૨૪૪-૨૪૬, શાસ્ત્રનો હેતુ - ભાગ-૧ : ૧૬૨, ૩૧૪, ૩૧૭ શાસ્ત્રાભ્યાસ નિષ્ફળ કેમ ? – ભાગ-૧ : ૧૬૨, ૧૬૩, ૧૭૦, ૨૧૨ ભાગ-૩ : ૩૭૦-૩૭૧ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન - ભાગ-૧ : ૫૦૯, ૫૧૧-૫૧૩ ભાગ-૪ : ૧૪૩-૧૪૮ શાસ્ત્રાભ્યાસથી બાહ્યાડંબર – ભાગ-૧ : ૪૦૦-૪૦૮ શાસ્ત્રાભ્યાસ - મતાર્થીનો શાસ્ત્રાભ્યાસ – ભાગ-૧ : ૩૧૫-૩૧૭ શાસ્ત્રાભ્યાસનો લાભ – ભાગ-૧ : ૫૦૮-૫૦૯, ૫૭૧ શાસ્ત્રાભ્યાસ - સદ્ગુરુગમે શાસ્ત્રાભ્યાસ – ભાગ-૧ : ૧૬૩, ૩૪૧-૩૪૨. શાસ્ત્રાભ્યાસ સફળ ક્યારે? – ભાગ-૧ : ૧૬૨-૧૬૩, ૧૭૧, ૬૧૫ ભાગ-૪ : ૨૫૭-૧૫૮, ૨૯૫-૨૯૬ શાસ્ત્રાભ્યાસ સ્વલક્ષી અને પરલક્ષી – ભાગ-૧ : ૫૧૦-૫૧૩, ૫૭૨ ભાગ-૩ : ૧૮૨-૧૮૫ શાસ્ત્રાભ્યાસ અને સ્વાધ્યાય – ભાગ-૪ : ૨૪૭-૨૪૮ શાંત સ્વીકાર – ભાગ-૪ : ૨૧૪-૨૧૫, ૩૦૧-૩૦૨ શાંતિ - ભાગ-૪ : ૨૬૮-૨૭૧ શાંતિ - શાતાયોગમાં શાંતિની ભ્રાંતિ – ભાગ-૪ : ૨૬૯-૨૭૦ શાંતિ - સદ્ગુરુના વચનયોગ - ભાગ-૪ : ૨૬૯, ૨૭૦ શિષ્ય - અનુભવપૂર્વકનો નિશ્ચય – ભાગ-૩ : ૭૭૨-૭૭૩, ૭૭૬, ૭૭૭ શિષ્ય - અર્પણતાથી પ્રાપ્તિ – ભાગ-૧ : ૩૫૯-૩૬૦ Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શિષ્યનું આજ્ઞા-આરાધન - ભાગ-૩ : ૭૫૯-૭૬૦, ૭૬૧ શિષ્ય - આત્મપ્રાપ્તિની ઝૂરણા – ભાગ-૩ : ૬૫૧-૬૫૪ શિષ્ય - આત્મા જ સર્વશ્રેષ્ઠ – ભાગ-૩ : ૭૪૦-૭૪૧ શિષ્ય - આત્માર્થીપણું – ભાગ-૨ : ૫૦૦-૫૦૧ શિષ્યની ગુરૂભક્તિ – ભાગ-૪ : ૪૮૫ શિષ્ય - પ્રયોગ અને પુરુષાર્થ – ભાગ-૧ : ૩૫૮-૩૫૯, ૩૭૯ શિષ્ય - પ્રશ્નશૈલી - ભાગ-૨ : ૫૦૦. શિષ્ય - રૂપાંતરણની જિજ્ઞાસા – ભાગ-૨ : ૫૦૧ શિષ્યની લઘુતા – ભાગ-૩ : ૭૪૬, ૭૫૨, ૭૬૨-૭૬૪ શિષ્ય - શીખવાની તૈયારી - ભાગ-૨ : ૮૪-૮૫, ૫૦૦ શિષ્ય - શ્રીગુરૂએ કરેલા ઉપકારની સ્મૃતિ - ભાગ-૩ : ૭૨૦, ૭૨૯-૭૩૧, ૭૩૫, ૭૪૦, ૭૪૭, ૭૭૬-૭૭૭, ૭૭૯-૭૮૦ શિષ્ય ઉપર સગુરુના ઉપદેશનો પ્રભાવ – ભાગ-૧ : ૩૭૯-૩૮૦ શિષ્યનું સર્વસમર્પણ – ભાગ-૩ : ૭૩૬, ૭૪૩-૭૪૪, ૭૫૧-૭૫૨, ૭૫૯, ૭૬૧, ૭૬૩-૭૬૪ શિષ્યનું સ્વરૂપ – ભાગ-૩ : ૭૨૮, ૭૬૦, ૭૬૧ ભાગ-૪ : ૪૮૧-૪૮૫ શિષ્યની સ્વરૂપભાવના – ભાગ-૧ : ૩૭૯ ભાગ-૩ : ૬૫૯ શુક્લધ્યાન - ભાગ-૩ : ૯૬, ૯૭, ૯૯, ૧૦૦ શુભાશુભ ભાવ અને આત્માનો સંબંધ - ભાગ-૩ : ૭૩-૭૪ શુભાશુભ ભાવ અને તેની નિવૃત્તિ – ભાગ-૩ : ૭૧-૯૦ શુભ ભાવનું ફળ પુચબંધ છે, મોક્ષ નહીં – ભાગ-૩ : ૨૯-૩૦ શુભાશુભ ભાવનું ફળ સ્વર્ગ-નરકાદિ ગતિ – ભાગ-૩ : ૨૭-૩૩, ૩૭-૩૮, ૬૬-૬૭ શુભાશુભ ભાવ બન્ને કર્મબંધનું - સંસારનું કારણ છે – ભાગ-૩ : ૮૫-૮૮ શુભ ભાવની મહત્તા અને મર્યાદા – ભાગ-૩ : ૮૮-૮૯ શુષ્કજ્ઞાની – ભાગ-૧ : ૧૩૬, ૧૩૮, ૧૪૧, ૧૬૧-૧૬૨, ૧૭-૧૭૧, ૩૧૫, ૫૩૫-૫૩૬, ૫૫૩-૫૫૪ ભાગ-૪ : ૪૩૮ શુષ્કજ્ઞાનીનું અનધિકારીપણું – ભાગ-૧ : પ૭૪-૫૭૫ શખજ્ઞાનીની અવળી પ્રરૂપણા અને શિથિલાચાર – ભાગ-૪ : ૨૫૬-૨૫૭ શષ્મજ્ઞાનીની આત્મવંચના – ભાગ-૪ : ૨૫૨ શુષ્કજ્ઞાનીનું એકાંત જ્ઞાનમાર્ગ પ્રવર્તન – ભાગ-૧ : ૨૨૯ શષ્મજ્ઞાનીને ઉપદેશ – ભાગ-૧ : ૧૭૬, ૧૮૬, ૨૦૨-૨૦૩ શુકજ્ઞાની - જિનશાસનનો શત્રુ – ભાગ-૪ : ૨૫૭ Page #780 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ७४७ શુષ્કજ્ઞાનીની ધાર્મિક પ્રવૃત્તિ – ભાગ-૧ : પ૭૦ શષ્મજ્ઞાની દ્વારા નિશ્ચયનયપ્રધાન કથનોનો દુરુપયોગ – ભાગ-૧ : ૧૬૪, ૧૯૫ શષ્મજ્ઞાનીનો નિશ્ચયાભાસ – ભાગ-૧ : ૧૬૩, ૫૩૯-૫૪૬, ૫૬૧-પ૬૪ ભાગ-૪ : ૮૬-૮૭, ૧૪૮-૧૪૯ શષ્મજ્ઞાની - પરમાં સુખબુદ્ધિ – ભાગ-૧ : ૧૬૯ ભાગ-૪ : ૨૪૯-૨૫૦, ૩૦૮-૩૧૦ શષ્મજ્ઞાની - પ્રતિકૂળતામાં શુષ્કજ્ઞાની – ભાગ-૧ : ૧૬૯ શુષ્કજ્ઞાનીની માનાદિ કામના – ભાગ-૪ : ૨૫૨-૨૫૪ શુષ્કજ્ઞાનીની મોહદશા -- ભાગ-૧ : ૧૬૮, ૫૫૮ ભાગ-૪ : ૨૫૧-૨૫૭, ૩૦૯ શષ્મજ્ઞાનીનાં વાણી-વર્તનમાં ભિન્નતા – ભાગ-૪ : ૨૪૯-૨૫૧ શષ્મજ્ઞાનીનો વાણીવિલાસ – ભાગ-૪ : ૧૦૧, ૧૪૪–૧૪૫ શષ્મજ્ઞાની દ્વારા વિષયાદિમાં પ્રવર્તન – ભાગ-૧ : ૧૯૫ શષ્મજ્ઞાની શાસ્ત્રનો ભાર વહે છે – ભાગ-૧ : ૫૪૧ શુષ્કજ્ઞાનીનો શાસ્ત્રાભ્યાસ – ભાગ-૧ : ૩૧૫, ૫૭૧-૫૭૩ ભાગ-૪ : ૧૪૬-૧૪૭ શષ્મજ્ઞાની - શાસ્ત્રાભ્યાસનો અહંકાર - ભાગ-૪ : ૨૫૩, ૨૫૫ શષ્મજ્ઞાની અને સદ્ગુરુ - ભાગ-૧ : ૨૨૧-૨૨૨, ૨૨૯-૨૩૦, ૨૩૧-૨૩૨ શુષ્કજ્ઞાની - સવ્યવહારનો લોપ - ભાગ-૧ : ૫૪૨-૫૪૩, ૧૪૬ ભાગ-૪ : ૮૬ શષ્મજ્ઞાની અને સમ્યજ્ઞાની – ભાગ-૧ : ૧૭૦, ૫૫૭ ભાગ-૪ : ૪૭૨ શષ્મજ્ઞાનીનો સંગ અહિતકારી – ભાગ-૧ : પ૬૧-૫૬૪, ૫૭૫ શુષ્કજ્ઞાની સાચા જ્ઞાનીનો દ્રોહ કરે - ભાગ-૪ : ૨૫૪-૨૫૬ શુષ્કજ્ઞાની અને સાધક – ભાગ-૪ : ૨૫૦-૨૫૧ શૈલી - ગુરુશિષ્યસંવાદશૈલી – ભાગ-૧ : ૩૦-૩૩ શૌચ – ભાગ-૩ : ૩૫૧ શ્રદ્ધા – ભાગ-૩ : ૭૫૫ શ્રદ્ધા - વિશ્વાસ સમજણપૂર્વક – ભાગ-૪ : ૩૩૮-૩૩૯ શ્રવણ રુચિપૂર્વકનું - ભાગ-૩ : ૨૦૪-૨૦૬, ૨૦૮ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અને અખાકૃત “ગુરુ-શિષ્ય-સંવાદ' - ભાગ-૪ : ૪૦૦-૪૦૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અધિકારી વર્ગ - ભાગ-૧ : ૧૮-૨૧ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અધિકારી વર્ગ ઉપર પડેલો પ્રભાવ - ભાગ-૧ : ૨૧-૨૫ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અધ્યયન – ભાગ-૪ : ૩૭૩-૩૭૪, ૪૮૮-૪૮૯ Page #781 -------------------------------------------------------------------------- ________________ ७४८ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - અધ્યાત્મગ્રંથોનો સાર – ભાગ-૧ : ૧૨, ૨૯ ભાગ-૪ : ૪૨૦-૪૨૨, ૪૨૭ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અનેકાંત – ભાગ-૪ : ૪૪૫-૪૫૧ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અભ્યાસ કઈ રીતે? – ભાગ-૪ : ૩૭૩-૩૭૪ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસનું ફળ – ભાગ-૪ : ૩૭૪ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અર્થગાંભીર્ય – ભાગ-૪ : ૩૭૨, ૪૧૨-૪૧૩, ૪૩૬, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અલંકારનો પ્રયોગ – ભાગ-૪ : ૩૮૯-૪૦૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અવગાહન પૂર્વે કરવાનો નિશ્ચય - ભાગ-૧ : ૧૯ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - આ અવનિનું અમૃત – ભાગ-૪ : ૪૩૬-૪૪૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - આત્માનું ઉપનિષદ – ભાગ-૧ : ૩૩, ૫૭ ભાગ-૪ : ૪૨૨-૪૨૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્મસિદ્ધાંત – ભાગ-૪ : ૪૫-૪૫૯ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની કાવ્યશૈલી – ભાગ-૪ : ૪૦૦-૪૦૭ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું કાવ્યસ્વરૂપ – ભાગ-૪ : ૩૮૭-૩૮૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ગુરુ – ભાગ-૨ : ૨૬૯-૨૭૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જ્ઞાનયોગ - ભાગ-૪ : ૪૬૭-૪૭૫ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં થતું તત્કાલીન ધર્મસમાજનું દર્શન – ભાગ-૪ : ૪૩૭, ૪૪૨-૪૪૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચય-વ્યવહારની સંધિ – ભાગ-૪ : ૧૦૭, ૧૨૬-૧૨૭ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રયોજન – ભાગ-૧ : ૧૨-૧૩, ૨૬, ૭૩૩ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસિદ્ધિનો ઇતિહાસ – ભાગ-૧ : ૩૭-૩૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પ્રસ્તુત વિવેચનની યોજના – ભાગ-૧ : ૮૭-૮૯ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પ્રેરક નિમિત્ત – ભાગ-૧ : ૧૩-૧૪, ૧૭-૧૮ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ભક્તિયોગ - ભાગ-૪ : ૪૭૫-૪૮૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષા-શૈલી – ભાગ-૧ : ૨૯-૩૩ ભાગ-૪ : ૩૭૧ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં ભાષાંતરો – ભાગ-૧ : ૬૩-૭૮ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ભાષાંતરની ઉપયોગિતા – ભાગ-૧ : ૬૪, ૭૮ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો મહિમા – ભાગ-૧ : ૪-૭, ૧૧, ૧૨, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૯, ૩૩, ૪૨, ૪૩, ૪૬, ૫૦, ૫૧, ૫૪, ૫૭, ૬૦, ૬૨, ૭૯-૮૦, ૮૩ ભાગ-૪ : ૩૭૧-૩૭૪, ૩૭૭-૩૭૮, ૩૮૩, ૪૦૦, ૪૧૪, ૪૨૮, ૪૫૧, ૪૬૬, ૪૭૩-૪૭૪, ૪૮૭-૪૯૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગલાચરણ – ભાગ-૧ : ૧૧૬-૧૧૭, ૧૧૯ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચનાનો પ્રસંગ - ભાગ-૧ : ૧૬-૧૭ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અને “રસિકવલ્લભ' – ભાગ-૪ : ૪૦૪-૪૦૭ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની લોકભોગ્યતા – ભાગ-૪ : ૪૦૭-૪૧૪ Page #782 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ७४८ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર થયેલાં વિવેચનો – ભાગ-૧ : ૩૯-૬૩ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનની આવશ્યકતા – ભાગ-૧ : ૩૮, ૮૪ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો વિષય – ભાગ-૧ : ૨૬-૨૯ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો શિષ્ય – ભાગ-૧ : ૩૨ ભાગ-૨ : ૩૭-૩૮, ૮૪, ૮૫, ૨પ૬-૨૫૭, ૨૬૮-૨૭૦ ૪૫૭, ૪૯૮, ૫૦૦-૫૦૧, ૫૦૩–૫૦૪, ૬૨૨-૬૨૩, ૬૨૪-૬૨૫ ભાગ-૩ : ૧૪૩, ૧૫૭, ૧૮૫-૧૮૬, ૧૯૩-૧૯૫, ૨૦૩ ૨૦૪, ૩૯૩ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું શીર્ષક – ભાગ-૧ : ૧૧-૧૩ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમની ઉત્કૃષ્ટ આત્મદશાનું પ્રતિબિંબ – ભાગ-૧ : ૫, ૫૭ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - ષદર્શનનો સાર – ભાગ-૪ : ૪૨૯-૪૩૬ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સનાતન મોક્ષમાર્ગ – ભાગ-૪ : ૩૪૪, ૪૫૯-૪૬૭ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સર્જનનો પૂર્વ-ઇતિહાસ - ભાગ-૧ : ૧૪-૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સુવિચારણાનો મહિમા – ભાગ-૪ : ૪૬૮-૪૭૦ શ્રીમદ્ – ભાગ-૧ : ૩ શ્રીમની અનાગ્રહી કથનપદ્ધતિ – ભાગ-૪ : ૪૩૧-૪૩૨ શ્રીમતું અનેકાંતદ્રષ્ટિયુક્ત નિરૂપણ – ભાગ-૪ : ૪૪૭-૪પ૧ શ્રીમદ્ભી અસાધારણ શૈલી – ભાગ-૨ : ૫૦૯, ૨૪૬ ભાગ-૩ ૨૮૪, ૫૭૫ ભાગ-૪ : ૧૮૮, ૩૩૪, ૪૦૦-૪૦૧, ૪૦૭-૪૦૮, ૪૧૩-૪૧૫ શ્રીમદ્ગી આત્મદશા – ભાગ-૧ : ૫, ૪૯, ૫૦, પ૩, , ૭૯ શ્રીમન્ની આત્મસાધના – ભાગ-૧ : ૪-૫ શ્રીમદ્ગી આધ્યાત્મિકતા – ભાગ-૪ : ૪૨૪-૪૨૯, ૪૬૫ શ્રીમદ્ગો ઉપકાર – ભાગ-૧ : ૨૫, ૪૩, ૪૮, ૮૦, ૧૨૯-૧૩૧, ૩૨૮-૩૨૯ ભાગ-૪ : ૩૭૩, ૪૩૯, ૪૫૮-૪૫૯, ૪૬૪-૪૬૭, ૪૭૪-૪૭૫, ૪૭૯, ૪૮૭-૪૮૮ શ્રીમદ્ભી કરુણા – ભાગ-૧ : ૬, ૨૧, ૧૩૩-૧૩૮, ૧૪૨-૧૪૩ શ્રીમદ્ દ્વારા જિનમાર્ગપ્રભાવના -- ભાગ-૧ : ૨૬, ૬૨, ૭૯ ભાગ-૪ : ૩૭૩, ૪૪૪, ૪૬૫ શ્રીમદ્ - જૈન દર્શનની ઉત્કૃષ્ટતાનો નિશ્ચય – ભાગ-૪ : ૪૩૨-૪૩૪, ૪૬૪ શ્રીમી દેહાતીત દશા – ભાગ-૪ : ૩૬૬ શ્રીમદ્ - ધર્મના યથાર્થ સ્વરૂપનું પ્રકાશન – ભાગ-૪ : ૪૩૬-૪૪૪ શ્રીમદનું ધર્મલક્ષી વલણ – ભાગ-૪ : ૩૮૧-૩૮૨ શ્રીમન્ની નિરાગ્રહતા – ભાગ-૪ : ૧૧-૧૨ શ્રીમદ્ પરીક્ષાપ્રધાનપુરષ - ભાગ-૪ : ૧૧ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમી પ્રજ્ઞા – ભાગ-૩ ૫૩૪-૫૩૫ ભાગ-૪ : ૨૦૫ શ્રીમની પ્રતિભાશીલ સર્જનશક્તિ – ભાગ-૪ : ૩૭૭, ૩૭૮, ૩૮૧, ૩૯૦-૩૯૧ શ્રીમદ્ - પ્રયોગવીર શ્રીમદ્ – ભાગ-૪ : ૪૨૧-૪૨૨ શ્રીમનું ભાષાપ્રભુત્વ - ભાગ-૪ : ૪૧૩-૧૪ શ્રીમદ્ગી મતભેદાતીત સદ્રષ્ટિ – ભાગ-૪ : ૪૩૪, ૪૪૨, ૪૬૩-૪૬૪ શ્રીમન્ની મધ્યસ્થતા – ભાગ-૩ : ૩૮૪-૩૮૫ શ્રીમદ્ અને મૂળમાર્ગ – ભાગ-૪ : ૧૫૫ શ્રીમન્ની લાઘવશક્તિ – ભાગ-૪ : ૪૧૧-૪૧૨ શ્રીમદ્ અને લોકોમ્બોધનનું કાર્ય – ભાગ-૪ : ૪૦૩-૪૦૪, ૪૦૭, ૪૧૦-૪૧૧ શ્રીમન્નાં વચનામૃત – ભાગ-૧ : ૪ ભાગ-૪ : ૩૭૧-૩૭૨, ૪૧૪-૪૧૫, ૪૫૧, ૪૮૯ શ્રીમની શીધ્રસર્જનની નૈસગિક કાવ્યપ્રતિભા - ભાગ-૪ : ૩૮૧-૩૮૨ શ્રીમની ષદર્શન મીમાંસા - ભાગ-૪ : ૪૩૨-૪૩૪ શ્રીમદે ગાયેલો સદ્ગુરૂભક્તિનો મહિમા - ભાગ-૪ : ૪૭૫-૪૭૮, ૪૮૬ શ્રીમદ - સમકાલીન ધર્મ પરિસ્થિતિથી થતી વેદના - ભાગ-૪ : ૪૩૭, ૪૪૩, ૪૬૦ શ્રીમદ્ભ સાહિત્ય – ભાગ-૧ : ૩-૪ શ્રીમદ્ભા સાહિત્યમાં ઝળકતો અધ્યાત્મ – ભાગ-૪ : ૪૧૯-૪૨૨ શ્રીમના સાહિત્યસર્જનમાં સાહજિકતા – ભાગ-૪ : ૩૯૦, ૩૯૧ શ્રુત - શ્રુતમર્મજ્ઞ – ભાગ-૧ : ૨૬૦-૨૬૧ શ્રુતજ્ઞાન - ભાગ-૧ : ૫૦૬-૫૦૭ ઋતાભ્યાસ – પરલક્ષી કે સ્વલક્ષી – ભાગ-૩ : ૨૩૦-૨૩૧ શ્રોતા ત્રણ પ્રકારના – ભાગ-૨ : ૬૨૬ સત્ - ભાગ-૩ : ૨૮૫ સની ઉપલબ્ધિ કઠિન નથી – ભાગ-૩ : ૭૮-૮૦ સત્તા – ભાગ-૨ : ૬૯૭-૬૯૮, ૭૪૨ સત્પાત્રદશા – ભાગ-૧ : ૬૯૩. સપુરુષના અવલંબને ભેદજ્ઞાન – ભાગ-૩ : ૨૨૧ સપુરુષનાં વચનો – ભાગ-૧ : ૩૧૨, ૩૧૩ સપુરુષનું શરણ – ભાગ-૧ : ૧૧૩ સદેવનાં લક્ષણો – ભાગ-૧ : ૪૭૩ સત્ય - ભાગ-૪ : ૨૭૬-૨૭૯ Page #784 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૫૧ સત્યની અભીપ્સા – ભાગ-૩ : ૧૮૪-૧૮૫, ૩૯૨ સત્ય એક, પણ જોવાના દષ્ટિકોણ બે – ભાગ-૨ : પ૨૨-૫૨૩ સત્યનું જ્ઞાન - ભાગ-૪ : ૩૦૪ સત્ય - પરમાર્થ સત્ય – ભાગ-૪ : ૨૭૬-૨૭૭ સત્યની પ્રાપ્તિ આહુતિથી – ભાગ-૨ : ૬૨૫-૬૨૬ સત્યની પ્રાપ્તિ કેન્દ્ર તરફ વળવાથી - ભાગ-૪ : ૨૬૪ સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી - ભાગ-૪ : ૨૭૮ સત્ય – વ્યવહાર સત્ય – ભાગ-૪ : ૨૭૭ સત્ય વ્રત - ભાગ-૪ : ૨૭૮ સત્યને શબ્દોમાં પૂર્ણપણે કહી શકાતું નથી – ભાગ-૪ : ૨૪૪-૨૪૫ સત્ય - શબ્દો દ્વારા સત્ય તરફ ઈશારો – ભાગ-૪ : ૨૪૪ સત્ય - શાસ્ત્ર દ્વારા સત્યની અનુભૂતિની પ્રેરણા - ભાગ-૪ : ૨૪૪-૨૪૬ સત્યની શોધ માટે પોતાની કુરૂપતા ઓળખો – ભાગ-૪ : ૨૫૧-૨૫૨ સત્યના સિધ્ધાંતથી નહીં, સત્યની સાધનાથી ધર્મ – ભાગ-૪ : ૨૪૮ સત્સંગ – ભાગ-૪ : ૨૨૨ સત્સાધનનું અવલંબન – ભાગ-૧ : પ૬૦-૫૬૧ સદગુરુ – ભાગ-૧ : ૬૧૪ સદગુરુની અંતરંગ દશા – ભાગ-૧ : ૨૫૪, ૨૫૭ ભાગ-૩ : ૭૨૧-૭૨૨, ૭૨૩-૭૨૫ સદ્ગુરુ સાથે અંતરંગ સંબંધ - ભાગ-૩ : ૭૫૩ સદગુરુની આજ્ઞા – ભાગ-૧ : ૨૨૫, ૨૨૯, ૨૩૧, ૩૩૩-૩૩૪, ૩૩૫, ૩૩૮-૩૩૯, ૩૪૩ - ૩૪૪, ૩૪૯, ૬૨૯-૬૩૦, ૬૩૮-૬૩૯, ૬૬૨ ભાગ-૩ : ૪૬૮-૪૬૯, ૪૭૩-૪૭૪, ૭૬૦-૭૬૧ ભાગ-૪ : ૨૨, ૩૧-૩૩, ૧૯૫-૨૦૦ સગુરુની આવશ્યકતા – ભાગ-૧ : ૨૪૫, ૨૬, ૩૩૯-૩૪૦ ભાગ-૩ : ૩૯૨, ૪૪૪ ભાગ-૪ : ૨૨૩-૨૩૦, ૪૭૬-૪૭૮ સગુરુનો આશ્રય – ભાગ-૧ : ૧૧૩, ૨૪૫, ૨૭૪, ૩૪૦-૩૪૪, ૩૬૪, ૩૬૭-૩૬૯, ૩૭૩, ૭૨૦-૭૨૧ ભાગ-૪ : ૨૨૩-૨૨૫ સદગુરુનો ઉપકાર – ભાગ-૧ : ૧૧૭-૧૧૮, ૨૩૬, ૨૭૩, ૨૭૭-૨૭૮, ૨૮૩-૨૮૪, ૩૮૦ ૩૮૧, ૬૨૯ ભાગ-૩ : ૨૦૪, ૬૫૦, ૭૨૦, ૭૨૪-૭૨૭, ૭૨૯-૭૩૧, ૭૬૭-૭૬૮, ૭૭૭, ૭૭૮-૭૮૦ Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુની ઓળખાણ – ભાગ-૧ : ૨૩૦, ૨૫૦, ૨૫૪, ૨૫૭, ૨૬૩, ૨૭૧, ૪૫૪-૪૫૫, ૪૬૫-૪૬૭ ભાગ-૩ : ૪૬૯-૪૭૦, ૭૩૭ ભાગ-૪ : ૪૭૯ સગુરુની કરુણા - ભાગ-૩ : ૭૨૦, ૭૨૪-૭૨૫, ૭૪૬, સદ્ગુરુનું કાર્ય - ભાગ-૨ : ૨૬૯-૨૭૦ સદ્ગુરુના ગુણોનો પ્રભાવ - ભાગ-૧ : ૬૩૫ સગુરુ - ગુરુગમ – ભાગ-૧ : ૩૬૭-૩૬૮ સગુરુની ચરણોપાસનાથી નિજપદની પ્રાપ્તિ – ભાગ-૧ : ૨૨૬, ૨૨૮-૨૨૯, ૨૩૫-૨૩૬, ૩૮૧ ભાગ-૪ : ૪૮૦ સગુરુની દશાનું અવલંબન – ભાગ-૩ : ૭૨૨-૭૨૩ ભાગ-૪ : ૨૦૨-૨૦૫ સદ્ગુરુ દ્વારા દોષનિવારણ – ભાગ-૧ : ૩૬૯-૩૭૦ સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ – ભાગ-૧ : ૨૭૧-૧૭૨, ૩૫૩ ભાગ-૩ : ૪૭૦, ૭૨૦, ૭૩૯, ૭૬૨ સગર - પરાધીનતાને પ્રોત્સાહન નહીં – ભાગ-૪ : ૨૨૩ સદગુરની પ્રત્યક્ષતા – ભાગ-૧ : ૨૬૭-૨૬૮, ૨૬૯-૨૭૧, ૨૭૩-૨૭૪, ૨૭૮-૨૭૯, ૨૯૬ ૨૯૭, ૩૦૪, ૩૧૦ સગુરુ દ્વારા પ્રશ્નોનું સમાધાન – ભાગ-૨ : ૬૨૭ સગુરુની પ્રાપ્તિ – ભાગ-૧ : ૬૩૧-૬૩૨ સગુરુનો બોધ – ભાગ-૧ : ૨૮૯, ૨૯૧, ૩૭૮-૩૮૧ ભાગ-૩ : ૩૩૨-૩૩૪, ૪૪૬-૪૪૭, ૬૪૪, ૬૫૧, ૬૫૮, ૭૪૪, ૭૬૯ સદગુરુના બોધનું પરિણમન ક્યારે ? – ભાગ-૧ : ૭૦૫, ૭૦૯, ૭૧૦-૭૧૧ સશુરુનો બોધ મેળવી પ્રયોગ કરો – ભાગ-૪ : ૨૨૭-૨૨૯ સદગરના બોધનો વિચારપૂર્વક સ્વીકાર – ભાગ-૩ : ૨૦૨-૨૦૩ સશુરુની ભક્તિ – ભાગ-૧ : ૨૨૭-૨૨૮, ૨૭૬-૨૭૭, ૩૩૯, ૩૫૩-૩૫૪ ભાગ-૩ : ૭૫૨-૭૫૮ ભાગ-૪ : ૩૩-૩૪, ૨૨૯-૨૩૦, ૪૭૯-૪૮૦ સદ્ગુરુની ભક્તિનું ફળ – ભાગ-૩ : ૭૫૬-૭૫૮ સગુરુ - માર્ગદર્શકની આંતરપરીક્ષા – ભાગ-૪ : ૪૩૯ સદગુરુનું માર્ગદર્શન – ભાગ-૧ : ૩૬૯, ૩૭૧-૩૭૩ ભાગ-૩ : ૭૨૫, ૭૩૮ સદ્દગુરનું માહાભ્ય – ભાગ-૧ : ૧૧૮, ૨૨૫, ૨૬૯, ૨૭૬-૨૭૭, ૩૫૧, ૩૭૨, ૪૦૬, ૪૫૪, - ૬૫૮-૬૫૯ ભાગ-૩ : ૭૩૦, ૭૩૯, ૭૪૪-૭૪૭ ભાગ-૪ : ૧૯૫, ૨૨૨-૨૩૦, ૪૭૮ Page #786 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૫૩ સગુરુની મુદ્રા - ભાગ-૧ : ૨૭૫-૨૭૬ સદ્દગુરુનો યોગ - ભાગ-૧ : ૨૨૩, ૨૯૭, ૩૩૫ ભાગ-૪ : ૧૬૪ સદગુરુનો યોગ નિષ્ફળ કેમ? – ભાગ-૧ : ૨૨૯-૨૩૦, ૨૩૬, ૨૫૦, ૨૬૩, ૩૩૬, ૩૬૬, ૪૯પ-૪૯૬, ૫OO સગુરુનાં લક્ષણો - ભાગ-૧ : ૨૪૧-૨૪૨, ૨૪૩-૨૪૪, ૨૪૭-૨૬૩ સગુરુનાં વચનો – ભાગ-૧ : ૨૫૭-૨૬૦, ૨૬૧-૨૬૨, ૨૭૪-૨૭૫, ૬૩૩-૬૩૪ ભાગ-૩ : ૬૨૬ ભાગ-૪ : ૨૯ સગુરુના વાણીયોગથી જિજ્ઞાસુને લાભ – ભાગ-૧ : ૨૬૦ સદ્ગુરુનો વિનય – ભાગ-૧ : ૧૧૮, ૩૮૧-૩૮૭, ૩૯૧, ૩૯૪-૪૦૧, ૪૨૧ ભાગ-૩ : ૭૬૨-૭૬૩ સશુરુ વૈધ સુજાણ – ભાગ-૧ : ૩૧૧, ૩૪૪-૩૪૫, ૬૩૬ ભાગ-૪ : ૨૭-૩૧ સરનું વ્યક્તિત્વ અને વક્તવ્ય – ભાગ-૪ : ૨૯-૩૦ સગર અને શાસ્ત્ર – ભાગ-૧ : ૬૨૯, ૬૩૩-૬૩૪, ૭૨૧ સદ્ગુરુ દ્વારા શિષ્યનું ઘડતર – ભાગ-૧ : ૧૧૩-૧૧૪ ભાગ-૩ : ૬૫૩-૬૫૪, ૭૨૫-૭૨૭, ૭૩૮-૭૩૯, ૭૪૧-૭૪૩, ૭૬૭-૭૬૮, ૭૭૬ સદ્ગુરુ શુદ્ધાત્મા સુધી પહોંચવાનું દ્વાર – ભાગ-૪ : ૨૨૨-૨૨૩, ૨૨૭ સદ્ગુરુની શોધ – ભાગ-૧ : ૬૫૯, ૬૬૦ સદ્ગુરુની શ્રદ્ધા – ભાગ-૧ : ૩૫૫ સદગુરુનો સમાગમ – ભાગ-૧ : ૨૭૬, ૩૧૦, ૩૫૦-૩૫૧ ભાગ-૩ : ૪૪૫, ૭૬૮-૭૬૯ સદ્ગુરુનું સ્વરૂપ – ભાગ-૧ : ૧૧૩ સગર દ્વારા સ્વરૂપની સમજણ – ભાગ-૧ : ૨૩૫, ૨૩૭, ૩૫૮ ભાગ-૩ : ૬૫૮-૬૫૯, ૭૪૧-૭૪૨, ૭૬૯-૭૭૦ સદગુરુ દ્વારા સ્વરૂપપ્રાપ્તિની પ્રેરણા - ભાગ-૧ : ૨૩૪-૨૩૫, ૩૫૮, ૩૭૮-૩૭૯, ૭૦૧, ૭૦૯-૭૧૦. સદ્ભાગ્ય શેનાથી? – ભાગ-૩ : ૧૯૫-૧૯૭ સવ્યવહાર – ભાગ-૧ : ૫૪૨-૫૪૯, ૬૫-૬૫૩ સવ્યવહાર – અવલંબનની આવશ્યકતા – ભાગ-૪ : ૮૪-૮૫ સવ્યવહાર - સ્વરૂપલક્ષ સહિત – ભાગ-૪ : ૧૦૩ સમતા - ભાગ-૪ : ૨૭૧-૨૭૩ સમતા - શાંત સ્વીકારથી સમતા – ભાગ-૪ : ૨૭૧-૨૭૨ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમતા - સ્વભાવના સ્મરણથી સમતા - ભાગ-૪ : ૨૭૦-૨૭૩ સમદશિતા – ભાગ-૧ : ૨૫૦-૨૫૪ સમર્પણ – ભાગ-૩ : ૭૬૦ સમવસરણ – ભાગ-૧ : ૪૮૦-૪૮૩ સમવાયકારણ – ભાગ-૪ : પ૬-૬૧ સમાધિ – ભાગ-૩ : ૨૪૫ સમુદ્ઘાત - કેવળી સમુદ્ઘાત - ભાગ-૨ : ૧૧૮ ભાગ-૩ : ૯૯ સમ્યજ્ઞાન – ભાગ-૧ : ૬૧૫-૬૧૮ સમ્યગ્દર્શન – ભાગ-૧ : ૨૮૮-૨૮૯, ૩૪૯-૩૫૦, ૩૫૫ ભાગ-૨ : ૬ ભાગ-૩ : ૩૩૪-૩૩૫, ૩૯૦-૩૯૧, ૪૪૨, ૫૪૪, ૪૭૧ સમ્યગ્દર્શન – અધિગમજ – ભાગ-૩ : ૩૯૦-૩૯૧ સમ્યગ્દર્શન - આપ્ત પ્રત્યેની શ્રદ્ધા – ભાગ-૩ : ૪૪૩-૪૪૪ સમ્યગ્દર્શનનું કારણ – ભાગ-૩ : ૩૩પ-૩૩૬ સમ્યગ્દર્શન – ગ્રંથિભેદ – ભાગ-૩ : ૪૬૮ સમ્યગ્દર્શન – તન્વાર્થનું શ્રદ્ધાન – ભાગ-૩ : ૪૪૨-૪૪૩ સમ્યગ્દર્શન - નિશ્ચય – ભાગ-૩ : ૪૭૭-૪૭૯ સમ્યગ્દર્શન – નિસર્ગજ - ભાગ-૩ : ૩૯૦-૩૯૧ સમ્યગ્દર્શન – પરમાર્થ – ભાગ-૩ : ૪૮૫-૪૮૭ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ નિમિત્ત – ભાગ-૧ : ૩૫૦-૩૫૧ સમ્યગ્દર્શનનો મહિમા – ભાગ-૩ : ૨૫૧, ૩૮૩-૩૮૪, ૪૭૯-૪૮૧, ૭૭૭-૭૭૯ ભાગ-૪ : ૩૦૫ સમ્યગ્દર્શનથી મોક્ષપ્રાપ્તિ પર્યંતનો ક્રમ – ભાગ-૪ : ૩૦૬, સમ્યગ્દર્શન - લબ્ધિના સંદર્ભમાં – ભાગ-૩ : ૪૬૨-૪૬૮ સમ્યગ્દર્શનની વિધિ – ભાગ-૩ : ૬૨૬ સમ્યગ્દર્શન – વ્યવહાર – ભાગ-૩ : ૪૪૪, ૪૪૯, ૪૬૧ સમ્યગ્દર્શન – વ્યવહાર સમ્યકત્વના ભેદ – ભાગ-૨ : ૬ સમ્યગ્દર્શન - વ્યવહાર સમ્યગ્દર્શનથી નિશ્ચય સમ્યગ્દર્શન -- ભાગ-૧ : ૩૫૬-૩૫૭ સમ્યગ્દર્શન - સરાગ - ભાગ-૩ : ૨૦૮ સમ્યગ્દષ્ટિના અનુભવ – લક્ષ - પ્રતીતિ – ભાગ-૩ : ૪૮૭-૪૯૦ સમ્યગ્દષ્ટિ જીવની દશા – ભાગ-૩ : ૨૫૫-૨૫૭, ૩૩૮-૩૩૯, ૫૪૫ Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ વિષયસૂચિ સમ્યગ્દષ્ટિ જીવની સાંસારિક ક્રિયા - ભાગ-૩ : ૩૩૯-૩૪૦ સમ્યગ્દષ્ટિ તિર્યંચનું યથાર્થ તત્ત્વશ્રદ્ધાન – ભાગ-૩ : ૩૯૬-૩૯૭ સયોગી કેવળી ગુણસ્થાન – ભાગ-૩ : ૯૭-૯૯ સરળતા – ભાગ-૧ : ૫૮૭-પ૯૦ સહજસમાધિ – ભાગ-૩ : ૬૩૧-૬૩૫ સંકલ્પ - વિકલ્પ – ભાગ-૪ : ૨૬૯ સંક્રમણ – ભાગ-૨ : ૭૪૦, ૭૪૧, ૭૪૨-૭૪૩ સંયોગ - દેહાભિ સંયોગનો આત્યંતિક વિયોગ – ભાગ-૩ : ૯૩, ૯૪, ૯૯-૧૦૦, ૧૧૬, ૧૩૭ સંયોગ - સર્વ સંયોગો આત્માના શેય – ભાગ-૨ : ૩૨૫-૩૩૨ સંયોગથી સુખ-દુ:ખની મિથ્યા માન્યતા – ભાગ-૧ : ૧૦૫, ૧૧૨ સંયોગ સંબંધ – ભાગ-૨ : ૩૦૯-૩૧૦ સંયોગ સંબંધની ચતુર્ભગી – ભાગ-૩ : ૫૫-૫૬ સંબંધ – ભાગ-૨ : ૩૦૯ સંબંધના પ્રકાર – ભાગ-૩ : ૫૩ સંવર - ભાગ-૩ : ૪૫-૪૬, ૪૮, ૨૪૬ સંવાદ – ભાગ-૪ : ૪૦૨ સંવેગ – ભાગ-૧ : ૬૭૯-૬૮૨, ૬૯૭ ભાગ-૩ : ૪૨૯ સંસાર પ્રત્યેનો દ્વેષ આત્મોપકારી નથી – ભાગ-૪ ૩૨૧-૩૨૨ સંસાર અને મોક્ષ – ભાગ-૩ : પપ૯-૫૬૦ સંસાર એક મોટું સપનું – ભાગ-૪ ૩૨૨-૩૨૩ સંસારનું કોઈ સુખ શાશ્વત નથી – ભાગ-૪ : ૩૨૪-૩૨૫ સંસારનું સ્વરૂપ – ભાગ-૩ : ૪૨૯ સંસ્કાર - ભાગ-૨ : ૩૬૪-૩૬૫ સંસ્કાર - જ્ઞાનસંસ્કારનું નિર્માણ – ભાગ-૩ : ૪૪ સંસ્કાર - પૂર્વજન્મના સંસ્કાર - ભાગ-૨ : ૩૬૧-૩૬૪, ૩૬૫-૩૭૧, ૩૮૧ સંસ્કાર - પૂર્વસંસ્કારથી મુક્તિ – ભાગ-૩ : ૪૩-૪૫, ૩૬૦-૩૬૨ સાગરોપમ – ભાગ-૧ : ૧૨૫, ૪૧૦-૪૧૧ Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સાધન – અવલંબનની આવશ્યકતા – ભાગ-૪ : ૮૪-૮૫ સાધન નિષ્ફળ કેમ? – ભાગ-૧ : ૨૨૬-૨૨૭ સાધન સ્વચ્છેદ સહિત – ભાગ-૧ : ૩૪૧-૩૪૩ સાધન - સ્વરૂપલક્ષ સહિત – ભાગ-૪ : ૧૦૧-૧૦૩ સાધનદશા – ભાગ-૧ : પપ૯-૫૬૦ ભાગ-૪ : ૩૭૦, ૪૭૧ સાધના – ભાગ-૩ : ૩૭૩-૩૭૫ ભાગ-૪ : ૧૯૩-૧૯૪ સાધનાનો સમય – ભાગ-૩ : ૫૫૩ સાધના – કઈ પદ્ધતિ અપનાવવી? – ભાગ-૩ : ૩૭૯ - ૩૮૧ સાધુ – પાસ્થાદિ ભ્રષ્ટ સાધુ – ભાગ-૧ : ૪૨ ૨-૪૨૩ સામાયિક - સાચું સામાયિક – ભાગ-૩ : ૮૬ સાહિત્ય – ભાગ-૪ : ૩૮૪ સાંખ્ય દર્શન – ભાગ-૪ : ૫૯૭-૬૧૪ - આત્મસ્વરૂપ – ભાગ-૨ : ૪૨-૪૩ આત્મા સાંખ્ય દર્શન અને જૈન દર્શનની દષ્ટિએ – ભાગ-૨ : પ૬૪-૫૬૫ - ભાવકર્મ અને દ્રવ્યકર્મ – ભાગ-૨ : ૬૭૩ - મોક્ષ – ભાગ-૩ : ૧૨-૧૩, ૧૩૩-૧૩૪ સાંખ્ય-યોગ દર્શન - આત્માનું કર્તુત્વ - ભાગ-૨ : ૪પ૯-૪૬૦, ૫૫૫ - આત્માનું નિત્યત્વ – ભાગ-૨ : ૨૭૬ - ઈશ્વર - ભાગ-૨ : ૪૮૭ કર્મફળભોøત્વ - ભાગ-૨ : ૬૨૨ - પુરુષ અને પ્રકૃતિ – ભાગ-૨ : ૪૭૦-૪૭૪, ૪૭૬-૪૮૧, ૫૫૪ - યોગ પરંપરામાં ઈશ્વરનો સ્વીકાર – ભાગ-૨ : ૪૯૧-૪૯૨ - સૃષ્ટિનાં પચ્ચીસ તત્ત્વ – ભાગ-૨ : ૪૭૪-૪૭૬ સાંપ્રદાયિક્તા – ભાગ-૩ : ૩૭૫-૩૭૯ સિદ્ધ ભગવાન – ભાગ-૧ : ૨૭૨-૨૭૩ | ભાગ-૪ : ૧૮૧-૧૮૨, ૩૫૬ સિદ્ધ - પંદર ભેદે સિદ્ધ – ભાગ-૩ : ૪૦૩-૪૦૪ સિદ્ધ ભગવાન - સ્વભાવથી આત્મા સિદ્ધ સમાન – ભાગ-૪ : ૧૮૨-૧૮૭, ૨૨૧-૨૨૨ સિદ્ધ ભગવાન અને સંસારી જીવો – ભાગ-૪ : ૧૮૨-૧૮૩, ૧૮૭ Page #790 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૭૫૭ સિદ્ધાત્માનું અનંત સુખ – ભાગ-૧ : ૨૯૧ ભાગ-૩ : ૧૧૬-૧૨૯ સિદ્ધાત્માની અવગાહના – ભાગ-૩ : ૧૦૪-૧૦૭ સિદ્ધાત્માના આઠ મહાગુણ – ભાગ-૩ : ૧૦૮-૧૦૯ સિદ્ધાત્માનું ઊર્ધ્વગમન – ભાગ-૩ : ૧૦૦-૧૦૪, ૧૦૫ સિદ્ધાત્મા અને કર્મપુદ્ગલનો સંબંધ – ભાગ-૩ : ૧૧૨-૧૧૩ સિદ્ધાત્માનાં જ્ઞાન અને સુખ - ભાગ-૩ : ૧૨૭-૧૨૯, ૧૩૧-૧૩૨, ૧૩૪ સિદ્ધાત્માને દુઃખ અને દુઃખનાં કારણોનો નાશ – ભાગ-૩ : ૧૨૬ સિદ્ધાત્મા - શા માટે લોકાંતે અટકવું થાય છે? – ભાગ-૩ : ૧૦૦-૧૦૧ સિદ્ધાત્મા સંસારમાં ફરીથી જન્મ લેતા નથી – ભાગ-૩ : ૧૧૦-૧૧૬ સિદ્ધાત્માનું સુખ અને સંસારીનું સુખ - ભાગ-૩ : ૧૧૬-૧૨૫ સિદ્ધદશા – ભાગ-૩ : ૯૩-૯૫, ૧૦૦-૧૧૦, ૧૩૭ ભાગ-૪ : ૩૭૦ સિદ્ધશિલા - ભાગ-૩ : ૧૦૫-૧૦૮ સિદ્ધાંત બોધ – ભાગ-૪ : ૨૪૯ સિદ્ધાંતબોધ અકાર્યકારી કોને ? – ભાગ-૧ : ૧૬૮ સિદ્ધાંતનો દુરુપયોગ - ભાગ-૩ : ૭૧૩ સુખનું સંવેદન - ભાગ-૨ : ૧૩૦-૧૩૧ સુખ-દુ:ખનું કારણ દષ્ટ પદાર્થ કે અદષ્ટ કર્મ? – ભાગ-૨ : ૭૧૦-૭૧૨, ૭૧૫ સુખ-દુ:ખનું કારણ શુભાશુભ કર્મ – ભાગ-૨ : ૭૧૩, ૭૧૪-૭૧૫, ૭૨૩, ૭૩૦ સુપાત્ર – ભાગ-૧ : ૨૯૬ સુપાત્ર દ્વારા શાસ્ત્રોની પસંદગી – ભાગ-૧ : ૨૯૯-૩૦૦ સુપાત્ર સ્વકાર્યમાં ઉદ્યમવંત – ભાગ-૧ : ૩૧૪ સુપાત્રનો સ્વરૂપનિર્ણય - ભાગ-૧ : ૩૦૧, ૩૧૪ સુભાગ્ય – ભાગ-૧ : ૪૦૧-૪૦૨ સ્કંધ – ભાગ-૨ : ૩૬-૩૦૮, ૬૫૮, ૬૮૩-૬૮૪ સ્થિતિબંધ - ભાગ-૨ : ૬૮૭-૬૮૮ સ્યાદ્વાદ - ભાગ-: ૪૬૦-૪૬૧, ૫૨૨-૫૨૩ ભાગ-૪ : ૧૧૧-૧૧૩ સ્વચ્છેદ – ભાગ-૧ : ૩૨૧, ૩૨૨ ભાગ-૪ : ૧૯૭-૧૯૯ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વચ્છેદ અનેક દોષનું મૂળ – ભાગ-૧ : ૩૨૩-૩૨૭, ૩૫૧-૩૨૨, ૩૯૨ સ્વચ્છેદ કઈ રીતે રોકાય? – ભાગ-૧ : ૩૩૪, ૩૪૪-૩૪૫ ભાગ-૪ : ૧૯૮ સ્વચ્છંદી જીવ સપુરુષથી વિમુખ – ભાગ-૧ : ૩૨૩-૩૨૭ સ્વચ્છંદત્યાગનું ફળ – ભાગ-૧ : ૩૨૮ સ્વદયા – ભાગ-૩ : ૪૩૧-૪૩૨ સ્વભાવવાદી - ભાગ-૨ : ૪૮૪-૪૮૬ સ્વભાવવાદ - સ્વભાવભેદથી કાર્યભેદ – ભાગ-૨ : ૭૧૫-૭૧૮ સ્વભાવવાદનું નિરસન – ભાગ-૨ : ૭૧૫-૭૧૮ સ્વર્ગ - દેવ મનુષ્યલોકમાં કેમ આવતા નથી? – ભાગ-૨ : ૨૬૦ સ્વસંવેદન – ભાગ-૩ : ૪૮૫ સ્વાનુભૂતિ – ભાગ-૧ : ૨૭૭, ૬૦૪ ભાગ-૩ : ૪૭૭-૪૭૮, ૫૦૫ ભાગ-૪ : ૨૯૬-૨૯૭, ૩૩૮-૩૪૨ સ્વાનુભૂતિ પછીની દશા – ભાગ-૧ ૭૨૬-૭૩૦ ભાગ-૩ : ૮૪ ભાગ-૪ : ૩૬૧ સ્વાનુભૂતિનો મહિમા – ભાગ-૩ : ૪૮૭, ૫૪૭-૫૪૯ સ્વાનુભૂતિ - વિકલ્પની મહત્તા અને મર્યાદા – ભાગ-૩ : ૪૭૬-૪૭૭ Page #792 -------------------------------------------------------------------------- ________________